રાજકોટ : અમરેલી જીલ્લાના ધારીમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમમાં અધિક (પુરુષોત્તમ) માસમાં ધારી ગામ સમસ્તના સહકારથી તા.૨૧ થી ૨૭ સુધી સામૂહિક ૫૧ પોથીજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરેલ છે. જેમાં વક્તાપદે ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર શાષાી ડો. કળષ્ણકુમાર મહેતા (એમ.એસ.સી., એમ.એડ., પી.એચ.ડી.) સંગીતમય શૈલીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશે. જેમાં મુખ્ય યજમાનપદે શ્રીમતી કાંતાબેન મનસુખલાલ રૂડાણી, શ્રીમતી ઉર્વશીબેન વિપુલભાઈ રૂડાણી પૂજાવિધિનો લ્હાવો લેશે. કથામાં વરાહનારાયણ, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, નળસિંહપ્રાકટય,વામનજન્મ, રામજન્મ, વેશભૂષા સાથે કળષ્ણજન્મラભવ્ય નંદમહોત્સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્સવ, ગોપીગીત, રુકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે. તા.૨૭ના કથાની પૂર્ણાહુતિ થશે. કથાશ્રવણનો સમય પ્રતિદિન સવારે ૮ થી ૧૧:૩૦નો રહેશે. કથા દરમ્યાન સંતો-મહંતોના આશીર્વચન, નિઃશુલ્કનિદાન-સારવાર કેમ્પ, વ્યસનમુક્તિ કેમ્પ, વળક્ષારોપણ, જળસંચય અભિયાન, રાત્રીભજન વગેરે કાર્યક્રમ યોજાશે. પૂ. શ્રી ગિરધરબાપા અને પૂ.શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ પાવન સ્થળે પવિત્ર પુરુષોત્તમ માસમાં આયોજિત આ કલ્યાણકારી સામૂહિક ભાગવત કથામાં પાટલા-પોથીજીના યજમાન, કથાના વિવિધ પ્રસંગોના યજમાન તથા દાતાઓ નોંધાય છે. જેને માટે હિંમતભાઈ સેવક મો. ૯૫૩૭૩૪૬૫૮૨, ૯૮૯૮૩૧૮૨૮૬ નો સંપર્ક કરવો. આ ભાગવત સપ્તાહમાં નબાપરાના તથા ધારીના અગ્રણીઓનો સાથ સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે તેમ જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમની યાદીમાં જણાવાયું છે.
શ્રી જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમે 7 દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કર્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.