Achira News Logo
Achira News

રાજકોટ ખાતે સામૂહિક લગ્ન અને સામૂહિક લગ્ન દ્વારા મુક્તાનંદ બાપુનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

Akila News
રાજકોટ ખાતે સામૂહિક લગ્ન અને સામૂહિક લગ્ન દ્વારા મુક્તાનંદ બાપુનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો
Full News
Share:

રાજકોટઃ આગામી તા.૧૦/૫ને રવિવારના રોજ આશાપૂરા ફોર્મ, ૧૫૦ ફૂટ રીંગ રોડ શીતલપાર્ક નજીક શ્રી હરિઓમ ફોજ દ્વારા ભવ્‍યાતીભવ્‍ય ભવ્‍ય સમૂહ લગ્ન તથા સમૂહ જનોઇનું આયોજન કરેલ છે. જેમાં ૨૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. સમસ્‍ત બ્રહ્મ સમાજના સમુહલગ્ન તથા તેમજ ૬૧ દીકરાની જનોઇ રાખેલ છે. હરિઓમ ફોજ એક સંગઠિત ટીમ છે આ ટિમમાં કોઇ હોદા નથી, બ્રહ્મ સમાજના પરિવારને કોઇ ઇમરજન્‍સી ઊભી થાય આકસ્‍મિત બનાવો અને જયારે કોઇ પણ પ્રકારની કાયદાકીય જરૂરીયાત ઉભી થાય ત્‍યારે આ યુવાનો કાર્યરત હોય તેમ યાદીમાં જણાવ્‍યું છે. પરમ પૂજય મૂકતાનંદ બાપુ ચાપરડા બ્રહ્માનંદ ધામના પૂજનીય બ્રહ્મ ઋૂષિ છે જે મુકતાનંદ બાપુના અવતરણ દિવસ ૧૭ મે હોય જે નિમિતે એટલે કે તા.૧૦ ને રવિવાર સાંજે ચાર વાગે રાજકોટ ખાતે સમસ્‍ત બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન તથા સમૂહ જનોઇ યોજવામાં આવેલ છે. આ ઉપરાંત ૧૧ થી ૧૭ મે ગુજરાતના વિવિધ ગામોમાં બ્‍લડ કેમ્‍પ યોજાશે. સમસ્‍ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્નમાં જરૂરીયાતમંદ ૨૫ દીકરીઓના સમૂહ લગ્ન તથા ૬૧ બ્રહ્મ બટુકોની જનોઇ યોજવામાં આવેલ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ ખાતે સામૂહિક લગ્ન અને સામૂહિક લગ્ન દ્વારા મુક્તાનંદ બાપુનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો | Achira News