મુંબઈ,સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જા છે. આગની લપેટમાં આવેલા બે એલપીજી ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે ૮થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.કાપોદ્રાના રચના સર્કલ પાસે આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન કારખાનામાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા, જેમનામાં દોડધામ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ઇમારતમાં રહેલા બે ગેસ સિલિન્ડર એકાએક ફાટ્યા હતા, જેના કારણે જાનહાનિના આંકડામાં વધારો થયો છે.ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો હરકતમાં આવી હતી. આગની ગંભીરતાને જોતા ૭ અલગ-અલગ ફાયર સ્ટેશનની ૧૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ ઇમારતમાં ફસાયેલા ૮થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવતા બે લોકોના મોત થયા છે. જ્યારે ૯ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં બે સિલિન્ડર ફાટ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જેના કારણે બ્લાસ્ટની તીવ્રતા વધી હતી. જોકે, કારખાનામાં સૌ પ્રથમ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા હાલમાં પંચનામું કરી તપાસ તેજ કરવામાં આવી છે.SS1MS
સુરતઃ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં બેના મોત, 8થી વધુ ઘાયલ
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.