Achira News Logo
Achira News
Akila News logo
Akila News
Mar 21, 2026, 02:04 PM
ગુજરાત સરકારે રાજકોટ ખાતે બાજરી મહોત્સવ અને પ્રાકાલિક ખેડૂત બજારનું આયોજન કર્યું

ગુજરાત સરકારે રાજકોટ ખાતે બાજરી મહોત્સવ અને પ્રાકાલિક ખેડૂત બજારનું આયોજન કર્યું

રાજકોટ, તા., ર૧: ગુજરાત સરકારના કળષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના આંગણે તારીખ ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કોર્પોરેશન પ્‍લોટ, નાનામવા ચોક, ૧૫૦ ફૂર રીંગ રોડ ખાતે ‘મિલેટ મહોત્‍સવ અને પ્રાકળતિક ફાર્મર માર્કેટ'નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો આજે સવારે ધારાસભ્‍યો અને વરિષ્ઠ અધિકારીનો ઉપસ્‍થિતિમાં શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે રાજ્‍યના માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વીડિયોના માધ્‍યમથી તેમના શુભેચ્‍છા સંદેશમાં એમ કહ્યું હતું કે, આજે રાજ્‍યમાં તમામ મહાનગરપાલિકા વિસ્‍તારોમાં મિલેટ ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી નાગરિકોને સ્‍વાસ્‍થ્‍ય માટે જાગળત રહેવા પ્રેરણા આપે છે અને લોકોનું આરોગ્‍ય સારૂ રહે તથા નાની ઉંમરે થતાં ગંભીર રોગથી બચી શકાય તે માટે દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્ર અપનાવવા માર્ગદર્શિત કરેલ છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા કોર્પોરેશન ગ્રાઉન્‍ડ ખાતે યોજાનારા આ મહોત્‍સવમાં મિલેટ (શ્રી અન્ન) માંથી બનેલી વિવિધ વાનગીઓ અને પ્રોડક્‍ટ્‍સનું પ્રદર્શન યોજવામાં આવેલ છે. આ સાથે જ પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્‍પાદિત શુદ્ધ અને રસાયણમુક્‍ત કળષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્‍ટોલ્‍સ પણ ઊભા કરવામાં આવ્‍યા છે, જેથી શહેરના નાગરિકો સીધા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્‍ત ચીજવસ્‍તુઓ ખરીદી શકશે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી શુભારંભ કરેલ. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ અને મિલેટ કીટ આપી સ્‍વાગત કરવામાં આવેલ. શાબ્‍દિક સ્‍વાગત નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ જાની દ્વારા કરવામાં આવેલ. મિલેટ અંગે જાગળતિ કાર્યક્રમ કરતા અધિકારીઓ અને નાગરિકોનું ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવેલ. ત્‍યારબાદ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોએ મિલેટ સ્‍ટોરની મુલાકાત કરી માહિતી મેળવી હતી અને કાર્યક્રમના અંતે આભાર વિધિ જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તળપ્તિબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
46 shares
😐
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 05:19 AM
ગુજરાતે પોષક ખોરાક અને કુદરતી ખેતીની પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે બાજરી મહોત્સવનું આયોજન કર્યું

ગુજરાતે પોષક ખોરાક અને કુદરતી ખેતીની પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે બાજરી મહોત્સવનું આયોજન કર્યું

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોમાં પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશયથી સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવતીકાલ તા. ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ના રોજ ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ’ના સૂત્રને સાર્થક કરતા આ મહોત્સવમાં બરછટ ધાન્યો એટલે કે મિલેટ્સ અને રસાયણમુક્ત ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વે કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા અને પરષોત્તમભાઈ પરમાર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં મહોત્સવની શોભા વધારવામાં આવશે. સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
20 shares
😊
Akila News logo
Akila News
Mar 19, 2026, 01:28 PM
બાળકોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ ખાતે ઓમ્નિટેક સમર હોકી કેમ્પનો પ્રારંભ

બાળકોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ ખાતે ઓમ્નિટેક સમર હોકી કેમ્પનો પ્રારંભ

રાજકોટઃ બાળકોને વેકેશન દરમિયાન મોબાઈલમાંથી મેદાન તરફ પ્રોત્‍સાહિત કરવા ઓમ્‍નીટેક એન્‍જિનિયરિંગ લિ.ના સીએમડી ઉદયભાઈ પારેખના આર્થિક સહયોગથી એહસાસ ટ્રસ્‍ટ અને હોકી રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે તેમજ રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના સહકારથી‘ઓમ્‍નીટેક સમર હોકી કેમ્‍પ'નું આયોજન તા.પ એપ્રિલથી ૩૦ મે સુધી રેસકોર્ષ પાસે મેજર ધ્‍યાનચંદ હોકી ગ્રાઉન્‍ડ ખાતે આયોજન કરાયુ છે. કુલ ૫૫ દિવસનો કેમ્‍પ યોજાશે. જેમાં ૫ થી ૧૬ વર્ષના ગર્લ્‍સ અને બોયઝ ભાગ લઈ શકશે. અંદાજે ૬૦ જેટલા ખેલાડીઓ જોડાશે. આ હોકી કેમ્‍પમાં જોડાનાર બાળકોને એડવાન્‍સ ટેકનીક,સ્‍કિલ ડેવલપમેન્‍ટ અને ફિટનેસ અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ અનુભવી કોચ દ્વારા પ્રેક્‍ટિકલ તેમજ થિયોરેટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવશે. કેમ્‍પનો સમય દરરોજ સવારે ૬.૩૦ થી ૮.૩૦ રાખવામાં આવ્‍યો છે. કેમ્‍પ બાળકોને મોબાઈલ અને ગેજેટ્‍સથી દૂર રાખીને સ્‍વસ્‍થ જીવનશૈલી તરફ દોરી જશે,તેમજ હોકી જેવી રમત રમવાથી બાળકોની ફિટનેસ,સ્‍ટેમિના,ઝડપ અને બેલેન્‍સમાં વધારો થશે. આ સમર હોકી કેમ્‍પ પૂર્ણ થયા બાદ દરેક ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્‍પમાં ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓને જિલ્લા તેમજ રાષ્‍ટ્રીય સ્‍તરે રમવાની પણ સૂવર્ણ તક ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
66 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 09:46 AM
મોર્બીમાં સિઝેરિયન સેક્શનમાં ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો, રાજકોટ હોસ્પિટલમાં દાખલ

મોર્બીમાં સિઝેરિયન સેક્શનમાં ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો, રાજકોટ હોસ્પિટલમાં દાખલ

રાજકોટ તા. ૧૯: મોરબીના બેલા ગામે એક સગર્ભાને ડિલીવરી માટે મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા બાદ સિઝેરીયનથી દિકરાને જન્‍મ આપ્‍યા બાદ તેણીને તબિયત બગડતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. નવજાત પુત્ર સહિત ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા હતાં. જાણવા મળ્‍યા મુજબ બેલા ગામે રહેતાં મુળ યુપીના રાજુ પાસવાન નામના યુવાનની પત્‍નિ સુમન પાસવાનને પેટમાં આઠ માસનો ગર્ભ હતો. તેણીને ૧૪/૩ના રોજ પેટમાં દુઃખાવો ઉપડતાં મોરબીની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્‍યાં સિઝેરીયનથી દિકરાને જન્‍મ આપ્‍યો હતો. પરંતુ આ પછી તેણીની તબીયત બગડતાં તબિબે ગર્ભાશયની કોથળી કાઢવી પડશે કહી તેનું ઓપરેશન કર્યુ હતું. પરંતુ ત્‍યારબાદ તેણીની તબીયત વધુ લથડતાં રાજકોટ રાજનગર વિસ્‍તારની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં તબિબે રીટ્રોગેટ એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સુમનબેનને અગાઉ એક દિકરો અને એક દિકરી હતાં. ત્રીજી ડિલીવરીમાં દિકરાને જન્‍મ આપ્‍યો હતો. તેણીના મોતથી આ ત્રણ સંતાન મા વિહોણા થઇ ગયા છે. પતિ રાજુ પાસવાન સિરામીક ફેક્‍ટરીમાં પેકીંગ વિભાગમાં કામ કરે છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પતિએ ખુબ જ દુઃખ સાથે કહ્યું હતું કે મોરબીમાં જે હોસ્‍પિટલમાં મારા પત્‍નિને દાખલ કરાયા હતાં ત્‍યાં એક લાખથી વધુનું બીલ થયુ હતું અને રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ચાર લાખ જેવું બીલ તેણે ચુકવ્‍યું હતું. આમ છતાં તેની પત્‍નિનો જીવ બચ્‍યો નહોતો.
25 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 09:25 AM
ચૈત્ર નવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતમાં શરૂ, ભક્તો માતાજીની પૂજા કરે છે અને વિવિધ ઉપવાસ કરે છે

ચૈત્ર નવરાત્રીનો તહેવાર સમગ્ર ભારતમાં શરૂ, ભક્તો માતાજીની પૂજા કરે છે અને વિવિધ ઉપવાસ કરે છે

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ભાવિકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રિના તહેવારોમાં અનેક પ્રકારના વ્રતો કરવાં એમ ધર્મશાષાો કહે છે. વર્ષના છેલ્લા દિવસે એટલે કે ફાગણની અમાસે ઉપવાસ કરીને ગુડી પડવાના દિવસે સૂર્યની પૂજા કરીને આરોગ્‍યવર્ધક‘‘આરોગ્‍યપ્રતિપદા વ્રત''કરાય છે. આમાં લીમડાનો રસ પીવાનો કે એનાં પાન ખાવાનો ભારે મહિમા છે. આ દિવસે સૌરશક્‍તિના સ્રેત સમા સૂર્યની પૂજા દ્વારા ઊર્જા-પ્રકાશ મેળવીને અને કડવા લીમડાનું સેવન કરીને શરીરને સુદઢ અને તંદુરસ્‍ત બનાવાય છે. ચૈત્ર સુદ આઠમ‘ભવાની અષ્ટમી', ‘દુર્ગાષ્ટમી'કે‘અશોકાષ્ટમી'કહેવાય છે. આ દિવસે માતા દુર્ગા દેવી ભવાની સ્‍વરૂપે પ્રગટ થયાં છે. આ દિવસે ભવાની માતાનાં દર્શન કરી,અશોક-ફૂલની કળીઓનું પાન કરવું એમ‘લિંગપુરાણ'કહે છે. રામનવમી એટલે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામનો જન્‍મદિવસ. રાવણવળત્તિનો ત્‍યાગ કરીને રામવળત્તિ અપનાવાય તો જીવન સ્‍વર્ગ જેવું બની જાય,એવો સંદેશ રામચરિતમાંથી મળે છે.
65 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 18, 2026, 10:51 PM
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખરજવાની સારવાર બાદ દર્દીનું મોત

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખરજવાની સારવાર બાદ દર્દીનું મોત

રાજકોટના પોપટપરા વિસ્તારમાં કૃષ્ણનગર બસ સ્ટોપની પાસે આવેલી ખાનગી ક્લિનિકમાં ખરજવાની સારવાર માટે આવેલા હડાળા ગામના પ્રૌઢને ડર્મેટોલોજિસ્ટ દ્વારા અપાયેલા દવાના બે ડોઝ બાદ તેમની તબિયત અચાનક બગડતા અડધી કલાકમાં જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પરિવાર મોરબી રોડ પર આવેલા હડાળા ગામે રહેતા રમજાનભાઈ નૂરમહમદભાઈ ફલાણી(ઉં.વ.53) નામના પ્રૌઢનું બપોરે એકાદ વાગ્યા આસપાસ પોપટપરામાં આવેલા ડૉ.વિનુભાઈ પટેલની ક્લિનિકમાં સારવારમાં મોત નીપજ્યું હતું. બપોરે સાડા અગિયારેક વાગ્યા આસપાસ પ્રૌઢ અને તેમના પત્ની કુલસમબેન ક્લિનિકમાં રમજાનભાઈની ખરજવાની સારવાર અર્થે ગયા હતા. અહીં ક્લિનિક સંચાલક વિનુભાઈ પટેલ નામના તબીબે જ પ્રૌઢનો ઉપચાર શરૂ કર્યો હતો. મૃતકના પરિવારે જણાવ્યા અનુસાર, તબીબે મૃત્યુ પામનાર રમજાનભાઈને એક રસી બાળવાનું અને બીજું ખરજવું મટાડવાનું ઈન્જેક્શન લગાવ્યું હતું, પણ જેવું ઇન્જેક્શન માર્યું કે દર્દીની એકાએક તબિયત લથડી ગઈ હતી. પરિવાર દર્દીને અન્ય હોસ્પિટલ ખાતે લઈ જાય તે પૂર્વે જ દર્દીએ ક્લિનિકમાં જ દમ તોડી દીધો હતો. મૃતકના પરિવારજનોએ તબીબની તપાસ કરવાની માંગ કરીમૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પ્રૌઢ બિલકુલ સ્વસ્થ હાલતમાં ક્લિનિકમાં આવ્યા હતા, દવા આપ્યા બાદ જ તેમની હાલત બગડી હતી. તેથી તબીબની બેદરકારીના કારણે જ મોત થયું હોવાનું તેઓએ જણાવ્યું છે. પરિવારજનોએ નિષ્પક્ષ તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.
90 shares
😢