Achira News Logo
Achira News

સાંસદ પૂનમબેન મેડમે જામનગરમાં વેપાર અને ઉદ્યોગને વેગ આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને નાણાપ્રધાન સીતારામનનો આભાર માન્યો

Akila News
સાંસદ પૂનમબેન મેડમે જામનગરમાં વેપાર અને ઉદ્યોગને વેગ આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને નાણાપ્રધાન સીતારામનનો આભાર માન્યો
Full News
Share:

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૩: એમ.એસ એમ.ઈ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઇ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ,બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે તેમ જણાવતા ૧૨-જામનગર લોકસભાક્ષેત્રના સંસદસભ્‍ય પૂનમબેન માડમ એ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણજીનો આભાર વ્‍યક્‍ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ના નેતળત્‍વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા પ્રસ્‍તુત થયેલુ વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ પ્રગતિના સીમા ચિホો પાર કરતા ભવ્‍ય ભારતના સર્વાંગી વિકાસને સુનિヘુિત કરનારૂ છે. તેમ સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમએ એક નિવેદનમાં જણાવી ઉમેર્યું છે કે એમ એસ એમ.ઇ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઇ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે તેમજ કર્તવ્‍ય ભવનમાં તૈયાર થયેલું આ નવ્‍ય ઉર્જાસભર અંદાજપત્ર,ગરીબ,યુવા,અન્નદાતા,નારી-શક્‍તિ,જનજાતીય વર્ગ અનુસૂચિત જાતિ પ્રત્‍યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજીક સશક્‍તિકરણ પુરૂ પાડશે. અને એકંદરે ટકાઉ આર્થિક વળદ્ધિ,ક્ષમતા નિર્માણ અને સબકા સાથ,સબકા વિકાસના એમ ત્રણ કર્તવ્‍યો સાથે વિકસિત ભારત તરફ કેન્‍દ્રિત આ રોડમેપ રાષ્‍ટ્રના સર્વાગી વિકાસને અકિત કરે છે. ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમએ સંસદમાં તારીખ ૧ લી ફેબ્રુઆરીના રજુ થયેલા આ અંદાજપત્ર અંગે વિશેષમાં જણાવ્‍યુ હતુ કે યુવા શક્‍તિ સંચાલિત અંદાજપત્રમાં ગરીબો,વંચિતો,અન્નદાતા,અનુસુચિત જાતિ-જનજાતિ,મહિલાઓના લાભ ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરવાના સરકારના શ્નસંકલ્‍પઙ્ખને સાકાર કરે છે અને પ્રથમ કર્તવ્‍ય આર્થિક વિકાસને વેગ આપવાનું અને ટકાવી રાખવાનું છે,બીજું કર્તવ્‍ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવા સંબંધિત છે,ત્રીજું કર્તવ્‍ય,સબકા સાથ,સબકા વિકાસના વિઝન સાથે જોડાયેલું છે.‘‘ઇઝ ઓફ ડુઈંગ''અને‘‘ઈઝ ઓફ લીવીંગ''ને કેન્‍દ્રમાં રાખીને વિશિષ્ટ ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર પર્યાવરણીય પ્રગતિ,આર્થીક સુધારાઓ,ટેરીફના ઘટાડા સહિતની સંખ્‍યાબંધ જનસુખાકારીની બાબતો અર્થતંત્રની દ્રષ્ટીએ ક્રાંતિકારી પહેલ ગણાય છે જેનું લક્ષ્ય‘‘વિકસિત ભારત''ના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનું છે. ઉમળકાભેરના આ પ્રતિભાવોમાં સંસદસભ્‍ય શ્રી પૂનમબેન માડમએ એમ પણ કહ્યુ હતુ કે,આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાનું દ્રઢ દિશાસૂચન કરે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સાંસદ પૂનમબેન મેડમે જામનગરમાં વેપાર અને ઉદ્યોગને વેગ આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને નાણાપ્રધાન સીતારામનનો આભાર માન્યો | Achira News