Achira News Logo
Achira News
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:15 AM
કચ્છના છેલ્લા માઈલ સમુદાયોમાં આરોગ્યસંભાળની ખામીઓને દૂર કરવી

કચ્છના છેલ્લા માઈલ સમુદાયોમાં આરોગ્યસંભાળની ખામીઓને દૂર કરવી

ભુજ,તા.તા.3 :કચ્છ જિલ્લાના છેવાડાના માનવીસુધી ગુણવત્તાસભર અને અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવાના આશય સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશભંડેરી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અમીન અરોરાના માર્ગદર્શન હેઠળ ભુજ આરોગ્યતાલીમ ભવન ખાતે
14 shares
😐
Western Times logo
Western Times
Feb 3, 2026, 02:39 PM
સ્માર્ટ કમાણી કરનારાઓ નાણાકીય સુરક્ષા કરતાં આરામ અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે

સ્માર્ટ કમાણી કરનારાઓ નાણાકીય સુરક્ષા કરતાં આરામ અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે

ઇમરજન્સી માટે લોન લેવાના ટ્રેન્ડમાં મોટો બદલાવ; ગ્રાહકો હવે પ્રોપર્ટી, શિક્ષણ, મુસાફરી, હેલ્થકેર અને જીવનશૈલીની જરૂરિયાતો માટે પર્સનલ લોન લઈ રહ્યા છે. ભારતમાં પર્સનલ લોન હવે માત્ર “મુસીબતના સમયનો સહારો” રહી નથી, તે ધારણા હવે બદલાઈ રહી છે. આ ફેરફાર ખાસ કરીને એવા ગ્રાહકોમાં જોવા મળે છે જેઓ સ્થિર નોકરી અને સારો પગાર ધરાવે છે — એવા લોકો જે વર્ષોથી આર્થિક રીતે શિસ્તબદ્ધ છે અને સતત બચત તથા રોકાણ કરી રહ્યા છે. કોવિડ પછી જે બદલાવ આવ્યો છે તે તેમની રોકાણ કરવાની ક્ષમતામાં નથી — પરંતુ “રોકાણ” શબ્દની તેમની વ્યાખ્યામાં છે. ઘણાને સમજાયું કે તેઓ ભવિષ્ય માટે તો બધું બરાબર કરી રહ્યા છે, પરંતુ અજાણતા તેઓ પોતાના સ્વાસ્થ્ય, મન અને શરીર પર રોકાણ કરવાનું ચૂકી ગયા હતા. કામનું દબાણ અને વ્યસ્ત દિનચર્યાને કારણે હવે વેલનેસ, સેલ્ફ-કેર અને ક્વોલિટી-ઓફ-લાઇફ અપગ્રેડ્સ એ મોજશોખ નહીં પણ જરૂરિયાત બની ગયા છે. Why Smart Earners Are Borrowing Even When They Don’t Have To પરિણામે, આજનો લેણદાર વધુ સ્પષ્ટતા અને હેતુ સાથે ખર્ચ કરી રહ્યો છે. તેઓ વેલનેસ, શિક્ષણ, યાદગાર અનુભવો અને ઘરની સુખ-સુવિધાઓ જેવી બાબતોને પ્રાથમિકતા આપી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, તેઓ આ લક્ષ્યો માટે પોતાના વર્ષો જૂના રોકાણો તોડવા માંગતા નથી. તેઓ EMI ચૂકવવાની ક્ષમતા ધરાવે છે અને ઈચ્છે છે કે તેમના SIP, લોન્ગ-ટર્મ પોર્ટફોલિયો અને રિટાયરમેન્ટ પ્લાન્સ કોઈપણ અડચણ વગર વધતા રહે. અહીં પર્સનલ લોન એક પ્રેક્ટિકલ વિકલ્પ બને છે. એક નિશ્ચિત EMI આજનો ખર્ચ મેનેજ કરવામાં મદદ કરે છે અને સાથે લાંબા ગાળાના રોકાણની શિસ્ત જાળવી રાખે છે. વાસ્તવમાં, “સપના પૂરા કરવા લોન લેવી” એ જૂની માન્યતા હવે બદલાઈ રહી છે: આજના ઘણા લેણદારો પહેલેથી જ રોકાણકારો છે — તેઓ પોતાની સંપત્તિ નિર્માણની યાત્રાને અટકાવ્યા વિના લક્ષ્યો હાંસલ કરવા માટે ક્રેડિટનો ઉપયોગ કરે છે. આ ટ્રેન્ડના મૂળમાં ગ્રાહકોની સમજદાર માનસિકતા છે. ઘણા ગ્રાહકો ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે લાંબા ગાળાના રોકાણો ઉપાડવાનું પસંદ કરતા નથી — કારણ કે તેમ કરવાથી ‘કમ્પાઉન્ડિંગ’ની પ્રક્રિયા અટકે છે, ભવિષ્યના નફામાં ઘટાડો થાય છે અને ક્યારેક કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ ભરવો પડે છે. તેના બદલે, EMI દ્વારા તેઓ પોતાની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરે છે અને SIP કે ઇક્વિટી હોલ્ડિંગ્સને સુરક્ષિત રાખે છે.
41 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 09:20 AM
વિશ્વ કેન્સર દિવસઃ જાગૃતિ વધારવી અને વ્યક્તિ-કેન્દ્રિત સંભાળ પર ભાર મૂકવો

વિશ્વ કેન્સર દિવસઃ જાગૃતિ વધારવી અને વ્યક્તિ-કેન્દ્રિત સંભાળ પર ભાર મૂકવો

અમદાવાદ તા.૩ : દર વર્ષે ૦૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને વધુ મજબૂત બનાવાનો છે. કેન્સર આજે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાં એક છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, દેશમાં વર્ષ-૨૦૨૫માં કેન્સરના અંદાજિત ૧૪ લાખથી વધુ કેસ નોંધાયા હતા. દરેક વ્યક્તિની કેન્સર સામેની લડત વ્યક્તિગત, અલગ અને અનન્ય હોય છે. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ “United by Unique” છે. જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળના મહત્વ પર ભાર મૂકે છે, જે દર્શાવે છે કે, કેન્સરથી પીડિત દરેક વ્યક્તિને સંવેદનશીલ, સમાન અને કરુણાસભર સારવાર મળવી આવશ્યક છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેન્સરની બિમારી એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે. જીવનશૈલી, પર્યાવરણીય અને આનુવંશિક પરિબળોના કારણે મોંઢાના કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ૩૦ વર્ષથી વધુ ઉમરના ૦૩ કરોડથી વધુ વ્યક્તિઓની મોંઢાના કેન્સર, ૧.૬ કરોડથી વધુ મહિલાઓની સ્તન કેન્સર તેમજ ૮૨ લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરાયું છે. કેન્સરના રોગની સમયસર તપાસ, નિયમિત સ્ક્રીનિંગ અને આરોગ્યદાયક જીવનશૈલી અપનાવવાથી કેન્સર રોગના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થઇ શકે છે, જેના પરિણામે અનેક જીવ બચાવી શકાય છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે લગભગ એક કરોડ નાગરિકો કેન્સરથી મૃત્યુ પામે છે, જ્યારે ભારતમાં દર વર્ષે અંદાજિત આશરે ૧૪ લાખ નવા કેસ નોંધાય છે. ICMR–NCDIRના અહેવાલ મુજબ ગુજરાતમાં પુરુષોમાં ૦૯ માંથી ૦૧ અને મહિલાઓમાં ૧૨ માંથી ૦૧ મહિલાને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ હોય છે. પુરુષોમાં તમાકુ સંબંધિત કેન્સર અને મહિલાઓમાં સ્તન તથા સર્વાઇકલ કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે.
51 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:27 AM
થાઇરોઇડ જાગૃતિ અભિયાન યુવાન સ્ત્રીઓમાં પ્રારંભિક તપાસના મહત્વ પર પ્રકાશ પાડે છે

થાઇરોઇડ જાગૃતિ અભિયાન યુવાન સ્ત્રીઓમાં પ્રારંભિક તપાસના મહત્વ પર પ્રકાશ પાડે છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ થાઇરોઇડ અંગે જાગૃતિ ફેલાય તે માટે ઝુંબેશ હાથ ધરી હતી અને જણાવ્યું હતું કે આજકાલ નાની ઉંમરની મહિલાઓમાં પણ થાઇરોઇડની સમસ્યા જોવા મળે છે.જો મહિલાઓ થાક અને વજન વધારાની સમસ્યાનો સામનો કરે તો તે હાયપોથેરોઇડ હોવાનો નિર્દેશ કરે છે. હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટે કહ્યું કે,થાઇરોઇડ ગ્રંથી શરીરના સામાન્ય કાર્યોના સંચાલન માટે કેટલાક પ્રકારના હોર્મોન ઉત્પન્ન કરે છે,જ્યારે આ ગ્રંથી કોઈ કારણસર નિષ્ક્રિય બની જાય તો વ્યક્તિ શારીરિક અને માનસિક સ્વરૂપે અસ્વસ્થતા મહેસૂસ કરે છે.
99 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 02:20 AM
સુરતનું સ્વાસ્થ્યવર્ધક'નીરો "પીણું ખોટું હોવાનું જાણવા મળ્યું

સુરતનું સ્વાસ્થ્યવર્ધક'નીરો "પીણું ખોટું હોવાનું જાણવા મળ્યું

તંદુરસ્તી માટે લાભદાયી માનવામાં આવતું નીરો સુરતમાં હવે આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. સુરત શહેરના સ્ટેશન ચોક વિસ્તારમાં આવેલા બજારમાંથી લેવામાં આવેલા નીરાના નમૂનાઓ ફેલ જાહેર થયા છે. ખાદ્ય અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નીરો ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું.
45 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 11:30 PM
પતિના સમયસર હસ્તક્ષેપથી મહિલા કોન્સ્ટેબલનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો

પતિના સમયસર હસ્તક્ષેપથી મહિલા કોન્સ્ટેબલનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો

રવિવારે સવારે ઘરેલુ કંકાસને લઈ ઇડરની મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો જો કે પતિને કંઈક અજુગતું થવાનો અણસાર મળી જતાં તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવતાં સમયસર સારવાર મળી જવાને પગલે હાલ સ્વસ્થ છે અને કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવા મહિલાએ ઇનકાર કર્યો છે. વિશ્વસ્ત સૂત્રોના જણાવ્યાનુસાર ઘરેલુ કંકાસને પગલે મહિલા કોન્સ્ટેબલ તણાવમાં હતી અને પતિ સાથે વાતચીત પણ ચાલુ હતી. તેણે છેલ્લે સોરી નો મેસેજ કરતાં કંઈક અજુગતું થવાનો અણસાર આવી જતાં ક્વાટર્સમાં સાથે જ રહેતો પતિ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો અને પત્નીએ દવા પી લીધી હોવાનું જણાતા હાજર પોલીસ કર્મીઓની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. ખાનગી હોસ્પિટલના ડો.કેવલ પટેલે જણાવ્યું હતું કે દર્દીની હાલત સ્થિર છે અને એકંદરે સ્વસ્થ છે દર્દીની પ્રાયવસી જાળવવા એનાથી વિશેષ કોઈ માહિતી આપી ન શકાય.
58 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 10:40 PM
નાગેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરાગત ઉત્સાહ સાથે મહાશિવરાત્રીની ઉજવણી

નાગેશ્વર મહાદેવ મંદિરમાં પરંપરાગત ઉત્સાહ સાથે મહાશિવરાત્રીની ઉજવણી

દ્વારકાથી 16 કિમી દૂર આવેલાં દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે આગામી મહા વદ 14, તા.15.02.2026 ને રવિવારના રોજ મહાશિવરાત્રિ પર્વની પરંપરાગત રીતે ભકિતભાવ સાથે ધર્મમય ઉજવણી કરવામાં આવશે. નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રિ પર્વે આરતી તથા રાત્ રાત્રિના 4 પ્રહરની પૂજા, રાત્રે 12 કલાકે વિશેષ આરતી શાસ્ત્રો અનુસાર ચાર પ્રહરની પૂજા કરવાથી ભકતોને શિવકૃપા, કલ્યાણ, આરોગ્ય અને મનોઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં મહાશિવરાત્રિએ પ્રથમ પ્રહર રાત્રિના 9.00 થી 11.00 સુધી, દ્વિતીય પ્રહર રાત્રે 11.00 થી 1.00 સુધી, તૃતીય પ્રહર રાત્રે 1.00 થી 3.00 સુધી તેમજ ચતુર્થ પ્રહર વહેલી સવારે 3.00 થી 5.00 વાગ્યા સુધી એમ રાત્રિના ચારેય પ્રહર દરમ્યાન વિશેષ શિવપૂજા કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રિના 12.00 કલાકે શિવજીની વિશેષ આરતી પણ કરવામાં આવશે. મંદિરમાં ભાવિકોની ભીડ રહેતી હોય આરતી તથા ચાર પ્રહરની પૂજા માટે મહાશિવરાત્રિ પૂર્વે નાગેશ્વર મહાદેવ મંદિર કાર્યાલયે પૂર્વ નોંધણી ફરજીયાત રાખવામાં આવી છે.
75 shares
😐
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 07:01 PM
બોડી ઓઇલ મસાજઃ શારીરિક અને માનસિક થાક માટે એક પ્રાચીન સારવાર

બોડી ઓઇલ મસાજઃ શારીરિક અને માનસિક થાક માટે એક પ્રાચીન સારવાર

આજના વ્યસ્ત જીવનમાં શારીરિક અને માનસિક થાક સામાન્ય બની ગયો છે. સતત કામ, તણાવ, અનિયમિત જીવનશૈલી અને પૂરતી આરામની અછતને કારણે શરીરમાં દુખાવો અને થાક અનુભવાય છે આવી સ્થિતિમાં બોડી ઓઈલ મસાજ એક પ્રાચીન અને અસરકારક ઉપચાર તરીકે માનવામાં આવે છે. આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં તે શરીર અને મન બંને માટે લાભદાયક ગણાય છે. બોડી ઓઈલ મસાજ શું છે?
88 shares
😐
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 11:38 AM
ભારતનો માર્ગ અકસ્માત રોગચાળોઃ મૃત્યુદર અને સલામતીના નિયમોનો અભાવ

ભારતનો માર્ગ અકસ્માત રોગચાળોઃ મૃત્યુદર અને સલામતીના નિયમોનો અભાવ

રસ્તા પર ટ્રકના રૂપમાં "કાળ" વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના ડેટા અનુસાર, માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં ભારત વિશ્વમાં આગળ છે. વધુમાં, વિશ્વના ટોચના દસ સૌથી મોટા વાહન બજારોમાં, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં યોગ્ય સલામતી નિયમો અને પરીક્ષણ કાર્યક્રમોનો પણ અભાવ જોવા મળે છે. ADVERTISEMENT દારૂના નશામાં ગાડી ગેરમાં India India India India India World Gujarat Gujarat Lifestyle Sports Sonam Wangchukની NSA હેઠળ કેમ ધરપકડ કરવામાં આવી? કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આપી જાણકારી
94 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 09:25 AM
કુસુમબેનઃ મોટર ન્યુરોન ડિસીઝ દ્વારા સમર્પણ અને દંત ચિકિત્સાનું જીવન ટૂંકું થયું

કુસુમબેનઃ મોટર ન્યુરોન ડિસીઝ દ્વારા સમર્પણ અને દંત ચિકિત્સાનું જીવન ટૂંકું થયું

રાજકોટમાં છેલ્લા ૪૮ વર્ષથી મોટી ટાંકી વિસ્‍તારમાં પ્રેક્‍ટિસ કરતા, રાજકોટ સિવિલ હોસ્‍પિટલ અને મેડિકલ કોલેજ ના ભૂતપૂર્વ ઓનરરી સિનિયર ફિઝિશિયન તથા રાજકોટ લોહાણા મહાજન ના ભૂતપૂર્વ કારોબારી ઉપ પ્રમુખ ડો વી એસ ચંદારાણા ના ધર્મપત્‍ની કુસુમબેન (ઉં. વ. ૭૨)નું શનિવારે તારીખ ૩૧/૦૧/૨૦૨૬ ના મોટર ન્‍યૂરોન ડિઝીઝ નામની જવલ્લે જોવા મળતી લાંબા સમયની બીમારીથી દુઃખદ અવસાન થયેલ છે. અમરેલી સિવિલ હોસ્‍પિટલ ના ભૂતપૂર્વ ક્‍લાસ ૧ ડેન્‍ટલ સર્જન અને કે જે મેહતા ડેન્‍ટલ કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર ઈન ઓરલ એન્‍ડ મેક્‍સઝિલો ડેન્‍ટલ સર્જરી ના માતળશ્રી અને શ્રીનાથજી બાવા માં ખુબજ શ્રદ્ધા રાખતા અને વર્ષમાં બે થી ત્રણ વાર નાથદ્વારાની મુલાકાત લેતા કુસુમબેન ૪ વર્ષ સુધી મોટર ન્‍યૂરોન ડિઝીઝ નામની અસાધ્‍ય બીમારી સામે ઝઝૂમી ને અંતે ૩૧ મી જાન્‍યુઆરી ને શનિવારે વહેલી સવારે ચાર વાગીને ૩૦ મિનિટે અંતિમ શ્વાસ લીધા.આ પહેલા બે વાર તેઓ ૫ થી ૧૦ મિનિટ માટે કોલેપ્‍સ થઈ ગયા બાદ ડો ચંદારાણા અને તેમના પુત્ર દ્વારા સી પી આર,ઇન્‍ટ્રા કાર્ડિયાક એડ્રીનાલિન નું ઇન્‍જેક્‍શન અને અન્‍ય ઘનિષ્ટ સારવાર તેમના ઘરે જ આપ્‍યા બાદ મોત ને હાથ તાળી આપ્‍યા બાદ પાછા ફર્યા ,ત્‍યારે ડોક્‍ટર મિત્રો એ આને ચમત્‍કાર ગણાવ્‍યો. હાર્ટમાં ઇન્‍જેક્‍શન આપ્‍યા બાદ અને જે દર્દીના ધબકારા અને શ્વાસ બંધ થયા બાદ કોઈ જીવતા પાછા ફર્યા એવા દાખલા જવલ્લે જોવા મળે છે. આ રોગમાં મગજ અને કરોડરજ્જુ ના ચેતા તંતુ અને તાાયુની વચ્‍ચે રહેલ મોટર ન્‍યૂરોન નકામા થતાં તાાયુઓ હલન ચલનની ક્ષમતા ગુમાવે છે .ધીમે ધીમે પગમાં માં કે હાથથી ચાલું થયેલ પેરાલિસિસ આગળ વધતા સંપૂર્ણ અંગો પાવર ગુમાવે છે. આવા પ્રકારની નબળાઈ છાતી ના તાાયુ અને ડાયાફાર્મ માં આગળ વધતા દર્દી શ્વાસ લઈ શકતો નથી અને પછી એને બાય પેપ નામના વેન્‍ટિલેટર ઉપર રાખવો પડે છે. જીભ, મોઢાના અને અન્નનળીના તાાયુની નબળાઈ વાચા છીનવી લે છે, દર્દી ખોરાક લઈ શકતો નથી કે ઓતરાય જાય છે ને થૂંક ગળે ઉતારી શકતો ના હોવાથી લાળ પડવાનું ચાલુ થાય છે. પછી ખોરાક માટે નાકમાંથી કે પેટમાં ફીડિંગ ટયુબ નાખવી પડે છે.કેટલાક દર્દીઓને આવી ફીડિંગ ટયુબ અને ગળામાં ટ્રેકયોસ્‍ટોમી કરી શ્વાસ ચાલુ રાખી વર્ષો સુધી જીવાડી શકાય છે. ઘણીવાર રોગની શરૂઆતની સ્‍થિતિમાં નિદાન કરવામાં ડોક્‍ટરો ભૂલ કરી લેતા હોય છે ને ફુટ ડ્રોપ કે એવું શરૂ થાય ત્‍યારે સર્જરી કરી નાખતા હોય છે.નિદાન માટે નર્વ કન્‍ડકશન વેલિસિટી (એનસીવી )કે (ઈએમજી) ઇલેક્‍ટ્રો માયોગ્રાફી કરવા માં આવે છે.
3 shares
😐
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 07:34 AM
દાહોદ શહેરમાં વ્યક્તિએ આત્મહત્યા કરી

દાહોદ શહેરમાં વ્યક્તિએ આત્મહત્યા કરી

દાહોદમાં ભોપાલના યુવકનો આત્મહત્યા દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના ભોપાલનો વતની અને અહીં પોતાના મોસાળમાં રહેવા આવેલા એક 33 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવાનના આ આકસ્મિક પગલાથી પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ADVERTISEMENT ઘટનાની મળતી માહિતી મુજબ, 33 વર્ષીય રાહુલ મટાણી નામનો યુવક મૂળ ભોપાલનો રહેવાસી હતો અને હાલ દાહોદના ગોધરા રોડ પર આવેલા તેના નાના-નાની અને મામાના ઘરે રહેતો હતો. કોઈ અગમ્ય કારણોસર રાહુલે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઈ ત્યારે દોડધામ મચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં યુવકે જીવ ગુમાવી દીધો હતો. CRIME CRIME CRIME CRIME CRIME Tech Sports Gujarat Health-fitness India Apple નો નવો માસ્ટરપ્લાન, 2026માં લોન્ચ થઈ શકે છે ક્લેમશેલ ડિઝાઇન વાળો iPhone Flip
45 shares
😢
Akila News logo
Akila News
Feb 2, 2026, 05:28 AM
બેરિસ્ટરથી પોલ-ડાન્સર સુધીઃ લીશા બોન્ડની સ્વ-શોધની સફર

બેરિસ્ટરથી પોલ-ડાન્સર સુધીઃ લીશા બોન્ડની સ્વ-શોધની સફર

વોર્વિકશર તા.૨: ઇંગ્‍લેન્‍ડના વોર્વિકશરમાં લીશા બોન્‍ડ એક બેરિસ્‍ટર છે. પચાસ વર્ષની ઉંમર સુધી તેઓ માત્ર એક એડ્‍વોકેટ તરીકે જ ઓળખાતાં હતાં. જોકે રોજબરોજના એકધારા કામથી કંટાળીને તેમણે પોતાના જીવનમાં કંઈક નવું કરવા માટે પેશનને ફોલો કરવાનું નક્કી કર્યું. પચાસ વર્ષની ઉંમરે બહેનો કુકિગ, રીડિગ, ટ્રાવેલિગ કે મ્‍યુઝિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ વગાડવા જેવો શોખ પૂરો કરે; પણ લીશાબહેને પોતાનો પોલ-ડાન્‍સિંગનો શોખ શરૂ કર્યો. લીશાને જન્‍મથી જ ટાઇપ-વન ટાઇપનો ડાયાબિટીઝ પણ છે એટલે તેણે હેલ્‍ધી જીવનશૈલી જાળવવી બહુ જરૂરી છે. તેણે એક દીકરાની મા, કોર્ટમાં દલીલો કરતી વકીલની છબિને બાજુએ મૂકીને ગ્‍લેમરસ પોલ-ડાન્‍સર બનવાનું નક્કી કર્યું. શીખવાની શરૂઆત કરતાં જ તેને ફિઝિકલ હેલ્‍થમાં જબરો ફાયદો દેખાયો. પહેલાં ઑનલાઇન એકલા-એકલા શીખતાં લીશાબહેન પછી તો ક્‍લાસમાં જવા લાગ્‍યાં અને એ પછી તો તેમણે ક્‍લબમાં પોલ-ડાન્‍સિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે બાવન વર્ષની વયે લીશાબહેન સાંજે પાંચ વાગ્‍યા સુધી વકીલનું કામ કરે છે અને પછી સાંજની દુનિયા પોલ-ડાન્‍સિંગમાં વ્‍યસ્‍ત થઈ જાય છે
11 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 1, 2026, 10:32 PM
રતાદી ગામમાં 108 ઇમરજન્સી મેડિકલ ટીમે માતા અને બાળકને બચાવ્યા

રતાદી ગામમાં 108 ઇમરજન્સી મેડિકલ ટીમે માતા અને બાળકને બચાવ્યા

પોરબંદર નજીકના રાતડી ગામના વાડીવિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને ચોથી ડિલિવરીની પ્રસૂતાની પીડા ઉપડતા 108 ટીમે સ્થળ પર જ સગર્ભાની 108 એમ્બ્યુલન્સ જોખમી ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોય છે. જેમની એક સેવા 108 ને માનવામાં આવે છે.108 ની ટિમ દ્વારા ગમે તેં સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. રાતડી ગામના વાડી વિસ્તારમાં રહેતા સગર્ભાને ચોથી જોખમી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108ના ઈ.એમ.ટી. ઉદય ઓડેદરા અને પાયલોટ રાજેશભાઈ મોકરીયાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો ઋચીના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી એમ્બ્યુલન્સ મા જ ડીલેવરી કરાવી હતી અને દીકરાનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી લેડી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે રીફર કર્યા હતા.
50 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 1, 2026, 10:25 PM
પોરબંદરના રહેવાસીએ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોખીરા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓનું સમાધાન કરવા વિનંતી કરી

પોરબંદરના રહેવાસીએ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોખીરા વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓનું સમાધાન કરવા વિનંતી કરી

પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અંગેના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા ભાજપના પૂર્વે સુધરાઈ સભ્ય દ્વારા કમિશનર રજુઆત કરી છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ થયું ત્યારે યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સુધરાઈ સભ્ય અજય બાપોદરાએ મ્યુનિસિપલ કમિશનરને પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગેના પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા માટે રજૂઆત કરી હતી. અજય બાપોદરા એ જણાવ્યું હતું કે ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ માટે નવી આંગણવાડી , લાયબ્રેરી અને મોટો વિસ્તાર એવા બોખીરામાં મોટું આરોગ્ય કેન્દ્ર સ્થાપવામાં આવે, બગીચા તથા સ્વીમીંગ પુલ અને સ્પોર્ટ્સની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે,તુંબડા,બોખીરા ,જયુબેલી માં જ્યાં જ્યાં રસ્તાઓનું સમારકામ કરવું પડે ત્યાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર નથી ત્યાં ત્યાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવે,જનકપુરીના રસ્તાઓનું અને પાણીનું કાયમી નિરાકરણ કરવામાં આવે. વરસાદ દરમિયાન બોખીરામાં ઉપરવાસનું પાણી ગામમાં થઈને દરિયામાં જાય છે. જો વરસાદી પાણી નો કાયમી માટે નિકાલ કરવા માટે જીયોગ્રાફીકલ સર્વે કરી અને પાણી સીધું દરિયા માં જાય તેવું વ્યસ્વથા કરવા,પાણીની ભવિષ્યની યોજના માટે નવો સંપ ટાંકો અને લાઇનોનું કામ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
28 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 1, 2026, 10:06 PM
સંસ્કૃત ભાષા અને અસ્થાયી વિજ્ઞાનઃ એક રાષ્ટ્રીય સેમિનાર

સંસ્કૃત ભાષા અને અસ્થાયી વિજ્ઞાનઃ એક રાષ્ટ્રીય સેમિનાર

અહીંની આર. આર. લાલન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (PM-USHA)ના આર્થિક સહયોગથી “સંસ્કૃત ભાષા અને વિભિન્ન લૌકિક વિદ્યાઓ” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી વિદ્વાનો અન કાર્યક્રમના પ્રથમ સત્રમાં કોલેજના આચાર્ય ડૉ. સી.એસ. ઝાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પરિસંવાદની ભૂમિકા સ્પષ્ટ કરતા મુખ્ય સંયોજક અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. મેહુલ શાહે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ભારતીય જ્ઞાન પરંપરાને પુનર્જીવિત કરવા માટે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓને સંસ્કૃત સાથે જોડવી અનિવાર્ય છે. મુખ્ય અતિથિ પદેથી કચ્છ યુનિવર્સિટીના ડૉ. કશ્યપ ત્રિવેદીએ યોગ અને આયુર્વેદ દ્વારા આધુનિક જીવનશૈલીના નિયમન પર માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા તરીકે નડિયાદથી આવેલા ડૉ. અમૃત ભોગાયતાએ ‘સર્વવિદ્યાપ્રકાશકમ્ સંસ્કૃતમ્’ વિષય પર વ્યાખ્યાન આપતા સંસ્કૃતની વૈજ્ઞાનિકતા સમજાવી હતી. આ તકે પસંદગી પામેલા 44 લેખોની પરિસંવાદ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સંશોધન સત્ર અને સમાપન બીજા સત્રમાં ચાર અલગ અલગ વિભાગોમાં કુલ 70 જેટલા સંશોધકોએ પોતાના શોધપત્રો રજૂ કર્યા હતા. આ સત્રોમાં ડૉ. પંકજ ઠાકર, ડૉ. કીર્તિદા વ્યાસ, ડૉ. અત્રિ રાજગોર અને પ્રો. મંજુલા મહેશ્વરીએ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. સમાપન સત્રમાં નખત્રાણા કોલેજના આચાર્ય ડૉ. વિષ્ણુ ત્રિવેદીએ ઉપસ્થિત રહી સંસ્કૃતની વર્તમાન સમયમાં ઉપયોગિતા વિશે વાત કરી સંશોધકોને બિરદાવ્યા હતા. આ પરિસંવાદમાં કુલ 151 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 125 જેટલા પ્રતિભાગીઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. મેહુલ પુરોહિતે અને આભારવિધિ પ્રો. માધવી ધોળકિયાએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ સુચિતા, મયુરી, હિરલ, સાનિયા, એન્જલ, નિસર્ગ અને હિતે ભારે જહેમત ઉઠાવી હતી.
64 shares
😐
Akila News logo
Akila News
Feb 1, 2026, 01:51 PM
ભારતની મોદી સરકારે સતત નવમું બજેટ રજૂ કર્યું, સ્થાનિક ઉત્પાદન અને નિકાસ પર ભાર મૂક્યો

ભારતની મોદી સરકારે સતત નવમું બજેટ રજૂ કર્યું, સ્થાનિક ઉત્પાદન અને નિકાસ પર ભાર મૂક્યો

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કરીને મોદી સરકારના કાર્યકાળનું સતત નવમું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ બજેટમાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને સામાન્ય જનતાને આરોગ્ય તેમજ ટેકનોલોજીના ક્ષેત્રે રાહત આપવા માટે કસ્ટમ ડ્યુટીના માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.મેક ઈન ઈન્ડિયા અને નિકાસ પર ભારબજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં બનતી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે લેધર અને ટેક્સટાઈલ સેક્ટરની નિકાસને ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે (Defence) આત્મનિર્ભરતા વધારવા માટે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં રાહત જાહેર કરવામાં આવી છે.શું સસ્તું થશે? (રાહતની યાદી)કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાને કારણે નીચે મુજબની ચીજવસ્તુઓના ભાવ ઘટવાની શક્યતા છે:* દવાઓ: કેન્સર અને ડાયાબિટીસની 17 જેટલી અત્યંત જરૂરી દવાઓને ડ્યુટી ફ્રી કરવામાં આવી છે.* ગેજેટ્સ: મોબાઈલ ફોનની બેટરી અને લિથિયમ-આયન સેલ સસ્તા થશે.* ગ્રીન એનર્જી: ઇલેક્ટ્રિક વાહનો (EV), સોલર ગ્લાસ અને મિક્સ્ડ ગેસ CNG.* રોજિંદી વસ્તુઓ: કાપડ અને ટેક્સટાઈલ ઉત્પાદનો, ચામડાની વસ્તુઓ અને સિન્થેટિક ફૂટવેર.* અન્ય: માઇક્રોવેવ ઓવન, વિમાનનું બળતણ અને વિદેશ પ્રવાસને લગતા કેટલાક ખર્ચમાં ઘટાડો થશે.શું મોંઘું થશે? (આંચકાની યાદી)કેટલાક ક્ષેત્રોમાં આયાતને નિયંત્રિત કરવા અને આવક વધારવા માટે ડ્યુટી વધારવામાં આવી છે, જેના કારણે નીચેની વસ્તુઓ મોંઘી થઈ શકે છે:* દારૂ (Liquor)* સ્ક્રેપ* ખનિજો અને તેનાથી બનેલા ઉત્પાદનોસામાન્ય માણસ પર અસરબજેટ 2026માં સરકારે આરોગ્ય અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો પર વિશેષ ધ્યાન આપ્યું છે. ગંભીર રોગોની દવાઓ પરથી ડ્યુટી હટાવવાનો નિર્ણય લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. બીજી તરફ, ઘરેલુ ઉદ્યોગને મજબૂત કરવાના નાણામંત્રીના પ્રયાસોથી આગામી દિવસોમાં રોજગારીની તકો વધવાની પણ અપેક્ષા છે.
37 shares
😐
Akila News logo
Akila News
Feb 1, 2026, 01:25 PM
ભારતીય કેન્દ્રીય બજેટમાં આયુષ પાર્ક, પ્રવાસન માળખાગત સુવિધાઓ અને આરોગ્ય રાહત પહેલની જાહેરાત કરવામાં આવી

ભારતીય કેન્દ્રીય બજેટમાં આયુષ પાર્ક, પ્રવાસન માળખાગત સુવિધાઓ અને આરોગ્ય રાહત પહેલની જાહેરાત કરવામાં આવી

જામનગર : જામનગરને આયુષ પાર્કની મોટી ભેટ: કેન્દ્રીય બજેટમાં જામનગર માટે ખાસ 'આયુષ પાર્ક'ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જામનગરને આયુર્વેદિક ચિકિત્સા અને સંશોધનમાં વિશ્વના નકશા પર ટોચનું સ્થાન અપાવશે.>> ઐતિહાસિક વારસાનો વૈશ્વિક વિકાસ: કચ્છના ધોળાવીરા અને લોથલ જેવા ઐતિહાસિક સ્થળો સહિત દેશના 15 પ્રવાસન ધામોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરવા માટે વિશેષ પેકેજની જોગવાઈ કરવામાં આવી છે.>> મધ્યમ વર્ગને આરોગ્યમાં રાહત: કેન્સર અને ડાયાબિટીસ જેવા 7 ગંભીર રોગોની દવાઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે, જે સામાન્ય નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.>> મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા: રાજ્યમાં શિક્ષણ અને નોકરી અર્થે આવતી મહિલાઓ માટે વિશેષ હોસ્ટેલ નેટવર્ક ઊભું કરવામાં આવશે, જેથી દીકરીઓને રહેવા-જમવાની સુરક્ષિત વ્યવસ્થા મળે.>> ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સ: પરિવહનને વેગ આપવા 7 હાઈસ્પીડ રેલ કોરિડર જાહેર કરાયા છે. જોકે ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે.
38 shares
😊
Sandesh logo
Sandesh
Feb 1, 2026, 09:34 AM
ગુજરાતનાં બજેટનાં લાભઃ અપગ્રેડેશન, ડેવલપમેન્ટ અને ગર્લ્સ હોસ્ટેલ

ગુજરાતનાં બજેટનાં લાભઃ અપગ્રેડેશન, ડેવલપમેન્ટ અને ગર્લ્સ હોસ્ટેલ

આજે સંસદમાં નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટથી ગુજરાતને મોટો ફાયદો થશે. ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં બજેટમાં કરાયેલી જોગવાઇઓથી ફાયદો થશે બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ જામનગરમાં આયુર્વેદ મેડિકલ સેન્ટર WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે. ઉપરાંત લોથલ, ધોળાવીરા સાઇટનો વિકાસ કરાશે. જોગવાઇઓ મુજબ દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય બનાવાશે.
41 shares
😊
Akila News logo
Akila News
Feb 1, 2026, 09:33 AM
ભારત સરકારના અંદાજપત્રનો ઉદ્દેશ કિંમતોમાં ઘટાડો કરીને અને સુલભતામાં વધારો કરીને સામાન્ય નાગરિકોને લાભ પહોંચાડવાનો છે

ભારત સરકારના અંદાજપત્રનો ઉદ્દેશ કિંમતોમાં ઘટાડો કરીને અને સુલભતામાં વધારો કરીને સામાન્ય નાગરિકોને લાભ પહોંચાડવાનો છે

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટમાં સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના ફેરફારો કર્યા છે. આ બજેટમાં સૌથી મોટી રાહત આરોગ્ય ક્ષેત્રે મળી છે, જ્યાં કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે. આનાથી લાખો પરિવારોને મોટી આર્થિક મદદ મળશે. બીજી તરફ, રમતગમતના સાધનો (Sports Goods) સસ્તા કરીને સરકારે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને નવું બળ પૂરું પાડ્યું છે.ટેકનોલોજીના શોખીનો માટે પણ આ બજેટ ખુશીઓ લઈને આવ્યું છે. ભારતમાં સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન મળતા સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત, એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ટેક્સમાં કરાયેલા ફેરફારને કારણે હવે એરલાઇન ટિકિટો પણ સસ્તી થવાની સંભાવના છે, જેનાથી મધ્યમ વર્ગ માટે વિમાન મુસાફરી વધુ સુલભ બનશે.જોકે, દર વખતની જેમ આ વર્ષે પણ વ્યસનકારી ચીજવસ્તુઓ પર સરકારનો ડંડો ચાલ્યો છે. સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર ‘હેલ્થ સેસ’ વધારવામાં આવતા હવે ધૂમ્રપાન કરનારાઓએ વધુ કિંમત ચૂકવવી પડશે. આ ઉપરાંત, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો છે, જેની અસર હોટલ અને રેસ્ટોરન્ટના જમવાના બિલ પર પડી શકે છે. લક્ઝરી આયાતી વસ્તુઓ પર પણ ડ્યુટી વધારવામાં આવી છે જેથી ‘મેક ઇન ઇન્ડિયા’ ને વેગ મળે.શું સસ્તું થયું અને શું મોંઘું? (એક નજરે)વિગત સસ્તું (Cheaper) મોંઘું (Costlier)આરોગ્ય કેન્સર અને ડાયાબિટીસની દવાઓ -ટેકનોલોજી સ્માર્ટફોન અને સેમીકન્ડક્ટર ગેજેટ્સ -લાઈફસ્ટાઈલ રમતગમતના સાધનો, એર ટિકિટ સિગારેટ, તમાકુ અને પાન મસાલાઅન્ય સોલાર પેનલના સાધનો કોમર્શિયલ LPG, આયાતી લક્ઝરી કારનાણામંત્રીએ આ બજેટ દ્વારા સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. દવાઓ અને શિક્ષણના સાધનો સસ્તા થવાથી મધ્યમ અને ગરીબ વર્ગને ટેકો મળશે, જ્યારે લક્ઝરી અને વ્યસનકારી વસ્તુઓ પરનો વધારાનો ટેક્સ સરકારની આવક વધારવામાં મદદરૂપ થશે. એકંદરે, આ બજેટમાં સામાન્ય માણસના સ્વાસ્થ્ય અને ડિજિટલ પ્રગતિ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
32 shares
😐
Akila News logo
Akila News
Feb 1, 2026, 09:05 AM
ભારતે વૈશ્વિક આરોગ્ય અને સાંસ્કૃતિક સ્થળ બનવા માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો

ભારતે વૈશ્વિક આરોગ્ય અને સાંસ્કૃતિક સ્થળ બનવા માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો

નવી દિલ્હી :નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬માં ભારતને વિશ્વના નકશા પર 'હેલ્થ અને કલ્ચરલ ડેસ્ટિનેશન' તરીકે સ્થાપિત કરવા માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. ભારતની ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓનો લાભ દુનિયાભરના લોકો લઈ શકે તે માટે દેશમાં ૫ વિશાળ 'રિજનલ મેડિકલ ટૂરિઝમ હબ' સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રો દ્વારા વિદેશી દર્દીઓને આધુનિક સારવાર અને સુવિધાઓ એક જ છત નીચે મળશે, જેનાથી દેશના વિદેશી હૂંડિયામણમાં જંગી વધારો થશે. સાથે જ, ₹૧૦,૦૦૦ કરોડની 'બાયોફાર્મા શક્તિ' યોજના દવાઓના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવશે. પૂર્વોત્તર ભારત (North East) ના વિકાસ માટે 'પૂર્વોદય સ્કીમ' હેઠળ એક ભવ્ય સાંસ્કૃતિક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, અસમ, સિક્કિમ, મિઝોરમ અને ત્રિપુરામાં અત્યાધુનિક 'બૌદ્ધ સર્કિટ'નું નિર્માણ કરવામાં આવશે. આ સર્કિટ માત્ર બૌદ્ધ ધર્મના અનુયાયીઓને જ નહીં, પણ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષશે. આ સાથે જ આ દુર્ગમ વિસ્તારોમાં પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષા માટે હાઈ-ટેક ઈમરજન્સી અને ટ્રોમા કેર સેન્ટર્સનું જાળ બિછાવવામાં આવશે, જે પર્યટન ક્ષેત્રે ગેમ-ચેન્જર સાબિત થશે. અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકારે રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ માટે તિજોરી ખોલી દીધી છે. ૧૬મા નાણા પંચની ભલામણોનો સ્વીકાર કરીને ગ્રામીણ અને શહેરી નિકાયોના વિકાસ માટે ₹૧.૪ લાખ કરોડની તોતિંગ જોગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળથી ગામડાઓ અને શહેરોમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે. સરકારનું લક્ષ્ય ૨૦૩૧ સુધીમાં દેશના દેવાને અર્થતંત્રના ૫૦% ની આસપાસ સીમિત રાખવાનું છે, જે આર્થિક શિસ્તની દિશામાં એક મોટું ડગલું છે. રાજકોષીય ખાધને જીડીપીના ૪.૫% થી નીચે રાખવાના મક્કમ નિર્ધાર સાથે સરકાર વિકાસ અને નાણાકીય સંતુલન જાળવી રહી છે. પ્રવાસન સ્થળો પર આધુનિક કનેક્ટિવિટી અને સ્વાસ્થ્ય સુવિધાઓ વધતા સ્થાનિક સ્તરે લાખો રોજગારીની તકો ઊભી થશે. પૂર્વોત્તર ભારત હવે પછાત રહેવાને બદલે દેશના વિકાસનું 'ગેટવે' બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ બજેટ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક વારસાને આધુનિક અર્થતંત્ર સાથે જોડનારો મજબૂત સેતુ સાબિત થશે.
68 shares
😐
Akila News logo
Akila News
Feb 1, 2026, 08:55 AM
બજેટ 2026: ભારતને આરોગ્ય સંભાળ, ડિજિટલ ચીજવસ્તુઓ અને રોજિંદી વસ્તુઓ માટે કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડામાં રાહત જોવા મળી

બજેટ 2026: ભારતને આરોગ્ય સંભાળ, ડિજિટલ ચીજવસ્તુઓ અને રોજિંદી વસ્તુઓ માટે કસ્ટમ્સ ડ્યુટીમાં ઘટાડામાં રાહત જોવા મળી

✨ બજેટની આકર્ષક હાઈલાઈટ્સ:બજેટ 2026 માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય જનતાને મોટી રાહત આપતા અનેક ચીજવસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. ખાસ કરીને સ્વાસ્થ્ય અને ડિજિટલ ક્ષેત્રે સરકારનું ધ્યાન વધુ જોવા મળ્યું છે.✅ આ વસ્તુઓ હવે સસ્તી મળશે (Relief for Public):* જીવનરક્ષક દવાઓ: કેન્સર અને ડાયાબિટીસની 17 જેટલી મહત્વની દવાઓ પરથી ડ્યુટી હટાવી દેવામાં આવી છે.* ગેજેટ્સ: મોબાઈલ ફોનની બેટરી અને લિથિયમ આયન સેલ સસ્તા થતા સ્માર્ટફોન સસ્તા થશે.* રોજિંદી વસ્તુઓ: કપડાં (ટેક્સટાઈલ), ચામડાની વસ્તુઓ અને સિન્થેટિક પગરખાંના ભાવ ઘટશે.* કિચન અને એનર્જી: માઇક્રોવેવ ઓવન, CNG, બાયોગેસ અને સોલર એનર્જી સાથે જોડાયેલી વસ્તુઓ સસ્તી થશે.* મુસાફરી: વિદેશ પ્રવાસ માટેનો ટેક્સ (TCS) ઘટ્યો છે અને વિમાનના સ્પેર પાર્ટ્સ પણ સસ્તા થશે.❌ આ વસ્તુઓ હવે મોંઘી થશે (Price Hike):* દારૂ (Liquor): બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને કારણે દારૂના ભાવમાં વધારો થશે.* સ્ક્રેપ: ભંગાર અથવા સ્ક્રેપ સંબંધિત વસ્તુઓ હવે મોંઘી બનશે.* ખનીજ: વિવિધ પ્રકારના ખનીજ પદાર્થો પર ડ્યુટી વધતા તેના ભાવ વધશે.💡 તારણ:આ બજેટમાં સરકારે 'મેક ઇન ઇન્ડિયા' ને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં બનતી વસ્તુઓ પર ટેક્સમાં છૂટ આપી છે, જેનાથી મધ્યમ વર્ગને ઘણી રાહત મળશે. બજેટ 2026: શું સસ્તું અને શું મોંઘું? 🛒“તમારા ખિસ્સા પર સીધી અસર કરતા બજેટના મુખ્ય મુદ્દાઓ”✅ આ વસ્તુઓ સસ્તી થશે (જનતાને મોટી રાહત):* દવાઓ: કેન્સરની 17 મહત્વની દવાઓ અને 7 ગંભીર બીમારીઓની દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે.* મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ: મોબાઈલ ફોન, ચાર્જર અને મોબાઈલ બેટરી સસ્તી થશે.* રસોડું અને ગેસ: માઇક્રોવેવ ઓવન અને CNG-બાયોગેસના ભાવમાં ઘટાડો થશે.* સોલર પેનલ: સૌર ઉર્જા (Solar Energy) સંબંધિત સાધનો સસ્તા થશે.* પગરખાં અને કાપડ: ચામડાની વસ્તુઓ, ફૂટવેર અને કાપડ સસ્તું થશે.* વિદેશ પ્રવાસ: વિદેશી ટૂર પેકેજ પર લાગતો TCS 5-20% થી ઘટાડીને માત્ર 2% કરાયો છે.❌ આ વસ્તુઓ મોંઘી થશે (ખિસ્સા પર બોજ વધશે):* દારૂ (Liquor): બજેટની નવી જોગવાઈઓને કારણે દારૂના ભાવમાં વધારો થશે.* મેટલ અને ખનીજ: અમુક પ્રકારના ખનીજ (Minerals) અને મેટલ મોંઘા થઈ શકે છે.* સ્ક્રેપ: ઈન્ડસ્ટ્રીયલ સ્ક્રેપના ભાવમાં વધારો થવાની શક્યતા છે.💰 ટેક્સમાં શું રાહત મળી?* વ્યાજ પર રાહત: મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા મળતા વ્યાજ પર હવે કોઈ ઇન્કમ ટેક્સ કે TDS કપાશે નહીં.* નવો ઇન્કમ ટેક્સ એક્ટ: 1 એપ્રિલ 2026 થી નવો ટેક્સ એક્ટ અમલમાં આવશે, જે પ્રક્રિયાને સરળ બનાવશે.
7 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 1, 2026, 12:15 AM
જ્યોતિષીય આંતરદૃષ્ટિઃ કૌટુંબિક નિર્ણયો અને કારકિર્દીની તકોનો એક સપ્તાહ

જ્યોતિષીય આંતરદૃષ્ટિઃ કૌટુંબિક નિર્ણયો અને કારકિર્દીની તકોનો એક સપ્તાહ

01 ફેબ્રુઆરી 2026 રવિવારથી 07 ફેબ્રુઆરી 2026 શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ પોઝિટિવ:આ અઠવાડિયે પરિવારના મહત્વના નિર્ણયો લેવામાં તમારી ક્ષમતા સાબિત થશે. વ્યસ્તતા છતાં તમારા શોખ માટે સમય કાઢી શકશો. લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ પૂરી થઈ શકે છે. નેગેટિવ:લાગણીઓને બદલે તર્કથી કામ લેજો, નહીંતર કોઈના બહેકાવવામાં આવી શકો છો. નવી પ્રવૃત્તિ શરૂ કરવા કરતાં હાલના કામો પૂર્ણ કરવા પર ધ્યાન આપો. વ્યવસાય:વ્યવસાયમાં ફેરફાર માટે સાનુકૂળ સમય છે. વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન ફાયદાકારક રહેશે. નોકરીયાત વર્ગને ઓફિસમાં થોડી મુશ્કેલી પડી શકે છે. લવ:પતિ-પત્ની વચ્ચે મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય:ચેપ લાગવાની શક્યતા હોવાથી સ્વચ્છતાનું ધ્યાન રાખવું. લકી કલર:સફેદ લકી નંબર:8 પોઝિટિવ:લાંબા સમયની મૂંઝવણોનો ઉકેલ આવશે. સંબંધીઓ તરફથી શુભ સમાચાર મળશે. તમે સાચો અને ખોટો પક્ષ ઓળખીને શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકશો. નેગેટિવ:સપ્તાહના બીજા ભાગમાં સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે, તેથી મહત્વના કામ પહેલા જ પતાવી લેવા. બજેટને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરવો. વ્યવસાય:મીડિયા કે ફોન દ્વારા મહત્વના ઓર્ડર મળશે. નોકરીમાં નવી સત્તા અને જવાબદારી મળી શકે છે. લવ:ઓનલાઇન શોપિંગ અને મનોરંજનમાં પરિવાર સાથે સમય પસાર થશે. સ્વાસ્થ્ય:વાહન સાવધાનીપૂર્વક ચલાવો, પડી જવાથી કે ઈજા થવાની શક્યતા છે. લકી કલર:જાંબલી લકી નંબર:6 પોઝિટિવ:મનગમતી પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. જો તમે તમારી કાર્યપદ્ધતિ ગુપ્ત રાખશો તો અપેક્ષા કરતા વધુ સફળતા મળશે. વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે. નેગેટિવ:ક્રોધ અને આવેશ સંબંધો બગાડી શકે છે. ભાઈઓ સાથે મધુર સંબંધ રાખવા પ્રયત્ન કરવો પડશે. યુવાનોએ પ્રોજેક્ટમાં નિષ્ફળતાથી ગભરાવું નહીં. વ્યવસાય:નાણાકીય બાબતોમાં સફળતા મળશે. ગ્રહદશા ભાગ્ય નિર્માણ કરી રહી છે. નોકરીમાં શુભ સૂચના મળી શકે છે. લવ:પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય:સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. તળેલું અને વાયુ કરે તેવું ભોજન ટાળવું. લકી કલર:સફેદ લકી નંબર:1 પોઝિટિવ:સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો અને માન-સન્માન વધશે. નસીબ કરતા કર્મ પર વિશ્વાસ રાખવો તમારા માટે શુભ રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો યોગ છે. નેગેટિવ:ગજા બહારનું કામ લેવાથી તમારા અંગત કાર્યોમાં અવરોધ આવશે. બજેટનું ધ્યાન રાખવું. મિત્રો સાથે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું. વ્યવસાય:વ્યવસાયમાં વધુ મહેનતની જરૂર છે. લેવડ-દેવડમાં બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. દૂરના વિસ્તારોથી સારા કોન્ટ્રાક્ટ મળી શકે છે. લવ:અહંકારને કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. લગ્નેતર સંબંધો મુશ્કેલી ઊભી કરશે. સ્વાસ્થ્ય:બદલાતા હવામાનને કારણે ઉધરસ અને શરદીની સમસ્યા થઈ શકે છે. લકી કલર:બદામી લકી નંબર:7 પોઝિટિવ:જવાબદારીઓ સારી રીતે નિભાવવાથી મન પ્રસન્ન રહેશે. નજીકના સંબંધીઓ સાથે સંબંધો સુધરશે. મહેમાનગતિમાં સમય પસાર થશે અને રોકાણની યોજના બનશે. નેગેટિવ:નકારાત્મકતાથી દૂર રહેવું અને મુસાફરી ટાળવી. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી, નજીકની વ્યક્તિ પણ છેતરી શકે છે. વ્યવસાય:જૂના સંપર્કોને ફરી જીવંત કરો, તેનાથી લાભ થશે. નોકરી માટે વિદેશ જવા ઈચ્છુકોને સારા સમાચાર મળી શકે છે. લવ:પ્રેમ સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે, સાથીને મનાવવાનો પ્રયત્ન કરો. સ્વાસ્થ્ય:તમે ઊર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવશો. લકી કલર:લીલો લકી નંબર:3 પોઝિટિવ:જૂની સમસ્યાઓ દૂર થતા રાહત મળશે. સામાજિક અને રાજકીય વર્તુળ વધશે. ઘરમાં મહેમાનોના આગમનથી ખુશીનો માહોલ રહેશે. સંતાનની પ્રગતિથી સંતોષ મળશે. નેગેટિવ:પડોશીઓ સાથે સંબંધ સારા રાખો. વધુ પડતા ખર્ચથી પરેશાની થઈ શકે છે. મુશ્કેલ સ્થિતિમાં પણ સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી રાખવો. વ્યવસાય:ગ્રાહકોની જરૂરિયાત મુજબ કામ કરવાથી વેચાણ વધશે. સરકારી કર્મચારીઓ કામના બોજથી પરેશાન રહેશે. માર્કેટમાં તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. લવ:લગ્નજીવન સુખદ રહેશે અને પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે. સ્વાસ્થ્ય:ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે. જીવનશૈલી વ્યવસ્થિત રાખો. લકી કલર:નારંગી લકી નંબર:5 પોઝિટિવ:રોકાણ માટે આ ખૂબ જ સાનુકૂળ સમય છે. તમે તમારી પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં સફળ રહેશો. મનપસંદ પ્રવૃત્તિઓથી માનસિક શાંતિ મળશે. નેગેટિવ:કાયદાકીય બાબતોને અવગણશો નહીં, નહીંતર દંડ ભરવો પડી શકે છે. દસ્તાવેજો સાચવીને રાખો. યુવા વર્ગે નિષ્ફળતાથી હતાશ થવું નહીં. વ્યવસાય:વ્યાપારી યોજનાઓ સફળ થશે. અટકેલા કામ સાથીદારોની મદદથી પૂર્ણ થશે. ઓફિસમાં નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. લવ:પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર થશે. લવ પાર્ટનર સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય:કામના ભારણને લીધે થાક લાગશે, યોગ અને કસરત માટે સમય કાઢવો. લકી કલર:કેસરી લકી નંબર:6 પોઝિટિવ:આ અઠવાડિયે કોઈ જૂની સમસ્યાનો અંત આવશે. રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં સમય આપશો. નેગેટિવ:વધુ પડતા કામના ભારણને બીજા સાથે વહેંચી લો. ઈલેક્ટ્રોનિક વસ્તુ બગડવાથી મોટો ખર્ચ આવી શકે છે. શાંતિથી ઉકેલ લાવવો. વ્યવસાય:બિઝનેસ પાર્ટીઓ સાથે સંપર્ક વધારો. ફેરફાર માટે આ યોગ્ય સમય નથી. ઓફિસનું વાતાવરણ સકારાત્મક રહેશે. લવ:પરિવાર સાથે ફરવા જવાનું આયોજન થશે. લવ પાર્ટનરની લાગણીઓની કદર કરો. સ્વાસ્થ્ય:ધ્યાન અને પ્રાણાયામ કરવાથી માનસિક સ્થિતિ સારી રહેશે. લકી કલર:કેસરી લકી નંબર:9 પોઝિટિવ:બીજાની સલાહને બદલે પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો. જીવનમાં આવી રહેલા પરિવર્તનોને સ્વીકારો, તેનાથી સમસ્યાઓ હલ થશે. માંગલિક પ્રસંગમાં જવાની તક મળશે. નેગેટિવ:પરિવાર સાથે વાત કરતી વખતે અહંકાર ન આવવા દેવો. બાળકો સાથે મિત્રતાભર્યું વર્તન રાખો. સિદ્ધિઓનું બહુ પ્રદર્શન ન કરવું. વ્યવસાય:કાર્યસ્થળ પર કોઈ બહારની વ્યક્તિની દખલથી સાથીદારો વચ્ચે મતભેદ થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. લવ:ઘરમાં સુખ-શાંતિ રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં સમય ન બગાડવો. સ્વાસ્થ્ય:પ્રદૂષણ અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. હાઈજીનનું ધ્યાન રાખવું. લકી કલર:બદામી લકી નંબર:7 પોઝિટિવ:આવકનો અટકેલો સ્ત્રોત ફરી શરૂ થઈ શકે છે. પ્રોપર્ટી કે ઘરની સુખ-સુવિધાની વસ્તુઓની ખરીદીમાં સમય પસાર થશે. તમારું માર્ગદર્શન બાળકો માટે ઉપયોગી સાબિત થશે. નેગેટિવ:આળસને કારણે મહત્વના કામો ચૂકી ન જવાય તેનું ધ્યાન રાખવું. બીજાની બાબતોમાં દખલગીરી ટાળવી. ટીકા કરનારાઓ તરફ ધ્યાન ન આપો. વ્યવસાય:વ્યવસાયિક કામો સમયસર પૂરા કરો. ઓફિસમાં કોઈ કર્મચારીને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે. લવ:લગ્નજીવન ખુશહાલ રહેશે. પ્રેમ સંબંધોમાં સમય અને પૈસાનો બગાડ ન કરવો. સ્વાસ્થ્ય:શરદી, ઉધરસ કે તાવની શક્યતા છે, તરત જ ડોક્ટરની સલાહ લેવી. લકી કલર:જાંબલી લકી નંબર:4 પોઝિટિવ:પારિવારિક સ્તર સુધારવા માટે વિચાર-વિમર્શ થશે. મિત્રની મદદ કરવાથી આંતરિક ખુશી મળશે. બેરોજગાર યુવાનોને નવી આશાનું કિરણ દેખાશે. નેગેટિવ:ભૂતકાળની નકારાત્મક વાતો સંબંધોમાં ખટાશ લાવી શકે છે. ગુસ્સા અને કડવી વાણી પર કાબૂ રાખવો. બીજાના વિવાદોથી દૂર રહેવું. વ્યવસાય:વ્યવસાયમાં મન મુજબ સફળતા મળશે. નવી યોજનાઓ શરૂ કરવા માટે પૂરી શક્તિ લગાવી દો. નોકરીમાં પ્રોજેક્ટની વિગતો ગુપ્ત રાખવી. લવ:પતિ-પત્ની વચ્ચે ગેરસમજ થઈ શકે છે. પરસ્પર તાલમેલ જાળવવો જરૂરી છે. સ્વાસ્થ્ય:ગળું ખરાબ હોવું કે શરદી જેવી સમસ્યાને અવગણશો નહીં. લકી કલર:કેસરી લકી નંબર:9 પોઝિટિવ:આ અઠવાડિયું વ્યસ્ત રહેશે. મહત્વનું કામ પૂરું થતાં રાહત મળશે. તમારી ખાસ યોગ્યતા નિખારવા માટે અનુકૂળ સમય છે. લોકોની ચિંતા કર્યા વગર કામ પર ધ્યાન આપવું. નેગેટિવ:આવક ઘટશે પણ ખર્ચ યથાવત રહેશે. બેદરકારી લક્ષ્યથી ભટકાવી શકે છે. ખોટા મિત્રોથી અંતર રાખવું અને મન પર સંયમ રાખવો. વ્યવસાય:કામનું દબાણ રહેશે. કર્મચારીઓની ગતિવિધિ પર નજર રાખવી. બોસ અને અધિકારીઓ સાથેના સંબંધો મધુર રહેશે. લવ:લાઈફ પાર્ટનર માટે સમય કાઢવો, તેનાથી સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય:ડાયાબિટીસના દર્દીઓએ સાવચેતી રાખવી અને મેડિટેશન કરવું. લકી કલર:પીળો લકી નંબર:9
39 shares
😐
Akila News logo
Akila News
Jan 30, 2026, 05:10 PM
ટાટા-ડેનોનનો સોદો કિંમત અંગેના મતભેદોને કારણે તૂટી પડ્યો

ટાટા-ડેનોનનો સોદો કિંમત અંગેના મતભેદોને કારણે તૂટી પડ્યો

નવી દિલ્હી: ભારતીય કોર્પોરેટ જગતમાં ત્યારે ભારે ખળભળાટ મચી ગયો જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ફ્રેન્ચ જાયન્ટ ડેનોન વચ્ચેનો ૧.૨ અબજ ડોલરનો સંભવિત સોદો અંતિમ તબક્કે રદ થયો. ટાટા ગ્રુપ આ એક્વિઝિશન દ્વારા નેસ્લે અને એબોટ જેવી દિગ્ગજ કંપનીઓના હેલ્થ અને ન્યુટ્રિશન માર્કેટમાં સીધો સિંઘ મારવાની તૈયારીમાં હતું. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કમાણીના અહેવાલ સાથે આ ડીલની જાહેરાત થવાની અપેક્ષા હતી, પરંતુ કિંમત નિર્ધારણ અને ભવિષ્યની વ્યૂહરચના બાબતે બંને પક્ષો વચ્ચે સહમતિ ન સધાતા આ 'મધર ઓફ ઓલ ડીલ્સ' હાલ પૂરતી ઠંડા બસ્તામાં ગઈ છે. ડેનોન ઇન્ડિયા પાસે પ્રોટીનએક્સ, ફેરેક્સ અને ડેક્સોલેક જેવી અત્યંત લોકપ્રિય બ્રાન્ડ્સ છે, જે ટાટાના વેલનેસ પોર્ટફોલિયોને રાતોરાત મજબૂત બનાવી શકે તેમ હતી. નિષ્ણાતોના મતે, ભારતમાં પ્રોટીનની ઉણપ ધરાવતી વિશાળ શાકાહારી વસ્તીને ધ્યાનમાં રાખીને ટાટા આ સેગમેન્ટમાં આક્રમક બનવા માંગતું હતું. જોકે, ડેનોને તેના આખા પોર્ટફોલિયો માટે જે ઊંચી કિંમત માંગી, તે ટાટાના ગણિતમાં બેસતી નહોતી. ટાટા કન્ઝ્યુમરે અગાઉ 'ઓર્ગેનિક ઇન્ડિયા' અને 'કેપિટલ ફૂડ્સ' જેવી બ્રાન્ડ્સ ખરીદીને પોતાની વિસ્તારવાદી નીતિના સંકેત આપ્યા જ છે, પરંતુ આ વખતે નેસ્લે સાથેની સીધી સ્પર્ધા થોડા સમય માટે ટળી ગઈ છે. કોવિડ-૧૯ પછી ભારતીયોમાં હેલ્થ ફૂડ પ્રત્યે જાગૃતિ વધી છે, જેના કારણે અમૂલથી લઈને આઈટીસી (ITC) સુધીની કંપનીઓ પ્રોટીન માર્કેટમાં કૂદી પડી છે. નેસ્લે ઇન્ડિયા પણ પ્લાન્ટ-આધારિત માંસ અને હેલ્થ સપ્લિમેન્ટ્સમાં સતત નવા પ્રયોગો કરી રહ્યું છે. જો ટાટા અને ડેનોન વચ્ચે આ સોદો પાર પડ્યો હોત, તો ભારતીય બજારમાં હેલ્થ ડ્રિંક્સ અને બેબી ફૂડ સેગમેન્ટના સમીકરણો સંપૂર્ણ બદલાઈ ગયા હોત. હાલમાં ટાટા 'ટાટા સિમ્પલી બેટર' જેવી બ્રાન્ડ્સ દ્વારા પોતાની રીતે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ડેનોન જેવું મોટું નામ સાથે ન હોવાથી નેસ્લે સામેના આ જંગમાં ટાટાને હવે નવી વ્યૂહરચના વિચારવી પડશે.
38 shares
😢
Sambhav Metro logo
Sambhav Metro
Jan 28, 2026, 04:35 PM
તલના તેલના ઔષધીય ગુણધર્મોઃ શિયાળુ સુખાકારીમાં વધારો

તલના તેલના ઔષધીય ગુણધર્મોઃ શિયાળુ સુખાકારીમાં વધારો

ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરકસંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના હેલ્થ તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને દૂર કરી શકાય છે.
22 shares
😊
Sambhav Metro logo
Sambhav Metro
Jan 28, 2026, 04:33 PM
શિયાળામાં ઠંડા પાણીથી નહાવાના જોખમોઃ તમારા સ્વાસ્થ્ય માટે આંચકો

શિયાળામાં ઠંડા પાણીથી નહાવાના જોખમોઃ તમારા સ્વાસ્થ્ય માટે આંચકો

શિયાળામાં ઘણા લોકો ઝડપથી સ્નાન કરવા માટે સીધા માથા પર ઠંડું પાણી રેડે છે. આ આદત સામાન્ય લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોઈ શકે છે. નિષ્ણાતોના મતે શિયાળામાં અચાનક માથા પર ઠંડું પાણી રેડવાથી શરીરને આંચકો લાગે છે, જેના કારણે બ્લડ પ્રેશર અસંતુલન થઈ શકે છે.સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ કેમ વધે છેઃ
89 shares
😢
Akila News logo
Akila News
Jan 28, 2026, 04:08 PM
નિકાસને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવા ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી

નિકાસને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવા ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી

નવીદિલ્હી:ભારતઅનેયુરોપિયનયુનિયન(EU)વચ્ચેથયેલાઐતિહાસિકમુક્તવ્યાપારસમજૂતી(Free Trade Agreement)એભારતીયઅર્થતંત્રમાટેનવાયુગનાદ્વારખોલ્યાછે.આસમજૂતીથીસામાન્યજનતામાટેલક્ઝરીવસ્તુઓસસ્તીથશેઅનેલાખોયુવાનોમાટેરોજગારીનીતકોઊભીથશે.ભારતઅનેEUવચ્ચેનાકરારનેકારણેયુરોપથીઆવતીઅનેકમોંઘીવસ્તુઓનાભાવમાંધરખમઘટાડોથશે.ખાસકરીનેજેકારપરઅત્યારે110%આયાતશુલ્કલાગેછે,તેઘટીનેમાત્ર10%થઈજશે(સીમિતક્વોટાહેઠળ).આનાથીમર્સિડીઝ-બેન્ઝ,બીએમડબ્લ્યુઅનેઓડીજેવીલક્ઝરીકારખરીદવીભારતીયોમાટેસસ્તીબનશે.આઉપરાંતવિદેશીચોકલેટ,વાઈન,બિયરઅનેહાઈ-ટેકઈલેક્ટ્રોનિક્સવસ્તુઓનાભાવપણઘટશે. ભારતની99%થીવધુનિકાસનેહવેયુરોપિયનબજારોમાંસીધોપ્રવેશમળશે.કાપડ,ચામડું,ફૂટવેર,ચા,કોફીઅનેરત્ન-આભૂષણજેવાશ્રમ-પ્રધાનક્ષેત્રોનેઆનાથીમોટોલાભથશે.ભારતનેયુરોપિયનમાર્કેટમાં97%ટેરિફલાઇનપરપ્રાથમિકતામળશે,જેનાથીભારતીયમાલયુરોપમાંવધુસ્પર્ધાત્મકબનશે.કેન્દ્રીયવાણિજ્યમંત્રીપીયૂષગોયલેજણાવ્યુંછેકેઆસમજૂતીથીદેશમાંલાખોરોજગારીનીતકોપેદાથશે.હાઈ-ટેકમશીનરીઅનેઆધુનિકટેકનોલોજીભારતઆવતાઉદ્યોગોનોઉત્પાદનખર્ચઘટશે,જેનાથીદેશમાંમેન્યુફેક્ચરિંગસેક્ટરમજબૂતથશે.ખાસકરીનેયુવાપ્રોફેશનલ્સમાટે'મોબિલિટીફ્રેમવર્ક'તૈયારકરાયુંછે,જેભારતીયકુશળકામદારોમાટેયુરોપમાંનોકરીનીતકોવધારશે. આસમજૂતીથીભારતીયખેતીઅનેગ્રામીણઅર્થતંત્રનેનવીઉર્જામળશે.ભારતીયખેડૂતોનામસાલા,દ્રાક્ષ,ડુંગળીઅનેપ્રોસેસ્ડફૂડનેયુરોપનામોંઘાબજારોમાંવધુસારાભાવમળશે.જોકે,સરકારેડેરીઅનેઅનાજજેવાસંવેદનશીલક્ષેત્રોનેસુરક્ષિતરાખ્યાછેજેથીસ્થાનિકખેડૂતોનેનુકસાનનથાય.
87 shares
😐
Sambhav Metro logo
Sambhav Metro
Jan 21, 2026, 04:34 PM
શિયાળાની આદતો જે હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છેઃ આ ઋતુમાં સતર્ક રહો

શિયાળાની આદતો જે હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છેઃ આ ઋતુમાં સતર્ક રહો

શિયાળાનાં આગમન સાથે આહાર અને દિનચર્યામાં ઘણા ફેરફારો થાય છે. ગરમ પરાઠાં, ઘી, માખણ અને મીઠાઈ આ ઋતુની ઓળખ છે, પરંતુ આ જ આદતો હૃદયનાં સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. શિયાળા દરમિયાન કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ ખાસ કરીને વધારે હોય છે, એક હકીકત જેને લોકો ઘણીવાર અવગણે છે.ઠંડા હવામાનમાં શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનો વપરાશ વધે છે. પરિણામે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જે હૃદયરોગના હુમલા અને અવરોધ તરફ દોરી શકે છે. જો તમે શિયાળા દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો કરી રહ્યા છો, તો હમણાં જ સતર્ક રહો અને સ્વસ્થ હૃદય જાળવવા માટે યોગ્ય પદ્ધતિઓ અપનાવો.
54 shares
😢
Sambhav Metro logo
Sambhav Metro
Jan 21, 2026, 04:34 PM
વિન્ટર કમ્ફર્ટ ફૂડ્સઃ હાર્ટ હેલ્થ માટે ખતરો

વિન્ટર કમ્ફર્ટ ફૂડ્સઃ હાર્ટ હેલ્થ માટે ખતરો

શિયાળાનાં આગમન સાથે આહાર અને દિનચર્યામાં ઘણા ફેરફારો થાય છે. ગરમ પરાઠાં, ઘી, માખણ અને મીઠાઈ આ ઋતુની ઓળખ છે, પરંતુ આ જ આદતો હૃદયનાં સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. શિયાળા દરમિયાન કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ ખાસ કરીને વધારે હોય છે, એક હકીકત જેને લોકો ઘણીવાર અવગણે છે.ઠંડા હવામાનમાં શારીરિક પ્રવૃત્તિ ઓછી થાય છે અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનો વપરાશ વધે છે. પરિણામે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, જે હૃદયરોગના હુમલા અને અવરોધ તરફ દોરી શકે છે. જો તમે શિયાળા દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો કરી રહ્યા છો, તો હમણાં જ સતર્ક રહો અને સ્વસ્થ હૃદય જાળવવા માટે યોગ્ય પદ્ધતિઓ અપનાવો.
49 shares
😢
Sambhav Metro logo
Sambhav Metro
Jan 21, 2026, 04:33 PM
ગોળઃ શિયાળાની તંદુરસ્તી માટે એક કુદરતી સુપરફૂડ

ગોળઃ શિયાળાની તંદુરસ્તી માટે એક કુદરતી સુપરફૂડ

જેમ જેમ શિયાળો નજીક આવે છે, તેમ તેમ આહારમાં ફેરફાર જરૂરી બની જાય છે. શિયાળાના ઠંડા મહિનાઓમાં શરીરને વધુ ઊર્જા, ગરમી અને મજબૂત રોગપ્રતિકારક શક્તિની જરૂર પડે છે. ગોળ એક કુદરતી સુપરફૂડ છે જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ પોષણ બંને પ્રદાન કરે છે.ગોળ સદીઓથી ભારતીય ભોજનનો અભિન્ન ભાગ રહ્યો છે. ખાસ કરીને શિયાળામાં ગોળનું સેવન કરવાથી ઘણી સિઝનલ બીમારીથી બચી શકાય છે અને શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ મળે છે.
41 shares
😊
Sambhav Metro logo
Sambhav Metro
Jan 21, 2026, 04:33 PM
ગોળઃ આ શિયાળામાં ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક કુદરતી સુપરફૂડ

ગોળઃ આ શિયાળામાં ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક કુદરતી સુપરફૂડ

જેમ જેમ શિયાળો નજીક આવે છે, તેમ તેમ આહારમાં ફેરફાર જરૂરી બની જાય છે. શિયાળાના ઠંડા મહિનાઓમાં શરીરને વધુ ઊર્જા, ગરમી અને મજબૂત રોગપ્રતિકારક શક્તિની જરૂર પડે છે. ગોળ એક કુદરતી સુપરફૂડ છે જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ પોષણ બંને પ્રદાન કરે છે.ગોળ સદીઓથી ભારતીય ભોજનનો અભિન્ન ભાગ રહ્યો છે. ખાસ કરીને શિયાળામાં ગોળનું સેવન કરવાથી ઘણી સિઝનલ બીમારીથી બચી શકાય છે અને શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ મળે છે.
58 shares
😊
Akila News logo
Akila News
Jan 20, 2026, 06:01 PM
જીવનશૈલીમાં નાના ફેરફારો જીવનની અપેક્ષાઓમાં વર્ષોનો ઉમેરો કરી શકે છેઃ અભ્યાસ

જીવનશૈલીમાં નાના ફેરફારો જીવનની અપેક્ષાઓમાં વર્ષોનો ઉમેરો કરી શકે છેઃ અભ્યાસ

નવી દિલ્હી:શું તમે જાણો છો કે ભારતમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષની આસપાસ હોવા છતાં, મોટાભાગના ભારતીયો તેમના જીવનના છેલ્લા 10 વર્ષ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ સાથે હોસ્પિટલના ખાટલે વિતાવે છે? આ આંકડા ચિંતાજનક છે, પરંતુ વિશ્વવિખ્યાત મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ'માં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસે આયુષ્ય વધારવાનો અત્યંત સરળ અને આશ્ચર્યજનક માર્ગ બતાવ્યો છે.સંશોધકોએ 59,000 લોકોના જીવનશૈલી ડેટાનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું છે કે, લાંબુ જીવવા માટે તમારે કોઈ પર્વતો ખેડવાની જરૂર નથી. અભ્યાસ મુજબ, જો તમે તમારી દૈનિક ઊંઘમાં માત્ર 5 મિનિટનો વધારો કરો અને તમારા ચાલવાના સમયમાં રોજની 2 મિનિટ ઉમેરો, તો આ મામૂલી દેખાતા ફેરફારો તમારા આયુષ્ય અને સ્વાસ્થ્યમાં એક વર્ષનો વધારો કરી શકે છે. જે લોકો દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ અને 20 મિનિટ ઝડપથી ચાલવાની આદત ધરાવે છે, તેમનું મેટાબોલિક સ્વાસ્થ્ય અન્યો કરતા ઘણું સારું જોવા મળ્યું છે.સ્વાસ્થ્યના ત્રણ મજબૂત સ્તંભઅભ્યાસ દર્શાવે છે કે માત્ર આહાર કે માત્ર કસરત પૂરતી નથી, પરંતુ ત્રણ બાબતોનું સંતુલન જરૂરી છે:• સંપૂર્ણ ઊંઘ: રોજની 7 થી 8 કલાકની ઊંઘ શરીરના હોર્મોન્સને સંતુલિત કરે છે અને આંતરિક સમારકામમાં મદદ કરે છે.• નિયમિત પ્રવૃત્તિ: દિવસમાં માત્ર 20-22 મિનિટનું ઝડપી ચાલવું ગ્લુકોઝ લેવલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.• સાત્વિક આહાર: આહારમાં ફળો, શાકભાજી અને ફાઈબરનું પ્રમાણ વધારવાથી ગંભીર રોગોનું જોખમ ઘટે છે.9 વર્ષની વધારાની આઝાદીસૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે લોકો શ્રેષ્ઠ જીવનશૈલી (પૂરતી ઊંઘ, 40 મિનિટ કસરત અને સારો આહાર) પાળે છે, તેઓ ખરાબ જીવનશૈલી ધરાવતા લોકો કરતા સરેરાશ 9 વર્ષ વધુ રોગમુક્ત જીવે છે. આનો અર્થ એ કે વૃદ્ધાવસ્થામાં પણ તમે હૃદય રોગ, કેન્સર કે ડિમેન્શિયા જેવી બીમારીઓ વગર સ્વતંત્ર રીતે જીવી શકો છો.ભારત જેવા દેશમાં જ્યાં મેડિકલ ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે, ત્યાં આ '5 મિનિટ અને 2 મિનિટ'નો મંત્ર દરેક ભારતીય માટે જીવન સંજીવની સમાન સાબિત થઈ શકે છે. યાદ રાખો, સ્વસ્થ રહેવા માટે જીવન બદલવાની જરૂર નથી, બસ નાની આદતોમાં સુધારો કરવાની જરૂર છે.
45 shares
😐
Akila News logo
Akila News
Jan 20, 2026, 06:01 PM
જીવનશૈલીમાં નાના ફેરફારો જીવનની અપેક્ષાઓમાં વર્ષોનો ઉમેરો કરી શકે છેઃ અભ્યાસમાં જાણવા મળ્યું

જીવનશૈલીમાં નાના ફેરફારો જીવનની અપેક્ષાઓમાં વર્ષોનો ઉમેરો કરી શકે છેઃ અભ્યાસમાં જાણવા મળ્યું

નવી દિલ્હી:શું તમે જાણો છો કે ભારતમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષની આસપાસ હોવા છતાં, મોટાભાગના ભારતીયો તેમના જીવનના છેલ્લા 10 વર્ષ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ સાથે હોસ્પિટલના ખાટલે વિતાવે છે? આ આંકડા ચિંતાજનક છે, પરંતુ વિશ્વવિખ્યાત મેડિકલ જર્નલ 'ધ લેન્સેટ'માં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસે આયુષ્ય વધારવાનો અત્યંત સરળ અને આશ્ચર્યજનક માર્ગ બતાવ્યો છે.સંશોધકોએ 59,000 લોકોના જીવનશૈલી ડેટાનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું છે કે, લાંબુ જીવવા માટે તમારે કોઈ પર્વતો ખેડવાની જરૂર નથી. અભ્યાસ મુજબ, જો તમે તમારી દૈનિક ઊંઘમાં માત્ર 5 મિનિટનો વધારો કરો અને તમારા ચાલવાના સમયમાં રોજની 2 મિનિટ ઉમેરો, તો આ મામૂલી દેખાતા ફેરફારો તમારા આયુષ્ય અને સ્વાસ્થ્યમાં એક વર્ષનો વધારો કરી શકે છે. જે લોકો દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ અને 20 મિનિટ ઝડપથી ચાલવાની આદત ધરાવે છે, તેમનું મેટાબોલિક સ્વાસ્થ્ય અન્યો કરતા ઘણું સારું જોવા મળ્યું છે.સ્વાસ્થ્યના ત્રણ મજબૂત સ્તંભઅભ્યાસ દર્શાવે છે કે માત્ર આહાર કે માત્ર કસરત પૂરતી નથી, પરંતુ ત્રણ બાબતોનું સંતુલન જરૂરી છે:• સંપૂર્ણ ઊંઘ: રોજની 7 થી 8 કલાકની ઊંઘ શરીરના હોર્મોન્સને સંતુલિત કરે છે અને આંતરિક સમારકામમાં મદદ કરે છે.• નિયમિત પ્રવૃત્તિ: દિવસમાં માત્ર 20-22 મિનિટનું ઝડપી ચાલવું ગ્લુકોઝ લેવલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.• સાત્વિક આહાર: આહારમાં ફળો, શાકભાજી અને ફાઈબરનું પ્રમાણ વધારવાથી ગંભીર રોગોનું જોખમ ઘટે છે.9 વર્ષની વધારાની આઝાદીસૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે લોકો શ્રેષ્ઠ જીવનશૈલી (પૂરતી ઊંઘ, 40 મિનિટ કસરત અને સારો આહાર) પાળે છે, તેઓ ખરાબ જીવનશૈલી ધરાવતા લોકો કરતા સરેરાશ 9 વર્ષ વધુ રોગમુક્ત જીવે છે. આનો અર્થ એ કે વૃદ્ધાવસ્થામાં પણ તમે હૃદય રોગ, કેન્સર કે ડિમેન્શિયા જેવી બીમારીઓ વગર સ્વતંત્ર રીતે જીવી શકો છો.ભારત જેવા દેશમાં જ્યાં મેડિકલ ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે, ત્યાં આ '5 મિનિટ અને 2 મિનિટ'નો મંત્ર દરેક ભારતીય માટે જીવન સંજીવની સમાન સાબિત થઈ શકે છે. યાદ રાખો, સ્વસ્થ રહેવા માટે જીવન બદલવાની જરૂર નથી, બસ નાની આદતોમાં સુધારો કરવાની જરૂર છે.
76 shares
😐
Sandesh logo
Sandesh
Jan 18, 2026, 04:49 PM
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીની સામ-સામે અથડામણ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીની સામ-સામે અથડામણ

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરીવાર એક ડોક્ટર સાથે માથાકૂટનો બનાવ સામે આવ્યો છે. એક રેસિડેન્ટ ડોક્ટર સાથે દર્દીએ બોલાચાલી કરતાં હોબાળો થયો હતો. સિવિલમાં ડોક્ટર સહિતના સ્ટાફની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. સુરતના નાનપુરામાં રહેતા સલીમ શેખને ઈજા થઈ હોવાથી તેઓ નવી સિવિલમાં સારવાર માટે આવ્યા હતાં, તેઓ ડોક્ટરને ઝડપીથી સારવાર આપવા માટે રજૂઆત કરતા હતાં. તેમણે અપશબ્દો કહેતા જ અન્ય દર્દીને સારવાર આપી રહેલા એક રેસિડેન્ટ ડોક્ટર સાથે ખેંચતાણ કરી હતી. જેથી ડોક્ટરના શર્ટનું ખિસ્સુ ફાટ્યું હતું. જેના કારણે ત્યાં હોબાળો થયો હતો. ત્યાં અન્ય ડોક્ટરો સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. માથાકુટ કરનાર દર્દીને પોલીસ ચોકીમાં લઈ જવામાં આવ્યો હતો.
19 shares
😢
Akila News logo
Akila News
Jan 16, 2026, 05:46 PM
ભારત સૌથી આગળઃ સૌથી વધુ શાકાહારીઓ ધરાવતા 10 દેશો

ભારત સૌથી આગળઃ સૌથી વધુ શાકાહારીઓ ધરાવતા 10 દેશો

નવી દિલ્હી. હવે એવો સમય છે જ્યારે ખાવાનું ફક્ત જરૂરિયાત જ નથી, પરંતુ જીવનશૈલીનો ટ્રેન્ડ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકોએ શાકાહારી અને શાકાહારી આહાર પર ખૂબ ભાર મૂક્યો છે, અને તેમના વિશે જાગૃતિ પણ વધી છે. આ ફક્ત સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે જ નહીં પરંતુ નૈતિક અને પર્યાવરણીય ચિંતાઓને કારણે પણ છે. તેથી, આજે, વિશ્વભરમાં ઘણા દેશો છે જ્યાં મોટી વસ્તીએ શાકાહારને તેમના જીવનના ભાગ રૂપે અપનાવ્યો છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂના ડેટા અનુસાર, વિશ્વભરના ઘણા દેશોમાં શાકાહારીઓની સંખ્યા વધી છે. તો, ચાલો 10 દેશો પર એક નજર કરીએ જ્યાં સૌથી વધુ શાકાહારીઓ છે. ભારત (29.5%)ભારત યાદીમાં ટોચ પર છે, લગભગ એક તૃતીયાંશ વસ્તી શાકાહારી છે. ભારતમાં શાકાહાર ધાર્મિક પરંપરાઓમાં મૂળ ધરાવે છે, ખાસ કરીને હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના "અહિંસા" (અહિંસા) ના સિદ્ધાંતમાં. નોંધપાત્ર રીતે, અહીં શાકાહાર ખૂબ જ વૈવિધ્યસભર છે. કઠોળ, શાકભાજી અને ડેરી શાકાહારી ભોજનનો મહત્વપૂર્ણ ભાગ છે. વધુમાં, ભારતીય મસાલા શાકાહારી ભોજનનો સ્વાદ વધારે છે. મેક્સિકો (૧૯%)બીજા ક્રમે રહેલા મેક્સિકોમાં, પરંપરાગત માંસાહારી ભોજનમાં શાકાહાર ઝડપથી વધી રહ્યો છે. મેક્સીકન ભોજન લાંબા સમયથી કઠોળ, મકાઈ, શાકભાજી અને મરચાંના ઉપયોગ દ્વારા વર્ગીકૃત થયેલ છે, જે શાકાહાર માટે મજબૂત પાયો પૂરો પાડે છે. વધતી જતી આરોગ્ય જાગૃતિ અને નૈતિક વિચારણાઓ અહીં શાકાહારની લોકપ્રિયતામાં વધારો કરી રહી છે.
11 shares
😐
Akila News logo
Akila News
Jan 13, 2026, 05:30 PM
ભારતીય રસોઈમાં વધુ પડતા મીઠાના સેવનના છુપાયેલા જોખમો

ભારતીય રસોઈમાં વધુ પડતા મીઠાના સેવનના છુપાયેલા જોખમો

નવી દિલ્હી : ભારતીય રસોઈમાં મસાલા અને મીઠાનો સ્વાદ જ જમવાની લિજ્જત વધારે છે, પરંતુ શું તમે જાણો છો કે આ સ્વાદ તમારી કિડનીને ધીમે ધીમે નષ્ટ કરી રહ્યો છે? મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નેફ્રોલોજી ડાયરેક્ટર ડૉ. વરુણ વર્માએ મીઠાના અતિશય સેવન અને કિડની વચ્ચેના જોખમી સંબંધ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ શરીર માટે જરૂરી છે, પણ જ્યારે તેની માત્રા વધે છે, ત્યારે કિડની પર વધારાનું ભારણ આવે છે. સોડિયમની વધુ માત્રા લોહીમાં પાણીને રોકી રાખે છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે. કિડનીમાં રહેલી નાની રક્તવાહિનીઓ પર જ્યારે આ ઊંચા દબાણનો સતત મારો થાય છે, ત્યારે કિડનીની ફિલ્ટરેશન (ગાળણ) કરવાની ક્ષમતા નબળી પડી જાય છે.વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના મતે, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દિવસમાં માત્ર ૫ ગ્રામ (આશરે એક નાની ચમચી) થી વધુ મીઠું ન ખાવું જોઈએ. જોકે, આંકડા દર્શાવે છે કે સરેરાશ ભારતીય દિવસમાં ૧૦ થી ૧૨ ગ્રામ મીઠું ખાય છે. પાપડ, અથાણાં, નમકીન અને પ્રોસેસ્ડ ફૂડ આ માત્રામાં ધરખમ વધારો કરે છે.વધુ મીઠું ખાવાથી થતા નુકસાન: બ્લડ પ્રેશરમાં વધારો: જે કિડનીના રોગોનું મુખ્ય કારણ છે.• કિડની સ્ટોન: વધુ સોડિયમ પેશાબમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે, જે પથરીમાં પરિણમે છે.• પ્રોટીન લિકેજ: કિડની નબળી પડવાને કારણે પેશાબમાં પ્રોટીન નીકળવા લાગે છે.• શરીરમાં સોજા: વધુ પાણી રોકાઈ રહેવાને કારણે પગ અને ચહેરા પર સોજા આવે છે.ડૉક્ટરની સલાહ: કિડનીને કેવી રીતે બચાવશો?૧. જમતી વખતે ઉપરથી મીઠું નાખવાની આદત ટાળો.૨. પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ઓછું કરો.૩. સ્વાદ માટે મીઠાને બદલે લીંબુ, મરી અથવા અન્ય કુદરતી મસાલાનો ઉપયોગ કરો.૪. દિવસભર પુષ્કળ પાણી પીવો જેથી શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર નીકળી શકે.
82 shares
😐
Akila News logo
Akila News
Jan 13, 2026, 04:56 PM
ભારતનું યોગ પુનર્જાગરણઃ તેની મૂળ પરંપરાઓ પર પાછા ફરવું

ભારતનું યોગ પુનર્જાગરણઃ તેની મૂળ પરંપરાઓ પર પાછા ફરવું

'મેડ ઇન ઇન્ડિયા'યોગનો વૈશ્વિક દબદબો હિમાલયન યોગ ગુરુ સિદ્ધ અક્ષરના જણાવ્યા મુજબ,ભારતમાં વિદેશી પ્રવાસીઓનો ઉછાળો એ કોઈ કામચલાઉ વલણ નથી,પણ તે પોતાની મૂળ પરંપરાઓ તરફનું'વળતર'છે. તેઓ કહે છે કે યોગ એ સાચું'મેડ ઇન ઇન્ડિયા'છે. લોકો ભલે દુનિયાભરમાં યોગ કરતા હોય,પરંતુ જ્યારે અદ્યતન પદ્ધતિઓ અને ઊંડા જ્ઞાનની વાત આવે છે,ત્યારે તેમને ભારત પાછા આવવું જ પડે છે. તાજેતરમાં ઋષિકેશમાં આયોજિત'અવેકન'રિટ્રીટમાં ૩૦ થી વધુ દેશોના ૧૫૦ થી વધુ લોકોએ ભાગ લીધો,જેમાં ચીન,અમેરિકા અને યુરોપના ડોકટરો,ઉદ્યોગસાહસિકો અને વૈશ્વિક નેતાઓનો સમાવેશ થતો હતો. પર્યટન હવે પરિવર્તનની દિશામાં આ બદલાતા પ્રવાહને કારણે પ્રવાસીઓની રહેણીકરણી પણ બદલાઈ છે. હરિદ્વારમાં ગંગા કિનારે આવેલી બુટિક હોટલોમાં હવે પરંપરાગત પ્રવાસન કરતા'સુખાકારી-સંચાલિત'બુકિંગમાં મોટો વધારો જોવા મળ્યો છે. અમૃત ભવનના ડિરેક્ટર વરુણ બજાજ કહે છે કે ૨૦૨૫ નું વર્ષ યોગ રિટ્રીટ માટે અત્યંત મજબૂત રહ્યું છે. વિદેશી મહેમાનો હવે માત્ર યોગાસન નથી કરવા માંગતા,પણ તેઓ હિન્દુ પરંપરાઓ,સ્થાનિક ધાર્મિક વિધિઓ અને હરિદ્વારની સાંસ્કૃતિક વિરાસતમાં ઊંડો રસ દાખવે છે.
56 shares
😐
Akila News logo
Akila News
Jan 13, 2026, 04:27 PM
ઓપનએઆઈએ 900 કરોડ રૂપિયામાં હેલ્થ-ટેક સ્ટાર્ટઅપ ટોર્ચ હસ્તગત કરી, AIની આરોગ્ય સંભાળ ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું

ઓપનએઆઈએ 900 કરોડ રૂપિયામાં હેલ્થ-ટેક સ્ટાર્ટઅપ ટોર્ચ હસ્તગત કરી, AIની આરોગ્ય સંભાળ ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું

સાન ફ્રાન્સિસ્કો : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો સોદો સામે આવ્યો છે. ChatGPT બનાવતી કંપની OpenAI એ માત્ર ચાર વ્યક્તિઓની બનેલી ટીમ ધરાવતા હેલ્થ-ટેક સ્ટાર્ટઅપ 'ટોર્ચ' ને અંદાજે ₹900 કરોડમાં ખરીદી લીધું છે. આ સોદો સાબિત કરે છે કે ભવિષ્યમાં AI માત્ર કવિતાઓ લખવા કે ઈમેલ ડ્રાફ્ટ કરવા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તે તમારા લોહીના રિપોર્ટ્સ વાંચશે અને તમારી જીવનશૈલીના ડેટા પરથી તમારી બીમારીઓનું પૂર્વાનુમાન પણ કરશે. ટોર્ચની વિશેષતા એ છે કે તે વિખરાયેલા તબીબી ડેટા, ફિટનેસ એપ્સ અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનને એક જ સિસ્ટમમાં જોડીને વ્યક્તિના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરી શકે છે. આ સોદાને ટેક ઉદ્યોગમાં 'ટેલેન્ટ એક્વિઝિશન' તરીકે જોવામાં આવે છે. ટોર્ચની ટીમના ચારેય સભ્યો હેલ્થકેર ડેટા અને હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમમાં ઊંડી પકડ ધરાવે છે. OpenAI હવે તેના પ્લેટફોર્મ પર એક ડેડિકેટેડ હેલ્થ વિભાગ તૈયાર કરી રહ્યું છે, જ્યાં વપરાશકર્તાઓ પોતાના મેડિકલ રિપોર્ટ્સ અપલોડ કરીને AI પાસે તેનું સરળ ભાષામાં વિશ્લેષણ કરાવી શકશે. ઉદાહરણ તરીકે, જો તમારા રિપોર્ટમાં કોઈ લેવલ ઊંચું છે, તો AI માત્ર તેની જાણકારી જ નહીં આપે પણ તમારી પાછલી મેડિકલ હિસ્ટ્રી તપાસીને તેના કારણો અને સાવચેતીઓ પણ જણાવશે. આ ટેકનોલોજી આગામી સમયમાં ડૉક્ટરો અને દર્દીઓ વચ્ચેના સંવાદને વધુ સ્પષ્ટ અને સચોટ બનાવશે. જોકે, આ મોટી ક્રાંતિ સાથે 'ગોપનીયતા' ના ગંભીર સવાલો પણ જોડાયેલા છે. શું લોકો પોતાના અતિ સંવેદનશીલ મેડિકલ રિપોર્ટ્સ ટેક કંપનીઓને સોંપવા તૈયાર થશે? OpenAI માટે ડેટા સુરક્ષા સૌથી મોટો પડકાર સાબિત થશે. તેમ છતાં, ₹900 કરોડનો આ ખર્ચ દર્શાવે છે કે OpenAI આગામી દાયકાના હેલ્થકેર માર્કેટ પર રાજ કરવા માંગે છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે ChatGPT માં આ નવી હેલ્થ સુવિધાઓ ક્યારે સત્તાવાર રીતે લોન્ચ થાય છે અને તે સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે 'ડિજિટલ લાઈફસેવર' સાબિત થાય છે.
88 shares
😐
Akila News logo
Akila News
Jan 12, 2026, 04:13 PM
ટ્રમ્પે ક્યુબાને ચેતવણી આપી કે જો તે વોશિંગ્ટન સાથે સહયોગ કરશે તો તે આર્થિક રીતે અલગ પડી જશે

ટ્રમ્પે ક્યુબાને ચેતવણી આપી કે જો તે વોશિંગ્ટન સાથે સહયોગ કરશે તો તે આર્થિક રીતે અલગ પડી જશે

નવીદિલ્હી:અમેરિકનપ્રમુખડોનાલ્ડટ્રમ્પેક્યુબાનેસીધીચેતવણીઆપીછેકેકાંતોતેવોશિંગ્ટનસાથેસમજૂતીકરેઅથવાસંપૂર્ણઆર્થિકઅલગતા(Economic Isolation)માટેતૈયારરહે.ટ્રમ્પેદાવોકર્યોછેકેવેનેઝુએલાનાતેલપરનિર્ભરક્યુબાનીઅર્થવ્યવસ્થાહવેપતનનીઆરેછેઅનેતેનીપાસેકોઈવિકલ્પબચ્યોનથી.ઉલ્લેખનીયછેકેટ્રમ્પઅત્યારસુધીવેનેઝુએલાપરકાર્યવાહીકરીચૂક્યાછે.ત્યારબાદતેમણેઈરાન,ગ્રીનલેન્ડ,કોલંબિયાઅનેહવેક્યૂબાનેધમકીઆપીછે.ટ્રમ્પેતેમનાસોશિયલમીડિયાપ્લેટફોર્મ'ટ્રુથસોશિયલ'પરલખ્યુંહતુંકે, "વેનેઝુએલાનીસબસિડીનાસહારેક્યુબાનીઅર્થવ્યવસ્થાચલાવવાનોયુગહવેસમાપ્તથઈગયોછે.હવેક્યુબાનેનતેલમળશે,નપૈસા.બધુંજઝીરોછે.હુંતેમનેકડકસલાહઆપુંછુંકેતેઓસમયરહેતાડીલકરીલે." ઉલ્લેખનીયછેકે,ક્યુબાતેનીજરૂરિયાતનું50ટકાતેલવેનેઝુએલાપાસેથીમેળવતુંહતું.પરંતુજાન્યુઆરીમાંમાદુરોનીધરપકડબાદઅમેરિકાએતેલનાપુરવઠાપરસંપૂર્ણનિયંત્રણમેળવીલીધુંછે,જેનાકારણેક્યુબામાંઅત્યારેભારેવીજકાપઅનેઈંધણનીતંગીસર્જાઈછે. ટ્રમ્પનીઆધમકીબાદક્યુબાનાપ્રમુખમિગેલડિયાઝ-કેનેલેઆક્રમકવલણઅપનાવતાXપરલખ્યુંકે, "ક્યુબાએકસ્વતંત્રઅનેસાર્વભૌમદેશછે.અમનેકોઈનિર્દેશઆપીશકેનહીં.અમેસંઘર્ષનથીઈચ્છતા,પરંતુદેશનીરક્ષામાટેલોહીનાછેલ્લાટીપાંસુધીલડવાતૈયારછીએ."ક્યુબાનાવિદેશમંત્રીએઅમેરિકાપર'ગુનાહિતવલણ'અપનાવવાનોઆરોપમૂક્યોઅનેકહ્યુંકેઅમેરિકાવૈશ્વિકશાંતિમાટેખતરોછે.હવાના(ક્યુબા)અનેકારાકસ(વેનેઝુએલા)વચ્ચેનુંદાયકાઓજૂનુંગઠબંધનઅત્યારેજોખમમાંછે.રિપોર્ટ્સમુજબ,વેનેઝુએલામાંઅમેરિકનલશ્કરીકાર્યવાહીદરમિયાનક્યુબાના32સશસ્ત્રજવાનોમાર્યાગયાછે,જેઓત્યાંસુરક્ષાસેવાઓઆપીરહ્યાહતા.આઘટનાએબંનેદેશોવચ્ચેનાસંબંધોમાંવધુકડવાશભરીદીધીછે.અમેરિકનવહીવટીતંત્રનાકેટલાકઅધિકારીઓઅનેરિપબ્લિકનસાંસદોમાનેછેકેક્યુબાપરનોઆદબાણત્યાંનીસામ્યવાદી(Communist)સરકારનાઅંતનીશરૂઆતહોઈશકેછે.જોકે,નિષ્ણાતોસાવધછેકારણકેક્યુબાદાયકાઓથીઅમેરિકનપ્રતિબંધોવચ્ચેટકીરહ્યુંછે.હાલમાંક્યુબાઅનિશ્ચિતતાઅનેઊંડાઆર્થિકસંકટનાખતરનાકતબક્કામાંથીપસારથઈરહ્યુંછે.
56 shares
😐
Akila News logo
Akila News
Jan 8, 2026, 05:51 PM
માઈક્રોસોફ્ટ સમર્થિત ઓપનએઆઈએ AI-સંચાલિત ડૉક્ટર પ્રેપ ટૂલ સાથે તબીબી ડેટા વિશ્લેષણમાં ક્રાંતિ લાવી

માઈક્રોસોફ્ટ સમર્થિત ઓપનએઆઈએ AI-સંચાલિત ડૉક્ટર પ્રેપ ટૂલ સાથે તબીબી ડેટા વિશ્લેષણમાં ક્રાંતિ લાવી

કેવી રીતે કામ કરશેChatGPTહેલ્થ? માઈક્રોસોફ્ટ સમર્થિતOpenAIમુજબ,આ નવું ફીચર તમારી સ્માર્ટ વોચ,ફિટનેસ ટ્રેકર અને મેન્ટલ વેલનેસ એપ્સ સાથે સીધું લિંક થઈ જશે. ·રિપોર્ટ એનાલિસિસ:તે તમારા બ્લડ ટેસ્ટ કે અન્ય રિપોર્ટ્સને સ્કેન કરીને તેનું વિશ્લેષણ કરશે. ·ડૉક્ટર માટે તૈયારી:તે તમને ડૉક્ટર પાસે જતાં પહેલાં કયા પ્રશ્નો પૂછવા જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ તે માટે તૈયાર કરશે.
80 shares
😐
Akila News logo
Akila News
Jan 8, 2026, 04:36 PM
અમેરિકી નૌકાદળે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ઓઇલ ટેન્કર'બેલા 1'ની અટકાયત કરી

અમેરિકી નૌકાદળે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ઓઇલ ટેન્કર'બેલા 1'ની અટકાયત કરી

નવીદિલ્હી:ઉત્તરએટલાન્ટિકમહાસાગરમાંરશિયનધ્વજધરાવતાઓઈલટેન્કર'Bella 1'નેજપ્તકરવાનીઅમેરિકાનીકાર્યવાહીએવૈશ્વિકરાજકારણમાંગરમાવોલાવીદીધોછે.આઓપરેશનમાંબ્રિટનેઅમેરિકાનેસંપૂર્ણસૈન્યસમર્થનપૂરુંપાડ્યુંછે,જેનાકારણેરશિયારોષેભરાયુંછે.બ્રિટિશસંરક્ષણમંત્રાલયેસત્તાવારપુષ્ટિકરીછેકેઆસૈન્યસહયોગઅમેરિકાનાવિશેષઅનુરોધપરઅનેઆંતરરાષ્ટ્રીયકાયદાનીમર્યાદામાંરહીનેપૂરોપાડવામાંઆવ્યોહતો.આઓપરેશનદરમિયાનયુકેનીરોયલનેવીનુંજહાજRFA Tideforceઅમેરિકનદળોનેસતતઓપરેશનલસપોર્ટઆપીરહ્યુંહતું,જ્યારેબ્રિટિશરોયલએરફોર્સ(RAF)એસમગ્રવિસ્તારમાંહવાઈદેખરેખરાખીનેસુરક્ષાસુનિશ્ચિતકરવામાંમહત્ત્વનીભૂમિકાભજવીહતી.આઉપરાંત,બ્રિટનેઅમેરિકીસૈન્યસંસાધનોમાટેજરૂરીબેઝિંગસુવિધાઓઅનેલોજિસ્ટિક્સસહાયપણપૂરીપાડીહતી,જેનાથીઆમિશનનેસફળતાપૂર્વકપારપાડીશકાયું. અમેરિકનયુરોપિયનકમાન્ડનાજણાવ્યાઅનુસાર,આટેન્કરનેસ્કોટલેન્ડઅનેઆઇસલેન્ડવચ્ચેનાઆંતરરાષ્ટ્રીયજળસીમામાંરોકવામાંઆવ્યુંહતું.યુએસકોસ્ટગાર્ડઆજહાજનોઅઠવાડિયાથીપીછોકરીરહ્યુંહતું.વેનેઝુએલાસાથેજોડાયેલીકથિતગેરકાયદેસરપ્રવૃત્તિઓનેકારણેઆજહાજલાંબાસમયથીઅમેરિકનએજન્સીઓનારડારપરહતું. આકાર્યવાહીનાજવાબમાંમોસ્કોએઆકરીપ્રતિક્રિયાઆપીછે.રશિયાનાપરિવહનમંત્રાલયેનિવેદનઆપ્યુંછેકેકોઈપણદેશનેબીજાદેશનારજિસ્ટર્ડજહાજપરબળપ્રયોગકરવાનોઅધિકારનથી.રશિયનનેતાઓએઆઘટનાનેઆંતરરાષ્ટ્રીયસમુદ્રીકાયદાનુંઉલ્લંઘનઅનેખુલ્લેઆમ'પાયરસી'(દરિયાઈડકૈતી)ગણાવીછે. ડેટાએનાલિટિક્સફર્મનારિપોર્ટમુજબ,આટેન્કરમાંઆશરે20લાખબેરલકાચુંતેલભરેલુંહતું,જેવેનેઝુએલાનુંહોવાનુંમનાયછે.વ્હાઇટહાઉસનુંકહેવુંછેકેઆટેન્કરઅમેરિકનપ્રતિબંધોનુંઉલ્લંઘનકરીનેગેરકાયદેસરપ્રવૃત્તિઓમાંસામેલહતું.વ્હાઇટહાઉસનાપ્રેસસેક્રેટરીકેરોલિનલેવિટેસંકેતઆપ્યાછેકેજપ્તકરાયેલાજહાજનાક્રૂમેમ્બર્સપરઅમેરિકનકાયદાહેઠળકેસચલાવવામાંઆવીશકેછે.જોજરૂરપડશેતોતેમનેટ્રાયલમાટેઅમેરિકાપણલાવવામાંઆવશે.
12 shares
😐
Akila News logo
Akila News
Jan 7, 2026, 05:18 PM
2026માં સૂર્યગ્રહણઃ દૂરગામી અસરો સાથે એક આકાશી ઘટના

2026માં સૂર્યગ્રહણઃ દૂરગામી અસરો સાથે એક આકાશી ઘટના

રાજકોટ : વર્ષ ૨૦૨૬ના પ્રારંભિક મહિનામાં જ એક મોટી ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. આગામી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ફાલ્ગુન અમાવસ્યાના પવિત્ર દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, સૂર્યગ્રહણ હંમેશા માનવ જીવન અને પૃથ્વી પર ઊંડી અસર છોડે છે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી અહીં સૂતક કાળના નિયમો પાળવા ફરજિયાત નથી, પરંતુ ગ્રહોની ચાલમાં થતો ફેરફાર તમામ ૧૨ રાશિઓ પર પ્રભાવ પાડશે.ભારતીય સમય અનુસાર, આ સૂર્યગ્રહણ ૧૭ ફેબ્રુઆરીએ સાંજે ૫:૨૬ વાગ્યે શરૂ થશે અને રાત્રે ૭:૫૭ વાગ્યે પૂર્ણ થશે. જ્યોતિષીઓના મતે, આ ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રની જે યુતિ સર્જાશે તે કેટલીક રાશિઓ માટે 'ભાગ્યોદય' લાવશે, તો કેટલીક રાશિઓએ આર્થિક અને સ્વાસ્થ્ય બાબતે અત્યંત સાવચેત રહેવું પડશે. ખાસ કરીને ૬ રાશિના જાતકો માટે આ સમયગાળો મિશ્ર ફળદાયી અથવા સંઘર્ષમય રહી શકે છે.સૂર્યગ્રહણના પડછાયા હેઠળ મેષ, સિંહ અને ધન જેવી અગ્નિ તત્વની રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખૂલી શકે છે. જ્યારે બીજી તરફ, જે રાશિના ગ્રહો નબળા છે તેમણે વાદ-વિવાદથી દૂર રહેવું અને રોકાણ કરતા પહેલા દસ વાર વિચારવું હિતાવહ છે. ગ્રહણના સમયગાળા દરમિયાન મંત્રોચ્ચાર અને દાનનું સવિશેષ મહત્વ રહેલું છે, જેનાથી નકારાત્મક અસરોને ઓછી કરી શકાય છે.
24 shares
😐
Akila News logo
Akila News
Jan 6, 2026, 04:05 PM
ગામલોકોના સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે વિભાપર ગામમાં સરકારી આયુર્વેદ દવાખાના ખોલવામાં આવી

ગામલોકોના સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે વિભાપર ગામમાં સરકારી આયુર્વેદ દવાખાના ખોલવામાં આવી

જામનગર જિલ્લાના વિભાપર ગામે ગ્રામજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો કરવાના હેતુથી નવીન સરકારી આયુર્વેદ દવાખાનાનું નિર્માણ થશે.જેનું ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામક આયુષની કચેરી તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા સંચાલિત આ દવાખાનું આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.આ અંગે વિગતો આપતા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.હિરેન ઠક્કરે જણાવ્યુ હતું કે, જિલ્લા આયોજન કચેરી, જામનગરના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ ૨૦૨૨-૨૩ અંતર્ગત ૧૫% વિવેકાધીન જોગવાઈ અન્વયે મંજૂર થયેલ રૂ૧૯.૯૪ લાખની ગ્રાન્ટ તથા વર્ષ ૨૦૨૫માં જિલ્લા પંચાયત, જામનગર સ્વભંડોળ દ્વારા મંજૂર કરવામાં આવેલ રૂ.૪.૦૪ લાખની ગ્રાન્ટ મળી કુલ રૂ. ૨૩.૯૮ લાખના ખર્ચે આ દવાખાનાનું નિર્માણ કરવામાં આવશે. જેના થકી આયુર્વેદિક ઉપચાર પદ્ધતિનો લાભ ગ્રામજનોને ઘર આંગણે જ મળતો થશે.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, વિભાપર ગ્રામ પંચાયતના સરપંચ હેમંતભાઈ પાંભર અને ઉપસરપંચ શ્રીમતી અસ્મિતાબેન વકાતર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ તાલુકા પંચાયત અધ્યક્ષ કુરજીભાઈ પણસારા, માજી સરપંચ માવજીભાઈ મેંદપરા સહિત ગ્રામ પંચાયતના સદસ્યો, વહીવટી અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.આ અવસરે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.હિરેન ઠક્કર, વિભાપર આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. અંકિતા સોલંકી તથા ફાર્માસિસ્ટ શ્રેયાબેન જાની સહિત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
28 shares
😐
Sandesh logo
Sandesh
Jan 5, 2026, 02:32 PM
ફેટી લીવર કેન્સરની જટિલતાઓને રોકવા માટે પ્રારંભિક તપાસની ચાવી

ફેટી લીવર કેન્સરની જટિલતાઓને રોકવા માટે પ્રારંભિક તપાસની ચાવી

નવું અને આધુનિક કેબિન લેઆઉટ ADVERTISEMENT This is a modal window. Beginning of dialog window. Escape will cancel and close the window. End of dialog window. Business Business Business Business Business Lifestyle Gujarat World Lifestyle Gujarat Early Signs Of Liver Cancer: સમસ્યા વધુ ખરાબ થાય તે પહેલાં ફેટી લીવરના સમજો લક્ષણો
96 shares
😢
Western Times logo
Western Times
Dec 11, 2025, 02:35 PM
ગુજરાતે સમગ્ર રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા પર નજર રાખવા માટે મોબાઇલ વાન શરૂ કરી

ગુજરાતે સમગ્ર રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા પર નજર રાખવા માટે મોબાઇલ વાન શરૂ કરી

રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટેEDCફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ વાન કાર્યરત Øઆ મોબાઈલ વાનના કાર્યક્ષેત્રમાં બે ઝોનમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેવાયા Øકેમિકલ ઉદ્યોગો, GIDC, SEZ,ગેસ લીક ઘટના તથા સંભવિત પ્રદૂષિત વિસ્તારોમાં વાનની ભૂમિકા મહત્વની Øવાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” દ્વારા વિવિધ વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ ભારત એક ઝડપથી વિકસતો દેશ છે ત્યારે તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત એ ફાર્માસ્યુટિકલ,રાસાયણિક,ડાય અનેડાય-ઈન્ટરમીડીએટ્સ,કાપડ,સિરામિક,ધાતુ,રિયુઝ પ્લાસ્ટિક તથા ઓટોમોબાઇલમાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ છે,જેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBદ્વારા તાજેતરમાં બે ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન-EDCફંડ હેઠળ રૂ. ૫.૭૬ કરોડથી વધુના ખર્ચે ખરીદવામાં આવી છે. જે માટેની કાર્ય યોજનાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-CPCBદ્વારા ગુજરાતમાં સક્રિય રીતે કાર્યરત કરવામાં આવી છે.
36 shares
😐
Akila News logo
Akila News
Dec 6, 2025, 04:16 PM
પતંજલિ આયુર્વેદે રશિયન સરકાર સાથે વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા

પતંજલિ આયુર્વેદે રશિયન સરકાર સાથે વ્યૂહાત્મક સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનની સફળ મુલાકાત બાદ, પતંજલિ આયુર્વેદે વેલનેસ અને કુશળ શ્રમ (Skilled Labor)ના ક્ષેત્રમાં રશિયા સરકાર સાથે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.યોગ ગુરુ રામદેવની પતંજલિએ બંને દેશો વચ્ચે વેપાર અને વ્યાપારિક સહયોગને મજબૂત કરવા માટે રશિયા સરકાર સાથે વ્યૂહાત્મક સહકાર કરાર (Strategic Cooperation Agreement) પર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક પ્રસંગે પતંજલિના સ્થાપક યોગ ગુરુ રામદેવ, અને મોસ્કોના મંત્રી તેમજ ભારત-રશિયા સહયોગ બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ સર્ગેઈ ચેરેમિન હાજર રહ્યા હતા.વેલનેસ અને કુશળ શ્રમ પર ધ્યાન કેન્દ્રિતઆ ભાગીદારી વેલનેસ, આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પતંજલિની કુશળતા (Expertise) અને રશિયાના બજારની સંભવિતતાનો લાભ લેવામાં આવશે. આ કરારનો હેતુ આર્થિક સંબંધોને વધારવાનો, સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને જ્ઞાનની વહેંચણી તેમજ ટકાઉ વ્યવસાયિક પ્રથાઓ માટે માર્ગો ખોલવાનો છે.આ અવસરે બોલતા બાબા રામદેવે જણાવ્યું કે, આ ભાગીદારી મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે: વેલનેસ, કુશળ શ્રમ (Skilled Labor) અને આધ્યાત્મિક વિષયવસ્તુ (Spiritual Content).બાબા રામદેવે ભારપૂર્વક કહ્યું કે રશિયામાં ઘણા લોકો વેલનેસ, યોગ, નેચરોપેથી અને આયુર્વેદ પ્રત્યે ઉત્સાહિત છે. તેથી, પતંજલિ મોટા પાયે આ વેલનેસ સેવાઓને રશિયા લઈ જશે.૨૦૦ દેશોમાં વિસ્તરણ માટે રશિયા 'એન્ટ્રી પોઇન્ટ'યોગ ગુરુએ ત્યાં હાજર લોકોને સંબોધતા કહ્યું, "અમે વિશ્વના ૨૦૦ દેશોમાં વેલનેસ લઈ જવાની યોજના બનાવી રહ્યા છીએ, અને આ માટે અમે પ્રવેશ બિંદુ (Entry Point) તરીકે રશિયાની પસંદગી કરી છે." તેમણે વધુમાં જણાવ્યું કે યોગ, આયુર્વેદ, સાંસ્કૃતિક વારસો અને તેના જેવી વિષયવસ્તુની રશિયામાં ખૂબ માંગ છે અને પતંજલિ આ કરાર હેઠળ આ બધું રશિયાને પૂરું પાડશે.
65 shares
😊
Akila News logo
Akila News
Nov 29, 2025, 04:59 PM
ગુજરાતના મુખ્યમંત્રીએ વિકાસનું લક્ષ્ય નક્કી કર્યુંઃ વિકસિત ગુજરાત 2047 માટે સારી કમાણી

ગુજરાતના મુખ્યમંત્રીએ વિકાસનું લક્ષ્ય નક્કી કર્યુંઃ વિકસિત ગુજરાત 2047 માટે સારી કમાણી

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજયના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે, વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે 'અર્નિંગ વેલ- લિવિંગ વેલ'ના બે પિલ્લર આધારિત વિકાસયાત્રાને વધુ ગતિ આપવા સૌ થીન્કિંગ-વેલ ડૂઇંગ વેલનો ભાવ જગાવે.વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'ની થીમ સાથે યોજાયેલી ૧૨મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ આપેલા વિકસીત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં ગુજરાતને વિકસિત ગુજરાત @ ૨૦૪૭થી અગ્રેસર રાખવાનો જે રોડમેપ આપણે લોકો માટે અર્નિંગ વેલ લીવિંગ વેલના મંત્ર સાથે તૈયાર કર્યો છે. તેને થીન્કિંગ વેલ ડૂઇંગ વેલના ભાવથી આ ચિંતન શિબિર વૈચારિક ભાથું પૂરું પાડશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને ફરજો અને વિભાગોની ઓનરશીપ સાથે સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે નિભાવવાનું જણાવતાં ઉમેર્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે.મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, માત્ર ફાઇલ વર્ક કરીને સંતોષ માનવા કરતાં નિયમિતપણે ફિલ્ડ વિઝીટ, સ્થળ પર હાજરી, વાસ્તવિક સમસ્યાઓનો સૂઝબૂઝથી સામનો કરવાની પહેલવૃત્તિ અને લોકહિત તથા કલ્યાણ માટે સંવેદના જગાવીને કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થઇ શકે અને આપણે પોતે કરેલા કામોના મૂલ્યાંકનથી વિકાસની સાચી દિશા નક્કી થઇ શકે.તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી ચિંતન શિબિરની ઉત્તરોત્તર સફળતામાં ટીમ ગુજરાતની મહેનત અને પ્રજા હિત માટેનું સામૂહિક ચિંતન ફળદાયી રહ્યું છે, તેમ જણાવ્યું હતું.૨૦૦૩ની પ્રથમ ચિંતન શિબિરમાં નરેન્દ્રભાઇ મોદીએ આપેલી પ્રેરણા “આપણો અભિગમ સંકલિત હોય, ગામડાઓને ગરીબીમાંથી બહાર કાઢીએ અને એકપણ પરિવાર ગરીબી રેખાથી નીચે ન રહે. જ્યારે ભારત ૨૧મી સદી તરફ અગ્રેસર હોય ત્યારે આ સદીને ભારતની સદી બનાવવામાં આપણા બધા તરફથી કંઇ યોગદાન હોવું જોઇએ. આ ફક્ત રાજકીય કે ઓફીસીયલ કાર્યક્રમ નથી, માનવજાતના ઉત્થાનનો એક નાનો પ્રયાસ છે.”આ વાતનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ જે કહેવું તે કરવું નો મંત્ર અપનાવ્યો છે અને આ વાત સાકાર કરતાં કરોડો લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે. અને ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા જઇ રહ્યું છે. ગુજરાતમાં આપણે તેમના દિશા દર્શનમાં સર્વાંગી વિકાસની ગતિ તેજ બનાવીને માથાદીઠ આવક પાછલા અઢી દાયકામાં ૧૯૮૨૩થી વધારીને ૩ લાખ ૨૨ હજાર સુધી પહોંચાડી છે.મુખ્યમંત્રીએ ત્રિદિવસીય ચિંતન શિબિરના વિધિધ ચર્ચાસત્રોમાં થયેલા સામૂહિક વિચાર મંથનથી મળેલા સૂચનો પર વાસ્તવિક અમલથી સર્વાંગી વિકાસ માટે ટીમ સ્પીરીટથી કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કુપોષણ સામે સામૂહિક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં સામૂહિક જૂથ ચર્ચામાં આવેલા વિષયો પર થયેલી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકનની અને આગામી ચિંતન શિબિરમાં નવી ઊર્જા તથા વધુ ઊંચા વિકાસ લક્ષ્યો સાથે મળવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.ચિંતન શિબિરના વિવિધ વિષયો પર ગંભીરતાપૂર્વક ચિંતન અને મનનથી છેવાડાના માનવીના કલ્યાણ અને રાજ્યની વિકાસયાત્રાને ગતિમાન બનાવવાનો માર્ગ પ્રસ્થાપિત કરવાનો અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, શિબિરમાં થયેલી નિખાલસ અને ટ્રાન્સપરન્ટ ચર્ચાઓ રાજ્યના વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ત્રણ દિવસના સામૂહિક મનોમંથનથી તૈયાર થયેલ મુદ્દાઓ માત્ર આર્કાઈવમાં જ ન રહે, પરંતુ યોગ્ય ડોક્યુમેન્ટેશન થાય તેનો સીધો લાભ ગુજરાતના સામાન્ય નાગરિકોને મળે તે જરૂરી છે.ચિંતન શિબિરમાંથી કઈંક નવું શીખી લોકોના કલ્યાણ માટે જમીની સ્તર પર કાર્યરત રહેવાનો અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રીએ સંઘવીએ કહ્યું કે, માત્ર સચિવાલય સ્તરે નહીં, પરંતુ છેક જિલ્લા પ્રશાસન સુધી શિબિરની ફલશ્રુતિ પહોંચાડીએ.તેમણે શ્રીમદ રાજચંદ્ર આશ્રમના આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલી આ ચિંતન શિબિર સૌને પ્રજાના હિત અને કોઇ ગરીબના આંસુ લુંછવાનું સંવેદના સભર માધ્યમ બનશે, તેવી આશા વ્યક્ત કરી હતી અને રાજચંદ્ર મિશનનો તેમણે આપેલા સહયોગ બદલ આભાર માન્યો હતો.ત્રિદિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા સહિત વરિષ્ઠ સચિવઓ, જિલ્લા કલેક્ટરઓ, વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સામાન્ય વહીવટી વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના સચિવ હારિત શુકલાએ આ શિબરની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો
4 shares
😊
Sandesh logo
Sandesh
Nov 25, 2025, 04:50 PM
ગુજરાત રાજ્ય સરકારે સામૂહિક ચિંતન અને વિકાસ માટે 12મા ચિંતન શિબિરનું આયોજન કર્યું

ગુજરાત રાજ્ય સરકારે સામૂહિક ચિંતન અને વિકાસ માટે 12મા ચિંતન શિબિરનું આયોજન કર્યું

રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિર આગામી ૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર આયોજિત ચિંતન શબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ સહભાગી થશે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં યોજાનાર ૧૨મી ચિંતન શિબિરમાં મંત્રી મંડળના સભ્યો સહિત ૨૪૧ જેટલા આઈ.એ.એસ, આઈ.પી. એસ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે. જેમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે. આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે. ચિંતન શિબિરનો પ્રારંભ તા. ૨૭ નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે તથા બાકીના બે દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા, બેઠકો યોજાશે. ત્રી દિવસીય ચિંતન શિબિર દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે. આ ઉપરાંત શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
31 shares
😐
Sandesh logo
Sandesh
Nov 25, 2025, 03:05 PM
ઉચ્ચ કોલેસ્ટ્રોલઃ હૃદયરોગના હુમલાનું ઘાતક કારણ

ઉચ્ચ કોલેસ્ટ્રોલઃ હૃદયરોગના હુમલાનું ઘાતક કારણ

ઉચ્ચ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકનું કારણ છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. ત્યારે તે ધમનીઓની દિવાલો સાથે ચોંટી જાય છે. કોલેસ્ટ્રોલ ઉપયોગી છે, પરંતુ જો તેનું સ્તર થોડું પણ વધે તો તે જીવલેણ બની શકે છે. આજે વિશ્વમાં મોટાભાગની હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ ઉચ્ચ કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલ એક ચીકણો પદાર્થ છે જે લોહીમાં વધે તો રક્તવાહિનીઓને બંધ કરી દે છે. આ રક્ત પ્રવાહ ઘટાડે છે અથવા બંધ કરે છે. આ હૃદયરોગના હુમલાનું જોખમ અનેક ગણું વધારે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલના મુખ્ય કારણો આપણી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતો છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા ખોરાક વિશે જાણો જે ઉચ્ચ રક્ત કોલેસ્ટ્રોલ સ્તરને રોકવામાં અથવા યકૃતમાં વધુ પડતા કોલેસ્ટ્રોલના સંચયને રોકવામાં મદદ કરી શકે છે. ઓટ્સ એ ટોચની પ્રાથમિકતા છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર, ઓટ્સનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવાની સૌથી સરળ રીતોમાંની એક છે. નાસ્તામાં ઓટમીલ અથવા ઠંડા ઓટ આધારિત અનાજ ખાવાથી 1 થી 2 ગ્રામ દ્રાવ્ય ફાઇબર મળે છે. ઓટ્સની કોલેસ્ટ્રોલ-ઘટાડવાની અસર તેમાં રહેલા β-ગ્લુકન સાથે જોડાયેલી છે. આ β-ગ્લુકન આંતરડાની દિવાલની સ્નિગ્ધતા વધારે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર, ભીંડા એ ઓછી કેલરીવાળી શાકભાજી છે જે દ્રાવ્ય ફાઇબરનો સારો સ્ત્રોત છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે ભીંડાનું સેવન લો-ડેન્સિટી લિપોપ્રોટીન અથવા ખરાબ કોલેસ્ટ્રોલને નોંધપાત્ર રીતે ઘટાડે છે. ભીંડા કુલ કોલેસ્ટ્રોલ, ફાસ્ટિંગ બ્લડ સુગર અને હિમોગ્લોબિન A1C સ્તરને પણ ઘટાડે છે. વધુમાં, ભીંડા લિપિડ મેટાબોલિઝમ જનીનો અને આંતરડાના માઇક્રોબાયોટાને પ્રભાવિત કરે છે, લિપિડ પ્રોફાઇલમાં સુધારો કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને લાભ આપે છે. Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
21 shares
😢
Akila News logo
Akila News
Nov 23, 2025, 04:11 PM
સ્થૂળતાઃ નબળી જીવનશૈલીની આદતો અને આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલ આરોગ્યનો વધતો ખતરો

સ્થૂળતાઃ નબળી જીવનશૈલીની આદતો અને આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલ આરોગ્યનો વધતો ખતરો

નવી દિલ્હી : વધુ પડતું વજન અને સ્થૂળતાને એક મુખ્ય સ્વાસ્થ્ય ખતરો માનવામાં આવે છે, જે તમામ ઉંમરના લોકોને અસર કરે છે. અભ્યાસો દર્શાવે છે કે ખરાબ ખાવાની આદતો, તણાવ, વ્યસ્ત સમયપત્રક અને અપૂરતી શારીરિક પ્રવૃત્તિ સ્થૂળતામાં ફાળો આપતા મુખ્ય પરિબળો છે. સ્થૂળતા માત્ર શરીરના દેખાવને નુકસાન પહોંચાડતી નથી પરંતુ ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને ફેટી લીવર જેવી સમસ્યાઓનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધારે છે. સંશોધકો કહે છે કે જીવનશૈલી અને આહારમાં અસંતુલન વજન વધવાનું મુખ્ય કારણ છે, તો બીજી ઘણી સ્થિતિઓ પણ ઓળખવામાં આવી છે જે નોંધપાત્ર જોખમ પરિબળો હોઈ શકે છે. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે આબોહવા પરિવર્તન પણ વધતી વજન વધવાની સમસ્યામાં ફાળો આપી રહ્યું છે, અને દરેકને આ વિશે જાગૃત રહેવાની જરૂર છે. જો તાજેતરના વર્ષોમાં તમારું વજન થોડા પાઉન્ડ વધ્યું હોય, તો શક્ય છે કે આ આબોહવા પરિવર્તનનું પરિણામ હોઈ શકે. ડચ વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2) નું વધતું સ્તર ચોખા અને જવ જેવા મહત્વપૂર્ણ પાકોને વધુ કેલરીયુક્ત અને ઓછા પૌષ્ટિક બનાવી રહ્યું છે.
81 shares
😢
Akila News logo
Akila News
Nov 18, 2025, 04:42 PM
રાજકોટની ખાદ્ય શાખાએ જાહેર આરોગ્યની ચિંતા વચ્ચે વેપારીઓની તપાસ હાથ ધરી

રાજકોટની ખાદ્ય શાખાએ જાહેર આરોગ્યની ચિંતા વચ્ચે વેપારીઓની તપાસ હાથ ધરી

રાજકોટ તા.૧૮: શહેરીજનોના જન આરોગ્‍ય હિતાર્થે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારના ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકી હાથ ધરવામાં આવી રહયુ છે ત્‍યારે થોડા સમય પહેલા સીધેશ્વર ઢોસામાંથી બટર,ગાયત્રી મદ્રાસ કાફેમાંથી કપાસીયા તેલ તથા શ્‍યામ ડેરી પ્રોડકસમાંથી પનીર તથા ક્રાઇટલ બેવરેજીસમાં બિલકીંગ વોટરના નમુના પરિક્ષણ અર્થે મોકલવામાં આવતા તમામ નમૂના નાપાસ જાહેર થયા છે. આ ઉપરાંત આજીડેમ ચોકડી વિસ્‍તારમાં ૧૨ ધંધાર્થીને લાઇસન્‍સની નોટીસ પાઠવવામાં આવી છે. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા‘સીધેશ્વર ઢોસા',નાનામવા સર્કલ પાસે,નાનામવા રોડ,RMCઆરોગ્‍ય કેન્‍દ્ર સામે,રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બટર (લુઝ) નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાંB.R.READING AT 40 Cમિલ્‍ક સોલીડ નોટ ફેટ ની માત્ર ધારાધોરણ કરતાં વધુ,રીચર્ટ વેલ્‍યૂ ધારા ધોરણ કરતાં ઓછી તથા તીલ ઓઇલની હાજરી હોવાથી નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
98 shares
😐