ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વપૂર્ણ વેપાર કરારને ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) ના ગુજરાત ચેપ્ટર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આ કરાર મુજબ, અમેરિકાએ ભારતીય નિકાસ પરના અસરકારક ટેરિફ રેટને 50% થી ઘટાડીને માત્ર 18% કરવાની સંમતિ આપી છે, જે તાજેતરના વેપાર તણાવને ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવશે. IACC ગુજરાતના ચેરમેન અમિત દોશીએ આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે, આ કરાર ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે. તેનાથી બંને દેશો વચ્ચે આર્થિક જોડાણ ઊંડું બનશે અને વેપારમાં વધુ સ્પષ્ટતા તેમજ આગાહીક્ષમતા આવશે. આ સમજૂતીને કારણે ભારત અન્ય એશિયન ઉભરતા બજારોની સરખામણીમાં નિકાસ સ્પર્ધાત્મકતામાં આગળ નીકળી જશે. વર્ષ 2025 ના આંકડા મુજબ, ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ $92 બિલિયન (20%) જેટલો છે. સુધારેલા ટેરિફ માળખાથી ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, લેધર અને કેમિકલ જેવા ક્ષેત્રોને સીધો લાભ મળશે. IACC ગુજરાત આ કરારના ફાયદાઓ છેવાડાના ઉદ્યોગો સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છે, જેથી લાંબાગાળાની આર્થિક ભાગીદારી વધુ મજબૂત બની શકે.
અમેરિકા-ભારત વેપાર સમજૂતીથી નિકાસ સ્પર્ધાત્મકતા અને આર્થિક જોડાણમાં વધારો થયો
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.