Achira News Logo
Achira News

ટેરિફ ઘટાડીને અને સિરામિકની આયાતને વેગ આપીને અમેરિકા અને ભારત વેપાર સમજૂતી પર પહોંચ્યા

Akila News
ટેરિફ ઘટાડીને અને સિરામિકની આયાતને વેગ આપીને અમેરિકા અને ભારત વેપાર સમજૂતી પર પહોંચ્યા
Full News
Share:

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર્યા બાદ યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ રપ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો રપ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ પ૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર અમેરિકામાં અન્ય જે દેશો પાસેથી સિરામિક પ્રોડક્ટ આયાત કરે છે. તેની સાપેક્ષે ભારત ઉપર વધુ ટેરિફ લગાવામાં આવ્યો હોવાથી ત્યાંની માર્કેટમાં ટકી રહેવું હવે મુશ્કેલ બન્યું હતું. આ ટેરીફની જાહેરાત થતા વેંત જ અમેરિકાના આયતકારો દ્વારા ઓર્ડર ધડાધડ કેન્સલ કરવામાં આવ્યા હતા ઉપરાંત શિપમેન્ટ પણ રોકી દેવાયા હતા. બાદમાં થોડા સમય બાદ વેપારે થોડી ગતિ પકડી હતી.મોરબીનો સિરામિક ઉદ્યોગ દર વર્ષે અમેરિકામાં અંદાજે રૂ.1600 કરોડની ટાઇલ્સની નિકાસ કરે છે. તેવામાં ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરીફ લાગુ કરવાનો બૉમ્બ ફોડતા સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. જો કે હવે આ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવતા સિરામિક ઉદ્યોગે રાહત અનુભવી છે.આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે અમેરિકા દ્વારા ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી સિરામિક ઉદ્યોગને ફાયદો થશે. નિકાસ ફરી પહેલા જેટલી તથા તેનાથી વધુ થવાની અપેક્ષા છે. ટેરીફ રેટ વીએતનામ, પાકિસ્તાન અને ચીનથી નીચા છે. જેથી તેનો સીધો ફાયદો ભારતના ઉદ્યોગને થશે. નિકાસ વધશે તો નવા ઉદ્યોગો અને નવા રોકાણ તેમજ નવી રોજગારી પણ ઉભી થશે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ટેરિફ ઘટાડીને અને સિરામિકની આયાતને વેગ આપીને અમેરિકા અને ભારત વેપાર સમજૂતી પર પહોંચ્યા | Achira News