Achira News Logo
Achira News

કેન્દ્રીય બજેટ 2026-27: કરવેરા સલાહકારે રાહત પગલાંની ટીકા કરી

Akila News
કેન્દ્રીય બજેટ 2026-27: કરવેરા સલાહકારે રાહત પગલાંની ટીકા કરી
Full News
Share:

રાજકોટ : નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના કેન્‍દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જાણીતા કરવેરા સલાહકાર ધવલભાઈ ખખ્‍ખરે(મો. ૯૮૭૯૩ ૩૨૦૯૪) જણાવ્‍યું છે કે, આ બજેટમાં વેપારીઓ, મધ્‍યમવર્ગ અને પગારદાર વર્ગને જે રાહતની અપેક્ષા હતી તે મળી નથી. તેમણે આ બજેટને 'દેશની વિકાસયાત્રા'ના નામે રજૂ થયેલું પરંતુ કરદાતાઓ માટે ‘નિરાશાજનક' ગણાવ્‍યું છે. બજેટની મુખ્‍ય જોગવાઈઓ ટેક્‍સ સ્‍લેબ અને સ્‍કીમ : આવકવેરાની નવી અને જૂની સ્‍કીમમાં આવક મર્યાદા કે આવકવેરાના દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જોકે, નવી સ્‍કીમ હેઠળ ૧૨ લાખ સુધીની આવક પર કોઈ ટેક્‍સ લાગશે નહીં તેવી જોગવાઈ છે. પગારદાર વર્ગ : સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શનની મર્યાદા રૂ. ૭૫,૦૦૦ યથાવત રાખવામાં આવી છે, જેમાં કોઈ વધારો કરાયો નથી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કેન્દ્રીય બજેટ 2026-27: કરવેરા સલાહકારે રાહત પગલાંની ટીકા કરી | Achira News