કોલકાતા, તા.૫: પશ્ચિમબંગાળના રાજકીય ઈતિહાસમાં વર્ષ ૨૦૨૬ એક નવા પ્રકરણ તરીકે નોંધાઈ ગયું છે. દાયકાઓથી ચાલી આવતી મમતા બેનર્જીની સત્તાનો અંત લાવી ભાજપે બહુમતી સાથે ભવ્ય જીત મેળવી છે. હવે સૌની નજર ૯ મે ના રોજ યોજાનારા શપથ ગ્રહણ સમારોહ પર છે. આ તારીખ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે દિવસે વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતી છે. ભાજપ આ દિવસને પヘમિ બંગાળમાં સોનાર બાંગ્લાના પુનરુત્થાનના પ્રતીક તરીકે ઉજવવા માંગે છે. કોલકાતાના રાજભવનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેવાની શકયતા છે. જોકે, આ ભવ્ય વિજય વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે બંગાળની કમાન કોના હાથમાં જશે? મુખ્યમંત્રી પદ માટે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ભાજપના હાઈકમાન્ડે હજુ સુધી પત્તાં ખોલ્યા નથી. વિપક્ષી નેતા અને ભવાનીપુરમાંથી જીતેલા શુભેન્દુ અધિકારી આ રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે, પરંતુ પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય અને અગ્નિમિત્રા પોલ જેવા નામો પણ સસ્પેન્સ વધારી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ કોઈ એવા ચહેરાને પસંદ કરશે જે બંગાળની સંસ્કળતિ અને વહીવટી પારદર્શિતા બંનેને સાથે લઈ ચાલી શકે. શપથ ગ્રહણ પહેલા મળનારી ધારાસભ્ય પક્ષની બેઠક આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવશે. આ ચૂંટણી પરિણામો માત્ર સત્તા પરિવર્તન નથી, પણ બંગાળની જનતાની અપેક્ષાઓનું પ્રતિબિંબ છે. ભાજપે પોતાના પ્રચારમાં પરિવર્તન અને વિકાસ પર ભાર મૂકયો હતો, જેને જનતાએ વ્યાપક સમર્થન આપ્યું છે. નવી સરકાર સામે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ આર્થિક સુધારા લાવવાના મોટા પડકારો હશે. ૯મી મેના રોજ જ્યારે નવા મુખ્યમંત્રી શપથ લેશે, ત્યારે બંગાળના રાજકારણમાં એક નવો સૂર્યોદય થશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે. વિરોધ પક્ષો પણ આ શક્તિ પ્રદર્શન પર નજીકથી નજર રાખી રહ્યા છે, કારણ કે આ ફેરફાર આગામી રાષ્ટ્રીય રાજકારણ પર પણ ઊંડી અસર પાડી શકે છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીત, 9 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ નિર્ધારિત
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.