Achira News Logo
Achira News

ભારતીય ધોરીમાર્ગ પર સિંહણનું મોત, ડ્રાઈવરની ધરપકડ

Sandesh
ભારતીય ધોરીમાર્ગ પર સિંહણનું મોત, ડ્રાઈવરની ધરપકડ
Full News
Share:

સિંહણના મોતના કેસમાં આરોપી ઝડપાયો ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઈવે પર સિંહોના અકાળે મોતની ઘટનાઓએ વન્યપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. તાજેતરમાં એક સિંહણના મોતના કેસમાં વનવિભાગે તપાસનો ધમધમાટ તેજ કરી કારચાલક વીરેન્દ્ર રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ADVERTISEMENT ACF વિરલ સિંહની ટીમ દ્વારા હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી શંકાસ્પદ કારને ટ્રેક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વનવિભાગે વીરેન્દ્ર રાઠોડની અટકાયત કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપી છે. ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી વીરેન્દ્ર રાઠોડ ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં કરાર આધારિત સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat World Crime Entertainment Astrology Sports AMCને વ્યાજ માફી યોજનાથી થયો ફાયદો, માત્ર જાન્યુઆરીમાં જ 128 કરોડની આવક

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય ધોરીમાર્ગ પર સિંહણનું મોત, ડ્રાઈવરની ધરપકડ | Achira News