Akila News✓
Mar 21, 2026, 02:04 PM


ગુજરાત સરકારે રાજકોટ ખાતે બાજરી મહોત્સવ અને પ્રાકાલિક ખેડૂત બજારનું આયોજન કર્યું
રાજકોટ, તા., ર૧: ગુજરાત સરકારના કળષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના આંગણે તારીખ ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમિયાન કોર્પોરેશન પ્લોટ, નાનામવા ચોક, ૧૫૦ ફૂર રીંગ રોડ ખાતે ‘મિલેટ મહોત્સવ અને પ્રાકળતિક ફાર્મર માર્કેટ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે સવારે ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીનો ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયોના માધ્યમથી તેમના શુભેચ્છા સંદેશમાં એમ કહ્યું હતું કે, આજે રાજ્યમાં તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં મિલેટ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નાગરિકોને સ્વાસ્થ્ય માટે જાગળત રહેવા પ્રેરણા આપે છે અને લોકોનું આરોગ્ય સારૂ રહે તથા નાની ઉંમરે થતાં ગંભીર રોગથી બચી શકાય તે માટે દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્ર અપનાવવા માર્ગદર્શિત કરેલ છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મહોત્સવમાં મિલેટ (શ્રી અન્ન) માંથી બનેલી વિવિધ વાનગીઓ અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન યોજવામાં આવેલ છે. આ સાથે જ પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શુદ્ધ અને રસાયણમુક્ત કળષિ પેદાશોના વેચાણ માટે વિવિધ સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી શહેરના નાગરિકો સીધા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ ખરીદી શકશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી શુભારંભ કરેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મિલેટ કીટ આપી સ્વાગત કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ જાની દ્વારા કરવામાં આવેલ. મિલેટ અંગે જાગળતિ કાર્યક્રમ કરતા અધિકારીઓ અને નાગરિકોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મિલેટ સ્ટોરની મુલાકાત કરી માહિતી મેળવી હતી અને કાર્યક્રમના અંતે આભાર વિધિ જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તળપ્તિબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
46 shares
😐




