Achira News Logo
Achira News
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 04:06 AM
બહુવિધ સમાચાર વાર્તાઓઃ અમદાવાદ ગુના, કમોસમી વરસાદ, સરકારી એમઓયુ અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ

બહુવિધ સમાચાર વાર્તાઓઃ અમદાવાદ ગુના, કમોસમી વરસાદ, સરકારી એમઓયુ અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 01 - Ahmedabad News : અમદાવાદના વાસણામાં 3 વિધર્મી યુવકે હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, ખોટુ આધારકાર્ડ બનાવી દુષ્કર્મ કરવાનો હતો પ્લાન 02 - Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી 03 - Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ACની ઠંડી હવા વચ્ચે હવે છત્રી પણ જોડે રાખવી પડે તો નવાઈ નહી 04 - Amreli News : કમોસમી વરસાદથી કેરીનો સ્વાદ છીનવાયો, કેરીના બગીચામાં વરસાદથી મોટું નુકસાન થતા ખેડૂતોની આખમાં પાણી આવ્યા 05 - Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન 06 - Iran ને વધુ એક ફટકો, ઇઝરાયલના ભીષણ હુમલામાં IRGC પ્રવક્તા મોહમ્મદ નૈનીનું મોત! 07 - Asim Munirના આક્રમક વલણ બાદ ISIમાં મોટા ફેરફારની શક્યતા, Pakistanનો આંતરિક વિવાદ ચર્ચામાં 08 - Sports News : શશિ થરૂરે સંજુ સેમસન અંગે કર્યો મોટો ખુલાસો 09 - RSS On War: ફક્ત ભારત જ યુદ્ધનો અંત લાવી શકે છે, ઇરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોહન ભાગવતનું મોટું નિવેદન 10 - Shilpa Shettyને 12.5 કરોડના કેસમાં મોટી રાહત, પરંતુ અભિનેત્રીઓ મુશ્કેલીઓ હજુ ટળી નથી, જાણો શું છે આખો વિવાદ અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે 01-અમીરઅલી સાકૌરઅલી શેખ 02-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની 03-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી. અમીરઅલી સાકીરઅલી શેખ તથા મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની તથા અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીએ એક વર્ષ અગાઉથી ફરીયાદીની દિકરી તથા તેની બે બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય અને બ્રીજેશ નામના હિંદુ યુવકે મોહમંદસીરાજ સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી ગુનો કર્યો હોવાની હકીકત જાણવા મળી હતી. આ કામના આરોપી મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની રહે-લાલભાઈ ભરવાડના મકાનમા ગુપ્તાનગર વાસણા રહે છે, આરોપીઓએ ભોગ બનનારના ખોટા નામનુ અને ખોટી ઉંમરનું ડુપ્લીક્ટ આધારકાર્ડ અરવિંદ અજયભાઈ ચૌહાણે બનાવ્યું હોવાની વાત સામે આવી છે, દોઢેક વર્ષ પહેલા કોઈપણ સમયે હોટલમા રૂમ બુક કરાવવા માટે બનાવડાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવેલ જેમા આરોપીઓની અટક કરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન, પ્રેમ પ્રકરણમાં નિર્દોષ યુવકનો લેવાયો હતો ભોગ
20 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 02:44 AM
ઓર્લિયન્સ માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ચમક્યા

ઓર્લિયન્સ માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ચમક્યા

પેરિસ: ફ્રાન્સમાં રમાઈ રહેલી પ્રતિષ્ઠિત 'ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ' માં ભારતીય શટલર્સનું શાનદાર પ્રદર્શન જારી છે. ભારતની ઉભરતી ખેલાડી તન્વી શર્માએ વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં (અંતિમ આઠમાં) શાનદાર પ્રવેશ મેળવી લીધો છે. બીજી તરફ, મેન્સ ડબલ્સમાં અર્જુન મદથિલ રામચંદ્રન અને હરિહરન અમસાકરુનનની જોડીએ પણ જોરદાર રમત બતાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે.ફ્રાન્સના ઓર્લિયન્સ શહેરમાં ચાલી રહેલી બીડબ્લ્યુએફ સુપર ૩૦૦ લેવલની 'ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ' માંથી ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. ૧૯ માર્ચ ૨૦૨૬ ના આકાશવાણી ન્યૂઝના અહેવાલ અને સ્પોર્ટ્સ અપડેટ્સ અનુસાર, ભારતીય ખેલાડીઓ ફ્રાન્સની કોર્ટ પર પોતાનો દબદબો જમાવી રહ્યા છે.મહિલા સિંગલ્સ કેટેગરીમાં ભારતની યુવા અને ટેલેન્ટેડ શટલર તન્વી શર્માએ પોતાના પ્રતિસ્પર્ધીઓને ધૂળ ચટાડીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તન્વીએ પોતાના પ્રારંભિક રાઉન્ડ્સમાં ગજબની સ્ફૂર્તિ અને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે દેશને તેની પાસેથી મેડલની મોટી આશાઓ છે.આ ઉપરાંત, મેન્સ ડબલ્સ (પુરુષ યુગલ) માં પણ ભારતનો દબદબો જોવા મળ્યો છે. અર્જુન મદથિલ રામચંદ્રન (એમ.આર. અર્જુન) અને હરિહરન અમસાકરુનનની જોડીએ શાનદાર સંકલન અને સ્મેશિંગ પાવર બતાવીને વિરોધી ટીમને હરાવી છે. આ શાનદાર જીત સાથે આ ભારતીય જોડી પણ ટુર્નામેન્ટના અંતિમ આઠમાં (ક્વાર્ટર ફાઇનલ) પહોંચી ગઈ છે.આગામી મુકાબલાઓ ખૂબ જ રોમાંચક રહેવાની સંભાવના છે અને ભારતીય રમતપ્રેમીઓની નજર આ ખેલાડીઓના પ્રદર્શન પર ટકેલી છે
68 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 11:01 PM
ગુજરાત પોલીસની'ડી. જી. પી. કપ ચેસ ટુર્નામેન્ટ <આઇ. ડી. 1>'માં અધિકારીઓ અને સ્ટાફ વ્યૂહરચના અને બુદ્ધિની કસોટીમાં ભાગ લે છે

ગુજરાત પોલીસની'ડી. જી. પી. કપ ચેસ ટુર્નામેન્ટ <આઇ. ડી. 1>'માં અધિકારીઓ અને સ્ટાફ વ્યૂહરચના અને બુદ્ધિની કસોટીમાં ભાગ લે છે

ઝાલાવાડની ધરતી પર ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ખેલદિલી, તેજ બુદ્ધિ અને સચોટ વ્યૂહરચનાનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના આંગણે તાજેતરમાં 16 થી 18 માર્ચ દરમિયાન ‘ડીજીપી કપ ચેસ ટુર્નામેન્ટ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ ખેલાડીઓએ શતરંજના બોર્ડ પર પોતાની ચાલબાજી બતાવી હતી. સામાન્ય રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ આ વખતે શતરંજના રાજા-વજીરની રમતની રણનીતિમાં માહિરતા બતાવી હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના ખૂણેખૂણેથી કુલ 46 જેટલા રમતવીર પોલીસ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 7 રાઉન્ડ રમાયા હતા, જેમાં દરેક રાઉન્ડમાં પ્રતિસ્પર્ધા ખૂબ જ કઠિન અને રસાકસીભરી રહી હતી. પોલીસ કર્મીઓમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા અને ધૈર્યની કસોટી આ ટૂર્નામેન્ટમાં જોવા મળી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કચ્છ-ભુજ જિલ્લાના સંજયભાઈ વેલજીભાઈએ શાનદાર દેખાવ કરી પ્રથમ ક્રમ હાંસલ કરી ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી. જ્યારે અમરેલીના સમીરભાઈ એ. ખાન બીજા ક્રમે અને રાજકોટ સીટીના ધનરાજસિંહ દિલીપસિંહ ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયા હતા. રાજકોટ રેન્જમાં પ્રથમ અને ગુજરાતમાં પાંચમો સુરેન્દ્રનગર સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનના વિજયસિંહ એ પરમારહાંસલ કર્યો હતો. સમાપન સમારોહમાં વિજેતાઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ વિભાગના કર્મચારીઓમાં એકતા, સકારાત્મક ઊર્જા અને માનસિક સ્વસ્થતા વધારવાનો હતો. તમામ સહભાગી ખેલાડીઓને તેમની ખેલદિલી બદલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
4 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:08 PM
દાનાહ-દમન દીવના નાણાં સચિવે વિવિધ વિભાગોમાં આંતરિક હસ્તાંતરણની જાહેરાત કરી

દાનાહ-દમન દીવના નાણાં સચિવે વિવિધ વિભાગોમાં આંતરિક હસ્તાંતરણની જાહેરાત કરી

દાનહ- દમણ દીવ ફાઇનાન્સ સેક્રેટરીએ એકાઉન્ટ ઓફિસરોની આંતરિક બદલીઓ કરી છે. અર્જુન બારીયા સીડીપીઓ દીવથી કલેક્ટરેટ દીવ સાથે વધારાનો પીઈઓ દીવનો ચાર્જ સોપ્યો છે. લલિત બામણીયા પીડબ્લ્યુડી દમણથી જિ.પં. દમણ સાથે વધારાનો ચાર્જ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દમણ અને સોશિયલ વેલ્ફેર દમણ. કમલેશ બામણીયાને પીએઓ દમણથી ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન દમણ અને આઇટી દમણનો વધારાનો ચાર્જ આપ્યો છે. શ્યામ બરસા ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન દમણમાંથી પીડબ્લ્યુડી દમણ. જિજ્ઞાસા પટેલ જિ.પં. દમણથી ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન દમણ,પ્રશાંત સોલંકી કલેક્ટરેટ દીવથી પીએઓ દાનહનો ચાર્જ આપ્યો છે. અનિલકુમાર સોલંકીને પીએઓ દીવથી પીડબ્લ્યુડી દીવ અને ડિપાર્ટમેન્ટ ઓફ પીઆરઆઈ/ આરડી, દીવ અને સીડીપીઓ દીવનો વધારાનો ચાર્જ, ધ્રુવ કામળીયાને પીડબ્લ્યુડી દીવ અને પીઆર/આરડી દીવથી પીએઓ દમણ બદલી કરી છે. કૃતિકા સોલંકી પીએઓ દાનહથી પીડબ્લ્યુડી -2 રોડ દાનહ. કૃપા પ્રજાપતિ પીએઓ દાનહમથી ફોરેસ્ટ દાનહ એન્ડ ડીડી.સબીહા શેખને પીડબ્લ્યુડી-3 ઇરીગેશન, પીઆરઆઈ/આરડી દાનહથી પીએઓ દમણ બદલી કરી છે. અમુલ પટેલને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દમણથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દાનહ.જયેશ પટેલ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દમણથી પીડબ્લ્યુડી-1 દાનહ,અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દમણનો વધારાનો ચાર્જ,માધુ ગાવિત હેલ્થ ડિપાર્ટમેન્ટ દાનહથી પીએઓ દીવ બદલી કરી છે. ચેસ્ટર મચાડો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દમણથી પીડબ્લ્યુડી-3 ઇરીગેશન દાનહ અને ડિપાર્ટમેન્ટ ઓફ પીઆરઆઈ/આરડી દાનહનો વધારાનો ચાર્જ, પ્રિયાંક વ્યાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દાનહમાંથી એસએમસી દાનહ. બીજી એમ.નાયર પીડબ્લ્યુડી-1 અને 2 બિલ્ડીંગ અને રોડ દાનહથી પીએઓ દાનહ. ધર્મેશ પટેલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દાનહથી ડીએમએચએસ દાનહ. સુનિલ પટેલ હાયર એજ્યુકેશન દમણ, સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ દાનહ ડીડી અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દમણથી પીએઓ દાનહ. તાનાવાલા કેવલ હરિવદન એસએમસી સેલવાસ ઓન ડેપ્યુટેશનને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દમણ બદલી કરી છે.આ આંતરિક બદલીમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો છે.
28 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 06:19 PM
એફ. આઈ. એચ. એ પુરુષ અને મહિલા હોકી વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરી

એફ. આઈ. એચ. એ પુરુષ અને મહિલા હોકી વિશ્વ કપના કાર્યક્રમની જાહેરાત કરી

નવી દિલ્હી: વિશ્વ હોકીના ચાહકો માટે લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ આગામી પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દીધું છે. આ વખતે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં સંયુક્ત રીતે યોજાવા જઈ રહી છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર છે, જે ઓગસ્ટ મહિનામાં ખેલપ્રેમીઓના શ્વાસ અધ્ધર કરી દેશે.૧૯ ઓગસ્ટે હાઈ-વોલ્ટેજ મુકાબલોભારતીય પુરુષ ટીમને પૂલ D માં રાખવામાં આવી છે, જ્યાં તેમની સાથે કટ્ટર હરીફ પાકિસ્તાન ઉપરાંત ઇંગ્લેન્ડ અને વેલ્સ જેવી મજબૂત ટીમો છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૧૫ ઓગસ્ટે વેલ્સ સામે કરશે. ત્યારબાદ ૧૭ ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે ટક્કર થશે અને અંતે ૧૯ ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધ જામશે. આ ટૂર્નામેન્ટ ૧૫ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન રમાવાની છે.મહિલા ટીમનો પડકારભારતીય મહિલા ટીમ પણ પૂલ D માં સામેલ છે. મહિલા ટીમ ૧૬ ઓગસ્ટે ચીન સામેની મેચથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારબાદ ૧૮ ઓગસ્ટે દક્ષિણ આફ્રિકા અને ૨૦ ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે ભારતીય સિંહણો મેદાનમાં ઉતરશે. મહિલા ટીમના તાજેતરના પ્રદર્શનને જોતા આ વખતે મેડલની આશા ઘણી પ્રબળ છે.વર્લ્ડ કપના ગ્રુપ પર એક નજરપુરુષોની શ્રેણીમાં પૂલ A માં નેધરલેન્ડ અને આર્જેન્ટિના જેવી દિગ્ગજ ટીમો છે, જ્યારે પૂલ B માં બેલ્જિયમ અને જર્મની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પૂલ C માં ઓસ્ટ્રેલિયા અને સ્પેન જેવી ટીમો છે. મહિલાઓની શ્રેણીમાં પણ પૂલ A માં યજમાન નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો વચ્ચે જંગ જામશે.ભારતીય હોકી ટીમો અત્યારે આ મહાકુંભ માટે સઘન પ્રેક્ટિસ કરી રહી છે. પાકિસ્તાન સામેની મેચ હંમેશા મનોવૈજ્ઞાનિક દબાણવાળી હોય છે, ત્યારે જોવાનું એ રહેશે કે ભારતીય ખેલાડીઓ યુરોપની ધરતી પર કેવો જાદુ ચલાવે છે.
33 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 06:12 PM
મેસ્સીએ બનાવ્યો 900મો ગોલ, આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો પુરૂષ ખેલાડી બન્યો

મેસ્સીએ બનાવ્યો 900મો ગોલ, આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો પુરૂષ ખેલાડી બન્યો

ફોર્ટ લોડરડેલ (USA): વિશ્વ ફૂટબોલના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવો દિવસ આવી ગયો છે. આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ તેની ભવ્ય કારકિર્દીનો 900મો ગોલ ફટકારીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. અમેરિકામાં રમાયેલા CONCACAF ચેમ્પિયન્સ કપના 'રાઉન્ડ ઓફ 16' માં નેશવિલ સામેની મેચમાં મેસીએ આ અવિશ્વસનીય સિદ્ધિ મેળવી છે. આ સાથે જ તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી 900 ગોલના આંકડા સુધી પહોંચનાર વિશ્વનો બીજો માત્ર પુરુષ ખેલાડી બન્યો છે.સાતમી મિનિટે ડાબા પગનો જાદુમેચ શરૂ થયાની સાતમી જ મિનિટે મેસીએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો હતો. બોક્સની બરાબર વચ્ચે પાસ મળતા જ મેસીએ અત્યંત ચપળતાથી બોલને નિયંત્રિત કર્યો અને વિરોધી ટીમના ડિફેન્ડર્સને થાપ આપીને પોતાના પ્રખ્યાત ડાબા પગથી બોલને ગોલપોસ્ટમાં ધકેલી દીધો હતો. આ ગોલ થતા જ આખું સ્ટેડિયમ જોશમાં આવી ગયું હતું. જોકે, આ મેચ 1-1 થી ડ્રો રહી હતી, પરંતુ મેસીની સિદ્ધિએ તમામ હેડલાઈન્સ જીતી લીધી હતી.રોનાલ્ડો Vs મેસી: આંકડાનો જંગરસપ્રદ વાત એ છે કે મેસીએ રોનાલ્ડો કરતા લગભગ 100 જેટલી ઓછી મેચો રમીને આ 900 ગોલનો આંકડો વટાવ્યો છે. રોનાલ્ડોએ જ્યારે 900 ગોલ પૂરા કર્યા ત્યારે તેની ઉંમર 39 વર્ષની હતી, જ્યારે મેસીએ આ પરાક્રમ હજુ 39 વર્ષ પૂરા થાય તે પહેલા જ (આગામી જૂનમાં તેનો જન્મદિવસ છે) કરી બતાવ્યું છે. બાસ્કેટબોલના દિગ્ગજ મેજિક જોહ્ન્સન સહિત વિશ્વભરના રમતવીરોએ મેસીને આ "અકલ્પનીય સિદ્ધિ" બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે.ટ્રોફીઓનો શહેનશાહ8 વખત બેલોન ડી'ઓર અને 2022 વર્લ્ડ કપ વિજેતા મેસી હવે ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધુ ટ્રોફી (47 ટાઇટલ્સ) જીતનાર ખેલાડી છે. બાર્સેલોના માટે બે દાયકા સુધી રમતા તેણે જે પાયો નાખ્યો હતો, તે આજે અમેરિકાની ધરતી પર ઈન્ટર મિયામી માટે પણ એટલી જ ચમક સાથે આગળ વધી રહ્યો છે. ભલે બ્રાઝિલના પેલેના ગોલ અંગે વિવિધ દાવાઓ થતા હોય, પરંતુ સત્તાવાર રેકોર્ડ બુકમાં મેસી હવે સર્વોચ્ચ શિખરે બિરાજમાન છે.
90 shares
😊
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:36 PM
રમતગમતમાં અનિશ્ચિતતા વચ્ચે પીવી સિંધુએ યુવાનોને શિક્ષણને પ્રાથમિકતા આપવા અપીલ કરી

રમતગમતમાં અનિશ્ચિતતા વચ્ચે પીવી સિંધુએ યુવાનોને શિક્ષણને પ્રાથમિકતા આપવા અપીલ કરી

ગુરુગ્રામ: ભારતની શાન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ રમતગમતની દુનિયામાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને એક વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો છે. ગુરુગ્રામમાં એક કાર્યક્રમ દરમિયાન સિંધુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતગમતમાં ગમે ત્યારે આવેલી એક ઈજા તમારી કારકિર્દીનો અંત લાવી શકે છે, પરંતુ મેળવેલું શિક્ષણ આજીવન તમારી સાથે રહેશે. ૩૦ વર્ષીય આ ખેલાડીએ પોતે MBA સુધીનો અભ્યાસ કર્યો છે અને તે માને છે કે રમત અને ભણતર વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે.ઈજા અને અનિશ્ચિતતાનો પડકારપોતાના અનુભવો શેર કરતા સિંધુએ ૨૦૧૫ના એ સમયને યાદ કર્યો જ્યારે તેના ડાબા પગમાં 'સ્ટ્રેસ ફ્રેક્ચર' થયું હતું. તે સમયે તેને લાગ્યું હતું કે તેની કારકિર્દી ખતમ થઈ જશે. સિંધુએ કહ્યું, "રમતગમત ખૂબ જ અનિશ્ચિત છે. ઈજા ક્યારેય પૂછીને આવતી નથી. જો તમારી પાસે શિક્ષણ હશે, તો તમે જીવનના કોઈપણ વળાંક પર તૈયાર રહેશો. તમે ૪૫ કે ૬૦ વર્ષની ઉંમર સુધી ટોચના સ્તરે રમી શકતા નથી, નિવૃત્તિ એ એક કડવું સત્ય છે."તાલીમ અને અભ્યાસનું સંતુલનપોતાની જીવનશૈલી વિશે વાત કરતા સિંધુએ જણાવ્યું કે તે સવારે વહેલી તાલીમ માટે જતી, ત્યારબાદ અભ્યાસ કરતી અને ફરી સાંજે પ્રેક્ટિસ સત્રમાં જોડાતી. તેણે રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદની વાતને સમર્થન આપતા વાલીઓને વિનંતી કરી કે તેઓ બાળકોના અભ્યાસને ક્યારેય ગૌણ ન ગણે. સિંધુના મતે, "કોઈપણ વ્યક્તિ મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મતું નથી, સખત મહેનત તો કરવી જ પડશે, પછી તે કોર્ટ હોય કે ક્લાસરૂમ."યુદ્ધના તણાવ વચ્ચે દુબઈમાં રોકાણહાલમાં બેડમિન્ટનથી થોડા સમય માટે વિરામ પર રહેલી સિંધુએ વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન પરના બોમ્બમારાને કારણે હવાઈ ક્ષેત્ર બંધ હોવાથી તેને થોડા દિવસો દુબઈમાં રોકાવું પડ્યું હતું. આ અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિઓ અને રમતગમતના જોખમોને જોતા, તે ઉભરતા રમતવીરોને શિક્ષણને હંમેશા એક મજબૂત 'પ્લાન-બી' તરીકે રાખવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.પીવી સિંધુના આ શબ્દો માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પણ દરેક યુવા પેઢી માટે સફળતાનો નવો મંત્ર બની રહ્યા છે.
44 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:19 PM
અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વની ઘટનાઓ રદ અથવા મુલતવી રાખવામાં આવી

અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વની ઘટનાઓ રદ અથવા મુલતવી રાખવામાં આવી

દુબઈ:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ઓછાયા હવે ગલ્ફ દેશોના ગ્લેમર અને બિઝનેસ જગત પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. યુદ્ધ ઓગણીસમાં દિવસમાં પ્રવેશતાની સાથે જ મધ્ય પૂર્વના દેશોમાં યોજાનારા મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો પર ગ્રહણ લાગ્યું છે. વૈશ્વિક પ્રવાસીઓ અને રોકાણકારોને આકર્ષતા પ્રતિષ્ઠિત આયોજનો એકપછી એક રદ થઈ રહ્યા છે અથવા તેમની તારીખો લંબાવવામાં આવી રહી છે. નોર્થબોર્ન એડવાઈઝરી એક્ઝિક્યુટિવ ડેશબોર્ડના ૧૮ માર્ચ સુધીના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ ૪૨ મોટી ઈવેન્ટ્સને સ્થગિત કરવામાં આવી છે, ૨૮ કાર્યક્રમો મોકૂફ રખાયા છે અને ૨૧ આયોજનો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને સાઉદી અરેબિયામાં સુરક્ષાના વધતા જોખમો અને હુમલાઓના અહેવાલોને પગલે પ્રવાસન અને રમતગમત ક્ષેત્રે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. મોટરસ્પોર્ટ્સ અને ફૂટબોલ પ્રેમીઓને મોટો આંચકો:ગલ્ફ દેશોમાં મોટરસ્પોર્ટ્સનો ભારે ક્રેઝ છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતા ફોર્મ્યુલા વન (F1) એ ૧૫ માર્ચે સત્તાવાર જાહેરાત કરી છે કે ૧૦ થી ૧૨ એપ્રિલ દરમિયાન બહેરીન ઇન્ટરનેશનલ સર્કિટ પર યોજાનારી 'બહેરીન ગ્રાન્ડ પ્રી' અને ૧૭ થી ૧૯ એપ્રિલ દરમિયાન જેદ્દાહમાં યોજાનારી 'સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રી' બંને રદ કરવામાં આવી છે. એફ-વન કેલેન્ડરમાંથી આ બે મહત્વની રેસ નીકળી જતા હવે સીધો પાંચ અઠવાડિયાનો ગેપ પડ્યો છે. સાઉદી અરેબિયાએ રેસ જાળવી રાખવા ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ એફઆઈએ (FIA) અને એફ-વન મેનેજમેન્ટે સુરક્ષાના કારણોસર આ માંગ ફગાવી દીધી હતી. બીજી તરફ, ફૂટબોલ જગતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવી સ્પેન અને આર્જેન્ટીના વચ્ચેની 'ફાઈનાલીસીમા ૨૦૨૬' મેચ પણ યુઈએફએ (UEFA) દ્વારા રદ કરવામાં આવી છે. કતારના લુસેલ સ્ટેડિયમમાં ૨૭ માર્ચે યોજાનારી આ મેચ રદ થતા ટિકિટના પૈસા પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોટોજીપી (MotoGP) ની કતાર ગ્રાન્ડ પ્રી પણ હવે ૮ નવેમ્બર પર ઠેલવામાં આવી છે. અરેબિયન ટ્રાવેલ માર્કેટ અને બિઝનેસ સમિટની તારીખો બદલાઈ:વિશ્વના સૌથી મોટા પ્રવાસન પ્રદર્શનોમાં જેની ગણના થાય છે તે અરેબિયન ટ્રાવેલ માર્કેટ (ATM) ની ૩૩મી એડિશન હવે મે મહિનાને બદલે ઓગસ્ટમાં યોજાશે. આયોજક આરએક્સ (RX) ના જણાવ્યા મુજબ, એટીએમ ૨૦૨૬ અને તેની સાથે સંકળાયેલી ટ્રાવેલ ટેક ઈવેન્ટ્સ હવે ૪-૭ મેના બદલે ૧૭-૨૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે યોજાશે. એક્ઝિબિશન ડિરેક્ટર ડેનિયલ કર્ટિસના જણાવ્યા અનુસાર, ગ્રાહકો અને સહભાગીઓની સુરક્ષા સર્વોપરી હોવાથી આ નિર્ણય લેવાયો છે. તેવી જ રીતે, દુબઈમાં યોજાનારી 'ટોકન ૨૦૪૯' (TOKEN2049) ક્રિપ્ટો ઈવેન્ટ જે એપ્રિલમાં યોજાવાની હતી, તેને સીધી એપ્રિલ ૨૦૨૭ સુધી લંબાવી દેવામાં આવી છે. અબુ ધાબી ઈન્ટરનેશનલ બુક ફેર અને આઈએએપીએ (IAAPA) એક્સ્પો મિડલ ઈસ્ટ પણ ૨૦૨૭ સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. જેપી મોર્ગન મેના ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ સમિટ અને યુઆઈટીપી (UITP) સમિટ જેવા આર્થિક મહત્વ ધરાવતા કાર્યક્રમો પણ રદ થયા છે. સાઉદી અરેબિયાનો મક્કમ નિર્ધાર - ટેક ઈવેન્ટ્સ યથાવત:ગલ્ફમાં ચારેબાજુ રદ થતી ઈવેન્ટ્સ વચ્ચે સાઉદી અરેબિયાએ અલગ વલણ અપનાવ્યું છે. રિયાધમાં ૧૩ થી ૧૬ એપ્રિલ દરમિયાન યોજાનારી વિશાળ ટેકનોલોજી કોન્ફરન્સ 'લીપ ૨૦૨૬' (LEAP 2026) અને તેની સાથેની એઆઈ સમિટ 'ડીપફેસ્ટ' (DeepFest) નિર્ધારિત સમયપત્રક મુજબ જ યોજાશે. આ ઈવેન્ટમાં ૨ લાખથી વધુ મુલાકાતીઓ અને ૧૦૦૦ થી વધુ સ્પીકર્સ ભાગ લે તેવી શક્યતા છે. આ ઉપરાંત વર્લ્ડ પેટ્રોલિયમ કોંગ્રેસ (WPC Energy 2026) પણ ૨૬-૩૦ એપ્રિલ દરમિયાન રિયાધમાં યોજવાનું આયોજન છે. સાઉદી અરેબિયામાં પ્રો લીગ ફૂટબોલ અને રિયાધ સીઝનના કાર્યક્રમો પણ ચાલુ રાખવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સાઉદી પ્રશાસન સ્થિતિ સામાન્ય હોવાનો સંકેત આપવા માંગે છે. જોકે, ફ્યુચર હોસ્પિટાલિટી સમિટને સાવચેતીના ભાગરૂપે એપ્રિલથી ખસેડીને ૨૨-૨૪ જૂન પર લઈ જવામાં આવી છે.
28 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:18 PM
અજીત અગરકરની અધ્યક્ષતામાં ભારતીય ક્રિકેટનો ગોલ્ડન રન

અજીત અગરકરની અધ્યક્ષતામાં ભારતીય ક્રિકેટનો ગોલ્ડન રન

મુંબઈ: ભારતીય ક્રિકેટમાં અત્યારે સફળતાનો સૂરજ મધ્યાહ્ને તપી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળનાર અજિત અગરકરના કાર્યકાળમાં ભારતે એક-બે નહીં પણ સતત ત્રણ ICC ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ અસાધારણ સફળતા બાદ, હવે અજિત અગરકરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ ૨૦૨૭ના વનડે વર્લ્ડ કપ સુધી પોતાનો કરાર લંબાવવાની દરખાસ્ત મૂકી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.સફળતાનું સરનામું: અગરકરનો 'ગોલ્ડન રન'ભૂતપૂર્વ ઝડપી બોલર અજિત અગરકરનો કાર્યકાળ ભારતીય ક્રિકેટ માટે વરદાન સાબિત થયો છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતે ટી૨૦ વર્લ્ડ કપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી સહિતની મોટી ટુર્નામેન્ટ્સમાં વિજય પતાકા લહેરાવ્યા છે. એટલું જ નહીં, ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપમાં પણ ભારત ફાઈનલ સુધી પહોંચ્યું હતું. અગરકરની કાર્યશૈલીમાં સૌથી ખાસ બાબત એ રહી છે કે તેમણે પરિવર્તનના તબક્કાને અત્યંત ગંભીરતાથી સંભાળ્યો છે, જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજોના યુગનો અંત અને નવા ખેલાડીઓનો ઉદય સામેલ છે.ગૌતમ ગંભીર સાથેની જુગલબંધી અને બોલ્ડ નિર્ણયોતાજેતરમાં ટી૨૦ વર્લ્ડ કપ જીત્યા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ જીત અજિત અગરકરને સમર્પિત કરી હતી. ગંભીરે અગરકરની નિખાલસતા અને કામ કરવાની પદ્ધતિના ખુલ્લા મને વખાણ કર્યા છે. હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને ટી૨૦ કેપ્ટન બનાવવાનો જે જોખમી નિર્ણય લેવાયો હતો, તેનો સંપૂર્ણ શ્રેય અગરકરને જાય છે. અગરકરનું માનવું છે કે ટીમનો કેપ્ટન એવો હોવો જોઈએ જે તમામ મેચો રમી શકે અને ફિટનેસમાં શ્રેષ્ઠ હોય.BCCI શું લેશે નિર્ણય?અત્યારે અગરકરનો કાર્યકાળ આઈપીએલ ૨૦૨૫ પહેલા પૂરો થવાનો હતો, જે અગાઉ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCIએ અગરકરની વિનંતી પર પ્રાથમિક ચર્ચા કરી લીધી છે, પરંતુ ૨૦૨૭ સુધીના લાંબા ગાળાના કરાર અંગે હજુ કોઈ અંતિમ મહોર મારવામાં આવી નથી. જોકે, ટીમની વર્તમાન લય જોતા અગરકરના પક્ષમાં નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા છે.અત્યારે પસંદગી સમિતિમાં અગરકરની સાથે પ્રજ્ઞાન ઓઝા, આરપી સિંહ, અજય રાત્રા અને શિવ સુંદર દાસ જેવા અનુભવી ખેલાડીઓ છે જેઓ આગામી ૨૦૨૭ના મિશન માટે અત્યારથી જ પાયો નાખી રહ્યા છે.
52 shares
😊
Akila News logo
Akila News
Mar 19, 2026, 04:40 PM
ફિલિપાઈન્સની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે 2027 ફિફા મહિલા વિશ્વ કપ માટે બર્થ મેળવ્યો

ફિલિપાઈન્સની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે 2027 ફિફા મહિલા વિશ્વ કપ માટે બર્થ મેળવ્યો

ગોલ્ડ કોસ્ટ: ફિલિપાઇન્સની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે આજે રમતગમતની દુનિયામાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. ગોલ્ડ કોસ્ટ પર રમાયેલી મહિલા એશિયન કપ પ્લે-ઇન મેચમાં ફિલિપાઇન્સે ઉઝબેકિસ્તાનને ૨-૦થી હરાવીને ૨૦૨૭માં બ્રાઝિલમાં યોજાનારા FIFA મહિલા વિશ્વ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ જીત સાથે જ ફિલિપાઇન્સની ટીમે સાબિત કરી દીધું છે કે તેઓ હવે વૈશ્વિક ફૂટબોલ મંચ પર એક ઉભરતી શક્તિ છે.બીજા હાફમાં પાંચ મિનિટનો જાદુમેચના પહેલા હાફમાં ફિલિપાઇન્સની ટીમે રમત પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું, પરંતુ ગોલ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ હાફમાં નવ પ્રયાસોમાંથી માત્ર એક જ શોટ ટાર્ગેટ પર લાગી શક્યો હતો. જોકે, બીજા હાફની શરૂઆત થતાની સાથે જ વાતાવરણ બદલાઈ ગયું હતું. ૪૭મી મિનિટમાં એન્જેલા બીયર્ડે શાનદાર પ્રહાર સાથે પહેલો ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી.જેક્લીન સાવિકીનું શાનદાર હેડરપહેલા ગોલના આઘાતમાંથી ઉઝબેકિસ્તાનની ટીમ બહાર આવે તે પહેલા જ, માત્ર પાંચ મિનિટ પછી એટલે કે ૫૨મી મિનિટમાં જેક્લીન સાવિકીએ કમાલ કરી બતાવી. તેણે ઉઝબેકિસ્તાનની ગોલકીપર માફટુના જોનિમકુલોવાને હરાવીને એક સચોટ હેડર દ્વારા બોલને સાઇડ નેટિંગમાં મોકલી દીધો હતો. આ બીજા ગોલ સાથે જ ફિલિપાઇન્સની જીત લગભગ નક્કી થઈ ગઈ હતી.બ્રાઝિલ ૨૦૨૭ માટે તૈયારીઓ શરૂમેચના અંતિમ ભાગમાં ઉઝબેકિસ્તાને વાપસી કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ફિલિપાઇન્સના મજબૂત ડિફેન્સે તેમને કોઈ તક આપી નહોતી. આ ઐતિહાસિક વિજય બાદ હવે ફિલિપાઇન્સની ટીમ બ્રાઝિલમાં યોજાનારા આગામી વર્લ્ડ કપમાં વિશ્વની દિગ્ગજ ટીમો સામે ટકરાતી જોવા મળશે. રમતપ્રેમીઓ આ જીતને ફિલિપાઇન્સમાં મહિલા ફૂટબોલના નવા યુગની શરૂઆત ગણાવી રહ્યા છે.
33 shares
😊
Akila News logo
Akila News
Mar 19, 2026, 04:40 PM
એમ. એસ. ધોનીની આઈપીએલ 2026 વ્યૂહરચનાઃ શું તે પોતાનો લકી જર્સી નંબર બદલશે?

એમ. એસ. ધોનીની આઈપીએલ 2026 વ્યૂહરચનાઃ શું તે પોતાનો લકી જર્સી નંબર બદલશે?

ચેન્નાઈ: આઈપીએલ ૨૦૨૬ની સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ક્રિકેટ જગતમાં સૌથી વધુ ચર્ચા જો કોઈની હોય તો તે છે ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની. દર વર્ષની જેમ આ વખતે પણ ધોની કંઈક નવું કરવા જઈ રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. સૌથી મોટી ચર્ચા એ છે કે શું ધોની વર્ષોથી પોતાની ઓળખ બનેલો લકી જર્સી નંબર '૭' બદલી નાખશે?ચાહકોમાં ભારે ઉત્તેજનાએમએસ ધોની અને નંબર ૭ એકબીજાના પર્યાય બની ગયા છે. આ નંબરે ભારતને અને સીએસકેને અનેક ટ્રોફીઓ અપાવી છે. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર આઈપીએલ ૨૦૨૬ પહેલા ધોની પોતાની રણનીતિ અથવા લૂકમાં મોટો ફેરફાર કરી શકે છે. કેટલાક અહેવાલો મુજબ, ધોની પોતાની નવી જર્સી અથવા કોઈ ખાસ માર્કેટિંગ કેમ્પેઈન અંતર્ગત ચાહકોને આશ્ચર્યચકિત કરવાની તૈયારીમાં છે. જોકે, અધિકૃત રીતે હજુ સુધી સીએસકે કે ધોની તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.શું છે આ ફેરફાર પાછળનું કારણ?ક્રિકેટના નિષ્ણાતો માને છે કે ધોની હંમેશા કંઈક અણધાર્યું કરવા માટે જાણીતો છે. પછી તે મેદાન પરની કેપ્ટનસી હોય કે મેદાન બહારના નિર્ણયો. જો તે ખરેખર જર્સી નંબરમાં ફેરફાર કરે છે, તો તે આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ચર્ચા બની જશે. શું આ કોઈ જ્યોતિષીય કારણ છે કે પછી નવી શરૂઆતનો સંકેત? તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો 'માહી'ના ચાહકો માત્ર એ જ વિચારી રહ્યા છે કે પીળી જર્સીમાં આ વખતે તેમનો લાડકો ખેલાડી કયા અંદાજમાં જોવા મળશે.સીએસકેના કેમ્પમાં તૈયારીઓ તેજધોની હાલમાં નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે, જ્યાં તે પોતાના લાંબા વાળ અને જૂના અંદાજમાં સિક્સર ફટકારતો નજરે પડ્યો હતો. ૨૦૨૬ની આ આઈપીએલ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે તેવી અટકળો વચ્ચે, તે આ સીઝનને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતો નથી. જર્સી નંબર બદલાય કે ન બદલાય, પણ 'થાલા'નું મેદાન પર હોવું જ ચાહકો માટે સૌથી મોટું સરપ્રાઈઝ છે.
62 shares
😊
Akila News logo
Akila News
Mar 19, 2026, 04:30 PM
ચેસ ખેલાડીઓની સુરક્ષાની ચિંતાઓ પ્રતિષ્ઠિત'કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ'ને જોખમમાં મૂકે છે

ચેસ ખેલાડીઓની સુરક્ષાની ચિંતાઓ પ્રતિષ્ઠિત'કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ'ને જોખમમાં મૂકે છે

હૈદરાબાદ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયલ વચ્ચેના તણાવની સીધી અસર હવે રમતજગત પર, ખાસ કરીને ચેસના મેદાન પર જોવા મળી રહી છે. ભારતીય ચેસ જગતની દિગ્ગજ ખેલાડી અને ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી આગામી પ્રતિષ્ઠિત 'કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ' (Candidates Tournament) માં ભાગ લેશે કે કેમ તે અંગે અત્યારે મોટા સવાલો ઊભા થયા છે. હમ્પીએ પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને જોતા પોતાની અને અન્ય ખેલાડીઓની સુરક્ષા અંગે સત્તાવાર રીતે ચિંતા વ્યક્ત કરી છે.શા માટે જોખમમાં છે ટૂર્નામેન્ટ?કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ એ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ માટેનો સૌથી મહત્વનો પડાવ છે. જોકે, આ વખતે ટૂર્નામેન્ટના આયોજન સ્થળની ભૌગોલિક નિકટતા પશ્ચિમ એશિયાના અશાંત વિસ્તારો સાથે હોવાથી ખેલાડીઓમાં ભયનો માહોલ છે. કોનેરુ હમ્પીએ સ્પષ્ટ કર્યું છે કે રમત ત્યારે જ રમી શકાય જ્યારે માનસિક શાંતિ અને સુરક્ષાની ખાતરી હોય. પશ્ચિમ એશિયામાં સતત થઈ રહેલા મિસાઈલ હુમલા અને હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ થવાને કારણે મુસાફરીમાં પણ મોટું જોખમ રહેલું છે.FIDE અને આયોજકો સામે મોટો પડકારઆંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE) અત્યારે બેવડી મુશ્કેલીમાં છે. એક તરફ ટૂર્નામેન્ટનું શિડ્યુલ જાળવી રાખવાનું દબાણ છે, તો બીજી તરફ કોનેરુ હમ્પી જેવા ટોચના ખેલાડીઓની સુરક્ષાની જવાબદારી. જો હમ્પી જેવી સ્ટાર ખેલાડી આ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લે છે, તો ટૂર્નામેન્ટની ગરિમા અને સ્પર્ધાત્મકતા પર મોટી અસર પડી શકે છે. અન્ય દેશોના ખેલાડીઓ પણ હમ્પીના આ વલણને સમર્થન આપી રહ્યા હોય તેમ જણાય છે.ખેલાડીઓની માંગ અને ભવિષ્યભારતીય ચેસ પ્રેમીઓ અત્યારે એ આશામાં છે કે આયોજકો ટૂર્નામેન્ટને કોઈ સુરક્ષિત દેશમાં ખસેડે અથવા સુરક્ષાના એવા મજબૂત પગલાં લે જેથી ખેલાડીઓ નિર્ભય થઈને રમી શકે. હમ્પીની ચિંતા વ્યાજબી છે કારણ કે યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને રોકાણ અત્યંત જોખમી બની જાય છે. આગામી થોડા દિવસોમાં FIDE આ અંગે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે.
66 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 09:25 AM
પોરબંદરનો માધવપુર મેળો સુધારેલી સુવિધાઓ સાથે યોજાશે

પોરબંદરનો માધવપુર મેળો સુધારેલી સુવિધાઓ સાથે યોજાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. કલેકટરશ્રી એસ. ડી. ધાનાણીએ પત્રકાર પરીષદ યોજી મેળાની વિગતવાર રૂપરેખા આપી જણાવેલ કે,સરકારની વિવિધ વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી માધવપુરનો મેળો બનશે વધુ સુવિધાસભર બનાવાશે. આ મેળામાં વિશેષ પાર્કિંગ,સુવિધા,ટ્રાફિક ડાઇવર્ઝનની સુવિધા તેમજ ફુડ એન્‍ડ ક્રાફટ સ્‍ટોલ,આનંદનગરી સહિતના મેળાના આકર્ષણો ઉપલબ્‍ધ થશે. મેળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ માટે અદ્યતન એરેના ટાઇપ સ્‍ટેડીયમ તૈયાર કરાયું છે. ભગવાન શ્રીકળષ્‍ણ અને દેવી રૂકમણીજીના પવિત્ર લગ્ન પ્રસંગના સ્‍મરણાર્થે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે વધુ સુવિધાજનક અને વ્‍યવસ્‍થિત રીતે યોજાવા જઈ રહ્યો છે. રાજ્‍ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ ભવ્‍ય મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે,ત્‍યારે પોરબંદર જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.ડી. ધાનાણી દ્વારા પત્રકાર પરીષદ યોજીને મેળાની સંપુર્ણ રૂપરેખા આપવામાં આવી હતી. આગામી ૨૭ માર્ચથી ૩૧ માર્ચ દરમિયાન આયોજિત આ મેળા અંગે માહિતી આપતા પોરબંદર જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણીએ જણાવ્‍યું હતું કે,જિલ્લા વહીવટી તંત્રનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય મેળામાં ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી અને મોકળાશમાં વધારો કરવાનો છે. મેળાના પાછલા વર્ષોના અનુભવોથી મેળા ગ્રાઉન્‍ડમાં લોકોને સ્‍પેસ ઓછી હોવાથી અગવડતા પડતી હોવાનુ ધ્‍યાને આવતા લોકોને વધુ સુવિધાઓ મળે તે માટે આ વખતે મેળાના લે-આઉટમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્‍યા છે,જેથી લોકો ભીડભાડ વગર સરળતાથી હરી-ફરી શક્‍શે.
98 shares
😐
S
Sandesh
Mar 19, 2026, 06:22 AM
આરસીબી 2026 ની આઈપીએલ સીઝનની શરૂઆત થતાં ટાઇટલ બચાવવા માંગે છે

આરસીબી 2026 ની આઈપીએલ સીઝનની શરૂઆત થતાં ટાઇટલ બચાવવા માંગે છે

2026ની IPL સીઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 19મી સીઝનની પહેલી મેચ 28 માર્ચ, શનિવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે, જે ટ્રોફી માટે બે મહિના લાંબી મેરેથોનની શરૂઆત કરશે. ચેમ્પિયન ટીમનો નિર્ણય 31 મેના રોજ થશે. પરંતુ તે નિર્ણયમાં કયા ખેલાડીઓ મુખ્ય ભૂમિકા ભજવશે તે જોવાનું બાકી છે. પરંતુ આ વખતે દરેક ટીમમાં કયો નવો ખેલાડી ફરક લાવી શકે છે? ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB એ ઘણા નવા ખેલાડીઓ ખરીદ્યા ન હતા, પરંતુ એક નામ જેણે ધ્યાન ખેંચ્યું છે તે છે વેંકટેશ અય્યર. ગયા સિઝનમાં, RCB લગભગ 23 કરોડ રૂપિયાની બોલી લગાવ્યા પછી પીછેહઠ કરી હતી. જોકે, KKR માટે અય્યરની સિઝન સારી રહી ન હતી, અને તેથી RCB એ ફરી એકવાર ડાબા હાથના બેટ્સમેનમાં રોકાણ કર્યું, જે ટીમના મધ્યમ ક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 2026ની IPL સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ખાસ રહેશે, કારણ કે તેઓ તેમના ખિતાબનું રક્ષણ કરવા માંગે છે. આ દરમિયાન, ટીમના મેન્ટર અને બેટિંગ કોચ દિનેશ કાર્તિકે પોતાના અંગત જીવનમાં નવો આનંદ મળ્યો છે. IPLની 19મી સીઝન શરૂ થાય તે પહેલાં, દિનેશ કાર્તિક પિતા બન્યો છે. એક્સ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કાર્તિકે 2024 માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને ત્યારબાદ RCB કોચિંગ સ્ટાફમાં જોડાયો. દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલને પુત્રીનો જન્મ થયો છે. કાર્તિકે પોતે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી, ફેન્સ અને મિત્રોને તેના બાળકના આગમનની માહિતી આપી. આ તેમના પરિવાર માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. દિનેશ કાર્તિકે તેની પુત્રીનું નામ પણ જાહેર કર્યું. તેણે તેનું નામ રાહા રાખ્યું છે. દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ 2013માં સગાઈ કર્યા બાદ 2015માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે 18 ઓગસ્ટે ખ્રિસ્તી વિધિ મુજબ અને 20 ઓગસ્ટે હિન્દુ પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. 2021માં, આ કપલને જોડિયા પુત્રો, જિયાન અને કબીરનો જન્મ થયો હતો. હવે, પુત્રીના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દીપિકા પલ્લીકલ એક ભારતીય સ્ક્વોશ ખેલાડી છે અને કાર્તિકના ક્રિકેટ કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કાર્તિકની ક્રિકેટ કારકિર્દી હંમેશા સમાચારમાં રહી છે. તે IPLમાં RCB માટે ઘણી સીઝન રમ્યો હતો અને ફિનિશર તરીકે ફેમસ હતો. નિવૃત્તિ પછી, તેનો કોચિંગ અનુભવ ટીમના યુવા બેટ્સમેન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. તે IPL 2026 માં RCBની બેટિંગને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેની કારકિર્દી દરમિયાન, તેણે ટીમ ઈન્ડિયા માટે 26 ટેસ્ટ, 94 ODI અને 60 T20 મેચ રમી, જેમાં 3,463 રન બનાવ્યા. આ પણ વાંચો- 900 કરોડની માલિક ઐશ્વર્યા રાયની રોયલ લાઈફસ્ટાઈલ, તેની સુંદરતા સામે બધું છે ફિક્કું! દુનિયામાં યુક્રેન-રશિયા સંઘર્ષ બાદ અત્યારે મધ્ય પૂર્વ એશિયામાં તણાવ વધ્યો છે. ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચેના સંઘર્ષની FIFA વર્લ્ડ કપ 2026 અસર થઈ છે. આ ટુર્નામેન્ટ 11 જૂનથી 19 જુલાઈ સુધી ચાલશે અને યુએસ, મેક્સિકો અને કેનેડામાં આયોજિત થઈ રહી છે. પરંતુ હાલમાં મધ્યપૂર્વ એશિયામાં યુદ્ધ સ્થિતિને પગલે અગાઉ ઇરાને FIFA વર્લ્ડ કપ બોયકટ કરવાની ધમકી આપી હતી. હવે ઇરાને યુ-ટર્ન લેતા કહ્યું કે તે હવે વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે તે યુએસએમાં કોઈ મેચ રમશે નહીં. ઈરાનના ફૂટબોલ વડા, મેહદી તાજે પુષ્ટિ આપી કે ટીમ તેની તૈયારીઓ ચાલુ રાખી રહી છે, ભલે તેને યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી ન કરવી પડે. તેમણે કહ્યું કે ટીમ તુર્કીમાં તાલીમ શિબિર યોજશે અને ત્યાં બે મૈત્રીપૂર્ણ મેચ રમશે. ઈરાન 27 માર્ચે નાઇજીરીયા અને ચાર દિવસ પછી કોસ્ટા રિકા સામે અંતાલ્યામાં રમશે. ઉલ્લેખનીય છે કે ઈરાન ફાઇનલ માટે ક્વોલિફાય થનારા પ્રથમ દેશોમાંનો એક હતો, પરંતુ ફેબ્રુઆરીના અંતમાં ઇસ્લામિક રિપબ્લિક અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંઘર્ષ શરૂ થવાથી ભાગીદારી શંકાના ઘેરામાં છે. હકીકતમાં, ફેબ્રુઆરીના અંતથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાને કારણે ઈરાની ટીમની ભાગીદારી શંકાના ઘેરામાં હતી. અગાઉ, ઈરાનના રમતગમત મંત્રી, અહમદ દોન્યામાલીએ તો કહ્યું હતું કે સુપ્રીમ લીડર અલી ખામેનીની હત્યા બાદ દેશ વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઈરાને પોતાનો બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચી લીધો છે, પરંતુ તે પોતાની શરતો પર અડગ છે. ઈરાને માંગ કરી છે કે ફૂટબોલની ગવર્નિંગ બોડી ફિફા તેની મેચો યુએસએ સિવાય અન્ય દેશમાં ખસેડે. આ માંગને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કારણે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં તેમણે સુરક્ષા ચિંતાઓને કારણે ઈરાનને યુએસએમાં મેચ ન રમવાની સલાહ આપી હતી. દરમિયાન, મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે 17 માર્ચે કહ્યું હતું કે જો ઈરાન ઈચ્છે તો તે મેક્સિકોમાં તેની મેચ રમી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ફિફાના હાથમાં છે. ફિફાએ સ્પષ્ટ કર્યું છે કે તે બધી ટીમો સાથે સતત સંપર્કમાં છે, પરંતુ ઇચ્છે છે કે તેઓ સંમત સમયપત્રકનું પાલન કરે. આનો અર્થ એ છે કે હાલમાં ઈરાનની માંગણીઓ પૂર્ણ થાય તેવા કોઈ સંકેતો નથી. મહત્વનું છે કે ઈરાન એવી ટીમોમાં સામેલ છે જે 2026 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમ જૂનમાં બેલ્જિયમ, ઇજિપ્ત અને ન્યુઝીલેન્ડ સામે તેની ગ્રુપ મેચ રમશે, જે હાલમાં યુએસએમાં યોજાવાની છે. ફિફા સ્થળ બદલવા બાબતે સમાધાન કરશે કે ઈરાને પોતાનું વલણ બદલવું પડશે તે જોવાનું બાકી છે. IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. આ લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે, જે આખી ટુર્નામેન્ટ દરમિયાન સતત ફોર્મ અને રન-સ્કોરિંગનું ઉદાહરણ આપે છે. આ દરેક બેટ્સમેન માટે સિદ્ધિ નથી કારણ કે એક પણ ખરાબ દિવસ આખી સીઝનની મહેનતને બગાડી શકે છે. જોકે IPLના ઇતિહાસમાં એક એવો બેટ્સમેન છે જેણે ક્યારેય 0 રન બનાવ્યો નથી (0 પર આઉટ). તેની સાતત્યતા છે, અને તે 0 રન પર આઉટ થયા વિના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે એક વાર ઓરેન્જ કેપ પણ જીતી છે. આ ખેલાડી ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન છે. આ 24 વર્ષીય બેટ્સમેન 2022થી IPLમાં 40 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 49.81 ની સ્ટ્રાઇક રેટથી 1793 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 145.89 રહ્યો છે, જેમાં બે સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે, આ બધી ઇનિંગ્સમાં, કોઈ બોલર તેને 0 પર આઉટ કરી શક્યો નથી. સાઈ સુદર્શનનું IPL 2025 ની છેલ્લી સીઝનમાં શાનદાર પરફોર્મન્સ હતું. તેણે 15 મેચમાં 759 રન બનાવ્યા, જેમાં એક સદી અને છ અડધી સદીનો સમાવેશ થાય છે. તેની સરેરાશ 54.21 હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 156.17 હતો. આ શાનદાર પરફોર્મન્સથી તેને ઓરેન્જ કેપ અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી મળ્યો. ટોપના ક્રમમાં રમતા અથવા ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ કરતા, તેણે ઘણી મેચોમાં મજબૂત શરૂઆત આપી અને મિડિલ ઓવરોમાં રન રેટ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી. સાઈ સુદર્શન ઉપરાંત, કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહ એકમાત્ર બેટ્સમેન છે જેણે IPLમાં 0 રન પર આઉટ થયા વિના 1,000 થી વધુ રન બનાવ્યા છે. રિંકુએ તેની ફિનિશિંગ ક્ષમતા અને અસાધારણ સાતત્ય માટે નામના મેળવી છે. રિંકુ સિંહે અત્યાર સુધીમાં IPLમાં 59 મેચ રમી છે, જેમાં ચાર અડધી સદી સાથે 1,099 રન બનાવ્યા છે. આ પણ વાંચો-IPL 2026 : બેંગલુરુથી ચેન્નાઈ સુધી, 10 ટીમોના એ 10 સ્ટાર ખેલાડીઓ જે મેદાન પર મચાવશે ધૂમ, બદલશે ટીમનું નસીબ! શું ન્યુઝીલેન્ડનો શક્તિશાળી ક્રિકેટર ગ્લેન ફિલિપ્સ કંઈ નથી કરી શકતો? આ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવે છે જ્યારે પણ તે ન્યુઝીલેન્ડ ટીમની જર્સી પહેરીને મેદાન પર હોય છે. ફિલિપ્સે તેની કારકિર્દી દરમિયાન આ સાબિત કર્યું છે.ગ્લેન તેના શાનદાર પ્રદર્શનને કારણે ક્રિકેટ જગતમાં એક મોટું નામ બની ગયું છે.તેની વિસ્ફોટક બેટિંગ ઉપરાંત,તે તેની બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગ માટે સમાચારમાં રહે છે.તેને ઉત્તમ કેચ લેવાની આદત પડી ગઈ છે.તેના શાનદાર કેચના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.હવે,ફરી એકવાર,ગ્લેન ફિલિપ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.જો કે,આ વખતે,કારણ ક્રિકેટ નથી,પરંતુ કંઈક બીજું છે જેણે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ગ્લેને 17 માર્ચે ઓકલેન્ડના આર્ડમોર એરોડ્રોમમાં હળવા વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિમાનનો સુરક્ષિત રીતે વિડીયો શેર કર્યો, જેમાં કેપ્શન આપ્યું: "ઓકલેન્ડ શહેરની આસપાસ સાંજનો સુંદર દૃશ્ય." ફિલિપ્સ હાલમાં કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવી રહ્યા છે. તેમણે તાજેતરમાં આર્ડમોર ફ્લાઇંગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. ફિલિપ્સને હંમેશા ઉડાનનો શોખ રહ્યો છે. તેમણે કહ્યું છે કે તે તેમનો સૌથી મોટો શોખ છે. જો તેઓ બાળપણમાં ક્રિકેટ રમતા ન હોત અને તેમની પાસે પુષ્કળ પૈસા હોત, તો તેઓ કદાચ પાઇલટ બન્યા હોત. તેમને આકાશમાં રહેવાનું ગમે છે. તેઓ પહાડો પર જવા અને નોકરી વિના પોતાના શોખને આગળ વધારવા માંગે છે. પરંતુ જો તેમને કામ કરવું પડ્યું હોત, તો પાઇલટ બનવું તેમની પહેલી પસંદગી હશે. મેદાન અને આકાશ બંનેમાં પોતાની પ્રતિભા દર્શાવ્યા પછી, ફિલિપ્સ ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં જોવા મળશે, જ્યાં તેઓ ગુજરાત ટાઇટન્સ માટે રમશે. આ પણ વાંચો -IPL 2026 પહેલા SRHની મોટી જાહેરાત, ઇશાન કિશનને બનાવ્યો કેપ્ટન
84 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 01:13 AM
મોર્બી જિલ્લાએ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી 48 તેજસ્વી દીકરીઓનું સન્માન કર્યું

મોર્બી જિલ્લાએ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી 48 તેજસ્વી દીકરીઓનું સન્માન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રમતવીર દીકરીઓના કૌશલ્યને બિરદાવવા અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની ૪૮ જેટલી તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં કબડ્ડી, ટેકવેન્ડો, ખો-ખો, જુડો, કરાટે અને બેડમિન્ટન જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડી કન્યાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપી તેમનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું. કલેક્ટરએ આ તકે દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મોરબીની દીકરીઓ રમતગમતના મેદાનમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. મ્યુનિસિપલ કમિશનરએ પણ દીકરીઓને રમતગમતની સાથે શિક્ષણમાં પણ ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી જિલ્લાની અન્ય દીકરીઓને પણ નવી પ્રેરણા મળશે.આ અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ રાઠોડ, વિવિધ રમતના કોચ, વાલીઓ તેમજ દીકરીઓ ઉપસ્થિત રહી હતી
87 shares
😊
D
Divya Bhaskar
Mar 18, 2026, 11:04 PM
એન. સી. સી. કેડેટ્સ ઇન્ટર ગ્રુપ સ્પોર્ટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચમક્યા

એન. સી. સી. કેડેટ્સ ઇન્ટર ગ્રુપ સ્પોર્ટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ચમક્યા

અમદાવાદ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘ઇન્ટર ગ્રુપ સ્પોર્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ’માં સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનસીસી કેડેટ્સે અભૂતપૂર્વ દેખાવ કર્યો છે. આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં કઠોર મહેનત અને શિસ્તબદ્ધ તાલીમના જોરે કોલેજના છ તેજસ્વી કેડેટ્સે વિવિધ કેટેગરીમાં મેડલ જીતીને સમગ્ર ઝાલાવાડ પંથકનું ગૌરવ વધાર્યું છે. એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરના એન.સી.સી કેસેટ્સએ અમદાવાદ ખાતે યોજાયેલી ઇન્ટર ગ્રુપ સ્પોર્ટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સમગ્ર ગુજરાતમાં વિજેતા થઈને કોલેજ અને સમગ્ર ઝાલાવાડ પંથકનું નામ વધારેલ છે. આ શૂટિંગ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓના નામ છે. હાડાલિયા આરતી ગોલ્ડ મેડલ, માધર કૃપાલી ગોલ્ડ મેડલ, ઝાલા રીયાબા ગોલ્ડ મેડલ, કોંઢિયા સજ્જાદ સિલ્વર મેડલ,ગોહિલ જયરાજસિંહ સિલ્વર મેડલ, કમેજળિયા રિદ્ધિ બ્રોન્ઝ મેડલ. આ તમામ એનસીસી કેડેટ્સે કઠોર મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે સંસ્થા અને સમગ્ર ઝાલાવાડ પંથક માટે ગૌરવની વાત છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ સફળતા માટે તમામ વિજેતાઓને આચાર્ય ડો અમિતકુમાર મિશ્રા અને કૉલેજના અધ્યાપકો સહિતના અગ્રણીઓએ શુભકામના પાઠવી હતી.
3 shares
😊
A
Akila News
Mar 18, 2026, 03:07 PM
રાજકોટ ખાતે વિવિધ સભ્યપદ માટે નોંધણીની તારીખો જાહેર

રાજકોટ ખાતે વિવિધ સભ્યપદ માટે નોંધણીની તારીખો જાહેર

રાજકોટ, તા. ૧૮: મહાનગરપાલિકા હસ્‍તકના તાાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્‍બર્સ માટે તા.૨૦ માર્ચથી રજીસ્‍ટ્રેશન શરૂ થશે તેમજ તાાનાગાર સિવાયની તમામ રમતગમત સુવિધાઓનુ ત્રીમાસિક તથા વાર્ષિક મેમ્‍બરશીપ માટે રજીસ્‍ટ્રેશન તથા તાાનાગારનુ ત્રિમાસિક રજીસ્‍ટ્રેશન તા.૨૭ માર્ચથી શરૂ થશે. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા હસ્‍તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક, સિન્‍થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્‍કેટબોલ કોર્ટ તથા શ્રી અટલ બિહારી વાજપેયી સ્‍પોર્ટ્‍સ કોમપ્‍લેક્ષ ખાતે આવેલ બેડ્‍મિન્‍ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, ૦૨ ટેનીસ કોર્ટ, બાસ્‍કેટ બોલ કોર્ટ, સ્‍કોવોશ કોર્ટ તેમજ રેસકોર્ષ જીમ, નાના મવા મલ્‍ટિ એક્‍ટીવિટી સેન્‍ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્‍કુલ જીમ, હૈદરી ચોક જીમ તથા વિવિધ તાાનાગારો જેમકે શ્રી સરદાર વલલ્‍ભભાઇ પટેલ તાાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી તાાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્‍ય તિલક તાાનાગાર, રેસકોર્ષ, શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા તાાનાગાર, સાધુવાસવાણી રોડ ખાતે શિખાઉ તથા જાણકાર સભ્‍યો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા તથા સ્‍પોટર્સ ઓર્થોરીટી ઓફ ગુજરાતની સંયુકત લ્‍ભ્‍સ્‍ રાજકોટ સ્‍પોર્ટ્‍સ પ્રમોશન ફાઉન્‍ડેશન સંચાલિત શ્રી અટલ બિહારી વાજપેયી સ્‍પોટર્સ કોમ્‍પલેક્ષ મવડી ખાતે રમત ગમત સુવિધાઓ જેમ કે બેડમિન્‍ટન, લોન ટેનીસ, વોલીબોલ, બાસ્‍કેટબોલ તથા કબ્‍બડીના કોચીંગ માટે માસિક રજીસ્‍ટ્રેશનની પ્રવેશ પ્રકિયા પણ શરૂ કરવામાં આવનાર છે. ઉપરોક્‍ત વિગતે તમામ તાાનાગાર ખાતે વાર્ષિક જાણકાર મેમ્‍બર્સ માટે તા.૨૦ માર્ચના રોજ વહેલા તે પહેલાનાં ધોરણે વાર્ષિક મેમ્‍બરશીપwww.rmc.gov.inપરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના તમામ સિવિક સેન્‍ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. તેમજ તમામ રમતગમત સુવિધાઓનુ ત્રીમાસિક તથા વાર્ષિક મેમ્‍બરશીપ માટે રજીસ્‍ટ્રેશન તથા તાાનાગારનુ ત્રિમાસિક રજીસ્‍ટ્રેશન તા.૨૭ માર્ચથી શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથીwww.rmc.gov.inપરથી ઓનલાઇન, રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના તમામ સિવિક સેન્‍ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. વર્ષ-ર૦રપ-ર૦ર૬માં કઇ રમતમાં કેટલા સભ્‍યો નોંધાયા રમતગમતની સુવિધાનું નામ નોંધાયેલ સભ્‍યોની સંખ્‍યા
52 shares
😐
Akila News logo
Akila News
Mar 18, 2026, 02:51 PM
ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવનું રિસેપ્શન

ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવનું રિસેપ્શન

નવી દિલ્‍હી : ટીમ ઈન્‍ડિયાના સ્‍ટાર સ્‍પિનર કુલદીપ યાદવના લગ્ન બાદ લખનઉમાં તેમનું રિસેપ્‍શન યોજવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્‍ગજોની સાથે જાણીતી રાજકીય હસ્‍તીઓનો જમાવડો જોવા મળ્‍યો હતો. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને યુવા બેટ્‍સમેન યશસ્‍વી જયસ્‍વાલ, પૂર્વ ઓપનર શિખર ધવન અને ઓલરાઉન્‍ડર રવિન્‍દ્ર જાડેજા પણ પત્‍ની રિવાબા સાથે સમારોહમાં આવ્‍યા હતા. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ રિસેપ્‍શનમાં પહોંચ્‍યા હતા. આ ગ્રાન્‍ડ રિસેપ્‍શનમાં આશરે ૯૦૦થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. ખાસ મહેમાનો માટે ચાર ચાર્ટર્ડ પ્‍લેનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
10 shares
😊
Akila News logo
Akila News
Mar 18, 2026, 02:47 PM
વૈભવ અરોરા વધુ સારી કુશળતા સાથે આઇપીએલ 2026 માટે સજ્જ

વૈભવ અરોરા વધુ સારી કુશળતા સાથે આઇપીએલ 2026 માટે સજ્જ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 28માર્ચથી શરૂ થવાની તૈયારીમાં છે. ત્રણ વખતના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ના સભ્ય,ફાસ્ટ બોલર વૈભવ અરોરા,નવી સીઝન પહેલા પોતાની રમત સુધારવા અને પોતાની કુશળતાને નિખારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કારણ કે તે આ સીઝનમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. અંબાલાના28વર્ષીય ખેલાડીએ2023માં ફ્રેન્ચાઇઝી માટે ડેબ્યૂ કર્યું હતું. વૈભવ અરોરાએ તેનાIPLકારકિર્દીમાં અત્યાર સુધી32મેચમાં36વિકેટ લીધી છે. તેણેIPL 2024માંKKRની ટાઇટલ જીતમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સીઝનમાં,વૈભવે10મેચમાં11વિકેટ લીધી હતી. ટીમ આગામી સીઝન માટે તૈયારી કરી રહી હોવાથી,અરોરા તાલીમ શિબિર દરમિયાન સખત મહેનત કરી રહ્યો છે અને તેના બોલિંગના વિવિધ પાસાઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેમણે કહ્યું, "એકંદરે,અમારી તૈયારી મજબૂત છે. અમે પ્રેક્ટિસ મેચ રમી રહ્યા છીએ અને નેટમાં વિવિધ બોલિંગ શૈલીઓને સુધારી રહ્યા છીએ. એક ઝડપી બોલર તરીકે,તમે હંમેશા સારી તૈયારી કરવા અને તમારી કુશળતાને નિખારવા માંગો છો જેથી તમે મેચ દરમિયાન તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકો." અરોરા ખાસ કરીને તેના જૂના સાથી ટીમના સાથી ટિમ સાઉથી સાથે નજીકથી કામ કરવાની તક માટે ઉત્સાહિત છે. સાઉથી આ સિઝનમાં બોલિંગ કોચ તરીકે ફ્રેન્ચાઇઝમાં જોડાશે. ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન700થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટો લઈને આ ભૂમિકામાં અનુભવનો ભંડાર લાવે છે. સાઉથીએ2021થી2023વચ્ચે ત્રણ સીઝન માટેKKRનું પ્રતિનિધિત્વ પણ કર્યું.ટિમ સાઉથી પાસેથી ફરીથી શીખવાની તક વિશે વાત કરતા વૈભવ અરોરાએ કહ્યું, "ટિમ સાઉથી એક મહાન ખેલાડી છે અને તેની પાસે ઘણો અનુભવ છે. અમે2023માંKKRમાં સાથે રમ્યા હતા,અને મેં તેમની પાસેથી ઘણું શીખ્યું હતું. હવે જ્યારે તે અમારા બોલિંગ કોચ બન્યા છે,ત્યારે મારી પાસે તેમની સાથે કામ કરવા અને તેમના અનુભવમાંથી શીખીને મારી કુશળતા સુધારવા માટે વધુ સમય હશે. હું તેમની પાસેથી ઘણું શીખી શકું છું,અને તેમની સાથે કામ કરવાની ઘણી મજા આવશે."
40 shares
😊
Akila News logo
Akila News
Mar 18, 2026, 02:03 PM
ભારતીય ક્રિકેટને આંચકોઃ સનરાઇઝર્સ હૈદરાબાદના માલિકની ટીકા

ભારતીય ક્રિકેટને આંચકોઃ સનરાઇઝર્સ હૈદરાબાદના માલિકની ટીકા

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ અને આઈપીએલ ફ્રેન્‍ચાઇઝી માલિકોને લગતો એક મોટો વિવાદ સપાટી પર આવ્‍યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનાં માલિક કાવ્‍યા મારન હાલમાં સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં રમાતી ટી૨૦ ટુર્નામેન્‍ટ એસએ૨૦માં તેમની માલિકીની ફ્રેન્‍ચાઇઝી દ્વારા પાકિસ્‍તાની મૂળના ખેલાડીને કરારબદ્ધ કરવામાં આવતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સત્તાવાર અહેવાલો અનુસાર, ભારત-પાકિસ્‍તાનના વણસેલા સંબંધોને કારણે પાકિસ્‍તાની ખેલાડીઓને ભારતીય લીગમાં રમવા પર અઘોષિત પ્રતિબંધ છે. ત્‍યારે એક ભારતીય માલિક દ્વારા વિદેશી લીગમાં પાકિસ્‍તાની ખેલાડીને સામેલ કરવો તે ગંભીર ચર્ચાનો વિષય બન્‍યો છે. ઉર્દુ અખબારોના અહેવાલોમાં આ નિર્ણયને રમતને રાજકારણથી અલગ રાખવાના સાહસિક પગલા તરીકે દર્શાવવામાં આવ્‍યો છે, જ્‍યારે સ્‍થાનિક અને હિન્‍દી માધ્‍યમોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.
93 shares
😢
A
Akila News
Mar 18, 2026, 01:52 PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NXT શિખર સંમેલનમાં વિકસિત રાષ્ટ્ર માટે વિઝનની રૂપરેખા રજૂ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NXT શિખર સંમેલનમાં વિકસિત રાષ્ટ્ર માટે વિઝનની રૂપરેખા રજૂ કરી

નવી દિલ્‍હી/ઇન્‍દોરઃ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આઇટીવી (iTV) નેટવર્કની એનએક્‍સટી (NXT) સમિટમાં સંબોધન કરતા ૧૯૩૦ની દાંડી કૂચને યાદ કરી ૧૪૦ કરોડ ભારતીયોના 'વિકસિત ભારત'ના સામૂહિક લક્ષ્ય પર ભાર મૂક્‍યો. તેમણે યુપીઆઇ (UPI)દ્વારા ડિજિટલ પેમેન્‍ટથી લઈને ઊર્જા સુરક્ષા (એલપીજી, સીએનજી, ઇથેનોલ) ક્ષેત્રે મળેલી ઐતિહાસિક સફળતાઓ વર્ણવી. આ ઉપરાંત, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્‍ચે ખાતરના ભાવ નિયંત્રણ, આંતરિક સુરક્ષા (નક્‍સલવાદના ખાતમા) અને વૈશ્વિક નેતાઓ દ્વારા ભારત પર મૂકવામાં આવતા વિશ્વાસ વિશે વિસ્‍તૃત વાત કરી. અન્‍ય એક દુઃખદ ઘટનામાં, મધ્‍યપ્રદેશના ઇન્‍દોરમાં થયેલા અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્‍યે પીએમ મોદીએ સંવેદના વ્‍યક્‍ત કરી સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આજે એનએક્‍સટી (NXT)સમિટમાં સંબોધન કરતા દેશના વિકાસ અને સુરક્ષા અંગે હુંકાર ભર્યો હતો. તેમણે ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચની તુલના વર્તમાન સમયના'વિકસિત ભારત'ના વિઝન સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ક્રિકેટના ટી-૨૦(T-20)વર્લ્‍ડ કપના સ્‍કોરની જેમ હવે નાગરિકો દેશના આર્થિક વિકાસની'રનિગ કોમેન્‍ટ્રી' ઈચ્‍છે છે. નેક્‍સ્‍ટ લેવલ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને રિફોર્મ્‍સ પીએમ મોદીએ જણાવ્‍યું કે ભારત હવે માત્ર પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ 'નેક્‍સ્‍ટ લેવલ' પર પહોંચી ગયું છે. યુપીઆઇ (UPI) થકી ભારત આજે રિયલ-ટાઇમ ડિજિટલ વ્‍યવહારોમાં વિશ્વમાં મોખરે છે. જન ધન ખાતા દ્વારા ૫૦ કરોડથી વધુ નાગરિકોને બેન્‍કિંગ સિસ્‍ટમ સાથે જોડવા, કલમ ૩૭૦ નાબૂદ કરવી અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત જેવા ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. અંતરિક્ષ, સેમિકન્‍ડક્‍ટર અને ક્‍વોન્‍ટમ મિશન દ્વારા ભારતે ટેકનોલોજીની નવી ઊંચાઈઓ સર કરી છે.
61 shares
😐
Akila News logo
Akila News
Mar 18, 2026, 01:23 PM
ટ્રાયમ્ફે અપગ્રેડેડ ફીચર્સ અને કલર્સ સાથે નવું ડેટોના 660 મોડલ લોન્ચ કર્યું

ટ્રાયમ્ફે અપગ્રેડેડ ફીચર્સ અને કલર્સ સાથે નવું ડેટોના 660 મોડલ લોન્ચ કર્યું

રાજકોટ,તા.૧૮:પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઇકના શોખીનો માટે એક શાનદાર સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ બાઇક નિર્માતા કંપની ટ્રાયમ્ફ (Triumph)એ તેની લોકપ્રિય બાઇકDaytona 660નું લેટેસ્ટ2026મોડેલ વૈશ્વિક બજારમાં લોન્ચ કરી દીધું છે. અંદાજે ૧૧.૧૧ લાખ રૂપિયા (£8,995)ની કિંમત ધરાવતી આ બાઇક હવે નવા કલર ઓપ્શન્સ અને અપગ્રેડેડ ફીચર્સ સાથે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. નવી ડેટોના660માં આ વખતે દેખાવ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીએ તેને ત્રણ નવા સ્પોર્ટી રંગો - સેફાયર બ્લેક,એલ્યુમિનિયમ સિલ્વર અને કોસ્મિક યલોમાં રજૂ કરી છે,જે તેને અત્યંત પ્રીમિયમ અને આક્રમક લુક આપે છે. આ બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે તેમાં'ક્વિકશિફ્ટર' (Quickshifter)સ્ટાન્ડર્ડ ફીચર તરીકે આપવામાં આવ્યું છે,જે પહેલા માત્ર એક એક્સેસરી તરીકે મળતું હતું. આનાથી હાઇ-સ્પીડ રાઇડિંગ દરમિયાન ગિયર બદલવાનું કામ અત્યંત સરળ અને ઝડપી બની જશે. પરફોર્મન્સની વાત કરીએ તો,બાઇકમાં660ccનું શક્તિશાળી ઇનલાઇન-3એન્જિન છે જે94bhpનો પાવર અને69Nmનો ટોર્ક જનરેટ કરે છે. રાઇડિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે,તેમાં41mmના નવા શોવા (Showa)ફ્રન્ટ ફોર્ક આપવામાં આવ્યા છે,જેને રાઇડર પોતાની જરૂરિયાત મુજબ એડજસ્ટ કરી શકશે. સાથે જ,મેટઝેલર સ્પોર્ટેકM9RRટાયર્સ રસ્તા પર ગમે તેવી સ્પીડે પણ જબરદસ્ત પકડ અને સુરક્ષા પૂરી પાડશે. આ નાના પરંતુ મહત્વના ફેરફારો ડેટોના660ને પહેલા કરતા વધુ સવાર-મૈત્રીપૂર્ણ અને આધુનિક બનાવે છે. હવે ભારતીય બાઇક પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ શક્તિશાળી મશીન ક્યારે ભારતના રસ્તાઓ પર દોડતું જોવા મળશે. જે યુવાનો સ્ટાઇલ અને સ્પીડના શોખીન છે,તેમના માટે આ બાઇક ચોક્કસપણે એક ડ્રીમ મશીન સાબિત થઈ શકે છે.
8 shares
😊
Sambhav Metro logo
Sambhav Metro
Mar 18, 2026, 01:05 PM
વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે શહેરની શાળાઓમાં હીટવેવના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે શહેરની શાળાઓમાં હીટવેવના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા

રાજ્યમાં વધતી ગરમી અને લૂની અસરને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીનાં આરોગ્યને સુરક્ષિત રાખવા માટે શાળાનાં મેદાનમાં યોજાતી પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં માર્ચમાં જ ગરમીનો પારો આસમાને પહોંચતાં જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) એક્શન મોડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લૂ અને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે શહેરની તમામ સ્કૂલ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, હવેથી સ્કૂલમાં ‘ઓપન એર ક્લાસ' કે મેદાનમાં કોઈ પણ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિ કરાવી શકાશે નહીં. આ ઉપરાંત, શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા બાદ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીના નામે વિદ્યાર્થીને મોડે સુધી રોકી રાખતી સ્કૂલ સામે લાલ આંખ કરવામાં આવી છે.
3 shares
😢
W
Western Times
Mar 18, 2026, 10:27 AM
ગુજરાતના મંત્રીએ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

ગુજરાતના મંત્રીએ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર:ગુજરાતનું ગૌરવ અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડરઅક્ષર પટેલેઆજે ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ)શ્રી કનુભાઈ દેસાઈસાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગૌરવશાળી સન્માન:સચિવાલય સ્થિત મંત્રીશ્રીના કાર્યાલય ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન શ્રી કનુભાઈ દેસાઈએ અક્ષર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વર્લ્ડ કપની સફળતા:તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલT20 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં અક્ષર પટેલના શાનદાર પ્રદર્શન બદલ મંત્રીશ્રીએ તેમને રાજ્ય અને દેશ વતી અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. ભાવિ આકાંક્ષા:મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અક્ષર પટેલ આવનારા સમયમાં પણ પોતાની રમતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું નામ વિશ્વભરમાં વધુ રોશન કરશે. “ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને ગુજરાતના લાડલા ખેલાડી અક્ષર પટેલની મુલાકાત આનંદદાયક રહી. રમત પ્રત્યેનું તેમનું સમર્પણ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.” – શ્રી કનુભાઈ દેસાઈ
40 shares
😊
A
Akila News
Mar 18, 2026, 10:22 AM
રાજકોટ ખાતે શ્રી સાંઈ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતી ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવવામાં આવી

રાજકોટ ખાતે શ્રી સાંઈ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતી ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવવામાં આવી

રાજકોટ : આગામી તા.૨૦ના શુક્રવારના સિંધી સમાજના ઇષ્‍ટદેવશ્રી સાંઇ ઝુલેલાલ ભગવાનનો ૧૦૭૬માં અવતરણ દિવસની ઊજવણીના ભાગ રૂપે શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરીના હોદેદારો દ્વારા ઊજવણી કરવા ભારે થનગનાટ, જોવા મળી રહ્યો છે. આ દિવસે સાંઇ ઝુલેલાલ સાહેબનું ભહેરાણું સ્‍થાપન કરી સત્‍સંગ, કિર્તન પંજડા, અખા પલવ મહા આરતી, છેજ દ્વારા ભક્‍તિમય વાતાવરણ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ સવારે ૮ થી ૧૦ દરમયાનયોજાશે. ત્‍યારબાદ ૧૦ થી ૧૧ મહાપ્રસાદ રાખેલ છે. બપોરે ૧૨ વાગ્‍યે શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરી થી સાઇલેન્‍ટ કાર રેલીપ્રસ્‍થાન કરશે. આ ભવ્‍યરેલીનો મુખય રૂટ શ્રી ઝુલેલાલ ઘાટ લાલપરીથી પ્રધ્‍યુમન પાર્ક થઇ સંતકબીર રો. પાંજરાપોળ રોડ થઇ પારેવડી ચોક થી કેસરીહીંદપુલ થી સીવીલ હોસ્‍પીટલ ઓવર બ્રજ થી જામટાવર થઇ જંકશન પ્‍લોટથી શ્રી ઝુલેલાલ મંદિર સિંધી કોલોની ખાતે સમાપન થશે. આ કાર રેલીમાં સંભવીત ૫૦ થી વધુ કાર જોડાશે. તેમ જણાવાયું છે.
58 shares
😐
Akila News logo
Akila News
Mar 18, 2026, 10:18 AM
રાજપીપલા કેડેટે રાજ્ય કક્ષાની નિશાનેબાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો

રાજપીપલા કેડેટે રાજ્ય કક્ષાની નિશાનેબાજી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપલાની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.સી.સી. કેડેટ કરણ વસાવાએ સ્ટેટ લેવલ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવી કોલેજ તથા સમગ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે એન.સી.સી. આંતર ગ્રુપ સ્પોર્ટ્સ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026 માં કરણ વસાવાએ આ મેડલ પ્રાપ્ત કર્યો હતો તાજેતરમાં યોજાયેલી એનસીસી સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં કરણ વસાવાએ ઉત્કૃષ્ટ નિશાનેબાજી પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિ સતત પરિશ્રમ, શિસ્ત અને અડગ મનોબળનું પ્રતિબિંબ છે. સ્પર્ધામાં રાજ્યભરના પ્રતિભાશાળી કેડેટ્સ વચ્ચે કરણે પોતાનું કૌશલ્ય સાબિત કરી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.કરણ વસાવા થ્રિ ગુજરાત ઇંડિપેડેન્ટ કંપની રાજપીપલા ના કેડેટ છે. તેમની આ સિદ્ધિ બદલ કંપની ના કમાન્ડિંગ ઓફિસર અખિલેશ કુમાર, એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા, એન.સી.સી. અધિકારી કેપ્ટન રાહુલ ઠક્કર એ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કરણના આ સફળતાપૂર્ણ પ્રદર્શનને કોલેજ માટે ગૌરવની ક્ષણ ગણાવી અને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ મેળવવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.કોલેજ પરિવાર તથા એન.સી.સી. યુનિટના તમામ સભ્યોએ કરણ વસાવાની આ સિદ્ધિને ઉજવણી સમાન ગણાવી તેમની મહેનત અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. કરણ વસાવાની આ સફળતા અન્ય કેડેટ્સ માટે પણ પ્રેરણારૂપ બનશે અને તેમને રાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરશે.
26 shares
😊
S
Sandesh
Mar 18, 2026, 09:59 AM
ICCએ T20 વર્લ્ડ કપ બાદ નવી વન-ડે રેન્કિંગ જાહેર કરી

ICCએ T20 વર્લ્ડ કપ બાદ નવી વન-ડે રેન્કિંગ જાહેર કરી

ICCએ ફરી એકવાર નવી રેન્કિંગ જાહેર કરી છે.2026ના T20 વર્લ્ડકપ પછી આ બીજું રેન્કિંગ છે.જોકે આ દરમિયાન ઘણી T20 આંતરરાષ્ટ્રીય મેચો થઈ નથી,રેન્કિંગમાં ખાસ ફેરફાર થયો નથી,પરંતુ ODIમાં નોંધપાત્ર ઉથલપાથલ થઈ છે.પાકિસ્તાનના T20 કેપ્ટને ODI રેન્કિંગમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે.તે હવે ટોચના 10 માં સ્થાન મળ્યું છે,જેનાથી ઘણા બેટ્સમેન રેન્કિંગમાં નીચે આવી ગયા છે. ન્યુઝીલેન્ડનો શક્તિશાળી બેટ્સમેન ડેરિલ મિશેલ નવી ICC ODI રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે.તેનું રેટિંગ 840 છે.ભારતનો વિરાટ કોહલી 791 રેટિંગ સાથે ICC ODI રેન્કિંગમાં બીજા નંબર પર છે.અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 756 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે.ભારતનો રોહિત શર્મા 748 રેટિંગ સાથે હાલમાં ચોથા નંબર પર છે.ભારતના ODI કેપ્ટન શુભમન ગિલ 716 રેટિંગ સાથે પાંચમા ક્રમે છે.પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ 684 રેટિંગ સાથે 6ઠ્ઠા ક્રમે છે. વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપ 679 રેટિંગ સાથે 7મા ક્રમે છે.આયર્લેન્ડના હેરી ટ્રેક્ટર પણ 679 રેટિંગ સાથે 7મા ક્રમે છે.ભારતના કેએલ રાહુલ 664 રેટિંગ સાથે 9મા ક્રમે છે. હવે, પાકિસ્તાનના સલમાન અલી આગાએ પણ તેમની બરાબરી કરી છે. શું ન્યુઝીલેન્ડનો શક્તિશાળી ક્રિકેટર ગ્લેન ફિલિપ્સ કંઈ નથી કરી શકતો? આ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવે છે જ્યારે પણ તે ન્યુઝીલેન્ડ ટીમની જર્સી પહેરીને મેદાન પર હોય છે. ફિલિપ્સે તેની કારકિર્દી દરમિયાન આ સાબિત કર્યું છે.ગ્લેન તેના શાનદાર પ્રદર્શનને કારણે ક્રિકેટ જગતમાં એક મોટું નામ બની ગયું છે.તેની વિસ્ફોટક બેટિંગ ઉપરાંત,તે તેની બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગ માટે સમાચારમાં રહે છે.તેને ઉત્તમ કેચ લેવાની આદત પડી ગઈ છે.તેના શાનદાર કેચના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.હવે,ફરી એકવાર,ગ્લેન ફિલિપ્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.જો કે,આ વખતે,કારણ ક્રિકેટ નથી,પરંતુ કંઈક બીજું છે જેણે ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ગ્લેને 17 માર્ચે ઓકલેન્ડના આર્ડમોર એરોડ્રોમમાં હળવા વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિમાનનો સુરક્ષિત રીતે વિડીયો શેર કર્યો, જેમાં કેપ્શન આપ્યું: "ઓકલેન્ડ શહેરની આસપાસ સાંજનો સુંદર દૃશ્ય." ફિલિપ્સ હાલમાં કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવી રહ્યા છે. તેમણે તાજેતરમાં આર્ડમોર ફ્લાઇંગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. ફિલિપ્સને હંમેશા ઉડાનનો શોખ રહ્યો છે. તેમણે કહ્યું છે કે તે તેમનો સૌથી મોટો શોખ છે. જો તેઓ બાળપણમાં ક્રિકેટ રમતા ન હોત અને તેમની પાસે પુષ્કળ પૈસા હોત, તો તેઓ કદાચ પાઇલટ બન્યા હોત. તેમને આકાશમાં રહેવાનું ગમે છે. તેઓ પહાડો પર જવા અને નોકરી વિના પોતાના શોખને આગળ વધારવા માંગે છે. પરંતુ જો તેમને કામ કરવું પડ્યું હોત, તો પાઇલટ બનવું તેમની પહેલી પસંદગી હશે. મેદાન અને આકાશ બંનેમાં પોતાની પ્રતિભા દર્શાવ્યા પછી, ફિલિપ્સ ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં જોવા મળશે, જ્યાં તેઓ ગુજરાત ટાઇટન્સ માટે રમશે. આ પણ વાંચો -IPL 2026 પહેલા SRHની મોટી જાહેરાત, ઇશાન કિશનને બનાવ્યો કેપ્ટન વિરાટ કોહલી પણ IPL 2026 માટે બેંગલુરુ પહોંચી ગયો છે.બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સોશિયલ મીડિયા પર કોહલીના બેંગલુરુ આગમનનો એક વીડિયો શેર કર્યો.આ વીડિયો ખૂબ જ ફિલ્મી શૈલીમાં ફિલ્માવવામાં આવ્યો હતો.બધી ટીમો 28 માર્ચથી શરૂ થનારી આગામી સીઝન માટે તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે. ચાહકો ઘણા સમયથી કોહલીના બેંગલુરુ આગમનની રાહ જોઈ રહ્યા હતા. હવે, તે બેંગલુરુ પહોંચી ગયો છે અને RCB કેમ્પમાં જોડાયો છે.કોહલીનો વીડિયો શેર કરતા RCB એ કેપ્શનમાં લખ્યું,તમારે તેને જોવાની જરૂર નથી...ફક્ત તે જાણવા માટે કે તે આવી રહ્યો છે! કેલેન્ડર તપાસો. તમને ચોક્કસ સંકેત મળશે." કોહલીની IPL કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 267 મેચ રમી છે. 259 ઇનિંગ્સમાં બેટિંગ કરતા, કોહલીએ 39.54 ની સરેરાશ અને 132.85 ના સ્ટ્રાઇક રેટથી 8661 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે આઠ સદી અને 63 અડધી સદી ફટકારી છે, જેનો ઉચ્ચ સ્કોર 113* હતો. કોહલી 2008 માં IPL ની પહેલી સીઝનથી RCB માટે રમી રહ્યો છે. આ પણ વાંચો -IPLમાં આ બોલરે 2 બોલમાં હેટ્રિક લઈને સર્જ્યો હતો ઈતિહાસ, પણ આ ભૂલને કારણે કરિયર પર લાગ્યું ગ્રહણ ન્યુ સાઉથ વેલ્સે એક મોટી જાહેરાત કરી છે,જેમાં ભૂતપૂર્વ વિકેટકીપર બ્રેડ હેડિનને તેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ન્યુ સાઉથ વેલ્સ સીઝન સમાપ્ત થયાના 24 કલાકની અંદર નવા મુખ્ય કોચની જાહેરાત કરવામાં આવી હતી.સીઝનની અંતિમ મેચ દરમિયાન સહાયક કોચને દૂર કરવામાં આવ્યા હતા.ઓસ્ટ્રેલિયા માટે નોંધપાત્ર ક્રિકેટ રમનાર હેડિન 66 ટેસ્ટ,126 વનડે અને 34 ટી20 મેચ રમી ચૂક્યો છે.હેડિન ગ્રેગ શિપર્ડનું સ્થાન લે છે,જેમને જાન્યુઆરીમાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. શેફિલ્ડ શીલ્ડમાં ટીમના નબળા પ્રદર્શન બાદ બ્રેડ હેડિનને ન્યૂ સાઉથ વેલ્સના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ન્યૂ સાઉથ વેલ્સની અંતિમ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ,જે પાંચમા સ્થાને રહી.પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટથી હાર્યા બાદ ન્યૂ સાઉથ વેલ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું.વધુમાં,ન્યૂ સાઉથ વેલ્સના ઓછા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાઈ રહ્યા છે.જેના કારણે ટીમના સંગઠનને એવું માનવું પડી રહ્યું છે કે રાજ્યમાં પ્રતિભા વિકાસ પહેલાની જેમ સારી રીતે આગળ વધી રહ્યો નથી. બ્રેડ હેડિન 12 વર્ષ સુધી ન્યૂ સાઉથ વેલ્સની કેપ્ટનશીપ કરી હતી.હાલમાં તેઓ IPLમાં પંજાબ કિંગ્સના આસિસ્ટન્ટ કોચ છે.તેમણે અગાઉ ઓસ્ટ્રેલિયન પુરુષ ટીમ અને સનરાઇઝર્સ હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચ તરીકે સેવા આપી હતી.હવે બ્રેડ હેડિનને ન્યૂ સાઉથ વેલ્સના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ જૂનમાં પોતાની ફરજો શરૂ કરશે. ન્યૂ સાઉથ વેલ્સના મુખ્ય કોચ બન્યા પછી,હેડિને ખુલાસો કર્યો કે તેમને વિશ્વભરની ઘણી લીગમાંથી કોચિંગ ઓફર મળી હતી,પરંતુ તેમણે ન્યૂ સાઉથ વેલ્સમાં રહેવાનું નક્કી કર્યું. હેડિને કહ્યું કે તે ન્યૂ સાઉથ વેલ્સની ટીમમાં સુધારો કરી શકે છે. હેડિને કહ્યું કે તે ન્યૂ સાઉથ વેલ્સના ખેલાડીઓની રમવાની શૈલી બદલવા માંગે છે, જેનો ફાયદો આખી ટીમ અને ખેલાડીઓને થશે.ન્યુ સાઉથ વેલ્સના મુખ્ય કોચ બન્યા પછી, હેડિન બિગ બેશ લીગની આગામી સીઝનમાં સિડની સિક્સર્સ અથવા સિડની થંડરને કોચિંગ આપવાની ઓફર સ્વીકારશે નહીં. આ પણ વાંચો-Team Indiaના ખેલાડીઓના પગાર ધોરણમાં થશે ફેરફાર? બુમરાહના કારણે BCCI લઈ શકે છે મોટો નિર્ણય
94 shares
😐
Akila News logo
Akila News
Mar 18, 2026, 05:42 AM
એશિયાના સૌથી યુવાન ઝડપી ક્યુબરઃ હર્ષિવ મહેતાએ 6 વર્ષની ઉંમરે 10 પ્રકારના રુબિક ક્યુબ્સ હલ કર્યા

એશિયાના સૌથી યુવાન ઝડપી ક્યુબરઃ હર્ષિવ મહેતાએ 6 વર્ષની ઉંમરે 10 પ્રકારના રુબિક ક્યુબ્સ હલ કર્યા

મુંબઇ તા.૧૮: ચુટકી વગાડતાં રુબિક્‍સ ક્‍યુબ સોલ્‍વ કરી નાખતો અંધેરીનો હર્ષિવ મહેતા રમત-રમતમાં એશિયાનો સૌથી નાની વયનો ફાસ્‍ટેસ્‍ટ ક્‍યુબર બની ગયો. ખ્‍ગ્‍ઘ્‍ઝ શીખવાની ઉંમરમાં તે રાષ્ટ્રગીત ગાતાં-ગાતાં દસ પ્રકારના રુબિક્‍સ ક્‍યુબ્‍સ સોલ્‍વ કરે છે. ક્‍યુબ્‍સ સોલ્‍વ કરવા માટે અલગ-અલગ એલ્‍ગરિધમ હોય છે. એમાં ભૂલ થાય તો ક્‍યુબ સોલ્‍વ થતો નથી. એની મેથડ સમજવા મગજ કસવું પડે. બ્રેઇન-ટેસ્‍ટિંગ ટોય તરીકે ઓળખાતા મેકેનિકલ પઝલને જાતે શીખવું અને રેકોર્ડ બનાવવો એ નાનીસૂની વાત નથી. હર્ષિતે માત્ર ૪ વર્ષ ૭ મહિનાની ઉંમરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને અત્‍યારે તે પાંચ વર્ષ એક મહિનાનો છે. મજાની વાત એ કે આ ઉંમરે તે નવો રેકોર્ડ બનાવવાના મિશન પર છે. હર્ષિવનાં મમ્‍મી મનસ્‍વી મહેતા કહે છે, ‘આપણે બધાએ ક્‍યારેક ક્‍યુબ સોલ્‍વ કરવાનો પ્રયાસ કર્યો જ હશે. માઇન્‍ડગેમ હોવાથી ઉકેલવામાં વાર લાગે અને સમય નીકળી જાય છે. પઝલ-સોલ્‍વિંગની રમતથી બાળકનો ઝડપી વિકાસ થાય છે. હર્ષિવ એક જગ્‍યાએ શાંતિથી બેસી રહે, એકાગ્રતા વધે, પ્રોબ્‍લેમ-સોલ્‍વિંગ સ્‍કિલ ડેવલપ થાય અને કઈ જગ્‍યાએ કઈ ફોર્મ્‍યુલા અપ્‍લાય કરવાની હોય એ સમજાવવાના હેતુથી રુબિક્‍સ ક્‍યુબ લાવી આપ્‍યા હતા. અમને હતું ક્‍યુબ ઉકેલવામાં વ્‍યસ્‍ત રહેશે પણ તે ઝડપથી સોલ્‍વ કરવા લાગ્‍યો. તેને ક્‍યુબ-સોલ્‍વિંગમાં મજા આવે છે જોઈ અલગ-અલગ પ્રકારના ક્‍યુબ લઈ આવ્‍યા. લર્નરથી લઈને ઍડ્‍વાન્‍સ લેવલ સુધીના ક્‍યુબ પણ ફટાફટ ઉકેલી નાખતો. તેનો ઇન્‍ટરેસ્‍ટ જોઈ પ્રોફેશનલ તાલીમ શરૂ કરી. અઠવાડિયામાં એક વાર શિક્ષક ઘરે આવતા. ત્રણ મહિનાના કોચિગમાં તેણે રેકોર્ડ બનાવી નાખ્‍યો. જોકે રેકોર્ડ માટે દાવો કરવો જોઈએ એવી પહેલાં જાણકારી નહોતી. અમે હર્ષિવના વિડિયો બનાવી સોશ્‍યલ મીડિયા પર પોસ્‍ટ કરતાં હતાં એ જોઈ ઘણા કહેતા કે બહુ ફાસ્‍ટ સોલ્‍વ કરે છે. ત્‍યાર બાદ ઇન્‍ટરનેટના માધ્‍યમથી ખણખોદ કરી. ઓલ ઇન્‍ડિયા ક્‍યુબ ફેડરેશન વિશે જાણકારી મેળવી. જૂના રેકોર્ડની માહિતી મેળવ્‍યા બાદ પ્રેક્‍ટિસ કરાવી વિડિયો શૂટ કર્યા અને અપ્રૂવલ માટે મોકલ્‍યા. ઓલ ઇન્‍ડિયા ક્‍યુબ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ ૪ વર્ષ ૭ મહિનાની ઉંમરે તેણે ૩ મિનિટ ૪૯ સેકન્‍ડમાં ૧૦ પ્રકારના ક્‍યુબ સોલ્‍વ કરી અગાઉનો ૭ વર્ષના બાળકનો રેકોર્ડ તોડી નાખ્‍યો. રેકોર્ડની પુષ્ટિ થયા બાદ હર્ષિવને ૨૦૨૫ના વર્ષ માટે સૌથી ઝડપથી ૧૦ પ્રકારના રુબિક્‍સ ક્‍યુબ સોલ્‍વ કરવા માટે ગ્રેન્‍ડમાસ્‍ટરનું બિરુદ આપવામાં આવ્‍યું. ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્‍સ, સિગાપોરની એન્‍જિનિયર્સ બુક, ઇન્‍ટરનેશનલ અચીવર્સ બુક અને એન્‍જાિનિયર્સ ચાર્મ બુક ઓફ રેકોર્ડ્‍સમાં હર્ષિવને સ્‍થાન મળ્‍યું છે. ઉત્‍પલ સંઘવી ગ્‍લોબલ સ્‍કૂલ (IGCSE)માં જુનિયરKGમાં અભ્‍યાસ કરતા હર્ષિવ પાસે વિવિધ પ્રકારના ૧૬ ક્‍યુબ છે. અઠવાડિયામાં એક વારની તાલીમ ચાલુ છે. હવે તેને ઝડપથી ૧૫ ક્‍યુબ સોલ્‍વ કરવાનો રેકોર્ડ બનાવવો છે. એ માટે દરરોજ પ્રેક્‍ટિસ કરે છે. હર્ષિવને ફુટબોલ અને ક્રિકેટની રમતમાં પણ રસ છે. જનરલ નોલેજના ક્‍લાસમાં પણ જાય છે. તેના પપ્‍પા હર્ષિતભાઈને પ્રિન્‍ટિંગ અને પેકેજિગનો બિઝનેસ છે. મનસ્‍વીબહેન તેમના પપ્‍પાના બિઝનેસ સાથે જોડાયેલાં છે. પેરન્‍ટ્‍સ કામમાં વ્‍યસ્‍ત રહેતા હોવાથી હર્ષિવનો મોટા ભાગનો સમય દાદા-દાદી નૂતનબહેન અને હસમુખભાઈ સાથે વીતે છે. દાદા-દાદી સાથે પણ નવી-નવી રમતો રમે છે.
83 shares
😐
Sandesh logo
Sandesh
Mar 18, 2026, 05:13 AM
કુલદિપ યાદવના લગ્નના રિસેપ્શનમાં સ્ટાર-સ્ટડેડ મહેમાનોની યાદી જોવા મળી; બુમરા અને પટેલનો પગાર વધવાની આશા

કુલદિપ યાદવના લગ્નના રિસેપ્શનમાં સ્ટાર-સ્ટડેડ મહેમાનોની યાદી જોવા મળી; બુમરા અને પટેલનો પગાર વધવાની આશા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવે 14 માર્ચે ઉત્તરાખંડના મસૂરીમાં તેની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કર્યા હતા.લગ્ન પછી,લખનૌમાં એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ક્રિકેટ અને રાજકારણની દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. મંગળવારે લખનૌની એક પ્રખ્યાત હોટલમાં રિસેપ્શનનું સમાપન થયું, જ્યાં દંપતીને પ્રેમ અને આશીર્વાદનો વરસાદ થયો. લગ્ન પછી લખનૌમાં યોજાયેલા રિસેપ્શનમાં ખૂબ જ હંગામો મચી ગયો,જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણી જાણીતી હસ્તીઓ હાજર રહી. યોગી આદિત્યનાથે દંપતીને આશીર્વાદ આપ્યા અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા, નવદંપતીને સુખી જીવનની શુભેચ્છા પાઠવી. કુલદીપે પણ તેમના પગ સ્પર્શ્યા,અને વંશિકાએ હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં, તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે, એવા અહેવાલો છે કે તેમના પગારમાં વધારો થવાનો છે. BCCI અધિકારીઓમાં આ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર, BCCI ઇચ્છે છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની A શ્રેણીમાં રહેલા બુમરાહનો પગાર ઓછો ન થાય.BCCIનો સેન્ટ્રલ A કરાર તેને વાર્ષિક ₹5 કરોડ (50 મિલિયન રૂપિયા) પૂરા પાડે છે. BCCI એ A+ શ્રેણી દૂર કરવામાં આવી છે , જેના હેઠળ બુમરાહને ₹7 કરોડ (70 મિલિયન રૂપિયા) મળતા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, BCCI બુમરાહને કેવી રીતે ચૂકવણી કરવી તે અંગે કામ કરી રહ્યું છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, બોર્ડ બુમરાહને તેના બાકી પગાર કેવી રીતે ચૂકવવા તે અંગે કામ કરી રહ્યું છે. કેટલાક અન્ય ખેલાડીઓ છે જેમના પગારમાં ઘટાડો કરવામાં આવ્યો છે, અને તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં હવે ફેરફાર થઈ શકે છે." જો BCCI ફેરફારો કરે છે, તો BCCI T20 ટીમના ઉપ-કપ્તાન અક્ષર પટેલને પણ વધુ પગાર આપી શકે છે. આશ્ચર્યજનક રીતે, અક્ષર પટેલ ગ્રેડ C શ્રેણીમાં છે, જે ફક્ત 1 કરોડ રૂપિયા કમાય છે. અક્ષર પટેલે બે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ તેમના ઓછા પગાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ હવે BCCI તેમના પગારમાં વધારો કરી શકે છે. 2025-26 સીઝન માટે, બીસીસીઆઈએ કુલ 30 ખેલાડીઓને કેન્દ્રીય કરારમાં સમાવવાની જાહેરાત કરી હતી. બોર્ડે હજુ સુધી દરેક શ્રેણીના ખેલાડીઓને કેટલી રકમ મળશે તે જાહેર કર્યું નથી. બુમરાહ અને અક્ષર પટેલ અંગે પગાર માળખામાં ખામીઓને પગલે, બોર્ડ ટૂંક સમયમાં આ જાહેરાત કરે તેવી અપેક્ષા છે. બીસીસીઆઈએ શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ એમાં સામેલ કર્યા છે. ગ્રેડ બીમાં કુલ 11 ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રેડ સીમાં 16 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગ્રેડ A માં શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. ગ્રેડ B માં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. ગ્રેડ C માં અક્ષર પટેલ, રિંકુ સિંહ, તિલક વર્મા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ અને રુતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે. આ પણ વાંચો -IPLમાં આ બોલરે 2 બોલમાં હેટ્રિક લઈને સર્જ્યો હતો ઈતિહાસ, પણ આ ભૂલને કારણે કરિયર પર લાગ્યું ગ્રહણ IPL2026 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.બધી ટીમોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે.આ બધા વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.કોલકાતા નાઈટ રાઈડર્સનો એક સ્ટાર ખેલાડી એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન,જેને KKR દ્વારા IPL2026ની હરાજીમાં રૂ25.20 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.તે તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટનાને કારણે હેડલાઇન્સમાં આવ્યો છે. કેમેરોન ગ્રીન હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે.શેફિલ્ડ શીલ્ડ મેચ પછી મેચ પછીના ઇન્ટરવ્યુ દરમિયાન,ગ્રીન એક ઓસ્ટ્રેલિયન પત્રકાર સાથે દલીલમાં ફસાઈ ગયો,જેના કારણે તે ચર્ચામાં આવ્યો.આ ઘટના સિડનીમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્સ વચ્ચે શેફિલ્ડ શીલ્ડ મેચ પછી બની.ગ્રીને આ મેચમાં 135 રનની શાનદાર સદી ફટકારી, જે ઓગસ્ટ પછી કોઈપણ ફોર્મેટમાં તેની પહેલી સદી છે.મેચ પછી,મીડિયાને પ્લેયર ઓફ ધ મેચ સાથે વાત કરવા માટે બોલાવવામાં આવ્યું.ગ્રીન શરૂઆતમાં ઉપલબ્ધ નહોતો,પરંતુ બાદમાં મેચ સંબંધિત પ્રશ્નો સુધી મર્યાદિત ટૂંકા ઇન્ટરવ્યૂ માટે સંમત થયો. ઇન્ટરવ્યૂ દરમિયાન,તેણે ફોર્મમાં પાછા ફરવા અંગે વાત કરી કહ્યું કે તે સારું લાગ્યું અને ટીમની જીત માટે આશા વ્યક્ત કરી.જોકે, જ્યારે એક પત્રકારે તેના તાજેતરના બેટિંગ સંઘર્ષ વિશે પૂછ્યું, ત્યારે ગ્રીને જવાબ આપવાનો ઇનકાર કર્યો. ઇન્ટરવ્યૂ એક મિનિટ કરતા પણ ઓછો સમય ચાલ્યો. ગ્રીને સમયનો બગાડ કહીને ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો.ત્યારબાદ પત્રકારે કહ્યું કે તે આખો દિવસ રાહ જોઈ રહ્યો હતો.જેના પર ગ્રીને કડક જવાબ આપ્યો,તમે મને કેમ નિશાન બનાવી રહ્યા છો દલીલ દરમિયાન, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ બ્યુ કેસને દરમિયાનગીરી કરી અને પત્રકારની માફી માંગી. ગ્રીન ગયા પછી પરિસ્થિતિ શાંત થઈ ગઈ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેમેરોન ગ્રીન સામે પણ કાર્યવાહી કરી શકે છે. આ પણ વાંચો -IPLમાં અમ્પાયરિંગના કેટલા પૈસા મળે છે,જાણો એક મેચની ફી! પૂર્વ ભારતીય સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પોતાના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસને લઈને ખુલાસો કર્યો છે.તેણે જણાવ્યું કે,આ નિર્ણય અચાનક નહોતો લેવાયો,પરંતુ એક ખાસ ક્ષણે તેને એવો અનુભવ અપાવ્યો કે,હવે ટીમમાં તેની ભૂમિકા ખતમ થઈ ગઈ છે.વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અશ્વિન ટીમના સિનિયર સ્પિનર તરીકે ઉપસ્થિત હતો,પરંતુ પર્થ ટેસ્ટમાં તેની પહેલા યુવા વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી.આ એ ક્ષણ હતી,જેણે અશ્વિનને અંદરથી હચમચાવી નાખ્યો.અશ્વિને સ્વીકાર્યું કે,એ જ સમયે તેને સમજાઈ ગયું હતું કે,ભારતીય ટેસ્ટ ટીમમાં તેની યાત્રા હવે અંતિમ પડાવ પર છે.સીરિઝ ખતમ થયા પછી તેણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન આ અનુભવને શેર કરતા તેણે સ્પષ્ટ કર્યું કે,આ તેનો પોતાનો નિર્ણય હતો. એ સમયે ટીમ મેનેજમેન્ટ પર ઉઠેલા સવાલો અને જબરદસ્તી સંન્યાસ લેવા જેવી ચર્ચાઓનું તેણે સંપૂર્ણ રીતે ખંડન કર્યું છે. તેની જગ્યાએ હેડ કોચ ગૌતમ ગંભીરના સમર્થનમાં અશ્વિને કહ્યું કે, ગંભીર હંમેશા ટીમને કોઈપણ ખેલાડીથી ઉપર રાખે છે અને જીતનું શ્રેય આખી ટીમને આપે છે. અશ્વિને એ પણ કહ્યું કે,ભારતીય ક્રિકેટ કોઈ એક કે બે ખેલાડીઓ પર નિર્ભર નથી.તેણે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે પસાર કરેલા વર્ષોને યાદ કરતા જણાવ્યું કે,એ સમયમાં સૌથી મોટી ખાસિયત ટીમની અંદર એકબીજા પર ભરોસો અને એકતા હતી.ટીમમાં કોઈપણ ખેલાડી હારનું ઠીકરું બીજા પર ફોડતું નહોતું.બધાનું એક જ લક્ષ્ય ભારતને જીત અપાવવાનું હતું. અશ્વિનના શાનદાર કરિયર પર નજર કરીએ તો તેણે 106 ટેસ્ટ મેચમાં 537 વિકેટ ઝડપી અને ઘણીવાર મેચ વિનિંગ પ્રદર્શન કર્યું. તેણે વર્તમાન ટીમને લઈને એક મહત્વની વાત કહી.તેના અનુસાર,ટીમ આ સમયે બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે. બેટિંગને લઈને તેને વધુ ચિંતા નથી. પરંતુ બોલિંગને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.અશ્વિને કહ્યું કે,કહાની માત્ર એક ખેલાડીના સંન્યાસની નહીં,પરંતુ એ સમજની પણ છે,જ્યારે એક દિગ્ગજ પોતાને ઓળખી લે છે કે,હવે નવી પેઢી માટે જગ્યા બનાવવાનો સમય આવી ગયો છે. આ પણ વાંચો -ICC ODI Rankingમાં મોટો ઉલટફેર, હરમનપ્રીત કૌરે લગાવી લાંબી છલાંગ
62 shares
😊
Akila News logo
Akila News
Mar 18, 2026, 03:16 AM
કાબુલમાં પાકિસ્તાનના હવાઈ હુમલાઓ પાકિસ્તાન સુપર લીગ અને મુસાફરીને જોખમમાં મૂકે છે

કાબુલમાં પાકિસ્તાનના હવાઈ હુમલાઓ પાકિસ્તાન સુપર લીગ અને મુસાફરીને જોખમમાં મૂકે છે

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 400 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ, પાકિસ્તાન સુપર લીગ (PSL)નું ભવિષ્ય જોખમમાં મુકાયું હોય તેવું લાગે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પાકિસ્તાનની મુસાફરી પણ મુશ્કેલ બની રહી છે. દરમિયાન, ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને તેમની સરકાર દ્વારા પેશાવર ન જવાની સલાહ આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન અને ગ્લેન મેક્સવેલ આગામી પીએસએલમાં રમવા માટે તૈયાર છે. ટિમ પેન અને જેસન ગિલેસ્પી પણ કોચ તરીકે લીગનો ભાગ છે. ઓસ્ટ્રેલિયન પબ્લિકેશન કોડ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયન સરકારે તેના ખેલાડીઓને પાકિસ્તાનની મુસાફરી કરવાની પરવાનગી આપી છે, પરંતુ તેમને પેશાવરની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. 28 માર્ચે ઇમરાન ખાન સ્ટેડિયમ ખાતે પેશાવર ઝાલ્મી અને રાવલપિંડી વચ્ચેની મેચ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. બંને ટીમોમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. ઝાલ્મી પાસે એરોન હાર્ડી છે, જ્યારે પિંડિસ પાસે જેક ફ્રેઝર મેકગર્ક છે. અહેવાલો સૂચવે છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ખાતરી આપવામાં આવી છે કે જો જરૂરી હોય તો તેમને ખાનગી ફ્લાઇટ્સ દ્વારા સ્વદેશ પરત મોકલવામાં આવશે. પીએસએલ ખેલાડીઓની હરાજી પહેલા ઘણા અફઘાન ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આમાં મુજીબ ઉર રહેમાન, સિદ્દીકુલ્લાહ અટલ, મોહમ્મદ નબી, વકાર સલામખેલી અને ફઝલહક ફારૂકીનો સમાવેશ થાય છે. ઘણા અફઘાન ક્રિકેટરોએ પાકિસ્તાનના હુમલાની ટીકા કરી છે. આમાં નવીન ઉલ હક, રાશિદ ખાન અને નબીનો સમાવેશ થાય છે.
21 shares
😢
Akila News logo
Akila News
Mar 18, 2026, 02:41 AM
IPL 2026: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને 14 કરોડમાં ખરીદ્યો

IPL 2026: દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને 14 કરોડમાં ખરીદ્યો

IPL 2026: IPL ની નવી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની પહેલી મેચ RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સ 1 એપ્રિલે લખનૌ સુપરજાયન્ટ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા, દિલ્હી કેપિટલ્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા ટીમે KL રાહુલને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને ₹14 કરોડ (આશરે $1.4 મિલિયન) માં કરારબદ્ધ કર્યો હતો. તેણે બેટથી અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, ટીમ માટે 13 મેચમાં 539 રન બનાવ્યા, જેમાં એક ધમાકેદાર સદીનો પણ સમાવેશ થાય છે. . દિલ્હી માટે કેએલ રાહુલ ઓપનર તરીકે રમતા જોવા મળશે. ગયા સિઝનમાં, તેણે ટુર્નામેન્ટની શરૂઆત મિડલ ઓર્ડરમાં કરી હતી, પરંતુ મેનેજમેન્ટે બાદમાં તેને ઇનિંગ ઓપન કરવાનો નિર્ણય લીધો. IPLમાં ઓપનર તરીકે કેએલ રાહુલનો રેકોર્ડ પ્રભાવશાળી છે. તેણે ગુજરાત ટાઇટન્સ સામે ઓપનર તરીકે 65 બોલમાં 112 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી
22 shares
😊
K
Kutch Mitra
Mar 18, 2026, 02:17 AM
સરકારી હસ્તક્ષેપને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ પર ICCનો પ્રતિબંધ

સરકારી હસ્તક્ષેપને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ પર ICCનો પ્રતિબંધ

નવી દિલ્હી તા.17 :બાંગલાદેશ ક્રિકેટમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. બાંગલાદેશક્રિકેટ બોર્ડ (બીસીબી)માં સરકારની વારંવારની દખલગીરીને લીધે આઇસીસીના પ્રતિબંધની નોબતઉભી થઇ છે. ખુદ બીસીબીએ સરકારને ચેતવણી આપી છે કે વારંવારના હસ્તક્ષેપને લીધે ઇન્ટરનેશનલલેવલે ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે. બાંગલાદેશ સરકારના ખેલ મંત્રાલયે બીસીબી ચૂંટણીનીકથિત ગરબડ માટે પાંચ સભ્યની તપાસ સમિતિ બનાવી છે. જે બારામાં બીસીબીના પદાધિકારીઓ કહેછે કે કોઇ ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલ આઇસીસીના નિયમનું ઉલ્લંઘન છે. આથી પ્રતિબંધમુકી શકાય છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇસીસીએ અગાઉ સરકારી દખલગીરીને લીધે શ્રીલંકાઅને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યાં હતા. પૂર્વ ખેલાડી તમિમ ઇકબાલે બીસીબીનાઅધ્યક્ષ અમીનુલ ઇસ્લામ પર ચૂંટણી પ્રક્રિયામાં ગરબડી કર્યાનો આરોપ મુકયો હતો. આ પછીથીખેલ મંત્રાલયે તપાસ સમિતિ બનાવી હતી.
33 shares
😢
Akila News logo
Akila News
Mar 18, 2026, 01:55 AM
પીએસએલ 2023: હૈદરાબાદ કિંગ્સમેને માર્નસ લાબુશેનની કેપ્ટન તરીકે નિમણૂક કરી, પાકિસ્તાનના પ્રીમિયર ટી-20 લીગમાં તેની શરૂઆતને ચિહ્નિત કરી

પીએસએલ 2023: હૈદરાબાદ કિંગ્સમેને માર્નસ લાબુશેનની કેપ્ટન તરીકે નિમણૂક કરી, પાકિસ્તાનના પ્રીમિયર ટી-20 લીગમાં તેની શરૂઆતને ચિહ્નિત કરી

IPL ની સાથે, ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ક્રિકેટનો જલવો વધશે. પાકિસ્તાનમાં PSL ની નવી સીઝન 26 માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, હૈદરાબાદ કિંગ્સમેન ટીમે એક મોટી જાહેરાત કરી. ટીમે નવી સીઝન માટે ઓસ્ટ્રેલિયન સ્ટાર માર્નસ લાબુશેનને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવાર, 17 માર્ચે આ જાહેરાત કરી. લાબુશેન પહેલીવાર પાકિસ્તાન સુપર લીગમાં રમશે. માર્નસ લાબુશેનને ટેસ્ટ અને ODI ફોર્મેટમાં એક શાનદાર ખેલાડી માનવામાં આવે છે. તે ઘરેલુ સીઝનમાં ઉત્તમ ફોર્મમાં રહ્યો છે. આ તેનો પ્રથમ વખત પાકિસ્તાન સુપર લીગમાં રમશે. અગાઉ, તે બિગ બેશ લીગ અને ઇંગ્લેન્ડની T20 બ્લાસ્ટ લીગમાં રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી તેની કારકિર્દીમાં 59 T20 મેચ રમી છે. આ મેચોમાં, તેણે 126.81 ના સ્ટ્રાઇક રેટથી 1381 રન બનાવ્યા છે, જેની સરેરાશ 26.55 છે. આ સિઝન માટે હૈદરાબાદ કિંગ્સમેન ટીમ ઘણી મજબૂત લાગે છે. માર્નસ લાબુશેન ઉપરાંત, ગ્લેન મેક્સવેલ પણ ટીમમાં રમતા જોવા મળશે. ઓલરાઉન્ડર સેમ અયુબ પણ રમતમાં જોવા મળશે. સંપૂર્ણ ટીમ અહીં જુઓ. માર્નસ લાબુશેન (કેપ્ટન), સેમ ઐયુબ, અકીફ જાવેદ, મુઆઝ સદાકત, ગ્લેન મેક્સવેલ, ઉસ્માન ખાન, મોહમ્મદ અલી, કુસાર પરેરા, મોહમ્મદ ઈરફાન ખાન, હસન ખાન, શયાન જહાંગીર, બાર્ટમેન, હમ્માદ આઝમ, રિલે મેરેડિથ, શરજીલ ખાન, આસિફ મહમૂદ, હુનૈન અલી શાહ અને અરબાદ શાહ
63 shares
😊
Akila News logo
Akila News
Mar 18, 2026, 01:08 AM
ક્રિકેટ અને રાજકારણના દિગ્ગજોએ લખનઉમાં કુલદિપ યાદવના ભવ્ય લગ્ન સમારંભમાં હાજરી આપી

ક્રિકેટ અને રાજકારણના દિગ્ગજોએ લખનઉમાં કુલદિપ યાદવના ભવ્ય લગ્ન સમારંભમાં હાજરી આપી

લખનઊઃચાઇનામૅન સ્પિનર તરીકે જાણીતા કુલદીપ યાદવ અને વંશિકા ચઢ્ઢાના ગયા અઠવાડિયે મસૂરીમાં ધામધૂમથી લગ્ન થયા ત્યાર બાદ લખનઊની હૉટેલ ધ સેન્ટ્રમમાં આયોજિત રિસેપ્શનમાં ક્રિકેટ અને રાજકીય ક્ષેત્રની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી. કુલ મળીને લગભગ 900 મહેમાનોને આ રિસેપ્શનમાં આવવાનું આમંત્રણ અપાયું હતું અને કેટલાક ખાસ મહેમાનો માટે ચાર ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમ જ નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠક તથા કેશવ પ્રસાદ મોર્ય તેમ જ અખિલેશ યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યોગીએ કુલદીપ-વંશિકાને આશીર્વાદ આપ્યા હતા. અનેક ક્રિકેટરોને આ રિસેપ્શનમાં આવવાનું આમંત્રણ અપાયું હતું અને શરૂઆતમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તથા યશસ્વી જયસ્વાલ હૉટેલમાં પહોંચી ગયા હતા. ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન તેમ જ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે આ સમારોહમાં પહોંચ્યો હતો. આ ખેલાડીઓ હૉટેલમાં પહોંચ્યા કે તરત તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી વીવીઆઇપી મહેમાનો આવવાના હોવાથી હૉટેલમાં અગાઉથી જ સલામતીનો પાક્કો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. હૉટેલના પરિસરમાં બૉમ્બ સ્ક્વૉડ તથા ડૉગ સ્ક્વૉડ પણ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન શનિવારે મસૂરીમાં લગ્ન બાદ કુલદીપ-વંશિકા કાનપુરના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
69 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 17, 2026, 10:35 PM
ગુજરાત યુનિવર્સિટીની વેસ્ટર્ન ઝોન ઇન્ટર-યુનિવર્સિટી વિમેન્સ રેસલિંગ ટુર્નામેન્ટ ગંભીર બેદરકારીથી પ્રભાવિત

ગુજરાત યુનિવર્સિટીની વેસ્ટર્ન ઝોન ઇન્ટર-યુનિવર્સિટી વિમેન્સ રેસલિંગ ટુર્નામેન્ટ ગંભીર બેદરકારીથી પ્રભાવિત

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત વેસ્ટર્ન ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા કુસ્તી સ્પર્ધામાં ગંભીર બેદરકારી સામે આવી છે. નિયત ધારાધોરણ મુજબ ટીમના કોચ કે મેનેજર તરીકે શારીરિક શિક્ષણના અધ્યાપક જ જઈ શકે, છતાં સત્તાવાળાઓએ મેનેજર તરીકે યુવક કોંગ્રેસના પ્રવક્તા ડો. સુબ્હાન સૈયદે કુલપતિને રજૂઆત કરતા જણાવ્યું કે, મહિલા ખેલાડીઓ સાથે જવાબદાર મહિલા અધિકારીને બદલે લાયકાત વગરના સેવકને મોકલવા તે સુરક્ષા સામે મોટો પ્રશ્ન છે. આશ્ચર્યની વાત એ છે કે, યુનિવર્સિટી પાસે શારીરિક શિક્ષણના 30થી વધુ અનુભવી અધ્યાપકો છે, જેમાં 10થી વધુ મહિલા અધ્યાપિકાઓ હોવા છતાં તેમની અવગણના કરીને પટ્ટાવાળાને કેમ મોકલાયા તે એક ગંભીર પ્રશ્ન છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? આ મામલે જવાબદારો સામે કડક પગલાંની માગ કરાઈ છે. નિયમ મુજબ શારીરિક શિક્ષણના અધ્યાપક જ મેનેજર બની શકે, તો પટ્ટાવાળાની પસંદગી કયા આધારે થઈ? જો કોઈ અનિચ્છનીય ઘટના બને, તો શું યુનિવર્સિટી સત્તાવાળાઓ તેની જવાબદારી સ્વીકારશે? મને કોઈ ફરિયાદ મળી નથીમને કોઈ ફરિયાદ કે રજૂઆત મળી નથી, નિયત ધારાધોરણ મુજબ શારીરિક શિક્ષણના અધ્યાપકોને મોકલાયા છે. - ડો. પીયૂષ પટેલ, રજિસ્ટ્રાર
31 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 17, 2026, 10:01 PM
ગુજરાત સરકારને કર્મચારીઓની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છેઃ વિવિધ મંત્રાલયોમાં 1.63 લાખથી વધુ ખાલી જગ્યાઓ

ગુજરાત સરકારને કર્મચારીઓની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છેઃ વિવિધ મંત્રાલયોમાં 1.63 લાખથી વધુ ખાલી જગ્યાઓ

યાજ્ઞિક પરીખ ગુજરાત સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી છે. સરકારના 27 મંત્રાલયમાંથી 26માં 20% લઇ 68% જગ્યાઓ ખાલી પડી રહી છે. સરકારના બજેટ દસ્તાવેજ મુજબ, રાજ્યમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની 2196, પોલીસમાં કોન્સ્ટેબલથી લઇ આઇજી ક્લાસ સુધીની 44 હજાર, શિક્ષક-આચાર્ય-પ્રોફેસરની 18 હજાર જગ્યાઓ ઘટ છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પણ 11 માસના કરાર પર નોકરી કરી રહ્યા છે. સરકારી ભરતી કરતાં મુખ્ય ત્રણ બોર્ડ- જીપીએસસી, ગૌણ સેવા અને્ પંચાયત સેવા પસંદગી મંડળમાં કુલ 300 જગ્યામાંથી 146 જગ્યા આઉટસોર્સ-11 માસના કરાર કે ફિક્સ પગાર પર ભરાયેલી છે. જીપીએસસીમાં 25 જગ્યા ખાલી પણ છે. રોજગાર-શ્રમ વિભાગમાં જ 2305 જગ્યા ખાલી છે. સરકારની કુલ 320 ઓફિસમાં 1.39 લાખ કર્મચારી-અધિકારી આઉટસોર્સ પર છે. સામાન્ય વહીવટ, મહેસૂલ, શહેરી વિકાસ, સ્પોર્ટ્સ, સામાજિક ન્યાય વિભાગની ગ્રાન્ટેડ સંસ્થામાં કુલ મંજૂર થયેલી 4576 જગ્યા સામે આઉટસોર્સ સહિત 10 હજાર જગ્યા ભરાયેલી છે. રાજ્ય સરકારમાં 1.23 લાખ અને મંત્રાલય હેઠળની ગ્રાન્ટ મેળવતી સંસ્થાઓમાં 40 હજાર જગ્યા ખાલી છે. સરકારે જેટલી જગ્યાઓ મંજૂર કરી છે, તેમાં મોટા ભાગની કાયમી રીતે ભરવાની હોય છે. પરંતુ જે જગ્યાઓ ભરવામાં આવી છે, તેમાં આઉટસોર્સ, 11 મહિનાના કરાર અને ફિક્સ વેતનના આધારે પણ જગ્યા ભરવામાં આવી છે. રાજ્યમાં 2006થી ફિક્સ વેતનની નીતિ લાગુ છે, જેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે. યુવા સૌથી વધુ તૈયારી કરે છે, તેવી જગ્યા પણ ખાલી5 વર્ષમાં સરકારી પરીક્ષા માટે 1.25 કરોડ ફોર્મ ભરાયા છે. યુવાનો સૌથી વધુ તૈયારી કરે છે, તે પદોની અનેક જગ્યા ખાલી છે. સેક્શન/નાયબ સેક્શન અધિકારીની 732, મામલતદારની 1384, રાજ્ય વેરા નિરીક્ષક/અધિકારીની 1066, નાયબ કલેક્ટરની 24, સમાજ કલ્યાણ નિરીક્ષકની 915 જગ્યાઓ ખાલી છે. સચિવ સહિતની ક્લાસ 1- 2ની 36 ટકા જગ્યા ખાલીસરકારમાં ક્લાસ 1-2ની કુલ 64 હજારથી વધુ જગ્યા મંજૂર થયેલી છે. તેમાંથી 36% એટલે કે 24 હજારથી વધુ જગ્યા ખાલી છે. તેમાં વિવિધ પ્રકારના ક્લાસ-1 સચિવની 274 જગ્યાની ઘટ છે. ક્લાસ-3ની 7.25 લાખથી વધુ મંજૂર જગ્યા સામે 12% એટલે કે 86 હજારથી વધુ જગ્યા ખાલી છે. જ્યારે ક્લાસ-4ની 12 હજારથી વધુ જગ્યા ખાલી છે. આઉટસોર્સ-કરાર માટે રૂ.5255 કરોડનો ખર્ચસરકારમાં કુલ 1.39 લાખ કર્મચારી-અધિકારીઓ આઉટસોર્સ, 11 માસના કરાર કે ફિક્સ પગાર પર કામ કરી રહ્યા છે. તેમને વર્ષે 5355 કરોડ પગાર ચૂકવાય છે. છઠ્ઠા-સાતમા પગાર પંચના 6 લાખથી વધુ સ્ટાફને 60 હજાર કરોડ પગાર અપાય છે. સરકારી કચેરીના સ્ટાફ માટે 19 હજાર કરોડ વધુ ખર્ચ થાય છે. રાજ્ય ચૂંટણી કમિશનર 11 માસના કરાર પર!320 ઓફિસમાં 1.39 લાખનો સ્ટાફ આઉટસોર્સ DGP ઓફિસના સાયબર વિભાગમાં 326 જગ્યા ખાલી રોજગાર-શ્રમ વિભાગમાં જ 2,304 જગ્યા ખાલી પેરામેડિકલ સ્ટાફમાં 5 હજારથી વધુ જગ્યા ખાલી ક્લાઇમેટ વિભાગમાં માત્ર 25 જગ્યા, ભરાયેલી 16
82 shares
😐