Achira News Logo
Achira News

ગુજરાત માહિતી પંચની કામગીરીમાં સુધારો કરવા બદલ રાજ્યપાલ દ્વારા પ્રશંસા

Akila News
ગુજરાત માહિતી પંચની કામગીરીમાં સુધારો કરવા બદલ રાજ્યપાલ દ્વારા પ્રશંસા
Full News
Share:

ગાંધીનગર, તા. 5 : ગુજરાત માહિતી આયોગની ઉત્કૃષ્ટ કામગીરીને આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બિરદાવી છે. રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીની આગેવાની હેઠળ આયોગના સર્વ કમિશનરશ્રીઓ શ્રી સુબ્રમણ્યમ ઐયર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, વિપુલ રાવલ, ભરત ગણાત્રા અને આયોગના અધિકારીઓએ તા. 04/05/2026ના રોજ લોકભવન ખાતે રાજ્યપાલ મહોદયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન માનનીય રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું કે તેમની નિયુક્તિ સમયે પડતર અપીલોની સુનાવણી 14 મહિના પછી કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને હવે માત્ર 30 દિવસમાં જ અપીલ/ફરિયાદની સુનાવણી કરવામાં આવી રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત માહિતી પંચની કામગીરીમાં સુધારો કરવા બદલ રાજ્યપાલ દ્વારા પ્રશંસા | Achira News