Achira News Logo
Achira News
A
Akila News
May 5, 2026, 05:44 PM
ઇન્ડિગો ફ્લાઇટ 6E 108: પાવર બેંકમાં આગ લાગવાથી વિમાનમાં અફડાતફડી મચી

ઇન્ડિગો ફ્લાઇટ 6E 108: પાવર બેંકમાં આગ લાગવાથી વિમાનમાં અફડાતફડી મચી

ચંદીગઢ : હૈદરાબાદથી ઉડેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 108 માટે સાંજ રનવે પર ઉતર્યા બાદ પણ ડરામણી સાબિત થઈ હતી. વિમાન હજુ ચંદીગઢ એરપોર્ટ પર ટર્મિનલ તરફ જઈ રહ્યું હતું ત્યારે જ અચાનક કેબિનની અંદર મુસાફરોએ ચીસાચીસ શરૂ કરી દીધી હતી. એક મુસાફરની ઉપરની કેબિનમાં રાખેલી બેગમાંથી ઘટ્ટ કાળો ધુમાડો નીકળતા વિમાનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મુસાફરો હજુ સીટ બેલ્ટ ખોલીને ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ લાગેલી આ આગને કારણે થોડી ક્ષણો માટે વિમાનની અંદર અંધાધૂંધીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ અકસ્માતનું કારણ બેગમાં રાખેલી પાવર બેંક હતી, જેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઇન્ડિગોના કેબિન ક્રૂએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કર્યો અને ધુમાડાને વધતો અટકાવ્યો હતો. પ્રોટોકોલ મુજબ, પાયલટે વિમાનને તાત્કાલિક સલામત સ્થળે ઉભું રાખ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ક્રૂ સભ્યો પણ સુરક્ષિત છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને વિમાનની સંપૂર્ણ ટેકનિકલ તપાસ બાદ જ તેને ફરી સેવામાં લેવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર વિમાનમાં લિથિયમ-આયન બેટરી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાના જોખમો પર ચર્ચા જગાવી છે. ડીજીસીએના સૂત્રો મુજબ, પાવર બેંકમાં ઓવરહિટીંગ અથવા ઇન્ટરનલ ડેમેજને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટી અને ઇન્ડિગોની ટેકનિકલ ટીમ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે. મુસાફરોને હાલ ટર્મિનલ પર પ્રાથમિક સારવાર અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે એરલાઇન્સ સુરક્ષા નિયમો વધુ કડક બનાવે તેવી શક્યતા છે.
34 shares
😢
A
Akila News
May 5, 2026, 05:43 PM
પારસી મહિલાઓને તેમના ધર્મની બહાર લગ્ન કરવા બદલ બહિષ્કાર કરવા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ

પારસી મહિલાઓને તેમના ધર્મની બહાર લગ્ન કરવા બદલ બહિષ્કાર કરવા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સબરીમાલા સંદર્ભ કેસની સુનાવણી દરમિયાન આજે પારસી સમુદાયની મહિલાઓના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે. ૯ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે, અન્ય ધર્મમાં લગ્ન કરવા બદલ પારસી મહિલાઓને સમુદાયમાંથી બહાર કાઢવાનો રિવાજ પ્રથમ દૃષ્ટિએ ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય જણાય છે.લગ્ન એ ભેદભાવનો આધાર ન હોઈ શકેસુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ડારિયસ ખંભાતાએ એક પારસી મહિલાનો પક્ષ રજૂ કર્યો હતો, જેમણે હિન્દુ પુરુષ સાથે લગ્ન કર્યા હોવાથી તેમને સમુદાયમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ મામલે જસ્ટિસ બી.વી. નાગરત્નાએ વેધક સવાલ પૂછ્યો હતો કે, "શું લગ્ન એ ભેદભાવનો આધાર માત્ર મહિલાઓ માટે જ છે?" તેમણે વધુમાં ઉમેર્યું કે, "કલમ ૨૫(૧) હેઠળ અંતરાત્માનો અધિકાર જન્મજાત અધિકાર છે અને તે લગ્ન દ્વારા છીનવી શકાતો નથી. જો પારસી પિતાના બાળકોને ધર્મના લાભ મળતા હોય, તો તે જ નિયમ પત્ની (મહિલા) ને પણ લાગુ પડવો જોઈએ."ધાર્મિક સંસ્થા વિરુદ્ધ વ્યક્તિગત સ્વતંત્રતાખંભાતાએ દલીલ કરી હતી કે કોઈ પણ ધાર્મિક સંસ્થાના અધિકારો (કલમ ૨૬), વ્યક્તિની પોતાની ધાર્મિક સ્વતંત્રતા (કલમ ૨૫) કરતા ચડિયાતા હોઈ શકે નહીં. નદી તેના સ્ત્રોત કરતા ક્યારેય ઉંચી હોઈ શકે નહીં. જસ્ટિસ નાગરત્નાએ પણ સહમતિ દર્શાવતા કહ્યું કે કલમ ૨૬ નો અધિકાર કલમ ૨૫ ને કારણે જ અસ્તિત્વમાં છે, અને તે વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર સર્વોપરીતા મેળવી શકે નહીં.સબરીમાલા PIL પર સવાલઆજની સુનાવણી દરમિયાન બેન્ચે ૨૦૦૬માં દાખલ થયેલી સબરીમાલા PIL પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ નાગરત્નાએ અવલોકન કર્યું કે, જો કોઈ સાચો ભક્ત હોય તો તે ભગવાન અને મંદિરના નીતિ-નિયમોનું સન્માન કરશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે શું માત્ર અખબારી અહેવાલોના આધારે આવી અરજીઓ સ્વીકારવી જોઈએ? કોર્ટે ફરી એકવાર PIL ના વધતા દુરુપયોગ અંગે કડક વલણ દાખવ્યું હતું.આ સુનાવણીની અસર માત્ર પારસી સમુદાય પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે દેશના તમામ ધર્મોમાં પ્રચલિત એવા રિવાજો પર પડશે જે મહિલાઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ કરે છે.
61 shares
😢
A
Akila News
May 5, 2026, 05:41 PM
વાયરલ ફિલ્મ ક્લિપ બે વર્ષ પહેલા વિજયની રાજકીય જીતની આગાહી કરે છે

વાયરલ ફિલ્મ ક્લિપ બે વર્ષ પહેલા વિજયની રાજકીય જીતની આગાહી કરે છે

નવી દિલ્હી: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ની ભવ્ય જીત બાદ હવે સોશિયલ મીડિયા પર સુપરસ્ટાર વિજયની વર્ષ ૨૦૨૪માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' (GOAT) ની એક નાની ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં વિજય જે કાર ચલાવી રહ્યો છે તેની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ પર 'TN 07 CM 2026' લખેલું જોવા મળે છે. ચાહકો હવે તેને વિજયની અદભૂત 'રાજકીય ભવિષ્યવાણી' તરીકે જોઈ રહ્યા છે.થિયેટરમાં જ આવી ગયું હતું પરિણામ?જ્યારે ૨૦૨૪માં વિજયે પોતાની પાર્ટી લોન્ચ કરી ત્યારે અનેક અટકળો હતી કે શું તે સફળ થશે? પરંતુ 'GOAT' ફિલ્મના ડિરેક્ટર વેંકટ પ્રભુએ ફિલ્મમાં કરેલું આ 'ડિટેલિંગ' આજે સાચું પડ્યું છે. જે રીતે વિજયે ૧૦૮ બેઠકો જીતીને દ્રવિડિયન રાજકારણના ૫૦ વર્ષ જૂના ગઢને હચમચાવી દીધો છે, તે જોતા ફેન્સ કહી રહ્યા છે કે ચૂંટણીના પરિણામો તો બે વર્ષ પહેલા જ થિયેટરના સ્ક્રીન પર આવી ગયા હતા!પ્રેમજી અમરનની વાત સાચી પડીવિજયના કો-સ્ટાર પ્રેમજી અમરને એક સમયે ગેરંટી સાથે કહ્યું હતું કે, "હું ૨૦૨૬માં વિજયને મત આપીશ અને તે જ તમિલનાડુના મુખ્યમંત્રી બનશે. બસ રાહ જુઓ અને જુઓ." આજે તેમની આ વાત સાચી પડતી દેખાઈ રહી છે. વિજય તમિલનાડુના ઈતિહાસમાં એવા પ્રથમ અભિનેતા બનવા જઈ રહ્યા છે જે સીધા મુખ્યમંત્રીના પદ પર બિરાજશે.બહુમતી માટે ગઠબંધનની તૈયારી૨૩૪ બેઠકોવાળી વિધાનસભામાં ૧૦૮ બેઠકો જીતીને TVK સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. જોકે, બહુમતી માટે હજુ ૧૦ બેઠકોની જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ, CPI અને CPIM જેવા પક્ષો સાથે ગઠબંધન માટે વાતચીત થઈ શકે છે. વિજય પોતે તિરુચી (પૂર્વ) અને પેરામ્બુર એમ બે બેઠકો પરથી જીત્યા છે, જેમાંથી તેઓ પેરામ્બુર બેઠક પોતાની પાસે રાખી શકે છે.ફિલ્મી સ્ટાઈલમાં રાજકારણમાં એન્ટ્રી કરનારા વિજયે સાબિત કરી દીધું છે કે તેઓ માત્ર પડદા પર જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ 'ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' સાબિત થઈ રહ્યા છે.
26 shares
😊
A
Akila News
May 5, 2026, 05:40 PM
હોર્મુઝના અખાતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે લશ્કરી અથડામણ

હોર્મુઝના અખાતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે લશ્કરી અથડામણ

નવી દિલ્હી: હોર્મુઝની વ્યૂહાત્મક ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મની હવે ચરમસીમાએ પહોંચી છે. અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય ગતિવિધિ વધારતા ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડરોએ ખુલ્લી ચેતવણી આપી છે કે અમેરિકાએ અત્યાર સુધી જે જોયું છે તે માત્ર શરૂઆત છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેમના હિતોને નુકસાન પહોંચશે, તો તેઓ હોર્મુઝની ખાડીને સંપૂર્ણપણે બંધ કરી દેશે, જેનાથી વિશ્વનો ૩૦ ટકા ઓઈલ સપ્લાય ખોરવાઈ શકે છે.ગાલિબાફે અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ' સામે વળતો પ્રહાર કરતાં ગાલિબાફે કહ્યું કે, "અમેરિકા અને તેના સાથી દેશોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને અને નાકાબંધી લાદીને શિપિંગ અને એનર્જી ટ્રાન્ઝિટની સુરક્ષાને જોખમમાં મૂકી છે. અમે સારી રીતે જાણીએ છીએ કે વર્તમાન સ્થિતિ અમેરિકા માટે અસહ્ય છે; યાદ રાખજો, અમે તો હજુ શરૂઆત પણ નથી કરી."અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં સૈન્ય અભિયાન ચાલુ કર્યું છે. ટ્રમ્પના આ અભિયાનનો હેતુ ફસાયેલા માલવાહક જહાજોને લશ્કરી સુરક્ષા હેઠળ બહાર કાઢવાનો છે, જોકે ઈરાન આ પ્રોજેક્ટને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી રહ્યું છે. ઈરાનના સૈન્ય કમાન્ડોએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકાનું કોઈ પણ નૌકાદળનું જહાજ સામુદ્રધુનીની નજીક આવશે, તો તેના પર સીધો હુમલો કરવામાં આવશે.
61 shares
😢
A
Akila News
May 5, 2026, 05:36 PM
ટ્રમ્પનું ઇમિગ્રેશન ક્રેકડાઉન મજૂરની અછત અને નોકરી ગુમાવવા સાથે સંકળાયેલું છે

ટ્રમ્પનું ઇમિગ્રેશન ક્રેકડાઉન મજૂરની અછત અને નોકરી ગુમાવવા સાથે સંકળાયેલું છે

ન્યુ યોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન વિરુદ્ધ લેવામાં આવેલા કડક પગલાંઓની આર્થિક અસરો હવે દેખાવા લાગી છે. એક નવા રાષ્ટ્રીય અભ્યાસ મુજબ, ઇમિગ્રન્ટ્સ પરની કડકાઈને કારણે ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાઈ છે, જેના પરિણામે માત્ર વિદેશીઓ જ નહીં પરંતુ અમેરિકામાં જન્મેલા નાગરિકોની નોકરીઓ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.ડરને કારણે કામદારોએ કામ પર જવાનું છોડ્યુંનેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ દ્વારા ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાનના ડેટાના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે, જે વિસ્તારોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ની ધરપકડો વધી છે, ત્યાં ખેતીવાડી, બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોજગારમાં ૪% નો ઘટાડો નોંધાયો છે. સંશોધકોના મતે, ધરપકડના ડરને કારણે 'ચિલિંગ ઇફેક્ટ' પેદા થઈ છે, જેના લીધે દસ્તાવેજો વગરના કામદારોએ કામ પર જવાનું બંધ કરી દીધું છે. એક ધરપકડની સામે આશરે છ કામદારો કામ છોડી રહ્યા હોવાનું સામે આવ્યું છે.અમેરિકન નાગરિકોને કોઈ ફાયદો થયો નથીટ્રમ્પ સરકારનો મુખ્ય દાવો એ હતો કે ઇમિગ્રન્ટ્સને હટાવવાથી સ્થાનિક અમેરિકનો માટે નોકરીની તકો વધશે. જોકે, આ રિપોર્ટ જણાવે છે કે આવું કશું જ થયું નથી. હકીકતમાં, જે ક્ષેત્રોમાં ઇમિગ્રન્ટ્સ વધુ હતા, ત્યાં કામ કરતા અમેરિકન નાગરિકોને ઉલટાનું નુકસાન થયું છે. અભ્યાસ મુજબ, ઇમિગ્રન્ટ્સ અને અમેરિકન કામદારો ઘણીવાર એકબીજાના પૂરક તરીકે કામ કરે છે. જ્યારે ઇમિગ્રન્ટ કામદારો ઘટે છે, ત્યારે બિઝનેસ પોતાની કામગીરી સંકોચી લે છે, જેના કારણે અમેરિકન સુપરવાઈઝર કે અન્ય મેનેજરિયલ પોસ્ટ પરના લોકોની પણ જરૂરિયાત ઘટી જાય છે.પગાર વધારવાને બદલે ભરતીમાં કાપઅહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, કામદારોની અછત હોવા છતાં કંપનીઓએ અમેરિકન લોકોને આકર્ષવા માટે પગારમાં કોઈ વધારો કર્યો નથી. તેના બદલે, કંપનીઓએ નવી ભરતીઓ ઘટાડી દીધી છે અથવા કામગીરી ઓછી કરી દીધી છે. ખાસ કરીને ઓછા ભણેલા અમેરિકન પુરુષો કે જેઓ બાંધકામ અને ફેક્ટરીઓમાં કામ કરે છે, તેમના કામના કલાકો અને નોકરીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.આ સંશોધન સૂચવે છે કે ઇમિગ્રેશન પરની વધુ પડતી કડકાઈ લેબર માર્કેટને મજબૂત કરવાને બદલે તેને નબળું પાડી રહી છે. આ ડેટા અત્યારે અમેરિકામાં ચાલી રહેલી ઇમિગ્રેશન પોલિસીની આર્થિક અસરો વિશે નવી ચર્ચા જગાવી રહ્યો છે.
100 shares
😢
A
Akila News
May 5, 2026, 05:34 PM
જુનાગઢ જિલ્લાના મગહરવાલા ગામમાં ચિત્તાનો હુમલો નોંધાયો

જુનાગઢ જિલ્લાના મગહરવાલા ગામમાં ચિત્તાનો હુમલો નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ તાલુકાના મઘરવાળા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. બગીચામાં કામ કરી રહેલા એક આધેડ પર અચાનક દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ હુમલામાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને ગામલોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
50 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:31 PM
ભારત અને કેનેડા 2030 સુધીમાં વેપારને 50 અબજ ડોલર સુધી વધારવા માંગે છે

ભારત અને કેનેડા 2030 સુધીમાં વેપારને 50 અબજ ડોલર સુધી વધારવા માંગે છે

નવી દિલ્હી, તા.૦૫: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી તણાવને બાજુ પર મૂકીને હવે બંને દેશો આર્થિક ક્ષેત્રે એકબીજાની નજીક આવી રહ્યા છે. નવી દિલ્હીમાં ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપાર મંત્રણાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ વાટાઘાટોનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અને વર્ષ ૨૦૩૦ સુધીમાં કુલ વેપારને ૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે.વેપાર માટે 'નવો રોડમેપ'આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓ માર્કેટ એક્સેસ સુધારવા અને રોકાણ માટેના અવરોધો દૂર કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. આ મંત્રણા માત્ર આયાત-નિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ટેકનોલોજી, કૃષિ અને ઊર્જા ક્ષેત્રે લાંબા ગાળાના સહયોગ માટે એક મજબૂત માળખું તૈયાર કરવા પર કેન્દ્રિત છે.૫૦ અબજ ડોલરનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંકવર્તમાન આર્થિક સ્થિતિને જોતા ભારત અને કેનેડાએ આગામી ચાર વર્ષમાં પોતાના વેપારના આંકડાને નવી ઊંચાઈએ લઈ જવાનું નક્કી કર્યું છે. ૨૦૩૦ સુધીમાં ૫૦ અબજ ડોલરનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે નવી દિલ્હીમાં ચાલી રહેલી આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. જો આ વાટાઘાટો સફળ રહેશે, તો બંને દેશોના નાના-મોટા ઉદ્યોગસાહસિકો માટે વેપારના નવા દ્વાર ખુલશે.બિઝનેસ અને રોકાણમાં ઉછાળો આવશેકેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય ડાયસ્પોરા વસે છે, જે આર્થિક લેવડ-દેવડમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વેપાર વાટાઘાટો ફરી શરૂ થવાથી બંને દેશો વચ્ચે સેવા ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં વધુ રોકાણ આવવાની શક્યતા છે.આર્થિક નિષ્ણાતોના મતે, આ મંત્રણાઓ ભારતની 'મેક ઇન ઇન્ડિયા' અને કેનેડાની 'ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી' વચ્ચે એક સેતુનું કામ કરશે, જેનાથી દક્ષિણ એશિયાના આર્થિક ક્ષેત્રમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.
53 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 05:27 PM
રાજકીય કટોકટી વચ્ચે રોમાનિયાના વડા પ્રધાને રાજીનામું આપ્યું

રાજકીય કટોકટી વચ્ચે રોમાનિયાના વડા પ્રધાને રાજીનામું આપ્યું

બુકારેસ્ટ : યુરોપિયન દેશ રોમાનિયામાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો આજે અંત આવ્યો છે, પરંતુ તેની સાથે જ દેશમાં અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે. વડાપ્રધાન ઇલી બોલોજનની સરકાર સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગઈ છે, જેના કારણે તેમને સત્તા પરથી હટી જવાની ફરજ પડી છે. ૪૬૪ બેઠકો ધરાવતી સંસદમાં સરકાર વિરુદ્ધ ૨૮૧ મતો પડ્યા હતા.ગઠબંધનમાં તિરાડ અને આર્થિક નીતિઓનો વિરોધનેશનલ લિબરલ પાર્ટીના સભ્ય ઇલી બોલોજન જૂન ૨૦૨૫માં સત્તા પર આવ્યા હતા. જોકે, તેમની સરકાર દ્વારા અમલમાં મુકાયેલા આર્થિક કાપ (Austerity Measures) અને વ્યૂહાત્મક સરકારી અસ્કયામતો વેચવાની યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો હતો. ગઠબંધનના સૌથી મોટા પક્ષ 'સોશિયલ ડેમોક્રેટ્સે' સરકારની આ નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કરીને ગયા મહિને જ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને મંત્રીઓને પણ પરત બોલાવી લીધા હતા.વિરોધ પક્ષોનું ગઠબંધન અને સરકારની હારસોશિયલ ડેમોક્રેટ્સે સરકારમાંથી બહાર નીકળ્યા બાદ દેશના મુખ્ય કટ્ટરપંથી વિરોધ પક્ષ અને અપક્ષ ધારાસભ્યો સાથે મળીને એપ્રિલના અંતમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જોકે, વડાપ્રધાન બોલોજને અગાઉ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સંસદમાં બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહેતા હવે તેમની સરકારે વિદાય લેવી પડી છે.ભવિષ્યમાં શું?સરકારના પતન બાદ રોમાનિયામાં હવે નવી સરકારની રચના અથવા તો વહેલી ચૂંટણીની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશ માટે આ રાજકીય અસ્થિરતા નવા પડકારો ઊભા કરી શકે છે. સંસદમાં બહુમતીનો આંકડો મેળવવો કોઈપણ પક્ષ માટે અત્યારે લોઢાના ચણા ચાવવા સમાન છે.રોમાનિયામાં સર્જાયેલી આ સ્થિતિની અસર યુરોપિયન યુનિયનના રાજકારણ પર પણ પડી શકે છે.
54 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:26 PM
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ (EC) પર આકરા પ્રહારો કરતા તેને 'વિલન' ગણાવ્યું હતું, જેના જવાબમાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મનોજ કુમાર અગ્રવાલે મમતાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે."કોઈ ફરિયાદ નથી, કોઈ પુરાવા નથી"મનોજ અગ્રવાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. તેમણે કહ્યું, “ચૂંટણી પંચને ‘વિલન’ કહેવું સંપૂર્ણપણે ખોટું છે. જો ખરેખર કોઈ અણછાજતી ઘટના બની હોત, તો સત્તાવાર ફરિયાદ અથવા FIR નોંધાઈ હોત. મેં અંગત રીતે તમામ અધિકારીઓ સાથે વાત કરી છે અને ક્યાંયથી પણ હુમલા કે ગેરરીતિના પુષ્ટિ થયેલ અહેવાલો મળ્યા નથી.”મમતા બેનર્જીના ગંભીર આક્ષેપોઅગાઉ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે મતગણતરી કેન્દ્ર પર તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે સુરક્ષા દળોએ તેમની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો, મહિલાઓ સાથે પણ ધક્કામુક્કી થઈ હતી અને તે સમયે CCTV કેમેરા જાણીજોઈને બંધ કરી દેવામાં આવ્યા હતા. મમતાએ ભાજપ સાથે મળીને ચૂંટણી પંચે EVM માં ચેડાં કર્યા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યોચૂંટણી પંચના CEO ના આ ખુલાસા બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમસાણ તેજ બન્યું છે. TMC દ્વારા ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ભાજપે મમતાના આ દાવાઓને હારની હતાશા ગણાવીને ફગાવી દીધા છે. પંચે ભારપૂર્વક જણાવ્યું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે અને પાયાવિહોણા આક્ષેપોથી તેની વિશ્વસનીયતા પર કોઈ અસર પડશે નહીં.પશ્ચિમ બંગાળની આ હાઈ-પ્રોફાઈલ ચૂંટણી બાદ બંને પક્ષો વચ્ચેનો આ વિખવાદ હવે લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તતા સુધી પહોંચ્યો છે.
30 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:24 PM
વાદળ ફાટવાથી હાજીપુર ટાપુ બન્યું, વહીવટીતંત્રના દાવાનો પર્દાફાશ થયો

વાદળ ફાટવાથી હાજીપુર ટાપુ બન્યું, વહીવટીતંત્રના દાવાનો પર્દાફાશ થયો

હાજીપુર: બિહારના હાજીપુરમાં આજે મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે માત્ર એક કલાકના ટૂંકા ગાળાના વરસાદમાં સમગ્ર શહેર ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની વિધિવત શરૂઆત પહેલા પડેલા આ ભારે વરસાદે વહીવટી તંત્રના ડ્રેનેજ ક્લિનિંગના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. હાજીપુરના પોશ વિસ્તારોથી લઈને સરકારી કચેરીઓ સુધી બધે જ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.DM ઓફિસ પણ ન બચી શકીચોંકાવનારી વાત એ છે કે જિલ્લાના વહીવટના મુખ્ય કેન્દ્ર ગણાતી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) ની ઓફિસના પરિસરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. કલેક્ટર કચેરીમાં કામકાજ અર્થે આવેલા લોકો અને કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા માટે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં સરકારી કચેરીઓ તળાવ જેવી દેખાઈ રહી છે.સડકો પર 'દરિયો' છલકાયોશહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે રસ્તાઓ પર ૨ થી ૩ ફૂટ પાણી ભરાયા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાથી લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તંત્રની નિષ્ફળતા સામે રોષસ્થાનિક રહીશોમાં નગર નિગમ અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો માત્ર એક કલાકના વરસાદમાં આ હાલત થતી હોય, તો જ્યારે પૂરું ચોમાસું જામશે ત્યારે હાજીપુરની હાલત શું થશે? ડ્રેનેજ લાઈનોની સફાઈમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.અત્યારે હાજીપુરની જનતા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર હવે યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરીમાં જોડાયું છે.
58 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:23 PM
મમતા બેનર્જીએ હારનો સામનો કર્યો, ચૂંટણી પંચ અને ભાજપ પર પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો

મમતા બેનર્જીએ હારનો સામનો કર્યો, ચૂંટણી પંચ અને ભાજપ પર પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં 15 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવનાર તૃણમૂલ કોંગ્રેસના કિલ્લાના કાંગરા 2026ની વિધાનસભા ચૂંટણીમાં વિખેરાઈ ગયા છે. ભાજપના ઐતિહાસિક વિજય અને TMCના 80 બેઠકો પરના પતન બાદ મમતા બેનર્જીએ મંગળવારે એક હાઈ-વોલ્ટેજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેઓ ભાવુક જણાતા હતા અને પોતાની જાતને 'મુક્ત પક્ષી' ગણાવી હતી. મમતાએ હારનો સ્વીકાર કરવાને બદલે ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત પર આકરા પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન અને ગૃહમંત્રીની સીધી દખલગીરીને કારણે બંગાળમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે. પોતાના ત્યાગનો ઉલ્લેખ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, "છેલ્લા 15 વર્ષથી મેં મુખ્યમંત્રી તરીકેના પગાર કે પેન્શનનો એક પણ રૂપિયો લીધો નથી, મેં મારું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું છે." તેમણે ઉમેર્યું કે હવે સત્તાનું ભારણ હળવું થતા તેઓ વધુ મજબૂતીથી લોકો વચ્ચે જશે. ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા દીદીએ મોટો ધડાકો કર્યો કે SIR (વોટર લિસ્ટ) માંથી જાણી જોઈને 90 લાખ નામો હટાવવામાં આવ્યા હતા. કોર્ટના હસ્તક્ષેપ બાદ માત્ર 32 લાખ નામો પાછા આવ્યા, છતાં લાખો મતદારોને મતાધિકારથી વંચિત રાખીને ભાજપે 'ગંદી રમત' રમી હોવાનો દાવો તેમણે કર્યો હતો. ભવિષ્યના પ્લાન અંગે સ્પષ્ટતા કરતા મમતાએ જણાવ્યું કે તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે INDI ગઠબંધનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓ તેમની મુલાકાતે આવી રહ્યા છે અને આગામી દિવસોમાં દિલ્હીના રાજકારણમાં બંગાળની આ હારની ગૂંજ સંભળાશે તે નક્કી છે. મમતાએ સ્પષ્ટ કર્યું કે તેઓ એક સામાન્ય કાર્યકરની જેમ લડત ચાલુ રાખશે. ભાજપ ભલે સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું હોય, પણ 'દીદી' હવે વિપક્ષના ચહેરા તરીકે નવી ઇનિંગ શરૂ કરવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે.
9 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:20 PM
ભારતની ફિક્સ્ડ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટની લડાઈઃ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે?

ભારતની ફિક્સ્ડ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટની લડાઈઃ કયો વિકલ્પ શ્રેષ્ઠ છે?

નવી દિલ્હી : જ્યારે વાત મહેનતની કમાણીને રોકવાની આવે ત્યારે દરેક ભારતીયના મનમાં પહેલો વિચાર 'સુરક્ષા' અને બીજો 'વળતર'નો આવે છે. વર્ષ 2026 ના આર્થિક માહોલમાં અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ વચ્ચે જોરદાર જંગ જામ્યો છે. જો તમે 1 વર્ષ માટે રોકાણ કરવા માંગતા હોવ, તો ખાનગી બેંકોની FD 7.40% સુધીના વ્યાજ સાથે થોડી વધુ આકર્ષક લાગે છે, કારણ કે તેમાં લિક્વિડિટી એટલે કે પૈસા છૂટા કરવાની સુવિધા ઝડપી મળે છે. જોકે, પોસ્ટ ઓફિસની 1 વર્ષની સ્કીમ પણ 6.9% વ્યાજ સાથે મજબૂત ટક્કર આપી રહી છે. ટૂંકા ગાળા માટે ભલે બેંકો આકર્ષક લાગે, પણ જેવું તમે 3 થી 5 વર્ષના રોકાણ તરફ નજર કરો છો, ત્યારે પોસ્ટ ઓફિસ મેદાન મારી જાય છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે SCSS માં 8.2% અને NSC માં 7.7% જેવું શાનદાર વ્યાજ મળી રહ્યું છે, જે મોટી બેંકોની તુલનામાં ઘણું વધારે છે. 5 વર્ષની પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરવાનો મોટો ફાયદો એ છે કે તેમાં સરકારી ગેરંટીની સાથે ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ટેક્સ બચતનો પણ લાભ મળે છે, જે બેંક FD માં માત્ર અમુક સ્પેશિયલ સ્કીમ્સમાં જ ઉપલબ્ધ હોય છે. આખરે પસંદગી તમારા લક્ષ્ય પર નિર્ભર કરે છે; જો તમારે ગમે ત્યારે પૈસાની જરૂર પડી શકે તેમ હોય, તો બેંક FD વધુ લવચીક છે કારણ કે તેમાં ઓનલાઈન ઉપાડ અને ઓવરડ્રાફ્ટની સુવિધા સરળતાથી મળે છે. પરંતુ જો તમે "રોકો અને ભૂલી જાવ" ની નીતિમાં માનતા હોવ અને મહત્તમ વ્યાજ સાથે 100% સરકારી સુરક્ષા ઈચ્છતા હોવ, તો પોસ્ટ ઓફિસની યોજનાઓ તમારા માટે 'સુપરહિટ' સાબિત થશે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે NSC અને 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ આજે પણ વળતરની દ્રષ્ટિએ સોનાની લગડી સમાન છે.
94 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:13 PM
અમદાવાદમાં ધોરણ 12નું પરિણામ નિરાશાજનક આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

અમદાવાદમાં ધોરણ 12નું પરિણામ નિરાશાજનક આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

અમદાવાદ: શહેરના નારોલવિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે,જેમાં અભ્યાસ અને પરિણામનાદબાણે વધુ એક તેજસ્વી જીવનનો અંત આણ્યો છે. તાજેતરમાંજાહેર થયેલા ધોરણ12સામાન્ય પ્રવાહના પરિણામ બાદ અપેક્ષા મુજબના ટકા ન આવતા એક વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું છે. વિગતોમુજબ,નારોલ વિસ્તારમાં રહેતી કાજલ પાલ નામનીવિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કાજલઆ વર્ષે ધોરણ12સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બેઠી હતી. પરિણામ જાહેર થતાતેને44ટકા પ્રાપ્ત થયા હતા. કાજલને તેના અભ્યાસમાં વધુ ઉંચી અપેક્ષાઓહતી,પરંતુ ધાર્યા મુજબનું પરિણામ ન આવતા તે છેલ્લા કેટલાક સમયથી માનસિકતણાવમાં હોવાનું મનાઈ રહ્યું છે આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવનીજાણ થતા નારોલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યોહતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની ઉંમરેવિદ્યાર્થિનીએ ભરેલા આ પગલાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.મનોચિકિત્સકો અને શિક્ષણવિદો ફરી એકવાર વાલીઓને અપીલ કરી રહ્યા છે કે બાળકોપર પરિણામનું દબાણ ન લાવે અને તેમને હિંમત આપે.
58 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:11 PM
પશ્ચિમ બંગાળમાં લગભગ સાત દાયકા પછી ભાજપે સંપૂર્ણ બહુમતી મેળવી છે.

પશ્ચિમ બંગાળમાં લગભગ સાત દાયકા પછી ભાજપે સંપૂર્ણ બહુમતી મેળવી છે.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. જે ભૂમિ પર ભારતીય જનસંઘનો પાયો નંખાયો હતો, તે જ ભૂમિ પર અંદાજે સાડા સાત દાયકા બાદ ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે સત્તાના દ્વાર ખોલ્યા છે. આ વિજય માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ ભાજપ માટે તેના પિતૃપુરૂષ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શો અને સપનાઓને સાકાર કરવાની એક ભાવનાત્મક ક્ષણ છે. પશ્ચિમ બંગાળની રાજનીતિએ આજે એક નવો ઈતિહાસ લખ્યો છે. હુગલીના મોજાંથી લઈને દાર્જિલિંગની ટેકરીઓ સુધી આજે ‘જય શ્રી રામ’ ના નારા ગુંજી રહ્યા છે, જે બંગાળના રાજકીય મિજાજમાં આવેલા વ્યાપક પરિવર્તનનો સંકેત છે. જે ભૂમિ પર ભારતીય જનસંઘનો પાયો નંખાયો હતો, તે જ ભૂમિ પર અંદાજે સાડા સાત દાયકાના લાંબા સંઘર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ (BJP) પૂર્ણ બહુમતી સાથે સત્તાના દ્વાર ખોલ્યા છે. ભાજપ માટે તેના પિતૃપુરૂષ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શોને સાકાર કરવાની એક અત્યંત ભાવુક ક્ષણ છે. ભાજપ માટે બંગાળમાં મળેલો આ વિજય માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રત્યે દરેક કાર્યકર્તા દ્વારા લેવામાં આવેલા ‘પિતૃસત્તાક ઋણ’ નું ચુકવણું છે. ભાજપના સ્થાપકોમાંના એક એવા પંડિત દીન દયાળ ઉપાધ્યાયના ‘કર્મ માર્ગ’ દ્વારા પક્ષે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો અગાઉ સરકારો બનાવી હતી, પરંતુ ડૉ. મુખર્જીના જન્મસ્થળ બંગાળમાં આ સ્વપ્ન સાકાર થતા 75 વર્ષ લાગ્યા છે. વર્ષ 2026 ના આ પરિણામોએ સાબિત કર્યું છે કે બંગાળના લોકોએ હવે તે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ ને સ્વીકાર્યો છે, જેનો પાયો દાયકાઓ પહેલા ડૉ. મુખર્જીએ નાખ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની (TMC) 15 વર્ષ જૂની મમતા બેનર્જી સરકારનો સૂર્ય અસ્ત થયો છે. ‘મા, માટી, માનુષ’ ના નારા સામે ભાજપે ‘સબકા સાથ, સબકા વિકાસ’ અને ‘બંગ સંસ્કૃતિનું રક્ષણ’ ની જે કથા રજૂ કરી, તેણે બંગાળના મધ્યમ વર્ગ અને ગ્રામીણ વસ્તીના મોટા ભાગને સ્પર્શી લીધો છે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ, બંગાળ જીતવું એ ભાજપ માટે એક વૈચારિક ચક્ર પૂર્ણ કરવા સમાન છે, કારણ કે ડૉ. મુખર્જીએ જ સૂત્ર આપ્યું હતું કે, "એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે."
88 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 05:09 PM
હિમેશ રેશમિયાએ માનુષી છિલ્લરનું નવું ગીત'શરબ'રિલીઝ કર્યું

હિમેશ રેશમિયાએ માનુષી છિલ્લરનું નવું ગીત'શરબ'રિલીઝ કર્યું

મુંબઈ: પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયા ફરી એકવાર તેમના ચાહકોને એક નવા ગીત "શરબ" થી ટ્રીટ કરી રહ્યા છે. આ હાઇ-એનર્જી ટ્રેક, જેનો પહેલો લુક ગાયકે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ગીતની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પહેલી વાર હિમેશ રેશમિયા અને અભિનેત્રી માનુષી છિલ્લરને સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ જોડીને સ્ક્રીન પર એકસાથે જોવી એ દર્શકો માટે ચોક્કસ એક રોમાંચક અનુભવ હશે. આ મ્યુઝિક વિડિયોનું દિગ્દર્શન અને કોરિયોગ્રાફી પ્રખ્યાત જોડી પીયૂષ અને શાઝિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ તેમના અનોખા ડાન્સ મૂવ્સ માટે જાણીતા છે. આ ગીત હિમેશ રેશમિયાએ પોતે ગાયું છે, પરંતુ આ વખતે, સંગીત રજત નાગપાલે આપ્યું છે. આ ગીતના શબ્દો રાણા સોટલ દ્વારા લખવામાં આવ્યા છે, અને યુવાનોને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે. હિમેશ રેશમિયાએ ઇન્સ્ટાગ્રામ પર ગીતનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, "જય માતા દી. ચાલો રોક થઈએ. એક સાંભળવું પૂરતું નથી. વાઇન માટે જોડાયેલા રહો. ટીઝર મંગળવારે રિલીઝ થશે, ફક્ત યુટ્યુબ ચેનલ પર." ગીતના પોસ્ટરનો પહેલો લુક રિલીઝ થયા પછી ચાહકો ઉત્સાહિત છે. ગીતમાં પોતાના ઉર્જાવાન ગીતો માટે જાણીતા હિમેશ અને ગ્લેમરસ માનુષી છિલ્લર વચ્ચેની કેમિસ્ટ્રી કેવી રીતે પ્રતિબિંબિત થશે તે જોવું રસપ્રદ રહેશે. પોસ્ટર જોઈને લાગે છે કે તે એક સ્ટાઇલિશ અને ભવ્ય રીતે ફિલ્માવવામાં આવેલ મ્યુઝિક વિડિયો હશે. હિમેશ રેશમિયાના નોન-ફિલ્મી આલ્બમ્સે ભારતીય સંગીત જગત પર ઊંડી અસર છોડી છે. તેમના આલ્બમ "આપ કા સુરૂર" ની 55 મિલિયનથી વધુ નકલો વેચાઈ હોવાના અહેવાલ છે, જે તેને "થ્રિલર" પછી બીજા ક્રમે વિશ્વનો સૌથી વધુ વેચાતો નોન-ફિલ્મી આલ્બમ બનાવે છે. હાલમાં, હિમેશ સલમાન ખાનની વખણાયેલી યુદ્ધ નાટક "માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ" ના સંગીત પર કામ કરવામાં વ્યસ્ત છે.
85 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 05:04 PM
ગુજરાતમાં લાંબા સમયથી ગરમીનો પ્રકોપ, તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં લાંબા સમયથી ગરમીનો પ્રકોપ, તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતવાસીઓને આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ 10 મે સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચું જ રહેશે અને પારો 40 થી 42 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. અમદાવાદમાં આજથી આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેટ્રોસિટીમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી પણ ઉપર જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 9 મેના રોજ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ છે. સતત વધતી ગરમીને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી શકે છે અને હવામાન વિભાગે લોકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
17 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:55 PM
ભારતે દરિયાઈ ક્ષેત્રને વેગ આપવા અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાને મંજૂરી આપી

ભારતે દરિયાઈ ક્ષેત્રને વેગ આપવા અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાને મંજૂરી આપી

નવી દિલ્હી : ભારતને દરિયાઈ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા અને મેરીટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક ‘શિપ રિપેર ફેસિલિટી’ (જહાજ સમારકામ કેન્દ્ર) સ્થાપવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૧૫૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.શું હશે આ હાઈટેક હબમાં ખાસ?દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. આ હાઈટેક સુવિધામાં ૬૫૦ મીટર લાંબી જેટી બનાવવામાં આવશે, જ્યાં વિશાળ જહાજો આસાનીથી લાંગરી શકશે. આ ઉપરાંત, બે મોટા ‘ફ્લોટિંગ ડ્રાય ડોક’ તૈયાર કરાશે, જેમાં જહાજોનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. અત્યાધુનિક વર્કશોપ અને ઓટોમેશન સિસ્ટમ સાથેનું આ હબ જહાજોના એન્જિન રિપેરિંગ અને માળખાકીય સુધારા માટે સજ્જ હશે.વાડીનાર જ કેમ પસંદ કરાયું?વાડીનારની ભૌગોલિક સ્થિતિ તેની સૌથી મોટી તાકાત છે. અહીં સમુદ્રની કુદરતી ઊંડાઈ વધુ હોવાથી ૩૦૦ મીટર સુધીના લાંબા અને વિશાળ જહાજો સરળતાથી આવી-જઈ શકે છે. વળી, આ સ્થળ મુન્દ્રા અને કંડલા જેવા મોટા બંદરોની નજીક હોવાથી અને મુખ્ય શિપિંગ રૂટ પર સ્થિત હોવાથી તેને શિપ રિપેર હબ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અત્યાર સુધી આવા મોટા જહાજોને સમારકામ માટે વિદેશ મોકલવા પડતા હતા, પરંતુ હવે આ સુવિધા દેશમાં જ ઉપલબ્ધ થશે.રોજગારી અને આર્થિક ફાયદોઆ પ્રોજેક્ટથી અંદાજે ૨૯૦ લોકોને સીધી અને ૧૧૦૦થી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળવાની સંભાવના છે. જહાજ સમારકામની સુવિધા દેશમાં જ શરૂ થવાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને સ્થાનિક MSME ઉદ્યોગો, સપ્લાય ચેઈન અને દરિયાઈ સેવાઓને મોટું પ્રોત્સાહન મળશે. હાલમાં કોચી, મુંબઈ અને ચેન્નાઈમાં આવી સુવિધાઓ છે, પરંતુ વાડીનારનું આ હબ ટેકનોલોજી અને ક્ષમતાની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ભારત વૈશ્વિક શિપ રિપેર માર્કેટમાં એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવશે.
85 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 04:53 PM
ભારતીય સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીઓના દુરૂપયોગની નિંદા કરી

ભારતીય સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીઓના દુરૂપયોગની નિંદા કરી

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે આજે જાહેર હિતની અરજીઓ (PIL) ના વધી રહેલા દુરુપયોગ અંગે ભારે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. સબરીમાલા રિવ્યુ કેસના સંદર્ભમાં સુનાવણી કરી રહેલી નવ ન્યાયાધીશોની બેન્ચે અવલોકન કર્યું હતું કે, PIL જેનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદોને ન્યાય અપાવવાનો હતો, તે હવે તેના રસ્તા પરથી ભટકી ગઈ છે.PIL ના નવા અર્થ: પબ્લિસિટી, પૈસા અને પોલિટિક્સસુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ અત્યંત આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, "PIL (Public Interest Litigation) હવે પ્રાઈવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન, પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન, પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન અને પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઈ છે. અમે માત્ર સાચી અને જેન્યુઈન PIL જ સ્વીકારીશું." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ આવા લેભાગુ તત્વોથી વાકેફ છે જેઓ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે અરજીઓ કરે છે.મીડિયા રિપોર્ટ્સ પર આધારિત અરજીઓ સામે CJI ની લાલ આંખચીફ જસ્ટિસ સૂર્યકાંતે પણ આ મુદ્દે સહમતિ દર્શાવતા કહ્યું હતું કે, માત્ર ન્યૂઝ આઈટમ કે મીડિયા રિપોર્ટ્સના આધારે કરવામાં આવતી અરજીઓને કચરાપેટીમાં ફેંકી દેવી જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું દરરોજ મળતા સેંકડો પત્રોને PIL માં ફેરવી શકાય? જસ્ટિસ નાગરત્નાએ ઉમેર્યું હતું કે, ઘણીવાર માત્ર PIL દાખલ કરવા માટે જાણી જોઈને આર્ટિકલ લખાવવામાં આવે છે, પરંતુ કોર્ટ આવી બાબતોથી છેતરાશે નહીં.સબરીમાલા બેન્ચની મહત્વની ટિપ્પણીCJI સૂર્યકાંત અને જસ્ટિસ નાગરત્ના ઉપરાંત આ બેન્ચમાં જસ્ટિસ સુંદરેશ, જસ્ટિસ અરવિંદ કુમાર સહિતના અન્ય ન્યાયાધીશો સામેલ છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે PIL ની પ્રક્રિયાનો ઉપયોગ કોઈની વિરુદ્ધ અંગત કિન્નાખોરી રાખવા અથવા રાજકીય બદલો લેવા માટે ન થવો જોઈએ. જ્યારે વકીલોએ દલીલ કરી કે PIL માં સુરક્ષાના નિયમો છે, ત્યારે જસ્ટિસ નાગરત્નાએ તુરંત ટકોર કરી હતી કે "તે નિયમોનું પાલન કરવામાં આવતું નથી."સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં ન્યાયતંત્ર 'પબ્લિસિટી સ્ટંટ' સમાન અરજીઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) દાખવશે અને માત્ર વાસ્તવિક લોકહિતના મુદ્દાઓને જ પ્રાધાન્ય આપશે.
31 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 04:49 PM
ભારતીય જુડોકા તાકેલમ્બમ ઇનુગાંબીએ એશિયન જુડો ચેમ્પિયનશિપ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભારતીય જુડોકા તાકેલમ્બમ ઇનુગાંબીએ એશિયન જુડો ચેમ્પિયનશિપ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો

ઓરડોસ સિટી (ચીન) : ચીનના ઓરડોસ સિટીમાં રમાયેલી એશિયન જુડો ચેમ્પિયનશિપ ૨૦૨૬માં મણિપુરની ટાખેલમ્બમ ઇનુગંબીએ કાંસ્ય પદક (Bronze Medal) જીતીને ભારતીય રમતજગત માટે એક નવો ઈતિહાસ રચ્યો છે. છેલ્લા ૧૩ વર્ષથી ભારત આ ખંડિય સ્તરે મેડલની રાહ જોઈ રહ્યું હતું, જે રાહનો અંત ઇનુગંબીએ પોતાની પ્રતિભા અને સંઘર્ષના જોરે લાવ્યો છે. છેલ્લે ૨૦૧૩માં અનીતા ચાનુએ ભારત માટે મેડલ જીત્યો હતો, જે સંયોગવશ અત્યારે ઇનુગંબીની મેન્ટર છે.ઈજા બાદ કેટેગરી બદલવી પડી, પણ હિંમત ન હારીઇનુગંબીની આ સફર બિલકુલ આસાન નહોતી. ૨૦૧૮માં ગંભીર ACL ઈજાને કારણે તેની કારકિર્દી જોખમમાં મુકાઈ હતી. અગાઉ ૬૩ કિલોગ્રામ કેટેગરીમાં રમતી ઇનુગંબીએ સર્જરી બાદ વજન જાળવી રાખવામાં મુશ્કેલી પડતા ૭૦ કિલોગ્રામની નવી કેટેગરીમાં શિફ્ટ થવું પડ્યું હતું. શરૂઆતમાં ભારે વજનના હરીફો સામે લડવું મુશ્કેલ હતું, પરંતુ તેણે ટેક્ટિકલ ગેમ અને ગ્રાઉન્ડ ટેકનિક પર ભાર મૂકીને આજે એશિયા સ્તરે પોતાની તાકાત બતાવી દીધી છે.પતિનો સાથ અને ઓલિમ્પિકનું સપનુંઇનુગંબી પોતાની આ સફળતાનો શ્રેય તેના પતિ આશિષ કુમાર ચૌધરીને આપે છે, જે પોતે એક ઓલિમ્પિયન બોક્સર છે. આશિષે પોતાની કારકિર્દીમાં જે કમી અનુભવી હતી, તે ઇનુગંબીના મેડલ દ્વારા પૂરી કરવા માંગે છે. ઇનુગંબીએ જણાવ્યું કે, "મારા પતિ હંમેશા કહે છે કે તારે જીતવું જરૂરી છે, માત્ર તારા માટે નહીં પણ ભારતની આવનારી પેઢી માટે. જો એક વ્યક્તિ જીતશે, તો બાકીનાને પણ વિશ્વાસ બેસશે કે તેઓ પણ જીતી શકે છે."હવે નજર કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ પરઆ ઐતિહાસિક જીત બાદ હવે ઇનુગંબીનું આગામી લક્ષ્ય ૨૦૨૬ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ અને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ છે. તે માને છે કે આ સ્પર્ધાઓમાં સારા પરિણામો મેળવીને તે ૨૦૨૮ની લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા અને ત્યાં પણ ભારતનો તિરંગો લહેરાવવા પૂરી રીતે તૈયાર છે.મણિપુર જેવા સંઘર્ષગ્રસ્ત રાજ્યમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકનારી ઇનુગંબી આજે લાખો ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે.
66 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 04:46 PM
ગુજરાત પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, હત્યાના કેસ સાથે જોડાણો ઉઘાડા પાડ્યા

ગુજરાત પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, હત્યાના કેસ સાથે જોડાણો ઉઘાડા પાડ્યા

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા આંતરરાજ્ય સાયબર ફ્રોડ કરતી એક ખતરનાક ગેંગનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત કાર્યવાહી કરીને પોલીસે અંદાજે ₹53.55 કરોડના નાણાકીય ફ્રોડમાં સંડોવાયેલા 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ ભારતભરના વિવિધ રાજ્યોમાં સક્રિય હતી અને તેમની સામે અત્યાર સુધીમાં 132 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ઓપરેશન દ્વારા ગુજરાત પોલીસે ડિજિટલ અપરાધ જગતને મોટો ઝટકો આપ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે બાતમીના આધારે આણંદ અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કુલ 197 જેટલા બેંક એકાઉન્ટ ઓપરેટ કરતી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ લોકો સીધા ખાતાધારક તરીકે કામ કરતા હતા, જેમના ખાતામાં ફ્રોડની રકમ જમા કરાવવામાં આવતી હતી. આ તપાસ દરમિયાન સૌથી મોટો ધડાકો એ થયો છે કે આ સાયબર ગેંગના તાર મુંબઈના ચકચારી બાબા સિદ્દીકી મર્ડર કેસ સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસને મળેલા કનેક્શન મુજબ, આ ગેંગ દ્વારા મર્ડર કેસના ગુનેગારોને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી હોવાની આશંકા છે. આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલન સાધવામાં આવી રહ્યું છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના SP ડો. રાજદીપ સિંહ ઝાલાએ મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું કે, આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા ₹53.55 કરોડની રકમ ક્યાં રોકવામાં આવી છે અને આ નેટવર્ક સાથે બીજા કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તે દિશામાં હાલ તજવીજ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ગેંગના અન્ય સાગરીતો પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
92 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 04:42 PM
ગૂગલ અને ઓપન-એ. આઈ. એ એ. આઈ. નમૂનાઓમાં ભાવનાત્મક બુદ્ધિ રજૂ કરી

ગૂગલ અને ઓપન-એ. આઈ. એ એ. આઈ. નમૂનાઓમાં ભાવનાત્મક બુદ્ધિ રજૂ કરી

નવી દિલ્હી: ટેકનોલોજીની દુનિયામાં આજે એક નવો અધ્યાય લખાયો છે. ગૂગલ અને ઓપન-એઆઈ દ્વારા એવા એડવાન્સ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા છે જે 'ઈમોશનલ ઈન્ટેલિજન્સ' (EQ) થી સજ્જ છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે મશીન પાસે હૃદય કે લાગણી નથી હોતી, પણ આ નવા અપડેટ બાદ AI તમારા અવાજની ફ્રીક્વન્સી અને ટોન પરથી તમે ખુશ છો, થાકેલા છો કે ચિંતામાં છો તે જાણી શકશે. આ ક્રાંતિથી કસ્ટમર સર્વિસ, હેલ્થકેર અને પર્સનલ આસિસ્ટન્ટના ક્ષેત્રમાં ધરખમ ફેરફારો આવશે.આ નવી સિસ્ટમમાં 'વોઈસ ઈમોશન રેકગ્નિશન' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તમે AI સાથે વાત કરશો, ત્યારે તે માત્ર તમારા શબ્દો નહીં, પણ તમારા અવાજમાં રહેલી ધ્રુજારી, વાત કરવાની ઝડપ અને શ્વાસ લેવાની પદ્ધતિનું પણ મિલિસેકન્ડમાં વિશ્લેષણ કરશે. જો કોઈ યુઝર તણાવમાં હશે, તો આ AI તેને શાંત પાડવા માટે ધીમા અને મધુર અવાજમાં વાત કરશે. એટલું જ નહીં, મનોચિકિત્સકોના મતે આ ટેકનોલોજી ડિપ્રેશન અને માનસિક બીમારીઓ પારખવામાં પણ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ બીજી તરફ, પ્રાઈવસીના જાણકારો ચેતવણી આપી રહ્યા છે કે જો મશીન આપણી લાગણીઓ પણ વાંચવા માંડશે, તો માનવીની ખાનગી પળો પર પણ ટેકનોલોજીનો પહેરો ગોઠવાઈ જશે!
78 shares
😐
S
Sambhav Metro
May 5, 2026, 04:36 PM
રહસ્યમય અર્ધ-ચંદ્રઃ તેની આંશિક દૃશ્યતાના રહસ્યને ગૂંચ કાઢવું

રહસ્યમય અર્ધ-ચંદ્રઃ તેની આંશિક દૃશ્યતાના રહસ્યને ગૂંચ કાઢવું

બાળપણમાં આપણે ચાંદામામાની ઘણી વાર્તાઓ સાંભળી હશે. ચંદ્ર કોઈ ને કોઈ રૂપમાં આપણા જીવન સાથે જોડાયેલો છે. ચંદ્રનાં ઘણાં રોમાંચક તથ્યો સમયાંતરે સામે આવતાં રહે છે, પરંતુ શું તમે એ ક્યારેય વિચાર્યું છે ખરું કે રાતે ચમકતો ચંદ્ર ઘણી વાર અડધો જ શા માટે દેખાય છે?
69 shares
😐
A
Akila News
May 5, 2026, 04:36 PM
ગૂગલનું સરળ હોમપેજઃ વપરાશકર્તા અનુભવ માટે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન પસંદગી

ગૂગલનું સરળ હોમપેજઃ વપરાશકર્તા અનુભવ માટે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન પસંદગી

નવી દિલ્હી : ગૂગલ આજે વિશ્વની સૌથી મોટી એડવર્ટાઈઝિંગ કંપની છે, જેની મોટાભાગની કમાણી જાહેરાતો દ્વારા થાય છે. જો ગૂગલ ધારે તો તેના હોમપેજ પર એક નાનકડી જાહેરાત મૂકીને દરરોજ અબજો રૂપિયાની વધારાની કમાણી કરી શકે છે, કારણ કે સેકન્ડોમાં લાખો લોકો આ પેજની મુલાકાત લે છે. પરંતુ, વર્ષોથી ગૂગલનું હોમપેજ એકદમ સાદું અને સફેદ જ રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ 'યુઝર એક્સપિરિયન્સ' છે. ગૂગલ માને છે કે જો હોમપેજ પર જાહેરાતો કે અન્ય માહિતી ભરવામાં આવે, તો પેજ લોડ થવામાં સમય લાગશે અને યુઝરનું ધ્યાન ભટકશે. ગૂગલની સફળતાનું રહસ્ય જ તેની ઝડપ અને સરળતામાં છુપાયેલું છે. શરૂઆતના દિવસોમાં ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન પાસે એટલું મોટું બજેટ નહોતું અને તેમને હાઈ-લેવલની કોડિંગની વધુ જાણકારી નહોતી, જેથી તેમણે હોમપેજને એકદમ સાદું રાખ્યું હતું. સમય જતાં આ સાદગી જ ગૂગલની ઓળખ બની ગઈ. કંપની જાણે છે કે જો યુઝરને જે જોઈએ છે તે ઝડપથી મળી જાય, તો તે વારંવાર ગૂગલ પર આવશે. હોમપેજ પર જાહેરાતો ન આપીને ગૂગલ યુઝર્સનો વિશ્વાસ જીતે છે કે તેમનો હેતુ માત્ર માહિતી આપવાનો છે, નહીં કે બળજબરીથી જાહેરાતો બતાવવાનો. આ સ્ટ્રેટેજીને કારણે જ આજે ગૂગલ સર્ચ એન્જિન માર્કેટમાં એકહથ્થુ શાસન ભોગવે છે. જોકે, એવું નથી કે ગૂગલ કમાણી નથી કરતું. હોમપેજ ખાલી રાખીને ગૂગલ યુઝરને સર્ચ રિઝલ્ટ પેજ સુધી લઈ જાય છે, જ્યાં અસલી ખેલ શરૂ થાય છે. એકવાર તમે સર્ચ બોક્સમાં કંઈક ટાઈપ કરો, પછી ગૂગલ તમને સંબંધિત જાહેરાતો બતાવે છે. આ પદ્ધતિથી જાહેરાતો ટાર્ગેટેડ બને છે અને ગૂગલને વધુ નફો થાય છે. આમ, ગૂગલનું ખાલી હોમપેજ એ કોઈ ભૂલ નથી, પરંતુ એક ખૂબ જ વિચારેલી 'બિઝનેસ રણનીતિ' છે. કંપનીએ સાબિત કર્યું છે કે ક્યારેક 'કંઈ ન બતાવવું' એ 'ઘણું બધું બતાવવા' કરતાં વધુ નફાકારક હોઈ શકે છે.
50 shares
😐
S
Sambhav Metro
May 5, 2026, 04:36 PM
અમદાવાદની પાણી ભરાવાની દુર્દશાઃ AMCએ અનિયમિતતાઓ વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ અભિયાન શરૂ કર્યું

અમદાવાદની પાણી ભરાવાની દુર્દશાઃ AMCએ અનિયમિતતાઓ વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ અભિયાન શરૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરનાં ભૂગર્ભ જળસ્તર ઊંચાં લાવવા અને ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ' અને પરકોલેટિંગ વેલ બનાવવાનું અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, જોકે આ ઉમદા હેતુની આડમાં શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારો જેવા કે સાયન્સ સિટી, સોલા, ગોતા અને નારણપુરામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદો ઊઠી છે. સોસાયટીના સત્તાધીશો દ્વારા જળસંચય માટે ફાળવવામાં આવેલી જગ્યાઓનો વ્યાવસાયિક કે વહીવટી દુરુપયોગ કરવામાં આવતો હોવાની વિગતો પ્રકાશમાં આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
49 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:35 PM
લોજિસ્ટિક્સ કંપનીએ અકાસા એરલાઇન્સ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી

લોજિસ્ટિક્સ કંપનીએ અકાસા એરલાઇન્સ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી

અમદાવાદથી બેંગલુરુ મોકલવામાં આવેલું કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાનું પાર્સલ રહસ્યમય રીતે ગુમ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ ગંભીર મામલે લોજિસ્ટિક કંપનીએ અકાસા એરલાઇન્સ કંપની વિરુદ્ધ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા બલવીરસિંહ રાઠોડ, જે સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યોરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમની કંપની દેશભરમાં કીમતી પાર્સલનાં હેન્ડલિંગ અને ડિલિવરી કરે છે.
67 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:34 PM
અમદાવાદની પાર્કિંગની દુર્દશાઃ વાહનોની ભીડ વચ્ચે નિયમ યુદ્ધ ફાટી નીકળ્યું

અમદાવાદની પાર્કિંગની દુર્દશાઃ વાહનોની ભીડ વચ્ચે નિયમ યુદ્ધ ફાટી નીકળ્યું

અમદાવાદ સહિતનાં શહેરોની સોસાયટીઓમાં પાર્કિંગ હવે માત્ર સુવિધાનો મુદ્દો નથી રહ્યો, પરંતુ દૈનિક વિવાદ-વિખવાદનું મુખ્ય કારણ બની ગયો છે. ગાડીઓની વધતી સંખ્યા વચ્ચે સોસાયટી સ્તરે બનાવાયેલા અલગ-અલગ નિયમો અને એએમસીની ગાઈડલાઈન વચ્ચેનો ગેપ રૂલ વોર જેવી સ્થિતિ ઊભી કરી રહ્યો છે, જ્યાં ગાડી કરતાં ઝઘડાઓ વધારે જોવા મળી રહ્યા છે. ઘણી સોસાયટીઓમાં ‘ફર્સ્ટ-કમફર્સ્ટ પાર્ક'નો નિયમ છે તો ક્યાંક ફિક્સ પાર્કિંગ આપવામાં આવ્યું છે, પરંતુ ગેસ્ટ પાર્કિંગ, સેકન્ડ કાર અને રેન્ટ પર રહેતા લોકો માટે કોઈ સ્પષ્ટ પો
35 shares
😐
S
Sambhav Metro
May 5, 2026, 04:34 PM
બર્મુડામાં પ્રાચીન જળ પ્રણાલીઃ ઇજનેરીનો ચમત્કાર

બર્મુડામાં પ્રાચીન જળ પ્રણાલીઃ ઇજનેરીનો ચમત્કાર

આકહાણી છે ઉત્તર એટલાન્ટિકના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બરમુડા ટાપુની, જ્યાં ના તો કોઈ મોટી નદી છે કે ના કોઈ પ્રાકૃતિક સરોવરઝરણાં...તો પણ અહીંના લોકોએ ૪૦૦ વર્ષ પહેલાં એવી જળપ્રણાલી વિકસિત કરી હતી, જે આજના આધુનિક યુગમાં પણ દુનિયા માટે એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.
27 shares
😐
S
Sambhav Metro
May 5, 2026, 04:34 PM
કાકડીઃ હાઇડ્રેશન અને આરોગ્ય માટે ઉનાળામાં મુખ્ય વસ્તુ

કાકડીઃ હાઇડ્રેશન અને આરોગ્ય માટે ઉનાળામાં મુખ્ય વસ્તુ

ઉનાળાનો પ્રારંભ થતાં જ કાકડીનો ઉપયોગ વધી જાય છે. ઘણા લોકો સલાડ તરીકે કાકડી ખાવાનું પસંદ કરે છે. કાકડીમાં પાણી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે પોષક તત્ત્વોનું પ્રમાણ પણ વધુ હોવાથી શરીર તંદુરસ્ત રહે છે. શરીરને ડાઈડ્રેટેડ રાખવાની સાથે સ્કિન ગ્લો કરવા પણ કાકડી મહત્ત્વનો ભાગ ભજવે છે, જોકે કાકડી ખાધા બાદ તરત પાણી પીવાથી જરૂરી પોષક તત્ત્વો શરીરને મળતાં નથી? આ ઉપરાંત પાચનતંત્રની પ્રક્રિયામાં પણ ખલેલ પહોંચે છે. ઘણી વાર આ ખલેલ નુકસાનકારક બની જાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજનમાં કાકડીના સલા
86 shares
😊
A
Akila News
May 5, 2026, 04:33 PM
માતાએ મુંબઈની શેરીમાં ત્રણ બાળકોને ત્યજી દીધા, પોલીસે તપાસ શરૂ કરી

માતાએ મુંબઈની શેરીમાં ત્રણ બાળકોને ત્યજી દીધા, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાંથી માતૃત્વને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક તરફ દુનિયાભરમાં માતાના પ્રેમ અને બલિદાનના કિસ્સાઓ સંભળાય છે, ત્યારે અહીં એક માતાએ પોતાના જ કાળજાના ત્રણ ટુકડાઓને રસ્તાની ફૂટપાથ પર નોંધારા છોડી દીધા હતા. ભૂખ્યા અને તરસ્યા આ બાળકો જ્યારે રસ્તા પર રડતા હતા, ત્યારે એક પરોપકારી મહિલાની નજર પડતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ આ ત્રણેય બાળકો પોલીસના સંરક્ષણમાં છે અને તેમની માતાની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના સોમવારે સવારે ડોમ્બિવલી પશ્ચિમમાં આવેલી તુલસીરામ બંગલા સોસાયટી પાસે બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એક મહિલા તેના ત્રણ નાના બાળકો સાથે ત્યાં આવી હતી. બાળકો ભૂખ્યા હોવાથી રડતા હતા, ત્યારે માતાએ "હું હમણાં જ તમારા માટે જમવાનું લઈને આવું છું" તેમ કહીને તેમને રસ્તા કિનારે બેસાડી દીધા હતા. જોકે, કલાકો વીતી જવા છતાં માતા પરત ન ફરતા બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. જ્યારે આ માસૂમ બાળકો રસ્તા પર રઝળતા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા જયશ્રી યાદવ નામના મહિલાની નજર તેમના પર પડી. બાળકોની ઉંમર અંદાજે એક, બે અને ત્રણ વર્ષની હોવાનું જણાય છે. બાળકોની વ્યાકુળતા જોઈ જયશ્રીબેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે તરત જ ત્રણેય બાળકોને પોતાની પાસે લીધા, તેમને શાંત કર્યા અને વિષ્ણુ નગર પોલીસ સ્ટેશને જઈને સમગ્ર હકીકત જણાવી. તેમની આ તત્પરતાને કારણે બાળકો સુરક્ષિત હાથોમાં પહોંચી શક્યા છે. વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રામ ચોપડેએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આર્થિક તંગી અથવા કૌટુંબિક ઝઘડાને કારણે માતાએ બાળકોનો ત્યાગ કર્યો હોય શકે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી તે મહિલાની ઓળખ થઈ શકે. આ ઘટનાએ સમગ્ર મુંબઈમાં ચર્ચા જગાવી છે અને લોકો માતાની આ ક્રૂરતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
18 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:33 PM
ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 21ના મોત, 61 ઘાયલ

ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 21ના મોત, 61 ઘાયલ

ચીનના મધ્ય હુનાન પ્રાંતના લિયુયાંગ શહેરમાં ગઈ કાલે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૧ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે અને અન્ય ૬૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
63 shares
😢
A
Akila News
May 5, 2026, 04:32 PM
ભારતીય રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છેઃ મમતાનું શાસન સમાપ્ત થયું, નવી મહિલા નેતા ઊભી થઈ

ભારતીય રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છેઃ મમતાનું શાસન સમાપ્ત થયું, નવી મહિલા નેતા ઊભી થઈ

તિરુવનંતપુરમ : ભારતીય રાજકારણમાં ૪ મે ૨૦૨૬ની તારીખ બે મોટા પરિવર્તનોની સાક્ષી બની છે. એક તરફ પશ્ચિમ બંગાળમાં ૧૫ વર્ષ જૂના 'મમતા શાસન'નો અંત આવ્યો, તો બીજી તરફ કેરળની ધરતી પર એક નવી 'જુઝારૂ' મહિલા નેતાનો ઉદય થયો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) ના યુવા નેતા એડવોકેટ ફાતિમા તહિલિયાએ પેરમ્બરા બેઠક જીતીને ૭૦ વર્ષ જૂનો ઇતિહાસ બદલી નાખ્યો છે. તેમણે સીપીએમના દિગ્ગજ નેતા ટી.પી. રામકૃષ્ણનને હરાવીને તે સિદ્ધિ મેળવી છે જે અત્યાર સુધી કોઈ મહિલા કરી શકી નહોતી.પુરુષ પ્રધાન પક્ષની પ્રથમ મહિલા ધારાસભ્યમુસ્લિમ લીગ (IUML) ને અત્યાર સુધી હંમેશા પુરુષ પ્રધાન પાર્ટી માનવામાં આવતી હતી. છેલ્લા સાત દાયકામાં આ પક્ષે ક્યારેય કોઈ મહિલાને વિધાનસભામાં મોકલી નહોતી. પરંતુ આ વખતે રાહુલ ગાંધીના વિશેષ આગ્રહ અને UDF ની નવી વ્યૂહરચના હેઠળ ફાતિમા તહિલિયા પર દાવ ખેલવામાં આવ્યો હતો. ફાતિમાએ માત્ર ચૂંટણી જીતી જ નથી, પરંતુ સીપીએમના મજબૂત કિલ્લામાં ગાબડું પાડીને પોતાની પાર્ટી માટે નવો ઇતિહાસ રચ્યો છે. તેમની આ જીતની સરખામણી ૧૯૮૪માં મમતા બેનર્જીએ જાદવપુરમાં સોમનાથ ચેટર્જીને હરાવીને મેળવેલી જીત સાથે કરવામાં આવી રહી છે.સંઘર્ષ અને રાહુલ ગાંધીનો સાથ૩૪ વર્ષીય એડવોકેટ ફાતિમા તહિલિયા એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમણે કોલેજના દિવસોથી જ 'MSF' દ્વારા પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. હિજાબ વિવાદથી લઈને વિદ્યાર્થીઓના હિતો સુધી, ફાતિમાએ રસ્તાઓ પર ઉતરીને લાઠીઓ ખાધી છે અને અનેક કેસોનો સામનો કર્યો છે. તેમની આ જીતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોટી ભૂમિકા માનવામાં આવે છે. વાયનાડ અને આસપાસના વિસ્તારોમાં રાહુલે ફાતિમા માટે કરેલા આક્રમક પ્રચારે મહિલા મતદારોને UDF તરફ વાળવામાં મદદ કરી છે. કેરળ ચૂંટણી ૨૦૨૬માં UDF ૧૦૦ થી વધુ બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી રહ્યું છે, અને આ જીતની સૌથી મોટી 'પોસ્ટર ગર્લ' ફાતિમા તહિલિયા બની છે.નવા અધ્યાયની શરૂઆતબંગાળમાંથી મમતાની વિદાય અને કેરળમાં ફાતિમાનું આગમન એ સંકેત આપે છે કે ભારતીય રાજકારણમાં સંઘર્ષશીલ મહિલા નેતૃત્વની જગ્યા ક્યારેય ખાલી રહેતી નથી. એક સમયે કોઝિકોડ કોર્પોરેશનની કાઉન્સિલર રહી ચૂકેલા ફાતિમા હવે વિધાનસભામાં પહોંચ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું ફાતિમા આવનારા સમયમાં કેરળની કેબિનેટમાં મુસ્લિમ લીગના પ્રથમ મહિલા મંત્રી બનીને વધુ એક ઇતિહાસ રચશે?કેરળમાં તેમને 'સમુદાયની દીકરી' (કૌમિન્તે કુટ્ટી) તરીકે ઓળખવામાં આવી રહ્યા છે, અને લોકો તેમનામાં મમતા બેનર્જી જેવી જ નિર્ભયતા જોઈ રહ્યા છે.
52 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:31 PM
થલપતિ વિજયની પાર્ટી ટીવીકેએ સ્થાપિત દ્રવિડ પક્ષોને પડકારતા તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં આગેવાની લીધી

થલપતિ વિજયની પાર્ટી ટીવીકેએ સ્થાપિત દ્રવિડ પક્ષોને પડકારતા તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં આગેવાની લીધી

તામિલનાડુના રાજકારણમાં આ વખતની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો માત્ર સત્તા પરિવર્તનનો સ્પષ્ટ સંકેત નથી, પરંતુ વિચારધારાના પરિવર્તનનો પણ સંકેત છે. અભિનેતામાંથી નેતા બનેલા થલપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ તામિલનાડુમાં સ્થાપિત દ્રવિડ પક્ષોના વર્ચસ્વને પડકારીને પોતાની જાતને ગેમ ચેન્જર સાબિત કરી છે. વિજયની પાર્ટી તમિલગ વેટ્રી કઝગમ (ટીવીકે) ૧૦૮ બેઠક પર જીત મેળવીને સૌથી આગળ રહી છે, પરંતુ બહુમતીના ૧૧૮ના જાદુઈ આંકડાથી હજ
54 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 04:30 PM
પેરાગ્વેએ વિદેશી રોકાણને આકર્ષવા માટે'ઇન્વેસ્ટર પાસ "વિઝા નીતિ શરૂ કરી

પેરાગ્વેએ વિદેશી રોકાણને આકર્ષવા માટે'ઇન્વેસ્ટર પાસ "વિઝા નીતિ શરૂ કરી

અસુન્સિઓન :: દક્ષિણ અમેરિકાના સુંદર દેશ પેરાગ્વેએ વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે એક નવી અને સરળ વિઝા નીતિ 'ઇન્વેસ્ટર પાસ' (Investor Pass) ની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ, હવે દુનિયાભરના રોકાણકારો પેરાગ્વેમાં નિર્ધારિત રકમનું રોકાણ કરીને ખૂબ જ સરળતાથી કાયમી રહેઠાણ (Permanent Residency) મેળવી શકશે. સરકારનો હેતુ આધુનિક સિસ્ટમ દ્વારા રોકાણની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.રોકાણની વિવિધ શ્રેણીઓ અને નિયમોપેરાગ્વે સરકારે રોકાણકારો માટે મુખ્ય ચાર કેટેગરી નક્કી કરી છે:• ઉદ્યોગ અને વેપાર: જો તમે ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં ઓછામાં ઓછું $૭૦,૦૦૦ (અંદાજે ૫૮ લાખ રૂપિયા) નું રોકાણ કરો અને ૫ સ્થાનિક લોકોને નોકરી આપો, તો તમે PR માટે પાત્ર ઠરશો.• નાણાકીય રોકાણ: જેઓ સક્રિય બિઝનેસ કરવા નથી માંગતા, તેઓ નાણાકીય સાધનોમાં $૨૦૦,૦૦૦ નું રોકાણ કરી શકે છે, જે ઓછામાં ઓછા બે વર્ષ માટે રાખવું અનિવાર્ય છે.• રિયલ્ટી સેક્ટર: રિયલ એસ્ટેટમાં $૨૦૦,૦૦૦ નું રોકાણ કરીને પણ આ વિઝા મેળવી શકાય છે, પરંતુ આ મિલકત આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવી જોઈએ.• પર્યટન ક્ષેત્ર: પ્રવાસન પ્રોજેક્ટ્સ માટે $૧૫૦,૦૦૦ ના રોકાણની મર્યાદા નક્કી કરવામાં આવી છે.સુરક્ષા અને તપાસમાં કોઈ બાંધછોડ નહીંપેરાગ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 'ગોલ્ડન વિઝા' આપતા પહેલા રોકાણકારોની કડક તપાસ કરવામાં આવશે. મની લોન્ડરિંગ રોકવા માટે ફંડના સ્ત્રોતની જાહેરાત કરવી પડશે અને ગુનાહિત રેકોર્ડની ચકાસણી પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રોકાણ ખરેખર દેશના વિકાસમાં વપરાય છે કે નહીં તેનું સમયાંતરે મોનિટરિંગ પણ કરવામાં આવશે.શા માટે પેરાગ્વે પસંદ કરવું?પેરાગ્વે તેની સ્થિર અર્થવ્યવસ્થા અને અનુકૂળ ટેક્સ સિસ્ટમ માટે જાણીતું છે. આ નવા કાર્યક્રમથી એવા ભારતીય રોકાણકારોને ફાયદો થઈ શકે છે જેઓ દક્ષિણ અમેરિકામાં બિઝનેસ વિસ્તારવા માંગે છે અથવા ઓછા રોકાણમાં બીજા દેશનું નાગરિકત્વ મેળવવા ઈચ્છે છે.
83 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:24 PM
આબોહવા પરિવર્તનને કારણે નાટકીય પરિવર્તનનો અનુભવ કરવા માટે ભારતની હવામાન પદ્ધતિઓ

આબોહવા પરિવર્તનને કારણે નાટકીય પરિવર્તનનો અનુભવ કરવા માટે ભારતની હવામાન પદ્ધતિઓ

લખનૌ: વર્ષ ૨૦૨૬માં ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાનનો મિજાજ એકદમ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં અનેક જિલ્લાઓમાં ભારે તોફાન અને વરસાદ સાથે મોટા કદના કરા પડવાની ઘટનાઓ બની છે. હવામાન વિજ્ઞાનીઓના મતે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આબોહવા પરિવર્તન (Climate Change)નો એક ગંભીર સંકેત છે.કરા કેવી રીતે બને છે? (વૈજ્ઞાનિક પ્રક્રિયા)હવામાનશાસ્ત્રીઓ જણાવે છે કે, જ્યારે ગરમ હવા ખૂબ જ ઝડપથી આકાશમાં ઉપર જાય છે ત્યારે 'ક્યુમ્યુલોનિમ્બસ' (Cumulonimbus) નામના ઘટ્ટ વાદળો બંધાય છે. આ વાદળો ખૂબ ઊંચા હોય છે. ગરમીને કારણે વરાળ બનેલું પાણી જ્યારે અત્યંત ઊંચાઈએ પહોંચે છે, જ્યાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે હોય છે, ત્યારે તે બરફના કણમાં ફેરવાઈ જાય છે. આ કણો પર વારંવાર ઠંડા પાણીના સ્તર જામતા તે ભારે થઈ જાય છે અને પૃથ્વી પર કરા સ્વરૂપે પડે છે. યુપી-બિહારમાં આ વખતે કરાનું કદ ઘણું મોટું જોવા મળ્યું છે.શા માટે આ વર્ષે કરાનો મારો વધ્યો?વિજ્ઞાનીઓએ આ માટે મુખ્ય બે કારણો આપ્યા છે:૧. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ): આ વર્ષે પશ્ચિમથી આવતી હવાઓ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ સક્રિય રહ્યું છે. તેની વારંવારની હાજરીને કારણે મે મહિના સુધી મેદાની વિસ્તારોમાં આંધી અને વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.૨. ક્લાયમેટ ચેન્જ: ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ગરમ હવા વધુ ભેજ શોષી શકે છે. જ્યારે આ ગરમ હવા અને ભેજ અચાનક ઠંડી હવા સાથે અથડાય છે, ત્યારે વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે, જે કરા અને વીજળીના કડાકા સાથેના તોફાનમાં પરિણમે છે.ખેતી અને બાગાયતને મોટું નુકસાનઅકાળે પડેલા આ કરાના વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. મે મહિનામાં જ્યારે કેરી અને લીચીના પાક તૈયાર થવાની અણી પર હોય છે, ત્યારે આ કુદરતી આફતે બગીચાઓમાં ભારે તારાજી સર્જી છે. માત્ર પાક જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને મકાનોને પણ આ મોટા કરાથી નુકસાન પહોંચ્યું છે.ભવિષ્ય માટે ચેતવણીભારતીય હવામાન વિભાગ (IMD) અને અન્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આગામી વર્ષોમાં આવી ઘટનાઓની તીવ્રતા હજુ વધી શકે છે. વાતાવરણમાં વધતી અસ્થિરતા એ વાતનો પુરાવો છે કે પ્રકૃતિ સાથેનું સંતુલન બગડી રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે, હવે આપણે આવા અણધાર્યા હવામાન માટે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે.
26 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:21 PM
પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ મહાધિવક્તા કિશોર દત્તાએ રાજીનામું આપ્યું

પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ મહાધિવક્તા કિશોર દત્તાએ રાજીનામું આપ્યું

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના શાનદાર વિજય અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પતન બાદ રાજ્યના વહીવટી અને કાયદાકીય માળખામાં ફેરફારોનો દોર શરૂ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ૨૦૨૬ની ચૂંટણીમાં ભાજપને ૨૦૭ બેઠકો સાથે મળેલા પ્રચંડ જનાદેશના માત્ર ૨૪ કલાકમાં જ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકીય પરિવર્તન અને વહીવટી સંકેતકિશોર દત્તાનું રાજીનામું એ રાજ્યમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત માનવામાં આવે છે. સામાન્ય રીતે, જ્યારે રાજ્યમાં નવી સરકાર આવે છે, ત્યારે એડવોકેટ જનરલ જેવા મહત્વના બંધારણીય પદો પર નવી નિમણૂકો થતી હોય છે. જોકે, પરિણામોના બીજા જ દિવસે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. TMC સરકારના સમયમાં અનેક મહત્વના કાયદાકીય કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કરનાર દત્તાએ હવે પદ છોડતા નવી સરકાર માટે માર્ગ મોકળો થયો છે.TMC નું વર્ચસ્વ ઘટતા સંસ્થાઓમાં હલચલચૂંટણીમાં TMC ના ફાળે માત્ર ૮૦ બેઠકો આવતા અને મમતા બેનર્જીની સત્તા છીનવાઈ જતાં, હવે રાજ્યની વિવિધ સરકારી સંસ્થાઓ અને વહીવટી વિભાગોમાં મોટા પાયે ફેરબદલ થવાની પુરી શક્યતા છે. આગામી દિવસોમાં નવા એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવશે, જે નવી સરકારના કાયદાકીય એજન્ડાને કોર્ટમાં રજૂ કરશે.આ ફેરફાર માત્ર કાયદાકીય વિભાગ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ પોલીસ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓના સ્તરે પણ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. ભાજપની નવી સરકાર તેના શાસન મોડેલને લાગુ કરવા માટે વહીવટી તંત્રને નવેસરથી ગોઠવવાની તૈયારી કરી રહી છે.
62 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:21 PM
વિજયની પાર્ટીએ તમિલનાડુની ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો

વિજયની પાર્ટીએ તમિલનાડુની ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો

ચેન્નાઈ:દક્ષિણ ભારતના રાજકારણમાં વર્ષોથી ચાલી આવતા ડીએમકે અને એઆઈડીએમકેના વર્ચસ્વને તોડીને અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી'તામિલગા વેટ્ટરી કઝગમ' (TVK)એ ઈતિહાસ રચી દીધો છે. ૨૩ એપ્રિલના રોજ યોજાયેલી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ૨૩૪ બેઠકોમાંથી ૧૦૮ બેઠકો જીતીને વિજયનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. બહુમતીના ૧૧૮ના આંકડાથી માત્ર ૧૦ બેઠક દૂર હોવાથી વિજયે હવે રાજ્યમાં નવી સરકાર રચવા માટે કોંગ્રેસ સહિતના નાના પક્ષોનો સહયોગ માંગ્યો છે. કોંગ્રેસ અને નાના પક્ષો સાથે ગઠબંધનની કવાયત: કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે પુષ્ટિ કરી છે કે વિજયે સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું છે. જોકે,ડીએમકે નેતા ટી.કે.એસ. ઇલંગોવને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે માત્ર ૫ ધારાસભ્યો છે,જે બહુમતી માટે પૂરતા નથી. ટીવીકે હાલમાં ૧૦ કે તેથી ઓછી બેઠકો ધરાવતા અન્ય નાના પક્ષો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. પક્ષના નેતા નાંજિલ સંપથ આ અંગે આશાવાદી છે અને તેમણે ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની ખાતરી આપી છે.
94 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 04:18 PM
સરહદી તણાવ વચ્ચે ભારતીય સંરક્ષણ દળોએ ઇન્ટિગ્રેટેડ ઓપરેશન સેન્ટર શરૂ કર્યું

સરહદી તણાવ વચ્ચે ભારતીય સંરક્ષણ દળોએ ઇન્ટિગ્રેટેડ ઓપરેશન સેન્ટર શરૂ કર્યું

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માંથી બોધપાઠ લઈને ભારતીય સંરક્ષણ દળો હવે વધુ આક્રમક અને એકીકૃત બનવા જઈ રહ્યા છે. આ મહિનાના અંત સુધીમાં દિલ્હી કેન્ટ વિસ્તારમાં 'ટ્રાઈ-સર્વિસ જોઈન્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટર' (JOCC) કાર્યરત થઈ જશે. આ સેન્ટર દ્વારા ભારતીય સેનાની ત્રણેય પાંખ - આર્મી, નેવી અને એરફોર્સ - એકસાથે મળીને સંયુક્ત રીતે ઓપરેશન પર નજર રાખી શકશે.દુશ્મનોના છક્કા છોડાવશે આ હાઈટેક સેન્ટરઆ JOCC માં ત્રણેય સેવાઓના અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે, જેનાથી ટોચના કમાન્ડરોને એક જ સ્થાનેથી ત્રણેય પાંખની ગતિવિધિઓનું એકીકૃત ચિત્ર મળી રહેશે. આ ઉપરાંત, ભવિષ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઊંડા ભૂગર્ભ (Deep Underground) કમાન્ડ સેન્ટર બનાવવાની પણ યોજના છે, જે કોઈપણ કટોકટીમાં સુરક્ષિત રહી શકે.નવા 'થિયેટર કમાન્ડ'નો પ્રસ્તાવચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) એ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને નવા 'થિયેટર કમાન્ડ' સ્થાપવા માટેની ભલામણો સુપરત કરી દીધી છે. જે મુજબ જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમમાં ત્રણ મુખ્ય થિયેટર કમાન્ડ સ્થાપવામાં આવી શકે છે. આ કમાન્ડ ઉત્તરીય સીમા, પશ્ચિમી સીમા અને દરિયાઈ સીમાઓ પરના જોખમોનો સામનો કરવા માટે બનાવવામાં આવશે. આગામી ૭-૮ મેના રોજ જયપુરમાં યોજાનારી કમાન્ડર્સ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે.શું હતું 'ઓપરેશન સિંદૂર'?૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરી હતી. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ૭ મે ૨૦૨૫ના રોજ સરહદ પાર જઈને આતંકી ઠેકાણાઓ પર 'ઓપરેશન સિંદૂર' લોન્ચ કર્યું હતું અને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. આ ઓપરેશન બાદ સેનામાં વધુ સારી તાલમેલ (Jointness) ની જરૂરિયાત અનુભવાઈ હતી, જેનો અમલ હવે JOCC દ્વારા થવા જઈ રહ્યો છે.સેનામાં આવનારા આ મોટા બદલાવથી પાડોશી દેશોની કોઈપણ ઉશ્કેરણીનો જવાબ આપવો ભારત માટે વધુ ઝડપી અને ઘાતક બનશે.
75 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:10 PM
ભારતીય કંપનીઓએ અમેરિકી અર્થતંત્રમાં મજબૂત પગપેસારો કર્યો

ભારતીય કંપનીઓએ અમેરિકી અર્થતંત્રમાં મજબૂત પગપેસારો કર્યો

વોશિંગ્ટન: ભારતીય કંપનીઓ હવે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના સૌથી શક્તિશાળી અર્થતંત્ર ગણાતા અમેરિકામાં પણ પોતાની મજબૂત પકડ જમાવી રહી છે. તાજેતરમાં વોશિંગ્ટન ખાતે યોજાયેલી 'સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટ'માં અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ભારતીય કંપનીઓએ અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ કરીને ત્યાંની સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને મોટો ટેકો આપ્યો છે.રોજગારી અને રિસર્ચમાં મોટું યોગદાનઅમેરિકી વાણિજ્ય વિભાગના ડેપ્યુટી અન્ડરસેક્રેટરી બ્રાન્ડન રેમિંગ્ટને જણાવ્યું હતું કે, ભારતમાંથી અમેરિકામાં કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આશરે $૧૬.૪ અબજ (લગભગ ૧.૩૬ લાખ કરોડ રૂપિયા) પર પહોંચ્યું છે. આ રોકાણને કારણે અમેરિકામાં લગભગ ૭૦,૮૦૦ જેટલી નવી નોકરીઓનું સર્જન થયું છે. આટલું જ નહીં, ભારતીય કંપનીઓએ અમેરિકામાં સંશોધન અને વિકાસ (R&D) માટે $૩૩૦ મિલિયનનો ખર્ચ કર્યો છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની વધતી ક્ષમતા દર્શાવે છે.સન ફાર્માનો રેકોર્ડબ્રેક સોદોભારતીય ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની 'સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ' દ્વારા ન્યૂ જર્સી સ્થિત 'ઓર્ગેનન એન્ડ કંપની'ને $૧૨ અબજમાં ખરીદવાની જાહેરાતે અમેરિકી બિઝનેસ જગતમાં હલચલ મચાવી દીધી છે. આ સોદાથી હેલ્થકેર ક્ષેત્રમાં ભારતનું કદ ઘણું વધી ગયું છે. આ ઉપરાંત, ટેક્સાસ ($૯.૮ અબજ), જ્યોર્જિયા ($૭.૫ અબજ) અને ન્યૂ જર્સી ($૪.૨ અબજ) એવા મુખ્ય રાજ્યો છે જ્યાં ભારતીય કંપનીઓએ સૌથી વધુ રોકાણ કર્યું છે.સપ્લાય ચેઈન અને સ્થાનિક વિકાસભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન નામગ્યા ખામ્પાએ જણાવ્યું હતું કે, ભારતીય કંપનીઓ માત્ર મૂડી જ નથી લાવતી, પરંતુ અમેરિકાની સપ્લાય ચેઈનને મજબૂત કરી રહી છે અને સ્થાનિક સમુદાયોના વિકાસમાં પણ સહભાગી બની રહી છે. એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં ભારતીય મૂળની કંપનીઓ લાખો અમેરિકનોના ઘરના ચૂલા સળગાવવામાં મદદરૂપ થઈ રહી છે.આગામી દિવસોમાં વધુ એક ડઝન જેટલી ભારતીય કંપનીઓ અમેરિકામાં નવા રોકાણોની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે, જે ભારત-અમેરિકાના મજબૂત થતા આર્થિક સંબંધોની સાબિતી આપે છે.
60 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 04:03 PM
દિલ્હીએ રસ્તાઓ પર પારદર્શિતા અને શિસ્ત વધારવા માટે નવી ચલણ પ્રણાલી રજૂ કરી

દિલ્હીએ રસ્તાઓ પર પારદર્શિતા અને શિસ્ત વધારવા માટે નવી ચલણ પ્રણાલી રજૂ કરી

નવી દિલ્હી: દિલ્હી સરકારે ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે એક નવી ચલાણ સિસ્ટમ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ટ્રાફિક ચલાણને કોર્ટમાં પડકારતા પહેલા દંડની ૫૦ ટકા રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવી ફરજિયાત રહેશે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ દંડની વસૂલાતમાં થતા વિલંબને ઘટાડવાનો અને રસ્તા પર શિસ્ત જાળવવાનો છે.સમયમર્યાદાનું કડક પાલન: ૪૫ દિવસનો નિયમનવી સિસ્ટમ મુજબ, ચલાણ ઇશ્યૂ થયાના ૪૫ દિવસની અંદર વાહન ચાલકે કાં તો દંડ ભરી દેવો પડશે અથવા ઓનલાઇન સિસ્ટમ દ્વારા તેને પડકારવો પડશે. જો આ સમયગાળામાં કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો ચલાણ આપોઆપ સ્વીકૃત ગણાશે અને ત્યારબાદ દંડ ભરવા માટે માત્ર ૩૦ દિવસનો જ સમય મળશે. જો તમે ઓનલાઇન ફરિયાદ કરી હોય અને તે નકારવામાં આવે, તો કોર્ટમાં જવા માટે અડધો દંડ ભરવો જ પડશે.ડિજિટલ ટ્રેકિંગ અને ચેતવણીઓહવે ટ્રાફિક પોલીસ સિવાય હાઈ-ટેક કેમેરા અને સર્વેલન્સ ટૂલ્સ દ્વારા ઓટોમેટિક ઈ-ચલાણ જનરેટ કરવામાં આવશે. જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે, તો ૩ દિવસમાં ડિજિટલ નોટિસ મળી જશે, જ્યારે ફિઝિકલ નોટિસ ૧૫ દિવસમાં ઘરે પહોંચશે. આ સિસ્ટમ દ્વારા દરરોજ એલર્ટ અને રિમાઇન્ડર પણ મોકલવામાં આવશે જેથી કોઈ 'ભૂલી ગયા'નું બહાનું ન કાઢી શકે.દંડ નહીં ભરો તો સર્વિસ બ્લોક થશેજો તમે સમયસર દંડ નહીં ભરો, તો તમારા વાહનને લગતી સરકારી સેવાઓ પર રોક લગાવી દેવામાં આવશે. જેમાં:• રોડ ટેક્સની ચુકવણી અને લાયસન્સ રિન્યુઅલ અટકાવી દેવાશે.• વાહનનું રજિસ્ટ્રેશન કે માલિકી બદલવાનું કામ બ્લોક થઈ જશે.• ચોક્કસ કિસ્સાઓમાં કોર્ટના આદેશથી વાહન જપ્ત પણ થઈ શકે છે.ગંભીર ગુનેગારો પર ખાસ નજરસરકાર દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારો કરવાની યોજના છે. જે વ્યક્તિ વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરશે, તેને 'સીરિયસ ઓફેન્ડર' (ગંભીર ગુનેગાર) ની શ્રેણીમાં મૂકવામાં આવશે. આવા કિસ્સામાં તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કાયમી ધોરણે રદ પણ થઈ શકે છે.દિલ્હી સરકારની આ નવી ડિજિટલ સિસ્ટમથી ટ્રાફિક નિયમોનું પાલન વધશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
81 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:01 PM
ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ડુમસ બીચ પર નકલી પોલીસ દરોડામાં ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ડુમસ બીચ પર નકલી પોલીસ દરોડામાં ધરપકડ કરવામાં આવી છે.

સુરત, તા.૦૫: રવિવારની રજાની મજા માણવા ઉમટી પડેલા સુરતીઓ માટે ડુમસ બીચ ગઈકાલે કોઈ હોલિવૂડ એક્શન ફિલ્મના સેટ જેવો બની ગયો હતો. ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને 'લાલો' ફેમ શ્રૃહદ ગોસ્વામી જ્યારે અચાનક પોલીસના કાફલા સાથે ડુમસ સી-ફેસ પર દેખાયા ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.અચાનક પોલીસ ત્રાટકી અને મલ્હારને હાથકડી પહેરાવી!ડુમસના દરિયાકિનારે હજારોની ભીડ વચ્ચે અચાનક નકલી પોલીસનો કાફલો આવ્યો અને જોતજોતામાં મલ્હાર ઠાકરની ધરપકડ કરી લીધી. મલ્હારને હાથકડીમાં જકડાયેલો જોઈને ફરવા આવેલા પ્રવાસીઓમાં ભારે ગભરાટ અને ગણગણાટ શરૂ થયો હતો. ઘણાને લાગ્યું કે ખરેખર કઈક ગરબડ થઈ છે, પરંતુ થોડી જ ક્ષણોમાં ખબર પડી કે આ તો મલ્હારની આગામી ફિલ્મ 'ધરપકડ' ના પ્રમોશનનો એક અનોખો ભાગ હતો. ફિલ્મના ટાઈટલને સાર્થક કરવા માટે આ લાઈવ ડ્રામા રચવામાં આવ્યો હતો.સુરતીઓનો મહેરામણ અને 'લાલા'નો ક્રેઝફિલ્મ ‘ધરપકડ’ના અનોખા પ્રમોશન માટે સુરત આવેલા મલ્હાર અને શ્રૃહદ ગોસ્વામી (લાલો) ને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રૃહદ ગોસ્વામીની લોકપ્રિયતા પણ સુરતીઓમાં જોરદાર જોવા મળી હતી. આ બંને કલાકારોએ કલાકો સુધી ચાહકો સાથે સમય વિતાવ્યો હતો. સુરતના આકરા તાપમાં પણ લોકો પોતાના માનીતા કલાકારો સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.તારીખ જાહેર થતા જ ઉત્સાહ બમણોઆ ફિલ્મ માટે મલ્હાર અને તેની ટીમે જે રીતે 'આઉટ ઓફ ધ બોક્સ' જઈને પ્રમોશન કર્યું છે, તેનાથી સુરતીઓ જ નહીં પણ આખું ગુજરાત સોશિયલ મીડિયા પર ચર્ચાઓ કરી રહ્યું છે. મલ્હાર અને શ્રૃહદે સુરતીઓના આ અદભૂત આવકાર બદલ દિલથી આભાર માન્યો હતો. તો તૈયાર થઈ જાવ, કારણ કે હવે થિયેટર્સમાં પણ આ કલાકારોની 'ધરપકડ' થવા જઈ રહી છે! તમે આ અનોખું પ્રમોશન જોયું કે નહીં?
58 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:01 PM
સ્પેસએક્સ દ્વારા પ્રક્ષેપિત ભારતનો'દૃષ્ટિ'ઉપગ્રહ, અવકાશ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી રહ્યો છે

સ્પેસએક્સ દ્વારા પ્રક્ષેપિત ભારતનો'દૃષ્ટિ'ઉપગ્રહ, અવકાશ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી રહ્યો છે

નવી દિલ્હી: ભારતે અવકાશ વિજ્ઞાનમાં વધુ એક મોટી છલાંગ લગાવી છે. બેંગલુરુના સ્ટાર્ટઅપ 'GalaxEye' દ્વારા બનાવવામાં આવેલો ભારતનો સૌથી મોટો ખાનગી સેટેલાઈટ 'દ્રષ્ટિ' (Drishti) સ્પેસએક્સના રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટની ખાસિયત એ છે કે તે 'OptoSAR' ટેકનોલોજીથી સજ્જ છે, જે ઓપ્ટિકલ ઈમેજિંગ અને રડાર (SAR) ને એકસાથે જોડે છે. એટલે કે, જ્યારે સામાન્ય કેમેરા વાદળો કે અંધારામાં ફેઈલ થઈ જાય, ત્યારે આ 'દ્રષ્ટિ' અંધારામાં અને ખરાબમાં ખરાબ હવામાનમાં પણ ૧.૫ મીટરની હાઈ-રિઝોલ્યુશન તસવીરો ઝડપી શકશે.ભારત ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ દેશ છે. અહીં મોટાભાગે વાદળો છવાયેલા રહે છે. NASAની એક સ્ટડી અનુસાર પૃથ્વી પર 70% જમીન અને 90% સમુદ્ર હંમેશા વાદળોથી ઢંકાયેલા રહે છે. પશ્ચિમી દેશોમાં આ સમસ્યા ઓછી છે, તેથી તેમણે ક્યારેય આવો સેટેલાઇટ બનાવ્યો નથી. જોકે ભારત માટે આ ખૂબ જ જરૂરી છે. હવે ભારતે અમેરિકન કોમર્શિયલ સેટેલાઇટ્સ પર નિર્ભર રહેવું નહીં પડે.જો આ સેટેલાઇટ પહેલાથી કાર્યરત હોત, તો Operation Sindoor જેવા અભિયાનોમાં બોમ્બિંગના નુકસાનનું મૂલ્યાંકન ભારત પોતે કરી શક્યું હોત. હાલ ઘણીવાર અમેરિકન કંપનીઓ ઇમેજ શેર કરતી નથી. દૃષ્ટિ સેટેલાઇટ પાકિસ્તાન અને ચીનની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં ભારતની ક્ષમતા ઘણી વધારી દેશે. તે દિવસ-રાત, વાદળો વચ્ચે પણ નજર રાખી શકશે.આ સેટેલાઇટ લગભગ 190 કિલોગ્રામ વજનની છે, જે ભારતીય ખાનગી ક્ષેત્ર માટે ખૂબ મોટી ગણાય છે. પહેલી સેટેલાઇટ 1.5 મીટર રિઝોલ્યુશનની તસવીરો આપશે અને 0.5 મીટરથી 0.3 મીટર સુધી રિઝોલ્યુશન લાવવાની યોજના છે. બંને સેન્સર (ઓપ્ટિકલ અને SAR)નું રિઝોલ્યુશન સમાન રાખવામાં આવ્યું છે. આ ભારતની સૌથી વજનદાર અને હાઇ રિઝોલ્યુશન ધરાવતી ખાનગી સેટેલાઇટ છે.દૃષ્ટિ પહેલી સેટેલાઇટ છે. કંપની 10 સેટેલાઇટ્સની મોટી કોન્સ્ટેલેશન બનાવવા જઈ રહી છે. તેના દ્વારા સમગ્ર ભારત અને પડોશી વિસ્તારો પર સતત નજર રાખવી શક્ય બનશે. ઇમરજન્સી, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ અને સુરક્ષા માટે તે અત્યંત ઉપયોગી રહેશે.આ સમગ્ર ટેક્નોલોજી GalaxEyeની પોતાની છે. કંપનીએ તેનું પેટન્ટ ભારત તેમજ વિશ્વભરમાં કરાવ્યું છે. સુયશ સિંહ મુજબ આ ટેક્નોલોજી વિશ્વ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ બની શકે છે. અન્ય દેશો પણ ભારત પાસેથી આવા સોવરીન સેટેલાઇટ જૂથ ખરીદી શકશે.
27 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:59 PM
ખેડૂતોને ટેકો આપવા માટે ભારતે શેરડીના ભાવમાં ક્વિન્ટલ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

ખેડૂતોને ટેકો આપવા માટે ભારતે શેરડીના ભાવમાં ક્વિન્ટલ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વનો નિર્ણય લેતા આગામી ૨૦૨૬-૨૭ની સીઝન માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (FRP - Fair and Remunerative Price) માં વધારો કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ૧૦ રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે હવે શેરડીની FRP વધીને ૩૬૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.શું છે આ નિર્ણયની વિશેષતા?સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય દેશભરના લાખો શેરડી ઉત્પાદક ખેડૂતો માટે રાહતના સમાચાર લાવ્યો છે. નવી કિંમતો ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થતી આગામી માર્કેટિંગ સીઝનથી લાગુ કરવામાં આવશે. આ વધારાથી ખેડૂતોને તેમના પાકનું વધુ સારું વળતર મળશે અને ખેતીના વધતા ખર્ચ સામે રક્ષણ પ્રાપ્ત થશે. સરકારનું માનવું છે કે આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેઓ શેરડીના વાવેતર તરફ વધુ પ્રોત્સાહિત થશે.ખેતમજૂરો અને ગ્રામીણ અર્થતંત્રને ફાયદોઆ માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ શેરડીની ખેતી સાથે સંકળાયેલા લાખો ખેતમજૂરો માટે પણ ફાયદાકારક સાબિત થશે. શેરડીના ભાવ વધતા મિલોની આવકમાં સુધારો થશે અને તેની સીધી અસર મજૂરોની રોજીરોટી પર પણ પડશે. વળી, ખાંડ ઉદ્યોગ એ ભારતનો મોટો કૃષિ આધારિત ઉદ્યોગ હોવાથી, આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં નાણાંનો પ્રવાહ વધશે અને સ્થાનિક બજારોમાં તેજી આવશે.સ્વનિર્ભરતા અને ખાંડનું ઉત્પાદનભારત અત્યારે વિશ્વમાં ખાંડના ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ હેઠળ શેરડીનો ઉપયોગ બળતણ તરીકે પણ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળવાથી ખાંડ અને ઇથેનોલ બંનેના ઉત્પાદનમાં સ્થિરતા આવશે. સરકારના આ પગલાને કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવાના અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના વિઝન સાથે જોડવામાં આવી રહ્યો છે.નિષ્ણાતોના મતે, આ ભાવ વધારો ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને શેરડીની નવી જાતોના વાવેતર માટે આર્થિક પીઠબળ પૂરું પાડશે.
57 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:58 PM
રાજકોટ જામકંડોરામાં ભારે વરસાદ, ઉનાળુ પાકને ખતરો

રાજકોટ જામકંડોરામાં ભારે વરસાદ, ઉનાળુ પાકને ખતરો

રાજકોટના જામકંડોરણમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. જામકંડોરણના ખડુડા, ચરેલ, બાલાપર ગામમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે જામકંડોરણમાં વરસાદ વરસ્યો હતો . બપોર બાદ એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા કાચા રસ્તાએ પર વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે .
4 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 03:54 PM
ભાજપે આસામ વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક કરી

ભાજપે આસામ વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક કરી

અસમમાં ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક : જે.પી. નડ્ડા અને નાયબ સિંહ સૈનીને સોંપાઈ મહત્વની જવાબદારી : કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને હરિયાણાના મુખ્યમંત્રી અસમમાં નવા નેતાની પ્રક્રિયા પર દેખરેખ રાખશે : ભાજપ હાઈકમાન્ડે રાજ્યના રાજકીય માળખા માટે બે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા
52 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:50 PM
રાજકોટ ખાતે વાળંદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સારવાર હેઠળ

રાજકોટ ખાતે વાળંદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સારવાર હેઠળ

રાજકોટ તા. ૫: શહેરના રેલનગરમાં વીર સાવરકર ટાઉનશીપમાં રહેતાં કશ્‍યપભાઇ રમેશભાઇ લખતરીયા (ઉ.વ.૪૦) નામના વાળંદ યુવાને રાતે રેસકોર્ષ ગેલેક્‍સી સિનેમા સામે શોૈચાલય નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. માતાની સારવાર માટે આ યુવાને વ્‍યાજે નાણા લીધા હોઇ વ્‍યાજખોરો હેરાન કરતાં હોવાથી પગલુ ભર્યાનું બહાર આવ્‍યું છે. તેણે બે પાનાની સ્‍યુસાઇડ નોટ પણ લખી છે. કશ્‍યપભાઇ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી ભવાની ચોકમાં ધ બાર્બર શોપ નામે હેર કટીંગનું કામ કરે છે. તે બે ભાઇ અને એક બહેનમાં નાના છે તથા છુટાછેડા થઇ ગયા છે. માતા મધુબેન અગાઉ બિમાર હોઇ તેમની સારવાર માટે વ્‍યાજે નાણા લીધા હોઇ વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનું જણાવાયું છે. કશ્‍યપભાઇએ ચિઠ્ઠી લખી છે તેમાં કોની પાસેથી કેટલા નાણા લીધા તેનો આંકડો, ટુંકા નામ અને વીકલી ડાયરી, ડેઇલી વગેરે શબ્‍દો લખેલા છે. ટુંકા નામોમાં પૃથ્‍વી, દેવેન્‍દ્ર, દિગ્‍વીજય, ધર્મેશ, અક્ષય, મનોજ, પ્રકાશ જેવા નામો છે. ચિઠ્ઠીમાં લખ્‍યું છે કે હું કશ્‍યપ લખતરીયા, ભાઇ હું તને આજ સુધી કહી ન શક્‍યો. મને અમુક વ્‍યક્‍તિ હેરાન પરેશાન કરે છે. રોજ પ્રેશર કરીને ડાયરીના પૈસા ઉઘરાવે છે. જે કામ થયું હોઇ તેના નાણા લઇ જાય છે. ગયા અઠવાડીએ બે જણાએ મારા ચેક રીટર્ન કરાવ્‍યા હતાં. દુકાનને તાળા મારી દેવાની ધમકી આપે છે. હવે બીજો કોઇ રસ્‍તો મારી પાસે નથી, હું થાકી ગયો છું. બધાના પૈસા પુરા કરવામાં મારાથી પહોંચાતું નથી. મારું એક્‍ટીવા અને બાઇક બંને વ્‍યાજમાં લઇ ગયા છે. ફોન પણ લઇ ગયા છે, હવે કંઇ નહિ તો દુકાનનો સામાન ભરી જવાની વાત કરે છે. હવે બીજો કોઇ રસ્‍તો દેખાતો નથી જેથી મારો રસ્‍તો કરી લઉ છું. ભાઇ તું મમ્‍મીનું ધ્‍યાન રાખજે, હું જાજુ કરી શકું તેવી પરિસ્‍થિતિમાં નથી. ચિઠ્ઠીમાં આગળ લખ્‍યું છે કે મારે કોઇના પૈસા અટકાવવા નહોતા પણ કોઇ સમજવા તૈયાર નથી. મારી પાસે દુકાન સિવાય કંઇ નથી. મારી સાથે ડાયરીમાં પણ છેતરપીંડી થઇ છે. મારા ડોક્‍યુમેન્‍ટ પર ત્રણ જગ્‍યાએ ડાયરી કરાવાઇ છે. ડાયરીના દેવાંગના ભાગના પૈસા પણ હું ભરુ છું. હવે પૈસા ભરવાની મારી હાલત નથી. ચિરાગ હસ્‍તક પણ ડાયરીનું પ્રેશર છે. સતત પ્રેશર હોવાને કારણે દુકાને પણ ટાઇમ આપી શકતો નથી. જેને મારે આપવાના છે તેમાં બાકી રકમ કોઇની ૨૦ હજારથી વધુ નથી. ચિઠ્ઠીમાં આગળ કોને કેટલા દેવાના તેની વિગતો કશ્‍યપભાઇએ લખી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
6 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 03:49 PM
અયોગ્ય વ્યવહારોના આક્ષેપો વચ્ચે રેપિડો ડ્રાઇવરોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી

અયોગ્ય વ્યવહારોના આક્ષેપો વચ્ચે રેપિડો ડ્રાઇવરોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી

રાજકોટ : શહેરમાં કાર્યરત રેપિડો કંપની દ્વારા ડ્રાઇવરોને અપાતા ભાડાના દરમાં અન્‍યાય થતો હોવાના આક્ષેપ સાથે ડ્રાઇવર યુનિયને મોરચો માંડ્‍યો છે. ડ્રાઇવરોની માંગ છે કે રૂા.૧૮ સામે જે રૂા.૧૨નો અન્‍યાય થઈ રહ્યો છે તે તાત્‍કાલિક બંધ કરી ભાવ વધારો કરવામાં આવે. યુનિયને સ્‍પષ્ટ ચીમકી આપી છે કે જો આજ સુધીમાં યોગ્‍ય નિર્ણય નહીં લેવાય તો સમગ્ર રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને ભવ્‍ય ર્ંૅરેલર્ીૅં કાઢવામાં આવશે. તસ્‍વીરમાં સુત્રોચ્‍ચાર કરતાં રેપીડોના રીક્ષાચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)
35 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 03:47 PM
ભારતે વિશાખાપટ્ટનમ ખાતે સાઉથ કોસ્ટ રેલવે ઝોનની સ્થાપના કરી

ભારતે વિશાખાપટ્ટનમ ખાતે સાઉથ કોસ્ટ રેલવે ઝોનની સ્થાપના કરી

અમરાવતી: આંધ્રપ્રદેશના લોકોની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે 'સાઉથ કોસ્ટ રેલવે ઝોન' (South Coast Railway Zone) ની સ્થાપના માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આવકારતા તેને રાજ્યની જનતા માટે એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે.૧લી જૂનથી કામગીરી શરૂરેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવો રેલવે ઝોન આ જ વર્ષે ૧લી જૂનથી સત્તાવાર રીતે કાર્યરત થઈ જશે. ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, "આંધ્રપ્રદેશના લોકોનું લાંબા સમયથી સેવાયેલું સપનું આખરે હકીકત બની રહ્યું છે. આ નિર્ણયથી ઉત્તર આંધ્રના પરિવહન નેટવર્કમાં અભૂતપૂર્વ સુધારો થશે."રેલવે ડિવિઝનનું નવું માળખુંવોલ્ટેયર ડિવિઝનના પુનર્ગઠનના ભાગરૂપે કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે:• પલાસા અને ઈચ્છાપુરમ જેવા મહત્વના સેક્શન્સને હવે વિશાખાપટ્ટનમ ડિવિઝનમાં ભેળવી દેવામાં આવશે.• વિશાખાપટ્ટનમ અને રાયગઢા ડિવિઝન વચ્ચેના બહેતર સંકલનને કારણે રેલવેની કામગીરી વધુ ઝડપી અને મજબૂત બનશે.વિકાસના નવા દ્વાર ખુલશેઆ નવા ઝોનની સ્થાપના માત્ર મુસાફરોની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આંધ્રપ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે પણ પાયાનો પથ્થર સાબિત થશે. વિશાખાપટ્ટનમ પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને આ નવા રેલવે નેટવર્કનો સીધો લાભ મળશે, જેનાથી માલ-સામાનની હેરફેર સરળ બનશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સાઉથ કોસ્ટ રેલવે ઝોન આવનારા સમયમાં આંધ્રપ્રદેશની આર્થિક પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવશે.
58 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:46 PM
પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત, 9 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ નિર્ધારિત

પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત, 9 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ નિર્ધારિત

કોલકાતા, તા.૫: પશ્ચિમબંગાળના રાજકીય ઈતિહાસમાં વર્ષ ૨૦૨૬ એક નવા પ્રકરણ તરીકે નોંધાઈ ગયું છે. દાયકાઓથી ચાલી આવતી મમતા બેનર્જીની સત્તાનો અંત લાવી ભાજપે બહુમતી સાથે ભવ્‍ય જીત મેળવી છે. હવે સૌની નજર ૯ મે ના રોજ યોજાનારા શપથ ગ્રહણ સમારોહ પર છે. આ તારીખ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે દિવસે વિશ્વકવિ રવીન્‍દ્રનાથ ટાગોરની જન્‍મજયંતી છે. ભાજપ આ દિવસને પヘમિ બંગાળમાં સોનાર બાંગ્‍લાના પુનરુત્‍થાનના પ્રતીક તરીકે ઉજવવા માંગે છે. કોલકાતાના રાજભવનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સહિત અનેક દિગ્‍ગજ નેતાઓ હાજર રહેવાની શકયતા છે. જોકે, આ ભવ્‍ય વિજય વચ્‍ચે સૌથી મોટો પ્રશ્‍ન એ છે કે બંગાળની કમાન કોના હાથમાં જશે? મુખ્‍યમંત્રી પદ માટે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ભાજપના હાઈકમાન્‍ડે હજુ સુધી પત્તાં ખોલ્‍યા નથી. વિપક્ષી નેતા અને ભવાનીપુરમાંથી જીતેલા શુભેન્‍દુ અધિકારી આ રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે, પરંતુ પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય અને અગ્નિમિત્રા પોલ જેવા નામો પણ સસ્‍પેન્‍સ વધારી રહ્યા છે. રાજકીય વિશ્‍લેષકો માને છે કે ભાજપ કોઈ એવા ચહેરાને પસંદ કરશે જે બંગાળની સંસ્‍કળતિ અને વહીવટી પારદર્શિતા બંનેને સાથે લઈ ચાલી શકે. શપથ ગ્રહણ પહેલા મળનારી ધારાસભ્‍ય પક્ષની બેઠક આ સસ્‍પેન્‍સ પરથી પડદો ઉઠાવશે. આ ચૂંટણી પરિણામો માત્ર સત્તા પરિવર્તન નથી, પણ બંગાળની જનતાની અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. ભાજપે પોતાના પ્રચારમાં પરિવર્તન અને વિકાસ પર ભાર મૂકયો હતો, જેને જનતાએ વ્‍યાપક સમર્થન આપ્‍યું છે. નવી સરકાર સામે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા તેમજ આર્થિક સુધારા લાવવાના મોટા પડકારો હશે. ૯મી મેના રોજ જ્‍યારે નવા મુખ્‍યમંત્રી શપથ લેશે, ત્‍યારે બંગાળના રાજકારણમાં એક નવો સૂર્યોદય થશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે. વિરોધ પક્ષો પણ આ શક્‍તિ પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યા છે, કારણ કે આ ફેરફાર આગામી રાષ્‍ટ્રીય રાજકારણ પર પણ ઊંડી અસર પાડી શકે છે.
18 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 03:37 PM
ઝવેરાત બજારમાં સોનાના ભાવ ઘટ્યા, લગ્નની મોસમમાં રાહત મળી

ઝવેરાત બજારમાં સોનાના ભાવ ઘટ્યા, લગ્નની મોસમમાં રાહત મળી

રાજકોટ, તા.૦૫: ઝવેરીબજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટી નરમાશ જોવા મળી છે. જો તમે લગ્નસરાની સિઝન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સોનાનો ભાવ હવે ₹1,48,000 ની સપાટી તોડીને નીચે આવી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું પડ્યું છે.સોનાના ભાવમાં ₹800 નો ઘટાડોઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલ મુજબ, આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ₹1,47,557 રહ્યો છે. સોમવારે સવારે આ ભાવ ₹1,48,357 હતો, એટલે કે માત્ર એક જ દિવસમાં સોનામાં ₹800નો ઘટાડો નોંધાયો છે. અન્ય કેરેટની વાત કરીએ તો:• ૨૩ કેરેટ: ₹1,46,966 પ્રતિ ૧૦ ગ્રામ• ૨૨ કેરેટ: ₹1,35,162 પ્રતિ ૧૦ ગ્રામ• ૧૮ કેરેટ: ₹1,10,668 પ્રતિ ૧૦ ગ્રામચાંદીમાં ₹4,735 નો તોતિંગ ઘટાડોસોનાની સાથે ચાંદીમાં પણ આજે ભારે વેચવાલી જોવા મળી છે. ગઈકાલે ૧ કિલો ચાંદીનો ભાવ ₹2,44,237 હતો, જે આજે ₹4,735 ઘટીને ₹2,39,502 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે ચાંદી તેના રેકોર્ડ હાઈ લેવલ ₹3,79,988 થી અત્યાર સુધીમાં આશરે ₹1.40 લાખ જેટલી સસ્તી થઈ ચૂકી છે.કેમ ઘટી રહ્યા છે ભાવ?બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે:1. મજબૂત ડોલર: ડોલર ઇન્ડેક્સમાં સતત વધારો થવાને કારણે રોકાણકારો સોનાને બદલે ડોલરમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.2. ક્રૂડ ઓઈલ: કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવતા મોંઘવારી વધવાની આશંકાએ સોનાના ભાવ પર દબાણ વધ્યું છે.3. ઓછી માંગ: સોનું રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી જતા સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યું હતું, જેના કારણે બજારમાં માંગમાં ઘટાડો થયો અને કિંમતો નીચે આવી.રેકોર્ડ સપાટીથી ઘણો ફેરફારતમને જણાવી દઈએ કે ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સોનું ₹1,75,340 ના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ₹27,783 નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતબીજી તરફ, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પર સ્થિર છે, જ્યારે પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ ₹82.46 માં મળી રહ્યું છે.
78 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:33 PM
ઈરાન-અમેરિકા વિવાદ વચ્ચે વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વધારો

ઈરાન-અમેરિકા વિવાદ વચ્ચે વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વધારો

વોશિંગ્ટન, તા.૦૫: વિશ્વ અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના ભયાનક પડઘા સાંભળી રહ્યું છે. એક તરફ રણમેદાનમાં તોપો ગાજી રહી છે, તો બીજી તરફ સામાન્ય માનવીના ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે દાવો કરી રહ્યા હોય કે તેમનું 'અમેરિકા ફર્સ્ટ' અભિયાન સફળ છે, પરંતુ વાસ્તવિકતામાં વૈશ્વિક તેલના ભાવ અને વધતી મોંઘવારીએ ચિંતાના વાદળો ઘેરા કર્યા છે.તેલના ભાવમાં ભડકો અને જનતાની હાલાકીસોમવારે સાંજે ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ $114 પર પહોંચી ગયો છે. ઈરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની), જે વિશ્વના તેલ પરિવહન માટેનો સૌથી મહત્વનો માર્ગ છે, ત્યાં બ્લોકેડની સ્થિતિ સર્જાઈ છે. આ અનિશ્ચિતતાને કારણે અમેરિકામાં ગેસોલિન (પેટ્રોલ) ના ભાવ પ્રતિ ગેલન $4.45 ને પાર કરી ગયા છે, જે ગયા વર્ષ કરતા એક ડોલર વધુ છે. સૌથી વધુ ફટકો ડીઝલને પડ્યો છે, જે $5.64 પર પહોંચતા માલ-સામાનના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે.ટ્રમ્પનો આત્મવિશ્વાસ કે વાસ્તવિકતાથી અંતર?વ્હાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાં બિઝનેસ લીડર્સને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અર્થતંત્ર 'ગર્જના' (Roaring) કરી રહ્યું છે અને ટેક્સમાં કાપ મૂકવાથી વેપારમાં વિક્રમી વધારો થયો છે. જોકે, બહારની દુનિયામાં સ્થિતિ અલગ છે. મધ્યસત્ર ચૂંટણીઓ નજીક હોવા છતાં ટ્રમ્પ આર્થિક કટોકટીને ગંભીરતાથી લેવાને બદલે તેને 'ક્ષણિક' ગણાવી રહ્યા છે. તેમણે હસતા હસતા એમ પણ કહ્યું કે, જે સરકારી કર્મચારીઓને તેમણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે, તેઓ હવે ખાનગી ક્ષેત્રમાં વધુ કમાણી કરી રહ્યા છે અને તેમનાથી ખુશ છે!ભાષણમાં મનોરંજન અને રાજકીય કટાક્ષટ્રમ્પના ભાષણો હંમેશની જેમ વિવાદો અને મનોરંજનથી ભરપૂર રહ્યા. ફ્લોરિડાના 'ધ વિલેજિસ'માં દોઢ કલાકના ભાષણ દરમિયાન તેમણે આર્થિક નીતિઓ પર ઓછું અને વિરોધીઓ પર વધુ પ્રહાર કર્યા. તેમણે જો બાઈડનની ટીકા કરી, પોતાની કોગ્નિટિવ ટેસ્ટ (બૌદ્ધિક કસોટી) પાસ કરવાના ગૌરવગાન ગાયા અને ડો. ફિલ તેમજ 'પૉન સ્ટાર્સ' ફેમ રિક હેરિસન જેવા સેલિબ્રિટીઝને સ્ટેજ પર બોલાવીને મોંઘવારીના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો.હાલમાં સ્થિતિ એવી છે કે એક તરફ ઈરાન સાથેની મડાગાંઠ ઉકેલાવાનું નામ નથી લઈ રહી અને બીજી તરફ મોંઘવારીનો માર સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પની આ 'અમેરિકા ફર્સ્ટ' નીતિ વિશ્વને શાંતિ તરફ લઈ જાય છે કે વધુ મોટા આર્થિક ખાડામાં.
30 shares
😢