Achira News Logo
Achira News

સુરતનો શિરસ્તેદાર લાંચ લેતા પકડાયો, ACBએ તપાસ શરૂ કરી

Akila News
સુરતનો શિરસ્તેદાર લાંચ લેતા પકડાયો, ACBએ તપાસ શરૂ કરી
Full News
Share:

સુરત:સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સીટી સર્વે કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એસીબી (લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો) દ્વારા શિરેસ્તેદાર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ બાલુભાઇ પાંડવને ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા છે. સરકારી કામકાજ માટે લાંચ માંગતા કર્મચારીઓ સામે એસીબીએ લાલ આંખ કરતા અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું હતી સમગ્ર ઘટના? આ કેસની વિગત મુજબ,ફરીયાદીના અસીલની મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે ત્રણ અલગ-અલગ અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓની નોંધો પ્રમાણિત કરવાના બદલામાં સીટી સર્વે કચેરીના શિરેસ્તેદાર (વર્ગ-૩) નિલેશભાઈ પાંડવે એક અરજી દીઠ ૧૦૦૦ રૂપિયા લેખે કુલ ૩૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક એવા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એસીબીનું સફળ ટ્રેપ ઓપરેશન

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરતનો શિરસ્તેદાર લાંચ લેતા પકડાયો, ACBએ તપાસ શરૂ કરી | Achira News