Achira News Logo
Achira News

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હિંસક વળાંકઃ વ્યક્તિગત વિવાદમાં હુમલા બાદ વ્યક્તિનું મોત

Sandesh
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હિંસક વળાંકઃ વ્યક્તિગત વિવાદમાં હુમલા બાદ વ્યક્તિનું મોત
Full News
Share:

અમદાવાદમાં અંગત અદાવતમાં વેવાઈની હત્યા શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી અને કૌટુંબિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. લગ્ન સબંધી માથાકૂટમાં ચાર શખ્સોએ નટુ પરમાર નામના વ્યક્તિ પર હિંસક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નટુ પરમારનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાયો છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના PI આર. એચ. પરમારે જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ લગ્ન બાબતે ચાલી રહેલી માથાકૂટ મુખ્ય કારણ છે. અગાઉ પણ આ બે જૂથો વચ્ચે આ જ મુદ્દે બોલાચાલી થઈ હતી. મૃતક અને આરોપીઓ વચ્ચે વેવાઈના સંબંધો હતા, પરંતુ લગ્ન બાદ ઉભી થયેલી તકરારમાં ચાર લોકોએ ભેગા મળીને નટુ પરમાર પર જીવલેણ હુમલો કર્યો હતો. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Lifestyle World Entertainment Astrology India Alert! બ્રશ કરવામાં આળસ તમારા હૃદય માટે બની શકે છે જીવલેણ, જાણો શું કહે છે નવો અભ્યાસ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં હિંસક વળાંકઃ વ્યક્તિગત વિવાદમાં હુમલા બાદ વ્યક્તિનું મોત | Achira News