Achira News Logo
Achira News

સાંસ્કૃતિક વારસાની ઉજવણીઃ અમદાવાદમાં 8મું આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ

Akila News
સાંસ્કૃતિક વારસાની ઉજવણીઃ અમદાવાદમાં 8મું આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ
Full News
Share:

અમદાવાદ તા.૨ ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય '૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ' યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોરબંદર જિલ્લામાં આવેલા ૨૨૫થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ વિસ્તારો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી રાજ્યની શાળાઓમાં 'વેટલેન્ડ ક્લબ' બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મંત્રી શ્રી મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સાંસ્કૃતિક વારસાની ઉજવણીઃ અમદાવાદમાં 8મું આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ | Achira News