Achira News Logo
Achira News

ભારતે સ્ટીલ્થ ફ્રિગેટ્સ અને નવા યુદ્ધ જહાજો સાથે દરિયાઈ ક્ષમતાઓને મજબૂત કરી

Akila News
ભારતે સ્ટીલ્થ ફ્રિગેટ્સ અને નવા યુદ્ધ જહાજો સાથે દરિયાઈ ક્ષમતાઓને મજબૂત કરી
Full News
Share:

મુંબઈ, તા.૦૫: હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી અને પાકિસ્તાનની નૌકાદળની હિલચાલ વચ્ચે ભારતે દરિયાઈ સીમા પર પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ભારતીય નૌસેનાએ તાજેતરમાં તેના કાફલામાં અત્યંત આધુનિક 'સ્ટીલ્થ ફ્રિગેટ્સ' (Stealth Frigates) સામેલ કર્યા છે. આ એવા યુદ્ધ જહાજો છે જે દુશ્મનના રડાર પર પકડાતા નથી, જેના કારણે તેને 'સાયલન્ટ કિલર્સ' અથવા 'અદ્રશ્ય જહાજો' પણ કહેવામાં આવે છે.પ્રોજેક્ટ 17A: ભારતની નૌકાશક્તિનો નવો અધ્યાયભારતીય નૌસેનાના 'પ્રોજેક્ટ 17A' (નિલગિરી ક્લાસ) હેઠળ સાત અત્યાધુનિક જહાજો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં INS મહેન્દ્રગિરી નૌસેનાને સોંપવામાં આવ્યું છે. આ અગાઉ INS દુનાગિરી અને INS તારાગિરી પણ કાફલામાં સામેલ થઈ ચૂક્યા છે. આ જહાજોની ખાસિયત એ છે કે તેનું કદ ૧૪૯ મીટર લાંબુ અને વજન આશરે ૬,૬૭૦ ટન હોવા છતાં તેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઈ છે કે દુશ્મનનું રડાર તેને સરળતાથી શોધી શકતું નથી.કેમ આ જહાજો છે ખાસ?આ વોરશિપ્સ માત્ર જહાજ નથી, પણ દરિયામાં તરતો એક અત્યાધુનિક કિલ્લો છે:• બ્રહ્મોસ મિસાઈલ: આ જહાજો સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે, જે દુશ્મનના જહાજ કે જમીન પરના ટાર્ગેટને સેકન્ડોમાં નષ્ટ કરી શકે છે.• સ્ટીલ્થ ટેકનોલોજી: ખાસ પ્રકારનું કોટિંગ અને ડિઝાઇન રડારના તરંગોને શોષી લે છે, જેનાથી જહાજ રડાર પર દેખાતું નથી.• સબમરીન વિરોધી શક્તિ: તે પાતાળમાં છુપાયેલી દુશ્મન સબમરીનને શોધીને તોરપીડો અને રોકેટ દ્વારા તેને તોડી પાડવામાં સક્ષમ છે.• હેલિકોપ્ટર ડેક: જહાજ પરથી 'HAL ધ્રુવ' કે 'સી કિંગ' જેવા બે હેલિકોપ્ટર ઓપરેટ કરી શકાય છે.સંપૂર્ણ સ્વદેશી અને આત્મનિર્ભરઆ જહાજોની સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે તેમાં ૭૫% સામગ્રી સ્વદેશી છે. તેનું નિર્માણ મુંબઈના માઝગાવ ડોક (MDSL) અને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી દેશના ૨૦૦ થી વધુ MSME ઉદ્યોગોને કામ મળ્યું છે અને હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે.ચીન અને પાકિસ્તાન માટે ચિંતાનું કારણભારત જે રીતે પોતાની દરિયાઈ તાકાત વધારી રહ્યું છે, તેનાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં શક્તિનું સંતુલન ભારત તરફ નમી રહ્યું છે. પરમાણુ સબમરીન 'INS અરિધમન' ના લોન્ચિંગ બાદ આ સ્ટીલ્થ વોરશિપ્સનું આગમન ભારતને સમુદ્રનો અસલી 'સિકંદર' બનાવે છે. હવે ભારતીય નૌસેના પોતાના કિનારાથી હજારો કિલોમીટર દૂર 'બ્લુ વોટર' ઓપરેશન્સ વધુ ચોકસાઈથી કરી શકશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતે સ્ટીલ્થ ફ્રિગેટ્સ અને નવા યુદ્ધ જહાજો સાથે દરિયાઈ ક્ષમતાઓને મજબૂત કરી | Achira News