Achira News Logo
Achira News
Western Times logo
Western Times
Feb 4, 2026, 10:28 AM
આમોદ નાગરે સરકારી જમીન પરની ગેરકાયદેસર ઈમારત તોડી પાડી

આમોદ નાગરે સરકારી જમીન પરની ગેરકાયદેસર ઈમારત તોડી પાડી

નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી મકાન ખાલી કરવા જાણ કરી હતી: મુખ્ય અધિકારી (પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં ગત રોજ મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવેલું પાકું મકાન પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે માત્ર બે કલાકનો સમય આપીને તોડી પાડ્‌યું હતું.જેથી આમોદમાં અન્ય દબાણકર્તાઓમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આમોદમાં મારુવાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર ૩૫૯૧ સરકારી જમીન ઉપર વર્ષોથી બાદશાહ પરિવાર પાકું મકાન બાંધીને રહેતો હતો.જે બાબતે આમોદ નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી મકાન ખાલી કરવા જાણ કરી હતી.ત્યાર બાદ ગત રોજ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડવા માટે ધસી આવ્યા હતા.જેથી મકાન માલિક સહિત સગા સંબંધીઓમાં પણ ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આમોદ પાલિકાની ટીમ સીટી સર્વેના અધિકારીઓને સાથે રાખીને મકાન ડિમોલિશન કરવા આવી હોવાનું જાણી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને મુખ્ય અધિકારી તેમજ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ સાથે મૌખિક ચર્ચા કરી મકાન માલિક માટે સહાનુભૂતિ દર્શાવી એક – બે દિવસની મુદત આપવા જણાવ્યું હતું. પરંતુ આમોદ પાલિકાના મક્કમ મનના મુખ્ય અધિકારીએ સરકારની સૂચના મુજબ સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધેલું પાકું મકાન માલિકને માત્ર બે કલાકનો સમય આપીને પાલિકાના જેસીબી વડે ધ્વસ્ત કરી નાખ્યું હતું.જેથી આમોદમાં ગેરકાયદે દબાણો કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બાબતે મકાન માલિક અલ્તાફ બાદશાહે જણાવ્યું હતું કે પાલિકાએ અમોને માત્ર બે કલાકનો સમય આપીને મારું મકાન તોડી કાઢ્યું છે. જ્યારે બજારમાં દુકાનો તોડવા માટે ત્રણ દિવસની મુદત આપી હતી.તેમજ આક્ષેપ કર્યો હતો કે આમોદ નગરમાં અનેક બાંઘકામ બિનઅધિકૃત અને સરકારી જમીનો ઉપર છે. તો પછી આમોદ ગામના બીજા ડિમોલેશન ક્યારે થશે? જેટલી ઝડપથી મારું ઘર તોડાયું તો તેટલી ઝડપથી બીજા ડિમોલેશન થશે તેવો વેધક સવાલ કર્યો હતોધ.
26 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 10:22 AM
ગુજરાતનો સરકારી કર્મચારી લાંચ લેતા રંગે હાથ પકડાયો

ગુજરાતનો સરકારી કર્મચારી લાંચ લેતા રંગે હાથ પકડાયો

(એજન્સી)જૂનાગઢ, ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી લાંચ લેવાનો પ્રયત્ન કરે તે તેના પર એસીબી દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવે છે. એસીબીને જાણ કરી એટલે જે તે અધિકારી કે કર્મચારીનું છટકું ગોઠવાઈ જાય છે. ફરી એક સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને એસીબીએ ૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે હાથે ઝડપાયા છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાની આ લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા તાલુકાના એક ગામે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોના કામો અંગે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાએ રૂપિયાની માંગણી કરી હતી. તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા આ કામ માટે રૂપિયા ૧,૬૫,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. જેમાંથી અડધા રૂપિયા પહેલા આપવા માટે કહેવામાં આવ્યું છે.
51 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 10:17 AM
અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો

અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો

અમદાવાદની હોટલમાં રોકાઈને અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા-આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં નવા ખુલાસાઓ થશે (એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ખાડિયા પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની ઉચાપત કરીને ભારતીય ચલણમાં નાણાં રૂપાંતરિત કરતાં હતા. ચોક્કસ માહિતીને આધારે કરેલી કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ખાડિયા પોલીસને બાતમી મળી હતી કે હોટલ સંગમમાં છેલ્લા ત્રણ દિવસથી રોકાયેલા કેટલાક યુવકો શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા. આ બાદ પોલીસે હોટેલના રૂમમાં રેડ પાડી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રૂમમાં લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી મુંબઈના ક્લેટન રોડ્રિક્સ તેમજ અમદાવાદના રહેવાસી કપિલ પઢિયાર અને ધવલ દરજીને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ડાર્ક વેબ અથવા અન્ય ગેરકાયદેસર સ્ત્રોતો દ્વારા અમેરિકન નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતા હતા. ઇન્ટરનેટ કોલિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ અમેરિકામાં કોલ કરતા અને લોકોને તમારી લોન મંજૂર થઈ ગઈ છે કહીને વિશ્વાસમાં લેતા હતા. લોન આપવાના બહાને પ્રોસેસિંગ ફી કે અન્ય ચાર્જિસ પેટે દરેક ભોગ બનનાર પાસેથી ૧૫૦થી ૨૦૦ ડોલર પડાવવામાં આવતા હતા. છેતરપિંડીની આ રકમ સીધી બેંકમાં લેવાને બદલે તેઓ યુએસડીટીમાં મેળવતા હતા અને ત્યારબાદ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરતા હતા, જેથી પોલીસ પકડથી બચી શકાય. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, ‘આરોપીઓએ અમેરિકન નાગરિકોનો વ્યક્તિગત ડેટા મેળવ્યો હતો અને ખોટી ઓળખ હેઠળ તેમનો સંપર્ક કરવા માટે ગુગલ વોઇસનો ઉપયોગ કર્યો હતો, તાત્કાલિક લોન મંજૂરીની ઓફર કરી હતી. સંભવિત પીડિતોને ઢગલાબંધ સંદેશાઓ અને કોલ કરવામાં આવ્યા હતા, જે બાદ ખાતરી આપીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે.
82 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 10:12 AM
ઉશ્કેરણી અને માનસિક ત્રાસ વચ્ચે મિત્રની આત્મહત્યાના સંબંધમાં બિલ્ડરના પુત્રની ધરપકડ

ઉશ્કેરણી અને માનસિક ત્રાસ વચ્ચે મિત્રની આત્મહત્યાના સંબંધમાં બિલ્ડરના પુત્રની ધરપકડ

ગાંધીનગરના બિલ્ડર પુત્રને સટ્ટાબજારનો કારોબાર ભરખી ગયો હોવાનો ઘટસ્ફોટ ગાંધીનગર, ગાંધીનગરના બિલ્ડરના પુત્ર ઋષભ પટેલ (ઉં-૨૫)ના આપઘાત કેસમાં પકડાયેલા મહિપાલસિંહ રાઠોડે રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આત્મહત્યા પાછળ સટ્ટાબજારના લાખો રૂપિયાની ઉઘરાણી અને માનસિક ત્રાસ જવાબદાર હોવો જોઈએ. રિમાન્ડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ભાજપના પૂર્વ કોર્પાેરેટરનો પુત્ર મનિષ સ્પ્લેન્ડરના આઈડીથી સટ્ટો રમાતો હતો, તે ઉપરાંત કલ્પેશ ઉર્ફે તલાટી વાસ્તવમાં સાણંદમાં તલાટી તરીકે સરકારી નોકરી કરતો હોવાનો ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ઋષભની આત્મહત્યા કેસમાં ચાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સુઘડ ખાતે રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન હેલી નામની યુવતી સાથે ગત ૧૨ જાન્યુઆરીએ થયા હતા. ઋષભ ૨૫ જાન્યુઆરીએ સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન તા.૨૬મીએ તેની કાર રાયપુર નર્મદા કેનાલ નજીકથી બિનવારસી મળી હતી. તેમાંથી બે પાનાની સ્યુસાઈટ નોટ મળી હતી. તે પછી તા.૨૮મીએ ઋષભનો મૃતદેહ કડી કેનાલમાંથી મળ્યો હતો. જોકે ઋષભે લખેલી સ્યુસાઈડ નોટમાં કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલ (એ-૮૦૨, નેસ્ટ રેસીડેન્સી, રોડ કોબા), મનિષ ઉર્ફે સ્પલેન્ડર સોમાભાઈ પટેલ (બી-૧૦૧, શિખર રેસીડન્સી, નાના ચિલોડા), ક્રિશાલ અરવિંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ પટેલ (સી-૭૦૨, બેવરલી હિલ્સ, નાના ચિલોડા) અને મહિપાલસિંહ રાઠોડ (નાના ચિલોડા)ના ત્રાસના લીધે અંતિમ પગલું ભરી પત્ની હેલીને સંબોધીને મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યાે છે એમને સજા અપાવજે એવો ઉલ્લેખ કર્યાે છે. પરંતુ કઈ બાબત માનસિક ટોર્ચર થવું પડ્યું એ બાબતે સ્યુસાઈડ નોટમાં લખ્યુંનહીં હોવાથી ઋષભની પત્ની સહિતના મિત્રો શરૂઆતથી જ પોલીસ રડારમાં છે.
100 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 10:05 AM
રાજકોટ નિવાસમાંથી રૂ. 1 કરોડની ચાંદીના દાગીનાની ચોરી

રાજકોટ નિવાસમાંથી રૂ. 1 કરોડની ચાંદીના દાગીનાની ચોરી

રાજકોટ શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ પેડક રોડ પર રણછોડનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાંથી એકાદ કરોડ કિંમતના 100 કિલોથી વધુ ચાંદીના ઘરેણાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન વન ટીમ તેમજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રીના 2થી 2.30 વાગ્યા આસપાસ ત્રણ જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમા ઘરેણાં ભરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે. ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને ચાંદીની ચોરી કરીમળતી વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના 2થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને 1 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાનું સામે આવ્યું છે. ચોરીની જાણ થતાં જ અતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી, જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈરાજકોટના ઝોન વન ડીસીપી હેતલ પટેલે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા, જેઓ લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં (ચંપકનગર વિસ્તાર) રાખેલી આશરે 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાની ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ચોરોની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી. બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈઆ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં ચોરીનું કારણ વેપારીના ચાંદીના વેપારને લગતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
95 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 10:02 AM
ભરૂચ એલસીબીએ શુક્લતીર્થ ઓપરેશનમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો

ભરૂચ એલસીબીએ શુક્લતીર્થ ઓપરેશનમાં મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના શુકલતીર્થ વિસ્તારમાં એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે શુકલતીર્થ સીમમાં આવેલ એક ખેતરમાં દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડી એક બુટલેગરની અટકાયત કરી હતી જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શુકલતીર્થ સીમમાં મોટી માત્રામાં દારૂ ઉતરી રહ્યો છે.જેના આધારે રેઈડ કરતા ઘટના સ્થળેથી વિવિધ બ્રાન્ડની કુલ ૧૭૬૪ બોટલ વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત રૂ.૫,૨૬,૮૦૦ સાથે શુકલતીર્થના બુટલેગર કાર્તિક સુરેશ પટેલને પોલીસે ઝડપી લીધો હતો. જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી મોબાઈલ ફોન નંગ ૨ જેની અંદાજિત કિંમત રૂ.૧,૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૬,૮૬,૮૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપેલ કાર્તિક પટેલની પૂછપરછ કરતા દારૂના કારોબારમાં સંડોવાયેલ સુરતના કોસંબાના જીગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલને વોન્ટેડ જાહેર કરી ભરૂચ એલસીબી દ્વારા નબીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુકલતીર્થ સીમમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર કારોબાર કરનારાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
4 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 09:49 AM
ચોરોએ અમદાવાદની હવામાન વિભાગની ઓફિસમાંથી ₹46.50 લાખના સાધનોની ચોરી કરી

ચોરોએ અમદાવાદની હવામાન વિભાગની ઓફિસમાંથી ₹46.50 લાખના સાધનોની ચોરી કરી

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બનાવ સતત વધુ રહ્યા છે, ત્યારે તસ્કરોએ નારણપુરામાં આવેલું હવામાન વિભાગની ઓફિસમાં ચોરી કરી છે. તસ્કરોએ એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર જઈને મશીન, ચાર્જર સહિતના 4.65 લાખના સામાનની ચોરી કરી છે. નારણપુરા પોલીસે ગુનો ગાંધીનગર જીલ્લાના ખોરજ ગામમાં રહેતા સુધીર વિશ્વરકર્માએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે નારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવેલા હવામાન વિભાગના એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન (એક્યુએમએસ)માં એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે નોકરી છે. હવામાન વિભાગના સ્ટેશન ખાતે વિઝીટ કરવા ગયા ને ચોરીની ખબર પડીઈન્ડિયન ઈન્સ્ટીસ્યુટ ઓફ ટ્રોપીકલ મેટીઓરોલોજી નામના હવામાન વિભાગના જુદી જુદી જગ્યાએ સ્ટેશનો આવેલા છે. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પણ હવામાન વિભાગનું સ્ટેશન આવેલુ છે જેને એન્જીનીયર નિર્મલ બારીયા સંભાળે છે. થોડા સમય પહેલા સુધીર લાલદરવાજા વિક્ટોરીયા ગાર્ડન ખાતે આવેલા હવામાન વિભાગના સ્ટેશન ખાતે વિઝીટ કરવા માટે ગયા હતાં. ત્યારે નિર્મલ બારીયા સરદાર પટેલ ખાતે તેમના સ્ટેશન પર હાજર હતા. રાતે રાબેદા મુજબ નિર્મલ પોતાના ઘરે જતો રહ્યો હતો ત્યારે સુધીરે સર્વરનો ડેટા ચેક કરવાનું શરૂ કર્યુ હતું. એક બારી તુટેલી હાલતમાંદરમિયાનમાં સુધીરને જાણવાં મળ્યું હતું કે, સરદાર પટેલ સ્ટેડીયમ ખાતેના સ્ટેશનનીં સિસ્ટમ બંઘ છે. પાવર કટ થયો હોવાના કારણે સિસ્ટમ બંધ થઈ હોવાની વિચારીને કોઈ તપાસ કરી નહી. સ્ટેશનની સિસ્ટમ શરુ નહી થતા સુધીરને શંકા ગઈ હતી. જેથી તે તરતજ નિર્મલને લઈને સ્ટેશન પહોચી ગયા હતા. એર ક્વોલોટી મોનીટરીંગ સ્ટેશન પર ગયા ત્યારે એક બારી તુટેલી હાલતમાં હતી. તસ્કરોએ ઘુસીને 4.65 લાખના મત્તાની ચોરી ફરારસુધીર ઓફિસમાં જઈને ચેક કર્યુ તો સામાન વેરવિખેર પડ્યો હતો. સુધીરને શંકા થઈ ગઈ હતી કે તસ્કરોએ ઘુસીને ચોરી કરી છે. નિર્મલે તપાસ કરી તો તેને ખબર પડીકે તસ્કરોએ નાઈટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ, યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખના મત્તાની ચોરી થઈ હતી. સુધીરે આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને ચોરીની ફરિયાદ કરી હતી.પોલીસે સુધીરની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
2 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 09:40 AM
મોર્બીમાં કપાસના વાવેતરમાં માનસિક રીતે બીમાર યુવાનનો મૃતદેહ મળી આવ્યો

મોર્બીમાં કપાસના વાવેતરમાં માનસિક રીતે બીમાર યુવાનનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના સોખડા ગામ નજીક એક ખેતરમાંથી માનસિક બીમાર યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાન છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની ઓળખ સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (ઉંમર 36) તરીકે થઈ છે, જે સોખડા ગામનો રહેવાસી હતો. તેનો મૃતદેહ સોખડા અને બહાદુરગઢ રોડ પર આવેલી રમેશભાઈ બાલાસરાની કપાસ વાવેતર કરેલી વાડીમાંથી મળી આવ્યો હતો. સંજયભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા અને અવારનવાર ઘરેથી નીકળી જતા હતા. આ વખતે તેઓ કોઈને જાણ કર્યા વગર છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રમેશભાઈ બાલાસરા (રહે. કિશનગઢ, સોખડા) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન, વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચળભાઇ ગોવિંદભાઈ સોલંકી (ઉંમર 67) નું બીમારી સબબ મૃત્યુ થયું છે. તેઓ બીપીની બીમારીથી પીડાતા હતા. અવચળભાઇનું ઘરે જ મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. વાંકાનેર સિટી પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
60 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 09:29 AM
રાજકોટ પોલીસે દરોડા પાડ્યા, જાહેર જુગાર રમવા બદલ 8ની ધરપકડ

રાજકોટ પોલીસે દરોડા પાડ્યા, જાહેર જુગાર રમવા બદલ 8ની ધરપકડ

તસ્‍વીરમાં જૂગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. રાજકોટ તા. ૪ :.. શાપર-વેરાવળ પોલીસે વેરાવળ ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા ૮ શખ્‍સોને ઝડપી લીધા હતાં. પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍યએ પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે.જી.ઝાલા માર્ગદર્શન હેઠળ શાપર(વે) પો.સ્‍ટેના પોલીસ ઇન્‍સપેકટર આર.બી.રાણા ના રાહબરી હેઠળ સર્વેલન્‍સ સ્‍ટાફ પેટ્રોલીંગ મા હતા તે દરમ્‍યાન પો.કોન્‍સ રાજદીપસિહ જાડેજા મળેલ હકીકત આધારે વેરાવળગામ બુધ્‍ધનગર પાણીના અવેડા પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા આરોપી (૧) રશીક ટપુભાઇ સોલંકી રહે.ગોવીંદનગર વેરાવળગામ (૨) અરજણ નાજાભાઈ ગળચર રહે.વેરાવળગામ બુધ્‍ધનગર(૩) ગુણવંત હંસરાજભાઇ ગોહેલ રહે વેરાવળ ગ્રામ પંચાયત પાસે, (૪) કાન્‍તી ખીમજીભાઇ ડાભી રહે.બુધ્‍ધનગર વેરાવળગામ, (૫) ભુપત મુંજાભાઇ રાઠોડ રહે. ગોવીંદનગર સર્વોદય સોસાયટી, (૬) સુરેશ ભાયાભાઇ પરમાર રહે.બુધ્‍ધનગર વેરાવળગામ, (૭) વિજયભાઇ બાવનજીભાઇ વાઢેર, રહે. ગોવીંદનગર વેરાવળગામ, (૮) વિપુલભાઈ ચનાભાઈ પરમાર જાતે અનુ.જાતી. ઉ.વ.૩૪, રહે.બુધ્‍ધનગર વેરાવળ ગામને રોકડા રૂા. ૧ર,૪પ૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. આ કાર્યવાહી શાપર-વેરાવળ પો. સ્‍ટે.ના પો.હેડ.કોન્‍સ દીનેશભાઈ ખાટરીયા, જગશીભાઈ ઝાલા, પો.કોન્‍સ લગધીરસિંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામસીયા, રાજદિપસિહ જાડેજા, વિમલભાઇ વેકરીયા, દિવ્‍યેશભાઇ શામળા,મનસુખભાઇ ચૌહાણ વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
22 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 09:21 AM
ભારતીય પોલીસે મોટી કાર્યવાહીમાં 100થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત કરી

ભારતીય પોલીસે મોટી કાર્યવાહીમાં 100થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત કરી

મુંબઈને અડીને આવેલા નાલાસોપારામાં પોલીસે એક મોટી કાર્યવાહીમાં ૧૦૦ થી વધુ વિદેશી નાગરિકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ વહીવટીતંત્ર અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં નાલાસોપારાના તુલીંજ વિસ્તારમાંથી આ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તુલીંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં નાઇજીરીયન નાગરિકો રહે છે. આમાંથી ઘણા લોકોના પાસપોર્ટ અને વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે, અને કેટલાક ડ્રગ હેરફેર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
20 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 09:18 AM
સુરેન્દ્રનગર જિલ્લાએ ગેરકાયદેસર જુગાર સામે કડક કાર્યવાહી શરૂ કરી

સુરેન્દ્રનગર જિલ્લાએ ગેરકાયદેસર જુગાર સામે કડક કાર્યવાહી શરૂ કરી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૪ :.. સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્‍તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્‍દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ નેશનલ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી અમુક વાહનોમાં ચોરી છુપીથી ગેરકાયદેસર વિદેશી દારુનો જથ્‍થો ભરી સંતાડી હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોકસ બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એલ.સી.બી. સુરેન્‍દ્રનગર નાઓને સુચના કરેલ. જે અન્‍વયે એલ.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર તથા પો.સબ.ઇન્‍સ. જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્‍કોડના ઇન્‍ચાર્જ પો.સબ.ઇન્‍સ. એન.એ.રાયમા નાઓએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્‍કોડ પોલીસ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા હાઇવે પર પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્‍લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણ પણે નેસ્‍ત નાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્‍કોડની ટીમ દ્રારા પેટ્રોલીંગ દરમ્‍યાન સાંગાણી ગામની સીમ ચોટીલા સાયલા નેશનલ હાઇવે રોડ પર આવેલ ગોપાલ હોટલના ગ્રાઉન્‍ડમાં એક ટાટા કંપનીના ટ્રક રજી નં. ય્‍થ્‍.૫૨.ઞ્‍ખ્‍.૪૫૭૫ વાળામાં ખાતરની બેગની આડમા છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્‍થો નાની મોટી ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ.૧૧,૪૯૬ પ્રોહી મુદામાલ કુલ કી.રૂ.૮૫,૬૬,૮૦૦/- તથા ખાતરની કોથળીયો નંગ.રરપ કી.રૂ.૬૭,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦/- તથા એક ફાસ્‍ટેગ કી.રૂ.૦૦/- તથા એક એરટેલ કંપનીના સીમ કાર્ડનુ કવર કી.રૂ.૦૦/- તથા ટાટા કંપનીનો ટ્રક ટ્રેલર કિંમત રૂપીયા કી.રૂ.૨૦,૦૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧,૦૬,૩૪,૮૦૦/- નો મુદામાલ પકડી પાડી ચાલક તથા માલીક તથા દારૂનો જથ્‍થો મોકલનાર તથા મંગાવનાર આરોપીઓ વિરૂધ્‍ધમાં ચોટીલા પોલીસ સ્‍ટેશન ખાતે ઙ્કોહીબીશન ધારા મુજબનો ગુન્‍હો રજી. કરાવવામાં આવેલ. પકડાવાના બાકી આરોપી (૧) ટ્રકના રજી નં.RI.52.GA.૪૫૭૫ વાળીનો ચાલક, (૨) ટ્રકના રજી નં.RI.52.GA.૪૫૭૫ વાળીનો માલીક (૩) ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મોકલનાર અજાણ્‍યો ઇસમ (૪) ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મંગાવનાર અજાણ્‍યો ઇસમ તથા તપાસમા ખુલે તે કબજે કરેલ મુદ્દામાલની વિગત (૧) ગે.કા. ઇગ્‍લીશ દારૂ નાની મોટી બોટલો નં.૧૧,૪૯૬ કુલ કી.રૂ.૮૫,૬૬,૮૦૦/- (૨) ખાતરની કોથળીયો નંગ.રર૫ કી.રૂ.૬૭,૫૦૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦/- (૪) એક ફાસ્‍ટેગ કી.રૂ.૦૦/- (૫) એક સીમ કાર્ડનુ કવર કી.રૂ.૦૦/- (૬) ટાટા કંપનનો ટ્રક ટ્રેલર રજી નં. ય્‍થ્‍.૫૨.ઞ્‍ખ્‍.૪૫૭૫ કી.રૂ.૨૦,૦૦,૦૦૦/ એમ કુલ કી.રૂ. ૧,૦૬,૩૪,૮૦૦ /- નો મુદામાલ જપ્ત કરેલ છે.
71 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 09:11 AM
45, 000ના ગાંજા સાથે જેતપુર પોલીસે મહિલાની ધરપકડ કરી

45, 000ના ગાંજા સાથે જેતપુર પોલીસે મહિલાની ધરપકડ કરી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૪: જેતપુરના ટાકુડીપરા વિસ્‍તારમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૪૫ હજારના ગાંજા સાથે મહિલાને શહેર પોલીસે ઝડપી લઇ ત્રણ સામે ગુન્‍હો દાખલ કરી કાર્યવાહી કરી હતી. શહેર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ રાણાભાઇ વકાતર,ભગીરથસિંહ જાડેજા પેટ્રોલિંગમાં નીકળેલ દરમ્‍યાન ચોકસ બાતમી મળેલ કે ટાકુડીપરા વિસ્‍તારમાં રહેતી મહિલા તેના રહેણાંક મકાનમાં વનસ્‍પતિજન્‍ય ગાંજો રાખતી હોય જેથી પી આઈ એ ડી પરમારે રેડ કરવા અંગેની તમામ કાર્યવાહી કરાવી સ્‍ટાફના જશુબેન,રવજીભાઈ હાપલીયા,અમિતભાઈ સિદ્ધપરા,વિરેન્‍દ્રસિંહ રાઠોડ,લાખુભા રાઠોડ,મહેશભાઈ તેમજ સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્‍યા બાવાવાળાપરા,સહકારી મંડળી પાસે આવેલ રહેણાંક મકાન કે જેમાં શરદબેન દિનેશભાઈ લુણાગરિયા રહે છે તેમાં રેડ કરતાં રૂમ માંથી કાળા તેમજ સફેદ ઝબલા માંથી વનસ્‍પતિ જન્‍ય ગાંજો ૯૪૫ ગ્રામ કિંમત રૂ. ૪૫,૭૦૦ ના મુદામાલ સાથે મહિલા શરદબેન દિનેશભાઈ લણાગરિયા ને પકડી પાડી ગાંજા અંગે પૂછપરછ કરતા તે ગાંજો તેના પ્રેમી ના પિતા હનીફ સતારભાઈ રફાઈ એ વિરપુર ના કોઈ સાધુ પાસે થી લાવી આપેલ હોવાનું જણાવતા પોલીસે શરદબેન લણાગરિયા,હનીફ રફાઈ,અજાણ્‍યા વિરુદ્ધ એન ડી પી એસ કલમ ૮સી,બી૨૦,૨ એ,૨૯ મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
98 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 09:08 AM
જામનગર જિલ્લામાં કૃષિ પેદાશોની ચોરીના આરોપી સામે ખેડૂતની ફરિયાદ

જામનગર જિલ્લામાં કૃષિ પેદાશોની ચોરીના આરોપી સામે ખેડૂતની ફરિયાદ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૪: જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશન હેઠળના સોરઠાગામ અને આસપાસના વિસ્‍તારના ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને ઠગાઈનો સનસનાટીભર્યો કિસ્‍સો સામે આવ્‍યો છે. સોરઠાગામના એક જાગળત ખેડૂતે કાલાવડના એક શખ્‍સ સામે અંદાજે ૯૭ લાખ રૂપિયાની ખેતપેદાશો ખરીદી તેના નાણાં ન ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો દોડતો થયો છે. ઘટનાની વિગતો મુજબ, સોરઠાગામમાં રહેતા અને ખેતીકામ કરતા ૩૦ વર્ષીય યુવાન કુલદીપભાઇ ગોરધનભાઇ કોઠીયા (પટેલ) એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આજથી આશરે ત્રણેક મહિના પહેલા કાલાવડના કુંભનાથપરા વિસ્‍તારમાં રહેતા દિલીપભાઇ નારદભાઇ સાવલીયા નામના શખ્‍સે તેમનો તથા અન્‍ય ખેડૂતોનો સંપર્ક કર્યો હતો. આ શખ્‍સે ખેડૂતો પાસેથી વિશ્વાસમાં લઈ મગફળી, તલ અને સફેદ ચણા જેવી ખેતપેદાશોની ખરીદી કરી હતી. આરોપીએ ખેડૂતોને ભરોસો આપ્‍યો હતો કે માલ લઈ ગયા બાદ ટૂંક સમયમાં જ તેના પૂરેપૂરા નાણાં ચૂકવી દેશે. જોકે, માલ લઈ ગયા બાદ આરોપી દિલીપ સાવલીયાએ નાણાં ચૂકવ્‍યા નહોતા અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી નાસી છૂટયો હતો. આ ઠગાઈમાં આરોપીએ ખેડૂતો પાસેથી ૬૦૭૩.૮ મણ મગફળી (કિંમત રૂ. ૮૪,૯૨,૨૦૪/-), ૧૧૨ મણ તલ (કિંમત રૂ. ૫,૮૦,૩૯૭/-) અને ૩૭૪ મણ સફેદ ચણા (કિંમત રૂ. ૬,૨૫,૦૦૦/-) મળી કુલ રૂ. ૯૬,૯૭,૬૦૧/- ની મત્તા પડાવી લીધી છે.
68 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 09:02 AM
ઉત્તર પ્રદેશ પોલીસે મુંબઈમાં'લવ જેહાદ "ના આરોપી અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશ પોલીસે મુંબઈમાં'લવ જેહાદ "ના આરોપી અઝફરુલ હક ઉર્ફે પ્રિન્સની ધરપકડ કરી

બસ્‍તી તા.૪: ઉતર પ્રદેશના બસ્‍તીમાં કથિત લવ જિહાદનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. અહીં એક હિન્‍દુ યુવતીએ એક મુસ્‍લિમ યુવક પર આરોપ લગાવ્‍યો છે કે, તેને ઓળખ છુપાવીને નજીકના સંબંધો બાંધવા દુષ્‍કર્મ કર્યું, યુવતીને ત્‍યારે ખબર પડી જ્‍યારે આરોપી યુવકે તેને ધમકાવી અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, આરોપી અને તેના ભાઈએ અંદાજિત ૩૦૦થી વધુ છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી છે. એ તમામના વીડિયો બનાવી તેને અલગ અલગ રાજ્‍યો અને નેપાળ જેવા દેશોમાં દેહ વેપાર માટે ધકેલવામાં આવી છે. બસ્‍તી પોલીસે આ મામલે લાંબા સમયથી ફરાર વોન્‍ટેડ આરોપી અઝફારુલ હક ઉર્ફે પ્રિન્‍સને મુંબઈના બ્રાંદ્રા વિસ્‍તારમાંથી ઝડપી લીધો છે તે ૨૫ હજારનો ઈનામી આરોપી હતો. તેની સામે પહેલાથી જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસના જણાવ્‍યા મુજબ, હાલમાં એક યુવતીએ આરોપ લગાવ્‍યો હતો કે આરોપીએ ઓળખ છુપાવીને તેને સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા અને દુષ્‍કર્મ આચર્યું. જ્‍યારે યુવતીને આરોપી અંગે ખબર પડી ત્‍યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેને પૂછ્‍યું તો તેને ધમકીઓ આપવામાં આવી, પીડિતાની ધરપકડ બાદ બસ્‍તી કોતવાલી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ તેજ કરી છે. પોલીસ તપાસ બાદ ખુલાસો થયો છે કે, આરોપી પહેલાથી લૂંટ, ખંડણી અને છેતરપિડી જેવા ૨૦થી વધુ કેસનો ગુનેગાર છે. તે સતત પોતાનું લોકેશન બદલી પોલીસને ચકમો આપતો હતો. જે બાદ બસ્‍તી એસપીના આદેશ બાદ સ્‍વાટ ટીમ અને સધન દેખરેખ અને ટેકનિકલ પાસાઓ પર નજર રાખી હતી, છેલ્‍લે મુંબઈમાંથી ફરાર આરોપી અઝફારુલ હકની ધરપકડ કરવામાં આવી છે. હવે તેના રિમાન્‍ડની માંગણી કરી કડક હાથે પૂછપરછ કરવામાં આવશે. જેથી આ મામલાઓમાં અન્‍ય કોણ કોણ સામેલ છે અને પીડિત છે તેની જાણકારી લઈ શકાય, પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી ક્‍યાંક કોઈ સંગઠિત ગેંગ સાથે તો જોડાયેલો નથી? આ ઘટના બાદ હિન્‍દુ સામાજિક સંગઠનોએ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે. હાલમાં બસ્‍તી પોલીસ સમગ્ર મામલે ગંભીરતા દાખવી કામ કરી રહી છે.
72 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 08:54 AM
મહારાષ્ટ્રમાં સરપંચની ચૂંટણી લડવા માટે યુવકે દીકરીની હત્યા કરી

મહારાષ્ટ્રમાં સરપંચની ચૂંટણી લડવા માટે યુવકે દીકરીની હત્યા કરી

કેરૂર તા.૪: મહારાષ્ટ્રમાં એક સ્‍તબ્‍ધ કરી મૂકે તેવો કિસ્‍સો સામે આવ્‍યો છે. નિઝામાબાદમાં એક વ્‍યક્‍તિએ સરપંચની ચૂંટણી લડવા માટે લાયક થવા પોતાની પુત્રીની હત્‍યા કરી દીધી. પોલીસના જણાવ્‍યા મુજબ, મહારાષ્ટ્રના કેરૂર ગામમાં રહેવાવાળા પાંડુરંગ સરપંચની ચૂંટણી લડવા માગતો હતો. પણ બે બાળકોના નિયમના કારણે તે ચૂંટણી લડવા માટે કાયદાકીય રીતે અયોગ્‍ય હતો. કેમ કે તેને ત્રણ બાળકો હતા. આ અયોગ્‍યતા તેની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. જેથી તેને પોતાની જ દીકરી પ્રાચીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે જણાવ્‍યું કે પાંડુરંગ નિઝામાબાદ જિલ્‍લાના અડાપલ્‍લી પાસે આવેલા નિઝામસાગર નહેરના કિનારે પાસે દીકરી પ્રાચીને લઈને ગયો હતો. જે બાદ તેને ત્‍યાં ધક્કો મારી ડૂબાડી દેતા તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં સમગ્ર ખુલાસો થતાં હવે આરોપી પાંડુરંગની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાક્રમમાં હાલના સરપંચ ગણેશ શિદેની પણ ધરપકડ કરવામાં આવી છે. કેમ કે આરોપીએ ઘટનાને અંજામ આપતા પહેલા સરપંચ સાથે વાત કરી હતી. પોલીસ સમગ્ર કેસમાં વધુ તપાસ કરી રહી છે. સભ્‍ય સમાજ માટે કિસ્‍સો ચેતવતો અને ચોંકાવનારો છે. એક બાપે સગી દીકરીને માત્ર ચૂંટણી લડવા માટે મોતના મુખમાં ધકેલી દેતા પરિવાર અને પંથકમાં શોક સાથે આક્રોશની લાગણી છે
84 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 08:44 AM
મોર્બી પોલીસે ત્રણ દરોડા પાડ્યા, વિદેશી દારૂ જપ્ત કર્યો અને આરોપીની ધરપકડ કરી

મોર્બી પોલીસે ત્રણ દરોડા પાડ્યા, વિદેશી દારૂ જપ્ત કર્યો અને આરોપીની ધરપકડ કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪: મોરબી શહેર અને માળીયા મિયાણા શહેરમા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની નાની - મોટી દસ બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે નવલખી રોડ પર સેન્‍ટમેરી ફાટક પાસેથી આરોપી કલ્‍પેશ રાજેશભાઈ રાણાવડીયા રહે.વીસીપરા મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા ૩૭૫ સાથે ઝડપી લઈ બીજા દરોડામાં મહેન્‍દ્રનગર ચોકડી પાસેથી આરોપી વિક્રમ વેલજીભાઈ ધામેચા રહે.મહેન્‍દ્રનગર વાળાને વિદેશી દારૂની ૪ બોટલ કિંમત રૂપિયા ૨૧૪૮ સાથે પકડી પાડયો હતો.જ્‍યારે ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે માસુમશા પીરની દરગાહ પાસેથી આરોપી ભવદીપસિંહ નરેન્‍દ્રસિંહ રાઠોડ રહે.ખાખરેચી વાળાને વિદેશી દારૂની ૧૮૦ મીલી માપની ૫ ચપલા બોટલ કિંમત રૂ.૧૩૫૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
63 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 08:44 AM
રાજકોટ હત્યાઃ પારિવારિક ઝઘડાને કારણે 44મી વાર કરાયેલી છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા

રાજકોટ હત્યાઃ પારિવારિક ઝઘડાને કારણે 44મી વાર કરાયેલી છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા

રાજકોટના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટથી આગળ માધવ હોટલ પાસે ગઇકાલે સાંજે સરાજાહેર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરના અંકુર રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા યુવાનની મુળ ખોરાસા ગીરના અને હાલ રાજકોટ રહેતાં યુવાને ક્રુરતા પૂર્વક માત્ર 44 સેકન્ડમાં છરીના 8 મૃતક યુવાન છેલ્લા બે વર્ષથી આરોપીની પરિણીત બહેન સાથે ફોનમાં વાતો કરતો હતો. આ મામલે આરોપીના બહેન-બનેવી વચ્‍ચે માથાકુટ ચાલતી હતી. ગઇકાલે આરોપી બહેન-બનેવી ઘરે હતા ત્‍યારે સવારે ફરી બોલાચાલી થતાં તે આરોપી તેની બહેન સાથે પરિચયમાં રહેલા યુવકની હત્યા કરવાના ઈરાદાથી બપોરે રાજકોટ આવ્‍યો હતો. યુવકને ફોન કરી મળવા બોલાવતા બંને સ્‍પીડવેલ ચોકમાં ભેગા થયા હતા અને બાદ આરોપી તેને આગળ ચા પીવાના બહાને હોટલ પાસે લઇ ગયો હતો, જ્યાં યુવક પાણી પીતો હતો ત્યારે પાછળથી આવી છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બહેનને હેરાન કરતો હોવાનો વહેમ રાખી આરોપીએ હત્યા નિપજાવીરાજકોટના ગુરૂપ્રસાદ ચોક અંકુર વિદ્યાલય મેઇન રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં નિલેશ હરિભાઈ ધોકીયા (ઉ.વ.43)ની હત્યાના બનાવમાં મુળ ખોરાસા ગીર, માળીયા હાટી તાલુકા રહેવાસી આરોપી મહેશ દિનેશભાઇ જેઠવા વિરુધ્ધ મૃતકના મોટા ભાઇ રમેશભાઇ હરિભાઇ ધોકીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી મહેશ દિનેશભાઈ જેઠવાની બહેનને મૃતક યુવાન નિલેષ હેરાન કરે છે તેવો વહેમ રાખી મોઢાના ભાગે, છાતીના ભાગે, કમરના ભાગે છરીના 8 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. આરોપીની બહેન સાથે મૃતકનો બે વર્ષ પહેલા પરિચય થયો હતોઆરોપી મહેશની પરિણીત બહેન સાથે મૃતક નિલેશ ધોકીયાને બે વર્ષ પહેલા એક સગાઇ પ્રસંગમાં પરીચય થયા પછી તે બન્ને વચ્ચે ફોનમાં સતત વાતચીત થતી હતી જેની જાણ પરિણીતાના પતિને બે મહિના પહેલા થતા તેણે રાજકોટ રહેતાં સાળા મહેશને વાત કરી હતી જેથી આરોપી મહેશએ અગાઉ નિલેષને સમજાવ્‍યો પણ હતો. પરંતુ આમ છતાં બન્ને વચ્ચે વાતચીત ચાલુ રહેતા ગઇકાલે સવારે ફરીથી આરોપીના બહેન-બનેવી વચ્ચે મૃતક નિલેશને લઇ માથાકુટ થઈ હતી. આરોપી મહેશને બનેવીએ જાણ કરતાં રોષે ભરાયેલ મહેશએ સમાધાનની વાત કરવાના બહાને નિલેશને બોલાવી ચા પીવાના બહાને માધવ હોટલ પાસે લઇ ગયો હતો અને પછી નિલેષ પાણી પીવા આગળ વધ્‍યો ત્યારે પાછળથી આવી મહેશએ ક્રુરતા પૂર્વક તૂટી પડી આઠ જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવીગઈકાલે સાંજે સરાજાહેર હત્યાનો બનાવ બનતા તાલુકા પોલીસ ટિમ સ્થળ પર પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક નિલેશ ફર્નિચર કામ કરતો હતો અને તેને સંતાનમા એક 15 વર્ષનો દીકરો અને એક 13 વર્ષની દીકરી હોવાનું સામે આવ્યું છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો છે. હત્યારાએ ચાલાકીપૂર્વક ઘડ્યો હત્યાનો પ્લાનCCTVમાં દેખાતા દૃશ્યો મુજબ નિલેશ અને મહેશ જેઠવા બંને અલગ-અલગ બાઈક પર એકસાથે જ આવતા નજરે પડે છે. ત્યારબાદ બંને બાઈકમાંથી એકસાથે ઊતરીને આગળની તરફ આવે છે પણ મહેશ એકાએક પાછો બાઈક પાસે જઈને ઊભો રહી જાય છે તો નિલેશ આગળની તરફ જઈને પાણીના કૂલર પાસે જઈને ગ્લાસમાં પાણી ભરીને પીવે છે. આ સમયે મહેશ હાથમાં પાછળ ચાકૂ લઈને નિલેશ તરફ આગળ આવે છે અને એક બાદ એક ચાકુના ઘા ઝિંકે છે. આ ઘટના દરમિયાન બે-ત્રણ લોકો વચ્ચે પડીને મહેશને સાઈડમાં લઈ જઈને નિલેશને બચાવવાનો પ્રયાસ કરે છે પણ તેમના હાથમાંથી છૂટીને મહેશ પાછો નિલેશને છરીના ઘા ઝિંકે છે. નિલેશનું મોત થયા બાદ પણ મહેશ તેને છરી અને લાતોથી મારતો રહ્યો. આ હત્યા કરીને મહેશ તુરંત જ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.
59 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 08:10 AM
ગુજરાત કોંગ્રેસના નેતાએ કલાકારો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સાથે આક્રોશ વ્યક્ત કર્યો

ગુજરાત કોંગ્રેસના નેતાએ કલાકારો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સાથે આક્રોશ વ્યક્ત કર્યો

વ્હેલ માછલીની ઉલ્ટી ઝડપાઈ CRIME CRIME CRIME CRIME CRIME Gujarat World Business Gujarat India Morbi News: ટંકારામાં કોંગ્રેસના નેતાએ કલાકારો સામે અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો, જાણો જીતુ વાઘાણીએ શું કહ્યું?
86 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 08:04 AM
નકલી હીરા વેચીને ચોરોએ સુરતની ફેક્ટરીમાંથી રૂ.

નકલી હીરા વેચીને ચોરોએ સુરતની ફેક્ટરીમાંથી રૂ.

સુરતમાં સાડી ઉપર સ્ટોન લગાવવાનું કારખાનું ધરાવતા ચાર વેપારીઓને ખોટ જતાં તેમણે બીજાના કારખાનામાંથી સ્ટોન એટલે કે ખોટા ડાયમંડ ચોરી પોતાના કારખાનામાં સાડી ઉપર ઉપયોગ કરી વેચાણ કરવાની નવી તરકીબ અજમાવી હતી. આ વેપારીઓએ વરાછા-કાપોદ્રાના પાંચ કારખાનામાંથી 15 મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાંથી 27મી જાન્યુઆરીએ રાધેશ્યામ સ્ટોન મટીરિયલ્સ નામના હોટફિક્ષના તાળાં તૂટ્યા હતા. રિક્ષામાં આવેલા તસ્કરો અહીંથી 1.95 લાખ રૂપિયાની કિંમતના સાડી પર લગાવવાના સ્ટોન ચોરી ગયા હતા. તે પહેલાં સાતમી જાન્યુઆરીએ ઠાકોરદ્વાર સોસાયટીમાં આવેલા સિતારા ઈમ્પેક્ષ નામના કારખાનામાંથી 1.92 લાખના સ્ટોન ચોરી થયા હતા. બંને ચોરીમાં આવેલી ટોળકી રિક્ષામાં આવી હોઈ એક જ ગેંગ હોવાની સંભાવના સાથે સ્ટોન મટીરિયલ્સ ચોરી કરતી નવી વાત હોઇ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરા અને ટીમે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. પોલીસે રિક્ષા નંબરને આધારે જયસુખ રાજા દાંભેલીયા (રહે. ગીતાનગર, સીતાનગર ચોકડી)ને દબોચ્યો હતો. જેની પૂછપરછમાં સીતાનગર કૈલાસધામ સોસાયટીમાં રહેતાં અને બુટભવાની પાસે હોટફિક્ષનું કારખાનું ધરાવતાં માનસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને તેજા નાથા ચાસલા ચોરી માટે રિક્ષા ભાડે કરી લઈ જતાં હોવાનું જણાવતાં બંનેને ઝડપી લેવાયા હતા. આરોપીઓની ધરપકડમાં નવી જ વાત બહાર આવી હતી. માનસિંહ ગોહિલ સહિતના ચાર શખ્સો હોટફિક્ષનું કારખાનું ધરાવતાં હતા, પરંતુ ધંધામાં ખોટ જતાં તેઓ સાડી પર લગાવવાનાં સ્ટોન લાવી શકતા નહિ હોઈ બીજાના કારખાનામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. છેલ્લા છ મહિનામાં આ ટોળકીએ કાપોદ્રાની બે સોસાયટી ઉપરાંત વરાછામાં આવતી કૈલાસધામ સોસાયટીનાં ત્રણ કારખાનાને નિશાન બનાવ્યા હતા. ચારેય વેપારીઓ ચોરીના સ્ટોનનો પોતાના કારખાનામાં જોબવર્ક માટે આવતી સાડીઓ ઉપર ચોંટાડવાનું કામ તો કરતા જ હતા, પરંતુ કેટલાંક સ્ટોન તેઓ બીજાં કારખાનેદારોને પણ વેચતા હતા. પોતે ખોટમાં જતા કારખાનું બંધ કરી દેવાના હોય બચેલો માલ સસ્તામાં કાઢવા માંગતા હોવાનું જણાવી અન્ય કારખાનેદારોને પણ સ્ટોન વેચતા હતા. ચોરી માટે તેઓ રિક્ષા ઉપરાંત પીકઅપ વાન પણ ભાડે કરીને જતા હતા.
52 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 07:12 AM
ભારતીય પોલીસે વિદ્યાર્થી છેતરપિંડીના કૌભાંડમાં શંકાસ્પદની ધરપકડ કરી

ભારતીય પોલીસે વિદ્યાર્થી છેતરપિંડીના કૌભાંડમાં શંકાસ્પદની ધરપકડ કરી

ગીર સોમનાથ પોલીસ દ્વારા બેંગ્લોરમાં GNM નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા અને અસલ દસ્તાવેજો લઈ ફરાર થયેલા આરોપી ઝડપાયો છે. આરોપી જયસુખગીરી જસમતગીરી અપારનાને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ રેકેટમાં 60–70 વિદ્યાર્થીઓ છેતરાયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ અને અસલ માર્કશીટ–સર્ટિફિકેટ લઈ પરત આપવામાં આવી ન હતી. ફરિયાદના આધારે BNS કલમ 316(2) હેઠળ ગુનો નોંધાયો છે.
84 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 06:46 AM
ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં અનધિકૃત રીતે ડ્રોનનો ઉપયોગ કરવા બદલ ધુરંધર 2 લોકેશન મેનેજર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં અનધિકૃત રીતે ડ્રોનનો ઉપયોગ કરવા બદલ ધુરંધર 2 લોકેશન મેનેજર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી

‘ધુરંધર 2’ના લોકેશન મેનેજર વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે ડ્રોન દ્વારા ફિલ્મનું શૂટિંગ પરવાનગી વગર સાઉથ મુંબઈના હાઈ સિક્યુરિટી વિસ્તારમાં કરવામાં આવી રહ્યું હતું. ફિલ્મના લોકેશન મેનેજર રિંકુ રાજપાલ વાલ્મિકી વિરુદ્ધ 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈના MRA માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 233 (કાનૂની આદેશોની જાણી જોઈને અવહેલના) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે ફિલ્મના એક ભાગનું શૂટિંગ સાઉથ મુંબઈના હાઈ સિક્યુરિટી ફોર્ટ વિસ્તારમાં થઈ રહ્યું હતું. શૂટિંગ દરમિયાન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તે વિસ્તારમાં પ્રતિબંધિત છે. ડ્રોનના ઉપયોગ માટે ટીમ દ્વારા ઓથોરિટી પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હતી. ફરિયાદી અનુસાર, ફિલ્મ ‘ધુરંધર 2’નું શૂટિંગ જાન્યુઆરીના અંતથી તે લોકેશન પર ચાલી રહ્યું હતું. 1 ફેબ્રુઆરીના રોજ સંજય દત્ત સહિતની આખી ટીમ લોકેશન પર એકઠી થઈ, ત્યારબાદ ડ્રોનનો ઉપયોગ થયો. આ શૂટિંગનો ત્રીજો દિવસ હતો. ડ્રોનનો ઉપયોગ થતો જોઈને ઓથોરિટીએ પોલીસ ફરિયાદ કરી, ત્યારબાદ શૂટિંગ રોકવામાં આવ્યું. સાઉથ મુંબઈમાં પાકિસ્તાનનો સેટ લાગ્યો 30 જાન્યુઆરીના રોજ ફિલ્મ ધુરંધરની પ્રોડક્શન ટીમે કિલ્લાને પાકિસ્તાનની જૂની ગલીની જેમ તૈયાર કર્યો હતો. શરૂઆતમાં ભીડ ઓછી હતી, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ ત્યાં ભારે ભીડ જમા થઈ ગઈ. ફરિયાદ મળ્યા બાદ લોકેશન મેનેજર રિંકુ રાજપાલને નોટિસ જારી કરીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમને પ્રાથમિક તપાસ બાદ છોડી દેવામાં આવ્યા છે, જોકે, તેમની વિરુદ્ધ FIR હજુ પણ કાયમ છે. તાજેતરમાં, ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટો લીક થયા હતા. તેમાં અર્જુન રામપાલ અને સંજય દત્તની ઝલક દેખાઈ હતી. કેટલાક દ્રશ્યો એક રિક્રિએટેડ પાકિસ્તાની શહેરમાં શૂટ કરવામાં આવી રહ્યા હતા. અહેવાલો અનુસાર, આ દ્રશ્યનો સેટ મુંબઈમાં બનાવવામાં આવ્યો હતો. ડ્રોન વિવાદ આ દ્રશ્યથી ઉદ્ભવ્યો હતો કે કેમ તે સ્પષ્ટ નથી. ફિલ્મ ધુરંધર ના નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની આસપાસના વિવાદ પર કોઈ ટિપ્પણી કરી નથી. બીજો ભાગ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ધુરંધર 2 નું ટીઝર મંગળવારે રિલીઝ થયું હતું. જોકે, તેને જોયા પછી વપરાશકર્તાઓ નારાજ થયા હોવાના અહેવાલ છે. તેમનો દાવો છે કે નિર્માતાઓએ પહેલા ભાગનું ક્લાઈમેક્સ ટીઝર શેર કર્યું છે. ‘ધુરંધર 2’નું ટીઝર રિલીઝ‘ધુરંધર’ની સફળતા પછી 'ધુરંધર 2', 19 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટીઝર 3 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનો ક્લેશ KGF સ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સાથે થવાની છે. જુઓ ફુલ ટીઝર:
2 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 06:22 AM
આવકવેરાના વિભાગે વસંત ગજેરા એન્ડ કંપની પાસેથી 30 કરોડ જપ્ત કર્યા, બેનામી વ્યવહારોના પુરાવા મળ્યા

આવકવેરાના વિભાગે વસંત ગજેરા એન્ડ કંપની પાસેથી 30 કરોડ જપ્ત કર્યા, બેનામી વ્યવહારોના પુરાવા મળ્યા

30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરાઇ છે અને અનેક થોકબંધ દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે, રહેણાંક અને ઓફિસ સ્થળેથી દસ્તાવેજ મળ્યા અને IT દ્વારા તમામ દસ્તાવેજોની ઉલટ તપાસ કરાશે અને IT વિભાગ દ્વારા ગજેરા કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ છે, બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ હવે IT વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ રહી છે. વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવાની સાથે સાથે ઈન્કમટેક્સની ચોરી કરવા માટે અનેક મિલકત અન્યોના નામે ખરીદી હોવાનું ઈન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે મોટા પાયા પર જમીન, મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. તેમાં કેટલાય દસ્તાવેજ, પાવર ઓફ એટની, સાટાખત સહિતના કાગળ અન્યોના નામે હોવાના કારણે આગામી દિવસોમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા ઉજળા સંકેતો ઉભા થયા છે. સાથે સાથે સતત ત્રીજા દિવસે વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસનો દોર યથાવત રહ્યો છે.
44 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 06:03 AM
ખેડૂતોએ દિલીપ સાવલિયા સામે કૃષિ પેદાશોની ચૂકવણી ન કરવા બદલ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

ખેડૂતોએ દિલીપ સાવલિયા સામે કૃષિ પેદાશોની ચૂકવણી ન કરવા બદલ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરવામાં આવી છે. આરોપીએ કુલદીપભાઈ સહિત પોલીસ ફરિયાદ મુજબ, આરોપી દિલીપ સાવલિયાએ ફરિયાદી કુલદીપભાઈ કોઠીયા પાસેથી મગફળી અને તલનો જથ્થો ખરીદ્યો હતો. આ ઉપરાંત, તેણે કાલાવડના ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો પાસેથી સફેદ ચણા સહિતની વિવિધ ખેત પેદાશો પણ મેળવી હતી. કુલ 96,97,601 રૂપિયાની માતબર રકમની ખેત પેદાશો ખરીદી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતોને નાણાં ચૂકવ્યા ન હતા, જેના કારણે આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એન.વી. આંબલીયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આરોપી દિલીપ સાવલિયા ફરાર છે, અને પોલીસ તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચલાવી રહી છે.
64 shares
😢
Western Times logo
Western Times
Feb 4, 2026, 05:39 AM
અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇન્ટરસેપ્શન સાથે માદક દ્રવ્યોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇન્ટરસેપ્શન સાથે માદક દ્રવ્યોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

બેંગકોકથી આવેલી મહિલા ચોકલેટના પેકેટમાં રૂ. ૧ કરોડનો ગાંજો છુપાવી લાવતા ઝડપાઈ કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહીઃ હાઈડ્રોપોનિક્સ મરિજુઆનાના ૯ પેકેટ જપ્ત (એજન્સી)અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે સ્મગલરો માટે સુરક્ષિત રહ્યું નથી. સોનાની દાણચોરી બાદ હવે ડ્રગ્સ માફિયાઓ પણ કસ્ટમ્સની રડારમાં આવી રહ્યા છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે બેંગકોકથી આવેલી એક મહિલા પેસેન્જરને અટકાવી તેની પાસેથી આશરે રૂ. ૧ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્‌યો છે. આરોપી મહિલા અત્યંત ચાલાકીપૂર્વક ચોકલેટ અને ફૂડ પેકેટ્‌સમાં આ નશીલો પદાર્થ છુપાવીને લાવી હતી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્‌લાઇટમાં ડ્રગ્સની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે શંકાસ્પદ મહિલા મુસાફરને અટકાવી જ્યારે તેના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. મહિલાની ટ્રાવેલિંગ બેગની તપાસ કરતા તેમાંથી વિવિધ ખાણી-પીણી અને ચોકલેટના પેકેટો મળી આવ્યા હતા. ઉપરથી સામાન્ય દેખાતા આ ૯ પેકેટોને જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે તેની અંદરથી પ્લાસ્ટિકના સીલબંધ પેકેટમાં છુપાવેલો લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો ‘હાઈડ્રોપોનિક્સ મરિજુઆના’ (હાઈબ્રિડ ગાંજો) હોવાનું પુરવાર થયું હતું. કસ્ટમ્સ વિભાગે મહિલા પાસેથી કુલ ૯૪૮ ગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ.૧ કરોડ આંકવામાં આવી રહી છે. આ અંગે મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠલ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
71 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 05:34 AM
સૂરતમાં હત્યાનું રહસ્ય ખુલ્યુંઃ સગીરોનાં સનસનીખેજ દાવાઓ કાળા સત્યનો પર્દાફાશ કરે છે

સૂરતમાં હત્યાનું રહસ્ય ખુલ્યુંઃ સગીરોનાં સનસનીખેજ દાવાઓ કાળા સત્યનો પર્દાફાશ કરે છે

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં થયેલી એક હત્યાનું રહસ્ય ઘૂંટાતું જોવા મળી રહ્યું છે, જેમાં પકડાયેલા સગીરોએ પોલીસ સામે એવી કેફિયત રજૂ કરી છે કે તેઓએ લાશને બહાર કાઢી તેનું માથું કાપી કૂવામાં ફેંકી દીધું હતું. આ સનસનાટીભર્યા ખુલાસા બાદ, જમીનમાં દટાયેલા મૃતદેહન ત્રણ સગીરોએ ભેગા થઈને એક સગીરની હત્યા કરી'તીસુરતના પુણા વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા પુણામાં સગીરોએ ભેગા મળીને એક સગીરની હત્યા કરીને તેની લાશ ફેંકી દેવાના ચકચારી કેસમાં આ સગીરો દ્વારા હત્યા કરાયાના 3 દિવસ બાદ લાશને બહાર કાઢીને માથું કાપીને કૂવામાં ફેંકી દીધાનું જણાવતા પોલીસ પણ ચકરાવે ચઢી છે. પોલીસ હવે GPR ટેક્નોલોજીથી જમીનની અંદર હરપિંજર કે માનવ અવશેષ છે કે નહીં તે તપાસ કરી રહી છે. આ કેસની વિગત મુજબ, ત્રણ વર્ષ પહેલા ત્રણ સગીરોએ ભેગા થઈને એક સગીરની હત્યા કરી નાંખી હતી, અને લાશને પુણા વિસ્તારની ખુલ્લી જગ્યામાં દફનાવી દીધી હતી. આ ઘટનાના ત્રણ વર્ષ બાદ ફરીવાર ભેગા થયેલા સગીરો વચ્ચે માથાકૂટ થતા એક સગીર આરોપીએ મૃતકના ભાઈને જઈને સમગ્ર હકીકત કહી હતી. આ અંગે મૂળ યુપીના વતની તેમજ વરાછામાં રહેતા અનિલ નામના યુવકે પોતાનો ભાઈ ગુમ થવા અંગે પુણા પોલીસમાં જાણવા જોગ માહિતી આપી હતી. 10 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ, છતાં લાશ મળી નહીંઆ માહિતીના આધારે પોલીસ દ્વારા પુણા કેનાલ રોડ ઉપર ત્રણથી પાંચ વીઘાની જગ્યામાં ખોદકામ શરૂ કરીને લાશ શોધવાનો પ્રયાસો કરાયા હતા. પાંચથી વધુ જેસીબી દ્વારા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં 10 ફૂટ ઊંડાઈ સુધી ખોદીને તપાસ કરવામાં આવી હતી. આ વાતને સાત દિવસનો સમયગાળો વીતી ગયો છતાં પોલીસને કોઈ સફળતા મળી ન હતી. લાશને બહાર કાઢીને માથું કૂવામાં ફેંક્યાનું સગીરોનું રટણપોલીસ તપાસમાં આ ત્રણેયે હત્યાના ત્રણ દિવસ બાદ લાશની ફરીવાર બહાર કાઢી બીજી જગ્યાએ દફનાવવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરી ખોદકામ કરી લાશ બહાર કાઢી માથું કાપી નજીકમાં આવેલા એક કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ ત્રણેય સગીરોએ પણ પોલીસ સમક્ષ આ વાત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી માથું જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં છેલ્લા બે દિવસથી શોધખોળ કરી છે. પણ હજુ કંઇ હાથ લાગ્યું નથી. 'બે લોકોએ મળીને વિવેકને મારી નાખ્યો'મૃતકના ભાઈ અનિલે જણાવ્યું હતું કે, વાત એમ છે કે મારા મિત્રને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો કે ભાઈ વિશે કંઈક જણાવવાનું છે. એક સગીર જે મારા ભાઈનો પણ મિત્ર છે, તે બીજા દિવસે સવારે અમને ચાની દુકાન પર મળ્યો હતો. તેણે ત્યાં આવીને જણાવ્યું કે બે લોકોએ મળીને મારા ભાઈને મારી નાખ્યો છે. મને આ વાતની ખબર હતી પણ મેં ડરના કારણે કોઈને કહ્યું નહીં, કારણ કે તે લોકો મને પણ મારી નાખવાની ધમકી આપી રહ્યા હતાં. લાશ શોધવા 5-6 જેસીબીથી ખોદકામપોલીસે પોતાની રીતે કાર્યવાહી શરૂ કરી અને આરોપીઓ બે શખ્સના ઘરે જઈને તેમને પકડ્યા. અત્યારે પૂછપરછ અને તપાસ ચાલુ છે. જે લોકેશન બતાવવામાં આવ્યું હતું ત્યાં 5-6 જેસીબી (JCB) મશીનો વડે ખોદકામ કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી કંઈ મળ્યું નથી. લાશને ઠેકાણે કરતી વખતે …એક સગીરે આરોપીએ એવું પણ જણાવ્યું કે જ્યારે તેઓ લાશને ઠેકાણે પાડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તે પણ ત્યાં હાજર હતો. આરોપીઓએ સગીરનું માથું કાપીને કૂવામાં ફેંકી દીધું હોવાનું જણાવ્યું છે અને અત્યારે ત્યાં જ તપાસ ચાલી રહી છે. 'મૃતક વિશે કંઈક જાણવા મળ્યું છે, તમે આવો આપણે ત્યાં જઈએ'પ્રકાશ યાદવ (મૃતકના ભાઈનો મિત્ર)એ જણાવ્યું હતું કે, મને 25 તારીખે રાત્રે સગીરનો મેસેજ આવ્યો, તેણે કહ્યું કે મારે મૃતક સગીર વિશે વાત કરવી છે અને તમને મળવું છે. તો મેં તરત જ મૃતકના ભાઈ અનિલને ફોન કર્યો. લગભગ અઢી-ત્રણ વર્ષ પહેલાં જે છોકરો ગુમ થયો હતો, તેના વિશે કંઈ જાણવા મળે તો સ્વાભાવિક છે કે હું તેના ભાઈને જાણ કરું. મેં અનિલને ફોન કરીને કહ્યું કે વિવેક વિશે કંઈક જાણવા મળ્યું છે, તમે આવો આપણે ત્યાં જઈએ. 'બસ હવે એવી આશા છે કે તે મળી જાય'પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જ્યારે અમે ત્યાં ગયા, ત્યારે બધી વાત ફરીથી દીપકભાઈને કહી. પછી દીપકભાઈએ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો. અમે લોકો પોલીસ સ્ટેશન ગયા અને હવે પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. બસ હવે એવી આશા છે કે તે મળી જાય. 'ત્રણ લોકોએ અઢી-ત્રણ વર્ષ પહેલા જીવથી મારી નાખ્યો છે'દીપક (મૃતકના ભાઈનો મિત્ર)એ જણાવ્યું હતું કે, મને 26 જાન્યુઆરીએ અનિલ અને પ્રકાશનો ફોન આવ્યો કે અઢી ત્રણ વર્ષ પહેલા જે મારો ભાઈ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, તે પોતાની મેળે ગયો નથી. તેને ત્રણ લોકોએ અઢી-ત્રણ વર્ષ પહેલા જીવથી મારી નાખ્યો છે અને જીવથી માર્યા પછી તેને જમીનમાં દફનાવી દીધો છે. 'નશાની હાલતમાં તેને મારીને જમીનમાં દફનાવી દીધો'દીપક (મૃતકના ભાઈનો મિત્ર)એ વધુમાં કહ્યું કે, મેં તે ત્રણેયને વચ્છરાજ ચાની લારી પર બોલાવ્યા. ત્યાં જે ત્રીજો છોકરો હતો, 1 સગીરે કરીને, તેણે આખી હકીકત જણાવી. તે પછી મેં પુણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પુણા પોલીસ તરફથી મને પૂરો સહયોગ મળ્યો. જે બીજા બે આરોપીઓ હતા, તે બંનેને લાવવામાં આવ્યા. તેને વધુમાં કહ્યું, અત્યારે પુણા પોલીસ સ્ટેશનની કાર્યવાહી ચાલુ છે, બધે ખોદકામ ચાલુ છે. અત્યાર સુધી કોઈ હાડકાં કે એવું કંઈ મળ્યું નથી. મળ્યા પછી આગળની જે કાર્યવાહી હશે તે થશે. દટાયેલા અવશેષ શોધવા પોલીસે GPR ટેક્નોલોજીનો સહારો લીધોડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો અન્ય રાજ્યના છે, મૂળ ગુજરાતી નથી. તેઓ અહીં વ્યવસાય અર્થે આવ્યા હતા. આ આરોપીઓની ઉંમર 18 વર્ષથી ઓછી છે. પૈસાની લેવડદેવડ બાબતે થયેલી તકરારમાં આ હત્યા કરવામાં આવી હતી. જો મૃતદેહ ન મળે તો પોલીસ પાસે ટેકનિકલ વિગતો, CDR (કોલ ડિટેલ રેકોર્ડ્સ) અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવાનો વિકલ્પ છે. ગુનાનો મજબૂત કેસ બનાવવા માટે મૃતદેહ મળવો અત્યંત જરૂરી છે, તેથી અત્યારે અમારું મુખ્ય ધ્યાન તે શોધવા પર છે. મૃતકના પરિવારે છેલ્લા ત્રણ વર્ષથી સુરત શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી નહોતી. તેના ભાઈના જણાવ્યા અનુસાર, તેને તેના ભાઈ પરથી આશા છૂટી ગઈ હતી કારણ કે તેનો સ્વભાવ થોડો રખડુ હતો. જોકે, હાલમાં અમારું પ્રાથમિક લક્ષ્ય મૃતદેહ શોધવાનું છે.
50 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:28 AM
ઉત્તર પ્રદેશ પોલીસે મોટા ઓપરેશનમાં કુખ્યાત ગુનેગાર બનારસી યાદવને ઠાર માર્યો

ઉત્તર પ્રદેશ પોલીસે મોટા ઓપરેશનમાં કુખ્યાત ગુનેગાર બનારસી યાદવને ઠાર માર્યો

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) એ એક મોટી કાર્યવાહીમાં કુખ્યાત ગુનેગાર બનારસી યાદવને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બનારસી યાદવ પર લાખોનું ઈનામ હતું અને તે હત્યા તથા લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
70 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 05:21 AM
કોંગ્રેસે મતદાર યાદી સુધારાની પ્રક્રિયામાં વ્યાપક અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો

કોંગ્રેસે મતદાર યાદી સુધારાની પ્રક્રિયામાં વ્યાપક અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો

દસાડા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ મતદાર યાદી વિશેષ સુધારણા પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. તેમણે Form-7 (નામ રદ કરવા/આપત્તિ)ના વ્યાપક દુરુપયોગ અંગે ચૂંટણી પંચને આવેદનપત્ર સુપરત કર્યું છે. કોંગ્રેસે આ મામલે ફોજદારી કાર્યવાહીની આવેદનપત્રમાં જણાવાયું છે કે, મતદાર યાદી વિશેષ સુધારણા (Special Intensive Revision - SIR) પ્રક્રિયા દરમિયાન BLO દ્વારા સ્થળ તપાસ કરીને નોંધવામાં આવેલા વાસ્તવિક અને પ્રમાણિક મતદારોના નામો દૂર કરવાના ગુનાહિત ઈરાદા સાથે Form-7નો મોટા પાયે દુરુપયોગ થયો છે. પ્રાથમિક પુરાવાઓ આ સ્પષ્ટ કરે છે. કોંગ્રેસના મતે, હજારોની સંખ્યામાં (આશરે 5,000થી 10,000) Form-7 એકસાથે ભરવામાં આવ્યા છે. આ ફોર્મ સોફ્ટવેર અથવા ઓટોમેટેડ પદ્ધતિથી જનરેટ કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારબાદ, આ ફોર્મ છાપીને આયોજનબદ્ધ રીતે વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપના કાર્યકરોને પહોંચાડવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, એક જ વ્યક્તિ દ્વારા આશરે 25-50થી 200 ફોર્મ પર એકસરખી કે અલગ અલગ સહીઓ કરી, નામ, EPIC નંબર તથા મોબાઈલ નંબર લખવામાં આવ્યા છે. ઘણા કિસ્સાઓમાં એક જ વ્યક્તિના અલગ અલગ બોગસ મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે. ભાજપના રાજકીય કાર્યકરોને ખોટા 'ઓબ્જેક્ટર' (આપત્તિ ઉઠાવનાર) તરીકે ઊભા રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ખાસ કરીને ગરીબ, OBC (અન્ય પછાત જાતિઓ), મુસ્લિમ તથા અનુસૂચિત જાતિ (SC/Dalit)ના મતદારોને લક્ષ્ય બનાવી તેમના નામ મતદાર યાદીમાંથી કાઢવાનો ભયંકર ગુનાહિત પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા ફોર્મ સંબંધિત કચેરીઓમાં જમા કરાવવામાં આવ્યા છે. આ કૃત્યો ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ દંડનીય ગુનાઓ બને છે. તેમાં કલમ 61 (ગુનાહિત ષડયંત્ર), કલમ 316 (છેતરપિંડી), કલમ 334 અને 336 (ખોટા દસ્તાવેજ બનાવવું), કલમ 337 (ખોટી ઓળખ ધારણ કરવી) અને કલમ 341 (જાહેર રેકોર્ડ સાથે ચેડા)નો સમાવેશ થાય છે, કારણ કે મતદાર યાદી એક જાહેર દસ્તાવેજ છે. આ ઉપરાંત, Representation of the People Act, 1950 હેઠળ મતદાર યાદી અંગે ખોટું નિવેદન કરવું પણ ગુનો છે. કોંગ્રેસે જણાવ્યું કે, ભારતના સંવિધાનના અનુચ્છેદ 14, 15, 19(1)(a) અને 326 હેઠળના મૂળભૂત અધિકારોનો પણ આ રીતે ભંગ થાય છે. આવેદનપત્રમાં ચૂંટણી પંચ (ECI)ની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘનનો પણ ઉલ્લેખ કરાયો છે. ECIની માર્ગદર્શિકા મુજબ, બલ્કમાં Form-7 સ્વીકાર્ય નથી. ઓબ્જેક્ટરની વ્યક્તિગત ઓળખ અને જાણકારી ફરજિયાત છે, અને EROની ફરજ છે કે તે પ્રાથમિક દ્રષ્ટિએ ખોટા ફોર્મ તરત રદ કરે. કોંગ્રેસે આ સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જાળવી શકાય. 1.તમામ Bulk Form-7 પર તાત્કાલિક રોક (Stay) મૂકવામાં આવે. 2શંકાસ્પદ Form-7 ને prima facie રદ કરવામાં આવે. 3.હેન્ડ રાઇટિંગ અને ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવે. 4.ફોર્મ ક્યાં પ્રિન્ટિંગ થયા છે તેમજ સોફ્ટવેર સોર્સની તપાસ થાય. 5.આ જથ્થાબંધ ફોર્મ કચેરીમાં કોણ જમા કરાવી ગયું તેની તપાસ કરવી,કચેરીના સીસી ટીવી તપાસવામાં આવે તથા જે કર્મચારી દ્વારા સ્વીકારવામાં આવ્યા હોય તેની તપાસ કરવામાં આવે. 5.જવાબદાર વ્યક્તિઓ (જે જે લોકોએ આ ગુનામાં મદદગારી કરી હોય તે તમામ) સામે BNS તથા RPA હેઠળ FIR નોંધવામાં આવે. 6.અસરગ્રસ્ત મતદારોના નામ યથાવત રાખવામાં આવે. 7.સમગ્ર મામલો Election Commission of India ને રિપોર્ટ કરવામાં આવે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમને ઉચ્ચ અધિકારીઓ તથા માનનીય ન્યાયાલયનો આશરો લેવાની ફરજ પડશે આ ઉપરાંત હજારો લોકોના અસ્તિત્વનો ખતરો ઉભો થતો હોય અમોને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે
66 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 05:19 AM
વડોદરાઃ 150 રૂપિયાના વિવાદમાં ત્રણ યુવકોએ યુવક પર હુમલો કર્યો

વડોદરાઃ 150 રૂપિયાના વિવાદમાં ત્રણ યુવકોએ યુવક પર હુમલો કર્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મંગળવારે(3 ફેબ્રુઆરી) રાત્રે 3 શખ્સોએ માત્ર 150 રૂપિયા માટે યુવક પર ચપ્પુથી હિંસક હુમલો કર્યો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ 'બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, મંગળવારે તેઓ રિક્ષામાં આવ્યા અને મારા છોકરાને બહાર બોલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લે ભાઈ, તારા 150 રૂપિયા લઈ લે. જેવો મારો છોકરો ત્યાં ગયો, કોઈ પણ વાતચીત કર્યા વગર બે જણાએ તેને પકડી લીધો અને ત્રીજાએ ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્રણ શખ્સોએ યુવક પર છરીથી હુમલો કર્યોમાંજલપુર વિસ્તારમાં આવેલ અમર કૃપા સોસાયટીમાં રહેતાં 26 વર્ષીય મનિષભાઈ કોયારામ મારવાડીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 2 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ કાર્તિક નામના યુવક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘર આગળ આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. યુવકે તેમને ગાળો બોલવાથી રોકતા સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્રણેય જણા ત્યાંથી જતા રહ્યાં હતા. ચપ્પુ પેટમાં અને હાથમાં મારી દીધુંત્યારબાદ 3 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ કાર્તિક તથા તેના બે સાથીઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને આગલા દિવસની વાતને લઈને વાતચીત કરવાના બહાને તેમને ઘરની નજીક આવેલા શ્રી સાંઈબાબા મંદિર પાસેના રોડ પર લઈ ગયા હતા. વાતચીત દરમિયાન તેઓએ અચાનક ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન કાર્તિક તથા એક અન્ય વ્યક્તિએ ફરિયાદીને પકડી રાખ્યો હતો, જ્યારે ત્રીજા વ્યક્તિએ ચપ્પુ દ્વારા તેના પેટના જમણા ભાગે ધા મારી દીધી હતી. ફરિયાદીએ ચપ્પુ પકડવાના પ્રયાસમાં જમણા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયોહુમલા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે પોતાના ખાનગી વાહન દ્વારા ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે મનિષભાઈએ કાર્તિક તથા તેના બે અજાણ્યા સાથીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસ આ ઘટનાની તપાસ હાથ ધરી રહી છે. '150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો'ઈજાગ્રસ્ત યુવકના પિતા અનિલભાઈએ જણાવ્યું હતું કે, સોમવારે મારો છોકરો તેના મહેનતના 150 રૂપિયા લેવા માટે પેલા લોકો પાસે ગયો હતો. જ્યારે તેણે પોતાના પૈસા માંગ્યા હતા, ત્યારે તેઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા. મારા છોકરાએ માત્ર એટલું જ કહ્યું કે, ગાળો ના આપશો, જો અત્યારે પૈસા ન હોય તો વાંધો નહીં પણ આવી રીતે વર્તન ના કરશો. આ સાંભળીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. હુમલાખોરો રિક્ષામાં આવ્યા ને તૂટી પડ્યાઈજાગ્રસ્ત યુવકના પિતાએ કહ્યું કે, હુમલાખોરો રિક્ષામાં આવ્યા હતા. તેમાંથી એકનું નામ કાર્તિક અને બીજાનું નામ સિકંદર છે. બાકીના બે વ્યક્તિઓના નામ અમે જાણતા નથી. આ ઘટના મારુતિધામ અમરકૃપા સોસાયટી, મકાન નંબર 82 પાસે આવેલી મોબાઈલની દુકાન નજીક બની હતી. આ તમામ દ્રશ્યો મંદિરના CCTV કેમેરામાં કેદ થયા છે. આ પણ વાંચો યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTVરાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. હાલ આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે.(વાંચો સંપૂર્ણ સમાચાર) ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યાગત 27 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ વિશાલ કહારે તેની લિવ-ઇન પાર્ટનરના પૂર્વ પતિ મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતાં. આ હુમલા બાદ પાણીગેટમાં અરાજકતા છવાઇ હતી. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.(વાંચો સંપૂર્ણ સમાચાર)
96 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 05:11 AM
મંદિર પુનઃનિર્માણ માટે અનધિકૃત લકી ડ્રો પર વાંકનેર પોલીસે કાર્યવાહી કરી

મંદિર પુનઃનિર્માણ માટે અનધિકૃત લકી ડ્રો પર વાંકનેર પોલીસે કાર્યવાહી કરી

માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ અને પોલીસે તપાસ કરી તો ટિકિટ વેચાણની મંજૂરી અને લાયસન્સ ન હોવાથી ગુનો દાખલ કર્યો છે, આરોપી શનાભાઈ મકવાણાની પોલીસે અટકાયત કરી છે, આ કેસમાં પોલીસે આયોજકોએ અત્યાર સુધીમાં કેટલા રૂપિયા લીધા તેને લઈ તપાસ શરૂ કરી છે. વાંકાનેર સીટી પોલીસ મથકમાં આયોજકો સહિત 13 લોકો સામે ગુનો નોંધાયો છે, જય શ્રી મેલડીમાં ગ્રુપના આયોજકો સહિત 13 સામે ગુનો નોંધાયો છે અને રૂ.349ની ટિકિટ અને 999ના ઇનામોની લોભામણી જાહેરાત આપી હતી, આયોજકોએ મેલડી માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન કર્યું હતું અને10-02-2026ના રોજ આયોજકો દ્વારા ડ્રોનું આયોજન હતું તે પહેલાં જ પોલીસ કાર્યવાહી કરી છે અને સ્થાનિકોને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
94 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:08 AM
સૌરાષ્ટ્રના ખેડૂત પર પડોશીઓને રૂ. 96.97 લાખોની છેતરપિંડી કરવાનો આરોપ

સૌરાષ્ટ્રના ખેડૂત પર પડોશીઓને રૂ. 96.97 લાખોની છેતરપિંડી કરવાનો આરોપ

ધ્રોલ: સૌરાષ્ટ્રમાં એક કરોડની ઠગાઈની ઘટના બની છે. સૌરાષ્ટ્રના કાલાવડ સોરઠાગામના ખેડૂતો સાથે રૂ. ૯૬.૯૭ લાખની ઠગાઈ: જામનગર જિ.ના કાલાવડ તા.ના સોરઠાગામ અને આસપાસના ખેડૂતો સાથે ૱ ૯૬.૯૭ લાખની ખેતપેદાશોની ઠગાઈ થઈ છે. કુંભનાથપરામાં રહેતા દિલીપભાઇ નારદભાઇ સાવલીયા, ખેડૂતો પાસેથી મગફળી, તલ અને સફેદ ચણા ખરીદી તેના નાણાં ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (સંજય ડાંગર અકિલા)
50 shares
😐
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 05:05 AM
નોકરીની લાલચ આપીને સુપરવાઇઝર દ્વારા સુરતની યુવતી પર બળાત્કાર

નોકરીની લાલચ આપીને સુપરવાઇઝર દ્વારા સુરતની યુવતી પર બળાત્કાર

સુરતના ઇચ્છાપોરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતી સાથે સુપરવાઇઝર અવિનેશ ચૌરસીયાએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીને નોકરી આપવાના બહાને ખંડેર મકાનમાં સાફ સફાઇનું કામ બતાવવા બહાને લઇ જવાઇ હતી અને ત્યાર પછી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
10 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 04:58 AM
ભારતના પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવોના આધારે દૈનિક ફેરફારો

ભારતના પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવોના આધારે દૈનિક ફેરફારો

Petrol Diesel Price Today ભારતના પેટ્રોલ અને ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે, જે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર પર આધારિત હોય છે. દેશની મોટી તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજની કિંમત નક્કી કરે છે અને તેને જાહેર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી ઊથલપાથલ ભારતીય બજારમાં ઇંધણના દરને અસર પહોંચાડે છે. તેથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. ADVERTISEMENT આજે 4 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે આજનો લેટેસ્ટ ભાવ Business Business Business Business Business India Crime Opinion Crime World Korean lovers game : બે પત્નીઓ, પાંચ બાળકો અને ત્રણ બહેનોની આત્મહત્યા, ગાઝિયાબાદ કેસમાં ચોંકાવનારા ખુલાસા
82 shares
😐
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 04:40 AM
યુએસ જૂથોએ 75 દેશો પર વિઝા પ્રતિબંધ અંગે સરકાર સામે દાવો માંડ્યો

યુએસ જૂથોએ 75 દેશો પર વિઝા પ્રતિબંધ અંગે સરકાર સામે દાવો માંડ્યો

અમેરિકન સરકાર સામે મોટો અમેરિકાના 75 દેશો પર લાદવામાં આવેલા વિઝા પ્રતિબંધ સામે US નાગરિકો, બિન-લાભકારી ઇમિગ્રેશન સંસ્થાઓ અને કાનૂની સંગઠનો એકસાથે ઊભા રહ્યા છે. સોમવારે આ જૂથે ન્યૂયોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને વિદેશ સચિવ માર્કો રુબિયો સામે દાવો દાખલ કર્યો છે. ADVERTISEMENT આ દાવામાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે 75 દેશો સામે લાગુ કરાયેલા વિઝા પ્રતિબંધ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. અરજીકર્તાઓનું કહેવું છે કે આ નીતિ અમેરિકાના દાયકાઓ જૂના ઇમિગ્રેશન કાયદાઓના વિરોધમાં છે અને સરકાર પોતાના અધિકારથી આગળ વધી રહી છે. World World World World World Gujarat India Gujarat India Crime AMC Budget 2026-27: અમદાવાદ કોર્પોરેશને MJ લાયબ્રેરી અને VS હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યુ, અગાઉના બજેટ કરતા 1.35 કરોડનો વધારો કરાયો
12 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 04:40 AM
ખનિજ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-અમેરિકા આર્થિક ભાગીદારી નવા તબક્કામાં પ્રવેશી

ખનિજ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-અમેરિકા આર્થિક ભાગીદારી નવા તબક્કામાં પ્રવેશી

US India trade deal પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સીમાચિહ્નરૂપ વેપાર કરાર પર મહોર લગાવ્યાના થોડા સમય પછી, ગઈકાલે (૩ ફેબ્રુઆરી) વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની એક ઉચ્ચ-પ્રોફાઇલ મુલાકાત શરૂ કરી. આ મુલાકાત પાછળનો સંદેશ સ્પષ્ટ છે: બંને લોકશાહી દેશો વચ્ચે આર્થિક ભાગીદારી એક નવા તબક્કામાં પ્રવેશી રહી છે, જેમાં હવે એક મહત્વપૂર્ણ ખનિજ એજન્ડાનો પણ સમાવેશ થાય છે. ADVERTISEMENT India India India India India Crime Opinion Crime World Gujarat Korean lovers game : બે પત્નીઓ, પાંચ બાળકો અને ત્રણ બહેનોની આત્મહત્યા, ગાઝિયાબાદ કેસમાં ચોંકાવનારા ખુલાસા
50 shares
😊
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 03:52 AM
વડોદરા પોલીસ એ. એસ. આઈ. લક્ષ્મીકાંત દેસાઈની ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં ધરપકડ બાદ કડક કાર્યવાહી કરી રહી છે.

વડોદરા પોલીસ એ. એસ. આઈ. લક્ષ્મીકાંત દેસાઈની ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં ધરપકડ બાદ કડક કાર્યવાહી કરી રહી છે.

વડોદરામાં SOGના કરોડપતિ ASI લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ મામલે હવે કડક કાર્યવાહી શરુ કરાઇ છે. લક્ષ્મીકાંતના ડ્રગ પેડલર સાથે સંપર્કો બહાર આવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કરી દીધો હતો. SMC ની ટીમ હવે લક્ષ્મીકાંત દેસાઇની બેંકો અને મિલકતોની તપાસ માટે આગળ વધી રહી છે. SMC દ્વારા શહેરની બેંકોને પત્ર પણ લખીને લક્ષ્મીકાંતના નાણાંકિય વ્યવહારો, તેના બેંક લોકર સહિતની માહિતી માગી છે. જોકે, લક્ષ્મી દેસાઇના ઘરે થયેલા સર્ચમાં કોઈ પુરાવા હાથ નથી લાગ્યા.
62 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 03:49 AM
સુરતઃ સેબીના નકલી પ્રમાણપત્રો સાથે વરિષ્ઠ નાગરિકોને છેતરવા બદલ આંતરરાજ્ય ગેંગના સભ્યની ધરપકડ

સુરતઃ સેબીના નકલી પ્રમાણપત્રો સાથે વરિષ્ઠ નાગરિકોને છેતરવા બદલ આંતરરાજ્ય ગેંગના સભ્યની ધરપકડ

સુરતમાં સિનિયર સિટીઝન સાથે 42,28,856 ની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય કડી સમાન આરોપી વિશાલ ઉર્ફે વિધાતા ઝાલાવાડિયાની ધરપકડ કરી છે. 29 વર્ષીય વિશાલ, જે B.Com. થયેલો છે, તેણે બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે મળીને છેતરપિંડીના નાણાં છુપાવવા માટ નકલી SEBI સર્ટિફિકેટ અને 10% નફાની લાલચઆ કૌભાંડની વિગત એવી છે કે ઠગબાજોએ ફરિયાદી સિનિયર સિટીઝનનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેમને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. આરોપીઓએ ‘Bajaj Financial Securities Limited’ જેવી પ્રતિષ્ઠિત કંપનીના નામે વિશ્વાસ જીતવા માટે સેબી (SEBI) નું એક બોગસ સર્ટિફિકેટ પણ મોકલી આપ્યું હતું. ફરિયાદીને સસ્તા દરે આઈપીઓ (IPO) અપાવવાની ખાતરી આપી, આરોપીઓએ અલગ-અલગ તબક્કે કુલ Rs. 42,28,856 જેટલી રકમ પોતાની જાળમાં ફસાવીને ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી. બેંક મેનેજર સાથે મળીને રચ્યું મ્યુલ એકાઉન્ટનું જાળુંપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી વિશાલ ઝાલાવાડિયા અગાઉ ભરૂચ ખાતે રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આ દરમિયાન તેની ઓળખાણ એક ખાનગી બેંકના મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે થઈ હતી. રાહુલે તેને કમિશનની લાલચ આપતા, વિશાલે પોતાના મિત્ર તુષાર વિરાણી અને અન્ય લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી કુલ 7 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના ગંદા નાણાં ફેરવવા માટે કરવામાં આવતો હતો. કુલ 7 આરોપીઓની ધરપકડ અને પોલીસ કાર્યવાહીસાયબર ક્રાઇમ સેલે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 7 શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં વિશાલ ઉપરાંત બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી (45 વર્ષ), મીત સેલીયા (27 વર્ષ), દીપક નાયક (27 વર્ષ), કેવલ દિયોરા (27 વર્ષ), મિલન સાંગાણી (31 વર્ષ) અને ઉર્વિશ નસીત (22 વર્ષ) નો સમાવેશ થાય છે. આ ટોળકી અત્યંત સંગઠિત રીતે કામ કરતી હતી અને નિર્દોષ લોકોના નામે કરંટ એકાઉન્ટ ખોલાવી ગુનાને અંજામ આપતી હતી. આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂરહાલમાં વિશાલ ઝાલાવાડિયાને કોર્ટમાં રજૂ કરી સાયબર પોલીસે 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મ્યુલ એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં કેટલા કરોડના વ્યવહારો થયા છે અને આ ગેંગના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે. સુરત સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચાલુ છે.
95 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 03:26 AM
સુરેન્દ્રનગર સબ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત

સુરેન્દ્રનગર સબ જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત

સુરેન્દ્રનગર સબ જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેલની બેરેક નંબર 3માં આવેલા ટોયલેટમાંથી ખાડો ખોદીને છુપાવેલા ચાર મોબાઈલ ફોન સહિત કુલ 1300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર સબ જેલના જેલર એફ.એસ. મલેક અને તેમની ટીમે જેલમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેક નંબર 3ના ટોયલેટમાં જમીનમાં ખાડો કરીને દાટેલી હાલતમાં આ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ કીપેડવાળા મોબાઈલ ફોન, એક એન્ડ્રોઈડ ફોન, એક ચાર્જર અને એક હેન્ડસ ફ્રીનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓની કુલ કિંમત 1300 રૂપિયા આંકવામાં આવી છે. આ મોબાઈલ ફોન કોના હતા તે અંગે કેદીઓને પૂછપરછ કરતા કોઈએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી, જેલરે અજાણ્યા કેદીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે પ્રિઝન એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે સુરેન્દ્રનગર સબ જેલમાં અગાઉ પણ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો બન્યા છે. ભૂતકાળમાં હાથ-પગના મોજાનો દડો બનાવી અને સેલોટેપનો ઉપયોગ કરીને મોબાઈલ મંગાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
35 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 02:20 AM
રિવર સાઇડ-1 કોલોનીમાં લૂંટ અને હુમલોઃ સુરક્ષા અધિકારી ઘાયલ

રિવર સાઇડ-1 કોલોનીમાં લૂંટ અને હુમલોઃ સુરક્ષા અધિકારી ઘાયલ

વલસાડના અતુલ લિમિટેડ કંપનીની રિવર સાઈડ-1 કોલોનીમાં 30 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લૂંટનો બનાવ બન્યો હતો. બંધ મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી ભાગી રહેલા ત્રણ લૂંટારુઓને પકડવા જતા કંપનીના સિક્યુરિટી વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતકુમાર પાંડે પર લાકડાના ફટકા મળતી માહિતી મુજબ, 30 જાન્યુઆરીની રાત્રે અમિતકુમાર પાંડે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રિવર સાઈડ-1 કોલોનીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ત્રિલોક કુમાર કસવાલાના બંધ મકાનનું તાળું તોડી ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારુઓએ ઘરમાંથી ₹15,000 રોકડા અને આશરે 7 ગ્રામ વજનનું ₹33,500 કિંમતનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ ₹39,000ની લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ટીમને જાળી કાપવાનો અવાજ સંભળાતા અમિતકુમાર અને અન્ય ગાર્ડ્સે લૂંટારુઓનો પીછો કર્યો. નદી કિનારે ઝાડીઓ પાસે એક લૂંટારુને પકડવાના પ્રયાસ દરમિયાન બીજા લૂંટારુએ પાછળથી આવી લાકડાના દંડાથી અમિતકુમારના માથા પર ફટકો માર્યો. આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઇજા અને ડાબા હાથની હથેળીમાં ફ્રેક્ચર થયું. અન્ય ગાર્ડ્સને પણ ઇજાઓ પહોંચાડી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફેન્સિંગ કૂદી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા. ધરપકડ થયેલા આરોપીઓમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય (રહે. થાણે, મૂળ ઉત્તર પ્રદેશ) અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણ (રહે. મુંબઈ, મૂળ ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ત્રીજા ફરાર આરોપીની શોધખોળ માટે આગળની તપાસ ચલાવી રહી છે.
83 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
આદિપુરમાં ગેરેજ માલિકોનો વિવાદ હિંસક બન્યો

આદિપુરમાં ગેરેજ માલિકોનો વિવાદ હિંસક બન્યો

ગાંધીધામ,તા.તા.3 :આદિપુરમાં ટાગોર રોડ નજીક કપિલમુનિઆશ્રમ પાસે વાહનો પાર્ક કરવા મુદ્દે એક શખ્સે યુવાન ઉપર ડિસમીસ વડે હુમલો કર્યો હતો.અંજારમાં રહેતા અને આદિપુરમાં કપિલમુનિ આશ્રમ પાસે શિવ મોટર્સ નામની ગેરેજ ચલાવનારદુષ્યંત ડાયા લીંબાચિયા ગઇકાલે રાત્રે પોતાના ગેરેજે હતો ત્યારે પડોશમાં પાટીદાર મોટર્સનામની ગેરેજ ચલાવનાર મનીષ પટેલ આવી ગઇકાલે ગાડીઓ પાર્કિંગ બાબતે પાવર બતાવતો હતો તેમકહી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી બાદ આરોપી મનીષ પટેલે ડિસમીસ ઉપાડીફરિયાદીના માથામાં ઝીંકી દીધો હતો જેમાં તેને ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે લઇ જવાયોહતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
4 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:17 AM
ગાંધીધામ સત્તાવાળાઓએ માંસના વેપાર અને જુગાર પર કડક કાર્યવાહી કરી

ગાંધીધામ સત્તાવાળાઓએ માંસના વેપાર અને જુગાર પર કડક કાર્યવાહી કરી

ગાંધીધામ,તા.તા.3 :અંજારમાં શરીર સંબંધી ગુનામાંનાસતા ફરતા તથા જુગારમાં નાસતા બે શખ્સને ઝડપી લેવાયા હતા તેમજ બાદલપરના શખ્સને પણપકડી પાડવામાં આવ્યો હતો. અંજારના જમનશા ઇમામશા શેખ નામના શખ્સ સામે અગાઉ શરીર સંબંધીગુનો નોંધાયો હતો
26 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:10 AM
અલ્હાબાદ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને ટાંકીને ગુનાઓ પછી બુલડોઝરના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા

અલ્હાબાદ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને ટાંકીને ગુનાઓ પછી બુલડોઝરના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા

અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્યમાં ગુનાઓ બાદ બુલડોઝરના ઉપયોગ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેણે પૂછ્યું કે શું આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના નવેમ્બર 2024 ના માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. હમીરપુરના ફહીમુદ્દીન અને અન્ય બે લોકોને વચગાળાની રાહત આપતા, ન્યાયાધીશ અતુલ શ્રીધર અને સિદ્ધાર્થ નંદનની ડિવિઝન બેન્ચે પ્રશ્ન કર્યો કે શું રાજ્યને ગુનેગારના નિવાસસ્થાનને તોડી પાડવાનો અધિકાર છે કે તેણે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ? કોર્ટે પૂછ્યું, "શું ગુના પછી તરત જ તોડી પાડવી એ કારોબારી વિવેકબુદ્ધિનો વિકૃત ઉપયોગ છે?" અને તોડી પાડવાની "વાજબી આશંકા" જ લોકો માટે કોર્ટનો સંપર્ક કરવા માટેનું કારણ બની શકે છે. આ કેસની આગામી સુનાવણી 9 ફેબ્રુઆરીએ થશે. કેસની ટૂંકી હકીકતો એ છે કે સુમેરપુર પોલીસ સ્ટેશનમાં અરજદારોના સંબંધી, ભરુઆ સુમેરપુરના વોર્ડ 11, થોકચંદના રહેવાસી અફાન વિરુદ્ધ POCSO એક્ટની કલમ 3/4 અને ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તન પ્રતિબંધ કાયદાની કલમ 3/5(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ટોળાએ તેમના ઘરને ઘેરી લીધું. આરોપીઓએ ત્રીજા અરજદાર ઝૈબુન નિશાના નામે નોંધાયેલ ઇન્ડિયન લોજને સીલ કરી દીધું. અરજદાર નંબર બે મોઇનુદ્દીનના નામે નોંધાયેલ આરા મિલને 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી સીલ કરવામાં આવી હતી. અરજદારોમાં પુત્ર, પિતા અને માતાનો સમાવેશ થાય છે. આરોપી અફાન ફહીમુદ્દીનનો પિતરાઈ ભાઈ અને અન્ય બેનો ભત્રીજો છે. અરજદારોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે તેમની મિલકતો તોડી પાડવામાં આવી શકે છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ એડવોકેટ જનરલ અનૂપ ત્રિવેદીએ અરજી પર પ્રારંભિક વાંધો ઉઠાવતા કહ્યું હતું કે તે અકાળ છે. અરજદારોને ફક્ત નોટિસ જારી કરવામાં આવી હતી, જેનો તેમણે જવાબ આપવો પડશે. રહેઠાણો અને લોજ સીલ કરવામાં આવ્યા નથી. વધુમાં, પ્રતિબંધિત સામગ્રી (લીમડો અને ઢાંક) ને કારણે લાકડાંની મિલ સીલ કરવામાં આવી હતી તે હકીકત છુપાવવામાં આવી છે.
59 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 02:07 AM
ભારતમાં ઘર નોંધણી ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરશે

ભારતમાં ઘર નોંધણી ફરજિયાતઃ સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરશે

ઘરઘાટીનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે CRIME CRIME CRIME CRIME CRIME India Gujarat Gujarat World India Mamata Banerjee Supreme Court : SIR પર ટૂંક સમયમાં મહત્વપૂર્ણ સુનાવણી, મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
59 shares
😢
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 01:40 AM
અમદાવાદની પી. ઓ. સી. એસ. ઓ. કોર્ટે બળાત્કારના કેસમાં પોલીસ અહેવાલને નકારી કાઢ્યો, નવેસરથી તપાસનો આદેશ આપ્યો

અમદાવાદની પી. ઓ. સી. એસ. ઓ. કોર્ટે બળાત્કારના કેસમાં પોલીસ અહેવાલને નકારી કાઢ્યો, નવેસરથી તપાસનો આદેશ આપ્યો

અમદાવાદની સ્પેશિયલ પોકસો કોર્ટે ખોખરા પોલીસની તપાસ પદ્ધતિ સામે કડક વલણ અપનાવતા એક અત્યંત સંવેદનશીલ કેસમાં રજૂ કરેલો 'સી' સમરી રિપોર્ટ ફગાવી દીધો છે. ખોખરા પોલીસે સગીર પીડિતાની માનસિક સ્થિતિને કારણ ધરીને આ કેસ બંધ કરવાની માંગ કરી હતી, જેને ખાસ જજ અસ્મિકાબેન ભટ્ટે સખ્ત શબ્દોમાં નકારી કાઢી નવેસરથી તપાસના આદેશ આપ્યા છે. પોલીસે કોર્ટમાં તર્ક રજૂ કર્યો હતો કે પીડિતા માનસિક બીમારીની દવા લે છે અને તેને કાલ્પનિક વાર્તાઓ બનાવવાની આદત છે. મેડિકલ તપાસમાં પીડિતાના કપડાં પરના લોહીના ડાઘ માસિક ધર્મના હોવાનું ખૂલ્યું હતું અને આસપાસના સાક્ષીઓએ આવી કોઈ ઘટના જોઈ હોવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે માતા-પિતાના ડરથી બચવા પીડિતાએ દુષ્કર્મની ખોટી વાર્તા ઊભી કરી છે. જોકે, અદાલતે પોલીસના આ કારણોને અપૂરતા અને અસંવેદનશીલ ગણાવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કયું કે પીડિતા સગીર અને માનસિક રીતે અસ્થિર હોય ત્યારે તેની વધુ કાળજી રાખવી જોઈએ.
55 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 12:52 AM
ગુજરાત ક્રાઈમ ફાઈલ્સઃ રાજકોટનો જીવલેણ અકસ્માત

ગુજરાત ક્રાઈમ ફાઈલ્સઃ રાજકોટનો જીવલેણ અકસ્માત

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે વાંચ્યું કે રાજકોટના રૈયા ગામ નજીક એક યુવકનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. જો કે પોલીસને શંકા હતી કે મૃતકની બાઇકને એક જીપચાલકે જાણી જોઈને ટક્કર મારી હોઈ શકે છે. સાંજ સુધીમાં પોલીસને ખબર પડી કે અન્ય કોઈક પા હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…પોલીસ બપોર પછીથી રાજાને શોધી રહી હતી. સગા ભાઈને હત્યાને અકસ્માતમાં ખપાવવાની તેના પર શંકા હતી. ઘટનાસ્થળે જીપ થોડીને તે નાસી છૂટ્યો હતો. એટલે પોલીસે શક્ય હોય એટલા પ્રયાસ કરીને બને એટલી ઝડપે રાજાને શોધી કાઢવા માટેના પ્રયાસ ચાલુ કર્યા હતા. મોડી રાત થઈ ગઈ હતી. પીઆઈ ઝાલા પેટ્રોલીંગ માટે જીપમાં બેસવાની તૈયારીમાં જ હતા ત્યાં જ તેમના મોબાઈલની રિંગ વાગી. ફોન મદદનીશ યોગરાજસિંહનો હતો. કોલ રિસિવ કરતા જ સામેથી યોગરાજસિંહનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો,"સાહેબ, માછલી જાળમાં ફસાઈ ગઈ છે. રાજાને અમે ઉઠાવી લીધો છે" પીઆઈ તરત પાછા વળ્યા અને જીપમાંથી ઉતરીને પોતાની ચેમ્બરમાં પહોંચ્યા. થોડી જ વારમાં રાજા રોજાસરાને તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. આરોપીના ચહેરા પર ગભરાટ હતો. પણ હજુ જાણે તે ઘણું છૂપાવવાના પ્રયાસમાં હોય એમ મૌન સાધીને બેઠો હતો. પોલીસના સવાલના જવાબમા રાજાએ રડમસ અવાજે પોતાની નિર્દોષતા સાબિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા. બોલ્યો,"સાહેબ મેં કઈ નથી કર્યું. હું તો સવારનો વાડીએ હતો. મારા ભાઈના એક્સિડન્ટની ખબર પડી ત્યારે તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી." પણ પોલીસ અધિકારીઓને ખબર હતી કે રાજા સફેદ જુઠ બોલી રહ્યો છે. તેની વાતો સાંભળીને પીઆઈ ઝાલા ગુસ્સે થઈ ગયા. તેમણે કડક અવાજે અને રાજાની આંખોમાં આંખ પરોવીને કહ્યું,"તું જૂઠું બોલવાનું છોડી દે. એ જીપ તારા પરિચિતની છે અને સવારથી તારી પાસે હતી એના પુરાવા અમારી પાસે છે. હવે બોલ, તે તારા ભાઈને કેમ માર્યો?" હવે રાજાને ખ્યાલ આવી ગયો કે પોલીસ ઘણું બધુ જાણે છે. તે થથરી ગયો. થોડીવાર સુધી ચૂપ રહ્યો. પોલીસ તેના હાવભાવ પર બરાબર નજર રાખી રહી હતી. થોડીવાર પછી રાજા બોલ્યો,"સાહેબ, હું જીપ લઈને જતો હતો અને અચાનક મુકેશ આડો આવ્યો. એટલે ગાડી એના પર ચડી ગઈ. સાહેબ, હું મારા સગા ભાઈને થોડો મારું?, હું ડરી ગયો હતો એટલે ત્યાંથી નાસી છૂટ્યો." રાજાની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. એક તરફ પોલીસ સ્ટેશનમાં રાજાની પૂછપરછ ચાલી રહી હતી, બીજી તરફ હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ રાજાનો મોબાઈલ ચેક કરી રહ્યા હતા. તેમણે કોલ લોગ્સ જોયા. સવારથી અનેક ફોન થયા હતા. ફોનની ચકાસણી કરતા ખબર પડી કે રાજાના મોબાઇલમાં ઓટો કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન છે. યોગરાજસિંહના એકદમ સતર્ક થઈ ગયા. તેમણે એક બાદ એક કોલ રેકોર્ડિંગ સાંભળવાનું શરૂ કર્યું. અકસ્માતના સમયની આસપાસના રેકોર્ડિંગ્સ સાંભળતા જ તેમના ભવાં ઊંચા થઈ ગયા. એક રેકોર્ડિંગમાં રાજાનો હાંફતો અવાજ સંભળાયો. યોગરાજસિંહે તરત જ પીઆઈ ઝાલા પાસે દોડ્યા. બોલ્યા,"સાહેબ આ સાંભળો. હવે કોઈ સાક્ષીની જરૂર નથી." પીઆઈ ઝાલાએ હાથમાં ફોન લીધો અને કોલ રેકોર્ડિંગનું પ્લેન બટન ટચ કર્યું. રેકોર્ડિંગમાં રાજા કોઈની સાથે વાત કરી રહ્યો હતો… "મેં લઘરાને ઠોકી દીધો છે... પૂરું કરી નાખ્યું એનું કામ. હવે હું શું કરું? ક્યાં જાઉં?" રેકોર્ડિંગ પૂરું થતા જ ચેમ્બરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. પીઆઈ ઝાલાએ રાજાની સામે જોયું અને ફરીથી ફોનનું સ્પીકર ચાલુ કરીને એ જ રેકોર્ડિંગ વગાડ્યું. પોતાનો જ અવાજ સાંભળીને રાજાના હોશ ઉડી ગયા. તેને સમજાયું કે હવે તે ફસાઈ ગયો છે. રાજાએ બે હાથે માથું પકડી લીધું અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. "હા સાહેબ... મેં જ એને માર્યો છે. મેં જ મુકેશને જીપ નીચે કચડી નાખ્યો છે."રાજાએ ડૂસકા ભરતા કબૂલાત કરી લીધી. હત્યાનો ભેદ તો ઉકેલાઈ ગયો હતો પણ સવાલ હજુ એ જ હતો કે જે ભાઈ સાથે લોહીનો સંબંધ હતો, જેની સાથે એક જ થાળીમાં જમ્યા હતા, સાથે રમતા મોટા થયા એ જ ભાઈનો જીવ લેવા પાછળ રાજાની એવી તો શું મજબૂરી કે નફરત હતી? અડધી રાત્રે પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાજા હવે કોઈ રીઢા ગુનેગારની માફક નહીં પણ પસ્તાવાની આગમાં સળગતા એક લાચાર માણસની જેમ બેઠો હતો. તેને લાગ્યું કે હવે હકીકત છુપાવવાનો કોઈ અર્થ નથી. હૈયાનો ભાર હળવો કરવા તેણે બોલવાનું શરૂ કર્યું. "સાહેબ, દુનિયાને એમ લાગે છે કે અમે ભાઈઓ જમીન કે પૈસા માટે લડ્યા હોઈશું, પણ ના... અમારે ભાઈ ભાગ કે મિલકતનો કોઈ જ ડખો નહોતો. અમે તો હળીમળીને રહેતા હતા. પણ મારા નસીબમાં જ કંઈક અલગ રીતે લખાયેલા છે.",આટલું બોલીને રાજાએ ઊંડો શ્વાસ લીધો. થોડીવાર પછી તેણે આગળ ઉમેર્યું,"મારા લગ્નજીવનમાં ઝેર ઘોળાયું હતું એને હું ચૂપ રહીને સહન કરતો હતો. પણ લઘરાએ... મુકેશે મારી જિંદગીની ખરાબી કરી નાખી. બસ એ જ વાતનું મને માઠું લાગી ગયું અને નહોતું કરવાનું એ હું કરી બેઠો." રાજા ક્યારનોય બોલી રહ્યો હતો. પરંતુ તેણે જે પણ વાત કહી એ પોલીસકર્મીઓના મગજમાં પૂરતી બેસે એવી ન હતી. આરોપીની ગોળગોળ વાતોથી કંટાળેલા પોલીસકર્મીઓની ધીરજ ખૂટી. પીઆઈ ઝાલાએ ટેબલ પર હાથ પછાડ્યો. તેમને આવી અસ્પષ્ટ વાતોમાં રસ નહોતો. એટલે બોલ્યા,"રાજા… આ ગોળગોળ વાતો બંધ કર. સીધેસીધું બોલ કે અસલ ડખો શું હતો? લગ્નજીવનમાં એવી તે શું સમસ્યા હતી કે તેં સગા ભાઈનો જીવ લઈ લીધો?" રાજાએ માથું નીચું કરી લીધું. કોઈની સાથે આંખ મિલાવવાની હિંમત તેનામાં રહી ન હતી. તેણે ધ્રૂજતા અવાજે અસલ હકીકત જણાવી... "સાહેબ, મારી પત્ની વાસંતીને નજીકની વાડીમાં રહેતા એક યુવક સાથે આડાસંબંધો હતા. મને આ વાતની ખબર હતી. હું બધું જાણતો હતો. પણ ઘરની આબરૂ જશે અને સંસાર તૂટી જશે એ બીકે હું આંખ આડા કાન કરતો હતો. હું એને વારંવાર સમજાવતો પણ એ માનતી નહોતી." રાજાએ આગળ કહ્યું,"ગામમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. લોકો આંગળી ચીંધતા હતા. મુકેશ મારો નાનો ભાઈ ખરો… અને એના માટે વાસંતી મા સમાન હતી. જ્યારે મુકેશને ખબર પડી કે તેની ભાભી આડા રસ્તે ચડી છે અને મોટો ભાઈ બધું જાણવા છતાં મૌન છે ત્યારે તેને ગુસ્સો આવ્યો હતો." મુકેશ આ સહન કરી શક્યો નહીં. તેને લાગ્યું કે જો અત્યારે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આખું ખાનદાન સમાજમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. મુકેશે મનોમન નક્કી કરી લીધું કે હવે વડીલોને જાણ કરવી જ પડશે. 23 મે, 2017ના રોજ રાજકોટમાં મુકેશના પરિવારમાં લગ્ન હતા. એટલે ચોટીલાથી પણ ઘણા બધા લોકો આવ્યા હતા. મુકેશના ભાભીના ચરિત્રની વાત વડીલો સુધી પહોંચાડવાની આ તક યોગ્ય લાગી. તેણે નક્કી કર્યું કે આ વાત બીજા કોઈને નહીં તો મારા પિતાને જો કરવી જ છે, જેથી તેઓ પણ મોટા દીકરા અને પુત્રવધૂને ઠપકો આવે અને ઘરની વાત ઘરમાં રહે. કઠણ કાળજું કરીને મુકેશ તેના પિતા મોહનભાઇ પાસે ગયો અને પછી માંડીને બધી વાત કરી દીધી. તે બોલ્યો,"બાપુ, ભાભી આડા રસ્તે જઈ રહ્યા છે. ગામમાં વાતો થાય છે. રાજાભાઈ બધું જુએ છે પણ કંઈ કહેતા નથી. તમે કાં તો રાજાને સમજાવો અથવા ભાભીને કંઈક કહો, નહીંતર આપણા માટે ગામમાં રહેવું મુશ્કેલ થઈ પડશે. આપણી આબરૂના લીરેલીરા ઊડી જશે." મુકેશે આ નિર્ણય પરિવારના હિતમાં લીધો હતો પણ એના પડઘાં અપેક્ષા કરતા વિપરિત પડ્યાં. પત્નીનું જે રહસ્ય રાજા દબાવીને બેઠો હતો તેને મુકેશે પિતા સામે ઉઘાડું પાડી દીધું હતું. મુકેશ અને તેના પિતા વચ્ચે થયેલી વાતચીતે જાણે કે ક્યારથીયે શાંત પડેલા જ્વાળામુખીને સળગાવી દીધો હતો. નાના દીકરાની વાત સાંભળીને પિતા મોહનભાઈનું હૈયું દ્રવી ઉઠ્યું. સમાજમાં આબરૂ જશે એ બીકે તેમણે ગુસ્સામાં આવીને મોટા દીકરા રાજાને ફોન જોડ્યો. “રાજા, આ હું શું સાંભળું છું? વહુના ચારિત્ર્ય વિશે જે વાતો સંભળાય છે એમાં શું દમ છે?”,પિતાના સવાલનું શું જવાબ આપવો એ રાજાને સમજાયું નહીં. રાજાના કાનમાં જાણે ગરમ તેલ રેડાયું હોય એવો તેને અનુભવ થયો. એ પણ ગુસ્સામાં આવી ગયો. માંડ ધૈર્ય રાખીને બોલ્યો,"બાપુ… તમને આવી વાતો કોણે કરી? કોણ મારા ઘરના નળિયાં વિખે છે?" પિતાએ જે બન્યું હતું એ કહી દીધું,"મુકેશે મને બધી વાત કરી છે. એ કહેતો હતો કે તું બધું જાણવા છતાં ચૂપ છે." નાના ભાઈનું નામ સાંભળતા જ રાજાનો પીત્તો છટક્યો,"રાખું છું અત્યારે, પછી વાત કરીશ." રાજાનો ગુસ્સો હવે જાણે કે સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઘણા સમયથી પોતે પત્નીના કૃત્યો પર પડદો પાડવા પાડીને બેઠો હતો. એ પડદો તેના જ સગા ભાઈએ હટાવી દીધો હતો. એટલે રાજા માટે પત્ની પ્રત્યેના ગુસ્સા કરતા ભાઈ પ્રત્યેની નફરત વધી ગઈ. રાજા સીધો મુકેશના ઘરે પહોંચ્યો. ત્યાં મુકેશ અને તેની પત્ની મનુબેન હાજર હતા. રાજાનો ચહેરો ક્રોધથી લાલચોળ હતો. તેણે આક્રમક થઈને ધમકી આપતા કહ્યું,"તમે લોકોએ બાપુજીને આવી વાતો કેમ કરી? મારી આબરૂ કાઢી નાખી ને? હવે જોઈ લેજો, હું પણ જોઈ લઈશ કે તમે કેવી રીતે સુખેથી રહો છો." નાના ભાઈ સામે ઉકળાટ ઠાલવ્યા બાદ પણ રાજાની ઊંઘ ઉડી ગઈ હતી. પત્ની વાસંતીને કંઈ કહેવાની તેની હિંમત નહોતી પણ મુકેશને સબક શીખવવાનું ઝનૂન તેના મનમાં સવાર થઈ ગયું હતું. દિવસો વિતતા ગયા. પણ તેના મનમાં ઉભરેલો ગુસ્સો હજુ સુધી શાંત થયો ન હતો. 5 જૂનની એ સવાર પડી. રાજાને ખબર હતી કે મુકેશ દરરોજ બાઈક લઈને વાડીએથી નીકળે છે. સવારના સમયે એ રસ્તો સાવ ભેંકાર ભાંસતો હોય છે, કોઈની અવરજવર હોતી નથી, એટલે “કામ પતાવવા” માટે યોગ્ય સ્થળ લાગ્યું. તેણે તરત જ એક પરિચિત પાસેથી જીપ માગી, બહાનું ધર્યું કે થોડું કામ છે, બહારગામ જવું છે. જીપ લઈને તે ઘરે આવ્યો અને પત્ની વાસંતીને કહ્યું,"ચાલ, જીપમાં પાછળ બેસી જા, મારે તને ક્યાંક લઈ જવી છે." વાસંતી જીપમાં બેસી ગઈ. તેને અંદાજ પણ નહોતો કે તેનો પતિ આજે એક ભયાનક પાપ કરવા જઈ રહ્યો છે. રાજાએ જીપ રૈયા ગામ નજીક પરશુરામ મંદિર પાસે સૂમસામ કાચા રસ્તે એક ખૂણામાં ઉભી રાખી. વાસંતીએ પૂછ્યું,"અહીં કેમ ઉભા રહ્યા છીએ? અહીં તો કોઈ નથી." રાજાએ સ્ટીયરિંગ પર હાથ ફેરવતા ટૂંકો જવાબ આપ્યો,"બસ, થોડું કામ છે. તું બેસી રહે." પોતાના મનમાં ચાલી રહેલા ષડયંત્રનો અણસાર પણ આવવા ન દીધો. કારણ કે તેને ખબર હતી કે જો વાસંતી આ વાત જાણી જશે કે તેના દિયરની હત્યા કરવા જઈ રહ્યો છે તો તે કદાચ રોકી લેશે. રાજાની નજર સામેના વળાંક પર ટકેલી હતી. થોડી જ વારમાં બાઈકનો અવાજ સંભળાયો. રિઅરવ્યૂ મિરરમાં જોયું તો તે મુકેશ જ હતો. રાજા હવે એકદમ તૈયાર હતો. તેણે જીપનું એન્જિન ચાલુ કર્યું, પહેલા ગીયરમાં ગાડી નાખી અને એક્સિલરેટર પર પગ દબાવ્યો. મુકેશ જ્યારે જીપની બાજુમાંથી પસાર થયો ત્યારે તેણે જોયું કે મોટો ભાઈ જીપ લઈને ઉભો છે. પણ તેને એમ કે ભાઈ કોઈ કામથી ઉભા હશે, એટલે કંઈ પણ પૂછ્યા વગર તેણે પાણીના સંપ તરફ બાઈક વાળી દીધું. મુકેશ જેવો કાચા રસ્તે વળ્યો, રાજાની અંદરનો રાક્ષસ જાગી ઉઠ્યો. “આજે તારી જીભ કાયમ માટે શાંત કરી દઈશ.",રાજાએ બબડાટ કર્યો અને જીપ ભગાવી. પળવારમાં જ જીપ મુકેશની બાઈકની સાવ નજીક પહોંચી ગઈ અને એક જોરદાર ટક્કર મારી દીધી. મુકેશ અને બાઈક જીપના આગલા ભાગમાં ફસાઈ ગઈ. રાજાએ બ્રેક મારવાને બદલે એક્સિલરેટર પર પગ દબાવી રાખ્યો. લોખંડ અને રોડ વચ્ચેના ઘર્ષણના અવાજમાં મુકેશની મરણચીસો જરાય ન સંભળાઈ. મુકેશ લગભગ 25 ફૂટ સુધી ઢસડાયો. અંતે બાઈકનું પાછલું ટાયર જીપના વ્હીલ નીચે આવી જતાં જીપ અટકી ગઈ. રાજા ઉતાવળે નીચે ઉતર્યો. પાછળ બેઠેલી વાસંતી તો સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. રાજાએ તેને હાથ ખેંચીને નીચે ઉતારી અને પછી દોડવા લાગ્યો. પત્નીને ત્યાંથી ઘરે જવા રવાના કરી અને પોતે અલગ દિશામાં ભાગ્યો. નાસી છૂટ્યા પછી રાજાને ગભરામણ થવા લાગી. શું કરવું એ સુઝતું નહોતું. ચોંકાવનારી વાત એ છે કે અંતે તેણે પત્નીના પ્રેમીને ફોન કર્યો. એ જ વ્યક્તિ, જેના કારણે આ આખી માથાકૂટ શરૂ થઈ હતી. "મેં કામ પતાવી દીધું છે... જીપ ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો છું. હવે હું ક્યાં જાઉં?", રાજા આટલું બોલતા ધ્રુજી ઉઠ્યો હતો. સામે છેડેથી પ્રેમીએ ઠંડા કલેજે સલાહ આપી,"પોલીસ સ્ટેશન જતો રહે. હું માણસ મોકલું છું, તું અત્યારે ક્યાં છે?" "હું ભીખાબાપાની વાડી નજીક છુપાયો છું. મને લેવા બાઈક મોકલો", રાજાએ કરગરતા કહ્યું. તેને ખબર નહોતી કે તેના ફોનમાં ઓટો-રેકોર્ડિંગ એપ્લિકેશન કરતૂતની સાક્ષી બની રહી છે. જો કે રાજા પોલીસ સ્ટેશન ન ગયો અને સાંજ સુધી ભટકતો રહ્યો. પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. પોલીસે મુકેશના પત્ની મનુબેનની ફરિયાદ નોંધી. સગા જેઠ રાજા સામે હત્યાનો ગુનો દાખલ થયો. તપાસ દરમિયાન પોલીસને રાજાના મોબાઈલમાંથી મળેલી એ ઓડિયો ક્લિપ મજબૂત પુરવો સાબિત થઈ. પોલીસે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ કઢાવ્યો અને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યો. રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કેસ દોઢેક વર્ષ ચાલ્યો. ભલે રાજાએ અકસ્માતની ઓથ લઈને બચવાનો પ્રયત્ન કર્યો પણ ફોરેન્સિક પુરાવા તેની વિરુદ્ધમાં હતા. રાજકોટ સેશન્સ કોર્ટે 16 સાક્ષી અને 46 પુરાવા ધ્યાને લીધા અને 23 જુલાઈ, 2024ના રોજ ચુદાકો સંભળાવ્યો. કોર્ટે રાજાને કલમ 302 એટલે કે હત્યાના કેસમાં નહીં પણ કલમ 304 હેઠળ બિનઇરાદે થયેલી હત્યામાં કસુરવાર ઠેરવ્યો. કોર્ટે રાજાને રોજાસરાને 10 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારી.
99 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:59 PM
સિધપુરમાં પુલ પ્રોજેક્ટના કામ દરમિયાન રસ્તાઓ અને ઇમારતોના અધિકારીઓ પર હુમલો

સિધપુરમાં પુલ પ્રોજેક્ટના કામ દરમિયાન રસ્તાઓ અને ઇમારતોના અધિકારીઓ પર હુમલો

મહેસાણા–પાલનપુર હાઇવે પર‎સરસ્વતી નદી ઉપર મંજૂર નવા‎બ્રિજના કામ માટે ચાલી રહેલી‎રોડ માર્કિંગ (હદ માપણી)ની‎ કામગીરી દરમ્યાન માર્ગ અને‎મકાન પેટા વિભાગ સિદ્ધપુરના‎ અધિકારીઓ પર હુમલાની‎ગંભીર ઘટના સામે આવી છે.‎ પાલનપુરનાં સાગ્રોસણા‎ગામના વતની અને માર્ગ અને‎મકાન પેટા વિભાગ સિદ્ધપુરમાં‎અધિક મદદનીશ ઇજનેર તરીકે‎ફરજ બજાવતાં પરેશભાઈ‎ગમાનભાઈ જુડાળા(ચૌધરી)‎સાંજના આશરે 4:00 તેઓ‎પોતાની ટીમ સાથે માપણી કરી‎રહ્યા હતા. તેમની સાથે કચેરીના‎કર્મચારી સંજીવકુમાર ખોડાભાઈ‎પ્રજાપતિ, મયંકકુમાર ધનાભાઈ‎ડામોર અને DILRના સર્વેયર‎હરેશભાઈ હાજર હતા.‎ સરસ્વતી નદીના ખળી ચાર‎રસ્તા પાસે મહાવીર સ્ક્રેપ નજીક‎પહોંચતા ત્રણ શખ્સોએ અમને‎પૂછ્યા વિના માપણી કેમ કરો‎છો કહીં અપશબ્દો બોલી‎ઉશ્કેરાટ કર્યો હતો. ગડદાપાટુની‎મારઝૂડ કરી કપડાં ફાડી નાખ્યા‎અને જીવતા જશો નહીં એવી‎જાનથી મારી નાખવાની ધમકી‎આપી હતી.‎ તપાસમાં એક આરોપીની‎ઓળખ સિદ્ધપુરના મનોહરસિંહ‎ઉદેસિંહ ઠાકોર તરીકે થઈ છે,‎જ્યારે બે અન્ય અજાણ્યા શખ્સો‎છે. જાહેર સેવકોની કાયદેસર‎ફરજમાં અડચણ, હુમલો અને‎ધમકી આપવા બદલ સિદ્ધપુર‎પોલીસ મથકમાં અધિક‎મદદનીશ ઇજનેર પરેશભાઈ‎ગમનભાઈ ચૌધરીએ ફરિયાદ‎નોંધાવી હતી.‎
89 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:56 PM
ગોધરા પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે વ્યક્તિની ધરપકડ કરી અને ચોરીની વસ્તુઓ જપ્ત કરી

ગોધરા પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે વ્યક્તિની ધરપકડ કરી અને ચોરીની વસ્તુઓ જપ્ત કરી

ગોધરાની મુસ્લીમ એ સોસાયટીમાં કલરના વેપારીના મકાન અને દુકાનમાંથી ડબલ બેરલની બે બંદુકો સાથે એરગન અને છરાનો જથ્થો સાથે એકને પકડી પાડયો છે. પોલીસે ચોરી કરેલા બે બંદુકો સાથે 6 એરગન અને ચાર જીવતા કારતુસ મળી આવતા ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો હતો. શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવ્યુ હતુ . જોકે કયા કારણોસર હથીયારોનો જથ્થો રાખવામાં આવતો હતો ? શુ વેચાણ કરતો હતો ? કે નહિં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગોધરાના વચલા ઓઢા વિસ્તારની મુસ્લીમ એ સોસાયટીમાં અને કલરની દુકાન ચલાવતો અહેમદ હુસેન યુસુફ મોહનના મકાનમાં ગેરકાયદે હથિયારનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમી એસઓજી પોસઇ બી.કે.ગોહિલને મળી હતી. જેના પગલે બી ડીવીઝન પોલીસને સાથે રાખી મકાન પર દરોડો પાડ્યો હતો. અને ઘરમાં તપાસ હાથ ધરતા ગોદડા નીચે સંતાડેલા અલગ અલગ પ્રકારના 5 હથિયાર મળી આવ્યા હતા. તેમાંથી ચોરી કરેલી ડબલ બેરલ એક બંદુક સાથે 4 એરગન અને છરાની ડબ્બી હતી.પોલીસે પકડેલા અહમેદ હુસેન મીઠાની પુછપરછ કરતા તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી તેના મિત્ર રહીશ હુસેન મીઠા પાસેથી બે બંદુકો આજથી 10 મહિના પહેલા લીધી હતી. અને બીજા તેની હથીયાર દુકાનમાં ગેરકાયદે રીતે સંતાડી રાખ્યા હોવાનુ જણાવ્યું હતું. પોલીસે સીમલી ગેરેજ વિસ્તારમાં અહેમદ હુસેન મીઠાની કલરની દુકાનમાં તપાસ કરતા 3 હથીયાર, એરગનમાં ભરવાના 2 છરાઓની ડબી , 11 ખાલી કેસીસ તથા 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે ગેરકાયદે રીતે છુપાવી રાખેલા 1.33 લાખના હથિયાર સહીતનો મુદ્દામાલ કબજે કરીને શહેર બી ડીવીઝન પોલીસ મથકે બે સામે ગુનો નોંધાયો હતો.પોલીસે ચોરી કરેલી બે ડબલ બેરલ બંદુકો અને 4 જીવતા કારતુસો અહેમદ મીઠા અને રહીશ મીઠાએ ચોરી કરી હતી. આ હથિયારથી ગેરકાયદે અન્ય પ્રવૃતિઓ થઇ છે કે નહિ તેની તપાસ પોલીસ કરી રહી છે. ફરાર રહીશ સામે 2 આર્મ્સ ગુના નોંધાયેલા છેપોલીસની તપાસમાં ડબલ બેરલ બંદુકો નંગ-2, જીવતા કારતુસ નંગ-4,ખાલી કારતુસ નંગ-11,એરગન નંગ-6,છર્રા ભરેલ ડબ્બા નંગ-6,બંદુક મુકવાના કવર નંગ-7 મળી આવ્યા હતા.ફરાર રહીશ હુસેન મીઠા વિરુધ્ધ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં સાબરમતી ટ્રેન હત્યાકાંડની ફરીયાદમાં નામ હતું.બાદમાં નિર્દોષ છુટયો હતો. ત્યારે બાદ ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં ધી આર્મ્સ એકટ કલમ 25(1-બી)(એ) અને ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં આર્મ્સ એકટ કલમ 25(1-બી)(એ),29 મુજબનો ગુનો રજીસ્ટર થયેલો છે.
32 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:56 PM
એ. સી. બી. એ મેન્દર્ડા તાલુકામાં લાંચ લેવાના આરોપીના ઘરે દરોડા પાડ્યા

એ. સી. બી. એ મેન્દર્ડા તાલુકામાં લાંચ લેવાના આરોપીના ઘરે દરોડા પાડ્યા

80,000ની લાંચ લેનાર મેંદરડા તાલુકા વિકાસ અધિકારીના ઘરે એસીબીની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. મેંદરડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયાને સોમવારે એટીવીટીના કામના વર્ક ઓર્ડર કાઢી આપવા રૂપિયા 1.5 લાખની લાંચ માગી હતી. તાલુકા પંચાય મંગળવારે એસીબીના તપાસનીશ એસ. એન. ગોહિલે 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજુ કરતા એડ અદાલતે બુધવાર સાંજના 4 વાગ્યા સુધી 1 રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે એસીબીની ટીમ આરોપીને લઈ તેના મેંદરડામાં નાઝાપુર રોડ પર બ્રહ્માકુમારીની બાજુમાં આવેલ ટીમ ઘરે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું.
59 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:54 PM
એલસીબીએ પોરબંદરમાં જાહેર જુગાર સ્થળ પર દરોડા પાડ્યા, પાંચની ધરપકડ કરી

એલસીબીએ પોરબંદરમાં જાહેર જુગાર સ્થળ પર દરોડા પાડ્યા, પાંચની ધરપકડ કરી

પોરબંદરના નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી આધારે એલસીબીએ દરોડો પાડી આ સ્થળેથી જુગાર રમતા 5 શખ્સને ઝડપી લીધા હતા જ્યારે 4 શખ્સ નાશી છૂટ્યા હતા. પોરબંદર એલસીબી ટીમ નવીબંદર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતીકે, નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમે છે, જેથી એલસીબી ટીમે આ સ્થળે દરોડો પાડી જુગાર રમતા કિરણ બાબુ પરમાર, ઉતમ ઉર્ફે ભોલો રાજેશ માકડીયા, વિપુલ કાંધા વાઢીયા, વિક્રમ લખમણ ભોગેસરા અને હાજા ભુરા ભોગેસરાને ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમ્યાન અરજણ સરમણ ખુંટી, હરસુખ ઉર્ફે અશોક કરશન પંડીત, પ્રવીણ ઉર્ફે સોપારીવાળો જીણા કારગટીયા અને રામદે પરબત ઓડેદરા નાશી છૂટ્યા હતા. પોલીસે દરોડા દરમ્યાન 5 શખ્સને ઝડપી લઇ સ્થળ પરની કુલ રકમ રૂ. 64,800નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
45 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:52 PM
પોલીસે અબ્રામામાં બી. એસ. એન. એલ. ઓફિસમાં દારૂના નશામાં ધૂત યુગલનો પર્દાફાશ કર્યો

પોલીસે અબ્રામામાં બી. એસ. એન. એલ. ઓફિસમાં દારૂના નશામાં ધૂત યુગલનો પર્દાફાશ કર્યો

વલસાડ સિટી પોલીસ સ્ટાફના એ.ડી.પાલવા તેમની ટીમ સાથે મોડી રાત્રે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ મથકના જમાદાર ભાવેશ રમણલાલને અબ્રામા પોલીસ હેડ ક્વોર્ટર નજીક બીએસએનએલ ઓફિસમાં કેટલાક ઇસમોનો અવાજ આવી રહ્યો છે અ્ને ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી જેણી જાણ કરવામાં આવતા સિટી પોલીસની ટીમે તાત્કાલિક અબ્રામા હેડ ક્વોર્ટર પોસ્ટ ઓફિસની બાજૂમાં આવેલી બીએસએનએલની ઓફિસે પહોંચી ગઇ હતી.જ્યાં તપાસ કરી દરવાજો ખોલી જોતાં રૂમમમાં બે ઇસમ ટેબલ પાસે દારૂની બોટલો સાથે નશાની હાલતમાં મળી આવ્યા હતા. બ્રેથ એનેલાઇઝરથી ચેક કરતાં બંન્ને પીધેલા માલૂમ પડ્યા હતા.જેમની પૂછપરછ કરતાં અબ્રામ સ્થિત પોલીસ હેડક્વોર્ટર નજીક રહેતાં રાકેશ કોરી ઉ.42 અને રમેશચંદ્ર કોરી ઉ.40 ,બંન્ને રહે.તુલસીવન સોસાયટી,ગીતા શોપ સામે,પોલીસ હેડક્વોર્ટર નજીક,અબ્રામાના હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
57 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:48 PM
મધુરમ વિસ્તારમાં ચોરીની બાઇક સાથે જમાઈ ઝડપાયો

મધુરમ વિસ્તારમાં ચોરીની બાઇક સાથે જમાઈ ઝડપાયો

શહેરના મધુરમ વિસ્તારમાંથી બાઈક ચોરનાર શખ્સને પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ પાલાભાઈ વાળાનું જીજે 11 એલએલ 9716 નંબરનું બાઈક ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 સોમવારે પીઆઇ એ. બી. ગોહિલની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મધુરમ વંથલી રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતો જોવા મળ્યો હતો. જેથી તેને રોકી પૂછપરછ કરતા શખ્સ મધુરમ, રામાપીરના મંદિરની સામે બુધવિહારની બાજુમાં આવેલ અવિધિ નગરમાં રહેતો મૂળ ઉપલેટા તાલુકાના નાગવદર ગામનો 32 વર્ષીય શૈલેષ કિશોરભાઈ માકડીયા હોવાનું જણાવ્યું હતું. બાઈકના કાગળો નહિ હોવાનું જણાવી બાઈક શ્રીનગર સોસાયટીમાંથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી. શખ્સ વિરૂધ્ધ અગાઉ સી ડિવિઝન તેમજ વંથલી પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો.
78 shares
😐