Achira News Logo
Achira News

ભારતે દરિયાઈ ક્ષેત્રને વેગ આપવા અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાને મંજૂરી આપી

Akila News
ભારતે દરિયાઈ ક્ષેત્રને વેગ આપવા અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાને મંજૂરી આપી
Full News
Share:

નવી દિલ્હી : ભારતને દરિયાઈ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા અને મેરીટાઈમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક ‘શિપ રિપેર ફેસિલિટી’ (જહાજ સમારકામ કેન્દ્ર) સ્થાપવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૧૫૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.શું હશે આ હાઈટેક હબમાં ખાસ?દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. આ હાઈટેક સુવિધામાં ૬૫૦ મીટર લાંબી જેટી બનાવવામાં આવશે, જ્યાં વિશાળ જહાજો આસાનીથી લાંગરી શકશે. આ ઉપરાંત, બે મોટા ‘ફ્લોટિંગ ડ્રાય ડોક’ તૈયાર કરાશે, જેમાં જહાજોનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. અત્યાધુનિક વર્કશોપ અને ઓટોમેશન સિસ્ટમ સાથેનું આ હબ જહાજોના એન્જિન રિપેરિંગ અને માળખાકીય સુધારા માટે સજ્જ હશે.વાડીનાર જ કેમ પસંદ કરાયું?વાડીનારની ભૌગોલિક સ્થિતિ તેની સૌથી મોટી તાકાત છે. અહીં સમુદ્રની કુદરતી ઊંડાઈ વધુ હોવાથી ૩૦૦ મીટર સુધીના લાંબા અને વિશાળ જહાજો સરળતાથી આવી-જઈ શકે છે. વળી, આ સ્થળ મુન્દ્રા અને કંડલા જેવા મોટા બંદરોની નજીક હોવાથી અને મુખ્ય શિપિંગ રૂટ પર સ્થિત હોવાથી તેને શિપ રિપેર હબ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અત્યાર સુધી આવા મોટા જહાજોને સમારકામ માટે વિદેશ મોકલવા પડતા હતા, પરંતુ હવે આ સુવિધા દેશમાં જ ઉપલબ્ધ થશે.રોજગારી અને આર્થિક ફાયદોઆ પ્રોજેક્ટથી અંદાજે ૨૯૦ લોકોને સીધી અને ૧૧૦૦થી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળવાની સંભાવના છે. જહાજ સમારકામની સુવિધા દેશમાં જ શરૂ થવાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને સ્થાનિક MSME ઉદ્યોગો, સપ્લાય ચેઈન અને દરિયાઈ સેવાઓને મોટું પ્રોત્સાહન મળશે. હાલમાં કોચી, મુંબઈ અને ચેન્નાઈમાં આવી સુવિધાઓ છે, પરંતુ વાડીનારનું આ હબ ટેકનોલોજી અને ક્ષમતાની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું પગલું માનવામાં આવે છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ભારત વૈશ્વિક શિપ રિપેર માર્કેટમાં એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતે દરિયાઈ ક્ષેત્રને વેગ આપવા અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાને મંજૂરી આપી | Achira News