Achira News Logo
Achira News
A
Akila News
Mar 21, 2026, 02:38 PM
સુરત પોલીસે ચોરીની પિક-અપ કારનો મામલો કલાકોમાં ઉકેલ્યો, 8 લાખ રૂપિયાનું વાહન જપ્ત કર્યું

સુરત પોલીસે ચોરીની પિક-અપ કારનો મામલો કલાકોમાં ઉકેલ્યો, 8 લાખ રૂપિયાનું વાહન જપ્ત કર્યું

રાજકોટ, તા.૨૧: સુરત રેન્‍જ વડા પ્રેમવીર સિંહનો એક મંત્ર છે, કે મારા કાર્યક્ષેત્રમા કાયદો વ્‍યવસ્‍થા જડબેસલાક જળવાવી જોઈએ, મિલકત વિરોધી ગુન્‍હાનું ડીટેક્‍શન ઝડપી અને લોકોને સંતોષકારક હોવું જોઈએ, રેન્‍જ વડા દ્વારા અપાયેલ આ મંત્ર તેમની હકુમત હેઠળના ફક્‍ત જીલ્લા પોલીસ વડા જ નહિ પીઆઇ,PSIવિગેરે પણ ચુસ્‍તપણે અમલ થાય તેની કાળજી ખરા મનથી રાખે છે. આનું વધુ એક ઉદાહરણ ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વિરલ ગઢવી ટીમ દ્વારા પુરુ પાડવામાં આવ્‍યું છે. ડાંગ જિલ્લાના વધઈ ટાઉનમાંથી રાત્રિના સમયે ચોરાયેલી પીક-અપ ગાડીના ગુનાનો ભેદ વઘઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્‍યો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી રૂા. ૮,૦૦,૦૦૦/ની કિંમતની પીક-અપ રિકવર કરી છે.ફરિયાદી મહમદ અયાઝ નાસીરભાઇ ધાનાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પીક-અપ (રજીસ્‍ટ્રેશન નંબરઃ જીજે-૨૬-યુ-૧૮૪૮) વઘઈ હનુમાન ફળીયા પુલ પાસે રોડની સાઈડમાં પાર્ક કરેલી હતી. રાત્રિના સમયે અજાણ્‍યા તસ્‍કરો આશરે ૮ લાખની કિંમતનું આ વાહન ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે વઘઈ પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.જેમાં વઘઈ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે. ગઢવીની ટીમ દ્વારા તપાસ માટે ટેકનિકલ સર્વેલન્‍સ અને હ્યુમન રિસોર્સની મદદ લેવામાં આવી હતી. ગુજરાત-મહારાષ્‍ટ્ર બોર્ડર વિસ્‍તારમાં સઘન તપાસ હાથ ધરીને પોલીસે શંકાસ્‍પદોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ મહારાષ્‍ટ્ર અને ગુજરાતની સરહદ પરથી નીચે મુજબના બે આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્‍યા હતા.પોલીસે દેવીદાસભાઇ રામજયાભાઈ ભોયે (ઉ.વ. ૪૨)રહે. મોટામાળગામ, તા. સુરગાણા, જિ. નાસિક મહારાષ્‍ટ્ર) અને મધુભાઈ રામજયાભાઈ ભોયે (ઉ.વ.૩૫) રહે. જામનવિહિર ગામ, તા. આહવા, જિ. ડાંગ)ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
40 shares
😐
A
Akila News
Mar 21, 2026, 02:36 PM
CISFએ મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ડ્રગ્સની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

CISFએ મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ડ્રગ્સની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

મુંબઈ: મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા એજન્સી સીઆઈએસએફ (CISF) ના જવાનોએ ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ ડ્રગ્સ સ્મગલિંગના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એરપોર્ટ પર જ ફરજ બજાવતા એક લોડર પાસેથી અંદાજે ૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨ કિલો ‘હાઈડ્રોપોનિક વીડ’ (ગાંજો) ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઘટના બાદ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવામાં આવી છે. એક્સ-રે સ્કેનિંગમાં પકડાઈ ચોરી:ઘટનાની વિગત મુજબ, એરપોર્ટ પર કાર્યરત એક લોડર જ્યારે ટર્મિનલ બિલ્ડિંગની બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેની પાસે એક બેકપેક (થેલો) હતો. સીઆઈએસએફના જવાનોએ રૂટીન સુરક્ષા તપાસ દરમિયાન તેને અટકાવ્યો હતો. જ્યારે તેની બેગને X-BIS સિસ્ટમ (એક્સ-રે સ્કેનિંગ) માંથી પસાર કરવામાં આવી, ત્યારે ઓન-ડ્યુટી જવાનોને સ્ક્રીન પર કેટલીક શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ હતી. આથી, જવાનોએ તાત્કાલિક લોડરને અટકાવીને બેગની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. ૨ કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત:બેગ ખોલતા જ સુરક્ષાકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેમાં પ્રતિબંધિત નશીલો પદાર્થ છુપાવવામાં આવ્યો હતો. આ મામલે તાત્કાલિક કસ્ટમ્સ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીઓએ તપાસ કરતા પુષ્ટિ કરી હતી કે જપ્ત કરાયેલ પદાર્થ ‘હાઈડ્રોપોનિક વીડ’ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ૨ કિલો વીડની અંદાજિત કિંમત ૨ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી:સીઆઈએસએફ દ્વારા પકડાયેલા શખ્સ અને જપ્ત કરાયેલા નશીલા પદાર્થને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે. એરપોર્ટના સંવેદનશીલ વિસ્તારમાં કામ કરતા કર્મચારી દ્વારા જ સ્મગલિંગનો પ્રયાસ થતા સત્તાવાળાઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા કરવામાં આવી રહી છે. સીઆઈએસએફના જવાનોની સતર્કતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાના કારણે રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે અને ડ્રગ્સ માફિયાઓનો એક મોટો મનસૂબો નિષ્ફળ રહ્યો છે.
92 shares
😢
A
Akila News
Mar 21, 2026, 02:33 PM
રાજકોટ સમારંભમાં નવા શિષ્યની નિમણુંક

રાજકોટ સમારંભમાં નવા શિષ્યની નિમણુંક

રાજકોટ તા.૨૧: ગોંડલ ગચ્‍છના‘‘જશ'' પરિવારના પરમ પૂજ્‍ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના આશાનુવર્તી પરમ પૂજ્‍ય ગુરુણીભગવંત બા.બ્ર. શ્રી કુસુમબાઈ મહાસતીજીના નવદીક્ષિત શિષ્‍યારત્‍ના પરમ પૂજ્‍યશ્રી મુક્‍તિજી મહાસતીજી ભગવંત અનશન તપની અતિ દુષ્‍કર અંતિમ આરાધના શ્રી ઋષભદેવ સંઘમાં ચાલી રહેલ હતી. અનશન આરાધક નવદીક્ષિત મહાસતીજી ભગવંતને તા. ૨૧ને શનિવારના રોજ ઉપવાસનો ૫૮મો દિવસ રહેલ. અનશન આરાધક મહાસતીજી ભગવંતની આજીવન અનશન તપની અંતિમ આરાધના અતિ દુર્લભ માનવભવને સાર્થક કર્યાના અવિરત આનંદ અને પ્રસન્ન ચિત્તે સંપૂર્ણ જાગળતિમાં સમતાભાવમાં રમણતા કરતા, અનંત ઉપકારી પૂજ્‍યશ્રી રાજગુરુભગવંત આદિ મુનિભગવંતો એવમ્‌ પૂજ્‍યશ્રી ગુરુભગવંતના આજ્ઞાનુવર્તી પૂજ્‍યશ્રી ગુરુણીભગવંત આદિ મહાસતીજી ભગવંતો તથા શ્રીસંઘની ઉપસ્‍થિતિમાં તા. ૨૧ શનિવારના રોજ બપારે ૧૨.૧૦ કલાક આસપાસ સંપન્ન થયેલ છે. રાજકોટ મુકામે શ્રી ઋષભદેવ જૈન ઉપાશ્રયની પાવન પવિત્ર ભૂમિ ઉપર ૨૩ જાન્‍યુઆરીએ શ્રી મુકતાબેન બાલુભાઈ ખારા (ઉ.વ. ૯૬)ની સંથારા સાધનાનો પ્રારંભ થયો. આરાધક શ્રી મુકતાબેન ઘણા સમયથી દીક્ષાની ભાવના ભાવતા અને પૂજ્‍ય ગુરુભગવંતને દીક્ષાની આજ્ઞા આપી અનંતો ઉપકાર કરવા વિનંતી કરતા હતા. સાગારી સંથારાના ૧૭માં ઉપવાસના દિવસે તા. ૮ ફેબ્રુઆરીના રોજ જૈન ભાગવતી દીક્ષા‘‘પૂજ્‍ય શ્રી રાજગુરુભગવંત''ના શ્રીમુખે અંગીકાર કરી નવદીક્ષિત શિષ્‍યારત્‍ના પરમ પૂજ્‍ય શ્રી મુક્‍તિજી મહાસતીજી ભગવંત બનેલ. પરમ પૂજ્‍યશ્રી મુક્‍તિજી મહાસતીજી ભગવંતે પરમ પૂજ્‍યશ્રી રાજગુરુભગવંતના શ્રીમુખે ૧૩ ફેબ્રુઆરી, શુક્રવારના ૨૨માં ઉપવાસ તથા સંથારાના દિવસે પૂર્ણ સભાન અવસ્‍થામાં જાગળતિપૂર્વક ચતુર્વિધ શ્રીસંધની મંગલ ઉપસ્‍થિતિમાં આજીવન સંથારો અંગીકાર કરેલ.
85 shares
😊
W
Western Times
Mar 21, 2026, 02:32 PM
US F-35 લડાકુ વિમાનો ઈરાનની સંરક્ષણ પ્રણાલી સામે તૂટી પડ્યાંઃ અનેક ઘટનાઓએ ચિંતા ઉભી કરી

US F-35 લડાકુ વિમાનો ઈરાનની સંરક્ષણ પ્રણાલી સામે તૂટી પડ્યાંઃ અનેક ઘટનાઓએ ચિંતા ઉભી કરી

ઈરાનની ડિફેન્સ સિસ્ટમ સામે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ નબળો પડી રહ્યો છે નવી દિલ્હી,અમેરિકન ફિફ્થ જેનરેશન ફાઈટર જેટ F-૩૫ તેની ખરાબ ટેન્કોલોજીના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. હાલમાં ઈરાન યુદ્ધમાં અમેરિકાના ૧૬ ફાઈટર જેટ નષ્ટ થઇ ચૂક્યા છે. ઘણા રિપોર્ટમાં તો આ ફાઈટર જેટની સંખ્યા ૨૦ બતાવવામાં આવી રહી છે. જેથી એવું સાબિત થઈ રહ્યું છે કે, ઈરાનની ડિફેન્સ સિસ્ટમ સામે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ નબળો પડી રહ્યો છે.નોંધનીય છે કે, ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ નેવીના F-૩૫B ફાઈટર વિમાનનું કેરળમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. બ્રિટને અમેરિકા પાસેથી F-૩૫ વિમાન ખરીદ્યું હતું. પણ છેલ્લા ૮ વર્ષમાં આ ફાઈટર જેટની ક્રેશ અથવા અકસ્માત થવાની ડઝનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.ઈઝરાયેલ – US સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન દ્વારા સ્ટિલ્થ ફાઈટર જેટ F-૩૫ને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ એ જ હ્લ-૩૫ ફાઈટર જેટ છે જેને ભારતને વેચવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ ભારતે હજી સુધી તેમાં રસ દાખવ્યો નથી. એટલું જ નહીં, જો ભારતે F-૩૫ની સાથે જોડાયેલી ઘટનાઓનું મૂલ્યાંકન કર્યું હશે તો તે અમેરિકા સાથે આ ડીલમાં આગળ નહીં વધે. સતત નબળા પ્રદર્શનને કારણે એક્સપર્ટ હ્લ-૩૫ની સરખામણી ચીનના ફાઈટર જેટ JF-૧૭ સાથે પણ કરી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે, અમેરિકન જેટ ચીનના જેટ કરતા પણ ભંગાર છે.ઉલ્લેખનીય છે કે, ચીને પણ ફિફ્થ જેનરેશનનું લડાકૂ વિમાન વિકસાવી લીધું છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ ચીન પાકિસ્તાનને આ વિમાન વેચી શકે છે. આ રેસમાં અમેરિકાનું F-૩૫ અને રશિયાનું Su-૫૭ પણ શામેલ છે. તેથી ભારતને પણ ફિફ્થ જેનરેશનના ફાઈટર જેટની જરૂર છે. ભારતીય સુરક્ષા નિષ્ણાતો મુજબ આમાં સૌથી મહત્વનો મુદ્દો ટેન્કોલોજી ટ્રાન્સફર અને હથિયાર ઇન્ટિગ્રેશનનો છે, પરંતુ હ્લ-૩૫ની સ્ટેલ્થ અને હાર્ડવેર ખામીઓ સામે આવતા શું ખરેખર તે સ્ટેલ્થ ફાઈટર જેટ છે? અને જો તે સ્ટેલ્થ ફાઈટર જેટ છે તો ઈરાને કેવી રીતે તેને ઈન્ટરસેપ્ટ કર્યું ? આવા ઘણા પ્રશ્નો છે જે F-૩૫ની ક્ષમતાઓ પર શંકા ઉભી કરી રહ્યા છે. એટલે જ કદાચ ભારત અમેરિકન ફાઈટર જેટ F-૩૫ની ખરીદી મામલે સાવચેતી દાખવી રહ્યું છે.SS1
2 shares
😢
A
Akila News
Mar 21, 2026, 02:32 PM
નવી બૅન્કનોટની રજૂઆત સાથે ઈરાનનું આર્થિક સંકટ વધ્યું

નવી બૅન્કનોટની રજૂઆત સાથે ઈરાનનું આર્થિક સંકટ વધ્યું

તેહરાન:ઈરાન અત્યારે ઈતિહાસની સૌથી ભયાનક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ચલણનું મૂલ્ય કાગળના ટુકડા સમાન બની ગયું છે. વધતા જતાયુદ્ધનાતણાવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે, ઈરાની સરકારે ફુગાવાને ડામવા ૧૦ મિલિયન (૧ કરોડ) રિયાલની અત્યાર સુધીની સૌથી મોટી નોટ બજારમાં ઉતારી છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી રકમની નોટનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય માત્ર ૭ ડોલર એટલે કે અંદાજે ૬૫૦ ભારતીય રૂપિયા જેટલું જ છે. આ નવી ગુલાબી નોટ પર ઐતિહાસિક સ્થાપત્યોના ચિત્રો તો છે, પણ તેની પાછળ છુપાયેલી આર્થિક લાચારી ઈરાનના ગગડતા અર્થતંત્રની ચાડી ખાય છે. આ નવી નોટ જાહેર થતાની સાથે જ તેહરાન સહિતના મોટા શહેરોમાં બેંકો અને એટીએમ બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઈરાની રિયાલનું મૂલ્ય છેલ્લા એક વર્ષમાં ૪૦% જેટલું ઘટી ગયું છે, જેના કારણે રોકડની તીવ્ર અછત સર્જાઈ છે. બેંકો પાસે પૂરતી રોકડ ન હોવાથી ગ્રાહકોને મર્યાદિત રકમ જ ઉપાડવા દેવામાં આવી રહી છે, પરિણામે સામાન્ય જનતામાં ભારે ગભરાટ ફેલાયો છે. ડિજિટલ બેંકિંગ સિસ્ટમ પર સાયબર હુમલા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના પ્રહારોએ આ સ્થિતિને વધુ સ્ફોટક બનાવી દીધી છે, જેનાથી સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઈરાન દ્વારા ફેબ્રુઆરીમાં ૫ મિલિયનની નોટ બહાર પાડ્યાના ટૂંકા ગાળામાં જ ૧૦ મિલિયનની નોટ લાવવી પડી, તે સાબિત કરે છે કે દેશમાં મોંઘવારી બેકાબૂ બની છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે હવે લોકોએ થેલા ભરીને નોટો લઈ જવી પડે તેવી સ્થિતિ છે. આર્થિક નિષ્ણાતો માને છે કે જો ઈઝરાયેલ સાથેનો સંઘર્ષ વધુ વણસશે, તો રિયાલનું મૂલ્ય હજુ પણ નીચે જશે અને ઈરાન સંપૂર્ણ આર્થિક પતનની દિશામાં ધકેલાઈ જશે. આ સ્થિતિ માત્ર ઈરાન માટે જ નહીં, પણ સમગ્ર મધ્ય પૂર્વના વેપારી સમીકરણો માટે જોખમી સંકેત છે.
87 shares
😢
Western Times logo
Western Times
Mar 21, 2026, 02:30 PM
ઈરાને હિંદ મહાસાગરમાં ડિએગો ગાર્સિયા સૈન્ય મથક પર હુમલો કર્યોઃ મિસાઈલો અમેરિકી સુવિધાઓમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ

ઈરાને હિંદ મહાસાગરમાં ડિએગો ગાર્સિયા સૈન્ય મથક પર હુમલો કર્યોઃ મિસાઈલો અમેરિકી સુવિધાઓમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ

હિંદ મહાસાગરમાં યુદ્ધ! ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે નવી દિલ્હી,મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ ના રિપોર્ટ અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડિયેગો ગાર્સિયા પર બે મધ્યમ અંતરની મિસાઈલોથી હુમલો કર્યાે છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે અને બેઝને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ મિસાઈલને રોકવા માટે પોતાના જંગી જહાજ પરથી SM-૩ ઈન્ટરસેપ્ટર લોન્ચ કર્યું હતું. જોકે, ઈન્ટરસેપ્ટર મિસાઈલને હવામાં તોડી પાડવામાં સફળ રહ્યું કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર અંદાજે ૪૧૧૮ કિલોમીટર છે. ઈરાનની અત્યાર સુધીની જાણીતી મિસાઈલ ક્ષમતા આટલી લાંબી રેન્જની નથી, જે સૂચવે છે કે ઈરાને ગુપ્ત રીતે પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યાે છે.સામાન્ય રીતે ઈરાનની ગતિવિધિઓ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (મિડલ ઈસ્ટ) હેઠળ આવતી હોય છે, પરંતુ ડિયેગો ગાર્સિયા યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વિસ્તારમાં આવે છે. આ હુમલાથી સાબિત થાય છે કે, હવે યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે અને ઈરાન સીધા અમેરિકાના વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલા અંગે વ્હાઇટ હાઉસ કે બ્રિટનના સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં ઇઝરાયલ કે અન્ય પડોશી દેશોની ભૂમિકા અથવા પ્રતિક્રિયા પર પણ દુનિયાની નજર રહેશે.ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. અહીંથી જ અમેરિકા એશિયા અને મિડલ ઈસ્ટ પર નજર રાખે છે અને બોમ્બર વિમાનોનું સંચાલન કરે છે.SS1
7 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:26 PM
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યાના ચાર પ્રયાસો નોંધાયા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યાના ચાર પ્રયાસો નોંધાયા

રાજકોટ તા. ૨૧: અલગ અલગ કારણોસર અલગ અલગ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યાની ચાર ઘટના સિવિલ હોસ્‍પિટલના ચોપડે નોંધાઇ હતી. જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પર રાધાકળષ્‍ણ નગર-૨માં રહેતા અમિતભાઈ નરશીભાઈ શિયારા (ઉ.વ.૪૪)ના યુવકે બપોરે લાઠીયા ગેરેજ પાસે ડીડીટી પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. યુવક ડ્રાઇવિંગ કામ કરે છે અને બે ભાઇમાં નાના છે, સંતાનમાં એક પુત્ર છે. પત્‍નિ સાથે કલેશ થતાં પગલુ ભર્યાનું જણાવાયું હતું. બીજા બનાવમાં ભુપગઢ ગામે રહેતો સુમિત હેમતભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)એ સાંજે ગંજીવાડાથી આગળ નવા બસ સ્‍ટેન્‍ડ પાસે ફિનાઈલ ગટગટાવી લેતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. યુવક ડ્રાઇવિંગ કામ કરે છે, તેના કહેવા મુજબ ગઈકાલે ઘર પાસે બેઠો હતો ત્‍યારે મોટાબાપુ ભુપતભાઇ અને તેનો દીકરો સાગર આવીને ગાળો બોલવા લાગતા મેં તેને સામે ગાળ આપી હતી આથી બંનેએ ઉશ્‍કેરાઈ પાણાવારી કરી હતી. આ લોકોના ત્રાસને કારણે પગલુ ભર્યાનો આક્ષેપ તેણે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં મિલપરા-૪માં રહેતા રમેશભાઈ સુભંગ વિશ્વકર્મા (ઉ.વ.૩૫)ના યુવકે જ્‍યુબિલી બગીચામાં જઈ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. યુવક ચાઈનીઝ પંજાબીની લારી ધરાવે છે અને સંતાનમાં ત્રણ પુત્ર છે. પોતાની મરજીથી પીધી હોવાનું રટણ કરતાં એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
8 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:25 PM
રાજકોટ ખાતે સામાજિક એકતા અને અખંડિતતા માટે ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન

રાજકોટ ખાતે સામાજિક એકતા અને અખંડિતતા માટે ભવ્ય હિંદુ સંમેલનનું આયોજન

રાજકોટ, તા.૨૧ : હિંદુ જાગરણની દિશામાં નવી ચેતના જગાડવા, સનાતન સંસ્‍કળતિ, સનાતન ધર્મ તથા સામાજિક એકતા અને અખંડિતતાના પ્રતિકરૂપે શ્રી કળષ્‍ણ મિત્ર મંડળ દ્વારા ભવ્‍ય હિંદુ સંમેલન આજે ૨૧ માર્ચના શનિવારે રાત્રે ૯ કલાકે દ્વારકાધીશ હાઇટ્‍સ અને ગોલ્‍ડન હાઇટ્‍સ વચ્‍ચેનું મેદાન, શ્રી પ્રભુ ગાંઠિયા હાઉસ પાસે, આર. કે. વર્લ્‍ડ ટાવર રોડ, શીતલ પાર્ક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. આ સંમેલનમાં શ્રી પરમાત્‍માનંદજી આર્ષ વિદ્યામંદિર, મુંજકા (રાજકોટ)ખાસ ઉપસ્‍થિત રહી આર્શીવચન પાઠવશે તેમજ ડો. આશિષભાઈ શુક્‍લ (રાજકોટ મહાનગર કાર્યવાહ અને રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ) તથા ડો. ઘનશ્‍યામભાઈ ગઢવી (લેખક, ચિંતક અને વક્‍તા) પંચ પરિવર્તન વગેરે વિષય પર માર્ગદર્શન આપશે.શહીદ સુખદેવ ટાઉનશિપ, શ્‍યામા પ્રસાદ મુખર્જી ટાઉનશિપ, દ્વારકાધીશ હાઈટ્‍સ, ગોલ્‍ડન હાઈટ્‍સ, વન વર્લ્‍ડ, આર કે એમ્‍બિયન્‍સ સહિતના લતાવાસીઓ આ કાર્યક્રમની શોભામાં વધારો કરશે. સર્વે ભાઈઓ-બહેનોને આ સંમેલનમાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કળષ્‍ણ મિત્ર મંડળના આગેવાનોએ અનુરોધ કર્યો છે.
76 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:23 PM
રાજકોટ ખાતે અનોખી'ચમત્કારિક "થીમ સાથે મહિલા દિવસની ઉજવણી

રાજકોટ ખાતે અનોખી'ચમત્કારિક "થીમ સાથે મહિલા દિવસની ઉજવણી

રાજકોટઃ શ્રી કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ સંસ્‍થાની પાંચ શાળાના તમામ મહિલા શિક્ષકઓ સાથે અનોખી રીતે જ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેની મુખ્‍ય થીમ‘મીરેકલ'હતું. કાર્યક્રમમાં તમામ શિક્ષકોને ઉષ્‍માભેર આવકારો આપી વિવિધ રમતો રમાડી. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સ્‍થિત મુરબ્‍બી ટ્રસ્‍ટી અતુલભાઇ મોદી,જોઇન્‍ટ સેક્રેટરી નેહાબેન દફતરી અને મુંબઇ સ્‍થિત સંસ્‍થાના ચેરમેન પ્રેમલભાઇ ઉદાણી અને સેક્રેટરી વિશાલભાઇ શેઠએ જહમત ઉઠાવી.
76 shares
😊
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:22 PM
રાજકોટની હોટલના રૂમમાં સોફ્ટવેર એન્જિનિયરનું મોત

રાજકોટની હોટલના રૂમમાં સોફ્ટવેર એન્જિનિયરનું મોત

રાજકોટ તા. ૨૧: શહેરના લીમડા ચોકમાં આવેલી હોટેલમાં બેભાન થઇ જતાં સોફટવેર એન્‍જિનીયર યુવાનનું મૃત્‍યુ થયું છે. જાણવા મળ્‍યા મુજબ ગત સાંજે આઠેક વાગ્‍યે હોટેલ એવરગ્રીનના રૂમમાં એક ઉતારૂ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તેને મૃત જાહેર કરાયા હતાં. હોટેલમાં થયેલી નોંધણી મુજબ આ મૃતકનું નામ સુધીરકુમાર લાલટૂન ચોૈધરી (ઉ.વ.૩૫) હોવાનું ખુલ્‍યું હતું. એ-ડિવીઝન પોલીસે તપાસ કરતાં મૃતકના જામનગર રહેતાં ભાઇ રાજકોટ પહોંચ્‍યા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી. સુધીરકુમાર મુળ બિહાર દરભંગાના વતની હતાં અને સોફટવેર એન્‍જિનીયર તરીકે કંપનીમાં નોકરી કરતાં હતાં. પંદર દિવસ પહેલા જ તે બિહારથી કંપનીના કામે રાજકોટ આવ્‍યા હતાં. તે ત્રણ ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા જણાવાઇ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા એ-ડિવીઝન પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.
95 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:22 PM
ઈરાને જાન્યુઆરીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા ત્રણ યુવાનોને ફાંસી આપી

ઈરાને જાન્યુઆરીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા ત્રણ યુવાનોને ફાંસી આપી

તહેરાન,તા.૨૧ઃ યુદ્ધગ્રસ્ત ઈરાનના ન્યાયતંત્રઍ જાન્યુઆરીમાં દેશભરમાં થયેલા લોહિયાળ વિરોધ-પ્રદર્શનો દરમ્યાન અટકાયતમાં લેવાયેલા ૩ યુવાનોને ગુરુવારે મોતની સજા ફરમાવી હતી અને આ ત્રણેય યુવાનોને ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા છે. આ વિશેની સત્તાવાર જાહેરાત ઈરાન સરકાર દ્વારા કરવામાં આવી છે. આ વિરોધ-પ્રદર્શનોના સંદર્ભમાં અમલમાં મૂકવામાં આવેલી આ પ્રથમ ફાંસીની સજા હોવાનું મનાય છે. ફાંસી આપવામાં આવેલા આ ૩ યુવાનોમાં ૧૯ વર્ષના આશાસ્પદ કુસ્તીબાજ સાલેહ મોહમ્મદીનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનો પર આરોપ હતો કે તેમણે કોમ શહેરમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન બે પોલીસ-અધિકારીઅોની છરીના ઘા મારીને હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ફાટી નીકળેલા આ આંદોલને સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરી હતી જેમાં અનેક પ્રદર્શનકારીઅોની ધરપકડ કરવામાં આવી હતી. માનવાધિકાર સંગઠનો આ મામલે ચિતા વ્યક્ત કરી રહ્નાં છે,પરંતુ ઈરાન સરકાર સુરક્ષાદળો પરના હુમલાઅોને ગંભીર ગુનો ગણીને આકરી સજાના વલણને યથાવત્ રાખી રહી છે.
11 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:18 PM
રાજકોટ મુખ્ય બજાર યાર્ડ બંધઃ વાર્ષિક ખાતાઓ અને વેપારી વસાહતો

રાજકોટ મુખ્ય બજાર યાર્ડ બંધઃ વાર્ષિક ખાતાઓ અને વેપારી વસાહતો

રાજકોટ, તા. ર૧ : રાજકોટ મુખ્‍ય માર્કેટ યાર્ડમાં કામ કરતા કમીશનર એજન્‍ટ, વેપારીઓ તરફથી સને ર૦રપ-ર૦ર૬ ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટયાર્ડમાં ખરીદ -વેચાણનું કામકાજ બંધ રાખવા કરેલ નિર્ણય અન્‍વયે તા. ૩૦-૩-ર૦ર૬ ને સોમવાર થી તા. ૩૧-૩-ર૦ર૬ ને મંગળવાર સુધી મુખ્‍ય માર્કેટયાર્ડ (અનાજ)નું હરરાજીનું કામકામ બંધ રહશે. તેમજ તા. ર૮-૦૩-ર૦ર૬ ને શનિવાર સવારથી અનાજ વિભાગ (મુખ્‍યયાર્ડ) ની તમામ જણસીઓની માલ આવકો/વાહનો માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહીં. જેથી સદરહું દિવસો દરમ્‍યાન માર્કેટયાર્ડમાં ખેડૂત ભાઇઓએ માલ વેચવા લાવવો નહી. તા. ૧-૪-ર૦ર૬ ને બુધવારથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. તેમ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદીમાં જણાવાયું છે.
89 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:17 PM
ગુજરાત સરકાર અછતને પહોંચી વળવા માટે આઈ. પી. એસ. અધિકારીઓની સંખ્યા વધારવા પર વિચાર કરી રહી છે

ગુજરાત સરકાર અછતને પહોંચી વળવા માટે આઈ. પી. એસ. અધિકારીઓની સંખ્યા વધારવા પર વિચાર કરી રહી છે

રાજકોટ:ગુજરાત રાજ્યમાં વહીવટી તંત્રના આઈએએસ (IAS) કેડરના માળખામાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ એટલે કે આઈપીએસ (IPS) કેડરની સંખ્યામાં પણ વધારો કરવાની હિલચાલ તેજ બની છે. ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની પ્રવર્તમાન અછતને પહોંચી વળવા માટે કેડર સ્ટ્રેન્થ વધારવા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર દરખાસ્ત કે નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં દોઢ ડઝનથી વધુ નવી જગ્યાઓ ઉમેરાય તેવી પ્રબળ શક્યતા છે. અધિકારીઓની અછત અને નિવૃત્તિનું ગણિત:વર્તમાન આંકડાકીય સ્થિતિ મુજબ, ગુજરાતમાં આઈપીએસ કેડરનું મંજૂર થયેલું મહેકમ ૨૦૮ અધિકારીઓનું છે. તેની સામે હાલમાં રાજ્યમાં માત્ર ૧૯૩ આઈપીએસ અધિકારીઓ જ ફરજ બજાવી રહ્યા છે, જેનો સીધો અર્થ એ છે કે અત્યારે પણ ૧૫ અધિકારીઓની ઘટ વર્તાઈ રહી છે. આ સ્થિતિ આગામી મહિનાઓમાં વધુ ગંભીર બની શકે છે, કારણ કે માર્ચ મહિનાના અંતમાં રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારી શમશેર સિંહ વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારબાદ જૂન મહિનામાં પ્રફુલ્લ કુમાર રોશન અને એમ.એલ. નિનામા તેમજ ઓગસ્ટ મહિનામાં રાજુ ભાર્ગવ નિવૃત્ત થશે. આમ, ટૂંકા ગાળામાં વધુ ચાર ઉચ્ચ અધિકારીઓ નિવૃત્ત થતા અછતનો આંકડો ૧૯ પર પહોંચશે. આઈએએસ કેડરની તર્જ પર વધારાની આશા:ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ આઈએએસ અધિકારીઓની સંખ્યામાં ૩૦નો વધારો કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. જેની સામે કેન્દ્ર દ્વારા ૧૫ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની સંખ્યા ૩૧૩ થી વધીને ૩૨૮ થઈ છે. હવે આ જ તર્જ પર પોલીસ વિભાગમાં પણ ૧૫ થી ૧૮ જેટલા નવા પદ મંજૂર કરવામાં આવે તેવી ગણતરી સરકાર દ્વારા રાખવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ મહત્વની પોસ્ટ પર કાયમી નિમણૂકો આપવા માટે આઈપીએસની સંખ્યા વધારવી અનિવાર્ય બની છે. જો કેન્દ્ર સરકાર આ દરખાસ્તને મંજૂરી આપે છે, તો ગુજરાત પોલીસ દળના ઉચ્ચ માળખાને નવી ગતિ મળશે અને અધિકારીઓ પરનું કામનું ભારણ પણ ઘટશે.
8 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:14 PM
ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામની ના પાડી, સંપૂર્ણ જીત પર ભાર મૂક્યો

ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામની ના પાડી, સંપૂર્ણ જીત પર ભાર મૂક્યો

વોશિંગ્‍ટન, તા.૨૧: અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાન સાથેના ૨૨ દિવસના લોહીયાળ જંગ વચ્‍ચે યુદ્ધવિરામની તમામ શકયતાઓને ફગાવી દઈને વિશ્વને ચોંકાવી દીધું છે. વ્‍હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્‍પે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે, જ્‍યારે તમે વિરોધી પક્ષનો સંપૂર્ણ નાશ કરી રહ્યા હોવ, ત્‍યારે યુદ્ધવિરામનો કોઈ અર્થ રહેતો નથી. તેમણે ઈઝરાયલ અને અમેરિકાના એક જ લક્ષ્ય - સંપૂર્ણ વિજય હોવાનો પુનરોચ્‍ચાર કર્યો છે. આ નિવેદનથી સ્‍પષ્ટ થાય છે કે મધ્‍યપૂર્વમાં મિસાઈલોનો વરસાદ હજુ અટકવાનો નથી અને અમેરિકા ઈરાનને સૈન્‍ય રીતે તોડી પાડવા કટિબદ્ધ છે. સૌથી વધુ ચર્ચા ટ્રમ્‍પના હોર્મુઝ સામુદ્રધુની અંગેના નિવેદનની થઈ રહી છે, જે વિશ્વના ૨૦ ટકા તેલ પુરવઠાનો જીવાદોરી સમાન માર્ગ છે. ટ્રમ્‍પે વ્‍યૂહાત્‍મક રીતે કહ્યું કે આ માર્ગ યોગ્‍ય સમયે પોતાની મેળે જ ખુલશે, પરંતુ તેની સુરક્ષા માત્ર અમેરિકાની જવાબદારી નથી. તેમણે ખાસ કરીને ચીન અને જાપાનનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું કે, આ એશિયન દેશો આ માર્ગ પરથી સૌથી વધુ તેલ આયાત કરે છે, તેથી તેમણે તેને સુરક્ષિત રાખવા માટે આગળ આવવું જોઈએ. ટ્રમ્‍પના મતે જો ચીન આ પ્રક્રિયામાં જોડાય તો તે વિશ્વ માટે ફાયદાકારક રહેશે, જે એક રીતે બેઇજિંગને આ સંઘર્ષમાં ખેંચવાનો સંકેત છે. આ આર્થિક યુદ્ધ વચ્‍ચે ટ્રમ્‍પે એક વિચિત્ર છૂટછાટ પણ આપી છે, જેમાં ઈરાનને ટેન્‍કરોમાં ફસાયેલું ૧૪૦ મિલિયન બેરલ તેલ વેચવાની અસ્‍થાયી પરવાનગી અપાઈ છે. આ નિર્ણય પાછળનો હેતુ તેલના ભાવને ઼૧૦૦ ની નીચે લાવવાનો છે, જેથી વૈશ્વિક ફુગાવો કાબૂમાં રહે. જોકે, બીજી તરફ બગદાદમાં અમેરિકી ઠેકાણાઓ પર ઈરાની હુમલા તેજ થયા છે, જેના કારણે ટ્રમ્‍પ વહીવટીતંત્રે પોતાના નાગરિકોને તાત્‍કાલિક ઈરાક છોડવા સૂચના આપી છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્‍પની આ માસ્‍ટરસ્‍ટ્રોક નીતિ ચીન અને જાપાનને આ યુદ્ધના મેદાનમાં કઈ રીતે ઉતારે છે.
31 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:14 PM
વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓ વચ્ચે હરિયાણા સરકારે અલ-ફલાહ યુનિવર્સિટીનો કબજો લીધો

વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓ વચ્ચે હરિયાણા સરકારે અલ-ફલાહ યુનિવર્સિટીનો કબજો લીધો

ફરીદાબાદ:હરિયાણા સરકારે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીમાં ચાલતી ગંભીર વહીવટી અને નાણાકીયગેરરીતિઓનેપગલે સંચાલન પોતાના હસ્તક લઈ લીધું છે. તપાસ સમિતિના અહેવાલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયા બાદ ૨૦૦૩ બેચના વરિષ્ઠ IAS અધિકારી અમિત કુમાર અગ્રવાલને યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ ઐતિહાસિક હસ્તક્ષેપને કારણે વર્ષ ૨૦૧૪માં સ્થપાયેલી આ ખાનગી યુનિવર્સિટી હવે સીધી સરકારી દેખરેખ હેઠળ કાર્ય કરશે. યુનિવર્સિટીના કબજા પાછળ માત્ર વહીવટી શિથિલતા જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો પણ જવાબદાર હોવાનું મનાય છે. તપાસ એજન્સીઓએ આતંકવાદી કાવતરાના એક કેસમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની કડી શોધી કાઢી હતી, જેના કારણે સમગ્ર સંસ્થાની પ્રવૃત્તિઓ શંકાના દાયરામાં આવી ગઈ હતી. શિક્ષણની ગુણવત્તા સુધારવા અને પારદર્શિતા લાવવાના હેતુથી સરકારે ડૉ. અજય રંગાને નવા વાઇસ ચાન્સેલર અને ડૉ. રાજીવ સિંઘને પરીક્ષા નિયંત્રક બનાવી યુનિવર્સિટીનું શુદ્ધિકરણ શરૂ કર્યું છે. આ આકરા ફેરફારો છતાં સરકારે સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ આંચ નહીં આવે અને શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ ચાલશે. નવી વહીવટી પાંખ હવે યુનિવર્સિટીની બેંકિંગ અને શૈક્ષણિક બાબતોનું નિરીક્ષણ કરશે જેથી કોઈ પણ અનિયમિતતા બાકી ન રહે. શિક્ષણ ક્ષેત્રે વહીવટી કડકાઈ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે લેવાયેલું આ પગલું અન્ય સંસ્થાઓ માટે પણ એક કડક સંદેશ સમાન માનવામાં આવી રહ્યો છે.
41 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:13 PM
ઈરાને મધ્ય પૂર્વમાં મુસ્લિમ એકતા માટે નવી વ્યૂહરચના જાહેર કરી

ઈરાને મધ્ય પૂર્વમાં મુસ્લિમ એકતા માટે નવી વ્યૂહરચના જાહેર કરી

તેહરાન:મધ્ય પૂર્વના રણમેદાનમાં અત્યારે એક નવી અને અત્યંત શક્તિશાળી વ્યૂહરચના આકાર લઈ રહી છે, જેવોશિંગ્ટનથીલઈને તેલ અવીવ સુધીના સત્તાધીશોના શ્વાસ અધ્ધર કરી શકે છે. ઈરાનના નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર થયેલા તાજેતરના હુમલાઓથી ઉશ્કેરાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ઈદ અલ-ફિત્રનાપવિત્ર અવસરે એક 'રાજદ્વારી બોમ્બ'ફોડ્યોછે. તેમણે સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના તમામ પડોશી મુસ્લિમદેશોને"મુસ્લિમબ્રધરહુડનીછત્રછાયા" હેઠળ એક થવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ઈરાનનો આ પ્રસ્તાવ માત્ર ધાર્મિક એકતા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે યુરોપિયન યુનિયન (EU) ના મોડેલ પર આધારિત એક એવો આર્થિક અને સૈન્ય બ્લોક બનાવવાની દિશામાં છે, જે પશ્ચિમી દેશોનાદાયકાઓજૂના પ્રભુત્વને જડબાતોડ જવાબ આપી શકે. પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અત્યંત આક્રમક અને ભાવનાત્મક અપીલ કરતા જણાવ્યું છે કે, મુસ્લિમ દેશો વચ્ચેના આંતરિક વિવાદોનો એકમાત્ર ફાયદો "ઝાયોનિસ્ટ શાસન" એટલે કે ઈઝરાયેલ ઉઠાવી રહ્યું છે. ઈરાન હવે "બંદૂક" ની સાથે "ભાઈચારો" નું જે કાર્ડ રમી રહ્યું છે, તે અમેરિકા માટે એક તીક્ષ્ણ હથિયાર સાબિત થઈ શકે તેમ છે. જો મધ્ય પૂર્વના આ તમામ તેલ સમૃદ્ધ દેશો એક સામાન્ય પ્લેટફોર્મ પર આવી જાય, તો તેઓ વિશ્વના તેલ પુરવઠા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. આ રણનીતિ હેઠળ બાહ્ય શક્તિઓની દખલગીરીને સંપૂર્ણપણે નાબૂદ કરી એક 'અદ્રશ્ય સુરક્ષા દીવાલ' ઊભી કરવાનો ઈરાનનો મનસૂબો છે, જે ઈઝરાયેલ માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટો પડકાર બની રહેશે. નિષ્ણાતો માને છે કે જો સાઉદી અરેબિયા અને ઈરાન જેવા પરંપરાગત હરીફો આ છત્ર હેઠળ સાથે આવશે, તો મધ્ય પૂર્વમાંથી અમેરિકાના વળતા પાણી શરૂ થઈ જશે. રશિયા અને ચીન જેવી શક્તિઓ પહેલેથી જ ઈરાનની પડખે ઉભી છે, ત્યારે આ નવો 'ઇસ્લામિક બ્લોક' વૈશ્વિક રાજકારણના સમીકરણો બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. એક તરફ પરમાણુ મથકો પર હુમલાનો સામનો કરી રહેલું ઈરાન મિસાઈલોથી વળતો પ્રહાર કરી રહ્યું છે, તો બીજી તરફ આ રાજદ્વારી વ્યૂહરચના દ્વારા તે સમગ્ર મુસ્લિમ વિશ્વને એક કરી અમેરિકાને એકલું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સાઉદી અરેબિયા અને અન્ય અખાતી દેશો આ "ભાઈચારો કાર્ડ" ને કેટલો પ્રતિસાદ આપે છે.
23 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:08 PM
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢના રાયપુરમાં હત્યાનો કેસ ઉકેલી લીધો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢના રાયપુરમાં હત્યાનો કેસ ઉકેલી લીધો

રાજકોટ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વર્ષ ૨૦૨૧માં છત્તીસગઢના રાયપુરમાં બનેલી ચકચારી અને ક્રૂર હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાયપુરના ટીકરાપાડા વિસ્તારમાં થયેલી શકુંતલા યાદવની હત્યા અને લૂંટના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર ઉર્ફે કિંમતીશ્રી રાજનારાયણ મિશ્રાને અમદાવાદમાંથી ઝડપી લેવામાં સફળતા મળી છે. જેને બે રાજ્યોની પોલીસ શોધતી હતી તેવા આ રીઢા ગુનેગારને પકડવા બદલ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકે ક્રાઈમ બ્રાન્ચની પીઠ થાબડી છે. ઘટનાની પૃષ્ઠભૂમિ અને સોપારીનો ખેલ:આ કેસની વિગતો મુજબ, મરણજનાર શકુંતલા યાદવને તેમના મોટા દીકરા અજય યાદવ સાથે મિલકત બાબતે અવાર-નવાર ઝઘડા થતા હતા. આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા શકુંતલા યાદવ અને તેમના નાના દીકરા અમિત યાદવે અજયની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. અમિત યાદવ રાયપુરની હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે તેની ઓળખાણ સિક્યુરિટી ગાર્ડ અજયકુમાર મિશ્રા સાથે થઈ હતી. અજય મિશ્રાના ગુનાહિત ઇતિહાસની જાણ હોવાથી માતા-પુત્રએ તેને અજય યાદવને મારવા માટે ૪ લાખ રૂપિયાની સોપારી આપી હતી અને ૧ લાખ રૂપિયા એડવાન્સ ચૂકવ્યા હતા. જોકે, સોપારી લેનાર અજયકુમાર મિશ્રા પૈસા લઈને કામ કર્યા વગર વતનમાં ભાગી ગયો હતો. સોપારી આપનાર જ શિકાર બની:થોડા સમય બાદ શકુંતલા યાદવ અને અમિતે આરોપીના વતન પહોંચી પૈસા પરત કરવા અથવા કામ પૂરું કરવા દબાણ કર્યું હતું. આશરે ચાર મહિના બાદ આરોપી અજયકુમાર મિશ્રા તેના મિત્ર કેતન ઉર્ફે કે.ટી. રામસુંદર તિવારી સાથે રાયપુર આવ્યો હતો. ત્યાં તેને જાણવા મળ્યું કે અમિત યાદવ કોઈ ગુનામાં જેલમાં છે અને શકુંતલા યાદવ ઘરે એકલા જ છે. આ તકનો લાભ લઈ આરોપીઓએ સોપારીના કામને બદલે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. બીજા દિવસે સવારે બંનેએ મળીને શકુંતલા યાદવની દોરીથી ગળું દબાવી હત્યા કરી નાખી અને ઘરમાંથી ૧૦ લાખ રોકડા તેમજ ૩૫ તોલા સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરી:હત્યા બાદ આરોપી અજયકુમાર મિશ્રાએ પકડાવવાથી બચવા માટે ડિજિટલ સાયલન્સ અપનાવ્યું હતું. તેણે મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું અને કોઈ પણ ઓળખપત્રનો ઉપયોગ કરતો નહોતો. તે ગોવા અને મુંબઈમાં છુપાયા બાદ ૨૦૨૨માં અમદાવાદના નરોડા વિસ્તારમાં આવી છુપાયો હતો.
28 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:08 PM
વૈશ્વિક AI માંગના કારણે સંગ્રહ ઉપકરણની કિંમતમાં વધારો થયો

વૈશ્વિક AI માંગના કારણે સંગ્રહ ઉપકરણની કિંમતમાં વધારો થયો

નવી દિલ્હી:AIના વધતા વ્યાપને કારણે હવે સામાન્ય ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ જેવા કે પેનડ્રાઇવઅને મેમરી કાર્ડના ભાવ આસમાને પહોંચ્યા છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ અને મેટા જેવી દિગ્ગજ કંપનીઓતેમનાAI ડેટાસેન્ટરોમાટે સેમસંગ અને માઇક્રોન જેવા સપ્લાયર્સ પાસેથી જંગી માત્રામાં હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સ ખરીદી રહી છે. આ વૈશ્વિક ખેંચતાણને કારણે બજારમાં DRAM અને NAND ટેકનોલોજીની અછત સર્જાઈ છે, જેની સીધી અસર છૂટક ગ્રાહકો પર પડી રહી છે. IDC ના અહેવાલ મુજબ, મેમરી ચિપ્સના ભાવમાં દર મહિને ૨૫% સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીના જથ્થાબંધ બજારમાં જે ૩૨GB પેન ડ્રાઇવ જાન્યુઆરીમાં ₹૧૮૦માં મળતી હતી, તેનો ભાવ માર્ચમાં વધીને ₹૩૬૦ સુધી પહોંચી ગયો છે. આ કિંમતો દરરોજ અપડેટ થઈ રહી છે, જેના કારણે માત્ર સામાન્ય યુઝર્સ જ નહીં પરંતુ લગ્નની સીઝનમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી ઉદ્યોગ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સના બજેટ પણ ખોરવાઈ ગયા છે. આ મેમરી કટોકટી માત્ર નાના ગેજેટ્સ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્માર્ટફોન અને પીસીના ઉત્પાદન ખર્ચમાં પણ ૧૦ થી ૧૫% નો વધારો કરી રહી છે. નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનું આ અસંતુલન ૨૦૨૬ થી ૨૦૨૭ના બીજા ભાગ સુધી ચાલુ રહી શકે છે. જો તમે નવો સ્માર્ટફોન કે સ્ટોરેજ ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો વધતા ભાવોને ધ્યાનમાં રાખીને વહેલો નિર્ણય લેવો હિતાવહ રહેશે.
30 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:04 PM
ગુજરાત સરકારે રાજકોટ ખાતે બાજરી મહોત્સવ અને પ્રાકાલિક ખેડૂત બજારનું આયોજન કર્યું

ગુજરાત સરકારે રાજકોટ ખાતે બાજરી મહોત્સવ અને પ્રાકાલિક ખેડૂત બજારનું આયોજન કર્યું

રાજકોટ, તા., ર૧: ગુજરાત સરકારના કળષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના આંગણે તારીખ ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કોર્પોરેશન પ્‍લોટ, નાનામવા ચોક, ૧૫૦ ફૂર રીંગ રોડ ખાતે ‘મિલેટ મહોત્‍સવ અને પ્રાકળતિક ફાર્મર માર્કેટ'નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો આજે સવારે ધારાસભ્‍યો અને વરિષ્ઠ અધિકારીનો ઉપસ્‍થિતિમાં શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે રાજ્‍યના માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વીડિયોના માધ્‍યમથી તેમના શુભેચ્‍છા સંદેશમાં એમ કહ્યું હતું કે, આજે રાજ્‍યમાં તમામ મહાનગરપાલિકા વિસ્‍તારોમાં મિલેટ ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી નાગરિકોને સ્‍વાસ્‍થ્‍ય માટે જાગળત રહેવા પ્રેરણા આપે છે અને લોકોનું આરોગ્‍ય સારૂ રહે તથા નાની ઉંમરે થતાં ગંભીર રોગથી બચી શકાય તે માટે દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્ર અપનાવવા માર્ગદર્શિત કરેલ છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા કોર્પોરેશન ગ્રાઉન્‍ડ ખાતે યોજાનારા આ મહોત્‍સવમાં મિલેટ (શ્રી અન્ન) માંથી બનેલી વિવિધ વાનગીઓ અને પ્રોડક્‍ટ્‍સનું પ્રદર્શન યોજવામાં આવેલ છે. આ સાથે જ પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્‍પાદિત શુદ્ધ અને રસાયણમુક્‍ત કળષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્‍ટોલ્‍સ પણ ઊભા કરવામાં આવ્‍યા છે, જેથી શહેરના નાગરિકો સીધા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્‍ત ચીજવસ્‍તુઓ ખરીદી શકશે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી શુભારંભ કરેલ. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ અને મિલેટ કીટ આપી સ્‍વાગત કરવામાં આવેલ. શાબ્‍દિક સ્‍વાગત નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ જાની દ્વારા કરવામાં આવેલ. મિલેટ અંગે જાગળતિ કાર્યક્રમ કરતા અધિકારીઓ અને નાગરિકોનું ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવેલ. ત્‍યારબાદ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ મિલેટ સ્‍ટોરની મુલાકાત કરી માહિતી મેળવી હતી અને કાર્યક્રમના અંતે આભાર વિધિ જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તળપ્તિબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
46 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:57 PM
ગુજરાત સરકાર અછતને પહોંચી વળવા 3,100 નવા ઇજનેરોની ભરતી કરશે

ગુજરાત સરકાર અછતને પહોંચી વળવા 3,100 નવા ઇજનેરોની ભરતી કરશે

રાજકોટ:ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં લાંબા સમયથી ચાલી રહેલી એન્જિનિયરોની અછતને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. વિભાગીય કામગીરીમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને સરકાર દ્વારા અંદાજે ૩,૧૦૦ જેટલા નવા કર્મચારીઓની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્રમાં પાયાના સ્તરે એન્જિનિયરોની મોટી સંખ્યામાં નિમણૂક થવાથી રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે. સીનિયર લેવલ પર અધિકારીઓની અછત:માર્ગ અને મકાન વિભાગમાં માત્ર પાયાના સ્તરે જ નહીં, પરંતુ સીનિયર લેવલના એન્જિનિયરોની પણ ભારે તંગી વર્તાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે વિભાગીય વડા (વિભાગના હેડ) તરીકે નિમણૂક કરવા માટે યોગ્ય સીનિયર અધિકારી શોધવા સરકાર માટે મુશ્કેલ બન્યા છે. વિભાગમાં અનુભવી અને ઉચ્ચ હોદ્દા માટે જરૂરી લાયકાત ધરાવતા અધિકારીઓની ખોટ વહીવટી તંત્રને સતાવી રહી છે. સચિવની નિવૃત્તિ અને એક્સટેન્શનની શક્યતા:માર્ગ અને મકાન વિભાગના વર્તમાન સચિવ પી.આર. પટેલિયા માર્ચ મહિનાના અંતમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની નિવૃત્તિ બાદ ખાલી પડનારી આ મહત્વની જગ્યા પર કોની નિમણૂક કરવી તે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. સૂત્રો મુજબ, પટેલિયા બાદ સરકારમાં તેમની જેટલી સીનિયોરિટી અને અનુભવ ધરાવતા અન્ય કોઈ અધિકારી હાલ ઉપલબ્ધ નથી. આ અસાધારણ સંજોગોમાં, વિભાગની કામગીરી પર અસર ન પડે તે હેતુથી પી.આર. પટેલિયાને સેવામાં લંબાવવા (એક્સટેન્શન આપવા) માટે વિચારણા ચાલી રહી હોવાની શક્યતા છે. સરકારના આ ભરતીના નિર્ણયથી આગામી સમયમાં ટેકનિકલ સ્ટાફની અછત દૂર થશે, પરંતુ ઉચ્ચ સ્તરે સીનિયર અધિકારીઓની ઘટ પૂરવી એ વહીવટી તંત્ર માટે હજુ પણ મોટો પડકાર બની રહેશે.
20 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:56 PM
રાજકોટ ખાતે ડોક્ટરને બ્લેકમેલ કરવા બદલ ભ્રષ્ટ મીડિયા કર્મચારીનો પર્દાફાશ

રાજકોટ ખાતે ડોક્ટરને બ્લેકમેલ કરવા બદલ ભ્રષ્ટ મીડિયા કર્મચારીનો પર્દાફાશ

રાજકોટ તા. ૨૧: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મિડીયા-પત્રકારના નામે ફુટી નીકળેલા અનેક કહેવાતા લેભાગુ મિડીયામેન, સંચાલકોની કરતૂતનો પર્દાફાશ થયો છે. એક ડોકટરના ક્‍લીનીકના અંગતપળના વિડીયો તેને ત્‍યાં જ કામ કરતાં ડોક્‍ટરે સ્‍પાઇ કેમેરાથી રેકોર્ડ કરી ત્રણ કહેવાતા મિડીયામેનને આપ્‍યા બાદ આ બધાએ અન્‍યને આપી દીધા હતાં. બાદમાં આ બધાએ કાવત્રાના ભાગ રૂપે ડોક્‍ટરને ડરાવી ધમકાવી બ્‍લેક મેઇલ કરી ૨૫ લાખની ખંડણી માંગી હતી. જે પૈકી એક જણાએ તો ૫૦ હજાર પડાવી પણ લીધા હતાં. એક કહેવાતા પત્રકારે જીવવા નહિ દે અને બીજાએ જો રૂપિયા નહિ આપો તો એવા બદનામ કરશું કે આત્‍મહત્‍યા સિવાય રસ્‍તો નહિ રહે તેવી ધમકી આપી હતી. ડોકટર અને ૧૦ કથીત મિડીયા સંચાલક-કર્મી સહિત ૧૩ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. આ બારામાં સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનેલા ડોકટરની ફરિયાદ પરથી ડો. કમલ નાંઢા, ભારત હેડલાઇન્‍સના અમિત ઠક્કર, સત્‍યની ગર્જના ન્‍યુઝના હિરેન ભીખુભાઇ વાળા, અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નિતીનભાઇ ડોડીયા, રાજકોટ હેડલાઇન્‍સના જગદીશ તેરૈયા, ભારત ટાઇમ્‍સવાળા જીગર સોઢા, ભારત ટાઇમ્‍સના ઘનશ્‍યામ પટલ, ભારત ટાઇમ્‍સના જતીન નથવાણી, જતીન નથવાણીના પત્‍નિ સ્‍વાતિબેન નથવાણી, બી-વન ન્‍યુઝવાળા ભરતભાઇ તથા બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારક સહિત તપાસમાં ખુલે તેની સામે બીએનએસની કલમો હેઠળ ડોક્‍ટરના તેનીસ્ત્રી મિત્ર સાથેના અંગતપળોના વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ ૨૫ લાખની ખંડણી માંગી ટોળકી પૈકીના જતીને ૫૦ હજાર પડાવી બાકીના રૂપિયા બે દિવસમાં નહિ આપે તો જીવવા નહિ દેવ તેવી ધમકી આપી સમાજમાં બદનામ કરવાના ઇરાદે અલગ અલગ સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી દેવાનો ગુનો નોંધ્‍યો છે. ડોક્‍ટરે ફરિયાદમાં જણાવ્‍યું છે કે પાંચેક વર્ષ પહેલા હું ક્‍લીનીક પર હતો ત્‍યારે લેડીઝ ડોક્‍ટર રાખ્‍યા હતાં. એ પછી ૨૦૨૪માં અમારા ક્‍લીનીકનો અંગત પળનો વિડીયો મને એક વ્‍હોટ્‍સએપ નંબરથી આવ્‍યો હતો અને કોલ કરીને રૂા. ૫૦ લાખ માંગ્‍યા હતાં. તેમજ જો રૂપિયા ન આપુ તો વિડીયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હતી. મેં તેને આ વિડીયો ખોટો છે તેમ કહેતાં તેણે રૂપિયા દેવા જ પડશે. પછી તપાસ કરતાં ખબર પડી હતી કે બીજા ક્‍લીનીકમાં કોઇએ સ્‍પાય કેમેરો મુકી વિડીયો રેકોર્ડ કયા ર્હતાં. બાદ ૯-૨-૨૬ના રોજ ભારત હેડલાઇન્‍સએ પોતાના ઇન્‍સ્‍ટા આઇડીમાં નામ વગરની મીમ પોસ્‍ટ મુકી હતી. જેમાં એક કિસ કરતો કાર્ટૂનનો ફોટો મુકી રાજકોટનો જાણીતો તબિબ પોતાની જ ક્‍લીનિકમાં રંગરેલીયા મનાવતો હોવાનો વિડીયો વાયરલ એવુ લખ્‍યું હતું. આ પોસ્‍ટ મને ડરાવવા બ્‍લેકમેઇલ કરવા બનાવી હતી. ત્‍યારબાદ મને અમદાવાદના ઘનશ્‍યામ પટેલના નામે ફોન કરી વિડીયો બાબતે પુષ્‍ટી કરવા ફોન કર્યાનું અને પોતાનો માણસ આવશે તેમ કહ્યું હતું. બાદમાં એક શખ્‍સે જીગર સોઢાના નામે ફોન આવ્‍યો હતો. બાદમાં તે ક્‍લીનીકમાં ઘુસી આવ્‍યો હતો અને સ્‍પાઇ કેમેરો ચાલુ હતો. આ શખ્‍સે કહેલું કે આ વિડીયોવાળા તમે જ છો ને. જેથી મેં કહેલું કે ૨૦૨૪માં મેં અરજી કરી છે. જેમાં તમે છ સાત જણા છો. આ પછી તેણે જોઇ લેવાની ધમકી આપી હતી. એ પછી કાના નામના શખ્‍સે આવી કહેલું કે હિરેન મકવાણા પાસે તમારા વિડીયો છે. હું હિરેનને મળતાં તેણ કહેલુ કે મારે સત્‍યની ગર્જના ન્‍યુઝ પોર્ટલ છે. તેમાં મારી સાથે અજયસિંહ, હાર્દિક કામ કરે છે. તમારે ત્‍યાં અગાઉ કામ કરતાં ડો. કમલ નાંઢાએ તમારા અંગત પળના વિડીયો બનાવી અમને આપ્‍યા છે. આ વ્‍ડિીયો મેં ભારત ટાઇમ્‍સના જીગર સોઢા, ભારત હેડલાઇન્‍સના અમિત ઠક્કરને દીધા છે.
14 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:55 PM
શ્રીમદ ભાગવત સપ્ત જ્ઞાન યજ્ઞઃ ખંભરિયા બ્લોકમાં એક આધ્યાત્મિક ઉત્સવ

શ્રીમદ ભાગવત સપ્ત જ્ઞાન યજ્ઞઃ ખંભરિયા બ્લોકમાં એક આધ્યાત્મિક ઉત્સવ

જાળિયા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ધાર્મિક ઉત્સવનો માહોલ જામ્યો છે. જામનગર માર્ગ પર સિંહણ જળાશય પાસે આવેલી બાપા સિતારામ મઢુલી ખાતે આગામી દિવસોમાં આસ્થાભેર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજી આ કથાના વ્યાસાસને બિરાજીને શ્રદ્ધાળુઓને કથાનું રસપાન કરાવશે. રામનવમીએ પ્રારંભ અને હનુમાન જયંતીએ પૂર્ણાહુતિ:ખંભાળિયામાં પગપાળા યાત્રિકો માટે ચાલતા અન્નક્ષેત્ર અને મઢુલીના સેવાકીય કાર્યોના લાભાર્થે આયોજિત આ ભાગવત સપ્તાહનો પ્રારંભ ૨૭મી તારીખે શુક્રવારના રોજ રામનવમીના પવિત્ર પર્વથી કરવામાં આવશે. આ જ્ઞાનયજ્ઞ સતત નવ દિવસ સુધી ચાલશે અને તેની પૂર્ણાહુતિ ૨જી તારીખે ગુરુવારના રોજ હનુમાન જયંતીના પર્વે થશે. કથાના વિરામ દિવસે પરંપરાગત રીતે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યજમાન પરિવાર અને ભક્તો આહુતિ આપશે. સેવા અને ભક્તિનો સમન્વય:આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મઢુલીની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવાનો અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો છે. સિંહણ જળાશય પાસેનું આ પવિત્ર સ્થળ યાત્રિકો માટે આશીર્વાદ સમાન છે, ત્યારે વિશ્વાનંદ માતાજીના મુખેથી વહેનારી ભાગવત કથાની વાણી સાંભળવા માટે ખંભાળિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી શક્યતા છે. આયોજકો દ્વારા કથાશ્રવણ માટે આવતા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. પવિત્ર પુરુષોત્તમ માસ કે તહેવારોના દિવસોમાં યોજાનારા આ ધાર્મિક મહોત્સવને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
3 shares
😊
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:50 PM
ગુનાખોરી સામેની ઝુંબેશના ભાગરૂપે રાજકોટમાંથી વધુ એક ગુનેગારની ધરપકડ

ગુનાખોરી સામેની ઝુંબેશના ભાગરૂપે રાજકોટમાંથી વધુ એક ગુનેગારની ધરપકડ

રાજકોટ તા. ૨૧: ગુનાખોરીમાં સામેલ શખ્‍સો સામે શરૂ કરાયેલી પાસાની ઝુંબેશ અંતર્ગત વધુ એક શખ્‍સ સામે આ શષા ઉગામાયું છે. આરટીઓ નજીક માલધારી સોસાયટી-૨માં બાપા સિતારામ ચોક પાણીના સમ્‍પ પાસે રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરતાં કિશન ઉર્ફે કિશો મગનભાઇ વાંજા કુંડલાવાળા ઉર્ફે પાંભણીયા (ઉ.વ.૨૭)ને પાસા તળે જામનગર જેલ હવાલે કરાયો છે. આ શખ્‍સ સાગ્રીતો સાથે મળી રિક્ષાગેંગ બનાવી મુસાફરોને રિક્ષામાં બેસાડી રોકડ-ફોન સેરવી લેવાના ગુનાઓમાં સામેલ હતો. કિશન ઉર્ફે કિશો અને સાગ્રીતો સાથે મળી મુસાફરોને રિક્ષામાં બેસાડતાં હતાં. બાદમાં સાગ્રીતો ઉલ્‍ટી ઉબકાનું કે ધક્કામુક્કીનું નાટક કરી મુસાફરની રોકડ કે બીજી કિમતી વસ્‍તુ સેરવી લઇ તેને ઉતારી મુકતાં હતાં. કિશન વિરૂધ્‍ધ આ પ્રકારના તેમજ દારૂ સહિતના કુલ ૧૧ ગુના રાજકોટ માલવીયાનગર, થોરાળા, બી-ડિવીઝન, મોરબી સીટી એ-ડિવીઝન, મોરબી તાલુકા, રાજકોટ તાલુકા, ભાવનગર બોરતળાવ પોલીસમાં નોંધાયા હતાં. જોઇન્‍ટ પોલીસ કમિશનર ચૈતન્‍ય મંડલીકની રાહબરીમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, હેડકોન્‍સ. રાહુલભાઇ, જયરાજસિંહ, ધારાભાઇ, કોન્‍સ. કલ્‍પેશભાઇ, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ દરખાસ્‍ત તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરતાં વોરન્‍ટ બજવણી કરવામાં આવી હતી.
29 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:49 PM
બિહારના મંત્રી દીપક પ્રકાશે જનતાને રાહ જોવાની અપીલ કરી

બિહારના મંત્રી દીપક પ્રકાશે જનતાને રાહ જોવાની અપીલ કરી

ગયા:બિહારના રાજકીયગલિયારાઓમાંઅત્યારે એક જ સવાલ ગુંજી રહ્યો છે: "નીતિશ કુમાર પછી કોણ?" આ સવાલને વધુ વેગઆપતાબિહારના પંચાયતી રાજ મંત્રી દીપક પ્રકાશે ગયા સર્કિટ હાઉસ ખાતે એક સૂચક નિવેદન આપ્યું છે. તેમણે જનતા અને વિરોધપક્ષોનેસંબોધતા કહ્યું કે, બિહારના આગામી મુખ્યમંત્રીના નામ માટે થોડી ધીરજ રાખો અને આ 'પ્રતીક્ષાનો આનંદ' માણો. આ ચર્ચા ત્યારે તેજ બની જ્યારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત ઈદનીઉજવણીમાંમુખ્યમંત્રી નીતિશ કુમારની ગેરહાજરીમાંતેમનાપુત્ર નિશાંતકુમારેહાજરી આપી હતી.નિશાંતનીઆ સક્રિયતાને રાજકીય વિશ્લેષકો બિહારના ભવિષ્યના નેતૃત્વના સંકેત તરીકે જોઈ રહ્યા છે. દીપક પ્રકાશે સ્પષ્ટ કર્યું કે નીતિશ કુમાર હવે રાજ્યસભાના માધ્યમથી રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થઈ શકે છે, પરંતુ બિહારના વિકાસનું રિમોટ કંટ્રોલ અને માર્ગદર્શન તો તેમના હાથમાં જ રહેશે. રાજકીય ઉથલપાથલની સાથે મંત્રીએ વહીવટી મોરચે પણ મોટા ફેરફારોની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે બિહારમાં ૨૦૨૬ની પંચાયત ચૂંટણીઓ માટે વર્ષો જૂનું અનામત રોસ્ટર બદલવામાં આવશે. ૧૦ વર્ષ જૂના રોસ્ટરને સ્થાને હવે નવું અને પારદર્શક રોસ્ટર અમલી બનશે, જેની તૈયારીઓ વિભાગ દ્વારા આખરી તબક્કામાં છે. આ ફેરફાર ગ્રામીણ સ્તરે સત્તાના સમીકરણો બદલી નાખશે તે નક્કી છે. બીજી તરફ, તેજસ્વી યાદવ દ્વારા બંગાળમાં ભાજપ વિરોધી ગઠબંધનને સમર્થન આપવાના નિવેદન પર પ્રહાર કરતા દીપક પ્રકાશે કહ્યું કે, બંગાળ એક સમયે આર્થિક રીતે અગ્રેસર હતું પણ મમતા બેનર્જીના શાસનમાં તે વિકાસની દોડમાં પાછળ પડી ગયું છે. તેમણે દાવો કર્યો કે બંગાળની જનતા હવે હિંસા અને અસ્થિરતાથી કંટાળી ગઈ છે અને પરિવર્તન ઈચ્છે છે. બંગાળના રાજકારણ પર આક્રમક વલણ અપનાવતા મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ત્યાં NDAની સરકાર બનશે. તેમણે ઉમેર્યું કે મમતા સરકારના કાર્યકાળ દરમિયાન રાજકીય હિંસા ચરમસીમાએ પહોંચી છે, જેના કારણે બંગાળ આર્થિક મુખ્ય પ્રવાહથી કપાઈ ગયું છે. બિહારમાં નીતિશ મોડેલના ૨૦ વર્ષના શાસનને સામાજિક ક્રાંતિ ગણાવતા તેમણે સંકેત આપ્યો કે ભવિષ્યમાં જે કોઈ પણ મુખ્યમંત્રી બનશે, તેમણે નીતિશ કુમારના વિઝન પર જ ચાલવું પડશે. આમ, બિહારથી લઈને બંગાળ સુધીના રાજકીય તાણાવાણા વચ્ચે હવે સૌની નજર પટનાના સત્તા કેન્દ્ર પર ટકેલી છે કે શું ખરેખર નિશાંત કુમાર બિહારના રાજકારણમાં 'સરપ્રાઈઝ એન્ટ્રી' કરશે કે પછી કોઈ નવો ચહેરો સામે આવશે.
66 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:48 PM
પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરના ભાવ આસમાને, રસોઈનો ખર્ચ વધ્યો

પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરના ભાવ આસમાને, રસોઈનો ખર્ચ વધ્યો

નવી દિલ્‍હી, તા.૨૧: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે માત્ર સરહદ પર જ તણાવ નથી, પણ સામાન્‍ય માણસના રસોડાના બજેટમાં પણ જમીન-આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં ૧૪.૨ કિલોગ્રામનું ઘરેલું ગેસ સિલિન્‍ડર આશરે રૂ.૯૧૧ ની આસપાસ મળે છે, જે સ્‍થિર પુરવઠા અને મજબૂત અર્થતંત્રને કારણે સામાન્‍ય જનતા માટે રાહતરૂપ છે. તેની સામે પાકિસ્‍તાનમાં સ્‍થિતિ અત્‍યંત ગંભીર છે; ત્‍યાં સિલિન્‍ડરનું વજન ભારત કરતા ઓછું એટલે કે માત્ર ૧૧.૮ કિલોગ્રામ હોવા છતાં, તેની કિંમતPKR૨૬૬૪ (ભારતીય રૂપિયામાં આશરે રૂ.૮૮૮-રૂ.૯૦૦) ની આસપાસ રહે છે. ટેકનિકલી જોવામાં આવે તો, ઓછા વજન સામે વધુ કિંમત ચૂકવવી પડતી હોવાથી પાકિસ્‍તાની ગળહિણીઓ માટે રસોઈ બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. પાકિસ્‍તાનમાં ગેસના આસમાને પહોંચેલા ભાવો પાછળનું મુખ્‍ય કારણ તેની આયાત નિર્ભરતા અને ડોલર સામે પાકિસ્‍તાની રૂપિયાનું સતત થતું ધોવાણ છે. પાકિસ્‍તાન તેની જરૂરિયાતનો મોટો હિસ્‍સો વિદેશથી મંગાવે છે, જેના કારણે આંતરરાષ્‍ટ્રીય બજારમાં થતી મામૂલી વધઘટની પણ ત્‍યાં સીધી અસર પડે છે. આ ઉપરાંત, ૧૮%GST, માર્કેટિંગ ખર્ચ અને પરિવહન ખર્ચના બોજા હેઠળ દબાયેલું પાકિસ્‍તાનનું સામાન્‍ય બજેટ હવે વિખેરાઈ રહ્યું છે. ઘણા પરિવારો તો હવે સિલિન્‍ડર પરવડતું ન હોવાથી ફરીથી જૂના જમાનાની જેમ લાકડા કે કોલસા પર રસોઈ બનાવવા મજબૂર બન્‍યા છે, જે સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણ બંને માટે જોખમી છે. ભારતની સરખામણીએ પાકિસ્‍તાનમાં ઉર્જા સંકટ વધુ ઘેરું હોવાનું કારણ ત્‍યાંની અસ્‍થિર આર્થિક નીતિઓ છે. ભારતમાં સરકાર સબસિડી અને ડાયરેક્‍ટ બેનિફિટ ટ્રાન્‍સફર જેવી યોજનાઓ દ્વારા ભાવ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે, જ્‍યારે પાકિસ્‍તાનમાં આર્થિક કટોકટીને કારણે જનતાને મળતી રાહત સાવ નહિવત છે. માર્ચ ૨૦૨૬ ના આંકડા મુજબ ભલે કિંમતોમાં થોડો ઘટાડો થયો હોય, પરંતુ તે ઊંટના મોંમાં જીરું સમાન છે. આમ, સરહદની આ પાર અને પેલે પાર ગેસના બાટલાની કિંમત બંને દેશોની આર્થિક શક્‍તિનો અરીસો બની ગઈ છે.
98 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:45 PM
સનશાઈન કોલેજે રાજકોટ ખાતે સુખ વિષય પર સેમિનારનું આયોજન કર્યું

સનશાઈન કોલેજે રાજકોટ ખાતે સુખ વિષય પર સેમિનારનું આયોજન કર્યું

રાજકોટ : આંતરાષ્‍ટ્રીટ હેપીનેસ-ડેના ઉપક્રમે વાલીઓ માટે સનસાઇન કોલેજ દ્વારા હેપીનેસનો સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. જેમાં વાલીઓએ ભાગ લીધો હતો. ગ્રુપના ડિરેક્‍ટર ડો.પ્રો. વિકાસ અરોરા અને હેપીનેસ કલબ હેડ (મુસ્‍કાન) પ્રો. સીમા અરોરાએ જિંદગીમાં ખુશ કઇ રીતે વાતો રજૂ કરી તમામને ખુશ રહેવા માટે પ્રોત્‍સાહીત કર્યા હતા. કાર્યક્રમમાં સંસ્‍થાના વાઇસ પિન્‍સિપાલ ડો. રામ મિશ્રા,મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ડો. કોમલ પટેલ અને પ્રો.સંપટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ડો. પ્રતિક પાઉંએ કર્યું હતું. સંસ્‍થાના ચેરમેન શ્રી મિનેષ માથુરએ સોૈને પાઠવી હતી તેમ સંસ્‍થા જણાવે છે.
99 shares
😊
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:45 PM
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરાના લક્ષ્યાંકને પહોંચી વળવા 45 કરોડ રૂપિયા માંગ્યા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકત વેરાના લક્ષ્યાંકને પહોંચી વળવા 45 કરોડ રૂપિયા માંગ્યા

રાજકોટ, તા.૨૧: મહાનગરપાલિકાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકતવેરા વસૂલાતનો રૂ. ૪૫૫ કરોડનો લક્ષ્યાંક અપાયો છે. તેની સામે અત્‍યાર સુધી રૂ. ૪૧૦ કરોડની વસૂલાત થઈ ચૂકી છે. હવે માત્ર રૂ. ૪૫ કરોડ વસૂલાય તો લક્ષ્યાંક પૂર્ણ થઈ શકે તેવી સ્‍થિતિ છે. ઓન રેકોર્ડ માહિતી મુજબ શહેરમાં કાર્યરત કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ કચેરીઓ પાસેથી જ મોટાપાયે મિલકતવેરો બાકી છે. આ બાકી રકમ વસૂલાય તો એક જ દિવસમાં લક્ષ્યાંક પૂર્ણ થઈ શકે તેવી સ્‍થિતિ હોવાનું જાણવા મળે છે. સરકારી કચેરીઓ જ સૌથી મોટા બાકીદાર હોવાનું સામે આવ્‍યું છે. મહાપાલિકા તંત્ર સામાન્‍ય મિલકત ધારકોને નોટિસો ફટકારી મિલકતો સીલ કરે છે, પરંતુ અન્‍ય સરકારી વિભાગો પાસેથી બાકી વેરો વસૂલવામાં કડક કાર્યવાહી કરાતી નથી તેવો આક્ષેપ ઉઠી રહ્યો છે. ટેક્‍સ બ્રાન્‍ચના સૂત્રો મુજબ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો રૂ. ૨૮ કરોડ, બીએસએન એલનો રૂ. ૧૩.૫૦ કરોડ, સમરસ હોસ્‍ટેલનો રૂ. ૧૫.૫૦ કરોડ, પોલીસ વિભાગનો રૂ. ૧૨.૬૦ કરોડ, કલેક્‍ટર હસ્‍તકની કચેરીઓનો રૂ. ૧૦.૨૫ કરોડ તથા પીડબલ્‍યુડીનો રૂ. ૧૦ કરોડ મળી કુલ આશરે રૂ. ૯૦ કરોડ જેટલો મિલકતવેરો વર્ષોથી બાકી છે.
22 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:44 PM
અમદાવાદમાં બાજરી મહોત્સવ અને નેચરલ ફાર્મર માર્કેટ-2026નો શુભારંભ કરાયો

અમદાવાદમાં બાજરી મહોત્સવ અને નેચરલ ફાર્મર માર્કેટ-2026નો શુભારંભ કરાયો

અમદાવાદ તા.૨૧ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોને ‘શ્રી અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
81 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:43 PM
ભારતની અર્થવ્યવસ્થા જોખમમાંઃ તેલની વધતી કિંમતો અને વેપાર ખાધ ચિંતાનો વિષય

ભારતની અર્થવ્યવસ્થા જોખમમાંઃ તેલની વધતી કિંમતો અને વેપાર ખાધ ચિંતાનો વિષય

આર્થિક નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થઈ રહેલો વધારો ભારતની વેપાર ખાધને ભયજનક સપાટીએ લઈ જઈ શકે છે. જ્યારે પણ વૈશ્વિક બજારમાં તેલ મોંઘું થાય છે, ત્યારે ભારતનું આયાત બિલ અબજો ડોલર વધી જાય છે, જેના પરિણામે ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. રૂપિયાના નબળા પડવાથી વિદેશથી મંગાવવામાં આવતી દરેક વસ્તુ મોંઘી બને છે, જે અંતે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર વધારે છે. શેરબજારમાં પણ વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી મોટાપાયે વેચવાલીએ રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા કરી દીધા છે, જે આ યુદ્ધની આર્થિક ગંભીરતા દર્શાવે છે. સૌથી મોટો ખતરો ફુગાવા એટલે કે મોંઘવારીનો છે, જે આગામી મહિનાઓમાં સામાન્ય માણસની કમર તોડી શકે છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થશે, જે શાકભાજીથી લઈને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરશે. આરબીઆઈ (RBI) માટે પણ વ્યાજ દરોમાં ઘટાડો કરવો હવે મુશ્કેલ બનશે, કારણ કે વધતો ફુગાવો અર્થતંત્રને અસ્થિર કરી રહ્યો છે. ભારત સરકાર અત્યારે રશિયા જેવા વૈકલ્પિક સ્ત્રોતો પાસેથી તેલ મેળવવા મથામણ કરી રહી છે, પરંતુ જો પશ્ચિમ એશિયાનો આ દાવાનળ જલ્દી શાંત નહીં થાય, તો ભારતે એક લાંબા આર્થિક સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે.
75 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:43 PM
ઈરાનના પરમાણુ સંવર્ધન પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયેલ હવાઈ હુમલાથી વ્યાપક નુકસાન થયું

ઈરાનના પરમાણુ સંવર્ધન પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયેલ હવાઈ હુમલાથી વ્યાપક નુકસાન થયું

તેહરાન:મધ્ય પૂર્વમાં ચાલીરહેલુંયુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે, કારણ કે ઈરાનના પરમાણુકાર્યક્રમનીકરોડરજ્જુ ગણાતા 'નાતાન્ઝ પરમાણુ સંવર્ધન પ્લાન્ટ' પર અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ભીષણ બોમ્બમારો કર્યો છે. ઈરાની મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો એટલો પ્રચંડ હતો કે તેના વિસ્ફોટોના પડઘાકિલોમીટરોદૂર સુધી સંભળાયા હતા અને આખું સંકુલધ્રૂજીઉઠ્યું હતું. ૨૦૨૫થી શરૂ થયેલા આ સંઘર્ષમાં નાતાન્ઝ પર આ અત્યાર સુધીનો સૌથી ઘાતક અને મોટો સૈન્ય પ્રહાર માનવામાં આવે છે. આઓપરેશનનોમુખ્ય હેતુ ઈરાનની યુરેનિયમ સંવર્ધન કરવાની ક્ષમતાને મૂળમાંથી જ ઉખેડીનાખવાનોહોવાનું જણાય છે, જેથી તે પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં આગળ ન વધી શકે. આ ભીષણ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં પરમાણુ રેડિયેશન લીક થવાની અને પર્યાવરણીય હોનારત સર્જાવાની ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. જોકે, પ્રારંભિક તપાસ અને ઈરાની પરમાણુ ઉર્જા સંસ્થાના અહેવાલો મુજબ, હુમલામાં ટેકનિકલ માળખા અને મશીનરીને ભારે નુકસાન થયું હોવા છતાં, કોઈ પણ પ્રકારના કિરણોત્સર્ગી પદાર્થ (રેડિયેશન) લીક થવાના પુરાવા મળ્યા નથી. આ એક મોટી રાહતના સમાચાર છે, કારણ કે જો પરમાણુ કચરો ફેલાયો હોત તો માત્ર ઈરાન જ નહીં પણ પડોશી દેશોમાં પણ હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. હાલમાં ઈરાની સેના અને સુરક્ષા એજન્સીઓએ પ્લાન્ટની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે અને કાટમાળ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઈરાન સરકારે આ લશ્કરી કાર્યવાહીને પોતાની સાર્વભૌમત્વ પરનો સીધો હુમલો ગણાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકા-ઈઝરાયેલની જોડી સામે કડક વલણ અપનાવવાની ચીમકી આપી છે. ૨૦૨૫ થી અત્યાર સુધીમાં આ પ્લાન્ટ પર અનેકવાર હુમલા થયા છે, જેમાં દર વખતે ઈરાનની અદ્યતન સેન્ટ્રીફ્યુજ મશીનરીને નિશાન બનાવવામાં આવે છે. રહેણાંક વિસ્તારો સુરક્ષિત હોવા છતાં, આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. નિષ્ણાતો માને છે કે આ હુમલો ઈરાનના પરમાણુ સપનાને વર્ષો પાછળ ધકેલી દેશે, પરંતુ તેના બદલામાં ઈરાન જે રીતે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે, તે જોતા પશ્ચિમ એશિયામાં હવે 'પરમાણુ યુદ્ધ'નો ખતરો વધુ વાસ્તવિક જણાવા લાગ્યો છે.
22 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:41 PM
ભારત અને ચીને સીધી ઉડાનો ફરી શરૂ કરીને સંબંધોને પુનર્જીવિત કર્યા

ભારત અને ચીને સીધી ઉડાનો ફરી શરૂ કરીને સંબંધોને પુનર્જીવિત કર્યા

નવી દિલ્હી:ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં બરફ પીગળવાની પ્રક્રિયા હવે આકાશમાં પણ દેખાઈ રહી છે. ચીનીદૂતાવાસનાપ્રવક્તા યુજિંગેપુષ્ટિ કરી છે કે એર ચાઇના ટૂંક સમયમાં નવી દિલ્હી અને બેઇજિંગ વચ્ચે સીધીફ્લાઇટ્સશરૂ કરશે. વર્ષ 2020માંગાલવાનખીણનીહિંસક અથડામણ અને કોરોના રોગચાળાને કારણે સ્થગિત થયેલી આ સેવાઓ ચાર વર્ષથી વધુ સમય બાદ ફરી પાટા પર ચડી રહી છે. આ માત્રમુસાફરીનીસગવડ નથી, પરંતુ એશિયાની બે મહાસત્તાઓ વચ્ચે ફરી સ્થાપિત થઈ રહેલા વિશ્વાસનું પ્રતીક છે. તાજેતરમાં જ 1 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાની શાંઘાઈથી નવી દિલ્હીની પ્રથમ ફ્લાઇટ 230 મુસાફરો સાથે સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી. આ સફળતા બાદ હવે ઇન્ડિગો જેવી ખાનગી એરલાઇન્સ પણ ચીન માટે પોતાની સેવાઓ શરૂ કરવા સજ્જ થઈ રહી છે. સીધી ફ્લાઇટ્સ શરૂ થવાથી પ્રવાસનો સમય અડધો થઈ જશે, જે અત્યાર સુધી કનેક્ટિંગ ફ્લાઇટ્સ દ્વારા ખૂબ લાંબો અને ખર્ચાળ રહેતો હતો. ખાસ કરીને નાના વ્યવસાયીઓ અને કોર્પોરેટ સેક્ટર માટે આ સીધી કનેક્ટિવિટી આર્થિક દૃષ્ટિએ અત્યંત લાભદાયી સાબિત થશે. વ્યૂહાત્મક દૃષ્ટિએ જોઈએ તો, SCO અને BRICS જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારત અને ચીનની ભાગીદારી માટે આ એર-બ્રિજ ખૂબ મહત્વનો છે. પર્યટન અને વેપાર ક્ષેત્રે આ ફ્લાઇટ્સથી અબજો ડોલરના વ્યવહારને વેગ મળવાની અપેક્ષા છે. સીધી ફ્લાઇટ્સ શરૂ થવી એ સંકેત આપે છે કે બંને દેશો સરહદી વિવાદોને બાજુ પર રાખી આર્થિક અને સામાજિક આદાનપ્રદાન વધારવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છે.
81 shares
😊
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:40 PM
ન્યાયી સુનાવણી પર સોશિયલ મીડિયાની અસર સામે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી

ન્યાયી સુનાવણી પર સોશિયલ મીડિયાની અસર સામે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી

નવી દિલ્‍હી, તા.૨૧: સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોન ધરાવતા દરેક વ્‍યક્‍તિને સ્‍વયંભૂ મીડિયા બની જવાના અને સંવેદનશીલ વીડિયો તરત જ અપલોડ કરવાના ચેપી વલણ પર ગંભીર નારાજગી વ્‍યક્‍ત કરી છે. સીજેઆઈ સૂર્યકાંતની બેન્‍ચે અવલોકન કર્યું કે જ્‍યારે રસ્‍તા પર લોહી વહેતું હોય ત્‍યારે લોકો મદદ કરવાને બદલે કેમેરા કાઢીને કન્‍ટેન્‍ટ બનાવવામાં મશગૂલ થઈ જાય છે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર ચાલતી આ ડિજિટલ ટ્રાયલ આરોપીના ન્‍યાયી સુનાવણીના અધિકાર માટે મોટો ખતરો છે, કારણ કે સત્‍ય બહાર આવે તે પહેલા જ જનતાના મનમાં પૂર્વગ્રહ બંધાઈ જાય છે. અદાલતે ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ પર આરોપીઓના ફોટા અને વીડિયો અપલોડ કરવાની પ્રથાને આડે હાથ લીધી હતી. જસ્‍ટિસ બાગચીએ નોંધ્‍યું કે પોલીસની આવી હરકતોથી લોકોમાં એવો પૂર્વગ્રહ પેદા થાય છે કે પકડાયેલ વ્‍યક્‍તિ જ ગુનેગાર છે, પરંતુ જ્‍યારે તે નિર્દોષ છૂટે છે ત્‍યારે ન્‍યાયતંત્ર બદનામ થાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ સોશિયલ મીડિયા પર સક્રિય કેટલાક તત્‍વોને બ્‍લેકમેઈલર્સ ગણાવ્‍યા હતા. કોર્ટે આ મામલે તપાસમાં પારદર્શિતા અને આરોપીની ગરિમા વચ્‍ચે સંતુલન જાળવવા તમામ રાજ્‍યોને પોલીસ-મીડિયા બ્રીફિંગ માટે કડક ગાઈડલાઈન્‍સ તૈયાર કરવા ત્રણ મહિનાનો સમય આપ્‍યો છે. આ સુનાવણી દરમિયાન ડિજિટલ ધરપકડ અને પ્રેસના ખોટા સ્‍ટીકરો લગાવીને ફરતા લોકોનો મુદ્દો પણ ગાજ્‍યો હતો. સીજેઆઈએ ચિંતા વ્‍યક્‍ત કરી કે નાના શહેરોમાં લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે વકીલના સ્‍ટીકરો લગાવીને ટોલ ટેક્‍સ બચાવવા અથવા ગુપ્ત હેતુઓ સિદ્ધ કરવા માટે હિંમતભેર ફરે છે. આ વ્‍યાપક દૂષણને રોકવા માટે કોર્ટે અરજદારને એપ્રિલ પછી વધુ વિસ્‍તળત વિગતો સાથે નવી અરજી દાખલ કરવા સૂચન કર્યું છે, જેથી સોશિયલ મીડિયાના અનિયંત્રિત પ્રવાહને કાયદાકીય મર્યાદામાં લાવી શકાય.
15 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:39 PM
ઈરાન યુદ્ધમાં સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો

ઈરાન યુદ્ધમાં સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો

નવી દિલ્‍હી તા.૨૧: ઈઝરાયલી અને અમેરિકન દ્વારા ઈરાન પરના હુમલાને આજે ૨૨મો દિવસ છે. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ હુમલાએ વિશ્વ અર્થતંત્રને હચમચાવી નાખ્‍યું છે. સોના અને ચાંદીને કોઈ રક્ષણ વિના છોડી દેવામાં આવ્‍યા છે. સામાન્‍ય રીતે એવું માનવામાં આવે છે કે જ્‍યારે વૈશ્વિક તણાવ સર્જાય છે, ત્‍યારે સોના અને ચાંદીના ભાવ વધે છે. આનું કારણ એ છે કે લોકો સુરક્ષિત રોકાણો માટે દોડી જાય છે. જોકે, ઈરાન યુદ્ધમાં આવું નથી. વધવાને બદલે, સોના અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. આ ખાસ કરીને ૨-૩ મહિના પહેલા વધતા ભાવોને કારણે બંને ધાતુઓ ખરીદનારાઓને ચિતા છે. તે સમયની તુલનામાં, ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેઓ હવે તેમના ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે. જ્‍યારે સોના અને ચાંદીના ભાવ ઘટ્‍યા ત્‍યારે ઘણા લોકોએ આ ધાતુઓ ખરીદી હતી. હવે, તેઓ પણ રાહ જોઈ રહ્યા છે કે તેમના ભાવ ક્‍યારે વધશે. ગત વર્ષ કરતાં આ વર્ષે જાન્‍યુઆરીના અંત સુધી સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. ગયા વર્ષે તેમાં લગભગ ૭૦%નો વધારો થયો હતો. ૨૯ જાન્‍યુઆરી, ૨૦૨૬ ના રોજ, તેMCXપર રૂા.૧.૯૨ લાખ પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ પહોંચ્‍યો હતો. ત્‍યારબાદ, ચાર દિવસ પછી તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે તેની કિમત લગભગ રૂા.૧.૩૯ લાખ થઈ ગઈ હતી. હવે, ઈરાન યુદ્ધ પછી, તે ફરીથી ઘટી રહ્યું છે. ૨૭ ફેબ્રુઆરીએ, સોનું રૂા.૧,૬૨,૧૦૪ પ્રતિ ૧૦ ગ્રામ હતું. ગઈકાલે, શુક્રવારે, એપ્રિલ ડિલિવરી માટેનું સોનું રૂા.૧૨૯ ઘટીને રૂા.૧,૪૪,૮૨૫ પર બંધ થયું. આ ૨૧ દિવસમાં લગભગ ૧૧% નો ઘટાડો દર્શાવે છે. ઈરાન યુદ્ધની અસરથી ચાંદી બચી શકી નથી. ગયા વર્ષે પણ તેમાં રેકોર્ડ વધારો જોવા મળ્‍યો હતો, જેમાં એક જ વર્ષમાં લગભગ ૧૬૦% વળતર મળ્‍યું હતું. ૨૯ જાન્‍યુઆરી, ૨૦૨૬ ના રોજ, તેMCXપર સર્વકાલીન ઉચ્‍ચતમ સ્‍તર પર પહોંચ્‍યો. તે સમયે, ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂા.૨.૩૦ લાખથી વધુ હતો. ત્‍યારબાદ, તે પણ ચાર દિવસમાં રૂા.૨.૩૦ લાખથી નીચે આવી ગયો. હવે, ઈરાન યુદ્ધને કારણે, તેની કિમત પણ ઘટી રહી છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ, ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂા.૨,૮૨,૬૪૪ હતો. ગઈકાલે, શુક્રવાર, મે ડિલિવરી ચાંદી રૂા.૩,૯૯૦ ઘટીને રૂા.૨,૨૭,૪૭૦ પર બંધ થઈ ગઈ. પરિણામે, આ ૨૧ દિવસમાં તે લગભગ ૨૦% ઘટી ગઈ છે.
11 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:37 PM
સી. બી. એસ. ઈ. એ સલાહકારો અને સુખાકારી શિક્ષકો માટે એ. આઈ. આધારિત પરીક્ષા શરૂ કરી

સી. બી. એસ. ઈ. એ સલાહકારો અને સુખાકારી શિક્ષકો માટે એ. આઈ. આધારિત પરીક્ષા શરૂ કરી

નવી દિલ્હી:CBSE બોર્ડ હવે માત્રવિદ્યાર્થીઓનીજ નહીં, પણ તેમને માર્ગદર્શનઆપનારાકાઉન્સેલરોનીક્ષમતાનુંપણ આધુનિક રીતે પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. શિક્ષણ જગતમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવી આ પહેલ હેઠળ,શાળાઓમાંકાર્યરતકાઉન્સેલરોઅને વેલનેસ શિક્ષકો માટે AI-આધારિત ઓનલાઈન પરીક્ષા પાસ કરવી હવે ફરજિયાત બની ગઈ છે. ફેબ્રુઆરી 2026 થી શરૂ થયેલી આ પ્રક્રિયામાં દેશભરની CBSE સંલગ્નશાળાઓનાઅંદાજે 10,000 થી વધુ પ્રોફેશનલ્સ ભાગ લઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય લેખિત પરીક્ષા નથી, પરંતુ 'DIGI-EXAM' પ્લેટફોર્મ દ્વારાલેવામાંઆવતું એક અત્યાધુનિક મૂલ્યાંકન છે, જેકાઉન્સેલરોનીવાસ્તવિક નિર્ણય લેવાની ક્ષમતા અને નૈતિકતાની ચકાસણી કરે છે. આ પરીક્ષાની સૌથી મોટી વિશેષતા તેની 'AI પ્રોક્ટરિંગ' સિસ્ટમ છે. ઉમેદવારો આ પરીક્ષા પોતાના ઘરેથી જ આપી શકે છે, પરંતુ AI ટેકનોલોજી રીઅલ-ટાઇમમાં દરેક ઉમેદવારની હિલચાલ પર બાજ નજર રાખે છે. જો કોઈ પણ ગેરરીતિ કે છેતરપિંડીનો પ્રયાસ થાય, તો સિસ્ટમ તેને તરત જ પકડી પાડે છે, જેનાથી પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રમાણપત્રો વહેંચવાનો નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જે વ્યક્તિ બાળકોના સંવેદનશીલ મન સાથે કામ કરી રહી છે, તે પોતે કેટલી સજ્જ છે. આ પરીક્ષા દ્વારા કાઉન્સેલરોની વિદ્યાર્થીઓની ભાવનાત્મક સમસ્યાઓ સમજવાની અને જટિલ પરિસ્થિતિઓમાં યોગ્ય ઉકેલ લાવવાની કુશળતાનું માપન કરવામાં આવે છે. આ નવી સિસ્ટમ લાગુ થવાથી શાળાઓમાં કાઉન્સેલિંગની ગુણવત્તામાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે. CBSE એ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓએ તેમના પોર્ટલ પર કાઉન્સેલરનો ડેટા અપડેટ રાખવો અનિવાર્ય છે, જેથી માત્ર લાયક ઉમેદવારો જ આ ક્ષમતા વિકાસ કાર્યક્રમનો હિસ્સો બની શકે. શિક્ષણને માનસિક સુખાકારી સાથે જોડતો આ અભિગમ આવનારા સમયમાં વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઊભું કરશે. આ પગલું સાબિત કરે છે કે બદલાતા સમય સાથે CBSE હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણના સ્તરને વૈશ્વિક ધોરણો સુધી લઈ જવા માટે મક્કમ છે.
78 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:34 PM
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનિટેશન કામદારોની સમસ્યાઓનું સમાધાન કરવા સંમત થયું

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનિટેશન કામદારોની સમસ્યાઓનું સમાધાન કરવા સંમત થયું

રાજકોટ, તા.૨૧: મનપાના સફાઇ કામદારોને વારસદારોને નોકરી આપવા સહિતના વગેર વર્ષો જુના પ્રશ્નો ને દલિત સમાજ આગેવાનો અને પુર્વ ચાર કોર્પોરેટર શ્રીઓ આ પ્રશ્‍નને હલ કરતા ૧૦૦થી વધુ સફાઇ કામદારોના પરીવારોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. આ અંગે રણજીતભાઇ સાગઠીયા, હાર્દિક ગોહેલ કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા તથા રતુભાઇ પરમારે જણાવ્‍યુ હતુ કે રાજકોટ મહાનગર પાલીકામાં ફરજ બજાવતા સફાઇ કામદારોને જેવા ફરજ બજાવતા શારીરીક તકલીફને ઉભી થતી હોય છે. ત્‍યારે આ સફાઇ કામદાર પૂર્ણ નોકરી કરી શકતા નથી અને કાયમી નોકરીમાંથી સ્‍વેચ્‍છીક નિવૃતિ આપવી પડે અથવા તો નોકરી છોડી દેવી પડે છે. રાજકોટ કોર્પોરેશનને આવા કર્મચારીઓની સરકારી સીવીલ હોસ્‍પિટલોમાં સીવીલ સર્જનનું સર્ટીફીકેટમાં સફાઇ કામદારની બીમારીનું પોઝીટીવ સર્ટીફીકેટ ન આપતા હોય તેમ ના વારસદારોને પણ નોકરી ન મળતી હોતે તે સફાઇ કામદાર પોતે સ્‍વૈચ્‍છીક નિવૃતિ આપીને પોતાની બીમારીની સારવાર કરતા હોય છે અને આર્થિક રીતે ખૂબ નુકશાની ભોગવતા હોય છે. આવા સંજોગોમાં રાજકોટ શહેર ભાજપના દલિત સમાજના આગેવાનો તેમજ ચુંટાયેલા ચાર કોર્પોરેટરોશ્રીઓ તા. ૨૯ જાન્‍યુ ૨૦૨૬ગુજરાત રાજયના મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને તથા કેબીનેટ મંત્રી પ્રઘુમનભાઈ વાઝા, તથા કેબીનેટ મંત્રી-દક્ષાબેન વાઘેલા તથા રાજકોટના ૭૦ ના ધારા સભ્‍ય રમેશભાઈ ટીલાળાની આગેવાની હેઠળ રજુઆત
41 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:29 PM
પ્રતાપ અપ્પાભાઈ બોરીચા સામે ફરિયાદ નોંધવામાં આવી

પ્રતાપ અપ્પાભાઈ બોરીચા સામે ફરિયાદ નોંધવામાં આવી

રાજકોટ તા. ૨૧: શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્‍તારમાં રહેતા અને રામનાથપરા સ્‍મશાન પાસે નાઈટ ડ્રેસનો વેપાર કરતા એક બ્રાહ્મણ યુવાનને પરિચિત પાડોશીએ જ ડમ્‍પરના વ્‍યવસાયમાં ભાગીદાર બનાવી મસમોટો ચૂનો લગાવ્‍યો હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાઈ છે. આર્થિક રોકાણ કરાવ્‍યા બાદ નફો આપવાને બદલે આરોપીએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ નાગેશ્વર પાર્શ્વનાથ હાઇટ્‍સ એ-વીંગ બ્‍લોક નંઉ ૫૦૧ આશાપુરા મોલ ઉપર રહેતાં પાર્થ કિશોરભાઇ જોષી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી શીતલ પાર્ક ચોક આરકે આઇકોનીક બિલ્‍ડીંગ પાછળ ગોલ્‍ડન હાઇટ્‍સ બ્‍લોક નં. ૩૦૪માં રહેતાં પ્રતાપ આપાભાઇ બોરીચા વિરૂધ્‍ધ ભાગીદારીમાં ડમ્‍પર લીધા બાદ નફામાંથી કોઇ રકમ ન આપી માથે જતાં મારી નાંખવાની ધમકી આપી ૧૪ લાખ વિશ્વાસઘાત કરી ઓળવી જવાનો ગુનો નોંધ્‍યો છે. પાર્થ જોષીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રામનથપરામાં સ્‍મશાન નજીક રેંકડી રાખી નાઇટ ડ્રેસનો વેપાર કરુ છું. બે વર્ષ પહેલા મારા ફ્‌લેટની સામે પાડોશી તરીકે પ્રતાપભાઈ આપાભાઈ બોરીચા (હાલ રહે. ગોલ્‍ડન હાઈટસ, બ્‍લોક નં.૩૦૪, આર.કે. આઈકોનીક બિલ્‍ડીંગ પાછળ, શીત લ પાર્ક ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ) ભાડેથી રહેતાં હોઇ તે ગત ૧૪/૧૨/૨ ૦૨૪ ના રોજ તેના પરીવાર સાથે મારા ઘરે જમવા આવેલ ત્‍યારે મને કહેલું કે પોતાને ડમ્‍પર-ટ્રકનો ધંધો છે અને તેમા પોતાને સારી આવક થાય છે. આપણે સાથે મળી આ ધંધો કરીએ તો તમને નફામાંથી અડધો ભાગ આપીશ. જેથી મેં તેની સાથે ભાગીદારી કરવાની હા પાડી હતી. ત્‍યારબાદ પ્રતાપભાઇએ મને કહેલ કે પોતે આપણે ટ્રક ભાગીદારીમાં લઈ જેમાં પ્રથમ આપવાના પૈસા તુ આપ બાકીના પૈસાની લોન પોતે કરી લેશે તે પેટે તુ ટ્રકના પૈસા મને આપી રોકાણ કર અને ટ્રકનો વહીવટ હું કરીશ અને નફો સરખે ભાગે વહેચીશું. ત્‍યારબાદ હું તથા પ્રતાપભાઈ તેના ઓળખીતા ટ્રકના દલાલ રજાકભાઈ પીંજારા પાસે ગાડી જોવા સાયલાગયા હતાં. ત્‍યાં ટ્રક નં. જીજે૧૮એઝેડ-૫૧૪૧ પસંદ આવતાં માલિક પાસેથી ૨૧ લાખમાં ખરીદવાનું નક્કી કર્યુ હતું. પ્રતાપભાઇના કહેવાથી મેં રૂા. ૯ લાખ રોજ આરટીજીએસથી તેના બેંક ખાતામાં મોકલી દીધા હતાં. બાકી રહેતા રૂ.૧૫,૦૦,૦૦૦ પ્રતાપભાઈએ તેના ભાઈ બોટાદ રહેતા ઓરદાનભાઈ બોરીચા નામે ટ્રક લઈ તેના નામે લોન કરી ભરી આપશે તેમ જણાવેલ હતુ.
86 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:28 PM
ભાગવત કથા કાર્યક્રમથી રાજકોટની તથાસ્તુ વિદ્યાપીઠ માટે ભંડોળ ઊભું થયું

ભાગવત કથા કાર્યક્રમથી રાજકોટની તથાસ્તુ વિદ્યાપીઠ માટે ભંડોળ ઊભું થયું

રાજકોટઃ તા.ર૧, ‘ભાગવત કથા રાજકોટની, ભાગવત કથા સર્વજ્ઞાતિની' સૂત્રને સાર્થક કરવાના પવિત્ર હેતુ સાથે સર્વજ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે તથા તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે તા. ર૭ માર્ચ થી ર એપ્રિલ ર૦ર૬ દરમ્‍યાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા સુધી આંતરરાષ્‍ટ્રિય ખ્‍યાતિ પ્રાપ્ત-લોકપ્રિય ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ભાગવતકથાનું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જે માટેના વી.આઇ.પી. પાસ મેળવવા ભાવિકોનો ભારે ધસારો જોવામાં આવી રહયો છે. જુના ગેસ્‍ફોર્ડ સિનેમા સામે, એચ.ડી.એફ.સી. બેન્‍ક પાસે, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેના કાર્યાલય ખાતેથી સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી ભાગવતકથાનાં વી.આઇ.પી. પાસનું વિતરણ અવિરતપણે ચાલી રહયું છે. ભાગવતકથામાં પોથીજીના યજમાન બનવા માટે માત્ર ૩૧ હજાર રૂપિયામાં નામ નોંધાવી શકાતું હોવાનું યાદીમાં જણાવાયું છે. પોથીજી માટે નામ નોંધાવવા મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે. તથાસ્‍તુ વિદ્યાપીઠ રાધે રાધે પરિવારના ભાર્ગવભાઇ ઠાકરે જણાવ્‍યું હતું કે પવિત્ર ભાગવતકથાના સંપૂર્ણ આયોજન બાદ જે કંઇ ધનરાશી વધશે તે‘તથાસ્‍તુ વિદ્યાપીઠ' માં શિક્ષણ પ્રાપ્ત કરવા આવનાર વિદ્યાર્થીઓના સામાજીક, શૈક્ષણિક, સેવાકિય કલ્‍યાણ અર્થે ખર્ચ કરવામાં આવશે. આર્થિક સહયોગ ઇચ્‍છતા બાળકોને પણ પ્રાપ્ત ધનરાશીમાંથી પ્રાથમિકતા આપવામાં આવશે તેવું પણ જણાવ્‍યું હતું. *જુના ગેસ્‍ફોર્ડ સિનેમા સામે, એચ.ડી.એફ.સી. બેન્‍કની પાસે ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી સવારે ૧૧ વાગ્‍યા થી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી વી.આઇ.પી.પાસનું અવિરત વિતરણ * પોથીજી માટે નામ નોંધાવવા મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે
98 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:24 PM
મુંબઈમાં કેટરિંગ કામદાર પર રાજકોટ ખાતે ભૂલથી હુમલો

મુંબઈમાં કેટરિંગ કામદાર પર રાજકોટ ખાતે ભૂલથી હુમલો

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ ન્‍યારી ડેમના રસ્‍તે આવેલા બિલ્‍ડીંગમાં રહી કેટરીંગનું કામ કરતાં મુળ મુંબઇના યુવાનને તે સાંજે તે બહાર કોઇ ચીજવસ્‍તુ લેવા માટે નીકળ્‍યો ત્‍યારે પાડોશમાં રહેતાં શખ્‍સોએ ઘેરી લઇ હુમલો કરી છરી, લાકડીથી ઇજાઓ કરતાં સારવાર માટે દાખલ થયો છે. તેણે કહ્યું હતું કે આ લોકોને મારા મિત્ર સાથે માથાકુટ થઇ હતી, હું મિત્રના કપડા પહેરીને નીકળતાં મને તે સમજીને ભુલથી મારા પર હુમલો કરી દીધો હતો! જાણવા મળ્‍યા મુજબ ન્‍યારી ડેમ રોડ પર આવેલા ડ્રીમ બિલ્‍ડીંગ ખાતે રહેતથાં કિશન ભુનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાન પર સાંજે ઘર નજીક સાગર સહિતનાએ છરી, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલના બિછાનેથી કિશને કહ્યું હતું કે હું મુળ મુંબઇનો વતની છું અને રાજકોટ રહી કેટરીંગનું કામ કરુ છું. મારી સાથે મિત્ર રહે છે તેનું નામ ક્રિષ્‍ના છે. પાડોશી સાગરને આ મારા મિત્ર સાથે કોઇ વાતે માથાકુટ ઝઘડો થયો હતો. સાંજે હું બહાર નીકળ્‍યો ત્‍યારે મિત્રનો શર્ટ ખીંટીએ ટીંગાતો હોઇ તે પહેરીને નીકળ્‍યો ત્‍યારે મને સાગર સહિતનાએ ક્રિષ્‍ના સમજીને ઘેરી લઇ હુમલો કરી દીધો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
30 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:22 PM
ગુજરાતઃ ક્રાઈમ બ્રાન્ચે ID1,000ની કિંમતનું દેશી દારૂ સાથેનું વાહન જપ્ત કર્યું

ગુજરાતઃ ક્રાઈમ બ્રાન્ચે ID1,000ની કિંમતનું દેશી દારૂ સાથેનું વાહન જપ્ત કર્યું

રાજકોટ તા. ૨૧: માલધારી ફાટકથી ગોંડલ રોડ તરફ જતાં રસ્‍તા પર ક્રિષ્‍ના પાર્ક રિસોર્ટની સામેના રોડ પરથી ક્રાઇમ બ્રાંચે દેશી દારૂનો જથ્‍થો ભરેલા દોસ્‍ત વાહન પકડી લઇ ચાલક-માલિકની શોધખોળ હાથ ધરી છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડીસીબીના ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે ક્રિષ્‍ના પાર્ક સામે એક દોસ્‍ત વાહન નં. જીજે૦૩અએક્‍સ-૪૧૨૨ પડયું છે જેમાં દારૂનો જથ્‍થો છે. આ બાતમી પરથી વાહન પાસે પહોંચી તપાસ કરતાં અંદરથી રૂા. ૮૦ હજારનો ૪૦૦ લિટર દેશી દારૂ મળતાં તે તથા ૨ લાખનું વાહન કબ્‍જે કર્યુ હતું. વાહનની માલિકી કોની છે? ચાલક કોણ હતો? તેની તપાસ થઇ રહી છે. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, સંતોષભાઇ મોરી સહિતે આ કામગીરી કરી હતી.
17 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:16 PM
તમારા મોર્નિંગ ન્યૂઝપેપર પાછળના અજ્ઞાત નાયકો

તમારા મોર્નિંગ ન્યૂઝપેપર પાછળના અજ્ઞાત નાયકો

બગસરા:રોજિંદા જીવનમાં સવારના પહોરમાં ગરમાગરમ ચાની ચુસ્કી સાથે હાથમાં છાપું ન હોય તો અનેક લોકોનો દિવસ અધૂરો ગણાય છે. પરંતુ આ સમાચાર પત્ર તમારા ઘરના ઉંબરા સુધી પહોંચે તે પહેલાંની પડદા પાછળની દુનિયા ખૂબ જ સંઘર્ષમય અને શિસ્તબદ્ધ હોય છે. જ્યારે આખું નગર ઘોર નિદ્રામાં હોય છે, ત્યારે છાપા વિતરકોની એક અલગ જ દુનિયા સક્રિય થઈ જાય છે. પરોઢિયે શરૂ થતી અક્ષર સાધના:વિશ્વભરના સારા-માઠા વાવડ અને ખબરો જાણવાની જિજ્ઞાસા સૌ કોઈને હોય છે, ભલે પછી તે જે-તે વ્યક્તિની રસ અને રુચિ મુજબની હોય. આ જિજ્ઞાસા સંતોષવા માટે વિતરકો અને ફેરિયાઓ સૂર્યોદય પહેલાં જ જાગીને કાર્યરત થઈ જાય છે. અખબારી કાર્યાલય કે છાપખાનાથી ગાડીઓ દ્વારા આવેલા સમાચાર પત્રોના જથ્થાબંધ બંડલો એક નિશ્ચિત સ્થળે ઉતારવામાં આવે છે. બગસરામાં જોવા મળતા આ દ્રશ્યોમાં વિતરકો વહેલી સવારે એકત્ર થઈને પોતપોતાના વિસ્તાર મુજબ છાપાંની તારવણી કરે છે અને ત્યારબાદ સાઈકલ કે મોટરસાઈકલ પર સવાર થઈને શેરીએ-શેરીએ કે ગ્રાહકોના ઘરે-ઘરે પહોંચાડવાની જવાબદારી નિભાવે છે. તસવીરકાર મૂકેશ પંડિત દ્વારા કંડારવામાં આવેલું આ દ્રશ્ય એ મહેનતકશ માનવીઓની સાક્ષી પૂરે છે. આધુનિકતાના આક્રમણ વચ્ચે અસ્તિત્વનો પ્રશ્ન:વર્તમાન સમયમાં સંચાર માધ્યમોમાં ક્રાંતિ આવી છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની આધુનિક પ્રણાલીઓના કારણે સમાચાર આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, જેના કારણે પરંપરાગત છાપાઓની જરૂરિયાત સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. ટેકનોલોજીના આ આક્રમણ વચ્ચે કદાચ આગામી દિવસોમાં વહેલી સવારે છાપાંની તારવણી કરતા વિતરકોના આ પ્રત્યક્ષ દ્રશ્યો જોવા ન પણ મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. એક માર્મિક અપીલ:સમાચાર પત્રો માત્ર કાગળ નથી, પણ અનેક પરિવારોની આજીવિકાનું સાધન અને જ્ઞાનનું માધ્યમ છે. ત્યારે આ પ્રણાલી અને વિતરકોના અસ્તિત્વને જીવંત રાખવા માટે મુકેશ પંડિત દ્વારા માર્મિક અપીલ કરવામાં આવી છે કે, ક્યારેક તમે પણ તમારા વિસ્તારમાં વહેલી સવારે જ્યાં છાપાં ઉતરતા હોય તેવા સ્થાન પર જજો અને ત્યાંથી રૂબરૂ એકાદ છાપું કે સામયિક ખરીદજો. વહેલી સવારે છાપાના પાના ઉથલાવવાનો આનંદ ડિજિટલ સ્ક્રીન ક્યારેય આપી શકશે નહીં.
45 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:15 PM
પોલીસ ઇન્સ્પેક્ટર સ્ક્રેપ બિઝનેસ છેતરપિંડીની તપાસ કરે છે

પોલીસ ઇન્સ્પેક્ટર સ્ક્રેપ બિઝનેસ છેતરપિંડીની તપાસ કરે છે

રાજકોટ તા.૨૧: ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્‍સપેકટર પી.આર. ડોબરીયાએ પ્રિંયક રમેશભાઇ કારીયા અને તેના પત્‍ની ડિમ્‍પલ કારીયાએ ભંગારના ધંધામાં સારા વળતરની લાલચે કરેલી છેતરપીંડીની તપાસ આદરી છે. આ ગુના સંદર્ભે તેમણે જાહેર જનતા જોગ અપીલ કરતા જણાવ્‍યુ છે કે, ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) તથા જી. પી.આઈ.ડી. કલમ-૩ મુજબના ગુન્‍હાના કામે આરોપીઓ (૧)પ્રિયંકભાઇ રમેશભાઇ કારીયા (૨)ડીમ્‍પલ વા/ઓ પ્રિયંકભાઈ કારીયા રહે.બંને રૂદ્ર એપાર્ટમેન્‍ટ ત્રીજો માળ ફ્‌લેટ નં ૩૦૧ ઓમનગર પાર્ટ-એ અમળતધારા ડેરી વાળી શેરી ઓમનગર સર્કલ પાસે,૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ નાઓએ (૧) ‘‘શ્રી ગીરીરાજ વાસણ'' (૨)‘‘શ્રી દ્વારકાધીશ વાસણ'' નામની પેઢીઓમાં સ્‍ક્રેપના ધંધામાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે તેમ લાલચ આપી રોકાણકારો પાસેથી રોકાણ કરાવી રોકાણકારોને અમુક સમય સુધી વળતર ચુકવી બાદમાં વળતર આપવાનુ બંધ કરી દીધેલ અને અમુક રોકાણકારોને મુડી કે વળતર ચુકવેલ ન હોય જે સબંધમાં ઉપરોકત ગુનો દાખલ થયેલ છે. જે ગુનાની તપાસ અમારા હસ્‍તક ચાલુ છે. રાજકોટ શહેર કે અન્‍ય જીલ્લા કે ગામડાના કોઇ આમ નાગરીકોએ આરોપીઓના કહેવાથી ઉપરોકત પેઢીઓમા રૂપીયાનું રોકાણ કરેલ હોય અને ભોગ બનેલ હોય તો જરૂરી આધાર પુરાવા સાથે આર્થિક ગુન્‍હા નિવારણ શાખા, ચોથો માળ. સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન, જામનગર રોડ, રાજકોટ શહેર ખાતે દિન-૦૩ માં ઉપર આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક સાધવા આમ નાગરીકોને જાણ કરવામાં આવે છે. (સંપર્કઃ પી.આર.ડોબરીયા,પોલીસ ઇન્‍સપેકટર આર્થિક ગુના નિવારણ શાખા રાજકોટ શહેર. મો.નં.૯૯૭૮૧ ૯૪૬૬૧)
54 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:13 PM
ફરસાવલે બાબાના મૃત્યુએ મથુરામાં વિરોધ અને હિંસાને વેગ આપ્યો

ફરસાવલે બાબાના મૃત્યુએ મથુરામાં વિરોધ અને હિંસાને વેગ આપ્યો

મથુરા, તા.૨૧: મથુરામાં ફરસાવાલે બાબા તરીકે વિખ્‍યાત સંત ચંદ્રશેખરના કરુણ અને શંકાસ્‍પદ મળત્‍યુએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભડકો કર્યો છે. ઘટનાની વિગત મુજબ, વહેલી સવારે ગૌતસ્‍કોર ગાયો ભરીને જઈ રહ્યા હોવાની બાતમી મળતા બાબા ચંદ્રશેખર અને તેમના સાથીઓએ પીછો કર્યો હતો. આરોપ છે કે ગૌતસ્‍કરોએ પકડાઈ જવાના ડરથી બાબાની બાઇકને જોરદાર ટક્કર મારી તેમને કચડી નાખ્‍યા હતા. આ ઘટના અકસ્‍માત નહીં પણ સુનિયોજિત હત્‍યા હોવાનો દાવો કરીને હજારો ગૌરક્ષકો અને સ્‍થાનિકોએ દિલ્‍હી-આગ્રા હાઈવે જામ કરી દીધો હતો, જેના કારણે કિમી સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. પરિસ્‍થિતિ ત્‍યારે વધુ વણસી જ્‍યારે ઉશ્‍કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્‍થરમારો શરૂ કર્યો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્‍યા અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બાબા ચંદ્રશેખર આ વિસ્‍તારમાં ગૌસેવા માટે અત્‍યંત આદરણીય હતા, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રશાસને સમગ્ર વિસ્‍તારને છાવણીમાં ફેરવી દીધો છે અને સ્‍થિતિને કાબૂમાં લેવા માટે આરએએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. લોકોની માંગ છે કે જ્‍યાં સુધી તમામ હત્‍યારાઓનું એન્‍કાઉન્‍ટર ન થાય ત્‍યાં સુધી તેઓ આંદોલન સમેતશે નહીં. આ હિંસક વિરોધ પ્રદર્શન બાદ મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે પોતે આ મામલામાં દખલ કરી છે. તેમણે ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક કરી સ્‍પષ્ટ આદેશ આપ્‍યા છે કે ગૌતસ્‍કોરો સામે એવી કાર્યવાહી કરવામાં આવે જે દાખલારૂપ બને. અત્‍યાર સુધીમાં એક શંકાસ્‍પદની ધરપકડ કરવામાં આવી છે, જ્‍યારે અન્‍ય ત્રણ મુખ્‍ય આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે દરોડા પાડવાનું શરૂ કર્યું છે, પરંતુ બાબાના સમર્થકોનો ગુસ્‍સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
2 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:13 PM
ગુજરાત સરકારે માછીમારોને ડીઝલના ભાવ વધારાથી બચાવ્યા

ગુજરાત સરકારે માછીમારોને ડીઝલના ભાવ વધારાથી બચાવ્યા

ગાંધીનગર:ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠે વસતા અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો માછીમાર પરિવારોના આર્થિક હિતોના રક્ષણ માટે રાજ્ય સરકારે એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા માછીમારી બોટ માટે વપરાતા ડીઝલના ભાવમાં લિટર દીઠ કરવામાં આવેલો રૂ. ૨૨.૪૩નો જંગી વધારો કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં મોટી રાહત વ્યાપી ગઈ છે અને માછીમારો પર આવી પડેલો આર્થિક બોજ હળવો થયો છે. સમગ્ર વિવાદ અને રજૂઆતની વિગત:ઘટનાની વિગતો મુજબ, ગુજરાત સરકારના મત્સ્ય સંઘ (GFCCA) દ્વારા માછીમારોને વ્યાજબી અને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે હેતુથી ભારત પેટ્રોલિયમ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ઓઈલ કંપની દ્વારા અચાનક જ માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. ૨૨.૪૩નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાના કારણે માછીમારોની આજીવિકા પર મોટું જોખમ ઉભું થયું હતું. આ ગંભીર મુદ્દે વિવિધ માછીમારી સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યોએ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી. કેન્દ્રમાં અસરકારક હસ્તક્ષેપ અને સફળતા:વિષયની ગંભીરતા અને માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારમાં ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી. મંત્રીએ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) ને બલ્ક કન્ઝ્યુમરના ભાવ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જ ન્યાયે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ 'સ્પેશિયલ એક્સેપ્શન' એટલે કે ખાસ કિસ્સો ગણીને રાહત આપવી જોઈએ. તેમણે આગ્રહ કર્યો હતો કે માછીમારોને મોટા ગ્રાહક (કન્ઝ્યુમર સેગમેન્ટ) ને બદલે છૂટક ગ્રાહકોની સમકક્ષ ગણીને રાહત દરે ડીઝલ પૂરું પાડવામાં આવે. વડાપ્રધાનનો આભાર અને સરકારની કટિબદ્ધતા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગુજરાતની આ વાજબી માંગણીનો ત્વરિત સ્વીકાર કર્યો છે. કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને સ્પષ્ટ સૂચના આપીને વધારો પાછો ખેંચવા આદેશ આપ્યો છે. હવે રાજ્યના તમામ માછીમારોને જૂના રાહત દરે જ ડીઝલનો પુરવઠો મળશે. આ સફળતા બાદ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા દરિયાના ખેડૂતો એવા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. આ નિર્ણયથી ગુજરાતના બ્લુ ઇકોનોમી સેક્ટરને નવું બળ મળશે અને માછીમારોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
2 shares
😊
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:12 PM
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલ મનોજભાઈ અનાડકટ ચોથી વખત જીત્યા

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલ મનોજભાઈ અનાડકટ ચોથી વખત જીત્યા

જામનગર : ગુજરાત બાર કાઉન્‍સીલની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીની હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ સતત ચોથી ટર્મમાં ભવ્‍ય વિજય થયો છે. તેઓના વિજયના પગલે જામનગર બાર કાઉન્‍સીલમાં તેમજ વકીલોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ ગત ૩ ટર્મથી ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં પ્રતિનિધિત્‍વ કરી યશસ્‍વી કામગીરી દર્શાવી છે. દરમિયાન તાજેતરમાં જ ગુજરાત બાર કાઉન્‍સીલની ચૂંટણીમાં સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવી હતી. મનોજભાઈને વિજેતા બનાવવા માટે જામનગરના ધારાશાષાીઓ દ્વારા ઉત્‍સાહભેર મતદાન કરવામાં આવ્‍યુ હતું. દરમિયાન ગુજરાત બાર કાઉન્‍સીલ દ્વારા મતગણતરીની કાર્યવાહી હાથ ધરતા બાર એસોસીએશનના નિયમોનુસાર જામનગરના મનોજભાઈ મણીભાઈ અનડકટએ ૧૯૨૯નો અંક પાર કરી પાંચમા નંબરે વિજેતા જાહેર થયા છે. મનોજભાઈના વિજયના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા સૌરાષ્‍ટ્ર તેમજ કચ્‍છના જામનગરના ધારાશાષાીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. મનોજભાઈ પિતા સ્‍વ. મણીભાઈ અનડકટ ૬ ટર્મ સુધી બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના મેમ્‍બર તરીકે ચૂંટાઈ આવેલ હતા. તેમજ બાર કાઉન્‍સીલમાં પિતા અને પુત્ર બંને ચેરમેન બન્‍યા હોય તેવો પણ પ્રથમ કિસ્‍સો હતો. મનોજભાઈ અનડકટ (મો.૯૬૩૮૫ ૧૫૧૪૭)
1 shares
😊
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:11 PM
ભારત સરકારે એરલાઇન્સને પસંદગીના બુકિંગ માટે 60 ટકા બેઠકો ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો

ભારત સરકારે એરલાઇન્સને પસંદગીના બુકિંગ માટે 60 ટકા બેઠકો ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો

નવી દિલ્‍હી, તા.૨૧: ભારતીય આકાશમાં અત્‍યારે વિમાનોની સાથે વિવાદો પણ ઉડી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને મોટી રાહત આપતા એરલાઇન્‍સને આદેશ આપ્‍યો છે કે દરેક ફ્‌લાઇટમાં ઓછામાં ઓછી ૬૦% બેઠકો પસંદગી માટે મફત રાખવી પડશે. હાલમાં મુસાફરોએ પોતાની મનપસંદ સીટ મેળવવા માટે રૂ.૨૦૦ થી લઈને રૂ.૨,૧૦૦ સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. સરકારના આ ૬૦% ફ્રી ફોર્મ્‍યુલાથી સામાન્‍ય પ્રવાસીઓ ખુશ છે, પરંતુ એર ઇન્‍ડિયા, ઇન્‍ડિગો અને સ્‍પાઇસજેટ જેવી દિગ્‍ગજ કંપનીઓએ આ નિર્ણય સામે બળવો પોકાર્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી એરલાઇન્‍સના બિઝનેસ મોડલને મોટું નુકસાન થશે. ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એરલાઇન્‍સ એ સરકારને આકરા શબ્‍દોમાં ચેતવણી આપી છે કે સીટ સિલેક્‍શન ફી તેમની આવકનો મોટોસ્ત્રોત છે. એરલાઇન્‍સના મતે, ઇંધણના વધતા ભાવ અને મેન્‍ટેનન્‍સના ખર્ચ વચ્‍ચે આ વધારાની ફી તેમને ટકી રહેવામાં મદદ કરે છે. જો ૬૦% સીટો મફત કરી દેવામાં આવશે, તો કંપનીઓ આ નુકસાનની ભરપાઈ કરવા માટે બેઝ ફેર એટલે કે ટિકિટના મૂળ ભાવમાં જ વધારો કરી દેશે. આનો અર્થ એ થયો કે જે મુસાફરો મફત સીટ લેશે, તેમણે પણ આડકતરી રીતે મોંઘી ટિકિટના રૂપમાં વધુ પૈસા ચૂકવવા પડશે. આમ, સરકારની રાહત મુસાફરો માટે આશીર્વાદને બદલે બોજ બની શકે તેવી સ્‍થિતિ સર્જાઈ છે. મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે આંતરરાષ્‍ટ્રીય બજારમાં એર ટર્બાઇન ફયુઅલના ભાવ સતત વધી રહ્યા છે, જેનાથી એરલાઇન્‍સ પહેલેથી જ દબાણમાં છે. આવી સ્‍થિતિમાંDGCAનો આ નવો નિર્દેશ એરલાઇન્‍સ માટે બળતામાં ઘી સમાન સાબિત થયો છે. એરલાઇન્‍સની માંગ છે કે આટલો મોટો નિર્ણય લેતા પહેલા તમામ હિસ્‍સેદારો સાથે ગંભીર ચર્ચા થવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે સરકાર મુસાફરોના હિતમાં અડીખમ રહે છે કે પછી એરલાઇન્‍સના દબાણ સામે ઝૂકીને આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરે છે.
82 shares
😢
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:10 PM
વિશ્વ ચકલી દિવસની ઉજવણીઃ પર્યાવરણીય સંરક્ષણ માટે કાર્યવાહીનું આહ્વાન

વિશ્વ ચકલી દિવસની ઉજવણીઃ પર્યાવરણીય સંરક્ષણ માટે કાર્યવાહીનું આહ્વાન

સણોસરા:ગોહિલવાડની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા લોકભારતી અધ્યાપન મંદિરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ અને ખાસ કરીને આપણા આંગણાના અતિ પ્રિય અને નિર્દોષ પક્ષી ચકલી પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે અને સંવેદનાની ભાવના વધુ દૃઢ બને તેવા ઉમદા હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ‘ચકલી બચાવો’ અભિયાનને જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી. પર્યાવરણવિદો દ્વારા માર્ગદર્શન અને આહવાન:આ કાર્યક્રમમાં જાણીતા પર્યાવરણવિદ વિરજીભાઈ બાલા અને રમેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં ચકલીઓના સતત ઘટતા જતા અસ્તિત્વ અને તેમના સંરક્ષણની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આધુનિક બાંધકામો અને પર્યાવરણમાં આવતા બદલાવને કારણે ચકલીઓ માટે માળા બાંધવાની જગ્યાઓ ઓછી થઈ રહી છે, ત્યારે કૃત્રિમ માળા એક આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. તેમણે તાલીમાર્થીઓને આ સ્વૈચ્છિક સેવા અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને સમાજમાં પર્યાવરણ રક્ષણની કડી બનવા માટે પ્રેરિત કર્યા હતા. માળા અને કુંડાઓનું વિતરણ:સેવાભાવી દાતાઓના આર્થિક સૌજન્યથી આ પ્રસંગે મોટી સંખ્યામાં ચકલીના માળાઓ અને પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરિત કરવામાં આવેલા આ માળાઓને લોકભારતી સંકુલના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે, જેથી પક્ષીઓને સુરક્ષિત આશરો મળી રહે. આ અનોખી પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં પશુ-પક્ષીઓ પ્રત્યે જીવદયાના સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સફળ આયોજન અને સંચાલન:સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય જગદીશગિરિ ગોસાઈના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન કવિતાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને સહભાગીઓનો આભારદર્શન અમિતભાઈ સાસાણીએ કર્યું હતું. લોકભારતી પરિવારના આ પ્રયાસને ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા બિરદાવવામાં આવ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
44 shares
😐
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:09 PM
પાટીદાર સમાજે રાજકોટ ખાતે જીવન વિદ્યાપીઠ શિક્ષણ પરિયોજનાની શરૂઆત કરી

પાટીદાર સમાજે રાજકોટ ખાતે જીવન વિદ્યાપીઠ શિક્ષણ પરિયોજનાની શરૂઆત કરી

રાજકોટઃ ઉમિયા માતાજી મંદિર સિદસર ના નેજા હેઠળ શૈક્ષણિક ક્ષેત્રે નવી દિશા તરફ આગળ ધપી રહેલા પાટીદાર સમાજે રાજકોટની ભાગોળે ઇશ્વરીયા ખાતે ૩૨ વિઘા જમીન માં ઉમા સંકુલ માં ૧૨પ કરોડના શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત જીવન વિદ્યાપીઠનું આગામી તા. ર૬ ને રામનવમી ના રોજ ભૂમી પૂજન થશે. તા. રર થી ૨પ માર્ચ દરમ્‍યાન ઇશ્વરીયા ખાતે ત્રીવેણી સમારોહના અદભૂત આયોજન દરમ્‍યાન ૨પ કુંડી મહાયજ્ઞ, જ્ઞાતી સમૂહ ભોજન, વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, દાતા સન્‍માન યોજાનાર છે. સમારોહમાં પ્રથમ દિવસે તા. રર ને રવિવારે ઉમિયાધામ સિદસર દ્વારા સમાજ બંધારણ અને સામાજીક સુધારણા અંતર્ગત સામાજીક સંમેલન યોજાશે. આ સામાજીક સંમેલનમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહી પરંપરા અને પરીવર્તનના વિષય પર પોતાની આગવી શૈલીમાં વકતવ્‍ય આપશે. ૨પ કુંડી મહાયજ્ઞ દર્શન, જ્ઞાતી સમૂહ ભોજન, સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. પાટીદાર વિઝન-૨૦૪૭ અંતર્ગત મા ઉમિયાની આરાધના સાથે સરસ્‍વતીની સાધનાના સહીયારા સંકલ્‍પને સાર્થક કરતો ઈશ્વરીયા ખાતે આયોજીત આ ત્રિવેણી સમારોહ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના પાટીદારો માટે શૈક્ષણિક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે. આ ત્રિવેણી સમારોહમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, મંત્રી જયેશભાઈ પટેલે જણાવ્‍યુ હતુ કે સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સમગ્ર કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક વિકાસને વેગવંતો બનાવવાની નેમ સાથે શુભારંભ થનાર આ ત્રિવેણી સમારોહ સમાજ વિકાસની નવી રાહ ચિધશે. ઉમા સંકુલમાં, જીવન વિદ્યાપીઠ જેવી શૈક્ષણીક સંસ્‍થાઓ ના નિર્માણ દ્વારા આવનારી પેઢી શિક્ષીત દિક્ષીત બનશે. શિક્ષણોન્‍મુખ વિકસીત પાટીદાર સમાજ દ્વારા ગરિમાપૂર્ણ સામાજીક રાષ્ટ્રવિકાસના કાર્યો થશે. રવિવારે સવારે ૧૦ કલાકે સમાજ બંધારણ અને સામાજીક સુધારણા માટે પરંપરા અને પરિવર્તન વિષય પર ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અધ્‍યક્ષતામાં યોજાનાર આ સમેલનમાં સમગ્ર સૌરાષ્ટ્રભરના ભામાશાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ઉપસ્‍થિત રહેશે. પાટીદાર અગ્રણી અને રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા આ સમાજીક સંમેલનમાં વકતા તરીકે ઉપસ્‍થિત રહી સમાજ બંધારણના માળખાને વધુ સુદ્રઢ કરવા, સામાજીક સુધારાઓ, ખોટી પરંપરાઓને સ્‍થાને પરિવર્તનને અપનાવવા, સાંપ્રત સમયની પ્રર્વતમાન સામાજીક સમસ્‍યાઓ, કૌટુંબીક પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, શિક્ષણનું મહત્‍વ, લગ્નવિષયક માન્‍યતાઓ પર સચોટ અને સટીક ટકોર કરી પોતાની આગવી વક્‍તવ્‍ય શૈલીમાં સમાજને દિશાદર્શન પુરૂ પાડશે.
83 shares
😊
Sambhav Metro logo
Sambhav Metro
Mar 21, 2026, 01:05 PM
થર્મોન્યૂક્લિયર બોમ્બ દ્વારા પેન્ટાગોનનો સફાયોઃ કાલ્પનિક દૃશ્યે વિનાશક પરિણામોનો ખુલાસો કર્યો

થર્મોન્યૂક્લિયર બોમ્બ દ્વારા પેન્ટાગોનનો સફાયોઃ કાલ્પનિક દૃશ્યે વિનાશક પરિણામોનો ખુલાસો કર્યો

શરૂઆત એક કાલ્પનિક દશ્ય સાથે કરીએ. માર્ચ મહિનાનો અંત છે. સ્થાનિક સમય બપોરનો ૩:૩૬. પ્રારંભિક વિસ્ફોટને માંડ ત્રણ સેકન્ડ થઈ છે. એક મેગાટન થર્મોન્યુક્લિયર બૉમ્બ વિસ્ફોટની શરૂઆત, પ્રકાશ અને ગરમીના તીવ્ર ઝબકારાથી થઈ છે. માનવ મગજ માટે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. વોશિંગ્ટન ડી.સી.ની બહાર આવેલા પેન્ટાગોન ૫૨, થર્મોન્યુક્લિયર બૉમ્બ પડ્યા પછીની મિલિસેકન્ડમાં પ્રકાશ ફેલાય છે. વિસ્ફોટની ગ૨મી એટલી ઊંચી છે કે, ‘કોંક્રિટની સપાટીઓ ફાટી જાય છે, ધાતુની વસ્તુઓ પીગળી જાય છે, જીવતાં મનુષ્યો તત્કાલ સળગતા કાર્બનના કોલસામાં પરિવર્તિત થઈ જાય છે. પેન્ટાગોનનું પાંચ માળનું, પાંચ ખૂણાવાળું માળખું અને તેની ૬.૫ મિલિયન સ્ક્વેર ફૂટ ઑફિસ જગ્યામાં રહેલી દરેક વસ્તુ પ્રકાશ અને ગ૨મીના પ્રથમ ઝબકારાથી જ ધૂળમાં ફેરવાઈ જાય છે. ત્યાં કામ કરતા તમામ 30,000 કર્મચારીઓ તત્કાળ મૃત્યુ પામે છે. પડદા, કાગળ, પુસ્તકો, લાકડાંની વાડ, લોકોનાં કપડાં, સૂકાં પાંદડાં આ બધું જ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આ બધી ચીજ વસ્તુઓ એક ભયંક૨ અગ્નિતાંડવ માટે ઈંધણ બની જાય છે.’પેન્ટાગોનથી ઉત્તર-પશ્ચિમે પાંચ મિનિટના અંતરે (3 કિ.મી.) અમેરિકાનું સૌથી મોટું આર્લિંગ્ટન રાષ્ટ્રીય કબ્રસ્તાન (આર્લિંગ્ટન નેશનલ સેમેટ્રી) આવેલું છે. જેમાં યુદ્ધમાં શહીદ થયેલાઓનું સન્માન કરતા ૪,૦૦,૦૦૦ અસ્થિપિંજર અને કબરના પથ્થરો, વિભાગ ૨૭માં દફનાવવામાં આવેલા ૩,૮૦૦ મુક્ત કરાયેલા આફ્રિકન અમેરિકનો, વસંતઋતુના બપોરે શ્રદ્ધાંજલિ આપી રહેલા મુલાકાતીઓ, લૉન કાપતા માળીઓ, વૃક્ષોની સંભાળ રાખતા આર્બોરિસ્ટ, પ્રવાસનું નેતૃત્વ કરતા ટૂર ગાઇડ, અને ટોમ્બ ઑફ ધ અનનોન' ૫૨ સફેદ કબરો ઉપ૨ નજ૨ ૨ાખતાં સંત્રીઓ, આ બધું જ તત્કાળ સળગતી અને કોલસા જેવી માનવ આકૃતિઓમાં પરિવર્તિત થઈ જાય છે. જે અંતે કાળા કાર્બનિક પદાર્થના, કાજળ જેવા પાવડ૨માં ફે૨વાઈ જાય છે. ઉત્ત૨-પૂર્વમાં એક માઇલ દૂર પોટોમેક નદીની પેલે પાર, લિંકન અને જેફરસન મેમોરિયલની આરસની દીવાલો અને સ્તંભો અતિશય ઊંચા તાપમાને ફાટી જાય છે. ભાંગીને ભુક્કો થઈ જાય છે.
64 shares
😢
Sambhav Metro logo
Sambhav Metro
Mar 21, 2026, 01:05 PM
રોમેન્ટિક સંબંધોના વિકાસ પર નોસ્ટાલ્જિક નજર

રોમેન્ટિક સંબંધોના વિકાસ પર નોસ્ટાલ્જિક નજર

રંગ લાગે એને તો એક છાંટો પડે ને તોય આખો મનખાવતાર બદલાઈ જાય અને ન લાગે એને રંગના હોજમાં ડૂબાડો તોય રંગ અડે કે ચડે નહિ. કેટલાંક દંપતી એકબીજાના રંગે એવા રંગાઈ ગયા હોય છે કે પછી એને ઉત્તમ હો કે અધમ હો, આ સંસારની કોઈ ઇતર છાલક લાગતી નથી.જૂની પેઢીમાં હજારો દંપતી એવાં હતાં કે એમણે એકબીજા સાથે સમજણથી અને વાતો કર્યા વિનાનો આખો ભવ પૂરો કર્યો. એક જમાનો હતો કે દંપતી વચ્ચે નહિવત્ વાતો થતી ને પ્રેમ લગભગ દૈવી કક્ષાનો હતો. અણગમતાં બંધનો અને વ્યર્થ રીતરિવાજો વચ્ચે ય ગુલાબના ફૂલને ખીલવાની જગ્યા હતી. આજે પણ છે. કોઈ પણ ફૂલછોડને કેળવવો પડે, એને પાંગરવા દેવાની ધી૨જ અને નિરપેક્ષિત લાગણીઓનો એક પ્રવાહ ઘરની વચ્ચેથી વહેતો રહેવો જોઈએ.
100 shares
😐
Sandesh logo
Sandesh
Mar 21, 2026, 04:31 AM
જુનાગઢના ભાજપ અધ્યક્ષ પર જમીન છેતરપિંડી અને વ્યાજખોરીનો આરોપ

જુનાગઢના ભાજપ અધ્યક્ષ પર જમીન છેતરપિંડી અને વ્યાજખોરીનો આરોપ

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયાની નિયુક્તિ થયા પછી તેમની સામે અનેક આક્ષેપો સામે આવી રહ્યા છે, અગાઉ ભાજપના એક ભૂતપૂર્વ કાર્યકરે વ્યાજખોરીનો આક્ષેપ કર્યા પછી આજે અહીના સરદાર પટેલ સોસાયટીમાં રહેતા પિતા-પુત્રએ વ્યાજે વ્યાજે લીધેલા ૪૦ લાખ સામે દોઢેક કરોડ લીધા હોવાનો આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે. જૂનાગઢના ભવાનભાઈ કુંભાણી અને તેના પુત્ર ભાવિનભાઈએ આજે શહેર ભાજપ પ્રમુખ સામે આક્ષેપ કરતા કહ્યું કે, વર્ષ ૨૦૧૮ માં તેમને બાઈકના શો-રૂમના ધંધા માટે કેશોદ ખાતે આવેલી ૬ વીઘા જમીન દસ્તાવેજ કરીને ૪૦ લાખ રૂપિયા ૩ ટકાએ વ્યાજે લીધા હતા, જેની સામે તેઓએ મહીને ૧.૨૦ લાખ વ્યાજ ચૂકવી દોઢ વર્ષ સુધીમાં ૮૦ લાખ આપ્યા અને તેની જમીન પણ ગૌરવભાઈએ અન્યન એ વેચી નાખી દોઢેક કરોડ પડાવી લીધાનું જણાવ્યું છે. કહેવાય છે કે ચોરની ચાર આંખો હોય છે. પરંતુ કાયદાના હાથ પણ લાંબા છે. ચોર કે ગુનેગાર કોઈપણ પદ્ધતિ અપનાવે ગમે ત્યારે પકડાઈ જાય છે. દિલ્હીમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ચોરી કરવાની અનોખી રીત અને ચોરની હકીકતન જાણી પોલીસ પણ દંગ રહી ગઈ. દક્ષિણ પશ્ચિમ દિલ્હીની આર.કે. પુરમ પોલીસે એક એવા અનોખા ચોરની ધરપકડ કરી છે. જે બેવડુ જીવન જીવતો હતો. પકડાયેલ આ ચોર રાત્રે ચોરી કરતો અને સવારે લકઝરી હોટલમાં માસ્ટર શેફ તરીકે કામ કરતો હતો. ચોરી કરવાની અનોખી પદ્ધતિ પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે નિકેશ (22), જે દ્વારકાની એક પ્રતિષ્ઠિત 5-સ્ટાર હોટલમાં સાઉથ ઈન્ડિયન શેફ તરીકે કાર્યરત હતો, તે લક્ઝરી લાઈફ સ્ટાઈલ અને મોજશોખ પૂરા કરવા માટે રાત્રિના અંધારામાં શાતિર ચોર બની જતો હતો. નિલેશની ચોરી કરવાની રીત ખૂબ જ હાઈટેક હતી. તે ખાસ કરીને એવા ઘરોને નિશાન બનાવતો હતો જ્યાં 'ચાઈનીઝ લોક' (ડિજિટલ કે અત્યાધુનિક તાળા) લાગેલા હોય. તેની પાસે એક માસ્ટર ચાવી હતી, જેનાથી તે મિનિટોમાં તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચોરી કર્યા પછી તે ઘરને ફરીથી તાળું મારી દેતો હતો, જેથી ઘરમાલિકને અંદર પ્રવેશતી વખતે કોઈ શંકા જ ન જાય. કેવી રીતે ફૂટ્યો ભાંડો? આ ઘટનાની શરૂઆત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ થઈ હતી. આર.કે. પુરમ સેક્ટર-1માં રહેતા ટી. સેન પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગે ગયા હતા. જ્યારે તેઓ 18 ફેબ્રુઆરીએ પરત ફર્યા, ત્યારે ઘરનું મુખ્ય તાળું અકબંધ હતું. પરંતુ અંદર જઈને તપાસ કરતા તેમના હોશ ઉડી ગયા હતા. ઘરમાં રાખેલા ₹3.5 લાખ રોકડા અને મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. CCTV એ ખોલ્યું રહસ્ય પોલીસે જ્યારે સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, ત્યારે એક શંકાસ્પદ યુવક અડધા કલાકમાં ગેટ ખોલીને સ્કૂટર પર સામાન સાથે ભાગતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી અને આખરે 5-સ્ટાર શેફ નિલેશની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સરળતાથી પૈસા કમાવવાની લાલચે તેને રસોઈયામાંથી ચોર બનાવી દીધો હતો. આ પણ વાંચો : Mathura Gau Rakshakની હત્યા બાદ CM યોગીનું મોટું નિવેદન
11 shares
😢