Achira News Logo
Achira News
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:12 PM
ભાવનગર શિક્ષણ સમિતિએ શાળાનું નામ બદલીને ખર્ચને મંજૂરી આપી

ભાવનગર શિક્ષણ સમિતિએ શાળાનું નામ બદલીને ખર્ચને મંજૂરી આપી

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સાધારણ સભામાં ગત બજેટમાં કરેલ જોગવાઈઓના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી જેથી આગામી નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષણ સમિતિના બાળકોને શૈક્ષણિક રમકડા, સંગીતના સાધનો અને યુનિફોર્મ સહિતની સુવિધા મ શિક્ષણ સમિતિની આજે મળેલી સભા દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવી ભળેલ નવાબંદર પ્રાથમિક શાળાનું નામ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રાથમિક શાળા રાખવાનો નિર્ણય કર્યો હતો. તદુપરાંત શિક્ષણ સમિતિની શાળાઓમાં બાલવાટિકા થી ધોરણ 3 સુધી મોન્ટેસરી પદ્ધતિ મુજબના શૈક્ષણિક રમકડાની ખરીદી કરવા, શાળા દીઠ સંગીતના સાધનોની ખરીદી કરવાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિની શાળાઓનો પણ ખાનગી શાળાઓની જેમ પ્રચાર થાય તે માટે પ્રતિભાશાળી બાળકોના ફ્લેમિંગ સાથેના બોર્ડ બનાવવાને પણ મંજૂર કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું સન્માનનું તેમજ આગામી દિવસોમાં શિયાળુ રમતોત્સવના આયોજનના ખર્ચને મંજુર કરવામાં આવ્યું હતું.
20 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 05:38 PM
દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગ 2026ની સતત ચોથી ફાઇનલમાં પહોંચી

દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગ 2026ની સતત ચોથી ફાઇનલમાં પહોંચી

વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની એલિમિનેટર મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીએ ગુજરાતને 7 વિકેટથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. દિલ્હી કેપિટલ્સ કેપ્ટન જેમીમા રોડ્રિગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે દિલ્હી માટે 169 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. દિલ્હીએ આ ટાર્ગેટ 15.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. દિલ્હીની ટીમ સતત ચોથી સિઝનમાં ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.
11 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:30 PM
કપિલ દેવે પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણયને વખોડ્યોઃ'આખી પેઢીને બરબાદ કરી રહી છે'

કપિલ દેવે પાકિસ્તાનના બહિષ્કારના નિર્ણયને વખોડ્યોઃ'આખી પેઢીને બરબાદ કરી રહી છે'

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા રમત કરતા લાગણી અને હાઈ-વોલ્ટેજ ડ્રામા વધુ હોય છે. આગામી ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી T20 વર્લ્ડ કપની મહાજંગ પહેલા જ પાકિસ્તાન સરકારે મેચનો બહિષ્કાર કરવાનો જે નિર્ણય લીધો છે, તેણે ખેલ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે ભારતના દિગ્ગજ કેપ્ટન કપિલ દેવે મૌન તોડતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ત્યાંના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા છે. કપિલ દેવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રમતને રાજકારણની ભેટ ચડાવીને પાકિસ્તાન કોઈ બીજાનું નહીં પણ પોતાના જ દેશના યુવા ખેલાડીઓનું નુકસાન કરી રહ્યું છે. કપિલ દેવના મતે, આ પ્રકારના એકતરફી નિર્ણયોથી પાકિસ્તાનની એક આખી પેઢી બરબાદ થઈ જશે. તેમણે ભાર મૂક્યો હતો કે જો ખેલાડીઓ પોતે રમવા માંગતા ન હોય તો વાત અલગ છે, પરંતુ જ્યારે બોર્ડ અથવા સરકાર આવા નિર્ણયો થોપે છે ત્યારે તે રમતની ભાવના અને દેશની આંતરરાષ્ટ્રીય છબીને કાયમી નુકસાન પહોંચાડે છે. કપિલ દેવે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન આ જ રીતે વૈશ્વિક મંચ પરથી પીછેહઠ કરતું રહેશે, તો ભવિષ્યમાં કોઈ દેશ તેમની સાથે રમવા તૈયાર નહીં થાય અને પાકિસ્તાની ક્રિકેટ જગતથી સાવ અલિપ્ત થઈ જશે. બીજી તરફ, આ બહિષ્કારના નિર્ણયથી ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ભારે દબાણમાં છે. ભારત-પાકિસ્તાન મેચ એ કોઈપણ ટુર્નામેન્ટ માટે કમાણીનું મુખ્ય સાધન હોય છે અને કરોડો દર્શકો આ મેચની રાહ જોતા હોય છે. બાંગ્લાદેશની મધ્યસ્થતાની માંગ ફગાવી દીધા બાદ હવે પાકિસ્તાનનું આ અડિયલ વલણ ક્રિકેટના આર્થિક માળખાને પણ અસર કરી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે ICC આ વિવાદને થાળે પાડવા માટે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી આ વર્લ્ડ કપ ઈતિહાસમાં એક વિવાદિત પ્રકરણ તરીકે નોંધાઈ જશે.
74 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:00 PM
WPL એલિમિનેટરઃ ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ-કોણ ફાઇનલમાં પહોંચશે?

WPL એલિમિનેટરઃ ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ-કોણ ફાઇનલમાં પહોંચશે?

વડોદરા:સંસ્કારી નગરી વડોદરામાં આજે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહનો માહોલ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મહત્વપૂર્ણ એલિમિનેટર મેચ આજે સાંજે07:30વાગ્યે વડોદરાના કોટંબી સ્થિતBCAસ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં યજમાન ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો જેમીમાહ રોડ્રિગ્સની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે થશે. બંને ટીમો માટે આ મેચ'કરો અથવા મરો'સમાન છે,કારણ કે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. ફાઈનલની ટિકિટ કોને મળશે? આજની મેચમાં જે ટીમ વિજયી બનશે તે સીધી ગુરુવારે રમાનારી ફાઈનલમાં પ્રવેશ કરશે. ફાઈનલમાં તેમની ટક્કર સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)સામે થશે. ઉલ્લેખનીય છે કે, RCBની ટીમ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂકી છે. કેવું છે બંને ટીમોનું પ્રદર્શન?
72 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 04:56 PM
મુંબઈ એરપોર્ટ પર બે વિમાનોની ટક્કરથી મોટી દુર્ઘટના ટળી

મુંબઈ એરપોર્ટ પર બે વિમાનોની ટક્કરથી મોટી દુર્ઘટના ટળી

મોટી જાનહાનિ ટળી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. એરપોર્ટના રન-વે પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનોના પાંખિયા (વિંગ્સ) એકબીજા સાથે ટકરાયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન મુંબઈથી કોઈમ્બતૂર જવા માટે રવાના થઈ રહ્યું હતું. ટેક્સીઈંગ દરમિયાન બંને વિમાનોના પાંખિયાના છેડા એકબીજા સાથે ઘસાતા જોરદાર અવાજ થયો હતો, જેના કારણે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને વિમાનમાં સવાર મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, આ ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ADVERTISEMENT Mumbai Airport | While Air India AI2732 was taxiing from C1 towards M4 for departure, and the IndiGo arrival flight was taxing joining B1, the right wing tips of both the aircraft touched each other. Both aircraft were taxiing at the time of the incident. Both aircraft returned…pic.twitter.com/hZXxlrrx9l India India India India India Gujarat World Sports Gujarat Crime Surat News: કોર્ટમાં ખોટી જુબાની આપવી ભારે પડી, હત્યા કેસમાં ફરી ગયેલા 6 સાક્ષીઓને જેલની સજા
3 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 04:44 PM
ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇંગ્લેન્ડ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું

ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇંગ્લેન્ડ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું

અંડર-19 વર્લ્ડકપની પહેલી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થયો હતો. આ મેચ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે 4 વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 47.3 ઓવરમાં 250 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડના કેપ્ટન થોમસ રીવ્સને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
59 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 02:29 PM
સંજુ સેમસન ICC T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે

સંજુ સેમસન ICC T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે

સંજુ સેમસન હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી છે. ન્યુઝીલેન્ડ સામે સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ICC T20 વર્લ્ડકપ માટે તૈયારી કરી રહી છે, પરંતુ ધ્યાન સંજુ સેમસન પર છે. આનું કારણ એ છે કે તે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો.
35 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:27 PM
સૂફિયા સૂફીએ સૌથી લાંબી અલ્ટ્રા મેરેથોન દોડનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સૂફિયા સૂફીએ સૌથી લાંબી અલ્ટ્રા મેરેથોન દોડનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અજમેર, તા.૩: રાજસ્‍થાનના અજમેરમાં રહેતી અલ્‍ટ્રા મૅરથૉન રનર સુફિયા સુફીએ દોડવાનો અનોખો વર્લ્‍ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેણે મનાલીથી લેહ સુધીની ૪૮૦ કિલોમીટરની મૅરથૉન ૧૦૦ કલાકની અંદર પૂરી કરી હતી. સુફિયાએ મનાલીથી લેહ સુધી ૯૮.૨ કલાક સુધી દોડીને ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ બનાવ્‍યો છે. ૨૦૨૧માં સુફિયાએ આટલું જ અંતર કાપવા માટે ૧૫૬ કલાકનો સમય લીધો હતો. જોકે એ કારનામાને કારણે તેને હિમાલયનો હાઇવે દોડીને પાર કરનાર મહિલાનો ખિતાબ મળ્‍યો હતો. હવે તેણે પોતાનો જ રેકૉર્ડ તોડીને ૧૦૦ કલાકની અંદર જસ્‍ટ ૯૮.૨ કલાક સતત દોડીને એક માણસની સહનશક્‍તિની નવી ચરમસીમા પાર કરી હતી. ૪૮૦ કિલોમીટરનો આ રસ્‍તો દુનિયાના સૌથી મુશ્‍કેલ ટ્રેકમાંનો એક છે, કેમ કે એમાં લગભગ ૧૭૦૦૦ ફુટ ઊંચો પહાડી વિસ્‍તાર દોડીને પાર કરવાનો છે. દોડ દરમ્‍યાન ઝીરોથી નીચા તાપમાનમાં અને ૫૬ ટકાથી ઓછા ઑક્‍સિજન-લેવલ પર તેની કસોટી થઈ હતી. સુફિયાનું આ કારનામું ૨૦૨૩માં થયું હતું. એ વખતે ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ્‍સ દ્વારા તમામ પરિમાણો મૉનિટર કરવામાં આવ્‍યાં હતાં. જોકે આ કારનામાને ઑફિશ્‍યલ ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ આપવાનું કામ તાજેતરમાં થયું છે. લગભગ બે વર્ષ પછી સુફિયાને તેના વિશ્વવિક્રમનું પ્રમાણપત્ર મળ્‍યું છે.
81 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 02:21 PM
ઈજાગ્રસ્ત થયા બાદ મયાંક યાદવે ક્રિકેટમાં વાપસી કરી

ઈજાગ્રસ્ત થયા બાદ મયાંક યાદવે ક્રિકેટમાં વાપસી કરી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના સૌથી ઝડપી ઉભરતા સિતારા અને પોતાની ગતિથી બેટ્સમેનોના સ્ટમ્પ ઉખેડી નાખનાર મયંક યાદવ ફરી એકવાર મેદાનમાં પરત ફર્યો છે. ઈજાના કારણે છેલ્લા નવ મહિનાથી ક્રિકેટથી દૂર રહેલો આ યુવા બોલર T20 વર્લ્ડ કપ 2026 ની પ્રેક્ટિસ મેચમાં ઈન્ડિયા-A તરફથી રમતા જોવા મળ્યો હતો. 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલ ફેંકવાની ક્ષમતા ધરાવતા મયંકે મેદાનમાં ઉતરીને સંકેત આપી દીધા છે કે તે મોટી ઈનિંગ માટે તૈયાર છે.કેવું રહ્યું કમબેક?યુનાઇટેડ સ્ટેટ્સ (USA) સામેની વોર્મ-અપ મેચમાં મયંક યાદવે પોતાની ગતિ તો બતાવી, પરંતુ લાંબા સમય બાદ મેદાન પર હોવાથી તેની લય થોડી બગડેલી જોવા મળી હતી. તેણે 3 ઓવરમાં 37 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી ન હતી. જોકે, ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઈજા બાદ મેદાનમાં પરત ફરતી વખતે લય પકડવામાં થોડો સમય લાગે છે. હવે આગામી 6 ફેબ્રુઆરીએ નામિબિયા સામેની મેચમાં તેની બોલિંગ પર સૌની નજર રહેશે.IPL 2026 માં મચાવશે ધૂમમયંક યાદવ માટે ગત વર્ષ ઉતાર-ચઢાવ વાળું રહ્યું હતું. IPL 2025 માં પંજાબ કિંગ્સ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે બહાર થઈ ગયો હતો. પરંતુ હવે તે સંપૂર્ણ ફિટ છે અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વતી IPL 2026 માં રમવા માટે ઉત્સાહિત છે. અત્યાર સુધીમાં મયંકે 6 IPL મેચમાં 9 વિકેટ ઝડપી છે અને 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈતિહાસ રચ્યો છે.મયંક યાદવની અત્યાર સુધીની સફર:• ડેબ્યૂ: IPL 2024 માં ધમાકેદાર એન્ટ્રી.• રેકોર્ડ: લીગના ઈતિહાસના સૌથી ઝડપી બોલરોમાં સ્થાન.• આંતરરાષ્ટ્રીય: ભારત માટે 3 T20 મેચમાં 4 વિકેટ.ઈજાઓ તેના કરિયરમાં વિઘ્ન બની છે, પરંતુ આ વખતે તે 'નવી ગતિ અને જૂના જોશ' સાથે પરત ફર્યો છે. જો તે પોતાની ફિટનેસ જાળવી રાખશે, તો આગામી T20 વર્લ્ડ કપમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
32 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:46 PM
પાકિસ્તાનનો ભારત સામેની મેચ ન રમવાનો નિર્ણય ટીમને વહેલા બહાર થવાનું જોખમ ઊભું કરે છે

પાકિસ્તાનનો ભારત સામેની મેચ ન રમવાનો નિર્ણય ટીમને વહેલા બહાર થવાનું જોખમ ઊભું કરે છે

નવી દિલ્‍હી તા.૩: પાકિસ્‍તાને ભારત સામે નહીં રમવાનો નિર્ણય કરીને પોતાની જ મુશ્‍કેલી વધારી દીધી હોવાના તારણો સામે આવી રહ્યા છે, કારણ કે પાકિસ્‍તાન ભારત સામે ન ઉતરે તો તેણે ગ્રુપ સ્‍ટેજની તેની ત્રણે મેચ જીતવી પડશે. જેમાં બે ટીમો એવી છે કે જે પાકિસ્‍તાનના નાકમાં દમ કરી શકે છે. પાકિસ્‍તાને ટી૨૦ વર્લ્‍ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્‍થિતિમાં પાકિસ્‍તાને પોતાને જ નુકસાન પહોંચાડ્‍યું છે, કારણ તે આમ કરીને ટી૨૦ વર્લ્‍ડ કપમાંથી જલદી બહાર થઈ શકે છે.ICC T૨૦ વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાન ગ્રુપ ખ્‍માં નેધરલેન્‍ડ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સામે ટકરાશે. પાકિસ્‍તાને ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. યુનાઇટેડ સ્‍ટેટ્‍સે ગયાT20વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાનને હરાવ્‍યું હતું અને આ વખતે પણ તે ખતરનાક ફોર્મમાં છે. પરિણામે, પાકિસ્‍તાન ગ્રુપ સ્‍ટેજમાંથી બહાર થવાનો ભય ધરાવે છે ICC T20વર્લ્‍ડ કપનો ગ્રુપ સ્‍ટેજ પાકિસ્‍તાન માટે પડકારજનક લાગે છે. સલમાન અલી આગાની ટીમ ગ્રુપAમાં નેધરલેન્‍ડ્‍સ (૭ ફેબ્રુઆરી) અને અમેરિકા (૧૦ ફેબ્રુઆરી) સામે તેની પ્રથમ બે મેચ રમશે. આ પછી, પાકિસ્‍તાને ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આના પરિણામે બે પોઈન્‍ટ ગુમાવવા પડશે અને નેટ રન રેટમાં ઘટાડો થશે. ગ્રુપ સ્‍ટેજની પ્રથમ બે મેચ પાકિસ્‍તાન માટે સરળ રહેશે નહીં, કારણ કે નેધરલેન્‍ડ્‍સ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે. ગયાT20વર્લ્‍ડ કપમાં યુનાઇટેડ સ્‍ટેટ્‍સે સુપર ઓવરમાં પાકિસ્‍તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્‍યો હતો. આ સ્‍પષ્ટપણે નીચલા ક્રમાંકિત ટીમો સામે પાકિસ્‍તાનની નબળાઈ દર્શાવે છે. ભારતAસામેની વોર્મ-અપ મેચમાં યુએસએ ટીમના ૨૦૦ રનથી ટીમ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. નેધરલેન્‍ડ્‍સે ૨૦૨૨નાT20વર્લ્‍ડ કપમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાને ડાર્ક હોર્સ સાબિત કર્યો હતો. તેમણે ૨૦૦૯માં ઈંગ્‍લેન્‍ડ જેવી મજબૂત ટીમને પણ હરાવી હતી.
3 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:33 PM
ભારત 2027માં એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપનું આયોજન કરશે, 2028 ઓલિમ્પિક માટે ક્વોટા જગ્યા પૂરી પાડશે

ભારત 2027માં એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપનું આયોજન કરશે, 2028 ઓલિમ્પિક માટે ક્વોટા જગ્યા પૂરી પાડશે

નવી દિલ્હી: એશિયન શૂટિંગ કન્ફેડરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારત 2027 માં એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપનું આયોજન કરશે. આ સ્પર્ધા 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે કુલ આઠ ક્વોટા સ્થાનો આપશે. આ સ્પર્ધા 1 થી 10 ડિસેમ્બર દરમિયાન અહીં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે યોજાશે. એશિયન રાઇફલ અને પિસ્તોલ ચેમ્પિયનશિપ 2027 નું આયોજન નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા 1 થી 10 ડિસેમ્બર, 2027 દરમિયાન નવી દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે કરવામાં આવશે.એશિયન શૂટિંગ કન્ફેડરેશન દ્વારા એક પ્રકાશનમાં જણાવાયું છે કે આ ચેમ્પિયનશિપ વધુ મહત્વ ધરાવે છે કારણ કે તે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે આઠ એશિયન ક્વોટા સ્થાનો આપશે.ભારતે શૂટિંગ ક્વોલિફાઇંગ સ્પર્ધાઓ દ્વારા 2024 પેરિસ ઓલિમ્પિક માટે મહત્તમ 16 ક્વોટા સ્થાનો મેળવ્યા છે, જેમાં રાઇફલ અને પિસ્તોલ ઇવેન્ટ્સમાં દરેકમાં આઠ સ્થાનોનો સમાવેશ થાય છે. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024 માં રેકોર્ડ 21 શૂટર્સ મોકલ્યા, જે ટોક્યો ઓલિમ્પિકમાં મોકલવામાં આવેલા 15 કરતા નોંધપાત્ર રીતે વધુ છે. ભારતીય શૂટર્સે પેરિસ ઓલિમ્પિક 2024 માં કુલ ત્રણ મેડલ જીત્યા હતા, જે બધા બ્રોન્ઝ હતા.ભારત હાલમાં ઘરઆંગણે સારા પ્રદર્શનની આશા રાખી રહ્યું છે, કારણ કે દિલ્હી 2 થી 14 ફેબ્રુઆરી દરમિયાન એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ (રાઇફલ/પિસ્તોલ) નું આયોજન કરવા જઈ રહ્યું છે. યજમાન દેશ ભારતે આ સ્પર્ધા માટે 118 એથ્લેટ્સની સૌથી મોટી ટીમ ઉતારી છે, જ્યારે કઝાકિસ્તાન 35 એથ્લેટ્સ સાથે બીજા ક્રમે છે.
6 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:06 PM
આર્થિક ચિંતા વચ્ચે પાકિસ્તાને ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કર્યો

આર્થિક ચિંતા વચ્ચે પાકિસ્તાને ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કર્યો

નવી દિલ્હી: પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની T20 વર્લ્ડ કપ 2026 મેચનો બહિષ્કાર કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના નિર્ણયથી સંભવિત નાણાકીય નુકસાનની ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે બેક-ચેનલ વાટાઘાટો શરૂ થઈ છે. પાકિસ્તાન ભારત, નામિબિયા, નેધરલેન્ડ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) સાથે ગ્રુપ A માં છે. T20 વર્લ્ડ કપ 2026 નું ભારત અને શ્રીલંકા દ્વારા સહ-યજમાન બનવાનું છે, પરંતુ પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. રવિવારે, પાકિસ્તાન સરકારે જાહેરાત કરી કે તેની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે T20 વર્લ્ડ કપ ગ્રુપ-સ્ટેજ મેચ રમશે નહીં. અહેવાલો અનુસાર, આ નિર્ણયથી વિશ્વ ક્રિકેટને $250 મિલિયનથી વધુનું નુકસાન થઈ શકે છે. ICC પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે સમાધાન શોધી રહ્યું છે. 'ધ ડોન'ના એક અહેવાલ મુજબ, કેટલાક અન્ય ક્રિકેટ બોર્ડે આ સંદર્ભમાં ICCને ટેકો આપ્યો છે.આ પગલા માટે પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ ICC એ PCB ને સ્પષ્ટપણે કહ્યું છે કે જો ભારત સામેની મેચનો બહિષ્કાર કરવામાં આવે તો તેના વ્યાપક અને દૂરગામી પરિણામો પર વિચાર કરે.પાકિસ્તાન સરકારની જાહેરાત બાદ, ICC એ રવિવારે એક નિવેદન બહાર પાડીને PCB ને પરસ્પર સંમતિથી ઉકેલ શોધવા વિનંતી કરી, ચેતવણી આપી કે પસંદગીયુક્ત ભાગીદારી વૈશ્વિક સ્પર્ધાના સિદ્ધાંતોને નબળી પાડે છે.ICC એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ICC પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી સત્તાવાર સંદેશાવ્યવહારની રાહ જોઈ રહ્યું છે. આ પસંદગીયુક્ત ભાગીદારી વૈશ્વિક રમતગમત ઇવેન્ટના મૂળભૂત સિદ્ધાંત સાથે સુસંગત નથી, જ્યાં બધી ટીમો ઇવેન્ટ શેડ્યૂલ અનુસાર સમાન શરતો પર સ્પર્ધા કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.ICC એ આશા વ્યક્ત કરી હતી કે PCB તેના દેશમાં ક્રિકેટ માટે વ્યાપક અને લાંબા ગાળાના પરિણામો પર વિચાર કરશે, કારણ કે આનાથી વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ પર અસર થવાની સંભાવના છે, જેનો તે સભ્ય અને લાભાર્થી છે.]
68 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 01:01 PM
હરિયાણા 2036 ઓલિમ્પિક રમતોત્સવની યજમાનીથી વંચિત રહ્યુંઃ એક'મેડલ માઇન'પાછળ રહી ગઈ

હરિયાણા 2036 ઓલિમ્પિક રમતોત્સવની યજમાનીથી વંચિત રહ્યુંઃ એક'મેડલ માઇન'પાછળ રહી ગઈ

ચંદીગઢ : હરિયાણાના રાજકારણમાં અત્યારે રમતગમત અને વિકાસના મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભામાં સાંસદ દીપેન્દ્ર હુડાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે, 2036 ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે ગુજરાત સરકારે દરખાસ્ત મોકલી છે, પરંતુ 'મેડલની ખાણ' ગણાતા હરિયાણા તરફથી કોઈ જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. આ બાબતને હુડાએ રાજ્ય સરકારની ઘોર નિષ્ફળતા ગણાવી છે.ગુજરાત વર્સિસ હરિયાણા: હુડાનો તર્ક દીપેન્દ્ર હુડાએ પૂર્વના ઉદાહરણો આપતા જણાવ્યું કે, 1982 એશિયન ગેમ્સ અને 2010 કોમનવેલ્થ ગેમ્સ વખતે દિલ્હીમાં લાખો કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું હતું, જેનો ફાયદો હરિયાણાને પણ મળ્યો હતો. હવે જ્યારે રાષ્ટ્રીય તિજોરીમાંથી ઓલિમ્પિક માટે જંગી ખર્ચ થશે, ત્યારે તેનો લાભ માત્ર ગુજરાતને જ કેમ? તેમણે સવાલ કર્યો કે, દેશની માત્ર 2.5% વસ્તી ધરાવતું હરિયાણા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેડલ લાવે છે, તો પછી યજમાનીની તક કેમ નહીં?જર્જરિત સુવિધાઓ અને સરકારનું મૌન હુડાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, હરિયાણાના ખેલાડીઓ આજે પણ સુવિધાઓના અભાવે કાદવના મેદાનોમાં પ્રેક્ટિસ કરે છે. રાજ્યના રમતવીરો જ્યારે જર્જરિત સ્ટેડિયમોમાં જીવ ગુમાવે છે ત્યારે સરકાર ચૂપ રહે છે. સોનીપત રેલ કોચ ફેક્ટરી અને મેહમ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સ હાથમાંથી ગયા છતાં સરકારની નિષ્ક્રિયતા રાજ્યના યુવાનોના રોજગાર છીનવી રહી છે.મુખ્ય માંગણીઓ:• સહ-યજમાનનો દરજ્જો: હરિયાણાને 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકમાં સહ-યજમાન તરીકે સામેલ કરવામાં આવે.• સ્પેશિયલ પેકેજ: રાજ્યમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમો બનાવવા માટે કેન્દ્ર સરકાર ખાસ પેકેજ જાહેર કરે.• જવાબદેહી: રાજ્ય સરકાર સ્પષ્ટતા કરે કે તેમણે અત્યાર સુધી યજમાની મેળવવા માટે શું પ્રયાસો કર્યા છે.દીપેન્દ્ર હુડાએ અંતમાં ઉમેર્યું કે, જે રાજ્ય ભારત માતાના ખજાનાને મેડલથી ભરી દે છે, તેને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.
92 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 12:49 PM
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત પ્રથમ વોર્મ-અપ મેચ માટે તૈયાર

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત પ્રથમ વોર્મ-અપ મેચ માટે તૈયાર

T20 વર્લ્ડકપ 2026ની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે. આ પહેલા હાલમાં વોર્મ-અપ મેચો ચાલી રહી છે. હવે ટીમ ઈન્ડિયા પણ તેની પહેલી વોર્મ-અપ મેચ રમવા માટે તૈયાર છે. આ પહેલા ઈન્ડિયા A ટીમ યુએસએ સામે રમી હતી. પરંતુ હવે જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની એ જ ટીમ મેદાનમાં ઉતરશે, જે ટીમ વર્લ્ડકપમાં રમતી જોવા મળશે. તે પહેલાં મેચ ક્યારે અને ક્યાં છે તે જાણો. આ સિવાય મેચ કેટલા વાગ્યે શરૂ થશે તે જાણો.
46 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 12:14 PM
મણિપુરમાં સરકાર રચવા માટે ભાજપના નેતાઓની બેઠક

મણિપુરમાં સરકાર રચવા માટે ભાજપના નેતાઓની બેઠક

અમિત શાહ કાર્યાલયમાં પહોંચ્યા મણિપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક ટૂંક સમયમાં શરૂ થશે. આ બેઠક પાર્ટી મુખ્યાલય ખાતે યોજાશે. બેઠક પહેલા ભાજપના મહાસચિવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. અમિત શાહ આ બેઠક માટે વિસ્તાર કાર્યાલય પહોંચી ચૂક્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ મીટિંગ હોલમાં હાજર છે. મણિપુરના ધારાસભ્યો થોડીવારમાં મીટિંગ સ્થળ પર પહોંચશે. ADVERTISEMENT અગાઉ, ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે મણિપુર પાર્ટીના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી માટે બેઠક માટે પાર્ટીના મહાસચિવ તરુણ ચુઘને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. પાર્ટીનો આ નિર્ણય રાજ્યમાં સરકારની રચનાની સંભાવનાનો સંકેત આપે છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા બોલાવવામાં આવ્યા બાદ મણિપુરના NDA ધારાસભ્યો રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. India India India India India Sports Gujarat Crime Gujarat Gujarat Delhi Capitalsએ 7 વિકેટે મેચ જીતી, ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઈનલમાં કરી એન્ટ્રી
91 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 12:09 PM
ICC T20 વર્લ્ડ કપ 2026 માટે કેપ્ટનોની જાહેરાતઃ તમામ 20 ટીમો પર એક નજર

ICC T20 વર્લ્ડ કપ 2026 માટે કેપ્ટનોની જાહેરાતઃ તમામ 20 ટીમો પર એક નજર

ICC T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં કુલ 20 ટીમો ભાગ લેશે. શ્રીલંકાની ટીમની જાહેરાત સાથે ટુર્નામેન્ટ માટેની બધી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા 2 ફેબ્રુઆરીએ તેની ટીમની જાહેરાત કરનાર સૌથી છેલ્લે હતું. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2026 માટે તેની ટીમની જાહેરાત કરનારી પહેલી ટીમ હતી. ટીમ ઈન્ડિયાએ 20 ડિસેમ્બરે જ તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. હવે જ્યારે T20 વર્લ્ડકપ 2026 માટે બધી ટીમોની જાહેરાત થઈ ગઈ છે, તો તમને જણાવી દઈએ કે તમામ 20 ટીમોના કેપ્ટન કોણ છે.
30 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:34 AM
'જન નાયકન'વિવાદઃ કાયદાકીય મુદ્દાઓ વચ્ચે થલપતિ વિજયની ફિલ્મની રજૂઆત અટકાવી દેવામાં આવી

'જન નાયકન'વિવાદઃ કાયદાકીય મુદ્દાઓ વચ્ચે થલપતિ વિજયની ફિલ્મની રજૂઆત અટકાવી દેવામાં આવી

થલાપતિ વિજયની ‘જન નાયકન’ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર થલાપતિ વિજયની બહુપ્રતિક્ષિત ફિલ્મ “જન નાયકન” છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ હતો, કારણ કે અહેવાલો મુજબ આ વિજયની છેલ્લી ફિલ્મ બની શકે છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તે કાનૂની અને પ્રમાણપત્ર સંબંધિત વિવાદોમાં ફસાઈ ગઈ છે, જેના કારણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ છે. ADVERTISEMENT જન નાયકન મૂળ રૂપે પોંગલ પહેલા, 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થવાની હતી. થિયેટર માલિકોએ પણ આ તારીખને ધ્યાનમાં રાખીને મોટા પાયે તૈયારી કરી હતી. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મ સામે ફરિયાદ નોંધાતા તેને રિવાઇઝિંગ કમિટીને મોકલવામાં આવી. આ નિર્ણય બાદ ફિલ્મની રિલીઝ અચાનક અટકી ગઈ. Entertainment Entertainment Entertainment Entertainment Entertainment Gujarat Sports Business India Gujarat Gandhinagar માં આવતીકાલે હાઈવોલ્ટેજ કેબિનેટ બેઠક, બજેટથી લઈને શિવરાત્રી મેળા સુધીના મુદ્દાઓ પર થશે મંથન
33 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:04 AM
ભારતઃ હત્યાના કેસમાં ખોટી જુબાની આપવા બદલ છ સાક્ષીઓને જેલની સજા

ભારતઃ હત્યાના કેસમાં ખોટી જુબાની આપવા બદલ છ સાક્ષીઓને જેલની સજા

India-US Trade Deal ADVERTISEMENT Business Business Business Business Business Gujarat World Sports Gujarat Crime Surat News: કોર્ટમાં ખોટી જુબાની આપવી ભારે પડી, હત્યા કેસમાં ફરી ગયેલા 6 સાક્ષીઓને જેલની સજા
49 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 10:45 AM
પ્રખ્યાત વાર્તાકાર સંતોના જાહેર વિવાદો સામે ચેતવણી આપે છે

પ્રખ્યાત વાર્તાકાર સંતોના જાહેર વિવાદો સામે ચેતવણી આપે છે

"આ સનાતન માટે નુકસાનકારક છે" મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના પ્રખ્યાત કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંતો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સાધુઓ અને સંતો એકબીજા સામે જાહેર રીતે બોલે છે, એકબીજાની નિંદા કરે છે, જે સનાતન ધર્મની છબી માટે હાનિકારક છે. તેમના મતે, આવા ઝઘડાઓથી સમાજમાં નકારાત્મક સંદેશ જાય છે અને શ્રદ્ધાળુઓમાં ગેરસમજ ફેલાય છે. ADVERTISEMENT This is a modal window. Beginning of dialog window. Escape will cancel and close the window. End of dialog window. ઇન્દોર એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન પંડિત શાસ્ત્રીએ જણાવ્યું કે સંતો વચ્ચેના વિવાદ પર ટિપ્પણી કરવી તેમનું સ્થાન નથી, પરંતુ જે રીતે સાધુઓ એકબીજા સામે બોલી રહ્યા છે, તે સનાતન માટે નુકસાનકારક છે. તેમણે કહ્યું, “અમે હજી સુધી સાચા અર્થમાં સંત બન્યા નથી. સંત બનવું એ માત્ર વેશભૂષાથી નહીં, પરંતુ પોતાના આચરણ અને વિચારોથી બને છે.” India India India India India Gujarat Crime Gujarat Gujarat Sports Ahmedabad News: નિરમા યુનિવર્સિટી પાસેથી 3 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ
15 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 10:27 AM
પાકિસ્તાનના બહિષ્કારથી ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચની ધમકીઃ શું ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવો જોઈએ?

પાકિસ્તાનના બહિષ્કારથી ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચની ધમકીઃ શું ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવો જોઈએ?

બધાની નજર T20 વર્લ્ડકપ 2026ની સૌથી મોટી સ્પર્ધાઓમાંની એક ભારત-પાકિસ્તાન મેચ પર છે. તાજેતરમાં પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચને બોયકોટ કરવાની જાહેરાત કરી છે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવાની છે, પરંતુ જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહે છે, તો IND vs PAK મેચ રદ્દ કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જો મેચ નહીં થાય, તો શું ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાનો પ્રવાસ કરવો જોઈએ? ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસ કરવો જોઈએ. જો ભારત આ મેચથી 2 પોઈન્ટ મેળવવા માગે છે, તો તેને શ્રીલંકાનો પ્રવાસ કરવો પડશે.
65 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 10:25 AM
T20 વર્લ્ડ કપ 2026: કેપ્ટનનો ખુલાસો, સૌથી યુવાનથી લઈને સૌથી વૃદ્ધ-એક પૂર્વાવલોકન

T20 વર્લ્ડ કપ 2026: કેપ્ટનનો ખુલાસો, સૌથી યુવાનથી લઈને સૌથી વૃદ્ધ-એક પૂર્વાવલોકન

બિગ બેશ લીગમાં સ્મિથનું પ્રદર્શન ADVERTISEMENT This is a modal window. Beginning of dialog window. Escape will cancel and close the window. End of dialog window. Sports Sports Sports Sports Sports Gujarat Gujarat Entertainment India Entertainment T20 WC 2026: 20 ટીમોની કેપ્ટનશીપ કોણ કરશે? સૌથી નાના અને મોટી ઉંમરના કેપ્ટન કોણ છે?
50 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 10:17 AM
ટ્રેડ ડીલની જાહેરાત વચ્ચે ભારતીય શેર બજાર સકારાત્મક રીતે બંધ થયું

ટ્રેડ ડીલની જાહેરાત વચ્ચે ભારતીય શેર બજાર સકારાત્મક રીતે બંધ થયું

Stock Market Closing શેરબજાર તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બપોરે 3.30 કલાકે લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 2072 પોઇન્ટના ઘટાડા સાથે 83,739.13 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +639.15 પોઇન્ટના ઘટાડા સાથે 25,727.55 અંકે બંધ થયો. ADVERTISEMENT મંગળવારે (૩ ફેબ્રુઆરી) એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત તેજી સાથે ખુલ્યા. અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર વેપાર કરારની જાહેરાતથી બજારમાં તેજી જોવા મળી હતી. આના કારણે વ્યાપક ખરીદી જોવા મળી. Business Business Business Business Business Gujarat India World Sports Gujarat Panchmahalના શહેરામાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા, ધો-12ના વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી દીધો લાફો
76 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 09:32 AM
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની U19 વર્લ્ડ કપ મેચ ક્યારે અને ક્યાં જોવી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની U19 વર્લ્ડ કપ મેચ ક્યારે અને ક્યાં જોવી

તમારી ઉંમર કેટલી લાંબી હશે? ADVERTISEMENT Lifestyle Lifestyle Lifestyle Lifestyle Lifestyle Sports Gujarat India Business Gujarat IND Vs AFG U19 WC: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કેટલા વાગ્યે શરૂ થશે મેચ? જાણો
41 shares
😐
Akila News logo
Akila News
Feb 3, 2026, 09:02 AM
રાજકોટ તરવૈયાઓએ રાષ્ટ્રીય દરિયાઈ તરવાની સ્પર્ધામાં ચમક દેખાડી

રાજકોટ તરવૈયાઓએ રાષ્ટ્રીય દરિયાઈ તરવાની સ્પર્ધામાં ચમક દેખાડી

રાજકોટ, તા.૨: તાજેતરમાં પોરબતારીખ ૪ જાન્‍યુઆરી ૨૦૨૬ ના રોજ આયોજિત રાષ્‍ટ્રીય સી સ્‍વિમિંગ સ્‍પર્ધામાં રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍વીમીંગ એસોસિએશનના ત્રણ પ્રતિભાશાળી સ્‍વિમર્સે નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. આ સ્‍પર્ધામાં ૧૦ કિલોમીટર સમુદ્ર તરણ સ્‍પર્ધામાં પાર્થિવ મેઘાણીએ ૩ કલાક ૨૬ મિનિટ ૧૬ સેકન્‍ડના સમયમાં સફળતાપૂર્વક નિર્ધારિત અંતર પૂર્ણ કર્યું હતું, જ્‍યારે દિવ્‍યે ચોટલીયાએ આ જ સ્‍પર્ધા ૩ કલાક ૩૫ મિનિટ ૪૯ સેકન્‍ડમાં પૂર્ણ કરી હતી. આ ઉપરાંત ૧૫ કિલોમીટર ફિમેલ સમુદ્ર વીર સ્‍પર્ધામાં વેનેસા શુક્‍લાએ સમગ્ર ભારતમાંથી ત્રીજું સ્‍થાન મેળવી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વેનેસા શુક્‍લાએ આ કઠિન સ્‍પર્ધા ૫ કલાક ૩૬ મિનિટ ૧૦ સેકન્‍ડમાં પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે વેનેસા શુક્‍લા અગાઉ પણ વર્ષ ૨૦૨૨ માં દ્વારિકા થી સોમનાથ ૨૫૨ કિલોમીટર સમુદ્ર તરણ એક્‍સપિડિશનમાં તેમજ ચોરવાડ થી વેરાવળ આશરે ૨૯ કિલોમીટર સમુદ્ર તરણ સ્‍પર્ધામાં ભાગ લઈ ચૂકી છે.
19 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 08:40 AM
અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે ભારત

અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે ભારત

અંડર-19 વર્લ્ડકપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે.ટૂર્નામેન્ટનો બીજો સેમિફાઇનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બુધવાર, 4 ફેબ્રુઆરીના રોજ રમાશે.આ હાઇ-વોલ્ટેજ મેચ ઝિમ્બાબ્વેના હરારેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે, જ્યાં બંને ટીમો ફાઇનલમાં સ્થાન મેળવવા માટે લક્ષ્ય રાખશે. ભારતીય અંડર-19 ટીમે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.ભારત ગ્રુપ સ્ટેજમાં તેની બધી મેચ જીતીને ગ્રુપ બીમાં ટોચ પર રહ્યું છે. ટીમે યુએસએ, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને હરાવીને તેની મજબૂત તૈયારી દર્શાવી. સુપર સિક્સ સ્ટેજમાં પણ ભારતે પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું. પહેલી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 204 રનના મોટા માર્જિનથી હરાવ્યું, જ્યારે પાકિસ્તાન સામેની નિર્ણાયક મેચમાં ટીમે જીતવા માટે સંયમિત અને આત્મવિશ્વાસપૂર્ણ પ્રદર્શન કર્યું.
4 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 07:08 AM
ભારતીય સુપ્રીમ કોર્ટે વપરાશકર્તાની ગોપનીયતાને સમર્થન આપ્યું, વોટ્સએપને ડેટાની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો

ભારતીય સુપ્રીમ કોર્ટે વપરાશકર્તાની ગોપનીયતાને સમર્થન આપ્યું, વોટ્સએપને ડેટાની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો

વોટ્સએપ યુઝર્સ માટે મોટી રાહત! ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે ટેક જાયન્ટ મેટા (Meta) અને તેની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે યુઝર ડેટાની ગોપનીયતા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે મેટા અને વોટ્સએપને આદેશ આપ્યો છે કે તેઓ લેખિત સોગંદનામું (Affidavit) દાખલ કરે, જેમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે તેઓ ભારતીય યુઝર્સનો ડેટા એકબીજા સાથે અથવા અન્ય કોઈ વ્યાપારી હેતુ માટે શેર નહીં કરે. ADVERTISEMENT સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે ખૂબ જ કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “જો કોઈ કંપની ભારતના બંધારણ અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું પાલન નથી કરતી, તો તેને અહીં બિઝનેસ કરવાની મંજૂરી આપી શકાય નહીં.” આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારત હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ સામે નરમ નથી. India India India India India Gujarat Gujarat Gujarat Sports Gujarat India US Trade Deal: એક દેશ પર નિર્ભરતા ઓછી થશે અને ભાવ વધુ સ્થિર રહેશે, બજારની અનિશ્ચિતતા થશે દૂર
49 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 06:37 AM
ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ આર્થિક સંબંધો અને SME તકોને પ્રોત્સાહન

ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ આર્થિક સંબંધો અને SME તકોને પ્રોત્સાહન

India-US Trade Deal ADVERTISEMENT Business Business Business Business Business Sports Gujarat Gujarat Entertainment India T20 WC 2026: 20 ટીમોની કેપ્ટનશીપ કોણ કરશે? સૌથી નાના અને મોટી ઉંમરના કેપ્ટન કોણ છે?
13 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 06:19 AM
T20I વર્લ્ડ કપ 2026: માઈકલ વોને સેમિ-ફાઇનલ માટે ચાર ટીમોની આગાહી કરી

T20I વર્લ્ડ કપ 2026: માઈકલ વોને સેમિ-ફાઇનલ માટે ચાર ટીમોની આગાહી કરી

T20I વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે.કુલ 20 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે.સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા પોતાના ખિતાબનો બચાવ કરશે.10 વર્ષ પછી ભારત શ્રીલંકા સાથે T20 વર્લ્ડ કપનું સહ-યજમાનપદ સંભાળી રહ્યું છે.જોકે આજ સુધી કોઈ પણ ટીમ સફળતાપૂર્વક પોતાના ટાઈટલ બચાવવામાં નિષ્ફળ ગઈ છે.દરમિયાન ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને વર્લ્ડ કપ અંગે એક મોટી આગાહી કરી છે. વોને ચાર ટીમોના નામ આપ્યા છે જેમાં સેમિફાઇનલમાં પહોંચવાની ક્ષમતા છે. માઈકલ વોને પોતાના એક્સ-માસ એકાઉન્ટ પર,ચાર ટીમોના નામ આપ્યા છે જે T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચી શકે છે. વોને યજમાન ટીમ ઈન્ડિયાને પ્રથમ ટીમ તરીકે પોતાની દાવ લગાવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમે છેલ્લા એક વર્ષમાં ઉત્તમ ક્રિકેટ રમી છે. સૂર્યાની સેનાને હરાવવી આ સમયે દરેક મોટી ટીમ માટે એક પાઇપ ડ્રીમ છે.ભૂતપૂર્વ ઇંગ્લેન્ડના કેપ્ટને ઇંગ્લેન્ડને બીજી ટીમ તરીકે પસંદ કર્યું છે. વોન એમ પણ માને છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ અંતિમ ચારમાં સ્થાન મેળવી શકે છે. જોકે, વોન માને છે કે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જશે.
33 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 05:56 AM
ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ મૈત્રીપૂર્ણ સમાધાનના પડદા પાછળ

ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ મૈત્રીપૂર્ણ સમાધાનના પડદા પાછળ

ભારત-અમેરિકા ડીલ પાછળ કોણ? ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા લગભગ દસ મહિનાથી ટેરિફને લઈને ભારે તણાવ ચાલી રહ્યો હતો. બંને દેશો એકબીજા પર ટેરિફ વધારતા જતા હતા, જેના કારણે વેપાર સંબંધો પર અસર પડી હતી. ક્યારેક વાતચીત આગળ વધતી હતી તો ક્યારેક અટકી જતી હતી. ADVERTISEMENT આ સમગ્ર સમયગાળા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વ્યક્તિગત સ્તરે મિત્રતા યથાવત રહી. ટ્રમ્પ ઘણી વખત મોદીને “મારા મિત્ર” તરીકે સંબોધતા રહ્યા અને PM મોદીએ પણ ટ્રમ્પને મિત્ર કહ્યા. પરંતુ મિત્રતા હોવા છતાં વેપાર વિવાદ ઉકેલવો સહેલો નહોતો. World World World World World India Crime Gujarat Sports Gujarat Dhirendra Shastri : સંતો વચ્ચેનો વિવાદ સનાતન માટે હાનિકારક, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
52 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 05:34 AM
ભારતની પ્રી-ટૂર્નામેન્ટ ટેસ્ટઃ શું તેઓ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની તેમની જીન્ક્સ તોડી શકે છે?

ભારતની પ્રી-ટૂર્નામેન્ટ ટેસ્ટઃ શું તેઓ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની તેમની જીન્ક્સ તોડી શકે છે?

T20 વર્લ્ડકપ 2026 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. ICC ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે,અને ભાગ લેતા પહેલા, ભારત 4 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે તેની તૈયારીઓનું સંપૂર્ણ અને સંપૂર્ણ પરીક્ષણ કરશે. ભારત ટુર્નામેન્ટનું યજમાન, ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ફરીથી ટાઇટલ જીતવાનો મજબૂત દાવેદાર છે. પ્રથમ વખત,T20 વર્લ્ડકપ 2026માં 20 ટીમો ભાગ લઈ રહી છે. શું તમે જાણો છો કે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ કોની સામે શું છે? આશ્ચર્યજનક રીતે, બે ટીમો એવી છે જેમની સામે ભારત ક્યારેય જીતી શક્યું નથી. ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડકપમાં ક્યારેય જીતી શકી નથી તે બે ટીમો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ છે. ભારતે શ્રીલંકા સામે બે મેચ રમી છે અને બંને હારી ગઈ છે. તે ન્યુઝીલેન્ડ સામેની ત્રણેય મેચ પણ હારી ગઈ છે.
41 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:32 AM
પાકિસ્તાનનો ભારત સામે ન રમવાનો નિર્ણય ટીમને વહેલા બહાર થવાનું જોખમ ઊભું કરે છે

પાકિસ્તાનનો ભારત સામે ન રમવાનો નિર્ણય ટીમને વહેલા બહાર થવાનું જોખમ ઊભું કરે છે

નવી દિલ્‍હી તા.૩: પાકિસ્‍તાને ભારત સામે નહીં રમવાનો નિર્ણય કરીને પોતાની જ મુશ્‍કેલી વધારી દીધી હોવાના તારણો સામે આવી રહ્યા છે, કારણ કે પાકિસ્‍તા ભારત સામે ન ઉતરે તો તેણે ગ્રુપ સ્‍ટેજની તેની ત્રણે મેચ જીતવી પડશે. જેમાં બે ટીમો એવી છે કે જે પાકિસ્‍તાનના નાકમાં દમ કરી શકે છે. પાકિસ્‍તાને ટી૨૦ વર્લ્‍ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્‍થિતિમાં પાકિસ્‍તાને પોતાને જ નુકસાન પહોંચાડ્‍યું છે, કારણ તે આમ કરીને ટી૨૦ વર્લ્‍ડ કપમાંથી જલદી બહાર થઈ શકે છે.ICCવ્‍૨૦ વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાન ગ્રુપ ખ્‍માં નેધરલેન્‍ડ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ સામે ટકરાશે. પાકિસ્‍તાને ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય લીધો છે. યુનાઇટેડ સ્‍ટેટ્‍સે ગયાT20વર્લ્‍ડ કપમાં પાકિસ્‍તાનને હરાવ્‍યું હતું અને આ વખતે પણ તે ખતરનાક ફોર્મમાં છે. પરિણામે, પાકિસ્‍તાન ગ્રુપ સ્‍ટેજમાંથી બહાર થવાનો ભય ધરાવે છે ICC T20વર્લ્‍ડ કપનો ગ્રુપ સ્‍ટેજ પાકિસ્‍તાન માટે પડકારજનક લાગે છે. સલમાન અલી આગાની ટીમ ગ્રુપAમાં નેધરલેન્‍ડ્‍સ (૭ ફેબ્રુઆરી) અને અમેરિકા (૧૦ ફેબ્રુઆરી) સામે તેની પ્રથમ બે મેચ રમશે. આ પછી, પાકિસ્‍તાને ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આના પરિણામે બે પોઈન્‍ટ ગુમાવવા પડશે અને નેટ રન રેટમાં ઘટાડો થશે. ગ્રુપ સ્‍ટેજની પ્રથમ બે મેચ પાકિસ્‍તાન માટે સરળ રહેશે નહીં, કારણ કે નેધરલેન્‍ડ્‍સ અને યુનાઇટેડ સ્‍ટેટ્‍સ અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે. ગયાT20વર્લ્‍ડ કપમાં યુનાઇટેડ સ્‍ટેટ્‍સે સુપર ઓવરમાં પાકિસ્‍તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્‍યો હતો. આ સ્‍પષ્ટપણે નીચલા ક્રમાંકિત ટીમો સામે પાકિસ્‍તાનની નબળાઈ દર્શાવે છે. ભારતAસામેની વોર્મ-અપ મેચમાં યુએસએ ટીમના ૨૦૦ રનથી ટીમ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. નેધરલેન્‍ડ્‍સે ૨૦૨૨નાT20વર્લ્‍ડ કપમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાને ડાર્ક હોર્સ સાબિત કર્યો હતો. તેમણે ૨૦૦૯માં ઈંગ્‍લેન્‍ડ જેવી મજબૂત ટીમને પણ હરાવી હતી.
20 shares
😢
Akila News logo
Akila News
Feb 3, 2026, 05:28 AM
ભારતની મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણયથી ICC પ્રતિબંધની અટકળો અને આવકમાં નુકસાનની આશંકા

ભારતની મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણયથી ICC પ્રતિબંધની અટકળો અને આવકમાં નુકસાનની આશંકા

નવી દિલ્‍હી,તા.૦૩: ભારત સામે ટી૨૦ વર્લ્‍ડ કપ ગ્રુપ મેચ ન રમવાના પાકિસ્‍તાન સરકારના નિર્ણય બાદ,ICCદ્વારા પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર સંભવિત પ્રતિબંધ અંગે અટકળો ચાલી રહી છે. આ મેગા-મેચ ન થવાથી સંભવિત આવક નુકસાનને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) પ્રતિબંધ લાદવાનું કડક પગલું ભરી શકે છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની મેચથી આશરે ૨૫૦ મિલિયન (૨૨ અબજ ભારતીય રૂપિયાથી વધુ) ની આવક થવાનો અંદાજ છે. પરિણામે, આગામી ટી૨૦ વર્લ્‍ડ કપમાં આ મહત્‍વપૂર્ણ મેચ ન થવાથી તમામ હિસ્‍સેદારોને નોંધપાત્ર નાણાકીય નુકસાન થઈ શકે છે. બંને દેશો વચ્‍ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે, ભારત અને પાકિસ્‍તાન ફક્‍ત બહુ-રમતગમત ટુર્નામેન્‍ટમાં જ એકબીજાનો સામનો કરે છે. જો કે, આ મેચને લઈને ઉત્‍સાહ એટલો તીવ્ર છે કે ત્‍ઘ્‍ઘ્‍ દરેક વૈશ્વિક ઇવેન્‍ટમાં બંને ટીમોને જૂથબદ્ધ કરે છે. જો પાકિસ્‍તાન પોતાના નિર્ણય પર અડગ રહે છે, તો તેને લાખો ડોલરની આવક ગુમાવવાનું જોખમ રહે છે. મેચ ન થવાના કિસ્‍સામાં,ICCના ખજાના અને ભારતીય મીડિયા જાયન્‍ટJioHotstarને નોંધપાત્ર નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે.JioHotstarપહેલાથી જ વિશ્વ ક્રિકેટ સંસ્‍થા સાથેના તેના ઼૩ બિલિયન કરાર પર ફરીથી વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ મુખ્‍ય મેચમાંથી પ્રસારણકર્તા જાહેરાત આવકમાં રૂ.૨૦૦ થી રૂ.૨૫૦ કરોડ ગુમાવી શકે છે.
61 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 04:54 AM
ગુજરાત વન વિભાગે લુપ્તપ્રાય એશિયાઈ વાંદરાઓના રક્ષણ માટે પગલાં લીધાં

ગુજરાત વન વિભાગે લુપ્તપ્રાય એશિયાઈ વાંદરાઓના રક્ષણ માટે પગલાં લીધાં

શું GG ફાઇનલમાં પહોંચશે! ADVERTISEMENT Sports Sports Sports Sports Sports Gujarat Gujarat Astrology Gujarat India Amreli: એશિયાટિક સાવજોની સુરક્ષા માટે વન વિભાગ એક્શન મોડમાં, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના અધિકારીઓ સાથે મેગા બેઠક સંપન્ન
80 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 04:14 AM
અમેરિકા અને ભારતે ઐતિહાસિક વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું, ટેરિફમાં ઘટાડો કર્યો

અમેરિકા અને ભારતે ઐતિહાસિક વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપ્યું, ટેરિફમાં ઘટાડો કર્યો

ટેરિફની ટાઇમલાઇન , જાણો ક્યારે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી વેપાર અને ટેરિફને લઈને તણાવ ચાલી રહ્યો હતો. હવે આ તણાવનો અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર, 2 ફેબ્રુઆરીના રોજ આ મહત્વપૂર્ણ કરારની સત્તાવાર જાહેરાત કરી હતી. ADVERTISEMENT This is a modal window. Beginning of dialog window. Escape will cancel and close the window. End of dialog window. આ કરાર મુજબ, અમેરિકાએ ભારતીય માલ પર લાગેલા કુલ ટેરિફને 50% થી ઘટાડીને 18% કર્યો છે. આ નિર્ણય તરત જ અમલમાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લગભગ 30 મિનિટ સુધી થયેલી ફોન પરની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાને ભારત માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. World World World World World Sports Gujarat India Astrology Opinion T20I માં બાબર આઝમે કર્યો કમાલ, વિરાટ કોહલીનો ઓલ-ટાઈમ રેકોર્ડ તોડ્યો
22 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 04:04 AM
અમદાવાદના ઝૂલતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં ખાનગી બેંકમાં ભીષણ આગ લાગી

અમદાવાદના ઝૂલતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં ખાનગી બેંકમાં ભીષણ આગ લાગી

બેંકમાં આગ લાગી શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક ખાનગી બેંકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે, ઘટના સમયે બેંક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ADVERTISEMENT મળતી માહિતી મુજબ, જિલ્લા પંચાયત ચોક સ્થિત યશ બેંક (Yes Bank) ની શાખામાં મોડી રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રિનો સમય હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી, પરંતુ નજીકના સુરક્ષાકર્મીઓએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat India Astrology World Opinion Sports Ahmedabad: ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે RTOની કડક કાર્યવાહી, 8,300 કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ
65 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 03:53 AM
ભારતનો દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર હાઇ-સ્પીડ કનેક્ટિવિટી સાથે મુસાફરીમાં ક્રાંતિ લાવશે

ભારતનો દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર હાઇ-સ્પીડ કનેક્ટિવિટી સાથે મુસાફરીમાં ક્રાંતિ લાવશે

Delhi to varanasi Bullet ભારતમાં રેલ મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. સોમવારે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે NCR મુખ્યાલય અને DRM કાર્યાલય સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે સ્પષ્ટતા કરી કે સરકારની હવે પ્રાથમિકતા આ રૂટ પર હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડવાની છે. ADVERTISEMENT એકવાર આ પ્રોજેક્ટ કાર્યરત થઈ જાય, પછી દિલ્હીથી બાબા વિશ્વનાથના શહેર વારાણસીનું અંતર ફક્ત સાડા ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનો પણ આ અંતર કાપવામાં આઠ કલાકથી વધુ સમય લે છે. દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષમાં વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. ડીપીઆર તૈયાર થતાં, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હવે અમલમાં મૂકવામાં આવશે, જેનાથી દિલ્હીથી વારાણસીની મુસાફરી માત્ર 3.5 કલાકમાં જ પૂર્ણ થશે. મથુરા, અયોધ્યા અને પ્રયાગરાજ જેવા મુખ્ય શહેરોને જોડતો આ કોરિડોર ઉત્તર પ્રદેશમાં આર્થિક ક્રાંતિ લાવશે. India India India India India Gujarat Sports Astrology Entertainment Gujarat Supreme Courtનો મેટા-વોટ્સએપને ઝટકો! ડેટા શેર ન કરવાની એફિડેવિટ દાખલ કરવાનો આદેશ
67 shares
😊
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 03:13 AM
2026 ટુર્નામેન્ટ પહેલા ICC T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારી ટોચની 5 ટીમો

2026 ટુર્નામેન્ટ પહેલા ICC T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારી ટોચની 5 ટીમો

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2026 શરૂ થવા જઈ રહ્યો છે, જેનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. લગભગ બધી ટીમોએ ટુર્નામેન્ટ માટે તેમની ટીમોની જાહેરાત કરી દીધી છે. ટુર્નામેન્ટ પહેલા અમે તમને જણાવીશું કે T20Iમાં સૌથી વધુ જીત મેળવનારી ટોચની 5 ટીમો કઈ છે.
25 shares
😐
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 02:57 AM
પેટ કમિન્સ પીઠની ઈજા અને વ્યસ્ત કાર્યક્રમને કારણે 2027 T20 વર્લ્ડ કપમાંથી ખસી ગયો

પેટ કમિન્સ પીઠની ઈજા અને વ્યસ્ત કાર્યક્રમને કારણે 2027 T20 વર્લ્ડ કપમાંથી ખસી ગયો

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને ODI કેપ્ટન પેટ કમિન્સે પહેલી વાર સ્વીકાર્યું છે કે તેણે 2027 માં પોતાની લાંબી કારકિર્દી અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કેલેન્ડરને ધ્યાનમાં રાખીને T20 વર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. કમિન્સના સ્થાને બેન દ્વારશુઇસને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે કમિન્સને પીઠની ઇજાથી પીડાઈ રહ્યા છે.
15 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 02:48 AM
આઈટી વિભાગે સુરતમાં ગજેરા જૂથ પર દરોડા પાડ્યા, કરોડોની સંપત્તિ જપ્ત કરી

આઈટી વિભાગે સુરતમાં ગજેરા જૂથ પર દરોડા પાડ્યા, કરોડોની સંપત્તિ જપ્ત કરી

સુરતમાં IT દ્વારા મેગા સર્ચ સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ગજેરા ગ્રુપ પર આવકવેરા વિભાગ (IT) દ્વારા કરવામાં આવેલી મેગા સર્ચ કામગીરી આખરે 6 દિવસના લાંબા સમયગાળા બાદ પૂર્ણ થઈ છે. સુરતના ડાયમંડ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ દરોડાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. તપાસના અંતે વિભાગે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. ADVERTISEMENT ગજેરા ગ્રુપ પરની આ કાર્યવાહી છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી હતી. તપાસ દરમિયાન આઈટી વિભાગના અધિકારીઓએ વસંત ગજેરા અને તેમના સહયોગીઓના રહેઠાણ તેમજ ઓફિસ સ્થળોએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ, દાગીના અને ખાસ કરીને જમીનને લગતા કરોડો રૂપિયાના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat India World Opinion Sports World Uttarakhand: 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 3 લોકોના મોત, અનેક ઘાયલ
12 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 3, 2026, 02:18 AM
પાકિસ્તાન દ્વારા ભારતની મેચનો બહિષ્કાર કરવા પર ક્રિકેટ જગતમાં આકરી પ્રતિક્રિયાઓ આવી

પાકિસ્તાન દ્વારા ભારતની મેચનો બહિષ્કાર કરવા પર ક્રિકેટ જગતમાં આકરી પ્રતિક્રિયાઓ આવી

લાહોર,તા.તા.પાકિસ્તાન સરકારના ટી-વિશ્વકપની ભારત વિરુદ્ધની ગ્રુપ સ્ટેજની મેચ બહિષ્કારના એલાનના ક્રિકેટ જગતમાં ઘેરા પડઘાપડયા છે. પાક. સરકારના આ નિર્ણયનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. હવે આ મામલે પાકિસ્તાનનીટી-
62 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 3, 2026, 02:17 AM
T20 લીગઃ તમસ્કા માસ્ટર્સે સતત બીજી જીત મેળવી

T20 લીગઃ તમસ્કા માસ્ટર્સે સતત બીજી જીત મેળવી

ભુજ,તા.તા.હિમ્સ-કેપીએલની ચોથી સિઝનની લીગ મેચનો તબક્કો રોમાંચક દોરે પહોંચ્યો છે. ગત વર્ષની ઉપવિજેતામસ્કા માસ્ટર્સની ટીમે શ્રીરામ સુપર કિંગ્સ ટીમને હરાવી સતત બીજી જીત મેળવી હતી. પ્રથમબેટિંગ કરતાં શ્રીરામ સુપર કિંગ્સે આમીર સમાનાભરતસંઘાર અને ચાકી સેફાઝના
92 shares
😊
Kutch Mitra logo
Kutch Mitra
Feb 3, 2026, 02:17 AM
હેઝલવુડ ઈજાને કારણે T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં નહીં રમે

હેઝલવુડ ઈજાને કારણે T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં નહીં રમે

સિડની,તા.તા.ઓસ્ટ્રેલિયાનોઅનુભવી ઝડપી બોલર જોશ હેઝલવૂડ ટી-વર્લ્ડકપની શરૂઆતની કેટલાક મેચ લગભગ ગુમાવશે. તો પોતાની ઇજામાંથી બહાર આવવા સિડનીમાં જ રીહેબકરશે. આથી શોન અબોટને ટ્રાવેલિંગ ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયા ટીમમાં સામેલ કરાયો છે.ટી-
88 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 3, 2026, 02:17 AM
કચ્છમાં આધુનિક રમતગમત માળખા દ્વારા ગ્રામીણ યુવાનોને સશક્ત બનાવવું

કચ્છમાં આધુનિક રમતગમત માળખા દ્વારા ગ્રામીણ યુવાનોને સશક્ત બનાવવું

મુંદરા,તા.તા.ભાલાફેંકમાંમેડલ જીતનાર નીરજ ચોપરા હોય કે શૂટર મનુ ભાકર.. બધા ગામડામાંથી આવે છે. આવા અનેક દાખલાછે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે,ગામડાંમાંથી આપણેઓલમ્પિક વિજેતાઓ મળશે. બસ,આવી પ્રેરણા સાથે અને વિદ્યાર્થીઓનાસર્વાંગીણ વિકાસમાં માત્ર શિક્ષણ નહીં,પણ ખેલકૂદ મહત્ત્વનુંછે અને આ ક્ષેત્રે કચ્છમાં આધુનિક અને વિશાળ સુવિધાઓ હોવી જોઈએ,એ લક્ષ્ય સાથે
30 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 12:34 AM
પાકિસ્તાનનું આર્થિક સંકટઃ અસહાયતા, કટ્ટરતા અને અહંકારનું ઝેરી મિશ્રણ

પાકિસ્તાનનું આર્થિક સંકટઃ અસહાયતા, કટ્ટરતા અને અહંકારનું ઝેરી મિશ્રણ

તમે જેને સાંભળ્યા તે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ છે. તે વારંવાર ભીખનો કટોરો લઈને વિદેશમાં ફરે છે. આપણે જાણીએ છીએ કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ડીલ થઈ. યુરોપ પાકિસ્તાનના કાપડ પર કોઈ ટેક્સ નહોતું લગાવતું પણ ભારત પર લગ નમસ્કાર. આજે પાકિસ્તાન જે હાલતમાં છે, તેનું કારણ તેની આર્થિક લાચારી, ધાર્મિક વિચારધારા પર દેશનું નિર્માણ અને લશ્કરી અહંકારનું ઝેરી મિશ્રણ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફનું નિવેદન કે અમને ભીખ માંગતા શરમ આવે છે, તે હકીકતમાં એક રાષ્ટ્રના મનોબળના પતન સમાન છે. રમત અને રાજનીતિનું ભયાનક કોમ્બિનેશન ખેર તેના પર આગળ વાત કરીશું જ પણ પહેલા ક્રિકેટની વાત કરીએ કારણ કે ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટનો ક્રેઝ ખૂબ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા, સામાજિક અને રાજકીય રમખાણના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. તેને KKRએ 3 જાન્યુઆરીએ BCCIના કહેવા પર ટીમમાંથી બહાર કરી દીધો હતો. તો બાંગ્લાદેશ સરકારે 7 ફેબ્રુઆરીએ રમાનાર T20 વર્લ્ડ કપમાં ભારતમાં મેચ રમવાની ના પાડી દીધી. તો ICCએ બાંગ્લાદેશને જ વર્લ્ડ કપમાંથી હાંકી કાઢ્યું અને સ્કોટલેન્ડને એન્ટ્રી આપી. જેના લીધે પાકિસ્તાને બાંગ્લાદેશના સપોર્ટમાં વર્લ્ડ કપમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી. તો ICC જે દર વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને રૂપિયા આપે છે તે આપવાની જ ના પાડી દીધી અને પાકિસ્તાન સુપર લીગને NOC આપવાની જ ના પાડી દીધી, આ બધું ચાલી જ રહ્યું હતું અને પાકિસ્તાને ટીમની જાહેરાત કરી. જેના કારણે પાકિસ્તાન તો ઠીક દુનિયાભરમાં પાકિસ્તાનની મજાક ઉડી. છેલ્લે ભારત સાથે નહીં રમીએ એવી ધમકી આપી. જો કે હાલ ICCએ પાકિસ્તાનને ચોખ્ખી ધમકી આપી દીધી છે કે તમે આખી ટુર્નામેન્ટ રમો અને કોઈ એક દેશ સાથે ન રમો તેવું ન ચાલે. એટલે લીધે પાકિસ્તાનને કરોડો રૂપિયાનો ફટકો અને પાકિસ્તાન ક્રિકેટ જ ઠપ થઈ જાય તેવા હાલ થયા છે. આ વાત કરી જ રહ્યા છીએ તો માર્ચ 2025ની ICC ચેમ્પિયન ટ્રોફીની પણ વાત કરવી પડે. 20 વર્ષ પછી પાકિસ્તાનને ICC ચેમ્પિયન ટ્રોફી હોસ્ટ કરવાની તક મળી હતી. પાકિસ્તાને કરોડો રૂપિયા ખર્ચીને સ્ટેડિયમ ડેવલોપ કર્યા પણ ભારતે પાકિસ્તાનમાં રમવાની જ ના પાડી દીધી, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ગેટ મની, ટિકિટ અને ટીવી રાઈડ્સ સહિત કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારે PCBએ કહ્યું હતું કે ભલે ભારતે ના પાડી પણ તેમને કરોડોનો ફાયદો થયો છે. પણ માર્ચ 2025માં પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓની મેચ ફીમાં 90 ટકા કપાત અને ફાઈવ સ્ટાર હોટલ્સની જગ્યાએ બજેટ હોટલમાં સ્ટે તો કંઈક બીજું જ કહી રહ્યું છે. આ માત્ર રમતમાં હાર નથી પણ પાકિસ્તાનની હાર છે. આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત વગર પાકિસ્તાનની ક્રિકેટ ઈકોનોમી પણ ઝીરો જ છે. ઓપરેશન હેરોફ 2.0 દુનિયાના દેશો પાકિસ્તાનની ધરતી પર પણ ક્રિકેટ રમતા ડરે છે કારણ કે અગાઉ ક્રિકેટર્સ પર પાકિસ્તાનની ધરતી પર ગોળીઓ ચાલી ચૂકી છે. આ એટલા માટે કારણ કે પાકિસ્તાન આતંગવાદનો ગઢ છે તે દુનિયા જાણે છે. જ્યારે આ વાત જ થઈ રહી છે તો બલુચિસ્તાનના પહાડોમાં થનાર ધડાકાની વાત પણ કરવી પડે. બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ દેશ જાહેર કરવા માટે ઘણા સંગઠનોએ પાકિસ્તાન સરકાર સામે શસ્ત્ર લડાઈ શરૂ કરી છે. જેમાં બલોચ લિબરેશન આર્મીએ ઓપરેશન હેરોફ- 2 લોન્ચ કર્યું. બલુચિસ્તાનના 12 જિલ્લાઓમાં એકસાથે BLAએ હુમલાઓ કર્યા. જેમાં ક્વેટા, ગ્વાદર, મસ્તુંગ સહિત ચાઈના પાકિસ્તાન કોરિડોર નજીક પાકિસ્તાન સરકારના જણાવ્યા મુજબ BLAએ 70થી વધુ લોકો અને પાક સેના અને પોલીસના કર્મચારીઓને મારી નાખ્યા. BLAના કહ્યા મુજબ તો તેમણે 200 લોકોને માર્યા છે અને અનેકને બંધક બનાવ્યા છે. જાણીને ચોંકી જશો કે BLAના આ ઓપરેશનમાં મહિલા ફિદાઈનો પણ છે. એક 24 વર્ષની મેડિકલ વિદ્યાર્થિની આસિફા મેંગલે સ્યુસાઈડ જેકેટ પહેરીને નુશ્કીમાં ISIના હેડક્વાટરના દરવાજા પર પોતાને ઉડાવી દીધી હતી. એક તરફ પાકિસ્તાન કાશ્મીર જીતવાના સપના જુએ છે અને બીજી બાજુ તેમના જ વિસ્તારને સંભાળી નથી શકતો. ગ્વાદરમાં ચીની એન્જિનિયર્સને કંઈ ન થાય તેના માટે પાકિસ્તાને સેના ઉતારવી પડી છે. ઇતિહાસ ગવાહ છે, 1947ના વિભાજન પછી ભારતે IIT, IIM, ISRO જેવી સંસ્થાઓ અને હોસ્પિટલ્સ બનાવવા પર ધ્યાન આપ્યું જ્યારે પાકિસ્તાને હથિયારો અને નફરતને પસંદ કરી. પરિણામે પાકિસ્તાને પોતાનું અર્થતંત્ર તો ગુમાવ્યું પણ વિશ્વમાં પોતાની છાપ પણ ગુમાવી. ઉદાહરણ નજીક જ છે. એપ્રિલ 2025માં પાકિસ્તાનના આતંકવાદીઓએ આપણા પહલગામમાં ઘૂસણખોરી કરીને કાયરતાપૂર્વક ભારતીયોના માથા પર ગોળીઓ મારી. જવાબમાં મેમાં ભારતે ઓપરેશન સિંદૂર લોંચ કર્યું અને પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પર એરસ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનના ન્યુક્લિયર બ્લેકમેઈલિંગ ફુગ્ગાને ફોડી નાખ્યો. ભારતે ડિફેન્સ બજેટ વધાર્યું ઓપરેશન સિંદૂર પછી, ભારતે ડિફેન્સ બજેટમાં 15 ટકાનો ઐતિહાસિક વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષના બજેટમાં ડિફેન્સ સેક્ટરમાં7.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ રૂપિયાનો ઉપયોગ 114 જેટલા રાફેલ જેટ, હાયલી એડવાન્સ ડ્રોન અને સબમરીન બનાવવા માટે પણ કરવામાં આવશે. પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ ભારતના બજેટ કરતા 8થી 9 ગણું નાનું છે. એક બાજુ ભારત વિશ્વનું પાંચમું સૌથી શક્તિશાળી સૈન્ય બનાવવાના રસ્તે છે અને પાકિસ્તાન 9 અબજ ડોલરના ડિફેન્સ બજેટ માટે પણ બીજા દેશો પાસેથી લોન અથવા ભીખ માગે છે. પાકિસ્તાનની આર્થિક હાલત અત્યારે ભયાનક રીતે ખરાબ છે.સેનાની વાત થઈ જ રહી છે તો એક નોલેજ પોઈન્ટની પણ વાત કરી લઈએ. ભારતે ભૈરવ બટાલીયન નામની હાઈબ્રિડ વોરફેર સેનાની ટુકડી પણ બહાર પાડી છે. જે ડ્રોન, ઇલેક્ટ્રોનિક વોરફેર અને સર્વેલન્સથી સજ્જ છે અને તેમને કાશ્મીર અને લદ્દાખમાં તહેનાત કરવામાં આવી છે. ફરી પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફના ઈસ્લામિક દેશો પાસેથી ભીખ માગવાવાળા નિવેદન પર આવીએ. પાકિસ્તાનની આર્થિક હાલત અત્યારે ભયાનક રીતે ખરાબ છે. પાકિસ્તાનનો GDP ગ્રોથ પ્રાદેશિક સરેરાશ કરતા અડધો પણ નથી. તેમના ખેતરોમાં પાણી નથી કારણ કે ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની પ્રક્રિયા કરી છે. ભારતનું કહેવું છે લોહી અને પાણી એકસાથે ન વહી શકે. જેના કારણે પાકિસ્તાની ટેક્સટાઈલ, એગ્રીકલ્ચર અને ખાતર ઉદ્યોગમાં પણ આર્થિક ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાન કહે છે અમે ન્યુક્લિયર પાવર દેશ છીએ. પણ 2026નો સમય બદલાયો છે. તિજોરીમાં પડેલો પરમાણું બોમ્બ દેશના લોકોનું પેટ નથી ભરી શકતો. આપણે શ્રીલંકાનું પતન નજીકનું જ ઉદાહરણ છે. અમેરિકા અને પશ્ચિમ સહિતના દેશો પણ પાકિસ્તાનને હવે એસેટ તરીકે નહીં પણ લાયેબિલિટી તરીકે જ માને છે. ખેર અમેરિકા પોતાના હથિયારો વેચવા પાકિસ્તાનનો ઉપયોગ કરે છે એ અલગ વાત છે. જો કે અમેરિકાને ભારતે યુરોપ ફ્રી ટ્રેડ ડિલથી પણ ઝટકો આપ્યો છે. કાપડ અને ગાર્મેટ માર્કેટમાં યુરોપિયન યુનિયન પાકિસ્તાન માટે મોટું માર્કેટ છે. અત્યાર સુધી પાકિસ્તાનને GSP+ એટલે કે જનરલાઇઝડ સ્કીમ ઓફ પ્રેફરન્સીસ પ્લસ હેઠળ યુરોપમાં નિકાસ પર કોઈ ટેક્સ નહોતો લાગતો, જ્યારે ભારતને 8% થી 12% સુધીની ઈમ્પોર્ટ ડ્યુટી ભરવી પડતી હતી. આ કારણે પાકિસ્તાની કાપડ ઉદ્યોગ સ્પર્ધામાં ટકી રહ્યો હતો. પરંતુ, ભારત-ઈયુ FTA લાગુ થતાની સાથે જ ભારતીય ટેક્સટાઈલ નિકાસકારોને યુરોપમાં કાપડ મોકલવા પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. ઓલ પાકિસ્તાન ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશન APTMA અને ભૂતપૂર્વ વાણિજ્ય મંત્રી ગોહર એજાઝે X પર ચેતવણી આપી છે કે, પાકિસ્તાન જે GSP+ ના ભરોસે બેઠું હતું, તે લાભ હવે ભારતની FTA ડીલ સામે ધોવાઈ ગયો છે. ટૂંકમાં ભારત-EU FTA પાકિસ્તાન માટે મૃત્યુ ઘંટ સમાન છે. અધૂરામાં પૂરું અત્યારે દિલ્લીમાં એક એવી ઘટના બની છે જેના કારણે પાકિસ્તાનની ચિંતા સાતમા આસમાને છે. થયું કંઈક એવું છે કે તેમના 22 આરબ મુસ્લીમ દેશો દિલ્લીના મહેમાન બન્યા છે. નવી દિલ્હી ખાતે બીજી ભારત-આરબ વિદેશ મંત્રીઓની બેઠક IAFMMનું આયોજન થયું છે. આ બેઠકમાં વેપાર, ઊર્જા અને પેલેસ્ટાઈન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ અને ડિલ થવાની છે. જે પાકિસ્તાન આરબ દેશોને પરંપરાગત ભાઈઓ કહે છે અને લોન લેવા કટોરો લઈને ઉભા રહે છે તે આરબ દેશો ભારતમાં 2030 સુધીમાં અબજો ડોલરના રોકાણની ડિલ પાર પાડી રહ્યા છે. ટૂંકમાં પાકિસ્તાનનું ઈસ્લામિક કાર્ડ પણ ભારતના વધતા આર્થિક વર્ચસ્વના કારણે એક્સપાયર થવા આવ્યું છે. દિલ્લીમાં થયેલી ભારત-આરબની બીજી ફોરેન મિનિસ્ટર્સ સમિટમાં એક જબરદસ્ત વસ્તુ જોવા મળી. બેઠકના સાત મોટા મુદ્દાઓમાં એક મુદ્દો આતંકવાદનો પણ હતો. આ બેઠકમાં આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરવામાં આવી હતી અને પહલગામ હુમલાનો ઉલ્લેખ કરીને આતંકવાદી માળખું તોડી પાડવાની વાત કરવામાં આવી હતી. બીટવિન ધ લાઈન્સ એવું કહેવું છે કે જે સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા ઈસ્લામિક દેશો જે એક સમયે પાકિસ્તાનના સૌથી મોટા દાતા હતા, તે હવે પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદનો વિરોધ કરી રહ્યા છે અને ભારત સાથે જ હાથ મીલાવી રહ્યા છે. પણ આ બધુ થઈ રહ્યું છે તેનાથી આપણે શું લેવા દેવા? વાત કંઈક એમ છે કે પાકિસ્તાન વિશ્વનો પાંચમો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે. પણ તે પાણી અને વીજળીની કમીના કારણે તળિયે છે. પાકિસ્તાનની 9 અબજ ડોલરની ટેક્સટાઈલ એક્સપોર્ટ પણ EU-INDIA FTA ડિલના કારણે ખતરામાં છે. ગુજરાત અને ભારતનું ટેક્સટાઈલ માર્કેટ યુરોપમાં સસ્તું થવાનું છે. એટલે પાકિસ્તાની ટેક્સટાઈલ ઉદ્યોગને ફટકો છે અને સુરત કે અમદાવાદ કે જેતપુરના ટેક્સટાઈલ માર્કેટને બખ્ખા છે. અને છેલ્લે... પાકિસ્તાન બાદ હવે ચીનની પણ વાત કરીએ. ચીનના કારણે આપણી સંસદમાં આજે જોરદાર હોબાળો થયો. વાત એમ હતી કે રાહુલ ગાંધીએ ભારતના પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ એમ. એમ નરવણેએ લખેલા અપ્રકાશીત પુસ્તકને ટાંકીને કહ્યું કે, ચીનની ચાર ટેન્ક ડોકલામમાં ભારતની ધરતી પર આવી રહી હતી અને માત્ર 100 મીટર દૂર હતી ત્યારે… આટલું બોલતા જ સંસદમાં હોબાળો થઈ ગયો હતો. એવું કહેવાય છે કે જનરલ નરવણેએ પોતાના પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોવાલને લઈને ઘણા ઘટસ્ફોટ કર્યો છે. હવે આ પુસ્તક બજારમાં આવશે કે કેમ તેના પર સૌની મીટ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
64 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 11:26 PM
ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું સમાપન થયું

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું સમાપન થયું

દાંતીવાડામાં ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં મહેસાણા, અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્યએ પ્રથમ જ્યારે ગીર સોમનાથ અંડર-14 માં ત્રીજા સ્થાને જ્યારે અંડર-17 માં બીજા ક્રમે રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 ભાઈઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર-14 કેટેગરીમાં 8 ટીમોના 96 ખેલાડીઓ અને અંડર-17 કેટેગરીમાં પણ 8 ટીમોના 96 ખેલાડીઓએ પોતાની રમત રજૂ કરી હતી. મહા મુકાબલાઓ બાદ અંડર-14 કેટેગરીમાં મહેસાણા જિલ્લો ચેમ્પિયન બન્યો, જ્યારે ડાંગ જિલ્લાએ દ્વિતીય અને ગીર સોમનાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. અને અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્ય ટીમે પ્રથમ, ગીર સોમનાથે દ્વિતીય અને પંચમહાલે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ખેલાડીઓના ઉત્સાહ અને શિસ્તબદ્ધ રમતની દર્શકોએ પ્રશંસા કરી હતી.
33 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 2, 2026, 10:20 PM
છાપરા સ્પોર્ટ્સ ક્લબ અંડર-16 ટુર્નામેન્ટઃ આર.ડી.ક્રિકેટ એકેડમીના મજબૂત પ્રદર્શન છતાં છાપરા સ્પોર્ટ્સ એકેડમી જીત્યું

છાપરા સ્પોર્ટ્સ ક્લબ અંડર-16 ટુર્નામેન્ટઃ આર.ડી.ક્રિકેટ એકેડમીના મજબૂત પ્રદર્શન છતાં છાપરા સ્પોર્ટ્સ એકેડમી જીત્યું

છાપરા સ્પોર્ટસ ક્લબ દ્વારા આયોજીત અંડર-16 ટુર્નામેન્ટમાં 14 ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં આર.ડી.ક્રિકેટ એકેડેમી અને છાપરા સ્પોર્ટસ ક્રિકેટ એકેડેમી ફાઇનલમાં આવ્યા હતા. જેમાં છાપરા સ્પોર્ટસ ક્રિકેટ એકેડેમીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આર.ડી.ક્રિકેટ એકેડેમીએ પ્રથમ બેટીંગ કરતા 219 રન કર્યા હતા. જેની સામે છાપરા સ્પોર્ટસ એકેડેમી તે રન કરી ન શક્યા તેથી આર.ડી.એકેડેમી વિજેતા થઇ હતી. જેમાં પ્લેયર ઓફ ધ મેચ અને બેસ્ટ બેટર આર.ડી. એકેડેમીના ક્રિષ્ના પાટીલ થયો હતો. તેણે 107 રન કર્યા હતા. બેસ્ટ બોલર તરીકે છાપરા સ્પોર્ટસ એકેડેમીનો ખેલાડી મહેશ લોહાર થયો હતો. તેણે 8 ઓવર કરીને 4 વિકેટ લીધી હતી અને બેસ્ટ ફિલ્ડર ક્રિષ્ના પાટીલ કે જેણે 3 કેચ કર્યા હતા.
49 shares
😐
Akila News logo
Akila News
Feb 2, 2026, 05:23 PM
ભારત-પાકિસ્તાન T20 મેચઃ નાણાકીય પરિણામો સાથે અબજો ડોલરની રમત

ભારત-પાકિસ્તાન T20 મેચઃ નાણાકીય પરિણામો સાથે અબજો ડોલરની રમત

નવી દિલ્હી: વિશ્વ ક્રિકેટમાં જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય છે, ત્યારે માત્ર રમત જ નહીં પરંતુ અબજો રૂપિયાનો સટ્ટો અને વ્યાપાર દાવ પર હોય છે. એક અંદાજ મુજબ, ભારત-પાકિસ્તાન T20 મેચનું કુલ બજાર મૂલ્ય $૫૦૦ મિલિયન એટલે કે આશરે ₹૪,૫૦૦ કરોડ છે. આ આંકડો દુનિયાની કોઈપણ અન્ય ક્રિકેટ મેચ કરતા બમણાથી પણ વધુ છે. જો પાકિસ્તાન કોઈ કારણસર મેચ રમવાનો ઈન્કાર કરે છે, તો માત્ર ટીવી એડ્સમાંથી જ થતી ₹૩ અબજની આવક પર પાણી ફરી વળશે. પ્રસારણકર્તાઓ માટે ૧૦ સેકન્ડની જાહેરાતનો દર ₹૪૦ લાખ સુધી પહોંચી જતો હોય છે, જે મેચ રદ થવાની સ્થિતિમાં શૂન્ય થઈ જશે. આ આર્થિક ઝટકાની સૌથી ગંભીર અસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પડી શકે છે. BCCI તો આર્થિક રીતે સધ્ધર હોવાથી ₹૨૦૦ કરોડનું નુકસાન પચાવી જશે, પરંતુ ICCના ફંડ પર નભતા પાકિસ્તાન માટે આ આત્મઘાતી સાબિત થઈ શકે છે. જો PCB મેચમાંથી ખસી જાય, તો તેને કોઈ વીમા કવચ મળશે નહીં. પરિણામે, બ્રોડકાસ્ટર્સને થતા નુકસાનની ભરપાઈ કરવા માટે ICC પાકિસ્તાનને મળતા વાર્ષિક હિસ્સામાંથી ૭૦ થી ૮૦ ટકા જેટલી રકમ કાપી શકે છે. પાકિસ્તાન માટે આ દંડની રકમ તેના અસ્તિત્વ માટે જોખમી બની શકે છે. ક્રિકેટના આ 'મહાકુંભ'માં માત્ર જાહેરાતો જ નહીં, પરંતુ ડિજિટલ એન્ગેજમેન્ટ અને ટિકિટના વેચાણ દ્વારા પણ અઢળક કમાણી થાય છે. બ્રોડકાસ્ટર્સને કુલ ₹૪ અબજ સુધીનું નુકસાન થવાની ભીતિ છે, જે આખરે ICCના નફાને અસર કરશે. નાના ક્રિકેટ બોર્ડ્સ, જેઓ સંપૂર્ણપણે ICCની ગ્રાન્ટ પર નિર્ભર છે, તેઓ આ નાણાકીય ખાડાના કારણે પાયમાલ થઈ શકે છે. આમ, જો પાકિસ્તાન મેદાન છોડવાનો નિર્ણય લેશે, તો તેની અસર માત્ર પીચ પર જ નહીં, પણ સમગ્ર વિશ્વના ક્રિકેટ અર્થતંત્ર પર વિનાશક રીતે જોવા મળશે.
55 shares
😢
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 04:49 PM
ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ટોની પિગોટના નિધનના દુઃખદ સમાચાર વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારીઓ ચાલી રહી છે

ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ટોની પિગોટના નિધનના દુઃખદ સમાચાર વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારીઓ ચાલી રહી છે

T20 વર્લ્ડકપ 2026ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બધી 20 ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. પરંતુ ક્રિકેટ જગતમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ટોની પિગોટનું 67 વર્ષની વયે અવસાન થયું. 2 ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું. ક્રિકેટ જગત તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. ટોની પિગોટ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડ માટે રમ્યો ન હતા, પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં એક સેન્સેશન હતો.
29 shares
😢
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 04:29 PM
T20 વર્લ્ડ કપ 2026: ભારત અને પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ પોતાના અભિયાનની શરૂઆત કરશે

T20 વર્લ્ડ કપ 2026: ભારત અને પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ પોતાના અભિયાનની શરૂઆત કરશે

T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. ભારત અને પાકિસ્તાન 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડકપ 2026માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતની પહેલી મેચ યુએસએ સામે થશે, જ્યારે પાકિસ્તાનની મેચ નેધરલેન્ડ્સ સામે થશે.
81 shares
😐
Sandesh logo
Sandesh
Feb 2, 2026, 04:00 PM
ભારત'એ "ટીમે વોર્મ-અપ મેચમાં અમેરિકાને હરાવ્યું

ભારત'એ "ટીમે વોર્મ-અપ મેચમાં અમેરિકાને હરાવ્યું

ભારત A ટીમે પહેલી વોર્મ-અપ મેચમાં USA ને 38 રનથી હરાવ્યું. યુવા સ્ટાર્સથી ભરેલી ભારત A ટીમે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને USA ટીમને હરાવી. પહેલા બેટિંગ કરતા ભારત A એ નારાયણ જગદીશનની તોફાની સદીના આધારે 20 ઓવરમાં 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ત્યારબાદ ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરી અને USA ને 20 ઓવરમાં ફક્ત 200 રન જ બનાવવા દીધા. કેપ્ટન આયુષ બદોનીએ આ મેચમાં પોતાના 8 બોલરોનો ઉપયોગ કર્યો, જેની સામે અમેરિકન બેટ્સમેન રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા.
34 shares
😊