રાજકોટ, તા.૨૦: દર વર્ષે ૨૦ માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે ઉજવવામાં આવે છે, જે માનવ જીવનમાં સુખ, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સુખાકારીનું મહત્વ સમજાવે છે. વર્ષ ૨૦૧૨માં સ્થાપિત અને ૨૦૧૩થી ઉજવણી શરૂ થયેલો આ દિવસ લોકોમાં હકારાત્મકતા અને સંતુલિત જીવન તરફ પ્રેરણા આપે છે. આ અવસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૨૨૫૦ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં અનેક મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે. આ સર્વે મુજબ આજના સમયમાં લોકો બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી એકલતા અનુભવતા થયા છે. ૫૬.૨% લોકો તેમના વર્તમાન જીવનથી સંતોષ અનુભવે છે, જ્યારે ૩૮.૨% લોકો ખૂબ જ અસંતોષ અનુભવે છે. દૈનિક જીવનમાં ઉત્સાહ પણ એક મોટો મુદ્દો બન્યો છે. માત્ર ૩૯.૪૦% લોકો હંમેશા ઉત્સાહ અનુભવે છે, જ્યારે ૫૪.૬૦% લોકો કયારેક જ ઉત્સાહ અનુભવતા હોય છે. મુશ્કેલીઓ પ્રત્યેનો અભિગમ પણ માનસિક સ્થિતિ બતાવે છે. ૬૫.૫૦% લોકો મુશ્કેલીઓને નસીબનો ખેલ માને છે, જ્યારે માત્ર ૨૭.૩૦% લોકો તેને નવી તક તરીકે જુએ છે. આ સર્વેનું સૌથી ચોંકાવનારું તારણ એ છે કે ૫૮.૨૦% લોકો પાસે મનની વાત કરવા માટે કોઈ નથી, જે આજના સમયમાં વધતી સામાજિક એકલતા દર્શાવે છે. માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ અને જીવનશૈલી પણ જવાબદાર છે. ૬૧.૪% લોકો માત્ર ૫-૬ કલાક ઊંઘ લે છે, જ્યારે માત્ર ૩૩.૭૦% લોકો ૭-૮ કલાક પૂરતી ઊંઘ લે છે. ગુસ્સો અને તણાવ પણ જીવનનો ભાગ બની ગયા છે. ૫૭.૮૦% લોકોને નાની નાની બાબતોમાં ગુસ્સો આવી જાય છે, જ્યારે ૬૮.૫% લોકોએ છેલ્લા અઠવાડિયામાં તણાવ અનુભવ્યો છે.
વિશ્વ સુખ દિવસઃ સર્વેક્ષણમાં સુખના દેખાવ વચ્ચે એકલતા અને અસંતોષનો ખુલાસો થયો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.