Achira News Logo
Achira News

ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે'સામાન નિયમો, 2026'અને નવા કસ્ટમ્સ નિયમો રજૂ કર્યા

Akila News
ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે'સામાન નિયમો, 2026'અને નવા કસ્ટમ્સ નિયમો રજૂ કર્યા
Full News
Share:

નવી દિલ્હી, તા. 3 ફેબ્રુઆરી : કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ‘બેગેજ રૂલ્સ, 2026’ અને નવા કસ્ટમ્સ રેગ્યુલેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. બદલાતી આર્થિક સ્થિતિ અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે કસ્ટમ્સ પ્રક્રિયાને વધુ પારદર્શક અને મુસાફરો માટે અનુકૂળ બનાવી છે. આ નવા નિયમો દ્વારા ઈલેક્ટ્રોનિક ડિકલેરેશન અને ઝડપી ક્લિયરન્સની સુવિધા પ્રાપ્ત થશે.કરમુક્ત સામાનની નવી મર્યાદાઓનવા નિયમો મુજબ, ભારતીય રહીશો, ભારતીય મૂળના પ્રવાસીઓ અને વેલિડ વિઝા ધરાવતા વિદેશી નાગરિકો માટે ડ્યુટી ફ્રી એલાઉન્સ વધારીને 75,000 રૂપિયા કરવામાં આવ્યું છે. વિદેશી મૂળના પ્રવાસીઓ માટે આ મર્યાદા 25,000 રૂપિયા અને ક્રૂ મેમ્બર્સ માટે 2,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, જમીન માર્ગે ભારત આવતા મુસાફરોને આ સામાન્ય ડ્યુટી ફ્રી એલાઉન્સનો લાભ મળશે નહીં.સોનાના દાગીના અને રહેઠાણ બદલવા અંગેના લાભજ્વેલરી લાવવાના નિયમોમાં મોટો ફેરફાર કરતા હવે જૂની મૂલ્ય મર્યાદા દૂર કરી માત્ર વજનના આધારે છૂટછાટ અપાશે. એક વર્ષથી વધુ વિદેશમાં રહીને પરત ફરતા ભારતીય રહીશોમાં મહિલાઓ 40 ગ્રામ સુધી અને પુરુષો 20 ગ્રામ સુધીના સોનાના દાગીના કોઈ પણ ડ્યુટી વગર લાવી શકશે.રહેઠાણ બદલીને (Transfer of Residence) કાયમી ભારત પરત ફરતા લોકો માટે પણ રાહત જાહેર કરાઈ છે. જેમાં 12 મહિના સુધી વિદેશ રહેલા લોકો માટે 1.5 લાખ, 1 થી 2 વર્ષ માટે 3 લાખ અને 2 વર્ષથી વધુ સમય વિદેશમાં રહેનારા લોકો માટે 7.5 લાખ રૂપિયા સુધીની ડ્યુટી ફ્રી મર્યાદા નક્કી કરાઈ છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે વસ્તુઓની એક સિંગલ રેશનલાઈઝ્ડ યાદી તૈયાર કરવામાં આવી છે.લેપટોપ, પાલતુ પ્રાણીઓ અને અન્ય સુવિધાઓનવા નિયમોમાં 18 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે એક લેપટોપ અને પાલતુ પ્રાણીઓ (Pets) લાવવાની જોગવાઈને પણ ડ્યુટી ફ્રી કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ટેમ્પરરી ઈમ્પોર્ટ અને રી-ઈમ્પોર્ટ માટે વિશેષ સર્ટિફિકેટની સુવિધા ઉભી કરાઈ છે, જેથી એરપોર્ટ પર સામાન અટકાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.કસ્ટમ્સ વિભાગે અગાઉના 35 સર્ક્યુલરોને રદ કરી એક નવો માસ્ટર સર્ક્યુલર જારી કર્યો છે, જે તમામ એરપોર્ટ પર સમાન અમલીકરણ સુનિશ્ચિત કરશે. આ સુધારાઓથી ભારતને વૈશ્વિક સ્તરે પ્રવાસન અને મુસાફરો માટે વધુ સુવિધાજનક દેશ બનાવવાનો લક્ષ્ય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે'સામાન નિયમો, 2026'અને નવા કસ્ટમ્સ નિયમો રજૂ કર્યા | Achira News