Achira News Logo
Achira News
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:51 AM
ભારતની પરમાણુ ઊર્જાની યાત્રાઃ ભૂતકાળ અને વર્તમાન દ્રષ્ટિકોણો વચ્ચેનો વિરોધાભાસ

ભારતની પરમાણુ ઊર્જાની યાત્રાઃ ભૂતકાળ અને વર્તમાન દ્રષ્ટિકોણો વચ્ચેનો વિરોધાભાસ

રાજકોટ: ભારતની પરમાણુ ઊર્જા યાત્રા અને વર્તમાન સમયમાં તેમાં થઈ રહેલા ખાનગીકરણ તેમજ વિદેશી સહયોગના પ્રયાસો અંગે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને જાણીતા વૈજ્ઞાનિક પ્રો. અનામિક શાહે એક વિસ્તૃત લેખ થકી પ્રકાશ પાડ્યો છે. તેઓએ જવાહરલાલ નેહરુ અને ડો. હોમી જે. ભાભાની દીર્ઘદ્રષ્ટિથી લઈને આજના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' વચ્ચેના વિરોધાભાસ અંગે સચોટ વિશ્લેષણ રજૂ કર્યું છે. ભારતનો પરમાણુ કાર્યક્રમ આઝાદી પછી નહિ, પરંતુ ગુલામીના અંતિમ વર્ષોમાં જ શરૂ થઈ ગયો હતો. વર્ષ ૧૯૮૯ના 'નેહરુ ઓન સાયન્સ એન્ડ સોસાયટી'ના દિલ્હી સ્થિત અભિલેખો દર્શાવે છે કે, વચગાળાની સરકારના વડા તરીકે નેહરુએ સરદાર વલ્લભભાઈ પટેલને ત્રાવણકોર રાજ્યમાંથી 'થોરિયમ'ની નિકાસ અંગે ચેતવણી આપી હતી અને આ અતિમહત્વની ધાતુ ભારતમાં જ રહેવી જોઈએ તેવો સ્પષ્ટ આગ્રહ રાખ્યો હતો. નેહરુજીનું માનવું હતું કે ટેકનિકલ અને વૈજ્ઞાનિક સ્વાયત્તતા વિના રાજકીય આઝાદી અધૂરી છે. આઝાદી બાદ ડો. હોમી જે. ભાભા સાથે મળીને નેહરુએ પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત વ્યૂહાત્મક ઢાંચો તૈયાર કર્યો હતો. જેમાં ઈંધણ-ટેકનોલોજી પર નિયંત્રણ, સ્વદેશી ક્ષમતા, દીર્ઘકાલીન ઊર્જા સુરક્ષા અને સામાજિક-આર્થિક વિકાસનો સમાવેશ થતો હતો. ડો. ભાભાની ત્રિ-સ્તરીય પરમાણુ યોજના મુજબ પ્રથમ તબક્કામાં પ્રેસરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (પીએચડબલ્યુઆર), બીજા તબક્કામાં ફાસ્ટ બ્રીડર રિએક્ટર (એફબીઆર) અને ત્રીજા તબક્કામાં અદ્યતન થોરિયમ રિએક્ટર થકી પેઢીઓ માટેની ઊર્જા સુરક્ષાનું આયોજન કરાયું હતું. પ્રો. શાહ નોંધે છે કે નેહરુની આ સ્વદેશી ઊર્જાની વિચારધારા ઐતિહાસિક રીતે સાચી સાબિત થઈ છે. ૧૯૪૭-૧૯૫૦ની ઈંધણ તંગી, ૧૯૭૩નું ઓપેક તેલ સંકટ, ૧૯૭૯ની ઈરાની ક્રાંતિ અને ૧૯૯૦-૧૯૯૧ના ગલ્ફ સંકટ જેવી વૈશ્વિક ઘટનાઓએ સાબિત કર્યું કે વિદેશી ઊર્જા પરનો આધાર જોખમી છે. આજે પણ ભારત કાચા તેલ માટે ૮૫ થી ૮૮ ટકા, પ્રાકૃતિક વાયુ માટે ૪૫ થી ૫૦ ટકા અને કોલસા માટે ૨૦ થી ૨૫ ટકા જેટલો ઊંચો આયાત આધાર ધરાવે છે, જેનો વાર્ષિક ખર્ચ ૧૨૦ થી ૧૬૦ બિલિયન છે. પરમાણુ ઊર્જા ઉચ્ચ ઊર્જા ઘનતા ધરાવતી હોવાથી આયાત નિર્ભરતા ઘટાડી શકે છે. વર્ષ ૨૦૨૩ના આંકડા મુજબ દેશના કુલ વીજ ઉત્પાદનમાં કોલસાનો ૭૦ ટકા, નવીનીકરણીય ઉર્જાનો ૨૨ ટકા અને જળવિદ્યુતનો ૧૦ ટકા હિસ્સો છે, જ્યારે પરમાણુ ઊર્જાનો હિસ્સો માત્ર ૩ ટકા છે.
11 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:07 AM
ગુજરાતઃ હાપા એપીએમસી ખાતે ટોચના અધિકારીઓની હાજરીમાં ખેડૂતોનું સંમેલન યોજાયું

ગુજરાતઃ હાપા એપીએમસી ખાતે ટોચના અધિકારીઓની હાજરીમાં ખેડૂતોનું સંમેલન યોજાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૯: રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં અને રાજ્‍યના વન અને પર્યાવરણ,ક્‍લાઇમેટ ચેન્‍જ,વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. શ્રી ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ - હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૮૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.૬૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગળહનું ઈ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્‍યુઅલ માધ્‍યમ થકી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યુ હતું કે,હાપા એપીએમસી ખાતે ખેડૂત ભાઈઓ માટે ભોજનાલય અને ગેસ્‍ટ હાઉસ બનાવવામાં આવ્‍યું છે. જેના થકી યાર્ડમાં જ ખેડૂતોને નહિવત દરે શુદ્ધ ભોજન અને આરામ કરવાની સુવિધા ઉપલબ્‍ધ બની છે. કાર્યક્રમમાં ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્‍યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્‍યો મેઘજીભાઈ ચાવડા, દિવ્‍યેશભાઈ અકબરી, કલેક્‍ટર કેતન ઠક્કર, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, આર.સી.ફળદુ, શ્રી ચીમનભાઈ સાપરીયા, ચંદ્રેશ પટેલ, ધી-જામનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેંક લી.ના ચેરમેન જીતેન્‍દ્ર લાલ, એપીએમસીના સભ્‍યો, અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, તથા વિશાળ સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.
61 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:36 PM
ધરમપુર નગરપાલિકાએ ગટરની કાર્યક્ષમ સફાઈ માટે અદ્યતન સુપર સકર મશીન તૈનાત કર્યું

ધરમપુર નગરપાલિકાએ ગટરની કાર્યક્ષમ સફાઈ માટે અદ્યતન સુપર સકર મશીન તૈનાત કર્યું

ધરમપુર નગરપાલિકા દ્વારા નગરની ભૂગર્ભ ગટર લાઈનો અને ચેમ્બરોને સાફ કરવા માટે અત્યાધુનિક સુપર સકર મશીનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ મશીન ગટરમાં રહેલા કાદવ અને પથ્થરોને 60 ફૂટની ઊંડાઈએથી ખેંચવાની ક્ષમતા ધરાવે છે. આ સામાન્ય જેટિંગ મશીનો કરતા આ મશીન વધુ શક્તિશાળી છે. આ મશીન ગટરનું પાણી ખેંચી તેને ફિલ્ટર (રિસાઈકલ) કરે છે અને એ જ પાણીને ભારે પ્રેશર સાથે ફરી લાઈનમાં મારે છે. જેથી બ્લોકેજ સંપૂર્ણપણે દૂર થાય છે. મશીનમાં 7000 લિટરની ટેન્ક અને 6 ઇંચના શક્તિશાળી વેક્યુમ પાઈપ છે. 50 થી 60 ફૂટ સુધી જમા થયેલો કાદવ અને પથ્થરો આસાનીથી કાઢી શકાય છે. જેનાથી ગટર લાઈન નવી જેવી ચોખ્ખી થઈ જશે.ધરમપુરના પાલિકા પ્રમુખ મયંક મોદી, ઉપપ્રમુખ ઉમાબેન ભોયા અને ચીફ ઓફિસર વિજય ઈટાલીયા સહિતના હોદ્દેદારોએ સુરત RCM કચેરી ખાતે આ મશીનની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. GUDCએ આ આધુનિક મશીન ફાળવતા હવે નગરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
57 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 02:45 PM
મુખ્યમંત્રીની હાજરીમાં હાપા એ. પી. એમ. સી. ખાતે ગુજરાત ખેડૂત સંમેલન યોજાયું

મુખ્યમંત્રીની હાજરીમાં હાપા એ. પી. એમ. સી. ખાતે ગુજરાત ખેડૂત સંમેલન યોજાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૮૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.૬૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
35 shares
😐
D
Divya Bhaskar
Mar 18, 2026, 10:44 PM
વીજળીના જોડાણના અભાવને કારણે શીતલકુંડના વોટર સોલ્યુશન સ્ટોલ્સ

વીજળીના જોડાણના અભાવને કારણે શીતલકુંડના વોટર સોલ્યુશન સ્ટોલ્સ

શહેરના શીતળાકુંડ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા ડીપ વેલ બનાવી ચોકડી તૈયાર કરવામાં આવી છે, પરંતુ આ સુવિધા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, ચોકડીનું નિર્માણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી ત્યાં વીજ કનેક્શન આ
31 shares
😢
Western Times logo
Western Times
Mar 18, 2026, 02:35 PM
ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યને AI અને ઉભરતી તકનીકીઓનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે સ્ટાર્ટ-અપ સંવાદનું નેતૃત્વ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યને AI અને ઉભરતી તકનીકીઓનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે સ્ટાર્ટ-અપ સંવાદનું નેતૃત્વ કર્યું

મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રપટેલનોએ.આઈ.સેક્ટરનાયુવાસ્ટાર્ટઅપ્સનેપ્રોત્સાહિતકરતોઅનોખોઅભિગમ –દેશનાવિવિધરાજ્યોનાઉચ્ચસંભવિતસ્ટાર્ટઅપ્સસાથેમુખ્યમંત્રીશ્રીએપ્રત્યક્ષસંવાદકર્યો યુવાસ્ટાર્ટઅપનીપ્રોડક્ટ્સનુંમુખ્યમંત્રીનિવાસસ્થાનપરિસરમાંપ્રદર્શનનિહાળ્યું-ગુજરાતને AIઅનેઈમર્જીંગટેક્નોલોજીમાટેગ્લોબલસેન્ટરબનાવવાનીદિશામાંરાજ્યસરકારનાસાયન્સએન્ડટેક્નોલોજીવિભાગનુંબહુઆયામીઆયોજન શાસનમાં પારદર્શિતા અને નાગરિકોની સુખાકારી માટે AIટેકનોલોજીનોમહત્તમ ઉપયોગ કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી-સ્ટાર્ટ અપને AIસોલ્યુશનના પ્રુફ ઓફ કોન્સેપ્ટ (PoC) માટેરાજ્ય સરકાર દ્વારા ફાયનાન્સિયલ સપોર્ટ મોડલની જાહેરાત અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને યુવા સ્ટાર્ટ અપ્સના સ્કેલેબલ અને ઈફેક્ટિવ સોલ્યુશન્સથી વધુ સક્ષમ કરીને AI અને ઉભરતી ટેક્નોલોજી માટે ગ્લોબલ સેન્ટર બનાવવાની દિશામાં સ્ટાર્ટ અપ સંવાદનું ગાંધીનગરમાં મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સ્ટાર્ટ અપ સંવાદમાં દેશના રાજ્યોના 24 જેટલા ઉચ્ચ સંભવિત સ્ટાર્ટ અપ્સ સાથે પ્રત્યક્ષ સંવાદ-વાતચિત કરીને તેમના અનુભવો અને ઈનોવેશન વિશે જાણવામાં ખુબ જ ઉત્સુકતા દર્શાવી હતી.
13 shares
😐