Achira News Logo
Achira News

આબોહવા પરિવર્તનને કારણે નાટકીય પરિવર્તનનો અનુભવ કરવા માટે ભારતની હવામાન પદ્ધતિઓ

Akila News
આબોહવા પરિવર્તનને કારણે નાટકીય પરિવર્તનનો અનુભવ કરવા માટે ભારતની હવામાન પદ્ધતિઓ
Full News
Share:

લખનૌ: વર્ષ ૨૦૨૬માં ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાનનો મિજાજ એકદમ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં અનેક જિલ્લાઓમાં ભારે તોફાન અને વરસાદ સાથે મોટા કદના કરા પડવાની ઘટનાઓ બની છે. હવામાન વિજ્ઞાનીઓના મતે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આબોહવા પરિવર્તન (Climate Change)નો એક ગંભીર સંકેત છે.કરા કેવી રીતે બને છે? (વૈજ્ઞાનિક પ્રક્રિયા)હવામાનશાસ્ત્રીઓ જણાવે છે કે, જ્યારે ગરમ હવા ખૂબ જ ઝડપથી આકાશમાં ઉપર જાય છે ત્યારે 'ક્યુમ્યુલોનિમ્બસ' (Cumulonimbus) નામના ઘટ્ટ વાદળો બંધાય છે. આ વાદળો ખૂબ ઊંચા હોય છે. ગરમીને કારણે વરાળ બનેલું પાણી જ્યારે અત્યંત ઊંચાઈએ પહોંચે છે, જ્યાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે હોય છે, ત્યારે તે બરફના કણમાં ફેરવાઈ જાય છે. આ કણો પર વારંવાર ઠંડા પાણીના સ્તર જામતા તે ભારે થઈ જાય છે અને પૃથ્વી પર કરા સ્વરૂપે પડે છે. યુપી-બિહારમાં આ વખતે કરાનું કદ ઘણું મોટું જોવા મળ્યું છે.શા માટે આ વર્ષે કરાનો મારો વધ્યો?વિજ્ઞાનીઓએ આ માટે મુખ્ય બે કારણો આપ્યા છે:૧. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ): આ વર્ષે પશ્ચિમથી આવતી હવાઓ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ સક્રિય રહ્યું છે. તેની વારંવારની હાજરીને કારણે મે મહિના સુધી મેદાની વિસ્તારોમાં આંધી અને વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.૨. ક્લાયમેટ ચેન્જ: ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ગરમ હવા વધુ ભેજ શોષી શકે છે. જ્યારે આ ગરમ હવા અને ભેજ અચાનક ઠંડી હવા સાથે અથડાય છે, ત્યારે વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે, જે કરા અને વીજળીના કડાકા સાથેના તોફાનમાં પરિણમે છે.ખેતી અને બાગાયતને મોટું નુકસાનઅકાળે પડેલા આ કરાના વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. મે મહિનામાં જ્યારે કેરી અને લીચીના પાક તૈયાર થવાની અણી પર હોય છે, ત્યારે આ કુદરતી આફતે બગીચાઓમાં ભારે તારાજી સર્જી છે. માત્ર પાક જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને મકાનોને પણ આ મોટા કરાથી નુકસાન પહોંચ્યું છે.ભવિષ્ય માટે ચેતવણીભારતીય હવામાન વિભાગ (IMD) અને અન્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આગામી વર્ષોમાં આવી ઘટનાઓની તીવ્રતા હજુ વધી શકે છે. વાતાવરણમાં વધતી અસ્થિરતા એ વાતનો પુરાવો છે કે પ્રકૃતિ સાથેનું સંતુલન બગડી રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે, હવે આપણે આવા અણધાર્યા હવામાન માટે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

આબોહવા પરિવર્તનને કારણે નાટકીય પરિવર્તનનો અનુભવ કરવા માટે ભારતની હવામાન પદ્ધતિઓ | Achira News