દેહરાદૂન:ઉત્તરાખંડમાં શિક્ષણના માળખાને વધુ આધુનિક અને સમાન બનાવવા માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર જુલાઈ 2026 થી વર્તમાન 'મદરેસા બોર્ડ' ને સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહી છે. આ બોર્ડના સ્થાને હવે 'ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળ' ની રચના કરવામાં આવી છે, જે રાજ્યની તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરશે.મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે, આ સત્તામંડળની રચનાનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયના બાળકોને ગુણવત્તાયુક્ત અને મુખ્ય પ્રવાહનું શિક્ષણ આપવાનો છે. હવેથી તમામ મદરેસાઓ અને લઘુમતી સંસ્થાઓ માટે ઉત્તરાખંડ શાળા શિક્ષણ બોર્ડ પાસેથી માન્યતા મેળવવી ફરજિયાત રહેશે. સત્તામંડળ જ હવે નવો અભ્યાસક્રમ અને શિક્ષણનું સ્વરૂપ નક્કી કરશે, જેથી બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવી શકાય.સરકારે આ નવા સત્તામંડળ માટે ઉચ્ચ કક્ષાની સમિતિની જાહેરાત કરી છે. રૂરકીની બીએસએમ પીજી કોલેજના નિવૃત્ત પ્રોફેસર સુરજીત સિંહ ગાંધીને આ સત્તામંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, હરિદ્વાર, અલમોરા અને બાગેશ્વર જેવી વિવિધ યુનિવર્સિટીઓના નામાંકિત પ્રોફેસરો અને નિવૃત્ત અધિકારીઓને સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે. શાળા શિક્ષણના મહાનિર્દેશક અને લઘુમતી કલ્યાણ નિયામક પણ આ સમિતિમાં પદાધિકારી સભ્યો તરીકે સેવા આપશે.ધામી સરકારના આ નિર્ણયને કેટલાક લોકો શિક્ષણના વ્યાપક સુધારા તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક આને લઘુમતી સંસ્થાઓની સ્વાયત્તતા પર તરાપ માની રહ્યા છે. જોકે, સરકારનું કહેવું છે કે આ પગલાથી લઘુમતી બાળકોને અન્ય સામાન્ય શાળાઓની જેમ જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને આધુનિક શિક્ષણનો લાભ મળશે.
ઉત્તરાખંડે મદરેસા બોર્ડને નાબૂદ કર્યું, નવી લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.