Achira News Logo
Achira News
A
Akila News
May 5, 2026, 03:11 PM
બાળકો માટે તંદુરસ્ત આદતોની વર્કશોપ અને રાજકોટ ખાતે મહિલાઓ માટે મોક્ટેલ બનાવવાની પ્રવૃત્તિ

બાળકો માટે તંદુરસ્ત આદતોની વર્કશોપ અને રાજકોટ ખાતે મહિલાઓ માટે મોક્ટેલ બનાવવાની પ્રવૃત્તિ

રાજકોટ તા. ૫ : સલાડ સ્‍ટુડીયોના ફાઉન્‍ડર દર્શનાબેન, કુકીંગ એકસપર્ટ નમ્રતાબેન કામદાર અને કુકીંગ એકસપર્ટ ઝંખનાબેન કોઠારી દ્વારા આગામી તા. ૮ ના બાળકો માટે હેલ્‍ધી હેબિટસ વર્કશોપ તેમજ મહિલાઓ માટે મોકટેઇલસ મેકીંગ એકટીવીટીનું આયોજન કરાયુ છે. ‘બ્‍લીંગસ ગેલેરી, ડો. યાજ્ઞીક રોડ ખાતે તા. ૮ ના શુક્રવારે યોજાયેલ આ વર્કશોપમાં વારે ૧૦ થી ૧૨ બાળકો માટે રેઇનો ચાટ, ફ્રુટ કેક, ફુડ ગેમ્‍સ વગેરે એકટીવીટી કરાવાશે. જયારે ૧૧.૩૦ થી ૧૨ના સેસશન દરમિયાન મમ્‍મીઓ માટે મોકટેઇલ મેકીંગ એકટીવીટી કરાવાશે. આ વર્કશોપ દરમિયાન રણભૂમિ મૂવીના હીરોઇન શીતલબેન પટેલ ઉપસ્‍થિત રહી સૌનો ઉત્‍સાહ વધારશે. વર્કશોપમાં જોડાવા રૂ.૫૯૯ ટોકન ફી રાખેલ છે. ભાગ લેવા અને વધુ માહિતી માટે મો.૯૯૨૫૦ ૧૫૪૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તસ્‍વીરમાં‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઝંખનાબેન કોઠારી (મો.૯૪૨૮૨ ૭૪૯૬૧) અને નમ્રતાબેન કામદાર (મો.૭૯૮૪૬ ૩૮૭૮૨) નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)
29 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 02:23 PM
રાજકોટ સત્તાવાળાઓએ આરોગ્યની ચિંતાઓને લઈને ખાદ્ય સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી

રાજકોટ સત્તાવાળાઓએ આરોગ્યની ચિંતાઓને લઈને ખાદ્ય સંસ્થાઓ પર કડક કાર્યવાહી કરી

લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતા ઇન્‍દીરા સર્કલના અંજલી ચાઇનીઝ એન્‍ડ પંજાબી, રામાપીર ચોકના પ્રેમવાટીકા રેસ્‍ટોરન્‍ટ તથા વાવડીની મધુવન ડેરી ફાર્મ વિરૂધ્‍ધ એજયુડિકેશન કાર્યવાહી થશેઃ શ્રીખંડ, હઁળદર, જીરૂ, પનીર, ચીઝ સહિત વધુ ૧૧ નમુના લેતી ફુડ શાખાા રાજકોટઃ મનપાની ફુડ શાખા દ્વારા નગરજનોનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખવા ચેકીંગ તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.
92 shares
😐
Akila News logo
Akila News
May 4, 2026, 12:52 PM
સિટી બસ ડ્રાઈવરને બ્રેક લેતી વખતે સાપ કરડ્યો

સિટી બસ ડ્રાઈવરને બ્રેક લેતી વખતે સાપ કરડ્યો

રાજકોટ તા. ૪: નવા ૧૫૦ રીંગ રોડ પર અટલ સરોવર પાસે સીટી બસના ચાર્જીંગ સ્‍ટેશન ખાતે રહેતાં અને સીટી બસના ડ્રાઇવર તરીકે નોકરી કરતાં પ્રિન્‍સ રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૨૬)ને તે ત્રંબા ગામે મોહનદાસ આશ્રમ પાસે લઘુશંકા કરવા ગયો ત્‍યારે લાકડામાંથી સાપ નીકળીને કરડી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રિન્‍સ ૩૨ નંબરની સીટી બસ હંકારે છે. તે પરસાણાનગરથી બસ લઇ ત્રંબા ગયો ત્‍યારે બનાવ બન્‍યો હતો.
51 shares
😢
A
Akila News
May 4, 2026, 05:26 AM
વધતી આરોગ્ય જાગૃતિ વચ્ચે કુદરતી વાળ સંભાળ ઉત્પાદનોએ લોકપ્રિયતા મેળવી

વધતી આરોગ્ય જાગૃતિ વચ્ચે કુદરતી વાળ સંભાળ ઉત્પાદનોએ લોકપ્રિયતા મેળવી

નવી દિલ્હી: આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતા પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. ખાસ કરીને વાળની માવજત માટે હવે રાસાયણિક તત્વોથી મુક્ત અને સંપૂર્ણપણે કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. બજારમાં અત્યારે હેર સીરમ અને હેર ઓઇલ માટે અનેક નેચરલ વિકલ્પો જોવા મળી રહ્યા છે. ગ્રાહકોમાં ખાસ કરીને સોલફ્લાવર બ્રાન્ડનું ૧૦૦ ટકા શુદ્ધ કોલ્ડ પ્રેસ્ડ મોરોક્કન આર્ગન ઓઇલ ભારે લોકપ્રિય બની રહ્યું છે. આ ઉપરાંત જ્યુસી કેમેસ્ટ્રી બ્રાન્ડનું મારુલા, આર્ગન અને લવંડર હેર સીરમ તેમજ અરાતા બ્રાન્ડનું પ્લાન્ટ બેઝડ હેર સીરમ પણ લોકોની પહેલી પસંદ બની રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારના કેમિકલ-મુક્ત ઉત્પાદનો વાળને પોષણ આપવાની સાથે ખરતા અટકાવે છે. ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સ પર આ પ્રોડક્ટ્સના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને લોકો તેના સકારાત્મક પ્રતિભાવો આપી રહ્યા છે.
15 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
May 4, 2026, 12:00 AM
ઉચ્ચ તાપમાનની આગાહી વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન 2026 અમલમાં મૂક્યો

ઉચ્ચ તાપમાનની આગાહી વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન 2026 અમલમાં મૂક્યો

ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હીટ એક્શન પ્લાન 2026 અમલમાં મૂક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 મે સુધી તાપમાન 41 થી 42 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે રહેવાની સંભાવના હોવાથી સમગ્ર શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને ગરમીના ચિહ્નો દેખાય તો તબીબી સારવાર લેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર, 6 મે સુધી તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે 4 મે અને 5 મે ના દિવસોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે રહેતું હોવાથી લોકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને અચાનક માથું દુખે, પગની પિંડીઓમાં કળતર થાય કે શરીરનું તાપમાન વધવા લાગે, તો તેને હીટ સ્ટ્રોકના લક્ષણો માનવા. આ ઉપરાંત, ખૂબ તરસ લાગવી, પરસેવો ન થવો, પેશાબનું પ્રમાણ ઘટવું, ચામડી લાલ અને સૂકી થઈ જવી તેમજ ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવું એ ગંભીર ચિહ્નો છે. આવી સ્થિતિમાં સમય બગાડ્યા વગર 108 હેલ્પલાઈનનો ઉપયોગ કરવો અથવા નજીકના સરકારી દવાખાનામાં સંપર્ક કરવો જોઈએ. મુંઝવણ કે ખેંચ આવવી એ પણ જીવલેણ બની શકે છે. ગરમીથી બચવા માટે સતત પાણી પીવું અને શરીરમાં પ્રવાહીનું સ્તર જાળવી રાખવું જરૂરી છે. આ માટે લીંબુ શરબત, મોળી છાશ, નાળિયેર પાણી અને ઓ.આર.એસ.નો ઉપયોગ હિતાવહ છે. બહાર નીકળતી વખતે હંમેશા સફેદ અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથા પર છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો. આ સિવાય, બહારનું ખુલ્લું ખાવાનું ટાળવું, લાંબા સમય સુધી ઉપવાસ ન કરવા અને ગરમીમાં ભારે શારીરિક શ્રમ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
70 shares
😢
Akila News logo
Akila News
May 3, 2026, 03:36 PM
રશિયાની વૃદ્ધત્વ વિરોધી રસી બિડઃ વૈશ્વિક વિકાસ અને સ્થાનિક વિવાદો

રશિયાની વૃદ્ધત્વ વિરોધી રસી બિડઃ વૈશ્વિક વિકાસ અને સ્થાનિક વિવાદો

* ​રશિયા: રાષ્ટ્રપતિ પુતિનનો વૈજ્ઞાનિકોને આદેશ; દુનિયાની સૌપ્રથમ 'એન્ટી-એજિંગ' વેક્સિન વિકસાવવા આપી સૂચના * ​8મું પગાર પંચ: કર્મચારી યુનિયનોએ ૩.૮૩ ફિટમેન્ટ ફેક્ટર સાથે લઘુત્તમ પગાર ૬૯,૦૦૦ રૂપિયા કરવાની કરી માંગ* ​ગુજરાત કોંગ્રેસ: સ્થાનિક ચૂંટણીમાં પરાજય બાદ વિવાદ; પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામાની ઉઠી માંગ * ​આરોગ્ય ક્ષેત્ર: ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશનની મુદત ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી * ​અમલીકરણ નિર્દેશાલય (ED): વિદેશી સંપત્તિઓ પર સકંજો; EDએ મોકલ્યા ૩૫૩ ક્રોસ-બોર્ડર રિક્વેસ્ટ, જપ્તીમાં ૨૩ ગણો ઉછાળો
83 shares
😐
Sandesh logo
Sandesh
May 3, 2026, 10:08 AM
ખોવાયેલી ચમક પાછી મેળવવીઃ ત્વચાનો ટોન સરખો કરવા અને સ્વસ્થ જીવન જીવવા માટેની ટીપ્સ

ખોવાયેલી ચમક પાછી મેળવવીઃ ત્વચાનો ટોન સરખો કરવા અને સ્વસ્થ જીવન જીવવા માટેની ટીપ્સ

ઘણીવાર તેજસ્વી પ્રકાશમાં જોતા આપણને જણાય છે કે ચહેરાના કેટલાક ભાગો કાળા અને કેટલાક તેજસ્વી દેખાય છે. કપાળનો ભાગ ઘાટો અને ગાલ તેજસ્વી દેખાવા એ 'અસમાન ત્વચા' (Uneven Skin Tone) ના લક્ષણો છે. ખાસ કરીને ઉનાળામાં સૂર્યના તાપ, ખીલના ડાઘ અને પ્રદૂષણને કારણે આ સમસ્યા વધી જાય છે. ત્વચાની ગુમાવેલી ચમક પાછી મેળવવા અને રંગને એકસરખો કરવા માટે નીચે મુજબના ઉપાયો રામબાણ સાબિત થઈ શકે છે: ત્વચા પર જમા થયેલી ગંદકી અને મૃત કોષો (Dead Cells) ને કારણે ચહેરો નિસ્તેજ દેખાય છે. અઠવાડિયામાં એકવાર સૌમ્ય સ્ક્રબનો ઉપયોગ કરવાની આદત પાડો. તે ત્વચાને ઊંડેથી સાફ કરી અંદરનો અસલી નિખાર બહાર લાવવામાં મદદ કરે છે, જેનાથી ત્વચાનો રંગ સમાન બને છે. આજના સમયમાં જ્યારે શુદ્ધ આહાર મેળવવો મુશ્કેલ બની રહ્યો છે, ત્યારે પોતાના રસોડાના બગીચા અથવા બાલ્કનીમાં શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડવી એ માત્ર એક શોખ નથી, પણ સ્વાસ્થ્ય માટેની જરૂરિયાત છે. પોતાના હાથે ઉગાડેલા છોડમાંથી તાજા પાંદડા કે ફળ તોડીને રસોઈમાં વાપરવાનો આનંદ અનેરો હોય છે. અહીં એવા ૬ છોડ વિશે માહિતી આપવામાં આવી છે જે ઉગાડવા અત્યંત સરળ છે અને રસોડામાં દરરોજ કામ લાગે છે. કોઈપણ ભારતીય વાનગી ધાણા વગર અધૂરી છે. દાળ, શાક કે ચટણીમાં ધાણાનો ઉપયોગ સ્વાદ અને સુગંધ બંને વધારે છે. ધાણાના બીજ વાવ્યાના ૫-૬ દિવસમાં જ તે ઉગવા લાગે છે. તેને તમે કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકો છો. ઉનાળામાં ફુદીનો વરદાન સમાન છે. લીંબુ શરબત, ઠંડા પીણાં કે છાશમાં ફુદીનો ઉમેરવાથી તાત્કાલિક તાજગી મળે છે. તે પાચન માટે પણ ઉત્તમ છે અને ઉબકા જેવી સમસ્યામાં રાહત આપે છે. ફુદીનો એકવાર વાવ્યા પછી ઝડપથી ફેલાય છે. વઘારમાં વપરાતા કઢી પત્તા માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ સુધારે છે. તે વાળ અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. રોજ સવારે કાચા કઢી પત્તા ચાવવા એ ડાયાબિટીસ અને પાચન માટે પણ સારું માનવામાં આવે છે. આ એક કાયમી છોડ છે જે તમારા બગીચાની શોભા વધારે છે. રસોઈમાં ગ્રેવી બનાવવી હોય કે સલાડ, ટામેટાં અનિવાર્ય છે. રસોડાના બગીચામાં ટામેટાંના ૨-૩ છોડ વાવવાથી તમને નિયમિતપણે તાજા ફળ મળી શકે છે. જો જગ્યા ઓછી હોય, તો તમે તેની 'ડ્રાફ્ટ વેરાયટી' (નાની જાત) પસંદ કરી શકો છો. ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી અને લસણના પાનનો ઉપયોગ વાનગીનો દેખાવ અને પોષણ બંને વધારે છે. સલાડ, પુલાવ કે સૂપમાં આ બંને વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઉગાડવા માટે રસોડામાં રહેલી કળીઓનો જ ઉપયોગ કરી શકાય છે. ભારતીય રસોઈમાં મરચાં વગર તીખાશ નથી આવતી. મરચાંના પકોડા હોય કે અથાણું, તાજા મરચાંનો સ્વાદ અલગ જ હોય છે. મરચાંનો છોડ નાનો હોય છે, તેથી તેને નાના કુંડામાં પણ આરામથી ઉગાડી શકાય છે.આ પણ વાંચોઃ Alert! બ્રશ કરવામાં આળસ તમારા હૃદય માટે બની શકે છે જીવલેણ, જાણો શું કહે છે નવો અભ્યાસ મોટાભાગના લોકો દાંતની સફાઈને માત્ર સ્મિત સુધારવા કે શ્વાસની દુર્ગંધ દૂર કરવાના માધ્યમ તરીકે જુએ છે. પરંતુ, જાપાનની 'ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટી' દ્વારા કરવામાં આવેલો એક તાજેતરનો અભ્યાસ ચેતવણી આપે છે કે મૌખિક સ્વાસ્થ્યની અવગણના તમારા હૃદયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓરલ સાયન્સ'માં પ્રકાશિત આ સંશોધન મુજબ, મોંમાં રહેલા બેક્ટેરિયા હૃદયના હુમલા (Heart Attack) પછી હૃદયને ફરીથી સાજું થવાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે શરીરના કોષો 'ઓટોફેજી' નામની કુદરતી પ્રક્રિયા દ્વારા નુકસાન પામેલા ભાગોને સાફ કરવાનું અને હૃદયને રિપેર કરવાનું કામ શરૂ કરે છે. જોકે, પેઢાના રોગ માટે જવાબદાર 'પોર્ફિરોમોનાસ ગિંગિવલિસ' નામનો બેક્ટેરિયા આ પ્રક્રિયામાં વિલન સાબિત થાય છે. આ બેક્ટેરિયમ લોહીના પ્રવાહ દ્વારા હૃદય સુધી પહોંચી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે આ બેક્ટેરિયા 'ગિંગિપેઇન' નામનું એક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આ પદાર્થ શરીરની રોગપ્રતિકારક શક્તિને છેતરીને હૃદયના કોષોમાં કચરો જમા કરે છે. પ્રયોગો દરમિયાન જાણવા મળ્યું કે જે કોષો આ ગિંગિપેઇનના સંપર્કમાં આવ્યા, તેમની સાજા થવાની ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં પણ સાબિત થયું કે જેમના મોંમાં આ બેક્ટેરિયા હતા, તેમને હાર્ટ એટેક પછી હૃદયમાં વધુ નુકસાન થયું હતું અને તેમની રિકવરી અત્યંત ધીમી રહી હતી. વૈજ્ઞાનિકો જણાવે છે કે જો પેઢામાં સોજો, લોહી નીકળવું કે પાયોરિયા જેવી સમસ્યા હોય, તો તેને સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં. ખરાબ મૌખિક સ્વાસ્થ્ય માત્ર દાંત પાડી નાખવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે હૃદયની સાજા થવાની શક્તિને પણ છીનવી લે છે. DISCLAIMER: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તબીબી સલાહનો વિકલ્પ ન લો. કોઈપણ નવી પ્રવૃત્તિ અથવા કસરત શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. આ પણ વાંચોઃ Tattoo Tips: ટેટૂ કરાવતા પહેલા સાવધાન! આ ડિઝાઈન કરાવ્યા પછી લોકો સૌથી વધુ પસ્તાય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે ઠંડાઈ એક શ્રેષ્ઠ અને પરંપરાગત ભારતીય પીણું છે. હોળીના તહેવાર સિવાય પણ, ઉનાળાના દિવસોમાં શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે તેનું સેવન ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પોષક તત્વોથી ભરપૂર આ પીણું આજે પણ દરેક ઉંમરના લોકોમાં લોકપ્રિય છે. સામાન્ય રીતે લોકો બજારમાં મળતા તૈયાર મિશ્રણ (Premix) નો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘરે બનાવેલો ઠંડાઈ મસાલા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક અને શુદ્ધ છે. ઠંડાઈ મસાલા બનાવવા માટે, તમારે અડધો કપ બદામ, કાજુ અને પિસ્તાની જરૂર પડશે. વધુમાં, 2 ચમચી વરિયાળી, તરબૂચના બીજ અને ખસખસના બીજ લો. ઉપરાંત, 25 થી 30 લીલી એલચી, 1 ચમચી કાળા મરી, 1 થી 2 ચમચી સૂકા ગુલાબની પાંખડીઓ અને 1/2 ચમચી કેસર લો. ઠંડાઈ મસાલાનું પ્રિમિક્સ બનાવવા માટે સૌપ્રથમ, બધા ડ્રાયફ્રૂટ અને બીજને સારી રીતે સાફ કરો. ખાતરી કરો કે તેમાં ભેજ નથી. જો ઈચ્છો તો, તેમને સૂર્યપ્રકાશમાં અથવા હવામાં હળવા હાથે સૂકવી લો. હવે, એલચીના બીજ, કાળા મરીના દાણા, વરિયાળીના બીજ અને ખસખસને મિક્સરમાં ઉમેરો અને તેમને બારીક પીસી લો. પછી, બદામ, કાજુ, પિસ્તા અને તરબૂચના બીજ ઉમેરો અને ફરીથી પીસી લો. મિશ્રણ થોડું બરછટ અથવા બારીક થઈ જાય પછી, ગુલાબની પાંખડીઓ અને કેસર ઉમેરો અને સુગંધ આવે તે માટે ફરીથી હળવા હાથે પીસી લો. તૈયાર કરેલા ઠંડાઈ મસાલાને સંપૂર્ણપણે ઠંડુ થવા દો અને પછી તેને હવાચુસ્ત કાચની બરણીમાં સંગ્રહિત કરો. તેને લાંબા સમય સુધી તાજગી જાળવી રાખવા માટે ઠંડી, સૂકી જગ્યાએ અથવા રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવું જોઈએ. આ પણ વાંચો : Tips: તરબૂચ સાથે કયારે પણ આ વસ્તુઓ ના ખાવી જોઈએ, જાણો કેમ અનિચ્છનીય વાળ દૂર કરવા માટે, આપણે કાં તો વેક્સ કરીએ છીએ અથવા શેવ કરીએ છીએ. પરંતુ જ્યારે ત્વચાના સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે આપણે નક્કી કરી શકતા નથી કે કયું સારું છે. કેટલાક લોકો વેક્સિંગ સાથે આવતી સુંવાળી ત્વચા પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો શેવિંગનો ઝડપી અને પીડારહિત અનુભવ પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ત્વચા માટે ખરેખર શું શ્રેષ્ઠ છે? આ બાબતે અમે સ્કીન સ્પેશિયાલિસ્ટ પાસેથી અભિપ્રાય લીધો. ત્યારે અમને અનેક બાબતો જાણવા મળી કે વાળ દૂર કરવા બેસ્ટ વિકલ્પ કયો છે. વેક્સિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે લાંબા સમય સુધી ચાલે છે. વાળ મૂળમાંથી દૂર થઈ ગયા હોવાથી, તેને ફરીથી ઉગવામાં 3 થી 6 અઠવાડિયા લાગે છે. વારંવાર વેક્સિંગ કરવાથી કેટલાક લોકોમાં વાળનો વિકાસ ઓછો અને પાતળા થઈ શકે છે. વધુમાં, વેક્સિંગ મૃત ત્વચા કોષોને પણ દૂર કરે છે, જેનાથી ત્વચા ચમકતી રહે છે. જો કે આમાં ગેરફાયદો એ છે કે તેનાથી સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને લાલાશ, બળતરા અથવા ત્વચા ઉપાડવાનો અનુભવ થઈ શકે છે. વાળ દૂર કરવા માટે શેવિંગ એ તાત્કાલિક અને ઝડપી ઉપાય છે. જો તમે પાર્ટી માટે મોડા પડી રહ્યા છો, તો શેવિંગ એ કરવાનો સૌથી સહેલો રસ્તો છે. તે સંપૂર્ણપણે પીડારહિત છે અને તેને પાર્લરની સફરની જરૂર નથી. યોગ્ય તકનીક અને લુબ્રિકેશન (જેલ અથવા ફોમ) સાથે, તે એકદમ સલામત છે. ઝડપી ઉપાય માટે શેવિંગ ભલે અસરકારક હોય પરંતુ ગેરફાયદો પણ છે. કારણ કે શેવિંગ કર્યા બાદ ખૂબ જ ઝડપથી વાળ 1 કે 3 દિવસમાં પાછા ઉગે છે. વારંવાર શેવિંગ કરવાથી રેઝર બર્ન, બારીક કાપ અને ઇનગ્રોન વાળ (ત્વચામાં અટવાઈ ગયેલા વાળ) થવાનું જોખમ વધી શકે છે. સ્કીન સ્પેશિયાલિસ્ટ કહે છે કે વાળ દૂર કરવાની આ બંને પદ્ધતિઓ કામચલાઉ છે. પસંદગી તમારી ત્વચાના પ્રકાર અને પીડા થ્રેશોલ્ડ પર આધારિત છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય, તો શેવિંગ (સાવધાની સાથે) વધુ સારું છે કારણ કે વેક્સિંગ ત્વચાના અવરોધને નુકસાન પહોંચાડી શકે છે. તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવા માંગતા હો, તો વેક્સિંગ ઉત્તમ છે. મને ઇનગ્રોન વાળ થવાની સંભાવના હોય, તો તમારે ઉપયોગમાં લેવાતી સ્ટ્રીપના પ્રકાર અથવા રેઝરની દિશા પર ધ્યાન આપવાની જરૂર પડશે. વાળ દૂર કરવા વેકસિંગ કે શેવિંગ કરતા પહેલા તમારી ત્વચાનો પ્રકાર ઓળખવો જરૂરી છે. પછી જ નક્કી કરો કે તમારા માટે શું સારું રહેશે. આ પણ વાંચો : Child Health Tips : નાના બાળકોને જમતી વખતે મોબાઈલ જોવાનું વળગણ, ડોક્ટરે આપી ચેતવણી (Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
91 shares
😢
Sandesh logo
Sandesh
May 3, 2026, 09:03 AM
સરળ રસોડું બાગકામઃ આરોગ્ય અને સુંદરતા માટે જરૂરી

સરળ રસોડું બાગકામઃ આરોગ્ય અને સુંદરતા માટે જરૂરી

આજના સમયમાં જ્યારે શુદ્ધ આહાર મેળવવો મુશ્કેલ બની રહ્યો છે, ત્યારે પોતાના રસોડાના બગીચા અથવા બાલ્કનીમાં શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડવી એ માત્ર એક શોખ નથી, પણ સ્વાસ્થ્ય માટેની જરૂરિયાત છે. પોતાના હાથે ઉગાડેલા છોડમાંથી તાજા પાંદડા કે ફળ તોડીને રસોઈમાં વાપરવાનો આનંદ અનેરો હોય છે. અહીં એવા ૬ છોડ વિશે માહિતી આપવામાં આવી છે જે ઉગાડવા અત્યંત સરળ છે અને રસોડામાં દરરોજ કામ લાગે છે. કોઈપણ ભારતીય વાનગી ધાણા વગર અધૂરી છે. દાળ, શાક કે ચટણીમાં ધાણાનો ઉપયોગ સ્વાદ અને સુગંધ બંને વધારે છે. ધાણાના બીજ વાવ્યાના ૫-૬ દિવસમાં જ તે ઉગવા લાગે છે. તેને તમે કુંડામાં પણ સરળતાથી ઉગાડી શકો છો. ઘણીવાર તેજસ્વી પ્રકાશમાં જોતા આપણને જણાય છે કે ચહેરાના કેટલાક ભાગો કાળા અને કેટલાક તેજસ્વી દેખાય છે. કપાળનો ભાગ ઘાટો અને ગાલ તેજસ્વી દેખાવા એ 'અસમાન ત્વચા' (Uneven Skin Tone) ના લક્ષણો છે. ખાસ કરીને ઉનાળામાં સૂર્યના તાપ, ખીલના ડાઘ અને પ્રદૂષણને કારણે આ સમસ્યા વધી જાય છે. ત્વચાની ગુમાવેલી ચમક પાછી મેળવવા અને રંગને એકસરખો કરવા માટે નીચે મુજબના ઉપાયો રામબાણ સાબિત થઈ શકે છે: ત્વચા પર જમા થયેલી ગંદકી અને મૃત કોષો (Dead Cells) ને કારણે ચહેરો નિસ્તેજ દેખાય છે. અઠવાડિયામાં એકવાર સૌમ્ય સ્ક્રબનો ઉપયોગ કરવાની આદત પાડો. તે ત્વચાને ઊંડેથી સાફ કરી અંદરનો અસલી નિખાર બહાર લાવવામાં મદદ કરે છે, જેનાથી ત્વચાનો રંગ સમાન બને છે. જો તમે હાઇપરપીગ્મેન્ટેશન અને ખીલના ડાઘથી પરેશાન હોવ, તો તમારા સ્કિન કેર રૂટિનમાં નિયાસીનામાઇડ (વિટામિન B3) યુક્ત ઉત્પાદનો સામેલ કરો. તે ખુલ્લા છિદ્રોને કડક કરવામાં અને વધારાના તેલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે, જેનાથી ચહેરો ડાઘરહિત અને સમાન બને છે. સવારે ચહેરો સાફ કર્યા પછી ૧૦% વિટામિન-સી સીરમ લગાવો. તેની ઉપર મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનું પડ ચઢાવવાથી ત્વચાને 'ટ્રિપલ લેયર' સુરક્ષા મળે છે. આ પદ્ધતિ સૂર્યના કિરણોથી થતા નુકસાનને અટકાવે છે અને ત્વચાના સ્વરને તેજસ્વી બનાવે છે. રસોડામાં રહેલી વસ્તુઓ પણ અદભૂત કામ કરી શકે છે. એક ચમચી દહીંમાં ચપટી હળદર અને થોડું મધ મેળવીને ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવો. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ રંગ સુધારે છે અને હળદર એન્ટિ-સેપ્ટિક તરીકે કામ કરે છે. ઘણીવાર લોકો ઝડપી પરિણામ મેળવવા માટે એકસાથે ઘણા બધા પ્રોડક્ટ્સ વાપરવા લાગે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ત્વચાનો રંગ રાતોરાત બદલાતો નથી, તેથી ધીરજ રાખવી જરૂરી છે. સોશિયલ મીડિયા પરના ભ્રામક DIY હેક્સથી દૂર રહો, કારણ કે તે તમારી ત્વચામાં બળતરા કે ખંજવાળ પેદા કરી શકે છે. આ પણ વાંચોઃ Kitchen Garden : રસોડાની શાન અને સ્વાસ્થ્યનો ખજાનો, ઘરમાં જ ઉગાડો આ 6 ગુણકારી છોડ મોટાભાગના લોકો દાંતની સફાઈને માત્ર સ્મિત સુધારવા કે શ્વાસની દુર્ગંધ દૂર કરવાના માધ્યમ તરીકે જુએ છે. પરંતુ, જાપાનની 'ટોક્યો મેડિકલ એન્ડ ડેન્ટલ યુનિવર્સિટી' દ્વારા કરવામાં આવેલો એક તાજેતરનો અભ્યાસ ચેતવણી આપે છે કે મૌખિક સ્વાસ્થ્યની અવગણના તમારા હૃદયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. 'ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓરલ સાયન્સ'માં પ્રકાશિત આ સંશોધન મુજબ, મોંમાં રહેલા બેક્ટેરિયા હૃદયના હુમલા (Heart Attack) પછી હૃદયને ફરીથી સાજું થવાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે શરીરના કોષો 'ઓટોફેજી' નામની કુદરતી પ્રક્રિયા દ્વારા નુકસાન પામેલા ભાગોને સાફ કરવાનું અને હૃદયને રિપેર કરવાનું કામ શરૂ કરે છે. જોકે, પેઢાના રોગ માટે જવાબદાર 'પોર્ફિરોમોનાસ ગિંગિવલિસ' નામનો બેક્ટેરિયા આ પ્રક્રિયામાં વિલન સાબિત થાય છે. આ બેક્ટેરિયમ લોહીના પ્રવાહ દ્વારા હૃદય સુધી પહોંચી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે આ બેક્ટેરિયા 'ગિંગિપેઇન' નામનું એક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આ પદાર્થ શરીરની રોગપ્રતિકારક શક્તિને છેતરીને હૃદયના કોષોમાં કચરો જમા કરે છે. પ્રયોગો દરમિયાન જાણવા મળ્યું કે જે કોષો આ ગિંગિપેઇનના સંપર્કમાં આવ્યા, તેમની સાજા થવાની ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં પણ સાબિત થયું કે જેમના મોંમાં આ બેક્ટેરિયા હતા, તેમને હાર્ટ એટેક પછી હૃદયમાં વધુ નુકસાન થયું હતું અને તેમની રિકવરી અત્યંત ધીમી રહી હતી. વૈજ્ઞાનિકો જણાવે છે કે જો પેઢામાં સોજો, લોહી નીકળવું કે પાયોરિયા જેવી સમસ્યા હોય, તો તેને સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં. ખરાબ મૌખિક સ્વાસ્થ્ય માત્ર દાંત પાડી નાખવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે હૃદયની સાજા થવાની શક્તિને પણ છીનવી લે છે. DISCLAIMER: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. તબીબી સલાહનો વિકલ્પ ન લો. કોઈપણ નવી પ્રવૃત્તિ અથવા કસરત શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. આ પણ વાંચોઃ Tattoo Tips: ટેટૂ કરાવતા પહેલા સાવધાન! આ ડિઝાઈન કરાવ્યા પછી લોકો સૌથી વધુ પસ્તાય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે ઠંડાઈ એક શ્રેષ્ઠ અને પરંપરાગત ભારતીય પીણું છે. હોળીના તહેવાર સિવાય પણ, ઉનાળાના દિવસોમાં શરીરને અંદરથી ઠંડુ રાખવા માટે તેનું સેવન ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પોષક તત્વોથી ભરપૂર આ પીણું આજે પણ દરેક ઉંમરના લોકોમાં લોકપ્રિય છે. સામાન્ય રીતે લોકો બજારમાં મળતા તૈયાર મિશ્રણ (Premix) નો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘરે બનાવેલો ઠંડાઈ મસાલા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક અને શુદ્ધ છે. ઠંડાઈ મસાલા બનાવવા માટે, તમારે અડધો કપ બદામ, કાજુ અને પિસ્તાની જરૂર પડશે. વધુમાં, 2 ચમચી વરિયાળી, તરબૂચના બીજ અને ખસખસના બીજ લો. ઉપરાંત, 25 થી 30 લીલી એલચી, 1 ચમચી કાળા મરી, 1 થી 2 ચમચી સૂકા ગુલાબની પાંખડીઓ અને 1/2 ચમચી કેસર લો. ઠંડાઈ મસાલાનું પ્રિમિક્સ બનાવવા માટે સૌપ્રથમ, બધા ડ્રાયફ્રૂટ અને બીજને સારી રીતે સાફ કરો. ખાતરી કરો કે તેમાં ભેજ નથી. જો ઈચ્છો તો, તેમને સૂર્યપ્રકાશમાં અથવા હવામાં હળવા હાથે સૂકવી લો. હવે, એલચીના બીજ, કાળા મરીના દાણા, વરિયાળીના બીજ અને ખસખસને મિક્સરમાં ઉમેરો અને તેમને બારીક પીસી લો. પછી, બદામ, કાજુ, પિસ્તા અને તરબૂચના બીજ ઉમેરો અને ફરીથી પીસી લો. મિશ્રણ થોડું બરછટ અથવા બારીક થઈ જાય પછી, ગુલાબની પાંખડીઓ અને કેસર ઉમેરો અને સુગંધ આવે તે માટે ફરીથી હળવા હાથે પીસી લો. તૈયાર કરેલા ઠંડાઈ મસાલાને સંપૂર્ણપણે ઠંડુ થવા દો અને પછી તેને હવાચુસ્ત કાચની બરણીમાં સંગ્રહિત કરો. તેને લાંબા સમય સુધી તાજગી જાળવી રાખવા માટે ઠંડી, સૂકી જગ્યાએ અથવા રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવું જોઈએ. આ પણ વાંચો : Tips: તરબૂચ સાથે કયારે પણ આ વસ્તુઓ ના ખાવી જોઈએ, જાણો કેમ અનિચ્છનીય વાળ દૂર કરવા માટે, આપણે કાં તો વેક્સ કરીએ છીએ અથવા શેવ કરીએ છીએ. પરંતુ જ્યારે ત્વચાના સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે આપણે નક્કી કરી શકતા નથી કે કયું સારું છે. કેટલાક લોકો વેક્સિંગ સાથે આવતી સુંવાળી ત્વચા પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો શેવિંગનો ઝડપી અને પીડારહિત અનુભવ પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ત્વચા માટે ખરેખર શું શ્રેષ્ઠ છે? આ બાબતે અમે સ્કીન સ્પેશિયાલિસ્ટ પાસેથી અભિપ્રાય લીધો. ત્યારે અમને અનેક બાબતો જાણવા મળી કે વાળ દૂર કરવા બેસ્ટ વિકલ્પ કયો છે. વેક્સિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે લાંબા સમય સુધી ચાલે છે. વાળ મૂળમાંથી દૂર થઈ ગયા હોવાથી, તેને ફરીથી ઉગવામાં 3 થી 6 અઠવાડિયા લાગે છે. વારંવાર વેક્સિંગ કરવાથી કેટલાક લોકોમાં વાળનો વિકાસ ઓછો અને પાતળા થઈ શકે છે. વધુમાં, વેક્સિંગ મૃત ત્વચા કોષોને પણ દૂર કરે છે, જેનાથી ત્વચા ચમકતી રહે છે. જો કે આમાં ગેરફાયદો એ છે કે તેનાથી સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને લાલાશ, બળતરા અથવા ત્વચા ઉપાડવાનો અનુભવ થઈ શકે છે. વાળ દૂર કરવા માટે શેવિંગ એ તાત્કાલિક અને ઝડપી ઉપાય છે. જો તમે પાર્ટી માટે મોડા પડી રહ્યા છો, તો શેવિંગ એ કરવાનો સૌથી સહેલો રસ્તો છે. તે સંપૂર્ણપણે પીડારહિત છે અને તેને પાર્લરની સફરની જરૂર નથી. યોગ્ય તકનીક અને લુબ્રિકેશન (જેલ અથવા ફોમ) સાથે, તે એકદમ સલામત છે. ઝડપી ઉપાય માટે શેવિંગ ભલે અસરકારક હોય પરંતુ ગેરફાયદો પણ છે. કારણ કે શેવિંગ કર્યા બાદ ખૂબ જ ઝડપથી વાળ 1 કે 3 દિવસમાં પાછા ઉગે છે. વારંવાર શેવિંગ કરવાથી રેઝર બર્ન, બારીક કાપ અને ઇનગ્રોન વાળ (ત્વચામાં અટવાઈ ગયેલા વાળ) થવાનું જોખમ વધી શકે છે. સ્કીન સ્પેશિયાલિસ્ટ કહે છે કે વાળ દૂર કરવાની આ બંને પદ્ધતિઓ કામચલાઉ છે. પસંદગી તમારી ત્વચાના પ્રકાર અને પીડા થ્રેશોલ્ડ પર આધારિત છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય, તો શેવિંગ (સાવધાની સાથે) વધુ સારું છે કારણ કે વેક્સિંગ ત્વચાના અવરોધને નુકસાન પહોંચાડી શકે છે. તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવા માંગતા હો, તો વેક્સિંગ ઉત્તમ છે. મને ઇનગ્રોન વાળ થવાની સંભાવના હોય, તો તમારે ઉપયોગમાં લેવાતી સ્ટ્રીપના પ્રકાર અથવા રેઝરની દિશા પર ધ્યાન આપવાની જરૂર પડશે. વાળ દૂર કરવા વેકસિંગ કે શેવિંગ કરતા પહેલા તમારી ત્વચાનો પ્રકાર ઓળખવો જરૂરી છે. પછી જ નક્કી કરો કે તમારા માટે શું સારું રહેશે. આ પણ વાંચો : Child Health Tips : નાના બાળકોને જમતી વખતે મોબાઈલ જોવાનું વળગણ, ડોક્ટરે આપી ચેતવણી (Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
39 shares
😢