Achira News Logo
Achira News
Akila News logo
Akila News
Mar 21, 2026, 01:43 PM
ઈરાનના પરમાણુ સંવર્ધન પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયેલ હવાઈ હુમલાથી વ્યાપક નુકસાન થયું

ઈરાનના પરમાણુ સંવર્ધન પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયેલ હવાઈ હુમલાથી વ્યાપક નુકસાન થયું

તેહરાન:મધ્ય પૂર્વમાં ચાલીરહેલુંયુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે, કારણ કે ઈરાનના પરમાણુકાર્યક્રમનીકરોડરજ્જુ ગણાતા 'નાતાન્ઝ પરમાણુ સંવર્ધન પ્લાન્ટ' પર અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ભીષણ બોમ્બમારો કર્યો છે. ઈરાની મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો એટલો પ્રચંડ હતો કે તેના વિસ્ફોટોના પડઘાકિલોમીટરોદૂર સુધી સંભળાયા હતા અને આખું સંકુલધ્રૂજીઉઠ્યું હતું. ૨૦૨૫થી શરૂ થયેલા આ સંઘર્ષમાં નાતાન્ઝ પર આ અત્યાર સુધીનો સૌથી ઘાતક અને મોટો સૈન્ય પ્રહાર માનવામાં આવે છે. આઓપરેશનનોમુખ્ય હેતુ ઈરાનની યુરેનિયમ સંવર્ધન કરવાની ક્ષમતાને મૂળમાંથી જ ઉખેડીનાખવાનોહોવાનું જણાય છે, જેથી તે પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં આગળ ન વધી શકે. આ ભીષણ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં પરમાણુ રેડિયેશન લીક થવાની અને પર્યાવરણીય હોનારત સર્જાવાની ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. જોકે, પ્રારંભિક તપાસ અને ઈરાની પરમાણુ ઉર્જા સંસ્થાના અહેવાલો મુજબ, હુમલામાં ટેકનિકલ માળખા અને મશીનરીને ભારે નુકસાન થયું હોવા છતાં, કોઈ પણ પ્રકારના કિરણોત્સર્ગી પદાર્થ (રેડિયેશન) લીક થવાના પુરાવા મળ્યા નથી. આ એક મોટી રાહતના સમાચાર છે, કારણ કે જો પરમાણુ કચરો ફેલાયો હોત તો માત્ર ઈરાન જ નહીં પણ પડોશી દેશોમાં પણ હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. હાલમાં ઈરાની સેના અને સુરક્ષા એજન્સીઓએ પ્લાન્ટની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે અને કાટમાળ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઈરાન સરકારે આ લશ્કરી કાર્યવાહીને પોતાની સાર્વભૌમત્વ પરનો સીધો હુમલો ગણાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકા-ઈઝરાયેલની જોડી સામે કડક વલણ અપનાવવાની ચીમકી આપી છે. ૨૦૨૫ થી અત્યાર સુધીમાં આ પ્લાન્ટ પર અનેકવાર હુમલા થયા છે, જેમાં દર વખતે ઈરાનની અદ્યતન સેન્ટ્રીફ્યુજ મશીનરીને નિશાન બનાવવામાં આવે છે. રહેણાંક વિસ્તારો સુરક્ષિત હોવા છતાં, આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. નિષ્ણાતો માને છે કે આ હુમલો ઈરાનના પરમાણુ સપનાને વર્ષો પાછળ ધકેલી દેશે, પરંતુ તેના બદલામાં ઈરાન જે રીતે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે, તે જોતા પશ્ચિમ એશિયામાં હવે 'પરમાણુ યુદ્ધ'નો ખતરો વધુ વાસ્તવિક જણાવા લાગ્યો છે.
22 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:49 AM
કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું, વ્યાપક નુકસાન થયું

કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું, વ્યાપક નુકસાન થયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: કચ્‍છમાં તોફાની પવન સાથે મીની વાવાઝોડું અને તોફાની વરસાદથી ભારે નુકસાન થયું છે.પાક ધોવાયો છે.અનેક જગ્‍યાએ વીજ થાંભલા અને ઝાડ પડી ગયા છે. રણમાં સોલાર પ્‍લેટો ઉડી હતી. હવામાનમાં આવેલા ભારે પલટાની અસર આજે વ્‍હેલી સવારથી પૂર્વ કચ્‍છમાં વર્તાવાની શરૂ થઈ એ જોતજોતામાં બપોર સુધી સમગ્ર કચ્‍છમાં વરતાઈ હતી.જોકે નુકસાનીનો ચોક્કસ આંક હવે ખબર પડશે. મીની વાવાઝોડાએ કચ્‍છને ધમરોળ્‍યું: હતું. મુન્‍દ્રા બંદરે કન્‍ટેનર ઉલળ્‍યા હતા, પાકનો સોથ વળતાં સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં ખેડૂતો ભારે ચિતામાં, મીઠાના અગરો, રણમાં આવેલ સોલાર પ્રોજેક્‍ટ, નાના મોટા કાચા ઘરોને નુકસાન, અનેક જગ્‍યાએ વીજ થાંભલાઓ, વૃક્ષો પડી ગયા, હજી માવઠાની આગાહીને પગલે ઉચાટ છે.
36 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:37 AM
હવામાનમાં ફેરફારથી સુરેંદ્રનગર જિલ્લાને વ્યાપક નુકસાન થયું છે

હવામાનમાં ફેરફારથી સુરેંદ્રનગર જિલ્લાને વ્યાપક નુકસાન થયું છે

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્‍યો છે ત્‍યારે ખાસ કરીને ભારે પવન ફૂંકાવા પામ્‍યો છે જેને લઇને વ્‍યાપક નુકસાન સર્જાયું છે સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં સૌથી વધુ નુકસાન હોવાનું હાલ સામે આવ્‍યું છે ખાસ કરીને વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા જીરું વરિયાળી ઘઉં ચણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું અને હવે પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતોના ખેતરમાં પડ્‍યો છે ત્‍યારે તૈયાર પાક ઉપર જ પાણી ફરી વળ્‍યું હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાયો છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ભારે પવન સાથે વરસાદના કારણે વરીયાળી તૂટી ગઈ છે ઘઉં ને પણ નુકસાન છે ત્‍યારે બીજી તરફ ચણાના જે પાથરા હતા તે ભારે પવનના કારણે ઉડી ગયા છે અને ચણાના પોપટા પણ ખરી ગયા છે જેને લઇને મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં તૈયાર થઈ ગયેલો પાક લણી અને મૂકવામાં આવ્‍યો હતો પરંતુ ભારે પવન સાથે માવઠાના કારણે નુકસાન પહોંચ્‍યું છે જેને લઇને જગતનો તાત ફરી ચિંતામાં મુકાયો છે
76 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:33 AM
અચાનક હવામાનમાં ફેરફારને કારણે આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો છે અને ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો છે

અચાનક હવામાનમાં ફેરફારને કારણે આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો છે અને ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો છે

આણંદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં વલ્લભ વિદ્યાનગર, કરમસદ અને બાકરોલ સહિત આણંદ શહેર, મોગરી અને વલાસણ વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે વલ્લભ વિદ્યાનગરના પ્રગતિ મંડળ નજીક વૃક્ષની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ હતી. તૂટેલી ડાળીઓ રસ્તા પર પડતા થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ દૂર કરીને રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો, જેથી વાહનવ્યવહાર સામાન્ય બન્યો. હતો
51 shares
😢
A
Akila News
Mar 20, 2026, 09:24 AM
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીની-સ્ટોર્મ વરસાદ અને પવન લાવે છે

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીની-સ્ટોર્મ વરસાદ અને પવન લાવે છે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે બપોરે ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું તથા ગાજવીજ અને સૂસવાટા મારતા પવનની ડમરીઓ સાથે ધૂળની ઘર તથા રસ્‍તાઓ પાંદડા વૃક્ષોની ડાળો ટૂકડાઓની ભરાઇ ગયા હતાં. એકાદ કલાક સુધી ચાલેલા આ મીની વાવાઝોડાએ લોકોને ગભરાવી દીધા હતા જો કે ખંભાળીયા તથા ભાણવડમાં માત્ર ઝાપટા જ પડયા હતા. જયારે કલ્‍યાણપુર પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે દ્વારકામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ પડતા અનેક સ્‍થળે પાણી ભરાઇ ગયા હતા તથા હાલ ચેટીચાંદ,ઇદ શની. ની રાજાની મજા માણવા નીકળેલા પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મૂકાઇ ગયા હતાં. ખંભાળીયાના કેશોદ,વિંઝલપર,સલાયા,ભાડથર,ભાણ ખોખરી,માંઝા કલ્‍યાણપુર તાલુકાના ભારવાડીયા,રાવલ,ભાટીયા,કલ્‍યાણપુર,ભાણવડના નવાગામ સઇ દેવળીયા,મોરઝર વિ. ગામોમાં વરસાદ પડયો હતો. તો કયાંક નાના બરફના કરા પણ પડયા હતાં. અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજ વાયરો તુટતા વીજ પુરવઠો મોડેથી શરૂ થયો હતો તો કયાંક વધુ વીજ વાયરો તૂટતા આજે પુરવઠો પૂર્વવત થયો હતો.
35 shares
😐
A
Akila News
Mar 20, 2026, 09:23 AM
મોટી પનેલી વિસ્તારમાં વાવાઝોડું ત્રાટક્યું, ગભરાટ ફેલાયો

મોટી પનેલી વિસ્તારમાં વાવાઝોડું ત્રાટક્યું, ગભરાટ ફેલાયો

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી ઉપલેટા તા.ર૦,તાલુકાના મોટી પાનેલી પંથકમાં પૂર્વ આગાહી ના ભાગ રૂપે ભયાનક વિકરાળ સ્‍વરૂપે વાવાઝોડું ટ્રાટકતા ચારેબાજુ અફરા તફરી નો માહોલ સર્જાયો હતો બપોરે ચાર વાગ્‍યાં આસપાસ અચાનક વાતાવરણ પલટાયું હતું ચારેબાજુ ઘોર અંધારું છવાયું અને જોતજોતામાં વાવાઝોડા એ દસ્‍તક દેતા ધૂળની ડમરી ચડતા વળક્ષ નો સોથ વળી ગયેલ જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયેલ જોરદાર વરસાદ અને વાવાઝોડા થી ભારે ડર નો માહોલ બન્‍યો હતો ખેતરો માં ઉભા પાક ઘઉં તુવેર ચણા જેવા મોલનો સોથ વળી ગયાના પણ સમાચાર છે ખેડૂતો નો રાતે પાણીએ રોવાનો વારો આવ્‍યો છે કુદરતના કહેર થી ધરતીપુત્રો વીલા મોઢા કરી મોઢે આવેલ કોળિયો છીનવાતા જોઈ રહ્યા છે એક કલાક સુધી પડેલા વરસાદ ને લઈને રોડ રસ્‍તા માં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા.
61 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:18 AM
ભારે વરસાદ અને ભારે પવનોએ ધોરાજીને અસર કરી, ખેડૂતો માટે પાકને નુકસાનનું જોખમ

ભારે વરસાદ અને ભારે પવનોએ ધોરાજીને અસર કરી, ખેડૂતો માટે પાકને નુકસાનનું જોખમ

ધોરાજીઃ ગઈકાલે સાંજના સમયે અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો જેને લઈ ધોરાજી શહેર અને સમગ્ર વિસ્‍તારમાં ખેડૂતોમાં પોતાના પાકમાં ભારે નુકસાની જવાની સંભાવના જણાઈ રહી છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા હાલ ઘઉં તલ અને ચણા જેવા પાકોનું વાવેતર થયેલું હોય ત્‍યારે કમોસમી માવઠાને લઈ ખેડૂતોને પાકમાં નુકસાની જાય તે જણાઈ રહ્યું છે. બીજી તરફ ધોરાજી શહેરમાંથી જમનાવડ રોડ તરફ નવો સિમેન્‍ટ રોડ તાજેતરમાં બનાવવામાં આવેલ છે જેમાં રોડને યોગ્‍ય ઢાળ આપવામાં ન આવેલ હોય જેથી નવા બનેલા સિમેન્‍ટ રોડ પર પાણી ભરાઈ જતા સ્‍થાનિકોમાં રોષ જોવા મળ્‍યો હતો અને લેવલ વગરનું કામ થયું હોવાનું સ્‍થાનિકોનો આક્ષેપ થયો હતો. (તસવીરઃ કિશોરભાઈ રાઠોડ)
60 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:14 AM
વાવાઝોડા અને વરસાદને કારણે વાસના એપીએમસીના ખેડૂતોને પાકને નુકસાન થયું

વાવાઝોડા અને વરસાદને કારણે વાસના એપીએમસીના ખેડૂતોને પાકને નુકસાન થયું

અમદાવાદમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે વાસણા APMCમાં ખેડૂતો અને વેપારીઓને મોટી નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બહાર મુકેલા ડુંગળી, લસણ અને બટાકાના ખેતરોમાં નુકસાન થયું છે, જ્યારે વેપારીઓની દુકાનોમાં જગ્યા ન હોવાના કારણે તેમનો માલ બહાર રાખવો પડ્યો હતો. તીવ્ર પવન અને વરસાદથી પાક પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોએ ડુંગળીને 25 રૂપિયાની જગ્યાએ માત્ર 16 રૂપિયામાં વેચવાનું મજબૂર થયાં છે. નિકાસ માર્ગ બંધ હોવાથી સ્થાનિક ખેડૂતોને વધુ આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
77 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:13 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવન અને કમોસમી વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવન અને કમોસમી વરસાદ

રાજકોટ, તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં પવનના સૂસવાટા ફૂંકાઇ રહયા છે. સવારે ઠંડીનો અનુભવ થતા ગરમ વષાો પહેરવા પડ્‍યા હતા. તાપણાનો સાથ પણ લેવો પડ્‍યો હતો. જોકે સવારથી વાદળા વિખેરાયા છે અને સૂર્યનારાયણે દર્શન દીધા છે. ગઈકાલે સાંજથી જામનગર,દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, કચ્‍છમાં મેઘાવી માહોલ સાથે કમોસમી વરસાદ કરા સાથે તૂટી પડતા ભારે નુકસાન થયું છે અનેક જગ્‍યાએ વળક્ષો તૂટી પડ્‍યા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા.
76 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:12 AM
ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારે વરસાદ અને ભારે પવનની ઝપેટમાં, રાજકોટ શહેર જળબંબાકાર

ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારે વરસાદ અને ભારે પવનની ઝપેટમાં, રાજકોટ શહેર જળબંબાકાર

ગુજરાતના આકાશમાં અચાનક પલટો આવ્‍યો હતો. ભરઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો. મેઘરાજાએ જાણે આકાશમાંથી હવાઈ હુમલા કર્યા હોય તેમ કરાં સાથે વરસાદ પડ્‍યો. સરહદ પર ચાલતા યુદ્ધના દ્રશ્‍યો જોઈને કુદરતને પણ સુરાતન ચઢયું હોય તેવું લાગે છે. રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ભયાનક આંધી અને તોફાની પવન ફૂંકાયો. ખાસ કરીને સૌરાષ્‍ટ્ર અને રાજકોટમાં કુદરતનો અણધાર્યો પ્રકોપ જોવા મળ્‍યો. રાજકોટ શહેર સ્‍માર્ટ સિટીના મોટા દાવાઓ કરે છે. પરંતુ સામાન્‍ય વરસાદમાં જ આ તમામ પોકળ દાવાઓ પાણીમાં તણાઈ ગયા. જેવું આકાશમાંથી પાણી વરસ્‍યું,રાજકોટ‘પાણીપાણી'થઈ ગયું. ગટર લાઈનો ઉભરાઈ અને મુખ્‍ય રસ્‍તાઓ નદી બની ગયા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્‍યવહાર ઠપ થયો. તંત્રનું કહેવાતું‘સુશાસન'કાદવ અને ગંદકીના ઢગલામાં ફેરવાઈ ગયું. શહેરના પヘમિથી પૂર્વ સુધી માત્ર વહીવટી અવ્‍યવસ્‍થા જ જોવા મળી. વરસાદ પડતાની સાથે જ શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. કલાકો સુધી લોકો અંધારામાં રહયા. રસ્‍તાઓ પર ઠેર-ઠેર કાદવનું સામ્રાજ્‍ય છવાઈ ગયું છે. કચરાના ગંજ જામ્‍યા છે,જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. કમોસમી વરસાદ પછી હવે રોગચાળાનું તાંડવ ખેલાય તેવી પૂરી ભીતિ છે. મચ્‍છરોનો ઉપદ્રવ વધતા પાણીજન્‍ય અને મચ્‍છરજન્‍ય રોગો માથું ઊંચકી રહ્યા છે. સામાન્‍ય જનતા મુશ્‍કેલીમાં મુકાઈ છે,જ્‍યારે વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો તાલ સર્જાયો છે. જ્‍યારે ચૂંટણી આવે છે ત્‍યારે નેતાઓ વિકાસના ગુલાબી સપના બતાવે છે. ફ્‌લાયઓવર અને સિક્‍સલેન રસ્‍તાઓના વાયદાઓનો વરસાદ થાય છે. પરંતુ જ્‍યારે જનતાને ખરેખર પાયાની સુવિધાની જરૂર હોય છે,ત્‍યારે નેતાઓ કયાંય દેખાતા નથી. સામાન્‍ય વરસાદમાં જો રસ્‍તા ધોવાઈ જતા હોય અને ગટરો ઉભરાતી હોય,તો તેને સુશાસન કેવી રીતે કહેવાય?
71 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:11 AM
વાન્કનેરમાં કમોસમી વાવાઝોડું ત્રાટક્યું, પાકને નુકસાન થવાની આશંકા

વાન્કનેરમાં કમોસમી વાવાઝોડું ત્રાટક્યું, પાકને નુકસાન થવાની આશંકા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બપોરે ચાર વાગ્‍યે અચાનક જ હવામાનમાં મોટો બદલાવ જોવા મળ્‍યો છે. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જોતજોતામાં જ ભારે પવન ફુંકાવા લાગ્‍યો છે. પવનની ગતિ એટલી તે જ જોવા મળી રહી છે કે જાણે મિની વાવાઝોડું આવ્‍યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આ વાવાઝોડાની સાથે જ વિસ્‍તારમાં ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડયો હતો. ઘણી જગ્‍યાએ વરસાદની સાથે બરફના મોટા કરા પણ પડયા હતાં. વાંકાનેર પંથકમાં પડેલા આ કમોસમી વરસાદ (માવઠા) અને બરફના કરાને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. અત્‍યારે ખેતરોમાં રવિ પાક તૈયાર થઇ ને ઉભો છે અથવા તો લણણીની તૈયારીમાં છે. જીરૂ, ઘઉં, ચણા, ધાણા, અને એરંડા જેવા પાકોને આ કરા અને ભારે પવનથી વ્‍યાપક નુકસાન પહોંચવાનો અંદાજ છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ જવાની નોબત આવતા ખેડૂત આલમમાં નિરાશા વ્‍યાપી ગઇ છે
11 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:10 AM
બેમૌસમી વરસાદ અને જોરદાર પવનોએ મોર્બી અને આસપાસના વિસ્તારોને અસર કરી, નુકસાન પહોંચાડ્યું

બેમૌસમી વરસાદ અને જોરદાર પવનોએ મોર્બી અને આસપાસના વિસ્તારોને અસર કરી, નુકસાન પહોંચાડ્યું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦: મોરબી અને વાંકાનેર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો તે ઉપરાંત માળિયા તાલુકામાં પવન સાથે વરસાદ શરુ થયો હતો માળિયા તાલુકાના નવલખી, વવાણીયા, બગસરા સહિતના ગામોમાં વરસાદ વરસ્‍યો હતો તેમજ ટંકારા તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો. મીઠાના અગરોને નુકશાન માળિયા પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો જેને પગલે મીઠાના અગરોમાં નુકશાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે માળિયા તાલુકામાં મીઠા ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્‍યો છે અને કમોસમી વરસાદથી તૈયાર મીઠાને નુકશાન થયું છે. ઘઉં-જીરૂના પાકને નુકશાનથી ખેડૂતો ચિંતાતુર
93 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:08 AM
અસામાન્ય ઉનાળુ હવામાન વચ્ચે ભારતના 15 રાજ્યોમાં ભારે વરસાદ

અસામાન્ય ઉનાળુ હવામાન વચ્ચે ભારતના 15 રાજ્યોમાં ભારે વરસાદ

નવી દિલ્હી :દેશના અનેક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં ભર ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મદુરાઈમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે જ ભારે પવન, વીજળી પડવાની અને કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને લોકો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
70 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:07 AM
કમોસમી વરસાદે ચોટિલાના પાકને નુકસાન પહોંચાડ્યું, ખેડૂતોને બરબાદ કર્યા

કમોસમી વરસાદે ચોટિલાના પાકને નુકસાન પહોંચાડ્યું, ખેડૂતોને બરબાદ કર્યા

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૨૦: હવામાન વિભાગની આગાહીના પગલે ચોટીલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગત સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્‍યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ અને મિનિ વાવાઝોડા જેવા ફૂંકાયેલા જોરદાર પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) ત્રાટકતા સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ફાળ પડી છે. ખેતરોમાં પાણી ફરી વળ્‍યા,તૈયાર પાક બરબાદ હાલ રવિ પાકની સીઝન તેના અંતિમ તબક્કામાં છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં,જીરું અને ચણા જેવા કિંમતી પાક કાઢવાની પ્રક્રિયા ચાલુ હતી,ત્‍યારે જ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અનેક ખેતરોમાં પાકના પાથરા વિખાઈ ગયા છે,જેના કારણે ધાન્‍યની ગુણવત્તા બગડવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હાલ‘‘જાયે તો જાયે કહાં''જેવી લાચારી અનુભવી રહ્યા છે. ખેડૂતોની ચિંતામાં વધારો કમોસમી વરસાદના કારણે એરંડા અને જીરું જેવા રોકડિયા પાકોને વ્‍યાપક અસર થઈ છે. મહેનત કરીને પકવેલો પાક જ્‍યારે હાથમાં આવવાની તૈયારીમાં હતો,ત્‍યારે જ કુદરતે રૂદ્ર રૂપ ધારણ કરતા જગતનો તાત ચિંતાતુર બન્‍યો છે. અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં માવઠાની વાવાજડી,વરસાદ સાથે બરફના કરાઓ પણ વરસ્‍યા હતા માવઠાની હજુ પણ આગાહી હોવાથી સાવચેતી માટે તા. ૨૦ મી એ ચોટીલા માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.માવઠામાં સૌથી વધુ ખેડૂતોની કફોડી હાલત થયેલ છે. પાક પલળી જતા નુકસાન પણ થયેલ છે.
18 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:06 AM
અચાનક હવામાનમાં ફેરફાર ભાવનગર જિલ્લામાં હવા લાવે છે

અચાનક હવામાનમાં ફેરફાર ભાવનગર જિલ્લામાં હવા લાવે છે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦: ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્‍યો હતો. સાંજના ૬ વાગ્‍યા બાદ ધૂળની તોફાની ડમરીઓ અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે મિની વાવાઝોડા જેવી સ્‍થિતિ સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. તોફાની પવનના કારણે અનેક સ્‍થળોએ મહાકાય વળક્ષો ધરાશાયી થયા હતા અને અનેક વાહનો રસ્‍તા પર ગબડી પડ્‍યા હોવાના કિસ્‍સા પણ નોંધાયા છે. ભારે નુકસાન અને અકસ્‍માતની ઘટનાઓ શહેરમાં ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે કેટલીક દુકાનોના છાપરા અને મકાનો પર ફિટ કરેલી સોલાર પેનલો હવામાં ફંગોળાઈને નીચે પડી હતી,જેનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતા હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. અનેક વિસ્‍તારોમાં વીજ લાઈનો પર વળક્ષો પડવાથી વીજ પુરવઠો પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.
14 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:58 AM
ચક્રવાતથી લખતરમાં વિનાશ, જનજીવન ખોરવાયું

ચક્રવાતથી લખતરમાં વિનાશ, જનજીવન ખોરવાયું

વઢવાણઃ લખતરમાં વાવાઝોડાએ વિનાશ વેરીયો હોય તે પ્રકારની પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક જગ્‍યાઓ ઉપર વળક્ષો તૂટી ગયા છે દુકાનો ગલ્લા ઘર ઓફિસોના છાપરા પણ ઉડી ગયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે ખાસ કરીને લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલી હોટલોના છાપરા ઉડી ગયા હોય અને રોડ ઉપર પડ્‍યા હોય તે પ્રકારની ઘટના બની છે. હાઇવે ઉપર પતરા ઉડીને પડ્‍યા હોવાના કારણે હાઇવે પર પ્રભાવિત બન્‍યો છે અલગ અલગ ઝાડ અને બિલ્‍ડીંગોને પણ ભારે પવન સાથે વરસાદના કારણે નુકસાન થયું છે ત્‍યારે કોઈ મોટી જાનહાની નથી સર્જાઈ પરંતુ ભારે પવન અને વરસાદથી જનજીવન પ્રભાવિત બન્‍યું છે
80 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:55 AM
ગુજરાતના સાવરકુંડલા ખાતે ભારે પવન અને ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું

ગુજરાતના સાવરકુંડલા ખાતે ભારે પવન અને ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૦: સાવરકુંડલા ખાતે એકાએક વાવાઝોડા રૂપી પવન સાથે વીજળી ના કડાકા ભડાકા અને ભારે વરસાદ વરસતા ખેડૂતો ના ઊભા પાક ને વ્‍યાપક નુકશાન થવા પામેલ હતું વાવાઝોડા રૂપી પવન ફૂંકાયો હતી છાપરાના પતરા ઝાડા પડી ગયા ઝાડની ડાળખીઓ વિગેરે આ ભારે પવનના કારણે ઊડી ગયેલ અને ચોમાસા માં વરસાદ ન વરસે એ રીતે સૂપડા ની ધારે વરસાદ વરસ્‍યો હતો આ કમોસમી વરસાદ થવા થી ખેડૂતોને ચણા ઘઉં સહિતના પાકને વ્‍યાપક નુકશાન થવા પામેલ હતું ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતો વ્‍યાપક ચિંતાતુર બન્‍યા છે હજુ આ ની પહેલા નું કમોસમી વરસાદ અને વાવાઝોડા ના બનાવ ની ખેડૂતો ને કળ નથી ઉતરી ત્‍યાં ફરી પાક માં નુકશાન ઉનાળા પાક માં નુકશાન એટલે સીજને સીઝન ના પાક ને નુકશાન ખેડૂતોને સહન કરવું પડે તેવું સ્‍થિતિનું નિર્માણ થયું છે
72 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:48 AM
મોર્બીમાં કમોસમી વરસાદે દરિયાકાંઠાના મીઠાના તળાવો પર વિનાશ વેર્યો, અગરિયાની આજીવિકાને અસર થઈ

મોર્બીમાં કમોસમી વરસાદે દરિયાકાંઠાના મીઠાના તળાવો પર વિનાશ વેર્યો, અગરિયાની આજીવિકાને અસર થઈ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૦: બપોરના ચારેક વાગ્‍યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદર ઉપર પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્‍યો હતો ખાસ કરીને દરિયા કાંઠે આવેલા મીઠાના અગરોમાં કમોસમી વરસાદ પડવાના કારણે અગરિયાઓએ મહામહેનતે પકાવેલ મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં આવેલ નવલખીના દરિયામાં પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્‍યો હતો તેમજ દરિયાકાંઠાના વિસ્‍તારમાં જે વર્ષમેડી સહિતના આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરની અંદર અગરિયાઓ દ્વારા મહામહેનતે મીઠાનો પાક તૈયાર કરવામાં આવ્‍યો હતો જો કે,ઉનાળામાં વરસાદ આવશે તેવી મીઠાના અગરીયાઓ કે ઉદ્યોગકારોને કલ્‍પના પણ ન હોય પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરમાં તથા મીઠાના પાકમાં નુકસાની થયેલ છે. અને જો વધુ વરસાદ પડશે તો આ વર્ષે મીઠાનું ઉત્‍પાદન મોડુ અને ઓછુ થવાની ભીતિ મરીન સોલ્‍ટ મેન્‍યુ. એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજાએ વ્‍યક્‍ત કરી હતી. આ ઉપરાંત ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતો હોવાના કારણે જિલ્લામાં જુદા જુદા વિસ્‍તારમાં હાઇવે રોડ ઉપર આવેલા ર્હોડિંગ બોર્ડ પણ તૂટી પડ્‍યા હતા અને કેટલાક તોતિંગ વળક્ષો પણ જમીનદોસ્‍ત થયા હતા આ ઉપરાંત ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને પોતાના ખેતરની અંદર ઘઉં સહિતના પાક લીધા છે અને પાકને લણવામાં આવે ત્‍યારે પહેલા કેટલીક જગ્‍યાએ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવાઈ જાય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે.
89 shares
😢
A
Akila News
Mar 20, 2026, 08:41 AM
ગોંડાલમાં મિની-સ્ટોર્મ ત્રાટક્યું, પાકને નુકસાન પહોંચાડ્યું અને વિક્ષેપ પાડ્યો

ગોંડાલમાં મિની-સ્ટોર્મ ત્રાટક્યું, પાકને નુકસાન પહોંચાડ્યું અને વિક્ષેપ પાડ્યો

ગોંડલ :.. ગોંડલમાં ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા પવનના સુસવાડા ફૂંકાતા‘મીની વાવાઝોડા' જેવો માહોલ સર્જાયો હતો. ગોંડલ પંથકમાં માવઠાની ભારે અસર અને કમોસમી વરસાદથી ગોંડલ નવા યાર્ડમાં પાકને નુકસાન અને મરચા ના લે-વેચ કરનારના મંડપો ધરાશાયી થયા હતાં. ભર ઉનાળે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા પવનના સુસવાટા અને કડાકાભડાકા સાથે વરસાદ વરસ્‍યો હતો. ગોંડલ - રાજકોટ હાઇવે પર ભારે પવન સાથે વરસાદ - અંધારપટ છવાયો હોય તેમ વાહનોએ હેડલાઇટ ચાલુ કરવી પડી હતી. જયારે હોર્ડિગ્‍સ પણ હાઇવે પર ઉડયા હતાં. ગોંડલ શહેરમાં પવન ફુંકાતા બસ સ્‍ટેન્‍ડના વર્કશોપના સર્વિસ સ્‍ટેશન પર વૃક્ષ ધરાશાયી થયેલ હતું. (તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)
84 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:55 AM
ગુજરાતના અમરેલી અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા

ગુજરાતના અમરેલી અને જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા

જામનગર, અમરેલી,ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમરેલી અને જામનગર જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અમરેલીના બગસરા અને વડિયાના ગામોમાં ભારે પવન બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો.જામનગરના લાલપુર પંથકમાં વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડીયા અને બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યાં છે. વડીયા શહેર, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બગસરા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકયો. બગસરા પંથકના શાપર, સુડાવડ સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા.જામનગરના લાલપુર પંથકમાં વરસાદ પડતા રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. લાલપુર તાલુકાના અપીયા, રાફુદળ, વિંજપરા, ગોદારી અને ટીમડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાદળા દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે. ભારે પવન સાથે કરા પડતા રસ્તા પર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.હાલમાં બંને જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ઘઉનું કટિંગ થઇ રહ્યુ છે તેવા સમયે જ માવઠુ પડતા ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું છે. લાલપુર વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોના ઘઉ પર કરા પડતા ઢળી પડ્યા હતા. કેટલાક ખેડૂતોએ કટરથી ઘઊં લઇને ખેતરમાં ઢગલો કર્યાે હતો તેવા ખેડૂતોમાં ઘઉને ઢાંકવા માટે દોડધામ મચી ગઇ હતી. તો બીજી માવઠાથી તરફ ઉનાળુ તલ અને બાજરી સહિતના પાકોને પણ માવઠાથી ભાગે નુકસાન થયાના અહેવાલ છે.SS1MS
99 shares
😐
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:55 AM
ભારતમાં ગાજવીજ, ગાજવીજ અને ગાજવીજ સાથે વરસાદઃ હવામાનની આગાહી

ભારતમાં ગાજવીજ, ગાજવીજ અને ગાજવીજ સાથે વરસાદઃ હવામાનની આગાહી

યુપી, દિલ્હી અને હરિયાણામાં ભારે વાવાઝોડું-વરસાદ નવી દિલ્હી, દેશના ઘણા ભાગોમાં હવામાને અચાનક પલટો લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડું, વરસાદ અને કરા પડવાનો દોર ચાલુ છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી આવું જ હવામાન રહી શકે છે. બુધવારે સાંજે દિલ્હી, હરિયાણા અને યુપીના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો. દિલ્હીમાં બુધવારે સાંજે ધૂળભરી આંધી અને ભારે વરસાદને કારણે ફ્‌લાઇટ્‌સ પર અસર પડી. ખરાબ હવામાનને કારણે ૨૨ ફ્‌લાઇટ્‌સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી. યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં આંધી સાથે વરસાદ થયો. મેરઠમાં પણ ઝરમર વરસાદ થયો. નોઈડાના જેવર એરપોર્ટ પર ૬૩ કિમીની ઝડપે પવનો નોંધાયા. જ્યારે ગાઝિયાબાદના હિન્ડનમાં ૪૪ની ઝડપે પવન ફૂંકાયો. હરિયાણાના રેવાડીમાં બુધવારે સાંજ થતા-થતા ભારે વરસાદ સાથે કરા પડ્‌યા. જ્યારે ભિવાની, હિસાર, સિરસા, પાણીપત, નારનૌલ અને મહેન્દ્રગઢમાં પણ વરસાદ થયો. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ અને મનાલીમાં બુધવારે સાંજે હિમવર્ષા થઈ. ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લાઓમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી પડવાની અને કરા પડવાની સંભાવના છે. સાથે જ ૪૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે.હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ, તેજ પવનો અને કરા પડવાનું એલર્ટ જાહેર કર્યું છે.નાગાલેન્ડમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ૪૬ પરિવારો પ્રભાવિત થયા છે. ચુમૌકેડિમા અને પેરેન જિલ્લાઓમાં અનેક ઘરો અને વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે. મોન જિલ્લાની એક સરકારી શાળાને પણ નુકસાન થયું, જેના કારણે મધ્યાહન ભોજન પ્રભાવિત થયું. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ૨૦-૨૧ માર્ચ- હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરીને હળવા વરસાદ અને તેજ પવનોની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં કરા પડવાનું એલર્ટ. હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાનું એલર્ટ છે. નોર્થ-ઈસ્ટમાં પણ ભારે વરસાદની આશંકા છે.
51 shares
😐
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:55 AM
ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનની અસરઃ નવ જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ

ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનની અસરઃ નવ જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ

૯ જિલ્લામાં રેડ ઍલર્ટ-ગુરૂવારે સાંજે પણ મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ છે, અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હવામાન વિભાગના નાઉ કાસ્ટ મુજબ, ૧૯ માર્ચ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં ૬૨થી ૮૭ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ૪૧થી ૬૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે કમોસમી વરસાદ, મેઘગર્જના અને કરા પડવાની શક્યતા છે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. (એજન્સી)અમદાવાદ, કચ્છના વાગડ અને પશ્ચિમ કચ્છમાં કુદરતનો બેવડો માર જોવા મળ્યો છે. રાત્રે ફૂંકાયેલા વાવાઝોડા બાદ ગુરૂવારે સાંજે પણ મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ છે, અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. પવનના જોરને કારણે કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે, તેમજ કંડલા પોર્ટ પર લાકડાનો જથ્થોને કન્ટેન્ટરને પવનના સુસવાટાના કારણે ભારે નુકસાન થયું છે. નખત્રાણા, લખપત અને અબડાસામાં વરસાદને કારણે વરિયાળી, ઈસબગુલ, એરંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં વરસાદ કરતા પવનનું જોર વધુ જોવા મળ્યું. અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સમી સાંજે આંધી આવતા શહેર પર ધૂળની ડમરીઓનું રાજ જોવા મળ્યું, સિંધુભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. ગત મોડી રાત્રે પવન એટલો તેજ હતો કે અનેક જગ્યાએ સાઈનબોર્ડ અને ર્હોડિંગ્સ નીચે પડ્‌યા હતા.
13 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:37 AM
દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

દિલ્હી અને એનસીઆર (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) માં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકતા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ૫૦ (પચાસ) કિલોમીટરની ઝડપે ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે સામાન્ય લોકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) ની આગાહી બિલકુલ સાચી સાબિત થઈ છે અને દિલ્હી તેમજ તેને અડીને આવેલા નોઈડા સહિતના વિસ્તારોમાં સતત ઝરમરથી લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકા અને ૩૦ (ત્રીસ) થી ૫૦ (પચાસ) કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનોએ વાતાવરણમાં કાતિલ ઠંડક પ્રસરાવી દીધી છે. છેલ્લા ૨૪ કલાકના આંકડાઓ જોઈએ તો મહત્તમ તાપમાનમાં ૬ થી ૭ ડિગ્રીનો ધરખમ ઘટાડો નોંધાયો છે, જેથી તાપમાન ૨૫ થી ૨૭ ડિગ્રી આસપાસ અને લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૭ ડિગ્રી વચ્ચે સ્થિર રહ્યું હતું. વહેલી સવારના સમયે થયેલા વરસાદના કારણે ઓફિસ અને શાળા-કોલેજ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગના સત્તાવાર અપડેટ અનુસાર આગામી ૨૫ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી સંભાવના છે. *
10 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:33 AM
ભારતના જુનાગઢમાં ભારે કમોસમી વરસાદથી પાકને ખતરો

ભારતના જુનાગઢમાં ભારે કમોસમી વરસાદથી પાકને ખતરો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૦: જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં અડધાથી દોઢ ઈંચ કમોસમી વરસાદ થતા કેરી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે આજે એકંદરે સામાન્‍ય વાતાવરણ રહ્યું છે. ગુરુવારે વાતાવરણમાં આવેલા ઓચિતા પલટાએ લોકોને આヘર્યમાં મૂકી દીધા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્‍ચે અચાનક આકાશમાંથી આફત રૂપી માવઠું વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ખેતી પાકોને વ્‍યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ શહેરમાં સત્તાવાર રીતે માત્ર ૭ મીમી વરસાદ નોંધાયો હતો, પરંતુ ભારે પવન અને ગાજવીજ સાથેના માહોલે રસ્‍તાઓ પર પાણી વહેતા કરી દીધા હતા. ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભેસાણ પંથકમાં કરા સાથે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્‍યો હતો.
10 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 05:19 AM
પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં વરસાદ અને ગરમીની ચેતવણી જારી

પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં વરસાદ અને ગરમીની ચેતવણી જારી

રાજ્યમાં ગરમી વચ્ચે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક બાદ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે. ફરી ગરમીમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાનમાં સજાયેલી હવામાનની સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. બુધવાર રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ અને તેજ પવન ફુંકાવી હતો.આ પણ વાંચોઃ Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાતના વાર્ષિક અધિવેશન અને 'ગુજરાત @$૧ ટ્રિલિયન ઇકોનોમી' વિષયક પરિષદમાં સંબોધન કરતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે રહીને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે વચનબદ્ધ છે. પરંતુ વડાપ્રધાને સમગ્ર ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો વિચાર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને વીજળી જેવી માળખાકીય જરૂરિયાતો મજબૂત કરી. ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે,તેમ જણાવ્યું હતું, માઈક્રોન ટેકનોલોજીના ઉદાહરણ સાથે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પરના અખૂટ વિશ્વાસને કારણે જ આજે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર જેવી અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીઝ આવી છે. જે કામ દાયકાઓ સુધી અશક્ય લાગતું હતું, તે આજે ગુજરાતની ધરતી પર સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે,દેશની માત્ર ૫% વસ્તી હોવા છતાં જીડીપીમાં ગુજરાતનો હિસ્સો ૮% છે, જેને આપણે ૧૦% થી ઉપર લઈ જવો છે. મેન્યુફેક્ચરિંગ: દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત ૧૭% હિસ્સો ધરાવે છે. નિકાસ (Export): દેશના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો ૩૩% જેટલો માતબર છે. MSME: ૨૦૦૧-૦૨માં જે એમએસએમઈની સંખ્યા ૧.૮૫ લાખ હતી, તે આજે વધીને ૨૭.૯ લાખ થઈ છે. લોજિસ્ટિક્સ: દેશના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦% હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. સેક્ટર વાઈઝ હિસ્સો: કેમિકલ ઉદ્યોગમાં ૩૩%, ફાર્મા એક્સપોર્ટમાં ૧૯.૨% અને ડાયમંડ એક્સપોર્ટમાં ૮૦% હિસ્સો ગુજરાતનો છે તેમ જણાવ્યું હતું. ઉદ્યોગકારોને દરેક તબક્કે સપષ્ટતા મળે તે માટે સ્પષ્ટ નીતિઓ બનાવવામાં આવી છે અને સમયની માંગ મુજબ તેમાં જરૂરી બદલાવ પણ લાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ૨૦૪૭ સુધીના 'વિકસિત ભારત' માટેનો રોડમેપ તૈયાર કરી લીધો છે અને તેને જમીન પર ઉતારવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે. ઔદ્યોગિક શક્તિમાંથી વૈશ્વિક આર્થિક કેન્દ્ર બનવા તરફ ગુજરાતના દ્રઢ સંકલ્પના આ કાર્યક્રમમાં CII વેસ્ટર્ન રીઝનના ચેરમેન ઋષિકુમાર બાગલા, CII ગુજરાતના ચેરમેન પ્રેમરાજ કશ્યપ, વાઈસ ચેરમેન અચલ બકેરી, માઈક્રોન ટેકનોલોજીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ગુરુશરણ સિંહ, CIIના અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 01 - Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન 02 - Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી 03 - Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ACની ઠંડી હવા વચ્ચે હવે છત્રી પણ જોડે રાખવી પડે તો નવાઈ નહી 04 - Amreli News : કમોસમી વરસાદથી કેરીનો સ્વાદ છીનવાયો, કેરીના બગીચામાં વરસાદથી મોટું નુકસાન થતા ખેડૂતોની આખમાં પાણી આવ્યા 05 - Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન 06 - Iran ને વધુ એક ફટકો, ઇઝરાયલના ભીષણ હુમલામાં IRGC પ્રવક્તા મોહમ્મદ નૈનીનું મોત! 07 - Asim Munirના આક્રમક વલણ બાદ ISIમાં મોટા ફેરફારની શક્યતા, Pakistanનો આંતરિક વિવાદ ચર્ચામાં 08 - Sports News : શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો 09 - RSS On War: ફક્ત ભારત જ યુદ્ધનો અંત લાવી શકે છે, ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન 10 - Shilpa Shettyને 12.5 કરોડના કેસમાં મોટી રાહત, પરંતુ અભિનેત્રીઓ મુશ્કેલીઓ હજુ ટળી નથી, જાણો શું છે આખો વિવાદ
36 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:18 AM
માનસ મેઘાણી રામકથાએ ઝવેરચંદ મેઘાણીના વારસાની ઉજવણી કરી

માનસ મેઘાણી રામકથાએ ઝવેરચંદ મેઘાણીના વારસાની ઉજવણી કરી

રાજકોટ તા.૨૦: મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સાહિત્‍યકાર, લોકસાહિત્‍યના સંશોધક, પત્રકાર અને સ્‍વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે ૦૭થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુના શ્રીમુખે દિવ્‍ય અને ભવ્‍ય માનસ મેઘાણી રામકથાનું આયોજન થયું હતું. વિશ્વભરમાં વસતાં ભાવિકોએ આ અનન્‍ય કથાનું શ્રધ્‍ધાપૂર્વક રસપાન કર્યું હતું. પૂ. મોરારિબાપુના શુભાશિષ અને મંગલમય વાણી થકી અખિલ બ્રહ્માંડમાં મેઘાણી-નાદનું ગુંજન થયું હતું. આગામી ૨૧થી ૨૯ માર્ચ સુધી કચ્‍છના ભુજ પાસે આવેલ માધાપર ખાતે પૂ. મોરારિબાપુના શ્રીમુખે રામકથાનું આયોજન થઈ રહ્યું છે તે અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના કચ્‍છ સાથેના લાગણીસભર સંભારણાં અત્રે પ્રસ્‍તુત છે. ૧૯૩૫ - માર્ચમાં ઝવેરચંદ મેઘાણીને કચ્‍છથી એક સ્‍નેહીનો પત્ર પ્રાપ્ત થાય છે :‘... લાંબુ રણ અને ત્રણ બાજુ ગાજી રહેલો સાગર. કચ્‍છમાં એવું છે કે .. ભાઈ, તમે હો તો ઘણું બહાર આવે. તમે અહીં આવો તો કચ્‍છ-સિધની કાફીઓ સંભળાવું ...'. ઝવેરચંદ મેઘાણીને કચ્‍છમાં પરિભ્રમણ કરીને ત્‍યાંનાં લોકસાહિત્‍ય વિશે ગહન સંશોધન કરવાની અંતરની આરઝુ હતી. પણ દુર્ભાગ્‍યવશ તે અપૂર્ણ રહી. પ્રાણવંતી અને જોમદાર કચ્‍છી બોલી વિશે ઝવેરચંદ મેઘાણી લાગણીભેર નોંધે છેઃ‘કચ્‍છી બોલીની અંદર ત્‍યાંના લોકસાહિત્‍યમાં -- એની ગીતકથાઓમાં, કથાઓમાં, કહેવતોમાં, ટુચકાઓમાં -- સર્વમાં જે ચોટદાર માર્મિક અલ્‍પાક્ષરી વાણી-પાટવ છે તેની પાછળ ભૂમિકા છે ત્‍યાંના રણવાસી, પહાડવાસી, સાગરવાસી, સાહસશૂર પ્રજાજીવનની ... '
28 shares
😊
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 03:37 AM
ગુજરાતમાં તમાકુના પાકને નુકસાનઃ ભારે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન

ગુજરાતમાં તમાકુના પાકને નુકસાનઃ ભારે વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન

સમગ્ર ગુજરાતમાં ગઈકાલે સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વાવાઝોડુ ફૂંકાયું હતું અને કરા પણ પડ્યા હતાં. વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. વરસાદને કારણે ઉનાળુ, બાગાયતી સહિત તમાકુના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આણંદ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે તમાકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યાં છે. ચરોતરમાં ખેડૂતો મોટા ભાગે તમાકુનો પાક વાવતા હોય છે અને અત્યારે ખેડૂતોએ પાક તૈયાર થતા કાપણી કરીને તમાકુને ખેતરમાં સુકવવા મુકી હતી. ત્યારે જ મોડી સાંજનાં સુમારે ઝડપી પવન સાથે વાવાઝોડુ ત્રાટકતા તેમજ વરસાદ થવાના કારણે ખેતરમાં સુકવવા મુકેલી તમાકુ પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોએ કહ્યું હતું કે તમાકુ પલળી જવાનાં કારણે તમાકુના પાન પરથી કસ ધોવાઈ ગયો છે. તમાકુ હવે કાળી પડીને ભુકો થઈ જશે. જેથી પલળી ગયેલી તમાકુનો કોઈ ભાવ મળશે નહીં. જેનાં કારણે ખેડૂતોએ તમાકુનાં પાક પાછળ વિઘા દીઠ કરેલો 40 હજારનો ખર્ચ પણ માથે પડયો છે. બોરસદના કાવિઠા ગામની સીમમાં અંદાજે એક હજાર વિઘામાં ખેડૂતોએ તમાકુનો પાક કર્યો હતો. પાક તૈયાર થતા તમાકુ કાપી ખેતરમાં સુકવવા મુકી હતી.તમાકુ સુકાય એટલે તેનાં પુડીયા બાંધી બજારમાં વેચવાનાં હતા. ખેડુતોએ વીઘા દીઠ 40 હજારનો ખર્ચ અને છેલ્લા આઠ માસની મહેનત કર્યા બાદ તમાકુનો પાક તૈયાર થતા ખેડૂતોને તમાકુનાં વેચાણમાંથી સારા પૈસા મળશે અને આવકમાંથી પરિવારનાં સારા પ્રસંગો પાર પડી જશે તેવી આશા હતી. પરંતુ ગઈકાલે સાંજે થયેલા માવઠા અને વાવાઝોડાનાં કારણે ખેડૂતોના સપના પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જેથી આવનારી સીઝનમાં નવો પાક કરવા માટે તેઓને યોગ્ય મદદ મળી રહે.આ પણ વાંચોઃ Gujarat Weather News : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 માર્ચે વરસાદની શક્યતા, 24 કલાક બાદ ગરમીમાં વધારો થશે રાજ્યમાં ગરમી વચ્ચે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક બાદ ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે. ફરી ગરમીમાં વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ૫૦ થી ૭૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવને રાજ્યમાં ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાનમાં સજાયેલી હવામાનની સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે. બુધવાર રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ અને તેજ પવન ફુંકાવી હતો.આ પણ વાંચોઃ Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ
18 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 03:12 AM
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું

અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો
18 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Mar 20, 2026, 02:18 AM
ભારે પવન અને તોફાન પછી મુંદ્રા અને તાલુકામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું

ભારે પવન અને તોફાન પછી મુંદ્રા અને તાલુકામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું

મુંદરા,તા.તા.19 :ભારે પવન ફૂંકાવા અને માવઠાંનીઆગાહી મુજબ બુધવારની મોડી રાત્રે વાવાઝોડાં જેવો પવન ફૂંકાયા બાદ મુંદરા નગર અને તાલુકાનામોટા ભાગના વિસ્તારમાં ગુરુવારે સવારે સ્થિતિ વાદળછાયાં વાતાવરણ વચ્ચે સામાન્ય હતી.પણ બપોરે વાતાવરણમાં ભારે પલટો આવ્યો અને શહેર તેમજ તાલુકાના મોટા ભાગના વિસ્તારમાંવાવાઝોડાં જેવી સ્થિતિ સાથે ભારે ઝાપટું પડ્યું હતું
44 shares
😐
Kutch Mitra logo
Kutch Mitra
Mar 20, 2026, 02:16 AM
ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ અને તોફાની પવન વચ્ચે હવામાનમાં અચાનક વળાંક આવ્યો

ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ અને તોફાની પવન વચ્ચે હવામાનમાં અચાનક વળાંક આવ્યો

રાજકોટ / અમદાવાદ,તા.તા.19 :દેશના કેટલાકભાગોમાં પશ્ચિમી વિક્ષોભ અને તોફાની પવન વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંગુરુવારે અચાનક જ મોસમે મિજાજ બદલ્યો હતો. કવેળાના વરસાદથી પ્રસરેલી ઠંડકે ગુજરાતીજનજીવનને ગરમીમાં રાહત આપી હતી
74 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Mar 20, 2026, 02:15 AM
ગુજરાતના કચ્છમાં લઘુ-ચક્રવાત અને કમોસમી વરસાદે તબાહી મચાવી

ગુજરાતના કચ્છમાં લઘુ-ચક્રવાત અને કમોસમી વરસાદે તબાહી મચાવી

ભુજ,તા.તા.19 :પશ્ચિમી વિક્ષોભની અસરે કચ્છસહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની હવામાન ખાતાની કરાયેલી આગાહીને પગલે બુધવારે મોડીરાત્રે અને ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ ધૂળની ડમરી સાથે આવેલું મિની વાવાઝોડુંઅને કમોસમી વરસાદે વિનાશ વેર્યો હતો
48 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 02:10 AM
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ, મીઠાના પાકને નુકસાન

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ, મીઠાના પાકને નુકસાન

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી અને માળીયા પંથકમાં વહેલી સવારે ચારેક વાગ્યાના અરસાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ જુદા જુદા વિસ્તારોમાં આજે બપોરના ચારેક વાગ્યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદર ઉપર પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો ખાસ કરીને દરિયા કાંઠે આવેલા મીઠાના અગરોમાં કમોસમી વરસાદ પડવાના કારણે અગરિયાઓએ મહામહેનતે પકાવેલ મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી દરમિયાન આજે વહેલી સવારે ચારેક વાગ્યાથી મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ટંકારા, હળવદ, મોરબી સહિતના જુદા-જુદા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વહેલી સવારે પડ્યો હતો. ત્યારબાદ સવારે તડકો નીકળ્યો હતો જો કે બપોરના ચારેક વાગ્યાની અરસામાં ફરી પાછો મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં ચોમાસાની જેમ કાળા ડિબાગ વાદળો જોવા મળતા હતા તેની સાથોસાથ ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો હતો.ખાસ કરીને મોરબી જિલ્લાના માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં આવેલ નવલખીન દરિયામાં પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં જે વર્ષમેડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરની અંદર અગરિયાઓ દ્વારા મહામહેનતે મીઠાનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો જો કે, ઉનાળામાં વરસાદ આવશે તેવી મીઠાના અગરીયાઓ કે ઉદ્યોગકારોને કલ્પના પણ ન હોય પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરમાં તથા મીઠાના પાકમાં નુકસાની થયેલ છે. અને જો વધુ વરસાદ પડશે તો આ વર્ષે મીઠાનું ઉત્પાદન મોડુ અને ઓછુ થવાની ભીતિ મરીન સોલ્ટ મેન્યુ. એસોસિએશન ના પ્રમુખ દિલુભા જાડેજાએ વ્યક્ત કરી હતી.આ ઉપરાંત ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતો હોવાના કારણે જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં હાઇવે રોડ ઉપર આવેલા હોર્ડિંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા અને કેટલાક તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થયા હતા આ ઉપરાંત ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને પોતાના ખેતરની અંદર ઘઉં સહિતના પાક લીધા છે અને પાકને લણવામાં આવે ત્યારે પહેલા કેટલીક જગ્યાએ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવાઈ જાય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે
70 shares
😐
Gujarat Today logo
Gujarat Today
Mar 20, 2026, 02:04 AM
જોર્ડન ખીણના દરોડામાં ઇઝરાયેલીઓ પર પેલેસ્ટાઇનીઓ સામે જાતીય હુમલો અને હિંસાનો આરોપ મૂકવામાં આવ્યો

જોર્ડન ખીણના દરોડામાં ઇઝરાયેલીઓ પર પેલેસ્ટાઇનીઓ સામે જાતીય હુમલો અને હિંસાનો આરોપ મૂકવામાં આવ્યો

(એજન્સી) તા.૧૯હારેટ્‌ઝ દ્વારા ટાંકવામાં આવેલા સાક્ષીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરી જોર્ડન ખીણમાં ખિરબેત હમસા સમુદાય પર દરોડા દરમિયાન ઇઝરાયેલી વસાહતીઓએ એક પેલેસ્ટીની પુરૂષ પર જાતીય હુમલો કર્યો હતો, જેમાં બચી ગયેલા લોકો કહે છે કે મારપીટ, બળાત્કારની ધમકીઓ, મહિલાઓ અને છોકરીઓનું અપમાન અને પશુધન અને કિંમતી વસ્તુઓની લૂંટ પણ સામેલ હતી. પ્રત્યક્ષદર્શીઓની જુબાની દર્શાવે છે કે, વસાહતીઓ નાના જૂથોમાં વિભાજીત થઈ ગયા અને સમુદાયમાં ફરતા થયા રહેવાસીઓને તેમના ઘરમાંથી ખેંચીને લઈ ગયા, તેમના હાથ-પગ ઝિપ ટાઈથી બાંધી દીધા અને પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને જમીન પર ફેંકી દીધા. કેટલાક પીડિતોને રોકીને ઠંડું પાણી રેડવામાં આવ્યું અને લાકડીઓ અને છરીઓથી માર મારવામાં આવ્યો.એક મહિલાએ જણાવ્યું કે, હુમલાખોરોએ તેના માથાના આવરણ ફાડી નાખ્યા, તેના કેટલાક કપડાં ફાડી નાખ્યા અને છોકરીઓને તંબુમાંથી બહાર કાઢી, જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. અન્ય એક રહેવાસીએ જણાવ્યું કે, વસાહતીઓએ તેને બાંધતા પહેલા છરીથી કાંડા ઉપર કાપો માર્યો.સૌથી ગંભીર આરોપ એક પેલેસ્ટીની પુરૂષ પર તેના પરિવારની સામે જાતીય હુમલો કરવાનો છે. ગામમાં હાજર એક અમેરિકન કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, વસાહતીઓએ તે વ્યક્તિનું પેન્ટ ઉતારી નાખ્યું હતું, તેના પર પાણી રેડ્યું હતું અને તેને નિર્દયતાથી માર માર્યો હતો જ્યારે તે પોતાનો બચાવ કરવામાં અસમર્થ હોવાથી જમીન પર વાંકા વળીને સૂઈ ગયો હતો. સાક્ષીઓએ એમ પણ કહ્યું હતું કે, વસાહતીઓએ મહિલાઓ પર બળાત્કાર કરવાની અને બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. રહેવાસીઓએ હારેટ્‌ઝને જણાવ્યું હતું કે, એક હુમલાખોર, જે અરબી બોલતો હતો, તેણે ચેતવણી આપી હતી કે જો સમુદાય આ જગ્યા નહીં છોડે, તો વસાહતીઓ પાછા આવશે, ઘરોને બાળી નાખશે, બાળકોને મારી નાખશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરશે.એક માતાએ કહ્યું કે, જ્યારે તેણીને બાંધવામાં આવી હતી, ત્યારે એક વસાહતીએ પાછા આવીને તેની પુત્રીઓને લઈ જવાની ધમકી આપી હતી પછી તેની ૧૪ વર્ષની પુત્રીને પકડીને તેની સામે થપ્પડ મારી હતી. બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે, સમગ્ર હુમલા દરમિયાન અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સાક્ષીઓ અનુસાર, રક્ષણાત્મક હાજરી કાર્યક્રમના ભાગરૂપે સ્વયંસેવક તરીકે કામ કરતા બે વિદેશી કાર્યકર્તાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એકે કહ્યું કે, માસ્ક પહેરેલા વસાહતીઓએ કાર્યકર્તાઓને જમીન પર માર માર્યો, તેમના હાથ-પગ ઝિપથી બાંધી દીધા, પાકીટ અને પાસપોર્ટ ચોરી લીધા અને તેમને બહાર ખેંચી ગયા અને તેમને મારવાનું ચાલુ રાખ્યું. આ જ કાર્યકર્તાએ કહ્યું કે, એક વસાહતીએ છરી વડે તેનું જેકેટ કાપી નાખ્યું અને તેના પટ્ટા પર ખેંચાણ શરૂ કર્યા પછી તેણીને ડર હતો કે તેણી પર પણ બળાત્કાર થવાનો છે. તેણીએ કહ્યું કે, સમુદાયના બાળકોને મોટાભાગની હિંસા જોવાની ફરજ પાડવામાં આવી હતી.આ હુમલો ગેરકાયદેસર રીતે કબજા હેઠળના પશ્ચિમ કાંઠાના એક ભાગમાં થયો હતો જ્યાં પેલેસ્ટીની પશુપાલન સમુદાયો લાંબા સમયથી વારંવાર વસાહતી હિંસા, વિસ્થાપન અને જમીન કબજે કરવાનો સામનો કરી રહ્યા છે. લશ્કરી ફાયરિંગ ઝોન સાથે જોડાયેલા ઇઝરાયેલી ધ્વંસ અને હકાલપટ્ટી પછી ખિરબેત હુમ્સાના રહેવાસીઓને અગાઉ નજીકની જમીનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.જોર્ડન ખીણમાં પિસ્તાળીસ ટકા જમીનને ફાયરિંગ ઝોન જાહેર કરવામાં આવી છે, જેનાથી પેલેસ્ટીની ચરાણની જગ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. ખીરબેત હુમ્સાના આરોપો ઇઝરાયેલી દળો અને વસાહતીઓ દ્વારા પેલેસ્ટીનીઓ સામે જાતીય હિંસા સંબંધિત બ્રોડર વલણને અનુરૂપ છે. બી’ત્સેલમે શોધી કાઢ્યું કે હેબ્રોનમાં પેલેસ્ટીનીઓને ઇઝરાયેલી સૈનિકો દ્વારા “નિયમિત” શારીરિક અને જાતીય હિંસાનો ભોગ બનવું પડ્યું હતું, જેમાં બળાત્કારની ધમકીઓ, બળજબરીથી કપડાં ઉતારવા અને ગુપ્તાંગ પર મારામારીનો સમાવેશ થાય છે. ગાઝાના અટકાયતીઓએ સેદે તેમાન સહિત ઇઝરાયેલી અટકાયત સુવિધાઓમાં બળાત્કાર, ઇલેક્ટ્રિક શોક અને અન્ય દુર્વ્યવહારનું વર્ણન કર્યું.
8 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 01:57 AM
તોફાની પવનની ઝપેટમાં મોર્બીઃ કાર પર ઝાડ પડ્યું, કોઈ જાનહાનિ થઈ નથી

તોફાની પવનની ઝપેટમાં મોર્બીઃ કાર પર ઝાડ પડ્યું, કોઈ જાનહાનિ થઈ નથી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવનના કારણે અનેક સ્થળોએ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરના રેલવે સ્ટેશન રોડ પર ભારે પવનને કારણે એક વિશાળ વૃક્ષ રસ્તા પર ઉભેલી કાર પર ધરાશાયી થયું છે. મળતી વિગત મુજબ, મોરબીના વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન રોડ પર અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે એક વૃક્ષ રસ્તાના કાંઠે પાર્ક કરેલી સફેદ કલરની કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કારમાં કોઈ સવાર ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
14 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 01:52 AM
પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં કમોસમી હિમવર્ષા અને વરસાદ લાવે છે

પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતમાં કમોસમી હિમવર્ષા અને વરસાદ લાવે છે

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હિમાલયના વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ મહિનામાં અચાનક વધી રહેલી ગરમી પર આ વરસાદે બ્રેક લગાવી દીધી છે, જોકે ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનું મોટું કારણ બન્યો છે.માર્ચ મહિનામાં જ્યાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધવા લાગે છે, ત્યાં ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ એકાએક બદલાઈ ગયો છે.હવામાન વિભાગના અહેવાલો અનુસાર, સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના કારણે હિમાલયના પહાડી વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. ખાસ કરીને ઉત્તરાખંડના પિથોરાગઢમાં પંચાચૂલી, હંસલિંગ, નંદા દેવી અને ઓમ પર્વત પર બરફની સફેદ ચાદર છવાઈ જતાં આ પર્વતો ચાંદીની જેમ ચમકવા લાગ્યા છે.બીજી તરફ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા મેદાની રાજ્યોમાં તેજ પવનો સાથે વરસાદ પડ્યો છે.દિલ્હીમાં તો માર્ચ મહિનામાં વરસાદે છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના કારણે મહત્તમ તાપમાન ગગડીને ૨૬.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.આ અચાનક આવેલા હવામાનના બદલાવથી સામાન્ય લોકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાકને નુકસાન થવાની પૂરી સંભાવના છે.ખાસ કરીને તેજ પવનો અને વરસાદથી તૈયાર ઊભેલા ઘઉંના પાક, લસણ, અને રાજસ્થાનના જેસલમેર જેવા વિસ્તારોમાં ઈસબગુલ તેમજ જીરાના પાકને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
44 shares
😐
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 12:27 AM
ઉનાળાની ગરમી શરૂ થતાં બાર માથાવાળા હંસ ઘરે પાછા ફર્યા

ઉનાળાની ગરમી શરૂ થતાં બાર માથાવાળા હંસ ઘરે પાછા ફર્યા

હળવદ : રાજ્યભરમાં ગત જાન્યુઆરી દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હોવાથી વિદેશી પક્ષીઓમાં બાર-હેડેડ ગીઝ પક્ષીઓ હળવદના રણ વિસ્તારના મહેમાન બન્યા હતા. જોકે હવે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા આ પક્ષીઓ વતનની વાટ પકડી રહ્યા છે. પાછલા ચાર પાંચ વર્ષથી હળવદના સમાંતસર તળાવમાં અને તેની આસપાસના વિસ્તારમાં સાઈબેરીયન બર્ડ સહિતના વિદેશી પક્ષીઓ જોવા મળતા હતા. પણ ગત વર્ષના ડિસેમ્બરથી જાન્યુઆરી 2026દરમિયાન ઠંડી વધુ પડી હોવાને કારણે વિદેશી પક્ષીને અનુકુળ આવે તેવુ પર્યાવરણ અને પ્રકૃતિ હોવા છતાં પણ પક્ષીની સંખ્યા હજુ સુધી જોવા મળી ન હતી. ત્યારે હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના જોગડ અને કીડી ગામ વચ્ચે આવેલા સુમેરાના તળાવમાં બાર-હેડેડ ગીઝ (એન્સર ઇન્ડિકસ) વિદેશી જોવા મળ્યા છે. સ્થળાંતર કરનારા આ પક્ષીઓ તેમની સહનશક્તિ અને ઊંચાઈ પર ઉડવા માટે જાણીતા છે અને 29,000 ફૂટની ઊંચાઈએ હિમાલય પાર કરવામાં સક્ષમ ગણાય છે. આ પક્ષીઓનું માથું બે ઘાટા કાળા પટ્ટાઓ, નારંગી-પીળી ચાંચ અને નારંગી પગ સાથે વિશિષ્ટ સફેદ માથું ધરાવે છે. આ અંગે જાણીતા પક્ષીવિદ ડૉ.ચતુરભાઈના જણાવ્યા મુજબ હળવદ નજીક આવેલા સુમેરાના તળાવમાં જોવા મળેલા બાર-હેડેડ ગીઝ વિદેશી પક્ષીઓ તિબેટ, મંગોલિયા અને રશિયાના ભાગો સહિત મધ્ય એશિયામાં પ્રજનન કરે છે અને શિયાળા માટે દક્ષિણ એશિયા, ખાસ કરીને ભારતીય ભીના વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. પક્ષીવિદના વધુમાં જણાવ્યા મુજબ બાર-હેડેડ ગીઝ પક્ષીઓ મુખ્યત્વે શાકાહારી છે, ઘાસ અને અનાજ ખાય છે. સાથે સાથે વિશ્વના સૌથી ઊંચા ઉડતા પક્ષીઓમાંના એક છે. જે લગભગ 29,000 ફૂટની ઊંચાઈએ હિમાલય પાર કરવામાં સક્ષમ ગણાય છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા તેઓ વતન તરફ્ પ્રયાણ કરશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો
85 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 20, 2026, 12:23 AM
પ્રાંતીજ તાલુકાનું અધૂરું ડ્રેનેજ કામ વેપારીઓ અને મોટરચાલકો માટે અંધાધૂંધીનું કારણ બને છે

પ્રાંતીજ તાલુકાનું અધૂરું ડ્રેનેજ કામ વેપારીઓ અને મોટરચાલકો માટે અંધાધૂંધીનું કારણ બને છે

પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી પાસે અધૂરા ગટરના કામથી વેપારીઓ અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. સર્વિસ રોડ પર ઠેર-ઠેર ભયાનક ખાડાઓ પડી ગયા છે. રાત્રિના સમયે વાહનચાલકો માટે આ રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અવારનવાર સ્લિપ ખાઈ રહ્યા છે. ખરાબ હાલત અને ઉડતી ધૂળને કારણે આસપાસના વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. જેનાથી ધંધા પર માઠી અસર પડી રહી છે. સ્થાનિક રહીશો અને વેપારી મંડળની એક જ ઉગ્ર માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ ગટર લાઇનનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવે અને સર્વિસ રોડને ફરીથી વાહન વ્યવહાર લાયક બનાવવામાં આવે.
81 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 20, 2026, 12:14 AM
ગુજરાતમાં વાવાઝોડા જેવી સ્થિતિ, એકનું મોત અને પાકને નુકસાન

ગુજરાતમાં વાવાઝોડા જેવી સ્થિતિ, એકનું મોત અને પાકને નુકસાન

ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે ભયનો માહોલ સર્જ્યો હતો. બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે કાપણી આરે આવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.
98 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 11:50 PM
ગુજરાતમાં ભારે પવન અને વરસાદે મચાવી તબાહી, એકનું મોત અને અનેક ઘાયલ

ગુજરાતમાં ભારે પવન અને વરસાદે મચાવી તબાહી, એકનું મોત અને અનેક ઘાયલ

ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારે સાડા 4 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું. પવન સાથે ધૂળ ભળતાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભર ઊંઘમાં લોકો હતા અને અચાનક બારી-બારણાં અને ઘરની અંદરની ચીજવસ્તુઓ ખખડવાના અવાજે લગભગ દોઢથી બે કલાક સુધી આ સ્થિતિ રહ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ હતી. આ દરમિયાન બહુચરાજી નજીક હાંસલપુર ગામે કાચા મકાન પર પતરાં અને ઇંગલો પડતાં 65 વર્ષિય લીલાબેન ઠાકોરનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ રામજીજી ઠાકોર ગંભીર રીતે ઇજા થઇ હતી. પાટણ જિલ્લામાં સંખારી, અબિયાણા, સમીના બે ગામોમાં અંદાજે 30 થી વધુ કાચા મકાનોના પતરાં કે છત તૂટીને ઉડી ગયા હતા. ભારે પવન ફૂંકાતાં ખેતરોમાં ઉભા એરંડા અને ઘઉંના પાકો પડી જવા સાથે કેટલાક ખેતરોમાં ઘઉંની લણણી કરીને ઢાંકીને મૂકી હોવા છતાં ઉડી જતા તેમજ ઘઉં ખરાબ થતા નુકસાન થયું હતું. આ ઉપરાંત, બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે 5‎કલાકે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.‎વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં‎પડ્યા હતા. જ્યાં પાલનપુરના ધાણધારપંથક, ડીસા,‎ભીલડી, કંબોઇ, દાંતીવાડા, વડગામ, કાંકરેજના‎કંબોઇ, શિહોરી, ખીમાણા, રાનેર, કસરા, નાણોટા,‎ધાનેરા સહિતના પંથકમાં ખેડૂતો દ્વારા કાપણી કરીને‎મુકેલો ઘઉં, એરંડા, વરિયાળી, જીરાનો પાક પલડી‎ગયો હતો. મકાનો અને શેડ ઉપરના પતરાં ઉડી‎ગયા હતા. કેટલાક સ્થળોએ રોડ નજીકના હોર્ડિંગ્સ‎તૂટી ગયા હતા. વૃક્ષો ધરાશાયી થયા હતા. ધાનેરામાં‎શેરડીના કોલુનુ મશીન ભોયભેગુ થયું હતુ. તંબુ પણ‎પડી ગયો હતો.‎ તંત્ર દ્વારા ગ્રામ્ય સ્તરે વાવાઝોડાંની અસર અને નુકસાનીનો અંદાજ મેળવવા તલાટીઓ મારફતે રિપોર્ટ માંગતા સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી ફરી 15 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુાટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે દિવસ-રાતના તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. પતરા ઊડતાં જીવ બચાવવા ઘરના ખૂણામાં ભરાઈ રહેવું પડ્યુંસાંતલપુરના અબિયાણા ગામના ચૌહાણ કુબેરે ધ્રૂજતા અવાજે જણાવ્યું કે, વહેલી સવારે પવન એટલો તેજ હતો કે પવનથી ઊંઘ પતરાં કાગળની જેમ ઉડવા લાગ્યા. ઊંઘ ઉડતા જ અમે જીવ બચાવવા ઘરના એક ખૂણે ભેગા થઈ બેસી રહ્યા હતા. બાજુમાં પરિવારોના છાપરાં ઊડતાં જોઈ લાગતું હતું કે માથે આવે નહીં. હાલ ખુલી આભ થઈ જતા કાળઝાળ ગરમી અને આગામી વરસાદના ભય વચ્ચે ઘરમાં હોવા છતાં છત વગર સૌ નોંધારા બન્યા છીએ. લાલપુરમાં પતરાં ઊડતાં કાટમાળ માથે પડતા મહિલાને ઇજાલાલપુર ગામમાં સવારે વાવાઝોડા દરમિયાન 5 જેટલા ઘરોના પતરા ઉડ્યા હતા. જેમાં ઠાકોર વાસમાં ઠાકોર જકશીબેન રાયચંદભાઈના ઘરના પતરા ઉડતા ઉપર રહેલ ઇંટ અને નેવા જેવો કાટમાળ માથે પડતા પગ અને માથાના ભાગ સામાન્ય ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત થતા સારવાર લેવાની ફરજ પડી હતી. જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકસાન વરસાદની સ્થિતિ (મીમીમાં) તાપમાન સવા 5 ડિગ્રી ઘટ્યું,‎37 દિવસ બાદ ઠંડુગાર રહ્યું‎વરસાદી માહોલના કારણે ઠંડીનો પારો‎18.7 થી 19.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.‎જ્યારે સવા 5 ડિગ્રીના ઘટાડા સાથે‎દિવસનું તાપમાન 31.6 થી 31.8 ડિગ્રી‎વચ્ચે રહ્યું હતું. જેને લઇ મોટાભાગે‎દિવસભર ઠંડીનો અનુભવ થયો હતો.‎આ અગાઉ 10 ફેબ્રુઆરીએ દિવસનું‎તાપમાન 32 ડિગ્રીથી નીચે રહ્યું હતું.‎એટલે કે, 37 દિવસ બાદ ઠંડુગાર રહ્યું ‎.‎ પાલનપુરના ખેડૂતોની હૈયા વરાળ...‎ 4 વર્ષમાં ત્રીજીવાર માર્ચમાં વરસાદી પેટર્નમાં ફેરફાર,‎અગાઉ 12 વર્ષમાં માત્ર ત્રણ વાર વરસાદ નોંધાયો હતો‎‎છેલ્લા 16 વર્ષના આંકડા દર્શાવે છે કે, ઉત્તર‎‎ગુજરાતમાં માર્ચ મહિનામાં કુલ 6 વખત‎વરસાદ નોંધાયો છે. જોકે હવે માર્ચમાં વરસાદી પેટર્નમાં સ્પષ્ટ ફેરફાર‎જોવા મળી રહ્યો છે અને વરસાદનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. 2011 થી‎2022ના 12 વર્ષમાં 2013, 2015 અને 2020 એમ માત્ર ત્રણ વખત જ‎વરસાદ નોંધાયો હતો. તેની સામે છેલ્લા 4 વર્ષમાં જ ત્રીજી વખત માર્ચમાં‎વરસાદ નોંધાયો છે. 2023 અને 2024માં સળંગ બે વર્ષ માર્ચમાં વરસાદ‎પડ્યો હતો, જ્યારે 2025 બાદ કરતાં ચાલુ વર્ષે ફરી એકવાર માર્ચમાં‎વરસાદ નોંધાતા બદલાતા હવામાનના સંકેતો સ્પષ્ટ થયા છે.‎ પલટાયેલા વાતાવરણ અંગે ડૉ.રાજદીપસિંહ‎જાડેજા (સહ સંશોધક,ભચાઉ) સાથે વાતચીત કયા કારણે ભારે પવન, વરસાદ થયો?‎જવાબ :અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઇને‎રાજસ્થાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ‎આવી છે. સાથે એક અપર એર સાયક્લોનિક‎સિસ્ટમ બની છે. જેને લઇ ગુજરાતનું‎વાતાવરણ પલટાયું છે. આ વાતાવરણથી કયા કયા પાકોને શું‎અસર થઇ શકે?‎જવાબ :વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં ઘઉં,‎દીવેલા, જીરું, વરિયાળી, તમાકુ સહિતના‎તમામ પાકોને માઠી અસર થઇ શકે છે.‎‎ પાક નુકસાનને બચાવી કે ઘટાડી શકાય?‎જવાબ :ના. મોટાભાગના પાકો કાપણી‎અવસ્થાએ છે. વરસાદ થઇ ચૂક્યો છે એટલે‎હવે કંઇ ન થઇ શકે.‎ આગળ હવામાનની સ્થિતિ શું રહેશે?‎જવાબ :આજે વાદળછાયું વાતાવરણ રહી‎શકે છે, પરંતુ વરસાદનું જોર ઘટશે. 25‎માર્ચથી વાતાવરણમાં ફરી પલટો આવવાની‎શક્યતા છે. જેની અસર 4-5 દિવસ રહેશે.‎આ દરમિયાન વાતાવરણ વાદળછાયું‎રહેશે, પરંતુ વરસાદની શક્યતા હાલ‎દેખાતી નથી.‎
36 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 11:07 PM
ગુજરાતના મોરબી અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો

ગુજરાતના મોરબી અને રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મોરબી અને રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડતાં જનજીવન પ્રભાવિત થયું હતું. બુધવાર રાતથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયો વહેલી સવારથી પવનની ગતિ તેજ બનતા અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડી હતી. ગુરુવારે બપોર બાદ અનેક તાલુકા અને શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદે ખાસ કરીને ખેતી પર અસર કરી છે. અનેક સ્થળોએ તૈયાર પાક પવનથી ઢળી પડ્યા હતા અને કાપણી કરેલો માલ ભીંજાઈ જતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. બીજી તરફ, શહેરોમાં વૃક્ષો ધરાશાયી થવા, હોર્ડિંગ્સ તૂટી પડવા, પતરાં ઉડવા જેવી ઘટનાઓ સામે આવી હતી. વીજ પુરવઠો પણ અનેક વિસ્તારોમાં ખોરવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ આ બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો, વેપારીઓ, જનતા પર અસર જોવા મળી રહી છે. ઉપલેટાના પ્રાંસલા ગામે વીજળી પડતાં માતા સહિત ત્રણ ઇજાગ્રસ્તતાલુકાના પ્રાસલા ગામે વરસાદી માહોલ દરમિયાન ખેતરમાં કામ કરતા શ્રમિક પરિવાર પર વીજળી પડતાં માતા સહિત ત્રણ જણા ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. માહિતી મુજબ, પ્રાસલા ગામે ખેતરમાં કામ કરી રહેલા રમાબેન રાણાભાઈ ચૌહાણ તથા તેમના બે પુત્રો પર અચાનક વીજળી ત્રાટકી હતી. ઘટનામાં ત્રણેને ઇજાઓ પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ રમાબેનની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે બંને પુત્રોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. લીલાખા-સુલતાનપુર રોડ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયોલીલાખા-સુલતાનપુર રોડ પર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. માર્ગ પર વૃક્ષ પડતાં થોડા સમય માટે અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમ દ્વારા JCB મશીનની મદદથી રસ્તા પર પડેલું વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય બાદ માર્ગ પરથી અવરોધ દૂર થતાં વાહનવ્યવહાર ફરીથી યથાવત કરવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પંથક મુજબ વિગતો: નોંધાયેલ વરસાદ (મીમી) મોરબી જિલ્લામાં ખેતીને અસર તજજ્ઞનો મત:"આ વરસાદ ખેડૂતો માટે અત્યંત નુકસાનદાયક સાબિત થઈ શકે છે કારણ કે ઘઉં વરીયાળી અને જીરુ સહિતના પાકને પવન એક તરફ નમાવી દે છે. ખાસ કરીને તૈયાર પાક અને કાપણી કરેલા માલને ભારે ફટકો પડે છે."- ડો. ગનીભાઈ પટેલ, કૃષિ તજજ્ઞ
78 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:56 PM
પશ્ચિમી વિક્ષેપના કારણે ગાંધીનગરમાં હવામાનની ગંભીર સ્થિતિ સર્જાઈ

પશ્ચિમી વિક્ષેપના કારણે ગાંધીનગરમાં હવામાનની ગંભીર સ્થિતિ સર્જાઈ

પશ્ચિમ ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યના વાતાવારણમાં પલટો આવ્યો છે જેની તીવ્ર અસર ગાંધીનગરમાં પણ જોવા મળી છે. ગુરુવારે વહેલી પરોઢે 4 વાગ્યાથી 50થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાએ સમગ્ર શહેરને ઘમરોળી નાખ્યું હતું. બે કલાક સુધી ચાલેલી આ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પાકિસ્તાન ઉપર 3.1 કિમી ઊંચાઈએ આવેલા ઉપરના હવાના સાઇકલોનિક સર્કુલેશન સાથે જોડાયેલ પશ્ચિમ ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ રાજસ્થાન ઉપર રહેલા નીચલા સ્તરના સર્ક્યુલેશનને કારણે રાતોરાત ભેજ અને અસ્થિરતા ઉદભવી છે. માર્ચ મહિનાની આ સામાન્ય સ્થિતિએ સ્થિર ગરમ હવાને ઝડપથી સંવહન પ્રવૃત્તિમાં ફેરવી દીધી, જેના પરિણામે ગાંધીનગર, અમદાવાદ અને કલોલ વિસ્તારોમાં વહેલી સવારે પવન અને ગાજવીજની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન ખાતા દ્વારા અગાઉથી જ 18થી 20 માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફારની આગાહી કરવામાં આવી હતી. ભારે પવનથી અનેક સ્થળોએ ઝાડ પડી જવાના કિસ્સા બન્યા હતા. વહેલી પરોઢે જ લોકો સુઇ રહ્યા હતા ત્યારે તીવ્ર ઝડપે પવન ફુંકાયો હતો અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ સાંજના સમયે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. તાપમાન 2.6 ડિગ્રી ગગડી ગયુંએકતરફ શરૂઆતમાં જ ઉનાળો આકરો મિજાજ બતાવી રહ્યો હતો અને તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું ત્યારે ધીમે ધીમે ગરમી વધવાના અણસાર હતા તેવામાં જ હવામાનમાં પલટો આવતા છેલ્લા 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 2.6 ડિગ્રી જેટું ઘટીને 20 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી ઘટીને 34.6 ડિગ્રીએ રહ્યું હતું. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયોવહેલી સવારે ભારે પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. સરગાસણ ટીપી-9 સહિતના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જોકે વાવાઝોડાની સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી વીજ પૂરવઠો પૂર્વવત થઇ ગયો હતો.
21 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:50 PM
હાલવાડમાં વરસાદના પાણીને કારણે એસટી બસ અટવાઇ, રસ્તાનું કામ અધૂરું

હાલવાડમાં વરસાદના પાણીને કારણે એસટી બસ અટવાઇ, રસ્તાનું કામ અધૂરું

હળવદ નગરપાલિકા પાસે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તા નું કામ બંધ હોવાના કારણે વિરોધ કર્યો હતો. ત્યારે ગુરુવારે વરસાદ પડતા વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા મોરબી હળવદ એસટી બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીનો નિકાલ થતાં ત્યારબાદ એસટી બસ રવાના થઈ હતી. સદ નસીબે કોઈ જાનહાની ટળી હતી. હવામાન વિભાગની વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો . ત્યારે હળવદમાં પણ વરસાદના પગલે હળવદ નગરપાલિકા સામે બસ સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તાનું કામ અધૂરું રહેવાના કારણે લોકો પરેશાન છે. ત્યારે રસ્તાના કામ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા એસટી બસ ફસાઈ ગઈ હતી . પરંતુ થોડીવાર બાદ પાણીનો નિકાલ થતાં એસટી બસ જતી રહી હતી. પરંતુ સદનશીબે કોઈ જાનહાની ટળી હતી. હળવદમાં વૃક્ષો ધરાશાઈ, ગ્રામ્ય વિસ્તારમાં પણ નુકશાન વાવાઝોડાના પગલે હળવદની સરા ચોકડીએ તેમજ બસ સ્ટેશન પાછળની હિલોળી હનુમાનજી મંદિરના પટાંગણમાં આવેલ વૃક્ષ ધરાશય થતા સામે રહેતા દેવસીભાઈ છગનભાઈ પરમાર ઘરની સામે પાકૅ કરેલ છકડો રીક્ષાને નુકશાન થયું હતું, તેમજ ટીકર રણ પંથકમાં અગરિયાના સોલાર તેમજ મીઠુંના પાટાને પણ ભારે નુકસાની થઈ હતી. આમ હળવદ તાલુકાના ચરાડવા, ઘનશ્યામપુર, ભલગામડા, દીઘડીયા, કેદારીયા વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા હતા.
71 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:49 PM
રાજકોટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી માળા વિતરણ અને પક્ષી સેવા રથ સાથે કરી

રાજકોટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી માળા વિતરણ અને પક્ષી સેવા રથ સાથે કરી

દર વર્ષે 20 માર્ચના રોજ “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ પક્ષી બચાવો તથા તેના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તેમના રક્ષણ માટે ઘરે ઘરે તે સચવાઈ શકે તે માટે તેમનો માળો બનાવવો જરૂરી છે. ચકલીઓનો પ્રિય ખ આ દિવસની ઉજવણી નિમિત્તે આજે અનેક સંસ્થાઓ માળાનું વિતરણ કરશે ત્યારે લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ, નેચર એન્ડ એડવેન્ચર ક્લબ દ્વારા વિરાણી હાઇસ્કૂલમાં તથા ગોંડલ રોડ સૂર્યકાન્ત હોટેલ સામેના વિસ્તારમાં વિનામૂલ્યે વિતરણ થશે. પરિણામલક્ષી દૃષ્ટિકોણ અને પુણ્ય સાથે પર્યાવરણ સંવર્ધનના હેતુથી કાર્ય કરાશેરામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ પક્ષીઓની સેવા માટે આજે 7 લાખથી વધુની કિંમતનો રામદૂત ભોજન સેવા રથ લોન્ચ કરશે. જેના દ્વારા 365 દિવસ રાજકોટની બહારના વિસ્તાર જેમ કે, મુંજકા, ઇશ્વરિયા, મેટોડા, લોધિકા, ખીરસરા સહિતના વિસ્તારોમાં ફરશે તેમાં પાણી, ચણ, કાંગ, માળા, કીડિયારું રખાશે. આ રથની શરૂઆત પરિણામલક્ષી દૃષ્ટિકોણ અને પુણ્ય સાથે પર્યાવરણ સંવર્ધનના હેતુથી કરાઇ છે. કોઇ ઘરે ઘરે, બજારે બજારે માળા બાંધવાની જવાબદારી લે તો જોઈ એટલા માળા આપવા સક્ષમ છીએવર્ષ 1998થી 2 વ્યક્તિ દ્વારા ચકલીના માળા બનાવી વિનામૂલ્યે આપવાનું કાર્ય શરૂ કરાયું હતું. પહેલા સાધુ વાસવાણી રોડ પર બનાવવામાં આવતા, પરંતુ બાજુમાં હોટેલ ખૂલી જતા અહીં આવતા ગ્રાહકોને લાકડાંના છોલની ડસ્ટ ઊડતી. તેથી 6 મહિનાથી રૈયા સ્મશાને માળા બનાવવાનું કાર્ય કારાઇ છે જેનું વિતરણ 365 દિવસ કરવામાં આવે છે. જ્યાં વેસ્ટ લાકડાંના ટુકડા ગોતી ભેગા કરી તેમાંથી બનાવાતું વિશેષ વાત તો એ છે કે, દિવસે દરેક લોકો નોકરી, ધંધે જાય અને રાત્રિના 10થી 12:30 વાગ્યે સ્મશાનમાં માળા બનાવે. લક્ષ્મણભાઇએ જણાવ્યું હતું કે, જો કોઈ સંસ્થા કે વ્યક્તિ ઘરે ઘરે, બજારે બજારે માળા બાંધવાની જવાબદારી લેતા હોય તો અમારી ટીમ જોઈએ એટલા માળા આપવા સક્ષમ છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ઘર ઘર માળો હર ઘર માળો તેવો છે.
81 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:47 PM
જામનગરના કુંભારવાડા વિસ્તારમાં ગટરની પાઇપ લીક થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો

જામનગરના કુંભારવાડા વિસ્તારમાં ગટરની પાઇપ લીક થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો

જામનગર શહેરમાં આર્યસમાજ પાછળ આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં દુર્ગંધ યુકત પાણી ફેલાય જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. આ અંગે અનેક વખત એપાર્ટમેન્ટના લોકો સામે શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં ગટરનું દુર્ગંધયુકત પાણીનું સામ્રાજય થઇ જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે અને રોગચાળાની ભીંતી સેવાઇ રહી છે. આ વિસ્તારના લોકો દ્વારા અનેક વખત મહાપાલિકામાં અને આ એપા ર્ટમેન્ટના લોકો સામે આ અંગેની રજુઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં ન આવતા રહેવાસીઓને આવા દુર્ગંધયુકત પાણીમાંથી પસાર થવુ પડતું હોવાથી રોષની લાગણી જન્મી છે.
92 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:42 PM
મિશન લાઇફ અભિયાન હેઠળ અમરેલીએ વિશાળ વોકથોન રેલીનું આયોજન કર્યું

મિશન લાઇફ અભિયાન હેઠળ અમરેલીએ વિશાળ વોકથોન રેલીનું આયોજન કર્યું

પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને ક્લાઈમેટ ચેન્જ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત વિશાળ વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)ના માર્ગદર્શન હેઠળ યોજા આ વોકેથોન રેલીનો પ્રારંભ શહેરના સરદાર પટેલ રમત સંકુલ, ચિત્તલ રોડથી કરવામાં આવ્યો હતો. રેલી રાજકમલ ચોક સુધી પહોંચી ત્યારબાદ ફરી સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન પર્યાવરણ બચાવ, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અને ક્લાઈમેટ ચેન્જ સામે જાગૃત બનવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડીઓ તેમજ વિવિધ રમતના કોચ અને ટ્રેનરો સહિત અંદાજે 500 જેટલા લોકોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણની સુરક્ષા, પ્રકૃતિ સાથે સંવાદિતા અને બદલાતા હવામાનના પડકારો સામે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
28 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:16 PM
નર્મદા જિલ્લામાં પંચકોશી પરિક્રમા પર વાવાઝોડું ત્રાટક્યું

નર્મદા જિલ્લામાં પંચકોશી પરિક્રમા પર વાવાઝોડું ત્રાટક્યું

નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાના પ્રથમ દિવસે જ વાવાઝોડાનું વિધ્ન નડયું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાના વાતાવરણમાં મોડી સાંજે પલટો આવતાં 30 કિમીથી વધુની ઝડપે વાવાઝોડું ફુંકાયું હતું. વાવાઝોડાના પગલે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા અટકાવી દ તિલકવાડા અને શહેરાવ ઘાટ વચ્ચે બનાવેલો હંગામી પુલ બંધ કરી દેવાયો હતો. 600 જેટલા પરિક્રમાવાસીઓ અટવાય જતાં તેમને બોટ મારફતે સલામત કિનારે લાવી આસપાસના આશ્રમો તથા મંદિરોમાં આશરો આપવામાં આવ્યો છે. વાવાઝોડાના પગલે પરિક્રમાના રૂટ પર બનાવવામાં આવેલાં મંડપો ઉડી ગયાં હતાં. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. એક કલાક સુધી વીજળી પર ડુલ રહેતાં અરાજકતા ફેલાઇ હતી. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.ત્યારે 19 મી એ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો ન કરવો પડે એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે રહી મદદે આવ્યું હતું. રાબેતા મુજબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 19 મી એ રાત્રીએ નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા. વાવાઝોડા સાથે પવન ફૂંકાતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા રામપુરા કીડી મકોડી ઘાટ આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રામપુરા આસપાસના ઘરો અને આશ્રમોમાં શિફ્ટ કરાયા હતા. એ દરમિયાન સામે પાર જવા માટેનો હંગામી પુલ હાલ પૂરતો બંધ કરાયો છે.તો બીજી બાજુ બોટો પણ બંધ કરવાના આદેશ અપાયા હતા પરંતુ તિલકવાડા તરફથી રામપુરા કીડી મકોડી ઘાટ તરફ આવી રહેલા 500 થી 600 શ્રદ્ધાળુઓ અટવાઈ જવાની ભીતિને લીધે એ તમામ લોકોને બોટ દ્વારા સામે પાર લઈ જવાયા હતા. નર્મદા પરિક્રમા 19 મી માર્ચથી વેહલી સવારથી શરૂ થઈ હતી.તો વાવાઝોડાને લીધે નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ખડેપડે રહ્યું હતું. બે કલાક સુધી પરિક્રમા રોકી રાખવામાં આવી હતી. માંગરોળથી આગળ કોઇને જવા દેવામાં આવ્યાં ન હતાં. વાવાઝોડુ નરમ પડી જતાં પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી હતી.
83 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:14 PM
અચાનક હવામાનમાં ફેરફારને કારણે રાજ્ય ધોરીમાર્ગ પર વૃક્ષો પડી ગયા

અચાનક હવામાનમાં ફેરફારને કારણે રાજ્ય ધોરીમાર્ગ પર વૃક્ષો પડી ગયા

વડીયા તાલુકામાં આવેલા સ્ટેટ હાઇવે પર અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો હતો શરૂઆતના વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા રસ્તા પર અંદાજે 10 જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશાઈ થયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ કુંકાવાવ ચોકીથી વડીયા તરફ જતા સ્ટેટ હાઇવે પર નો વૃક્ષો રસ્તા વચ્ચે પડી જતા હાઇવે પર ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ વડીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીઆઈ પી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પોતે જ મેદાનમાં ઉતરીને પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને ટૂંકા સમયમાં જ રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરી ટ્રાફિક ફરીથી શરૂ કરવામાં સફળતા મેળવી લીધી હતી.
51 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:04 PM
દુર્લભ મિની-સ્ટોર્મ રાજકોટ માટે જયકાર અને અંધાધૂંધી લાવે છે

દુર્લભ મિની-સ્ટોર્મ રાજકોટ માટે જયકાર અને અંધાધૂંધી લાવે છે

રંગીલા રાજકોટમાં ગુરુવારે કુદરતે એવો ‘ક્લાઈમેટ ચેન્જ’ દેખાડ્યો કે ઇતિહાસના પાને લખાયેલા 115 વર્ષ જૂના રેકોર્ડ પણ ધોવાઇ ગયા છે. માર્ચ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે ગુરુવારે સાંજે અચાનક ત્રાટકેલા મિનિ વાવાઝોડા અને કરા સાથેના વરસાદે 115 વર્ષ જૂનો રેકોર્ડ તો સાંજે 4:15 વાગ્યાની આસપાસ અચાનક આકાશ કાળુંડિબાંગ થયું અને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની પવને ધૂળની ડમરીઓ ઊડતા વાહનચાલકો થંભી ગયા હતા. જોતજોતામાં ગાજવીજ અને કરા સાથે એવો વરસાદ તૂટી પડ્યો કે લોકોને સુરક્ષિત જગ્યા શોધવાનો પણ સમય ન મળ્યો. શહેરના મુખ્ય માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. શહેરમાં 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદ અને ભારે પવનને કારણે શહેરમાં ખાનાખરાબી ખરાબ હવામાનથી દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઈટ સુરત ડાઇવર્ટ કરાઈરાજકોટમાં વંટોળ અને ધૂળની ડમરીઓને કારણે સર્જાયેલી ‘ઓછી વિઝિબિલિટી’ની અસર આકાશી ટ્રાફિક પર પણ જોવા મળી હતી. દિલ્હીથી બપોરે 3:52 કલાકે રાજકોટ આવવા ઉડાન ભરેલી ફ્લાઈટ સાંજે 5:25 કલાકે રાજકોટ લેન્ડ થવાની હતી, પરંતુ વાવાઝોડાને કારણે ફ્લાઈટને સુરત તરફ ડાઇવર્ટ કરવી પડી હતી.
81 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:02 PM
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું

જામનગર સહિત હાલારમાં ભારે પવન સાથે છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરૂવારે બપોરે જામનગર ઉપરાંત દ્વારકા, કાલાવડ,લાલપુર, જામજોધપુર પંથકમાં મીની વાવાઝોડા સાથે કમૌસમી વરસાદ ખાબકયો હતો.જયારે ધ્રોલ, જોડીયા, ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરમાં ઝં જામનગરમાં બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે તોફાની પવન શરૂ થયો હતો જે બાદ થોડીવારમાં જ મીની વાવાઝોડાનુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.એકાએક ગોરંભાયેલા આભ વચ્ચે ઝંઝાવાતી પવનથી જનજીવન પણ સ્તબ્ધ્ બની ગયુ હતુ.લગભગ પોણો કલાક સુધી ભારે પવન વચ્ચે હળવા વરસાદી ઝાપટા પડયા હતા.જે દરમિયાન શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો સાથે વીજ તાર તુટી પડયા હતા.જે સાથે શહેરના પોણા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ગુલ થઇ જવા પામ્યો હતો.ધુળની ડમરીઓ વચ્ચે ઝંઝાવાતી પવનના કારણે શહેરના અમુક બહુમાળી બિલ્ડીંગોના કાચ પણ તુટ્યા હતા.જયારે અનેક વૃક્ષો સાથે વીજ તારનો પણ સોથ વળી ગયો હતો. શહેરના રણજીતસાગર રોડ પર ભાગવત સપ્તાહના આયોજનની તૈયારી વચ્ચે ભારે પવનના કારણે ડોમનો અમુક ભાગ પણ જમીનદોસ્ત થયો હતો. આ મીની વાવાઝોડુ સાંજે શાંત થયુ હતુ.જામજોધપુર,કાલાવડ , લાલપુર પંથકમાં પણ બપોરે ભારે પવન સાથે હળવો કમૌસમી વરસાદ ખાબકયો હતો.જયારે યાત્રાધામ દ્વારકામાં કમૌસમી વરસાદે એકાદ કલાક સુધી મુકામ કરતા માર્ગો પર પાણી વહેતા થયા હતા.ખંભાળિયા, ધ્રોલ, જોડીયા, ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં સમયાંતરે હળવા વરસાદી છાંટાઓ પડયા હતા.જામનગર સહિત્ હાલારના મોટા ભાગના વિસ્તારોમાં તોફાની પવને અડધો કલાક સુધી મુકામ કરતા એક તબકકે બિહામણા દ્રશ્યો પણ સર્જાયા હતા. મીની વાવાઝોડાથી આખી સોલાર પેનલ નીચે રોડ પર ખાબકી, જાનહાની ટળીજામનગરમાં ગુરૂવારે બપોરના એકાએક મીની વાવાઝોડું શરૂ થતાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો ત્યારે આ વાવાઝોડાના પગલે શહેરના દિ.પ્લોટ શેરી નં. 7માં એક મકાનમાં ફીટ કરેલ આખી સોલાર પેનલ પવનના જોરે નીચે પટકાતા રોડની વચ્ચે ખાબકી હતી જેના પગલે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો, સદ્દભાગ્યે કોઇ જાનહાની થવા ન પામી હતી. માવઠાથી ધાણાના પાકને નુકશાન, ભાવ ઓછા મળશેજામનગર પંથકમાં ગુરૂવારે બપોરે ભારે પવન સાથે કમૌસમી વરસાદી ઝાપટાઓથી પાકને નુકશાન થયુ છે.ખાસ કરી ધાણાના પાથરા પર પાણી પડતા બગાડ સાથે પાથરા પણ ઉડીને વેરવિખેર થયા છે.ઘાણાની ગુણવતાને અસર થવાથી ભાવ પણ ઓછા મળશે. > હર્ષદભાઇ સંઘાણી, ખેડૂત, જામનગર મોઢે આવેલો કોળીયો ઝુંટવાશે, ઉભા ઘઉંને ભારે નુકશાનઘઉંનો પાક તૈયાર થઈ ગયો હોય, અને ઘઉં કાઢવાની તૈયારીઓ કરતા હતા. આ દરમિયાન ઘઉં કાઢવાનું કટર ન આવતા ગુરૂવારે બપોર બાદ શરૂ થયેલા તોફાની પવન સાથેના કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયું છે. ઘઉંની ડુંડીમાંથી ઘઉં નીકળીને નીચે પડી ગયા છે. > ખેડૂત ભાવેશભાઈ નંદા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ગુરૂવારના શરૂ થતાં વાહનોથી ધમધમતા સાધના કોલોની રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને થોડા સમય માટે એકબાજુનો રોડ બંધ કરવામાં આવ્યો હતો.
1 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 06:01 PM
મિની-ચક્રવાત જામનગર શહેર અને જિલ્લાઓમાં અરાજકતા લાવે છે

મિની-ચક્રવાત જામનગર શહેર અને જિલ્લાઓમાં અરાજકતા લાવે છે

જામનગર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ઋતુચક્રના અણધાર્યા પલટાએ લોકોને બાનમાં લીધા છે. અચાનક જ વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન અને કડાકા-ભડાકા સાથે સિઝનનું પ્રથમ મિની વાવાઝોડું ફૂંકાયું હતું. તોફાની પવન અને કમોસમી વરસાદના કારણે લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ ગ્રામ્ય પંથકના ખેડૂતો પહેલાથી જ માવઠાનો માર સહન કરી રહ્યા છે, ત્યાં આ વાવાઝોડાએ શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને વેરવિખેર કરી નાખ્યું છે.જામનગર શહેરમાં ફૂંકાયેલા આ તોફાની પવને ભારે વિનાશ વેર્યો છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શહેરના અનેક માર્ગો અને સોસાયટીઓમાં વર્ષો જૂના તોતિંગ વૃક્ષો મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયા હતા. આ ઉપરાંત, અનેક નાગરિકોના મકાનોની છત પર લગાવવામાં આવેલી મોંઘીદાટ સોલાર પેનલો પવનમાં ઉડી જવાથી કે તૂટી જવાથી લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વૃક્ષો પડવાની અને ભારે પવનની ઘટનાઓને પગલે વીજ લાઈનોમાં ભંગાણ સર્જાતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે કલાકો સુધી લોકોએ અંધારપટમાં રહેવાની ફરજ પડી હતી.આ કુદરતી કહેરની સૌથી ભયાવહ ઘટના કાલાવડ તાલુકાના શનાળા ગામમાં સામે આવી છે. વાવાઝોડા અને વરસાદ વચ્ચે શનાળામાં એક ખેડૂત પરિવારના મકાન પર ભયંકર અવાજ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડવાનો ધડાકો એટલો પ્રચંડ હતો કે મકાનની મજબૂત છતની વચ્ચોવચ મોટું ગાબડું (હોલ) પડી ગયું હતું અને મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, આ ગોઝારી ઘટનામાં ઈશ્વરનો મોટો પાડ રહ્યો કે જે સમયે વીજળી ત્રાટકી ત્યારે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો, જેથી સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આમ છતાં, જીવલેણ કુદરતી પ્રકોપની આ ઘટનાથી પરિવાર અને સમગ્ર ગામમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે
33 shares
😢