Achira News Logo
Achira News
Western Times logo
Western Times
Mar 20, 2026, 10:17 AM
ઈરાન સાથે યુદ્ધ માટે ભંડોળની વિનંતીઓને લઈને અમેરિકી કોંગ્રેસમાં ભાગલા પડ્યા

ઈરાન સાથે યુદ્ધ માટે ભંડોળની વિનંતીઓને લઈને અમેરિકી કોંગ્રેસમાં ભાગલા પડ્યા

વોશિંગ્ટન, 20 માર્ચઇરાન સાથેના યુદ્ધના વધતા જતા ખર્ચ અને વૈશ્વિક બજારો પર તેની માઠી અસરોને કારણે અમેરિકી કોંગ્રેસમાં મતભેદો ઊંડા થયા છે. અનેક યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને પક્ષો $200 બિલિયન (આશરે ₹16.6 લાખ કરોડ) થી વધુની સંભવિત ફંડિંગ વિનંતીના સ્કેલ અને હેતુ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસ આ સંઘર્ષ માટે મોટા પાયે નવા ભંડોળ મેળવવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પોતાના પક્ષમાં પણ સ્પષ્ટ વ્યૂહરચના અને સમયમર્યાદાના અભાવે શંકાઓ વધી રહી છે. સાંસદોનું કહેવું છે કે વહીવટીતંત્રે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે અથવા યુએસ સૈન્યની સંડોવણી કેટલા સમય સુધી ચાલશે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ વિનંતી નોંધપાત્ર હોઈ શકે છે. તેમણે દલીલ કરી હતી કે સૈન્યને તેની તાકાત જાળવી રાખવા માટે સંસાધનોની જરૂર છે. તેમણે કહ્યું, “અમે અત્યાર સુધીના શ્રેષ્ઠ આકારમાં રહેવા માંગીએ છીએ. આપણે સૌથી ટોચ પર રહીએ તે સુનિશ્ચિત કરવા માટે આ એક નાની કિંમત છે.” ટ્રમ્પની આ દલીલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કેટલાક રિપબ્લિકન સભ્યોએ વધુ ખર્ચ કરવાનો ખુલ્લો ઇનકાર કર્યો છે, જે “અંતહીન યુદ્ધ” (Endless War) પ્રત્યેની તેમની ચિંતા દર્શાવે છે. લોરેન બોબર્ટ (પ્રતિનિધિ):“મારો જવાબ ‘ના’ છે. મેં નેતૃત્વને જણાવી દીધું છે કે હું કોઈપણ યુદ્ધ પૂરક ભંડોળની વિરુદ્ધ છું. હું ત્યાં પૈસા ખર્ચવાથી કંટાળી ગઈ છું. કોલોરાડોમાં એવા લોકો છે જેમને જીવવું પરવડતું નથી. અત્યારે આપણને ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિઓની જરૂર છે.” ચિપ રોય (પ્રતિનિધિ):“આપણે શું કરી રહ્યા છીએ? આપણે જમીન પર સૈનિકો ઉતારવાની અને લાંબા ગાળાની પ્રવૃત્તિની વાત કરી રહ્યા છીએ. આનો ખર્ચ કેવી રીતે ચૂકવાશે અને મિશન શું છે તે અંગે તેમણે વધુ સમજૂતી આપવી પડશે.”
49 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 10:13 AM
વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ સ્થળ બન્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત શ્રેષ્ઠ સ્થળ બન્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે:મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્ર પટેલ Ahmedabad,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ગુજરાતના વાર્ષિક અધિવેશન અને‘ગુજરાત@$૧ ટ્રિલિયન ઇકોનોમી‘વિષયક પરિષદમાં સંબોધન કરતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે રહીને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે વચનબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે,એક સમયે ગુજરાતમાં વિકાસ માત્ર વાપી-વડોદરા બેલ્ટ પૂરતો સીમિત હતો. પરંતુ વડાપ્રધાનશ્રીએ સમગ્ર ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો વિચાર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર,પાણી અને વીજળી જેવી માળખાકીય જરૂરિયાતો મજબૂત કરી. ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે,તેમ જણાવ્યું હતું માઈક્રોન ટેકનોલોજીના ઉદાહરણ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પરના અખૂટ વિશ્વાસને કારણે જ આજે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સેમીકન્ડક્ટર જેવી અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીઝ આવી છે. જે કામ દાયકાઓ સુધી અશક્ય લાગતું હતું,તે આજે ગુજરાતની ધરતી પર સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે,દેશની માત્ર ૫% વસ્તી હોવા છતાં જીડીપીમાં ગુજરાતનો હિસ્સો ૮% છે,જેને આપણે ૧૦% થી ઉપર લઈ જવો છે. મેન્યુફેક્ચરિંગ: દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત ૧૭% હિસ્સો ધરાવે છે. નિકાસ (Export):દેશના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો ૩૩% જેટલો માતબર છે. MSME:૨૦૦૧-૦૨માં જે એમએસએમઈની સંખ્યા ૧.૮૫ લાખ હતી,તે આજે વધીને ૨૭.૯ લાખ થઈ છે. લોજિસ્ટિક્સ: દેશના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦% હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. સેક્ટર વાઈઝ હિસ્સો: કેમિકલ ઉદ્યોગમાં ૩૩%,ફાર્મા એક્સપોર્ટમાં ૧૯.૨% અને ડાયમંડ એક્સપોર્ટમાં ૮૦% હિસ્સો ગુજરાતનો છે તેમ જણાવ્યું હતું
55 shares
😊
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:50 AM
ઈઝરાયેલ અને તેલ મથકો પર ઈરાનના વધતા હુમલાઓએ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું

ઈઝરાયેલ અને તેલ મથકો પર ઈરાનના વધતા હુમલાઓએ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું

દુબઇ-વોશિગ્‍ટન,તા.૨૦: ઇરાને ઇઝરાયેલ અને અખાતની ફરતે આવેલી ઓઇલ અને કુદરતી ગેસ ફેસિલિટીઝ પર હુમલા વધુ આકરા બનાવ્‍યા છે. જેનાથી વૈશ્વિક અર્થતંત્રને વધુ આઘાતજનક આંચકા મળી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલના ઇરાનના સાઉથ પાર્સ સહિતના ઓઇલ ભંડાર પર હુમલા પછી ઇરાને વળતો હુમલો કર્યો છે. તેણે કતાર સહિત અમેરિકા તરફી દેશોની ઓઇલ ફેસિલિટીઝને નિશાન બનાવતાં ક્રૂડના ભાવમાં ભડકો થયો છે. બીજી બાજુ, અમેરિકાએ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ માટે ૨૦૦ અબજ ડોલર (આશરે રૂ.૧૭ લાખ કરોડ)ના જંગી ભંડોળની માંગ કરી છે. આમ આ યુદ્ધ વધુ લાબું ખેંચાય તેવા એંધાણ છે. પેન્‍ટાગોન તરફથી આ વિનંતી યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથના એ વિધાન પછી આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે, ખરાબ માણસોને ખતમ કરવા માટે પૈસા ખર્ચવા પડે છે.' સ્‍થાનિક સત્તાવાળાઓના જણાવ્‍યા અનુસાર, કુવૈતની બે રિફાઈનરીઓ અને અબુ ધાબીમાં ગેસ કામગીરીને પણ ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. ઈઝરાયેલમાં, દેશના મોટાભાગના વિસ્‍તારોને નિશાન બનાવીને કરવામાં આવેલા ઈરાનના હુમલાઓના લાખો લોકોને આશ્રયસ્‍થાનોમાં જવા મજબૂર કર્યા હતા. આ હુમલાઓને કારણે ઇમારતોને નુકસાન થયું હતું, પરંતુ કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.'' અમેરિકાના નાણાં મંત્રી સ્‍કોટ બેસેન્‍ટે કહ્યું છે કે, હાલમાં ક્રૂડના વધતા ભાવને સ્‍થિર રાખવા માટે અમેરિકા દરિયામાં ટેન્‍કરોમાં રહેલા ઇરાની ઓઇલ પર લાદેલો પ્રતિબંધ ઉઠાવી શકે છે. આમ દરિયામાં ટેન્‍કરોમાં રહેલા ઇરાનના ૧૪ કરોડ બેરલ ક્રૂડ ઓઇલ રિલીઝ થશે. પ્રમુખ ટ્રમ્‍પે કહ્યું છે કે હવે અમે ક્‍યાંય પણ સેના મોકલવાના નથી. તેમણે તો એટલું પણ કહી દીધું છે કે ઇરાનના સાઉથ પાર્સ પર ઇઝરાયેલના હુમલાની યોજનાની તેમને જાણ નહતી. જોકે ઇઝરાયેલે તેમના નિવેદનને નકારી સ્‍પષ્ટ કર્યું હતું કે હુમલા અમેરિકા સાથે સંકલનમાં જ થઇ રહ્યા છે. ‘‘આવનારા દિવસોમાં, અમે સમુદ્રમાં (ટેન્‍કરોમાં) પડેલા ઈરાની તેલ પરથી પ્રતિબંધો હટાવી શકીએ છીએ,'' તેમ જણાવતાં બેસેન્‍ટે દાવો કર્યો હતો કે આ તેલનો જથ્‍થો ‘‘લગભગ ૧૦ દિવસથી બે અઠવાડિયાના પુરવઠા જેટલો છે, જે ઈરાનીઓ બહાર મોકલી રહ્યા હતા અને તે બધું જ ચીન જવાનું હતું.'' ઇરાનનું ભાવિ અમેરિકન લશ્‍કરના હાથમાં છે તેમ જણાવતાં અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેસથેગે ઉમેર્યું હતું કે, ‘ઈરાન પાસે યોગ્‍ય નિર્ણયો લેવાની ક્ષમતા છે.' ‘‘ટ્રમ્‍પ વહીવટીતંત્રે યુદ્ધના વિવિધ ઉદ્દેશ્‍યો ટાંક્‍યા છે, જેમાં ઈરાનની મિસાઈલ ક્ષમતાઓ અને તેના પરમાણુ કાર્યક્રમને નબળો પાડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈરાનના વરિષ્ઠ નેતાઓને ખતમ કરવા એ પણ અમેરિકા અને ઈઝરાયેલ માટે પ્રાથમિકતા રહી છે.'' ઇરાને ઇઝરાયેલની હાઇફા ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. આ હુમલો ઈઝરાયેલ દ્વારા ઈરાનના‘સાઉથ પાર્સ' ગેસ ક્ષેત્રને નિશાન બનાવવાના વળતા જવાબમાં કરવામાં આવ્‍યો હતો. હાઈફા બે સ્‍થિત ‘બાઝાન ગ્રુપ' દ્વારા સંચાલિત આ રિફાઈનરીઓ ઈઝરાયેલની સૌથી મોટી તેલ પ્રોસેસિગ સુવિધા છે, જે વાર્ષિક આશરે ૯૮ લાખ ટન ક્રૂડ તેલનું પ્રોસેસિગ કરે છે. તે દેશના સ્‍થાનિક ડીઝલ અને ગેસોલિન પુરવઠાનો મુખ્‍યસ્ત્રેત (લગભગ ૫૦-૬૦%) છે. ઇરાન માટે જેટલું મહત્‍વનું સાઉથ પાર્સ છે, તેટલું જ મહત્‍વનું હાઇફા ઓઇલ રિફાઇનરી ઇઝરાયેલ માટે છે. ગુરુવારે ૨૦મા દિવસમાં પ્રવેશેલું આ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે ઇઝરાયેલ અને ઈરાન બંને સમગ્ર મધ્‍ય પૂર્વમાં ગેસ ક્ષેત્રો, તેલ રિફાઈનરીઓ અને ઉત્‍પાદન એકમો જેવા મુખ્‍ય ઉર્જાસ્ત્રેતોને નિશાન બનાવી રહ્યા છે. આ હુમલા યૂરોપ અને એશિયાની ચિતા વધારી રહ્યા છે. દિવસની શરૂઆતમાં ઈરાને કતારના ૧૪ પૈકી બે ‘એલએનજી ટ્રેન્‍સ' અને તેના બે પૈકીના એક ‘ગેસ-ટુ-લિક્‍વિડ્‍સ' પ્‍લાન્‍ટ પર હુમલો કર્યો હતો. આ હુમલાએ કતારની પ્રવાહી કુદરતી ગેસ નિકાસ ક્ષમતાના ૭% ભાગને નષ્ટ કરી દીધો છે.
12 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:44 AM
નવસરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ સામૂહિક રાજીનામાને કારણે ખળભળાટ મચાવ્યો

નવસરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ સામૂહિક રાજીનામાને કારણે ખળભળાટ મચાવ્યો

નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ગાઢ ઉથલપાથલ જોવા મળી રહી છે. શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓએ સામૂહિક રાજીનામા આપી રાજકારણમાં ખળભળાટ મચાવી દીધું છે. આ પદાધિકારીઓએ શહેર પ્રમુખની નિમણૂકને લઈને વિરોધ નોંધાવતા રાજીનામા આપ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને ભૂતકાળમાં પક્ષને હરાવવાના પ્રયાસો કરવા જેવા આક્ષેપ પણ મુકવામાં આવ્યા છે. રાજીનામા આપનારાઓમાં પ્રદેશ મંત્રી, મહામંત્રી અને વોર્ડ પ્રમુખ સહિતના પદાધિકારી શામેલ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પાસે પણ આ રાજીનામા ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા છે. ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થવા પછી હવે કોંગ્રેસમાં પણ આવો દોર શરૂ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
64 shares
😢
A
Akila News
Mar 20, 2026, 09:26 AM
રાજ્યસભાના સાંસદોઃ 32 ટકાએ ગુનાહિત કેસ જાહેર કર્યા, 14 ટકા અબજોપતિ છે

રાજ્યસભાના સાંસદોઃ 32 ટકાએ ગુનાહિત કેસ જાહેર કર્યા, 14 ટકા અબજોપતિ છે

નવી દિલ્‍હી,તા.૨૦: ચૂંટણી સુધારા સંદર્ભે કાર્યરત બિન-સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR)ના રિપોર્ટ મુજબ, રાજ્‍યસભાના વર્તમાન સાંસદોમાંથી લગભગ ૩૨ ટકાએ પોતાની સામે ફોજદારી કેસ નોંધાયા હોવાનું સ્‍વીકાર્યું છે અને તેમાંથી ૧૪ ટકા અબજોપતિ છે. રાજ્‍યસભાના ૨૩૩ સંસદસભ્‍યોમાંથી ૨૨૯ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાના વિશ્‍લેષણ બાદ આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ વિશ્‍લેષણમાં તાજેતરમાં ચૂંટાયેલા ૩૭ સભ્‍યોને પણ સમાવી લેવાયા છે. ૨૨૯ સાંસદોમાંથી ૭૩ (૩૨ ટકા) સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. તેમાંથી ૩૬ (૧૬ ટકા) ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. એક સંસદસભ્‍ય સામે હત્‍યાનો ગુનો, ચાર સામે હત્‍યાના પ્રયાસનો ગુનો તથા ત્રણ સામે મહિલા વિરોધી અપરધ સંદર્ભે ગુના નોંધાયેલા છે. ભાજપના ૯૯ સાંસદમાંથી ૨૭, કોંગ્રેસના ૨૮માંથી ૧૨, તૃણમૂલ કોંગ્રેસના ૧૩ સાંસદમાંથી ચાર અને આમ આદમી પાર્ટીના ૧૦માંથી ચાર સાંસદોએ પોતાની સામે ફોજદારી ગુના નોંધાયા હોવાનું જાહેર કર્યું છે. માર્ક્‍સવાદી કમ્‍યુનિસ્‍ટ પાર્ટી અને બીઆરએસના ત્રણ-ત્રણ સાંસદોએ પણ ફોજદારી કેસનો ખુલાસો કર્યો છે. ૩૧ સાંસદો (૧૪ ટકા)ની કુલ સંપત્તિ અબજો રૂપિયા છે. મુખ્‍ય પક્ષોમાં ભાજપના ૬, કોંગ્રેસના ૫, વાયએસએર કોંગ્રેસના ચાર, આમ આદમી પાર્ટી અને બીઆરએસના બે-બે તથા એનસીપીના ત્રણ સાંસદ પાસે રૂ.૧૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. રાજ્‍યસભાના સભ્‍યોને સરેરાશ સંપત્તિ ૧૨૦.૬૯ કરોડ આંકવામાં આવી છે. ભાજપમાં સાંસદદીઠ સરેરાશ સંપત્તિ ૨૮.૨૯ કરોડ રૂપિયા, કોંગ્રેસમાં ૧૨૮.૬૧ કરોડ રૂપિયા, તૃણમૂલમાં ૧૭.૭૦ કરોડ અને આમ આદમી પાર્ટી માટે ૫૭૪.૯૦ કરોડ છે. અન્‍ય પક્ષોમાં વાયએસઆરપી (૫૨૨.૬૩ કરોડ), સમાજવાદી પક્ષ (૩૯૯.૭૧ કરોડ), બીજેડી(૧૦૫.૬૩ કરોડ) અને દ્રમુક (૧૧.૯૦ કરોડ)નો સમાવેશ થાય છે. બીઆરએસના સાંસદ બંડી પાર્થ સારથીએ સૌથી વધુ રૂ.૫,૩૦૦ કરોડની સંપત્તિ જાહેર કરી છે. ત્‍યારપછી આમ આદમી પાર્ટીના રાજેન્‍દ્ર ગુપ્તાએ રૂ.૫,૦૫૩ કરોડ અને વાયએસ આરસીપીના અયોધ્‍યા રામી રેડ્ડી આલાએ રૂ.૨,૫૭૭ કરોડની સંપત્તિ જાહેર કરી છે. આમ ટોચના ત્રણ ધનિક સાંસદોમાં ભાજપ અને કોંગ્રેસના કોઈ સાંસદનો સમાવેશ થતો નથી.
78 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:15 AM
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ પક્ષોએ અન્ય માપદંડો કરતાં વિજેતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ પક્ષોએ અન્ય માપદંડો કરતાં વિજેતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી

રાજકોટ, તા., ર૦: ગુજરાતમાં વ્‍યાપક રાજકીય અસર પાડનારી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચુંટણી એકદમ નજીકના ભવિષ્‍યમાં જાહેર થનાર છે. ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અન્‍ય પક્ષો દ્વારા ચુંટણી લડવાની જોરશોર તૈયારી થઇ રહી છે. પક્ષનું નિશાન અને ઉમેદવારની તાકાત નિર્ણાયક બને છે. તેથી રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગી ગાળી-ચાળીને કરે છે. સામાન્‍ય રીતે રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગીના શ્રેષ્‍ઠ માપદંડ જાહેર કરે છે. પણ તેને વળગી રહીને જ ટીકીટ આપવાનું મુશ્‍કેલ હોય છે. ચુંટણી જીતવા માટે આગળ માપદંડના મોટા દરવાજા દર્શાવી પાછળ છુટછાટની બારી રાખવી પડે છે. હવેના રાજકારણમાં ચુંટણી જીતવાની ક્ષમતા જ ટીકીટ મેળવવાની મુખ્‍ય લાયકાત ગણાય છે. ઉમેદવાર પસંદગી પુર્વ સ્‍વચ્‍છ પ્રતિભા, નિષ્‍ઠાવાન અને પ્રતિષ્‍ઠાવાન, પાર્ટીને વફાદાર, લોકોમાં પ્રિય, ઇમાનદાર, સાદગીસભર, સિધ્‍ધાંતવાદી, કાર્ય કુશળ, શિક્ષિત વગેરે માપદંડ જાહેર કરવામાં આવે છે. સેન્‍સ લેવાના નાટક પુર્ણ થયા પછી ઉમેદવાર પસંદગીમાં બાંધછોડ શરૂ થાય છે. વર્તમાન રાજકારણમાં જુથવાદ મહત્‍વનું પરીબળ બની ગયું હોવાથી સારા-સારાની સાથે મારા-તારા પણ ગોઠવાઇ જાય છે. સૌથી વધુ સેન્‍સવાળા એક બાજુ ધકેલાઇ જાય અને કોઇએ સેન્‍સ ન આપી હોય તેવા ઉમેદવાર બની જાય તેવું અનેકવાર બને છે. ચુંટણી લડવા માટે આર્થીક મજબુતાઇ હવે આવશ્‍યક બની ગઇ છે. રાજકારણમાં અપરાધીકરણનો વિરોધ કરનારા પક્ષો ખરડાયેલા કેટલાય ચહેરાઓને સરાજાહેર ટીકીટ આપી છે. બાવળાના બળવાળાને ટીકીટ ન આપવી હોય તો ગુંડો ગણાવી દેવાની અને આપવી હોય તો‘શકિતશાળી' માની લેવાની પધ્‍ધતી વર્તમાન રાજકારણમાં વિકસી રહી છે. પક્ષના જુનાને લાગી જાય છે ચુના અને આયાતીઓ આધિપત્‍ય જમાવી દયે છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ર૦રરની ચુંટણીમાં ૭પ વર્ષની વય મર્યાદા નક્કી કરેલ તેનો અમલ કરેલ પણ વડોદરા અને અમદાવાદમાં બાંધછોડ કરી બે ટીકીટ આપી હતી. ભાજપે ર૦ર૧ ના વર્ષની સ્‍થાનિક ચુંટણીઓમાં ૬૦ વર્ષની વય મર્યાદા અને ૩ વખત ચુંટણી લડેલાને ફરી ટીકીટ નહી આપવાનો માપદંડ જાહેર કર્યો હતો. ઉંમર સિવાઇની બાબતમાં થતી બાંધછોડ વધુ ચર્ચાસ્‍પદ બને છે.
18 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:04 AM
આઠકોટ પુલ નિર્માણઃ મંત્રીએ ધારાસભ્યના માર્ગદર્શન સાથે પ્રગતિનું નિરીક્ષણ કર્યું

આઠકોટ પુલ નિર્માણઃ મંત્રીએ ધારાસભ્યના માર્ગદર્શન સાથે પ્રગતિનું નિરીક્ષણ કર્યું

આટકોટઃ આટકોટ કાનપર પુલ નું નિરીક્ષણ કરતાં કેબિનેટ મંત્રીએ કરેલ,સ્‍થળ પર રૂબરૂ નિરીક્ષણ ધારાસભ્‍ય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરી કામની પ્રગતિ,ગુણવત્તા અને સમયસર પૂર્ણતાને લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા. આ પુલ પર્ણ થતાં સ્‍થાનિક લોકોને અવરજવર સુર્લભ બનશે અને વિસ્‍તારના વિકાસને વધુ ગતિ મળશે.
83 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:49 AM
અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીતનો દાવો કર્યો, મોટા હુમલાની યોજના બનાવી

અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીતનો દાવો કર્યો, મોટા હુમલાની યોજના બનાવી

વોશિંગ્‍ટન તા.૨૦: અમેરિકા અને ઈરાન વચ્‍ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્‍યો છે. અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથે પેન્‍ટાગોન બ્રીફિગ દરમિયાન ઈરાન પર અત્‍યાર સુધીના સૌથી મોટા પેકેજ સ્‍ટ્રાઈકની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી છે. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું છે કે,અમેરિકા આ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી રહ્યું છે અને દુશ્‍મનોનો શિકાર કરી રહ્યું છે. રક્ષામંત્રીએ જણાવ્‍યું કે,અત્‍યાર સુધીમાં અમેરિકાએ ઈરાનના સૈન્‍ય માળખા અને વ્‍યૂહાત્‍મક સ્‍થાનો પર ૭,૦૦૦ થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્‍યા છે. આ કોઈ નાની કાર્યવાહી નથી,પરંતુ ભારે બળનો સચોટ ઉપયોગ છે. હેગસેથે ઉમેર્યું કે,આજે રાત્રે ઈરાન પર ફરીથી મોટો હુમલો થશે. અમે ઉપરથી મોત અને તબાહી વરસાવી રહ્યા છીએ અને આ જંગ અમારી શરતો પર જીતી રહ્યા છીએ. યુએસ ડિફેન્‍સ સેક્રેટરી પીટ હેગસેથે ઈરાન યુદ્ધ અને ઓપરેશન એપિક ફયુરી અંગે એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે તેમનો પીછો કરી રહ્યા છીએ અને તેમને મારી રહ્યા છીએ. ઈરાન પર આજે સૌથી મોટો પેકેજ હુમલો થવા જઈ રહ્યો છે. હેગસેથે પેન્‍ટાગોન બ્રીફિગમાં ઈરાન સામે નિર્ણાયક વિજયનો દાવો કર્યો. તેમણે કહ્યું,દુનિયા,મધ્‍ય પૂર્વ,યુરોપમાં આપણા કૃતઘ્‍ન સાથીઓ અને આપણા કેટલાક પ્રેસને પણ રાષ્ટ્રપતિ ટ્રમ્‍પને ફક્‍ત એક જ વાત કહેવી જોઈએ આભાર. તેમણે ઉમેર્યું કે પ્રેસમાં કેટલાક લોકો ઇચ્‍છે છે કે ટ્રમ્‍પ નિષ્‍ફળ જાય,પરંતુ આપણે યુદ્ધ જીતી રહ્યા છીએ. હેગસેથે એક અંગત અનુભવ શેર કરતાં કહ્યું,ગઈકાલે રાત્રે મારો ૧૩ વર્ષનો પુત્ર મારી ઓફિસમાં આવ્‍યો અને ડોવરમાં મળેલા યુદ્ધ અને તે પરિવારો વિશે પૂછ્‍યું જેના સભ્‍યો શહીદ થયા હતા. મેં તેની તરફ જોયું અને કહ્યું, 'દીકરા,તેઓ તારા માટે મૃત્‍યુ પામ્‍યા. જેથી તારી પેઢીને ઈરાનના પરમાણુ શષોનો સામનો ન કરવો પડે.'ઈરાનની પરિસ્‍થિતિ અંગે,તેમણે કહ્યું,ઈરાનીઓ હજુ પણ ગોળીબાર કરશે... આપણે જાણીએ છીએ કે તેઓ કરશે,પરંતુ જો તેઓ કરી શકે,તો તેઓ ઘણું વધારે ગોળીબાર કરશે. તેઓ હવે તે કરી શકતા નથી. અત્‍યાર સુધી,અમે ઈરાનમાં ૭,૦૦૦ થી વધુ લક્ષ્યો અને તેના લશ્‍કરી માળખા પર હુમલો કર્યો છે. આ કોઈ નાનો હુમલો નથી - આ ચોકસાઈ સાથે જબરદસ્‍ત બળનો ઉપયોગ છે.
45 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:45 AM
નેતન્યાહુએ ઈરાન સામેના યુદ્ધમાં વિજયનો દાવો કર્યોઃ'અમે જીતી રહ્યા છીએ, ઈરાનનો નાશ થઈ રહ્યો છે'

નેતન્યાહુએ ઈરાન સામેના યુદ્ધમાં વિજયનો દાવો કર્યોઃ'અમે જીતી રહ્યા છીએ, ઈરાનનો નાશ થઈ રહ્યો છે'

નવી દિલ્‍હી તા.૨૦: ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ વિદેશી મીડિયા માટે આયોજિત એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં ઈરાન સામે ચાલી રહેલા લશ્‍કરી અભિયાન અંગે અનેક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્‍યા અને યુદ્ધમાં વિજયનો દાવો કર્યો. પોતાના ઠેકાણા અંગેની અટકળોને સંબોધતા નેતન્‍યાહૂએ કહ્યું,મેં પહેલેથી જ કહ્યું છે કે હું જીવિત અને સ્‍વસ્‍થ છું. નેતન્‍યાહૂએ દાવો કર્યો હતો કે ૨૦ દિવસના ભયંકર યુદ્ધ પછી,ઈરાન પાસે હવે યુરેનિયમ સમૃદ્ધ કરવાની કે બેલિસ્‍ટિક મિસાઈલ બનાવવાની કોઈ ક્ષમતા નથી. તેમણે જાહેર કર્યું,અમે જીતી રહ્યા છીએ,અને ઈરાનનો નાશ થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે હોર્મુઝ સ્‍ટ્રેટ અંગે નવા વિકલ્‍પોની જરૂર છે. નેતન્‍યાહૂએ કહ્યું,અમે ઈરાન પર સંપૂર્ણ હુમલો કરી રહ્યા છીએ,અને ઈરાન હવે વિશ્વને બ્‍લેકમેલ કરી શકશે નહીં કારણ કે તેનું નેતૃત્‍વ નાશ પામ્‍યું છે. ઈરાન પાસે તે મિસાઈલો નથી જે તે રાખવાની ધમકી આપી રહ્યું છે. અમારું લક્ષ્ય ઈરાની લોકોના સ્‍વતંત્રતાના અધિકારને સુનિヘતિ કરવાનું છે.
93 shares
😢
S
Sandesh
Mar 20, 2026, 07:30 AM
ભારત 1 એપ્રિલ, 2026થી નવા કાયદા સાથે આવકવેરાની વ્યવસ્થાને સરળ બનાવશે

ભારત 1 એપ્રિલ, 2026થી નવા કાયદા સાથે આવકવેરાની વ્યવસ્થાને સરળ બનાવશે

કેન્દ્ર સરકાર આગામી 1 એપ્રિલ, 2026થી દેશની આવકવેરા પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. જૂની ટેક્સ સિસ્ટમને સ્થાને હવે નવો આવકવેરા કાયદો લાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ નવા ડ્રાફ્ટ મુજબ, હાલના ૫૧૧ નિયમોને ઘટાડીને ૩૩૩ કરી દેવામાં આવશે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગના પગાર, કંપની દ્વારા અપાતા મકાન, કાર અને અન્ય ભથ્થાં પર પડશે. નવા નિયમો મુજબ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ઘર પરના ટેક્સની ગણતરી હવે શહેરની વસ્તીના આધારે થશે.
62 shares
😐
S
Sandesh
Mar 20, 2026, 06:19 AM
નેતન્યાહુનો દાવોઃ ઈરાન સાથેનું યુદ્ધ અપેક્ષા કરતાં જલ્દી સમાપ્ત થઈ શકે છે

નેતન્યાહુનો દાવોઃ ઈરાન સાથેનું યુદ્ધ અપેક્ષા કરતાં જલ્દી સમાપ્ત થઈ શકે છે

વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના વધતા ભાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિશ્વને રાહત આપતા સમાચાર આપ્યા છે. 20 માર્ચ, 2026 ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનું યુદ્ધ લોકોની ધારણા કરતા ઘણું વહેલું સમાપ્ત થઈ શકે છે. નેતન્યાહૂએ મક્કમતાથી જણાવ્યું કે ઈરાનની સૈન્ય અને પરમાણુ ક્ષમતા હવે પાયમાલ થઈ ચૂકી છે. નેતન્યાહૂએ ઈરાનના આંતરિક વહીવટ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, હાલમાં તેહરાન પર કોનું શાસન છે તે જ અસ્પષ્ટ છે. આયાતુલ્લા ખામેનેઇના સંભવિત અનુગામી મોજતબા ખામેનેઇ હજુ સુધી જાહેરમાં આવ્યા નથી, જે ઈરાની શાસન વ્યવસ્થામાં સર્જાયેલા ઉચ્ચ સ્તરીય તણાવ અને વિખવાદનો સંકેત આપે છે. નેતન્યાહૂના મતે, ઈરાન હવે યુરેનિયમનું સંવર્ધન કરવા કે નવી બેલિસ્ટિક મિસાઈલો બનાવવા માટે સક્ષમ રહ્યું નથી, જેના કારણે તેના વિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 'ઓપરેશન એપિક ફ્યુરી'માં, યુએસ સેનાએ B-2 અને F-35 જેવા અદ્યતન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના 'ઓપરેશન એપિક ફ્યુરી'એ મધ્ય પૂર્વમાં આતંક મચાવ્યો છે. આ વિશાળ ઓપરેશનનો હેતુ ઈરાની શાસનની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે તોડી પાડવાનો હતો. ખાસ કરીને, તાત્કાલિક ખતરો ધરાવતા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાએ આ યુદ્ધમાં વિવિધ પ્રકારના શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. 7800થી વધુ લક્ષ્યો પર હુમલો, 8 હજારથી વધુ લડાઇ ઉડાન પૂર્ણ કરી અને 120થી વધુ ઈરાની જહાજોને નુકસાન પહોંચાડ્યું હતુ. યુએસ વાયુસેનાએ વિશ્વના સૌથી અદ્યતન વિમાનો તૈનાત કર્યા હતા. આ વિમાનો અટક્યા વિના લાંબા અંતર સુધી ઉડી શકે છે અને ચોકસાઈ સાથે પ્રહાર કરી શકે છે. 1. બોમ્બર્સઃ- લાંબા અંતરના, વિશાળ વિનાશ: B-1, B-2 સ્ટીલ્થ અને B-52 બોમ્બર્સ. આ ભારે બોમ્બર્સ છે જે હજારો કિલોગ્રામ બોમ્બ વહન કરવામાં સક્ષમ છે. B-2 સ્ટીલ્થ બોમ્બર દુશ્મન રડાર માટે સંપૂર્ણપણે અદ્રશ્ય છે. 2. B-2 સ્પિરિટઃ- તે રડારથી છુપાયેલા દુશ્મનને શોધી લે છે. પરમાણુ અને ચોકસાઇવાળા બોમ્બ ફેંકી શકે છે. આ વિશ્વનો સૌથી અદ્યતન સ્ટીલ્થ બોમ્બર છે. જે હવાઈ સંરક્ષણથી બચી શકે છે. 3. B-1B લેન્સરઃ- ખૂબ જ ઊંચી ગતિએ નીચા સ્તરે ઉડે છે. તેની તાકાત એક જ સમયે મોટી માત્રામાં બોમ્બ ફેંકવાની ક્ષમતામાં રહેલી છે. તેની વિશેષતા એ છે કે તેને બોમ્બ ટ્રક કહેવામાં આવે છે. 4. B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસઃ- લાંબા અંતરથી ક્રુઝ મિસાઇલો અને બોમ્બ લોન્ચ કરી શકે છે. તેની તાકાત 30+ ટન શસ્ત્રો વહન કરવાની ક્ષમતામાં રહેલી છે. તે 60 વર્ષથી વધુ જૂનું છે. છતાં તે હજુ પણ અત્યંત ખતરનાક છે. અમેરિકાએ આ શક્તિશાળી બોમ્બરનો ઉપયોગ ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરવા માટે કર્યો હતો. ફાઇટર જેટ હુમલો અને હવા શ્રેષ્ઠતામાં F-35 લાઈટનિંગ II દુશ્મનને પહેલા શોધવા અને હુમલો કરવા માટે સેન્સર અને AIનો ઉપયોગ કરે છે. તેની તાકાત તેની સ્ટીલ્થ અને બહુ-ભૂમિકા ક્ષમતાઓમાં રહેલી છે. F-22 રેપ્ટર હવામાં દુશ્મન વિમાનનો નાશ કરે છે. તેની તાકાત સુપરક્રૂઝ અને સ્ટીલ્થમાં રહેલી છે. તે વિશ્વનું સૌથી ખતરનાક એર સુપિરિયર ફાઇટર છે. F-22 અને F-35 સ્ટીલ્થ ફાઇટર અદ્રશ્ય વિમાન છે જે દુશ્મન રડારથી બચ્યા વિના હુમલો કરે છે. તેનો ઉપયોગ દુશ્મન ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને પહેલા નષ્ટ કરવા માટે કરવામાં આવતો હતો, જેનાથી અન્ય વિમાનો સુરક્ષિત રીતે ઉડાન ભરી શકતા હતા. F-15 - હવાઈ પ્રભુત્વ F-16 - બહુભૂમિકા F-18 - નૌકાદળ કામગીરી શક્તિ: વિશ્વસનીય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. F-15, F-16, F-18 અને F-35 ફાઇટર જેટ ઝડપી અને બહુભૂમિકા લડવૈયા છે. F-18 નૌકાદળના વિમાનવાહક જહાજોથી ઉડે છે અને ઈરાની જહાજો પર હુમલો કરે છે. ઉચ્ચ-ઊંચાઈની રિકોનિસન્સ પાવર: સમગ્ર દેશનું સર્વેલન્સ RC-135 ફંક્શન, સિગ્નલ ઇન્ટેલિજન્સ પાવર, દુશ્મનની દરેક હિલચાલને કેપ્ચર કરવી U-2 અને RC-135 રિકોન એરક્રાફ્ટ સર્વેલન્સ અને રિકોનિસન્સ કરે છે, લક્ષ્યના સ્થાનને ચોક્કસ રીતે નિર્ધારિત કરે છે જેથી હુમલાઓને ચોક્કસ રીતે લક્ષ્ય બનાવી શકાય. આ પણ વાંચોઃસૌથી વધુ ખુશ દેશોની યાદીમાં ભારતનો ક્રમ કયા સ્થાને?, જાણો ટોપ-10ની યાદીમાં કેટલાયે અમીર દેશોને સ્થાન મળ્યુ નથી. ભારતનો નંબર 116માં સ્થાને આવે છે. વિશ્વના કયા દેશો સૌથી ખુશ છે તે અંગેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ યાદીમાં એકપમ અમીર દેશ સામેલ નથી. આ યાદીમાં ફિનલેન્ડ સતત 9માં સ્થાને પોતાનો ક્રમ જાળવીને સ્થિત છે. તો આ તરફ, ભારતનો ક્રમ 116માં સ્થાને આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનનો ક્રમ ભારતની ઉપર છે. ગયા વર્ષ કરતા આ વર્ષે જનતાએ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં વધુ રુચિ દાખવી છે. આ જ કારણસર ફિનલેન્ડના લોકોએ 10માંથી 7.764 રેટિંગ આપી છે. જે ગયા વર્ષ કરતા 0.375 અંક વધુ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ ભૂ-રાજનૈતિક તણાવની વચ્ચે 79 દેશએ 2006થી2010 અને 2023થી2025ના આધારે 79 દેશોએ તેમના હેપીનેસમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આઇસલેન્ડ બીજા ક્રમે છે, ત્યારબાદ ડેનમાર્કનો ત્રીજા નંબર આવે છે. કોસ્ટા રિકા ચોથા ક્રમે અને સ્વીડન પાંચમા ક્રમે છે. નોર્વે છઠ્ઠા ક્રમે, નેધરલેન્ડ સાતમા ક્રમે, ઇઝરાયલ આઠમા ક્રમે, લક્ઝમબર્ગ નવમા ક્રમે અને સ્વિટ્ઝર્લૅન્ડ દસમા ક્રમે છે. વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં ભારતનું સ્થાન ખાસ પ્રભાવશાળી નથી. ખુશીના સંદર્ભમાં ભારતનું સ્થાન પાકિસ્તાનથી પણ પાછળ છે. ભારતનું રેન્કિંગ 116 અને પાકિસ્તાનનું 104મું છે. જોકે, પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતનું સ્થાન સુધર્યું છે. 2024માં તે 126 અને 2025માં 118મું હતું. આનો અર્થ એ થયો કે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. વિશ્વના ટોચના 10 ખુશ દેશોની યાદીમાંથી ઘણા શ્રીમંત દેશો ગાયબ છે. યુરોપના નોર્ડિક દેશો સૌથી ખુશ છે. વધુમાં, યુદ્ધ અને ગરીબીથી પીડાતા દેશો સૌથી વધુ નાખુશ છે. આ પણ વાંચોઃઆસામમાં થયેલી શોધથી ભારતમાં તેલના કુવાઓ માટે કેવી રીતે ખુલ્યા રસ્તા?, જાણો મધ્ય પૂર્વમાં જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ યુદ્ધ ખેલાઈ રહ્યું છે, ત્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ રણમેદાનમાં ઉતર્યા વિના જ તેહરાનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈએ કોઈ હથિયાર કે મિસાઈલનો ઉપયોગ કર્યા વિના ઈરાનની કરોડરજ્જુ ગણાતા હિઝબુલ્લાહના ફંડિંગ નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે. શુક્રવારે (20 માર્ચ, 2026) ના રોજ યુએઈની સુરક્ષા એજન્સીઓએ હિઝબુલ્લાહ અને ઈરાન સાથે જોડાયેલા પાંચ મુખ્ય સભ્યોની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. 'ખાલીજ ટાઈમ્સ' ના અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા આ પાંચ સભ્યો લાંબા સમયથી યુએઈમાં રહીને મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હતા. તેઓ દુબઈ અને અબુ ધાબી જેવા આર્થિક હબનો ઉપયોગ કરીને હિઝબુલ્લાહ અને ઈરાન વચ્ચે કરોડો ડોલરના ભંડોળનું સંચાલન કરતા હતા. યુએઈની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો છે કે આ ધરપકડો સાથે તેમણે એક એવા આતંકવાદી નેટવર્કનો નાશ કર્યો છે જે વૈશ્વિક અર્થતંત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું હતું. આ કાર્યવાહી ઈરાન માટે મોટો ફટકો છે કારણ કે વર્તમાન યુદ્ધમાં હિઝબુલ્લાહ ઈરાન વતી ઈઝરાયેલ સામે લડી રહ્યું છે. યુએઈની સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સભ્યોનો ધ્યેય યુદ્ધ દરમિયાન વૈશ્વિક અર્થતંત્રને નબળું પાડવાનો હતો. જો તેઓ સફળ થયા હોત, તો તેનાથી યુએઈની પોતાની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શક્યું હોત. હિઝબુલ્લાહ લાંબા સમયથી યુએઈમાં સક્રિય હોવા છતાં, યુદ્ધ દરમિયાન લેવાયેલું આ કડક પગલું ઈરાન માટે સ્પષ્ટ ચેતવણી છે. ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવવા માટે હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા પ્રોક્સી સંગઠનોનો ઉપયોગ કરે છે. અગાઉ યુએઈ પર આરોપ લાગતા હતા કે તે ઈરાનને ગેરકાયદે તેલ વેચવામાં કે ફંડ ટ્રાન્સફરમાં મદદ કરે છે, પરંતુ ઈરાનના તાજેતરના આક્રમક વલણથી અબુ ધાબી હવે ગુસ્સે ભરાયું છે. ગલ્ફ દેશોએ નક્કી કર્યું છે કે તેઓ સીધા મિસાઈલ હુમલામાં ઉતરીને પ્રાદેશિક યુદ્ધને ભડકાવશે નહીં, પરંતુ ઈરાનના આર્થિક સ્ત્રોતોને નિશાન બનાવીને તેને અંદરથી નબળું પાડશે. આ પણ વાંચોઃ Strait of Hormuz સંકટ વચ્ચે નેતન્યાહૂએ આપ્યા સારા સમાચાર, દુનિયાને મળશે રાહત મિડલ ઈસ્ટમાં વધતા તણાવ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ મધ્ય પૂર્વના આકાશમાં ઉડતા B-1B લેન્સર બોમ્બરના દ્રશ્યો જાહેર કર્યા છે. ઈરાનમાં ચાલી રહેલા હુમલાઓ સાથે જોડાયેલા આ મિશનોને કારણે ફરી એક વખત અમેરિકાના સૌથી શક્તિશાળી વિમાનોમાંથી એક તરફ દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. યુદ્ધ ક્ષેત્રમાં તેના પ્રભાવ સાથે સાથે આ વિમાનની કિંમત વિશે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, એક B-1B લેન્સરની કિંમત આશરે ₹2,350 કરોડ છે. જ્યારે આ આંકડો તેના મૂળ ઉત્પાદન ખર્ચને દર્શાવે છે, ત્યારે આધુનિકીકરણ અપગ્રેડ, જાળવણી અને સંચાલન ખર્ચ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે ખર્ચ વધુ વધી જાય છે. વર્ષોથી સતત તકનીકી સુધારાઓએ તેની કિંમત અને લડાઇ ક્ષમતા બંનેમાં વધારો કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ આપી છે કે ઈરાનના વ્યૂહાત્મક માળખાને નિશાન બનાવતા ચોકસાઈભર્યા હુમલાઓમાં B-1B બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહેવાલો સૂચવે છે કે વિમાન ઈરાની હવાઈ ક્ષેત્રમાં ઊંડે સુધી ઘૂસી ગયું હતું અને બેલિસ્ટિક મિસાઇલ સુવિધાઓ તેમજ કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. B-1B લેન્સરની એક મુખ્ય શક્તિ તેની વિશાળ પેલોડ ક્ષમતા છે. આ વિમાન 75,000 પાઉન્ડ સુધીના પરંપરાગત હથિયારો લઈ જઈ શકે છે. તેમાં ચોક્કસ માર્ગદર્શિત બોમ્બ, બંકર-બસ્ટર ગોળા-બારૂદ અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલ્સ શામેલ છે. આવી ક્ષમતા તેને એક જ મિશનમાં અનેક સ્થળોને નિશાન બનાવવા સક્ષમ બનાવે છે. B-1B માત્ર શક્તિશાળી જ નથી, પરંતુ ખૂબ જ ઝડપી પણ છે. 1450 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે, આ બોમ્બર ધીમા વિમાનોની તુલનામાં દુશ્મનના રડાર સિસ્ટમ અને હવાઈ સંરક્ષણનેને સરળતાથી ટાળી શકે છે. તેની ઝડપ અને અદ્યતન નેવિગેશન ક્ષમતાઓ સાથે મળીને, તેને નીચી ઊંચાઈએ ઉડવામાં અને પકડાઈ જવાથી બચવામાં મદદ મળે છે. B-1B લેન્સરની બીજી એક મુખ્ય વિશેષતા તેની લાંબા અંતરની હવાઈ ક્ષમતા છે. તે વિશ્વના સૌથી ઘાતક પરંપરાગત બોમ્બરોમાંનું એક છે. ગતિ, પેલોડ અને હવાઈ રેન્જનું તેનું અજોડ સંયોજન તેને આધુનિક યુદ્ધમાં આવશ્યક બનાવે છે. આ પણ વાંચો- Afghanistan પાકિસ્તાન પર પડશે ભારે, આ દેશો પાસેથી ખરીદે છે ખતરનાક હથિયારો! મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ હવે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે કાળ સાબિત થઈ રહ્યો છે. કતારના ઉર્જા મંત્રી અને કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાની મિસાઈલ હુમલાઓએ કતારની LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) નિકાસ ક્ષમતાનો 17 ટકા હિસ્સો નષ્ટ કરી દીધો છે. આ ઘટનાને કારણે ભારત સહિત અનેક એશિયન અને યુરોપિયન દેશો માટે ગેસ પુરવઠાનું ગંભીર સંકટ ઊભું થયું છે. અલ-કાબીના જણાવ્યા અનુસાર, આ હુમલાને કારણે કતારને વાર્ષિક આશરે $20 બિલિયન (અંદાજે ₹1.6 લાખ કરોડ) ની આવકનું નુકસાન થશે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે ક્ષતિગ્રસ્ત પ્લાન્ટના સમારકામમાં 3 થી 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે 12.8 મિલિયન ટન LNGનું ઉત્પાદન અટકી જશે. હુમલામાં કતારની 14 મુખ્ય LNG ટ્રેનોમાંથી બે ટ્રેનો અને મહત્વપૂર્ણ ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારત તેની LNG જરૂરિયાતનો મોટો હિસ્સો કતાર પાસેથી આયાત કરે છે. કતાર એનર્જીએ પહેલેથી જ ઇટાલી, બેલ્જિયમ, દક્ષિણ કોરિયા અને ચીન સાથેના પાંચ વર્ષના સપ્લાય કોન્ટ્રાક્ટ પર 'ફોર્સ મેજ્યોર' જાહેર કરી દીધું છે. આનો અર્થ એ છે કે અણધાર્યા સંજોગોને કારણે કંપની કરાર મુજબ ગેસ પૂરો પાડવા માટે હવે કાયદેસર રીતે બંધાયેલી નથી. જો ભારતનો પુરવઠો પણ આ રીતે પ્રભાવિત થાય, તો દેશમાં સીએનજી (CNG) અને ઘરવપરાશના ગેસના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. સાદ અલ-કાબીએ મીડિયા સાથે વાત કરતા દુઃખ વ્યક્ત કર્યું કે, "મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે રમઝાનના પવિત્ર મહિનામાં એક મૈત્રીપૂર્ણ મુસ્લિમ દેશ (ઈરાન) દ્વારા આવો હુમલો થશે." તેમણે ઉમેર્યું કે આ હુમલાઓએ આ પ્રદેશની સુરક્ષિત હોવાની છબીને ખરડી નાખી છે અને ઉર્જા ક્ષેત્રને 10 થી 20 વર્ષ પાછળ ધકેલી દીધો છે. આ પ્લાન્ટ્સમાં અમેરિકન તેલ કંપની એક્ઝોનમોબિલ અને શેલ જેવી દિગ્ગજ કંપનીઓ ભાગીદાર છે, જેમના માટે પણ આ મોટો ફટકો છે. આ પણ વાંચોઃ 11 દેશો પર ઉડાન ભરતા પહેલા સાવધાન! DGCA એ જાહેર કરી મોટી એડવાઈઝરી
78 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 06:03 AM
ગુજરાતનું લક્ષ્ય 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું છેઃ મુખ્યમંત્રી

ગુજરાતનું લક્ષ્ય 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું છેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાતના વાર્ષિક અધિવેશન અને 'ગુજરાત @$૧ ટ્રિલિયન ઇકોનોમી' વિષયક પરિષદમાં સંબોધન કરતા સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસ પથ પર ચાલીને ગુજરાત ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા સજ્જ છે. આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે રાજ્ય સરકાર ઉદ્યોગકારોની સાથે રહીને તમામ જરૂરી સપોર્ટ પૂરો પાડવા માટે વચનબદ્ધ છે. પરંતુ વડાપ્રધાને સમગ્ર ગુજરાતના સર્વગ્રાહી વિકાસનો વિચાર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી અને વીજળી જેવી માળખાકીય જરૂરિયાતો મજબૂત કરી. ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટેનું સર્વોત્તમ ડેસ્ટિનેશન બન્યું છે,તેમ જણાવ્યું હતું, માઈક્રોન ટેકનોલોજીના ઉદાહરણ સાથે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પરના અખૂટ વિશ્વાસને કારણે જ આજે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર જેવી અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીઝ આવી છે. જે કામ દાયકાઓ સુધી અશક્ય લાગતું હતું, તે આજે ગુજરાતની ધરતી પર સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે,દેશની માત્ર ૫% વસ્તી હોવા છતાં જીડીપીમાં ગુજરાતનો હિસ્સો ૮% છે, જેને આપણે ૧૦% થી ઉપર લઈ જવો છે. મેન્યુફેક્ચરિંગ: દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત ૧૭% હિસ્સો ધરાવે છે. નિકાસ (Export): દેશના કુલ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો ૩૩% જેટલો માતબર છે. MSME: ૨૦૦૧-૦૨માં જે એમએસએમઈની સંખ્યા ૧.૮૫ લાખ હતી, તે આજે વધીને ૨૭.૯ લાખ થઈ છે. લોજિસ્ટિક્સ: દેશના કુલ કાર્ગો હેન્ડલિંગનો ૪૦% હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. સેક્ટર વાઈઝ હિસ્સો: કેમિકલ ઉદ્યોગમાં ૩૩%, ફાર્મા એક્સપોર્ટમાં ૧૯.૨% અને ડાયમંડ એક્સપોર્ટમાં ૮૦% હિસ્સો ગુજરાતનો છે તેમ જણાવ્યું હતું. ઉદ્યોગકારોને દરેક તબક્કે સપષ્ટતા મળે તે માટે સ્પષ્ટ નીતિઓ બનાવવામાં આવી છે અને સમયની માંગ મુજબ તેમાં જરૂરી બદલાવ પણ લાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ૨૦૪૭ સુધીના 'વિકસિત ભારત' માટેનો રોડમેપ તૈયાર કરી લીધો છે અને તેને જમીન પર ઉતારવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે. ઔદ્યોગિક શક્તિમાંથી વૈશ્વિક આર્થિક કેન્દ્ર બનવા તરફ ગુજરાતના દ્રઢ સંકલ્પના આ કાર્યક્રમમાં CII વેસ્ટર્ન રીઝનના ચેરમેન ઋષિકુમાર બાગલા, CII ગુજરાતના ચેરમેન પ્રેમરાજ કશ્યપ, વાઈસ ચેરમેન અચલ બકેરી, માઈક્રોન ટેકનોલોજીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ગુરુશરણ સિંહ, CIIના અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 01 - Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન 02 - Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી 03 - Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ACની ઠંડી હવા વચ્ચે હવે છત્રી પણ જોડે રાખવી પડે તો નવાઈ નહી 04 - Amreli News : કમોસમી વરસાદથી કેરીનો સ્વાદ છીનવાયો, કેરીના બગીચામાં વરસાદથી મોટું નુકસાન થતા ખેડૂતોની આખમાં પાણી આવ્યા 05 - Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન 06 - Iran ને વધુ એક ફટકો, ઇઝરાયલના ભીષણ હુમલામાં IRGC પ્રવક્તા મોહમ્મદ નૈનીનું મોત! 07 - Asim Munirના આક્રમક વલણ બાદ ISIમાં મોટા ફેરફારની શક્યતા, Pakistanનો આંતરિક વિવાદ ચર્ચામાં 08 - Sports News : શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો 09 - RSS On War: ફક્ત ભારત જ યુદ્ધનો અંત લાવી શકે છે, ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન 10 - Shilpa Shettyને 12.5 કરોડના કેસમાં મોટી રાહત, પરંતુ અભિનેત્રીઓ મુશ્કેલીઓ હજુ ટળી નથી, જાણો શું છે આખો વિવાદ અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે 01-અમીરઅલી સાકૌરઅલી શેખ 02-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની 03-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી. અમીરઅલી સાકીરઅલી શેખ તથા મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની તથા અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીએ એક વર્ષ અગાઉથી ફરીયાદીની દિકરી તથા તેની બે બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય અને બ્રીજેશ નામના હિંદુ યુવકે મોહમંદસીરાજ સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી ગુનો કર્યો હોવાની હકીકત જાણવા મળી હતી. આ કામના આરોપી મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની રહે-લાલભાઈ ભરવાડના મકાનમા ગુપ્તાનગર વાસણા રહે છે, આરોપીઓએ ભોગ બનનારના ખોટા નામનુ અને ખોટી ઉંમરનું ડુપ્લીક્ટ આધારકાર્ડ અરવિંદ અજયભાઈ ચૌહાણે બનાવ્યું હોવાની વાત સામે આવી છે, દોઢેક વર્ષ પહેલા કોઈપણ સમયે હોટલમા રૂમ બુક કરાવવા માટે બનાવડાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ જેમા આરોપીઓની અટક કરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન, પ્રેમ પ્રકરણમાં નિર્દોષ યુવકનો લેવાયો હતો ભોગ
76 shares
😊
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:59 AM
ઈરાનના વિદેશ મંત્રીએ મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે પરમાણુ નીતિનું પુનરાવર્તન કર્યું

ઈરાનના વિદેશ મંત્રીએ મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે પરમાણુ નીતિનું પુનરાવર્તન કર્યું

તહેરાન,મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દેશની પરમાણુ નીતિ અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદનો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘ઈરાનની ન્યૂક્લિયર હથિયાર ન વિકસાવવાની મૂળભૂત નીતિમાં હાલ કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ યુદ્ધ પછી હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ પહેલા જેવી રહેશે નહીં.’ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ‘પરમાણુ કાર્યક્રમ માત્ર વીજળી ઉત્પાદન અને શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે.’ નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૦માં પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈએ પરમાણુ હથિયારો વિરુદ્ધ ફતવો જાહેર કર્યાે હતો. જોકે, અરાઘચીએ ઉમેર્યું કે, ‘ફતવો તે ધાર્મિક નેતા પર નિર્ભર કરે છે જે તેને જાહેર કરે છે.’ નવા સર્વાેચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ હજુ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી, જેના કારણે ભવિષ્યની વ્યૂહનીતિ અંગે અટકળો તેજ થઈ છે. બીજી તરફ અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાન પર ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો આરોપ લગાવી રહ્યા છે. ગલ્ફ દેશોમાં રહેણાંક વિસ્તારો પર થયેલા હુમલા અંગે પૂછવામાં આવતા અરાઘચીએ બચાવ કરતા કહ્યું કે, યુએસ દળોએ જાણીજોઈને શહેરી વિસ્તારોની નજીક આશરો લીધો છે. તેમણે સ્વીકાર્યું કે આનાથી સ્થાનિક લોકોમાં રોષ છે, પરંતુ તેમણે આ તમામ પરિસ્થિતિ માટે ૨૮ ફેબ્›આરીએ યુદ્ધ શરૂ કરનાર અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું.અરાઘચીએ અંતમાં ઉમેર્યું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે સમગ્ર ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થપાશે અને ઈરાનને થયેલા નુકસાનનું યોગ્ય વળતર મળશે.વિશ્વના કુલ ઓઇલ અને ગેસ પુરવઠાનો ૨૦ ટકા ભાગ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અત્યારે સંઘર્ષનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ માર્ગ બંધ કરવાની અને અમેરિકા કે તેના સાથી દેશોના જહાજોને પસાર થતા રોકવાની ચેતવણી આપી છે. અરાઘચીએ સૂચન કર્યું કે યુદ્ધ બાદ તમામ ગલ્ફ દેશોએ મળીને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમો બનાવવા જોઈએ.
71 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:57 AM
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે મોદીએ મેક્રોન સાથે વાત કરી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે મોદીએ મેક્રોન સાથે વાત કરી

નવી દિલ્હી, પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. પીએમ મોદીએ આ પહેલા મલેશિયાના વડાપ્રધાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પણ તેમણે પશ્ચિમ એશિયાના સંકટ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે, મેં મારા મિત્ર, પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત સાથે સંવાદ અને કૂટનીતિ તરફ પાછા ફરવા અંગે વાત કરી છે. અમે આ ક્ષેત્ર અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે અમારા ગાઢ સંકલનને ચાલુ રાખવા માટે તત્પર છીએ. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે, મેં મારા મિત્ર, મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે વાત કરી અને આગામી ઈદ-ઉલ-ફિત્રના અવસર પર તેમને અને મલેશિયાની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ અગાઉ વડાપ્રધાને બુધવારે કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને તેમની સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સને કહ્યું કે, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત અને અવરોધ રહિત અવરજવર સુનિશ્ચિત કરવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા બની રહેશે. અમે એ વાત પર સંમત થયા છીએ કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે નિરંતર રાજદ્વારી જોડાણ અત્યંત આવશ્યક છે. કુવૈતમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા અને સુખાકારી માટે સતત સમર્થન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
42 shares
😐
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:51 AM
મધ્ય પૂર્વમાં તણાવ વધતાં વૈશ્વિક સ્તરે ઊર્જાની કિંમતોમાં વધારો થયો

મધ્ય પૂર્વમાં તણાવ વધતાં વૈશ્વિક સ્તરે ઊર્જાની કિંમતોમાં વધારો થયો

તહેરાન, મધ્ય-પૂર્વ એશિયામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. ઈરાન દ્વારા અખાતી દેશોના ઊર્જા કેન્દ્રો પર કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને કુદરતી ગેસની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ગુરુવારે યુરોપિયન ગેસના ભાવમાં અચાનક ૩૫% સુધીનો વધારો ઝીંકાયો હતો, જ્યારે યુદ્ધ શરૂ થયા બાદ ‘બ્રેન્ટ ક્રૂડ’ની કિંમતોમાં પણ લગભગ ૬૦% જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. આ સ્થિતિને કારણે વિશ્વભરના બજારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઉછાળાનું મુખ્ય કારણ ઈરાન દ્વારા કતારના ‘રાસ લાફાન’ ઔદ્યોગિક વિસ્તાર અને પડોશી દેશોના ઊર્જા મથકો પર કરાયેલા હુમલા છે. કતારનો આ પ્લાન્ટ વિશ્વના કુલ LPG પુરવઠાના લગભગ ૨૦% ઉત્પાદન કરે છે, જે હુમલાને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ ઉપરાંત અબુ ધાબીના હબશાન ગેસ પ્લાન્ટને પણ નુકસાન પહોંચતા તેને બંધ કરવાની ફરજ પડી છે. આ હુમલાઓએ ખાસ કરીને યુરોપ માટે મોટી મુસીબત ઊભી કરી છે, કારણ કે ત્યાં ગેસ સ્ટોરેજ ટેન્ક ખાલી થઈ રહી છે અને હવે તેમને એશિયાના ખરીદદારો સામે ઊંચા ભાવે ગેસ ખરીદવા માટે સ્પર્ધા કરવી પડશે. નિષ્ણાતોના મતે, જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબો સમય બંધ રહેશે, તો આ સંકટ મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓ બાદ ઈરાનને અત્યંત કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો કતાર પર ફરીથી હુમલો થશે, તો અમેરિકા ઈરાનના આખા ગેસ ફિલ્ડને ઉડાવી દેશે, જેની ઈરાને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ ભયાનક વિનાશને રોકવા માટે અને તેલનો પુરવઠો જાળવી રાખવા માટે ટ્રમ્પ પ્રશાસને રણનીતિ બદલી છે. અમેરિકાએ વેનેઝુએલા પરના પ્રતિબંધોમાં ઢીલ આપી છે જેથી કરીને અમેરિકન કંપનીઓ ત્યાંથી તેલ અને ગેસ મેળવી શકે અને વૈશ્વિક બજારમાં પુરવઠાની અછતને પહોંચી વળાય.
87 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:46 AM
ઈરાન-ઇઝરાયલ-યુએસ સંઘર્ષ ફાટી નીકળવાના 19 દિવસ પછી મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે

ઈરાન-ઇઝરાયલ-યુએસ સંઘર્ષ ફાટી નીકળવાના 19 દિવસ પછી મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે

અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું છે, મિત્રો માટે હોર્મુઝ ખુલ્લું છે તેહરાન, ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે આ યુદ્ધને ૧૯ દિવસ પૂરા થયા છે. ઈરાનમાં જ્યાં ઈઝરાયેલ અને અમેરિકાની મિસાઈલ અને હથિયારો મોત વરસાવી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત થવા છતાં ઈરાન ઝૂકવાના મૂડમાં નથી, ભલે તેના અનેક મોટા નેતાઓ યુદ્ધમાં હોમાઈ ગયા હોય. ઈરાન સતત અમેરિકા અને ઈઝરાયેલના સહયોગીઓ પર મિસાઈલોથી હુમલાઓ કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના મિશન ટુ ઈન્ડિયાના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાવેદ હુસૈનીએ એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે અનેક મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે. હુસૈનીએ કહ્યું કે, અમે હંમેશા ડિપ્લોમેસીમાં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ આ હુમલાઓ બતાવે છે કે તે લોકો ઈરાન સાથે શાંતિ ઈચ્છતા જ નથી. આ યુદ્ધ ઈરાનના લોકો પર થોપવામાં આવ્યું છે. અમે અમારા દેશ અને લોકોની રક્ષા કરીશું. હુસૈનીએ ઈરાનના સિક્્યોરિટી ચીફ અલી લારીજાનીના મોત પર પણ વાત કરી અને કહ્યું કે, અમારી તરફથી કોઈ સીઝફાયર થશે નહીં. તેમણે કહ્યું કે, અમે પોતાની રક્ષા કરવાનો રસ્તો પસંદ કર્યો છે અને અમે તેને ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી સામે પક્ષ આ વાત સમજી ન જાય. હુસૈનીએ વધુમાં કહ્યું કે, અમે અમારી રક્ષા યુદ્ધના અંત સુધી કરતા રહીશું. બીજા પક્ષે જ યુદ્ધ ખતમ કરવું પડશે. કોઈ સીઝફાયર નહીં થાય, સીધું યુદ્ધ જ ખતમ થશે. અમેરિકા-ઈઝરાયેલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ગઈ વખતે પણ તેમણે જ સીઝફાયર કર્યું હતું. અમે ત્યાં સુધી જંગ ચાલુ રાખીશું જ્યાં સુધી તેઓ યુદ્ધ ખતમ કરવા માટે મજબૂર ન થઈ જાય. તેમના માટે યુદ્ધ આગળ વધારવું નકામું છે.
53 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:43 AM
નેતન્યાહુનું નરમ નિવેદન સૂચવે છે કે યુ. એસ. ઈરાન સાથેના યુદ્ધમાંથી સલામત રીતે બહાર નીકળવા માંગે છે

નેતન્યાહુનું નરમ નિવેદન સૂચવે છે કે યુ. એસ. ઈરાન સાથેના યુદ્ધમાંથી સલામત રીતે બહાર નીકળવા માંગે છે

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભીષણ જંગમાં હવે રાજકીય સમીકરણો અને નિવેદનો ઝડપથી બદલાઈ રહ્યા છે. 'ધ ડિફેન્ડર ડોમ' ચેનલ અને એક્સ (અગાઉનું ટ્વિટર) સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સના અહેવાલ મુજબ, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક મોટી કબૂલાત કરતા સ્વીકાર્યું છે કે ઈરાની શાસન વ્યવસ્થામાં અંદરખાને "તિરાડો" પડવાના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, તેમ છતાં એવી પૂરી શક્યતાઓ છે કે વર્તમાન ઈરાની શાસન આ યુદ્ધની પરિસ્થિતિમાંથી બચી જશે અને ટકી રહેશે. આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાતો અને ડિજિટલ મીડિયાના વિશ્લેષકો માને છે કે, જો હંમેશા આક્રમક વલણ ધરાવતા નેતન્યાહુ જાહેરમાં આવું નરમ નિવેદન આપી રહ્યા હોય, તો તેનો સીધો અર્થ એ છે કે અમેરિકાનું 'વ્હાઇટ હાઉસ' હવે આ સંઘર્ષને વધુ લંબાવવા માંગતું નથી. વ્હાઇટ હાઉસ હવે આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો કે પીછેહઠ કરવાનો ('ઓફ-રેમ્પ') સલામત રસ્તો શોધી રહ્યું છે.
3 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:42 AM
ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષથી વૈશ્વિક ઊર્જા કટોકટીનો ખતરો

ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષથી વૈશ્વિક ઊર્જા કટોકટીનો ખતરો

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો જંગ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે અને વૈશ્વિક ઉર્જા સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રેસ બ્રીફિંગમાં પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલે ગઈકાલે દક્ષિણ ઈરાનમાં આવેલા 'સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ' પર અમેરિકા કે અન્ય કોઈ દેશની મદદ વિના એકલા હાથે જંગી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ગિન્નાયેલા ઈરાને સીધો જ બદલો લેતા સાઉદી અરેબિયા, કતાર અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) માં આવેલી મહત્વપૂર્ણ ઉર્જા સુવિધાઓને નિશાન બનાવીને મોટા પાયે વળતા હુમલા કર્યા છે. વધુમાં, ઈરાને ઇઝરાયેલના શહેરો પર પણ અનેક ઘાતક મિસાઈલો છોડી છે. ખાડી દેશોમાં ક્રિટિકલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઉર્જા માળખા) પર થઈ રહેલા આ ભયાવહ હુમલાઓને પગલે યુનાઈટેડ નેશન્સ (યુએન) દ્વારા વૈશ્વિક કટોકટી ટાળવા એક તાકીદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.
95 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:35 AM
અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નવા સ્વ-દેશનિકાલ કાર્યક્રમની જાહેરાત કરી

અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નવા સ્વ-દેશનિકાલ કાર્યક્રમની જાહેરાત કરી

વોશિંગ્ટન,અમેરિકામાંથી કોઈ પણ ભોગે ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવા મથી રહેલી ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વધુ એક વાર સેલ્ફ ડિપોર્ટેશન માટે જાહેરાત કરી છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે ભારત સહિતના દેશોના ગેરકાયદે વસાહતીઓને સ્વદેશ જવા માટે પ્લેનની મફત ટિકિટ તથા ૨,૬૦૦ ડોલરનું બોનસ આપવાની જાહેરાત કરતા પોસ્ટર્સ જારી કર્યાં છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (ડીએચએસ)એ જારી કરેલાં આ પોસ્ટર્સમાં ભારતના તાજમહેલ ઉપરાંત કોલંબિયા તથા ચીનના વિવિધ જાણીતાં સ્થળોની તસવીરો આવરી લેવાઈ છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે એક્સ પરની એક પોસ્ટમાં આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) હોમ એપની મદદથી સેલ્ફ-ડિપોર્ટેશન માટે અરજી કરો અને સ્વદેશ પરત ફરવા માટે પ્લેનની મફત ટિકિટ ઉપરાંત ૨,૬૦૦ ડોલરનું એક્ઝિટ બોનસ મેળવો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજી વાર કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી, ગયા વર્ષે મે મહિનામાં પ્રોજેક્ટ હોમકમિંગ નામની આ યોજના લોન્ચ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ડિસેમ્બરમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સ માટેના ૩,૦૦૦ ડોલરનું નાણાકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. ડીએચએસ અનુસાર જાન્યુઆરી, ૨૦૨૫થી અત્યાર સુધીમાં આશરે ૨૨ લાખ ગેરકાયદે વસાહતીઓ આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે. ડીએચએસે અગાઉ એક નોંધમાં જણાવ્યું હતું કે, કોઈ એક ગેરકાયદે વસાહતીને પરાણે દેશનિકાલ કરવાનો ખર્ચ આશરે ૧૮,૨૪૫ ડોલર જેટલો થાય છે. જ્યારે સીબીપી હોમ એપની મદદથી સ્વયં દેશનિકાલ માટેનો ખર્ચ માત્ર ૫,૧૦૦ ડોલર જેટલો થાય છે. આમ તેના લીધે ગેરકાયદે વસાહતીઓ પર ખર્ચ કરતાં અમેરિકન કરદાતાઓના ૧૩,૦૦૦ ડોલરનો બચાવ થશે. ડીએચએસે ગેરકાયદે વસાહતીઓને આ પ્રક્રિયા શરૂ કરવા માટે સીબીપી એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ એપ દ્વારા તેઓ સ્વેચ્છાએ દેશ છોડવા માટે તેમની નોંધણી કરાવી શકશે.SS1MS
84 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:35 AM
ઈરાન-અમેરિકા-ઇઝરાયલ સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો, લેબનાનમાં 1,000થી વધુના મોત

ઈરાન-અમેરિકા-ઇઝરાયલ સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો, લેબનાનમાં 1,000થી વધુના મોત

રિયાધ/તેહરાન,તા.૨૦: ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધમાં મૃત્‍યુઆંક વધી રહ્યો છે. લેબનોનમાં આજે ૧,૦૦૦ લોકોના મોત થયા છે.CNNએ વિવિધ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્‍યો છે કે મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્‍યાર સુધીમાં ૨,૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. જોકે, આ આંકડાઓની ખાતરી હાલમાં કરી શકાતી નથી. લેબનોન - લેબનોનના આરોગ્‍ય પ્રધાને ગુરુવારે જાહેરાત કરી હતી કે મૃત્‍યુઆંક ૧,૦૦૦ થી વધુ થઈ ગયો છે. ૨ માર્ચથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્‍યાર સુધીમાં દેશમાં ૧,૦૦૧ લોકોના મોત થયા છે. લેબનોનના હિઝબુલ્‍લાહે સૌપ્રથમ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો અને ત્‍યારથી ઇઝરાયલ સતત લેબનોન પર હુમલો કરી રહ્યું છે. ઈરાન - ઈરાની અધિકારીઓએ છેલ્‍લા અઠવાડિયામાં જાનહાનિ અંગે કોઈ નવી માહિતી જાહેર કરી નથી. ઈરાનના યુએન રાજદૂત, અમીર સઈદ ઇરાવાનીએ ૧૦ માર્ચે ૧,૩૦૦ લોકોના મોતની જાણ કરી હતી. ઈરાનના વિદેશ પ્રધાને સોમવારે જણાવ્‍યું હતું કે સંઘર્ષ શરૂ થયા પછી સેંકડો ઈરાની નાગરિકો માર્યા ગયા છે. તેમણે ૨૦૦ થી વધુ બાળકોના મોતનો ઉલ્‍લેખ કર્યો છે. અમેરિકા સ્‍થિત હ્યુમન રાઇટ્‍સ એક્‍ટિવિસ્‍ટ્‍સ ન્‍યૂઝ એજન્‍સી (HRANA) એ ગઈકાલે અહેવાલ આપ્‍યો હતો કે ૧,૩૬૯ નાગરિકો અને ૧,૧૩૮ લશ્‍કરી કર્મચારીઓ, જેમાં ઓછામાં ઓછા ૨૦૭ બાળકોનો સમાવેશ થાય છે, માર્યા ગયા છે.HRANAએ પણ અહેવાલ આપ્‍યો હતો કે ૬૨૭ અન્‍ય લોકો માર્યા ગયા છે, પરંતુ હજુ સુધી તે જાણી શકાયું નથી કે તેઓ નાગરિકો હતા કે લશ્‍કરી કર્મચારીઓ. ઇરાક - બે સુરક્ષા સૂત્રોએ સોમવારેCNNને જણાવ્‍યું હતું કે સંઘર્ષ શરૂ થયો ત્‍યારથી ઇરાકમાં ઓછામાં ઓછા ૪૭ લોકો માર્યા ગયા છે. આમાં મોટાભાગના પોપ્‍યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ (PMF) ના સૈનિકો હતા. ગુરુવારે ઇરાકી કુર્દીસ્‍તાનમાં લશ્‍કરી બેઝ પર થયેલા હુમલામાં એક ફ્રેન્‍ચ સૈનિકનું પણ મોત થયું હતું.
69 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:31 AM
જ્યોતિષી ગોડમેન સામે બળાત્કારના કેસમાં મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ

જ્યોતિષી ગોડમેન સામે બળાત્કારના કેસમાં મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ

નાગપૂર તા.૨૦: મહારાષ્ટ્રમાં હાલમાં એક હાઈ-પ્રોફાઇલ રેપ કેસને કારણે રાજકારણ ગરમાયું છે. પોતે જ્‍યોતિષ અને પરમાત્‍મા હોવાનો દાવો કરનાર'કેપ્‍ટન અશોક ખરાત'ની ૨૭ વર્ષીય મહિલા પર બળાત્‍કાર ગુજારવાના આરોપમાં નાગપુર પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ મહારાષ્ટ્ર રાજ્‍ય મહિલા આયોગના અધ્‍યક્ષ રૂપાલી ચાકણકર અને આરોપી બાબા વચ્‍ચેના કથિત સંબંધોને લઈને વિપક્ષે મોરચો ખોલ્‍યો છે. ૬૭ વર્ષીય અશોક ખરાત મર્ચન્‍ટ નેવીનો નિવૃત્ત અધિકારી છે, જેના કારણે તે પોતાના નામની આગળ કેપ્‍ટન લગાવે છે. તેણે નાસિકના સિન્નર તાલુકાના મિરગાંવમાં શ્રી ઈશાન્‍યેશ્વર મંદિર ટ્રસ્‍ટ (શ્રી શિવનિકા સંસ્‍થાન) બનાવ્‍યું છે. ખરાત કોસ્‍મોલોજી અને ન્‍યુમેરોલોજી એક્‍સપર્ટ હોવાનો દાવો કરતો હતો. મહારાષ્ટ્રના મોટા રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ તેના અનુયાયીઓ છે. મોટા કદના નેતાઓ અને અભિનેત્રીઓ જાહેરમાં તેના પગ પૂજવાની (પાદ્ય પૂજા) વિધિ કરતા હોવાના અનેક કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા છે. નાગપુર પોલીસના જણાવ્‍યા અનુસાર, અશોક ખરાત સામે એક મહિલાએ બે વર્ષ સુધી ડરાવી-ધમકાવીને યૌન શોષણ કરવાનો અને બ્‍લેકમેલ કરવાનો આરોપ લગાવ્‍યો છે. તપાસ દરમિયાન પોલીસને એક પેનડ્રાઈવ મળી છે. જેમાં ૫૮ જેટલા વાંધાજનક વીડિયો છે. આ વીડિયોમાં કેટલીક જાણીતી મહિલાઓ અને સેલિબ્રિટીઓ હોવાનું પણ બહાર આવ્‍યું છે. કોર્ટે આરોપી બાબાને ૨૪ માર્ચ સુધી પોલીસ કસ્‍ટડીમાં મોકલી દીધો છે. આ સમગ્ર વિવાદમાં રાજ્‍ય મહિલા આયોગના અધ્‍યક્ષ રૂપાલી ચાકણકરની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. એક તસવીરમાં ચાકણકર આરોપી અશોક ખરાત માટે છત્રી પકડીને ઉભા છે. અન્‍ય એક તસવીરમાં તેઓ બાબાની પાદ્ય પૂજા કરતા જોવા મળે છે. વિપક્ષનો આરોપ છે કે રૂપાલી ચાકણકર આ શિવનિકા સંસ્‍થાનના ટ્રસ્‍ટી પણ છે.
31 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:24 AM
ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હુમલાઓ સામે યુરોપ અને જાપાન એક થયા

ઈરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હુમલાઓ સામે યુરોપ અને જાપાન એક થયા

નવી દિલ્‍હી તા.૨૦: હોર્મુઝ સ્‍ટ્રેટમાં વધતા તણાવ વચ્‍ચે, યુરોપ અને જાપાને સંકેત આપ્‍યો છે કે તેઓ નોંધપાત્ર પગલાં લેવા માટે તૈયાર છે. બ્રિટન, ફ્રાન્‍સ, જર્મની, ઇટાલી, નેધરલેન્‍ડ અને જાપાને એક સંયુક્‍ત નિવેદન બહાર પાડીને આ મહત્‍વપૂર્ણ દરિયાઈ માર્ગ દ્વારા જહાજોના સલામત માર્ગને સુનિヘતિ કરવા માટે તેમની તૈયારી દર્શાવી છે. આ દેશોએ ઇરાનના તાજેતરના હુમલાઓની સખત નિદા કરી, જણાવ્‍યું કે આવા હુમલાઓએ વૈશ્વિક ઉર્જા પુરવઠાને ગંભીર અસર કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે બધા દેશો આ મહત્‍વપૂર્ણ દરિયાઈ માર્ગ દ્વારા ઊર્જા બજાર સ્‍થિરતા જાળવવા અને સામાન્‍ય ટ્રાફિક પુનઃસ્‍થાપિત કરવાના પ્રયાસોનું સંકલન કરવા માટે સાથે મળીને કામ કરશે. રોઇટર્સના જણાવ્‍યા અનુસાર, નિવેદનમાં કતાર અને સાઉદી અરેબિયામાં તેલ અને ગેસ પ્‍લાન્‍ટ પર થયેલા હુમલાઓની પણ નિદા કરવામાં આવી છે. કતાર એનર્જી અનુસાર, આ હુમલાઓએ તેમનીLNGનિકાસ ક્ષમતાના ૧૭% ને અસર કરી, જેના પરિણામે વાર્ષિક આવકમાં ડોલર ૨૦ બિલિયનનું અંદાજિત નુકસાન થયું. આ દેશોએ ઉર્જા ઉત્‍પાદન વધારવા અને બજારને સ્‍થિર કરવા માટે ઉત્‍પાદક દેશો સાથે કામ કરવા પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી છે. ઈરાન યુદ્ધ તેલ યુદ્ધમાં ફેરવાઈ ગયું... ગેસ ફિલ્‍ડ હુમલા પછી ગલ્‍ફ દેશોનો વળતો હુમલો ખરેખર, ક્રૂડ ઓઇલ અનેLPGના વૈશ્વિક પુરવઠા માટેનો મુખ્‍ય માર્ગ, હોર્મુઝ સ્‍ટ્રેટ હાલમાં ગંભીર મુશ્‍કેલીમાં છે. ઈરાને ડ્રોન અને વિસ્‍ફોટક બોટથી વેપારી જહાજો પર હુમલો કર્યા પછી શિપિગ વ્‍યવહારીક રીતે બંધ થઈ ગયું છે. હોર્મુઝ સ્‍ટ્રેટની બહાર સેંકડો જહાજો ફસાયેલા છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોને પુરવઠો ખોરવાઈ ગયો છે.
61 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:20 AM
નેતન્યાહુએ પોતાના મૃત્યુના અહેવાલોને નકારી કાઢ્યા, દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતા ઓછી થઈ ગઈ છે

નેતન્યાહુએ પોતાના મૃત્યુના અહેવાલોને નકારી કાઢ્યા, દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતા ઓછી થઈ ગઈ છે

તેલ અવિવ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના મોતના સમાચારોનું ખંડન કરી સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની સૈન્ય તાકાત અને નેતૃત્વ હવે ખતમ થઈ ચૂક્યું છે. જોકે, સામે પક્ષે ઈરાને પણ આક્રમક વલણ અપનાવીને ઉત્તરી ઈઝરાયેલ અને જેરુસલેમ પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિદેશી મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની મોટી જીતનો દાવો કર્યો છે. તેમણે પોતાની તબિયત વિશેની અફવાઓને ફગાવતા જણાવ્યું કે, "હું જીવિત અને સંપૂર્ણ સ્વસ્થ છું."
36 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:10 AM
ઈરાન-અમેરિકા યુદ્ધના વિક્ષેપો વચ્ચે પાકિસ્તાનની ઊર્જા સુરક્ષા જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધના વિક્ષેપો વચ્ચે પાકિસ્તાનની ઊર્જા સુરક્ષા જોખમમાં

ઈસ્‍લામબાદ,તા.૧૦: ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની આગ વધારે ભડકતી દેખાઈ રહી છે. હવે ઈરાન અને ઈઝરાયેલ તેલ અને ગેસ પ્‍લાન્‍ટ પર બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરવા લાગ્‍યા છે. ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે હવે પાકિસ્‍તાનમાં ખતરાની ઘંટી વાગવા લાગી છે. પાકિસ્‍તાન પાસે હવે ખાલી થોડા દિવસનો જ ગેસ અને ઓઈલ બચ્‍યું છે. પાકિસ્‍તાન પાસે પેટ્રોલિયમનો ભંડાર મર્યાદિત છે. રિપોર્ટ અનુસાર, ક્રૂડ તેલનો સ્‍ટોક ખાલી ૧૧ દિવસનો બચ્‍યો છે, જ્‍યારે એલપીજી ખાલી ૯ દિવસ ચાલી શકશે. મિડલ ઈસ્‍ટમાં યુદ્ધના કારણે સપ્‍લાયમાં આવી રહેલી અડચણ જોતા પાકિસ્‍તાનની ઊર્જા સુરક્ષાને લઈને આસિમ મુનીર અને શહબાઝ શરીફની ચિતા વધી ગઈ છે. ધ એક્‍સપ્રેસ ટ્રિબ્‍યૂનના એક રિપોર્ટ અનુસાર, ઈરાન જંગની વચ્‍ચે પેટ્રોલિયમ મામલાની સેનેટ સ્‍થાયી સમિતિને જાણકારી આપતા પેટ્રોલિયમ સચિવે જણાવ્‍યું કે, પાકિસ્‍તાન પાસે હાલમાં ૨૧ દિવસનું ડીઝલ, ૨૭ દિવસ માટે પેટ્રોલ અને ૯ દિવસ સુધી ચાલે તેટલો એલપીજી ગેસ અને ૧૪ દિવસ માટે જેટ ફયૂલનો સ્‍ટોક છે. તેનો મતલબ એ છે કે મુનીર અને શહબાઝની રાતોની ઊંઘ હરામ થવાની છે. અધિકારીએ જણાવ્‍યું છે કે પાકિસ્‍તાન પોતાની પેટ્રોલિયમ આયાતનો લગભગ ૭૦ ટકા ભાગ મધ્‍ય-પૂર્વમાંથી મગાવે છે. આ વિસ્‍તારમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે જહાજોની અવરજવરનો મુખ્‍ય માર્ગ અને સપ્‍લાય ચેન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝમાં પાકિસ્‍તાનના તેલ અને ગેસવાળા ટેન્‍કર ફસાયેલા છે. ઈરાન તેને નીકળવા નથી દેતું. તેના ચક્કરમાં પાકિસ્‍તાનની આ હાલત થઈ રહી છે. ભારતની નકલ કરવા લાગ્‍યા મુનીર-શહબાઝ આ દરમ્‍યાન પાકિસ્‍તાન હવે ભારતના રસ્‍તે નીકળી પડ્‍યું છે. જી હા, પાકિસ્‍તાન પર આવતી મુસીબતને ટાળવા માટે મુનીર અને શહબાઝ ભારતની નકલ કરવા લાગ્‍યા છે. ભારતની માફક પાકિસ્‍તાન પણ હવે ઈરાન સાથે વાત કરી રહ્યું છે, જેથી તેને સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્‍તે ઓઈલ ભરેલા જહાજ કાઢવામાં સફળતા મળે. જો આ પરવાનગી મળી જાય તો ચાર જહાજ દ્વારા ઓઈલની સપ્‍લાઈ થઈ શકે. અહીં જણાવી દઈએ કે, ભારત ઈરાન સાથે વાત કરી પોતાનું ઓઈલ અને ગેસવાળા જહાજ મગાવી ચુક્‍યું છે. તેને જોઈ પાકિસ્‍તાન પણ હવે આ રસ્‍તો અપનાવી રહ્યું છે.
13 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 04:45 AM
ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ભારતને રાજદ્વારી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે; આવકવેરામાં સુધારાઓની જાહેરાત

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ભારતને રાજદ્વારી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે; આવકવેરામાં સુધારાઓની જાહેરાત

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, જ્યાંથી વિશ્વના લગભગ 20 ટકા ઊર્જા આયાત-નિકાસ થાય છે. આ પરિસ્થિતિને કારણે ભારતના ઘણા શહેરોમાં LPG સિલિન્ડરને લઈને ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે કૂટનીતિક સ્તરે પોતાની સક્રિયતા વધારી છે. નરેન્દ્ર મોદીની મિડલ ઈસ્ટ ડિપ્લોમેસીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમણે એક જ દિવસે પાંચ દેશોના ટોચના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી. કેન્દ્ર સરકાર આગામી 1 એપ્રિલ, 2026થી દેશની આવકવેરા પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. જૂની ટેક્સ સિસ્ટમને સ્થાને હવે નવો આવકવેરા કાયદો લાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ નવા ડ્રાફ્ટ મુજબ, હાલના ૫૧૧ નિયમોને ઘટાડીને ૩૩૩ કરી દેવામાં આવશે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગના પગાર, કંપની દ્વારા અપાતા મકાન, કાર અને અન્ય ભથ્થાં પર પડશે. નવા નિયમો મુજબ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ઘર પરના ટેક્સની ગણતરી હવે શહેરની વસ્તીના આધારે થશે. 40 લાખથી વધુ વસ્તી: વેતનના 10% ટેક્સ (જે પહેલા ૧૫% સુધી હતો). 1.5 થી 40 લાખ વસ્તી: 7.5% ટેક્સ. નાના શહેરો: માત્ર 5% ટેક્સ. આ ફેરફારથી મેટ્રો શહેરોમાં રહેતા કર્મચારીઓના હાથમાં વધુ પગાર (Take home salary) આવશે. કંપની તરફથી મળતી કાર અને ડ્રાઇવરની સુવિધાના ટેક્સ દરમાં સુધારો કરાયો છે. 1.6 લિટર સુધીના એન્જિનવાળી કાર માટે દર મહિને ₹5000 અને તેનાથી મોટી કાર માટે ₹7000 ટેક્સ ફિક્સ કરાયો છે. ડ્રાઇવરની સુવિધા માટે ₹3000 ટેક્સ લાગશે. અગાઉ આ દરો ઘણા ઓછા હતા, જે હવે વાસ્તવિક મૂલ્યની નજીક લાવવામાં આવ્યા છે. કર્મચારીઓને ઓફિસમાં મળતા મફત ભોજન પરની કરમુક્તિ મર્યાદા પ્રતિ ભોજન ₹50 થી વધારીને ₹200 કરવામાં આવી છે. તેવી જ રીતે, વર્ષ દરમિયાન મળતી ભેટ કે વાઉચરની મર્યાદા પણ ₹5000 થી વધારીને ₹15000 કરાઈ છે. આનાથી તહેવારોમાં મળતા બોનસ કે પુરસ્કારો પર ટેક્સનો બોજ ઘટશે. વાલીઓ પરનો આર્થિક ભાર ઘટાડવા માટે, શિક્ષણ ભથ્થું હવે પ્રતિ બાળક દર મહિને ₹3000 અને હોસ્ટેલ ભથ્થું ₹9000 સુધી કરમુક્ત રહેશે. આ અગાઉના જૂના દરો (જે ₹100-300 હતા) ની સરખામણીએ ઘણો મોટો વધારો છે. બીમારી કે અન્ય જરૂરિયાતો માટે કંપની પાસેથી લીધેલી ₹2 લાખ સુધીની વ્યાજમુક્ત લોન પર હવે કોઈ ટેક્સ નહીં લાગે. જોકે, ભાડાના મકાનમાં રહેતા લોકોએ જો વાર્ષિક ₹ 1 લાખથી વધુ ભાડું ચૂકવતા હોય, તો મકાનમાલિક સાથેના સંબંધો જાહેર કરવા ફરજિયાત બનશે. આ પણ વાંચોઃ UAE નો ઇરાન પર સાયલન્ટ પ્રહાર, હથિયાર ઉઠાવ્યા વિના ઈરાન સામે બદલો મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ભભૂકી રહેલા યુદ્ધની જ્વાળાઓમાં હજારો નિર્દોષ લોકો ફસાયા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ કટોકટીના સમયે ભારત સરકારે અત્યંત સક્રિયતા દાખવીને પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુરુવારે જારી કરાયેલા અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 880 ભારતીયો સફળતાપૂર્વક સ્વદેશ પરત ફર્યા છે. યુદ્ધને કારણે મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમનું હવાઈ ક્ષેત્ર (Airspace) સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જેના કારણે સીધી ફ્લાઈટ્સ દ્વારા ભારતીયોને લાવવા અશક્ય બન્યા હતા. આ કપરા સમયમાં ભારત સરકારે વૈકલ્પિક માર્ગો શોધ્યા છે. પરત ફરેલા 880 નાગરિકોમાંથી 772 લોકો આર્મેનિયા થઈને આવ્યા છે, જ્યારે 110 લોકો અઝરબૈજાન ના માર્ગે ભારત પહોંચ્યા છે. આ પડોશી દેશો દ્વારા તૈયાર કરાયેલ કોરિડોર ભારતીયો માટે જીવનરેખા સાબિત થઈ રહ્યો છે. સરકારે માહિતી આપી છે કે ઈરાનમાં ફસાયેલા 284 ભારતીય યાત્રાળુઓમાંથી લગભગ તમામની સુરક્ષિત વાપસી થઈ ગઈ છે. જોકે, હજુ પણ ચિંતાનો વિષય એ છે કે આશરે 9,000 ભારતીય નાગરિકો હજુ પણ ઈરાનના વિવિધ ભાગોમાં હાજર છે. ભારતીય દૂતાવાસો આ તમામ સાથે સતત સંપર્ક જાળવી રહ્યા છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે 24x7 કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબરો સ્થાપિત કર્યા છે. સરકાર દ્વારા ભારતીયોને કડક સૂચના આપવામાં આવી છે કે સરહદ પાર કરતા પહેલા અથવા કોઈપણ મુસાફરી કરતા પહેલા સ્થાનિક દૂતાવાસનો સંપર્ક અવશ્ય કરવો. બાકી રહેલા નાગરિકોને પણ તબક્કાવાર રીતે બહાર કાઢવા માટે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો કરી રહી છે. આ પણ વાંચોઃ Iran વિરુદ્ધ 6 શક્તિશાળી દેશો એકજૂથ, દરિયાઈ માર્ગે રક્ષણ આપવા લશ્કરી કવાયત
68 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 03:01 AM
બનાસકાંઠા રુની ગામમાં સમુદાયો વચ્ચે અથડામણ અટકાવવા પોલીસ કાર્યવાહી કરે છે

બનાસકાંઠા રુની ગામમાં સમુદાયો વચ્ચે અથડામણ અટકાવવા પોલીસ કાર્યવાહી કરે છે

બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો
86 shares
😐
Kutch Mitra logo
Kutch Mitra
Mar 20, 2026, 02:16 AM
આર્મી બેઝ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા અમેરિકી સેના હાઈ એલર્ટ પર

આર્મી બેઝ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા અમેરિકી સેના હાઈ એલર્ટ પર

નવી દિલ્હી,તા.તા.19 :ઈરાન યુદ્ધ વચ્ચે એક એવી ઘટના બની છે જેનાથી ખાડી દેશોથી ખુબદૂર અમેરિકામાં પણ હડકંપ મચી ગયો છે અને અમેરિકી સેના હાઈ એલર્ટ ઉપર આવી ગઈ છે. અમેરિકાનાએક આર્મી બેઝ ઉપર વિદેશમંત્રી માર્કો રૂબિયો અને રક્ષામંત્રી પીટ હેગસેથ હાજર હતા ત્યારેજ ડ્રોન ભમતું જોવા મળ્યું હતું. આ ડ્રોન જે આર્મી બેઝ ઉપર જોવા મળ્યું હતું તે બેઝઉપર આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના બે મજબૂત અને પ્રભાવશાળી ચહેરા હાજર હતા. જાણકારીઅનુસાર વોશિંગ્ટન સ્થિત આર્મી બેઝ પોર્ટ મેકનેયરના ઉપર ડ્રોન જોવા મળ્યા હતા. સંદિગ્ધડ્રોન જોવા મળ્યા બાદ અમેરિકી અધિકારીઓએ વિચાર વિમર્શ કર્યો હતો કે માર્કો રુબિયો અનેહેગસેથને કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે. જો કે બાદમાં આગ શું કાર્યવાહી કરીતેની કોઈ જાણકારી સામે આવી નહોતી. પેંટાગોન પ્રવક્તા સીન પાર્નેલે યુદ્ધ મંત્રી પીટહેગસેથ મામલે કોઈપણ પ્રકારની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેની પાછળ સુરક્ષાકારણો બતાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસારડ્રોન જોવા મળ્યા બાદ વ્હાઈટ હાઉસમાં એક ઉચ્ચ સ્તરની બેઠક પણ થઈ હતી. બેઠક બાદ અમેરિકીસેના માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.
77 shares
😢
Gujarat Today logo
Gujarat Today
Mar 20, 2026, 02:03 AM
ઇઝરાયેલ રોકેટ ફાયરને રોકવા માટે દક્ષિણ લેબનોનના ગામો પર કબજો કરવાની યોજના ધરાવે છે

ઇઝરાયેલ રોકેટ ફાયરને રોકવા માટે દક્ષિણ લેબનોનના ગામો પર કબજો કરવાની યોજના ધરાવે છે

(એજન્સી) તા.૧૯ઇઝરાયેલી મીડિયાએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે, રોકેટ ફાયરિંગ અટકાવવા માટે ઇઝરાયેલ દક્ષિણ લેબનોનમાં ગામડાઓની પહેલી હરોળ પર કબજો કરવાની યોજના ધરાવે છે. ચેનલ ૧૨એ જણાવ્યું હતું કે, રાજકીય જૂથ લશ્કરને લેબનોનના કોઈપણ વિસ્તાર પર કબજો કરવાનો નિર્દેશ આપવાનો ઇરાદો ધરાવે છે જ્યાંથી ટેન્ક વિરોધી શસ્ત્રો છોડવામાં આવે છે. ‘ઇઝરાયેલ વસ્તીને જોખમમાં મૂકતા તમામ વિસ્તારોને નિયંત્રિત કરવાનો ઇરાદો ધરાવે છે, ખાસ કરીને દક્ષિણ લેબનોનમાં ગામડાઓની પહેલી હરોળ પર’ ચેનલે આ ગામોનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું.‘આ ફક્ત એક સોદાબાજીનો મુદ્દો છે જ્યાં સુધી તેઓ ઇઝરાયેલની શરતો પર તેને પાછું મેળવવા ન આવે ત્યાં સુધી’ ચેનલે એક અનામી વરિષ્ઠ ઇઝરાયેલી સુરક્ષા સ્ત્રોતને ટાંકીને જણાવ્યું. ‘લેબનોન સરકાર પાસે હિઝબુલ્લાહને તોડી પાડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, કારણ કે, આ સૌથી અસરકારક પગલું છે,’ સૂત્રએ જણાવ્યું.નવેમ્બર ૨૦૨૪થી યુદ્ધવિરામ કરાર હોવા છતાં ઇઝરાયેલી સેનાએ તાજેતરના દિવસોમાં લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે સરહદ પારના હુમલાઓ વચ્ચે તેના હવાઈ હુમલાઓ વધારી દીધા છે. લેબનીઝ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨ માર્ચથી લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓમાં ઓછામાં ઓછા ૯૬૮ લોકો માર્યા ગયા છે અને ૨,૪૩૨ ઘાયલ થયા છે.હાલની ઘટના ઈરાન પર યુએસ-ઇઝરાયેલી સંયુક્ત હુમલાને પગલે બની છે, જેમાં ૨૮ ફેબ્રુઆરીથી લગભગ ૧,૩૦૦ લોકો માર્યા ગયા છે. તેહરાને ઇઝરાયેલને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો બદલો લીધો છે, જે તેનું કહેવું છે કે, ‘અમેરિકન લશ્કરી સંપત્તિ’ને નિશાન બનાવી રહ્યા છે.
48 shares
😐
Gujarat Today logo
Gujarat Today
Mar 20, 2026, 02:03 AM
હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ પર ગેરવાજબી રીતે ચૂંટણી લડવાનો આરોપ

હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ પર ગેરવાજબી રીતે ચૂંટણી લડવાનો આરોપ

(એજન્સી)નવી દિલ્હી, તા.૧૯કોંગ્રેસે મંગળવારે કહ્યું કે શાસક ભાજપે કોઈપણ કિંમતે હરિયાણા રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે “પૈસાની શક્તિ, ધમકીઓ અને રિટર્નિંગ ઓફિસરનો દુરુપયોગ” કર્યો, કારણ કે તેણે હરીફને ફરીથી “તેના આંબેડકર વિરોધી પાત્રનો પર્દાફાશ” કરવા બદલ ટીકા કરી, જે પાયાના દલિત કાર્યકર્તા કરમવીર બૌધનું સંસદ સભ્યપદ ચોરી કરવાનો પ્રયાસ કરે છે. હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ અને તેના ચાર મતોને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હોવા છતાં, વિજયને રદ કર્યા પછી, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે ભાજપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે જે દર્શાવે છે કે ભાજપ નેતૃત્વ કોઈપણ યુક્તિનો ઉપયોગ કર્યા વિના ચૂંટણી જીતવા માંગે છે. “ભાજપે રાતના અંધારામાં લોકશાહીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો. અમાન્ય જાહેર કરાયેલા ચારેય મત સંપૂર્ણપણે માન્ય હતા. તેમને એક અધિકારી દ્વારા માન્ય મતોની ટ્રેમાં પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ એક સ્પષ્ટ પક્ષપાતી આરઓ (રિટર્નિંગ ઓફિસર) દ્વારા ભાજપની તરફેણમાં આંકડા બનાવવા માટે કરવામાં આવ્યું હતું,” તેમણે કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ રાજેન્દ્ર પાલ ગૌતમ સાથે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું. દીપેન્દ્રે કહ્યું કે કોંગ્રેસ ક્રોસ વોટિંગ કરનારા અને પાર્ટી સાથે દગો કરનારા ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરશે અને ઉમેર્યું કે લોકો તેમના આદેશ સાથે દગો કરનારા ધારાસભ્યોને માફ કરશે નહીં. તેમણે કહ્યું કે ભાજપ નવ કે સાત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરાવવા માંગતી હતી જ્યારે આઈએનએલડીના બે મત મેળવ્યા હતા. તેમણે કહ્યું કે આઈએનએલડી, “જે ભાજપની બી-ટીમ છે”, એ મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પહેલા મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો, કારણ કે તેને ખાતરી હતી કે કોંગ્રેસ ચૂંટણી જીતી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે ભાજપનો ‘દબાણ અને પૈસાનો ખેલ’ નિષ્ફળ ગયો, ત્યારે ભાજપે આરઓ દ્વારા રમતને ઠીક કરવાની ત્રીજી રણનીતિ અપનાવી. ‘આરઓએ ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું,’ તેમણે ઉમેર્યું.
54 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 01:52 AM
ટ્રમ્પે ઈરાનમાં જમીની સૈનિકોની જમાવટને નકારી કાઢી, ઈરાની સૈન્યને નષ્ટ કરવાનો દાવો કર્યો

ટ્રમ્પે ઈરાનમાં જમીની સૈનિકોની જમાવટને નકારી કાઢી, ઈરાની સૈન્યને નષ્ટ કરવાનો દાવો કર્યો

વોશિંગ્ટન/નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોટો ખુલાસો કર્યો છે.ઈરાનમાં ગ્રાઉન્ડ ટ્રુપ્સ (પાયદળ) ઉતારવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકન સૈનિકોને ઈરાનની જમીન પર તૈનાત કરવામાં નહીં આવે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે ઈરાનની વાયુસેના અને નૌકાદળ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યા છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે આ યુદ્ધ આગળ વધારવા માટે કોંગ્રેસ પાસે ૨૦૦ અબજ ડોલરના ફંડિંગની માંગણી પણ કરી છે.મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (૧૯ માર્ચ ૨૦૨૬) ઈરાનમાં સેના મોકલવા અંગે ચાલી રહેલી તમામ અટકળો પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.એબીપી ન્યૂઝના પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ, ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની નેવી (નૌકાદળ) અને એરફોર્સ (વાયુસેના) સંપૂર્ણપણે નાશ પામી છે અને હવે અમેરિકી સૈનિકોને ઈરાનની જમીન પર ક્યાંય પણ તૈનાત કરવામાં નહીં આવે.ટ્રમ્પે બે દિવસ પહેલા જ આપ્યા હતા સંકેતનોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે તેઓ ઈરાનની જમીન પર અમેરિકન સેના ઉતારવાથી ડરતા નથી. આ નિવેદન બાદ એવી અટકળો તેજ બની હતી કે અમેરિકા જમીની હુમલો (ગ્રાઉન્ડ એટેક) કરી શકે છે.પરંતુ હવે જાપાનના એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે અમેરિકા જમીન પર સૈનિકો નહીં ઉતારે.અમેરિકા ધારે ત્યારે ખર્ગ દ્વીપ પર કબજો કરી શકે છે: ટ્રમ્પડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા જ્યારે ઈચ્છે ત્યારે ઈરાનના મહત્વના 'ખર્ગ દ્વીપ' પર કબજો જમાવી શકે છે, જે ઈરાનના ક્રૂડ ઓઈલ સપ્લાયનું મુખ્ય કેન્દ્ર છે.પત્રકારે જ્યારે પૂછ્યું કે ઈરાન પર હુમલો કરતા પહેલા અમેરિકાએ પોતાના મિત્ર દેશોને વિશ્વાસમાં કેમ ન લીધા? ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો કે નાટો દેશોની વિરુદ્ધ જઈને જાપાન આ ઈરાન યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.યુદ્ધ માટે ૨૦૦ અબજ ડોલરની માંગબીજી તરફ, આ યુદ્ધને લઈને પેન્ટાગોન (અમેરિકન સંરક્ષણ મંત્રાલય) એ પણ કમર કસી લીધી છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે "ખરાબ લોકોને ખતમ કરવા માટે પૈસાની જરૂર પડે છે." આ માટે ટ્રમ્પ પ્રશાસન અમેરિકન કોંગ્રેસ (સંસદ) પાસે આ યુદ્ધ ચાલુ રાખવા માટે ૨૦૦ અબજ ડોલર (આશરે ૧૬.૫ લાખ કરોડ રૂપિયા) ના જંગી ફંડિંગની માંગણી કરી રહ્યું છે.હેગસેથે દાવો કર્યો છે કે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ ઓપરેશન 'એપિક ફ્યુરી' હેઠળ ઈરાન અને તેના સૈન્ય માળખા પર ૭,૦૦૦ થી વધુ હુમલાઓ કરવામાં આવ્યા છે અને અમેરિકા નિર્ણાયક જીત તરફ આગળ વધી રહ્યું છે.ઈરાનનો વળતો પ્રહાર: એફ-૩૫ પર હુમલોવિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાન પણ ચૂપ બેઠું નથી અને તે વળતો પ્રહાર કરી રહ્યું છે. આ યુદ્ધમાં પ્રથમ વખત ઈરાને અમેરિકાના અત્યાધુનિક એફ-૩૫ ફાઈટર જેટને નિશાન બનાવ્યું છે. ઈરાનના હુમલાના કારણે આ ફાઈટર જેટને મિડલ ઈસ્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકાના આ એક ફાઈટર જેટની કિંમત ૧૦૦ મિલિયન ડોલર કરતા પણ વધુ હોય છે
98 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 01:41 AM
કેન્દ્ર સરકાર સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, એમએસપી ગેરંટી કાયદો અને દેવું માફીની માંગ

કેન્દ્ર સરકાર સામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, એમએસપી ગેરંટી કાયદો અને દેવું માફીની માંગ

નવી દિલ્હી: અહીંના રામલીલા મેદાનમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં દેશભરના ખેડૂતોએ એકઠા થઈને કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. તેમની મુખ્ય માંગણીઓમાં એમએસપી (ન્યૂનતમ ટેકાના ભાવ) માટે ગેરંટી કાયદો, સંપૂર્ણ દેવામાફી અને સૂચિત ભારત-યુએસ ફ્રી ટ્રેડ ડીલ રદ્દ કરવાનો સમાવેશ થાય છે.ખેડૂત નેતાઓએ જણાવ્યું છે કે એમએસપી ન મળવાને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવામાં આવી છે.રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં ગુરુવારે સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) ના આહ્વાન પર આયોજિત ખેડૂત મહાપંચાયતમાં દેશભરમાંથી આવેલા ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે જોરદાર અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં એમએસપી પર ગેરંટી કાયદો લાગુ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેવામાફી અને સંભવિત ભારત-યુએસ ફ્રી ટ્રેડ ડીલ રદ્દ કરવાની પણ માંગ છે.૨૫ વર્ષમાં ખેડૂતોને ૧૧૧ લાખ કરોડનું નુકસાનરામલીલા મેદાનમાં પહોંચેલા ભારતીય કિસાન યુનિયન (અરાજકીય) ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવીર સિંહે જણાવ્યું હતું કે સરકાર પાસે માંગણીઓ પૂરી કરાવવા માટે આજે દેશભરમાંથી ખેડૂતો એકઠા થયા છે. તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૫ સુધીમાં એમએસપીનો પૂરો લાભ ન મળવાને કારણે ખેડૂતોને ૧૧૧ લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ખેડૂતો પર માત્ર સાડા ૧૮ (૧૮.૫) લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આથી ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થવું જોઈએ.તેમણે અમેરિકા સાથે થઈ રહેલી ફ્રી ટ્રેડ ડીલનો વિરોધ કરતા કહ્યું કે આ રદ્દ થવી જોઈએ. અમેરિકન અધિકારીઓ કહી રહ્યા છે કે ભારત સાથે ફ્રી ટ્રેડ ડીલ થવાથી ત્યાંના ખેડૂતોને ૫૦૦ બિલિયન ડોલરનો ફાયદો થશે. આનો અર્થ એ છે કે અમેરિકા પોતાના કૃષિ ઉત્પાદનો આપણા દેશમાં વેચશે, જે આપણા ખેડૂતો માટે નુકસાનકારક છે.દેશભરમાંથી ખેડૂતોએ મોકલ્યા સમર્થન પત્રોસંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) ના સભ્ય હર્ષદીપ સિંહ ગિલે માહિતી આપી હતી કે દેશના તમામ રાજ્યોમાંથી ખેડૂતોની ૮ મુખ્ય માંગણીઓના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સમર્થન પત્રો મંગાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતોની સહીવાળા સમર્થન પત્રો પ્રાપ્ત થયા છે, જેને એકઠા કરીને વડાપ્રધાનને સોંપવામાં આવશે જેથી સરકાર માંગણીઓ સ્વીકારે.ભારતીય કિસાન યુનિયન (અરાજકીય) ના રાષ્ટ્રીય પ્રવક્તા દિનેશ શર્માએ મહાપંચાયતના ઉકેલ વિશે જણાવ્યું કે ખેડૂતોનું કામ અવાજ ઉઠાવવાનું છે અને સરકાર ક્યારે સાંભળશે તે તેના પર નિર્ભર છે. વિવિધ રેલીઓ અને પ્રદર્શનો દ્વારા માંગણીઓ ઉઠાવવાનું ચાલુ રહેશે.આગામી રણનીતિ માટે થશે બેઠક: ડલ્લેવાલખેડૂત નેતા અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) ના પ્રમુખ સભ્ય જગજીત સિંહ ડલ્લેવાલે ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂત મહાપંચાયતની નોંધ નહીં લે તો દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાશે. આ બેઠકમાં માંગણીઓ મનાવવા માટે કોઈપણ કડક નિર્ણય લેવામાં આવી શકે છે.ખેડૂતો એમએસપી ગેરંટી કાયદો, ડૉ. સ્વામીનાથન રિપોર્ટ અને દેવામુક્તિ લઈને જ રહેશે, સાથે જ ભારત-યુએસ ટ્રેડ ડીલ ખતમ કરવાની માંગ પણ ચાલુ રહેશે.સુરક્ષાનો કડક બંદોબસ્તદેશના વિવિધ રાજ્યોમાંથી ગઈકાલે ગુરુવારે હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેન, બસ અને ખાનગી વાહનો દ્વારા રામલીલા મેદાન પહોંચ્યા હતા. મેદાનની આસપાસના રસ્તાઓ પર વાહનોનો જમાવડો જોવા મળ્યો હતો, જેનાથી વાહનવ્યવહારને પણ અસર થઈ હતી.રામલીલા મેદાનની અંદર અને બહાર સુરક્ષાનો કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો, જેમાં દિલ્હી પોલીસ સાથે અર્ધલશ્કરી દળોના જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા
59 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 01:25 AM
ઈરાન પર સૌથી મોટા સૈન્ય હુમલા કરશે અમેરિકાઃ સંરક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી

ઈરાન પર સૌથી મોટા સૈન્ય હુમલા કરશે અમેરિકાઃ સંરક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી

વોશિંગ્ટન: અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક હુમલો કરવામાં આવશે. અમેરિકા પોતાની શરતો પર આ ખાડી યુદ્ધ (ગલ્ફ વોર)નો અંત લાવવા મક્કમ છે. હેગસેથે ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ના વરિષ્ઠ નેતાઓના પદને 'ટેમ્પરરી જોબ' (હંગામી નોકરી) ગણાવીને તેમને સીધી રીતે ખતમ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાએ હવે ઈરાન સામે આરપારની લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. 'ઇન્ડિયા ટુડે' ના લેટેસ્ટ અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા આજે ઈરાન પર તેના સૌથી મોટા લશ્કરી હુમલાઓ કરવા જઈ રહ્યું છે.અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે અમેરિકા આ ખાડી યુદ્ધ (ગલ્ફ વોર)ને કોઈપણ ભોગે પોતાની શરતો પર જ સમાપ્ત કરશે. હેગસેથે સ્પષ્ટ કર્યું કે, "ઈરાન મુદ્દે અમારા લક્ષ્યાંકોમાં કોઈ જ ફેરફાર થયો નથી અને અમારી સૈન્ય કાર્યવાહી બરાબર યોજના મુજબ જ આગળ વધી રહી છે."શહીદ સૈનિકોનું સન્માન અને મિશન પૂર્ણ કરવાની નેમ પીટ હેગસેથે પોતાના નિવેદનમાં શહીદ થયેલા અમેરિકન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના સૈનિકોના બલિદાનને એળે નહીં જવા દે. તેમણે કહ્યું કે, "અમે અમારા શહીદ જવાનોને સન્માન આપવા અને આ મિશનને તેના અંતિમ અંજામ સુધી પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ." આઈઆરજીસીના નેતાઓ માટે ચેતવણી: 'આ તમારી ટેમ્પરરી જોબ છે'આ પ્રેસ બ્રીફિંગ દરમિયાન હેગસેથે ઈરાનની પાવરફુલ આર્મી ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ને આકરા શબ્દોમાં ધમકી આપી હતી. તેમણે આઈઆરજીસીના ટોચના કમાન્ડરો અને વરિષ્ઠ નેતાઓના પદને માત્ર એક 'ટેમ્પરરી જોબ' (કામચલાઉ નોકરી) ગણાવીને કટાક્ષ કર્યો હતો. આ નિવેદનનો સીધો અર્થ એ છે કે અમેરિકન સેના હવે ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓને ટાર્ગેટ કરી રહી છે અને તેમની હત્યા કરવામાં આવી શકે છે.યુદ્ધ વધુ ભડકવાની આશંકાએક વિશ્લેષણ મુજબ, અમેરિકાનું આ નિવેદન દર્શાવે છે કે તે ઈરાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માંગે છે. "યુદ્ધ અમારી શરતો પર ખતમ થશે" તેવો અમેરિકાનો દાવો એ વાતનો સંકેત છે કે ભવિષ્યમાં આ સંઘર્ષ વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશી શકે છે.નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકાના આ આક્રમક વલણથી મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ઝટકો લાગશે અને યુદ્ધ વધુ વ્યાપક બની શકે છે
53 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 01:24 AM
આસામ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

આસામ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ આસામ ચૂંટણી માટે પોતાની ત્રીજી યાદી જાહેર કરી:આદિત્ય ગોગોઈને નવી ગુવાહાટી બેઠક માટે ઉમેદવાર બનાવાયા :અત્યાર સુધીમાં AAP એ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા:પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 14 ઉમેદવારોની જાહેરાત કરી જ્યારે બીજી યાદીમાં છ ઉમેદવારોના નામ જાહેર કરાયા
23 shares
😐
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 12:31 AM
ભાજપના યુવા મોરચાના સાબરકાંઠા જિલ્લામાં નવા પદાધિકારીઓની પ્રથમ બેઠક યોજાઈ

ભાજપના યુવા મોરચાના સાબરકાંઠા જિલ્લામાં નવા પદાધિકારીઓની પ્રથમ બેઠક યોજાઈ

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરૂવારે નવીન હોદ્દેદારોની પ્રથમ પરિચય બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં હિંમતનગરમાં યોજાયેલ આ બેઠકમાં સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ યુવા મોરચાને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેરા બૂથ સબસે મજબૂતના મંત્ર સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત યુવા મોરચાએ આવનારા દિવસોમાં જે કામો કરવાના છે તેની વિગતોની જાણકારી અપાઈ હતી. જિલ્લા પ્રમુખે આગામી કાર્યક્રમો અંતર્ર્ગત યુવા મોરચાની શું ભૂમિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું તે વિશે સમજ આપી હતી. આ બેઠકમાં પૂર્વ જિલ્લા મહામંત્રી વિજય પંડયા, જિલ્લા મહામંત્રી પ્રેમલ દેસાઈ, બીપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા, જિલ્લા યુવા પ્રમુખ ધવલ રાવલ, જિલ્લા યુવા મહામંત્રી તરુણ પટેલ, રવિન્દ્રસિંહ પરમાર સહિત યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી. આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો
19 shares
😐
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 12:19 AM
પાદરા નગર નાગરિક સહકારી બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી

પાદરા નગર નાગરિક સહકારી બેંકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી

આગામી તા. 12 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ધી પાદરા નગર નાગરિક સહકારી બેન્કની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરયો છે. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને બેન્કિંગ વર્તુળોમાં ચહલપહલ જોવા મળે છે. બેન્કના વ્યવસ્થાપક મંડળની કુલ 15 બેઠકો માટે અત્યાર સુધીમાં 30 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. આગામી તા. 12 એપ્રિલના રોજ પાદરાની ઝેન સ્કૂલ ખાતે આ ચૂંટણી યોજાનાર છે. જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા નિયમિત કાર્યક્રમ અનુસાર કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા માટે તા. 19 અને 20 માર્ચની મુદત નક્કી કરાઇ છે, જેના ભાગરૂપે આજથી ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. ગુરુવારે બેન્કની ચૂંટણી લડવા ઈચ્છુક કેટલાક યુવા ઉમેદવારે પાદરા નગર નાગરિક સહકારી બેન્ક ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈ ઉત્સુકતા અને ગરમાવો વધુ તેજ બન્યો હતો હવે તા. 20 માર્ચ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ હોવાથી અન્ય સંભવિત ઉમેદવારો પણ અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્મિત વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાને કારણે હવે ડિમોલિશનના અંતિમ તબક્કામાં છે. બ્રિજની કામગીરી નિર્ભયપણે પૂર્ણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે DYMC (રોડ અને બિજ પ્રોજેક્ટ) દ્વારા ૧૯ માર્ચથી ૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી નવું ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કરવાનો રહેશે. નોંધનીય છે કે, AMCના ઇતિહાસમાં ભષ્ટાચારના આક્ષેપો વચ્ચે બ્રિજ બન્યાના માત્ર ૫ વર્ષમાં જ તેને તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. વાહનચાલકોને અગવડતા ટાળવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. 01-ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા: વાહનચાલકોએ મુખ્ય સ્પાનના બદલે કે.સી. ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવાનું રહેશે. 02-સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ: મુખ્ય સ્પાન પાસેના અગાઉ તોડી પાડેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પણ વાંચો : Surendranagar News : લીંબડી તાલુકામાં સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી બનશે અત્યાધુનિક સી.સી. રોડ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી. આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી
98 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 20, 2026, 12:15 AM
ભિલ્ડી વિસ્તારમાં ₹1 કરોડનાં માર્ગ નિર્માણ કાર્યોનો શિલાન્યાસ કરાયો

ભિલ્ડી વિસ્તારમાં ₹1 કરોડનાં માર્ગ નિર્માણ કાર્યોનો શિલાન્યાસ કરાયો

ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં રૂ.25.40 કરોડના વિવિધ રોડ કાર્યોનું દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જગદીશશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નવી ભીલડી રેલવે સ્ટેશન રોડ સહિત અનેક મહત્વપૂર્ણ માર્ગોના કામોની સત્તાવાર રીતે શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ રામસણ-ભાદરા-નાંદલા રોડ, જૂની ભીલડીથી દશામાં મંદિર રોડ, નવી ભીલડી-જુના નેસડા-મોટી ઘરનાલ ચાર રસ્તા જોડતો માર્ગ, મોટી ઘરનાળ-ગોઢા રોડ, ભીલડી અપ્રોચ રોડ તેમજ બલોધર-મોટા કાપરા જોડતો રોડ જેવા માર્ગોના રીસરફેસિંગ અને વિકાસ કાર્યો હાથ ધરાશે. કાર્યક્રમમાં ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, પૂર્વ માર્કેટ યાર્ડ ચેરમેન બાબુભાઈ પાનકુટા, સરપંચો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગોના વિકાસથી વિસ્તારના ગામો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે તેમજ પરિવહન સુવિધા વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
58 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 11:12 PM
ગાંધીનગર વી. વી. આઈ. પી. ગણમાન્ય વ્યક્તિઓ માટે અદ્યતન કોન્વોય વાહનો હસ્તગત કરશે

ગાંધીનગર વી. વી. આઈ. પી. ગણમાન્ય વ્યક્તિઓ માટે અદ્યતન કોન્વોય વાહનો હસ્તગત કરશે

ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી સતત વીવીઆઇપી મૂવમેન્ટ રહે છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને અન્ય વીવીઆઇપી મહાનુભાવોના કાફલામાં સમાવેશ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ઇમરજન્સી અને રેસ્ક્યુ સુવિધા સાથેના બે અદ્યતન કોન્વોય વાહનો ખરીદવામાં આવશે. આ બંને વાહનો ફ આ કન્વોય વાહનોમાં આધુનિક ટેક્નોલોજી સાથે વિવિધ પ્રકારના રેસ્ક્યુ અને ફાયરફાઇટિંગ સાધનો મૂકવામાં આવશે. ખાસ કરીને તેમાં હાઇડ્રોલિક કટર અને કોમ્બી ટૂલ્સ રહેશે, જે વાહન અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મેટલ કાપવા, ફેલાવવા અને લિફ્ટિંગ માટે ઉપયોગી બનશે. વાહનમાં પોર્ટેબલ CAFS (Compressed Air Foam System) પણ આપવામાં આવશે, જે શરૂઆતના તબક્કામાં આગ બુઝાવવા માટે ખૂબ અસરકારક રહેશે અને ઓછા સમયમાં ફોમ છાંટીને આગને નિયંત્રિત કરી શકશે. તે ઉપરાંત, પેટ્રોલ ઓપરેટેડ ચેઇન સો અને ડાયમંડ ચેઇન સો જેવી સાધનો રાખવામાં આવશે, જે ઝાડ, કોંક્રિટ અથવા અન્ય અવરોધોને કાપવા માટે ઉપયોગી બનશે. વાહનમાં મલ્ટી-ફંક્શનલ હૂક સિસ્ટમ રહેશે, જેમાં ફાયર એક્સ, હેમર, શોવલ, સો અને અન્ય ટૂલ્સ એક જ કિટમાં ઉપલબ્ધ રહેશે, જેથી આપત્તિ સ્થળે તરત જ વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય. સાથે જ, 2 ટન ક્ષમતા ધરાવતો ઇલેક્ટ્રિક વિન્ચ પણ ફિટ કરવામાં આવશે, જે ભારે વસ્તુઓ ખેંચવા અથવા અકસ્માતમાં ફસાયેલા વાહનોને હટાવવા માટે ઉપયોગી રહેશે. વીવીઆઇપી રૂટમાં કોન્વોયના વાહનોનો આંતરિક અકસ્માત, રૂટ પર અન્ય વાહનોનો અકસ્માત કે આગ જેવા બનાવ બને ત્યારે આ કન્વોય વાહનોનો મુખ્ય ઉપયોગ રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે થઇ શકશે.
35 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:33 PM
ગુજરાતમાં ભાજપે નવી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની રચના કરી

ગુજરાતમાં ભાજપે નવી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિની રચના કરી

ચૂંટણી હવે નજીક આવી રહી છે અને હોદ્દાઓ અપાઈ ગયા છે. જેમાં ભાજપે આ વખતે નવા નવા હોદ્દાઓ આપીને જૂના જોગીઓને તેમાં સમાવી ટિકિટ વહેંચણીની વ્યવસ્થામાંથી આડકતરી રીતે બાકાત કરી નાખવાનો દાવ રમ્યો છે. એક પ્રકારે તેમને નવરા પણ રાખવાના નથી અને બીજી પ્રકારે તેમન ભાજપે નવી ચૂંટણી વ્યવસ્થા સંચાલન સમિતિની રચના કરી છે. જેમાં પ્રદેશ કક્ષાએ ગોરધન ઝડફિયા સંયોજક છે. સૌરાષ્ટ્રમાં ઉદય કાનગડ અને બાબુ બોખીરિયાને જવાબદારી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લો બાબુ બોખીરિયાને સંભાળવાનો છે. રાજકોટ શહેરમાં પૂર્વ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાને સંયોજક બનાવ્યા છે અને ત્રણેય વિધાનસભા વિસ્તારમાં ત્રણ સહસંયોજક તરીકે પૂર્વ મહામંત્રી કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયા છે. આ તમામનું કાર્ય ચૂંટણીને લગતું તમામ કામ એટલે કે ફોર્મ ભરવા, રેલીઓ કરવી, મંજૂરીઓ લેવી, ચૂંટણી સભાનું આયોજન, સરઘસ કાઢવું વગેરે સહિતની હશે. જોકે શહેર પ્રમુખ સાથે જ તેમણે સંકલન કરવાનું છે. આ નવી સંયોજકની જે કેડર છે તેમને હોદ્દો મળી ગયો છે, પણ કામ ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયા બાદ શરૂ થશે. એટલે કે કોને ટિકિટ આપવી તે માટેની પાર્લામેન્ટરી બોર્ડ કે પછી સંગઠનના માળખામાં ક્યાંય અપેક્ષિત નથી. આ રીતે ટિકિટની માગણીઓની ટકટકમાંથી હોદ્દો આપીને જૂના જોગીઓને કામે લગાડી દેવાયા છે. મકવાણાએ ખુલાસો ન કર્યો કહ્યું કે, પાર્ટી જે નિર્ણય કરે તે મંજૂર!શહેરમાં ગેરકાયદે બાંધકામોને શોધીને કોર્પોરેશનમાં ફરિયાદ કરી બાદમાં મકાનમાલિક પાસેથી તોડ કરવાના કાંડમાં અનિલ મકવાણાનું નામ ખુલ્યું છે. શહેર ભાજપ પ્રમુખે 3 દિવસમાં ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી હતી. આમ છતા અનિલે કોઇ ખુલાસો કર્યો ન હતો. સમય વીતી ગયા બાદ તેણે ભાજપ કાર્યાલયે ફક્ત એક કાગળમાં એટલું લખીને મોકલ્યું છે કે પાર્ટી જે કઇ પણ નિર્ણય કરે તે મંજૂર રહેશે.
26 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:27 PM
ગુજરાતઃ કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતઃ કોંગ્રેસના કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી રહીં છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીમાં ચૂંટણી લડવા માગતા નેતાઓ જોડાઇ રહ્યા છે. અમદાવાદના દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસનાં કોર્પોરેટર તરીકે ચૂટાયેલાં જમના વેગડા ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં. તેમ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ જમના વેગડા આપ પાર્ટીમાં જોડાયા છે. તેમણે વર્ષ 2022માં કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર પર કાળો જાદુ કર્યો હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોને કારણે તેમની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પગલાં ભરવામાં આવ્યાં હતાં. આ પછી તેમને કોંગ્રેસમાં પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ કોંગ્રેસમાં ફરી જોડાઇ શક્યાં ન હતાં. છેવટે કોંગ્રેસના નિશાન પર કોર્પોરેટર થયા પછી પક્ષમાંથી સસ્પેન્ડ થતાં હવે આગામી ચૂંટણીમાં તેમને કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે ટિકિટ મળે તેવી કોઇ સંભાવના નથી. આથી તેઓે આમ આદમી પાર્ટીમા જોડાઇ ગયા છે. હવે તેઓ આપ પાર્ટીમાંથી દાણીલીમડા વોર્ડમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડે તો નવાઇ નહીં.
12 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 07:00 PM
દિલ્હી આગ શોક સભામાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

દિલ્હી આગ શોક સભામાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી

દિલ્હી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 9 લોકોની શોકસભામાં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ. આ ઘટનાના વાયરલ વીડિયોમાં ખુરશીઓ ફેંકતા અને ધક્કામુક્કી કરતા લોકો દેખાયા. AAP નેતા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સોલંકીના ગુંડાઓએ મને ખુરશી ફેંકીને મારી. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપને પીડિતોની ચિંતા નથી. જો કોઈ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા આવે છે તો ભાજપના લોકો તેમને મળવા પણ દેતા નથી. વાસ્તવમાં, બુધવારે પાલમ વિસ્તારની ચાર માળની ઇમારતમાં આગ લાગી હતી. જેમાં 3 સગીર છોકરીઓ સહિત 9 લોકોના જીવ ગયા હતા. ઘટના સંબંધિત 3 તસવીરો… ભારદ્વાજના વીડિયો બતાવ્યા બાદ વિવાદ શરૂ થયો પાલમ અગ્નિકાંડ બાદ રાજકીય પક્ષોના નેતાઓ પીડિત પરિવારને મળવા પહોંચી રહ્યા હતા. AAP સંયોજક અરવિંદ કેજરીવાલના આગમન પહેલા સૌરભ ભારદ્વાજ અને ભાજપના ધારાસભ્ય કુલદીપ સોલંકી કાર્યકરો સાથે શોકસભામાં પહોંચ્યા. આ દરમિયાન સૌરભ ભારદ્વાજે એક વીડિયો બતાવીને બચાવ કાર્યમાં હાઈડ્રોલિક મશીન નિષ્ફળ જવાનો દાવો કર્યો અને પ્રશાસન પર સવાલો ઉઠાવ્યા. આને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ, જે ગાળાગાળી અને ધક્કામુક્કી સુધી પહોંચી ગઈ. આનાથી શોકસભાનું વાતાવરણ પણ બગડી ગયું. 2 બાળકોને પહેલા માળેથી ફેંક્યા હતા, લોકોએ બચાવ્યા બુધવારે પાલમમાં જે ચાર માળના ઘરમાં આગ લાગી હતી, તે રાજેન્દ્ર કશ્યપનું છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કોસ્મેટિકની દુકાન હતી અને ઉપરના માળ પર પરિવાર રહેતો હતો. જ્યારે આગ લાગી ત્યારે ધુમાડો ઝડપથી અંદર ફેલાવા લાગ્યો. પરિવારના સભ્યો જીવ બચાવવા માટે છત અને બાલ્કની તરફ ભાગ્યા. ત્યારે પરિવારના લોકોએ લગભગ બે વર્ષના બે બાળકોને બચાવવા માટે તેમને પહેલા માળેથી નીચે ફેંકી દીધા. ત્યાં નીચે ઉભેલા લોકોએ તે બાળકોને સંભાળ્યા, ત્યારબાદ બંનેને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. પડોશીઓએ બચાવ કામગીરી હાથ ધરી પડોશી યોગેશ શર્માએ જણાવ્યું- મારા દીકરાએ તેમના ઘરમાં આગ લાગી હોવાની જાણ કરી. ત્યારબાદ અમે 102 નંબર પર ફોન કર્યો. પરંતુ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. મેં જોરથી પરિવારને બૂમ પાડી કે તમે લોકો છત પર ચાલ્યા જાઓ. થોડીવાર પછી એક અવાજ આવ્યો કે ત્યાં ખૂબ ધુમાડો ભરાયેલો છે. બાજુની છત પર પહોંચી દીવાલ તોડી યોગેશ જણાવે છે- ત્યારબાદ અમે બાજુના મકાનમાંથી છત પર ગયા, પરંતુ આગ એટલી હદે ફેલાઈ ગઈ હતી કે તેને ઓલવવામાં પણ અમને ઘણી મુશ્કેલી પડી રહી હતી. પછી અમે દીવાલ તોડી, આ આખી પ્રક્રિયામાં બે કલાક લાગી ગયા હતા. તેમણે જણાવ્યું કે ત્યારબાદ ફાયર બ્રિગેડ આવી અને પરિવારના અન્ય લોકોને બહાર કાઢ્યા. તે પહેલા ત્રણ લોકો ઇમારત પરથી નીચે કૂદી ગયા હતા. કોઈના હાથમાં ફ્રેક્ચર છે તો કોઈને ક્યાંક બીજી જગ્યાએ ઈજા થઈ છે. મૃતકોમાં 3 પેઢીના સભ્યો પાલમ અગ્નિકાંડમાં રાજેન્દ્ર કશ્યપના પરિવારના 9 સભ્યોના મોત થયા, જેમાં ત્રણ બાળકીઓ પણ સામેલ છે. આગની ઝપેટમાં આવવાથી ત્રણ લોકો ઘાયલ થયા, જ્યારે કેટલાક સભ્યો બચી ગયા. મૃતકોમાં પરિવારની ત્રણ પેઢીના સભ્યો હતા. પીડિતોમાં સૌથી પહેલા રાજેન્દ્ર કશ્યપની 70 વર્ષીય પત્ની લાડો છે. તેમજ, આ દુર્ઘટનામાં તેમના પુત્ર 38 વર્ષીય કમલ, કમલની પત્ની આશુ અને તેમની ત્રણ દીકરીઓનો પણ જીવ ગયો. મૃતકોમાં કમલના ભાઈ પ્રવેશ, બહેન હિમાંશી અને કમલની ભાભી દીપિકા પણ સામેલ છે.
5 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 06:46 PM
વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેર બજારમાં ઉછાળો, તેલના ભાવ વધ્યા

વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેર બજારમાં ઉછાળો, તેલના ભાવ વધ્યા

ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારે વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ, ક્રૂડ ઓઈલમાં ઉછાળો અને એફઆઈઆઈની ભારે વેચવાલી વચ્ચે બજારમાં વ્યાપક નબળાઈ જોવા મળી હતી.તાજેતરના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં તીવ્ર મંદીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં બજારની શરૂઆતથી જ નકારાત્મક સેન્ટિમેન્ટ હાવી રહ્યો હતો. સૂચકાંકો ગેપ-ડાઉન સાથે ખુલ્યા હતા અને દિવસભર વેચવાલીના દબાણ હેઠળ રહ્યા હતા, જેના કારણે બજાર સતત નીચલા સ્તરે સરકતું ગયું હતું. રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા વધતા લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ ત્રણેય સેગમેન્ટમાં વ્યાપક ઘટાડો નોંધાયો હતો. મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે 'ઓઈલ વોર'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને ૧૧૨ ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિએ સ્પષ્ટ દર્શાવ્યું કે બજારમાં માત્ર ટેકનિકલ કરેકશન નહીં પરંતુ સેન્ટિમેન્ટલ શિફ્ટ પણ જોવા મળી રહ્યો છે. રોકાણકારો જોખમવાળા એસેટમાંથી બહાર નીકળી સલામત વિકલ્પો તરફ વળતા જોવા મળ્યા હતા.બજારની શરૂઆત નકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે ગેપ-ડાઉન સાથે થઈ હતી. શરૂઆતના કલાકોમાં બેન્કિંગ અને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળતા સૂચકાંકો ઝડપથી તૂટ્યા હતા. મધ્ય સેશન દરમિયાન થોડું શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું, પરંતુ દરેક ઉછાળા પર વેચવાલી વધતી જતા બજાર ફરી દબાણમાં આવી ગયું હતું.દિવસના અંતિમ કલાકોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા વધારાની વેચવાલી થતા બજાર દિવસના નીચલા સ્તર નજીક બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ :-ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ 76704 સામે 74750 પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા 73950 પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... દિવસ દરમ્યાન સરેરાશ 1404 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ 2496 પોઈન્ટના ઘટાડા સાથે 74207 પોઈન્ટ બંધ થયેલ. નિફ્ટી ફ્યુચર:- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ 23776 સામે 23340 પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી 22940 પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ 451 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર 650 પોઈન્ટના ઘટાડા સાથે 23125 પોઈન્ટ બંધ થયેલ...!!! ભારે મંદીના મુખ્ય કારણો : જીઓ-પોલિટિકલ તણાવ: મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને Strait of Hormuz માં સપ્લાય ખોરવાવાની ભીતિ. ક્રૂડ ઓઈલનો ભડકો: કાચા તેલના ભાવમાં અચાનક આવેલી તેજી ભારત જેવા આયાતકાર દેશ માટે મોંઘવારીનું જોખમ વધારે છે. FII ની આક્રમક વેચવાલી: વિદેશી રોકાણકારો દ્વારા મોટા પાયે ફંડ પાછું ખેંચાતા લિક્વિડિટી પર દબાણ. વૈશ્વિક નબળાઈ: જાપાનના નિક્કેઈમાં 1500 પોઈન્ટનો અને કોસ્પી (KOSPI) માં 1.50% નો ઘટાડો. માર્કેટ બ્રેડ્થ : આજનું સેશન અત્યંત નકારાત્મક રહ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વ્યાપક વેચવાલી જોવા મળી હતી, જે રિટેલ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... તા. 19.03.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23125 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23272 પોઈન્ટના પ્રથમ અને 23303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23008 પોઈન્ટ થી 22979 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23909 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ભારતી ઐરટેલ ( 1837 ) :- રૂ.1808 ના પ્રથમ તેમજ રૂ.1787 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1853 થી રૂ.1860 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1873 ઉપર તેજી તરફી ધ્યાન...!! અદાણી પોર્ટસ ( 1361 ) :- રૂ.1330 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1317 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1374 થી રૂ.1380 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ઓરબિંદો ફાર્મા ( 1256 ) :- રૂ.1227 નો પ્રથમ તેમજ રૂ.1214 ના બીજા સપોર્ટથી રૂ.1274 થી રૂ.1280 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ટાટા કન્ઝ્યુમર ( 1048 ) :- ટ્રેડીંગલક્ષી રૂ.1063 થી રૂ.1070 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે. અંદાજીત રૂ.1015 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. બજાજ ફાઈનાન્સ ( 837 ) :- રૂ.808 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.849 થી રૂ.856 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
62 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 06:20 PM
ચૂંટણી પંચે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પોસ્ટલ મતદાનની શરૂઆત કરી

ચૂંટણી પંચે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે પોસ્ટલ મતદાનની શરૂઆત કરી

નવી દિલ્હી:ભારતના ચૂંટણી પંચે આગામી વિધાનસભાચૂંટણીઓનેવધુ સમાવેશી બનાવવા માટે ઐતિહાસિક જાહેરાત કરી છે. હવે 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને મતદાન મથક સુધી જવાની જરૂર રહેશે નહીં. લોક પ્રતિનિધિત્વઅધિનિયમનીકલમ 60(C) હેઠળ, લાયક મતદારો ફોર્મ 12D ભરીને પોસ્ટલ બેલેટની સુવિધા મેળવી શકશે. ચૂંટણી પંચની વિશેષ મતદાનટીમોઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં સંપૂર્ણ પારદર્શિતા સાથેમતદારોનાઘરે જઈને મતદાનકરાવશે, જે "કોઈ મતદાતા પાછળ ન છૂટે" તેવાસંકલ્પનેસાકાર કરશે. આ વખતે ચૂંટણી પંચે મીડિયા કર્મચારીઓ, ફાયર સર્વિસ, આરોગ્ય અને ટ્રાફિક પોલીસ જેવા આવશ્યક સેવાઓમાં તૈનાત કર્મચારીઓને પણ મોટી રાહત આપી છે. ફરજ પર હોવાને કારણે મતદાનથી વંચિત રહી જતા આ 'ગેરહાજર મતદારો' હવે પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકાર વાપરી શકશે. આ માટે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS)નો ઉપયોગ કરવામાં આવશે, જે સંપૂર્ણપણે મફત અને અત્યંત સુરક્ષિત છે. સંબંધિત વિભાગના નોડલ અધિકારી મારફતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેથી ઓન-ડ્યુટી સ્ટાફ લોકશાહીમાં સક્રિય ભાગ ભજવી શકે. મતદાનની આ સમગ્ર પ્રક્રિયામાં ગુપ્તતા જાળવવા માટે કમિશને કડક સૂચનાઓ જારી કરી છે. તમામ પોસ્ટલ બેલેટ મતગણતરીના દિવસે એટલે કે 4 મે, 2026 ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં રિટર્નિંગ ઓફિસરને પહોંચી જવા અનિવાર્ય છે. આ આધુનિક સુવિધાથી મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. વધુ વિગતો માટે મતદારો અધિકૃત વેબસાઇટ અથવા સ્થાનિક RO કચેરીનો સંપર્ક કરી શકે છે.
39 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 06:07 PM
ભારતીય સાંસદે ટોકનાઇઝ્ડ રિયલ-વર્લ્ડ એસેટ્સનું નિયમન કરવા માટે બિલ રજૂ કર્યું

ભારતીય સાંસદે ટોકનાઇઝ્ડ રિયલ-વર્લ્ડ એસેટ્સનું નિયમન કરવા માટે બિલ રજૂ કર્યું

નવી દિલ્હી:ભારતના નાણાકીય બજારને ડિજિટલ યુગમાં એક ડગલું આગળ લઈ જવા માટે આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાએ શુક્રવારે રાજ્યસભામાં એક ઐતિહાસિક ખાનગી સભ્ય બિલ (Private Member Bill)રજૂ કર્યું છે. "ધ એસેટ ટોકનાઇઝેશન (નિયમન) બિલ, 2026"નામનું આ બિલ ભારતમાં ટોકનાઇઝ્ડ રિયલ-વર્લ્ડ એસેટ (RWA)માટે સ્પષ્ટ કાનૂની માળખું સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ બિલ પસાર થવાથી ભારતમાં ડિજિટલ એસેટના ક્ષેત્રમાં મોટી સ્પષ્ટતા અને રોકાણકારોનો વિશ્વાસ વધવાની અપેક્ષા છે. એસેટ ટોકનાઇઝેશન એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો,ટોકનાઇઝેશન એટલે રિયલ એસ્ટેટ (મકાન-જમીન),સોનું કે અન્ય કિંમતી વસ્તુઓને નાના ડિજિટલ ટોકન્સમાં વિભાજિત કરવી. આનાથી સામાન્ય માણસ પણ મોંઘી મિલકતોમાં નાના અંશમાં રોકાણ કરી શકશે. રાઘવ ચઢ્ઢાના મતે,આ બિલ ફિનટેક (FinTech)ક્ષેત્રમાં નવીનતા લાવવાની સાથે બજારની અખંડિતતા અને નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે. બિલની મુખ્ય વિશેષતાઓ:
38 shares
😊
Akila News logo
Akila News
Mar 19, 2026, 06:07 PM
મધ્ય પૂર્વમાં તણાવ વધતાં વૈશ્વિક તેલ વેપાર સંકટમાં

મધ્ય પૂર્વમાં તણાવ વધતાં વૈશ્વિક તેલ વેપાર સંકટમાં

દોહા: પશ્ચિમ એશિયામાં સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કતારના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'રાસ લાફાન' ઔદ્યોગિક શહેર પર થયેલા ભીષણ મિસાઈલ હુમલાએ આખા વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. આ હુમલામાં કતારની મુખ્ય ગેસ સુવિધાઓને ભારે નુકસાન થયું છે અને ભયાનક આગ ફાટી નીકળી છે. આ ઘટનાના જવાબમાં કતારે કડક વલણ અપનાવતા ઈરાનના લશ્કરી અને સુરક્ષા એટેચીઓને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આપી દીધો છે.ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણીઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે સીધી દખલ કરતા ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે જો કતાર કે અન્ય સાથી દેશોની ઉર્જા સંપત્તિ પર ફરી હુમલો થશે, તો અમેરિકા ઈરાનના સૌથી મોટા ગેસ ક્ષેત્ર 'સાઉથ પાર્સ' ને નકશા પરથી મિટાવી દેશે. જોકે, તણાવ ઘટાડવા માટે તેમણે સંકેત આપ્યો કે ઈઝરાયેલ અત્યારે ઈરાની ઉર્જા મથકો પર વધુ હુમલા નહીં કરે.હોર્મુઝની સામુદ્રધુની બંધ: ઉર્જા બજારમાં ઉથલપાથલસૌથી ચિંતાજનક અહેવાલ એ છે કે વૈશ્વિક તેલ વેપાર માટે જીવનરેખા ગણાતી 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) અસરકારક રીતે બંધ થઈ ગઈ છે. આના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે અને ભાવો આસમાને પહોંચવાની દહેશત છે. ઈરાનના રાષ્ટ્રપતિએ પણ વળતો પ્રહાર કરતા ચેતવણી આપી છે કે આ સંઘર્ષના પરિણામો અનિયંત્રિત હશે અને તે આ ક્ષેત્રની બહાર પણ ફેલાઈ શકે છે.ચારેબાજુ યુદ્ધનો મોરચો• લેબનોન: ઈઝરાયેલી વાયુસેનાએ દક્ષિણ લેબનોનમાં ભીષણ હવાઈ હુમલા કરીને હિઝબુલ્લાહના ૨૦ થી વધુ ટોચના નેતાઓને ખતમ કરી દીધા છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.• UAE અને સાઉદી અરેબિયા: સંયુક્ત આરબ અમીરાતે હબ્શાન ગેસ સુવિધા પર થનારા મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે, જોકે કાટમાળ પડવાથી કેટલીક જગ્યાએ આગ લાગી છે. સાઉદી અરેબિયાએ પણ ડ્રોન હુમલાઓ બાદ લશ્કરી જવાબ આપવાનો પોતાનો અધિકાર અનામત રાખ્યો છે.• દરિયાઈ સુરક્ષા: ખોર ફક્કનના દરિયાકાંઠે એક વાણિજ્યિક જહાજ પર હુમલો થતા તેમાં આગ લાગી છે, જેનાથી દરિયાઈ વેપાર પર જોખમ વધ્યું છે.યુદ્ધ અત્યારે તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વની નજર અત્યારે અમેરિકા અને ઈરાનના આગામી પગલાં પર ટકેલી છે. જો સ્થિતિ વધુ વણસશે તો વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે.
69 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:39 PM
ભાજપે આસામ વિધાનસભા ચૂંટણી માટે 88 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે આસામ વિધાનસભા ચૂંટણી માટે 88 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ગુવાહાટી: આસામ વિધાનસભા ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ૮૮ મહારથીઓની પ્રથમ યાદી જાહેર કરીને રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આ યાદીમાં ભાજપે અનુભવી નેતાઓ અને સત્તાધારી પક્ષના કદાવર ચહેરાઓ પર ભરોસો મૂક્યો છે. આસામની ૧૨૬ બેઠકો પર આગામી ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે આ યાદી રાજ્યમાં ફરી સત્તા મેળવવા માટે ભાજપની વ્યૂહરચનાનો મોટો ભાગ ગણાઈ રહી છે.હિમંત બિસ્વા શર્માની આગેવાની અને દિગ્ગજ ચહેરાઓરાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અને પૂર્વોત્તર ભારતના શક્તિશાળી નેતા ડૉ. હિમંત બિસ્વા શર્મા ફરી એકવાર પોતાની પારંપરિક બેઠક 'જલુકબારી'થી જ ચૂંટણી લડશે. આ સિવાય, ભાજપે કેન્દ્રીય અને રાજ્ય સ્તરના અન્ય મોટા નામોને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભૂતપૂર્વ લોકસભા સાંસદ ડૉ. રાજદીપ રોયને સિલચર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી દુલિયાજન બેઠક પરથી નસીબ અજમાવશે.જાણીતા નેતાઓને મહત્વની જવાબદારીભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રણજીત કુમાર દાસને ભોવાનીપુર-સોભોગ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્તમાન વિધાનસભાના સ્પીકર બિસ્વાજીત દૈમારી તામુલપુર મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. પાર્ટીએ આ યાદીમાં પ્રાદેશિક સમીકરણો અને જ્ઞાતિગત પરિબળોને પણ પૂરતું મહત્વ આપ્યું હોવાનું જણાય છે, જેથી વિપક્ષી ગઠબંધન સામે મજબૂત મોરચો માંડી શકાય.૯ એપ્રિલે જનતા લેશે નિર્ણયઆસામમાં આ વખતે ચૂંટણીનો માહોલ અત્યંત રસાકસીભર્યો રહેવાની શક્યતા છે. ભાજપે પોતાની પહેલી યાદીમાં ૮૮ નામ જાહેર કરીને પ્રચારમાં લીડ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ૯ એપ્રિલે થનારા મતદાન બાદ જ ખબર પડશે કે જનતા ફરી એકવાર કમળ ખીલવશે કે પરિવર્તનનો પવન ફૂંકાશે.
73 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:37 PM
રાજ્યસભાના અહેવાલમાં સાંસદોની સંપત્તિ અને ગુનાહિત આરોપો અંગે આઘાતજનક આંકડાઓ બહાર આવ્યા

રાજ્યસભાના અહેવાલમાં સાંસદોની સંપત્તિ અને ગુનાહિત આરોપો અંગે આઘાતજનક આંકડાઓ બહાર આવ્યા

નવી દિલ્હી:ભારતની 'ઉપલી સદન' એટલે કે રાજ્યસભાના સભ્યોની સંપત્તિ અનેતેમનાભૂતકાળને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક સનસનાટીભર્યો અહેવાલ જાહેર કર્યો છે. વિશ્લેષણ મુજબ, 229 વર્તમાન સાંસદોમાંથી આશરે 32% એટલે કે 73 સાંસદો ફોજદારીકેસોનોસામનો કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેમાંથી 36 સાંસદો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અનેમહિલાઓવિરુદ્ધનાગુનાજેવા અત્યંત ગંભીર આરોપો નોંધાયેલા છે. પક્ષવાર જોતા ભાજપના 27 અને કોંગ્રેસના 12 સાંસદો ડાઘી છબી ધરાવે છે, જે લોકશાહીના મંદિરમાં બેસતા પ્રતિનિધિઓની નૈતિકતા પર સવાલ ઉભા કરે છે. બીજી તરફ, રાજ્યસભામાં 'લક્ષ્મીજી'ની પણ મહેરબાની જોવા મળી રહી છે. ગૃહના 14% સભ્યો અબજોપતિ છે, જેમાં સૌથી ધનિક સાંસદ તરીકે તેલંગાણાના BRS નેતા બંદી પાર્થ સારથી ઉભરી આવ્યા છે, જેમની કુલ સંપત્તિ ₹5,300 કરોડ આંકવામાં આવી છે. તેમની પાછળ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાના સાથીદાર રાજેન્દ્ર ગુપ્તા ₹5,053 કરોડ સાથે બીજા ક્રમે છે. રસપ્રદ બાબત એ છે કે રાજ્યસભાના એક સભ્યની સરેરાશ સંપત્તિ ₹120.69 કરોડ છે, જે સામાન્ય નાગરિકની કલ્પના બહારની વાત છે. આ અઢળક સંપત્તિ વચ્ચે સાદગીના ઉદાહરણો પણ જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંત બલબીર સિંહ માત્ર ₹3 લાખની સંપત્તિ સાથે સૌથી ગરીબ સાંસદ જાહેર થયા છે. મણિપુરના મહારાજા સનાજાઓબા લીશેમ્બા પણ ₹5 લાખની મિલકત સાથે આ યાદીમાં સામેલ છે. પક્ષોની સરેરાશ સંપત્તિની વાત કરીએ તો, AAP ના સાંસદો સરેરાશ ₹574 કરોડ સાથે સૌથી વધુ શ્રીમંત પક્ષ તરીકે ઉભરી આવ્યા છે, જ્યારે ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિ ₹28 કરોડ આસપાસ છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશના કાયદા ઘડનારાઓમાં આર્થિક અસમાનતાનું ગાબડું કેટલું વિશાળ છે.
22 shares
😢
A
Akila News
Mar 19, 2026, 05:26 PM
ટી. એસ. એ. ના અધિકારીઓને પગાર ન મળવાને કારણે યુએસ સરકાર બંધ થવાથી હવાઇમથકો પર અંધાધૂંધી સર્જાઈ

ટી. એસ. એ. ના અધિકારીઓને પગાર ન મળવાને કારણે યુએસ સરકાર બંધ થવાથી હવાઇમથકો પર અંધાધૂંધી સર્જાઈ

વોશિંગ્ટન: અમેરિકામાં ઈમિગ્રેશન સુધારા મુદ્દે ડેમોક્રેટ્સ અને સરકાર વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણને કારણે સર્જાયેલું 'આંશિક સરકારી શટડાઉન' હવે ગંભીર વળાંક લઈ રહ્યું છે. આજે શટડાઉનના ૩૩મા દિવસે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) ના અંદાજે ૫૦,૦૦૦ અધિકારીઓને છેલ્લા એક મહિનાથી પગાર મળ્યો નથી. પરિણામે, સુરક્ષાકર્મીઓની ગેરહાજરીનો આંકડો ૯.૯% એ પહોંચી ગયો છે, જેના કારણે અમેરિકાના આકાશમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈહોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS) ના આંકડા મુજબ, ન્યૂ યોર્કનું પ્રખ્યાત JFK, પિટ્સબર્ગ અને હ્યુસ્ટન બુશ એરપોર્ટ પર લગભગ ૩૦% થી ૪૦% સુરક્ષાકર્મીઓ કામ પર હાજર રહ્યા ન હતા. સામાન્ય રીતે માંદગી કે અન્ય કારણોસર ગેરહાજરીનો દર ૨% થી ઓછો હોય છે, જે અત્યારે વધીને ૧૦.૨% ની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. એટલાન્ટા અને ન્યૂ ઓર્લિયન્સ જેવા શહેરોમાં તો મુસાફરોને સુરક્ષા તપાસ માટે બે કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે.નાના એરપોર્ટ પર તાળા વાગવાની શક્યતાTSA ના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર એડમ સ્ટેહલે ચેતવણી આપી છે કે જો આ પરિસ્થિતિ વધુ એક અઠવાડિયું ચાલશે, તો સરકાર પાસે નાના એરપોર્ટને શાબ્દિક રીતે 'બંધ' કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. સુરક્ષા ચોકીઓ (Checkpoints) બંધ થવાને કારણે મોટી એરલાઇન્સના CEO પણ ચિંતામાં મુકાયા છે. વસંતઋતુ (Spring Break) ના વેકેશન દરમિયાન અંદાજે ૧૭૧ મિલિયન પ્રવાસીઓ ઉડાન ભરવાના છે, ત્યારે આ શટડાઉન પ્રવાસન ઉદ્યોગની કમર તોડી શકે છે.રાજકીય ફૂટબોલ અને આર્થિક ફટકો૧૩ ફેબ્રુઆરીથી ભંડોળ અટકી પડવાને કારણે અમેરિકી હવાઈ મુસાફરી હવે 'રાજકીય ફૂટબોલ' બની ગઈ છે. એરલાઇન્સ કંપનીઓએ માંગ કરી છે કે વસંતઋતુના પ્રવાસ પહેલા આ ગતિરોધનો અંત લાવવામાં આવે. બીજી તરફ, પગાર વિના કામ કરતા કર્મચારીઓને મદદ કરવા માટે કેટલાક એરપોર્ટ્સ પર ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓ માટે ફંડ એકત્ર કરવાની પણ ફરજ પડી છે. ભૂતકાળમાં ૪૩ દિવસના શટડાઉનને કારણે ૧૦% ફ્લાઈટ્સ કાપવી પડી હતી, જેવો જ ભય અત્યારે ફરીથી તોળાઈ રહ્યો છે.
88 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:15 PM
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપે બીજી યાદી જાહેર કરીઃ મોટા ફેરફારો અને નવા ચહેરાઓ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભાજપે બીજી યાદી જાહેર કરીઃ મોટા ફેરફારો અને નવા ચહેરાઓ

કોલકાતા:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભારતીય જનતાપાર્ટીએતેની બીજી યાદી જાહેર કરીને વિરોધપક્ષોનીઊંઘ ઉડાવી દીધી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચાબિષ્ણુપુરબેઠકની થઈ રહી છે,જ્યાંભાજપે છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ જાહેર કરાયેલા અગ્નિશ્વર નાસ્કરનું પત્તું કાપીને પક્ષે હવેવિશ્વજીત ખાનને ટિકિટ આપી છે. આ ફેરબદલ પાછળ સ્થાનિક સમીકરણો અને જીતવાની ક્ષમતાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રથમ યાદીમાં 144નામોબાદ હવે વધુ 111 ઉમેદવારો જાહેર થતા ભાજપે બંગાળના ગઢમાં મજબૂત કિલ્લેબંધી કરી લીધી છે. આ બીજી યાદીમાં પક્ષે ગ્લેમર અને અનુભવનો અદભૂત સમન્વય કર્યો છે. જાણીતી અભિનેત્રીરૂપા ગાંગુલીને સોનારપુર દક્ષિણથી મેદાનમાં ઉતારીને ભાજપે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, તો માથાભંગાથી કદાવર નેતાનિસિથ પ્રામાણિકઅને બેરકપોરથી કૌસ્તવ બાગચી જેવા લડાયક ચહેરાઓને ટિકિટ આપીને જંગને હાઈ-પ્રોફાઈલ બનાવી દીધી છે. આ ઉપરાંત, સંદેશખાલી આંદોલનનો ચહેરો બનેલારેખા પાત્રાને હિંગલગંજથી ઉમેદવાર બનાવી ભાજપે તૃણમૂલ કોંગ્રેસને ભીંસમાં લેવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે. પશ્ચિમ બંગાળમાં સત્તાનું સિંહાસન મેળવવા માટે બે તબક્કામાં એટલે કે23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ભાજપની આ આક્રમક રણનીતિ સામે મમતા બેનર્જીનો કયો 'ખેલ' કામ લાગશે તે જોવું રસપ્રદ રહેશે. પ્રિયંકા તિબ્રેવાલ એન્ટાલીથી અને તાપસ રોય માનિકતલાથી ચૂંટણી લડવાના હોવાથી કોલકાતાની આસપાસની બેઠકો પર રસાકસી જામશે. તમામ 255 ઉમેદવારોના ભાવિનો ફેંસલો4 મે, 2026ના રોજ મતગણતરી બાદ થશે, જે નક્કી કરશે કે બંગાળમાં 'પરિવર્તન' આવશે કે 'દીદી'નું શાસન યથાવત રહેશે.
75 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:09 PM
ઇંધણના વધતા ખર્ચ વચ્ચે યુરોપની એરલાઇન્સે યુરોપિયન યુનિયનના ગ્રીન એજન્ડા સામે બળવો કર્યો

ઇંધણના વધતા ખર્ચ વચ્ચે યુરોપની એરલાઇન્સે યુરોપિયન યુનિયનના ગ્રીન એજન્ડા સામે બળવો કર્યો

બ્રસેલ્સ: મધ્ય પૂર્વમાં ઘેરાતા યુદ્ધના વાદળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભડકે બળતા ભાવને કારણે યુરોપની દિગ્ગજ એરલાઇન્સ હવે આરપારના મૂડમાં છે. ગુરુવારે બ્રસેલ્સમાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં એર ફ્રાન્સ-KLM, રાયનએર, લુફ્થાન્સા અને બ્રિટિશ એરવેઝ જેવી કંપનીઓના વડાઓએ યુરોપિયન યુનિયન (EU) ના 'ગ્રીન એજન્ડા' સામે મોરચો માંડ્યો છે. એરલાઇન્સનું કહેવું છે કે ૨૦૩૦ થી કૃત્રિમ ટકાઉ જેટ ઇંધણ (eSAF) ના ઉપયોગનો આદેશ અત્યંત ખર્ચાળ અને અવ્યવહારુ છે.યુદ્ધ અને તેલના ભાવનો ડબલ મારઈરાન સંઘર્ષના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશતા જ જેટ ઇંધણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. યુરોપમાં ઇંધણના ભાવ બમણા થઈ ગયા છે, જ્યારે એશિયામાં ૮૦% નો ઉછાળો જોવા મળ્યો છે. હોર્મુઝની સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાના ભયે ઈંધણનો પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વધી છે. આ સ્થિતિમાં મોંઘા ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ કરવો એરલાઇન્સ માટે આર્થિક રીતે આત્મઘાતી સાબિત થઈ શકે તેમ છે.ટિકિટના ભાવમાં વધારાના સંકેતએર ફ્રાન્સ-કેએલએમ અને ફિનએર જેવી એરલાઇન્સે પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે વધતા સંચાલન ખર્ચને કારણે મુસાફરોએ ટિકિટ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. જોકે, યુરોપિયન એરલાઇન્સે આગામી થોડા મહિનાઓ માટે ઇંધણના ભાવનું 'હેજિંગ' (અગાઉથી બુકિંગ) કર્યું હોવાથી તેમને હાલ પૂરતું રક્ષણ મળ્યું છે, પરંતુ લાંબા ગાળે એશિયન અને મધ્ય પૂર્વીય કેરિયર્સ સામે સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે.મુસાફરીના રૂટમાં મોટો ફેરફારમધ્ય પૂર્વ પરની હવાઈ જગ્યા (Airspace) જોખમી બનતા એરલાઇન્સે હજારો માઇલના રૂટ બદલ્યા છે. રાયનએર અને બ્રિટિશ એરવેઝ જેવી કંપનીઓ હવે કેરેબિયન અને અન્ય એવા સ્થળોએ ફ્લાઇટ્સ વધારી રહી છે જ્યાં મધ્ય પૂર્વીય એરસ્પેસનો ઉપયોગ ટાળી શકાય. પ્રવાસીઓ પણ હવે લાંબા અંતરની મુસાફરીને બદલે 'ઘરની નજીક' ના સ્થળોએ વેકેશન માણવાનું પસંદ કરી રહ્યા છે.ટેકનોલોજી અને કાર્યક્ષમતા પર ભારજીઈ એરોસ્પેસ (GE Aerospace) ના મતે, આ કટોકટી છતાં એરલાઇન્સ નવા વિમાનોની ડિલિવરી રોકી રહી નથી. તેના બદલે, કંપનીઓ હવે એવી ટેકનોલોજીમાં રોકાણ વધારી રહી છે જે ઇંધણનો વપરાશ ઘટાડે અને એન્જિનની કાર્યક્ષમતા વધારે. યુદ્ધની સ્થિતિ ગમે તેટલી ગંભીર હોય, ઉડ્ડયન ઉદ્યોગ હવે વધુ 'ફ્યુઅલ એફિશિયન્ટ' બનવા તરફ મજબૂરીમાં પણ મક્કમ ડગલાં ભરી રહ્યો છે.
61 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:02 PM
યુ. એસ.-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં વધારો થતાં ડબ્લ્યુએચઓએ વિનાશક પરિણામોની ચેતવણી આપી

યુ. એસ.-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં વધારો થતાં ડબ્લ્યુએચઓએ વિનાશક પરિણામોની ચેતવણી આપી

તેહરાન:અમેરિકા-ઇઝરાયલઅને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 20મા દિવસે પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ એક એવી ભયાનક ચેતવણી આપી છે જેનાથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે. WHO ના પ્રાદેશિક નિર્દેશક હનાન બલ્ખીએ સ્પષ્ટ કર્યું છે કે જો ઇઝરાયલનું સૈન્ય નુકસાન અસહ્યબનશે, તો તે ઈરાન પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે જો એકવાર પરમાણુ બોમ્બઝીંકાયો, તો માત્ર ઈરાન જ નહીં પરંતુ સમગ્ર પડોશી દેશોમાં લાખો લોકોના મોત નિશ્ચિત છે અને તેના કિરણોત્સર્ગનીઅસરોપેઢીઓ સુધી ભૂંસી શકાશે નહીં. આ દરમિયાન ઈરાને સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ સંસ્થા (IAEA) ને સત્તાવાર જાણ કરી છે કે તેના એકમાત્ર કાર્યરતબુશેહર પરમાણુ પાવર પ્લાન્ટપર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. જોકે, ઈરાનનો દાવો છે કે આ હુમલામાં પ્લાન્ટને કોઈ મોટી ક્ષતિ પહોંચી નથી, પરંતુ ભૂ-રાજકીય નિષ્ણાતો તેને ઇઝરાયલ તરફથી અંતિમ ચેતવણી માની રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પરમાણુ મથકો હવે સુરક્ષિત નથી. WHO ના અધિકારીઓ હવે સૌથી ખરાબ પરિસ્થિતિ (Worst Case Scenario) માટે તૈયારી કરી રહ્યા છે, કારણ કે પરમાણુ હુમલાના કિસ્સામાં તબીબી સહાય પણ વામણી સાબિત થશે. બીજી તરફ, અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓના જવાબમાં ઈરાને તેની અત્યંત ઘાતક બેલિસ્ટિક મિસાઈલો તેહરાનથી રવાના કરી છે. ઇઝરાયલની 'ધીરજની કસોટી' થઈ રહી છે અને જો તે તૂટી, તો મધ્ય પૂર્વના નકશા પરથી ઈરાનનું નામ ભૂંસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ડબ્લ્યુએચઓ એ ચેતવણી આપી છે કે પરમાણુ ઘટના પ્રાદેશિક સીમાઓ ઓળંગીને વૈશ્વિક કટોકટીમાં ફેરવાઈ શકે છે. અત્યારે સમગ્ર વિશ્વ શ્વાસ રોકીને જોઈ રહ્યું છે કે શું માનવતા ફરી એકવાર હિરોશિમા અને નાગાસાકી જેવી ભયાનકતા જોશે કે પછી રાજદ્વારી પ્રયાસોથી આ મહાવિનાશ ટળશે.
48 shares
😢