Achira News Logo
Achira News
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:18 AM
આર. ટી. આઈ. વિનંતીને નકારી કાઢવા બદલ ભારતીય અધિકારીને દંડ

આર. ટી. આઈ. વિનંતીને નકારી કાઢવા બદલ ભારતીય અધિકારીને દંડ

ભુજ,તા.તા.3 :માહિતી અધિકાર કાયદા હેઠળ માંગેલીમાહિતી પૂરી ન પાડવા બદલ નખત્રાણાના મોટી ખોંભડીના મહિલા તલાટી સહમંત્રીને રૂા. પાંચહજારનો દંડનો ચુકાદો રાજ્ય માહિતી કમિશનર (ગાંધીનગર) દ્વારા અપાયો છે. ફરિયાદી દીપકકુમારપ્રાગજી શેઠિયાની મોટી ખોંભડીમાં આવેલી વડીલોપાર્જિત મિલકત બાબતના દાવામાં ફરિયાદીતરફેણમાં નખત્રાણાની સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ હુકમ મુજબ ગ્રામ પંચાયતના રેકર્ડમાંફેરફાર કરી કોર્ટના હુકમ મુજબ નામો દાખલ કરવા ફરિયાદીએ મહિલા તલાટી સહમંત્રી સમક્ષઅરજી આપી હતી પરંતુ અમલવારી ન કરી દાદ ન આપતાં માહિતી અધિકાર કાયદા હેઠળ આ અંગે વિગતોફરિયાદીએ માગતાં તે પણ ન આપતાં ફરિયાદીએ છેક રાજ્ય માહિતી કમિશનર સુધી ધા નાખતાં બંનેપક્ષકારને સાંભળી મહિલા તલાટી સહમંત્રી હસુમતીબેન આર. પરમારને જવાબદાર ઠેરવી રૂા. પાંચહજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
66 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થાય તે પહેલા ભાજપે નેતાની પસંદગી કરી

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થાય તે પહેલા ભાજપે નેતાની પસંદગી કરી

ઈમ્ફાલ તા.3 :મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આવતા વર્ષે સમાપ્ત થવાનું છે અનેભાજપના નેતાઓ તે પહેલાં સરકાર બનાવવા માગે છે,ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરનાનવા મુખ્યમંત્રી બનશે. એક મીડિયા હેવાલ મુજબ,ભાજપ મુખ્યાલય ખાતેમણિપુરના ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ પહેલાં સોમવારે ભાજપે પાર્ટીના રાષ્ટ્રીયમહાસચિવ તરુણ ચુઘને મણિપુરમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. અગાઉ,ભાજપના મહામંત્રીઓએ બીજેપીના વિસ્તરણ કાર્યાલયમાં ગૃહમંત્રી અમિત શાહ સાથેમુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન,સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ હાજર રહ્યાહતા. નોંધનીય છે કે,ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગતફેબ્રુઆરી,ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરનાનવા મુખ્યમંત્રી બનશે. એક મીડિયા હેવાલ મુજબ
89 shares
😐
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
રાહુલ ગાંધીના રાષ્ટ્રીય સુરક્ષા પરના નિવેદનને લઈને હોબાળો, લોકસભા સ્થગિત

રાહુલ ગાંધીના રાષ્ટ્રીય સુરક્ષા પરના નિવેદનને લઈને હોબાળો, લોકસભા સ્થગિત

નવી દિલ્હી,તા.તા.3 :લોકસભામાંરાહુલ ગાંધીના ભાષણ વખતે આજે સતત બીજા દિવસે હંગામો થતાં ગૃહની કામગીરી સ્થગિત કરવીપડી હતી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલગાંધીએ ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાનધમાલ મચી હતી. અમુક સાંસદો આગળ ધસી ગયા હતા અને સ્પીકરના આસન તરફ કાગળો ફેંક્યા હતા.નારાજ સ્પીકરે કોંગ્રેસના સાત અને સીપીઆઇ-એમના એક સાંસદને આખા સત્ર માટે સસ્પેન્ડ કરીદીધા હતા. મોડેથી રાહુલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખી આક્ષેપ કર્યો હતો કે
81 shares
😊
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
ભુજ જિલ્લા વહીવટીતંત્રે મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારા હાથ ધર્યા

ભુજ જિલ્લા વહીવટીતંત્રે મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારા હાથ ધર્યા

ભુજ,તા.તા.3 :મતદારયાદીને શુદ્ધ અને ક્ષતિરહિતબનાવવા માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન મતદારયાદી સુધારણા ઝુંબેશહાથ ધરવામાં આવી હતી. સરના ટૂંકાં નામે ઓળખાતી આ કામગીરી હવે અંતિમ તબક્કે પહોંચી છે.
66 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:16 AM
મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ સમારોહને લઈને વિવાદ ઊભો કર્યો

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ સમારોહને લઈને વિવાદ ઊભો કર્યો

મહારાષ્ટ્રનાં પહેલા મહિલા નાયબ મુખ્ય પ્રધાન તરીકે સુનેત્રાપવારે શપથ લીધા પછી વિવાદ ઊભો કરાયો છે. પતિના નિધનના માંડ ત્રણ દિવસ થયા હતા ત્યાંસુનેત્રા અજિત પવારને શપથ લેવાની એવી તે શી ઉતાવળ હતી કે તેરમાની વિધિ પતી જાય ત્યાંસુધી તેઓ રાહ જોવા તૈયાર નહોતાં. ધર્મ,પ્રથા અને સામાજિક વહેવારની દુહાઈઓ આપી રાજકારણીઓ સુનેત્રા પવારના આ પગલાનેવખોડી રહ્યા છે,જાણે તેમના આ પગલાથી ધરતી રસાતળ થઈ જવાની હોયકે આભ તૂટી પડવાનું હોય. એનસીપી (એસપી)ના સર્વેસર્વા અને અઠંગ રાજકારણી શરદ પવારે પત્રકારપરિષદ બોલાવીને કહ્યું કે સુનંદા પરિવારને જાણ કર્યાં વિના શપથવિધિ માટે નીકળી ગયાં.જોકે,કેટલાક નિર્ણયો પરિસ્થિતિને આધિન હોય છે અને ધાર્મિક વિધિઓતથા કર્મકાંડની છડેચોક ઠેકડી ઉડાડનારાઓ આ બાબતમાં ધર્મ વિરુદ્ધ થયું છે એવી કાગારોળકરે છે ત્યારે શેતાન બાઇબલ ટાંકતો હોય એવું જણાય છે. છેલ્લા થોડા સમયથી એક નરેટિવ ચલાવવામાંઆવી રહ્યું છે કે બંને એનસીપીનું એકીકરણ થવાનું છે. અજિત પવારે પણ આવો સંકેત આપ્યોહોવા છતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે કેટલાંકસ્થળે બંને એનસીપીએ યુતિ કરી છે. ધારો કે બંધબારણે કાકા-ભત્રીજા વચ્ચે પક્ષના એકીકરણનીવાત થઈ હોય તો પણ કાકાનો પક્ષ ભત્રીજામાં ભળે તો ભાજપના વડપણ હેઠળના એનડીએમાં રહેશેકે કાકા-ભત્રીજો વર્તમાન રાજકીય ગઠબંધન તોડશે એ સ્પષ્ટ નહોતું. અજિત પવાર હવે હયાતનથી અને શરદ પવાર બોલે એક,તેમના મગજમાં ચાલતું હોય બીજું અનેતેઓ કરે કંઈક ત્રીજું અને તેમનો આશય કંઈક ચોથો જ હોય એવા કિસ્સાઓથી તેમનો ભૂતકાળ સભરછે. અત્યારે થઈ રહેલા હોબાળામાં કોનો હાથ અને ભેજું છે,એ માત્રરાજકીય વિશ્લેષક કે નિરીક્ષક જ સમજી શકે એવું નથી. સુનેત્રા પવાર રાજકારણીઓના પરિવારમાંથીઆવે છે,લગ્ન પછી તેઓ રાજકારણથી દૂર હતાં. પતિએ કાકા સાથે છેડોફાડયો એ પછી સુનેત્રાને ચૂંટણીના રાજકારણમાં ઊતરવાની ફરજ પડી. અત્યારે પરિસ્થિતિ એવીછે કે વડા વિનાનો પક્ષ અને સત્તા વિનાના રાજકારણીઓના સમૂહને સાચવવા માટે તેમને તાકીદેશપથ લેવા પડયા. મહારાષ્ટ્રનું રાજકારણ એવું છે કે જરાસરખી ભૂલ કે વિલંબ થાય તો વિધાનસભ્યોતોડી લેવા બધા જ પક્ષો તત્પર બેઠા છે. એમાંય વળી,શરદ પવાર સહાનુભૂતિકાર્ડ ઊતરે તો પતિના પક્ષનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ પડે. પવાર પરિવાર ધાર્મિકરીતે બહુ સક્રિય નથી,આથી જે લોકો હિન્દુ વિધિથી થયેલા અંતિમસંસ્કાર અને તેર દિવસ સુધી રાહ જોવાની જરૂર હતી,એવી વાતોની દુહાઈઆપે છે,તેઓ ભૂલી જાય છે કે શાસ્ત્રોમાં આપદ ધર્મ નામનો એક વિચારપણ છે. વળી,સુધારાવાદી ગણાતા પવાર પરિવારનાં પુત્રવધૂ પતિનાનિધન બાદ તેમના પક્ષને બચાવવા માટે સક્રિય થયાં હોય તો એમાં ખોટું શું છે?પ્રથા અને સામાજિક વહેવારની દુહાઈઓ આપી રાજકારણીઓ સુનેત્રા પવારના આ પગલાનેવખોડી રહ્યા છેજાણે તેમના આ પગલાથી ધરતી રસાતળ થઈ જવાની હોયકે આભ તૂટી પડવાનું હોય. એનસીપી (એસપી)ના સર્વેસર્વા અને અઠંગ રાજકારણી શરદ પવારે પત્રકારપરિષદ બોલાવીને કહ્યું કે સુનંદા પરિવારને જાણ કર્યાં વિના શપથવિધિ માટે નીકળી ગયાં.જોકેકેટલાક નિર્ણયો પરિસ્થિતિને આધિન હોય છે અને ધાર્મિક વિધિઓતથા કર્મકાંડની છડેચોક ઠેકડી ઉડાડનારાઓ આ બાબતમાં ધર્મ વિરુદ્ધ થયું છે એવી કાગારોળકરે છે ત્યારે શેતાન બાઇબલ ટાંકતો હોય એવું જણાય છે. છેલ્લા થોડા સમયથી એક નરેટિવ ચલાવવામાંઆવી રહ્યું છે કે બંને એનસીપીનું એકીકરણ થવાનું છે. અજિત પવારે પણ આવો સંકેત આપ્યોહોવા છતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે કેટલાંકસ્થળે બંને એનસીપીએ યુતિ કરી છે. ધારો કે બંધબારણે કાકા-ભત્રીજા વચ્ચે પક્ષના એકીકરણનીવાત થઈ હોય તો પણ કાકાનો પક્ષ ભત્રીજામાં ભળે તો ભાજપના વડપણ હેઠળના એનડીએમાં રહેશેકે કાકા-ભત્રીજો વર્તમાન રાજકીય ગઠબંધન તોડશે એ સ્પષ્ટ નહોતું. અજિત પવાર હવે હયાતનથી અને શરદ પવાર બોલે એક
61 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:16 AM
વિપક્ષની ટીકા વચ્ચે ભારત સરકારે અમેરિકાની વેપાર સમજૂતીનો બચાવ કર્યો

વિપક્ષની ટીકા વચ્ચે ભારત સરકારે અમેરિકાની વેપાર સમજૂતીનો બચાવ કર્યો

નવી દિલ્હી,3 (પીટીઆઈ) : ભારત અને અમેરિકાવચ્ચે થયેલા સોદા પર વિપક્ષો પ્રહાર કરી રહ્યા છે ત્યારે સરકારે આ વેપાર કરારને કૃષિઅને ડેરી ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરનારો ગણાવ્યો હતો. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલેકોંગ્રેસ સહિતના અન્ય પક્ષો પર પ્રહાર કરતાં વિપક્ષની નકારાત્મક માનસિકતા હોવાનું કહ્યુંહતું. વિપક્ષોએ એવા આરોપ મૂકયો હતો કે સરકારે ખેડૂતોની મહેનતને વેંચી નાખી છે. નરેન્દ્રમોદીએ વધુ દબાણમાં આ પગલું ભર્યું છે. પીયૂષગોયલે કહ્યું કે,ભારતે અમેરિકાસાથે ખૂબ જ સારો વેપાર કરાર કર્યો છે,જે સ્પર્ધકો કરતાં વધુસારો છે,કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિત સાથે સમાધાન કર્યા વિનાથયો છે. આ સોદો દેશના ગરીબો,માછીમારો,ખેડૂતો અને યુવાનો માટે વિશાળ તકો ખોલશે. ગોયલે ઉમેર્યું હતું કે,અમેરિકા સાથેનો આ વેપાર સોદો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ સંકેત છે. આ સોદાનાભાગરૂપે ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ
68 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:16 AM
ભારતીય સંસદની ચર્ચા રાજકારણથી પ્રભાવિતઃ સ્વસ્થ ચર્ચા માટે એક ફટકો

ભારતીય સંસદની ચર્ચા રાજકારણથી પ્રભાવિતઃ સ્વસ્થ ચર્ચા માટે એક ફટકો

ભારત વિશ્વનું સમૃદ્ધ અને સજીવ લોકતંત્ર ધરાવે છે. આપણી પાસેલોકતંત્રના સંસ્કાર પણ છે અને મધર ઓફ ડેમોક્રેટ્સના રૂપમાં ગૌરવશાળી પરંપરા છે. સંસદભવન લોકતંત્રનું મંદિર કહેવાય છે,પણ છેલ્લાબે દિવસ દરમ્યાન લોકસભાના બજેટસત્રમાં રાષ્ટ્રપતિનાં સંબોધન બદલ આભાર માનતા પ્રસ્તાવનીચર્ચા દરમ્યાન જે જોવા મળ્યું એ દેશના બૌદ્ધિકવર્ગને ખિન્ન કરનારું છે. સંસદના મંચપર તંદુરસ્ત ચર્ચા થવી જોઇએ... દેશના વિભિન્ન વિસ્તારના મુદ્દા રજૂ થાય અને એનો સરકારતરફથી ખુલાસોય થાય. કમનસીબે અત્યારના માહોલમાં રાજનીતિ સૌથી વધુ પ્રભાવક પરિબળ બનીગઇ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ચર્ચા દરમ્યાન લશ્કરના પૂર્વ વડા જનરલએમ. એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તકપણ છેલ્લાબે દિવસ દરમ્યાન લોકસભાના બજેટસત્રમાં રાષ્ટ્રપતિનાં સંબોધન બદલ આભાર માનતા પ્રસ્તાવનીચર્ચા દરમ્યાન જે જોવા મળ્યું એ દેશના બૌદ્ધિકવર્ગને ખિન્ન કરનારું છે. સંસદના મંચપર તંદુરસ્ત ચર્ચા થવી જોઇએ... દેશના વિભિન્ન વિસ્તારના મુદ્દા રજૂ થાય અને એનો સરકારતરફથી ખુલાસોય થાય. કમનસીબે અત્યારના માહોલમાં રાજનીતિ સૌથી વધુ પ્રભાવક પરિબળ બનીગઇ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ચર્ચા દરમ્યાન લશ્કરના પૂર્વ વડા જનરલએમ. એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક`ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની
43 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 11:43 PM
સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ અને ભારત-યુએસ ડીલની અસર હેડલાઇન વ્યસ્ત સમાચાર દિવસ

સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ અને ભારત-યુએસ ડીલની અસર હેડલાઇન વ્યસ્ત સમાચાર દિવસ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે જોડાયેલા રહ્યા. કોર્ટે કહ્યું કે જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં છે. બીજા મોટા સમાચાર ભારત-US ડીલની અસરના રહ્યા. આના કારણે માર્કેટ વધ્યું અને રૂપિયો મજબૂત થયો. ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન તેલંગાણાના મહેબૂબનગરમાં રેલી કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰કાલના મોટા સમાચારો 1. લોકસભામાં રાહુલની સ્પીચ પર સતત બીજા દિવસે પણ હોબાળો:નરવણે પર આર્ટિકલ દેખાડ્યો, તો સ્પીકરે રોક્યા; પેપર ઉછાળનારા 8 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે હંગામો થયો. રાહુલે મંગળવારે બપોરે 2 વાગ્યે પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકના આર્ટિકલને સદનમાં રજૂ કર્યો અને કહ્યું- મને બોલવા દેવામાં આવે. તેમના આમ કહેતા જ NDAના સાંસદોએ તેમને ટોકવાનું શરૂ કરી દીધું. આજે તેઓ 14 મિનિટ સુધી બોલવાનો પ્રયત્ન કરતા રહ્યા. રાહુલે કહ્યું- 'મને પરવાનગી આપવામાં આવી રહી નથી. મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. હું વિરોધ પક્ષનો નેતા છું. મેં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. હું બસ જણાવી રહ્યો છું કે ચીન-ભારત વચ્ચે શું થયું. પૂર્વી લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થયા.'વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકી ટ્રેડ ડીલ પર સરકારનું પહેલું નિવેદન: કહ્યું- એન્જિનિયરિંગ, કાપડ અને જ્વેલરી ઉદ્યોગને ફાયદો; ટ્રમ્પનો આભાર, તેમણે દોસ્તીનું માન રાખ્યું અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ભારત સરકારનું પહેલું નિવેદન આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું કે આ ડીલથી કોઈના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું નથી. બંને દેશો આ ડીલ પર ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ એક એવી ડીલ છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે. તેમણે કહ્યું કે PM મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોને ટેકો આપ્યો છે, તેમના હિતોનું રક્ષણ કર્યું છે. જે લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવા માગે છે, ખાસ કરીને એવા ક્ષેત્રો જેમાં વધુ મહેનત લાગે છે અને જે લાખો લોકોને રોજગાર આપે છે. બધા આનાથી ઉત્સાહિત છે. ગોયલે કહ્યું કે આ ડીલ કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, તેમણે PM મોદીની મિત્રતાનું સન્માન કર્યું.વાંચો સંપૂર્ણ સમાચાર… 3. SCએ કહ્યું- જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં:રમતની ઓળખ માત્ર ખેલાડીઓથી; મહારાષ્ટ્ર એસોસિએશનની ચૂંટણી પરથી સ્ટે હટાવવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે ક્રિકેટ અને અન્ય રમતગમત સંઘોના સંચાલન પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે રમતગમત સંસ્થાઓનું નેતૃત્વ એવા લોકોના હાથમાં હોવું જોઈએ, જેઓ રમતને સમજતા હોય. ક્રિકેટ સંઘોમાં નિવૃત્ત ક્રિકેટરોને સ્થાન મળવું જોઈએ, ન કે એવા લોકોને જેમને બેટ પકડતા પણ નથી આવડતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના તે આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA)ની ચૂંટણી પર રોક લગાવવામાં આવી હતી. આ ચૂંટણી 6 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ તેમાં ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. CJIએ MCAમાં અચાનક સભ્યો વધવા પર સવાલ ઉઠાવ્યો સુનાવણી દરમિયાન CJIએ MCAની સભ્યપદમાં અચાનક થયેલા વધારા પર સવાલ ઉઠાવ્યો. કોર્ટે રેકોર્ડનો હવાલો આપતા કહ્યું કે 1986થી 2023 સુધી એસોસિએશનમાં 164 સભ્યો હતા, પરંતુ ત્યારબાદ અચાનક મોટી સંખ્યામાં નવા સભ્યો ઉમેરવામાં આવ્યા.વાંચો સંપૂર્ણ સમાચાર… 4. યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા CM બનશે:ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા; રાષ્ટ્રપતિ શાસન 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા મુખ્યમંત્રી હશે. મંગળવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ભાજપના સૂત્રો અનુસાર, કુકી-જો સમુદાયને સંતુષ્ટ કરવા માટે 10 કુકી ધારાસભ્યોમાંથી એકને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. આ દરમિયાન મણિપુરના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે નિયુક્ત કેન્દ્રીય નિરીક્ષકો તરુણ ચુગ, સંબિત પાત્રા અને મણિપુરના પૂર્વ સીએમ બીરેન સિંહ પણ હાજર રહ્યા હતા. મણિપુરથી NDAના લગભગ 20 ધારાસભ્યો રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અન્ય ધારાસભ્યો સોમવારે કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર રાજધાની પહોંચ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર 5. સેન્સેક્સમાં 2,073 પોઈન્ટની તેજી, કારણ-ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા:83,739 પર બંધ, નિફ્ટીમાં પણ 639 પોઈન્ટનો ઉછાળો; અદાણીના શેર 11% સુધી વધ્યા 3 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 2073 પોઈન્ટ (2.54%) વધીને 83,739 પર બંધ થયો. નિફ્ટી પણ 639 પોઈન્ટ (2.55%) વધીને 25,728 પર બંધ થયો. ટ્રમ્પે ભારત પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યા, જેના કારણે બજારમાં તેજી રહી. રિયલ્ટી, મેટલ અને ફાર્માસ્યુટિકલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 4.79% વધ્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેરમાં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરો વધીને બંધ થયા. બજેટમાં સ્પેશિયલ ટેક્સ (STT) ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. 2 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો.વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે:સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો, સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ અનુસાર રાજ્યના મુખ્ય મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. અમદાવાદમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTV:રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં ધોળા દિવસે છરીના 7 ઘા ઝીંકી ખૂની ખેલ, હત્યારો બાઇક પર ફરાર રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 🎭આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એર ઇન્ડિયા ડ્રીમલાઇનરના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ શરૂ:ગઈકાલે લંડન-બેંગલુરુ વિમાનની સ્વીચ લોક થઈ રહી નહોતી; પ્લેનની ઉડાન પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાને ટ્રમ્પના દાવા પર વિશ્વાસ નથી:કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા અંગે કંઈ કહ્યું નથી, અમે ટ્રમ્પના નિવેદનનો અર્થ સમજી રહ્યા છીએ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ-પ્રિયંકા ખભે હાથ નાખીને સંસદ પહોંચ્યા:કોંગ્રેસના સાંસદે 'યાર' કહ્યું તો પીઠાધિકારી કૃષ્ણા પ્રસાદ ભડક્યા, વિપક્ષે બે વાર સ્પીકર પર કાગળો ફેંક્યા; મોમેન્ટ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નોર્વેની ક્રાઉન પ્રિન્સેસે જાતીય અપરાધીને સ્વીટહાર્ટ કહ્યું:એપસ્ટીન ફાઇલોમાં 1000 વખત નામ આવ્યું; દીકરો બળાત્કાર સહિત 38 કેસોમાં આરોપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ફરી ચમકી, ત્રણ દી ભાવ ઘટ્યા પછી વધ્યા:કિલોએ 17,000નો વધારા સાથે 2.53 લાખ થયા, 4 લાખે પહોંચ્યા પછી જોરદાર કડાકો બોલ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડકપનો કેપ્ટન્સ ડે બે શહેરોમાં યોજાશે:મુંબઈમાં 12 અને કોલંબોમાં 8 ટીમના કેપ્ટન ભાગ લેશે, ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હોળી પર દુર્લભ સંયોગ: ભદ્રા અને ચંદ્રગ્રહણ એકસાથે:ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ; શુભ કાર્યો અને મંદિર દર્શન વર્જિત વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ચર્ચિત નિવેદન 😲અજબ ગજબ ગાય ખરીદવા ગયેલા શખ્સના જબરદસ્તી લગ્ન બિહારના ખગડિયામાં યુવકને ગાય ખરીદવાના બહાને બોલાવવામાં આવ્યો. ગામમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને બંધક બનાવી લીધો અને હથિયારના જોરે જબરદસ્તી લગ્ન કરાવી દીધા. 📸ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1.નાનાભાઈનું અકસ્માતમાં મોત, મોટોભાઈ ગુમ અને ઘેરાતું રહસ્ય: પિતાએ પોલીસને કહ્યું, અંતિમવિધિ પછી બધું કહીશ; જીપના માલિકે પૂછપરછમાં વટાણા વેરી દીધા 2.મોદી જ નહીં, નહેરુના જમાનાથી સેના સાથે વિવાદ ચાલે છે: પૂર્વ એડમિરલે પુસ્તક લખ્યું ને રક્ષામંત્રીએ ખુરસી ગુમાવી; વાંચો નરવણેના પુસ્તક અને સરકાર-સેના વચ્ચેના તણાવના કિસ્સા 3.‘બજરંગ દળથી પરિવાર ડર્યો, દીકરીની શાળા છૂટી’: મુસ્લિમ દુકાનદારને સપોર્ટ કરનારા ‘મોહમ્મદ દીપક’નું જિમ બંધ, બજરંગ દળે કહ્યું, ટાર્ગેટ પર છો 4.Editor's View: 32 મિનિટમાં જ અમેરિકા ઘૂંટણિયે: મોદી માટેના ટ્રમ્પના શબ્દો સાચા પડ્યા, એક ફોનમાં રાતોરાત ખેલ પડી ગયો, જાણો ટ્રેડ ડીલ અને તમારા નફા-નુકસાનની વાત 🌍કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિનો દિવસ આર્થિક દૃષ્ટિએ ભાગ્યશાળી રહેશે, વૃશ્ચિક જાતકોના મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશેવાંચો સંપૂર્ણ રાશિફળ
85 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:59 PM
ગુજરાત કોંગ્રેસે વલસાડની જાહેર સભામાં ભાજપના કાર્યકર્તાઓના શોષણની નિંદા કરી

ગુજરાત કોંગ્રેસે વલસાડની જાહેર સભામાં ભાજપના કાર્યકર્તાઓના શોષણની નિંદા કરી

વલસાડથી નર્મદા સુધીની આદિવાસી પટ્ટી પર ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કપરાડા થઇ વલસાડ આવી પહોંચી વિશાળ જનસભામાં રૂપમાં ફેરવાઇ ગઇ હતી.જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ભાજપને આડેહાથ લઇ લોકો અને કામદારોના શોષણનો પ્રશ્ન વલસાડ સ્ટેડિયમ રોડ પર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી સભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ઘેરતાં કહ્યું કે,સરકાર ઉદ્યોગો અને ફેકટરીવાળાઓની વકીલાત કરવા નિકળી પડે છે.કામદારોના અધિકારો તેમના પરિવારોની ચિંતા સરકાર કરતી નથી. ઉદ્યોગોમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ભારે શોષણ ચાલી રહ્યુંં છે. આકસ્મિક મૃત્યુ સામે વળતર આપવામાં આવતું નથી.કામના કલાકોનો પૂરો પગાર મળતો નથી.બહેન દીકરીઓને રક્ષણ મ‌ળવું જોઇએ તે મળતું નથી. પ્રજાના ટેક્સના પૈસામાં તિજોરી ભરી બજેટ બનાવે છે,પરંતુ આ બજેટ અને તિજોરી જો પ્રજાના કામે નહિ આવતી હોય તો ડો.બાબા સાહેબ આંબેડકરનું બંધારણ કોંગ્રેસની મજબૂત તાકાત છે.કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, ઉપપ્રમુખ ભોલા પટેલ, મહામંત્રી ગીરીશ દેસાઇ, તા.પ્રમુખ પ્રકાશ પટેલ, શહેર સંગઠન, યુથ કોંગ્રેસ, તાલુકાના હોદ્દેદારો, મહિલા મોરચાના હોદ્દેદારો, મહિલા મોરચા પ્રમુખ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.તુષાર ચૌધરી પણ હાજર રહ્યા હતા.સભામાં વલસાડ અને વાપીની કંપનીના કામદારોએ અમિત ચાવડાના આહવાનને તાળીથી વધાવી કોંગ્રેસની જન આક્રોશ રેલીને મજબૂત સમર્થન આપવા હાકલ કરી હતી. વલસાડમાં રેલવે ઓવરબ્રિજ જો નહિ ખુલશે તો કોંગ્રેસ મેદાને પડશેવાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે,વલસાડમાં પ્રજાના પૈસાથી રેલવે ઓવરબ્રિજ તૈયાર થઇ ગયો છે,પરંતું તેને ખુલ્લું મૂકવામાં આવતો નથી. હજારો લોકો વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.આ બ્રિજ પ્રજાના ટેક્સના પૈસાથી તૈયાર કરાયો છે. જો નહિ ખુલશે તો કોંગ્રેસ આ બ્રિજ ખુલ્લું કરવા મેદાને પડશે.આ સાથે વલસાડમાં ટાંકીના ભ્રષ્ટાચારની તપાસ કરવા અનંત પટેલે જણાવ્યુ હતું.
63 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:46 PM
નવી ટીમની જાહેરાત વચ્ચે નર્મદા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો

નવી ટીમની જાહેરાત વચ્ચે નર્મદા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો

નર્મદા જિલ્લા ભાજપની નવી ટીમની જાહેરાત બાદ પાયાના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની નવી ટીમમાં યુવાઓને વધુ સ્થાન આપવામાં આવ્યું છે. મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કાર્યાલય મંત્રી, કોષાધ્યક્ષ સહિત અન્ય મોરચાઓના પ્રમુખોના જિલ્લા સંગઠન નવનિયુક્ત જિલ્લા ભાજપના પદાધિકારીઓની પરિચય બેઠક કમલમ કાર્યાલય ખાતે મળી હતી. ભાજપની નવી ટીમમાં યુવાનો અને યુવા મહિલાઓ સહિત દરેક વર્ગને સરખું સ્થાન આપી રાજકીય સમીકરણો સાચવવામાં આવ્યાં છે. અનુભવી કાર્યકરો સાથે નવા ચહેરાઓને પણ જવાબદારી સોંપવામાં આવતા સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું કાર્યકરો માં એક ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. પરંતુ યુવાનો ના હાથમાં જવાબદારી આવતા જૂના કાર્યકરોમાં થોડી નારાજગી જોવા મળી હતી. પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવતાં રોષ જોવા મળી રહયો છે. જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે, તમામ તાલુકાઓને જિલ્લાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હજી તાલુકા, જિલ્લા કારોબારી સહિતના સંગઠનોમાં નિમણૂંકો બાકી હોવાથી અન્ય કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવશે. આદિવાસી સમાજમાં દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના વધી રહેલાં પ્રભાવ સામે આગામી ચૂંટણીઓ નવા સંગઠન માટે પડકાર બનશે.
43 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:44 PM
પ્રફુલ પટેલ મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદની દાવેદારીને નકારી કાઢે છે.

પ્રફુલ પટેલ મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પદની દાવેદારીને નકારી કાઢે છે.

મહારાષ્ટ્રના સત્તાધારી નેશનલ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના દુઃખદ નિધન બાદ પાર્ટીના અધ્યક્ષપદની રેસમાં પોતે નથી, તે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે. મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના કેન્દ્રીય કાર્યાલયમાં અજિત પવ પ્રફુલ્લ પટેલે આ સાથે જ બંને રાષ્ટ્રવાદી કોંગ્રેસના જૂથ વચ્ચે વિલીનીકરણ અંગે ચાલી રહેલી ચર્ચાઓને પણ નકારી કાઢી. તેમણે કહ્યું કે, આ ક્ષણે અમારા સમક્ષ વિલીનીકરણનો કોઈ પ્રશ્ન નથી. હાલ પક્ષ અને પરિવાર સંબંધિત મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની જરૂર છે. તેમના આ નિવેદન બાદ અજિત પવાર બાદ બંને ગૃપના એકીકરણની ચર્ચાઓને બ્રેક લાગી છે.આ પ્રસંગે પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે, પક્ષના વરિષ્ઠ નેતાઓ સુનિલ તટકરે, છગન ભૂજબળ, હસન મુશ્રીફ, દિલીપ વળસે પાટીલ અને ધનંજય મુંડે સહિતના નેતાઓ સાથે તેઓ સુનેત્રા પવારના નિવાસે ગયા હતા. ત્યાં પરિવારજનોને સાંત્વના આપતાં તેમણે પક્ષ સુનેત્રા પવારના સંપૂર્ણ સહયોગમાં હોવાનું જણાવ્યું. પક્ષ અને જનતાની લાગણીને માન આપીને સુનેત્રા પવારે જવાબદારી સ્વીકાર્ય હોવાનું પણ તેમણે જણાવ્યું. પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે બોલતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, પક્ષ એક સંસ્થા છે જેમાં વિધાનમંડળ અને સંગઠન એવા બે ભાગ છે. વિધાનમંડળની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, અને હવે સંગઠન સ્તરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કેટલાક લોકો બિનજરૂરી નિવેદનો આપી રહ્યા છે, પરંતુ પાર્ટી યોગ્ય દિશામાં અને યોગ્ય વ્યક્તિનો નિર્ણય લેશે.તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું પક્ષાધ્યક્ષપદની કોઈ પણ રેસમાં નથી. મારા નામે ચાલી રહેલી ચર્ચાઓ ખોટી અને ભ્રામક છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું કે, અમારા પક્ષના નિર્ણયો અમે જ લઈશું.
15 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:34 PM
વાંસદા વિધાનસભા વિસ્તારના મતદારોને મતદાનનો અધિકાર નકારવામાં આવ્યો

વાંસદા વિધાનસભા વિસ્તારના મતદારોને મતદાનનો અધિકાર નકારવામાં આવ્યો

વાંસદા વિધાન સભા વિસ્તારમાં આવતા મુસ્લિમ સમાજના 1980 જેટલા મતદારો જે વર્ષોથી અહીં રહી મતદાન કરતા આવ્યા છે જેના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતગર્ત સમાજના મતદારોના નામ કમી કરવા માટે આપેલી વાંધા અરજીઓ સામે પ્રાંત કચેરીએ આવ વાંસદા વિધાનસભા વિસ્તારમાં આવતા 1980 મતદારોમાં 1600 મુસ્લિમ સમાજના અને 380 અન્ય સમાજના મતદારોમાં વાંસદાના 697 મતદારો જેના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ કમી કરવા અપાયેલી વાંધા અરજીના કારણે મુસ્લિમ સમાજના ઘણાં લોકો મતદાન કરવાથી વંચિત રહે છે. જેને મતદાન કરવાનો અધિકાર રહેતો નથી તો પછી સરકાર દ્વારા નિમાયેલા બીએલઓ જુના નામ પ્રમાણે આ તમામ મતદારોના ફોર્મ સાથે પુરાવા લઈ સરકારમાં સબમિટ કર્યા છે ત્યારબાદ આ મતદાર યાદીમાં નામ નહી આવતા સમાજના આગેવાનો સાથે કચેરીનો સંપર્ક કરી પૂછતાછ કરી ત્યારે અધિકારીઓ કંઇ જ કહેવા તૈયાર નહીં થતા સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવા ગયા હતા. જ્યાં સમર્થન નહીં મળતા આ તમામ મતદારોએ વાંસદા પોલીસ મથકે વાંધા અરજી કરનારને શોધી કાઢી તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસ વિભાગ પર ભરોસો છેસરકાર દ્વારા નિમાયેલ ચૂંટણી પંચની નવી મતદાર યાદીમાંથી અમારા સમાજના નામો સામે વાંધા અરજી આપનાર કોણ છે ? તેની તપાસ માટે અંદાજિત 700 અરજીઓ વાંસદા પોલીસ મથકે આપી છે. પોલીસ વિભાગ પર અમને ભરોસો છે કે આની પૂર્ણ તપાસ પોલીસ વિભાગ કરશે. > ઇલિયાસ પ્રાણીયા, વાંસદા મુસ્લિમ સમાજ આજે કલેકટરને આવેદનપત્ર આપશેનવસારી જિલ્લા મુસ્લિમ સમાજ આજે નવસારી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. વાંધા અરજી આપનાર વ્યક્તિ કોણ છે ? કાયદા વિરુદ્ધ કામ કરી ખોટા ફરિયાદી જેમના નામે રાજકારણ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ પોલીસ મથકે એફઆઈઆર કરીશું અને કોર્ટમાં લઈ જઇશું. > શૈલેષ પટેલ, પ્રમુખ, નવસારી જિલ્લા કોંગ્રેસ BLAના વાંધા બાદ BLO દ્વારા મતદારોની થશે ફરી તપાસચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના વિધાનસભામાં BLA હોય છે જેને લાગે ત્યાં વાંધો રજૂ કરે છે. આમાં વાંધા લીધેલા તમામ મતદારોની BLO ફરી તપાસ કરશે અને હશે તો વાંધો નીકળી જશે. >ભાર્ગવ માહલા, પ્રાંત અધિકારી, વાંસદા
37 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:01 PM
મુંબઈ મેયરની ચૂંટણી ભાજપ જીતી શકે છે; ગણેશ ખાંકરની ગ્રૂપ લીડર તરીકે નિમણૂક

મુંબઈ મેયરની ચૂંટણી ભાજપ જીતી શકે છે; ગણેશ ખાંકરની ગ્રૂપ લીડર તરીકે નિમણૂક

દેશની સૌથી ધનિક મુંબઈ મહાપાલિકાના મેયરપદ અંગેનું સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. વાર્ષિક બજેટ લગભગ 74,000 કરોડ રૂપિયા ધરાવતી મહાપાલિકાના મેયરની ચૂંટણી 11 ફેબ્રુઆરીએ યોજાશે અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, મુંબઈનો આગામી મેયર ભાજપનો હશે, જ ભાજપે ગણેશ ખણકરને ગ્રુપ લીડર તરીકે નિયુક્ત કર્યા. 16 જાન્યુઆરીએ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પણ મહાયુતિએ ગ્રુપ લીડરની જાહેરાતમાં વિલંબ કર્યો હતો. આખરે, 17 દિવસની રાહ જોયા બાદ, ભાજપે સોમવારે ગણેશ ખણકરના નામની પુષ્ટિ કરી. ખણકરે વોર્ડ 7 માંથી ઉદ્ધવ સેનાના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર સૌરભ ઘોસાળકરને હરાવ્યા છે. ખણકર ટેન્કર માફિયાઓ સામે અવાજ ઉઠાવવા બદલ ચર્ચામાં આવ્યા હતા, જે દરમિયાન તેમના પર જીવલેણ હુમલો પણ થયો હતો. મહાયુતિના મેયરની નિમણૂક થશે, પરંતુ વહીવટી નાડી ઉદ્ધવ ઠાકરેના હાથમાં જ રહેવાના સંકેતો છે. 18માંથી 8 વોર્ડ સમિતિઓ પર ઠાકરે જૂથનું વર્ચસ હોવાથી, મુંબઈના અડધાં વિકાસકાર્યોનું ભવિષ્ય 'માતોશ્રી' દ્વારા નક્કી કરવામાં આવશે. રસ્તા, પાણી અને કચરાની સ્થાનિક સમસ્યાઓ હલ કરતી વખતે, ભાજપના મેયરને પગલે પગલે ઠાકરેના વોર્ડ પ્રમુખો સાથે સંઘર્ષ કરવો પડશે.અજિત પવાર જૂથના 3 નગરસેવકોએ શિંદે સેનાને ટેકો આપતાં, 26 સભ્યની સ્થાયી સમિતિમાં મહાયુતિની સંખ્યા 14 પર પહોંચી ગઈ છે. ઉદ્ધવ સેના અને કોંગ્રેસના 12-12 સભ્યો છે. એવું જાણવા મળ્યું છે કે અજિત પવાર જૂથને તેમના સમર્થનના બદલામાં "મંજૂર નગરસેવક" પદ આપવામાં આવશે. મેયરપદ માટે ભાજપમાં આ 5 જણનાં નામોથી મેયરપદ માટે ભાજપમાં જોરદાર સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. આ રેસમાં પાર્ટીનાં પાંચ પ્રભાવશાળી મહિલા નગરસેવિકાનાં નામ સૌથી આગળ ચર્ચાઈ રહ્યાં છે. સાયનથી આક્રમક ચહેરો અને વહીવટી કાર્યમાં બહોળો અનુભવ ધરાવતી રાજશ્રી શિરવાડકરનું નામ હાલમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે.
49 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 09:05 PM
રાહુલ ગાંધીની ટીકા વચ્ચે પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વેપાર સમજૂતીનો બચાવ કર્યો

રાહુલ ગાંધીની ટીકા વચ્ચે પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વેપાર સમજૂતીનો બચાવ કર્યો

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ભારત સરકારનું પહેલું નિવેદન આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું કે આ ડીલથી કોઈના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું નથી. બંને દેશો આ ડીલ પર ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ એક એવી ડીલ છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે. તેમણે કહ્યું કે PM મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોને ટેકો આપ્યો છે, તેમના હિતોનું રક્ષણ કર્યું છે. જે લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવા માગે છે, ખાસ કરીને એવા ક્ષેત્રો જેમાં વધુ મહેનત લાગે છે અને જે લાખો લોકોને રોજગાર આપે છે. બધા આનાથી ઉત્સાહિત છે. ગોયલે કહ્યું કે આ ડીલ કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, તેમણે PM મોદીની મિત્રતાનું સન્માન કર્યું. પીયૂષ ગોયલની 5 મોટી વાતો... રાહુલે કહ્યું- મોદીએ દેશ વેચ્યો, અદાણી પર કેસ, એપસ્ટીન ફાઇલ્સથી પીએમ ડરી ગયા છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી ટ્રેડ ડીલમાં દેશ વેચી દીધો છે. તમારી મહેનત અને પરસેવાને વેચી દીધો છે, કારણ કે તેઓ કોમ્પ્રોમાઇઝ્ડ છે. રાહુલે કહ્યું- નરેન્દ્ર મોદી ડરી ગયા છે, કારણ કે જેમણે તેમની છબી બનાવી હતી તેઓ હવે આ છબી તોડી રહ્યા છે. અમેરિકામાં અદાણી પર કેસ છે, તે ખરેખર મોદી પર કેસ છે. તેઓ મોદીજીના નાણાકીય માળખાને નિશાન બનાવી રહ્યા છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી દેશને ફાયદો થશે. દેશ-વિદેશમાં તેની પ્રશંસા થઈ રહી છે. કૃષિ-ડેરી ક્ષેત્રને સંરક્ષિત રાખવામાં આવશે. અમેરિકાએ ભારત પર ટેરિફ 25% થી ઘટાડીને 18% કર્યો ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે બિઝનેસ ડીલની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ભારત પર ટેરિફ 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. ટ્રમ્પે એપ્રિલમાં 25% રેસિપ્રોકલ ટેરિફ (જેવા સાથે તેવા) લગાવ્યો હતો અને રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ઑગસ્ટમાં 25% પેનલ્ટીની જાહેરાત કરી હતી. આનાથી ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો હતો. હવે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે ભારત પર માત્ર 18% ટેરિફ જ લાગશે. અમેરિકા રશિયન તેલ ખરીદવાને કારણે લાગેલો 25% ટેરિફ હટાવી દેશે. ટ્રમ્પે સોમવારે સવારે PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી. આ પછી રાત્રે લગભગ 10:30 વાગ્યે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રેડ ડીલની જાહેરાત કરી. ટ્રમ્પે દાવો કર્યો કે મોદી રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા માટે સહમત થયા છે. ટ્રમ્પના મતે, જરૂર પડ્યે ભારત વેનેઝુએલા પાસેથી તેલ લેશે. ભારત ‘બાય અમેરિકન’ નીતિ હેઠળ અમેરિકા પાસેથી 46 લાખ કરોડ રૂપિયા (500 અબજ ડોલર) થી વધુનો સામાન ખરીદશે. જ્યારે, ટ્રમ્પની જાહેરાત પછી પીએમએ X પર લખ્યું- ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું, વાંચો… આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. અમે રશિયા-યુક્રેન યુદ્ધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. PM મોદીએ રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા પર સંમતિ દર્શાવી. ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે. આ ઉપરાંત વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની સંભાવના પર પણ વાત થઈ. આનાથી યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ મળશે, જ્યાં દર અઠવાડિયે હજારો લોકોના જીવ જઈ રહ્યા છે.વડાપ્રધાન મોદીની મિત્રતા, સન્માન અને તેમની વિનંતી પર, અમે અમેરિકા અને ભારત વચ્ચે તરત જ એક ટ્રેડ ડીલ પર સહમતિ સાધી છે. આ અંતર્ગત અમેરિકા ભારત પર લગાવવામાં આવતી રેસિપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% કરશે. જ્યારે ભારત પણ અમેરિકા વિરુદ્ધ પોતાના ટેરિફ અને બિન-ટેરિફ અવરોધોને ઘટાડીને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે. PM મોદીએ 'બાય અમેરિકન'ને લઈને પણ મોટી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ અંતર્ગત ભારત અમેરિકા પાસેથી 500 અબજ ડોલરથી વધુના ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઉત્પાદનો ખરીદશે. મને પૂરો વિશ્વાસ છે કે ભારત અને અમેરિકાના સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. PM મોદીએ કહ્યું- અમારી ભાગીદારીને ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સુક PM મોદીએ લખ્યું- મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. એ જાણીને ખૂબ સંતોષ થયો કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે. આ શાનદાર નિર્ણય માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર. મોદીએ આગળ લખ્યું- જ્યારે બે મોટી અર્થવ્યવસ્થાઓ અને વિશ્વના સૌથી મોટા લોકતંત્ર એકસાથે મળીને કામ કરે છે, ત્યારે તેનાથી આપણા લોકોને લાભ થાય છે અને પરસ્પર સહયોગની નવી અને મોટી તકો ખુલે છે. હું તેમની સાથે મળીને કામ કરવા અને અમારી ભાગીદારીને અભૂતપૂર્વ ઊંચાઈઓ સુધી લઈ જવા માટે ઉત્સુક છું. હવે ભારત એવા દેશોમાં સામેલ, જેના પર સૌથી ઓછો ટેરિફ ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે NDTV સાથેની વાતચીતમાં ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું- કેટલાક ટેકનિકલ કાગળો પર આગામી કેટલાક દિવસોમાં હસ્તાક્ષર થશે, પરંતુ ડીલ લગભગ નક્કી છે. ગોરે કહ્યું- આ ટેરિફ કરાર PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ઘણા વર્ષોથી ચાલી રહેલી મજબૂત મિત્રતાનું પરિણામ છે. આ ટેરિફ અન્ય દેશોની સરખામણીમાં ખૂબ ઓછો છે. પહેલા ભારત પર ઘણો વધારે ટેરિફ લાગતો હતો, પરંતુ હવે ભારત એવા દેશોમાં આવી ગયું છે જેના પર ઓછો ટેરિફ છે. રાજદૂત ગોર મુજબ, ટ્રમ્પ અને મોદીની મિત્રતા આ ડીલ પૂરી કરવામાં સૌથી મોટું કારણ બની. ગોરે કહ્યું કે અમેરિકા અને ભારતના સંબંધોમાં ખૂબ મોટી સંભાવનાઓ છે. આ વ્યાપાર કરાર પછી બંને દેશોના સંબંધોનો આગામી તબક્કો શરૂ થશે. આ દરમિયાન વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પણ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું છે કે અમેરિકા, ભારતથી આવતા સામાન પર લગાવવામાં આવેલો તે એક્સ્ટ્રા ટેરિફ હટાવી દેશે, જે રશિયા પાસેથી તેલ ખરીદવાના બદલામાં સજા તરીકે લગાવવામાં આવ્યો હતો.
21 shares
😊
Akila News logo
Akila News
Feb 3, 2026, 06:18 PM
સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ હેગમાં ચરમસીમાએ પહોંચ્યો

સિંધુ જળ સંધિને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ હેગમાં ચરમસીમાએ પહોંચ્યો

હેગ:ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાન આ મામલે નેધરલેન્ડ્સના હેગ સ્થિત મધ્યસ્થી અદાલત (Court of Arbitration)માં પહોંચ્યું હતું,પરંતુ ભારતે આ કોર્ટના અસ્તિત્વને જ કાયદાકીય રીતે માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારે કોર્ટના ન્યાયાધીશે ભારત પાસે જમ્મુ-કાશ્મીરના પ્રોજેક્ટ્સના ડેટા માંગ્યા,ત્યારે ભારતે કડક શબ્દોમાં વલણ સ્પષ્ટ કર્યું કે તે આ કોર્ટના કોઈ પણ આદેશને માનવા બંધાયેલું નથી. શું છે વિવાદનું મુખ્ય કારણ? પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ભારતનાકિશનગંગાઅનેરાતલેહાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સામે વાંધો ઉઠાવ્યો છે. આ મામલે2-3ફેબ્રુઆરીએ હેગમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભારતે આ સુનાવણીનો બહિષ્કાર કરતા જણાવ્યું કે,સિંધુ જળ સંધિ હેઠળ કોઈ પણ વિવાદ ઉકેલવા માટે'તટસ્થ નિષ્ણાત' (Neutral Expert)ની નિમણૂક થવી જોઈએ,નહીં કે આવી કોઈ મધ્યસ્થી અદાલતની. ભારત આ કોર્ટના આદેશોને'ગેરકાયદેસર અને રદબાતલ'માને છે. આતંકવાદનો વળતો જવાબ:
96 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 06:15 PM
મતદાર યાદીની ચિંતા વચ્ચે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે ટી. એમ. સી.

મતદાર યાદીની ચિંતા વચ્ચે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે ટી. એમ. સી.

કોલકાતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જીએ એક મોટો રાજકીય ધડાકો કરતા જાહેરાત કરી છે કે તેમની પાર્ટી આગામી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. TMC હવે બંગાળના મેદાનમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય હરીફો સામે એકલે હાથે ચૂંટણી લડશે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિપાંખિયો અને વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.મમતા બેનર્જી માટે આ વખતે રસ્તો થોડો મુશ્કેલ જણાઈ રહ્યો છે. ખાસ કરીને લઘુમતી મતો પર મજબૂત પકડ ધરાવતી TMC માટે મતદાર યાદીમાં થઈ રહેલા ફેરફારો ચિંતાનો વિષય છે. જો અંતિમ યાદીમાંથી મોટા પાયે નામો દૂર કરવામાં આવશે, તો તેની સીધી અસર TMC ની વોટ બેંક પર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં અંદાજે 27% મુસ્લિમ વસ્તી છે, જે ચૂંટણીના પરિણામો બદલવાની તાકાત ધરાવે છે.બીજી તરફ, મમતા બેનર્જીએ SIR પ્રક્રિયા અને SIA મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેમણે પોતે આ પ્રક્રિયાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. 14 ફેબ્રુઆરીએ જ્યારે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે, ત્યારે બંગાળના રાજકારણમાં એક નવો વળાંક આવી શકે છે. ભાજપે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે મમતા બેનર્જી હવે પોતાની હાર ભાળી ગયા છે, તેથી તેઓ ગભરાટમાં આવા નિર્ણયો લઈ રહ્યા છે.આગામી દિવસોમાં બંગાળમાં પ્રચાર યુદ્ધ વધુ ઉગ્ર બનશે તે નિશ્ચિત છે. મમતા બેનર્જીની આ વ્યૂહરચના તેમને ફરીથી સત્તા અપાવશે કે વિપક્ષો તેનો ફાયદો ઉઠાવશે, તે જોવું રસપ્રદ રહેશે.
46 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 06:00 PM
ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ ખર્ચ પેકેજ સમજૂતી સુધી પહોંચતા યુએસ સરકારનું શટડાઉન ટળી ગયું

ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ ખર્ચ પેકેજ સમજૂતી સુધી પહોંચતા યુએસ સરકારનું શટડાઉન ટળી ગયું

વોશિંગ્ટન:અમેરિકામાં ફેડરલ સરકારના કામકાજ ઠપ્પ થવાનું (શટડાઉન) જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિરોધી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ વચ્ચે સરકારી ખર્ચના પેકેજ પર સહમતી સધાઈ છે. જોકે,આ સમજૂતીમાં ઇમિગ્રેશન જેવા વિવાદાસ્પદ મુદ્દાને હાલ પૂરતો અલગ રાખવામાં આવ્યો છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે સોદો થઈ ગયો છે,પરંતુ હજુ પણ'કંઈ પણ થઈ શકે છે'તેવી આશંકા તેમણે વ્યક્ત કરી હતી. શા માટે સર્જાયું હતું સંકટ? તાજેતરમાં મિનિયાપોલિસમાં ઇમિગ્રેશન એજન્ટો દ્વારા એક યુએસ નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ડેમોક્રેટ્સે માંગ કરી છે કે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS)ના એજન્ટો પર કડક નિયંત્રણો મૂકવામાં આવે. આ વિવાદને કારણે સરકારી એજન્સીઓનું ફંડિંગ અટકી પડ્યું હતું,જે શુક્રવારે મધ્યરાત્રિએ સમાપ્ત થવાનું હતું.
88 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:43 PM
પુસ્તકના વિવાદાસ્પદ અંશોને લઈને સંસદનું સત્ર હંગામો બની ગયું

પુસ્તકના વિવાદાસ્પદ અંશોને લઈને સંસદનું સત્ર હંગામો બની ગયું

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર આજે રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. લોકસભામાં ત્યારે ભારે હોબાળો મચી ગયો જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના વિવાદાસ્પદ અને અપ્રકાશિત પુસ્તકના અંશો રજૂ કર્યા. ચીન, ડોકલામ અને ગલવાન સંઘર્ષના મુદ્દે સરકારને ઘેરતા રાહુલે ૧૪ મિનિટ સુધી બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ સત્તાધારી પક્ષના સભ્યોએ ભારે શોરબકોર કરી તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન માઇક્રોફોન બંધ કરી દેવાતા વિપક્ષી સાંસદોનો પિત્તો ગયો હતો અને સદનની ગરિમા લજવાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ગૃહની કાર્યવાહી દરમિયાન એક સાંસદે અધ્યક્ષને સંબોધતા "મિત્ર" શબ્દનો પ્રયોગ કર્યો. આ સાંભળતા જ ઉપાધ્યક્ષ કૃષ્ણ પ્રસાદ ટેનેટી લાલચોળ થઈ ગયા હતા અને તેમણે કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, "આ સંસદ છે, તમે સ્પીકરને 'મિત્ર' કહીને સંબોધી શકો નહીં." આ ટિપ્પણી બાદ સદનમાં કાગળો ઉછળ્યા હતા અને ભારે ધાંધલ-ધમાલ વચ્ચે સ્પીકર પર કાગળો ફેંકવા બદલ કોંગ્રેસના ૭ અને સીપીઆઈ(એમ)ના ૧ મળી કુલ ૮ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સસ્પેન્શનના વિરોધમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સંસદ સંકુલની બહાર ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે જ્યારે પણ ચીન કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવે છે, ત્યારે સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માટે સસ્પેન્શનનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. બીજી તરફ, ભાજપનું કહેવું છે કે જનરલ નરવણેનું પુસ્તક હજુ પ્રકાશિત પણ થયું નથી, તેમ છતાં તેના અપ્રમાણિત અંશો રજૂ કરીને રાહુલ ગાંધી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હાલમાં સંસદની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, પરંતુ રાજકીય ગરમાવો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.
93 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:37 PM
ભારત સંવેદનશીલ'ચિકન નેક'પ્રદેશમાં ભૂગર્ભ રેલવે ટનલ બનાવશે

ભારત સંવેદનશીલ'ચિકન નેક'પ્રદેશમાં ભૂગર્ભ રેલવે ટનલ બનાવશે

નવી દિલ્હી/સિલિગુડી: ભારતના પૂર્વોત્તર રાજ્યો (સેવન સિસ્ટર્સ) ને બાકીના દેશ સાથે જોડતા અત્યંત સંવેદનશીલ વિસ્તાર 'ચિકન નેક'ની સુરક્ષા માટે મોદી સરકારે એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ચીન અને અન્ય પડોશી દેશોની નજર જે સાંકડા પટ્ટા પર છે, ત્યાં હવે સરકાર 40 કિલોમીટર લાંબી ભૂગર્ભ રેલ્વે ટનલ બનાવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરતા જણાવ્યું કે, આ ટનલ માત્ર જોડાણ જ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે 'સ્ટીલની ઢાલ' સમાન સાબિત થશે.પશ્ચિમ બંગાળના સિલિગુડી પાસે આવેલો આ કોરિડોર માત્ર 20 થી 22 કિલોમીટર જ પહોળો છે. જો કોઈ દુશ્મન દેશ આ સાંકડા પટ્ટા પર હુમલો કરે અથવા તોડફોડ કરે, તો ભારતનો સંપર્ક અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમ સહિતના 8 રાજ્યોથી કપાઈ શકે છે. ચીન દ્વારા આ વિસ્તારમાં વધતી હિલચાલ અને બાંગ્લાદેશના કેટલાક કટ્ટરપંથી જૂથોની ધમકીઓને ધ્યાનમાં રાખીને, આ કોરિડોરને સુરક્ષિત કરવો ભારત માટે અનિવાર્ય બન્યો છે.પ્રોજેક્ટની ખાસિયતો:જમીનની નીચે ટ્રેક હોવાને કારણે હવાઈ હુમલા કે સરહદ પારથી થતી તોડફોડની અસર રેલ્વે વ્યવહાર પર નહીં પડે.હાલના ટ્રેકને ચાર લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે જેથી યુદ્ધ જેવી સ્થિતિમાં ઝડપથી સૈન્ય સરંજામ પહોંચાડી શકાય.ટિમાઇલ હાટ અને રંગપાની સ્ટેશનો વચ્ચે અંદાજે 22 કિલોમીટરની ખાસ ભૂગર્ભ ટનલ બનાવવાની યોજના છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તરપૂર્વ ભારતનું જોડાણ કાયમ માટે સુરક્ષિત થઈ જશે. આ ભૂગર્ભ ટ્રેક દુશ્મન દેશોની 'સિલિગુડી કોરિડોર બ્લોક' કરવાની યોજના પર પાણી ફેરવી દેશે. તિસ્તા નદી પ્રોજેક્ટ પર ચીનની વધતી સક્રિયતા વચ્ચે ભારતનો આ જવાબ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.
18 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:32 PM
રાહુલ ગાંધીએ સંસદમાં સરકારી હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો, ઘટનાને લોકશાહી પર ધબ્બા ગણાવી

રાહુલ ગાંધીએ સંસદમાં સરકારી હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો, ઘટનાને લોકશાહી પર ધબ્બા ગણાવી

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચેની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખીને ગંભીર આક્ષેપ કર્યો છે કે સરકારના ઈશારે તેમને ગૃહમાં બોલતા અટકાવવામાં આવી રહ્યા છે. રાહુલે આ ઘટનાને ભારતીય સંસદીય ઇતિહાસની એક અત્યંત દુખદ ક્ષણ અને લોકશાહી પર 'કલંક' ગણાવી છે. સમગ્ર વિવાદ પૂર્વ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તકના સંદર્ભથી શરૂ થયો હતો. રાહુલ ગાંધી જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે આ પુસ્તક અથવા મેગેઝિનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે સ્પીકરે તેમને દસ્તાવેજ પ્રમાણિત કરવા જણાવ્યું હતું. રાહુલે દાવો કર્યો કે તેમણે દસ્તાવેજ પ્રમાણિત કર્યા હોવા છતાં, આજે જ્યારે તેમણે ભાષણ ફરી શરૂ કર્યું ત્યારે તેમને ફરીથી અટકાવવામાં આવ્યા હતા.રાહુલ ગાંધીએ પત્રમાં સ્પષ્ટ કર્યું કે સંસદીય નિયમો મુજબ, જો કોઈ સભ્ય દસ્તાવેજની પ્રમાણિકતાની જવાબદારી લે, તો સ્પીકરે તેમને બોલવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે લખ્યું:"મને રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દે બોલતા અટકાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થઈ રહ્યો છે.""સ્પીકરની જવાબદારી વિપક્ષના સભ્યોના અધિકારોનું રક્ષણ કરવાની છે, નહીં કે સરકારના કહેવા પર તેમનો અવાજ દબાવવાની.""સંસદના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વિપક્ષના નેતાને આ રીતે બોલતા રોકવામાં આવ્યા હોય."રાહુલ ગાંધીએ પત્રના અંતે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા એ રાષ્ટ્રપતિના અભિભાષણનો મહત્વનો ભાગ હતો અને તેના પર ચર્ચા કરવી એ તેમની ફરજ છે. આ મામલે હવે આગામી દિવસોમાં સંસદમાં વધુ ઘર્ષણ થવાની શક્યતા છે.
29 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:21 PM
ભારત-અમેરિકા વેપાર સમજૂતી વચ્ચે રશિયા ભારત સાથે આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગે છે

ભારત-અમેરિકા વેપાર સમજૂતી વચ્ચે રશિયા ભારત સાથે આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગે છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલી ભારત-યુએસ ટ્રેડ ડીલ બાદ રશિયાએ મોટો મોરચો ખોલ્યો છે. ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને વેનેઝુએલા તરફ વળવા સૂચન કર્યું હતું, જેને પગલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પોતાની વ્યૂહરચના બદલી છે. રશિયાએ પાકિસ્તાન પર આકરા પ્રતિબંધો અથવા અમુક મોટા સંરક્ષણ સોદાઓ પર રોક લગાવીને ભારતને સંકેત આપ્યો છે કે તે પોતાના જૂના મિત્રને ગુમાવવા માંગતું નથી.અમેરિકાએ ભારતને ટ્રેડ ટેરિફમાં મોટી છૂટછાટ આપવા બદલ શરત મૂકી છે કે ભારત રશિયા સાથેના વેપારમાં ઘટાડો કરે. આ દરમિયાન રશિયાએ પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો પર કાતર ફેરવીને ભારતને પોતાની તરફેણમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાતો માને છે કે રશિયાનું આ પગલું ભારતને એ યાદ અપાવવા માટે છે કે મુશ્કેલીના સમયમાં કોણ તેની સાથે ઊભું રહ્યું હતું.રશિયા દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવાયેલા આ પગલાંથી આખું વિશ્વ આશ્ચર્યમાં છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જો ભારત અમેરિકા તરફ નમશે તો રશિયા પાકિસ્તાન સાથે મિત્રતા વધારશે. પરંતુ પુતિને ઉલટો દાવ રમીને પાકિસ્તાન પર એક્શન લીધું છે. આનાથી પાકિસ્તાનની આર્થિક અને સૈન્ય સ્થિતિ વધુ કફોડી બની શકે છે.આ સમાચાર વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સ મોદી-ટ્રમ્પની જોડીને શ્રેષ્ઠ ગણાવી રહ્યા છે, તો કેટલાક રશિયા સાથેની જૂની મિત્રતા તોડવા સામે ચેતવણી આપી રહ્યા છે. ભારત અત્યારે બે મહાસત્તાઓ વચ્ચે 'બેલેન્સિંગ એક્ટ' કરી રહ્યું છે, જે આગામી સમયમાં વિશ્વના અર્થતંત્ર અને ભૂ-રાજકારણ પર મોટી અસર કરશે.
7 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:17 PM
ભારતનું ચૂંટણી પંચ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે સમયપત્રક જાહેર કરશે

ભારતનું ચૂંટણી પંચ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે સમયપત્રક જાહેર કરશે

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચ આગામી દિવસોમાં પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવાની તૈયારીમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૬ના છેલ્લા સપ્તાહમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.ચૂંટણી પંચે આ રાજ્યોમાં તૈયારીઓની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલા તબક્કામાં મતદાન યોજવું તે અંગે અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.રાજકીય પક્ષોએ અત્યારથી જ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જાહેરાત થતાની સાથે જ આ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.૨૦૨૬ની આ ચૂંટણીઓ રાષ્ટ્રીય રાજકારણ માટે પણ અત્યંત મહત્વની સાબિત થશે.
33 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:15 PM
અસદુદ્દીન ઔવૈસીએ વિવાદાસ્પદ કેસમાં દીપક કુમારનું સમર્થન કર્યું, ભાજપ અને આરએસએસની ટીકા કરી

અસદુદ્દીન ઔવૈસીએ વિવાદાસ્પદ કેસમાં દીપક કુમારનું સમર્થન કર્યું, ભાજપ અને આરએસએસની ટીકા કરી

નવી દિલ્હી: ઉત્તરાખંડના કોટદ્વારના ચર્ચિત 'દીપક કુમાર' કેસમાં હવે રાજકીય ગરમાવો તેજ થયો છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે દીપક કુમારને ખુલ્લું સમર્થન આપીને કેન્દ્રની ભાજપ સરકાર અને RSS પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો દીપક કુમાર જેવા લોકો હિંદુ સમાજમાંથી આગળ આવશે, તો ભાજપ અને RSSની સત્તાના દિવસો ગણાઈ જશે.ઓવૈસીએ દીપક કુમારની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ સામાજિક અને લોકશાહી મૂલ્યોની અસલી અવાજ છે. ઓવૈસીના મતે, જે લોકો બંધારણ, સમાનતા અને ન્યાયની વાત કરે છે, તેમનો સાથ આપવો એ સમયની માંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે દેશમાં નફરતની રાજનીતિને રોકવા માટે આવા તત્વોનું મજબૂત થવું જરૂરી છે.કોટદ્વારના દીપક કુમાર હાલમાં સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક સ્થાનિક અને સામાજિક મુદ્દાઓને કારણે ભાજપ અને વિરોધ પક્ષો સામસામે આવી ગયા છે. ઓવૈસીના આ નિવેદન બાદ હવે આ મામલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.ઓવૈસીના આ સીધા હુમલા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. જોકે, ભાજપ તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે, કારણ કે ઓવૈસીએ આ મુદ્દાને સીધો જ ભાજપ-RSS વિરુદ્ધ હિંદુ સમાજના જાગૃત નાગરિકો તરીકે રજૂ કર્યો છે.
29 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:11 PM
બાંગ્લાદેશની અવામી લીગ ભારતીય જમીન પરથી ચૂંટણીને નબળી પાડવા માંગે છે

બાંગ્લાદેશની અવામી લીગ ભારતીય જમીન પરથી ચૂંટણીને નબળી પાડવા માંગે છે

કોલકાતા: બાંગ્લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્વે પાડોશી દેશમાં લોકશાહીનો માહોલ છે, પરંતુ તેની પટકથા ભારતની ધરતી પર લખાઈ રહી હોય તેમ જણાય છે. સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યાના ૧૭ મહિના બાદ પણ શેખ હસીના અને તેમની પાર્ટી 'આવામી લીગ' હાર સ્વીકારવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના દિલ્હીના એક સુરક્ષિત અને ગુપ્ત લોકેશન પરથી પાર્ટીનું સંચાલન કરી રહ્યા છે. કોલકાતામાં આશરો લઈ રહેલા સેંકડો પૂર્વ નેતાઓને વારંવાર દિલ્હી બોલાવીને ચૂંટણીના દિવસે બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાવવા અને વર્તમાન વચગાળાની સરકાર પર દબાણ લાવવાની ગુપ્ત રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. મે ૨૦૨૪માં બાંગ્લાદેશની વચગાળાની સરકારે આવામી લીગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હોવા છતાં, પક્ષે ચૂંટણી પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવીને તેને નબળી પાડવાનો નિર્ણય લીધો છે. શેખ હસીના સામે હત્યા અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે, પરંતુ તેમના સમર્થકો માને છે કે આ બધું રાજકીય કાવતરું છે. કોલકાતામાં પડાવ નાખીને બેઠેલા અંદાજે ૬૦૦ જેટલા નેતાઓ અને હજારો કાર્યકરો સોશિયલ મીડિયા અને અન્ય ગુપ્ત માધ્યમો દ્વારા બાંગ્લાદેશમાં રહેલા પોતાના કેડર સાથે સંપર્કમાં છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણીના દિવસે મોટા પાયે વિરોધ પ્રદર્શનો યોજીને વિશ્વને એ બતાવવાનો છે કે આવામી લીગ વગરની ચૂંટણી અશક્ય છે. બાંગ્લાદેશમાં જુલાઈ ૨૦૨૪ના એ લોહિયાળ બળવા બાદ, જેમાં અંદાજે ૧,૪૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા, આવામી લીગની છબી ખરડાઈ છે, પરંતુ પક્ષ હજુ પણ પુનરાગમનની આશા સેવી રહ્યો છે. જો ૧૨ ફેબ્રુઆરીની ચૂંટણીમાં મતદાન ઓછું થાય અથવા પરિણામોમાં અસ્થિરતા સર્જાય, તો હસીના આ તકનો ઉપયોગ કરી પોતાની કાયદેસરતા સાબિત કરવા માંગે છે. પક્ષના અગ્રણી નેતાઓ દાવો કરી રહ્યા છે કે હસીના ટૂંક સમયમાં એક 'હીરો' તરીકે ઢાકામાં પરત ફરશે. હવે જોવાનું એ રહેશે કે ભારતની ધરતી પરથી ઘડાતી આ વ્યૂહરચના બાંગ્લાદેશના ચૂંટણી મેદાનમાં કેટલી સફળ રહે છે અને ભારત સરકાર આ મામલે કેવું વલણ અપનાવે છે.
19 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 04:57 PM
રાહુલ ગાંધીએ પીએમ મોદીના અમેરિકા સાથેના વેપાર સોદા પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીએ પીએમ મોદીના અમેરિકા સાથેના વેપાર સોદા પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી:સંસદના બજેટ સત્રમાં આજે ત્યારે ભારે હોબાળો મચી ગયો જ્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર ગંભીર સવાલો ઉઠાવ્યા. સંસદની કાર્યવાહી સ્થગિત થયા બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલે દાવો કર્યો કે વડાપ્રધાન અત્યારે ભારે દબાણ હેઠળ છે અને તેમણે ખેડૂતો તેમજ દેશના હિતો સાથે સમાધાન કરીને આ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દબાણ લાવવા પાછળ બે મુખ્ય કારણો ગણાવ્યા:1. અદાણી કેસ: અમેરિકામાં ગૌતમ અદાણી પર ચાલી રહેલા કેસનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે આ માત્ર અદાણી પર નહીં, પણ મોદીના નાણાકીય માળખા પરનો હુમલો છે.2. એપસ્ટિન ફાઈલ્સ: તેમણે દાવો કર્યો કે 'એપસ્ટિન ફાઈલ્સ'માં હજુ ઘણી વિગતો જાહેર થવાની બાકી છે અને અમેરિકાએ હજુ તે બહાર પાડી નથી. રાહુલે આક્ષેપ કર્યો કે આ બાબતોને લઈને PM મોદીને 'કોમ્પ્રોમાઈઝ' (સમાધાન) કરવા મજબૂર કરાયા છે.ડોકલામ અને સંસદમાં હોબાળો: સંસદની અંદર રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના પુસ્તકને ટાંકીને ડોકલામ અને ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરકારે 'અપ્રકાશિત પુસ્તક'ના આધારે વાતો કરવા સામે વાંધો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે રાહુલને ગૃહને ગેરમાર્ગે દોરતા રોકવા સ્પીકરને અપીલ કરી હતી.સરકારનો પક્ષ: બીજી તરફ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પત્રકાર પરિષદ યોજીને આ ડીલને ઐતિહાસિક ગણાવી છે. તેમણે કહ્યું કે આ ડીલથી ભારતીય ખેડૂતો અને નાના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (કર) 25% થી ઘટાડીને 18% કર્યા છે, જે ભારત માટે જીત સમાન છે. ભાજપે રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
51 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 04:55 PM
ગુજરાતના ડેઝર્ટ ફેસ્ટિવલથી પ્રેરિત થઈને મધ્યપ્રદેશ સિંહસ્થ કુંભ મેળામાં ટેન્ટ સિટીનું આયોજન કરશે

ગુજરાતના ડેઝર્ટ ફેસ્ટિવલથી પ્રેરિત થઈને મધ્યપ્રદેશ સિંહસ્થ કુંભ મેળામાં ટેન્ટ સિટીનું આયોજન કરશે

ઉજ્જૈન: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ રણ ઉત્સવની મુલાકાત લીધા બાદ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાતના પ્રવાસન મોડલથી પ્રભાવિત થઈને તેમણે મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારના આયોજનો કરવાની નેમ વ્યક્ત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિંહસ્થ ૨૦૨૮ કુંભ મેળા માટે આયોજન: ઉજ્જૈનમાં વર્ષ ૨૦૨૮માં યોજાનારા પવિત્ર 'સિંહસ્થ કુંભ' મેળામાં ગુજરાતના રણ ઉત્સવ જેવી જ અત્યાધુનિક સુવિધાઓવાળી 'ટેન્ટ સિટી' (તંબુ નગરી) વિકસાવવામાં આવશે.
81 shares
😊
Akila News logo
Akila News
Feb 3, 2026, 04:12 PM
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના મતદાર યાદીમાં સુધારાની ટીકા કરી

મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના મતદાર યાદીમાં સુધારાની ટીકા કરી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદીઓના ઊંડા સંશોધન (SIR) પ્રક્રિયા સામે દિલ્હીના મંચ પરથી યુદ્ધ છેડ્યું છે. મંગળવારે પત્રકાર પરિષદમાં ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું કે, ચૂંટણી પંચે અત્યાર સુધીમાં અંદાજે ૫.૮ મિલિયન (૫૮ લાખ) લોકોના નામ મતદાર યાદીમાંથી એકપક્ષીય રીતે દૂર કરી દીધા છે. મમતાએ આ પ્રક્રિયાને NRC કરતા પણ વધુ ઘાતક ગણાવતા દાવો કર્યો કે આ કવાયત દરમિયાન આઘાત અને તણાવને કારણે ૧૫૦ લોકોના મોત થયા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ૨૪ વર્ષ પછી, બરાબર ચૂંટણીના ટાણે જ આવી પ્રક્રિયા હાથ ધરવાની શું જરૂર હતી? મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ શાસિત વિસ્તારોમાં મતદારોને છંછેડવામાં આવતા નથી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં જાણી જોઈને નામો કાપવામાં આવી રહ્યા છે. ઘૂસણખોરીના મુદ્દે તેમણે કેન્દ્રને આડે હાથ લેતા કહ્યું કે, સરહદની રક્ષા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, તો પછી ઘૂસણખોરી માટે રાજ્ય સરકારને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય? તેમણે આક્ષેપ કર્યો કે બંગાળી બોલતા ભારતીય નાગરિકોને જાણી જોઈને 'બાંગ્લાદેશી' કહીને અપમાનિત કરવામાં આવે છે અને તેમની લોકશાહી ઓળખ છીનવવામાં આવી રહી છે. ચૂંટણી પંચની કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા મમતાએ કહ્યું કે, "અમે પીડિતો સાથે પંચના દ્વારે ગયા હતા, પરંતુ અમારી વાત સાંભળવાને બદલે અમારું અપમાન કરવામાં આવ્યું." તેમણે ભાવુક અંદાજમાં પ્રશ્ન કર્યો કે શું આ પ્રક્રિયા દ્વારા દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને દેશ છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે? મમતાએ ચેતવણી આપી છે કે જો આ અન્યાયી પ્રક્રિયા રોકવામાં નહીં આવે, તો તેઓ આ લડાઈને રસ્તા પર લઈ જશે. હાલમાં દિલ્હીમાં મમતાની આ આક્રમકતાએ આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પારો સાતમા આસમાને પહોંચાડી દીધો છે.
88 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 04:06 PM
મણિપુર ભાજપના નેતા તરીકે યુમ્નમ ખેમચંદ સિંહની વરણી, નવા મુખ્યમંત્રી માટે માર્ગ મોકળો થયો

મણિપુર ભાજપના નેતા તરીકે યુમ્નમ ખેમચંદ સિંહની વરણી, નવા મુખ્યમંત્રી માટે માર્ગ મોકળો થયો

ઈમ્ફાલ: મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા અને અશાંતિનો આખરે સુખદ અંત આવ્યો છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલય ખાતે મળેલી હાઈ-વોલ્ટેજ બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને સર્વાનુમતે મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને સંબિત પાત્રાની હાજરીમાં મળેલી આ બેઠકમાં ૩૫ ધારાસભ્યોએ ખેમચંદના નામ પર મહોર મારી હતી, જે દર્શાવે છે કે હિંસાથી પ્રભાવિત રાજ્યમાં ભાજપ હવે નવા નેતૃત્વ સાથે સ્થિરતા લાવવા માંગે છે. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેના વંશીય સંઘર્ષ બાદ એન. બિરેન સિંહની સરકારે રાજીનામું આપ્યું હતું, જેને પગલે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. આ હિંસાએ રાજ્યના સામાજિક માળખાને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે કેન્દ્રીય નેતૃત્વએ નેતૃત્વ પરિવર્તનનો કઠોર નિર્ણય લેવો પડ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહ અને પ્રદેશ પ્રમુખ એ. શારદા દેવીની હાજરીમાં લેવાયેલો આ નિર્ણય સૂચવે છે કે પક્ષ હવે વિભાજિત સમુદાયો વચ્ચે સેતુ બાંધવા માટે ખેમચંદ સિંહના અનુભવ અને મધ્યમમાર્ગી છબીનો ઉપયોગ કરવા માંગે છે. નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ યુમનામ ખેમચંદ સિંહ સામે પડકારોનો પહાડ ઉભો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી, વિસ્થાપિત થયેલા હજારો લોકોને ફરી વસાવવા અને બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ પેદા કરવો એ તેમની પ્રાથમિકતા રહેશે. ધારાસભ્ય થોકચોમ રાધેશ્યામ સિંહે આ નિમણૂકને આવકારતા કહ્યું કે, લાંબા સમયથી પ્રજા જે લોકપ્રિય સરકારની રાહ જોતી હતી તે હવે મળવા જઈ રહી છે. મણિપુરની જનતાને આશા છે કે નવા મંત્રાલયની રચના સાથે રાજ્યમાં ફરી એકવાર શાંતિ અને વિકાસની લહેર પાછી ફરશે.
42 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 03:59 PM
ટ્રમ્પે ભારત સાથે વેપાર સમજૂતીની જાહેરાત કરી, ટેરિફ ઘટાડ્યો અને તેલ પ્રતિબદ્ધતા સુરક્ષિત કરી

ટ્રમ્પે ભારત સાથે વેપાર સમજૂતીની જાહેરાત કરી, ટેરિફ ઘટાડ્યો અને તેલ પ્રતિબદ્ધતા સુરક્ષિત કરી

નવી દિલ્હી :અમેરિકા પર ભારત પરનો ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટ્રેડ ડીલની જાહેરાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદે. આ મામલે હવે રશિયાએ મોટું નિવેદન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલય ક્રેમલિન દ્વારા ઓઈલ મુદ્દે મોટું નિવેદન આપવામાં આવ્યું. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, ભારતે હજુ સુધી અમને એવી કોઈ સત્તાવાર જાણકારી નથી કે હવે તેઓ રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દેશે.
30 shares
😐
Western Times logo
Western Times
Feb 3, 2026, 02:59 PM
વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે પરમાણુ મંત્રણા ફરી શરૂ

વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે પરમાણુ મંત્રણા ફરી શરૂ

ટ્રમ્પની ધમકીની અસરઃ આ અઠવાડિયે ચર્ચા શરૂ થશે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઈસ્લામિક શાસન સામે લશ્કરી હુમલો કરવાની પોતાની ધમકીઓ સતતવધારી હતી તહેરાન,ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયને અમેરિકા સાથે પરમાણુ સંવાદ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે, એક સૂત્રને ટાંકીને ઈરાનની રાજ્ય-સંલગ્ન ફાર્સ ન્યૂઝ એજન્સીએ સોમવારે તેવો અહેવાલ આપ્યો હતો.આ ઘટનાક્રમ ઇરાન અને અમેરિકા વચ્ચે ઈરાન નજીક યુએસ નેવીના લશ્કરી જમાવડાને કારણે વધી રહેલા તણાવની વચ્ચે આવ્યો છે. ગયા મહિને ઈરાનમાં થયેલા વ્યાપક સરકાર વિરોધી પ્રદર્શનો પર કરવામાં આવેલી હિંસક કાર્યવાહી બાદ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઈસ્લામિક શાસન સામે લશ્કરી હુમલો કરવાની પોતાની ધમકીઓ સતત વધારી હતી, જેના પગલે આ નૌકા કાફલો આ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યો હતો. ઈરાનમાં ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પ્રદર્શનો અને સરકારનો તેવો પ્રતિસાદ સૌથી ઘાતક આંતરિક અશાંતિ તરીકે નોંધાયા છે. હિંસક કાર્યવાહી દરમિયાન હસ્તક્ષેપ કરવાની ધમકીઓ આપ્યા પછી ટ્રમ્પે લશ્કરી પગલું ભર્યું નહોતું, તેમણે ત્યારથી ઇરાન પાસે પરમાણુ ક્ષેત્રે બાંધછોડ કરવાની માંગ કરી છે. વધતા તણાવ દરમિયાન, અમેરિકી પ્રમુખ સહિત બંને પક્ષોના અધિકારીઓ અને મહાનુભાવોએ વારંવાર વાટાઘાટો ફરી શરૂ થવાના સંકેતો આપ્યા છે. ઈરાની સૂત્રોએ પુષ્ટિ આપી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંત્રણા શરૂ કરવા માટે ત્રણ મુખ્ય પૂર્વશરતો રાખી છે. અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વચ્ચે આ જ શુક્રવારે ઈસ્તંબુલ, તુર્કીમાં નિર્ણાયક બેઠક યોજાઈ શકે છે.ss1
84 shares
😢
Western Times logo
Western Times
Feb 3, 2026, 02:44 PM
ચીનના શી જિનપિંગે ડોલરના વર્ચસ્વને પડકાર્યો, વૈશ્વિક રિઝર્વ ચલણ તરીકે યુઆનના ઉદયની માંગ કરી

ચીનના શી જિનપિંગે ડોલરના વર્ચસ્વને પડકાર્યો, વૈશ્વિક રિઝર્વ ચલણ તરીકે યુઆનના ઉદયની માંગ કરી

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે જિનપિંગનો ડોલરને પડકાર ટ્રમ્પના ટેરિફથી કંટાળેલા બધા દેશો ડોલરનો તોડ ઇચ્છે છે અને આ વલણ યુઆના માટે મોટી તક સમાન ઃ જિનપિંગ બૈજિંગ,ચીનના સુપ્રીમો જિનપિંગે તેના દેશને આહવાન કર્યુ છે કે અમેરિકન ડોલરના દિવસો પૂરા થઈ જવા આવ્યા છે. ચીનનું ચલણ યુઆન તેનું સ્થાન લેવા તૈયાર છે. વર્તમાન સંજોગોમાં વિશ્વને એવા ચલણની જરૂરિયાત છે જેના પર ગમે તેવી અનિશ્ચિતતાઓ વચ્ચે ભરોસો કરી શકાય. યુઆન આ ચલણ બની શકે છે. ચીન મજબૂત ચલણની દિશામાં કામ કરી રહ્યું છે. ચીન યુઆનને વૈશ્વિક રિઝર્વ કરન્સીના સ્વરૂપમાં સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. જિનપિંગે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે એક આર્થિક મહાશક્તિ બનવા માટે મજબૂત આર્થિક આધાર, વિશ્વસ્તરની આર્થિક અને ટેકનોલોજીકલ ક્ષમતાની સાથે એક એવા ચલણની જરૂરિયાત છે જેના પર વિશ્વ ભરોસો કરી શકે, જેનો વ્યાપક પાયા પર ઉપયોગ થાય. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ માટે એક અસરકારક મધ્યસ્થ બેન્ક હોવી જોઈએ, જે ચલણ નીતિ અને મેક્રો પ્›ડેન્સિયલ મેનેજમેન્ટનો યોગ્ય રીતે અમલ કરી શકે. તેની સાથે વૈશ્વિક સ્તર પર હરીફાઈ કરી શકે તેવી નાણા સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો હોવા જોઈએ, જે આખા વિશ્વમાંથી મૂડી ખેંચી શકે અને વૈશ્વિક ભાવ પર અસર પાડી શકે.હાલમાં ચીનના ચલણમાં દૈનિક ધોરણે ૭૦૦ અબજના વ્યવહારો થાય છે, જે અમેરિકન ડોલરમાં થતાં બે ટ્રિલિયનના વ્યવહારો કરતાં ઘણા ઓછા છે, પરંતુ ચીન આ દિશામાં જે મક્કમતાથી આગળ વધી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં તે ડોલરનું સ્થાન લેવા કમર કસી ચૂક્યું છે તેમ કહી શકાય. તેણે તેના કટ્ટર હરીફ ભારતને પણ યુઆનમાં નાણાકીય વ્યવહાર કરવા તૈયાર કરી લીધું છે તે તેના માટે બહુ મોટી વાત છે. આજે બ્રિક્સ દેશોમાં તો ડોલરના બદલે ચીનના ચલણમાં જ વ્યવહાર થાય છે તેમ જ કહી શકાય. તેથી જ તો ટ્રમ્પ બ્રિક્સ દેશો પર ભૂંરાટા થયા છે.આ ઉપરાંત વિશ્વના બધા દશોને ટ્રમ્પની ટેરિફની ધમકીનો તોડ કાઢવો જરૂરી લાગ્યો છે. આ તોડના સ્વરૂપમાં પણ ચીનનું ચલણ યુઆન એકદમ ફિટ બેસે છે. ચીન લાંબા સમયથી કોઈપણ મોટા લશ્કરી સંઘર્ષમાં ઉતર્યુ નથી. અમેરિકન પ્રમુખની અસ્થિર નીતિઓએ આખા વિશ્વને ડોલરનો વિકલ્પ વિચારવાની ફરજ પાડી છે. આ જ બાબત ચીનના ચલણ યુઆન માટે મોટી વૈશ્વિક તક બનીને આવી છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળથી વિપરીત તેમના બીજા કાર્યકાળમાં ડોલરની સામે યુઆન મજબૂત રહ્યો છે.ss1
8 shares
😐
Western Times logo
Western Times
Feb 3, 2026, 02:39 PM
મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ભાજપ પ્રત્યે પક્ષપાતનો આરોપ લગાવ્યો

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર ભાજપ પ્રત્યે પક્ષપાતનો આરોપ લગાવ્યો

મમતા કાળી શાલ ઓઢીને મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા એસઆઇઆર પીડિતો દિલ્હીમાં રોકાયા ત્યાં પોલીસ ખડકી દેવાઇ, બ્લાસ્ટ થયા ત્યારે ક્યાં ગયા હતા ? : મુખ્યમંત્રી ચૂંટણી પંચ ભાજપનું આઇટી સેલ, આવા અહંકારી કમિશનર નથી જોયા : મમતા નવી દિલ્હી,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી હતી, જે બાદ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપનું આઇટી સેલ છે. ટીએમસીનું એક ડેલિગેશન એસઆઇઆર મુદ્દે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યું હતું. આ દરમિયાન એસઆઇઆર પ્રક્રિયાના પીડિત લોકોને પણ સાથે લાવવામાં આવ્યા હતા. બંગાળના આ મતદારો સાથે દિલ્હી પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ ટીએમસીએ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન અનેક લોકોના નામ ડ્રાફ્ટમાં સામેલ થઇ શક્યા નથી. આવા ૫૦ પરિવારને લઇને મમતા બેનરજી દિલ્હી પહોંચ્યા હતા. તેઓને રાજ્યના વિવિધ ભવનોમાં રાખવામાં આવ્યા જેમાં દિલ્હીના ચાણક્યપુરી સ્થિત બાંગ્લા ભવનનો પણ સમાવેશ થાય છે. જેમાંથી કેટલાકને બાદમાં સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત માટે મમતા પોતાની સાથે લઇ ગયા હતા. તે પહેલા પોતાના રાજ્યના નાગરિકોને મળવા માટે મમતા આ બાંગ્લા ભવન પહોંચ્યા હતા જ્યાં બહુ જ મોટી સંખ્યામાં પોલીસ ખરડવામાં આવી હતી. જેને પગલે મમતા બેનરજી રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે બાંગ્લા ભવનમાં બંગાળના નાગરિકોને પરેશાન કરાઇ રહ્યા છે. જ્યાં પણ એસઆઇઆર પીડિતો રોકાયા છે ત્યાં દિલ્હી પોલીસ તૈનાત કરી દેવાઇ છે, જ્યારે દિલ્હીમાં બ્લાસ્ટ થયા હતા ત્યારે આ દિલ્હી પોલીસ ક્યાં ગઇ હતી? મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હું દિલ્હી પોલીસ પર દોષ નાખવા નથી માગતી, મારો સવાલ જે ટોચ પર બેઠા છે તેમને છે. જ્યારે ટીએમસીના નેતા સાકેત ગોખલેએ દાવો કર્યાે હતો કે દિલ્હી પોલીસે બંગાળના આ પીડિતોને એવી ધમકી આપી છે કે જો તેઓ જ્યાં રોકાયા છે ત્યાંથી બહાર નિકળશે તો તેમની અટકાયત કરી લેવામાં આવશે.
94 shares
😢
Western Times logo
Western Times
Feb 3, 2026, 02:34 PM
આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નકારી કાઢ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી

આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નકારી કાઢ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવી હતી નવી દિલ્હી,જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મુદ્દે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ન્યાયાલયના ચુકાદાને ભારતે ફગાવ્યો છે. વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત થઈ ગઈ છે. એવામાં ભારત આ સંધિ હેઠળ કોઈ પણ જવાબદારી નિભાવવા માટે બંધાયેલું છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ કોર્ટ જ ગેરકાયદે છે. કાયદાની નજરે આ કોર્ટનું કોઈ અસ્તિત્વ નથી. એક સંપ્રભુ રાષ્ટ્ર ભારતની કોઈ પણ કાર્યવાહીની તપાસ કરવાનો આ કોર્ટને કોઈ અધિકાર જ નથી. ભારતે ક્યારેય આ તથાકથિત ઈન્ટરનેશલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનને માન્યતા આપી નથી. આ મંચ દ્વારા કરાયેલી કોઈ પણ કાર્યવાહી, નિર્ણય કે આદેશ ગેરકાયદે અને અમે અમે તેને કોઈ માન્યતા આપતા નથી. વૈશ્વિક આતંકવાદના રૂપમાં ભૂમિકાથી બચવા માટે પાકિસ્તાનના ઈશારે આ નાટક ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચો પર હેરફેર કરવાની પાકિસ્તાનની દાયકાઓ જૂની ટેવ રહી છે. નોંધનીય છે કે નેધરલેન્ડ સ્થિત આ કોર્ટે ભારતને કહ્યું હતું કે ૯ ફેબ્›આરી સુધીમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ઓપરેશનલ લાગબુક જમા કરાવો. નોંધનીય છે કે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવી હતી. ભારત હવે નદીના પ્રવાહ, પૂરની ચેતવણી, ગ્લેશિયર ઓગળવાની ચેતવણી સહિતની જાણકારી પાકિસ્તાનને આપતું નથી.ss1
18 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:17 PM
અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો, ભારતીય સંસદમાં હોબાળો

અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યો, ભારતીય સંસદમાં હોબાળો

નવી દિલ્‍હી, તા.૩: ભારત-અમેરિકા વેપાર કરારની રાહ જોવાનો અંત આવ્‍યો છે. રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ ભારત પર લાદવામાં આવેલા ૫૦ ટકાના ભારે ટેરિફને ઘટાડીને ૧૮ ટકા કરશે. નોંધપાત્ર વાત એ છે કે, આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્‍યારે ભારતનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું. ભારત સરકારે ટ્રમ્‍પ વહીવટીતંત્રના નિર્ણયનું સ્‍વાગત કર્યું હતું, ત્‍યારે કોંગ્રેસ સરકાર પર દોષારોપણ કરી રહી છે. મંગળવારે કોંગ્રેસ અને અન્‍ય વિપક્ષી પક્ષોના સભ્‍યોએ લોકસભામાં હંગામો મચાવ્‍યો હતો, જેના કારણે સત્ર શરૂ થયાના થોડી મિનિટો પછી જ બપોરે ૧૨ વાગ્‍યા સુધી ગળહને સ્‍થગિત કરવાની ફરજ પડી હતી. રાહુલ ગાંધીને બોલતા અટકાવીને, સ્‍પીકરે આગામી સ્‍પીકરની નિમણૂક કરી. સમાજવાદી પાર્ટી, ટીએમસી અને અન્‍ય વિપક્ષી પક્ષોના સાંસદોએ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. ભારે હોબાળો થયો. વિપક્ષી સાંસદો રાહુલ ગાંધીના સમર્થનમાં વેલમાં ધસી ગયા અને સ્‍પીકરની ખુરશી તરફ કાગળો પણ ફેંકયા. આ હોબાળાથી કાર્યવાહી ખોરવાઈ ગઈ, જેના કારણે સ્‍પીકર કળષ્‍ણ પ્રસાદ ટેનેટીએ ગળહને બપોરે ૩ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દીધું. સત્રની શરૂઆતમાં, લોકસભાના અધ્‍યક્ષ ઓમ બિરલાએ ભૂતપૂર્વ સાંસદ સુરૂપસિંહ હિરિયા નાઈકના નિધનની જાહેરાત કરી, અને સભ્‍યોએ મળત સભ્‍યને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળ્‍યું. આ પછી, સ્‍પીકરે પ્રશ્‍નકાળ શરૂ કરતાની સાથે જ, કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના સાંસદો સ્‍પીકરના પોડિયમ પર ધસી ગયા, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા, ભારત-અમેરિકા વેપાર કરારનો મુદ્દો ઉઠાવ્‍યો. હોબાળા વચ્‍ચે, ગળહ રાજ્‍યમંત્રી નિત્‍યાનંદ રાયે સભ્‍યના પૂરક પ્રશ્‍નનો જવાબ આપ્‍યો. બિરલાએ વિપક્ષી સભ્‍યોને કાર્યવાહી આગળ વધવા દેવા અપીલ કરતા કહ્યું, શું પ્રશ્‍નકાળ દરમિયાન વ્‍યવસ્‍થિત રીતે સ્‍પીકરના પોડિયમ પર પહોંચીને સૂત્રોચ્‍ચાર કરવાનું કોઈ વાજબી કારણ છે? આ સભ્‍યોનો સમય છે. સાંસદો આ સમય દરમિયાન પ્રશ્‍નો ઉઠાવે છે, સરકારને જવાબદાર ઠેરવે છે.
77 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:16 PM
ભારતના મુખ્યમંત્રીએ પારદર્શિતા અને જવાબદારી સાથે ગ્રામ વિકાસની હાકલ કરી

ભારતના મુખ્યમંત્રીએ પારદર્શિતા અને જવાબદારી સાથે ગ્રામ વિકાસની હાકલ કરી

અમદાવાદ તા.૩ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે 'ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશ ભાઈ પટેલ તથા કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
28 shares
😊
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:15 PM
ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ વિપક્ષના નેતાએ ઉત્સાહ વચ્ચે પારદર્શિતાની માંગ કરી

ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ વિપક્ષના નેતાએ ઉત્સાહ વચ્ચે પારદર્શિતાની માંગ કરી

નવી દિલ્હી|તા.3:ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારને લઈને જ્યાં એકતરફ સરકારમાં ઉત્સાહ છે,ત્યાં બીજી તરફ વિપક્ષે આ સોદાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદશશી થરૂરેકેન્દ્ર સરકાર પાસે આ ડીલની'ફૂલ ડિટેલ્સ'માંગી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ વિરોધ માટે વિરોધ નથી કરી રહ્યો,પરંતુ દેશના હિતમાં સ્પષ્ટતા ઈચ્છે છે. ટ્વીટ પર સરકાર ચલાવવાનો આરોપ: શશી થરૂરે કટાક્ષ કરતા પૂછ્યું કે, "શું સંસદીય લોકશાહીમાં માત્ર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના સોશિયલ મીડિયા પોસ્ટથી જ દેશ ચાલશે?"તેમણે દલીલ કરી કે ટેરિફ ઘટાડીને18ટકા કરવો એ સારી વાત હોઈ શકે,પણ સરકારે સંસદમાં આવીને સત્તાવાર રીતે જણાવવું જોઈએ કે તેના બદલામાં ભારતે શું ગુમાવ્યું છે અને શું મેળવ્યું છે. ખેડૂતો અને બજાર પર અસરની ચિંતા:
19 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:11 PM
કોંગ્રેસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વાસ્તવિક બજેટની માંગ કરી

કોંગ્રેસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વાસ્તવિક બજેટની માંગ કરી

રાજકોટઃ તા.૩,આવતીકાલે મનપાનું બજેટ રજુ થનાર છે,ત્‍યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ ર૦ કામોનો સમાવેશ કરવા આજે માંગ કરી છે. તેમજ ચૂંટણી નિર્ભર બજેટ નહિ પરંતુ આત્‍મ નિર્ભર અને વાસ્‍તવીક બજેટ બનાવવા શાસકોને જણાવ્‍યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં આવતા તમામ વિસ્‍તારોની યાદી મુજબ જોતા અને રાજકોટના લોકો પાસેથી મેળવેલી માહિતી અનુસાર નવા વર્ષના બજેટમાં કામ સમાવવા માટે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ રજૂ કરી અને તેના માટે શાસકો યોગ્‍ય નિર્ણય કરે તેવી રાજકોટના લોકો વતી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા,વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા,કોર્પોરેટરો મકબુલભાઇ દાઉદાણી તથા કોમલબેન ભારાઇએ કરી હતી. કોંગ્રેસ રાજકોટ મહાનગરપાલિકા વતી કોઈ પણ પ્રકારના રાજકોટની પ્રજા ઉપર વધારાના ટેક્‍સનો બોજો આપવો નહીં અને કોર્પોરેશન દ્વારા વ્‍યાજ માફીની સ્‍કીમ આવે તો કરોડો રૂપિયા જે કોર્પોરેશનના લોકો પાસે બાકી છે તે જમા થઈ શકે અને હાલ બિલ્‍ડરોને જે જમીન વેચવાની યોજનાઓ છે તેમાંથી પણ કોર્પોરેશનને રાહત મળી શકે તે સમાવેશ બજેટમાં કરવા જણાવ્‍યું હતું. ઉપરાંત સામા કાંઠા વિસ્‍તારમાં રીંગરોડ સુધીમાં જેટલી ટીપી સ્‍કીમો આવતી હોય તે ફાઇનલ કરવી જોઈએ જેથી કરીને રાજકોટનો વિકાસ ચારે કોર સમતોલ થઈ શકે હાલ ફક્‍ત અમુક લોકોના પ્‍લોટો કે જે રાજકીય વગ ધરાવે છે તેવા લોકોના પ્‍લોટ છે તે બાજુ જ ટીપી સ્‍કીમો ફાઈનલ થઇ રહી છે અમારી માંગણી છે ટીપી સ્‍કીમ નંબર ૧૪*૪૦*૧૫*૧૭*૧૮*અને ૩૧ કે જે સામે કાંઠે છે તેને ફાઇનલ કરવી જોઈએ. સીનીયર સીટીઝન લોકો માટે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા ચાલતી બસોમાં મફત મુસાફરી કરવાની પરવાનગી આપવી જોઈએ.
72 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:06 PM
ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટી પાસેથી કથિત યહૂદી વિરોધી અને કટ્ટરપંથી ડાબેરી વિચારધારાને કારણે 1 અબજ ડોલરનું નુકસાન માંગ્યું

ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટી પાસેથી કથિત યહૂદી વિરોધી અને કટ્ટરપંથી ડાબેરી વિચારધારાને કારણે 1 અબજ ડોલરનું નુકસાન માંગ્યું

વોશિંગ્ટન,તા.3:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારે રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક આઘાતજનક જાહેરાત કરતા જણાવ્યું કે તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટી પાસેથી$1બિલિયન (અંદાજે₹8,400કરોડથી વધુ)ના નુકસાનીની માંગણી કરી રહ્યું છે. આ જાહેરાત બાદ અમેરિકાના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિવાદનું કારણ શું છે? ટ્રમ્પ વહીવટીતંત્ર લાંબા સમયથી હાર્વર્ડ પર'યહૂદી-વિરોધી' (Antisemitism)અને'કટ્ટરપંથી ડાબેરી વિચારધારા'ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે યુનિવર્સિટીઓ ફેડરલ ભંડોળનો ઉપયોગ ખોટી દિશામાં કરી રહી છે. અગાઉ,સરકારે હાર્વર્ડને મળતી$2બિલિયનની ફેડરલ ગ્રાન્ટઅટકાવી દીધી હતી,જેની સામે યુનિવર્સિટીએ કાયદાકીય લડત જીતી હતી. હવે ટ્રમ્પે વળતા પ્રહાર તરીકે આ જંગી દંડની માંગ કરી છે. ભંડોળ અને વાટાઘાટોની રમત:
3 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:57 PM
મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી લડવા માટે પિતાએ છ વર્ષની દીકરીની હત્યા કરી

મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી લડવા માટે પિતાએ છ વર્ષની દીકરીની હત્યા કરી

નાંદેડ, તા.૩: શું તમે કલ્‍પના કરી શકો છો કે કોઈ ચૂંટણી લડવા માટે પોતાના બાળકની હત્‍યા કરે? હા, એવું બન્‍યું છે. મહારાષ્‍ટ્રના નાંદેડમાં એક વ્‍યક્‍તિએ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી લડવા માટે પોતાની છ વર્ષની પુત્રીની હત્‍યા કરી દીધી. અહીંના કાયદામાં બેથી વધુ બાળકો ધરાવતા કોઈપણ વ્‍યક્‍તિને સરપંચની ચૂંટણી લડવાની મનાઈ હતી, તેથી તે વ્‍યક્‍તિએ પોતાના ત્રીજા બાળકની હત્‍યા કરી દીધી. આરોપી પિતાનું નામ પાંડુરંગ કોંડમંગલે છે, જે ૨૮ વર્ષનો છે. તે મહારાષ્‍ટ્રના નાંદેડ જિલ્લાના કેરુર ગામમાં વિરાટ સલોન નામની વાળંદની દુકાન ચલાવે છે. પાંડુરંગ સરપંચની ચૂંટણી લડવા માંગતો હતો. આ જૂનમાં સ્‍થાનિક ચૂંટણીઓ અથવા પંચાયતની ચૂંટણીઓમાં તેને આ તક મળવાની હતી, પરંતુ મહારાષ્‍ટ્ર સરકારનું શાસન અવરોધ બની ગયું. આવતા જૂનમાં મહારાષ્‍ટ્રમાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, તેથી તે સરપંચની ચૂંટણી લડવા માંગતો હતો, એવું માનીને કે તે જીતી શકે છે. જોકે, મહારાષ્‍ટ્ર પંચાયત રાજ કાયદો ફક્‍ત બે બાળકો ધરાવતા લોકોને જ સ્‍થાનિક ચૂંટણી લડવાની મંજૂરી આપે છે. પાંડુરંગના પરિવારમાં પત્‍ની, એક પુત્ર અને બે જોડિયા પુત્રીઓ હતી, તેથી તે પદ માટે ચૂંટણી લડી શકયો નહીં. તેથી, તેણે તેના મિત્ર ગણેશ શિંદેની મદદ લીધી અને એક છોકરીને છુટકારો મેળવવાનું નક્કી કર્યું. ખબર પડી કે ૬ વર્ષની પ્રાચી જોડિયા છોકરીઓમાં સૌથી મોટી હતી. શરૂઆતમાં બંનેએ પ્રાચીને દત્તક લેવાનું વિચાર્યું, પરંતુ તે કામ ન આવ્‍યું કારણ કે છોકરીનું જન્‍મ પ્રમાણપત્ર છ વર્ષ પહેલાં જારી કરવામાં આવ્‍યું હતું.
53 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:55 PM
ગુજરાતના મંત્રી કનુભાઇ એસ. દેસાઇઃ તેમના જીવન અને યોગદાનની રૂપરેખા

ગુજરાતના મંત્રી કનુભાઇ એસ. દેસાઇઃ તેમના જીવન અને યોગદાનની રૂપરેખા

રાજકોટ :.. ગુજરાતના નાણા અને શહેરી વિકાસ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ એસ. દેસાઇનો જન્‍મ તા. ૩ ફેબ્રુઆરી ૧૯પ૧ ના દિવસે થયેલ આજે ૭૬માં વર્ષમાં પ્રવેશતા જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે. શ્રી કનુભાઇ દેસાઇ વલસાડના પારડી મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા ભાજપના લોકપ્રિય ધારાસભ્‍ય છે. તેઓ બી.કોમ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. રોટરી કલબ સહિત વિવિધ સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે. મો. ૯૯૦૯૯ ૯૪૪૪૪ ગાંધીનગર
24 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:46 PM
ભાજપે રાજકોટ જિલ્લામાં ઉપાધ્યક્ષ પદ માટે ટોચના નેતાઓની નિમણૂક કરી

ભાજપે રાજકોટ જિલ્લામાં ઉપાધ્યક્ષ પદ માટે ટોચના નેતાઓની નિમણૂક કરી

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ,સંગઠન મહામંત્રી રત્‍નાકરજી,સૌરાષ્‍ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્‍ધભાઈ દવે,રાજકોટ જીલ્લા ભાજપ અધ્‍યક્ષ અલ્‍પેશભાઈ ઢોલરીયાએ ચર્ચા વિમર્શ કરી જીલ્લા ભાજપના હોદેદારની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. અગાઉ મનોજભાઈ રાઠોડએ તાલુકા ભાજપ ઉપપ્રમુખ,તાલુકા ભાજપ મંત્રી,જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ,તાલુકા પંચાયતના ગુજરાતના સૌથી નાની વયના લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ,જીલ્લા અનુ. જાતી મોરચાના પ્રમુખ,રાજકોટ જીલ્લા ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. ઉપરોક્‍ત વરણીને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્‍યો શ્રીમતિ ભાનુબેન બાબરીયા, જયેશભાઈ રાદડિયા, શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, મહેન્‍દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સહીતના મો. ૯૮ર૪રપ૧૬૬૩ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.
87 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:41 PM
ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન નિયમોને કાનૂની પડકારોનો સામનો કરવો પડે છે

ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન નિયમોને કાનૂની પડકારોનો સામનો કરવો પડે છે

ન્યૂયોર્ક,તા.3:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સત્તા સંભાળતાની સાથે જ ઇમિગ્રેશનના નિયમો પર જે કડક લગામ લગાવી છે,તે હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે.21જાન્યુઆરીથી75દેશોના નાગરિકો માટેઇમિગ્રન્ટ વિઝાપ્રક્રિયા સ્થગિત કરવાના નિર્ણય વિરુદ્ધ'નેશનલ ઇમિગ્રેશન લો સેન્ટર'સહિતના અનેક નાગરિક અધિકાર સંગઠનોએ મેનહટનની ફેડરલ કોર્ટમાં દાવો માંડ્યો છે. શું છે વિવાદનું મૂળ? ટ્રમ્પ સરકારનો તર્ક છે કે આ75દેશોના લોકો અમેરિકા આવીને સરકારી સહાય અને કલ્યાણકારી યોજનાઓ પર બોજ બની શકે છે (જેને કાયદાકીય ભાષામાં'પબ્લિક ચાર્જ'કહેવાય છે). જોકે,મુકદ્દમો કરનાર જૂથોનો દાવો છે કે આ પાયાવિહોણા અને ખોટા આરોપો છે. આ નીતિને કારણે હજારો પરિવારો અલગ થઈ રહ્યા છે અને જેમને કામ માટે મંજૂરી મળી ગઈ છે તેવા ડોક્ટરો અને એન્જિનિયરો પણ અમેરિકામાં પ્રવેશ કરી શકતા નથી. ભારતના પાડોશી દેશો પર પણ અસર:
99 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 01:31 PM
ભાજપના યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા

ભાજપના યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા

ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યપ્રધાન બનશે. તેમને ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ખેમચંદ મેઈતેઈ સમુદાયથી આવે છે. સિંગજામેઈ વિધાનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. તે એન્જિનિયર છે. 62 વર્ષીય ખેમચંદ સિંહ બીરેન સરકારમાં નગર પ્રશાસન અને આવાસ વિભાગના મંત્રી હતા, તેમના રાજકીય પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ 2022માં મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. ખેમચંદને સંઘની નજીકના માનવામાં આવે છે. ADVERTISEMENT ADVERTISEMENT India India India India India Gujarat Sports Gujarat World Sports Agriculture News: પ્રાકૃતિક કૃષિમાં જળચક્ર ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા
4 shares
😊
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:22 PM
ભારતીય સંસદનું સત્ર અરાજકતાથી ઘેરાયું, સાંસદોને અનુશાસનહીનતા માટે સસ્પેન્ડ કરાયા

ભારતીય સંસદનું સત્ર અરાજકતાથી ઘેરાયું, સાંસદોને અનુશાસનહીનતા માટે સસ્પેન્ડ કરાયા

નવી દિલ્હી,તા.3:સંસદના બજેટ સત્ર2026માં આજે ભારે ડ્રામા જોવા મળ્યો હતો. લોકસભાની કાર્યવાહી દરમિયાન સતત હંગામો અને અનુશાસનહીનતા બદલ કોંગ્રેસના8સાંસદોને સત્રના બાકીના ભાગ માટે સસ્પેન્ડકરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી સાંસદોએ ગૃહની ગરિમા લજવી છે અને ટેબલ પર ચઢીને દસ્તાવેજો ફાડી નાખ્યા છે. આ તરફ,રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે સંસદની બહાર આ સસ્પેન્શનનો જોરદાર વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીના સણસણતા આરોપ: વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર સોદાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે: ચીન મુદ્દે ફરી રણસંગ્રામ:
96 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:15 PM
કેનેડી સેન્ટરના બ્લેક હિસ્ટ્રી મહિનાની ઘટનાઓ નામ બદલવાના વિવાદ વચ્ચે ગાયબ થઈ ગઈ

કેનેડી સેન્ટરના બ્લેક હિસ્ટ્રી મહિનાની ઘટનાઓ નામ બદલવાના વિવાદ વચ્ચે ગાયબ થઈ ગઈ

વોશિંગ્ટન,: અમેરિકાની શાન ગણાતા અને વિશ્વવિખ્યાત સાંસ્કૃતિક કેન્દ્ર 'જોન એફ. કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ'માં આ વર્ષે એક મોટો શૂન્યાવકાશ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો, જે અમેરિકામાં 'બ્લેક હિસ્ટ્રી મંથ' (અશ્વેત ઇતિહાસ મહિનો) તરીકે ઉજવવામાં આવે છે, તેમાં આ વખતે કેનેડી સેન્ટરના સત્તાવાર કેલેન્ડરમાંથી તમામ સંબંધિત કાર્યક્રમો ગાયબ થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ આ સંસ્થામાં થયેલા વહીવટી ફેરફારોને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.નામ બદલાતા જ ભભૂક્યો રોષ: વિવાદની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી, જ્યારે ટ્રમ્પ દ્વારા નિયુક્ત ટ્રસ્ટી મંડળે આ સંસ્થાના નામમાં 'ડોનાલ્ડ જે. ટ્રમ્પ' ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે આ કેન્દ્રનું સત્તાવાર નામ "ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને જોન એફ. કેનેડી મેમોરિયલ સેન્ટર" થઈ ગયું છે. આ નિર્ણયથી નારાજ થઈને અનેક અશ્વેત કલાકારો અને સંગઠનોએ પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમો રદ કરી દીધા છે અથવા તો તેને અન્ય ખાનગી સ્થળોએ ખસેડી લીધા છે.પરંપરાગત કાર્યક્રમોને લાગ્યું ગ્રહણ:વર્ષોથી કેનેડી સેન્ટરમાં યોજાતો અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના વારસાને યાદ કરતો પ્રખ્યાત 'લિવિંગ ધ ડ્રીમ' કોન્સર્ટ આ વખતે સેન્ટરની બહાર યોજાઈ રહ્યો છે. આ સિવાય હોવર્ડ ગોસ્પેલ ગાયકવૃંદ જેવા મોટા જૂથોએ પણ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના સેન્ટરમાં પ્રદર્શન કરવાનો ઈનકાર કરી દીધો છે. ટીકાકારોનું કહેવું છે કે બ્લેક હિસ્ટ્રી મંથ જેવા સંવેદનશીલ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના કેન્દ્રની આ ચુપકીદી ઘણું બધું કહી જાય છે.સંસ્થાનો બચાવ:બીજી તરફ, કેનેડી સેન્ટરના વડા ડેબોરાહ રટરનું કહેવું છે કે સંસ્થા હવે એવા વ્યાપારી કાર્યક્રમો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેના માટે સ્પોન્સરશિપ સરળતાથી મળી રહે. જોકે, કલા જગતના નિષ્ણાતો આને કલાના રાજકારણ અને અશ્વેત ઇતિહાસની અવગણના તરીકે જોઈ રહ્યા છે.
18 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:05 PM
અજિત પવારના અચાનક નિધન બાદ સુનેત્રા પવાર બનશે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

અજિત પવારના અચાનક નિધન બાદ સુનેત્રા પવાર બનશે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

મુંબઈ:મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેસુનેત્રા પવારના નામ પર મહોર વાગી છે.28જાન્યુઆરી, 2026ના રોજ બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પક્ષના દિગ્ગજ નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ સર્જાયેલી નેતૃત્વની ખાલી જગ્યા હવે તેમના પત્ની સુનેત્રા પવાર ભરશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર,ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સંકટના સમયે પક્ષે દાખવી એકતા: અજિત પવારના અવસાનથી માત્ર પરિવાર જ નહીં પણ આખી પાર્ટી આઘાતમાં હતી. જોકે,પક્ષને વિખેરાઈ જતો બચાવવા માટે નેતાઓએ ઝડપી નિર્ણયો લીધા છે. સુનેત્રા પવારે31જાન્યુઆરીએ મહારાષ્ટ્રનાપ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીતરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો. હવે તેમને સંગઠનની કમાન સોંપીને પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રફુલ પટેલ અને સંગઠનનો ટેકો:
79 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 12:51 PM
વર્દા અશરફઃ ગૃહિણીથી લઈને શક્તિશાળી રાજકીય સંબંધો ધરાવતી સોશિયલ મીડિયા સ્ટાર

વર્દા અશરફઃ ગૃહિણીથી લઈને શક્તિશાળી રાજકીય સંબંધો ધરાવતી સોશિયલ મીડિયા સ્ટાર

ઈસ્લામાબાદ,તા.3:હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસીન નકવી ભારત સામેનીT20વર્લ્ડ કપ મેચના બહિષ્કારના નિર્ણયને લઈને આખા વિશ્વમાં ચર્ચામાં છે. જોકે,આ વિવાદોની વચ્ચે તેમની પત્નીવર્દા અશરફવિશેના રહસ્યો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વર્દા અશરફ માત્ર એક ગૃહિણી નથી,પરંતુ પાકિસ્તાનના અત્યંત પ્રભાવશાળી રાજકીય પરિવારની પુત્રી અને લોકપ્રિય ટિકટોક સ્ટાર છે. પિતાની હત્યા અને રાજકીય વારસો: વર્દા અશરફનો ઈતિહાસ સંઘર્ષ અને સત્તાના સંગમ જેવો છે. તે ગુજરાંવાલાના પ્રખ્યાતSSPઅશરફ માર્થની પુત્રી છે. વર્ષ1997માં એક પ્રતિબંધિત ધાર્મિક સંગઠન દ્વારા તેમના પિતાની ઘર પાસે જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં,વર્દા પાકિસ્તાનના દિગ્ગજ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહીની સગી ભત્રીજી છે. આ મજબૂત રાજકીય જોડાણને કારણે વર્દા પાકિસ્તાનના પાવર સેન્ટરમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ટિકટોક સ્ટાર અને લો-પ્રોફાઈલ લાઈફ:
60 shares
😢
Gujarat Samachar logo
Gujarat Samachar
Feb 3, 2026, 11:10 AM
લાતુરની મુલાકાત પહેલા જ પંકજા મુંડેંના હેલિકોપ્ટરની ખામી ટળી

લાતુરની મુલાકાત પહેલા જ પંકજા મુંડેંના હેલિકોપ્ટરની ખામી ટળી

Pankaja Munde :રાજ્ય મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેની લાતુર યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી અનુસાર છત્રપતિ સંભાજીનગરથી લાતુર માટે ઉડાન ભરતા પહેલા જ પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, ઉડાન પહેલા જ ખામીની જાણ થઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ તેના કારણે તેમની નિર્ધારિત બેઠકોના કાર્યક્રમો ખોરંભે ચડ્યા છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી છે. પંકજા મુંડે જ્યારે લાતુર જઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર ઉડાન ભરવાની તૈયારીમાં જ હતું. છત્રપતિ સંભાજીનગરથી ટેક-ઑફ કરતાં પહેલા જ ખામી પકડાતા પ્રવાસ કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો હતો. હવે પંકજા મુંડે બીજા હેલિકોપ્ટર દ્વારા મીટિંગમાં સામેલ થશે. ઉડાન પહેલા જ ખામીની ખબર પડી જવાથી મોટી હોનારત ટળી હતી. શું હતી સમગ્ર ઘટના? પંકજા મુંડે હાલમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે સઘન પ્રવાસે છે. આજે એટલે કે મંગળવારે તેમને લાતુરમાં પ્રચાર માટે જવાનું હતું. છત્રપતિ સંભાજીનગરથી ઉડાન ભરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પાયલટે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી હોવાનું નોંધ્યું હતું. સાવચેતીના ભાગરૂપે ઉડાન તાત્કાલિક રદ કરવામાં આવી અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.
4 shares
😢
Gujarat Samachar logo
Gujarat Samachar
Feb 3, 2026, 11:10 AM
સુરત મ્યુનિસિપલ કમિશનરે ચૂંટણી પૂર્વે વિક્રમજનક બજેટ રજૂ કર્યું

સુરત મ્યુનિસિપલ કમિશનરે ચૂંટણી પૂર્વે વિક્રમજનક બજેટ રજૂ કર્યું

Surat Corporation Budget: સુરત મ્યુનિ. કમિશ્નર તરીકે થોડા દિવસ પહેલાં જ નિયુક્ત થયેલા એમ. નાગરાજને પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે આજે તેમનું પહેલું બજેટ રજુ કર્યું હતું. સુરત પાલિકાનું ડ્રાફ્ટ બજેટ ગત વર્ષની જેમ 10 હજાર કરોડને પાર કરી ગયું છે. આ વર્ષે જાહેર થયેલા ડ્રાફ્ટ બજેટ 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું તેમાં 5073 કરોડ કેપિટલ કામો રજૂ કરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુરત પાલિકાની ચૂંટણીનું હોય સુરતીઓ પર કોઈ જાતના વેરા વધારવામાં આવ્યા નથી. આ બજેટમાં 8 ફલાયઓવર બ્રીજ, 2 રેલવે ઓવર બ્રીજ, 2 રીવર બ્રિજ અને 7 ખાડી બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકામાં નવ નિયુક્ત થયેલા મ્યુનિ. કમિશ્નર એમ નાગરાજને તેમનું પહેલું બજેટ રજૂ કર્યું છે તે પણ પાલિકાના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. ગત વર્ષે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે 9603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં 990 કરોડના વધારા સાથે 10593 કરોડનું બજેટ જાહેર કર્યું છે. ગત વર્ષે ડ્રાફ્ટ બજેટમાં કેપીટલ કામ માટે 4562 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં પણ મ્યુનિ. કમિશ્નરે 511 કરોડનો વધારો કર્યો છે અને ડ્રાફ્ટ બજેટમાં કેપીટલ કામ માટે 5073 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગામી ગણતરીના મહિનામાં સુરત પાલિકાની ચૂંટણી છે તેની ઈફેક્ટ સીધી બજેટ પર જોવા મળી રહી છે. મ્યુનિ. કમિશ્નરે પણ આ બજેટમાં કર દરમાં કોઈ વધારો સુચવ્યો નથી. અને 257 કરોડની રેવન્યુ સરપ્લસ ધરાવતું આ બજેટ રજુ કર્યું છે. બજેટ રજુ કરતા એમ. નાગરાજને જણાવ્યું હતું કે, સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા પર તેઓએ ભાર મુકતા વિવિધ તબક્કા વાર આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સુરતને સ્લમ ફ્રી સિટી, ડસ્ટ ફ્રી સીટીની સાથે-સાથે ચાઈલ્ડ અને વુમન ફ્રેન્ડલી સિટી બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત સુરતને વિવિધ પ્રકારના ટુરિઝમ સાથે સાંકળીને ટુરીઝમ સીટી બનાવવા માટે પણ આયોજન કરાયું છે જેમાં શન ટુરીઝમ, ઈન્ડસ્ટ્રી ટુરિઝમ અને ટ્રેડ-એડવેન્ચર ટુરીઝમ તકીતે સુરત જાણીતું બનશે અને સખી મંડળની બહેનોને ટુરિઝમ ગાઈડ બની શકે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવશે. બેરેજ પ્રોજેક્ટ માટે ગત વર્ષે 150 કરોડ રૂપિયા ખર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આગામી વર્ષ 2026-27નાં ડ્રાફ્ટ બજેટ માં 350 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
80 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:07 AM
ગુજરાત ભાજપઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં આંતરિક વિખવાદ ફાટી નીકળ્યો

ગુજરાત ભાજપઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં આંતરિક વિખવાદ ફાટી નીકળ્યો

તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આદિજાતિ મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી છે. કાર્યકર્તાઓને ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. તાપી જિલ્લા ભાજપમાં આદિજાતી મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. તાપી જિલ્લા આદિજાતિ મોરચાના અધ્યક્ષ અમિત પટેલ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી પદના મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે.
32 shares
😢