રાજકોટ તા.૫ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આજે વહેલી સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદર, વેરાવળ અને કચ્છના દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. પવનની તેજ ગતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક સલામત સ્થળે પરત ફરવા અને હાલ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દરિયામાં ભારે પવન અને ઉંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો, નીચા દબાણનું ક્ષેત્ર અસ્થિર હવામાન તરફ દોરી જાય છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.