Achira News Logo
Achira News

સિધપુરમાં પુલ પ્રોજેક્ટના કામ દરમિયાન રસ્તાઓ અને ઇમારતોના અધિકારીઓ પર હુમલો

Divya Bhaskar
સિધપુરમાં પુલ પ્રોજેક્ટના કામ દરમિયાન રસ્તાઓ અને ઇમારતોના અધિકારીઓ પર હુમલો
Full News
Share:

મહેસાણા–પાલનપુર હાઇવે પર‎સરસ્વતી નદી ઉપર મંજૂર નવા‎બ્રિજના કામ માટે ચાલી રહેલી‎રોડ માર્કિંગ (હદ માપણી)ની‎ કામગીરી દરમ્યાન માર્ગ અને‎મકાન પેટા વિભાગ સિદ્ધપુરના‎ અધિકારીઓ પર હુમલાની‎ગંભીર ઘટના સામે આવી છે.‎ પાલનપુરનાં સાગ્રોસણા‎ગામના વતની અને માર્ગ અને‎મકાન પેટા વિભાગ સિદ્ધપુરમાં‎અધિક મદદનીશ ઇજનેર તરીકે‎ફરજ બજાવતાં પરેશભાઈ‎ગમાનભાઈ જુડાળા(ચૌધરી)‎સાંજના આશરે 4:00 તેઓ‎પોતાની ટીમ સાથે માપણી કરી‎રહ્યા હતા. તેમની સાથે કચેરીના‎કર્મચારી સંજીવકુમાર ખોડાભાઈ‎પ્રજાપતિ, મયંકકુમાર ધનાભાઈ‎ડામોર અને DILRના સર્વેયર‎હરેશભાઈ હાજર હતા.‎ સરસ્વતી નદીના ખળી ચાર‎રસ્તા પાસે મહાવીર સ્ક્રેપ નજીક‎પહોંચતા ત્રણ શખ્સોએ અમને‎પૂછ્યા વિના માપણી કેમ કરો‎છો કહીં અપશબ્દો બોલી‎ઉશ્કેરાટ કર્યો હતો. ગડદાપાટુની‎મારઝૂડ કરી કપડાં ફાડી નાખ્યા‎અને જીવતા જશો નહીં એવી‎જાનથી મારી નાખવાની ધમકી‎આપી હતી.‎ તપાસમાં એક આરોપીની‎ઓળખ સિદ્ધપુરના મનોહરસિંહ‎ઉદેસિંહ ઠાકોર તરીકે થઈ છે,‎જ્યારે બે અન્ય અજાણ્યા શખ્સો‎છે. જાહેર સેવકોની કાયદેસર‎ફરજમાં અડચણ, હુમલો અને‎ધમકી આપવા બદલ સિદ્ધપુર‎પોલીસ મથકમાં અધિક‎મદદનીશ ઇજનેર પરેશભાઈ‎ગમનભાઈ ચૌધરીએ ફરિયાદ‎નોંધાવી હતી.‎

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સિધપુરમાં પુલ પ્રોજેક્ટના કામ દરમિયાન રસ્તાઓ અને ઇમારતોના અધિકારીઓ પર હુમલો | Achira News