Achira News Logo
Achira News
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:54 AM
એ. એમ. ટી. એસ. એ 2026-27 માટે રૂ. 1,011 કરોડનાં સુધારેલા બજેટને મંજૂરી આપી

એ. એમ. ટી. એસ. એ 2026-27 માટે રૂ. 1,011 કરોડનાં સુધારેલા બજેટને મંજૂરી આપી

AMTSનું રૂ. ૧,૦૧૧ કરોડનું સુધારેલું બજેટ મંજૂર અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું ૨૦૨૬-૨૭ના વર્ષનું રૂ. ૧.૦૧૧ કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂ. ૯૯૧ કરોડના ડ્રાફ્ટ બજેટમાં AMTS કમિટી ચેરમેન ધરમશી દેસાઈએ રૂ. ૨૦ કરોડનો વધારો કરીને બજેટ મંજૂર કર્યું છે. AMTS દ્વારા આગામી વર્ષમાં નવી ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે અને હાલ શહેરમાં દોડાવાતી બસની સંખ્યામાં બમણો વધારો કરીને ૧,૬૦૦ બસનો કાફલો કરવામાં આવશે. શહેરમાં દોડતી રૂ. ૩ કરોડના ખર્ચે ૭૦ AC બસમાં ઈન- કેબિન એર પ્યોરીફીકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. AMTS બસોમાં રૂ. ૩ કરોડના ખર્ચે AIના આધારે બસ રૂટ પર દોડવાતી બસોની સંખ્યા અને કેટલી બસોની ડીમાન્ડ છે તે અંગે સર્વે કરીને બસોની ફ્રીક્વન્સી વધારવા હેતુસર ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટીમાઈઝેશન લગાવવામાં આવશે. હયાત બસો રૂટોનું એનાલિસીસ કરીને જરૂરિયાત મુજબ બસ ફ્રીક્વન્સી વધારવામાં આવશે. AMTSના જમાલપુરના બસ ડીપોમાં ૫૦ વર્ષ જૂના સ્ટોર બિલ્ડિંગને રૂ. ૩ કરોડના ખર્ચે તોડીને નવું બિલ્ડિંગ બનાવાશે. સ્ટાફ બીહેવિયર માટે રૂ. ૨૦ લાખ ફાળવાયા છે. હાલ, મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTSની બસ દોડાવવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના અધ્યક્ષપદે યોજાયેલી ટ્રાન્સપોર્ટ કમિટીની મીટિંગમાં રૂ. ૨૦ કરોડના વધારા સાથે કુલ રૂ. ૧,૦૧૧ કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. AMTS કમિટી ચેરમેને જણાવ્યું હતું કે. હાલ શહેરમાં ૧૬૮ ઓપરેશનલ રૂટ પર AMTSની ૮૬૭ બસ દોડાવવામાં આવી રહી છે અને આગામી વર્ષે બસની સંખ્યામાં બમણો વધારો કરીને ૧૬૦૦ જેટલી બસ કરવામાં આવશે. શહેરના પ્રદૂષણમાં વધારો ન થાય તે હેતુસર પર્યાવરણને સાનુકૂળ ઈલેક્ટ્રીક બસ દોડાવવામાં આવે છે અને ૧૫મા નાણાં પંચની રૂ. ૯ કરોડની ગ્રાન્ટ મેળવીને વધુ ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ તેના ચાર્જર કોમ્પ્રીહેન્સિવ મેઈન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે ખરીદવામાં આવશે.
46 shares
😐
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:54 AM
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાંબા વોર્ડમાં જાહેર વિકાસ પરિયોજનાઓ સમર્પિત કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાંબા વોર્ડમાં જાહેર વિકાસ પરિયોજનાઓ સમર્પિત કરી

અમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના 3 ફેબ્રુઆરીના દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા લાંભા વોર્ડમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના અલગ-અલગ ચાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે વટવા ટર્નીંગ પાસે લાંભા ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, સવારે લાંભા તળાવની પાછળ આવેલા પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત કરાયું અને એ પછી લાંભા તળાવ તેમજ ગાર્ડનનું લોકાર્પણ કરાયું હતું. લાંભાના ઈન્દિરા નગર 2, ત્રણ રસ્તા પાસે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 1391 સ્ટ્રીટ લાઈટ પોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ , ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, મ્યુનિસિપલ શાસક પક્ષના દંડક શીતલ ડાગા સહિત વિવિધ કમિટીના ચેરમેન , આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
51 shares
😐
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:54 AM
સુપ્રીમ કોર્ટે વ્હોટ્સઅપ અને મેટાને'શોષણકારી ગોપનીયતા નીતિ "માટે ઠપકો આપ્યો

સુપ્રીમ કોર્ટે વ્હોટ્સઅપ અને મેટાને'શોષણકારી ગોપનીયતા નીતિ "માટે ઠપકો આપ્યો

પ્રાઇવેટ પોલિસી પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી; કહ્યું- ભારતીયોનો ડેટા શેર કરવાની મંજૂરી નહીં આપીએ (એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્‌સએપ તથા તેની પેરેન્ટ કંપની મેટાની ઝાટકણી કાઢી છે. ૨૦૨૧ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે દલીલ આપી કે વોટ્‌સેપની પ્રાઈવસી પોલિસી શોષણકારી છે. વોટ્‌સએપ યુઝરનો ડેટા શેર કરે છે અને તેનો ઉપયોગ કરી કમાણી પણ કરે છે. સીજેઆઈ સૂર્યકાંતે કડક શબ્દોમાં મેટા અને વોટ્‌સએપને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકતા હોવ તો ભારત છોડીને ચાલતી પકડો. અમે ભારતના કોઈ પણ નાગરિકની પ્રાઈવસી જોખમમાં ના મૂકી શકીએ. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ વૃદ્ધ મહિલા, રસ્તા કિનારે વેપાર કરતી વ્યક્તિ કે પછી માત્ર તમિલ આવડતું હોય તેવા લોકો તમારી પોલિસી કેવી રીતે સમજી શકે? સીજેઆઈએ વોટ્‌સએપને કડક શબ્દોમાં કહ્યું કે, તમે અહીં સર્વિસ આપવા માટે છો, લોકોનો ડેટા ભેગો કરી શેર કરવા માટે નહીં. અમને પણ તમારી પોલિસી સમજવામાં સમસ્યા આવે છે તો બિહારના ગામમાં રહેતા લોકોને શું સમજાશે? ડૉક્ટર વોટ્‌સેપમાં ત્રણ દવા લખીને આપે તો ૫ મિનિટમાં દવાની જાહેરાતો ફોનમાં દેખાવવા લાગે છે. સીજેઆઈએ વોટ્‌સએપને આદેશ આપતા કહ્યું કે, અમે તમને યુઝર્સનો ડેટા મેટાને શેર કરવાની અનુમતિ નહીં આપીએ. યુઝર્સને એપની ‘લત’ લગાવી દેવામાં આવી છે અને હવે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. પૈસા કમાવવા માટે લાખો યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવામાં આવે છે. ભારતના યુઝર્સ મૌન છે તેનો અર્થ એ નથી કે તમે ગમે તેનો ડેટા વેચવા લાગો! સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ પાઠવી છે તથા આ કેસ પર હવે ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે. આ મામલે ૯ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યા છે.
88 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:45 AM
પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી વરસાદ અને તાપમાનમાં વધઘટ થાય છે

પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી વરસાદ અને તાપમાનમાં વધઘટ થાય છે

(એજન્સી)અમદાવાદ, ગુજરાતભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરના પર્વતિય પ્રદેશોમાંથી ઉપરાછાપરી આવી રહેલા પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે હવામાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભરશિયાળે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, તો કોઈ-કોઈ ઠેકાણે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે.જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવામાનના આગાહીકારોના કહેવા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં માવઠા, ઝાકળનો રાઉન્ડ બાદ ઠંડી વિદાય લેતા લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. જો કે લોકોને બે ઋતુનો અનુભવ થશે. હવામાનના ખાનગી આગાહીકારોના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે સોમવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્‌યા હતા. તેમજ રાજ્યના અન્ય ભાગોમાં વાદળો જોવા મળ્યા હતા. હવે આગામી દિવસોમાં એટલે કે આગામી ૧૦ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી. આથી હાલ પુરતી ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ સોમવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાતા જ કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્‌યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, છેલ્લા ૩-૪ દિવસથી ઝાકળનો રાઉન્ડ ચાલી રહ્યો હતો, જેમાં કાલથી મોટી રાહત મળશે. જો કે ૮મી ફેબ્રુઆરીથી ઝાકળનો નવો રાઉન્ડ આવશે. જે ૩ થી ૪ દિવસ સુધી રહી શકે છે. રાજ્યમાં શિયાળું પવન રહેવાથી ઠંડી જોવા મળશે. આગામી ૨ થી ૩ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નીચું આવી શકે છે. જેના કારણે ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે, પરંતુ તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવવાની હાલ કોઈ શક્યતા નથી. શિયાળો હવે વિદાય લેવાનો હોવાથી સામાન્ય ઠંડી રહેશે. એટલે કે લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચુ જોવા મળશે. જેના કારણે દિવસના સમયે ગરમીના કારણે ઉનાળાનો અહેસાસ થશે, જ્યારે વહેલી સવારે અને રાતના સમયે સામાન્ય ઠંડીનો ચમકારો રહેશે આમ આગામી દિવસોમાં ડબલ ઋતુ જોવા મળશે.
52 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:43 AM
બહેરીની રેપર ફ્લિપ્રાચીએ વાયરલ ગીત FA9LA સાથે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

બહેરીની રેપર ફ્લિપ્રાચીએ વાયરલ ગીત FA9LA સાથે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ગીતની સફળતા બાદ ફ્લિપરાચીએ પોતાની ઇન્ડિયા ટૂરની જાહેરાત પણ કરી છે, જે ૧૪ માર્ચે બેંગલુરુમાં યોજાનારા UN40 મ્યુઝિક ફેસ્ટિવલથી શરૂ થશે ધુરંધરના કારણે ફ્લિપરાચીનાં FA9LAને ગિનેસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું મુંબઈ,બાહરીનના રેપર ફ્લિપરાચીનું ૨૦૨૪માં રિલીઝ થયેલું ગીત ‘FA9LA’ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’માં લેવાયા બાદ દુનિયાભરમાં આ ગીત ભારે હિટ થઈ ગયું છે. ખાસ કરીને ફિલ્મમાં અક્ષય ખન્નાના આઇકોનિક એન્ટ્રી સીન દરમિયાન આ ગીત ઉપયોગમાં લેવાતા જ તે વાયરલ થયું હતું. તેની એનર્જેટિક બીટ્‌સ અને આકર્ષક હુક સ્ટેપ્સના કારણે ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. હવે ‘FA9LA’એ એક સાથે સૌથી વધુ બિલબોર્ડ ચાટ્‌ર્સ પર ટોચનું સ્થાન મેળવવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં અરબ બિલબોર્ડ ટીમ અને ગિનીઝ વર્લ્ડ રેકોડ્‌ર્સ અરેબિયાએ રેપરને આ સિદ્ધિ અંગે સરપ્રાઇઝ આપી હતી. એક જ ગીત દ્વારા સૌથી વધુ બિલબોર્ડ ચાટ્‌ર્સ પર નંબર વન થવાનો રેકોર્ડ ફ્લિપરાચીના નામે નોંધાયો છે.૧ જાન્યુઆરી સુધીમાં આ ગીત ચાર અલગ અલગ અરબી બિલબોર્ડ ચાટ્‌ર્સ પર ટોચ પર હતું. ત્યારે ફ્લિપરાચીએ ગીતની સફળતા માટે ફિલ્મ ‘ધુરંધર’ને શ્રેય આપીને આભાર માન્યો છે. રેપરે જણાવ્યું હતું, “જ્યારે મેં પહેલી વખત સોશિયલ મીડિયા પર ગીતને ધમાકેદાર રીતે વાયરલ થતું જોયું ત્યારે હું ચોંકી ગયો હતો. અચાનક અમને ત્યાંથી ડીલ મળી અને તેમણે કહ્યું કે ફિલ્મના એક સીન માટે ‘હ્લછ૯ન્છ’ એકદમ પરફેક્ટ છે. આ ગીત એવા એક્ટરની એન્ટ્રી સીનમાં મૂકાયું, જે લગભગ દસ વર્ષ પછી સ્ક્રીન પર જોવા મળ્યો. બસ, તેણે ગીત પર ડાન્સ કર્યાેં અને બૂમ!”ઉલ્લેખનીય છે કે ‘FA9LA’ સૌ પહેલાં મે ૨૦૨૪માં રિલીઝ થયું હતું, ‘ધુરંધર’માં સામેલ થયા બાદ તેને અસાધારણ લોકપ્રિયતા મળી. ગીતની સફળતા બાદ ફ્લિપરાચીએ પોતાની ઇન્ડિયા ટૂરની જાહેરાત પણ કરી છે, જે ૧૪ માર્ચે બેંગલુરુમાં યોજાનારા UN40 મ્યુઝિક ફેસ્ટિવલથી શરૂ થશે.ss1
50 shares
😊
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:39 AM
સુપ્રીમ કોર્ટે સરકારને 2027ની વસ્તી ગણતરીમાં જાતિના આંકડા એકત્ર કરવા માટે ચોક્કસ પ્રણાલી પર વિચાર કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટે સરકારને 2027ની વસ્તી ગણતરીમાં જાતિના આંકડા એકત્ર કરવા માટે ચોક્કસ પ્રણાલી પર વિચાર કરવા કહ્યું

વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? હાલમાં વસ્તીગણતરીની પ્રક્રિયા વસ્તીગણતરી અધિનિયમ, ૧૯૫૮ અને તે હેઠળ ૧૯૯૦માં બનાવવામાં આવેલા નિયમો મુજબ ચાલે છે નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ તથા વસ્તીગણતરી કમિશનરને એ સૂચન પર વિચાર કરવા જણાવ્યું છે, જેમાં ૨૦૨૭ની વસ્તીગણતરીમાં જાતિની ગણતરી માત્ર ‘સ્વ-ઘોષણા’ ને બદલે એક ચોક્કસ પ્રણાલીના આધારે કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. વસ્તીગણતરીમાં નાગરિકોની જાતિ સંબંધિત વિગતો નોંધવા, વર્ગીકૃત કરવા અને તેને ચકાસવા માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે.ઝ્રત્નૈં સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, “આમાં એક સુસંગત મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, તેથી સક્ષમ સત્તાધિકારીઓએ વસ્તીગણતરી અધિનિયમ ૧૯૫૮ હેઠળ આ સૂચનો પર વિચાર કરવો જોઈએ.” ખંડપીઠે અરજદાર અને શિક્ષણવિદ આકાશ ગોયલને જણાવ્યું હતું કે, જાતિ સંબંધિત આંકડાઓની ઓળખ માટે અગાઉથી નક્કી કરેલો કોઈ ડેટા નથી. આ ઉપરાંત ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, વસ્તીગણતરીની પ્રક્રિયા વસ્તીગણતરી અધિનિયમ, ૧૯૫૮ અને તે હેઠળ ૧૯૯૦માં બનાવવામાં આવેલા નિયમો મુજબ ચાલે છે. આ કાયદો પ્રતિવાદી સત્તાધિકારીઓને વસ્તીગણતરી કરવાની વિગતો અને પદ્ધતિઓ નક્કી કરવાની સત્તા આપે છે. કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે, રજિસ્ટ્રાર જનરલ અને વસ્તીગણતરી કમિશનરની કચેરી કોઈપણ ભૂલ ટાળવા માટે નિષ્ણાતોની મદદથી એક મજબૂત વ્યવસ્થા વિકસાવી ચૂકી હશે. અરજદાર ગોયલ વતી વરિષ્ઠ એડવોકેટ મુક્તા ગુપ્તાએ દલીલ કરી હતી કે, નાગરિકોની જાતિની વિગતો નોંધવા અને ચકાસવા માટે ઉપયોગમાં લેવાતું પ્રશ્નાવલી પત્રક પારદર્શક હોવું જોઈએ અને તેને જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ.
69 shares
😐
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:39 AM
અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇન્ટરસેપ્શન સાથે માદક દ્રવ્યોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇન્ટરસેપ્શન સાથે માદક દ્રવ્યોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

બેંગકોકથી આવેલી મહિલા ચોકલેટના પેકેટમાં રૂ. ૧ કરોડનો ગાંજો છુપાવી લાવતા ઝડપાઈ કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહીઃ હાઈડ્રોપોનિક્સ મરિજુઆનાના ૯ પેકેટ જપ્ત (એજન્સી)અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે સ્મગલરો માટે સુરક્ષિત રહ્યું નથી. સોનાની દાણચોરી બાદ હવે ડ્રગ્સ માફિયાઓ પણ કસ્ટમ્સની રડારમાં આવી રહ્યા છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે બેંગકોકથી આવેલી એક મહિલા પેસેન્જરને અટકાવી તેની પાસેથી આશરે રૂ. ૧ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્‌યો છે. આરોપી મહિલા અત્યંત ચાલાકીપૂર્વક ચોકલેટ અને ફૂડ પેકેટ્‌સમાં આ નશીલો પદાર્થ છુપાવીને લાવી હતી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્‌લાઇટમાં ડ્રગ્સની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે શંકાસ્પદ મહિલા મુસાફરને અટકાવી જ્યારે તેના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. મહિલાની ટ્રાવેલિંગ બેગની તપાસ કરતા તેમાંથી વિવિધ ખાણી-પીણી અને ચોકલેટના પેકેટો મળી આવ્યા હતા. ઉપરથી સામાન્ય દેખાતા આ ૯ પેકેટોને જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે તેની અંદરથી પ્લાસ્ટિકના સીલબંધ પેકેટમાં છુપાવેલો લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો ‘હાઈડ્રોપોનિક્સ મરિજુઆના’ (હાઈબ્રિડ ગાંજો) હોવાનું પુરવાર થયું હતું. કસ્ટમ્સ વિભાગે મહિલા પાસેથી કુલ ૯૪૮ ગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ.૧ કરોડ આંકવામાં આવી રહી છે. આ અંગે મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠલ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
71 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:37 AM
શોભિતા ધુલિપાલાઃ લગ્ન પછી કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું

શોભિતા ધુલિપાલાઃ લગ્ન પછી કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું

મારા લગ્નને હજી એક વર્ષ જ થયું છે અને મારી સમગ્ર કારકિર્દી તથા કામ મારી સ્વતંત્ર સફર અને મહેનતથી જ આગળ વધ્યા છે-એ લોકો મારો પરિવાર છે, ઇન્ડસ્ટ્રી નહીં : શોભિતા ધુલીપાલા મુંબઈ,કામ અને અંગત જીવન વચ્ચે બંનેમાંથી કોઈને નુકસાન ન થાય એવું સંતુલન જાળવવા માટે સમજ અને આવડત બંને જરૂરી છે. સમય મર્યાદામાં રહીને કામ કરવામાં અને કૅરિઅરમાં નવા લક્ષ્ય પાર કરવાની હરિફાઇમાં પરિવારને સમય આપવો મુશ્કેલ બની જાય છે. ત્યારે તાજેતરમાં જ સાઉથના સુપર સ્ટુર પરિવારમાં નાગ ચૈતન્ય સાથે લગ્ન પછી પોતાની કૅરિઅર અને જીવનમાં કેવા પરિવાર્તન આવ્યા તે અંગે શોભિતાએ વાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં શોભિતાએ કહ્યું, “મારા લગ્નને હજી એક વર્ષ જ થયું છે અને મારી સમગ્ર કારકિર્દી તથા કામ મારી સ્વતંત્ર સફર અને મહેનતથી જ આગળ વધ્યા છે. હું એવા પરિવારમાં પરણી છું, જ્યાં લોકો વારસાગત રીતે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, પરંતુ મારું કામ હંમેશાં અલગ રહ્યું છે. તેથી હું તેમને પરિવાર તરીકે જ જોઉં છું, ઇન્ડસ્ટ્રીના લોકો તરીકે નહીં. જ્યારે હું ઘરે તેમને મળું છું, ત્યારે તેઓ મારા માટે પરિવાર જ છે. કદાચ ભવિષ્યમાં હું આ બાબતને વધુ સારી રીતે સમજી શકીશ, પરંતુ હાલમાં મારી કારકિર્દી અને પરિવાર બંને અલગ-અલગ છે.”પ્રાઇમ વીડિયો પર શોભિતાની મેડ ઇન હેવન સિરીઝ ઘણી લોકપ્રિય છે. ત્યારે તાજેતરમાં તેની નવી ક્રાઇમ થ્રિલર સિરીઝ ચિકાતીલો આવી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ss1
4 shares
😐
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:37 AM
અરુણ ગોવિલે'રામાયણ'ની કાયમી લોકપ્રિયતા અને તેના પાત્રો વિશે વાત કરી

અરુણ ગોવિલે'રામાયણ'ની કાયમી લોકપ્રિયતા અને તેના પાત્રો વિશે વાત કરી

રામાનંદ સાગરનો પ્રખ્યાત ધાર્મિક શો “રામાયણ” ખૂબ જ લોકપ્રિય હતો અરુણ ગોવિલ હાલમાં નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવવા માટે સમાચારમાં છે મુંબઈ,રામાનંદ સાગરનો પ્રખ્યાત ધાર્મિક શો “રામાયણ” ખૂબ જ લોકપ્રિય હતો. આ શો હજુ પણ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ફક્ત શો જ નહીં, પરંતુ તેના પાત્રો પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. વધુમાં, હિન્દી સિનેમાએ મહાકાવ્ય ‘રામાયણ’ ને ઘણી વખત મોટા પડદા પર લાવ્યું છે. ટીવીથી લઈને ફિલ્મો સુધીના ઘણા સ્ટાર્સે આ શોમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી હતી. જોકે, શ્રી રામની ભૂમિકામાં અરુણ ગોવિલ સૌથી વધુ લોકપ્રિય હતા. અરુણ ગોવિલ હાલમાં નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવવા માટે સમાચારમાં છે. આ ફિલ્મમાં અરુણ રાજા દશરથની ભૂમિકામાં જોવા મળશે. દરમિયાન, અરુણ ગોવિલ હાલમાં એક તાજેતરના ઇન્ટરવ્યુ માટે સમાચારમાં છે. ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ ખુલાસો કર્યાે કે આગામી ‘રામાયણ’ ફિલ્મ કઈ તુલનાઓનો સામનો કરશે.અરુણ ગોવિલે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન, તેમણે સ્પષ્ટતા કરી કે જ્યારે કોઈ છબી લોકોની યાદોમાં ઊંડે સુધી જડાયેલી હોય છે, ત્યારે સરખામણી સ્વાભાવિક છે. અરુણ ગોવિલે કહ્યું, “જ્યારે કોઈ ધોરણ નક્કી કરવામાં આવે છે, ત્યારે સરખામણી હંમેશા થાય છે, અને કોઈને મારી સાથે સરખામણી કરવામાં ખરાબ લાગવું જોઈએ નહીં. મારું માનવું છે કે ભગવાનની ભૂમિકા ભજવવા માટે, તમારે આવા દેખાવા જોઈએ. દેખાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે લોકો તમને જુએ છે, ત્યારે તેઓએ તમારામાં ભગવાન જોવો જોઈએ, અને વિચારવું જોઈએ કે ‘ભગવાન આવા હોઈ શકે છે. ભગવાન રામ તરીકે રણબીર કપૂરની સાથે, કલાકારોમાં રાવણ તરીકે યશ, સીતા તરીકે સાઈ પલ્લવી, ભગવાન હનુમાન તરીકે સની દેઓલ અને લક્ષ્મણ તરીકે રવિ દુબેનો સમાવેશ થાય છે. રામાયણનો પહેલો લુક જાહેર થયા પછી, ફિલ્મની તુલના રામાનંદ સાગરના ૧૯૮૭ના ટીવી શો રામાયણ સાથે કરવામાં આવી છે, જેમાં ગોવિલે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. વધુમાં, ભગવાન રામ તરીકે રણબીરના લુકની ખાસ કરીને સરખામણી કરવામાં આવી રહી છે. રામાયણનું નિર્માણ નમિત મલ્હાત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો અને યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ સાથે મળીને કરવામાં આવ્યું છે. ss1
74 shares
😊
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:37 AM
સની દેઓલ અને રાજકુમાર સંતોષી'લાહોર 1947: અ બોક્સ ઓફિસ સક્સેસ ઇન ધ મેકિંગ? "માટે ફરી એક થયા હતા.

સની દેઓલ અને રાજકુમાર સંતોષી'લાહોર 1947: અ બોક્સ ઓફિસ સક્સેસ ઇન ધ મેકિંગ? "માટે ફરી એક થયા હતા.

બોર્ડર ૨ ને ગદ્દર ૨ની સફળતા પછી ટ્રેડ એક્પટ્‌ર્સ માને છે કે સની દેઓલ અને રાજકુમાર સંતોષીની જોડી ક્યારેય નિષ્ફળ ગઈ નથી મુંબઈ,સન્ની દેઓલની છેલ્લી બે બોલિવૂડ ફિલ્મ ‘ગદ્દર ૨’ અને ‘બોર્ડર ૨’ને બોક્સ ઓફિસ પર મળેલી સફળતાએ હવે તેની આવનારી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ સામે ઘણી અપેક્ષાઓ વધારી દીધી છે. ખુબ જાણીતા નાટક ‘જિસ લાહોર નઈ દેખ્યા’ પરથી બનતી આ ફિલ્મમાં સની દેઓલ અને રાજકુમાર સંતોષી ફરી એકબીજા સાથે કામ કરશે. આ પહેલાં તેમણે ઘાયલ, દામિની અને ઘાતક જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ આમિર ખાન પ્રોડ્યુસ કરે છે અને તેમાં તેનો એક લાંબો કેમિયો પણ જોવા મળશે. આ ફિલ્મમાં સન્ની અને આમિર ઉપરાંત, પ્રિટી ઝીંટા, શબાના આઝમી અને અલી ફઝલ પણ મહત્વના રોલમાં છે. ત્યારે ટ્રેડ એક્સપર્ટ એકસુરે કહે છે કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણી સારી ચાલશે.આ ફિલ્મ અંગે અનુભવી ટ્રેડ એક્સપર્ટ તરન આદર્શ કહે છે, “એક લાંબા વિરામ પછી રાજકુમાર સંતોષી અને સની દેઓલ એકસાથે આવી રહ્યા છે. તેના કારણે તેમના પર ઘણા લોકોની નજર છે. મને રાજકુમાર સંતોષીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું કે આ તેમનો સૌથી મનપસંદ વિષય રહ્યો છે અને તેઓ લાંબા સમયથી આ ફિલ્મ બનવવા માગતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારના વિષય પર કામ કરવા આતુર હોય, તો એ ફિલ્મમાં પણ દેખાશે. જ્યારે આ પ્રકારની ફિલ્મમાં આમિર પ્રોડ્યુસર હોય અને તે પણ પોતાના સલાહ સૂચન આપે તો રાજકુમાર સંતોષી સાથે તેની જોડી પણ ઘણી સફળ સાબિત થઈ શકે છે.”રાજકુમાર સંતોષી અને સન્ની દેઓલના ૧૦૦ ટકા સફળતાના ટ્રેક રેકોર્ડ વિશે તરણ આદર્શ કહે છે, “એમણે પહેલાં પણ હેટ્રિક આપી છે, તો આ વખતે પણ એ લોકો ચોગ્ગો મારે એવી અપેક્ષા છે.”જ્યારે કેટલાક સિનેમાનાં માલિક વિશેક ચૌહાણે જણાવ્યું, “રાજકુમાર સંતોષી અને આમિરની જોડીના કારણે ઘણા લોકો લાહોર ૧૯૪૭ની રાહ જોઈને બેઠાં છે. તેઓ ક્યારે નિષ્ફળ ગયા નથી. દામિનીમાં સન્ની દેઓલનો માત્ર ૪૫ મિનિટનો રોલ હતો તેમ છતાં તે આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતી ગયો હતો. તો સન્ની દેઓલ માટે સારો રોલ રાજકુમાર સંતોષીથી સારો કોઈ ન આપી શકે, જે તેમના ડાયલોગ અને રોલને ઉંચાઈ પર લઈ જઈ શકે.” જ્યારે ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહન જણાવે છે, “રાજ કુમાર સંતોષી આપણી ઇન્ડસ્ટ્રીના સૌથી સારા કમર્શીયલ ફિલ્મ મેકર છે. તેમણે આ ફિલ્મ પર ઘણું વિચાર્યું હશ. જો આ ફિલ્મની સ્ટોરીમાં કંઈ ખાસ ન હોત તો આમિર તેને પ્રોડ્યુસ કરવા તૈયાર થયો ન હોત. સાથે જ સન્ની દેઓલને મનાવવો પણ સહેલો નથી. તેથી ઘણી અપેક્ષાઓ છે.”જ્યારે ડિસ્ટ્રીબ્યુટર અને રાજ બંસલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મને પણ ઘણું સારું ઓપનિંગ મળશે. “જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલશે, તો તમને સન્ની દેઓલ ફરી એક વખત એક અલગ સ્તર પર જોવા મળશે. કારણ કે આ કોઈ સામાન્ય એક્શન મસાલા ફિલ્મ નથી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે સન્ની દેઓલ ગુસ્સો કરે અને બરાડા પાડે તો જ ફિલ્મ સફળ થાય છે. પણ લાહોર ૧૯૪૭ એ પ્રકારની ફિલ્મ જ નથી. તેથી સની માટે પણ આ ફિલ્મની સફળતા મહત્વની છે.”ss1
7 shares
😊
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:37 AM
અમદાવાદ જાહેર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન વધારવા માટે'નો કેટેલ ઝોન'જાહેર કરે છે

અમદાવાદ જાહેર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન વધારવા માટે'નો કેટેલ ઝોન'જાહેર કરે છે

ગોતા, સરદારનગર ,ખાડીયા , મણિનગર અને કાંકરીયા તથા નવરંગપુરા , સ્ટેડિયમ, પાલડી , નવા વાડજ , નારણપુરા , ચાંદખેડા , મોટેરા અને સાબરમતી વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરાયા અમદાવાદ (પ્રતિનિધિ), શહેરમાં જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે “ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસેન્સ” અભિયાન અમલમાં મૂકાયું છે. શહેરમાં મહત્વના જાહેર સ્થળોએ ભારે અવરજવર રહેતી હોવાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ, શહેર પોલીસ અને એસ.આર.પી તેમજ સબઝોન કચેરીના વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા ‘નો કેટલ ઝોન’ના જાહેરનામાઓનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. લાયસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને કેટલ પાઉન્ડમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ‘ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ’ની સ્થિતિ સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સધન ચકાસણી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં તાજેતરમાં સી.એન.સી.ડી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લોકલ પોલીસ, એસ.આર.પી. તથા એસ્ટેટ વિભાગની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તેમજ 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
27 shares
😐
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:37 AM
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને સમર્થન આપ્યું; હાઈકોર્ટના આદેશને રદ કર્યો

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને સમર્થન આપ્યું; હાઈકોર્ટના આદેશને રદ કર્યો

(એજન્સી)નવી દિલ્હી, વ્યક્તિગત ફરિયાદના આધારે ચૂંટણી પ્રક્રિયામાં હળવાશથી દખલ કરી શકાય નહીં અથવા તેને અટકાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું કે વ્યક્તિગત ફરિયાદોના કિસ્સામાં, અંતિમ અને વિશિષ્ટ ઉપાય માત્ર ‘ચૂંટણી પિટિશન’ દ્વારા જ મળી શકે છે. ખંડપીઠે ઉત્તરાખંડ હાઈકોર્ટના જુલાઈ ૨૦૨૫ના વચગાળાના આદેશને પડકારતી અપીલ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રિટ‹નગ ઓફિસરને એક વ્યક્તિને ચૂંટણી પ્રતીક ફાળવવા અને જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણીમાં ભાગ લેવા દેવા નિર્દેશ આપ્યો હતો. સર્વાેચ્ચ અદાલતે કહ્યું કે ચૂંટણી લડવાનો કે તેને પડકારવાનો અધિકાર વૈધાનિક પ્રકૃતિનો હોવાથી, તેનું ચુસ્તપણે પાલન થવું જોઈએ અને સંબંધિત કાયદા મુજબ જ તેનો ઉપયોગ થવો જોઈએ. ખંડપીઠે હાઈકોર્ટના વચગાળાના આદેશને રદ કરતા કહ્યું કે, “હાઈકોર્ટે વ્યક્તિઓની તરફેણમાં ઉદાર વચગાળાની રાહતો આપવાનું ટાળવું જોઈએ અને તેના બદલે રાજ્યભરમાં ચૂંટણીઓ સરળ અને અવિરત રીતે ચાલે તેવા વ્યાપક જાહેર હિતનું ધ્યાન રાખવું જોઈએ.” ઉત્તરાખંડ રાજ્ય ચૂંટણી પંચે ૧૨ જિલ્લાઓમાં પંચાયત ચૂંટણીઓ શરૂ કરવા માટે સુધારેલી સૂચના બહાર પાડી હતી. પિથોરાગઢ જિલ્લાની એક બેઠક પરથી જિલ્લા પંચાયત સભ્ય તરીકે એક વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, જરૂરી વિગતો જાહેર ન કરવાના આક્ષેપ સાથે વાંધો ઉઠાવવામાં આવતા તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી.
8 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:36 AM
દિલ્હીનો એક વ્યક્તિનો ફોન ચોરનારા ચોરોએ તેને મદદ વગર છોડી દીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.

દિલ્હીનો એક વ્યક્તિનો ફોન ચોરનારા ચોરોએ તેને મદદ વગર છોડી દીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.

નવી દિલ્‍હી તા.૪: દિલ્‍હીથી એક આઘાતજનક અને માનવતાને શરમાવે તેવી એક ઘટના જોવા મળી હતી. શનિવારે વહેલી સવારે એક વ્‍યક્‍તિ અચાનક રસ્‍તા પર પડી ગયો અને દેખીતી રીતે તકલીફમાં હતો. તેને જમીન પર પડેલો જોઈને, સ્‍કૂટર પર સવાર બે યુવાનો તેની પાસે આવ્‍યા અને મદદ કરવાને બદલે તેનો મોબાઈલ ફોન ચોરીને ત્‍યાંથી ભાગી ગયા. તેઓ પાછળથી પાછા ફર્યા અને તેના ખિસ્‍સા તપાસ્‍યા. કંઈ ન મળ્‍યું અને સીસીટીવી કેમેરા જોયા વિના, તેઓ ઘટનાસ્‍થળેથી ભાગી ગયા. સમયસર તબીબી સહાય ન મળવાને કારણે તે વ્‍યક્‍તિનું મૃત્‍યુ થયું હોવાનું કહેવાય છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTVફૂટેજમાં પીડિત વ્‍યક્‍તિ જમીન પર પડેલી જોવા મળી હતી. અચાનક, એક સ્‍કૂટર તેની પાસે આવે છે અને તેના પર બેસેલા સવારોમાંથી એક નીચે ઉતરે છે, તે વ્‍યક્‍તિનો ફોન ચોરી લે છે અને વાહન તરફ પાછો ફરે છે. પછી બન્ને પાછા આવે છે, પીડિત વ્‍યક્‍તિના ખિસ્‍સા તપાસે છે અને પીડિતને એ જ હાલતમાં રસ્‍તા પર છોડી ઘટનાસ્‍થળેથી ભાગી જાય છે. સવારે લગભગ ૮ વાગ્‍યા પછી, જ્‍યારે વિસ્‍તારના લોકો ભેગા થવા લાગ્‍યા, ત્‍યારે પોલીસને જાણ કરવામાં આવી. ત્‍યારબાદ પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધો. હવે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
64 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:30 AM
જાગૃતિ વધારવીઃ ભારતમાં મૌખિક અને ગળાના કેન્સરનો રોગચાળો

જાગૃતિ વધારવીઃ ભારતમાં મૌખિક અને ગળાના કેન્સરનો રોગચાળો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે જાણીએ કેન્સરની ગંભીરતા અને જાગૃતિ માટેની અવેરનેસ વિશે. તંબાકુ, શરાબ અને બજારૂ જંક ફૂડ જેવા ખોરાક આરોગવાને કારણે અને HPV વાયરસને કારણે દેશમાં દર કલાકે પાંચ જેટલી વ્યક્તિનું મોઢા તેમજ ગળાના કેન્સર ને કારણે મૃત્યુ થાય છે એમ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ENT સર્જન ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,જી.કે. માં ENT વિભાગ મારફતે છેલ્લા એક વર્ષમાં લગભગ ૧૦૦ જેટલા ગળા અને મોઢાના કેન્સરની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. આ કેન્સરની એન્ડોસ્કોપી, બાયોપ્સી અને ઇમેજિંગ પરીક્ષણ (સીટી સ્કેન અને એમ.આર.આઈ)દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. જો કે શરૂઆતના સ્ટેજમાં પરીક્ષણ થઈ જાય તો રેડિએશન, સર્જરી અને કીમોથેરાપીથી ઈલાજ શક્ય બને છે. ગળાનું કેન્સર થવાનું મુખ્ય કારણ સિગારેટ, બીડી, ગુટખા સ્વરૂપે તમાકુ અને સોપારીનું સેવન અને વધુ પડતા શરાબની કુટેવ છે.ઉપરાંત હ્યુમન પૈપિલોમાવાયરસ (HPV) અને જંકફુડ તથા બહારના ખોરાક આરોગયા પછી પણ મોઢાની સંભાળ ન રાખવી તેમજ કેમિકલ યુક્ત ખોરાક એ તેમજ અસ્વસ્થ જીવનશૈલી મુખ્ય રીતે જવાબદાર છે. લક્ષણો અંગે ડો. હિરાણીએ જણાવ્યું કે, લગાતાર મોઢામાં ખારાશ, અન્નનો કોળિયો ગળવામાં દુખાવા સાથે તકલીફ, ગળા સાથે કાનમાં પણ દર્દ મહેસુસ થાય તેમજ અવાજમાં બદલાવ ને ભારેપણું જણાય ઉપરાંત ગળામાં ગાંઠ સાથે સૌથી મહત્વનું કારણ વ્યક્તિનું કોઈ કારણ વગર વજન ઘટવા લાગે તેમજ મોઢું ઓછું ખુલે, મોઢામાં જલ્દી ન રૂઝાય તેવું ચાંદુ વિગેરેમાં તાત્કાલિક તબીબ નો સંપર્ક કરવો કેમકે કેન્સર હોઈ શકે છે.
59 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:28 AM
ઉત્તર પ્રદેશ પોલીસે મોટા ઓપરેશનમાં કુખ્યાત ગુનેગાર બનારસી યાદવને ઠાર માર્યો

ઉત્તર પ્રદેશ પોલીસે મોટા ઓપરેશનમાં કુખ્યાત ગુનેગાર બનારસી યાદવને ઠાર માર્યો

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ એક મોટી કાર્યવાહીમાં કુખ્યાત ગુનેગાર બનારસી યાદવને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બનારસી યાદવ પર લાખોનું ઈનામ હતું અને તે હત્યા તથા લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
70 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:27 AM
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી, પર્યટનની સફળતાની પ્રતિકૃતિ પર નજર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી, પર્યટનની સફળતાની પ્રતિકૃતિ પર નજર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ કચ્છના પ્રવાસે આવ્યા હતા. તેમણે સફેદ રણ ધોરડો તેમ જ ભુજના સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી કચ્છ આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે હોટ ટૂરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે. ડો. મોહન યાદવે ધોરડો જેવી ટેન્ટ સીટી હવે ઉજ્જૈનના સિંહસ્થ કુંભ મેળામાં અને ભુજના સ્મૃતિ વન જેવું મેમોરિયલ ભોપાલમાં ગેસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓની સ્મૃતિમાં બનાવવાનું જણાવ્યું હતું. તેઓ કચ્છમાં પ્રવાસનના વિકાસ અને ભૂકંપ પછીના નવસર્જનથી ભારે પ્રભાવિત થયા હતા.
4 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:26 AM
સ્પેનની સરકારે ડીપફેક અને શોષણની ચિંતાઓ વચ્ચે સગીર વયના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા લીધી

સ્પેનની સરકારે ડીપફેક અને શોષણની ચિંતાઓ વચ્ચે સગીર વયના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા લીધી

વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ટેક કંપનીઓની આકરી ટીકા કરી; ડીપફેક અને જાતીય શોષણ રોકવા સરકારનું કડક પગલું: સ્પેન સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુબઈ સમિટમાં જણાવ્યું હતું કે, ટેક પ્લેટફોર્મ્સ પર ફેલાતી ગેરકાયદેસર સામગ્રી, બિન-સહમતિપૂર્ણ ડીપફેક છબીઓ અને ઓનલાઈન શોષણથી બાળકોને બચાવવા આ કાયદો લાવવો અનિવાર્ય છે.
85 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:25 AM
ઓડિશા ગેંગરેપ કેસઃ સહપાઠીઓના ઘૃણાસ્પદ ગુનાનો વીડિયો વાયરલ

ઓડિશા ગેંગરેપ કેસઃ સહપાઠીઓના ઘૃણાસ્પદ ગુનાનો વીડિયો વાયરલ

બલનગીર તા.૪: ઓડિશાના બાલનગીર જિલ્‍લામાં એક ઘટનાએ સમગ્ર સમુદાયને ચોંકાવી દીધો છે. જિલ્‍લાના તુરેકેલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી નવમા ધોરણની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્‍કારનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્‍યો છે. પીડિતાના પાંચ સહાધ્‍યાયી અને અન્‍ય એક પુરુષ આ જઘન્‍ય ગુનામાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે. આ ભયાનક ઘટના ત્‍યારે પ્રકાશમાં આવી જ્‍યારે આરોપીઓ દ્વારા શૂટ કરાયેલ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયો સામે આવ્‍યા પછી, પીડિતાના પરિવારને ઘટનાની જાણ થઈ અને તાત્‍કાલિક ન્‍યાય મેળવવા માટે કાર્યવાહી કરી. અહેવાલો અનુસાર, છ આરોપીઓએ વિદ્યાર્થીને એકાંત સ્‍થળે લલચાવીને તેને પોતાની વાસનામાં ફસાવી હતી. ગુનો કર્યા પછી, તેઓએ કથિત રીતે તેણીને ધમકી આપી હતી કે જો તેણીએ કોઈને કહ્યું તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ડરના કારણે, વિદ્યાર્થી ચૂપ રહ્યો, પરંતુ આરોપીએ સમગ્ર ઘટનાનું ફિલ્‍માંકન કર્યું અને તેને વાયરલ કરી દીધું. પીડિતાના પિતા અને અન્‍ય સંબંધીઓએ જિલ્‍લા પોલીસ અધિક્ષક જી. અભિલાષને મળ્‍યા અને લેખિત ફરિયાદ નોંધાવી, ન્‍યાય માટે વિનંતી કરી. અધિક્ષકની કડક સૂચનાઓને અનુસરીને, તુરેકેલા પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી.
40 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:24 AM
ગ્રીક તટરક્ષક જહાજ હાઈ-સ્પીડ બોટ સાથે અથડાયું, અનેક જાનહાનિ નોંધાઈ

ગ્રીક તટરક્ષક જહાજ હાઈ-સ્પીડ બોટ સાથે અથડાયું, અનેક જાનહાનિ નોંધાઈ

ગ્રીસ તા.૪: ગ્રીસના પૂર્વી એજિયન સમુદ્રમાં આવેલા ચિઓસ ટાપુ પાસે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મધ્‍યરાત્રિના સમયે એક હાઈ-સ્‍પીડ બોટ અને ગ્રીક કોસ્‍ટ ગાર્ડના પેટ્રોલિગ જહાજ વચ્‍ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્‍માતે માનવતાવાદી સંકટની સાથે સાથે દરિયાઈ મુસાફરીમાં રહેલા જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. હાલમાં ઘટનાસ્‍થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રીક કોસ્‍ટ ગાર્ડ દ્વારા મંગળવારે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે આ દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. જોકે, રાહતની વાત એ છે કે ૨૪ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. આ અથડામણમાં બે કોસ્‍ટ ગાર્ડ અધિકારીઓ પણ ઈજાગ્રસ્‍ત થયા હોવાના અહેવાલ છે. બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્‍યા હજુ જાણી શકાઈ નથી, આ ઘટનામાં મોતની સંખ્‍યનો આંકડો વધાવની ભીતિ સેવાઈ રહી છે. સ્‍થાનિક મીડિયાના ફૂટેજમાં જોવા મળ્‍યું છે કે બચાવકર્મીઓ ધાબળામાં લપેટાયેલા લોકોને એમ્‍બ્‍યુલન્‍સ સુધી પહોંચાડી રહ્યા છે, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં ચાર પેટ્રોલિગ જહાજો, એક હેલિકોપ્‍ટર અને ડાઇવર્સની ટીમ સતત શોધખોળ કરી રહી છે. કોસ્‍ટ ગાર્ડ દ્વારા હજુ સુધી અકસ્‍માત પાછળનું સચોટ કારણ કે મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગ્રીસ લાંબા સમયથી એશિયા અને આફ્રિકાના દેશોમાંથી આવતા શરણાર્થીઓ માટે યુરોપિયન યુનિયન (EU) માં પ્રવેશવાનું પ્રવેશદ્વાર રહ્યું છે. ખાસ કરીને યુદ્ધ અને ગરીબીથી પીડાતા લોકો વધુ સારી જિદગીની શોધમાં આ ખતરનાક દરિયાઈ માર્ગ પસંદ કરે છે. દરિયાઈ મોજાઓની તેજ ગતિ અને સુરક્ષા વ્‍યવસ્‍થાના અભાવે આ માર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્‍માતો થતા રહે છે, જે આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચિંતાનો વિષય બન્‍યો છે.
50 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:24 AM
લિબિયાના પૂર્વ નેતાના પુત્ર સૈફ અલ-ઈસ્લામ ગદ્દાફીની હત્યા

લિબિયાના પૂર્વ નેતાના પુત્ર સૈફ અલ-ઈસ્લામ ગદ્દાફીની હત્યા

ત્રિપોલી તા.૪: ભૂતપૂર્વ લિબિયન નેતા કર્નલ મુઅમ્‍મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્‍લામ ગદ્દાફીની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી છે. લિબિયન ન્‍યૂઝ એજન્‍સી અનુસાર, તેમની રાજકીય ટીમના વડાએ મંગળવારે ૫૩ વર્ષીય સૈફ અલ-ઇસ્‍લામના મૃત્‍યુની પુષ્ટિ કરી હતી. તેમના વકીલે જણાવ્‍યું હતું કે ચાર સભ્‍યોની ૅકમાન્‍ડો યુનિટૅ એ ઝિટાન શહેરમાં તેમના ઘરે તેમની હત્‍યા કરી હતી. આ હુમલા પાછળ કોણ હતું તે સ્‍પષ્ટ નથી. સૈફ અલ-ઇસ્‍લામ એક સમયે તેમના પિતાના વારસદાર અને તેમના પિતા પછી લિબિયામાં સૌથી પ્રભાવશાળી વ્‍યક્‍તિ માનવામાં આવતા હતા. તેમના પિતા, મુઅમ્‍મર ગદ્દાફીએ ૧૯૬૯ થી ૨૦૧૧ ના બળવામાં તેમની હકાલપટ્ટી સુધી લિબિયા પર શાસન કર્યું. ૧૯૭૨ માં જન્‍મેલા, સૈફે ૨૦૦૦ થી ગદ્દાફી શાસનના પતન સુધી પヘમિ સાથે લિબિયાના સંબંધો સુધારવામાં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. તેમના પિતાની હકાલપટ્ટી પછી, સૈફ અલ-ઇસ્‍લામ ગદ્દાફી પર સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોના ક્રૂર દમનમાં મુખ્‍ય ભૂમિકા ભજવવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો. ઝિન્‍ટાન શહેરમાં એક હરીફ લશ્‍કર દ્વારા તેમને લગભગ છ વર્ષ સુધી કેદ કરવામાં આવ્‍યા હતા. ૨૦૧૫ માં, લિબિયાની એક કોર્ટે વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહીમાં તેમની ભૂમિકા બદલ સૈફને ગેરહાજરીમાં મૃત્‍યુદંડની સજા ફટકારી હતી. તેમના પિતાની સરકારમાં કોઈ સત્તાવાર ભૂમિકા ન હોવા છતાં, સૈફે નીતિઓ ઘડી અને ઉચ્‍ચ-પ્રોફાઇલ વાટાઘાટોનું નેતૃત્‍વ કર્યું, જેમાં તે પણ શામેલ છે જેના કારણે તેમના પિતાએ તેમના પરમાણુ શષો કાર્યક્રમ છોડી દીધો. આ કરારોને કારણે તેમના દેશ પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવામાં આવ્‍યા. આનાથી તેમના પિતાની સરકારમાં સૈફનો દરજ્‍જો વધ્‍યો.
36 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:24 AM
કચ્છમાં માર્ગ અકસ્માતઃ એકનું મોત, ચાર ઘાયલ

કચ્છમાં માર્ગ અકસ્માતઃ એકનું મોત, ચાર ઘાયલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક અકસ્માત ભુજ અને ખાવડા વચ્ચે ભીરંડિયારા ગામ પાસે સર્જાયો હતો. સ્વીફ્ટ કાર અને ઈકો કાર સામસામે ભટકાતા ઈકો કારમાં સવાર ૩૨ વર્ષીય અકબર હાજી કાસમ સમાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક સહિત અન્ય ચાર જણને ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
38 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:23 AM
ડાબેરી ઉગ્રવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોના નોંધપાત્ર પરિણામો મળ્યા

ડાબેરી ઉગ્રવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોના નોંધપાત્ર પરિણામો મળ્યા

નવી દિલ્‍હી તા.૪: કેન્‍દ્ર સરકારના ગૃહ રાજ્‍યમંત્રી નિત્‍યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપીને જણાવ્‍યું કે ૨૦૧૯થી અત્‍યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ નક્‍સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦ નક્‍સલીઓએ આત્‍મસમર્પણ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં નક્‍સલવાદ સંબંધિત હિસાની ૧,૯૩૬ ઘટનાઓ બની હતી, જેમાં ભારે ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૨૫માં નક્‍સલવાદી હિસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની, એટલે કે આ પ્રકારની હિસાની ઘટનાઓમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે. એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્‍યમંત્રી જણાવ્‍યું કે ૨૦૨૫માં સુરક્ષા દળોએ ૩૬૪ નક્‍સલીઓને નિષ્‍ક્રિય કર્યા હતા, તેમજ ૧,૦૨૨ નક્‍સલીઓની ધરપકડ કરી અને ૨,૩૩૭ નક્‍સલીઓને આત્‍મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા. દેશની આંતરિક સુરક્ષાને ગંભીર પડકાર આપતો ડાબેરી ઉગ્રવાદ નોંધપાત્ર રીતે કાબૂમાં આવી ગયો છે અને તે માત્ર થોડાક વિસ્‍તારો પૂરતો મર્યાદિત રહ્યો છે. કેન્‍દ્રીય ગૃહ રાજ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું કે, ૨૦૧૮માં ૧૨૬ જિલ્‍લાઓ નક્‍સલવાદથી પ્રભાવિત હતા, તે સંખ્‍યા ઘટીને ડિસેમ્‍બર ૨૦૨૫માં માત્ર ૮ રહી ગઈ છે, જેમાંથી ફક્‍ત ૩ જિલ્‍લાઓ સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે.
80 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:23 AM
અતૂટ હિંમતઃ 13 વર્ષીય જ્હોન એપલબીએ પરિવારને ડૂબવાથી બચાવ્યો

અતૂટ હિંમતઃ 13 વર્ષીય જ્હોન એપલબીએ પરિવારને ડૂબવાથી બચાવ્યો

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહેલા જોન એપલબીના પરિવારે કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો. જોરદાર પવનને કારણે તેમની કાયક (નાની હોડી) ઊંડા દરિયામાં ખેંચાઈ ગઈ હતી. ૧૩ વર્ષના જોને અપ્રતિમ સાહસ બતાવી સતત ૪ કલાક સુધી તરીને કાંઠે પહોંચ્યો હતો અને મદદ મેળવી તેની માતા તથા બે નાના ભાઈ-બહેનોનો જીવ બચાવ્યો હતો.
25 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:22 AM
યુટ્યુબરે 71 લાખ રૂપિયાનું લગ્ન પહેલાનું દાન અને 21 તોલા સોનાના દાગીનાનો ખુલાસો કર્યો

યુટ્યુબરે 71 લાખ રૂપિયાનું લગ્ન પહેલાનું દાન અને 21 તોલા સોનાના દાગીનાનો ખુલાસો કર્યો

ગુરુગ્રામ તા.૪: હરિયાણાના ગુરુગ્રામમાં રહેવાસી ઓટોમોબાઈલ યુટ્‍યુબર અરુણ પંવાર પોતાની એક રસમનો વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આજે એટલે કે, ૩ ફેબ્રુઆરીના રોજ યુટ્‍યુબર અરુણ પંવાર લગ્નના બંધને બંધાયો છે. તેના લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના લગ્ન સમારંભ દરમિયાન ૭૧ લાખ રૂપિયા રોકડા અને ૨૧ તોલા સોનાના દાગીનાનો ઉલ્‍લેખ કર્યો છે. આ વીડિયો ખુદ અરુણ પંવારે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો છે, જે બાદ તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્‍યક્‍તિ કાગળ વાંચવા આ દહેજ નહીં પણ દાન ગણાવી રહ્યો છે. તેની સાથે કોને શું મળ્‍યું છે, તેની આખી યાદી વાંચી સંભળાવે છે. વીડિયોમાં જણાવે છે કે અરુણ પંવાર, તેના પિતા, તાઉ, ભાઈ, મા, બહેન, ભાભી સહિત પરિવારના અન્‍ય સભ્‍યોને પણ સોનાના દાગીના આપવામાં આવ્‍યા છે. કુલ મળીને ૨૧ તોલા સોનું અને ૭૧ લાખ રૂપિયા રોકડા આપવાની વાત કહેવાઈ છે, જેને દાન ગણાવી રહ્યા છે. અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ ૩૦ જાન્‍યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્‍નીનું નામ ડો. તિથિ છે. જેનો પરિવાર પલવલમાં રહે છે. બંનેના લગ્ન નેશનલ હાઈવે-૧૯ પર આવેલા એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.
27 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:21 AM
સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો, કોર્ટે ઑપરેશનલ ડેટા માંગ્યો

સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો, કોર્ટે ઑપરેશનલ ડેટા માંગ્યો

ઇસ્‍લામાબાદ તા.૪: પાકિસ્‍તાનના કુકર્મોના જવાબમાં ભારતે જ્‍યારે તેને સબક શિખવાડવા માટે સિધુ જળ કરાર રદ કરી દીધો તો તેઓ તેના વિરુદ્ધ અલગ અલગ પેંતરા ગોઠવવા લાગ્‍યા. આ જ ક્રમમાં પાકિસ્‍તાને નેધરલેન્‍ડના હેગમાં આવેલા મધ્‍યસ્‍થતા કોર્ટ એટલે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં ભારતના હાઈડ્રોપાવર પ્રોજેક્‍ટને લઈને ફરિયાદ કરી છે. પાકિસ્‍તાને જમ્‍મુ કાશ્‍મીરમાં ભારતના હાઈડ્રોપાવર પ્રોજેક્‍ટને લઈને વાંધો ઉઠાવ્‍યો હતો, જેની સુનાવણી ૨-૩ ફેબ્રુઆરી થવાની હતી. હવે કોર્ટે ભારત પાસેથી તેની સાથે જોડાયેલા કાગળ માગી રહી છે, જેને લઈને ભારતે સ્‍પષ્ટ ના પાડી દીધી છે. કોર્ટના જજે ભારતને બગલિહાર અને કિશનગંગા પ્રોજેક્‍ટ સાથે જોડાયેલા સંચાલન સંબંધિત આંકડા શેર કરવાના નિર્દેશ આપ્‍યા છે, જેને લઈને ભારતે પોતાનું વલણ સ્‍પષ્ટ કરી દીધું છે. ભારતે સ્‍પષ્ટ રીતે કહ્યું કે તે આ કોર્ટના અધિકાર ક્ષેત્રને માનતું નથી. ભારતે આ કોર્ટના આદેશોને ગેરકાયદેસર અને શૂન્‍ય ગણી રહ્યું છે. સરકાર તરફથી કહેવાયું છે કે તેમણે ક્‍યારેય આ કોર્ટને માન્‍યતા આપી નથી. આવા સમયે કોઈ પણ આદેશ તેમના પર લાગૂ થતો નથી. ભારતનો તર્ક છે કે જ્‍યારે સિધુ જળ સંધિ હાલમાં સ્‍થગિત છે, તો તેની સાથે જોડાયેલ કોઈ પણ મધ્‍યસ્‍થતાનું અસ્‍તિત્‍વ આપોઆપ નિષ્‍પ્રભાવી થઈ જાય છે. એટલા માટે આ કોર્ટના નિર્ણય ભારત પર લાગૂ થતા નથી. પહેલા ૨૦૨૫માં સ્‍થાયી મધ્‍યસ્‍થતા કોર્ટે એક પૂરક આદેશ જાહેર કરી એવો દાવો કર્યો હતો કે તેને કિશનગંગા અને રેટલ જળવિદ્યુત પ્રોજેક્‍ટ સાથે જોડાયેલા વિવાદ સાંભળવાનો અધિકાર છે. તે સમયે પણ ભારતના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે, ભારતે આ પ્રકારની કોર્ટના અસ્‍તિત્‍વને કાયદેસરની માનતા નથી.
53 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:18 AM
ભુજમાં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી

ભુજમાં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : દિલ્હીથી ભુજ આવતી એર ઇન્ડીયાની ફ્લાઇટ AI 1709 એ ગઈકાલે સાંજે વિમાનમાં સવાર પ્રવાસીઓના જીવ અદ્ધર કર્યા હતા. ભુજમાં ઉતરાણ સમયે ટેકનિકલ ખામીને કારણે વિમાને હવામાં પોણો કલાકથી વધુ સમય ચક્કર માર્યા હતા. જોકે ત્રણ વાર ઉતરાણના નિષ્ફળ પ્રયત્નને અંતે પાયલટે ચોથા પ્રયાસે પ્લેનને સફળ ઉતરાણ કરાવ્યું હતું. આ સાથે જ મુસાફરોને હાશ થઈ હતી. આમ ટેકનિકલ ક્ષતિને કારણે વિમાન મોડું થયું હતું. સામાન્ય રીતે દોઢ કલાકનો સમય લેતું વિમાન એક કલાક મોડું પડ્યું હતું. બપોરે ૩.૨૪ વાગ્યે ઉપડી ભુજ સાંજે ૬.૦૬ મિનિટે પહોંચ્યું હતું. જોકે, આ વિમાને પરત ભુજથી દિલ્હી જવા માટે પરત સાંજે ૬.૫૩ વાગ્યે ઉડ્ડયન ભર્યું હતું અને દોઢ કલાકે ૮.૩૨ વાગ્યે દિલ્હીમાં સફળતાથી ઉતરાણ કર્યું હતું. વિમાન પરત બરાબર પહોંચ્યું એટલે એન્જિન બરાબર જ હતું. અન્ય કોઈ ટેક્નિકલ કારણ બહાર આવ્યું નથી. જો કે, ભુજમાં સાંજે ફ્લાઇટ ઉતરાણ સમયે ઘણી વાર પક્ષીઓ પણ નડતા હોય છે. એ કારણ પણ એક અનુમાન છે. જોકે, આ કારણને પણ ટેકનિકલ કારણ જ માનવામાં આવે છે.
46 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:18 AM
અમેરિકાએ વધી રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે નાઇજીરિયામાં વિશેષ દળો મોકલ્યા

અમેરિકાએ વધી રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે નાઇજીરિયામાં વિશેષ દળો મોકલ્યા

નાઈજીરીયામાં વધી રહેલા આતંકવાદી હુમલાઓને ડામવા માટે અમેરિકાએ પોતાની એક ખાસ સૈન્ય અધિકારીઓની ટીમ મોકલી છે. યુએસ આફ્રિકા કમાન્ડના વડા જનરલ ડેગવિન આર.એમ. એન્ડરસને જણાવ્યું હતું કે, રોમમાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુ સાથેની મુલાકાત બાદ આ સહયોગ વધારવામાં આવ્યો છે. આ ટીમ નાઈજીરીયન સેનાને આધુનિક ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરશે.
64 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:16 AM
સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે

સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે

રાજકોટ : અ.સૌ. માનસીબેન તથા નિતિનભાઇ વલ્લભભાઇ બગથરિયાના સુપુત્ર ચિ. ધ્‍યયના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. જીજ્ઞાશાબેન તથા રમેશભાઇ જગજીવનભાઇ પાડલીયાની સુપુત્રી ચિ. ક્રિષ્‍ના સાથે તા. ૧૦ ના મંગળવારના શુભદિને જુનાગઢ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૯ ના સોમવારે સવારે ૯ વાગે સાંજીના ગીત, રાત્રે ૯:૩૦ થી દાંડીયારાસ, ભોજન સમારંભ રાખેલ છે.
13 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:16 AM
દેડકાદ ગામમાં પારિવારિક વિવાદને લઈને ચાર લોકોએ મજૂર પર હુમલો કર્યો

દેડકાદ ગામમાં પારિવારિક વિવાદને લઈને ચાર લોકોએ મજૂર પર હુમલો કર્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪: તાલુકાના દેડકદડ ગામે કૌટુંબિક અદાવતમાં એક યુવાન પર ચાર શખ્‍સોએ હુમલો કરી ઈજા પહોંચાડ્‍યાની ઘટના સામે આવી છે. દાદીને રાખવા જેવી બાબતે થયેલી ફોન પરની બોલાચાલીનું મનદુખ રાખી રાજકોટથી આવેલા શખ્‍સોએ યુવાનના ઘરે જઈ માર માર્યો હતો. આ મામલે ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ, દેડકદડ ગામે રહેતા અને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય મનસુખભાઇ ભુપતભાઈ ઝીઝુવાડીયાને તેમના દાદીને સરખી રીતે રાખવા બાબતે આરોપી જીકુબેન અને રાહુલભાઈ જોગરાજીયા સાથે ફોન પર શાબ્‍દિક બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખી ગત તારીખ ૦૩/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્‍યાની આસપાસ આરોપીઓ રાજકોટથી દેડકદડ ગામે ફરિયાદી મનસુખભાઈના રહેણાક મકાને પહોંચ્‍યા હતા. ત્‍યાં પહોંચી તમામ આરોપીઓએ એકસંપ થઈ મનસુખભાઈને બેફામ ગાળો આપી હતી. આરોપી જીકુબેન અને સંજયભાઈએ તેમને ઝાપટ મારી હતી, જ્‍યારે રાહુલભાઈએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ઉશ્‍કેરાયેલા લાલા દિલીપભાઈ જોગરાજીયાએ લાકડી વડે મનસુખભાઈના માથાના ભાગે ફટકો મારતા તેમને લોહીલુહાણ હાલતમાં મુંઢ ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તમામ આરોપીઓ નાસી છૂટયા હતા. આ ઘટના અંગે મનસુખભાઈએ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાજકોટના વોરા સોસાયટીમાં રહેતા જીકુબેન દિલીપભાઈ જોગરાજીયા, રાહુલભાઈ દિલીપભાઈ જોગરાજીયા, લાલો દિલીપભાઈ જોગરાજીયા અને માધાપરના સંજયભાઈ બાબુભાઈ જાખેલીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાતા વધુ તપાસ પો. હેડ કોન્‍સ્‍ટેબલ જે.ડી. ગોગરા ચલાવી રહ્યા છે.
59 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:14 AM
વેપાર સમજૂતીઓ પર હસ્તાક્ષર થતાં ભારત-અમેરિકા સંબંધો મજબૂત થયા

વેપાર સમજૂતીઓ પર હસ્તાક્ષર થતાં ભારત-અમેરિકા સંબંધો મજબૂત થયા

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વના વેપાર કરારો બાદ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વોશિંગ્ટનમાં તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયોને મળ્યા હતા. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને પ્રાદેશિક સુરક્ષા બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત ભારત-યુએસ મૈત્રી માટે માઈલસ્ટોન સાબિત થશે.
55 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:11 AM
ધુમ્મસના ધાબળા NCR: ઝીરો વિઝિબિલિટીને કારણે ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ

ધુમ્મસના ધાબળા NCR: ઝીરો વિઝિબિલિટીને કારણે ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ

ગાઝિયાબાદ અને દિલ્હીમાં ધુમ્મસની ચાદર ગાઝિયાબાદમાં શૂન્ય વિઝિબિલિટીથી વાહનવ્યવહાર પ્રભાવિત; દિલ્હી અને ગાઝિયાબાદ સહિતના એનસીઆર વિસ્તારોમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતાં માર્ગ અકસ્માતોની ભીતિ વચ્ચે વાહનવ્યવહારની ગતિ ધીમી પડી હતી.
52 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:09 AM
ભારતે 2047ના વિકાસ માટે ઐતિહાસિક બજેટ રૂપરેખા રજૂ કરી

ભારતે 2047ના વિકાસ માટે ઐતિહાસિક બજેટ રૂપરેખા રજૂ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા સતત નવમી વખત અને દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રવિવારે રજૂ થયેલા અંદાજપત્રમાં ૨૦૪૭ ના ભારત તરફ દોરી જતા વિવિધ પાસાઓને આવરી લઇને દેશ માટે લાંબા ગાળે ફાયદાકારક અને વિકસિત ભારત માટેના એક રોડમેપ સમાન બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા વધાવી લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ નાણાંમંત્રી નિર્મલા સિતારામનને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બજેટ બજેટને લાઇવ નિહાળવાના કાર્યક્રમમાં જોડાયેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આ બજેટને લોકોપયોગી, સરળ અને દરેક ક્ષેત્રને આવરી લેતું ફાયદાકારક હોવાનું જણાવી આગામી દસકાઓ સુધી તેની સુખદ અસરો જોવા મળશે તેવું જણાવ્યું હતું. વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે MACT દ્વારા મળતું વ્યાજ હવેથી સંપૂર્ણ આવકવેરા મુક્ત રહેશે, TDS સરળ બનાવવામાં આવશે, રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારવા સહિતના અનેક સુધારાઓથી લોકોને મોટા પ્રમાણમાં રાહત મળી રહેશે. મેગા ટેક્સટાઇલ પાર્ક, દરેક જીલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, કેન્સર ની 17 દવાઓને ડ્યુટીમાંથી મુક્તિ, 7 હાઈસ્પીડ રેલવે કોરીડોરનું નિર્માણ, મહિલાઓ માટે SHE માર્ટસ દ્વારા સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક ઔર આગેકદમ સહિતના બહુવિધ નિર્ણયોથી દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણનો નવો અધ્યાય પ્રારંભ થશે. નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ટેક્નોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે, સહકારી ક્ષેત્ર માટે પણ બજેટમાં મોટી કર રાહતની જોગવાઈ કરવામાં આવી છે, સહકારી મંડળીઓ મારફતે ખેતી, ડેરી, બીજ, ખાતર વગેરેના યોગ્ય આયોજન દ્વારા ગામડામાં પૈસાનો પ્રવાહ વધશે જેથી એવું કહી શકાય કે બજેટ 2026 ખેડૂતોની આવક વધારનારો અને સહકારી સંસ્થાઓને મજબૂત બનાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને બળ આપનારું બની રહેશે. બજેટને અનુલક્ષીને કચ્છ જીલ્લા ભાજપ દ્વાર દરેક મંડળોમાં સૌ કાર્યકરો સાથે મળીને બજેટનું જીવંત પ્રસારણ નિહાળી શકે તેવું આયોજન ઊભું કરવામાં આવ્યું હતું જેમાં દરેક મંડળોમાં જે તે વિભાગના ધારાસભ્યો, જીલ્લાના આગેવાનો, મંડળના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.
94 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:09 AM
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ કરવા સંસદને સંબોધિત કરશે પીએમ મોદી

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ કરવા સંસદને સંબોધિત કરશે પીએમ મોદી

બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો આજે અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૫:૦૦ કલાકે સંસદને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સરકારની સિદ્ધિઓ રજૂ કરવાની સાથે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તરો આપશે. આ ભાષણ પર આખા દેશની નજર ટકેલી છે.
22 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:08 AM
મેલબોર્નમાંથી ગાંધી પ્રતિમાની ચોરીઃ ભારતે તોડફોડની નિંદા કરી અને કાર્યવાહીની અપીલ કરી

મેલબોર્નમાંથી ગાંધી પ્રતિમાની ચોરીઃ ભારતે તોડફોડની નિંદા કરી અને કાર્યવાહીની અપીલ કરી

મેલબોર્ન તા.૪: ઓસ્‍ટ્રેલિયાના મેલબોર્નમાંથી મહાત્‍મા ગાંધીની કાંસ્‍યની પ્રતિમાની ચોરી થઈ હતી. ગાંધીજીની પ્રતિમા ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કમ્‍યુનિટી સેન્‍ટરની બહાર સ્‍થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા નવી દિલ્‍હીમાં ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર કલ્‍ચરલ રિલેશન્‍સ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. તે ઓસ્‍ટ્રેલિયામાં ભારતીય સમુદાય માટે સાંસ્‍કૃતિક, ઐતિહાસિક અને પ્રતિકાત્‍મક મહત્‍વ ધરાવે છે. વિદેશ મંત્રાલયે મેલબોર્નના રોવિલેમાં મહાત્‍મા ગાંધીની પ્રતિમાની તોડફોડની નિદા કરી હતી અને દોષિતો વિરુદ્ધ તાત્‍કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા રણધીર જયસ્‍વાલે મીડિયાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે મેલબોર્નના રોવિલમાં ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કોમ્‍યુનિટી સેન્‍ટરમાં સ્‍થાપિત કરાયેલી મહાત્‍મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્‍યા લોકો દ્ધારા કરવામાં આવેલી તોડફોડ અને તેની ચોરી કરવાની ઘટનાની સખત નિદા કરીએ છીએ.. જયસ્‍વાલે કહ્યું હતું કે ભારતે આ ઘટનાને ઓસ્‍ટ્રેલિયાના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્‍યો છે. ચોરી થયેલી મૂર્તિને શોધવા અને દોષિતો વિરુદ્ધ તાત્‍કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. ઓસ્‍ટ્રેલિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે મેલબોર્નના રોવિલેમાં ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કમ્‍યુનિટી સેન્‍ટરની બહાર સ્‍થાપિત મહાત્‍મા ગાંધીની કાંસ્‍ય પ્રતિમા ૧૨ જાન્‍યુઆરીની વહેલી સવારે ચોરાઈ ગઈ હતી. ૪૨૬ કિલોગ્રામની આ પ્રતિમા ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર કલ્‍ચરલ રિલેશન્‍સ નવી દિલ્‍હી તરફથી ભેટમાં મળી હતી. જેનું ઉદ્ધાટન ૨૦૨૧માં ઓસ્‍ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍કોટ મોરિસન દ્વારા કરવામાં આવ્‍યું હતું. વિક્‍ટોરિયા પોલીસ નોક્‍સ ક્રાઇમ ઇન્‍વેસ્‍ટિગેશન યુનિટે ચોરીની તપાસ શરૂ કરી છે, જેના કારણે મેલબોર્નના ભારતીય-ઓસ્‍ટ્રેલિયન સમુદાયમાં નવી ચિતા ફેલાઈ છે.
93 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:08 AM
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, બંને પક્ષો વચ્ચે વાતચીત અને સૈન્ય કાર્યવાહી

ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, બંને પક્ષો વચ્ચે વાતચીત અને સૈન્ય કાર્યવાહી

ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ: એક તરફ મંત્રણાની તૈયારી અને બીજી તરફ સૈન્ય કાર્યવાહી; પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ સ્ફોટક બની* ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ જોવા મળી રહી છે. ઈરાને જ્યારે અમેરિકા સાથે વાટાઘાટો કરવાની તૈયારી બતાવી હતી, બરાબર તે જ સમયે યુએસ નેવીએ તેમના વિમાનવાહક જહાજ તરફ આવી રહેલા એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ વિરોધાભાસી ઘટનાઓને કારણે ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
78 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:08 AM
સૌરાષ્ટ્રના ખેડૂત પર પડોશીઓને રૂ. 96.97 લાખોની છેતરપિંડી કરવાનો આરોપ

સૌરાષ્ટ્રના ખેડૂત પર પડોશીઓને રૂ. 96.97 લાખોની છેતરપિંડી કરવાનો આરોપ

ધ્રોલ: સૌરાષ્ટ્રમાં એક કરોડની ઠગાઈની ઘટના બની છે. સૌરાષ્ટ્રના કાલાવડ સોરઠાગામના ખેડૂતો સાથે રૂ. ૯૬.૯૭ લાખની ઠગાઈ: જામનગર જિ.ના કાલાવડ તા.ના સોરઠાગામ અને આસપાસના ખેડૂતો સાથે ૱ ૯૬.૯૭ લાખની ખેતપેદાશોની ઠગાઈ થઈ છે. કુંભનાથપરામાં રહેતા દિલીપભાઇ નારદભાઇ સાવલીયા, ખેડૂતો પાસેથી મગફળી, તલ અને સફેદ ચણા ખરીદી તેના નાણાં ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (સંજય ડાંગર અકિલા)
50 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:07 AM
રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડ્યો

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડ્યો

નવી દિલ્‍હી તા.૪: બોલિવૂડ એક્‍ટર રાજપાલ યાદવ માટે કાનૂની મુશ્‍કેલીઓ વધતી દેખાઈ રહી છે. કેમ કે દિલ્‍હી હાઈકોર્ટે મંગળવારે એક આદેશ આપ્‍યો છે કે તેમને ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી સંબંધિત જેલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ સામે સરેન્‍ડર કરવું પડશે. કોર્ટે આ આદેશ ૫૪ વર્ષના આ સ્‍ટારના ચેક બાઉન્‍સ કેસમાં કોર્ટની કાર્યવાહીનું ઉલ્‍લંઘન કર્યા બાદ આપ્‍યો છે. આ મામલો દિલ્‍હીની કંપની મેસર્સ મુરલી પ્રોજેક્‍ટ્‍સ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલો છે. જેણે રાજપાલની કંપનીને ફિલ્‍મ બનાવવા માટે પૈસા આપ્‍યા હતા. કોર્ટે અભિનેતાના વ્‍યવહારને નિદનીય ગણાવતા કહ્યું કે, વારંવાર આપવામાં આવેલા આશ્વાસન છતાં ચુકવણી ન કરવી ન્‍યાયિક પ્રક્રિયા સાથે રમત છે. જસ્‍ટિસ સ્‍વર્ણ કાંતા શર્માએ આ મામલામાં રાજપાલના વ્‍યવહારની ટીકા કરતા કહ્યું કે, તેમણે ફરિયાદકર્તા, મુરલી પ્રોજેક્‍ટ્‍સ પ્રાઈવેટ લિમિટેડને કરવામાં આવેલા પેમેન્‍ટનો વાયદો પૂરો નથી કર્યો, જ્‍યારે તેમને કેટલીય વાર અવસર મળ્‍યા અને ખૂબ જ વધારે સહનશીલતા દેખાડી. કોર્ટે કહ્યું કે, તેમનો વ્‍યવહાર નિદનીય છે. આ આદેશ ત્‍યારે આવ્‍યો, જ્‍યારે કોર્ટ રાજપાલ અને તેમની પત્‍નીની નેગોશિએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ એક્‍ટ, ૧૮૮૧ની ધારા ૧૩૮ અંતર્ગત સજા વિરુદ્ધ અપીલોના એક ગ્રુપની સુનાવણી કરી રહ્યા હતા. તેમને છ મહિનાની સાધારણ કેદની સજા સંભળાવી હતી. એક કોઓર્ડિનેટ બેન્‍ચે ૨૮ જૂન ૨૦૨૪ના પહેલા જ સજા પર રોક લગાવી હતી. એવું કહેતા કે આ કપલ પાક્કા અપરાધી નથી અને શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે તૈયાર છે. ત્‍યાર બાદ મામલો મીડિએશનમાં જતો રહ્યો હતો. મીડિએશન સેશન બાદ કોર્ટે કહ્યું કે, જૂન ૨૦૨૪થી રાજપાલે ઘણી વાર સમય માગ્‍યો અને દરેક વખતે પેમેન્‍ટ કરવાનો વાયદો પણ આપ્‍યો, પણ ક્‍યારેય પેમેન્‍ટ કર્યું નહીં. રાજપાલે પહેલા કોર્ટને વાયદો કર્યો હતો કે તેઓ ૨.૫ કરોડ રૂપિયા ૪૦ લાખ રૂપિયા અને ૨.૧૦ કરોડ રૂપિયા હપતામાં ચુકવશે. જો કે તેઓ નક્કી કરેલી તારીખે પૈસા જમા કરવામાં નિષ્‍ફળ રહ્યા. જાસ્‍ટિસ શર્માએ કહ્યું કે, એક્‍ટરે રજિસ્‍ટ્રાર જનરલ પાસે ડિમાન્‍ડ ડ્રાફટ જમા કરવા અથવા ડ્રાફટમાં બતાવેલી ભૂલો ઠીક કરવા માટે કોઈ પગલા નથી ઉઠાવ્‍યા. અનુમતિ અથવા સ્‍પષ્ટીકરણ માગવા માટે પણ કોઈ અરજી નથી આપી. રાજપાલ યાદવને ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી જેલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ સામે સરેન્‍ડર કરવા કહેવાયું છે, પણ કેમ કે યાદવના વકીલે તેના માટે અનુરોધ કર્યો હતો કે એક્‍ટરને મુંબઈમાં કામ કરવાનું હતું, એટલા માટે કોર્ટે તેમને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા કાપવા માટે ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજના ૪.૦૦ વાગ્‍યે જેલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ સામે સરેન્‍ડર કરવા માટે કહેવાયું. જેલ અધિકારીઓને નિયમોનું પાલન કરવા માટે આ મામલાને ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ માટે નક્કી કર્યો છે.
7 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:07 AM
રાજકોટ પત્રકાર અને ઉદ્યોગપતિ દીનૂભાઈ દેવાણીનું નિધન

રાજકોટ પત્રકાર અને ઉદ્યોગપતિ દીનૂભાઈ દેવાણીનું નિધન

રાજકોટ તા. ૪ :.. કેશોદના‘અકિલા'ના વરિષ્‍ઠ અને સંનિષ્‍ઠ પત્રકાર,રઘુવંશી અગ્રણી તથા જાણીતા વ્‍યવસાયિક પ્રતિષ્‍ઠાના કિરણ એન્‍ટરપ્રાઇઝ (ડીલર-હાથી સિમેન્‍ટ)ના ઓનર સ્‍વ. દિનુભાઇ રતનજીભાઇ દેવાણી (ઉ.વ.૭૭) તા. ૧-ર-ર૦ર૬,રવિવારના રોજ રાજકોટ ખાતે શ્રીજીચરણ પામ્‍યા છે. તેઓની પ્રાર્થના સભા આવતીકાલ તા. પ-ર-ર૦ર૬,ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ-૩૦ વાગ્‍યા દરમ્‍યાન બેન્‍કવેટ હોલ,સુવર્ણભૂમિ એપાર્ટમેન્‍ટસ,સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ચોક,અંબિકા ટાઉનશીપ મેઇન રોડ,રાજકોટ ખાતે રાખવામાં આવી છે. સરળ અને ઉમદા વ્‍યકિતત્‍વ સાથે હંમેશા અન્‍યોને મદદ કરવા તત્‍પર રહેતા સ્‍વ. દિનુભાઇ દેવાણીના નિધનથી પત્રકારત્‍વ ક્ષેત્રે અને રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. કેશોદ તાલુકા પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી સોશ્‍યલ ગ્રુપના મેનેજીંગ ટ્રસ્‍ટી સ્‍વ. દિનુભાઇ દેવાણી લોહાણા મહિલા મંડળ, કેશોદના સ્‍થાપક પ્રમુખસ્ત્રી નિકેતનના ચેરમેન, રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન દેવાણીના પતિ હતા. તેઓ અકિલા પરિવાર સાથે સંકળાયેલ અને રાજકોટ લોહાણા મહાજનના માનદ્‌્‌ ટ્રસ્‍ટી ડો. પરાગભાઇ દેવાણી (ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા કિરણ મેડીકલ ગ્રુપ, રાજકોટ)ના પિતાશ્રી હતા. તેઓ સ્‍વ. ભીમજીભાઇ (કેશોદ) અને કેશોદ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખશ્રી ગોવિંદભાઇ દેવાણી (કલ્‍પના ટ્રેડીંગ એજન્‍સી, કેશોદ-સેલ્‍સ પ્રમોટર હાથી સિમેન્‍ટ)ના લઘુબંધુ તેમજ શ્રી જેન્‍તીભાઇ (રાજકોટ) અને શ્રી પ્રવિણભાઇ (રાજકોટ)ના મોટા ભાઇ હતા. તેમજ શ્રીમતી જુલીબેનના સસરા તથા ડો. ફોરમ અને આર્યનના દાદા થતા હતાં. કેશોદના વિકાસમાં જેનો સિંહફાળો ગણાઇ રહ્યો છે. તેવા સ્‍વ. દિનુભાઇ દેવાણીના નિધનથી સોરઠના પત્રકારત્‍વ ક્ષેત્રે અને સામાજીક ક્ષેત્રે જાણે એક યુગ આથમી ગયો હોય તેવી પ્રતિતિ લોકો કરી રહ્યા છે. વધુ વિગત માટે ગોવિંદભાઇ (મો. ૯૮ર૪૮ ર૯૯૦૦) અથવા ડો. પરાગભાઇ (મો. ૯૮ર૪૪ પ૧પ૪૧)નો સંપર્ક કરી શકાય છે.
63 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:06 AM
રણવીર સિંહની'ધુરંધર "એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

રણવીર સિંહની'ધુરંધર "એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

મુંબઇ તા.૪: ધુરંધર એ બોક્‍સ ઓફિસ પર પોતાનું શાસન ચાલુ રાખ્‍યું છે. રૂા.૨૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્‍મ ફક્‍ત હિન્‍દીમાં રિલીઝ થઈ હતી અને પહેલાથી જ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. તેની સિક્‍વલ, ધુરંધર ૨ નું ટીઝર ૩ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયું હતું, જેનાથી ચાહકોમાં ઉત્‍સાહનો માહોલ છવાઈ ગયો હતો. દરમિયાન, પ્રથમ હપ્તાએ દેશભરમાં રેકોર્ડબ્રેક ૪૦ મિલિયન ફૂટફોલ હાંસલ કર્યા હતા, જે ૪ કરોડ દર્શકોનું પ્રતિનિધિત્‍વ કરે છે. તે ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ સિદ્ધિ હાંસલ કરનારી ૧૯ ફિલ્‍મોમાંની એક બની હતી. રણવીર સિંહની ફિલ્‍મ ધુરંધર ૫ ડિસેમ્‍બર, ૨૦૨૫ ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્‍મે તેના પહેલા દિવસે ૨૮ કરોડ રૂપિયા કલેક્‍શન કર્યા હતા અને ત્‍યારબાદ ૩૦ દિવસ સુધી બે આંકડામાં કમાણી કરી હતી, જે આ સિદ્ધિ હાંસલ કરનારી એકમાત્ર સિગલ-ભાષાની ફિલ્‍મ બની હતી, જે સમગ્ર ભારતમાં રિલીઝ થયા વિના સૌથી વધુ કમાણી કરી હતી. તેણે વિશ્વભરમાં ૧,૩૦૩ કરોડ, વિદેશમાં ૨૯૯ કરોડ અને ભારતમાં ૧,૦૦૪ કરોડની કમાણી કરી છે. તેણે સાત અઠવાડિયામાં ૮૦૦ કરોડ રૂપિયા કમાવવાનો રેકોર્ડ પણ બનાવ્‍યો હતો. વેપાર વર્તુળોનો અંદાજ છે કે રણવીર સિહ અભિનીત આ ફિલ્‍મે ભારતમાં અત્‍યાર સુધીમાં ૪ કરોડ દર્શકો જોયા છે. તેનો દર્શન ૪ કરોડ સુધી પહોંચી ગયો છે, જે ૨૪ વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી ફિલ્‍મ બની છે. અગાઉનો રેકોર્ડ ૨૦૦૧ માં આવેલી સની દેઓલની ફિલ્‍મ ગદરઃ એક પ્રેમ કથૉ દ્વારા હાંસલ કરવામાં આવ્‍યો હતો, જેમાં ૫ કરોડ લોકોનો દર્શન થયો હતો. ધુરંધર ભારતમાં ૪૦ મિલિયન દર્શકોનો આંકડો પાર કરનારી ૧૯મી ભારતીય ફિલ્‍મ બની. ટોચની ચાર ફિલ્‍મોમાં શોલે, બાહુબલી ૨, મુઘલ-એ-આઝમ અને મધર ઇન્‍ડિયાનો સમાવેશ થાય છે, જેણે ૧૦૦ મિલિયન ટિકિટ વેચી છે. આદિત્‍ય ધરની ફિલ્‍મ આ આંકડો પાર કરવામાં નિષ્‍ફળ ગઈ, જોકે તેણે અન્‍ય મોટી ફિલ્‍મોને પાછળ છોડી દીધી.
88 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:06 AM
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર-ગાર્બેજ ટેક્સમાં વધારો કરીને બજેટનો મુસદ્દો રજૂ કર્યો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર-ગાર્બેજ ટેક્સમાં વધારો કરીને બજેટનો મુસદ્દો રજૂ કર્યો

રાજકોટનાં ભાવિ વિકાસ માટે પાણી-ગાર્બેજ વેરામાં ૬૦ ટકા વધારો: ૯૫ કરોડનો કરબોજો : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. ૩૫૯૫.૭૦ કરોડનું બજેટઃ લીવેબલ થીમ ઉપર મ્યુ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ રજુ કર્યુ ડ્રાફટ બજેટ : રિવાઇઝડ બજેટ ૨૯૧૬ કરોડનું: શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૩૧૭૦ નવા આવાસો, નવા વેકયુમ સ્વીમીંગ મશીન, ગ્લો ગાર્ડન, આઈ-વો પ્રોજેકટ ૨.૦ સહિતની નવી યોજનાઓ : ડોર ટુ ડોર ગાર્બેજમાં રહેણાંક મિલકતમાં રૂ.૩૬૫ ના રૂ.૮૦૦, બિન રહેણાંકમાં ૱૧૪૬૫માં રૂ.૩૨૦૦ વેરો તથા પાણી વેરો રહેણાંકમાં રૂ.૧૫૦૦ના . રૂ.૨૪૦૦ અને બિન રહેણાંકમાં રૂ.૩૦૦૦નાં રૂ.૪૮૦૦ સુચવામાં આવ્યો છે.
8 shares
😐
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 04:40 AM
યુએસ જૂથોએ 75 દેશો પર વિઝા પ્રતિબંધ અંગે સરકાર સામે દાવો માંડ્યો

યુએસ જૂથોએ 75 દેશો પર વિઝા પ્રતિબંધ અંગે સરકાર સામે દાવો માંડ્યો

અમેરિકન સરકાર સામે મોટો અમેરિકાના 75 દેશો પર લાદવામાં આવેલા વિઝા પ્રતિબંધ સામે US નાગરિકો, બિન-લાભકારી ઇમિગ્રેશન સંસ્થાઓ અને કાનૂની સંગઠનો એકસાથે ઊભા રહ્યા છે. સોમવારે આ જૂથે ન્યૂયોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને વિદેશ સચિવ માર્કો રુબિયો સામે દાવો દાખલ કર્યો છે. ADVERTISEMENT આ દાવામાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે 75 દેશો સામે લાગુ કરાયેલા વિઝા પ્રતિબંધ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. અરજીકર્તાઓનું કહેવું છે કે આ નીતિ અમેરિકાના દાયકાઓ જૂના ઇમિગ્રેશન કાયદાઓના વિરોધમાં છે અને સરકાર પોતાના અધિકારથી આગળ વધી રહી છે. World World World World World Gujarat India Gujarat India Crime AMC Budget 2026-27: અમદાવાદ કોર્પોરેશને MJ લાયબ્રેરી અને VS હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યુ, અગાઉના બજેટ કરતા 1.35 કરોડનો વધારો કરાયો
12 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:45 AM
મોર્બીમાં હિંદુ સંમેલન રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક જાળવણીને મજબૂત કરે છે

મોર્બીમાં હિંદુ સંમેલન રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક જાળવણીને મજબૂત કરે છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગરની રાજનગર વસ્તીમાં આવેલા પંચાસર રોડ વિસ્તારમાં તા. 31/01/2026 (શનિવાર) ના રોજ ભવ્ય હિન્દૂ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 1700 જેટલા હિન્દૂ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો હતો. આ હિન્દૂ સંમેલનનો મુખ્ય હેતુ જનમાનસમાં રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવાનો અને હિન્દુત્વ જાગૃત કરવાનો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નકલંક ધામ, બગથળા ના મહંત પૂજ્ય દામજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી વક્તૃત્વ શૈલીમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો, જેને શ્રોતાઓએ ખૂબ જ ઉષ્માભેર સ્વીકાર્યો હતો. તે ઉપરાંત વિજયભાઈ રાવલ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ચાલી રહેલા “પંચ પરિવર્તન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના મુદ્દાઓ રજૂ કરાયા હતા.આ કાર્યક્રમ દરમિયાન જીનિયસ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે સૌનું મન મોહી લીધું હતું. આ ભવ્ય સંમેલનને સફળ બનાવવા માટે આસપાસના વિસ્તારોમાંથી ઉપસ્થિત સમગ્ર હિન્દૂ સમાજ તથા હિન્દૂ સંમેલન સમિતિ, પંચાસર રોડ – મોરબી ના કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી અને પ્રભાવશાળી ભાષા શૈલીમાં જીનિયસ એકેડમીના સુભાષભાઈ ઘેટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રીતે પંચાસર રોડ પર યોજાયેલ હિન્દૂ સંમેલન ધાર્મિક જાગૃતિ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ચેતનાનો સશક્ત સંદેશ આપતું યાદગાર બની રહ્યું હતું.
86 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:37 AM
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે વિશ્વ કેન્સર દિવસ માટે ઓનલાઇન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે વિશ્વ કેન્સર દિવસ માટે ઓનલાઇન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર વિશ્વમાં જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક જીવનશૈલીના માધ્યમથી આ રોગને મ્હાત આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન Gujarat State Yog Board ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (YouTube Live) પર વિશેષ ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આધુનિક જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે કેન્સરના જોખમો વધી રહ્યા છે. યોગ વિજ્ઞાન મુજબ, જો શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને, તો કેન્સરના કોષો નબળા પડે છે. આ હેતુથી જ યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક જીવનશૈલીને પ્રોત્સાહન આપી ‘સ્વસ્થ ગુજરાત – મેડિસિન મુક્ત ગુજરાત’ ના સંકલ્પને સાકાર કરવા ઓનલાઈન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં યોગ અને પ્રાણાયામ દ્વારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી કોષોની કાર્યક્ષમતા સુધારવાની સમજૂતી, પાચનશક્તિમાં સુધારો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો તેમજ તણાવ અને ચિંતા મુક્ત જીવન માટેનું માર્ગદર્શન તથા કેન્સરના કોષોને રોકવામાં મદદરૂપ એવા શુદ્ધ અને સાત્વિક આહારનું મહત્વ સાહિતની બાબતોને સાંકળી લેવામાં આવશે. આ ઓનલાઈન સત્રમાં સફળતાપૂર્વક જોડાનાર તમામ સહભાગીઓને પ્રોત્સાહન રૂપે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.મોરબી જિલ્લાના રસ ધરાવતા નાગરિકોએ https://gsyb.in/ અથવા રજીસ્ટ્રેશન લિંક https://cancer-awareness-camp.vercel.app પર જઈને પોતાનું પંજીકરણ કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9033643781 પર સંપર્ક કરી શકાશે. મોરબીના વધુમાં વધુ નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢી આ અભિયાનમાં જોડાઈને કેન્સર મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તેવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.
52 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:29 AM
મોર્બી દર્શી વિડજાની દસ્તાવેજી ફિલ્મ'તુલસી શ્યામ'ને ચંબલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો

મોર્બી દર્શી વિડજાની દસ્તાવેજી ફિલ્મ'તુલસી શ્યામ'ને ચંબલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજસ્થાનના કોટા ખાતે આયોજિત ચંબલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ– સિઝન 9, વર્ષ 2026 માં મોરબીના દર્શી વિડજા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “તુલસી શ્યામ- ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” ને Best Concept (Documentary Short - Student) डेटेगरीमां પ્રતિષ્ઠિત એવોર્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વના 101 દેશોમાંથી કુલ 1205 ફિલ્મ સબમિટ થયેલી હતી. જેમાંથી ટોટલ 250 ફિલ્મ નૉમિનેશનમાં આવી હતી. જેમાંથી પસંદગી પ્રક્રિયા બાદ શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવામાં આવી હતી. આવી મોટી સ્પર્ધામાંથી મોરબીના દર્શી વિડજાની ફિલ્મને એવોર્ડ મળવો એ મોરબી માટે ગૌરવની બાબત છે.ફિલ્મ “તુલસી શ્યામ – ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” તુલસી શ્યામ વિસ્તારની અજાણી અને ઓછી જાણીતી કહાનીને સર્જનાત્મક રીતે રજૂ કરતી ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા તુલસી શ્યામના પ્રાકૃતિક સૌંદર્ય, સાંસ્કૃતિક મહત્વ અને તેની વિશિષ્ટ ઓળખને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.ફિલ્મમાં તુલસી શ્યામના ઇતિહાસને જીવંત રીતે રજૂ ક૨વા માટે વાર્તાકાર તરીકે યોગેશ પંડ્યાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. ચંબલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન રંગકર્મ ઔર કલા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ ફેસ્ટિવલને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે NFDC Cinemas of India દ્વારા સમર્થન પ્રાપ્ત છે. ફેસ્ટિવલના સ્થાપક અને ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે ડૉ. કપિલ સિદ્ધાર્થ જોડાયેલા છે.
99 shares
😐
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 02:27 AM
ભટકતા પશુઓના ઉપદ્રવને નાબૂદ કરવા માટે અમદાવાદ દ્વારા'ઝીરો ટોલરન્સ "અભિયાન શરૂ કરવામાં આવ્યું

ભટકતા પશુઓના ઉપદ્રવને નાબૂદ કરવા માટે અમદાવાદ દ્વારા'ઝીરો ટોલરન્સ "અભિયાન શરૂ કરવામાં આવ્યું

સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને કડક પગલાં લેવા આપેલા આદેશને અનુસરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘ઝીરો ટોલરન્સ ટૂ કેટલ ન્યૂસન્સ' અભિયાનનો કડકાઇથી અમલ કરવાની કવાયત હાથ ધરી છે. શહેર પોલીસ તથા SRP અને AMCની CNCDની ટીમો દ્વારા ગોતા, મોટેરા, સાબરમતી, એરપોર્ટ સહિત ૧૩ વિસ્તારોને નો કેટલ ઝોન જાહેર કર્યા છે અને મણીનગર વિસ્તારમાંથી તેનાં અમલીકરણનો પ્રારંભ કર્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે ચોક્કસ શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોર જોવા મળે નહિ તે માટે રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ કમિશનરે મ્યુનિ. સત્તાધીશો સાથે ચર્ચાવિચારણા કરીને 13 વિસ્તારોને ‘નો કેટલ ઝોન' જાહેર કરી દીધા છે. CNCD વિભાગના આ જાહેરનામાનાં અમલીકરણ કરતાં મણીનગર વિસ્તારમાં તપાસ કરીને 19 લાયસન્સ ધારકોનાં 94 ગાય-ભેંસને શહેરની બહાર ખસેડવાની કાર્યવાહી કરી હતી તેમજ ૧૯ વાડા અને પાણીનો એક હવાડો તોડી પાડવામાં આવ્યો હતો.
21 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:18 AM
અંજાર મ્યુનિસિપાલિટીએ રસ્તાના નામ બદલવા, ડોગ કાસ્ટ્રેશન અને વિકાસલક્ષી યોજનાઓના એજન્ડાને મંજૂરી આપી

અંજાર મ્યુનિસિપાલિટીએ રસ્તાના નામ બદલવા, ડોગ કાસ્ટ્રેશન અને વિકાસલક્ષી યોજનાઓના એજન્ડાને મંજૂરી આપી

અંજાર,તા.તા.3 :અંજાર નગરપાલિકાને મંગળવારેમળેલી સામાન્ય સભામાં મુખ્ય રોડને આઇકોનિક ગૌરવપથ માર્ગ બનાવવા તેમજ એનિમલ બર્થ કંટ્રોલરૂલ્સ અંતર્ગત શ્વાનનું ખસીકરણ અને વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસનાં કામો હાથ ધરવા સહિતનાએજન્ડાઓને મંજૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીની અધ્યક્ષતામાંમળેલી સામાન્ય સભામાં શાસક પક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામીએ એજન્ડાઓનું વાંચન કર્યુંહતું
33 shares
😊
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:18 AM
આર. ટી. આઈ. વિનંતીને નકારી કાઢવા બદલ ભારતીય અધિકારીને દંડ

આર. ટી. આઈ. વિનંતીને નકારી કાઢવા બદલ ભારતીય અધિકારીને દંડ

ભુજ,તા.તા.3 :માહિતી અધિકાર કાયદા હેઠળ માંગેલીમાહિતી પૂરી ન પાડવા બદલ નખત્રાણાના મોટી ખોંભડીના મહિલા તલાટી સહમંત્રીને રૂા. પાંચહજારનો દંડનો ચુકાદો રાજ્ય માહિતી કમિશનર (ગાંધીનગર) દ્વારા અપાયો છે. ફરિયાદી દીપકકુમારપ્રાગજી શેઠિયાની મોટી ખોંભડીમાં આવેલી વડીલોપાર્જિત મિલકત બાબતના દાવામાં ફરિયાદીતરફેણમાં નખત્રાણાની સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ હુકમ મુજબ ગ્રામ પંચાયતના રેકર્ડમાંફેરફાર કરી કોર્ટના હુકમ મુજબ નામો દાખલ કરવા ફરિયાદીએ મહિલા તલાટી સહમંત્રી સમક્ષઅરજી આપી હતી પરંતુ અમલવારી ન કરી દાદ ન આપતાં માહિતી અધિકાર કાયદા હેઠળ આ અંગે વિગતોફરિયાદીએ માગતાં તે પણ ન આપતાં ફરિયાદીએ છેક રાજ્ય માહિતી કમિશનર સુધી ધા નાખતાં બંનેપક્ષકારને સાંભળી મહિલા તલાટી સહમંત્રી હસુમતીબેન આર. પરમારને જવાબદાર ઠેરવી રૂા. પાંચહજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
66 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
આદિપુરમાં ગેરેજ માલિકોનો વિવાદ હિંસક બન્યો

આદિપુરમાં ગેરેજ માલિકોનો વિવાદ હિંસક બન્યો

ગાંધીધામ,તા.તા.3 :આદિપુરમાં ટાગોર રોડ નજીક કપિલમુનિઆશ્રમ પાસે વાહનો પાર્ક કરવા મુદ્દે એક શખ્સે યુવાન ઉપર ડિસમીસ વડે હુમલો કર્યો હતો.અંજારમાં રહેતા અને આદિપુરમાં કપિલમુનિ આશ્રમ પાસે શિવ મોટર્સ નામની ગેરેજ ચલાવનારદુષ્યંત ડાયા લીંબાચિયા ગઇકાલે રાત્રે પોતાના ગેરેજે હતો ત્યારે પડોશમાં પાટીદાર મોટર્સનામની ગેરેજ ચલાવનાર મનીષ પટેલ આવી ગઇકાલે ગાડીઓ પાર્કિંગ બાબતે પાવર બતાવતો હતો તેમકહી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી બાદ આરોપી મનીષ પટેલે ડિસમીસ ઉપાડીફરિયાદીના માથામાં ઝીંકી દીધો હતો જેમાં તેને ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે લઇ જવાયોહતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
4 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થાય તે પહેલા ભાજપે નેતાની પસંદગી કરી

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થાય તે પહેલા ભાજપે નેતાની પસંદગી કરી

ઈમ્ફાલ તા.3 :મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આવતા વર્ષે સમાપ્ત થવાનું છે અનેભાજપના નેતાઓ તે પહેલાં સરકાર બનાવવા માગે છે,ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરનાનવા મુખ્યમંત્રી બનશે. એક મીડિયા હેવાલ મુજબ,ભાજપ મુખ્યાલય ખાતેમણિપુરના ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ પહેલાં સોમવારે ભાજપે પાર્ટીના રાષ્ટ્રીયમહાસચિવ તરુણ ચુઘને મણિપુરમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. અગાઉ,ભાજપના મહામંત્રીઓએ બીજેપીના વિસ્તરણ કાર્યાલયમાં ગૃહમંત્રી અમિત શાહ સાથેમુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન,સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ હાજર રહ્યાહતા. નોંધનીય છે કે,ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગતફેબ્રુઆરી,ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરનાનવા મુખ્યમંત્રી બનશે. એક મીડિયા હેવાલ મુજબ
89 shares
😐
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
રાહુલ ગાંધીના રાષ્ટ્રીય સુરક્ષા પરના નિવેદનને લઈને હોબાળો, લોકસભા સ્થગિત

રાહુલ ગાંધીના રાષ્ટ્રીય સુરક્ષા પરના નિવેદનને લઈને હોબાળો, લોકસભા સ્થગિત

નવી દિલ્હી,તા.તા.3 :લોકસભામાંરાહુલ ગાંધીના ભાષણ વખતે આજે સતત બીજા દિવસે હંગામો થતાં ગૃહની કામગીરી સ્થગિત કરવીપડી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલગાંધીએ ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાનધમાલ મચી હતી. અમુક સાંસદો આગળ ધસી ગયા હતા અને સ્પીકરના આસન તરફ કાગળો ફેંક્યા હતા.નારાજ સ્પીકરે કોંગ્રેસના સાત અને સીપીઆઇ-એમના એક સાંસદને આખા સત્ર માટે સસ્પેન્ડ કરીદીધા હતા. મોડેથી રાહુલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખી આક્ષેપ કર્યો હતો કે
81 shares
😊