Achira News Logo
Achira News

જી. એસ. ટી. કૌભાંડઃ જામનગરમાં પૂર્વ કર્મચારી પર ખોટા બિઝનેસ રેકોર્ડ બનાવવાનો આરોપ

Divya Bhaskar
જી. એસ. ટી. કૌભાંડઃ જામનગરમાં પૂર્વ કર્મચારી પર ખોટા બિઝનેસ રેકોર્ડ બનાવવાનો આરોપ
Full News
Share:

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા (ઉ.વ.27) નામના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર કરી નાખવા અંગે અને પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવા અંગે પોતાના જ મહેતાજી સહ યુવાન હિરેન હીરપરાએ 2021ની સાલમાં ઓનલાઈન કિચનવેર વેચવા માટે ઈ કોમર્સ યુનિક એન્ટરપ્રાઇઝ નામની પેઢી તૈયાર કરી હતી, અને તેનો જીએસટી નંબર પણ મેળવ્યો હતો. અને ઝીરો રિટર્ન ભર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે કોઈ કામ ધંધો કરતા ન હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા હિરેન હિરપરા ને 37,86,000ના બાકી બિલની નોટિસ પાઠવી હતી. જેથી હિરેનભાઈ ચોંકી ઉઠ્યા હતા, અને તેણે સમગ્ર મામલાની તપાસ કરવા માટે પોલીસમાં અરજી કરી હતી. અરજીના અનુસંધાને પોતાની પેઢીમાં અગાઉ માત્ર છ મહિના માટે કામે જોડાયેલા મહેતાજી જયસુખ જમનભાઈ વોરાનુ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. જયસુખની ઉલટ તપાસ કરવામાં આવતા તેણે જામનગરના અમિતસિંઘ માનને જીએસટી નંબર આપ્યા હતા, અને તેણે જય ગુજરાત ગુડ કેરિયર નામની પેઢી માં જીએસટી નંબરનો ઉપયોગ કરી નાણાકીય વ્યવહાર કર્યા હતા. જેણે 20,30,600નો ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા આખરે આ મામલામાં પેનલ્ટી સહિત 37,86,000ના બાકી બિલ ની નોટિસ પાઠવી હોવાથી આખરે મામલો સામે આવ્યો હતો, અને પોલીસે મહેતાજી જયસુખ વોરા તેમજ અમિતસિંઘ માન અને જય ગુજરાત ગુડ કેરિયર ના સંચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં અમિતસિંઘ માન નું મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જી. એસ. ટી. કૌભાંડઃ જામનગરમાં પૂર્વ કર્મચારી પર ખોટા બિઝનેસ રેકોર્ડ બનાવવાનો આરોપ | Achira News