નવી દિલ્હી,આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત સંદીપ પાઠકના નિવાસ્થાને પણ પહોંચી હતી.આ દરમિયાન, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક દિલ્હી સ્થિત પોતાના ઘરેથી ગાડીમાં બેસીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. પંજાબ સરકારના આ પગલા બાદ હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ મામલામાં ભાજપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે પંજાબ પોલીસે રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકના નિવાસ્થાને જઈને દરોડા પાડવાનો પ્રયાસ કર્યાે. અમે પંજાબ સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ છે કે તમારી પોલીસ ડ્રગ માફિયાઓને પકડી શકતી નથી, જ્યાં પવિત્ર હરમંદિર સાહિબના ગેટ પર પણ ગોળીબાર થાય છે અને પોલીસ અધિકારીઓની ઓફિસ પર હુમલા થાય છે, ત્યાં નિયંત્રણ લાવવાને બદલે જે રીતે પાઠકજીના ઘરે પંજાબ પોલીસે દરોડા પાડ્યા છે તે અત્યંત નિંદનીય છે.SS1MS
રાજકીય તણાવ વચ્ચે પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક સામે બે એફ. આઈ. આર. નોંધી છે.
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.