Achira News Logo
Achira News

સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો, કોર્ટે ઑપરેશનલ ડેટા માંગ્યો

Akila News
સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો, કોર્ટે ઑપરેશનલ ડેટા માંગ્યો
Full News
Share:

ઇસ્‍લામાબાદ તા.૪: પાકિસ્‍તાનના કુકર્મોના જવાબમાં ભારતે જ્‍યારે તેને સબક શિખવાડવા માટે સિધુ જળ કરાર રદ કરી દીધો તો તેઓ તેના વિરુદ્ધ અલગ અલગ પેંતરા ગોઠવવા લાગ્‍યા. આ જ ક્રમમાં પાકિસ્‍તાને નેધરલેન્‍ડના હેગમાં આવેલા મધ્‍યસ્‍થતા કોર્ટ એટલે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં ભારતના હાઈડ્રોપાવર પ્રોજેક્‍ટને લઈને ફરિયાદ કરી છે. પાકિસ્‍તાને જમ્‍મુ કાશ્‍મીરમાં ભારતના હાઈડ્રોપાવર પ્રોજેક્‍ટને લઈને વાંધો ઉઠાવ્‍યો હતો, જેની સુનાવણી ૨-૩ ફેબ્રુઆરી થવાની હતી. હવે કોર્ટે ભારત પાસેથી તેની સાથે જોડાયેલા કાગળ માગી રહી છે, જેને લઈને ભારતે સ્‍પષ્ટ ના પાડી દીધી છે. કોર્ટના જજે ભારતને બગલિહાર અને કિશનગંગા પ્રોજેક્‍ટ સાથે જોડાયેલા સંચાલન સંબંધિત આંકડા શેર કરવાના નિર્દેશ આપ્‍યા છે, જેને લઈને ભારતે પોતાનું વલણ સ્‍પષ્ટ કરી દીધું છે. ભારતે સ્‍પષ્ટ રીતે કહ્યું કે તે આ કોર્ટના અધિકાર ક્ષેત્રને માનતું નથી. ભારતે આ કોર્ટના આદેશોને ગેરકાયદેસર અને શૂન્‍ય ગણી રહ્યું છે. સરકાર તરફથી કહેવાયું છે કે તેમણે ક્‍યારેય આ કોર્ટને માન્‍યતા આપી નથી. આવા સમયે કોઈ પણ આદેશ તેમના પર લાગૂ થતો નથી. ભારતનો તર્ક છે કે જ્‍યારે સિધુ જળ સંધિ હાલમાં સ્‍થગિત છે, તો તેની સાથે જોડાયેલ કોઈ પણ મધ્‍યસ્‍થતાનું અસ્‍તિત્‍વ આપોઆપ નિષ્‍પ્રભાવી થઈ જાય છે. એટલા માટે આ કોર્ટના નિર્ણય ભારત પર લાગૂ થતા નથી. પહેલા ૨૦૨૫માં સ્‍થાયી મધ્‍યસ્‍થતા કોર્ટે એક પૂરક આદેશ જાહેર કરી એવો દાવો કર્યો હતો કે તેને કિશનગંગા અને રેટલ જળવિદ્યુત પ્રોજેક્‍ટ સાથે જોડાયેલા વિવાદ સાંભળવાનો અધિકાર છે. તે સમયે પણ ભારતના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે, ભારતે આ પ્રકારની કોર્ટના અસ્‍તિત્‍વને કાયદેસરની માનતા નથી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો, કોર્ટે ઑપરેશનલ ડેટા માંગ્યો | Achira News