જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પરિણામ સુધારણા પુસ્તકનું કરાયું વિમોચન કરાયું હતું. પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા તથા અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા પુસ્તક તૈયાર કરાયું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એસ.એસ.સી. બોર્ડની માર્ચ–2025ની પરીક્ષામાં 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા પરિણામ સુધારણા પુસ્તકનું વિમોચન તથા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામમાં સુધારો લાવવા આ પુસ્તક તૈયાર કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાવલી તથા ડેસરની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વડોદરા જિલ્લાની અન્ય શાળાને કુલ 5000 કરતાં વધુ પુસ્તકોનું વિતરણ કરાશેય આ પ્રસંગે કેજેઆઇટી સાવલીના ટ્રસ્ટી સમીર પંડયા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લાએ સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે'પરિણામ સુધારણા પુસ્તક "બહાર પાડ્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.