Achira News Logo
Achira News
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:14 AM
રાજકોટમાંથી 26 વર્ષ બાદ ગોન્ડાલ લૂંટ કેસમાં વ્યક્તિની ધરપકડ

રાજકોટમાંથી 26 વર્ષ બાદ ગોન્ડાલ લૂંટ કેસમાં વ્યક્તિની ધરપકડ

રાજકોટ, તા. ર૦: ગોંડલના મોટા દડવાના ઘાડના ગુન્‍હામાં ર૬ વર્ષથી વોન્‍ટેડ રાજકોટના શખ્‍સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા નાશતા-ફરતા આરોપીઓને પકડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગોંડલ તાલુકા પો.સ્‍ટે. ના ફરીયાદી બાવાભાઇ શામજીભાઇ ચોવટીયા રહે. મોટાદડવાના ખેતરમાં આરોપીએ પ્રવેશ કરી ખેતરમાં રહેલ આઠ મણ તલ કિ.રૂ. ૩,૦૦૦/- ની ધાડ(લુંટ) કરી ફરીયાદીને માર મારી નાશી ગયેલ હોય અને આ ગુન્‍હામાં છેલ્લા ૨૬ વર્ષ થી નાશતો-ફરતો (૧) અશોક ઓઘાભાઈ સાથળીયા (સોલંકી) ઉ.વ.૪૭ સરનામુ- રાજકોટ શીતળાધાર મફતીયાપરા, સરદાર ગૌશાળા પાછળ કોઠારીયા સોલવંટને અમરેલી ખાતેથી ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ, એએસઆઇ બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી, એચસી પ્રહલાદસિંહ રાઠોડ, એચસી ભગીરથસિંહ જાડેજા તથા પીસી રણજીતભાઇ બોરડ દ્વારા કરવામાં આવી હતી.
46 shares
😢
S
Sandesh
Mar 20, 2026, 08:54 AM
અમદાવાદમાં સગીર છોકરીને પ્રેમના જાળમાં ફસાવવા બદલ ત્રણ લોકોની ધરપકડ

અમદાવાદમાં સગીર છોકરીને પ્રેમના જાળમાં ફસાવવા બદલ ત્રણ લોકોની ધરપકડ

અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે 01-અમીરઅલી સાકૌરઅલી શેખ 02-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની 03-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલી નકલી નોટો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. રિઝર્વ બેંકની તપાસમાં આ નોટો હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું છે. હવે આ નકલી નોટો તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવશે. કોર્ટે તમામ સાત આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 30 તારીખ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂઆત કરતાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતાં. આરોપીઓએ 500 રૂપિયાના દરની ભારતીય ચલણી નોટને સ્કેન કરી તેને એડિટ કરી નોટના સિરિયલ નંબર બદલીને કરોડો રૂપિયાની નકલી નોટો છાપી હતી. આરોપી મુકેશ ઠુમ્મરના ઘરેથી ભારતીય ચલણની 500 રૂપિયાના દરની 5600 નકલી નોટો મળી આવી છે. આરોપીઓે સુરત નજીકના વિસ્તારમાં નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાની પણ શક્યતાઓ છે. આરોપી મુકેશ ઠુમ્મરે નોટો બનાવવા માટેના કાગળ ચીનથી મંગાવ્યા હતાં. પોલીસે કહ્યું હતું કે, કઈ એપ્લિકેશન મારફતે આ કાગળો મંગાવ્યા તેની તપાસ કરવાની બાકી હોવાથી રિમાન્ડની માગ કરાઈ છે. આરોપીઓના બેંક ખાતા અને વાર્ષિક રિટર્નની માહિતી મેળવી આવકના સ્ત્રોત બાબતે તપાસ કરવા અને કોઈ અપ્રમાણિત મિલકતો વસાવી છે કે કેમ તે અંગે તપાસની જરૂર છે. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી લેપટોપ, કલર પ્રિન્ટર, પેપર કટર અને નોટ બનાવવાના કાગળો તથા અડધી છપાયેલી નકલી નોટો જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ એકબીજા સાથે 10 વર્ષથી સંપર્કમાં હતાં. આરોપીઓએ અઢીથી ત્રણ કરોડની કિંમતની ભારતીય ચલણની 500ના દરની નકલી બનાવટી નોટો બનાવી છે. આરોપીઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપતા નથી.આ પણ વાંચોઃ Gujarat Weather News : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 માર્ચે વરસાદની શક્યતા, 24 કલાક બાદ ગરમીમાં વધારો થશે અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી
49 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:51 AM
સિરામિક ટાઇલ્સની ચુકવણી ન કરવા બદલ વેપારીને જેલની સજા અને દંડ

સિરામિક ટાઇલ્સની ચુકવણી ન કરવા બદલ વેપારીને જેલની સજા અને દંડ

રાજકોટ, તા. ર૦: ઉધાર માલ લઈ બદલામાં આરોપીએ ચેક આપી, ચેક મુજબની રકમ ન ચુકવતા, મુઝફરપુર-બિહારના વેપારી વિજયકુમારને-મોરબીના મહે. ચોથા એડીશ્‍નલ ચીફ જયુડી. મેજીસ્‍ટ્રેટએ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા.૩,૩૩,૬૬૮/- નો ડબલ રકમનો દંડ (રૂા.૬,૬૭,૩૩૬/-) તેમજ દંડ ન ભરે તો ૩ માસની અલગથી સાદી કેદની સજા ૯ ટકા વ્‍યાજ તા.૧૫/૦૯/૨૦૨૩ થી ફરીયાદી વેપારીને ચુકવવાનો હુકમ મોરબીની નામદાર અદાલતે ફરમાવેલ છે. આ બનાવની વિગત એવી છે કે, હરી ઓમ મારબલ પેઢીના પ્રોપરાઈટર-મુઝફરપુર -બિહારના પ્રોપરાઈટર-વિજયકુમારે, ફરીયાદી-સ્‍પીનીકસ સીરામીક ભાગીદારી પેઢીના ભાગીદાર-પ્રયાગપરી અશોકપરી ગોસ્‍વામી-મોરબીવાળા પાસેથી વર્ષ ૨૦૨૩ માં સીરામીક વિટ્રીફાઈડ ટાઈલ્‍સનો ઉધારમાલ ખરીદ કરેલ હતો. અને તેઓએ તેમના બદલામાં તેમની બેંકનો ચેક આપેલ હતો. જે ચેક આપતી વખતે ફરિયાદીને એવું વચન અને વિશ્વાસુ આપેલ કે તમો બેંકમાં ચેક વટાવવા માટે નાંખશો ત્‍યારે ચેક મુજબની રકમ તમોને મળી જશે. ફરિયાદીએ સમય મર્યાદામાં ચેક બેંકમાં વટાવતા જે ચેક અપૂરતા ભંડોળ (ફન્‍ડસ અનસફીશ્‍યન્‍ટ)ના કારણે પરત ફરતા, આરોપીને ટેલીફોનિક તેમજ નોટીસ દ્વારા જાણ કરેલ છતાં આરોપીએ ચેક મુજબની રકમ ફરિયાદીને ન ચુકવતા નામદાર મોરબીના મહે.ચોથા એડીશ્‍નલ ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં નેગો. ઈન્‍સ્‍ટ્રુ. એકટ-૧૩૮ મુજબ ફરિયાદીએ તાઃ ૧૫/૦૯/૨૦૨૩ ના રોજ કેસ દાખલ કરતા સમયે દસ્‍તાવેજો અસલ/નકલ/ખરીનકલ વિગેરે રજુ રાખેલ હતા. ત્‍યારબાદ આરોપી સામે નામદાર કોર્ટે સમન્‍સની બજવણી કરતા આરચેપી કે તેમના પ્રતિનિધિ હાજર ન રહેતા જેથી સદરહુ કેસ એકતરફી આગળ ચાલવા લાગેલ અને અને આરોપીને પુરતી તક આપવા છતાં કોઈ જવાબ રજુ ન કરતા આરોપીનો જવાબનો હકક બંધ કરી દીધેલ.
99 shares
😢
A
Akila News
Mar 20, 2026, 08:38 AM
મુંબઈ પોલીસે AIનો ઉપયોગ કરીને વિકૃત છબીઓ મોકલવા બદલ યુવક સામે કેસ નોંધ્યો

મુંબઈ પોલીસે AIનો ઉપયોગ કરીને વિકૃત છબીઓ મોકલવા બદલ યુવક સામે કેસ નોંધ્યો

મુંબઈ,તા.૨૦: ઘાટકોપર-વેસ્‍ટમાં રહેતી ૩૪ વર્ષની મારવાડી યુવતીના ફોટો આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ (AI) દ્વારા અશ્‍લીલ રીતે એડિટ કરીને તેના પપ્‍પાને મોકલવાના આરોપસર પાર્કસાઇટ પોલીસે સની ટપાલિયા નામના યુવક સામે મંગળવારેITએક્‍ટ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદ મુજબ સની યુવતીનો સામાન્‍ય મિત્ર હતો અને તેણે વારંવાર યુવતી પર લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ યુવતીએ એનો સ્‍પષ્ટ ઇનકાર કર્યો હતો. એને કારણે ગુસ્‍સે ભરાયેલા સનીએ યુવતીના ફોટોAIમારફત એડિટ કરીને તેના પપ્‍પાને મોકલ્‍યા હતા. સાથે આ ફોટો અન્‍ય સગાંસંબંધીઓને પણ વાઇરલ કરવાની ધમકી આપી હોવાનો ઉલ્‍લેખ ફરિયાદમાં કરવામાં આવ્‍યો છે. પાર્કસાઇટ પોલીસ-સ્‍ટેશનના એક સિનિયર અધિકારીએ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘ઇન્‍સ્‍ટાગ્રામ પર થોડા સમય પહેલાં યુવતીની ઓળખાણ સની સાથે થઈ હતી. બન્ને મારવાડી હોવાને કારણે સનીએ યુવતીને લગ્ન માટે પ્રસ્‍તાવ મૂક્‍યો હતો, જેને શરૂઆતમાં યુવતીએ સકારાત્‍મક પ્રતિસાદ આપ્‍યો હતો અને સનીને તેના પરિવારજનોને પોતાના ઘરે લાવીને લગ્ન માટે વાત કરવાનું સૂચન કર્યું હતું. જોકે સનીએ એવું ન કરતાં સતત યુવતીને મળવા અને ભાગીને લગ્ન કરવાનો આગ્રહ રાખ્‍યો હતો. ત્‍યાર બાદ યુવતીએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. રવિવારે સની દારૂ પીને યુવતીના બિલ્‍ડિંગ નીચે આવ્‍યો હતો અને સોસાયટીમાં જોરજોરથી બૂમાબૂમ કરીને ગાળો અને એલફેલ બોલ્‍યો હતો એટલું જ નહીં, તેની માગણી ન માનતાં યુવતીને બરબાદ કરી દેવાની ધમકી પણ આપી હતી. એ પછી પણ સની અટક્‍યો નહોતો, એ દિવસે ઘરે જઈને યુવતીના ફોટોAIમારફત એડિટ કરીને તેના પપ્‍પાને મોકલીને ધમકાવ્‍યા હતા. અંતે યુવતીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
5 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 06:12 AM
અમદાવાદ હત્યાઃ લગ્નેત્તર સંબંધોને લઈને થયેલી હિંસાના 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદ હત્યાઃ લગ્નેત્તર સંબંધોને લઈને થયેલી હિંસાના 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
39 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 06:02 AM
બાળકને એસિડ પીવા માટે મજબૂર કરવા બદલ યુવકને 10 વર્ષની જેલની સજા

બાળકને એસિડ પીવા માટે મજબૂર કરવા બદલ યુવકને 10 વર્ષની જેલની સજા

આણંદ,આણંદ શહેરના નાની ખોડીયાર વિસ્તારમાં આજથી સવા પાંચ વર્ષ પહેલા ૧૬ વર્ષની બાળાને હેરાન કરનાર યુવાનને તેના માતા-પિતા ઠપકો આપવા ગયા હતા. ત્યારે યુવાને તેની પાસેનું એસિડ તેણીને બળજબરીથી પીવડાવી દીધું હતું. આ અંગેનો કેસ આણંદની સ્પેશ્યલ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી યુવાનને દસ વર્ષની સખત કેદ અને રુ. ૫૧ હજારનો દંડ ફટકારતો ચુકાદો જાહેર કર્યાે છે.આણંદ શહેરના નાની ખોડીયાર વિસ્તારમાં બાપા સિતારામ સોસાયટીમાં અજય ઉર્ફે જાડીયો છગનભાઈ નાયક નામનો ૧૯ વર્ષનો યુવાન પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે એક ૧૬ વર્ષની બાળાને આવતા જતાં વારંવાર હેરાન કરતો હતો. જેથી ગત તા. ૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ બાળાના માતા-પિતા તેને લઈને અજય ઉર્ફે જાડીયાને ત્યાં ગયા હતા ત્યારે તેણે વાત સમજવાની જગ્યાએ પોતાની પાસેનું એસિડ બાળાને બળજબરીથી પીવડાવી દીધું હતું અને પછી ભાગી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે ઈપીકો કલમ ૩૨૬(એ), પોક્સો એક્ટની કલમ ૧૧(૧) મુજબ ગુનો દાખલ કર્યાે હતો. અને તા. ૨ ફેબ્›આરી ૨૦૨૧ ના રોજ આરોપી અજયને પોલીસે ઝડપી પાડ્યો હતો.આ કેસની તપાસ પુર્ણ કર્યા બાદ પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ અશ્વિનસિંહ જાડેજાએ વિદ્વર્તાપુર્ણ દલીલો રજુ કરી હતી અને સાક્ષીઓ તપાસ્યા હતા. તથા દસ્તાવેજી પુરાવા પણ રજુ કર્યા હતા. તેમની ધારદાર દલીલને પગલે અદાલતે અજય ઉર્ફે જાડીયો છગનભાઈ નાયકને કસુરવાર ઠેરવ્યો હતો અને આજે તેની સજા સંભળાવી હતી. જેમાં આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૬-એ ના ગુનામાં દસ વર્ષની સખત કેદ અને રુ. ૫૦ હજારનો દંડ તેમજ જો આરોપી દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી.જ્યારે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમની કલમ ૧૧ સાથે વાંચતા કલમ ૧૨ મુજબ પણ આરોપીને એક વર્ષની સખત કેદની સજા તથા રુ. ૧ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યાે હતો.SS1MS
77 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:46 AM
ભારતમાં અમદાવાદમાં 2.38 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત

ભારતમાં અમદાવાદમાં 2.38 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત

અમદાવાદમાં રૂ.૨.૩૮ કરોડની નકલી નોટો ઝડપાઈ -આરોપીઓ બેંકમાં સ્કેનિંગ ના થાય ત્યાં સુધી નોટ પકડી ના શકાયઃ ડીસીપી પકડાયેલા પ્રદીપ ગુરુજીએ રાજકોટમાં અનેકનું ફૂલેકું ફેરવ્યું, આશ્રમમાંનકલીનોટોછાપતું ભોંયરુ ઝડપાયું (એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગત મોડી રાતે અમરાઈવાડી વિસ્તારમાંથી કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. આ સાથે જ સુરતની એક મહિલા સહિત ૭ આરોપીની ધરપકડ કરી છે. આ લોકો પાસેથી પકડાયેલી ૨.૩૮ કરોડની નકલી ચલણી નોટોની ગણતરી કરતા પોલીસને છ કલાકનો સમય લાગ્યો હતો. આ પૈકી અમદાવાદથી રૂ. ૨.૩૮ કરોડ અને રૂ. ૮૦ લાખની ચલણી નોટો સુરતથી પકડાઈ હતી. આ નોટોની ગણતરી પૂરી થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે વિધિવત ફરિયાદ નોંધી હતી. મહત્ત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે નકલી નોટના નેટવર્કને ઝડપ્યું છે. આ તમામ આરોપી સુરતનું હોવાનું જણાતા સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયનના જણાવ્યાનુસાર, આ આરોપી ચીનથી હાઈ ક્વાલિટી પેપર લાવીને નકલી ચલણી નોટો બનાવતા. આ તમામ નોટોનો ઉપયોગ તેઓ જમીન સોદામાં વટાવતા. આ માટે તેઓ આંગડિયાનો પણ ઉપયોગ કરતા.
83 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:45 AM
મુંબઈમાં વીમા રિન્યુઅલ કૌભાંડોમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે સાયબર ફ્રોડ નાગરિકોને નિશાન બનાવે છે

મુંબઈમાં વીમા રિન્યુઅલ કૌભાંડોમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે સાયબર ફ્રોડ નાગરિકોને નિશાન બનાવે છે

મુંબઇ તા.૨૦: માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ બજારમાં હિસાબ-કિતાબ અને નાણાકીય લેનદેનની ગતિવિધિઓ તેજ બને છે. વેપારીઓ માટે આ વર્ષાંતનો સમયગાળો હોય છે, જ્‍યારે નાગરિકો માટે મેડિક્‍લેમ અને વિવિધ પ્રકારના વીમા પ્રીમિયમ ભરવાના દિવસો નજીક આવતા હોય છે. આ જ પરિસ્‍થિતિનો લાભ લઈને સાયબર ઠગો પણ વધુ સક્રિય બન્‍યા છે અને શહેરમાં વીમા નવીનીકરણ (રિન્‍યૂ)ના બહાને છેતરપિડીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સાયબર ગઠિયા હવે વધુ સુવ્‍યવસ્‍થિત રીતે જાળ બિછાવી રહ્યા છે. તેઓ ડાર્ક વેબ જેવા પ્‍લેટફોર્મ પરથી નાગરિકોના મોબાઈલ નંબર, નામ અને વીમા સંબંધિત માહિતી મેળવી લે છે. ત્‍યારબાદ તેઓ ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી ફોન કરે છે અને પોલિસી સમાપ્ત થવાની છે તેમ કહી ડર બતાવી નાગરિકોને તાત્‍કાલિક પ્રીમિયમ ભરવા દબાણ કરે છે. ઉતાવળમાં અને પોલિસી રદ થવાના ભયથી નાગરિક ગઠિયાએ મોકલેલી લિક અથવા ક્‍યુઆર કોડ(QR Code)સ્‍કેન કરે છે અને ઠગાઈનો ભોગ બને છે. આ પ્રક્રિયામાં ગઠિયાઓ નાગરિકોને એક ખાસ લિક મોકલે છે, જે દેખાવમાં અસલી ઇન્‍શ્‍યોરન્‍સ વેબસાઇટ જેવી જ લાગે છે. વાસ્‍તવમાં આ લિકમાં માલવેર અથવા ફિશિગ ટ્રેપ હોય છે. નાગરિકો જ્‍યારે તેમાં પોતાની બેંક વિગતો અથવા કાર્ડની માહિતી દાખલ કરે છે, ત્‍યારે તરત જ તેમના ખાતામાંથી નાણાં ઉપડી જાય છે. કેટલાક કિસ્‍સામાં ફોનમાં સ્‍પાયવેર ઇન્‍સ્‍ટોલ થઈ જાય છે, જેથી ભવિષ્‍યમાં પણ નાણાકીય નુકસાન થઈ શકે છે. તાજેતરમાં નારોલના એક યુવક સાથે બનેલી ઘટના આ પ્રકારની ઠગાઈનું તાજું ઉદાહરણ છે. અજાણ્‍યા નંબર પરથી આ યુવકને ફોન આવ્‍યો અને જણાવ્‍યું કે તેમની ઇન્‍શ્‍યોરન્‍સ પોલિસી સમાપ્ત થવાની છે, જો તેને ચાલુ રાખવી હોય તો તરત જ પ્રીમિયમ ભરવું પડશે. આથી યુવક વિશ્વાસમાં આવી ગયો અને ગઠિયાએ મોકલેલી લિક પર ક્‍લિક કરીને નાણાં ચૂકવ્‍યા હતા. થોડા સમય બાદ યુવકે નાણાં જમા અંગે સંબંધિત ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીમાં તપાસ કરી, ત્‍યારે જાણવા મળ્‍યું કે કંપનીને તેમની પોલિસીના સંદર્ભે કોઈ રકમ મળી નથી.
82 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:36 AM
અમદાવાદ વકીલને ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં ₹ 57.90 લાખનું નુકસાન થયું

અમદાવાદ વકીલને ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં ₹ 57.90 લાખનું નુકસાન થયું

અમદાવાદ,અમદાવાદમાં સાયબર ઠગાઈના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઠગ હવે નવી નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં શીલજના ૭૦ વર્ષીય વકીલને ફેસબુક પર સંપર્ક કરી એક યુવતીએ લગ્ન કરવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી કુલ ૫૭.૯૦ લાખની ઠગાઈ કરી છે. યુવતીએ વકીલ સાથે લગ્ન કરી ઈટલીમાં સેટલ થવાની લાલચ પણ આપી હતી. જે અંગે સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ નવેમ્બર ૨૦૨૫માં વકીલનો ફેસબુક પર “લક્ષ્મીદેવી રેડી” નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. યુવતીએ પોતે આઈઆઈએમ અમદાવાદમાંથી અભ્યાસ કરેલો હોવાનું અને હાલ હૈદરાબાદમાં રહેતી હોવાનું જણાવી વાતોમાં વકીલનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઈ અને રોજિંદા વોટ્‌સએપ મેસેજ તથા વીડિયો કોલ દ્વારા વાતચીત શરૂ થઈ, જેના કારણે વકીલને યુવતી પર ગાઢ વિશ્વાસ આવી ગયો હતો. યુવતીએ પોતાની લેવિસ લાઇફ સ્ટાઇલ અને ધનિક પરિવાર વિશે વાતો કરી હતી. તેણે વકીલને લગ્ન કરીને ઇટલીમાં સ્થાયી થવાની લાલચ પણ આપી હતી, જેથી વકીલ વધુ પ્રભાવિત થયા હતા.આ દરમિયાન યુવતીએ વકીલને કહ્યું હતું કે તેના કાકા યુએસની એક મોટી કંપનીમાંથી નિવૃત્ત થયા છે અને તેમની કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતી ૭૦ નિષ્ણાતોની ટીમ કામ કરે છે, જેથી તેમાં રોકાણ કરવાથી મોટો નફો મળી શકે છે. યુવતીના કહેવા મુજબ વકીલે મોકલેલી લિંક ખોલીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં પોતાની તમામ વિગતો ભરી હતી. ત્યારબાદ યુવતીના કહ્યા મુજબ વકીલ રોકાણ કરવા લાગ્યા હતા.શરૂઆતમાં વકીલે ૫૦ હજારનું રોકાણ કર્યું હતું જેમાં તેમને ૫ હજારનો નફો બતાવવામાં આવ્યો હતો. શરૂઆતના થોડા દિવસોમાં સતત નફો દેખાડીને વકીલનો વિશ્વાસ મજબૂત કરવામાં આવ્યો હતો અને વકીલે કુલ ૨.૧૦ લાખ રૂપિયા ઉપાડી પણ લીધા હતા. આથી તેમને ખાતરી થઈ ગઈ કે રોકાણ સલામત છે. ત્યારબાદ ૮ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી દરમિયાન વકીલે કુલ ૧૬ ટ્રાન્ઝેક્શન દ્વારા અંદાજે ૬૦ લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ જ્યારે તેમણે બાકી રહેલા રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યાે ત્યારે તેમને “ટેક્સ ભરવો પડશે” તેવી શરત મૂકી વધુ રકમ માગવામાં આવી હતી.
5 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:19 AM
સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતા સામેના ગુનાહિત કેસને રદ કર્યો

સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્માતા સામેના ગુનાહિત કેસને રદ કર્યો

નવી દિલ્‍હી તા.૨૦: ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક ફિલ્‍મ નિર્માતા સામે દાખલ કરાયેલ છેતરપિડીનો ફોજદારી કેસ રદ કર્યો, જે ફાઇનાન્‍સરને દેવાના પૈસા ચૂકવવામાં નિષ્‍ફળ રહ્યા હતા. ન્‍યાયાધીશ પી.એસ. નરસિહા અને ન્‍યાયાધીશ મનોજ મિશ્રાની બેન્‍ચે કહ્યું કે, અમારા મતે, મદ્રાસ હાઇકોર્ટે એ હકીકતને અવગણી હતી કે ફિલ્‍મ નિર્માણ એક ઉચ્‍ચ જોખમ ધરાવતો વ્‍યવસાય છે. કોઈપણ ખાતરીપૂર્વક કહી શકતું નથી કે ફિલ્‍મ નફો કરશે કે ફલોપ જશે. બેન્‍ચે વધુમાં જણાવ્‍યું હતું કે, જો કોઈ વ્‍યક્‍તિ ફિલ્‍મમાં રોકાણના બદલામાં નફામાં હિસ્‍સો મેળવવા માટે સંમત થાય છે, તો તેશૂન્‍ય વળતરનું જોખમ પણ ઉઠાવે છે. કોર્ટના જણાવ્‍યા અનુસાર, પાર્ટીઓ વચ્‍ચેની લેવડ-દેવડની પ્રકૃતિ નક્કી કરવામાં એક મહત્‍વપૂર્ણ કારક એ હતું કે શું રોકાણકારને અપરાધિક કાર્યવાહી શરૂ કરવાની પરવાની આપવી જોઈએ કે ફોજદારી ઉપચાર અપનાવવો જોઈએ. દુર્ભાગ્‍યવશ, હાઈકોર્ટે આ મહત્‍વપૂર્ણ પક્ષને નજરઅંદાજ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્‍ચે નોંધ્‍યું હતું કે છેતરપિડીના ગુનાને સ્‍થાપિત કરવા માટે, વચન અથવા કરાર કરવામાં આવે તે જ ક્ષણે કપટી ઇરાદો અસ્‍તિત્‍વમાં હોવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટના આદેશને રદ કરતા, બેન્‍ચે અવલોકન કર્યું, એ દર્શાવવું આવશ્‍યક છે કે વચન આપવામાં આવ્‍યું ત્‍યારે વ્‍યક્‍તિનો ઈરાદો અપ્રમાણિક અથવા કપટપૂર્ણ હતો. વચન પૂર્ણ કરવામાં માત્ર પછીથી નિષ્‍ફળતા એ અનુમાન કરવાનો આધાર બની શકે નહીં કે તેમનો ઈરાદો શરૂઆતથી જ દુર્ભાવનાપૂર્ણ હતો. હાલના કેસનો ઉલ્‍લેખ કરતા, બેન્‍ચે ટિપ્‍પણી કરી કે અપીલકર્તા (ફિલ્‍મ નિર્માતા) નો શરૂઆતથી જ કોઈ દુર્ભાવનાપૂર્ણ ઈરાદો હતો તેવું સૂચવવા માટે કંઈ નથી. કોર્ટે સ્‍પષ્ટતા કરી, જો આ એવો કેસ હોત જ્‍યાં અપીલકર્તાએ પૈસા ઉછીના લીધા હોત અને ફિલ્‍મ બનાવવામાં સંપૂર્ણપણે નિષ્‍ફળ ગયા હોત, તો છેતરપિડી કરવાનો ઈરાદો અનુમાનિત થઈ શક્‍યો હોત. જો કે, આ કિસ્‍સામાં, એવો કોઈ આરોપ નથી કે ફિલ્‍મનું નિર્માણ થયું ન હતું; તેનાથી વિપરીત, ફિલ્‍મ ખરેખર બનાવવામાં આવી હતી અને પછી રિલીઝ કરવામાં આવી હતી.
70 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 05:13 AM
હત્યાનો કેસઃ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 5 લોકોની ધરપકડ

હત્યાનો કેસઃ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 5 લોકોની ધરપકડ

અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
15 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 04:50 AM
અમદાવાદ હત્યા કેસઃ 5 આરોપીઓની ધરપકડ અને સગીર સામે કાર્યવાહી

અમદાવાદ હત્યા કેસઃ 5 આરોપીઓની ધરપકડ અને સગીર સામે કાર્યવાહી

અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
15 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 03:54 AM
અમદાવાદ હત્યા કેસઃ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદ હત્યા કેસઃ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
51 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 02:57 AM
અમદાવાદ હત્યા કેસઃ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદ હત્યા કેસઃ 5 આરોપીઓની ધરપકડ

અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
54 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 02:33 AM
અમદાવાદ-રૂ. 2,48,12, 413ની મોટી છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

અમદાવાદ-રૂ. 2,48,12, 413ની મોટી છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ સામે નોંધાયેલી કરોડો રૂપિયાની ઠગાઈ અને ડોક્યુમેન્ટમાં ચેડાં કરવાની ફરિયાદ મામલે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ દ્વારા એફઆઈઆર રદ કરવાની માગણીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે પોલીસ તપાસમાં પણ હસ્તક્ષેપ કરવા અંગે ઈનકાર કરી દીધો છે. જેથી ગજેરા બંધુઓ સામેની તપાસ યથાવત રહેશે. સુરતમાં ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ પર ફરિયાદમાં 1900 રૂપિયાની આર્થિક ગેરરીતિ અને મનિ લોન્ડરિંગ સહિત ફરિયાદીના પરિવારની ખોટી સહી કરવાના ગંભીર આક્ષેપો થયા હતાં. ત્યાર બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે આરોપી અરજદારોએ આ ફરિયાદને દિવાની વિવાદ ગણાવી રદ કરવા કોર્ટમાં દલીલ કરી હતી. પરંતુ કોર્ટે તેમની આ દલીલ માન્ય રાખી નહોતી. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, જ્યારે હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ અરજદારોની વિરોધમાં હોય અને પ્રાથમિક રીતે ગુનો સાબિત થાય ત્યારે તપાસનો વિલંબ ગૌણ બને છે. આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આ ફરિયાદ માત્ર બદલો લેવા અને પૈસા પડાવવા માટે કરવામાં આવી છે. આરોપી અરજદારોનો મેહુલ ચોકસી સાથે કોઈ ગેરકાયદે સંબંધ સાબિત થતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ઠગાઈના પુરતા પુરાવા હોવાથી તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી. કોર્ટે તેમની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. જેથી હવે ગજેરા બંધુઓને તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડે એમ છે. આ પણ વાંચોઃ Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું અમદાવાદમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા મોટી છેતરપીંડીનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે.ન્યુ ક્લોથ માર્કેટ સાથે જોડાયેલા આ કેસમાં રૂ.2.48 કરોડની છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જે વેપારી સાથે ગેરરીતિ કરતા હતા.આરોપીઓએ વેપારી પાસેથી ઉધારીમાં કાપડ લીધો હતો અને 120 દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં વિશ્વાસમાં લઈને મોટા પ્રમાણમાં માલ લેવાયો હતો, પરંતુ સમયસર ચુકવણી કરવામાં આવી નહોતી. લાંબા સમય સુધી રકમ ન મળતા વેપારીએ અંતે EOWમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને મોબાઇલ CDR તથા અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચી. વિગતવાર તપાસ બાદ તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેથી આ છેતરપીંડીમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે.આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને વેપારીઓને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે.કોઠારી હોસ્પિટલ પાસે એક નિર્દોષ નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.એરપોર્ટ પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ CCTV ફૂટેજના આધારે બાળકને તરછોડનાર જનેતાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું અને તપાસનો ધમધમાટ તેજ કર્યો.આસપાસના CCTV ફૂટેજ તપાસતા પોલીસને એક શંકાસ્પદ મહિલા બાળકને મૂકીને જતી જોવા મળી હતી.આ ફૂટેજની કડી પોલીસને સીધી સિવિલ હોસ્પિટલ સુધી દોરી ગઈ હતી.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.બાળકને ત્યજી દેનાર મહિલાનું નામ દીપા સાધનાની છે, જેણે ગત 11 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલમાં જ આ બાળકને જન્મ આપ્યો હતો.17 માર્ચના રોજ તેને ડિસ્ચાર્જ મળ્યો અને તે જ રાત્રે તેણે પોતાના કાળજાના કટકાને રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો.દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને અગાઉના પતિથી બે બાળકો પણ છે. વર્ષ 2018માં દીપા તેના પડોશમાં રહેતા એક યુવકના પ્રેમમાં પડી હતી અને આ બાળક તે પ્રેમસંબંધનું હોવાનું ખુલ્યું છે. જોકે, દીપા પ્રેગ્નેન્ટ થયાના 5 મહિના બાદ તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. સમાજમાં બદનામી ન થાય અને પાપ છુપાવવા માટે આ માસૂમને રસ્તા પર મૂકી દીધું હતું. બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેની સારસંભાળ રાખવામાં આવી રહી છે હાલ બાળકને સામાન્ય કમળાની અસર જોવા મળતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.સિવિલ અધિક્ષકે આવી માતાઓને વિનંતી કરી છે કે બાળકને અવાવરૂ જગ્યાએ મૂકીને બાળકનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ જો કોઈને બાળક તરછોડવું જ હોય તો સિવિલ હોસ્પિટલમાં બાળકોને મૂકવા માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.આ પણ વાંચોઃ Bhavnagar : સિહોરમાં મિની વાવાઝોડાનો કહેર, ધૂળની ડમરીઓથી રસ્તા સુમસામ,અનેક મકાનોના પતરા ઉડ્યા રાજકોટમાં કારનું બોગસ દસ્તાવેજો બનાવી લોન લેવાનું કૌભાંડ ઝડપાયું છે. કારના બોગસ દસ્તાવેજો બનાવી લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ તેજ કરી છે. આરોપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો ખરીદતો હતો અને તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વાહનોની લે વેચ કરતો હતો. પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં કારના બોગસ દસ્તાવેજો બનાવીને લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આનંદ ઉર્ફે અમિત નવીન ખખ્ખર દ્વારા આ સમગ્ર કૌભાંડ ચલાવાતુ હતું. આરોપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો ખરીદતો હતો અને તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવી વાહનોની લે વેચ કરતો હતો. આ બાબતે પોલીસે આરોપીનું મોટુ નેટવર્ક પણ પકડી પાડ્યું છે. બીજાના નામે વાહનો ટ્રાન્સફર કરી બેંકમાંથી લોન લઈને નાણાં ઉપાડી લેતો હતો. પોલીસે 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી આનંદની ધરપકડ કરી છે. આ પણ વાંચોઃ Bhavnagar : સિહોરમાં મિની વાવાઝોડાનો કહેર, ધૂળની ડમરીઓથી રસ્તા સુમસામ,અનેક મકાનોના પતરા ઉડ્યા સમગ્ર દેશમાં ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને લૂંટી લેનારા સક્રિય થયા છે. ટ્રેનમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને લૂંટ ચલાવતો લૂંટારૂ રેલવે એલસીબીના હાથે ઝડપાયો છે. આરોપી મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની પુછુપરછ કરતાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અમદાવાદ રેલવે એલસીબી દ્વારા એક ખુંખાર લૂંટારૂને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ લૂંટારૂ મુસાફરો સાથે મિત્રતા કેળવતો હતો અને નશીલી ગોળીઓ આપતો હતો. ત્યાર બાદ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હતો. મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતા આ લૂંટારૂને પકડવા રેલવે પોલીસ સક્રિય થઈ હતી. આરોપીને રેલવે પોલીસે દિલ્હીથી પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બે લાખ રોકડા અને ત્રણ મોબાઈલ તેની પાસેથી જપ્ત કર્યા હતાં. આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા
59 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Mar 20, 2026, 02:17 AM
ભુજમાં ચોરીના અનેક કેસ નોંધાયા, શંકાસ્પદની ધરપકડ અને બોરવેલ વાયરની ચોરી

ભુજમાં ચોરીના અનેક કેસ નોંધાયા, શંકાસ્પદની ધરપકડ અને બોરવેલ વાયરની ચોરી

ભુજ,તા.તા.19 :ચોરીના ગુનામાં ઝડપાયેલી ઝીંકડીનીત્રિપુટી ઉપર એક પછી એક ચોરીના ગુના નોંધાઇ રહ્યા છે. તે વચ્ચે વધુ એક નાની રેલડીનીવાડીમાંના બોરવેલના વાયરની ચોરીનો ગુનો દાખલ થયો છે. આ અંગે પદ્ધર પોલીસ મથકે ગણેશભાઇચાડ (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દેખરેખ હેઠળની નાની રેલડીની વાડી ઉપરથી ગતતા.
39 shares
😐
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 12:28 AM
ગુજરાતઃ પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીની ધરપકડ કરી, કમોસમી વરસાદથી પાકને નુકસાન

ગુજરાતઃ પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીની ધરપકડ કરી, કમોસમી વરસાદથી પાકને નુકસાન

ધોળકા : કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખરાટી ગામની સીમમાંથી એસઓજીએ ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. વધુમાં મળતી માહિતી મુજબ, જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ કરતા તત્વોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેના અંતર્ગત જિલ્લા એસઓજીને બાતમી મળતા ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ખરાટી ગામ ખાતે તળાવડી પાસેથી બદરૂ અલ્લારખ (રહે. હાલ કલ્યાણગઢ ગામ, તા. બાવળા)ને એક દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડયો હતો. તેમજ ગેરકાયદે હથિયાર રાખવા અંગે કોઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો
2 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 12:26 AM
પોલીસે સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખાણકામની કામગીરીનો પર્દાફાશ કર્યો, કોલસો અને મશીનરી જપ્ત કરી

પોલીસે સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખાણકામની કામગીરીનો પર્દાફાશ કર્યો, કોલસો અને મશીનરી જપ્ત કરી

સાયલા તાલુકામાં બ્લેક્ટ્રેપ, કાર્બોસેલ, રેતી જેવા કિંમતી ખનીજના ભૂમાફ્યિાઓ દ્વારા કરાતા ગેરકાયદે ખનન સામે થોડા સમયથી તંત્ર આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ત્યારે સ્થાનિક પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે છેવાડાના ચોરવીરા ગામની સીમમાં કુવાઓ ગાળી તેમાંથી કાર્બોસેલ(કોલસો) ઉલેચવાના ચાલી રહેલા કારસ્તાન પર ઓચિંતો છાપો મારતાં મોટા પાયે થતું ખનીજનું ખોદકામ ઝડપાઇ જવા પામ્યું હતું. સાયલા પીઆઇ વાય. જી. ઉપાધ્યાય તથા સ્ટાફ્ દ્વારા કરાયેલ દરોડામાં ગેરકાયદે ખનન કરી રહેલા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી. તંત્ર દ્વારા સ્થળ પરથી ખોદકામ માટે લવાયેલા બે ટ્રેક્ટરો, એક લોડર, જનરેટર, 10 લોખંડના પાઇપ, 5 બકેટ તેમજ આશરે 180 મેટ્રિક ટન બહાર કાઢેલો કોલસો સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આ મામલે તમામ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને સોંપી ગેરકાયદે ખનન અને વહન કરવામાં સામેલ તત્વોની શોધખોળ હાથ ધરતા ખનીજ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન તંત્ર દ્વારા ખનીજ માફીયાઓ ને અંકુશમાં લેવા માટે સુદામડા સીમમાંથી બ્લેક્ટ્રેપની કરોડોની ખનીજ ચોરી ઝડપી લેવા સાથે ચોરવીરા તેમજ ઈશ્વરીયામાં ચાલતા કાર્બોસેલના ખોદકામ પર કરેલા દરોડામાં 8 કુવા ઝડપી લાખોનો મુદ્દામાલ જપ્ત કરતા ભૂમાફ્યિા આલમમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસ, ખનીજ વિભાગના અનેક દરોડા છતાં ખનીજ માફીયાઓ સુધરવાનું નામ લેતાના હોય તેમ છેલ્લા 1 સપ્તાહમાં ચોથા દરોડાથી માથું કાઢી ગયેલા તત્વોને પ્રશાસનનો લગીરે ડર ના રહ્યો હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી. આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના બનાસકાંઠાના ભાભરના રૂની ગામે પોલીસ એક્શનમાં આવી છે અને ચૌધરી અને રબારી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પોલીસ એકશન મોડમાં છે અને SP ચિંતન તરૈયાની આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી અને અનિચ્છનીય બનાવ રોકવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, વાંધાજનક પોસ્ટ ન કરવા એસપીએ સૂચના આપી છે અને શાંતિ અને ભાઈચારો જાળવવા કડક સૂચના આપવામાં આવી છે. ભાભર તાલુકાના રૂની ગામે જીલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા શાંતિ સલામતી માટે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં રૂની ગામના સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમજ સોશિયલ મીડિયા થકી કોઈ ખોટો પ્રચાર ના ફેલાય કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ વિરોધ વાંધાજનક પોસ્ટ ન કરવા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા સૂચના આપવામાં આવી છે. ઓગડના ઉણ ગામમાં થયેલ બબાલમાં પોલીસે કરી મોટી કાર્યવાહી અને પોલીસે ફરિયાદ નોંધી છે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલો કરનાર ટોળામાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે, પોલીસે કરી સ્થાનિક આગવેનો સાથે બેઠક અને સર્વે સમાજના આગેવાનો બેઠકમાં રહ્યા હાજર જેમાં શાંતિ જાળવવા પોલીસે કરી સ્થાનિકોને અપીલ અને હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માગ છે, ઉણ ગામમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. ઘટનાની જાણ થતા જિલ્લા ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી આવ્યો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના બે સેલ છોડયા હતા અને લાઠીચાર્જ કરીને બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તેમજ તાલુકા ભરની પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત માટે ઉણ ગામે ઉતારી દેવામાં આવ્યો છે. અચાનક ઊભી થયેલી સ્થિતિ બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને માટે પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે. આ પણ વાંચો : Amreli News : અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીને મોટુ નુકસાન, સુડાવડ ગામના ખેતરોમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી અમરેલીના લુધીયા ગામમાં 4 ઇંચ વરસાદ પડતા ખેતીના પાકને નુકસાન થયું છે અને સુડાવડના ખેતરોમાં નદીની જેમ પાણી વહ્યાં હતા, સમઢીયાળામાં કરા સાથે વરસાદથી નુકસાન થયું છે અને કમોસમી વરસાદથી ઘઉં અને ચણાના પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. બગસરા તેમજ સાપર સુડાવડ મોટા મુંજયાસર નાના મુંજયાસર તેમજ રફાળામાં પણ વરસાદ પડયો હતો, આમ બગસરા પંથકમાં પવન સાથે 2 ઈંચથી 4 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ઘઉં, ચણા, ધાણાના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર કુદરતનો માર પડયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદથી 5 લાખ હેકટરથી વધુ પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં ચણા, કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુક્સાનની ભીતિ છે તો ઉ.ગુજરાતમાં જીરુ, ઘઉં, વરિયાળીનો પાકમાં મહત્તમ નુકસાન આવ્યું છે, તલ અને રાયડાના પાકને નુકસાનીનો ડર છે અને મધ્ય ગુજરાતમાં ઘઉં, ચણાના પાકને નુકસાનીનો ડર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં બગસરામાં 1.61 ઇંચ, ચોટીલામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજકોટ શહેર અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ અને અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાની મોટી કામગીરી, વેપારી પાસેથી 2 કરોડ ઉપરના કાપડની ખરીદી કરી રૂપિયા પરત ના કરતા નોંધાયો ગુનો
24 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 12:25 AM
ધનધુકા-રણપુર રોડ પર જીવલેણ હિટ એન્ડ રન ઘટનામાં રણપુર પોલીસ આરોપી

ધનધુકા-રણપુર રોડ પર જીવલેણ હિટ એન્ડ રન ઘટનામાં રણપુર પોલીસ આરોપી

ધંધૂકા-રાણપુર માર્ગ પર તાજેતરમાં બનેલી ગંભીર હિટ એન્ડ રન ઘટનામાં રાણપુર પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફ્ળતા મેળવી છે.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ, થોડા દિવસ પહેલા ચંદુભાઈ અને વસંતબેન નામના બે લોકો પગપાળા દર્શન માટે જતા હતા ત્યારે એક બેદરકાર ટ્રક ડ્રાઈવરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ આરોપી ટ્રક સાથે સ્થળ પરથી ફ્રાર થઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાણપુર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીની ઓળખ કરવામાં સફ્ળતા મેળવી હતી. સતત પ્રયત્નો બાદ પોલીસે આરોપી ધર્મેન્દ્રસિંહ રાણા અને અકસ્માતમાં વપરાયેલ ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે. નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોર પછી ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા પીજીવીસીએલના પાવર સપ્લાય નેટર્વક અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવનના કારણે વીજ થાંભલા અને વાયર તૂટી જવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ૬૯૦ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વીજ કંપનીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તોફાની પવનના કારણે સૌથી વધુ જામનગર -દ્વારકા જિલ્લાના ૩૦૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વાવાઝોડાના કારણે હાલારમાં ૯૮ વીજ થાંભલા જમીનદોસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. રાજકોટ શહેરમાં પણ વાવાઝોડાએ વીજ કંપનીને ભારે ખાનાખરાબી સર્જી છે. શહેરમાં પંચવટી સોસાયટી, અમીન માર્ગ, કાલાલડ રોડ, કોઠારિયા સહિતના વિસ્તારોમાં ૨૦ જેટલા થાંભલા પડી ગયા છે. જ્યારે પાંચ જગ્યાએ વૃક્ષ માથે પડતા વાયર તૂટી જવાના કારણે અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પાવર ઠપ્પ થઈ ગયો હતો. સમગ્ર શહેરમાં કુલ ૫૩ ફિડર બંધ થતા વીજ ટીમો દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવા મોડી રાત સુધી યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે, સાધુ વાસવાણી રોડ, રેલનગર, માધાપર સહિતના વિસ્તારોમાં પાંચ-પાંચ કલાક સુધી પુરવઠો ચાલુ નહીં થતા શહેરીજનો અકળાયા હતા અને વીજ કચેરીમાં ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડાએ તાંડવ મચાવ્યો હતો. ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા,ધોરાજી સહિતના ગામડાઓમાં ભારે પવનના કારણે ૫૦થી વધુ વીજપોલ ધરાશાયી થતા ૧૧૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યારે મોરબી જિલ્લાને પણ વાવાઝોડાએ ધમરોળ્યું હોવાથી મોરબી પંથકમાં ભારે નુકશાનીના અહેવાલ મળી રહ્યા છે. મોરબી જિલ્લાના ૧૩૨ ગામડામાં અંધારપટ્ટ છવાયો હતો. જ્યારે કચ્છના ભુજમાં ૧૧૧ ગામડા, અંજારમાં ૨૫ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૮ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ પણ વાંચો : Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ
30 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 12:16 AM
અમદાવાદ-રાજકોટ હાઇવે પર પશુ આહારના વેશમાં દારૂ ઝડપાયો

અમદાવાદ-રાજકોટ હાઇવે પર પશુ આહારના વેશમાં દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર એલસીબી ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બલદાણા પાસેથી રાજસ્થાનથી રાજકોટ પશુ આહારની આડમાં લઈ જવાતા દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આયશર ચાલકને દારૂ, આયશર, પશુ આહારની થેલીઓ સહિત રૂપીયા 97,64,640ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમના પ્રવીણ કોલા, ભરતભાઈ સભાડ સહિતનાઓ લીંબડી-સાયલા હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે લીંબડીથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલ આયશર નીકળનાર હોવાની બાતમી મળતા વઢવાણ તાલુકાના બલદાણા પાસે વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ આયશર આવતા તેને રોકી તપાસ કરતા તેમાં પશુ આહારની થેલીઓ હતી. જયારે તેની આડમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે ચાલક રાજસ્થાનના અચલારામ આસુરામ જાટની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, તે દસેક દિવસ પહેલા ગામના ઠેકા પર દારૂ પીવા ગયો હતો. જયાં એક શખ્સ તેને મળ્યો હતો અને પોતાનું નામ બાબજી જણાવી ડ્રાઈવીંગ ફાવતુ હોય તો ગુજરાતમાં દારૂ લઈ જવાના એક ફેરાના 20 હજાર આપવાની વાત કરી હતી. જયારે 3 દિવસ પહેલા સાંચોર ખાતે તેનો માણસ દારૂ ભરેલ આયશર આપી ગયો હતો અને રાજકોટ લઈ જવાનું કહ્યુ હતુ. પોલીસે દારૂની વીવીધ બ્રાન્ડની 7781 બોટલ, બીયરના 92 ટીન, આયશર, મોબાઈલ, પશુ આહારની થેલીઓ સહિત રૂપીયા 97,64,640ના મુદ્દામાલ સાથે ચાલક અચલારામ જાટની ધરપકડ કરી છે. અને ચાલક ઉપરાંત દારૂ મોકલનાર બાબજી, આપી જનાર અજાણ્યો માણસ, ટ્રકના માલીક અને દારૂ મંગાવનાર સહિતનાઓ સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ જે.એમ. પટેલ ચલાવી રહ્યા છે. જયારે ધજાળા પોલીસને સાયલા તાલુકાના ગરાંભડી ગામનો અમીરાજ ભાભલુભાઈ કાઠી ગામની સીમમાં આવેલ તેની વાડીએ બીયર રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વાડીના શેઢે બાવળની કાંટમાંથી બીયરના 6 ટીન કિંમત રૂપીયા 1320ના જપ્ત કર્યા હતા. આરોપી સામે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ ડી.જે.ડોડીયા ચલાવી રહ્યા છે. વાવાઝોડાની સ્થિતિ લઇ પરિક્રમા બંધ કરાઇ હતી અને રેંગણ ઘાટમાં બોટ સેવા પણ બંધ કરાઇ હતી, પરંતુ હાલ વાતાવરણ સામાન્ય થતા પરિક્રમા ફરી શરૂ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, પરિક્રમાર્થીઓ માટે વ્યવસ્થા પણ કરાઈ છે. આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તા. ૧૯/૦૩/૨૦૨૬ થી તા.૧૮/૦૪/૨૦૨૬ સુધી યોજાનાર છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ આયોજન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા yatradhamportal.gujarat.gov.in" વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટમાં એક સાથે એક વ્યક્તિ અન્ય ૬ નામોનું રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન એક પરિક્રમાર્થી અલગ અલગ ૭ સ્લોટમાં મહત્તમ ૪૯ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકશે. આ રજીસ્ટ્રેશન માટે કોઇપણ ફ્રી ચુકવવાની રહેતી નથી. રજીસ્ટ્રેશન કરનાર મુખ્ય પરિક્રમાર્થીના મોબાઈલમાં ટેકસ્ટ અને ઈ-મેઈલથી રજીસ્ટ્રેશન કર્યા અંગેનો QR કોડ આવશે. જેની પ્રિન્ટ તેઓએ સાથે લઈને આવવાની રહેશે. જે રજીસ્ટ્રેશન QR Code પરિક્રમા શરૂ થતા પહેલાં Scan કરવામાં આવશે. જે પણ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેમને પરિક્રમા અંગે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતી મહત્વની માહિતી ટેકસ્ટ મેસેજ કે ઈ-મેઈલ દ્વારા મેળવી શકાશે તેથી આ વર્ષે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અવશ્ય રજીસ્ટ્રેશન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને અનુસરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના સંરક્ષણ સાથે આધુનિક સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીનાં સંવેદનશીલ નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર નર્મદા પંચકોશી પરિક્રમા માટે એવી વ્યવસ્થાઓ ઉભી કરી રહી છે કે જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા; ત્રણેયનો સુમેળ જોવા મળશે. નર્મદા પરિક્રમાર્થીઓની ‘દુર્ગમ’ યાત્રાને ‘સુગમ’ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય; તે માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે મોટા પાયે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025–26માં નર્મદા પરિક્રમા માટે લગભગ રૂ. 5.41 કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. તેમાં વધારાના ડોમ શેલ્ટર, મોબાઈલ-ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, 24×7 એમ્બ્યુલન્સ, લાઇટિંગ તથા ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ, વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં યાત્રાળુઓ માટે ખાટલા, ગાદલા, ઓસીકા, ખુરશીઓ અને બેડશીટ સાથેની બેઠક અને વિશ્રામની વ્યવસ્થા રહેશે. આ સાથે; સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેથી યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે. પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સુગમતા માટે સેવા કેન્દ્રો અને દુકાનો ઉભી કરવામાં આવી રહી છે. યાત્રાધામ બોર્ડ દ્વારા પરિક્રમા વિસ્તારને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ હંગામી શૌચાલય, મોબાઇલ ટૉયલેટ વાન અને સ્નાન સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સતત પાણી પુરવઠો, ડ્રેનેજ અને કચરાના નિકાલ માટે સુવ્યવસ્થિત સવલતો ઉભી કરવામાં આવી છે. એક મહીનાની પરિક્રમા દરમિયાન હાઉસકીપિંગ ટીમો અનેક શિફ્ટોમાં કાર્યરત રહેશે કે જેથી પરિક્રમા વિસ્તાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે. લાખો શ્રદ્ધાળુઓના આગમનની શક્યતાને જોતા સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત બનાવવામાં આવી છે. પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરવામાં આવશે. તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક શિફ્ટોમાં ફરજ બજાવશે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની બેરિકેડિંગ વ્યવસ્થા તથા ઇન્ફ્રારેડ (આઈઆર) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવર-જવર પર આધુનિક ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવશે. પરિક્રમા માર્ગ અને તમામ ઘાટોને પ્રકાશિત કરવા માટે વ્યાપક લાઇટિંગ વ્યવસ્થા કરાઈ રહી છે. સમગ્ર 18 કિલોમીટરના માર્ગ પર એલઈડી અને ફ્લડ લાઇટ લગાવવામાં આવશે કે જેથી રાત્રિના સમયે પણ યાત્રાળુઓને સલામત અને સ્પષ્ટ માર્ગ મળી રહે. જાહેર ઉદ્ઘોષણાઓ માટે સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રહેશે. ટેક્નિકલ ઓપરેટરો દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવશે. રાજ્ય સરકારના સહકારથી યાત્રાધામ બોર્ડ હવે નર્મદા પરિક્રમાર્થીઓ માટે ધીમે-ધીમે કાયમી સુવિધાઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે કે જે હવે પરિક્રમાર્થીઓ માટે કાયમી રાહતનો આધાર બનવાના છે. તેમાં (1) શ્રી મઢી દેવસ્થાન ખાતે લગભગ રૂ. 99.68 લાખના ખર્ચે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીનો ટાંકો, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક (2) શ્રી સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રૂ. 226.93 લાખના કામો હેઠળ રિટેનિંગ વોલ, પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, યાત્રી નિવાસનું નવીનીકરણ, શેડ, ઇલેક્ટ્રિફિકેશન, બોરવેલ, સોલાર લાઇટ તથા ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ તેમજ (3) શ્રી બલબલા કુંડ ખાતે લગભગ રૂ. 149.87 લાખના ખર્ચે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં વિવાદાસ્પદ બ્રિજના ડિમોલિશનનું કામ અંતિમ તબક્કામાં, 19 માર્ચથી 4 એપ્રિલ સુધી આ રોડ રહેશે બંધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્મિત વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાને કારણે હવે ડિમોલિશનના અંતિમ તબક્કામાં છે. બ્રિજની કામગીરી નિર્ભયપણે પૂર્ણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે DYMC (રોડ અને બિજ પ્રોજેક્ટ) દ્વારા ૧૯ માર્ચથી ૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી નવું ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કરવાનો રહેશે. નોંધનીય છે કે, AMCના ઇતિહાસમાં ભષ્ટાચારના આક્ષેપો વચ્ચે બ્રિજ બન્યાના માત્ર ૫ વર્ષમાં જ તેને તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. વાહનચાલકોને અગવડતા ટાળવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. 01-ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા: વાહનચાલકોએ મુખ્ય સ્પાનના બદલે કે.સી. ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવાનું રહેશે. 02-સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ: મુખ્ય સ્પાન પાસેના અગાઉ તોડી પાડેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પણ વાંચો : Surendranagar News : લીંબડી તાલુકામાં સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી બનશે અત્યાધુનિક સી.સી. રોડ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી. આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના
46 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:58 PM
મોબાઇલ ફોનની ચોરી અને વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

મોબાઇલ ફોનની ચોરી અને વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

મંદિર, મેળા, ફલાવર શો, કાંકરિયા કાર્નિવલ તેમજ ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમની ભીડમાં ઘૂસીને મોબાઈલની ચોરી કરીને વેચી દેતી આંતર રાજ્ય ટોળકીના મહિલા સહિત 4 સભ્ય પકડાયા છે. તેમની પાસેથી ચોરેલા 105 મોબાઈલ (કિં. 12.89 લાખ) મળ્યા હતા. મુખ્ય સૂત્રધારે ચોરીના મોબાઈલ ખરીદતો અને વેચતો રણજીતસિંગ તોમરને સાગરિતો સાથે ક્રાઈમ બ્રાંચે ઝુંડાલ રીંગ રોડ પરથી પકડ્યા હતા. જ્યારે રણજીતસિંગ સાથે પકડાયેલા તેના સાગરીતોમાં મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણીનો સમાવેશ થાય છે. સિંગરવાનો મેળો, ગાંધીનગર પાલજ ગામમાં હોળીનો મેળો, દ્વારકા, રાજસ્થાનના મંદિરોમાંથી ફોન ચોર્યા હતા. રણજીતસિંગ ફોન OLX અને UPમાં વેચતો હતોમુખ્ય સૂત્રધાર રણજીતસિંગ છે. તે અગાઉ મોબાઈલ રિપેરિંગ કરતો. જેમાંથી સ્પેર પાર્ટસ કાઢીને તે વેપારીઓને વેચતો હતો. જ્યારે ચોરી કરેલા મોબાઈલ ફોનમાંથી તેણે 40 ઓએલએકસ ઉપર, જ્યારે ઉત્તરપ્રદેશ મેરઠના આશુસિંગને 60 ફોન, સરખેજના રાજભાઈને 40 ફોનના સ્પેર પાર્ટસ, જ્યારે 70 ફોન અમદાવાદના જુદા જુદા લોકોને વેચ્યા હતા.
42 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:56 PM
રાજકોટ એલસીબીએ બે દરોડામાં ₹1 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

રાજકોટ એલસીબીએ બે દરોડામાં ₹1 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

રાજકોટ શહેરમાં એલસીબી ઝોન-1 દ્વારા વિદેશી દારૂના જથ્થા સામે ડબલ કાર્યવાહી કરાઇ છે. બેડી ગામની સીમમાં આવેલી મેળાધાર વાડી અને કુચિયાદળના દ્વારકેશ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં દરોડા પાડી કુલ રૂ.13.82 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રથમ બનાવમાં, બેડી નજીક વાછકપર વિસ્તારમાં રહેતા દિવ્યેશ નારણભાઈ ચંદરોલાની વાડીમાં ઓરડી અને ઘાસ નીચે છુપાવેલી 3,120 બોટલ વિદેશી દારૂનો રૂ.9.36 લાખનો જથ્થો ઝડપાયો હતો. એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડી દિવ્યેશને સ્થળ પરથી ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે આ દારૂ મોટામવા પાસે રહેતા તેના મિત્ર શક્તિસિંહ પરમાર મૂકી ગયો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે મોબાઇલ સહિત કુલ રૂ.9.39 લાખનો મુદ્દામાલ કબજે કરી શક્તિસિંહને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બીજા બનાવમાં, કુચિયાદળના દ્વારકેશ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બૂટલેગર ફિરોઝ હાસમ મેણુના ગોડાઉન અને ક્રેટા કારમાંથી 1,488 બોટલનો રૂ.4.46 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર, બાઈક સહિત કુલ રૂ.14.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન ફિરોઝ મેણુ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે.
9 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:55 PM
વિરેન્દ્રસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો

વિરેન્દ્રસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો

સતલાસણા તાલુકાના વાવ ખાતે વેપારીને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોતે ભાજપનો પ્રમુખ હોવાનો દાવો કરી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. આ મામલે સતલાસણા પોલીસે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સતલાસણાની વાવ ચોકડી પર જય અંબે શક્તિ પાર્લર ચલાવતા કાનજીભાઈ રણછોડભાઇ સેનમાના ભાણા કિરણકુમારના ગત 7 ફેબ્રુઆરીએ કેશરપુરામાં લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં ગામના નરેશજી દશરથજી ઠાકોરે વીડિયો ઉતાર્યો હતો. બાદમાં 8 ફેબ્રુઆરીએ કેશરપુરા ગામ નામના સોશિયલ ગ્રુપમાં મેસેજ કરાયો. જેમાં વેપારીના સમાજના લોકોને સામાજિક બહિષ્કાર કરવાની વાત લખાઈ હતી. આ મેસેજ અને બાદમાં થયેલા ફોનથી વ્યથિત થઈ કાનજીભાઈએ સતલાસણા પોલીસ સ્ટેશનમાં નરેશજી ઠાકોર વિરુદ્ધ અરજી આ પી હતી. આ વાતની અદાવત રાખી ગત 11 માર્ચે તેઓ દુકાને હાજર હતા, ત્યારે સરતનપુર (ગઢ) ગામના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચૌહાણ ત્યાં ગયા હતા. તેમણે અરજી પાછી ખેંચવા દબાણ કર્યું હતું. ના પાડતાં ઉશ્કેરાઈ અપશબ્દો બોલી હું ભાજપનો પ્રમુખ‎છું, તારો ધંધો બગાડી નાખીશ અને‎ખોટા કેસમાં ફસાવી દઈશ, પત્તો નહીં‎લાગે કહી જાનથી મારી નાખવાની‎ધમકી આપી હતી. જે મામલે‎વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.‎
34 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:49 PM
લીન્ચ ગામમાં લૂંટઃ બે માણસો વેપારીના ગળામાંથી સોનાની સાંકળો ચોરી કરે છે

લીન્ચ ગામમાં લૂંટઃ બે માણસો વેપારીના ગળામાંથી સોનાની સાંકળો ચોરી કરે છે

મહેસાણા તાલુકાના લીંચ ગામે ધોળેદહાડે લૂંટની ઘટના બની છે. બસ સ્ટેન્ડ પાસે પાર્લર ચલાવતા વેપારી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢવા નીચે નમતાં બે ગઠિયા તેમના ગળામાંથી રૂ.3.90 લાખની કિંમતની 6 તોલા સોનાની બે ચેઈન તોડી ભાગી ગયા હતા. આ મામલે લાંઘણજ પોલીસે ફરિયાદ નો લીંચ ગામે તોતર માતાના મંદિર પાસે રહેતા અને બસ સ્ટેન્ડ પાસે શિવ પાર્લર ચલાવતા ભરતજી રામસંગજી ઠાકોર મંગળવારે સાંજે દુકાને હાજર હતા. ત્યારે એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા, જેમાં ચાલકે કાળા રંગનું ટી-શર્ટ અને હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેઠેલા શખ્સે સફેદ શર્ટ પહેર્યો હતો . આ શખ્સોએ વેપારી પાસે આઈસ્ક્રીમની માંગણી કરી હતી. વેપારી જેવો આઈસ્ક્રીમ આપવા માટે દુકાનની બહાર રહેલા ફ્રીઝને ખોલવા નીચે નમ્યા કે તુરંત તકનો લાભ લઈ સફેદ શર્ટ પહેરેલા શખ્સે વેપારીના ગળામાં પહેરેલી બે સોનાની ચેઈન ખેંચી લીધી હતી. વેપારી કંઇ સમજે તે પહેલાં લુટારુઓ ગણતરીની સેકન્ડોમાં જ બાઈક પર બેસીને નાસી છૂટ્યા હતા. વેપારીએ રૂ.3,90,500ની કિંમતની 6 તોલા સોનાની બે ચેઇનની લૂંટ મામલે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
17 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:46 PM
ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ખાતે કાર ભાડા છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ ખાતે કાર ભાડા છેતરપિંડી કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

રાજકોટમાં સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે લઈ તેને પોતાની માલિકીની બતાવી સસ્તા ભાવે વેચી નાખતો સમીર ઉર્ફે ભાણો રહીમભાઈ જામ સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. આરોપીને પાસા હેઠળ અટકાયતમાં લઈ જામનગર જેલમાં ખસેડાયો છે. પોલીસ મુજબ, સમીર કાર રેન્ટલ કંપનીઓ તેમજ વ્યક્તિઓ પાસેથી વિશ્વાસમાં લઈ કાર લેતો અને પછી દસ્તાવેજી વિશ્વાસ ઊભો કરી તે કાર અન્ય લોકોને વેચી નાખતો. આ રીતે મૂળ માલિકોને મોટું આર્થિક નુકસાન પહોંચાડતું ગોરખધંધા ચલાવતો હતો.આરોપી સામે અગાઉ પણ છેતરપિંડી, હુમલો અને NDPS સહિતના ગુનાઓ નોંધાયેલા છે. યુનિવર્સિટી પોલીસ મથક સહિત રાજકોટ અને અમદાવાદમાં કુલ 8 ગુનાઓ નોંધાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આવા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે આગળ પણ સખત કાર્યવાહી ચાલુ રહેશે.
26 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:46 PM
મંદિરની દૂષિત ઘટનાઃ પોલીસે અનેક વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો

મંદિરની દૂષિત ઘટનાઃ પોલીસે અનેક વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો

કલંકિત ઘટના કેસમાં પોલીસે ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી અને સ્થળ પર પંચનામું કર્યું હતું. અંબાજી મંદિરના ભંડારાના રસોઈ ઘરમાં દારૂનું સેવન અને નોનવેજ બનાવી તેની મહેફિલ કરવા સબબ તેમજ ધાર્મિક લાગણી દુભાવવા બદલ અભિષેક કિશોરસિંહ ચૌહાણ ઉર્ફ મંદિરની દાન પેટીની આવક સાથે ચેડા કરવા બદલ યોગેશ ગીરી, દુષ્યંતગીરી અપારનાથી, દેવગીરી, કુંદનગીરી અરજનગીરી અપારનાથી, ભરતનાથ રાજનાથ સામે મંદિરના વહીવટદારની ફરિયાદના આધારે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ભવનાથ પોલીસ મથકના પીઆઇ પી. સી. સરવૈયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, 3 ટીમ દ્વારા વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તબક્કે સ્થળ પર પંચનામું કરી પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ઘટના અંગે રજૂ કરાયેલા વાયરલ વીડિયોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતની મદદ લઈ ચકાસણી શરૂ કરવામાં આવી છે.
43 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:43 PM
વલસાડમાં ગ્રામીણ પોલીસે ₹2.50 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

વલસાડમાં ગ્રામીણ પોલીસે ₹2.50 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

વલસાડના હાઇવે પરથી રૂરલ પોલીસની ટીમે એક ઇનોવા કારમાં રૂ.2.50 લાખના વિદેશી બનાવટના દારૂનો જથ્થો પકડી પાડી 1 મહિલાની ધરપકડ કરી છે.દમણની મહિલા પાસે એક મીડિયા કાર્ડ પણ કબજે કરાયો છે. વલસાડ રૂરલ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હાઇવ પર વોચ ગોઠવતાં એક ઇનોવા કારને રોકતા પહેલા જ 2 ઇસમો ચાલૂ કારે નિકળીને ફરાર થઇ ગયા હતા. પોલીસે કાર પાસે પહોંચી ઝડતી લેતાં કારમાંથી 816 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે કાર અને દારૂ સહિત કુલ રૂ.7 લાખનો મુદ્દામાલ કબજે કરી દમણની ખુશી નામની મહિલાની અટક કરી હતી.
51 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:35 PM
જુનાગઢમાં પોલીસે દારૂની દાણચોરીની કાર્યવાહીનો પર્દાફાશ કર્યો

જુનાગઢમાં પોલીસે દારૂની દાણચોરીની કાર્યવાહીનો પર્દાફાશ કર્યો

જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પ્રોહી ડ્રાઇવ સબબ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જોશીપરા પાસે નારાયણ ચોક ખાતે સામેથી આવી રહેલ જીજે સીઇ 6982 નંબરના મોપેડ ચાલકને રોકવામાં આવ્યો હતો. પોલીસને જોઈ ચાલક ગભરાઈ ગયો હતો અને સંતોષકારક જવાબ આપી પોલીસે મોપેડની ડેકીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનું 1 ચપટું 2 મળી આવ્યું હતું. એટલું જ નહીં, શખ્સના પેન્ટના નેફામાંથી પણ દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 25,000નું મોપર, રૂ. 600નો વિદેશી દારૂ અને બે મોબાઈલ મળી કુલ 31,100નો મુદ્દામાલ જપ્ત કરી શાક માર્કેટ પાસે રહેતો 25 વર્ષીય અકરમ પઠાણની અટક કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તેને તેના બનેવી સમીર હનીફભાઈ બ્લોચે પૂરો પાડ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ફરાર સમીર બ્લોચને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
48 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:34 PM
સગીરને અશ્લીલ સામગ્રી બતાવવાનો પ્રયાસ કરવા બદલ મ્યુનિસિપલ કર્મચારીને 2 વર્ષની જેલની સજા

સગીરને અશ્લીલ સામગ્રી બતાવવાનો પ્રયાસ કરવા બદલ મ્યુનિસિપલ કર્મચારીને 2 વર્ષની જેલની સજા

વલસાડ નગરપાલિકાના એક 59 વર્ષના આધેડ કર્મચારીએ એક સગીરાને ઘરમાં બોલાવી મોબાઇલ પર બિભત્સ ફોટો બતાવી આપણે એવું કરવાનું છે તે કહેતાં સગીરા ગભરાઇને ભાગી છુટી હતી. આ કેસની ફરિયાદ થતાં વલસાડ ડિસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીને 2 વર્ષની કેદની સજા ફટકારી છે. વલસાડમાં પાલિકાના કર્મચારી નગીન મગનભાઇ પટેલ કુકણાં 1996થી સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હતો તેને મોઢાનું કેન્સર પણ થયું હતું. દરમિયાન 1 ફેબ્રુઆરી 2025ના રોજ તે પોતાના ઘરમાં હતો ત્યારે એક સગીરાને બોલાવી હતી. આ સગીરા તેને દાદા કહેતી હતી તેણીને આરોપી કર્મીએ તેના મોબાઇલમાં બિભત્સ ફોટો અને વીડિયો જોઇ રહ્યો તો તે વીડિયો અને ફોટો બતાવી આપણે આવું કરવાનું છે કહેતા સગીરા ગભરાઇને ત્યાંથી ભાગી ગઇ હતી. બાદમાં તેણીની માતાને આ વાત ખબર પડતાં વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદનોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ કાર્યવાહી કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસની સુનાવણી થતાં અંતિમ હિયરિંગમાં એજીપી ભરતભાઇ પ્રજાપતિ અને એન. ડી. પ્રજાપતિની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ નિપા સી.રાવલે આરોપી નગીન પટેલને 2 વર્ષની સજા અને રૂ.20 હજારનો દંડ હુકમ કરી સજા ફટકારી હતી.
66 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:33 PM
રાજકોટનો હાઇબ્રિડ ગાંજો રોગચાળોઃ પોલીસે આંતર-રાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો

રાજકોટનો હાઇબ્રિડ ગાંજો રોગચાળોઃ પોલીસે આંતર-રાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો

રાજકોટ શહેરમાં ‘હાઈબ્રિડ ગાંજા’નો ખતરનાક ટ્રેન્ડ હવે પોલીસ માટે મોટી ચિંતા બન્યો છે. માત્ર 24 કલાકના ગાળામાં જ બીજી મોટી કાર્યવાહી થતાં નશાની જાળ અંગે ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. એસઓજી ટીમે શરૂઆતમાં 69.380 ગ્રામ ગાંજા સાથે ધ્રુવ સંજય જોશીને ઝડ તપાસમાં ખુલ્યું છે કે, આરોપી મુંબઈથી હાઈબ્રિડ ગાંજો મગાવી રાજકોટમાં સપ્લાય કરતો હતો. અત્યાર સુધીમાં 130 ગ્રામ જેટલો જથ્થો વેચાઈ ગયો હોવાની માહિતી મળતાં શહેરના કેટલાક નશાખોરો અને પેડલરો પોલીસના નિશાન પર આવ્યા છે. પોલીસે હવે આ કેસને માત્ર સ્થાનિક નહીં, પરંતુ આંતરરાજ્ય નેટવર્ક તરીકે લઈ તપાસ તેજ બનાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડ્રગ્સ રેકેટની કડીઓ મુંબઈ અને દિલ્લી સુધી ફેલાયેલી હોવાની શક્યતા છે. છેલ્લા ચારથી પાંચ મહિનાથી સક્રિય રહેલો આરોપી શહેરમાં હાઈબ્રિડ ગાંજાનો સર્કિટ ઊભો કરી રહ્યો હતો. ભાડાનું મકાન ખાસ જથ્થો છુપાવવા માટે ઉપયોગમાં લેવાતું હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. હાલ પોલીસે સપ્લાય ચેઇનમાં જોડાયેલા અન્ય શખ્સને ઝડપી પાડવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. રાજકોટમાં ‘હાઈબ્રિડ ગાંજા’ના વધતા પ્રવાહને અટકાવવા માટે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
19 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:31 PM
જી. એસ. ટી. કૌભાંડઃ જામનગરમાં પૂર્વ કર્મચારી પર ખોટા બિઝનેસ રેકોર્ડ બનાવવાનો આરોપ

જી. એસ. ટી. કૌભાંડઃ જામનગરમાં પૂર્વ કર્મચારી પર ખોટા બિઝનેસ રેકોર્ડ બનાવવાનો આરોપ

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા (ઉ.વ.27) નામના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર કરી નાખવા અંગે અને પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવા અંગે પોતાના જ મહેતાજી સહ યુવાન હિરેન હીરપરાએ 2021ની સાલમાં ઓનલાઈન કિચનવેર વેચવા માટે ઈ કોમર્સ યુનિક એન્ટરપ્રાઇઝ નામની પેઢી તૈયાર કરી હતી, અને તેનો જીએસટી નંબર પણ મેળવ્યો હતો. અને ઝીરો રિટર્ન ભર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે કોઈ કામ ધંધો કરતા ન હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા હિરેન હિરપરા ને 37,86,000ના બાકી બિલની નોટિસ પાઠવી હતી. જેથી હિરેનભાઈ ચોંકી ઉઠ્યા હતા, અને તેણે સમગ્ર મામલાની તપાસ કરવા માટે પોલીસમાં અરજી કરી હતી. અરજીના અનુસંધાને પોતાની પેઢીમાં અગાઉ માત્ર છ મહિના માટે કામે જોડાયેલા મહેતાજી જયસુખ જમનભાઈ વોરાનુ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. જયસુખની ઉલટ તપાસ કરવામાં આવતા તેણે જામનગરના અમિતસિંઘ માનને જીએસટી નંબર આપ્યા હતા, અને તેણે જય ગુજરાત ગુડ કેરિયર નામની પેઢી માં જીએસટી નંબરનો ઉપયોગ કરી નાણાકીય વ્યવહાર કર્યા હતા. જેણે 20,30,600નો ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા આખરે આ મામલામાં પેનલ્ટી સહિત 37,86,000ના બાકી બિલ ની નોટિસ પાઠવી હોવાથી આખરે મામલો સામે આવ્યો હતો, અને પોલીસે મહેતાજી જયસુખ વોરા તેમજ અમિતસિંઘ માન અને જય ગુજરાત ગુડ કેરિયર ના સંચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં અમિતસિંઘ માન નું મૃત્યુ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.
92 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:21 PM
ભારતીય પોલીસે ટ્રેન લૂંટ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી

ભારતીય પોલીસે ટ્રેન લૂંટ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી

અમદાવાદ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેનમાં મુસાફરોને નશીલી દવા ખવડાવી કે કેફી પીણું પીવડાવી લૂંટતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી મુસાફરી દરમિયાન પેસેન્જરો સાથે મિત્રતા કેળવી, ખાણીપીણી પીઆઈ જે. આર. દેસાઈની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. આરોપી સતત લોકેશન બદલતો રહેતો હતો. પરંતુ ચોક્કસ બાતમી મળતા પોલીસની એક ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હીના ગોવિંદ મહોલ્લા, હૈદરપુર વિસ્તારમાંથી બિહારના રહેવાસી આરોપી અમિતકુમાર સુખદેવ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીના 3 મોબાઈલ, સીમ કાર્ડ અને રોકડ 2 લાખ રૂપિયા મળી આવ્યો છે. એટીએમની ચોરી કર્યા બાદ પૈસા ઉપાડતો : આરોપી મોબાઈલ અને એટીએમ કાર્ડ ચોરી લેતો અને સિમકાર્ડ ચાલુ હોવાથી તે એટીએમ મશીન પર જઈ ‘ફોરગેટ કે ચેન્જ પીન’ના ઓપ્શનની મદદથી ઓટીપી મેળવી નવો પિન બનાવીને રૂપિયા ઉપાડતો હતો. લાંબા અંતરની ટ્રેનોમાં ગેંગ ચોરી કરતી હતીઆ ગેંગ અમદાવાદથી લાંબા અંતરની ટ્રેનોને નિશાન બનાવતી હતી હતી. જેમાં અમદાવાદથી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોને વધુ નિશાન બનાવાયા હતા. આ ઉપરાંત અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં પેસેન્જરોને બેફાન કરીને લૂંટ કરતી હતી.
63 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:12 PM
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ડ્રગ્સની હેરફેરમાં વધારો, બેની ધરપકડ

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ડ્રગ્સની હેરફેરમાં વધારો, બેની ધરપકડ

કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સાબરમતી સાઇડની સીડી પાસે બિહારના અંકિતકુમાર મંટુ ગોસ્વામી (19) અને એક કિશોરને પોલીસે 6 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને શંકા જતાં સ્થળ પર એફએસએલની ટીમ બોલાવાઈ હતી. પ્રાથમિક પરીક્ષણમાં આ માદક પદાર્થ ‘ રેલવે સ્ટેશનેથી 6 માસમાં 50 કિલો ગાંજો મળ્યોઅમદાવાદ રેલવે સ્ટેશન કેટલાક સમયથી નશાના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યું છે. 6 મહિનાના આંકડા મુજબ રેલવે પોલીસ અને એસઓજીએ 8થી 10 કેસ નોંધ્યા છે. જેમાં 50 કિલોથી વધુ ગાંજો અને અન્ય કેફી દ્રવ્યો જપ્ત કરાયા છે. પોલીસની માહિતી મુજબ આ તમામ કિસ્સામાં 70 ટકા નશાનો જથ્થો ઓરિસ્સા (પુરી), પશ્ચિમ બંગાળ અને બિહારથી આવતી લાંબા અંતરની ટ્રેનો મારફતે અમદાવાદ લાવવામાં આવે છે. આ સમય દરમિયાન 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
33 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:39 PM
J & K પોલીસે શ્રીનગરથી કાર્યરત આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેમ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો

J & K પોલીસે શ્રીનગરથી કાર્યરત આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેમ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર પોલીસના સાયબર ઇન્વેસ્ટિગેશન યુનિટ (CIK-CID) એ એક એવી ઓપરેશન સફળતા મેળવી છે જેણે સાયબર ગુનેગારોની ઊંઘ ઉડાવી દીધી છે. શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં એક ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પાડીને પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર સ્કેમ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ કાશ્મીરમાં બેસીને સાત સમંદર પાર અમેરિકા, યુકે અને કેનેડાના નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયા પડાવતી હતી.કેવી રીતે ચાલતી હતી આ 'ડિજિટલ ઠગાઈ'?આરોપીઓ અત્યંત આધુનિક 'વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ' (VoIP) સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. આ ટેકનોલોજીની મદદથી તેઓ આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબર જનરેટ કરતા, જેથી પીડિતોને લાગે કે કોલ તેમના પોતાના દેશમાંથી જ આવી રહ્યો છે. તેઓ નકલી વેબસાઈટ્સ અને સર્ચ એન્જિન પર જાહેરાતો આપીને લોકોને લલચાવતા. એકવાર પીડિત તેમના ટોલ-ફ્રી નંબર પર કોલ કરે, એટલે ગેંગના સભ્યો 'ટેકનિકલ સપોર્ટ' ના નામે તેમની પર્સનલ અને બેંકિંગ વિગતો ચોરી લેતા હતા.ક્રિપ્ટોકરન્સી દ્વારા નાણાંનું લોન્ડરિંગતપાસમાં બહાર આવ્યું છે કે આ રેકેટમાં કોઈ રોકડ વ્યવહાર થતો નહોતો. પીડિતો પાસેથી પડાવેલા નાણાં પહેલા ડિજિટલ વોલેટ્સમાં આવતા અને ત્યારબાદ તેને USDT જેવી ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી દેવામાં આવતા. આ રીતે ગુનેગારો પૈસાના મૂળ સ્ત્રોતને છુપાવવા માટે અનેક સ્તરો (Layering) બનાવતા હતા. પોલીસે અત્યાર સુધીમાં ૧૩ મોબાઈલ ફોન, ૯ લેપટોપ અને અનેક નેટવર્કિંગ ઉપકરણો જપ્ત કર્યા છે, જેનું ફોરેન્સિક વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે.નાના શહેરો હવે સાયબર ગુનાના હબ?પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ ઓપરેશન સાયબર સુરક્ષાની દ્રષ્ટિએ મોટી સફળતા છે. ગુનેગારો હવે પકડાઈ જવાની બીકે મેટ્રો શહેરોને બદલે શ્રીનગર જેવા નાના કેન્દ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. ધરપકડ કરાયેલા સાતેય આરોપીઓ સામે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને IT એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્કના તાર દેશના અન્ય ભાગો અને વિદેશમાં પણ જોડાયેલા હોઈ શકે છે.
81 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:12 PM
બનાસકાંઠા પોલીસે ઓગદના ઉચ ગામમાં બનેલી ઘટનાની તપાસ ઝડપી બનાવી

બનાસકાંઠા પોલીસે ઓગદના ઉચ ગામમાં બનેલી ઘટનાની તપાસ ઝડપી બનાવી

બનાસકાંઠાના ઓગડના ઉણ ગામે થયેલી બબાલના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. FSLની ટીમને સાથે રાખી ઘટનાસ્થળે પંચનામું કરવામાં આવ્યું છે, જ્યાં હુમલામાં વપરાયેલા લાકડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે વીડિયો અને ફોટોગ્રાફી દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. પોલીસ ટોળાને ઉશ્કેરનાર અને સભાનું આયોજન કરનાર વ્યક્તિઓની તપાસ કરી રહી છે અને સમગ્ર મામલે નામજોગ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
1 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:01 PM
રાષ્ટ્રીય મહિલા આયોગે અશ્લીલ ગીત મામલે રેપર બાદશાહ સામે કાર્યવાહી કરી

રાષ્ટ્રીય મહિલા આયોગે અશ્લીલ ગીત મામલે રેપર બાદશાહ સામે કાર્યવાહી કરી

મુંબઈ:બોલિવૂડના જાણીતા રેપર બાદશાહ માટેમુશ્કેલીઓનાવાદળો ઘેરાયા છે. તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત"તતીરી" (Tettiri)માં હદ બહારની અશ્લીલતા અને વાંધાજનક શબ્દોનો પ્રયોગ કરવા બદલ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ કડક વલણ અપનાવ્યું છે. આયોગે માત્ર બાદશાહ જ નહીં, પરંતુ ગીતના નિર્દેશક માહી સંધુ, જોબન સંધુ અને પ્રોડ્યુસરહિતેનનેપણ કાયદાના સકંજામાં લીધા છે. સોશિયલ મીડિયા પર આ ગીત વાયરલ થયા બાદ જે રીતે મહિલાઓનાગરિમાહીનપ્રદર્શન અને અભદ્ર ભાષાનો ઉપયોગ થયો છે, તેને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલા આયોગે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લેતા સ્પષ્ટ કર્યું છે કે, આ ગીતની સામગ્રી પ્રથમ દ્રષ્ટિએ જ ભારતીય દંડ સંહિતા (IPC) અનેIT એક્ટની અનેક કલમોનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત, ગીતમાં સરકારી બસોનો પરવાનગી વગર ઉપયોગ કરવાના ગંભીર આરોપો પણ બાદશાહ પર લાગ્યા છે. આયોગે તમામ પક્ષકારોને25 માર્ચ, 2026ના રોજ બપોરે 12:30 વાગ્યે પુરાવાઓ સાથે હાજર થવા આદેશ આપ્યો છે. જો તેઓ હાજર નહીં રહે, તો તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ અને ધરપકડ જેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે, જેના કારણે સંગીત જગતમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી ટેકનોલોજી અને મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ પ્રતિબંધક અધિનિયમ હેઠળ બાદશાહની ટીમને હવે ગંભીર સવાલોના જવાબ આપવા પડશે. મનોરંજનના નામે અશ્લીલતા પીરસવાની આ પ્રથા સામે આયોગે લાલ આંખ કરી છે, જે અન્ય કલાકારો માટે પણ એક ચેતવણી સમાન છે. બાદશાહના વકીલો હાલમાં આ કાનૂની ગુંચવણમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કમિશનના કડક વલણને જોતા આ વખતે 'બાદશાહ' માટે બચવું મુશ્કેલ જણાય છે. ગીતને ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ પણ જોર પકડી રહી છે.
15 shares
😢
Sandesh logo
Sandesh
Mar 19, 2026, 03:10 PM
રેલવે પોલીસ લૂંટની યોજના નિષ્ફળ બનાવે છે, દિલ્હી સ્થિત ડાકૂની ધરપકડ કરે છે

રેલવે પોલીસ લૂંટની યોજના નિષ્ફળ બનાવે છે, દિલ્હી સ્થિત ડાકૂની ધરપકડ કરે છે

સમગ્ર દેશમાં ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને લૂંટી લેનારા સક્રિય થયા છે. ટ્રેનમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને લૂંટ ચલાવતો લૂંટારૂ રેલવે એલસીબીના હાથે ઝડપાયો છે. આરોપી મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની પુછુપરછ કરતાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અમદાવાદ રેલવે એલસીબી દ્વારા એક ખુંખાર લૂંટારૂને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ લૂંટારૂ મુસાફરો સાથે મિત્રતા કેળવતો હતો અને નશીલી ગોળીઓ આપતો હતો. ત્યાર બાદ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હતો. મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતા આ લૂંટારૂને પકડવા રેલવે પોલીસ સક્રિય થઈ હતી. આરોપીને રેલવે પોલીસે દિલ્હીથી પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બે લાખ રોકડા અને ત્રણ મોબાઈલ તેની પાસેથી જપ્ત કર્યા હતાં. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી ગુરૂવારથી પ્રારંભ થયો છે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમા 18 એપ્રિલે પૂર્ણ થશે. પરંતુ ગુજરાતમાં 21 માર્ચ સુધી ભારે વરસાદની આગાહીને કારણે આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. આજે રાજ્યમાં થયેલા વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન અને વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે આ પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને જોતાં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. હંગામી પુલ પરથી પરિક્રમાવાસીઓની અવરજવરને વાવાઝોડાને કારણે બંધ કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે તેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેંગણ ઘાટ ખાતે હાલ પૂરતી બોટ પણ આવતીકાલે સવાર સુધી બંધ કરી દેવામાં આવી છે.આ પણ વાંચોઃ Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ સુરત શહેરમાં આજે ફૂંકાયેલા ભારે પવનને કારણે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા નજીક સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ અને ભારેખમ બોર્ડ ધરાશાયી થતા એક નિર્દોષ યુવાનનો જીવ ગયો છે. વાવાઝોડા જેવા તેજ પવનના વેગને કારણે આ લોખંડી બોર્ડ અચાનક તૂટી પડ્યું હતું, જેની નીચે દબાઈ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવાન જ્યારે શાયોના પ્લાઝા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ મનપાનું આ તોતિંગ બોર્ડ તેની પર ખાબક્યું હતું. બોર્ડનું વજન એટલું વધારે હતું કે યુવાનને બચવાની કોઈ તક મળી ન હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોમાં આ સમગ્ર ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પૂર્વે કે વાવાઝોડાની આગાહી સમયે આવા જોખમી બોર્ડ અને હોર્ડિંગ્સની મજબૂતીની તપાસ કેમ કરવામાં આવતી નથી? તેવા સવાલો ઉઠ્યા છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તેમજ મનપાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને બોર્ડ તૂટવાના કારણોની તપાસ કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો નવસારી શહેરમાં આજે અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. શહેરના હાર્દ સમાન લુંસીકુઈ મેદાનમાં આયોજિત મેળામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે મેળાના મોટા ગુંબજ (ડોમ) અને પ્રવેશદ્વારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે મેળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની ફરજ પડી છે. વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે મેળાના મુખ્ય ડોમ પર લગાવવામાં આવેલા તોતીંગ પોસ્ટરો કાગળની માફક ફાટી ગયા હતા. એટલું જ નહીં, પવનના જોરદાર ઝાપટાંને કારણે મેળાનો મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પણ ઉખડી ગયો હતો. ડોમની અંદર રાખવામાં આવેલો વેપારીઓનો સામાન અને પ્રદર્શનની ચીજવસ્તુઓ પવનના કારણે વેરવિખેર થઈ ગઈ હતી. તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવનને કારણે મેળામાં હાજર લોકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લુંસીકુઈ મેદાનમાં ખાદી હસ્તકલા મેળો કાર્યરત હતો. વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા આયોજકો દ્વારા મુલાકાતીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સદનસીબે, ડોમનો ગેટ ઉખડવાની કે પોસ્ટરો ફાટવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં મેદાનમાં પડેલા કાટમાળને હટાવવાની અને નુકસાનનું આકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો શક્તિપીઠ અંબાજીમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ભક્તો અને સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યા બાદ, રાત્રિના સમયે તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભર ઉનાળે ચોમાસા જેવો અહેસાસ કરાવતા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં તાપમાન ગગડ્યું છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે વરસાદી ઝાપટાં છતાં માઈભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી ન હતી. પ્રથમ નોરતાની સંધ્યા આરતીમાં શ્રદ્ધાળુઓ પલળતા રહીને પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે, અણધાર્યા પવન અને વરસાદને કારણે યાત્રાધામના જનજીવન અને બજાર પર આંશિક અસર જોવા મળી હતી. આખા દિવસના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસેલા વરસાદે અંબાજીના પહાડી વિસ્તારોમાં ઠંડક પ્રસરાવી દીધી છે. એક તરફ ભક્તો માટે આ વાતાવરણ આહલાદક રહ્યું છે, તો બીજી તરફ આ વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક બગડવાની મોટી ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાથી ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. ખેતીના પાકને થનારા નુકસાનને પગલે કૃષિ આલમમાં ગમગીની છવાઈ ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ સામે નોંધાયેલી કરોડો રૂપિયાની ઠગાઈ અને ડોક્યુમેન્ટમાં ચેડાં કરવાની ફરિયાદ મામલે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ દ્વારા એફઆઈઆર રદ કરવાની માગણીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે પોલીસ તપાસમાં પણ હસ્તક્ષેપ કરવા અંગે ઈનકાર કરી દીધો છે. જેથી ગજેરા બંધુઓ સામેની તપાસ યથાવત રહેશે. સુરતમાં ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ પર ફરિયાદમાં 1900 રૂપિયાની આર્થિક ગેરરીતિ અને મનિ લોન્ડરિંગ સહિત ફરિયાદીના પરિવારની ખોટી સહી કરવાના ગંભીર આક્ષેપો થયા હતાં. ત્યાર બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે આરોપી અરજદારોએ આ ફરિયાદને દિવાની વિવાદ ગણાવી રદ કરવા કોર્ટમાં દલીલ કરી હતી. પરંતુ કોર્ટે તેમની આ દલીલ માન્ય રાખી નહોતી. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, જ્યારે હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ અરજદારોની વિરોધમાં હોય અને પ્રાથમિક રીતે ગુનો સાબિત થાય ત્યારે તપાસનો વિલંબ ગૌણ બને છે. આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આ ફરિયાદ માત્ર બદલો લેવા અને પૈસા પડાવવા માટે કરવામાં આવી છે. આરોપી અરજદારોનો મેહુલ ચોકસી સાથે કોઈ ગેરકાયદે સંબંધ સાબિત થતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ઠગાઈના પુરતા પુરાવા હોવાથી તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી. કોર્ટે તેમની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. જેથી હવે ગજેરા બંધુઓને તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડે એમ છે. આ પણ વાંચોઃ Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું
51 shares
😢
A
Akila News
Mar 19, 2026, 02:54 PM
કુખ્યાત ગુનેગાર સમીર ઉર્ફે ભન્નો રહીમભાઈ જામની જામનગરમાં ધરપકડ કરવામાં આવી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો

કુખ્યાત ગુનેગાર સમીર ઉર્ફે ભન્નો રહીમભાઈ જામની જામનગરમાં ધરપકડ કરવામાં આવી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો

રાજકોટ તા. ૧૯: અલગ અલગ ગુનાઓમાં સામેલ વધુ એક શખ્‍સને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધો છે. નારાયણનગર મેઇન રોડ ઢેબર કોલોની બાબા પાનની બાજુમાં રહેતાં સમીર ઉર્ફે ભાણો રહીમભાઇ જામ (ઉ.વ.૨૩)ને પાસા તળે જામનગર જેલહવાલે કરાયો છે. પોલીસના કહેવા મુજબ સમીર ઉર્ફે ભાણા વિરૂધ્‍ધ સેલ્‍ફમાં કાર ભાડેથી લઇ જઇ બાદમાં બારોબાર કાર સસ્‍તા ભાવે વેંચી દેવાના તેમજ માદક પદાર્થ સહિતના ગુનાઓ નોંધાયા હતાં. યુનિવર્સિટી પોલીસમાં ત્રણ ગુના, એ-ડિવીઝનમાં એક, માલવીયાનગરમાં એક અને અમદાવાદમાં બે ગુના સહિતના છ ગુનામાં તે સામેલ હતો. તેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી ચૈતન્‍ય મંડલીકની રાહબરીમાં તૈયાર કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરતાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્‍યામભાઇ મેણીયા, દિપકભાઇ ડાંગર, મનિષભાઇ ચાવડા, કોન્‍સ. કલ્‍પેશભાઇ ચાવડા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણી કરી હતી.
67 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 02:50 PM
અમદાવાદમાં 2 કરોડની નકલી નોટ ઝડપાઈ

અમદાવાદમાં 2 કરોડની નકલી નોટ ઝડપાઈ

અમદાવાદ તા.૧૯: અમદાવાદના અમરાઈવાડી વિસ્‍તારમાંથી બે કરોડની નકલી નોટ ઝડપાઈ છે. સત્‍યમ યોગ ફાઉન્‍ડેશનની ગવર્મેન્‍ટ ઓફ ઈન્‍ડિયા લખેલી ગાડીમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્‍ચે દરોડા પાડતાં કારમાંથી નકલી નોટનો જથ્‍થો મળી આવ્‍યો છે. જેમાં પોલીસે એક મહિલા સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી છે. ૫૦૦ના દરની ૨.૧૦ કરોડ રૂપિયાની બનાવટી નોટ જપ્ત કરાઈ છે. આ તમામ નકલી નોટ સુરતના વરાછામાં છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. સદગુરૂ પ્રદીપના આશ્રમમાં નકલી છપાતી હતી. પોલીસે પ્રદીપની અટકાયત કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. કામરેજના ધોરણ પારડીના તાપી કિનારે સદગુરૂ પ્રદીપનું ભવ્‍ય આશ્રમ આવેલું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા નકલી નોટો પડાવવા મામલે મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે અમરાઈવાડી વિસ્‍તારમાં દરોડો પાડવામાં આવ્‍યો હતો. એક ફોર્ચ્‍યુનર કારમાંથી નકલી નોટોના મોટા જથ્‍થો મળી આવ્‍યો હતો. જેમાં એક મહિલા સહિત કુલ ૬ શખ્‍સોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્‍ચે કારમાંથી ૫૦૦ ના દરની અંદાજે ૨ કરોડ રૂપિયાથી પણ વધુની કિમતની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવી છે. જપ્ત કરાયેલી નોટોનો આંકડો ઘણો મોટો હોવાથી ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા હાલ નોટોની ગણતરી અને પંચનામાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નકલી નોટો ક્‍યાં છાપવામાં આવી હતી અને બજારમાં કઈ જગ્‍યાએ વટાવવાની હતી, તે મામલે મોટો પર્દાફાશ થયો છે. તપાસમાં સામે આવ્‍યું કે, સુરતના સત્‍યમ યોગ ફાઉન્‍ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્‍લાય માટે કારમાં આયુષ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ કરાતો હતો. ગવર્મેન્‍ટ ઓફ ઈન્‍ડિયા લખેલી ગાડીમાં જ નકલી નોટોની હેરાફેરી થતી હતી. ક્રાઈમ બ્રાન્‍ચે અમદાવાદ અને સુરતમાં મોટી કાર્યવાહી કરીને નકલી નોટ જપ્ત કરી છે. જેમાં અમદાવાદથી ૨.૧૦ કરોડની નકલી નોટ પકડાઈ છે. તો સુરતમાં ૮૦ લાખની નોટો કબ્‍જે કરાઈ છે. ક્રાઈમ બ્રાચે ૬ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વરાછા નોટો છાપવાનું પ્રિન્‍ટીંગ મશીન પણ કબ્‍જે કરાયું છે. સુરતમાં જ્‍યાં નોટ ચાલવામાં આવી હતી ત્‍યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. મોટો ખુલાસો એ છે કે, સત્‍યમ યોગ ફાઉન્‍ડેશન સદગુરૂ પ્રદીપજી નામે યુવક ચલાવે છે. પ્રદીપ ગુરુજી તરીકે તે ફેમસ છે. જે અગાઉ રાજકોટ રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્‍ડેશનના નામથી યોગ ક્‍લાસ ચલાવતો હતો. થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચાલુ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ૨.૧૦ કરોડની નકલી નોટ જપ્ત કરવાનો મામલે નવા ખુલાસા થયા છે કે, જપ્ત કરેલી ફોર્ચ્‍યુનર કાર પ્રદીપ જોટંગિયાના નામના વ્‍યક્‍તિની હોવાનું સામે આવ્‍યું છે. જપ્ત કરેલી ફોર્ટ્‍યુનર કારમાં લાકડાની ચાકડી મળી આવી છે. ગાડીમાં અન્‍ય કોણ હતું અને કોની ચાકડી છે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
46 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 02:46 PM
નકલી દસ્તાવેજો સાથે ચોરાયેલી કાર વેચવાનો રાજકોટનો વેપારી પર આરોપ

નકલી દસ્તાવેજો સાથે ચોરાયેલી કાર વેચવાનો રાજકોટનો વેપારી પર આરોપ

રાજકોટ તા. ૧૯: શહેરમાં જૂની ગાડીઓની લે-વેચના વ્‍યવસાય સાથે સંકળાયેલા એક વેપારી સાથે તેના જ મિત્રએ વિશ્વાસઘાત કરી,ખોટી સહીઓ અને દસ્‍તાવેજોના આધારે હોન્‍ડા અમેઝ કાર બારોબાર વેચી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એસઓજી પોલીસની તપાસમાં આ આખું કૌભાંડ બહાર આવ્‍યું છે,જેમાં આરોપીએ અસલ આર.સી. બૂક ચોરી કરી બોગસ સહીઓ દ્વારા ગાડી બીજાના નામે ટ્રાન્‍સફર કરાવી દીધી હતી. આવિગત મુજબ,ધરમનગર ૪૦ ફૂટ રોડ પર રહેતા અને પૂજા વોટર સપ્‍લાય તેમજ જૂની ગાડી લે-વેચનો ધંધો કરતા બકુલભાઈ મોહનભાઈ રાઠોડના મિત્ર નયનભાઈ સાવલીયા પાસે એક હોન્‍ડા અમેઝ ગાડી નંબર જીજે૦૩એમએચ-૭૯૧૫ વેચવા માટે આવી હતી. આ ગાડી મુળ માલિક ભાવેશભાઈ મકવાણાની હતી,જે અકસ્‍માતમાં ટોટલ લોસ્‍ટ થયા બાદ હરાજીમાં વેચાઈ હતી. બકુલભાઈએ આ ગાડી નયનભાઈ પાસેથી રૂપિયા ૨,૩૫,૦૦૦માં ખરીદવાનું નક્કી કર્યું હતું અને આગળ વેચવા માટે પોતાના મિત્ર આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્‍ખર (રહે. ડેકારા હિલ્‍સ પાછળ,કાલાવાડ રોડ) ને સોંપી હતી. ગાડીના મુળ દસ્‍તાવેજો જેવા કે ઓરીજનલ આર.સી. બુક અને ટી.ટી.ઓ. ફોર્મ બકુલભાઈ પાસે હતા. આરોપી આનંદે ગ્રાહકને બતાવવા અથવા ફોટા પાડવાના બહાને બકુલભાઈના ઘરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન બકુલભાઈની જાણ બહાર આનંદે અસલ આર.સી. બુક ચોરી લીધી હતી. અગાઉ પણ તેણે વોટ્‍સએપ પર દસ્‍તાવેજોના ફોટા મંગાવ્‍યા હતા,પરંતુ રૂબરૂ આવીને ચાલાકીથી અસલ કાગળો મેળવી લીધા હતા. એસઓજીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે,આરોપી આનંદ ખખ્‍ખર પાસે રહેલી આ હોન્‍ડા અમેઝ ગાડી શંકાસ્‍પદ જણાતા પોલીસે તેને કબ્‍જે કરી હતી. તપાસમાં બહાર આવ્‍યું કે આનંદે મૂળ માલિક ભાવેશભાઈની ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી હતી અને આર.સી. બુકનો ઉપયોગ કરી ગાડી શેખ શાહરૂખમીયા નજુમીયા નામના વ્‍યક્‍તિને રૂા. ૨,૮૨,૦૦૦માં વેચી નાખી હતી. જ્‍યારે ગાડીના અસલ માલિક અને બકુલભાઈ વચ્‍ચે હજુ વ્‍યવહાર બાકી હોવા છતાં કાગળ પર ગાડી ટ્રાન્‍સફર થઈ ગઈ હતી.
56 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 02:40 PM
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટ રેકેટ મામલે રાજકોટ ખાતે યોગ ગુરુના ભાઈની તપાસ હાથ ધરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટ રેકેટ મામલે રાજકોટ ખાતે યોગ ગુરુના ભાઈની તપાસ હાથ ધરી

કીડવાઇનગરમાં પોલીસ યોગગુરૂ પ્રદિપ જોટંગીયાના ભાઇ અમિતભાઇના ઘરે તપાસ માટે પહોંચી હતી પરંતુ કંઇ મળ્‍યું નહોતું. અમિતભાઇ (ઇન્‍સેટ તસ્‍વીર)એ કહ્યું હતું કે આ મારા ભાઇને ફસાવવાનું કાવતરૂ છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) રાજકોટ તા. ૧૯: અમદાવાદમાં પકડાયેલા જાલીનોટના કારસ્‍તાનમાં તપાસનું પગેરૂ રાજકોટના કિડવાઇનગર સુધી પહોંચ્‍યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમરાઇવાડીમાંથી ૨.૧૦ કરોડની જાલીનોટ પકડી હતી. પ્રદિપ ગુરૂજી કે જે યોગ ગુરૂ તરીકે ઓળખાય છે તેના આશ્રમમાંથી નકલી ચલણી નોટો પકડાઇ હતી. દરમિયાન પ્રદિપ જોટંગીયાના ભાઇ રાજકોટ કિડવાઇનગરમાં રહેતાં હોવાની માહિતી મળતાં રાજકોટ યુનિવર્સિટી પોલીસની ટીમ પ્રદિપના ભાઇના ઘરે પહોંચી હતી અને ઘરની તલાશી લીધી હતી. પરંતુ અહિથી કંઇ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમે પ્રદીપ જોટંગીયા નામના યોગ ગુરૂને જાલી નોટના મોટા જથ્‍થા સાથે પકડી પાડ્‍યા બાદ તપાસમાં તેમનો પરિવાર રાજકોટ રહેતો હોવાની સ્‍થાનિક પોલીસને માહિતી મળતા જ યુનિવર્સિટી પોલીસની ટીમ કીડવાઈ નગરમાં આવેલા પ્રદીપ જોટંગીયાના ભાઈના ઘરે પહોંચી હતી અને તપાસ કરી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસને માહિતી મળી હતી કે અમદાવાદમાંથી ચાલી નોટ સાથે પકડાયેલ પ્રદીપ દિલીપ જોટંગીયા નો પરિવાર કીડવાઈ નગરમાં આવેલ મકાનમાં રહે છે જેથી પોલીસની ટીમે તુરંત જ દોડી જઈ કીડવાઈ નગરમાં આવેલ પ્રદીપના ભાઈ અમિતભાઇ જોટંગિયા મકાનમાં તપાસ હાથ ધરી હતી. જોકે તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્‍તુ ન મળતા પોલીસે તેની નોંધ કરી હતી. અમિતભાઇ જોટંગિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ સાથે જણાવ્‍યું હતું કે તેમના ભાઈને ફસાવવાનું આ કાવતરૂ છે. તેમનો ભાઈ નિર્દોષ છે. તેમજ આગામી સમયમાં આવી રહેલ નાની મોટી ચૂંટણીઓનો ખાર રાખીને તેમના ભાઈને ફસાવવામાં આવ્‍યો હોવાનું પણ જણાવ્‍યું હતું.
95 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 02:09 PM
રાજકોટ પોલીસે 42,000 રૂપિયાની દેશી બનાવટની દારૂ જપ્ત કરી

રાજકોટ પોલીસે 42,000 રૂપિયાની દેશી બનાવટની દારૂ જપ્ત કરી

રાજકોટ તા. ૧૯: શહેરના કેનાલ રોડ પર એચપી પંપ નજીક રોડ પરથી ક્રાઇમ બ્રાંચે રૂા. ૪૨ હજારનો દેશી દારૂનો જથ્‍થો ભરેલી રિક્ષા સાથે બે શખ્‍સને પકડી લઇ દારૂ,રિક્ષા મળી ૧,૪૨,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ દારૂ કુબલીયાપરાની મહિલાએ મોકલ્‍યો હતો અને ઢેબર કોલોનીની મહિલાને પહોંચાડવાનો હતો. દારૂ-જૂગારના કેસ શોધવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. જયરાજભાઇ કોટીલા,ધારાભાઇ વાનરીયા અને રાજેશભાઇ જળુને મળેલી બાતમી પરથી કેનાલ રોડ પર જીજે૦૩સીટી-૭૪૩૪ નંબરની રિક્ષા આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં રૂા. ૪૨ હજારનો ૨૧૦ લિટર દેશી દારૂ મળી આવ્‍યો હતો. પોલીસે રિક્ષાચાલક અને સાથે રહેલા બંનેની ધરપકડ કરી હતી. પુછતાછમાં પોતાના નામ રાજેશ બાબુભાઇ સિંધવ (ઉ.વ.૨૭-રહે. ગંજીવાડાના નાકે,બાવળીયાની બાજુમાં) તથા અજય કિશોરભાઇ વાઘેલા (ઉ.વ.૨૦-રહે. કુબલીયાપરા,ચાર બાઇના મંદિર પાસે) જણાવ્‍યા હતાં. આ બંનેની પુછતાછમાં દારૂ મોકલનાર તરીકે કુબલીયાપરાની શારદા ભૂપતભાઇ રાઠોડનું નામ ખુલ્‍યું હતું. શારદાએ આપેલો આ દારૂ ઝડપાયેલા બંને શખ્‍સો ઢેબર કોલોની પાસે રહેતી જીન્‍નત માણેકને આપવા જઇ રહ્યા હોવાનું કબુલતાં શારદા અને જીન્‍નતને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, રાહુલભાઇ ગોહેલ, ધારાભાઇ વાનરીયાએ આ કામગીરી કરી હતી
14 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 01:55 PM
એશિયન પેઇન્ટ્સના પ્રોડક્ટ કોડને લઈને ચિરાગ ઉદેશી સામે છેડછાડનો કેસ નોંધવામાં આવ્યો

એશિયન પેઇન્ટ્સના પ્રોડક્ટ કોડને લઈને ચિરાગ ઉદેશી સામે છેડછાડનો કેસ નોંધવામાં આવ્યો

રાજકોટ તા. ૧૯: શહેરના કેનાલ રોડ પર આવેલી એક પેઇન્‍ટની દુકાનમાં એશિયન પેઇન્‍ટ્‍સ જેવી નામાંકિત કંપનીના ઉત્‍પાદનોના બારકોડ અને કયુઆર કોડ સાથે છેડછાડ કરી ગેરકાયદેસર વેચાણ કરવાનું કારસ્‍તાન ઝડપાતાં ચકચા જાગી છે. દિલ્‍હીની તપાસ સંસ્‍થા અને રાજકોટ એ-ડિવિઝન પોલીસના સંયુક્‍ત દરોડામાં અંદાજે રૂપિયા ૪.૬૬ લાખનો શંકાસ્‍પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે એ-ડિવીઝન પોલીસે અમદાવાદ રામોલમાં સોહમ સાનીધ્‍ય બંગલોઝ અદાણી સર્કલ પાસે રહેતાં અને દિલ્‍હી સ્‍થિત એસજીએસ આઇપીઆર કન્‍સલ્‍ટન્‍સી કંપનીમાં આસિસ્‍ટન્‍ટ ઇન્‍વેસ્‍ટીગેશન મેનેજર તરીકે ફરજ બજાવતાં સુભાષભાઇ હરિヘંદ્રભાઇ જયસ્‍વાલ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી મીલપરા-૮/૨૦ના ખુણે આદર્શ મઢુલી ખાતે રહેતાં ચિરાગ મહેન્‍દ્રભાઇ ઉદેશી વિરૂધ્‍ધ કોપીરાઇટ એક્‍ટ હેઠળ ગુનો નોંધી નોટીસ આપવામાં આવી હતી. આ વેપારી દ્વારા એશિયન પેઇન્‍ટ્‍સના ડબ્‍બાઓ પર કંપની દ્વારા જે બારકોડ-ક્‍યુઆર કોડ અપાયેલા હોય છે તેના પર માર્કરથી ટપકા કરી છેડછાડ કરી પેઇન્‍ટ્‍સનું વેંચાણ કરવામાં આવતું હતું. ફરિયાદી સુભાષભાઈ કંપનીમાં આસિસ્‍ટન્‍ટ ઇન્‍વેસ્‍ટિગેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓને એશિયન પેઇન્‍ટ્‍સ કંપની તરફથી કોપીરાઈટ ભંગ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા મળી હતી. આ અંતર્ગત ગત તા. ૦૫/૦૩ ના રોજ કંપનીના ઇન્‍વેસ્‍ટિગેટર અજયભાઈ યાદવે કેનાલ રોડ પર આવેલી ‘અપ્‍પુ પેઇન્‍ટ્‍સ' નામની દુકાનમાંથી ગ્રાહક બનીને એશિયન પેઇન્‍ટ્‍સનું ૨૦ લિટરનું પ્રાઇમર ખરીદ્યું હતું. આ ખરીદી દરમિયાન દુકાનદારે બિલ આપ્‍યું નહોતું અને પેમેન્‍ટ ઓનલાઇન મેળવ્‍યું હતું. તપાસમાં જાણવા મળ્‍યું કે પ્રોડક્‍ટ પરના ઓરિજિનલ બારકોડ પર માર્કર પેનથી ટપકાં કરી તેની વિગતો છુપાવવામાં આવી હતી. આ શંકાસ્‍પદ પ્રવૃત્તિની ખાતરી થયા બાદ ગઈકાલે તા. ૧૮ના રોજ રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ અને પંચોની હાજરીમાં શ્રીનાથજી કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલી‘અપ્‍પુ પેઇન્‍ટ્‍સ' ની દુકાન (નં. એલ ૧, ૨, ૩) પર દરોડો પાડવામાં આવ્‍યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી એશિયન પેઇન્‍ટ્‍સના અલગ-અલગ પ્રકારના કુલ ૬૬ કન્‍ટેનર મળી આવ્‍યા હતા, જેના બારકોડ પર છેડછાડ કરવામાં આવી હતી. જેમાં યલો મેટલ પીયુ પ્રાઇમર-૮ નંગ, ઇન્‍ટિરિયર વોલ પ્રાઇમરઃ ૯ નંગ, એપકોલાઇટ પ્રીમિયમ ઇનામલ ગ્‍લોસ ૪૯ નંગ મળી કુલ રૂા. ૪,૬૬,૨૧૦ના ૬૬ કન્‍ટેનગર જપ્‍ત કરાયા છે.
66 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 01:38 PM
રાજકોટ એસ. ઓ. જી. એ રૂ. 2.42 લાખના હાઇબ્રિડ ગાંજાની સાથે વ્યક્તિની ધરપકડ કરી

રાજકોટ એસ. ઓ. જી. એ રૂ. 2.42 લાખના હાઇબ્રિડ ગાંજાની સાથે વ્યક્તિની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૯: શહેર એસઓજીની ટીમે રાજકોટના ઇતિહાસમાં પહેલી જ વખત કાલાવડ રોડ જે. કે. ચોક પુષ્‍કરધામ મેઇન રોડ પર પટેલ રેસ્‍ટોરન્‍ટ પાસે બાતમીના આધારે વોચ રાખી એક શખ્‍સને રૂા. ૨,૪૨,૦૦૦ના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધો હતો. મુળ મુંબઇનો આ શખ્‍સ વર્ષોથી રાજકોટમાં રહે છે. અમદાવાદ તરફથી વેંચવા માટે લાવ્‍યાનું તે રટણ કરી રહ્યો હતો. આ શખ્‍સના રિમાન્‍ડ મેળવી વધુ પુછતાછ શરૂ કરવામાં આવતાં તેના જગન્‍નાથ પ્‍લોટના મકાનમાંથી વધુ રૂપિયા ૧૦.૩૬ લાખનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્‍યો છે. સામાન્‍ય રીતે વિદેશથી ખાસ કરીને થાઇલેન્‍ડ તરફથી આવતો આ ગાંજો આ શખ્‍સ મુંબઇ-અમદાવાદ તરફથી લાવ્‍યાનું રટણ કરતો હોઇ તપાસનો દોર તે તરફ આગળ વધશે. જાણવા મળ્‍યા મુજબ શહેરમાં યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે અને આવા પદાર્થનું વેંચાણ-હેરાફેરી ન થાય તે માટે‘સે નો ટુ ડ્રગ્‍સ'ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ઇન્‍દ્રસિંહ જાડેજા,કોન્‍સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળતાં જે. કે. ચોક પુષ્‍કરધામ રોડ પર પટેલ પાન નજીકથી એક શખ્‍સને સકંજામાં લીધો હતો. તેની તલાશી લેતાં શંકાસ્‍પદ પદાર્થ મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી સમીર જોષીને જાણ કરતાં તેમણે આ પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું સ્‍પષ્‍ટ કર્યુ હતું. પુછતાછમાં આ શખ્‍સે પોતાનું નામ ધ્રુવ સંજયભાઇ જોષી (ઉ.વ.૨૬-રહે. શિતલ પાર્ક-૨,શિવ શક્‍તિ સોસાયટી બ્‍લોક નં. ૯ રાજકોટ,મુળ સ્‍પ્રીંગ બિલ્‍ડીંગ,સંઘવી એસ-૩,ઇકોસીટી મીરા રોડ ઇસ્‍ટ મુંબઇ) જણાવ્‍યું હતું. તેની પાસેથી એસઓજીએ રૂા. ૨,૪૨,૦૦૦નો ં.૩૮૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજો,રોકડા રૂા. ૫૦૦,બે મોબાઇલ ફોન,આધાર કાર્ડ,કાળુ પાકીટ મળી કુલ ૩,૬૨,૮૮૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવ્‍યો છે. પ્રાથમિક પુછતાછમાં ધ્રુવ જોષીએ કબુલ્‍યું હતું કે પોતે વર્ષોથી રાજકોટ સ્‍થાયી થયો છે અને છુટક કામ કરે છે. પોતે આ હાઇબ્રીડ ગાંજો વેંચવા માટે અમદાવાદ તરફથી લાવ્‍યાનુ઼ રટણ કરે છે. સાચી વિગતો ઓકાવવા અને ગાંજો આપનાર સુધી પહોંચવા તેના રિમાન્‍ડ મેળવવાતી તજવીજ હાથ ધરવામાં આવી છે.
97 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 12:53 PM
ગુજરાતઃ ભાવનગરમાં ડિસ્ટર્બ્ડ એક્ટ હેઠળ ગેરકાયદેસર સંપત્તિ ટ્રાન્સફરનો કેસ નોંધવામાં આવ્યો

ગુજરાતઃ ભાવનગરમાં ડિસ્ટર્બ્ડ એક્ટ હેઠળ ગેરકાયદેસર સંપત્તિ ટ્રાન્સફરનો કેસ નોંધવામાં આવ્યો

ભાવનગર:ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી અનિવાર્ય હોવા છતાં, કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાડતો કિસ્સો ભાવનગરમાં પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અસામાજિક પ્રવૃત્તિઓ અને કાયદા વિરુદ્ધના કૃત્યો સામે કડક વલણ અપનાવતા, રાજ્યના બીજા અને સૌરાષ્ટ્ર-ભાવનગરના ઇતિહાસમાં અશાંત ધારા હેઠળનો પ્રથમ ગુન્હો નોંધાવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાની વિગત:પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેરના વોર્ડ નં. ૫, શીટ નં. ૧૩૫ અને સીટી સર્વે નં. ૪૪૬૩ ધરાવતા કેસન્ટ વિસ્તારમાં આવેલ પ્લોટ નં. ૫૬૭/એ૧, એ/૨/ઈ વાળી મિલકત અશાંત ધારા હેઠળના વિસ્તારમાં આવે છે. આ મિલકતના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ (રહે. હિલ ડ્રાઈવ, દક્ષિણામૂર્તિ સોસાયટી, ભાવનગર) દ્વારા ગુજરાત અશાંત ધારા વિસ્તારમાં તબદીલ અધિનિયમ ૧૯૯૧ હેઠળ કલેક્ટરની કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર જ આ મિલકત વેચવાનો ઈરાદો રાખ્યો હતો. આ મિલકત અલારખાભાઈ કાદરભાઈ ગીગાણી (રહે. કેસન્ટ સર્કલ પાસે, ભાવનગર) ને ૩,૦૩,૦૦,૦૦૦ (ત્રણ કરોડ ત્રણ લાખ) રૂપિયામાં બારોબાર વેચી નાખવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી કરવામાં આવેલા આ સોદા અંગે સીટી મામલતદાર વિદ્યાનગર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે.બી. ચાંદલીયા દ્વારા ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુન્હો રજિસ્ટર કરાવવામાં આવ્યો છે. કાયદેસરની કાર્યવાહી:પોલીસ દ્વારા આ મામલે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્ક રક્ષક અધિનિયમની કલમ-૫, ૬(એ) મુજબ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૬૨૬૦૬૭૪/૨૦૨૬ થી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગંભીર ગુન્હાની આગળની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજાને સોંપવામાં આવી છે.
59 shares
😢
G
Gujarat Samachar
Mar 19, 2026, 11:15 AM
વડોદરા ક્રાઈમઃ છેડતી હિંસક બની, આરોપીએ પીડિતાના પરિવારને આપી ધમકી

વડોદરા ક્રાઈમઃ છેડતી હિંસક બની, આરોપીએ પીડિતાના પરિવારને આપી ધમકી

Vadodara Crime: વડોદરા શહેરના તુલસીવાડી અંબેનગર 1 વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરાર ગંભીર બનાવમાં પરિવર્તિત થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ચાર યુવાનોએ મળીને એક યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને વધુ નાટ્યાત્મક વળાંક ત્યારે મળ્યો હતો જ્યારે હુમલો કરનાર પૈકીનો એક યુવક પોતે પણ સારવાર લેવા બહાને એસએસજી હોસ્પિટલ પહોંચ્યો હતો. આ દરમિયાન ઘાયલ યુવકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે હુમલાખોર હોસ્પિટલમાં આવી તેમને ધમકી આપી રહ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક એસએસજી હોસ્પિટલ દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
40 shares
😢
Gujarat Samachar logo
Gujarat Samachar
Mar 19, 2026, 11:06 AM
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સાથે સંકળાયેલી કથિત બેંક છેતરપિંડી મામલે સીબીઆઈએ અનિલ અંબાનીની પૂછપરછ કરી

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સાથે સંકળાયેલી કથિત બેંક છેતરપિંડી મામલે સીબીઆઈએ અનિલ અંબાનીની પૂછપરછ કરી

IANS Anil Ambani questioned by CBI:રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ગુરુવારે દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સમક્ષ હાજર થયા હતા. હવે બંધ થઈ ગયેલી કંપની 'રિલાયન્સ કોમ્યુનિકેશન્સ' (RCOM) અંગેના કથિત બેંક ફ્રોડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે દિવસ સુધી ચાલશે મેરેથોન પૂછપરછ 66 વર્ષીય અનિલ અંબાણી ગુરુવારે સવારે CBIના હેડક્વાર્ટરમાં પહોંચ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, 19 અને 20 માર્ચ એમ સતત બે દિવસ સુધી તેમની પૂછપરછ કરવામાં આવશે. SBI અને અન્ય બેંકોના કન્સોર્ટિયમ દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સને આપવામાં આવેલી લોનના ભંડોળનો કથિત દુરુપયોગ અને ડાયવર્ઝન આ તપાસના કેન્દ્રમાં છે.
78 shares
😢
Gujarat Samachar logo
Gujarat Samachar
Mar 19, 2026, 11:05 AM
બિચ્ચુ ગેંગના નેતા અસલમ બોડિયોની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

બિચ્ચુ ગેંગના નેતા અસલમ બોડિયોની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Vadodara: વડોદરા શહેરમાં આતંક ફેલાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં તેની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધી છે. માહિતી મુજબ, નવાપુરા મહેબુબપુરા વિસ્તારમાં રહેતો અસલમ બોડીયો પોતાના સાગરીતો સાથે મળી બિચ્છુ ગેંગ ચલાવતો હતો અને શહેરમાં સંગઠિત ગુનાઓ આચરતો હતો. ગેંગ દ્વારા મિલકતો બળજબરીથી કબજે કરવી, ખંડણી વસૂલવી, તેમજ હત્યા, લૂંટ, અપહરણ અને છેતરપીંડી જેવા ગંભીર ગુનાઓ આચરી શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. વર્ષ 2021માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અસલમ બોડીયાની ધરપકડ કરી હતી. શરૂઆતમાં તેને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ જેલમાંથી પણ તે ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખતો હોવાની માહિતી સામે આવતા તેને ભુજ અને બાદમાં રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અગાઉ અસલમે સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને કોર્ટોએ તેની ગંભીર ગુનાહિત ભૂતકાળને ધ્યાનમાં રાખી અરજી નામંજૂર કરી દીધી હતી. ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં પણ પોલીસ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવા અને દલીલોના આધારે 18 માર્ચ 2026ના રોજ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અસલમ બોડીયા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ખંડણી, ધમકી, રાયોટિંગ અને જુગાર સહિતના કુલ 64 જેટલા ગુનાઓ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને 10 વખત પાસા પણ થઈ ચૂકી છે.
71 shares
😢
Western Times logo
Western Times
Mar 19, 2026, 10:23 AM
બિહાર એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરની હત્યા

બિહાર એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરની હત્યા

પટણા, બિહારના મોતિહારીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુર વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તાર રામડીહા ગામમાં બની હતી. ગોળીબારમાં બે ગુનેગારો માર્યા ગયા છે. બીજી તરફ એક જવાન પણ શહીદ થઈ ગયો છે. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારોને ઠાર કરી દેવામાં આવ્યા છે જેમાં કુંદન ઠાકુર અને પ્રિયાંશુ દુબે સામેલ છે. જી્‌હ્લ જવાનનું નામ શ્રીરામ યાદવ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટના ફક્ત એક એન્કાઉન્ટર નહોતી, પરંતુ તે પહેલાની કહાની ઘણી ખતરનાક અને ચોંકાવનારી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરનું એક ઓડિયો રેકો‹ડગ હવે સામે આવ્યું છે, જેણે પોલીસ અને જનતા બંનેને ચોંકાવી દીધા છે. આ ઓડિયોમાં કુંદન ઠાકુર જે બેખોફ અંદાજમાં પોલીસને ધમકી આપતો સંભળાય રહ્યો છે તે દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું ઊંચું થઈ ગયું હતું. Bihar is not for beginners. Wanna be Gangster Kundan Thakur from Motihari in Bihar threatned the Additional SHO of his Police Station on a phone call and the very next day STF traced and killed him along with his associate Priyanshu Dubey in an encounter. STF Jawan Sriram Kumar…pic.twitter.com/LEhXqxxfoC — NCMIndia Council For Men Affairs (@NCMIndiaa)March 18, 2026
75 shares
😢
Sandesh logo
Sandesh
Mar 19, 2026, 10:16 AM
સુરતની ડાયમંડ હોટલમાં ભીષણ આગ, તમામ મહેમાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

સુરતની ડાયમંડ હોટલમાં ભીષણ આગ, તમામ મહેમાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

સુરત શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી જાણીતી 'ડાયમંડ હોટલ'માં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોટલના પાંચમા માળે આવેલા ડાઇનિંગ હોલમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સમયે હોટલમાં આશરે 10 જેટલા મહેમાનો રોકાયા હતા. આગની જાણ થતા જ સતર્ક બનેલા તમામ ગેસ્ટ તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતરી આવ્યા હતા, જેના કારણે મોટી હોનારત ટળી હતી. હોટલના પાંચમા માળે પતરાના શેડમાં ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો હતો, જ્યાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ અડાજણ પોલીસને મોટી સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આરોપી પાસેથી 2.45 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂ.7,450 જેવી થાય છે. આ ઉપરાંત, પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.54,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું જણાય છે. તે અગાઉ પણ સુરતના અડાજણ, પાલ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. વારંવાર જેલની હવા ખાધા હોવા છતાં તેણે નશીલા પદાર્થોના વેચાણનો કાળો કારોબાર ચાલુ રાખ્યો હતો. હાલમાં પોલીસ આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય સપ્લાયર કોણ છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. સુરત પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો સૌરાષ્ટ્રમાં કુદરતનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના વીંછીયા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદની સાથે ભારે પવન અને કરા પડતા સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભર ઉનાળે વરસેલા આ કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વીંછીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર એટલું વધારે હતું કે, અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ખેતરો પાણીમાં ગરકાવ થતા ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પવનના સુસવાટા અને કરાના મારને કારણે તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગાઉ રાજકોટ, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ પડ્યા બાદ હવે વીંછીયામાં પણ મેઘરાજાએ કહેર મચાવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે. એકતરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ આ આકાશી આફતને કારણે જગતનો તાત અત્યારે લાચારી અનુભવી રહ્યો છે. આ પણ વાંચો -Rajkot : જેતપુરમાં મિની વાવાઝોડું ત્રાટક્યું,ધૂળની ડમરીઓ સાથે વરસાદની તોફાની બેટિંગ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની માહિતી આપવામાં આવી રહી છે.કૃષિ વિભાગે રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, હજુ પણ જે ખેડૂતોએ પોતાના પાક કે ઉપજને સુરક્ષિત રાખવા માટેના સાવચેતીના પગલાં નથી લીધા, તે સત્વરે આ માર્ગદર્શિકાને ધ્યાને લઈને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટેની તકેદારી રાખે, જેથી તેમના મહામૂલા પાકને નુકશાનથી બચાવી શકાય.વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર પણ સંપર્ક કરી શકાશે. કાપણી કરેલ પાક ખેતરમાં ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે પાકેલા પાકની સત્વરે લણણી કરી તેને સુરક્ષિત ખસેડવાની કામગીરી કરવી ઉભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉથી કરી લેવી વરસાદી વાતાવરણ દરમિયાન પાકને પિયત આપવાનું અથવા જંતુનાશક દવા છાંટવાનું કામ મુલતવી રાખવું જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા ભેજથી જલ્દી બગડતા પાકોને પ્રાથમિકતા આપી સલામત સ્થળે ખસેડવા APMCમાં ખેડૂતો અને વેપારીઓએ અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવા શક્ય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે ખેત પેદાશો APMC માર્કેટમાં લાવવાનું ટાળવું ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત સ્થળે રાખવો આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આજે કુદરતની કઠિનાઈ જોવા મળી છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પંથકમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો છે. આ અણધાર્યા વરસાદે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. વલ્લભીપુરના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખાસ કરીને નવાગામ અને લોલિયાણામાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત કાળાતળાવ, કંથારીયા, હળિયાદ, વાવડી અને પીપળી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કાળા ડીબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસેલા આ વરસાદે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જી દીધો હતો. કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર ખેતી પર પડી છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પકવેલા ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં કાપણી કરેલો પાક પલળી જવાથી અને પવનના કારણે પાક ઢળી પડવાથી ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાયમાલ થયેલા ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ભાવનગર જિલ્લાના સિહોર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ભરઉનાળે વાતાવરણમાં આવેલા પલટાએ મિની વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે પવન અને ધૂળની ડમરીઓના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતા વાહનવ્યવહાર થંભી ગયો હતો અને ધોળે દિવસે રસ્તાઓ સુમસામ બની ગયા હતા. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા મકાનો અને દુકાનો પરના લોખંડના પતરા હવામાં કાગળની જેમ ઉડતા જોવા મળ્યા હતા. પવનના સૂસવાટા સાથે શરૂ થયેલા વરસાદે જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. અનેક સ્થળોએ વીજ થાંભલા અને નાના ઝાડ ધરાશાયી થવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. ધૂળની ડમરીઓ શાંત થયા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક ત્રાટકેલા આ માવઠાને કારણે ખેતરોમાં રહેલા પાકને પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા હાલ નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો---Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો માસ્ટરસ્ટ્રોક: 2.38 કરોડની નકલી નોટો સાથે સુરતની ગેંગ ઝડપાઈ, AIનો કર્યો હતો ઉપયોગ
11 shares
😢