ગાંધીનગર : ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ થી ડિસેમ્બર-૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” વિષય પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ મોજણીનો મુખ્ય હેતુ રાજ્યના વિશાળ બિનકૃષિ ક્ષેત્રના એકમોની વિવિધ માપદંડો અંગેની સચોટ માહિતી એકત્રિત કરવાનો છે તેમ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સર્વેમાં મુખ્યત્વે નાના ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ અને વેપારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા પસંદ કરાયેલ ગામો અને શહેરી વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ ઘરે-ઘરે જઈને નિયત પત્રકોમાં વિગતવાર માહિતી એકઠી કરશે. એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર અને વિવિધ યોજનાકીય બાબતોના આયોજન માટે કરવામાં આવશે.સર્વેની કામગીરીમાં તમામ નાગરિકોને જરૂરી વિગતો આપી પૂરતો સાથ-સહકાર આપવા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત સરકારે બિન-કૃષિ ક્ષેત્રના એકમોની માહિતી એકત્ર કરવા માટે રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધર્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.