Achira News Logo
Achira News
K
Kutch Mitra
May 6, 2026, 02:19 AM
નખત્રાનાના જૂના કૂવા-છિદ્રોના કારણે અકસ્માતો, રહેવાસીઓએ કાર્યવાહીની માંગ કરી

નખત્રાનાના જૂના કૂવા-છિદ્રોના કારણે અકસ્માતો, રહેવાસીઓએ કાર્યવાહીની માંગ કરી

નખત્રાણા,તા.તા.5 :અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલાનખત્રાણામાં હવે જૂના કૂવા-ખાળકૂવા અચાનક ધસી પડી તેમાં ભૂવા પડતાં અચાનક સર્જાતા અકસ્માતોચિંતાજનક બન્યા હતા. આ ઘટનાઓ જીવલેણ બને તે પૂર્વે તંત્ર દ્વારા ગામ વિસ્તારમાં અગાઉનાબનેલા કૂવા -ખાળકૂવાની તપાસ કરી તેને દાટી નાખવાની કાર્યવાહી કરવાની માંગ ઊઠી હતી.તાજેતરમાં નખત્રાણાના વથાણચોક વિસ્તારમાં આવેલ ખેતરપાળ દાદાના મંદિર નજીકની રાજવી હોસ્પિટલપાસેના રસ્તામાં ફળિયાવાસીઓ દ્વારા બનાવવામાં આવેલ જૂના ખાળકૂવા ઉપરથી બાઇક પસાર થતાંમોટી વિરાણીના દીપેન જેન્તીભાઇ સોની ખાળકૂવા ઉપરની જર્જરિત થઇ ગયેલી છત અચાનક ધરાશાયીથતાં (ભૂવો પડતાં) બાઇક સહિત
5 shares
😢
K
Kutch Mitra
May 6, 2026, 02:19 AM
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને રેઈનવોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાઉન્ડવોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો

ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને રેઈનવોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાઉન્ડવોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો

ગાંધીધામ,તા.તા.5 :ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન તથા સીઈપીટી યુનિવર્સિટીના સહયોગથી વરસાદી પાણીસંગ્રહ અને ભૂગર્ભ જળ વિચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગત્રણ કરોડના ખર્ચે
72 shares
😐
K
Kutch Mitra
May 6, 2026, 02:18 AM
અંજાર વહીવટીતંત્રે અતિક્રમણ હટાવ્યું, સરકારી જમીનમાંથી કાદવ કાઢ્યો

અંજાર વહીવટીતંત્રે અતિક્રમણ હટાવ્યું, સરકારી જમીનમાંથી કાદવ કાઢ્યો

અંજાર,તા.તા.5 :શહેરના ગંગાનાકા વિસ્તારમાં થયેલાં અતિક્રમણઉપર વહીવટીતંત્રે બુલડોઝર ફેરવીને સરકારી જમીનનેદબાણમુક્ત બનાવી હતી. શહેરના વિવિધિ વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં દબાણો થયા છે. અલબત્તઆ દિશામાં વહીવટીતંત્ર દ્વારા નક્કર કાર્યવાહીકરવામાં આવતી નથી
26 shares
😢
K
Kutch Mitra
May 6, 2026, 02:15 AM
કમોસમી વરસાદથી કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ગરમીથી રાહત

કમોસમી વરસાદથી કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ગરમીથી રાહત

ભુજ,તા.તા.5 :કચ્છમાં વૈશાખી તાપના આકરા માર વચ્ચે ભુજ અનેઅંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. કમોસમીવરસાદની હાજરી વચ્ચે અગનવર્ષાનો દોર યથાવત્રહ્યો છે. અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા પોર્ટમાં મહત્તમ પારો દોઢ ડિગ્રી ઊંચકાઇને
21 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 06:14 PM
હવામાનમાં અચાનક ફેરફારને કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો

હવામાનમાં અચાનક ફેરફારને કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો

સૌરાષ્ટ્રના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો : ગોંડલ, તુલસીશ્યામ અને જામકંડોરણા સહિતના પંથકોમાં કમોસમી વરસાદ : ભારે બફારા અને અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીથી ઠંડક પ્રસરી : માવઠાને પગલે તૈયાર પાકને નુકસાનની ભીતિએ ખેડૂતોમાં ચિંતાની લહેર (કર્ટસી - ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી) : જૂઓ વિડીયો
62 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:04 PM
ગુજરાતમાં લાંબા સમયથી ગરમીનો પ્રકોપ, તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા

ગુજરાતમાં લાંબા સમયથી ગરમીનો પ્રકોપ, તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતવાસીઓને આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ 10 મે સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચું જ રહેશે અને પારો 40 થી 42 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. અમદાવાદમાં આજથી આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેટ્રોસિટીમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી પણ ઉપર જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 9 મેના રોજ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ છે. સતત વધતી ગરમીને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી શકે છે અને હવામાન વિભાગે લોકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
17 shares
😐
A
Akila News
May 5, 2026, 04:36 PM
ગૂગલનું સરળ હોમપેજઃ વપરાશકર્તા અનુભવ માટે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન પસંદગી

ગૂગલનું સરળ હોમપેજઃ વપરાશકર્તા અનુભવ માટે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન પસંદગી

નવી દિલ્હી : ગૂગલ આજે વિશ્વની સૌથી મોટી એડવર્ટાઈઝિંગ કંપની છે, જેની મોટાભાગની કમાણી જાહેરાતો દ્વારા થાય છે. જો ગૂગલ ધારે તો તેના હોમપેજ પર એક નાનકડી જાહેરાત મૂકીને દરરોજ અબજો રૂપિયાની વધારાની કમાણી કરી શકે છે, કારણ કે સેકન્ડોમાં લાખો લોકો આ પેજની મુલાકાત લે છે. પરંતુ, વર્ષોથી ગૂગલનું હોમપેજ એકદમ સાદું અને સફેદ જ રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ 'યુઝર એક્સપિરિયન્સ' છે. ગૂગલ માને છે કે જો હોમપેજ પર જાહેરાતો કે અન્ય માહિતી ભરવામાં આવે, તો પેજ લોડ થવામાં સમય લાગશે અને યુઝરનું ધ્યાન ભટકશે. ગૂગલની સફળતાનું રહસ્ય જ તેની ઝડપ અને સરળતામાં છુપાયેલું છે. શરૂઆતના દિવસોમાં ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન પાસે એટલું મોટું બજેટ નહોતું અને તેમને હાઈ-લેવલની કોડિંગની વધુ જાણકારી નહોતી, જેથી તેમણે હોમપેજને એકદમ સાદું રાખ્યું હતું. સમય જતાં આ સાદગી જ ગૂગલની ઓળખ બની ગઈ. કંપની જાણે છે કે જો યુઝરને જે જોઈએ છે તે ઝડપથી મળી જાય, તો તે વારંવાર ગૂગલ પર આવશે. હોમપેજ પર જાહેરાતો ન આપીને ગૂગલ યુઝર્સનો વિશ્વાસ જીતે છે કે તેમનો હેતુ માત્ર માહિતી આપવાનો છે, નહીં કે બળજબરીથી જાહેરાતો બતાવવાનો. આ સ્ટ્રેટેજીને કારણે જ આજે ગૂગલ સર્ચ એન્જિન માર્કેટમાં એકહથ્થુ શાસન ભોગવે છે. જોકે, એવું નથી કે ગૂગલ કમાણી નથી કરતું. હોમપેજ ખાલી રાખીને ગૂગલ યુઝરને સર્ચ રિઝલ્ટ પેજ સુધી લઈ જાય છે, જ્યાં અસલી ખેલ શરૂ થાય છે. એકવાર તમે સર્ચ બોક્સમાં કંઈક ટાઈપ કરો, પછી ગૂગલ તમને સંબંધિત જાહેરાતો બતાવે છે. આ પદ્ધતિથી જાહેરાતો ટાર્ગેટેડ બને છે અને ગૂગલને વધુ નફો થાય છે. આમ, ગૂગલનું ખાલી હોમપેજ એ કોઈ ભૂલ નથી, પરંતુ એક ખૂબ જ વિચારેલી 'બિઝનેસ રણનીતિ' છે. કંપનીએ સાબિત કર્યું છે કે ક્યારેક 'કંઈ ન બતાવવું' એ 'ઘણું બધું બતાવવા' કરતાં વધુ નફાકારક હોઈ શકે છે.
50 shares
😐
S
Sambhav Metro
May 5, 2026, 04:34 PM
બર્મુડામાં પ્રાચીન જળ પ્રણાલીઃ ઇજનેરીનો ચમત્કાર

બર્મુડામાં પ્રાચીન જળ પ્રણાલીઃ ઇજનેરીનો ચમત્કાર

આકહાણી છે ઉત્તર એટલાન્ટિકના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બરમુડા ટાપુની, જ્યાં ના તો કોઈ મોટી નદી છે કે ના કોઈ પ્રાકૃતિક સરોવરઝરણાં...તો પણ અહીંના લોકોએ ૪૦૦ વર્ષ પહેલાં એવી જળપ્રણાલી વિકસિત કરી હતી, જે આજના આધુનિક યુગમાં પણ દુનિયા માટે એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે.
27 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:58 PM
રાજકોટ જામકંડોરામાં ભારે વરસાદ, ઉનાળુ પાકને ખતરો

રાજકોટ જામકંડોરામાં ભારે વરસાદ, ઉનાળુ પાકને ખતરો

રાજકોટના જામકંડોરણમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. જામકંડોરણના ખડુડા, ચરેલ, બાલાપર ગામમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે જામકંડોરણમાં વરસાદ વરસ્યો હતો . બપોર બાદ એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા કાચા રસ્તાએ પર વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી માવઠાના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે .
4 shares
😢
A
Akila News
May 5, 2026, 03:23 PM
નવરંગ નેચર ક્લબે પર્યાવરણીય પહેલ સાથે જન્મદિવસની ઉજવણી કરી

નવરંગ નેચર ક્લબે પર્યાવરણીય પહેલ સાથે જન્મદિવસની ઉજવણી કરી

રાજકોટ : શહેરમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી સંસ્‍થા તરીકે જાણીતી નવરંગ નેચર ક્‍લબ દ્વારા સેવા અને પ્રકળતિના સમન્‍વય સાથે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. સંસ્‍થાના પ્રમુખ વી. ડી. બાલા(મો. ૯૪ર૭પ૬૩૮૯૮)એ તેમના પૌત્ર ચિ. શ્‍યામ બાલાના તા. ૬ના રોજ આવતા જન્‍મદિવસને યાદગાર બનાવવા માટે વિવિધ લોકઉપયોગી અને પર્યાવરણલક્ષી કાર્યોની જાહેરાત કરી છે. જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએ ઉજવણીના ભાગરૂપે તરસ્‍યા માનવીઓ માટે પાણીના પરબનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું. માત્ર આટલું જ નહીં, પક્ષી બચાવો અભિયાનને વેગ આપવા માટે આગામી એક વર્ષ દરમિયાન કુલ ૬ હજારચકલીઘરનું વિનામૂલ્‍યે વિતરણ કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.વધતા જતા તાપમાન અને પર્યાવરણની જાળવણી માટે સંસ્‍થા દ્વારા આગામી ચોમાસામાં એક વિશાળ અભિયાન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત આસપાસના ૧૦ ગામોની પસંદગી કરી, દરેક ગામ દીઠ ૧,૦૦૦ લેખે કુલ ૧૦,૦૦૦ કલમી ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ રોપા વિતરણનો મુખ્‍ય હેતુ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં હરિયાળી વધારવા સાથે ખેડૂતો અને ગ્રામજનોને ફળાઉ વળક્ષોના ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવાનો છે.
57 shares
😊
W
Western Times
May 5, 2026, 03:07 PM
ઉત્તર ભારત અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદઃ 44ના મોત

ઉત્તર ભારત અને બિહારમાં ગાજવીજ સાથે વરસાદઃ 44ના મોત

નવી દિલ્હી | તા. ૫ મે, ૨૦૨૬,ઉત્તર ભારત અને બિહારમાં સોમવારે કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાંઉત્તર પ્રદેશમાં 24અનેબિહારમાં 20લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કુદરતી આફતમાં અનેક લોકો ઘાયલ થયા છે અને ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનને કારણે સેંકડો ગામડાઓમાં વીજળીના થાંભલા અને વાયર તૂટી પડતા અંધારપટ છવાઈ ગયો હતો. રસ્તાઓ પર ઝાડ પડવાથી વાહનવ્યવહાર પણ અટકી પડ્યો છે. ખાસ કરીને કેરી, ઘઉં અને શાકભાજીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. યુપીમાં છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગરમી વચ્ચે સોમવારે સવારે અચાનક વાતાવરણ પલટાયું હતું. સવારે જ અંધારું:લખનૌ સહિત 50થી વધુ જિલ્લાઓમાં સવારે 8:30 વાગ્યે કાળા વાદળોને કારણે રાત જેવો માહોલ સર્જાયો હતો. એલર્ટ:હવામાન વિભાગે પૂર્વ અને પશ્ચિમ યુપીમાં આગામી 48 કલાક માટેઓરેન્જ એલર્ટજાહેર કર્યું છે. 60થી વધુ જિલ્લાઓમાં કરા પડવાની પણ શક્યતા છે. વીવીઆઈપી વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ:ખરાબ હવામાનને કારણે યુપીના બંને નાયબ મુખ્યમંત્રીઓબ્રજેશ પાઠકઅનેકેશવ પ્રસાદ મૌર્યનું વિમાન તોફાનમાં ફસાયું હતું, જેને સલામતી ખાતર ભોપાલ તરફ વાળવામાં આવ્યું હતું.
87 shares
😢
A
Akila News
May 5, 2026, 03:03 PM
ભારતમાં અસ્થમા રોગચાળોઃ મોડેથી નિદાન અને પ્રદૂષણ ઉચ્ચ મૃત્યુદરમાં ફાળો આપે છે

ભારતમાં અસ્થમા રોગચાળોઃ મોડેથી નિદાન અને પ્રદૂષણ ઉચ્ચ મૃત્યુદરમાં ફાળો આપે છે

રાજકોટ: આજના આધુનિક યુગમાં વધતું જતું વાયુ પ્રદૂષણ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ માનવ સ્વાસ્થ્ય માટે એક ગંભીર પડકાર બની રહ્યું છે. ખાસ કરીને અસ્થમા (દમ) ના દર્દીઓ માટે પ્રદૂષિત હવા જીવલેણ સાબિત થઈ રહી છે. 'ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા' ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વમાં આશરે ૨૬ કરોડ લોકો આ બીમારીથી પીડાય છે, જેમાંથી એકલું ભારત ૩.૫ કરોડ દર્દીઓનું ઘર છે.ભારત માટે ચિંતાજનક આંકડાવૈશ્વિક સ્તરે અસ્થમાના કુલ કેસોમાં ભારતનો હિસ્સો ૧૨.૯ ટકા છે, પરંતુ આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે અસ્થમાને કારણે થતા કુલ મૃત્યુમાં ભારતની હિસ્સેદારી ૪૨.૪ ટકા છે. નિષ્ણાતો આ પાછળનું મુખ્ય કારણ બીમારીની મોડી ઓળખ અને નિયમિત સારવારનો અભાવ માની રહ્યા છે. પ્રદૂષિત હવામાં રહેલા રજકણો શ્વાસની નળીઓમાં સોજો લાવે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને છાતીમાં જકડન જેવી સમસ્યાઓ સર્જાય છે.ઇનહેલરની ઉપલબ્ધતા એક મોટો પડકારવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યા અનુસાર, અસ્થમા પર નિયંત્રણ મેળવવાનો સૌથી અસરકારક ઉપાય 'ઇનહેલર' છે. તે દવાને સીધી ફેફસાં સુધી પહોંચાડે છે. જોકે, ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઇનહેલરની પહોંચ હજુ પણ મર્યાદિત છે. આ વર્ષના વિશ્વ અસ્થમા દિવસની થીમ પણ આ વિષય પર જ છે: "દરેક અસ્થમાના દર્દી માટે ઇનહેલરની પહોંચ - એક તાતી જરૂરિયાત." જો દર્દીઓને સમયસર સ્ટેરોઇડ ઇનહેલર મળે, તો અકાળે થતા મૃત્યુને અટકાવી શકાય છે.બાળકોમાં વધતું જોખમઅસ્થમાની શરૂઆત અવારનવાર બાળપણથી જ થતી હોય છે. જ્યારે કોઈ સગર્ભા મહિલા સતત પ્રદૂષિત વાતાવરણમાં રહે છે, ત્યારે ગર્ભમાં રહેલા બાળકના ફેફસાંના વિકાસ પર તેની માઠી અસર પડે છે. બાળકોની શ્વાસની નળીઓ પુખ્ત વયના લોકો કરતા સાંકડી હોય છે, તેથી પ્રદૂષણ તેમને ઝડપથી અસર કરે છે. એક સર્વે મુજબ, વિશ્વના ૧૪ ટકા બાળકો અસ્થમા જેવા લક્ષણોથી પ્રભાવિત છે.કેવી રીતે બચી શકાય?નિષ્ણાતો સલાહ આપે છે કે જે કારણોથી અસ્થમા વધતો હોય (ટ્રિગર્સ), જેમ કે ધૂળ, ધુમાડો કે પાલતુ પ્રાણીઓની રુવાંટી, તેનાથી દૂર રહેવું જોઈએ. બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો, પ્રદૂષણથી બચવું અને ડોક્ટરના સતત સંપર્કમાં રહીને નિયમિત દવા લેવાથી અસ્થમા સાથે પણ સામાન્ય જીવન જીવી શકાય છે.
62 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:57 PM
રાજકોટ ગરમીથી ઝઝૂમી રહ્યું છે; સુરક્ષા ભંગથી નેધરલેન્ડ્સમાં ખળભળાટ

રાજકોટ ગરમીથી ઝઝૂમી રહ્યું છે; સુરક્ષા ભંગથી નેધરલેન્ડ્સમાં ખળભળાટ

રાજકોટ લૂની લપેટમાં: બપોરે ૨:૩૦ વાગ્‍યે તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું, રસ્‍તાઓ પર સન્નાટો ૬ કિમીની ધીમી ગતિએ ફૂંકાતા પવન વચ્‍ચે સૂર્યનારાયણના આકરા તેવર; શહેરીજનો ગરમીમાં શેકાયાઃ આ અઠવાડિયું તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રી ની વચ્‍ચે રહેશે ડચ રાજકુમારીઓની હત્‍યાના ભયાનક કાવતરાનો પર્દાફાશઃ કુહાડી સાથે નેધરલેન્‍ડ્‍સના શાહી મહેલ પાસેથી એક શંકાસ્‍પદ શખ્‍સ ઝડપાયોઃ શાહી પરિવારની સુરક્ષામાં મોટું ગાબડું સામે આવતા ચકચારઃ યુરોપિયન સુરક્ષા એજન્‍સીઓ હાઈ એલર્ટ ઉપર
20 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:21 PM
વારસાગત લાક્ષણિકતાઓમાંથી મુક્ત થવુંઃ એપિજેનેટિક્સની શક્તિ

વારસાગત લાક્ષણિકતાઓમાંથી મુક્ત થવુંઃ એપિજેનેટિક્સની શક્તિ

રાજકોટ : રહસ્‍યલોકની આપણી અવિરત અને લોકપ્રિય બનેલી સફરમાં ગયા સપ્તાહે આપણે જોયું કે કેવી રીતે આપણા પૂર્વજોના માનસિક આઘાત અને ડર પેઢી દર પેઢી આપણા જનીનો (ડીએનએ) મારફતે આપણા શરીરમાં પ્રવેશે છે. આ વાંચીને ઘણા વાચકોના મનમાં એવો પ્રશ્ન ઉભો થયો હશે કે જો આપણા પૂર્વજોની બીમારીઓ અને તેમના ભય આપણા ડીએનએમાં અગાઉથી જ લખાઈ ચૂક્‍યા છે, તો શું આપણે આપણા નસીબ અને આપણા શરીરના ગુલામ છીએ? શું આ પરંપરાને તોડવાનો કોઈ રસ્‍તો નથી? આધુનિક વિજ્ઞાન આનો અત્‍યંત સુંદર અને હકારાત્‍મક જવાબ આપે છે. જનીન (ડીએનએ) વિજ્ઞાનની નવી શાખા'એપિજિનેટિક્‍સ' નો મૂળ અર્થ જ એ થાય છે કે જનીનોની (ડીએનએ) ઉપરનું વિજ્ઞાનઙ્ઘ. જીવવિજ્ઞાનીઓ હવે માને છે કે ડીએનએ એ માત્ર એક નકશો અથવા બ્‍લુપ્રિન્‍ટ છે. પરંતુ આ નકશામાંથી કયું ઘર બનાવવું અને કયું ન બનાવવું, તેનો આધાર સીધો જ આપણા વિચારો અને આપણા પર્યાવરણ પર રહેલો છે. સાવ સરળ ભાષામાં સમજીએ તો, આપણા ડીએનએમાં હજારો લાખો 'સ્‍વીચો' આવેલી છે. કઈ બીમારીની સ્‍વીચ ચાલુ કરવી અને કઈ બીમારીની સ્‍વીચ બંધ રાખવી, તેનું રિમોટ કંટ્રોલ કુદરતે આપણા મગજ અને આપણી ચેતનાના હાથમાં સોંપ્‍યું છે! તબીબી વિજ્ઞાનના સંશોધક ડોક્‍ટર બ્રુસ લિપ્‍ટન તેમના દાયકાઓના અભ્‍યાસ પછી એ તારણ પર પહોંચ્‍યા છે કે આપણા વિચારો સીધી રીતે આપણા કોષો પર અસર કરે છે. જ્‍યારે માણસ સતત ડર, ગુસ્‍સા કે નકારાત્‍મકતામાં જીવે છે, ત્‍યારે તેના શરીરમાં એવા રસાયણો ઉત્‍પન્ન થાય છે જે ડીએનએમાં રહેલી બીમારીઓની સ્‍વીચોને 'ઓન' કરી દે છે. આનાથી વિપરીત, જ્‍યારે માણસ પ્રેમ, કરુણા, આનંદ અને ધ્‍યાનની અવસ્‍થામાં રહે છે, ત્‍યારે તેના શરીરમાં વહેતા હકારાત્‍મક રસાયણો એ જ ભયંકર બીમારીઓની સ્‍વીચોને કાયમ માટે 'ઓફ' કરી શકે છે. એટલે કે, તમે ધારો તો તમારા વારસામાં મળેલી બીમારીઓને તમારા પૂરતી જ અટકાવીને આવનારી પેઢીઓને સ્‍વસ્‍થ જનીનો (ડીએનએ) ની ભેટ આપી શકો છો. આધુનિક વિજ્ઞાનની આ શોધ આપણા ભારતીય સંસ્‍કૃતિના મંત્રોચ્‍ચાર અને ધ્‍યાનના વિજ્ઞાનને આબેહૂબ સાચું ઠેરવે છે. આપણું શરીર સિત્તેર ટકા જેટલું પાણીનું બનેલું છે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં સાબિત થયું છે કે જ્‍યારે પાણી પર મંત્રોચ્‍ચાર, શાષીય સંગીત કે સકારાત્‍મક શબ્‍દોના ધ્‍વનિ તરંગો છોડવામાં આવે છે, ત્‍યારે પાણીના અણુઓ અત્‍યંત સુંદર અને શક્‍તિશાળી ભૌમિતિક આકાર ધારણ કરે છે. જ્‍યારે આપણે ધ્‍યાન ધરીએ છીએ કે મંત્રોચ્‍ચાર કરીએ છીએ, ત્‍યારે આપણા શરીરની અંદર રહેલા પાણીના માધ્‍યમથી તે પવિત્ર તરંગો સીધા આપણા ડીએનએ સુધી પહોંચે છે અને તેના બંધારણમાં રહેલી ખામીઓને સુધારવાનું કામ શરૂ કરી દે છે.
51 shares
😐
A
Akila News
May 5, 2026, 01:43 PM
ગુજરાતમાં તાપમાનમાં વધઘટ સાથે 7 દિવસનો વરસાદ

ગુજરાતમાં તાપમાનમાં વધઘટ સાથે 7 દિવસનો વરસાદ

અમદાવાદ :ભારતमौसमવિજ્ઞાન વિભાગ,અમદાવાદ દ્વારા તારીખ ૦૫.૦૫.૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ હવામાન બુલેટિન અનુસાર,ગુજરાતમાં હવામાનના મિશ્ર મિજાજ વચ્ચે આગામી સાત દિવસની આગાહી જાહેર કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો છે,જ્યારે દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહ્યું હતું. રાજ્યના તાપમાનમાં પણ મોટા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે,જેમાં રાજકોટ ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. વરસાદ અને ગાજવીજની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,૦૫ મે થી ૦૬ મેના સવાર સુધી ગુજરાત પ્રદેશના અરવલ્લી,પંચમહાલ,દાહોદ,મહિસાગર અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. મેઘગર્જનાની ચેતવણી સાથે જણાવવામાં આવ્યું છે કે,આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે,૬ મે બાદ આગામી ૧૨ મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓ,દીવ,દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. તાપમાન અને ગરમ-ભેજવાળી હવાની અસર
95 shares
😐
A
Akila News
May 5, 2026, 01:10 PM
ઉનાળામાં હવામાનની વિસંગતતાઃ કમોસમી વરસાદથી બાલાપર ગામના ખેડૂતોમાં ઠંડક અને ચિંતા ફેલાઈ

ઉનાળામાં હવામાનની વિસંગતતાઃ કમોસમી વરસાદથી બાલાપર ગામના ખેડૂતોમાં ઠંડક અને ચિંતા ફેલાઈ

ભર ઉનાળે હવામાનમાં પલટો : જામકંડોરણાના બાલાપર ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો : અચાનક વરસેલા વરસાદથી ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર : તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે જગતના તાતમાં ભારે ચિંતા ( વિડીયો કર્ટસી - ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી) : જુઓ વિડીયો
39 shares
😢
A
Akila News
May 5, 2026, 12:56 PM
ગુજરાતમાં અચાનક હવામાનમાં ફેરફારઃ ગરમીની લહેર વચ્ચે કમોસમી વરસાદ

ગુજરાતમાં અચાનક હવામાનમાં ફેરફારઃ ગરમીની લહેર વચ્ચે કમોસમી વરસાદ

કાળઝાળ ગરમી વચ્‍ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટોઃ શામળાજી અને અરવલ્‍લી સહિતના વિસ્‍તારોમાં માવઠું પડયું: આગામી અડતાલીસ કલાકમાં હજુ પણ ભારે ગરમી અને કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની સત્તાવાર આગાહી
7 shares
😢
S
Sandesh
May 5, 2026, 12:34 PM
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ગરમીથી રાહત મળી

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ગરમીથી રાહત મળી

ગીર સોમનાથ જિલ્લાના હવામાનમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે. પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામ મંદિર તેમજ તેની આસપાસના ગીરના જંગલ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ પણ ગરમીથી રાહત અનુભવી હતી. સમગ્ર રાજ્યમાં જ્યારે પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથના આ પંથકમાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આકાશ વાદળછાયું રહેતા અને ઠંડા પવન ફૂંકાતા લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. નવસારીમાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર મુસાફરી કરતા સ્થાનિક વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર સ્થિત બોરિયાચ ટોલનાકા દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયને પગલે નવસારી (GJ 21) પાસીંગના વાહનો પાસેથી પણ હવે ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જે સ્થાનિક વાહનોને મુક્તિ મળતી હતી, તેમને હવે ફરજિયાત ટેક્સ ચૂકવવો પડતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નવા નિયમ મુજબ, સ્થાનિક GJ 21 પાસીંગના વાહનોને પણ એક તરફના ફેરા માટે રૂ. 60 ચૂકવવા પડી રહ્યા છે. સૌથી વધુ હાલાકી નવસારીથી સુરત કે અન્ય નજીકના વિસ્તારોમાં રોજીરોટી માટે અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગને થઈ રહી છે. જે લોકો દરરોજ નોકરી અર્થે આ રસ્તેથી પસાર થાય છે, તેમને દિવસના રૂ. 120 (આવતા-જતા) માત્ર ટોલ પેટે ચૂકવવા પડી રહ્યા છે. મહિનાના ગણતરી કરીએ તો માત્ર ટોલનો ખર્ચ જ બજેટ ખોરવી નાખે તેવો છે. સ્થાનિક વાહનચાલકોની ફરિયાદ છે કે ટોલનાકા પર માસિક કે વાર્ષિક પાસ અંગે કોઈ સચોટ જાણકારી આપવામાં આવતી નથી. ટોલનાકા પર આડધડ વસૂલાતને કારણે વાહનચાલકો અને ટોલ કર્મીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. હાઈવે ઓથોરિટી દ્વારા સ્થાનિકોને રાહત આપવાને બદલે આર્થિક બોજ લાદવામાં આવતા હવે આ મુદ્દો આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. સ્થાનિક રહીશોની માગ છે કે 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા અને GJ 21 પાસીંગ ધરાવતા વાહનોને પૂર્વવત ટોલ મુક્તિ આપવામાં આવે. આ પણ વાંચો---West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા પાસે થોડા દિવસો પૂર્વે જિલ્લા પંચાયતના સભ્ય પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને કરવામાં આવેલા આ હુમલાના કેસમાં પોલીસે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, આણંદ જિલ્લા પંચાયતના સભ્ય અશોક મહિડા જ્યારે ઉમેટા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો થયો હતો. રાજકીય અગ્રણી પર થયેલા આ હુમલાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી હુમલામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આ હુમલો જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આજે પોલીસ કાફલા સાથે આરોપીઓને ઉમેટા ચોકડી ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હુમલાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો તે અંગેની કડીઓ મેળવવા પોલીસે સ્થળ તપાસ કરી હતી. આ કાર્યવાહી જોવા માટે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે આજે ખેતીકામ દરમિયાન એક કમકમાટીભરી ઘટના ઘટી છે. ગામના એક ખેતરમાં ટ્યુબવેલ માટે બોર બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન બોર બનાવવા માટે વપરાતું લોખંડનું સાધન અચાનક ખેતર પરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને અડી ગયું હતું. જેના કારણે સમગ્ર સાધનમાં વીજળીનો જોરદાર કરંટ ફેલાઈ ગયો હતો અને ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં બે કામદારોને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો. જેમાંથી એક શ્રમિકનું ગંભીર રીતે દાઝી જવાને કારણે અને વીજ કરંટની તીવ્રતાને લીધે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સાથી શ્રમિકના મોતના પગલે ખેતરમાં કામ કરી રહેલા અન્ય લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દુર્ઘટનામાં અન્ય એક યુવાન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને વીજ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં વારંવાર બનતી કરંટની આવી ઘટનાઓએ શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો દાહોદ જિલ્લાના લીમડી નજીક આવેલા માછણ ડેમ પરથી એક અત્યંત કરૂણ અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ટાંડી ગામનો 18 વર્ષીય યુવાન વિશ્વાસ બારીયા પોતાના મિત્રો સાથે ડેમ પર ન્હાવા ગયો હતો પણ પાણીમાં ખેંચાઇ જતા તેનું મોત થયું હતું. આ ઘટનાની સૌથી દુખદ બાબત એ છે કે, તેને બચાવવા માટે તેના દાદાએ જીવના જોખમે પાણીમાં છલાંગ લગાવી હતી, તેમ છતાં તેઓ પૌત્રને કાળના મુખમાંથી બચાવી શક્યા ન હતા. ઘટનાની વિગત મુજબ, વિશ્વાસ રમેશભાઈ બારીયા (ઉંમર ૧૮) પોતાના અન્ય બે મિત્રો સાથે માછણ ડેમ પર ગયો હતો. ડેમના પાણીમાં ન્હાવા ઉતરેલો વિશ્વાસ અચાનક ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યો હતો. બહાર ઉભેલા મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પૌત્રને ડૂબતો જોઈ તેના દાદા સુરતાનભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ડેમમાં છલાંગ લગાવી હતી. સુરતાનભાઈએ પૌત્રને પકડી પણ લીધો હતો, પરંતુ અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા પૌત્ર તેમના હાથમાંથી છૂટી ગયો અને દાદાની નજર સામે જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી આશરે 4 કલાક સુધી ડેમના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ વિશ્વાસનો મૃતદેહ મળી આવતા પરિવારમાં કરૂણ આક્રંદ છવાઈ ગયું હતું. પૌત્રને બચાવવામાં નિષ્ફળ રહેલા દાદાની હાલત જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર ટાંડી પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન
40 shares
😢
A
Akila News
May 5, 2026, 10:30 AM
વહેલી સવારે કમોસમી વરસાદથી દાહોદ અને મહિસાગર જિલ્લાના ખેડૂતોને રાહત અને ચિંતા થઈ

વહેલી સવારે કમોસમી વરસાદથી દાહોદ અને મહિસાગર જિલ્લાના ખેડૂતોને રાહત અને ચિંતા થઈ

દાહોદ અને મહીસાગર જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ : ફતેપુરામાં સૌથી વધુ પોણો ઈંચ વરસાદ નોંધાયો : રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આંકડા જાહેર : સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન ફતેપુરા, સુખસર અને સંતરામપુર તાલુકાઓમાં માવઠું પડતા ખેડૂતોમાં ચિંતા
39 shares
😢
A
Akila News
May 5, 2026, 10:03 AM
ગુજરાતઃ સુરેન્દ્રનગરમાં તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

ગુજરાતઃ સુરેન્દ્રનગરમાં તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

રાજકોટ તા.પઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોમધખતા તાપ વચ્‍ચે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. સુરેન્‍દ્રનગરમાં મહતમ તાપમાન ૪૩.૫ ડિગ્રી નોંધાયુ હતું. સુરેન્‍દ્રનગર (ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૩.૫ ડિગ્રી સુધી નોંધાયું છે ત્‍યારે સુરેન્‍દ્રનગરમાં ગરમીનો પારો વધતા તંત્રની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારોમાં હિટસ્‍ટ્રોક લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે ગરમી ના કારણે નાના બાળકો વળદ્ધો અને મહિલાઓને તેમજ અશક્‍ત લોકોને ગરમી લાગી જતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ ઘટનાઓમાં વધારો થયો છે. હાલના તબક્કામાં ૪૩.૫ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે ત્‍યારે ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તો બીજી તરફ શહેરી વિસ્‍તારમાં મુખ્‍ય માર્ગો ઉપર પાણી છટકાવવાની કામગીરી છાંયડો કરવાની કામગીરી ઠંડાપીણાના વિતરણ કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી પણ સ્‍થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
25 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 09:30 AM
ચોમાસું સળગતા ગુજરાતને રાહત આપે છે

ચોમાસું સળગતા ગુજરાતને રાહત આપે છે

અમદાવાદ :ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો હતો, ત્યારે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે મેઘરાજાએ પધરામણી કરી છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો. મહીસાગરના કડાણા પંથક સહિત રાજસ્થાન સરહદના ગામોમાં મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખાસ કરીને દાહોદના ફતેપુરા, ઝાલોદ અને લીમડી પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
36 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 09:24 AM
ઉત્તર પ્રદેશમાં અચાનક પૂર, ગાજવીજ અને વીજળી પડવાથી 23ના મોત

ઉત્તર પ્રદેશમાં અચાનક પૂર, ગાજવીજ અને વીજળી પડવાથી 23ના મોત

ઉત્તર પ્રદેશમાં સોમવારે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક જિલ્લાઓમાં તેજ આંધળી,ગાજવીજ સાથે વરસાદ અને આકાશી વીજળી ત્રાટકી હતી. ગરમીથી પીડાતા લોકોને આ વરસાદથી રાહત તો મળી છે,પરંતુ તે જીવલેણ સાબિત થઈ છે. સમગ્ર રાજ્યમાં કુદરતી પ્રકોપને કારણે કુલ23લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કુદરતી હોનારતમાં અવધ વિસ્તારના જિલ્લાઓમાં જ7લોકોના મોત થયાના અહેવાલ છે. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે સંભલ જિલ્લામાં સૌથી વધુ130મીમી વરસાદ એકસાથે નોંધાયો હતો. રાજ્યના વિવિધ ભાગોમાં વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે,જેમાં ખાસ કરીને ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને ખુલ્લામાં રહેલા લોકો વીજળીની ચપેટમાં આવી ગયા હતા. તેજ પવન અને વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને કાચી દીવાલો ધસી પડવાને કારણે જન-માલને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે અને મૃતકોના પરિવારોને સહાય પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ જોખમ ટળ્યું ન હોવાની ચેતવણી આપી છે. મંગળવાર માટે વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના21જિલ્લાઓમાં ગાજવીજ,તોફાની પવન અને કરા પડવાની શક્યતાને જોતા'ઓરેન્જ એલર્ટ'જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સાવચેત રહેવા અને ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને આકાશી વીજળી અને વજ્રપાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
33 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 09:12 AM
ગુજરાતમાં ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ

ગુજરાતમાં ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ તા.૫: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્‍યના કેટલાક વિસ્‍તારના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. રાજ્‍યમાં ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્‍યો હતો. સવારના પહોરમાં જ ૧ ઇંચ સુધી વરસાદ ખાબક્‍યો હતો. સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરના આંકડા પ્રમાણે, સવારે ૬ થી ૮ કલાક દરમિયાન દાહોદના ફતેપુરામાં ૦.૭૯ ઇંચ, સુખસરમાં ૦.૪૭ ઇંચ તથા સંતરામપુરમાં ૦.૩૯ ઇંચ વરસાદ પડ્‍યો હતો. મહેસાણાના ખેરાલુ અને અરવલ્‍લીના મેઘરજ અને માલપુર સહિત શામળાજીના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ખેરાલુ અને સતલાસણા પંથકમાં વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતાં. આકાશમાં વાદળો ઘેરાતાં ખેડૂતોમાં ચિતા પ્રસરી છે. દાહોદ જિલ્‍લાના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્‍તારોમાં ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્‍યાના અહેવાલ છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની શક્‍યતા છે. સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ઉનાળાની મધ્‍યમાં વરસાદ પડતા સ્‍થાનિકોએ આヘર્ય અનુભવ્‍યું હતું. જોકે, આ કમોસમી વરસાદ અને પવનના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી ઝાપટાં પડ્‍યા હતા.
60 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 09:03 AM
રાજકોટ સ્કૂલની છોકરીઓએ ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં ઇનોવેટિવ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ સાથે ટોચનું સન્માન જીત્યું

રાજકોટ સ્કૂલની છોકરીઓએ ગુજરાત રાજ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં ઇનોવેટિવ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ સાથે ટોચનું સન્માન જીત્યું

રાજકોટઃ શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા રાજકોટ શહેર માટે એક અત્‍યંત ગૌરવપૂર્ણ ઘટના બની છે. રાજકોટ સ્‍થિત પ્રતિષ્ઠિત સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સે પોતાની શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રાજ્‍ય કક્ષાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.GCERT(ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ), ગાંધીનગર દ્વારા તાજેતરમાં આયોજિત ગુજરાત રાજ્‍ય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ‘‘બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬'' માં શાળાની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓએ સમગ્ર રાજ્‍યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજકોટનું નામ રોશન કર્યું છે. શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી નિપુલ ચોટલીયાના સચોટ માર્ગદર્શન હેઠળ શાળાની તેજસ્‍વી વિદ્યાર્થીનીઓ જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્‍તરે પર્યાવરણ માટે સૌથી મોટી સમસ્‍યા બની ચૂકેલા પ્‍લાસ્‍ટિક પ્રદૂષણને કેન્‍દ્રમાં રાખીને, આ વિદ્યાર્થીનીઓએ ‘‘Waste Management and Alternatives to Plastics'' (કચરાનું વ્‍યવસ્‍થાપન અને પ્‍લાસ્‍ટિકના વિકલ્‍પો) વિષય અંતર્ગત પોતાનો ઇનોવેટિવ પ્રોજેક્‍ટ ‘‘Renew Plastic'' રજૂ કર્યો હતો. આ પ્રોજેક્‍ટમાં જાનવી ડાંગર અને કાટેલિયા નાઝમીને પર્યાવરણની સુરક્ષા, પ્‍લાસ્‍ટિક કચરાનું યોગ્‍ય રિસાયક્‍લિંગ અને રોજિદા જીવનમાં વાપરી શકાય તેવા પ્‍લાસ્‍ટિકના સચોટ અને ટકાઉ વિકલ્‍પો અંગેના અદભુત, પ્રયોગાત્‍મક અને નવીન વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીનીઓની વિષય પરની ઉંડી વૈજ્ઞાનિક સમજ, સમસ્‍યાના સમાધાન માટેનો પ્રેક્‍ટિકલ અભિગમ, સર્જનાત્‍મકતા અને અત્‍યંત આત્‍મવિશ્વાસભર્યા પ્રેઝન્‍ટેશનથી નિર્ણાયકો અને ઉપસ્‍થિત વિજ્ઞાન નિષ્‍ણાતો અત્‍યંત પ્રભાવિત થયા હતા અને આ પ્રોજેક્‍ટને રાજ્‍ય કક્ષાએ સર્વશ્રેષ્ઠ જાહેર કર્યો હતો.
76 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 08:37 AM
મંત્રીના પ્રયાસો પછી અટકોટ ભાદર નદી નર્મદાના પાણીથી ભરાઈ

મંત્રીના પ્રયાસો પછી અટકોટ ભાદર નદી નર્મદાના પાણીથી ભરાઈ

આટકોટઃ નર્મદા નાં નીર થી ભરાઈ આટકોટ ભાદર નદી નર્મદાના નીર થી જતાં પશુ પંખીઓ માટે રાહત મળી હતી ૪૪ ડિગ્રીમાં પણ ભાદર તારા વહેતા પાણી થતાં પશુ પક્ષીઓ માટે પીવાનું પાણી મળી રહ્યું ત્‍યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં પ્રયાસોથી આ નર્મદા ના ર્નિ થી ભરવામાં આવી હતી આવી કાળજાળ ગરમીમાં પીવાનું પાણી તેમજ પાણીમાં પડ્‍યું રહેવાથી પશુ પક્ષીઓને મોટી રાહત મળી હતી (તસવીરોઃ કરશન બામટા આટકોટ)
82 shares
😐
A
Akila News
May 5, 2026, 05:40 AM
ભારતના ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું, 44ના મોત

ભારતના ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું, 44ના મોત

નવી દિલ્‍હી તા.૫: સોમવારે ભારે વાવાઝોડા, વરસાદ, કરા અને વીજળી પડવાથી ભારે તબાહી મચી ગઈ હતી, જેમાં ઉત્તર પ્રદેશમાં ૨૪ અને બિહારમાં ૨૦ લોકો માર્યા ગયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા હવામાનના કારણે સામાન્‍ય જનજીવન ખોરવાઈ ગયું અને પાકને નોંધપાત્ર નુકસાન થયું. વાવાઝોડાને કારણે વીજળી ગુલ થઈ ગઈ, વીજળીના થાંભલા પડી ગયા અને વાયર તૂટી ગયા, જેના કારણે સેંકડો ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ઘણી જગ્‍યાએ રસ્‍તાઓ બ્‍લોક થઈ ગયા, જેના કારણે કેરી, ઘઉં અને શાકભાજીના પાકને નોંધપાત્ર નુકસાન થયું. ઉત્તર પ્રદેશમાં તીવ્ર ગરમી વચ્‍ચે છેલ્‍લા અઠવાડિયાથી તૂટક તૂટક વરસાદ ચાલુ છે. સોમવારે લખનૌ સહિત ૫૦ થી વધુ જિલ્‍લાઓમાં સવારે ૮:૩૦ વાગ્‍યાની આસપાસ કાળા વાદળો ઘેરાયા હતા અને સવારે ૮:૩૦ વાગ્‍યા સુધીમાં અંધારું છવાઈ ગયું. વાવાઝોડા, જોરદાર પવન અને વરસાદ શરૂ થયો, જેના કારણે વાહનોને તેમના લાઇટ ચાલુ કરવા પડ્‍યા. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, રાજ્‍યના પૂર્વ અને પヘમિ ભાગોમાં મંગળવાર અને બુધવારે ભારે વાવાઝોડા, મધ્‍યમથી ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ૬૦ થી વધુ જિલ્‍લાઓમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. ૪૦ થી વધુ જિલ્‍લાઓમાં વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
72 shares
😢
A
Akila News
May 5, 2026, 05:29 AM
કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો, નીચા દબાણનું ક્ષેત્ર અસ્થિર હવામાન તરફ દોરી જાય છે

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો, નીચા દબાણનું ક્ષેત્ર અસ્થિર હવામાન તરફ દોરી જાય છે

રાજકોટ તા.૫ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આજે વહેલી સવારથી જ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદર, વેરાવળ અને કચ્છના દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. પવનની તેજ ગતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને તાત્કાલિક સલામત સ્થળે પરત ફરવા અને હાલ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દરિયામાં ભારે પવન અને ઉંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરી છે.
60 shares
😐
Sandesh logo
Sandesh
May 5, 2026, 05:07 AM
કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં વ્યાપક વિક્ષેપ પડ્યો

કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં વ્યાપક વિક્ષેપ પડ્યો

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં. બીજી તરફ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતાં. ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં જોવા મળી હતી.ફતેપુરા, સલરા, વડવાસ, કરોડીયા, વલોન્ડી ,પાટવેલ, નવાગામ, છાલોર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.હરીજન વાસનો રોડ ઊંચો કરી દેવાતા મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પલળી હતી. ડબગરવાસના વહેરા ઉપર દબાણ કરી દેતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતાં.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર રાજકોટમાં કાયદાના લીરેલીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીની તપાસમાં ખુલાસો થયો છે કે, શહેરમાં મોટા પાયે બાળ લગ્નો થઈ રહ્યા છે. લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી કરનારા યુગલોમાંથી અંદાજે 122 યુગલો સગીર હોવાનું સામે આવતા મનપા તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2025 થી અત્યાર સુધીમાં રાજકોટ મનપામાં લગ્ન નોંધણી માટે સેંકડો અરજીઓ આવી હતી. આ અરજીઓની જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે દસ્તાવેજોના આધારે માલૂમ પડ્યું કે 122 જેટલા કિસ્સાઓમાં વર અથવા કન્યા (અથવા બંને) લગ્ન સમયે કાયદેસરની ઉંમર ધરાવતા નહોતા. આ યુગલોએ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને બાળ લગ્ન કરી લીધા હોવાનું સ્પષ્ટ થતા તંત્રએ તાત્કાલિક અસરથી આ તમામ લગ્ન સર્ટિફિકેટ નામંજૂર કરી દીધા છે. આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, આ 122 સગીર યુગલો પૈકીના અનેક કિસ્સાઓમાં તો યુગલોને બાળકો પણ થઈ ગયા છે. હવે જ્યારે બાળકોના જન્મના દાખલા કે અન્ય સરકારી કામકાજ માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડી ત્યારે તેઓએ નોંધણી કરાવવા અરજી કરી હતી. જોકે, ઉંમર ઓછી હોવાને કારણે હવે આ યુગલો માટે કાયદાકીય મુશ્કેલીઓ વધવાના એંધાણ છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કાયદા મુજબ નિર્ધારિત ઉંમર વગર થયેલા લગ્નોની નોંધણી થઈ શકે નહીં. આ ઘટસ્ફાટ બાદ હવે સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ બાળ લગ્ન અટકાવવા માટે વધુ કડક પગલાં ભરે તેવી શક્યતા છે. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન રાજકોટ શહેરમાં સાયબર ગુનેગારોએ હવે ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.રાજકોટ પીજીવીસીએલની લક્ષ્મીનગર મેઈન બ્રાન્ચમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ)તરીકે ફરજ બજાવતા કિંતુકુમાર શશીકાંતભાઈ મલકાણને સાયબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવી રૂ.4560904ની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત મુજબ 4 મે 2026ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ ફરિયાદી કિંતુકુમાર મલકાણ પોતાની ઓફિસમાં હાજર હતા.તે સમયે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.જેમાં PGVCLના એમ.ડી.કેતન જોષીનો પ્રોફાઇલ ફોટો રાખવામાં આવ્યો હતો.ઠગે પોતાની ઓળખ એમ.ડી.તરીકે આપી મેસેજ કર્યો હતો કે,આ મારો અંગત નંબર છે કોઈની સાથે શેર કરતા નહીં.ત્યારબાદ આરોપીએ પોતે મીટિંગમાં હોવાનું કહી ફોન ઉપાડયો નહોતો અને મેસેજ દ્વારા મનીષા મંડલ નામના બેંક એકાઉન્ટની વિગતો મોકલી તાત્કાલિક 45.60 લાખ રૂપિયા RTGS કરવા આદેશ આપ્યો હતો. પોતાના ઉચ્ચ અધિકારીનો આદેશ સમજીને મલકાણે પીજીવીસીએલના એસ.બી.આઈ.ખાતાનો ચેક લખી કર્મચારી મારફતે ઈન્ડસઈન્ડ બેંકના આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.જોકે ગઠિયાની લાલચ આટલેથી અટકી નહોતી.બપોરે ફરીથી તે જ નંબર પરથી બીજા 30.60 લાખ રૂપિયા નીતિન નામના ખાતામાં ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો.સતત બીજા પેમેન્ટની માંગણી થતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તેમણે રૂબરૂ જઈને એમ.ડી.કેતન જોષી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આવો કોઈ મેસેજ તેમણે મોકલ્યો જ નથી.જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે રાજકોટના DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે, ગઈકાલે બપોરે આ ઘટના ઘટી હતી. PGVCLના અધિકારી કિન્તુ માલકણને તેમની કંપનીના જનરલ મેનેજર કેતન જોશીના નામે મેસેજ આવ્યો હતો. તેમણે મેસેજમાં જણાવેલા એકાઉન્ટ નંબર પર 45 લાખ ટ્રાન્સફર કર્યા હતાં.ભોગ બનનારને લાગ્યું કે આ તેના સાહેબ છે જેથી પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બીજી વખત પૈસા માંગતાં તેમને શંકા ગઈ હતી અને તેઓ સાયબર ફ્રોડનો શિકાર થયા હોવાનું સામે આવ્યું હતું. અમને ફરિયાદ મળતા અમે કાર્યવાહી કરી છે. 2.5 લાખ રૂ.ઉપડ્યા હતાં અને બાકીની રકમ અમે ફ્રીઝ કરાવી છે. એક પણ વખત ખરાઈ કર્યા વગર નાણાકીય વ્યવહાર ન કરવો જોઈએ.આ પણ વાંચોઃ Banaskantha News: જગદીશ વિશ્વકર્માના ગેનીબેન સામેના નિવેદનનો વિરોધ, વાવ થરાદમાં કોંગ્રેસ અને પોલીસ આમને સામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં વિપક્ષ નેતાના પદને લઈને કોંગ્રેસ છાવણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પછી વિપક્ષી નેતાની વરણી થવાની છે ત્યારે હવે આ પદ માટે કોંગ્રેસના 4 દિગ્ગજ કોર્પોરેટરો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. આ પદ મેળવવા માટે નેતાઓએ પ્રદેશ નેતૃત્વ સમક્ષ જોરદાર લોબિંગ શરૂ કરી દીધું છે. વિપક્ષી નેતા પદની રેસમાં હાલ મુખ્યત્વે ત્રણ સમીકરણો ચર્ચાઈ રહ્યા છે જેમાં લઘુમતી ચહેરો, હિન્દુ ચહેરો અથવા મહિલા ચહેરો હોઇ શકે છે. લઘુમતી સમાજમાંથી બે મજબૂત નામો ચર્ચામાં છે. જેમાં શહેઝાદ ખાન પઠાણ અગાઉ બે ટર્મ આ પદ સંભાળી ચૂક્યા છે, જ્યારે હવે તેમની સામે ઝુલ્ફીકાર પઠાણનું નામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષી પણ આ રેસમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેઓ પ્રદેશના ટોચના નેતાઓની નજીક હોવાનું મનાય છે, જે તેમના પક્ષમાં મોટું પાસું સાબિત થઈ શકે છે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ મહિલા કાર્ડ રમવાનું વિચારે અથવા નોન-ગુજરાતી મતદારોને આકર્ષવા માંગે, તો કામિની ઝાનું નામ સૌથી આગળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારેય દાવેદારોએ પોતપોતાની રીતે શક્તિ પ્રદર્શન અને રજૂઆતો શરૂ કરી દીધી છે. શહેઝાદ ખાન પઠાણનો અનુભવ તેમની તરફેણમાં છે, તો નીરવ બક્ષી હિન્દુ ચહેરા તરીકે પક્ષની નવી રણનીતિમાં ફિટ બેસી શકે છે. બીજી તરફ, કામિની ઝા મહિલા સશક્તિકરણના નામે બાજી મારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોના નામ પર મહોર મારે છે. આ નિર્ણય આગામી કોર્પોરેશનની ચૂંટણીઓ માટે પક્ષની દિશા નક્કી કરશે. આ પણ વાંચો----West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન ગુજરાતની જીવાદોરી ગણાતી એસ.ટી. નિગમ (GSRTC) હાલ મોટા વિવાદના વમળમાં ફસાઈ છે. નિગમમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અને હવે સ્ટાફની ભરતી કરવાને બદલે આઉટસોર્સિંગ એટલે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવાના નિર્ણયને પગલે કર્મચારી સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કર્મચારી યુનિયનના ધીરેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા મુજબ, એસ.ટી. નિગમમાં હાલ અંદાજે 2,000 થી વધુ સ્ટાફની જગ્યાઓ ખાલી છે. આ સ્ટાફની અછતને કારણે અનેક ગ્રામ્ય અને લાંબા અંતરના રૂટ કેન્સલ કરવા પડી રહ્યા છે. નિગમ જાણી જોઈને રૂટ કેન્સલ કરી રહ્યું છે જેથી કરીને ખાનગી બસો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિને પ્રોત્સાહન આપી શકાય. નિગમ હવે ડ્રાઈવર અને કંડક્ટરોને સીધી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ પર લેવાની તૈયારી કરી રહ્યું છે. તેમના કહેવા મુજબ નિગમ દ્વારા પોતાના કાફલામાં નવી બસો વસાવવાને બદલે 1,000 જેટલી બસો ભાડે લેવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ નિર્ણયને કર્મચારી સંગઠનો નિગમના ખાનગીકરણ તરફનું પ્રથમ પગલું ગણાવી રહ્યા છે. સંગઠનોનો આક્ષેપ છે કે સરકાર ધીમે ધીમે નિગમને ખાનગી હાથોમાં સોંપવા માંગે છે, જેનાથી કાયમી નોકરીની આશા રાખતા યુવાનોને મોટો અન્યાય થશે. એસ.ટી. નિગમના આ નિર્ણય સામે વિવિધ કર્મચારી યુનિયનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જો સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને આઉટસોર્સિંગનો નિર્ણય પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન અને ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મુસાફરોને પણ ડર છે કે ખાનગીકરણને કારણે ભવિષ્યમાં એસ.ટી.ના ભાડામાં મોટો વધારો થઈ શકે છે. આ પણ વાંચો---West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેની એક સભામાં સાંસદ ગેનીબેનની સાડીના પાલવમાંથી ભાજપે આ વખતે સીટો આંચકી લીધી એવું નિવેદન કરતાં જ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે.તાજેતરમાં થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુએ જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરવા અપીલ કરી હતી. ત્યારે હવે વાવ થરાદમાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી કાઢી હતી. જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરતાં પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું. વાવ થરાદમાં કોંગ્રેસે સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી કાઢી હતી. ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસે રેલી કાઢી હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરતાં પોલીસ સાથે સામાન્ય માથાકૂટ થઈ હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરો પાસેથી પૂતળુ છીનવી લીધું હતું. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. પૂતળા દહન દરમ્યાન પોલીસ એક્શનમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. બીજી તરફ પાટણના રાધનપુરમાં પણ સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી. કોંગ્રેસ કાર્યકરો દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું. આવેદન બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરાયો હતો. પૂતળા દહન દરમ્યાન પોલીસ એક્શનમાં આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગી નેતાઓએ કહ્યું હતું કે, ગેનીબેન ઠાકોર વિરુદ્ધની ટિપ્પણી ગુજરાતની જનતા અને મહિલા શક્તિનું અપમાન છે.ભાજપ અધ્યક્ષ સામે કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદની માગ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Gujarat Weather: 8મી મે સુધી ભારે વરસાદની શક્યતા, 11મે બાદ ગરમીનું પ્રમાણ વધશે: અંબાલાલ પટેલની આગાહી
99 shares
😐
S
Sandesh
May 5, 2026, 05:00 AM
કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં ચિંતા અને નુકસાન થયું છે

કમોસમી વરસાદથી દાહોદ જિલ્લામાં ચિંતા અને નુકસાન થયું છે

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં. બીજી તરફ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતાં. ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં જોવા મળી હતી.ફતેપુરા, સલરા, વડવાસ, કરોડીયા, વલોન્ડી ,પાટવેલ, નવાગામ, છાલોર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.હરીજન વાસનો રોડ ઊંચો કરી દેવાતા મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પલળી હતી. ડબગરવાસના વહેરા ઉપર દબાણ કરી દેતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતાં.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાંની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આ માટે મળેલી સમીક્ષા બેઠકમાં રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અસરકારક અમલ કરવા અને ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા જિલ્લામાં દરેક તાલુકા માટે એક નાયબ કલેક્ટર મળીને કુલ 12 અધિકારીઓને ખાસ ફરજ સોપવામાં આવી છે.વાવાઝોડા કે ભારે વરસાદની ચેતવણીના સંજોગોમાં તમામ સ્ટાફને ફરજના સ્થળે જ હાજર રહેવા તેમજ આગામી 1 જુનથી કલેક્ટરે સૂચના આપી હતી. બીજી તરફ રાજકોટ મનપાએ પણ પ્રિમોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટ મનપા દ્વારા પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા પ્રિ મોન્સૂનનો પ્લાન તૈયાર કર્યો છે. આગામી 30 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શહેરના 63 વોકળામાંથી પાણી નિકાલનું આયોજન કરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના રેડ સ્પોટ નક્કી કરાયા છે. શહેરમાં 30 મિનીટમાં વરસાદી પાણીના નિકાલનો દાવો કરવામાં આવ્યો છે. પાણી ભરાવાના સ્પોટનું મોનિટરીંગ CCTV દ્વારા કરાશે. 800માંથી 200 જર્જરીત આવાસનું રિપેરીંગ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી 250 જેટલા જર્જરીત મકાન દૂર કરાયા છે. દર વખતે તંત્રના દાવા પર દર વર્ષે વરસાદી પાણી ફરી વળે છે. શહેરમાં ત્રણ દાયકાથી બદલાયેલી વરસાદી પેટર્નના કારણે શહેરમાં માત્ર એક ઈંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. રાજકોટ જિલ્લામાં ચોમાસું શરૂ થાય તે પહેલાંથી જ વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિ જો ક્યાંય થતી હોય તો તે બંધ કરવા પર ભાર મુક્યો હતો.નિવાસી અધિક કલેક્ટરે જર્જરિત થાંભલાઓ, ઊંચા બિલ્ડિંગ પર લાગેલા જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ વગેરેને સમયસર દૂર કરવા સૂચના આપી હતી.ચોમાસામાં જાનહાનિ ટાળવા આગોતરી અસરકારક વ્યવસ્થા કરવા પર ભાર મુકાયો હતો.પશુમૃત્યુ કે માનવમૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સહાયની રકમ અસરગ્રસ્તોને વહેલાસર ચુકવવા જણાવાયું હતું. આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર પોરબંદરમાં એક પરીણિતાની પ્રેમલીલામાં એક નવજાત બાળકનો ભોગ લેવાયો હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે.પોતાના અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે કઠોર હૃદયની નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હોવાની વિગતો બહાર આવી છે. આ બાબતની મહિલાના પતિને જાણ થતાં જ તેણે માધવપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદરના માધવપુર વિસ્તારની આ પરણીતા છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે બેઠી હતી.આ સમય દરમિયાન તેણે પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.જેના કારણે તે ગર્ભવતી બની હતી.ગત સપ્તાહે તેણે પોરબંદરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.જોકે આ પાપ દુનિયા સામે ન આવે તે માટે તેણે બાળકનો નિકાલ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે મહિલાના પતિની ફરિયાદ બાદ આ ઘટનામાં બાળકની માતા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે વિપુલ કાનાભાઈ વાસણની ફરિયાદના આધારે આરોપી પત્ની જાગૃતિ વિપુલ વાસણ તેની માતા દૂધીબેન મુળુભાઈ વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર વેલંજા રહેતા અને કાપડના કારખાનામાં સુપરવાઈઝર 41 વર્ષીય યુવક સાથે મુંબઈની યુવતી અને તેના પરિવારે લગ્નનું નાટક રચી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.લગ્ન મંડપમાં જ આબરૂની દુહાઈ દઈ ર લાખ પડાવ્યા બાદ લૂંટરી દુલ્હન માત્ર 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈ મુંબઈ પલાયન થઈ ગઈ છે.હવે આ ટોળકી યુવક પાસે દર મહિને 50 હજાર રૂપિયાની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહી છે. મૂળ ભાવનગર કણબીવાડના વતની અને હાલ ઉમરા વેલંજા ખાતે રહેતા ઉમેશ દેવેન્દ્રભાઈ ધોળકીયાએ પોતાના લગ્ન માટે 'Saadi.com' પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ઓગસ્ટ-2025માં તેમનો સંપર્ક મુંબઈના કલ્યાણમાં રહેતી અર્ચના કપૂરચંદ માહાનંદ સાથે થયો હતો.અર્ચનાએ શરૂઆતથી જ લગ્ન બાદ અલગ રહેવાની અને બહાર નોકરી કરવાની શરતો મૂકી હતી.ઉમેશે એ સ્વીકારી લેતાં ગત 3 ફેબ્રુઆરીએ સિંગણપોર ખાતે લગ્ન નિર્ધારિત હતા.લગ્નવિધિ સમયે જ અર્ચના તેનાં માતા-પિતા અને બહેને લગ્ન ખર્ચ પેટે 3 લાખની માંગણી કરી હતી.જો રૂપિયા ન મળે તો લગ્ન તોડી નાખવાની ધમકી આપતા,સમાજમાં આબરૂ જશે તેવા ડરથી ઉમેશભાઈએ 2 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.લગ્ન બાદ અર્ચનાએ શરૂઆતથી શરીર સંબંધ બાંધવામાં આનાકાની કરી હતી. આબુ અને અરલેજ પ્રવાસ દરમિયાન પણ તેણે બીમારીના બહાના કાઢ્યા હતા.આબુ પવાસ દરમિયાન તેણે ઉમેશના મોબાઈલમાંથી મહત્ત્વના ચેટ્સ અને પુરાવાઓ પણ ડિલીટ કરી દીધા હતા. લગ્નના 10 દિવસ બાદ 14 ફેબ્રુઆરીએ તે પિયર મુંબઈ જતી રહી હતી.ઉમેશ પત્નીને લેવા મુંબઈ ગયો ત્યારે અર્ચનાએ કહી દીધું હતું કે, હું આવવાની નથી.જો છૂટાછેડા લેવા હશે તો દર મહિને પરિવારને 50 હજાર આપવા પડશે અને દબાણ કરશો તો તેની બહેન વૈભવી પર બળાત્કારની ફરિયાદ કરશે તેવી ધમકી આપી હતી.ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે અર્ચના પિયર જતી વખતે 2 લાખ રોકડા ઉપરાંત સોનાનું મંગળસૂત્ર,હાર,નાકનો દાણો અને ચાંદીની પાયલ મળી રૂ.3.93 લાખની મતા સાથે લઇ ગઈ છે.ઉત્રાણ પોલીસે અર્ચના,તેની બહેન વૈભવી,માતા આશાબેન અને પિતા કપૂરચંદ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: ગરમી અને ઉકળાટ વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો
70 shares
😐
S
Sandesh
May 5, 2026, 01:07 AM
પુર્સા ગામમાં ઘરમાંથી વિશાળ અજગરને બચાવી લેવાયો

પુર્સા ગામમાં ઘરમાંથી વિશાળ અજગરને બચાવી લેવાયો

આમોદ તાલુકામાં પુરસા ગામે ઘરમાં ઘુસી આવેલા મહાકાય અજગરનું રેસ્ક્યૂ કરાયુ હતું. પુરસા ગામે રાત્રીના સમયે ઘરના વાડામાં મહાકાય અજગર હોવાનું જોવા મળતા ઘર માલિકે આમોદ આમોદ વન વિભાગને જાણ કરી હતી. જેથી આમોદ વન વિભાગના ઇન્ચાર્જ રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર મહેન્દ્રસિંહ કપલેટીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ નેચર સેવિંગ ફઉન્ડેશનના કાર્યકર અંકિત પરમાર તથા હેમંત પરમારે રાતોરાત પુરસા ગામે પહોંચી કરશનભાઇ મોહનભાઈ પરમારના ઘરના વાડામાં છુપાયેલા અજગર ને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યું કર્યું હતું.મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવ્યા બાદ તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 10થી એક વાગ્યા સુધીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આગ ઝરતી ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં રાહત મળી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં. બીજી તરફ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતાં. ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં જોવા મળી હતી.ફતેપુરા, સલરા, વડવાસ, કરોડીયા, વલોન્ડી ,પાટવેલ, નવાગામ, છાલોર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.હરીજન વાસનો રોડ ઊંચો કરી દેવાતા મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પલળી હતી. ડબગરવાસના વહેરા ઉપર દબાણ કરી દેતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતાં.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની ભિતી સેવાઈ રહી છે. ફતેપુરા તાલુકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતાં. બીજી તરફ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ફતેપુરાના અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતાં. ફતેપુરા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં જોવા મળી હતી.ફતેપુરા, સલરા, વડવાસ, કરોડીયા, વલોન્ડી ,પાટવેલ, નવાગામ, છાલોર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.હરીજન વાસનો રોડ ઊંચો કરી દેવાતા મકાનોમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી પલળી હતી. ડબગરવાસના વહેરા ઉપર દબાણ કરી દેતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતાં.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાંની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આ માટે મળેલી સમીક્ષા બેઠકમાં રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અસરકારક અમલ કરવા અને ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા જિલ્લામાં દરેક તાલુકા માટે એક નાયબ કલેક્ટર મળીને કુલ 12 અધિકારીઓને ખાસ ફરજ સોપવામાં આવી છે.વાવાઝોડા કે ભારે વરસાદની ચેતવણીના સંજોગોમાં તમામ સ્ટાફને ફરજના સ્થળે જ હાજર રહેવા તેમજ આગામી 1 જુનથી કલેક્ટરે સૂચના આપી હતી. બીજી તરફ રાજકોટ મનપાએ પણ પ્રિમોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટ મનપા દ્વારા પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા પ્રિ મોન્સૂનનો પ્લાન તૈયાર કર્યો છે. આગામી 30 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શહેરના 63 વોકળામાંથી પાણી નિકાલનું આયોજન કરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના રેડ સ્પોટ નક્કી કરાયા છે. શહેરમાં 30 મિનીટમાં વરસાદી પાણીના નિકાલનો દાવો કરવામાં આવ્યો છે. પાણી ભરાવાના સ્પોટનું મોનિટરીંગ CCTV દ્વારા કરાશે. 800માંથી 200 જર્જરીત આવાસનું રિપેરીંગ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી 250 જેટલા જર્જરીત મકાન દૂર કરાયા છે. દર વખતે તંત્રના દાવા પર દર વર્ષે વરસાદી પાણી ફરી વળે છે. શહેરમાં ત્રણ દાયકાથી બદલાયેલી વરસાદી પેટર્નના કારણે શહેરમાં માત્ર એક ઈંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. રાજકોટ જિલ્લામાં ચોમાસું શરૂ થાય તે પહેલાંથી જ વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિ જો ક્યાંય થતી હોય તો તે બંધ કરવા પર ભાર મુક્યો હતો.નિવાસી અધિક કલેક્ટરે જર્જરિત થાંભલાઓ, ઊંચા બિલ્ડિંગ પર લાગેલા જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ વગેરેને સમયસર દૂર કરવા સૂચના આપી હતી.ચોમાસામાં જાનહાનિ ટાળવા આગોતરી અસરકારક વ્યવસ્થા કરવા પર ભાર મુકાયો હતો.પશુમૃત્યુ કે માનવમૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સહાયની રકમ અસરગ્રસ્તોને વહેલાસર ચુકવવા જણાવાયું હતું. આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર પોરબંદરમાં એક પરીણિતાની પ્રેમલીલામાં એક નવજાત બાળકનો ભોગ લેવાયો હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે.પોતાના અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે કઠોર હૃદયની નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હોવાની વિગતો બહાર આવી છે. આ બાબતની મહિલાના પતિને જાણ થતાં જ તેણે માધવપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદરના માધવપુર વિસ્તારની આ પરણીતા છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે બેઠી હતી.આ સમય દરમિયાન તેણે પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.જેના કારણે તે ગર્ભવતી બની હતી.ગત સપ્તાહે તેણે પોરબંદરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.જોકે આ પાપ દુનિયા સામે ન આવે તે માટે તેણે બાળકનો નિકાલ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે મહિલાના પતિની ફરિયાદ બાદ આ ઘટનામાં બાળકની માતા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે વિપુલ કાનાભાઈ વાસણની ફરિયાદના આધારે આરોપી પત્ની જાગૃતિ વિપુલ વાસણ તેની માતા દૂધીબેન મુળુભાઈ વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર
75 shares
😐
Sandesh logo
Sandesh
May 5, 2026, 12:10 AM
નવા કારના માલિકે મિત્રની મદદથી મોરૈયા સુધી સવારી કરી

નવા કારના માલિકે મિત્રની મદદથી મોરૈયા સુધી સવારી કરી

સાણંદ તાલુકાનાં ચાંગોદર માં રૂદ્ર આરંભ ખાતે રહેતા સુરજ કુમાર રામચરણ વર્મા (ઉં.વર્ષ-32) એ તા.27 એપ્રિલ નાં રોજ નવી કાર ખરીદી હતી જેઓ પોતાની કાર લઈને મોરૈયા ખાતે આવેલ એસ.આર.એસ. એવન્યુ માં રહેતા પોતાનાં મિત્રને ત્યાં શુક્રવારે કાર લઈને ગયા હતાં ત્યાં શુકન માટે શ્રીફળ કારનાં ટાયર નીચે મુકી કારનું મુહુર્ત કરવા જતાં હતા જ્યાં આસપાસ લોકો ઉભા હતા ત્યારે અચાનક શ્રીફળ સ્લિપ મારી જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા જમણી બાજુ દીવાલ સાથે કાર અથડાઈ હતી જેમાં એક બાળક સાઈકલ લઈને જતો હતો તેનો આબાદ બચાવ થયો હતો અને આ અકસ્માત માં 56 વર્ષિય મધુબેન કાર નીચે આવી ગયા હતા જેમાં કાર નીચે થી બહાર કાઢતાં તેમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી ઈજાગ્રસ્ત મધુબહેનને તાત્કાલિક હોસ્પીટલાઈઝ કરાયા હતા જ્યાં તા.1 નાં રોજ તબીબો એ તેઓને મૃત જાહેર કર્યા હતા.બનાવની જાણ ચાંગોદર પોલીસને થતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો વેલંજા રહેતા અને કાપડના કારખાનામાં સુપરવાઈઝર 41 વર્ષીય યુવક સાથે મુંબઈની યુવતી અને તેના પરિવારે લગ્નનું નાટક રચી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.લગ્ન મંડપમાં જ આબરૂની દુહાઈ દઈ ર લાખ પડાવ્યા બાદ લૂંટરી દુલ્હન માત્ર 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈ મુંબઈ પલાયન થઈ ગઈ છે.હવે આ ટોળકી યુવક પાસે દર મહિને 50 હજાર રૂપિયાની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહી છે. મૂળ ભાવનગર કણબીવાડના વતની અને હાલ ઉમરા વેલંજા ખાતે રહેતા ઉમેશ દેવેન્દ્રભાઈ ધોળકીયાએ પોતાના લગ્ન માટે 'Saadi.com' પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ઓગસ્ટ-2025માં તેમનો સંપર્ક મુંબઈના કલ્યાણમાં રહેતી અર્ચના કપૂરચંદ માહાનંદ સાથે થયો હતો.અર્ચનાએ શરૂઆતથી જ લગ્ન બાદ અલગ રહેવાની અને બહાર નોકરી કરવાની શરતો મૂકી હતી.ઉમેશે એ સ્વીકારી લેતાં ગત 3 ફેબ્રુઆરીએ સિંગણપોર ખાતે લગ્ન નિર્ધારિત હતા.લગ્નવિધિ સમયે જ અર્ચના તેનાં માતા-પિતા અને બહેને લગ્ન ખર્ચ પેટે 3 લાખની માંગણી કરી હતી.જો રૂપિયા ન મળે તો લગ્ન તોડી નાખવાની ધમકી આપતા,સમાજમાં આબરૂ જશે તેવા ડરથી ઉમેશભાઈએ 2 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.લગ્ન બાદ અર્ચનાએ શરૂઆતથી શરીર સંબંધ બાંધવામાં આનાકાની કરી હતી. આબુ અને અરલેજ પ્રવાસ દરમિયાન પણ તેણે બીમારીના બહાના કાઢ્યા હતા.આબુ પવાસ દરમિયાન તેણે ઉમેશના મોબાઈલમાંથી મહત્ત્વના ચેટ્સ અને પુરાવાઓ પણ ડિલીટ કરી દીધા હતા. લગ્નના 10 દિવસ બાદ 14 ફેબ્રુઆરીએ તે પિયર મુંબઈ જતી રહી હતી.ઉમેશ પત્નીને લેવા મુંબઈ ગયો ત્યારે અર્ચનાએ કહી દીધું હતું કે, હું આવવાની નથી.જો છૂટાછેડા લેવા હશે તો દર મહિને પરિવારને 50 હજાર આપવા પડશે અને દબાણ કરશો તો તેની બહેન વૈભવી પર બળાત્કારની ફરિયાદ કરશે તેવી ધમકી આપી હતી.ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે અર્ચના પિયર જતી વખતે 2 લાખ રોકડા ઉપરાંત સોનાનું મંગળસૂત્ર,હાર,નાકનો દાણો અને ચાંદીની પાયલ મળી રૂ.3.93 લાખની મતા સાથે લઇ ગઈ છે.ઉત્રાણ પોલીસે અર્ચના,તેની બહેન વૈભવી,માતા આશાબેન અને પિતા કપૂરચંદ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: ગરમી અને ઉકળાટ વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં SG હાઇવે પર હવે ટ્રાફિકની પળોજણથી વાહન ચાલકોને રાહત મળશે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઇવે પર સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનો 4 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ આગામી જૂન મહિનાથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આ નવો બ્રિજ શરૂ થતા જ વાહનચાલકો આ ત્રણેય મુખ્ય જંક્શન પરના ટ્રાફિક અને સિગ્નલોમાં ફસાયા વગર સીધા જ પસાર થઈ શકશે. અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ 4 કિમીની લંબાઈ ધરાવતો શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક હોવાનો દાવો કરાયો છે. આ બ્રિજ કાર્યરત થયા બાદ સાયન્સ સિટીથી કર્ણાવતી ક્લબ સુધીનું અંતર હવે મિનિટોમાં કપાઈ જશે.સિગ્નલ પર વાહનો ઊભા ન રહેવાને કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. ગાંધીનગર અને સૌરાષ્ટ્ર તરફ જતા વાહનોને શહેરના આંતરિક ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે. બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે.તંત્ર દ્વારા જૂન મહિનામાં તેનું લોકાર્પણ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.ચોમાસું શરૂ થાય તે પહેલા આ બ્રિજ શરૂ થઈ જવાથી વરસાદી માહોલમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ શહેરીજનોને મોટી રાહત મળશે.આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા
69 shares
😐
D
Divya Bhaskar
May 5, 2026, 12:00 AM
ભારતીય રેડ ક્રોસે વાંસડામાં પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કર્યું

ભારતીય રેડ ક્રોસે વાંસડામાં પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કર્યું

ઇન્ડિયન રેડ ક્રોસની વાંસદા શાખા અને જુનિયર રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલથી શરૂ થઈને વાંસદાના મુખ્ય બજારમાંથી પસાર થઈ હતી. રેડ ક્રોસ શાખાના પ્રમુખ ગૌરાંગના કુમારીએ લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ પ્રસંગે વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં રેડ ક્રોસના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર, કિશનભાઈસેંગાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ પરમાર, વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ હાઈસ્કૂલના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ "પર્યાવરણ બચાવો" જેવા સૂત્રોચ્ચાર કરીને વાંસદા નગરમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશો ફેલાવ્યો હતો.
31 shares
😊
Akila News logo
Akila News
May 4, 2026, 06:09 PM
ભાવનગરમાં ભીષણ ગરમીનું મોજું ફરી વળ્યું

ભાવનગરમાં ભીષણ ગરમીનું મોજું ફરી વળ્યું

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેકાતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે ભાવનગરમાં ૩૬ કિ.મી.ની ઝડપે ગરમ લુ ફેકાઈ હતી.આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૮૨ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૩૬ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
35 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 05:29 PM
ગુજરાતનો સસ્ટેઇનેબિલીટી હિલઃ કાપડ અને પર્યાવરણ સંરક્ષણ એકસાથે આવે છે

ગુજરાતનો સસ્ટેઇનેબિલીટી હિલઃ કાપડ અને પર્યાવરણ સંરક્ષણ એકસાથે આવે છે

સુરત : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત જ્યારે ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત તા.૫મી મે સુધી આયોજિત પ્રદર્શનમાં પર્યાવરણની જાળવણી અને કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતી ‘સસ્ટેનેબિલિટી હિલ’ ઉભી કરાઈ છે. ટેક્સટાઇલ અને ઉર્જા ક્ષેત્રે પર્યાવરણલક્ષી અભિગમને વેગ આપવા માટે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન (TAADA) દ્વારા આ વિશેષ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ‘ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક અને ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન’ ની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં ફાયબરમાંથી પ્રોસેસિંગ થઈને બનતા કાપડની સમગ્ર ચેઈન વિષે જાણકારી મેળવી સુરતના કાપડ ઉદ્યોગના વૈશ્વિક પ્રદાન વિષે ઊંડી સમજ મેળવી રહ્યા છે.માત્ર કપાસ જ નહીં, પણ બામ્બુ, હેમ્પ, ફ્લેક્સ, કોટન ફ્લેક્સ, બનાના, હિમાલયન ઘાસ જેવા અન્ય મટીરીયલમાંથી પણ ફાઈબર બનાવી તેને પ્રોસેસ કરી મૂલ્યવાન કાપડ બનાવી શકાય છે. આ વાતની સમજ સ્ટોલ દ્વારા અપાઈ રહી છે. પર્યાવરણની જાળવણી માટે ગ્લોબલ ફેશન ઈન્ડસ્ટ્રી હવે સિન્થેટિકના બદલે વેસ્ટમાંથી બેસ્ટ સમાન અને આ પ્રમાણે તૈયાર થયેલા ફેબ્રિકસ જેવા કુદરતી વિકલ્પો તરફ વળી રહી છે.ટેક્સટાઇલ સપ્લાય ચેઇનનું જીવંત પ્રદર્શનટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસો.(TAADA) દ્વારા ૩,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં આ ઇન્સ્ટોલેશન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 5F ચેઈનને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે.TAADA ના ચેરમેન અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, સુરત હવે માત્ર કાપડના ડાઈંગ, પ્રોસેસિંગમાં જ નહીં, પણ ગાર્મેન્ટ સેક્ટરમાં પણ ગ્લોબલ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઘાસ, વાંસ અને છોડમાંથી બનતા ફેબ્રિક્સ પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સાથે ખેડૂતો માટે પણ આવકનો નવો સ્ત્રોત બની શકે છે, ત્યારે આ થીમ દ્વારા ગુજરાતને ગ્લોબલ ટેક્સટાઇલ હબની સાથે સાથે પર્યાવરણ સુરક્ષા અને ઔદ્યોગિક ઇનોવેશનના ક્ષેત્રે અગ્રેસર રાજ્ય તરીકે સ્થાપિત કરવા માટે કાપડ ઉદ્યોગકારો તલસ્પર્શી સમજ મેળવે અને સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ તરફ આગળ વધે એ મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું ભટ્ટાચાર્યએ કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે, વૈશ્વિક બજારમાં હવે ઓર્ગેનિક અને નેચરલ ફેબ્રિકની માંગ વધી રહી છે. સુરતના મિલો જો આ ક્ષેત્રમાં સંશોધન કરે, તો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરી શકાય. દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે કેળાની ખેતી થાય છે, ત્યારે કપાસ સિવાય કેળના પાન અને તેના વેસ્ટ તેમજ વાંસમાંથી ફેબ્રિક બનાવવાથી વધવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધારાની આવક મેળવશે અને સમૃદ્ધ બનશે. TAADA સંસ્થા આવા ઇકો ફ્રેન્ડલી કાપડના ઉત્પાદન માટે ઉદ્યોગકારોને તાલીમબદ્ધ કરવા તેમજ માર્ગદર્શન અને પ્લેટફોર્મ પૂરૂ પાડવા માટે સક્રિય છે.સસ્ટેનેબિલિટી હિલમાં બે મુખ્ય વર્ટિકલ્સ: ફેબ્રિક અને એનર્જી:આ ઇન્સ્ટોલેશન મુખ્યત્વે બે વિભાગોમાં વિભાજિત છે: ૧) ફેબ્રિક વર્ટિકલ, જેમાં કાચા ફાઇબરમાંથી યાર્ન, ત્યારબાદ ફેબ્રિક અને છેલ્લે તૈયાર ગાર્મેન્ટ બનવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળતાથી સમજાવવામાં આવી છે. અહીં નવી પેઢીના ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક્સ અને ઉત્પાદન પદ્ધતિઓની સમજ આપી છે.૨) એનર્જી વર્ટિકલ, ગોલ્ડી સોલારના સહયોગથી તૈયાર કરાયેલા આ વિભાગમાં રિન્યૂએબલ એનર્જીના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં સોલાર પાવરનો ઉપયોગ, સોલાર આધારિત એપ્લિકેશન્સ અને ગ્રીન મોબિલિટી કન્સેપ્ટ્સ દ્વારા ઉદ્યોગ જગતને ક્લીન એનર્જી તરફ વળવા માટે પ્રેરિત કરવામાં આવશે.કુદરતી અને ઈકો-ફ્રેન્ડલી ફાઈબર્સ૧) બામ્બુ (વાંસ): બામ્બુ ફેબ્રિક અત્યંત નરમ, એન્ટી-બેક્ટેરિયલ અને પરસેવો શોષવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાંસનું ઉત્પાદન સારું થતું હોવાથી આ એક મોટો ઉદ્યોગ બની શકે છે.૨) બનાના (કેળાના રેસા): કેળાના થડમાંથી નીકળતા રેસામાંથી સિલ્ક જેવું ચમકતું અને મજબૂત ફેબ્રિક બને છે. સુરત અને તાપી જિલ્લામાં કેળાની ખેતી મોટા પાયે થાય છે, તેથી વેસ્ટમાંથી બેસ્ટ માટેનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.૩) હેમ્પ (ભાંગના રેસા): આ કાપડ અત્યંત ટકાઉ અને ઠંડક આપનારુ હોય છે. તે શરીર પરનો પરસેવો શોષી લે છે. ઉગાડવા માટે ખૂબ જ ઓછા પાણી અને જંતુનાશકની જરૂર પડે છે.૪) હિમાલયન ઘાસ: હિમાલયના વિસ્તારોમાં જોવા મળતા નેટલ ઘાસના રેસામાંથી મજબૂત અને પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ તૈયાર કરવામાં આવે છે.ફ્લેક્સ (લિનન) અને મિક્સ ફેબ્રિક્સ ફ્લેક્સ૧) ફ્લેક્સ (લિનન): આ છોડમાંથી 'લિનન' બને છે, જે ઉનાળા માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતું ફેબ્રિક છે.૨) કોટન ફ્લેક્સ: કપાસ અને ફ્લેક્સનું મિશ્રણ કરીને આ ફેબ્રિક બનાવાય છે, જે લિનન જેવો લુક આપે છે પણ કિંમતમાં સસ્તું, ટકાઉ અને જાળવણીમાં સુગમ-સરળ હોય છે.વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પૂર્ણ થઇ છે. પરંતુ વાયબ્રન્ટ એક્ઝિબીશન તા.૫મી સુધી ખુલ્લું રહેશે. મુલાકાતીઓ, ઉદ્યોગપતિઓ અને યુવા સાહસિકો માટે જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક સાબિત થઈ રહ્યું છે.((વિશેષ લેખ: પરેશ ટાપણીયા)
16 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 03:39 PM
બનાસકાંઠા જિલ્લામાં થારા-રાધનપુર ધોરીમાર્ગ પર કરૂણ હડતાળ

બનાસકાંઠા જિલ્લામાં થારા-રાધનપુર ધોરીમાર્ગ પર કરૂણ હડતાળ

બનાસકાંઠા જિલ્લાના થરા-રાધનપુર હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. દીકરીના લગ્નની તૈયારીઓ અને ખુશીઓથી ગુંજતા પરિવારમાં અચાનક માતમ છવાઈ ગયો છે. પાટણથી લગ્નની ખરીદી કરીને પરત ફરી રહેલા પિતાની રિક્ષાને અકસ્માત નડતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લગ્નનો હરખ શોકમાં ફેરવાઈ ગયો છે. ઘટનાની વિગત મુજબ, થરા-રાધનપુર રોડ પર ઓગડ પાસે આવેલ જીઓ પેટ્રોલ પંપની સામે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક વિરમભાઇ ઠાકોર પોતાની રિક્ષામાં પાટણથી ખરીદી કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તા પર કુતરું આડે આવતા તેને બચાવવા જતાં રિક્ષા પરથી કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા જોરદાર રીતે પલટી ખાઈ જતાં વિરમભાઇને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
11 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 03:15 PM
ઉનાળો ચરમસીમાએ પહોંચતા ગુજરાત ગરમીથી ઝઝૂમી રહ્યું છે

ઉનાળો ચરમસીમાએ પહોંચતા ગુજરાત ગરમીથી ઝઝૂમી રહ્યું છે

અમદાવાદ, તા.૦૪: ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો છે. મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ આખા રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર જાણે અઘોષિત કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે.અમદાવાદમાં ગરમી અને બફારાનો બેવડો મારરાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આશ્ચર્યની વાત એ છે કે કાળઝાળ તાપની વચ્ચે આકાશમાં વાદળોની અવરજવર પણ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વાદળછાયા વાતાવરણને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે, જેના પરિણામે અમદાવાદીઓને અસહ્ય બફારા અને ગભરામણનો સામનો કરવો પડશે. માત્ર છાંયો હોવાથી ગરમીમાં રાહત મળવાને બદલે લોકો વધુ પરસેવે રેબઝેબ થશે.દરિયાકાંઠાના વિસ્તારોમાં 'બફારાનો બોમ્બ' ફૂટશેહવામાન વિભાગે દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ચિંતાજનક આગાહી કરી છે. આગામી 9 અને 10 મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં 'હોટ એન્ડ હ્યુમિડ' એટલે કે અત્યંત ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. આ સ્થિતિમાં વાસ્તવિક તાપમાન કરતા પણ ગરમીનો અહેસાસ ઘણો વધારે થાય છે. લોકોએ આ બે દિવસો દરમિયાન ભારે અસ્વસ્થતા માટે તૈયાર રહેવું પડશે.બપોરે 12 થી 4 ઘરની બહાર નીકળવાનું ટાળજોવધતી જતી ગરમી અને હીટવેવની ભીતિને પગલે આરોગ્ય વિભાગ દ્વારા રેડ એલર્ટ જેવી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશમાં ન આવવા સલાહ અપાઈ છે. ડોક્ટરોના મતે, હીટસ્ટ્રોકથી બચવા માટે લીંબુ શરબત, છાસ અને પુષ્કળ પાણી પીવું હિતાવહ છે.આગામી સપ્તાહ પણ આકરું રહેશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં કોઈ મોટી રાહત મળવાના સંકેત નથી. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ગરમીનો પારો ઉંચો જ રહેશે. શહેરી વિસ્તારોમાં કોંક્રીટના જંગલોને કારણે રાત્રિના સમયે પણ તાપમાન ઉંચુ રહેતા લોકોને ગરમીથી છુટકારો મળી રહ્યો નથી. આ સંજોગોમાં મે મહિનો ગુજરાત માટે ખરેખર 'અગ્નિપરીક્ષા' સમાન સાબિત થશે.
100 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 01:32 PM
રાજકોટની ગરમીમાં તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

રાજકોટની ગરમીમાં તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું

રાજકોટ,તા. ૪ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ઉનાળાનો મિજાજ આકરો બની રહ્યો છે. આજે બપોરે ૨:૩૦ વાગ્‍યાના સુમારે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦.૮ ડિગ્રી નોંધાયું હતું. જોકે, ગઇકાલની સરખામણીએ તાપમાનના પારો થોડો નીચે ઉતરતા ગરમીમાં આંશિક રાહત જોવા મળી છે, પરંતુ હવામાં ભેજ અને સ્‍થિર પવનને કારણે અસહ્ય ઉકળાટ અને બફારાએ લોકોની મુશ્‍કેલીમાં વધારો કર્યો છે. સવારથી જ સૂર્યનારાયણે તેવર બતાવવાનું શરૂ કર્યું હતું. બપોરે અઢી વાગ્‍યે તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, પવનની ગતિ પ્રતિ કલાક ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. પવનની ધીમી ગતિને કારણે વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્‍યું છે, જેના લીધે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બપોરના સમયે કાળઝાળ ગરમીને કારણે રાજકોટના મુખ્‍ય માર્ગો ઉપર ટ્રાફિકની અવરજવર ઓછી જોવા મળી હતી. કામ વગર લોકોએ બહાર નીકળવાનું ટાળ્‍યું હતું. ગરમીથી બચવા માટે લોકો લીંબુ શરબત, શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે
29 shares
😢
Sambhav Metro logo
Sambhav Metro
May 4, 2026, 01:05 PM
જૈન ધર્મમાં સાત પ્રકારના ભયઃ ચિંતાના મૂળને સમજવું

જૈન ધર્મમાં સાત પ્રકારના ભયઃ ચિંતાના મૂળને સમજવું

જૈન ધર્મમાં ભયના સાત પ્રકાર છે. આ ભવમાં જીવનપર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં... મરણ થયા પછી પરભવ હશે કે નહીં અને જો હશે તો મારું શું થશે... શરીરમાં રોગ અને વેદના થાય એનો ભય... મને શરણ આપનાર સગાંવહાલાં, સંબંધીઓ, કુટુંબીઓ, શેઠ, રાજ્ય, વગેરે મને રક્ષણ આપશે કે નહીં.. મારી વસ્તુ ચોરાઈ ન જાય એમ રાખી હોવા છતાં કોઈને એની ખબર પડી જશે તો... કંઈક અણધારી કે આકસ્મિક ઘટના બનશે તો... ઈંદ્રિયો શિથિલ થશે અને મરણ આવશે તો...
59 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 09:50 AM
વન વિભાગથી માંડીને ઓર્ગેનિક ફાર્મિંગ સુધીઃ ગિરીશભાઈનું માનવજાત બચાવવાનું મિશન

વન વિભાગથી માંડીને ઓર્ગેનિક ફાર્મિંગ સુધીઃ ગિરીશભાઈનું માનવજાત બચાવવાનું મિશન

પોરબંદર,તા.૪: સામાન્‍ય રીતે નિવળત્તિ પછી લોકો આરામનું જીવન પસંદ કરતા હોય છે,પરંતુ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના પીપળીયા ગામના ગિરીશભાઈ ગોઢાણિયા માટે નિવળત્તિ એ એક નવા મિશનની શરૂઆત હતી. વર્ષો સુધી વન વિભાગમાં ફરજ બજાવતા ગિરીશભાઈએ જંગલના રાજા સિંહથી લઈને આકાશમાં ઉડતા પક્ષીઓને રાસાયણિક પ્રદૂષણને કારણે તરફડીને મળત્‍યુ પામતા જોયા હતા. એ દ્રશ્‍યોએ તેમના મનમાં ઊંડા ઉતરી ગયા હતા. ગિરીશભાઈએ જ્‍યારે ૨૦૧૭માં પ્રાકળતિક ખેતીનો સંકલ્‍પ કર્યો,ત્‍યારે રસ્‍તો આસાન નહોતો. તેમણે રાસાયણિક દવાઓ વાપરવાની મનાઈ કરી તો વર્ષો જૂના ભાગીદારો સાથ છોડી ગયા. ખેતરમાં એકલા પડી જવાનો ડર કોઈ પણ માણસને હચમચાવી દે,પણ ગિરીશભાઈ મક્કમ હતા. તેમણે વિચાર્યું કે,જો હું વન્‍યજીવોને બચાવવા ખાખી પહેરી શકતો હોઉં,તો માનવજાતને બચાવવા હળ કેમ ન પકડી શકું?તેમણે જાતે મજૂરો સાથે ખભેખભા મિલાવીને ગાય આધારિત ખેતી શરૂ કરી. તેમણે‘નીરવ ઓર્ગેનિક ગીર ગાય ફાર્મ એન્‍ડ બ્રિડીંગ સેન્‍ટરની સ્‍થાપના કરીને લગભગ ૨૦ વિઘા જમીનમાં પ્રાકળતિક ખેતીના વિવિધ આયામોને અનુસરીને ખેતી શરૂ કરી છે. અહીં તેઓ ઘઉં,મગફળી,નાળિયેર,મગ,શાકભાજી અને ચીકુ કેળા જેવા પાકનું ઉત્‍પાદન કરે છે. ફોરેસ્‍ટ ઓફિસર તરીકેની તેમની સફરે તેમને એક કડવું સત્‍ય સમજાવ્‍યું હતું. તેમણે જોયું હતું કે ખેતરોમાં વપરાતું યુરિયા જ્‍યારે જળષાોતોમાં ભળે છે ત્‍યારે તે સિંહો અને અન્‍ય વન્‍યજીવો માટે સાક્ષાત યમરાજ બની જાય છે. પક્ષીઓના શરીરમાં ઉતરેલું ઝેર જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતું. આ જ પીડા તેમને પ્રાકળતિક ખેતી તરફ દોરી ગઈ છે.
10 shares
😢
Akila News logo
Akila News
May 4, 2026, 08:52 AM
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ માટે ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, એક મજબૂત હવામાન પ્રણાલી ઝડપથી લખનૌ અને આસપાસના વિસ્તારો તરફ આગળ વધી રહી છે. આના કારણે હવામાનની પેટર્નમાં અચાનક ફેરફાર થઈ શકે છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે. આ સિસ્ટમ ઘણી જગ્યાએ ભારે નુકસાન પહોંચાડી શકે છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં, જેમાં રાજ્યની રાજધાની લખનૌનો પણ સમાવેશ થાય છે, જયા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને કરા પડવાની શકયતાઓ સેવાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની નવીનતમ આગાહી મુજબ, આ હવામાન સિસ્ટમ લખનૌ, તેમજ બારાબંકી, સીતાપુર, હરદોઈ, રાયબરેલી, ઉન્નાવ અને આસપાસના જિલ્લાઓને અસર કરી શકે છે. દિવસના પ્રારંભિક કલાકોમાં હવામાનમાં ફેરફાર પહેલાથી જ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે લોકોને ખુલ્લા ખેતરો, ઊંચા વૃક્ષો અને નબળી છતવાળા ઘરોથી દૂર રહેવાની સલાહ આપી છે. રાજ્યના મધ્ય અને પૂર્વીય ભાગો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં લખનૌ, કાનપુર, અયોધ્યા, બરેલી અને પ્રયાગરાજ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે, તેથી લોકોને હવામાન અપડેટ્સ પર સતત નજર રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
86 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 08:36 AM
કચ્છના નાના રણમાં ભીષણ ગરમી વચ્ચે વન્યજીવ અભયારણ્યે પાણીની ટાંકીઓ ભરી

કચ્છના નાના રણમાં ભીષણ ગરમી વચ્ચે વન્યજીવ અભયારણ્યે પાણીની ટાંકીઓ ભરી

કાળઝાળ ગરમીમાં વન્ય જીવોને પાણીની સુવિધાઓ મળી રહે તે માટે કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં વન વિભાગ દ્વારા પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા રણમાં આવેલ અવેળાઓમાં ટેન્કર થકી પાણી ભરી વન્યજીવો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે ત્યારે પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શુ દશા થતી હશે. ત્યારે કચ્છનું નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 45 થી 48 સુધી પહોંચે છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલ અવાડામાં ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અવાડા ભરવામાં આવે છે.
48 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:00 AM
અપૂર્ણ માળખાગત કાર્યને કારણે મહેસાણામાં મોઢેરા રોડ પર હવાની ગુણવત્તા બગડી

અપૂર્ણ માળખાગત કાર્યને કારણે મહેસાણામાં મોઢેરા રોડ પર હવાની ગુણવત્તા બગડી

મહેસાણાના મોઢેરા રોડ પર ચાલુ આઇકોનિક રોડ અને ગટરની અધૂરી કામગીરીએ હવાની ગુણવત્તા ગંભીર રીતે બગાડી દીધી છે. આ રોડ પર જીપીસીબી દ્વારા લગાવવામાં આવેલી રિયલ ટાઈમ એર ક્વોલિટી સ્ક્રીન છેલ્લા દિવસોમાં ચોંકાવનારા આંકડા બતાવી રહી છે. શુક્રવારે સવારે PM-10નું પ્રમાણ 100ની મર્યાદા વટાવીને સીધું 195.96 સુધી પહોંચી ગયું, જે ગંભીર પ્રદૂષણનું સંકેત છે. PM-2.5 પણ 61.06 સુધી વધતાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની ધીમી ગતિની કામગીરીના કારણે રોડની બાજુઓમાં પડેલા માટી-રેતીના ઢગલાઓ અને ખોદકામના કચરાથી ધૂળ સતત હવામાં ભળી રહી છે. પાણીનો નિયમિત છંટકાવ ન થતાં પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. મોઢેરા ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધી ચાલી રહેલા કામમાં ડિવાઈડર તોડી નાખ્યા બાદ પ્લાન્ટેશનની માટી રસ્તા પર જ છવાઈ ગઈ છે. બામોસણાનગર, ગોપાલનગર, મોહનનગર, શિવશંકર, ન્યૂ દ્વારકાપુરી, તુલસીધામ અને ગંગાસાગર વિસ્તારોમાં ખોદકામની વેસ્ટ માટી લાંબા સમયથી રસ્તા પર જ પડી છે. વાહનો પસાર થતાં આ માટી ઉડીને હવામાં ભળી રહી છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા સ્વામિનારાયણ મંદિરથી કાવેરી સ્કૂલ અને પાટીદાર ચોકથી કાવેરી સ્કૂલ સુધીનો રોડ દોઢ-બે મહિનાથી ખોદેલો છે. રિસરફેસિંગ માટે ડામર રોડ ખોદી નાખતાં આખો વિસ્તાર ધૂળિયોથી ઢંકાઈ ગયો છે. પાટીદાર ચોક અને નિરમા તરફના માર્ગ પર રેતી અને કન્સ્ટ્રક્શન મટિરિયલ ખુલ્લું પડેલું હોવાથી પવન સાથે રજકણો ફેલાઈ રહ્યા છે. આ પ્રદૂષણના સીધા અસરરૂપે ટુ-વ્હીલર ચાલકોમાં ઉધરસ, એલર્જી અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓ વધી રહી છે. ગરમી અને ધૂળના સંયુક્ત અસરથી લોકોમાં શ્વાસ સંબંધિત તકલીફો નોંધાઈ રહી છે. માટીના ઢગલા દૂર કરવામાં પણ તંત્રની ઉદાસીનતા મોઢેરા રોડ પર રોડ અને ગટરની કામગીરી ચાલુ છે. સતત ખોદકામ અને માટીના ઢગલાઓ વચ્ચે વાહનોની અવરજવર ચાલુ રહેતાં ધૂળનું પ્રદૂષણ વધી રહ્યું છે. છતાં, માટીના ઢગલા દૂર કરવામાં અને નિયમિત પાણીનો છંટકાવ કરવામાં તંત્ર ઉદાસીન છે. સતત ખોદકામ છતાં નિયંત્રણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતાં નથી. પ્રદૂષણનાં મુખ્ય ચાર કારણો રોડ સાઇડ વેસ્ટ માટીના ઢગલા લાંબા સમયથી અધૂરું રિસરફેસિંગ ખુલ્લું રેતી, કન્સ્ટ્રક્શન મટિરિયલ પાણીના છંટકાવનો અભાવ એલર્જી, આંખોમાં બળતરાની તકલીફમાં વધારો સ્થાનિક રહીશોની ફરિયાદો છે કે, મોઢેરા રોડ પરથી પસાર થતાં ટુ-વ્હીલર ચાલકોને ધૂળના કારણે ઉધરસ અને એલર્જી જેવી તકલીફો થઈ રહી છે. ગરમી સાથે ઉડતા નાના રજકણો આંખોમાં જતાં બળતરા પણ થઈ રહી છે. પ્રદૂષણનું પ્રમાણ ધૂળનું પ્રદૂષણ :PM-10 (195.96) અને PM-2.5 (61.06) ના આંકડા સૂચવે છે કે હવામાં ધૂળ, બાંધકામની રજ અને સૂક્ષ્મ કણોનું પ્રમાણ વધારે છે. આ સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. વાયુ પ્રદૂષણ :તેની સરખામણીએ NOx (32.47) અને NO₂ (26.70) ના આંકડા ખૂબ જ નીચા છે. એટલે કે વાહનોના ધુમાડા કે કેમિકલ ગેસનું પ્રદૂષણ અત્યારે નિયંત્રણમાં છે.
27 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:00 AM
અણધારી હવામાન પરિસ્થિતિઓ પ્લેગ બંદર

અણધારી હવામાન પરિસ્થિતિઓ પ્લેગ બંદર

પોરબંદરમાં મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું છે અને ભેજનું પ્રમાણ પણ 61 ટકા યથાવત રહ્યું છે. ઉકાળામાં ભેજનું પ્રમાણ વધી જતા બફારાના અનુભવ સાથે લોકો પસીને રેબઝેબ થઈ રહ્યા છે. પોરબંદરમાં થોડા દિવસોથી ગરમીનો અંદાજ માત્ર તાપમાનથી લગાવી શકાય એવો રહ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર સ્થિર રહ્યું છે, અને 2 દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 61 ટકા રહ્યું છે. ગઈકાલે શનિવારે લઘુતમ તાપમાન 27.6 ડિગ્રી હતું, જે રવિવારે થોડું ઘટીને 27.2 ડિગ્રી થયું છે. સવારથી જ હવામાં ભેજનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોરે તો આકરા તાપમાં કારણે લોકો પસીનાથી રેબઝેબ થયા હતા અને અકળાઈ ગયા હતા. દરિયાકાંઠે પવન ચાલતો હોવા છતાં તેમાં ઠંડક કરતાં ભેજ વધુ હોવાથી રાત્રે પણ ગરમીમાં રાહત મળતી નથી. રાત્રે નળમાંથી ગરમ પાણીદરિયા કિનારે વસેલા પોરબંદરમાં ભેજ વાળું વાતાવરણ રહે છે. હાલ આકરો તાપ પડી રહ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થાય છે ત્યારે રાત્રે સ્નાન કરીને લોકો સૂવાનું પસંદ કરે છે પરંતુ હાલ દિવસભરના આકરા તાપથી પાણીની પાઇપલાઇન ગરમ થતાં રાત્રે પણ નળ માંથી પાણી ગરમ મળે છે.
20 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 3, 2026, 11:59 PM
સૂત્રાજ ગામઃ ભૌગોલિક પડકારો વચ્ચે વિકાસનું એક મોડેલ

સૂત્રાજ ગામઃ ભૌગોલિક પડકારો વચ્ચે વિકાસનું એક મોડેલ

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના છેવાડાના ઘેડ વિસ્તારમાં આવેલું સૂત્રેજ ગામ આજે એક મોડેલ ગામ તરીકે ઉભરી રહ્યું છે. આશરે 1500ની વસ્તી અને 70 ટકા સાક્ષરતા ધરાવતું આ ગામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગામમાં સીસી રોડ, દરેક ઘરે નળ કનેક્શન, શૌચાલય અને સીસીટીવી ક આરોગ્ય માટે સરકારી દવાખાનુ, શિક્ષણ માટે પ્રાથમિક શાળા અને બે આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ છે. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા માટે સોર્સ ખાડાઓ બનાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે. જોકે, વિકાસની સાથે આ ગામ ભૌગોલિક પડકારોનો પણ સામનો કરે છે. સરપંચ રાજુભાઈ સુત્રેજાના જણાવ્યા મુજબ, ઘેડ વિસ્તારમાં હોવાને કારણે દર ચોમાસે વરસાદને કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાય છે. સીમમાં પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અને ગામ અન્ય વિસ્તારોથી સંપર્કવિહોણું બની જાય છે, જે સ્થાનિકો માટે વર્ષો જૂની સમસ્યા છે. ધાર્મિક આસ્થાને લઈને પણ પ્રખ્યાતસૂત્રેજ ગામ માત્ર સુવિધાઓ જ નહીં, પણ ધાર્મિક આસ્થા માટે પણ જાણીતું છે. અહીં આવેલું મા મોમાઈનું મંદિર વર્ષો જૂનો ઇતિહાસ ધરાવે છે. લોકવાયકા મુજબ, વિક્રમ સંવત 1899માં સુથાર જ્ઞાતિના એક ભુવા માધવપુરના પાતા ગામ પાસેના દરિયામાંથી શંખ સ્વરૂપે માતાજીને લાવ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં નતમસ્તક થાય છે.
60 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 3, 2026, 11:54 PM
જુનાગઢ શહેર ભીષણ ગરમી સામે લડી રહ્યું છે, વૃક્ષો બચાવવા માટે પાણીનો છંટકાવ કરી રહ્યું છે

જુનાગઢ શહેર ભીષણ ગરમી સામે લડી રહ્યું છે, વૃક્ષો બચાવવા માટે પાણીનો છંટકાવ કરી રહ્યું છે

રાજ્યમાં અત્યારે ઉનાળો આકરો તપી રહ્યો છે,ખાસ કરીને જૂનાગઢ શહેર તેમજ ગિરનારક્ષેત્રમાં પારાની સાથે સાથે ગરમીની તીવ્રતા વધતા વનસ્પતિ અને વન્યજીવો પર પણ આની અસર જોવા મળી છે. આ આકરા તાપથી વૃક્ષોને સુકાતા બચાવવા માટે સતત પાણીનો છંટકાવ થઇ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વાવેલા 5100 વૃક્ષોને રોજીંદુ ગરમીને કારણે 75000 લીટર પાણીનો છંટકાવ થઇ રહ્યો છે. મેનેજર ક્રિપાલસિંહ ચુડાસમા જણાવ્યુ કે, છેલ્લા ઘણા દિવસથી હિટવેવ મુજબ તાપમાન 38 થી 43 ડિગ્રી સુધીનુ નોંધાય રહ્યુ છે. આકરી ગરમીને કારણે શહેરમાં વાવેલા વૃક્ષો પર પણ અસર જોવા મળી રહી છે. આ વૃક્ષો ગરમીને કારણે બળી ન જાય કે સુકાય ન જાય તે માટે રોજના શહેરના વિવિધ વિસ્તારોમાં 15થી વધુ ટેન્કરો મારફત વૃક્ષોને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર ડિવાયડર તેમજ અન્ય સ્થળોએ મળી કુલ 5100 વૃક્ષો વાવેલા છે. આ વૃક્ષોને ગરમીને કારણે રોજીંદુ 75 હજાર લીટર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હજુ ગરમી વધશે તો વધુ પાણીનો છંટકાવ કરાશે એમ જણાવ્યુ છે. શિયાળામાં 2 દિવસે એકવાર છંટકાવકોન્ટ્રાકટરે જણાવ્યુ કે, ગરમીને કારણે ઉનાળામાં રોજીંદુ છંટકાવ કરવાની જરૂરીયાત રહે છે. શિયાળામાં ઠંડીને કારણે બે દિવસે એકવાર એક સ્થળે પાણી છંટકાવ થાય છે. એટલે કે, તેમા ઉનાળા કરતા અડધાથી પણ ઓછુ પાણી જોઇએ છે. જ્યારે ચોમાસામાં તો બે-ત્રણ વરસાદને કારણે પાણીનો છંટકાવ બંધ રહે છે.
35 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
May 3, 2026, 11:48 PM
કડક સુરક્ષા પગલાં સાથે એન. ઇ. ઇ. ટી.-યુ. જી. તબીબી પ્રવેશ પરીક્ષા વારાણસી જિલ્લામાં યોજાઈ

કડક સુરક્ષા પગલાં સાથે એન. ઇ. ઇ. ટી.-યુ. જી. તબીબી પ્રવેશ પરીક્ષા વારાણસી જિલ્લામાં યોજાઈ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રવિવારે લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET-UG) નવસારી જિલ્લામાં અત્યંત ચુસ્ત સુરક્ષા અને પારદર્શક વાતાવરણમાં યોજાઈ હતી. આ વર્ષે નવસારી કેન્દ્ર પર પરીક્ષા માટે કુલ 2649 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 2607 છાત આમ, જિલ્લામાં પરીક્ષાનું સરેરાશ પરિણામ 98.41%હાજરી સાથે નોંધપાત્ર રહ્યું છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા માટે કેન્દ્રો પર કડક તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પેન, ડ્રેસ કોડ અને આઈડી પ્રૂફ અંગેના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. કેન્દ્રોની બહાર વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પેપર એકંદરે મધ્યમ રહ્યું હોવાના પ્રતિભાવો વિદ્યાર્થીઓ દ્વારા મળી રહ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની નજર પ્રોવિઝનલ આન્સર કી અને પરિણામ પર ટકેલી છે. મેડીકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા છાત્રોની એકમાત્ર રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષા યોજવાનો હેતુMBBS, BDS અને આયુષ જેવા સ્નાતક કક્ષાના તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સમાન ધોરણ અને પારદર્શિતા જાળવવાનો છે.
51 shares
😢
D
Divya Bhaskar
May 3, 2026, 11:35 PM
ગૌશાળાઓ અને પાંજરામાં ઉનાળામાં લાગતી આગને અટકાવવીઃ જામનગરના પશુપાલન વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી

ગૌશાળાઓ અને પાંજરામાં ઉનાળામાં લાગતી આગને અટકાવવીઃ જામનગરના પશુપાલન વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી

જામનગર પશુપાલન શાખા દ્વારા ઉનાળામાં વધુ તાપમાનના કારણે ગૌશાળા અને પાંજરાપોળોમાં આગ લાગવાના બનાવો ઘટાડવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ, વીજળી અને વાયરિંગની સુરક્ષા, તમામ વીજળીના વાયર, સ્વીચ, મીટર અને ફ્યુઝની નિયમિત તપાસ કરવી અને જરૂર જણાયે સુધારો કરવો, ઓવરલોડ અથવા શોર્ટ સર્કિટ ન થાય તે માટે MCB/ELCB અચૂક લગાવવા, ગરમીમાં વાયર ગરમ થઈને આગ ન લાગે તે માટે યોગ્ય ગેજના ગુણવત્તાયુક્ત વાયર જ વાપરવા, રાત્રે અથવા અનુપસ્થિતિમાં અનાવશ્યક વીજળીના સાધનો બંધ રાખવા. છાપરું સફેદ રંગનું અથવા રિફ્લેક્ટિવ મટીરિયલનું રાખવું જેથી ગરમી ઓછી શોષાય, પૂરતી વેન્ટિલેશન (હવાનો પ્રવાહ) રાખવો, બંને બાજુ ખુલ્લું રાખવું અથવા પંખાઓ લગાવવા, ખરાબ અથવા સુકા ઘાસ, પરાળ અને લાકડાને છાપરા/શેડથી દૂર સુરક્ષિત સ્થાને રાખવા. દરેક શેડમાં ફાયર એક્સટિંગ્વિશર , ડોલ, રેતી અને પાણીની પૂરતી વ્યવસ્થા રાખવી, શક્ય હોય તો સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ લગાવવા, આગ લાગે તો તાત્કાલિક જાણ કરવા માટે ફાયર બ્રિગેડનો નંબર અને સ્થાનિક સંપર્ક સ્પષ્ટ રીતે લખી રાખવો. સુકા ઘાસ/પરાળને છૂટું-છૂટું અને ભેજવાળી જગ્યાએ રાખવું , ધૂમ્રપાન અને અન્ય અગ્નિસ્રોત સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવા, રસોડું/ચુલ્હા જો હોય તો તેને આગના સ્ત્રોતથી દૂર અને સુરક્ષિત રીતે વાપરવા, દરરોજ સવાર-સાંજ પેટ્રોલિંગ કરવું અને સંભવિત જોખમો તપાસવા. પશુઓને પૂરતો છાંયડો અને ઠંડુ પાણી સતત ઉપલબ્ધ રાખવું, ગરમીના સમયે (બપોરે 11 થી 4 વાગ્યા સુધી) પશુઓ પાસે વધુ કામ ન લેવું. શેડની અંદર સ્પ્રિંકલર/મિસ્ટર અને ફેન્સનો ઉપયોગ કરી ગરમી ઘટાડવી વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાના અથવા પશુચિકીત્સકનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું છે.
87 shares
😐
Akila News logo
Akila News
May 3, 2026, 02:25 PM
આઇફોન જોખમમાંઃ ઉનાળાની ગરમીથી તમારા ઉપકરણને કેવી રીતે સુરક્ષિત કરવું

આઇફોન જોખમમાંઃ ઉનાળાની ગરમીથી તમારા ઉપકરણને કેવી રીતે સુરક્ષિત કરવું

રાજકોટ :ભારતના અનેક રાજ્યોમાં પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે માત્ર માણસો જ નહીં, પરંતુ ખિસ્સામાં રહેલા પ્રીમિયમ ગેજેટ્સ પણ ગરમીથી હાંફી રહ્યા છે. એપલના જણાવ્યા અનુસાર આઇફોન 0 થી 35 ડિગ્રી સેલ્સિયસ માટે ડિઝાઇન કરાયેલ છે, પરંતુ ઉનાળામાં આ મર્યાદા ઓળંગાતા ફોન 'થર્મલ મેનેજમેન્ટ મોડ'માં આવી જાય છે. જો તમારા આઇફોનની ડિસ્પ્લે અચાનક ઝાંખી થઈ જાય, 80 ટકા પછી ચાર્જિંગ અટકી જાય કે ફ્લેશ લાઈટ બંધ થઈ જાય, તો સમજી લેવું કે તમારો ફોન અંદરથી ભઠ્ઠીની જેમ તપી રહ્યો છે. આ સ્થિતિમાં ફોનનો સતત વપરાશ બેટરીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. ઉનાળામાં આઇફોનને બચાવવા માટે સૌથી પહેલા તેના પર લગાડેલા ભારે અથવા મજબૂત કવરને દૂર કરવા જોઈએ, કારણ કે આ કવર ગરમીને બહાર નીકળતા રોકે છે અને ફોનને અંદરથી વધુ ગરમ કરે છે. આ ઉપરાંત, વાયરલેસ ચાર્જરનો ઉપયોગ ટાળવો હિતાવહ છે કારણ કે તે ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા પેદા કરે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે ફોનને હંમેશા ઓરિજિનલ કેબલથી અને બને ત્યાં સુધી એસી રૂમમાં જ ચાર્જ કરવો જોઈએ. જો ફોન પર કાળી ચેતવણી સ્ક્રીન અને થર્મોમીટર આઇકોન દેખાય, તો તેને તાત્કાલિક સ્વીચ ઓફ કરી ઠંડી જગ્યાએ રાખવો જોઈએ. વાહન ચલાવતી વખતે ફોનને કારના ડેશબોર્ડ પર અથવા સીધા સૂર્યપ્રકાશમાં રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે સૂર્યના તેજ કિરણો મિનિટોમાં જ સેન્સર અને ડિસ્પ્લેને કાયમી નુકસાન કરી શકે છે. ભારે ગેમ્સ રમવી કે હાઈ-ડેફિનેશન વીડિયો શૂટ કરવાથી પણ આ દિવસોમાં બચવું જોઈએ. જો તમે આ નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખશો, તો તમારો કિંમતી આઇફોન આ કાળઝાળ ગરમીમાં પણ સુરક્ષિત રહેશે અને તેની કાર્યક્ષમતા જળવાઈ રહેશે. ગેજેટ્સની સુરક્ષા માટે આ 'કૂલિંગ ટિપ્સ' અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે.
15 shares
😐
A
Akila News
May 3, 2026, 12:59 PM
નવા એન્ડ-ઓફ-લાઇફ વાહન નિયમોને કારણે ભારતીય ઓટો ઉદ્યોગને ₹25,000 કરોડની સંભવિત ખોટનો સામનો કરવો પડી રહ્યો છે

નવા એન્ડ-ઓફ-લાઇફ વાહન નિયમોને કારણે ભારતીય ઓટો ઉદ્યોગને ₹25,000 કરોડની સંભવિત ખોટનો સામનો કરવો પડી રહ્યો છે

નવી દિલ્હી : ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ આગામી નાણાકીય વર્ષ 2026 માં ₹25,000 કરોડના સંભવિત નુકસાનના ઓછાયા હેઠળ છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા ‘જીવનના અંતમાં વાહન’ (ELV) નિયમોને કારણે ઓટોમેકર્સ માટે મોટી નાણાકીય જોગવાઈ કરવી અનિવાર્ય બની છે. જાન્યુઆરી 2025 ના નોટિફિકેશન મુજબ, જો કોઈ ઉત્પાદક પોતાની કામગીરી બંધ કરે, તો પણ તેણે બજારમાં અગાઉ વેચેલા વાહનો માટે ‘વિસ્તૃત ઉત્પાદક જવાબદારી’ (EPR) નિભાવવી પડશે. આ નિયમે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ Ind AS 37 ને સક્રિય કર્યું છે, જેનો સીધો અર્થ એ છે કે કંપનીઓએ ભૂતકાળના વેચાણ માટે પણ હવેથી જંગી ભંડોળ અલગ રાખવું પડશે.ઉદ્યોગ જગતના માંધાતાઓમાં આ નવા કાયદાની કલમ 4(6) ને લઈને ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ઓડિટરોના મતે, ઓટો કંપનીઓએ છેલ્લા 20 વર્ષમાં વેચેલા ખાનગી વાહનો અને 15 વર્ષમાં વેચેલા વ્યાપારી વાહનોના પર્યાવરણીય વળતર માટે બજેટ ફાળવવું પડશે. ભલે કંપનીનો બજારમાંથી બહાર નીકળવાનો કોઈ ઈરાદો ન હોય, છતાં આ એકાઉન્ટિંગ નિયમને કારણે તેમનો નફો અને કાર્યકારી મૂડી બંને પ્રભાવિત થશે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી (SIAM) એ આ મુદ્દે મંત્રાલયમાં રજૂઆત કરી છે કે આ ‘નિરુપદ્રવી’ દેખાતો નિયમ ઉદ્યોગની આર્થિક કમર તોડી શકે છે.સ્ક્રેપેજ પોલીસી હેઠળ આવતા આ નવા ફેરફારોથી વાહન ઉત્પાદકોની નીચેની હરોળ પર ગાબડું પડવાની ભીતિ છે. ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે આનાથી નવા રોકાણો અને વિકાસ કાર્યો માટેનું ભંડોળ અવરોધાઈ શકે છે. સરકાર પર્યાવરણ સુરક્ષા માટે મક્કમ છે, પરંતુ ઓટોમોબાઈલ સેક્ટર આ અચાનક આવી પડેલા આર્થિક બોજને હળવો કરવા માટે રાહતની આશા રાખી રહ્યું છે. આગામી સમયમાં જો સરકાર આ એકાઉન્ટિંગ ક્લોઝમાં સુધારો નહીં કરે, તો નાણાકીય વર્ષ 26 ઓટોમોબાઈલ સેક્ટર માટે સૌથી પડકારજનક વર્ષ સાબિત થઈ શકે છે.
21 shares
😢
Gujarat Samachar logo
Gujarat Samachar
May 3, 2026, 11:09 AM
ગુજરાતના કચ્છના નાનકડા રણમાં દુર્લભ ફેનેક શિયાળ જોવા મળ્યું

ગુજરાતના કચ્છના નાનકડા રણમાં દુર્લભ ફેનેક શિયાળ જોવા મળ્યું

Article Fennec Fox In Kutch:કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે 'ફેનેક ફોક્સ' કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી છે. શું છે આ શિયાળની વિશેષતા? વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ શિયાળ ‘ફેનેક’ પ્રજાતિનું હોવાની શક્યતા છે.
32 shares
😢