Achira News Logo
Achira News
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:45 AM
પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી વરસાદ અને તાપમાનમાં વધઘટ થાય છે

પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી વરસાદ અને તાપમાનમાં વધઘટ થાય છે

(એજન્સી)અમદાવાદ, ગુજરાતભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરના પર્વતિય પ્રદેશોમાંથી ઉપરાછાપરી આવી રહેલા પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે હવામાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભરશિયાળે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, તો કોઈ-કોઈ ઠેકાણે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે.જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવામાનના આગાહીકારોના કહેવા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં માવઠા, ઝાકળનો રાઉન્ડ બાદ ઠંડી વિદાય લેતા લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. જો કે લોકોને બે ઋતુનો અનુભવ થશે. હવામાનના ખાનગી આગાહીકારોના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે સોમવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્‌યા હતા. તેમજ રાજ્યના અન્ય ભાગોમાં વાદળો જોવા મળ્યા હતા. હવે આગામી દિવસોમાં એટલે કે આગામી ૧૦ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી. આથી હાલ પુરતી ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ સોમવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાતા જ કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્‌યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, છેલ્લા ૩-૪ દિવસથી ઝાકળનો રાઉન્ડ ચાલી રહ્યો હતો, જેમાં કાલથી મોટી રાહત મળશે. જો કે ૮મી ફેબ્રુઆરીથી ઝાકળનો નવો રાઉન્ડ આવશે. જે ૩ થી ૪ દિવસ સુધી રહી શકે છે. રાજ્યમાં શિયાળું પવન રહેવાથી ઠંડી જોવા મળશે. આગામી ૨ થી ૩ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નીચું આવી શકે છે. જેના કારણે ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે, પરંતુ તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવવાની હાલ કોઈ શક્યતા નથી. શિયાળો હવે વિદાય લેવાનો હોવાથી સામાન્ય ઠંડી રહેશે. એટલે કે લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચુ જોવા મળશે. જેના કારણે દિવસના સમયે ગરમીના કારણે ઉનાળાનો અહેસાસ થશે, જ્યારે વહેલી સવારે અને રાતના સમયે સામાન્ય ઠંડીનો ચમકારો રહેશે આમ આગામી દિવસોમાં ડબલ ઋતુ જોવા મળશે.
52 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:33 AM
ભારત-અમેરિકા વેપાર સમજૂતીથી સારું વાતાવરણ ઊભું થયુંઃ મોદી

ભારત-અમેરિકા વેપાર સમજૂતીથી સારું વાતાવરણ ઊભું થયુંઃ મોદી

અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યુંઃ મોદી (એજન્સી)નવી દિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં એનડીએ સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે. પીએમ મોદીએ એનડીએ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, તમામ સાંસદો સદનમાં હાજર રહે, ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. બજેટની ઉપલÂબ્ધઓ અંગે જનતા વચ્ચે જાઓ અને તેમને જણાવો. પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ થતા વાતાવરણ સારુ બન્યું છે. હવે મેન્યૂફેક્ચરિંગ વધે તથા ક્વોલિટી પ્રોડક્ટ બને તેવા પ્રયાસો શરૂ કરવા જોઇએ. બજેટની લોકજાગૃતિઃ બજેટની સિદ્ધિઓ લઈને જનતા વચ્ચે જાઓ અને તેમને તેની વિગતો જણાવો. આ બજેટ આગામી ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મેન્યુફેક્ચરિંગ પર ભારઃ અમેરિકી ટ્રેડ ડીલથી દેશમાં સારું વાતાવરણ બન્યું છે. હવે મેન્યુફેક્ચરિંગ વધારવું જોઈએ અને ક્વોલિટી પ્રોડક્ટ્‌સ બનાવવી જોઈએ.કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં ભારતે યુરોપિયન યુનિયન, યુએઈ, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશો સાથે વેપાર કરાર કર્યા છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી; વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે તેનું જ આ પરિણામ છે. માત્ર એક અઠવાડિયા પહેલા જ ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા અને હવે અમેરિકા સાથે પણ કરાર થયા છે. જેમાં ટેરિફમાં ઘટાડની જાહેરાતનો પણ સમાવેશ થાય છે. જેના કારણે સાંસદોમાં ભારે ઉત્સાહ હતો.
92 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:11 AM
ધુમ્મસના ધાબળા NCR: ઝીરો વિઝિબિલિટીને કારણે ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ

ધુમ્મસના ધાબળા NCR: ઝીરો વિઝિબિલિટીને કારણે ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ

ગાઝિયાબાદ અને દિલ્હીમાં ધુમ્મસની ચાદર ગાઝિયાબાદમાં શૂન્ય વિઝિબિલિટીથી વાહનવ્યવહાર પ્રભાવિત; દિલ્હી અને ગાઝિયાબાદ સહિતના એનસીઆર વિસ્તારોમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતાં માર્ગ અકસ્માતોની ભીતિ વચ્ચે વાહનવ્યવહારની ગતિ ધીમી પડી હતી.
52 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 01:26 AM
ગુજરાતનું તાપમાન વધ્યુંઃ વિવિધ શહેરોમાં અસામાન્ય રીતે ઊંચું તાપમાન નોંધાયું

ગુજરાતનું તાપમાન વધ્યુંઃ વિવિધ શહેરોમાં અસામાન્ય રીતે ઊંચું તાપમાન નોંધાયું

ભુજમાં 15.8 ડિગ્રી, ડીસામાં 15.9 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, કેશોદમાં 16 ડિગ્રી, પોરબંદરમાં 16.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.3 ડિગ્રી, ગાંધીનગરમાં 18.2 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી, ભાવનગરમાં 19.2 ડિગ્રી, અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
76 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:58 PM
સૌરાષ્ટ્રમાં શિયાળાનો અંત, ગરમીનું મોજું ફરી વળ્યું

સૌરાષ્ટ્રમાં શિયાળાનો અંત, ગરમીનું મોજું ફરી વળ્યું

માસ મહિનાના પ્રારંભે બે ત્રણ દિવસ કડકડતી ટાઢ રહ્યા બાદ હવે શિયાળો અંતિમ ચરણમાં પહોંચી ગયો હોય એવા વાતાવરણની અનુભૂતિ થઈ રહી છે. જેમાં મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા ક્લાય મેટ ચેન્જને કારણે ત્રણ દિવસથી ઠંડી એકદમ ઘટી ગઈ છે. ઠંડીનો પારો ગગડી જતા ગરમીનો પાર હવામાન વિભાગના આંકડા મુજબ ગયા સપ્તાહે 10થી 12 ડીગ્રી લઘુતમ તાપમાન હોવાથી રાત્રે ઠંડીનું જોર હતું. મહત્તમ તાપમાન 27 ડીગ્રી ઉંચું નોંધાતા દિવસભર ગરમી રહી હતી. હવે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસથી ઉનાળો શરૂ થઈ ગયો હોય એવી ગરમીની અનુભૂતિ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 ફ્રેબ્રુઆરીથી 8 સુધી મહતમ તાપમાન વધીને 32 થી34 ડીગ્રી ઉંચું જવાની શક્યતા હોવાથી દિવસભર પંખા કે એસી ચાલુ કરવા પડે તેવી ગરમીનો અહેસાસ થશે અને લઘુતમ તાપમાન 16થી 18 ડીગ્રી રહેવાની શક્યતા હોવાથી રાત્રે પણ બહુ જ ઓછી ઠંડી લાગશે. માવઠાની શકયતા ન હોવાથી વાતાવરણ એકદમ ચોખ્ખું રહેશે. એટલે કૃષિ વિભાગ તરફથી ખેડૂતોને કોઈ સાવચેતીના સૂચનો આપવામાં આવ્યા નથી. મસીનો ઉપદ્રવ વધ્યોએરંડાના ઉત્પાદનથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આખા શહેરમાં ઊડતી જીવાત શરીરમાં ચુંબકની જેમ ચોંટી જાય છે અને આંખ, મોઢામાં કે કાનમાં ઘુસી જતી હોવાથી લોકોને ભારે મુશ્કેલી થાય છે. બીજી તરફ બેવડી ઋતુની સ્વાસ્થ્ય પર માઠી અસર થશે તેવી તબીબોએ શકયતા દર્શાવી છે. ખાનગી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે વાયરલ બીમારીઓમાં 60 ટકા જેટલો વધારો થયો હતો અને હવે ફરીથી બેવડી ઋતુને કારણે બેવડા જોશથી આ બીમારીઓ વધવાની શકયતા છે. દૂષિત પાણીના લીધે ઝાડા ઉલ્ટીના કેસો પણ વધ્યા છે. આ ઉપરાંત હવે ગરમીને કારણે મોડી સાંજથી રાત્રી દરમિયાન મચ્છર સેનાનું ભારે આક્રમણ રહેતા બીમારીઓ વધુ ફેલાય તેવી શકયતા તબીબી સુત્રોએ વ્યક્ત કરી છે.
80 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:55 PM
ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં અસામાન્ય વધઘટ, પાકને અસર

ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં અસામાન્ય વધઘટ, પાકને અસર

ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ-રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. એક ડિગ્રીના ઘટાડા સાથે રાત્રિનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું, જ્યારે પોણા ડિગ્રીના વધારા સાથે દિવસનું મહત્તમ તાપમાન 31 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. આ સ્થિતિને કારણે રાત્રે ઠંડક અને બપોરે હળવી ગરમી અનુભવાતી હોવાથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, વાતાવરણમાં આવેલો આ ફેરફાર ચાલુ સપ્તાહ દરમિયાન પણ યથાવત રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દિવસ-રાતના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. આ અંગે ભચાઉ કિવિકેના સહ-સંશોધક ડૉ. રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ભેજનું પ્રમાણ પણ સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે. જેના સીધા પ્રભાવથી દિવસ-રાતના તાપમાનમાં ફેરફાર થતાં ઠંડીની તીવ્રતા નબળી પડી છે. આ વાતાવરણિક સ્થિતિને કારણે ફૂગજન્ય રોગો તેમજ ચુસિયા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મોટાભાગના પાકોને અસર પહોંચી રહી છે . જો આ પરિસ્થિતિ એક સપ્તાહ સુધી યથાવત રહે, તો ઘઉંના પાકની ઊંચાઈ તેમજ દાણાનો વિકાસ રૂંધાઈ શકે છે, જેના પરિણામે 10થી 15 ટકા સુધી ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આ ઉપરાંત જીરૂના પાકમાં 50 ટકા સુધી અને રાઈના પાકમાં 25થી 30 ટકા સુધી ઉત્પાદન ઓછું મળવાનું જોખમ રહેલું છે.
25 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:46 PM
સોરથમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળે છે, જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત દર્શાવે છે

સોરથમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળે છે, જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત દર્શાવે છે

જૂનાગઢ સહિત સોરઠમાં સતત બીજા દિવસે ગરમીમાં વધારો થતા બપોરનું તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે શિયાળાએ વિદાય લેવાનું શરૂ કર્યું હોવાનું અને ઉનાળાની શરૂઆતની અનુભૂતિ લોકોને થઈ હતી. સોમવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 13.7, શહેરમાં જોકે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 69 ટકાએ પહોંચી ગયુ હતુ. જ્યારે પવનની પ્રતિ કલાકની ગતિ 6.3 કિલોમીટરની રહી હતી. બીજી તરફ બપોરની શરૂઆત થતાની સાથે મહતમ તાપમાનનો પારો 31.8 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે સતત બીજા દિવસે બપોરની હવામાં 33 ટકા ભેજ રહ્યો હતો. વાદળછાયું વાતાવરણ વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે મિશ્ર હવામાન રહ્યું હતું. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળાની વિદાયની શરૂઆત ધીમા પગલે થઈ ચૂકી છે અને આગામી બે દિવસમાં બપોરનું તાપમાન પણ ક્રમશઃ વધતું રહેશે. જેથી ઉનાળાના પગરણ શરૂ થઈ જશે.
62 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:29 PM
જામનગર શહેરમાં શીત લહેરથી રાહત મળી

જામનગર શહેરમાં શીત લહેરથી રાહત મળી

જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાનમાં વધારો થતા 16.6 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના કારણે સપ્તાહના પ્રારંભથી તિવ્ર ઠંડીનુ જોર ધીમુ પડયુ છે.જોકે,રાત્રીથી સવાર સુધી ટાઢનો મુકામ બરકરાર રહયો છે. જામનગર શહેરમાં મંગળવારે પણ લઘુતમ તાપમાન આંશિક વધારા સાથે 16.6 ડિગ્રી નોંધાયુ હતુ.છેલ્લા 48 કલાકથી અવિરત પારો ઉંચકાતા તિવ્ર ઠંડીથી જનજીવને આંશિક મુકિત મેળવી હતી.જે સાથે મહતમ પારો પણ 28.5 ડીગ્રી પર સ્થિર થયો હતો.જેના કારણે બપોરે સુર્યનારાયણના આગવા મિજાજનો અહેસાસ જનજીવને કર્યો હતો.જોકે, સુર્યાસ્ત સાથે જ ફરી વાતાવરણમાં ટાઢોડુ પ્રસર્યુ હતુ.ફેબ્રુઆરી માસના પ્રારંભથી જ ઠંડીનુ જોર ક્રમશ: ઘટતા જનજીવને પણ રાહત અનુભવી હતી.ઠંડીની સાથે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર્ર ઘટાડો થતા પાંચથી દશ કિ.મી.ની ઝડપ નોંધાઇ હતી.જોકે, હજુ પણ ઠંડીના એક રાઉન્ડની સભાવના જાણકારો દર્શાવી રહયા છે. શહેરમાં સવારે આકાશમાં હળવા વાદળો પણ છવાયેલા રહયા હતા.જોકે,થોડીવારમાં જ વાતાવરણ પુન: સ્વચ્છ જોવા મળ્યુ હતુ.
28 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:06 PM
પશ્ચિમી વિક્ષેપ ભાવનગર શહેરમાં ભેજની સ્થિતિ અને હળવો વરસાદ લાવે છે

પશ્ચિમી વિક્ષેપ ભાવનગર શહેરમાં ભેજની સ્થિતિ અને હળવો વરસાદ લાવે છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભાવનગર શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ વધતા બપોરના સમયે બફારો વર્તાયો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે લઘુત્તમ ઉષ્ણતામાન 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 82 ટકા થઇ ગયુ હતુ. સવારે પવનની ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી હતુ તે આજે નજીવું ઘટીને 29.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 20.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 1.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 19.2 ડિગ્રી નોંધાયુ હતુ. શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા હતુ તે આજે વધીને 82 ટકા થઇ જતા આખો દિવસ બફારો રહ્યો હતો. ભાવનગર શહેરમાં સવારે પવનની ઝડપ પણ ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી. જે ગઇ કાલે સવારે 12 કિલોમીટર નોંધાઇ હતી. આજે સાંજે પણ ભેજનું પ્રમાણ 64 ટકા રહ્યું હતુ. 7 ફેબ્રુઆરી સુધીમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે, જેથી ઠંડી નહીં પડે. જ્યારે પખવાડિયા બાદ ઠંડીની તીવ્રતા ઘટશે. ગત જાન્યુઆરી મહિનામાં ઠંડી પડયા બાદ હવે ફેબ્રુઆરી માસમાં રાત્રે તાપમાન વધતા ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને પવનની દીશા બદલાઈ હોય ઠંડી ઘટી ગઈ છે.
29 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:03 PM
પોરબંદરનું હવામાનઃ અણધાર્યું તાપમાન મિશ્ર મોસમ લાવે છે

પોરબંદરનું હવામાનઃ અણધાર્યું તાપમાન મિશ્ર મોસમ લાવે છે

પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પોરબંદરમાં બપોરે ગરમીનો અનુભવ થાય છે અને મોડી રાત્રે ગુલાબી ઠંડી ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જેની સામે મંગળવારે મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 16 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત મળી છે. બપોરે ગરમી અને રાત્રે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતા લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.
3 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:00 PM
જાન્યુઆરી 2026માં સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાન્ય ગરમીનું મોજું ત્રાટક્યું

જાન્યુઆરી 2026માં સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાન્ય ગરમીનું મોજું ત્રાટક્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ માવઠા બાદ લંબય બાદ ઠંડીનો પારો વધ્યો નથી. જાન્યુઆરીમાં ગરમીનું તાપમાન સતત વધ્યું છે. જેના કારણે જાન્યુઆરી મહત્તમ તાપમાન એવરેજ 30 ડિગ્રી ઉપર રહ્યું હતું. આથી 2026નો જાન્યુઆરી મહિનો 10 વર્ષમાં સૌથી વધુ ગરમ માસ બન્યો છે. આ ત્યાર બાદ સતત ઠંડીનો પારો વધ્યો નથી. જેના કારણે નવેમ્બર ડિસેમ્બર માસ બાદ જાન્યુઆરી શરૂઆતથી જ તાપમાનનો પારો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. જિલ્લામાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન એવરેજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું છે. ત્યારે 10 વર્ષની સાથે જો સરખામણી કરાય તો 2026નો જાન્યુઆરી મહિનો સૌથી ગરમ મહિનો રહેવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આગાહી છે. આ મહિના દરમિયાન શરૂઆતના દિવસોમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર બન્સથી ભેજ વધ્યું, શુષ્કતા ઘટતા ઠંડી વધીવેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હાલમાં વાતાવરણના ઉપરના લેવલમાં ટર્ફની ભેજની સિસ્ટમ સક્રિય થઇ છે. જે અરબી સમુદ્ર થઇને ગુજરાત સુધી લંબાય છે. જેથી અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઇને ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણમાં ભેજ વધતા વાદળીયું વાતાવરણ સર્જાયું. જેના કારણે વાતાવરણમાં ઠંડીને જરૂરી એવી શુષ્કતા ઓછી થઇ અને ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઇ રહ્યો છે. { રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર
97 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:23 PM
ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી

ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી

અમદાવાદ,તા.3:દેશભરમાં હવામાનનો મિજાજ ફરી એકવાર પલટાવા જઈ રહ્યો છે. વર્ષ2025માં સારા વરસાદ બાદ હવે2026ની શરૂઆતમાં પણ મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ તાજેતરમાં એક બુલેટિન જારી કરીને ચેતવણી આપી છે કે4, 5અને6ફેબ્રુઆરીદરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)સક્રિય થવાને કારણે આ અણધારી આફત ત્રાટકી શકે છે. ગુજરાત પર શું થશે અસર? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરી માસમાં વરસાદની આ આગાહીને પગલે ખાસ કરીને રવિ પાક લેતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. માવઠાની આ અસરને કારણે તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યવાર આગાહીની વિગતો:
71 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 09:26 AM
પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેર લાવશે

પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેર લાવશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૩ આગામી ૬-૭ ફેબ્રુઆરીએ દેશના ઉત્તર પヘમિ વિસ્‍તારોમાં ફરી એક નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ દસ્‍તક દેનાર છે. એ સમયગાળામાં ફરી ઠંડી ગાયબ થયાની અનુભૂતિ બે થી ત્રણ દિવસ રહેવાની છે. રાજયનું આજનું વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગે નિષ્‍ણાતોના અભિપ્રાયો જાણીએ તો સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતમાં આજે તાપમાન ઉંચુ જ નોંધાયેલું રહેશે તથા પુરા ગુજરાતમાંકયાંય વરસાદની સંભાવના નથી. આથી થોડું વિપરીત વિશ્‍લેષણ ભૂતકાળમાં સ્‍કાયમેટ સાથે જોડાયેલા રહેલા અને હાલ ‘માૌસમતક' વેધર ચેનલના ફાઉન્‍ડર દેવેન્‍દ્ર ત્રિપાઠી તેઓના એનાલીસીસમાં ગુજરાતમાં આજે કેવું વાતાવરણ રહેશે? એ અંગે જણાવે છે કે, ગુજરાતના ઉત્તરના ભાગો અર્થાત મધ્‍ય ગુજરાતના ઉપરના અડધા ગુજરાતમાં ઉત્તરશના પવનો વહેશે જેથી રાજના ઉત્તરના અડધા વિસ્‍તારોમાં ઠંડી વધશે, તાપમાન નીચું જશે અને મહારાષ્‍ટ્ર તથા રાજસ્‍થાન સાથે જોડાયેલા ગુજરાતના કોઇ વિસ્‍તારોમાં હળવા વરસાદની સંભાવના રહેશે.
77 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 08:56 AM
અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી, ગુજરાતના ખેડૂતોને રાહત

અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી, ગુજરાતના ખેડૂતોને રાહત

અમદાવાદ : ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે, જ્યારે હવામાં ખાસ ફેરફાર ન થવાને કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધેલી છે
81 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 08:43 AM
દિલ્હીની સવારની ધુમ્મસ જનજીવનને ઠપ્પ કરી દે છે

દિલ્હીની સવારની ધુમ્મસ જનજીવનને ઠપ્પ કરી દે છે

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે જનજીવન થંભી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે ૦૭:૨૨ વાગ્યે દિલ્હીના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી નોંધાઈ હતી, જેના કારણે રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. ધુમ્મસની અસરને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ફ્લાઈટ્સના શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો છે અને ઘણી ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. વાહનચાલકોને સાવચેતી રાખવા અને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે પોલીસ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તાપમાનમાં ઘટાડો થવાની સાથે ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ વધુ ગાઢ બન્યું છે.
8 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 08:38 AM
ગુજરાતનું છારી-ઢાંઢ પક્ષી અભયારણ્ય રામસર સ્થળ જાહેર થયું, પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોમાં વધારો થયો

ગુજરાતનું છારી-ઢાંઢ પક્ષી અભયારણ્ય રામસર સ્થળ જાહેર થયું, પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોમાં વધારો થયો

ભૂજ, તા. ર : કચ્‍છના ગૌરવમાં વધારો થયો છે, કારણ કે બન્નીનું રતન ‘છારી-ઢંઢ'ને હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ' જાહેર કરવામાં આવી છે. ગુજરાતનું આ પાંચમું અને કચ્‍છનું પ્રથમ આંતરરાષ્‍ટ્રીય મહત્‍વ ધરાવતું વેટલેન્‍ડ બન્‍યું છે. ગુજરાત રાજ્‍ય માટે ગૌરવની વાત છે કે કચ્‍છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્‍ય'ને આંતરરાષ્‍ટ્રીય મહત્‍વ ધરાવતા રામસર વેટલેન્‍ડ્‍સની યાદીમાં સામેલ કરવામાં આવ્‍યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્‍સની સંખ્‍યા હવે વધીને પાંચ થઈ છે. આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્‍યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્‍યતા, સ્‍થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્‍મક પરિવર્તન આવશે. દેશના કુલ વેટલેન્‍ડ ક્ષેત્રફળના ૨૧ ટકા કરતાં વધુ હિસ્‍સો ગુજરાતનો છે, જે અન્‍ય રાજ્‍યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્‍ડ્‍સ અંદાજે ૩.૫ મિલિયન હેક્‍ટર વિસ્‍તારમાં ફેલાયેલા છે, જે રાજ્‍યના કુલ ભૌગોલિક વિસ્‍તારના ૧૭.૮ ટકા જેટલો ભાગ ધરાવે છે. રાજ્‍યમાં દરિયાઈ રાષ્‍ટ્રીય ઉદ્યાન અને અભયારણ્‍ય, ખીજડિયા અભયારણ્‍ય, નળસરોવર અભયારણ્‍ય, છારી ઢંઢ, કચ્‍છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્‍ય અને પોરબંદર પક્ષી અભયારણ્‍ય જેવા બહુવિધ વેટલેન્‍ડ આધારિત રક્ષિત વિસ્‍તાર છે. ગાંધીનગર સ્‍થિત ગીર ફાઉન્‍ડેશન ગુજરાતમાં વેટલેન્‍ડ ઇકોસિસ્‍ટમ્‍સની સ્‍થિતિનું મૂલ્‍યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્‍સ અને વેટલેન્‍ડ સંશોધન અને દસ્‍તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે. તેમણે કહ્યું કે,કચ્‍છના ઇકો-ટૂરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્‍યાય ઉમેરાયો છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્‍તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ' કન્‍ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્‍ટ્રીય મહત્‍વની વેટલેન્‍ડ સાઇટ એટલે કે ‘રામસર સાઇટ' તરીકે જાહેર કરવામાં આવી છે. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી-ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્‍છની પ્રથમ રામસર સાઇટ બની છે. ગુજરાતમાં પહેલેથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા પક્ષી અભયારણ્‍યો રામસર સાઇટ તરીકે માન્‍યતા પ્રાપ્ત કરી ચૂકયા છે. રાષ્‍ટ્રીય સ્‍તરે વાત કરીએ તો, ભારતના કુલ ૧૧૫ રાષ્‍ટ્રીય વેટલેન્‍ડ્‍સમાંથી ૮ રાષ્‍ટ્રીય વેટલેન્‍ડ્‍સ ગુજરાતમાં આવેલાં છે. ઉપરાંત, રાજ્‍યમાં ૧૯ વેટલેન્‍ડ્‍સ એવા છે જે મહત્‍વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્‍યતા વિસ્‍તારો તરીકે ઓળખાય છે, જે પ્રવાસી તેમજ સ્‍થાનિક પક્ષીઓ માટે મહત્‍વપૂર્ણ આશ્રયસ્‍થાન પૂરૂં પાડે છે.
62 shares
😐
Western Times logo
Western Times
Feb 3, 2026, 05:44 AM
ચોમાસાની આગાહી વચ્ચે ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદની તૈયારીમાં

ચોમાસાની આગાહી વચ્ચે ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદની તૈયારીમાં

પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત -માવઠાંની આગાહીને પગલે અગમચેતીના પગલાં લેવા ખેડૂતોને અપીલ અમદાવાદ, ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે સોમવારે (૨ ફેબ્રુઆરી, ૨૦૨૬) ઉત્તર અને મધ્ય ગુજરાતના ૮ જિલ્લા ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મે ઘગર્જના સાથે માવઠાંની આગાહી છે. રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠું થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પંચમહાલના શહેરા તાલુકામાં મોરવા રેણાં પંથકમાં અને મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે, ત્યારે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્‌યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ખેતીની પેદાશો ઉપરાંત, ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. એ.પી.એમ.સી. ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. જેમાં ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવી. વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર પણ સંપર્ક કરી શકાશે.
46 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 03:58 AM
ધુમ્મસના કારણે દિલ્હી-NCRમાં વિક્ષેપ, યલો એલર્ટ જાહેર

ધુમ્મસના કારણે દિલ્હી-NCRમાં વિક્ષેપ, યલો એલર્ટ જાહેર

અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી 50 મીટરથી પણ ઓછી રહી, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ (IMD) દ્વારા દિલ્હી-NCR માટે ‘યેલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.
97 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:54 AM
દૈનિક સ્વચ્છતાના અભાવે મોર્બી બજારમાં કચરાના ઢગલા

દૈનિક સ્વચ્છતાના અભાવે મોર્બી બજારમાં કચરાના ઢગલા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા (મિયાણા) નગરપાલિકા વિસ્તારની મુખ્ય બજારમાં દૈનિક સાફ-સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયા છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીથી પરેશાન શાકભાજીના વેપારીઓ તેમજ ચાની લારી ધારકો કંટાળીને પોતાના ધંધાના સ્થળની આસપાસ જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે
9 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 3, 2026, 02:15 AM
ભારતની પર્યાવરણીય ચિંતાઓઃ ગાંધીધામની વૃક્ષ કાપવાની મૂંઝવણ

ભારતની પર્યાવરણીય ચિંતાઓઃ ગાંધીધામની વૃક્ષ કાપવાની મૂંઝવણ

ગાંધીધામ,તા.તા.ગ્લોબલવોર્મિંગની સમસ્યાથી ભારત સહિત દુનિયાભરના દેશો ચિંતિત છે. સમાંતર આ દેશો ચર્ચા પણકરે છે પરંતુ સમસ્યાનું સમાધાન જલ્દીથી આવે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે ધીરે ધીરેપરિવર્તન લાવવાના પ્રયાસો થાય છે ખાસ કરીને ભારત સરકાર દ્વારા પર્યાવરણના જતન માટેવૃક્ષારોપણ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે ગુજરાત સરકાર તો વન મહોત્સવ પણ ઉજવે છે સરકારીમશીનરી અને રાજકીય કાર્યકર્તાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.તે વચ્ચે ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં માર્ગોના કામમાં અનેક વૃક્ષો નું નિકંદનકાઢવામાં આવ્યું છે. વૃક્ષોના ભોગે સુંદરતાના કામો કરવામાં આવી રહ્યા છે. શહેરના ગુરુકુળ વિસ્તાર,શિવાજી પાર્ક બગીચા માર્ગ,શિવાજી પાર્ક બગીચામાં,આદિપુરમાં રામબાગ રોડ સહિતના જે માર્ગો નું નવીનીકરણ કરવામાં આવી રહ્યુંછે તે તમામ જગ્યાએ વૃક્ષો નડતરરૂપ છે તેમ કહીને કપાઈ રહ્યા છે એ અંદાજ મુજબ અત્યારસુધીમાં લગભગ
14 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 02:08 AM
રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીનું મોજું ફરી વળ્યું; યલો એલર્ટ જાહેર

રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીનું મોજું ફરી વળ્યું; યલો એલર્ટ જાહેર

હવામાનની આગાહી રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના ઘમા જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ADVERTISEMENT વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Opinion Supplement Supplement Supplement Supplement Surat: ગજેરા ગ્રુપ પર 6 દિવસીય IT મેગા સર્ચ પૂર્ણ, કરોડોના બેનામી વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત
77 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:04 AM
નવસરીનો ફ્લાવર શો ફિનાલેઃ પરવડે તેવા છોડના વેચાણ માટે નાગરિકોની ભીડ

નવસરીનો ફ્લાવર શો ફિનાલેઃ પરવડે તેવા છોડના વેચાણ માટે નાગરિકોની ભીડ

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાત દિવસીય ફ્લાવર શોનું રવિવારે ભવ્ય સમાપન થયું હતું. જોકે, ફ્લાવર શોના સમાપન બાદ પણ લુંસીકુઈ ગ્રાઉન્ડ ખાતે શહેરીજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડ ફ્લાવર શો જોવા માટે નહીં, પરંતુ પ્રદર્શનમાં મુકાયેલા આકર્ષક અને વિવિધ પ્રજાતિના ફૂલોના છોડ નજીવા દરે ખરીદવા માટે ઉમટી પડી છે. મળતી માહિતી મુજબ, ફ્લાવર શો પૂર્ણ થયા બાદ પાલિકા તંત્ર દ્વારા પ્રદર્શનમાં રાખવામાં આવેલા 25થી વધુ પ્રજાતિના ફૂલોના છોડનું વેચાણ જાહેર જનતા માટે શરૂ કરવામાં આવ્યું છે. લુંસીકુઈ ગ્રાઉન્ડ પર વહેલી સવારથી જ પ્રકૃતિપ્રેમીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે પાલિકા તંત્રને ગેટ પર વધારાનો સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની ફરજ પડી હતી. નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરવ વસાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે- ફ્લાવર શોના માધ્યમથી શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. હવે આ છોડ નાગરિકોને ખૂબ જ રાહત દરે આપવામાં આવી રહ્યા છે જેથી તેઓ પોતાના ઘરે ગાર્ડનિંગ કરી શકે.
15 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:10 AM
આઇએમડીએ ભારતના નવ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

આઇએમડીએ ભારતના નવ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ દ્વારા દેશના પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: સાથે જ ભારે પવન પણ ફૂંકાશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પણ વરસાદની આગાહી છે.
50 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 12:03 AM
પશ્ચિમી વિક્ષેપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન દિલ્હીનું તાપમાન હળવું રાખશે

પશ્ચિમી વિક્ષેપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન દિલ્હીનું તાપમાન હળવું રાખશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અઠવાડિયા સુધી ઠંડીનો પારો 17 થી 19 ડિગ્રી વચ્ચે રહેશે. જેથી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડીની અસર નહીં વર્તાય. હવામાન નિષ્ણાત મુકેશ પાઠકના મતે 7 ફેબ્રુઆરી સુધીમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે, જેથી ઠંડી નહીં પડે. જ્યારે પખવાડિયા બાદ ઠંડીની તીવ્રતા ઘટશે. જ્યારે મંગળવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરમાં સોમવારે મહત્તમ પારો 31.4 ડિગ્રી અને લઘુતમ પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજટસવારે 84 ટકા અને સાંજે 56 ટકા નોંધાયો હતો. જ્યારે નોર્થ અને નોર્થ-વેસ્ટની દિશાથી 5 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
14 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 10:56 PM
મહેસાણાના બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની ખેડૂતોને ચેતવણી આપી

મહેસાણાના બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની ખેડૂતોને ચેતવણી આપી

મહેસાણા બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે તાત્કાલિક ચેતવણી જાહેર કરી છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ તા. 3 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જિલ્લામાં ક્યાંક હળવા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મહેસાણા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ સંજોગોમાં હાલ આંબાના અત્યંત સંવેદનશીલ મોર આવવાના તબક્કે તેમજ ઉભા શાકભાજીના પાકોને નુક્સાન થવાની સંભાવના હોવાથી બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર તકેદારીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. બાગાયત વિભાગના જણાવ્યા મુજબ, મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે, અને આ દરમિયાન વધુ ભેજ તથા કમોસમી વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. કમોસમી વરસાદના કારણે મોર લાંબા સમય સુધી ભીનો રહેતા ફૂલ અને નાની કણીઓ ઝડી જવી, પરાગનયન પ્રક્રિયામાં અડચણ આવવી, પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) અને એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે.
65 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 10:48 PM
ગુજરાતના અમરેલીમાં ઠંડીથી રાહતનો અનુભવ થયો

ગુજરાતના અમરેલીમાં ઠંડીથી રાહતનો અનુભવ થયો

અમરેલી સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ, ચાર દિવસથી ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. ત્યારે હવામાન વિભાગે આગામી એક સપ્તાહ ઠંડી ઓછી રહેશે તેમ જણાવ્યું છે. અમરેલી પંથકમાં સોમવારે ન્યુનત્તમ તાપમાનનો પારો 18.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હુતં. જ્યારે આજે શહેરમાં મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી રહ્યું હતું. આ ઉપરાંત હવામા ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું અને પવનની ગતિ પ્રતિ કલાક 2.8 કિલોમીટરની રહી હતી. અમરેલીમાં હવે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. જિલ્લાના ગીર કાંઠા વિસ્તારમાં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. આજે અમરેલી શહેરમાં ન્યુનત્તમ તાપમાન 18 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું.
20 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 10:41 PM
પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી ગરમીનું મોજું ફરી વળ્યું

પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી ગરમીનું મોજું ફરી વળ્યું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદનું તાપમાન વધતા ગરમીમાં વધારો થયો છે. સોમવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 3.5 ડિગ્રી ઊંચકાઇને પ્રથમવાર 19.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. 24 કલાક પછી શહેરમાં દિવસનું તાપમાન 33 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શુક્રવારે અમદાવાદમાં ઠંડીનો પારો એક દિવસમાં 4 ડિગ્રી વધીને 15.9 ડિગ્રી નોંધાયો હતો જો કે, ત્યારબાદ શહેરના લઘુતમ તાપમાનમાં ક્રમશ વધારો થયો હતો, અને 3 દિવસમાં 3.6 ડિગ્રી વધીને 19.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધીને 33 ડિગ્રી પહોંચી શકે છે. આગામી 48 કલાકમાં શહેરમાં છાંટા પડવાની શક્યતા છે.
62 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 10:34 PM
ભાવસિંહજી સરકારી હોસ્પિટલ નજીક જર્જરિત બ્લોક દવાખાના કેન્દ્રની ઇમારત મળી આવી

ભાવસિંહજી સરકારી હોસ્પિટલ નજીક જર્જરિત બ્લોક દવાખાના કેન્દ્રની ઇમારત મળી આવી

પોરબંદર શહેરમાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ઓફિસ નજીક આવેલ બ્લોક ડિસ્પેન્સરી સેન્ટરનું 45 વર્ષ જૂનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું હતું તેમજ આ બિલ્ડિંગમાં આવેલ સોચાલય પણ પાણીના અભાવે બંધ હતું ત્યારે હવે આ જર્જરીત બિલ્ડિંગનું રૂ આ રિનોવેશન પૂર્ણ થઈ જતા આધુનિક બિલ્ડીંગ ઉપલબ્ધ થયું છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે.પરંતુ હાલ શહેરમા ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકનું બે જ આરોગ્ય કેન્દ્ર આવેલ છે.ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે.આ સેન્ટરનું બિલ્ડિંગ 45 વર્ષ જૂનું હોવાથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું હતું.આ બિલ્ડિંગ જર્જરીત હાલતમાં તેમજ સોચાલય પણ જર્જરીત હાલતમાં હોવાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું.ત્યારે 45 વર્ષ જૂનું આ જર્જરીત બિલ્ડીંગનું રૂ.5 લાખના ખર્ચે રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું.ત્યારે આ કામગીરી પૂર્ણ થતાં અધુનિક બિલ્ડીંગ ઉપલબ્ધ થયું છે. બ્લોડ ડિસ્પેન્સરી સેન્ટરમાં બિલ્ડિંગનું રિનિવેશન, કલરકામ, ટાઇલ્સ, સ્ટોર રૂમ, બાથરૂમ રીનોવેશન અને કમ્પાઉન્ડમાં પી.સી.સી.સહિતની કામગીરી કરવામાં આવશે.આ સેન્ટરનું રિનિવેશન કામ પૂર્ણ થયે અહીં ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓને વધારાની સુવિધા ઉપલબ્ધ થયું છે.
24 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 10:08 PM
ભરૂચ જિલ્લામાં વાદળછાયું હવામાન અને પવનની ગતિમાં ઘટાડો નોંધાયો

ભરૂચ જિલ્લામાં વાદળછાયું હવામાન અને પવનની ગતિમાં ઘટાડો નોંધાયો

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી વાદળ છાયા વાતાવરણ સાથે બફારાનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ફરી શરદી,ખાંસી નાના બાળકોને થઈ રહી છે. આમ જિલ્લાનું દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 32 ટકા અને પવનની ગતિ ઘટીને 8 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 14 થી 22 ડિગ્રી રહેવાની સંભાવના છે. ખેડૂતો પવનની ગતિને ઓછી થતાં ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે. સાથે ખેતી પાકના વિકાસ માટે જરૂરિયાત મુજબ ખાતર આપી શકાશે. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં સામાન્ય બદલાવ નોંધાય શકે છે. ગરમીને લઈને બાળકો અને વૃદ્ધોને ડી હાઈડ્રેશન ન થાય તે માટે કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.
47 shares
😢
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 07:00 PM
શિયાળુ ફૂગના ચેપઃ માન્યતાઓને દૂર કરવી અને નિવારણને પ્રાથમિકતા આપવી

શિયાળુ ફૂગના ચેપઃ માન્યતાઓને દૂર કરવી અને નિવારણને પ્રાથમિકતા આપવી

મોટાભાગે લોકોનું માનવું હોય છે કે ફંગલ ઇન્ફેક્શન માત્ર ચોમાસાની ઋતુમાં જ થાય છે, પરંતુ હવે આ સમસ્યા શિયાળામાં પણ થાય છે. ડર્મેટોલોજિસ્ટનું માનવું છે કે બદલાતી જીવનશૈલી, ઘરની અંદરનું વાતાવરણ અને બદલાતા હવામાનને કારણે શિયાળામાં પણ તે સામાન્ય બની રહ્યા છે. નીચે મુજબની વિશિષ્ટ અને સંશોધન આધારિત માહિતી આ ગેરસમજને દૂર કરે છે તેમજ સમગ્ર ઋતુ દરમિયાન ફંગલ કેર ઉપર ભાર મૂકે છે. પરિણામે શિયાળામાં થતા ફંગલ ઇન્ફેક્શનને થતું અટકાવી શકાય છે. શિયાળાની શુષ્કતા ત્વચાના સુરક્ષા સ્તરને નબળી પાડે છે
30 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 05:22 PM
ગુજરાતમાં કમોસમી વરસાદથી અસર, લાંબા સમય સુધી ડ્રાય સ્પેલ પછી રાહત મળી

ગુજરાતમાં કમોસમી વરસાદથી અસર, લાંબા સમય સુધી ડ્રાય સ્પેલ પછી રાહત મળી

અમદાવાદ : રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્યારબાદ સંતરામપુર નગર સહિત પૂર્વ વિભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે અનેક લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ હતી. પવનના કારણે મંડપો અને ડેકોરેશનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
63 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 05:20 PM
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું

ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. કોડીનાર અને સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદ તૂટી પડ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ અરણેજ, સિંધાજ, વડનગર, કંટાળા અને ભુવાવાડા, ભુવાટીંબી, ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આ કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરી તેમજ ખેતરમાં ઊભેલા ઘઉં, બાજરી અને ચણાના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
64 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 05:19 PM
કમોસમી વરસાદને કારણે ગુજરાતના પંચમહાલ અને મહિસાગર જિલ્લાઓમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે

કમોસમી વરસાદને કારણે ગુજરાતના પંચમહાલ અને મહિસાગર જિલ્લાઓમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે

અમદાવાદ :ગુજરાતના પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં શિયાળાની ઋતુમાં અણધાર્યા કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જ્યો છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે અચાનક મોસમનો મિજાજ બદલાયો હતો અને કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે તે ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા પંથક અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. તે જ રીતે મહીસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ બાદ માવઠાનું સંકટ ઘેરાયું છે. સંતરામપુર નગરમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. આ બંને જિલ્લામાં આ કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર રવિ પાક પર થવાની ભીતિ છે. ખેડૂતોને ઘઉંના પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે, કારણ કે વરસાદના કારણે ઘઉં ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. આ ઉપરાંત બાજરી, મકાઈ જેવા પાકોને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે. ઘાસચારો પણ આ માવઠાથી પ્રભાવિત થશે. વધુમાં ઉનાળાની સીઝનમાં આંબા પર આવતા મોરને પણ ક્યાંકને ક્યાંક નુકસાન થવાની ચિંતા ખેડૂતોમાં પ્રવર્તી રહી છે. ખેડૂતો હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ કમોસમી વરસાદે તેમની ચિંતામાં વધારો કર્યો છે. તૈયાર પાકને નુકસાન થવાથી તેમને મોટો ફટકો પડી શકે છે. પંચમહાલ અને મહીસાગરના આ દ્રશ્યો દર્શાવે છે કે કુદરતી આફત સામે ખેડૂતો કેટલા લાચાર છે. હવામાન વિભાગ દ્વારા આવા અણધાર્યા ફેરફારો અંગે અગાઉથી માહિતી આપવી અને સરકાર દ્વારા નુકસાની માટે વળતરની વ્યવસ્થા કરવી એ સમયની માંગ છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો થયો છે, જે શિયાળામાં વધુ ઠંડીનો અનુભવ કરાવશે, પરંતુ ખેતી પર તેની ગંભીર અસર થશે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં ખેડૂતો અને તેમની આજીવિકા માટે એક મોટી મુશ્કેલી ઊભી કરશે.
63 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 04:45 PM
હિમાચલ પ્રદેશના કિન્નૌર કૈલાશ પર્વતમાળામાં ભારે હિમસ્ખલન થયું

હિમાચલ પ્રદેશના કિન્નૌર કૈલાશ પર્વતમાળામાં ભારે હિમસ્ખલન થયું

શિમલા: દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં અત્યારે કડકડતી ઠંડીની સાથે કુદરતી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. સોમવારે બપોરે કિન્નૌર જિલ્લામાં સ્થિત પવિત્ર કિન્નૌર કૈલાશ પર્વતમાળામાં એકાએક મોટો હિમપ્રપાત (Avalanche) થતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. રિબ્બા ગામની બરાબર ઉપર આવેલા પહાડ પરથી બરફનો મોટો હિસ્સો તૂટી પડતા તેના પડઘા દૂર-દૂર સુધી સંભળાયા હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બરફનો પહાડ તૂટીને નીચે પડ્યો ત્યારે આખા વિસ્તારમાં બરફની રજકણોના સફેદ વાદળો છવાઈ ગયા હતા. દ્રશ્યતા (Visibility) શૂન્ય થઈ ગઈ હતી અને તેની સાથે ફૂંકાયેલા પ્રચંડ બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ સ્થાનિક લોકો કુદરતના આ રૌદ્ર સ્વરૂપને જોઈને ભારે ફફડાટ અનુભવી રહ્યા છે.હિમપ્રપાતની આ ઘટના બાદ હિમાચલ પ્રદેશ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે આગામી કલાકો માટે ચેતવણી જારી કરી છે:કિન્નૌર, લાહૌલ-સ્પીતિ અને ચંબા: આ ત્રણ જિલ્લાઓને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.પર્યટકો અને સ્થાનિકોને ઊંચાઈવાળા વિસ્તારો અને નદીના કિનારે ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.આગામી સમયમાં બરફનું તોફાન આવવાની પ્રબળ શક્યતાને જોતા ઈમરજન્સી સેવાઓને સજ્જ કરી દેવામાં આવી છે.હિમાચલના પહાડોમાં સતત બદલાતું હવામાન અને હિમપ્રપાતની વધતી ઘટનાઓએ સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે.
35 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 04:41 PM
પશ્ચિમી વિક્ષેપને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

પશ્ચિમી વિક્ષેપને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 24 કલાક માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં યેલો અલર્ટ સાથે વીજળીના કડાકા અને વરસાદ થશે. જેમાં વડોદરા, ભરૂચ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી છે. તો અરવલ્લી, દાહોદ મહીસાગર અને પંચમહાલને યેલો એલર્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 12.5 ડિગ્રી નોંધાયું છે.
46 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 02:15 PM
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ અને આરોગ્ય યોજનાઓની સમીક્ષા કરી

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ અને આરોગ્ય યોજનાઓની સમીક્ષા કરી

રાજકોટ,તા. રઃ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા ઇસ્‍ટ ઝોનના વોર્ડ નં.૫માં આવેલIMAઅર્બન હેલ્‍થ સેન્‍ટર(UHC)ની મુલાકાત લેવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યટન વિકાસ તથા પ્રાકળતિક પર્યાવરણના સંરક્ષણને ધ્‍યાને રાખીને અમલમાં મુકાયેલ લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આજ રોજ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટ સાઇટની મુલાકાત લઈ ચાલુ તથા પૂર્ણ થયેલ કામગીરીની સ્‍થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્‍ય કેન્‍દ્રમાં ઉપલબ્‍ધ સુવિધાઓ,કામગીરીની વ્‍યવસ્‍થા તેમજ સરકારશ્રીની વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓની અમલવારી અંગે વિસ્‍તળત સમીક્ષા કરવામાં આવી હતી. સરકારશ્રીની વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે અંગે સઘન કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. આરોગ્‍ય યોજનાઓ હેઠળ થયેલી કામગીરી IMA UHCખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કેANC (Ante Natal Care), PNC (Post Natal Care), Fully Immunized Children, Complete Immunizationતથા નમોશ્રી યોજના અંતર્ગત થતી કામગીરીની વર્ષ દરમિયાન આજની તારીખ સુધીની(ELA)પ્રગતિ અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.
4 shares
😐
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 01:24 PM
ભારતનું શાકભાજીનું ઉત્પાદન જોખમમાંઃ આબોહવા પરિવર્તન પડકારો અને ટકાઉ ઉકેલો

ભારતનું શાકભાજીનું ઉત્પાદન જોખમમાંઃ આબોહવા પરિવર્તન પડકારો અને ટકાઉ ઉકેલો

ખેડૂતોને થાય છે સારી આવક ગુજરાતીઓનો શિયાળો જો ઊંધિયા વિના જાય તો એ શિયાળો ન કહેવાય! આ જ રીતે, પાલક, ટામેટાં, વાલોળ-પાપડી, રિંગણ જેવા લીલાં શાકભાજી તો દરેક ઘરના ભાણાંનું અવિભાજ્ય અંગ હોવાનાં જ. પણ બદલાતાં વાતાવરણમાં સારો પાક મેળવવા માટે શાકભાજીના પાકની માવજત અને પિયત જો વૈજ્ઞાનિક ઢબે અને પ્રાકૃતિક કૃષિથી કર્યું હોય તો ઉચ્ચ ગુણવત્તાવાળું મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. ADVERTISEMENT ભારત વિશ્વમાં શાકભાજીના કુલ ઉત્પાદનમાં 15 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. દેશમાં અંદાજે 6.2 મિલિયન હેક્ટર વિસ્તારમાં 80 મિલિયન ટન શાકભાજીનું ઉત્પાદન થાય છે. જેમાં બટાટા, ડુંગળી, ટામેટાં અને રીંગણ જેવા મુખ્ય પાકોનો સમાવેશ થાય છે. જોકે, હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાતા હવામાન અને વધતા તાપમાનને કારણે આ ઉત્પાદન પર ગંભીર ખતરો ઊભો થયો છે. ખાસ કરીને, ઊંચા તાપમાનને કારણે પરાગરજની ગુણવત્તા નબળી પડતાં ફળ બેસવાનું પ્રમાણ ઘટે છે અને ઉત્પાદકતામાં મોટો ઘટાડો જોવા મળે છે. આવા સમયે, રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે 'પ્રાકૃતિક ખેતી' આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થાય છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Sports Sports India Sports World Yuzvendra Chahalની પોસ્ટે આરજે માહવાશે સાથેના બ્રેકઅપ બાદ મચાવી ધૂમ, કહ્યું- 'નો મની, નો હની...'
69 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 01:18 PM
સાંસ્કૃતિક વારસાની ઉજવણીઃ અમદાવાદમાં 8મું આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ

સાંસ્કૃતિક વારસાની ઉજવણીઃ અમદાવાદમાં 8મું આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ

અમદાવાદ તા.૨ ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય '૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ' યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોરબંદર જિલ્લામાં આવેલા ૨૨૫થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ વિસ્તારો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી રાજ્યની શાળાઓમાં 'વેટલેન્ડ ક્લબ' બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મંત્રી શ્રી મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો.
84 shares
😐
Gujarat Samachar logo
Gujarat Samachar
Feb 2, 2026, 11:06 AM
ગુજરાત હવામાન અપડેટઃ ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ થવાની આગાહી

ગુજરાત હવામાન અપડેટઃ ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ થવાની આગાહી

Article Gujarat Weather Update:ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે સોમવારે (2 ફેબ્રુઆરી, 2026) ઉત્તર અને મધ્ય ગુજરાતના 8 જિલ્લા ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. 8 જિલ્લામાં માવઠાંની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાંની આગાહી છે.
18 shares
😐
Western Times logo
Western Times
Feb 2, 2026, 10:27 AM
યુવાન સમયસર નિદાન અને સારવાર સાથે દુર્લભ વાયરલ રોગમાંથી સ્વસ્થ થયો

યુવાન સમયસર નિદાન અને સારવાર સાથે દુર્લભ વાયરલ રોગમાંથી સ્વસ્થ થયો

કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન સારવાર બાદ યુવક સંપૂર્ણ સ્વસ્થ (એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના ર૬ વર્ષીય યુવક ક્રિમીનલ-કોગો હેમરેજીગક ફીવર સીસીએચએફ નામના જીવલેણ બની શકે એવા વાયરજન્ય રોગમાંથી કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન અને તાત્કાલીક સારવારથી સ્વસ્થ થયો છે. ગાંધીનગરમાં રવી પટેલ નામ બદલ્યું છે કેને તીવ્ર તાવ, અતીશય નબળાઈ મુંઝવણ અને ઝડપથી બગડતી તબીયત સાથે કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આવા લક્ષણો ઘણીવાર સામાન્ય વાયરસજન્ય તાવ જેવા લાગે છે. પરંતુ ડોકટરોને પ્લેટલેટસમાં ઝડપી ઘટાડો લીવરકાર્યમાં અસમાન્યતા અને લોહી જામવાની પ્રક્રિયામાં ખલેલ જેવા ગંભીર સંકેતો દેખાતા સીસીએચએફઅંગે શંકા ઉભી થઈ હતી. ક્રિમીનલ-કોગો હેમરીજીક લીવર એક દુર્લભ વાયરજન્ય રોગ છે. જેમાં મૃત્યુદર ખુબ ઉંચો હોય છે. સમયસર ઓળખ અને સારવાર ન થાય તો મૃત્યુદર અંદાજે ૭૦-૮૦% સુધી પહોચી શકે છે. એમ કન્સલ્ટન્ટ ક્રિટીકલ કેર સ્પેશીયાલીસ્ટ ડો. તેજસ પરીખે જણાવ્યું હતું કે આ રોગની શરૂઆત ઘણીવાર સામાન્ય વાયરસ તાવ જેવી થાય છે. જેના કારણે વહેલી તકે નિદાન કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ ઝડપથી ઘટતા જતા રકતકણો લીવરની કાર્યક્ષમતા વિક્ષેપ થયો અને રકતસત્રાવની બદલાતી જાતી પેટર્ન તેને અલગ ઓળખ આપી છે. એકવાર શંકા થાય પછી પુષ્ટિ રીપોર્ટની રાહ જોયા વિના તાત્કાલીક સારવાર શરૂ કરવી જરૂરી છે.વહેલું આઈસોલેશન રીમાવીને જેવી એન્ટીવાયરલ સારવાર અને ઈન્ટેન્સિવ સપોટીવ કેર જીવ બચાવવા માટે મહત્વપુર્ણ છે. તાત્કાલીક સઘન સારવારની સાથે સાથે વધુ તપાસ માટે લોહીના નમુના મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દર્દીમાં ગંભીર ઈમ્યુન મીડીયેટેડ પ્રતીક્રિયા વિકસીત થઈ હતી. જે વાયરજન્ય રોગોમાં જોવા મળતી જાણતી કે પરંતુ દુર્લભ જટીલતા છે. જેમાં શરીરને નુકશાન પહોચાડે છે. આવા કેસોમાં સતત મોનીટરીગ લોહી અને કલોટીગ માટે જરૂરી સહાય તેમજ ઈમ્યુન પ્રતીભાવને સમયસર નિયંત્રીત કરવું અત્યંત જરૂરી છે.
27 shares
😢
Western Times logo
Western Times
Feb 2, 2026, 10:23 AM
ગુજરાત પર્યાવરણીય સંરક્ષણમાં દક્ષિણ એશિયામાં અગ્રેસરઃ ભારતની પર્યાવરણીય ક્રાંતિનો કરાર

ગુજરાત પર્યાવરણીય સંરક્ષણમાં દક્ષિણ એશિયામાં અગ્રેસરઃ ભારતની પર્યાવરણીય ક્રાંતિનો કરાર

પૃથ્વીની ‘કિડની’ સમાન જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણમાં ગુજરાતનું વૈશ્વિક અંકન અમૃતકાળમાં ભારતની પર્યાવરણીય ક્રાંતિ: ૯૮ રામસર સાઇટ્સ સાથેભારત દક્ષિણ એશિયાનું પર્યાવરણ લીડર બન્યું કચ્છથી ઉત્તર પ્રદેશ સુધી વિસ્તાર: છારી-ઢંઢ અને પટના પક્ષી અભયારણ્યનો રામસર સાઇટ્સમાં સમાવેશ,૧૩.૮૪ લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું સુરક્ષિત કુદરતી કવચ પંચરત્ન રામસર સાઇટ્સ: નળ સરોવર,થોળ,વઢવાણા,ખીજડીયા અને હવે છારી-ઢંઢ ગુજરાતની પર્યાવરણીય ઓળખ *”રેલાય છે જ્યાં કુદરતની હેલી,એ જ છે આપણી વેટલેન્ડની શૈલી;જળ છે તો જીવન છે,અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.”* દર વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં‘વિશ્વ વેટલેન્ડ દિવસ‘ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે,જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળાશયો,નદીઓ,કાદવ-કીચડવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના ભાગોના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે. ૧૯૭૧માં ઈરાનના‘રામસર‘શહેરમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,જેને‘રામસર સંમેલન‘તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ સંધિમાં ૧૯૮૨માં જોડાયું હતું અને ત્યારથી દેશમાં વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના પ્રયત્નો અમૃતકાળમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે,ત્યારે ભારત પર્યાવરણના જતન અને વિકાસના સંતુલિત મોડેલ તરીકે વૈશ્વિક ફલક પર ઉભરી આવ્યું છે. વેટલેન્ડ્સ જેને આપણે જળપ્લાવિત વિસ્તારો કહીએ છીએ,તે માત્ર પાણીના સંગ્રહસ્થાનો નથી પરંતુ તે પૃથ્વીની જૈવિક પ્રક્રિયાઓનું હૃદય છે. રામસર શહેરમાં થયેલી સંધિ બાદ વેટલેન્ડ્સના સંરક્ષણ માટે જે આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ થયું હતું,તેને ભારતે છેલ્લા દાયકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવી ઊંચાઈ આપી છે. ભારતની આ વિકાસયાત્રા હવે પ્રકૃતિના સંરક્ષણ સાથે અતૂટ રીતે જોડાઈ ગઈ છે.
10 shares
😐
Western Times logo
Western Times
Feb 2, 2026, 10:09 AM
ગુજરાતે 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કર્યુંઃ સાંસ્કૃતિક વારસો અને સંરક્ષણ પ્રયાસોની ઉજવણી

ગુજરાતે 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કર્યુંઃ સાંસ્કૃતિક વારસો અને સંરક્ષણ પ્રયાસોની ઉજવણી

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાંરાજ્યકક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી,પણ પૃથ્વીની જીવનરેખા છે;તેને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરએ કુદરતી વેટલેન્ડ્સનો ખજાનો છે;આ પક્ષી અભયારણ્યોઅને જળાશયોનું જતન જરૂરી છે – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વેટલેન્ડ અને અભયારણ્ય સંદર્ભે વિવિધ રિસર્ચ રિપોર્ટ તેમજ ડોક્યુમેન્ટ્રીનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER)ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ,પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમીનારના અધ્યક્ષ સ્થાને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
78 shares
😐
Western Times logo
Western Times
Feb 2, 2026, 10:01 AM
પ્રખ્યાત બિલ્ડર તુષાર ઘેલાણીએ અમદાવાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પ્રખ્યાત બિલ્ડર તુષાર ઘેલાણીએ અમદાવાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

(એજન્સી)અમદાવાદ, શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ ગત મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. દીકરીના લગ્નની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી પરિવાર અને બિલ્ડર લોબીમાં ભારે શોક અને સન્નાટો વ્યાપી ગયો છે સુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર સહિત બિલ્ડર લોબીમાં શોકનો માહોલ ફેલાયો છે. દુખદ વાત એ છે કે, દીકરીના લગ્ન પહેલા જ પરિવાર પર આભ તૂટ્યું. મોડી રાત્રે આશરે ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. તુષાર ઘેલાણીએ પોતાના ઘરમાં જ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી માથાના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીનો અવાજ સાંભળતા જ ઘરમાં સૂતેલા પરિવારના સભ્યો તરત જ દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને જોતા જ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના બાદ તુષાર ઘેલાણીને તાત્કાલિક ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રે ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતા અને દોડી આવ્યા હતા. તુષારભાઈને લોહીલુહાણ હાલતમાં જોતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન આગામી ૫ ફેબ્રુઆરીના રોજ હતા. આખું ઘર અને પરિવાર લગ્નની ધામધૂમ પૂર્વક તૈયારીઓમાં વ્યસ્ત હતું, ત્યારે અચાનક બનેલી આ ઘટનાથી ખુશીનો માહોલ ભારે શોકમાં ફેરવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
77 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:34 AM
જી. ઈ. ઈ. આર. ફાઉન્ડેશને પોરબંદરમાં 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કર્યું

જી. ઈ. ઈ. આર. ફાઉન્ડેશને પોરબંદરમાં 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કર્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.,રઃ ગુજરાત ઈકોલોજીકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ(GEER)ફાઉન્‍ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્‍ડ દિવસ' ના પૂર્વે દિને ‘વેટલેન્‍ડ્‍સ એન્‍ડ ટ્રેડિશનલ નોલેજઃ સેલિબ્રેટિંગ કલ્‍ચરલ હેરીટેજ' વિષય પર બે દિવસીય ૮માં આંતરરાષ્‍ટ્રીય વેટલેન્‍ડ સેમિનારનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઉદઘાટન સેમીનારના અધ્‍યક્ષ સ્‍થાને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને સંબોધનમાં જણાવ્‍યું હતું કે પોરબંદર પંથકમાં વેટલેન્‍ડસનો ખજાનો ભર્યો છે. વેટલેન્‍ડએ પૃથ્‍વીની જીવન રેખા છે તેને બચાવવાએ આપણી નૈતિક ફરજ છે. વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેટલેન્‍ડ્‍સના મહત્‍વ પર ભાર મૂકતા જણાવ્‍યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્‍ડ્‍સ આવેલા છે. વેટલેન્‍ડ્‍સ એ માત્ર જળાશયો નથી પણ પળથ્‍વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં વેટલેન્‍ડ ક્‍લબ બનાવી નવી પેઢીને પ્રકળતિ સાથે જોડવા પર ભાર મૂકયો હતો. પ્રકળતિ અને વન્‍યજીવોના રક્ષણ વિશે વાત કરતા તેમણે જણાવ્‍યું કે દરેક જીવનું કુદરતી ચક્રમાં આગવું મહત્‍વ છે. તેમણે ઉદાહરણ આપ્‍યું કે સાપ જેવી રીતે ઉંદરો પર નિયંત્રણ રાખીને અનાજનો બગાડ અટકાવે છે, જે પ્રત્‍યક્ષ રીતે માનવજાતને મદદરૂપ છે. વધુમાં, ધરમપુર ખાતેના રિસર્ચ સેન્‍ટરમાં સાપના ઝેરમાંથી એન્‍ટી-વેનમ દવાઓ બનાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે, તે વિજ્ઞાન અને પ્રકળતિના સમન્‍વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પર્યાવરણીય સિદ્ધિઓની ચર્ચા કરતા મંત્રીશ્રીએ નોંધ્‍યું કે રાજ્‍યમાં સિંહોની વસ્‍તીમાં ૩૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે અને હવે બરડા અભયારણ્‍ય પણ સિંહોનું બીજું ઘર બની રહ્યું છે.
12 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:16 AM
બચાવ પ્રયાસોએ ઝાંઝરિયા ગામમાં છ મહિનાના સિંહના બચ્ચાને કૂવામાંથી બચાવ્યો

બચાવ પ્રયાસોએ ઝાંઝરિયા ગામમાં છ મહિનાના સિંહના બચ્ચાને કૂવામાંથી બચાવ્યો

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૨: ઝાંઝરિયા ગામ ની સીમ માં વાડી માં ખુલ્લા કુવામાં છ માસનું સિંહ બાળ પડી જતા વન વિભાગે જાનના જોખમે સિંહબાળને બહાર કાઢીને બચાવી લીધુ હતું. ઝાંઝરિયા ગામ ની સીમ માં ખેડૂત રવિસિંહ નારણભાઇ વાળા ની વાડી આવેલ છે વાડી માં ૪૫ થી ૫૦ ફૂટ ઊૅડો ખુલ્લો કૂવો છે જેમ પાણી ખુબ છે. તેમાં રાત્રિ ના કોઈ સમયે એક બાળ સિંહ અંદાજિત ૬ મહિના નું અકસ્‍માતે કૂવા માં પડી ગયું હતું સવારે વાડીના માલિકે કૂવા માં જોતા એક સિંહ નું બચ્‍ચું તરતું હતું અને આખું શરીર પાણી માં માત્ર મોઢું દેખાતું હતું. ગીર પૂર્વ વન વિભાગની જસાધાર કચેરીએ જાણ કરતા આર. અર્ફ. ઓ. ભરવાડની રેસ્‍કયુ ટીમના માણસો દોરડા પાંજરું લઈ આવી જઈ મહેનત કરી પાંજરા સાથે પાંજરા ઉપર એક વન કર્મચારી કુવામાં ઉતરી સિંહબાળને સલામત રીતે હાથ થી પકડી પાંજરા માં મૂકી બહાર કાઢી અને સારવાર આપવા જશાધાર એનિમલ કેર સેન્‍ટર લઈ જવાયું છે. અને માતાથી વિખૂટું પડી ગયેલ સિંહ બાળને માતા સાથે મિલન કરાવ વા કુવા પાસે પાંજરુ રાખી દીધું છે.
55 shares
😐
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 09:09 AM
રાજ્યભરમાં આગામી 24 કલાક હળવો વરસાદ પડવાની આગાહી

રાજ્યભરમાં આગામી 24 કલાક હળવો વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા, ભરુચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તેમજ આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
3 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 08:56 AM
ગુજરાત સરકારના'કરુણા અભિયાન "એ ઉત્તરાયણ ઉત્સવ દરમિયાન 90 ટકા ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવ્યા

ગુજરાત સરકારના'કરુણા અભિયાન "એ ઉત્તરાયણ ઉત્સવ દરમિયાન 90 ટકા ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવ્યા

અમદાવાદ તા.૨ : પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ ૧૬,૩૮૦ ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી. જેમાંથી ૧૪,૬૯૦ પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે ૯૦ ટકા પક્ષીઓને જીવતદાન મળ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. વન મંત્રી શ્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૭,૦૪૦ પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી ૬,૫૩૨ પક્ષીઓને બચાવી લેવાયા છે. આ ઉપરાંત મુખ્યત્વે સુરતમાં ૪,૮૦૦માંથી ૪,૧૯૪, વડોદરામાંથી ૭૨૨માંથી ૬૪૯, રાજકોટમાંથી ૬૭૬માંથી ૫૫૩ તેમજ ગાંધીનગરમાં ૩૨૯ પક્ષીઓને સારવાર આપી હતી તેમાંથી ૩૧૩ જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. આમ રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કુલ ૧૪,૬૯૦ પક્ષીઓને સારવાર આપીને નવું જીવન આપવામાં આવ્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની વિગતો આપતાં મંત્રી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘાયલ પક્ષીઓમાં સૌથી વધુ ૧૩,૬૩૬ કબૂતર, ૯૦૫ સમડી, ૨૮૧ કાગડા, ૧૮૦ ઢાંક, ૧૩૭ બ્લેક આઈબીસ, ૧૩૪ ઘુવડ, ૧૨૧ બગલા અને ૧૧૦ પોપટ, અન્ય ૧૮૫ સહિત કુલ ૪૧ વિવિધ જાતિના પક્ષીઓનો સમાવેશ થાય છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ નિમિતે રાજ્યના વન, કૃષિ સહિત સંલગ્ન વિવિધ વિભાગો તેમજ પક્ષી પ્રેમી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી સૌ પ્રથમ વર્ષ ૨૦૧૭માં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વર્ષે ૨૦૧૭માં ૭,૩૦૧ ઘાયલ પક્ષીઓ પૈકી ૬,૫૯૭ને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા હતા. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧.૨૯ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર આપીને તેમાંથી ૧.૧૮ લાખથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા છે એટલે કે, કુલ ૯૨ ટકાથી વધુ પક્ષીઓને જીવતદાન અપાયું છે જે રાજ્ય સરકારને જીવદયાને સાચા અર્થમાં ઉજાગર કરે છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
45 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 08:53 AM
ઠંડી ગાયબ થતાં કચ્છ અને રાજકોટ ગરમ થયું, ખેડૂતોની નજર વાદળછાયા આકાશ પર

ઠંડી ગાયબ થતાં કચ્છ અને રાજકોટ ગરમ થયું, ખેડૂતોની નજર વાદળછાયા આકાશ પર

રાજકોટ તા.૨: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી ગાયબ થઇ ગઇ છે જો કે વાદળા છવાઇ જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. આજે ગિરનાર ઉપર ૧૩.૭,નલીયા ૧૨.૫,રાજકોટમાં ૧૭,જામનગરમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. જુનાગઢ (વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જૂનાગઢના સવારના તાપમાનમાં ૨.૮ ડિગ્રીનો વધારો થતા ગિરનાર પર ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતુ. જુનાગઢ શહેરના વિસ્‍તારોમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ગઈકાલે બપોરે જુનાગઢનું લઘુતમ તાપમાન સામાન્‍ય ઘટાડા સાથે ૧૫.૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન વધીને ૩૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દરમિયાન આજે સવારે લઘુતમ તાપમાન ૨.૮ ડીગ્રી વધી જતા ગિરનાર પર ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતું તેના પરિણામે પર્વતીય વિસ્‍તારમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી.
6 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 08:35 AM
પશ્ચિમી વિક્ષેપ કાશ્મીર સહિત ઉત્તરીય રાજ્યોમાં શીત લહેર લાવશે

પશ્ચિમી વિક્ષેપ કાશ્મીર સહિત ઉત્તરીય રાજ્યોમાં શીત લહેર લાવશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર :.. નજીક નજીકના બે વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પૈકી એક પસાર થઇ ગયા બાદ તેની પાછળનું બીજુ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ કાશ્‍મિર સહિત ઉતરના કેટલાક રાજયોમાં વરસીને આવતીકાલે આગળ નીકળી જશે. ડબલ્‍યુડીની નીચે સાયકલોનિક હળવી સિસ્‍ટમ સક્રિય રહેતી હોઇ,એ કારણે ઉત્તર ના ઠંડા પવનો રાજસ્‍થાન થઇ ગુજરાત સુધી વહેતા હોય છે તે અટકે છે. બલ્‍કે હાલ અરબ સાગરના પવનો ગુજરાત થઇ ડબલ્‍યુડી તરફ ભળી રહ્યા છે. અરબ સાગરના પવનો ભેજવાળા હોઇ,રાજયમાં ઠંડી ઘટે છે પણ સવારના ભાગે આછા વાદળોનું આવરણ તો કયાંક સવારે ધુમ્‍મસ જોવા મળી રહ્યા છે. સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે ગુજરાતમાં હજુ આજે પણ ઠંડી ઘટેલી રહેશે. પણ ડબલ્‍યુડીના પસાર થવા બાદ, પવનોની દિશા બદલાયે તાપમાન ફરી નીચા જશે.
71 shares
😐
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 06:51 AM
ભારતીય હવામાન આગાહીઃ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને તોફાની પવનની આગાહી

ભારતીય હવામાન આગાહીઃ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને તોફાની પવનની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે 3 કલાક માટેનું હવામાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ છુટા છવાયા વરસાદ થવાની શક્યતા છે.
81 shares
😐