Achira News Logo
Achira News
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:43 PM
ગુજરાત બોર્ડે અયોગ્ય શિક્ષકોના વિવાદ વચ્ચે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું

ગુજરાત બોર્ડે અયોગ્ય શિક્ષકોના વિવાદ વચ્ચે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનો આજથી પ્રારંભ થયો છે, પરંતુ પ્રથમ દિવસે જ શિક્ષણ જગતની પોલ ઉઘાડી પડી ગઈ છે. એકતરફ લાખો વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે, ત્યારે બીજી તરફ પેપર ચકાસણી માટે જવાબ આ વખતના પેપર ચેકિંગમાં સૌથી મોટો છબરડો ખાનગી શાળાના સંચાલકોની બેદરકારીને કારણે સામે આવ્યો છે. શાળા સંચાલકોએ બોર્ડને શિક્ષકોની જે યાદી મોકલી હતી, તેમાં લાયકાતની ગંભીર ચકાસણી કરવામાં આવી નહોતી. પરિણામે, બોર્ડ દ્વારા એવા ખાનગી શિક્ષકોના પણ પેપર ચેકિંગ માટે ઓર્ડર ઈસ્યૂ કરી દેવામાં આવ્યા જેઓ પાસે માસ્ટર ડિગ્રી તો હતી પણ અનિવાર્ય ગણાતી B.Ed ની ડિગ્રી નહોતી. જ્યારે આ શિક્ષકો મૂલ્યાંકન કેન્દ્રો પર પહોંચ્યા, ત્યારે લાયકાતના અભાવે કેન્દ્ર નિયામકોએ તેમને પેપર ચેક કરવા દીધા નહોતા અને પરત મોકલી દીધા હતા. સંચાલકોએ મોકલેલી ખોટી વિગતોને કારણે લાયકાત વગરના શિક્ષકોને ઓર્ડર મળતા બોર્ડની ગંભીરતા સામે પણ સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે જે શિક્ષકોએ ગુટલી મારી છે, તેમની સામે બોર્ડ કેવા પગલાં લે છે. બોર્ડની પરીક્ષા પહેલાં પેપર ચેકિંગ માટે શાળા સંચાલકો પાસેથી શિક્ષકોના નામ મગાવવામાં આવે છે. પરંતુ ઘણાં શાળા સંચાલકો મુખ્ય વિષય શિક્ષકના બદલે અન્ય જુનીયર શિક્ષકોના નામ બોર્ડને મોકલી દેતાં તેમના નામના પેપર ચેકિંગના ઓર્ડર થયા. પરંતુ નિયમ લાયકાત તેઓ ન ધરાવતા હોવાથી પેપર ચેક કરવા દીધા ન હતા. રાજકોટમાં ફિઝિક્સમાં 56 માંથી માત્ર 23 હાજર!રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતેના ફિઝિક્સ વિષયના મૂલ્યાંકન કેન્દ્ર પર હાજરીના આંકડા ચોંકાવનારા છે. અંગ્રેજી માધ્યમના ફિઝિક્સના પેપર ચેકિંગ માટે 56 શિક્ષકના ઓર્ડર હતા, જેમાંથી માત્ર 23 જ હાજર રહ્યા છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં 85માંથી 55 શિક્ષકો આવ્યા હતા. અડધાથી વધુ શિક્ષકોની ગેરહાજરીને કારણે હવે બાકીના શિક્ષકો પર કામનું ભારણ વધશે અને પરિણામની કામગીરીમાં વિલંબ થવાની શક્યતા છે. 7 દિવસમાં રાજકોટમાં 9,900 ઉત્તરવહીનું થશે ચેકિંગરાજકોટના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર આજથી ધોરણ-12 સાયન્સના ફિઝિક્સ વિષયનું પરીક્ષણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આગામી એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યમાં કુલ 9,900 ઉત્તરવહી તપાસવામાં આવશે. જેમાં ગુજરાતી માધ્યમની 5,100 અને અંગ્રેજી માધ્યમની 4,800 ઉત્તરવહીનો સમાવેશ થાય છે. પોલીસ રક્ષણ હેઠળ સીલબંધ હાલતમાં આવેલી આ આન્સરશીટ્સને સાત દિવસમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
71 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 10:28 PM
ગાંધીનગર જિલ્લા આયોજન બોર્ડે 2026-27 માટે ₹9.50 કરોડની વિકાસલક્ષી યોજનાઓને મંજૂરી આપી

ગાંધીનગર જિલ્લા આયોજન બોર્ડે 2026-27 માટે ₹9.50 કરોડની વિકાસલક્ષી યોજનાઓને મંજૂરી આપી

ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વર્ષ 2026-27 દરમિયાન જિલ્લામાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનું આયોજન કરાયું હતું તેમજ તેને મંજૂરી અપાઈ હતી. આગામી વર્ષ માટે 9.50 કરોડના ખર્ચના 371 કામોને મંજૂ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લાના તમામ અધિકારીઓને જાહેર જનતાના એક પણ કામમાં વિલંબ ના થાય અને કોઈ પણ ટેકનિકલ કે નાની એરરના કારણે જનતાના હિતના કામો અટકાય નહીં તે માટે તાકીદ કરી હતી. તેમણે તમામ અધિકારીઓને સંકલન થકી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ઝડપી રીતે પૂર્ણ કરવા સહયોગ સાધવા જણાવ્યું હતું. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 15 % વિવેકાધીન તાલુકા કક્ષાની 721 લાખ, 15% ખાસ અંગભૂત હેઠળ 79 લાખ તથા નગરપાલિકા કક્ષાની 150 લાખ ગ્રાન્ટ અંતર્ગત કુલ 950 લાખના કુલ 371 કામમાંથી શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, પાણી પુરવઠા, ગંદા વસવાટોની સુધારણા, વીજળીકરણ, ભૂમિ સંરક્ષણ, પોષણ વગેરે વિભાગ અંતર્ગતના કુલ 363 વિકાસ કાર્યો માટે 934.23 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.
17 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 06:24 PM
પશ્ચિમ એશિયાના સંઘર્ષથી પ્રભાવિત ભારતીય વિદ્યાર્થીઓઃ સરકાર ઉપચારાત્મક યોજના પર કામ કરી રહી છે

પશ્ચિમ એશિયાના સંઘર્ષથી પ્રભાવિત ભારતીય વિદ્યાર્થીઓઃ સરકાર ઉપચારાત્મક યોજના પર કામ કરી રહી છે

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા સૈન્ય સંઘર્ષે માત્ર રણમેદાનમાં જ નહીં, પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર પણ કાળો પડછાયો પાડ્યો છે. વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિની બેઠક બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, અશાંતિને કારણે ગલ્ફ ક્ષેત્રમાં રહેતા અંદાજે ૨૩,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ તેમની ધોરણ ૧૦ અને ૧૨ની CBSEની અંતિમ પરીક્ષાઓ આપી શક્યા નથી.વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ અને ઉપાયસમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓની દુર્દશા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય (MEA) અને શિક્ષણ મંત્રાલય વચ્ચે આ મામલે પરામર્શ ચાલી રહ્યો છે. જે વિદ્યાર્થીઓની પરીક્ષા છૂટી ગઈ છે, તેમના માટે સીબીએસઈ દ્વારા ટૂંક સમયમાં 'ઉપચારાત્મક વ્યવસ્થા' (Remedial Arrangement) જાહેર કરવામાં આવશે જેથી તેમનું વર્ષ બગડે નહીં.ઈરાનમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિબેઠકમાં જાણવા મળ્યું હતું કે હજુ પણ અંદાજે ૧,૦૦૦ ભારતીયો ઈરાનમાં રોકાયેલા છે. જોકે, રાહતની વાત એ છે કે આ તમામ નાગરિકો ત્યાંથી નીકળવા માંગતા નથી; ઘણા પોતાની મરજીથી ત્યાં રોકાયા છે. યુએઈ, સાઉદી અરેબિયા અને ઓમાન જેવા દેશોમાંથી કોમર્શિયલ ફ્લાઇટ્સ મર્યાદિત સંખ્યામાં શરૂ હોવાથી હવે 'ફસાઈ રહેવા' જેવી સ્થિતિ ઓછી છે, પરંતુ ગૂંચવણો હજુ પણ યથાવત છે.ઉર્જા સુરક્ષા અને રાજદ્વારી મૌન પર સવાલોસૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. સાંસદોએ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યા અને નાગરિકોના મૃત્યુ પર ભારતના 'મૌન' અંગે તીખા સવાલો કર્યા હતા, પરંતુ મંત્રાલયના અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો. આ ઉપરાંત, હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા પેટ્રોલિયમ જહાજો અને ભારતની ઉર્જા સુરક્ષા પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ટેક ડિપ્લોમસી અને AI પર ચર્ચાબેઠકના બીજા તબક્કામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની અસરો અને ભારતની 'ટેક ડિપ્લોમસી' પર વ્યાપક ચર્ચા થઈ હતી. ગ્લોબલ સાઉથના દેશો સાથે ભારતના સંબંધો મજબૂત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ સભ્યોએ મંતવ્યો રજૂ કર્યા હતા.
8 shares
😢
Akila News logo
Akila News
Mar 19, 2026, 01:29 PM
ગુજરાત બોર્ડે પરીક્ષાઓ પૂર્ણ કરી, વિક્રમી સંખ્યામાં શિક્ષકો સાથે મૂલ્યાંકન શરૂ થયું

ગુજરાત બોર્ડે પરીક્ષાઓ પૂર્ણ કરી, વિક્રમી સંખ્યામાં શિક્ષકો સાથે મૂલ્યાંકન શરૂ થયું

રાજકોટ તા.૧૯: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થતા આજથી ગુજરાતના ૪૫૪ મૂલ્‍યાકંન કેન્‍દ્રો ઉપર ઉતરવહીઓનું મૂલ્‍યાકન શરૂ થશે. બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ મુલ્‍યાંકન કામગીરીમાં જોડાનારા શિક્ષકોના ઓર્ડર પણ ઈશ્‍યૂ કરી દેવામાં આવ્‍યા હતા. આ વખતે બોર્ડની પરીક્ષામાં ઉતરવહી મૂલ્‍યાંકન માટે ૭૫ હજારથી વધુ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. આમ, મોટી સંખ્‍યામાં શિક્ષકો ઉત્તરવહી મૂલ્‍યાંકન કરી વહેલા પરિણામ જાહેર કરશે. ઉત્તરવહી મૂલ્‍યાંકન માટે સમગ્ર રાજ્‍યમાં ૪૫૪ જેટલા મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્રો નક્કી કરવામાં આવ્‍યા છે. મૂલ્‍યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્‍યમાં ૪૫૪ જેટલા મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્રો નક્કી કરવામાં આવ્‍યા છે. આ મૂલ્‍યાંકન કેન્‍દ્રો પર ૩૦ મુખ્‍ય વિષયો-અને ૮૯-માઈનોર વિષય મળી કુલ ૧૧૯ વિષયોની ઉત્તરવહીઓનું સમગ્ર રાજ્‍યમાંથી ૭૫૮૨૧ શિક્ષકોને મૂલ્‍યાંકન કામગીરી માટેના ઓર્ડર ઈશ્‍યૂ કરવામાં આવ્‍યા છે.
62 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 01:27 PM
ચાઇનીઝ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વસંતની રજાઓ દરમિયાન'પ્રેમમાં પડવા'વિનંતી કરી

ચાઇનીઝ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને વસંતની રજાઓ દરમિયાન'પ્રેમમાં પડવા'વિનંતી કરી

નવી દિલ્હી: શિક્ષણ સંસ્થાન આમ તો અભ્યાસ માટે હોય છે પરંતુ ચીનની એક યુનિવર્સિટીએ સ્ટુડન્ટસને પ્રેમમાં પડવાની અપીલ કરી છે. ચીનના સિચુઆન સાઉથવેસ્ટ વોકેશનલ કોલેજ ઓફ એવિએશનમાં પોતાના અધિકૃત વીચૈટ એકાઉન્ટ પર લખ્યું છે કે ૧ થી ૬ એપ્રિલ સુધી વસંત ઋતુના વેકેશનની થીમ છે. આથી ફૂલોનો નિહાળો અને રોમાંસનો આનંદ લો. ચીન જેવા દેશમાં આ પ્રકારના સંદેશ નવાઇ પમાડે તેવા છે કારણ કે ચીનમાં સામાન્ય રીતે અભ્યાસ અને વર્ક પર જ ભાર મુકવામાં આવતો હોય છે.પ્રાપ્ત માહિતી અનુસાર બે સપ્તાહ પહેલા ચીને ઘોષણા કરી હતી કે સ્કૂલોમાં ગરમી અને શરદીના પરંપરાગત વેકેશન ઉપરાંત વસંત અને શરદઋતુઓની રજા પણ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે કર્મચારીઓને ક્રમબદ્ધ રીતે પેડ લીવ આપવી જોઇએ. આનાથી ઘરેલું સ્તર પર માંગ વધશે, જન્મ દર વધશે અને અર્થ વ્યવસ્થાનો ફાયદો થશે. વર્ષ ૨૦૨૫માં ચીનની વસ્તી સતત ચોથા વર્ષે ઘણી હતી. ચીનનો જન્મદર રેકોર્ડ તોડ નીચા સ્તરે જઇ રહી છે. ચીનના નિષ્ણાતો પણ વારંવાર ઘટતા જતા વસ્તીદરને લઇને ચિંતિત રહે છે આથી ચીન આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બની છે. કપલ્સને સંતાનો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે. બાળકો લાલન-પાલન અને સબસીડી જેવી યોજનાઓ સામેલ છે.
39 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 09:48 AM
ગુજરાતનાં વિદ્યાર્થીઓએ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ કાર્યક્રમમાં રાજ્ય પુરસ્કાર જીત્યો

ગુજરાતનાં વિદ્યાર્થીઓએ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ કાર્યક્રમમાં રાજ્ય પુરસ્કાર જીત્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા.૧૮: ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ ભારત સ્‍કાઉટ એન્‍ડ ગાઈડની પ્રવળત્તિઓમાં ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમા ં‘રાજ્‍ય પુરસ્‍કાર'મેળવી સંસ્‍થા,સ્‍કુલ તથા કોલેજનું નામ રોશન કર્યું છે. ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીની ડો.ઈશાબેન મહેતા અને ગુંજન કાથરોટિયા,તેમજ હાલ અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ધીર ભારદ્વાજ,ધ્રુવ ભારદ્રાજ,હેમાંગી ઉનાગર,નિષ્ઠા ચોટલીયા,ખુશી ગોંડલિયા,નમ્રતા કૂકડ,પરમેશ્વરી બસિયા તેમજ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીની માંડવીયા પનસ્‍વી,ખુંટ બંસી,ગેડિયા પ્રિયા,ઠુમ્‍મર કેશવા એ ભારત સ્‍કાઉટ એન્‍ડ ગાઈડની રાજ્‍ય પરીક્ષા પાસ કરી રાજ્‍યના રાજ્‍યપાલ આચાર્ય દેવવતજી ના વરદ હસ્‍તે રાજભવન ગાંધીનગર ખાતે સન્‍માન મેળવ્‍યું હતુ. સંસ્‍થાના વડા પ.પૂ. સંત શ્રી ડો. રતિદાદા એ સન્‍માન પ્રાપ્‍ત કરી પરત આવેલ વિદ્યાર્થીઓનું સ્‍વાગત કરી આશીર્વાદ પાઠવ્‍યા હતા. તેમજ સંસ્‍થાના ડાયરેક્‍ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા શીતલબેન મહેતા,કોલેજના આચાર્ય) ભૂમિકાબેન બાલધા,સ્‍કુલના આચાર્યશ્રી જાની- સાહેબ ઉપર પર અભિનંદનની વર્ષા થઇ હતી. ગાયત્રી એજ્‍યુકેશન ગ્રુપના સમગ્ર સ્‍ટાફ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવા આવી હતી.
84 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 09:30 AM
ફિઝિક્સવાલાને ₹263 કરોડની આવકવેરાની માંગની નોટિસ મળી

ફિઝિક્સવાલાને ₹263 કરોડની આવકવેરાની માંગની નોટિસ મળી

નવી દિલ્‍હી તા.૧૯: એડટેક કંપની ફિઝિક્‍સવાલાને આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂા.૨૬૩.૩૪ કરોડની આવકવેરા માંગણી નોટિસ મળી છે. કંપનીએ જણાવ્‍યું છે કે વિભાગે તે સમયગાળા દરમિયાન રોકાણકારો પાસેથી મળેલા ભંડોળને કરપાત્ર આવક તરીકે ગણ્‍યું છે. એવું અહેવાલ છે કે કંપની આકારણી આદેશને પડકારવાની યોજના બનાવી રહી છે. કંપનીએ બુધવારે સ્‍ટોક એક્‍સચેન્‍જને ફાઇલિગમાં આ વાતનો ખુલાસો કર્યો. કંપનીના જણાવ્‍યા અનુસાર, તેને ૧૬ માર્ચે આકારણી આદેશ અને માંગણી સૂચના મળી હતી. આવકવેરા વિભાગના આકારણી એકમે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪(AY 2023-24)દરમિયાન કંપની દ્વારા મેળવેલા રોકાણોને કરપાત્ર આવક તરીકે ગણ્‍યા છે. આમાંSEBIસાથે નોંધાયેલા કેટેગરીIIવૈકલ્‍પિક રોકાણ ભંડોળ (AIFs) માંથી પ્રાપ્ત ભંડોળનો સમાવેશ થાય છે, જેના કારણે આ નોંધપાત્ર કર માંગ થઈ છે. ફિઝિક્‍સવાલાએ આ બાબતની સ્‍પષ્ટતા કરી છે. કંપનીએ જણાવ્‍યું હતું કે આ કર માંગણી કંપનીની નાણાકીય સ્‍થિતિ, કામગીરી અથવા વ્‍યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર કરશે નહીં. કંપની માને છે કે આ આદેશને પડકારવા માટે તેની પાસે મજબૂત કાનૂની અને તથ્‍યપૂર્ણ આધાર છે અને ટૂંક સમયમાં સંબંધિત અપીલ અધિકારી સમક્ષ તેની સામે અપીલ દાખલ કરશે. ડિસેમ્‍બર ક્‍વાર્ટરમાં કંપનીનો એકીકૃત નફો ૩૩્રુ વધીને રૂા.૧૦૨.૨૭ કરોડ થયો (પાછલા વર્ષના રૂા.૭૬.૭૨ કરોડથી).કામગીરીમાંથી આવક પણ ૩૩% વધીને રૂા.૧,૦૮૨.૪૧ કરોડ થઈ.કંપનીના કુલ પેઇડ યુઝર્સ ૩.૬ મિલિયનથી વધીને ૪.૩૭ મિલિયન થયા છે.
26 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:18 AM
ગુજરાત રાજ્ય માહિતી આયોગે દુરુપયોગની ચિંતા વચ્ચે અરજીઓમાં વધારો જોયો

ગુજરાત રાજ્ય માહિતી આયોગે દુરુપયોગની ચિંતા વચ્ચે અરજીઓમાં વધારો જોયો

અમદાવાદ તા.૧૯: ગુજરાત રાજ્‍ય માહિતી આયોગને મળતી અરજીઓમાં સતત વધારો થઇ રહ્યો છે અને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તમામ વિભાગો અને જાહેર સત્તામંડળોને કુલ ૧,૭૦,૮૬૦ અરજી મળી હતી. જે ગત વર્ષ કરતા ૨૯.૫૬ ટકા વધુ છે. જોકે, સરકારના પાંચ વિભાગો પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને શિક્ષણ વિભાગ સામે સૌથી વધુ ફરિયાદો અને અપીલ થઇ છે, જે કુલ સંખ્‍યાના ૭૨.૪૧ ટકા છે. તો માહિતી અધિકારની અરજી હેઠળ માહિતી નકારવામાં સામાન્‍ય વહીવટ વિભાગ પ્રથમ સ્‍થાને છે. ગુજરાત રાજ્‍ય માહિતી આયોગનો વાર્ષિક અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો હતો. જેમાં ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાન ૫૦૯૩ અપીલ અને ૯૮૭ ફરિયાદો નાણાંકીય વર્ષમાં મળી હતી. નાગરિકોને માહિતી ન મળે કે ખોટી અથવા અધૂરી તેમજ ગેરમાર્ગે દોરનારી મળે ત્‍યારે તેઓ આયોગમાં અપીલ કરતા હોય છે, જોકે, કેટલાક સરકારી વિભાગો માહિતી અધિકાર-RTIઅરજીને ધોળીને પી જતા હોય છે. તેમાં પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને શિક્ષણ વિભાગમાં પંચાયત સામે સૌથી વધુ ૧૪૦૫ અરજી મળી છે. અન્‍ય વિભાગો સામેની મળીને ૫૦૯૩ અપીલ અને ૯૮૭ ફરિયાદો થવા જાય છે. ગત વર્ષ દરમિયાન આયોગને ૧,૩૧,૮૭૫ અરજી મળી હતી. અરજદારોએRTIકરીને માહિતી માગી હોય તેને નકારવામાં સામાન્‍ય વહીવટ વિભાગ કુલ અરજીના ૧૬.૦૨ ટકા સાથે મોખરે છે. તે પછી નાણાં વિભાગ-૧૪.૦૧ ટકા અને કાયદા વિભાગ-૧૨.૦૯ ટકા અરજી નકારી કાઢતા હોય છે. આયોગ દ્વારા આ સમયગાળામાં કુલ ૨૧ કિસ્‍સામાં દંડ કરાયો છે. અનેક કિસ્‍સામાં જાહેર માહિતી અધિકારીને ઠપકા સાથે નાણા વસૂલાતનો દંડ ફટકારાયો છે. દંડની કુલ રકમ રૂ. ૧,૪૧,૭૫૦ થવા જાય છે.
21 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:15 AM
વસ્તી વૃદ્ધિની ચિંતા વચ્ચે ચીની યુનિવર્સિટી વિદ્યાર્થીઓને'પ્રેમમાં પડવા'પ્રોત્સાહિત કરે છે

વસ્તી વૃદ્ધિની ચિંતા વચ્ચે ચીની યુનિવર્સિટી વિદ્યાર્થીઓને'પ્રેમમાં પડવા'પ્રોત્સાહિત કરે છે

બેઇજિંગ તા.૧૯: શિક્ષણ સંસ્‍થાન આમ તો અભ્‍યાસ માટે હોય છે પરંતુ ચીનની એક યુનિવર્સિટીએ સ્‍ટુડન્‍ટસને પ્રેમમાં પડવાની અપીલ કરી છે. ચીનના સિચુઆન સાઉથવેસ્‍ટ વોકેશનલ કોલેજ ઓફ એવિએશનમાં પોતાના અધિકૃત વીચૈટ એકાઉન્‍ટ પર લખ્‍યું છે કે ૧ થી ૬ એપ્રિલ સુધી વસંત ઋતુના વેકેશનની થીમ છે. આથી ફૂલોનો નિહાળો અને રોમાંસનો આનંદ લો. ચીન જેવા દેશમાં આ પ્રકારના સંદેશ નવાઇ પમાડે તેવા છે કારણ કે ચીનમાં સામાન્‍ય રીતે અભ્‍યાસ અને વર્ક પર જ ભાર મુકવામાં આવતો હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર બે સપ્તાહ પહેલા ચીને ઘોષણા કરી હતી કે સ્‍કૂલોમાં ગરમી અને શરદીના પરંપરાગત વેકેશન ઉપરાંત વસંત અને શરદઋતુઓની રજા પણ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે કર્મચારીઓને ક્રમબદ્ધ રીતે પેડ લીવ આપવી જોઇએ. આનાથી ઘરેલું સ્‍તર પર માંગ વધશે, જન્‍મ દર વધશે અને અર્થ વ્‍યવસ્‍થાનો ફાયદો થશે. વર્ષ ૨૦૨૫માં ચીનની વસ્‍તી સતત ચોથા વર્ષે ઘણી હતી. ચીનનો જન્‍મદર રેકોર્ડ તોડ નીચા સ્‍તરે જઇ રહી છે. ચીનના નિષ્‍ણાતો પણ વારંવાર ઘટતા જતા વસ્‍તીદરને લઇને ચિંતિત રહે છે આથી ચીન આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બની છે. કપલ્‍સને સંતાનો પેદા કરવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવી રહયા છે. બાળકો લાલન-પાલન અને સબસીડી જેવી યોજનાઓ સામેલ છે
46 shares
😐
Akila News logo
Akila News
Mar 19, 2026, 05:14 AM
જી. એસ. એચ. એસ. ઇ. બી. એ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી

જી. એસ. એચ. એસ. ઇ. બી. એ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ કરી

અમદાવાદ તા.૧૯: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પૌરણ-૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષા બુધવારે વિધિવત રીતે પૂર્ણ થઈ છે. છેલ્‍લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા આ રશૈક્ષણિક મહાકુંભમાં રાજ્‍યના અંદાજે ૧૫.૨૮ લાખ વિદ્યાર્થીએ પોતાની કારકિર્દીની મહત્ત્વની પરીક્ષા આપી હતી. બુધવારે અંતિમ પેપર પૂર્ણ થતાં જ પરીક્ષા કેન્‍દ્રોની બહાર વિદ્યાર્થીઓના ચહેરા પર રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી. રાજ્‍યમાં ૨૬ ફેબ્રુઆરીથી પોરણ-૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષા શરૂ થઈ હતી. આ પરીક્ષાઓમાં પોરણ-૧૦ના ૯.૦૭ લાખ અને પોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહના ૫.૦૧ લાખ વિદ્યાર્થી માટે બુધવારે છેલ્‍લો દિવસ હતો. જ્‍યારે પોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૬ માર્ચના રોજ જ પૂર્ણ થઈ ગઈ હતી. રાજ્‍યભરના ૧૭૦૧ સેન્‍ટરો અને ૫૫૬૫ સ્‍કૂલોમાં યોજાયેલી આ પરીક્ષામાં છેલ્‍લા દિવસે વિદ્યાર્થીઓ ખુશખુશાલ બહાર નિકળ્‍યા હતા. આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે ખાસ વ્‍યવસ્‍થા કરાઈ હતી. ૫૩,૭૬૪ વર્ગખંડો ઘ્‍ઘ્‍વ્‍સ્‍ કેમેરાથી સજ્જ હતા. પ્રશ્નપત્રોના ટ્રેકિગ માટે લોન્‍ય કરાયેલી ખાસ એપ્‍લિકેશનને કારણે પેપર લીક જેવી ઘટનાઓ પર રોક લગાવી શકાઈ છે. મોર્ડના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, છૂટાછવાયા ચોરીના કેસો સિવાય સમગ્ર રાજ્‍યમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરી પર ધ્‍યાન કેન્‍દ્રીત કરાયું છે.
62 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 19, 2026, 12:13 AM
સરકારી શાળાને ખાનગી શાળા તરફથી લાઉડસ્પીકર અવાજની ફરિયાદો અંગે નોટિસ મળી

સરકારી શાળાને ખાનગી શાળા તરફથી લાઉડસ્પીકર અવાજની ફરિયાદો અંગે નોટિસ મળી

મુખ્યમંત્રીએ જે શાળાને પ્રેરણા ગણાવી તે સરકારી શાળા કવિ દુલા કાગને ખાનગી શાળાને ઇશારે ડીઇઓ-શાસનાધિકારીએ નોટિસ આપી છે. સરકારી શાળાને સરકારી તંત્રની નોટિસ મળ્યાનો કિસ્સો બન્યો છે. કવિ દુલા કાગને અડીને આવેલા ગુરુકૂળ વિદ્યાલયે પ્રાર્થનામાં સ્પીકર જોરથી વ હરણી-વારસિયા રિંગ રોડ પર શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા કાગ શાળા રાજ્યભરમાં રોલ મોડલ સમાન છે. આ શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું વેઇટિંગ હોય છે તેમજ ધારાસભ્યો અને કાઉન્સિલરો ભલામણપત્રો લખી આપતા હોય છે ત્યારે આ શાળાને નોટિસ અપાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કવિ દુલા કાગ શાળાની દીવાલને અડીને ખાનગી શાળા ગુરુકૂળ વિદ્યાલય આવેલી છે. તેના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરાઈ હતી કે, કવિ દુલા કાગ શાળા દ્વારા લાઉડ સ્પીકર જોર જોરથી વગાડાય છે. જે સંદર્ભે ઇ.ડીઇઓ મહેશ પાંડેએ શિક્ષણ સમિતિના શાસનાધિકારી વિપુલ ભરતિયા પાસે ગુરુકૂળ વિદ્યાલયના ફરિયાદ સંદર્ભે જવાબ માગ્યો હતો. જેથી શાસનાધિકારીએ કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ મોકલી 3 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું હતું. શાળામાં ખાનગી શાળા કરતાં વધારે સુવિધા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી અરજી આવી હતી, જવાબની પ્રક્રિયા કરી છેઅરજદારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અરજી કરી હતી. જેને ડીઇઓએ સમિતિમાં મોકલી હતી. જેથી પ્રક્રિયાના ભાગરૂપે શાળા પાસેથી માત્ર જવાબ લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે.> વિપુલ ભરતિયા, શાસનાધિકારી શાળાએ ડીઇઓમાં અરજી કરી હતી, તે શાસનાધિકારીને તબદીલ કરી છેગુરુકૂળ વિદ્યાલયે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કવિ દુલા કાગ શાળા લાઉડ સ્પીકર જોર જોરથી વગાડતી હોવાની અરજી કરી હતી. જોકે સમિતિની સ્કૂલ હોવાથી તે અરજીને શાસનાધિકારીને તબદીલ કરી છે.> મહેશ પાંડે, ઇ. ડીઇઓ નવા સત્ર માટે કવિ દુલા કાગમાં 124 વિદ્યાર્થીના પ્રવેશનું વેઇટિંગખાનગી શાળાની જેમ કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં પ્રથમવાર ડિસેમ્બર-2025માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. દર વર્ષે પ્રવેશના ધસારાના પગલે વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ હતી. બાલવાટિકાથી ધો.8 સુધીમાં 259 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા છે. જ્યારે 124 વિદ્યાર્થીઓનું વેઇટિંગ છે. કવિ દુલા કાગમાં 1031 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે સમિતિની તમામ શાળાઓમાં સૌથી વધારે છે. કવિ દુલા કાગ પ્રાથમિક શાળાને 3 દિવસમાં ખુલાસો આપવા જણાવાયુંશાસનાધિકારીએ કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના આચાર્યને જે નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગુરુકૂળ વિદ્યાલયે કરેલી અરજી સંદર્ભથી તમને જાણ કરવામાં આવે છે કે, શાળા દ્વારા વારંવાર રજૂઆત છતાં લાઉડ સ્પીકર જોર જોરથી વગાડવા સંદર્ભે ફરિયાદ કરવામાં આવેલી છે. જે બાબતોનો ખુલાસો 3 દિવસમાં કરવાનો રહેશે.
93 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 18, 2026, 10:54 PM
યુજીસીએ ડિગ્રી હાંસલ કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને આવશ્યક માપદંડ તરીકે રજૂ કર્યું

યુજીસીએ ડિગ્રી હાંસલ કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને આવશ્યક માપદંડ તરીકે રજૂ કર્યું

દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) માં હવે માત્ર પુસ્તકિયા જ્ઞાનથી ડિગ્રી નહીં મળે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને શિક્ષણનો અનિવાર્ય હિસ્સો બનાવી દેવાયો છે. નવી ર UGC એ ચિંતા વ્યક્ત કરી છે કે, કોલેજોમાં રમતગમતની ફી લેવાય છે, પરંતુ માત્ર 1થી 2% વિદ્યાર્થીઓ જ તેનો લાભ લે છે. આથી હવે શારીરિક પ્રવૃત્તિને ઈવેલ્યુએશન પ્રોસેસ સાથે જોડી દેવામાં આવી છે. વિદ્યાર્થીની શક્તિ, સહનશક્તિ અને સંકલન ક્ષમતાના આધારે તેને આગામી સેમેસ્ટરમાં પ્રમોશન આપવામાં આવશે. શારીરિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થી સમાજ માટે જવાબદારી (Liability) સમાન છે તેવું બોર્ડનું માનવું છે. કેમ્પસમાં રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે, નેતૃત્વ જેવા ગુણો વિકસશેયુજીસી દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર (SSC)’ ની સ્થાપના અને શારીરિક પ્રવૃત્તિને ક્રેડિટ સિસ્ટમ સાથે જોડવાની ગાઈડલાઈન એક ઐતિહાસિક નિર્ણય છે. આજના યુગમાં માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને જીવનકૌશલ્ય પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. આ પગલાંથી કેમ્પસમાં રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે, વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમસ્પિરિટ અને નેતૃત્વ જેવા ગુણો વિકસશે. ભણતર સાથે ફિટનેસને અનિવાર્ય બનાવવાનો આ પ્રયાસ દેશને સ્વસ્થ, સશક્ત અને સક્રિય યુવા પેઢી આપશે. શારીરિક શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે હું માનું છું કે આ નિર્ણય દેશના ઉચ્ચ શિક્ષણમાં ‘ફિટનેસ અને વેલનેસ’ને નવી દિશા આપનાર માઈલસ્ટોન સાબિત થશે. - ડૉ. હરિશ રાબા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એક્સપર્ટ સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર (SSC): માનસિક તણાવનું વન-સ્ટોપ સોલ્યુશન કોલેજોમાં મળશેદરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ હવે એક ‘સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર’ બનાવવું પડશે જે સિંગલ-વિન્ડો સિસ્ટમ તરીકે કામ કરશે. આ સેન્ટરમાં મનોવિજ્ઞાન અને શારીરિક શિક્ષણના નિષ્ણાત કાઉન્સેલર્સ રહેશે જે વિદ્યાર્થીઓને એકેડેમિક પ્રેશર, ડિપ્રેશન અને કરિયરની મૂંઝવણોમાં મદદ કરશે. આ સેન્ટર ઓનલાઇન અને ટેલિફોનિક હેલ્પલાઇન દ્વારા પણ સેવા આપશે. કેમ્પસમાં હવે જીમ, યોગા સેન્ટર, સ્પોર્ટ્સ સુવિધાઓ, સેલ્ફ-ડિફેન્સ ટ્રેનિંગ ફરજિયાતમાર્ગદર્શિકા મુજબ, કોલેજોએ અત્યાધુનિક જિમ્નેશિયમ, યોગ સેન્ટર અને ઈન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવી પડશે. ખાસ કરીને ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે સેલ્ફ-ડિફેન્સ (સ્વ-બચાવ)ની તાલીમ નિયમિત ધોરણે યોજવી પડશે. આ ઉપરાંત, સંસ્થાઓએ AIIMS જેવી પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાઓ સાથે MOU કરવા પડશે જેથી જરૂર પડ્યે વિદ્યાર્થીઓને નિષ્ણાત સારવાર મળી રહે.
16 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 18, 2026, 10:44 PM
નર્મદા જિલ્લામાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાની નજીક

નર્મદા જિલ્લામાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાની નજીક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં ધોરણ-10 અને ધો. 12ની જાહેર પરીક્ષાઓ હવે પૂર્ણતાના આરે છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ સોમવારે ધોરણ 12 સામાન્યપ્રવાહ ઈતિહાસ વિષયમાં નોંધાયેલા તમામ 81 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેવી જ રીતે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં નોંધાયેલા કુલ 7,299 વિદ્યાર્થીઓ પૈકી 7123 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 176 વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઈ હતી. નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાઓ સંપન્ન થવાના આરે પહોંચી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ગેરરિતીનો કેસ નોંધાયો નથી. આદિવાસી બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લામાં ધીમે ધીમે શિક્ષણના સ્તરમાં સુધારો આવી રહયો છે.
49 shares
😐
D
Divya Bhaskar
Mar 18, 2026, 10:04 PM
જોસાએ છઠ્ઠા રાઉન્ડ બાદ આઈઆઈટી ગાંધીનગરનું સમાપન રેન્ક જાહેર કર્યું

જોસાએ છઠ્ઠા રાઉન્ડ બાદ આઈઆઈટી ગાંધીનગરનું સમાપન રેન્ક જાહેર કર્યું

દેશની અગ્રણી આઈઆઈટી સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરનારી એજન્સી JOSSA (જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી)-2025એ છઠ્ઠા રાઉન્ડ બાદની આઇઆઈટી ગાંધીનગરના સત્તાવાર કલોઝિંગ રેન્ક જાહેર કર્યાં છે. જેમાં પ્રથમ 2000 વિદ્યાર્થીની પ્રથમ પસંદ આઈઆઈટી ગાંધીનગરની કમ્પ્યુટ 21મી સદીના હાઈટેક યુગમાં કમ્પ્યુટર સાયન્સ સૌથી સ્પર્ધાત્મક શાખા રહી છે, જેમાં ઓપન કેટગરી માટે ક્લોઝિંગ રેન્ક વિદ્યાર્થીનો 2020 અને વિદ્યાર્થિનીનો 4811 રહ્યો છે. રાઉન્ડ-6 આઈઆઈટી માટેનો અંતિમ રાઉન્ડ છે, એસઈ-એસટી-ઓબીસી,એનસીએલ (નોન ક્રિમિલેયર) અને મહિલા શ્રેણી માટે અંતિમ રેન્ક બદલાય છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ jossa.nic.in પર ચોક્કસ કેટેગરી અને પસંદગીની શાખા વિગતવાર જોઈ શકાશે. જાહેર કરાયેલા કટ ઓફ વિવિધ એન્જિનિયરિંગ શાખા અને વિવિધ કેટેગરી માટે અલગ અલગ રહ્યા છે. મુખ્ય કોર્સની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત રાઉન્ડ છ પછીના ઓપન કેટેગરીના અંતિમ રેન્ક અહીં દર્શાવાયા છે. ટોપ થ્રી પસંદગી: ઈલે, કમ્પ્યુટર, AI-MLદેશની 20થી વધુ IIT સહિતની ઈજનેરી સંસ્થાના વિદ્યાર્થીઓની ટોપ થ્રી પસંદગી કમ્પ્યુટર, AI-ML, ઈલેકટ્રિકલ બ્રાન્ચ છે. નોકરી-વ્યવસાયમાં ઉજ્જવળ કેરિયર ઘડતરની ગેરન્ટી આપતી આ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધુ ધસારો જોવા મળે છે. IIT-GNમાં મહત્વની બ્રાન્ચમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનો કટઓફ બ્રાન્ચ વિદ્યાર્થી વિદ્યાર્થિની 1 કમ્પ્યુટર સાયન્સ 2020 4811 2 એઆઈ 2236 5962 3 ઈલેકટ્રિકલ 393 9923 4 મિકેનિકલ 690 14147 5 કેમિકલ 9276 16100 6 સિવિલ 10796 17377 7 મટીરિયલ્સ 11066 19655 ક્લોઝિંગ રેન્કમાં છોકરાઓની તુલનામાં છોકરીઓ ફાવી ગઈ‘ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં છોકરાઓની તુલનામાં છોકરીઓને વધુ ફાયદો જોવા મળ્યો છે. કમ્પ્યુટર સાયન્સમાં ક્લોઝિંગ રેન્ક છોકરાંઓનો 2020 અને છોકરીઓનો 4811 છે. પ્રતિ વર્ષ IITમાં છોકરા-છોકરીના એડમિશનને બેલેન્સ કરવા કરાયું છે. IIT-GNમાં કમ્પ્યુટર, AI-MLના કોર્સ ભણાવાય છે, તેમાં પ્રવેશમાં નોંધપાત્ર ક્રેઝ દેખાય છે.’ -ડો.એસ. કે વિજય, જેઈઈ કોચિંગ એક્સપર્ટ
72 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 18, 2026, 10:02 PM
જુનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ, પેપર ચેકિંગ શરૂ થશે

જુનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ, પેપર ચેકિંગ શરૂ થશે

જૂનાગઢ સહિત રાજ્યભરમાં તારીખ 18 માર્ચના રોજ ઇતિહાસ અને સમાજના અંતિમ પેપર બાદ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ છે. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12ના મળી કુલ 13 મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો પર પેપર ચેકીંગ થનાર છે. શિક્ષણાધિકારી કચેરીએથી મળતી માહિતી મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા જ તારીખ 19 માર્ચથી જૂનાગઢ જિલ્લામાં પણ વિવિધ કેન્દ્રો પર બોર્ડના પેપર ચેકીંગ શરૂ થવાના છે. જેમાં ધોરણ 10માં 6 મધ્યસ્થ મુલ્યાંકન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 મધ્યસ્થ મુલ્યાંકન અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2 મધ્યસ્થ મુલ્યાંકનમાં પેપર ચેકીંગ થશે. સમાજના પેપરમાં 96 ટકા અને ઇતિહાસમાં 95 ટકા છાત્રો હાજર તારીખ 18 માર્ચના રોજ ધોરણ 10માં સમાજ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસના અંતિમ પેપર બાદ પરીક્ષા પૂર્ણ થઇ છે. જેમાં ધોરણ 10માં 18984માંથી 18326 હાજર, 658 ગેરહાજર તેમજ ધો.12માં 170 વિદ્યાર્થીમાંથી 163 હાજર અને 7 ગેરહાજર રહ્યા હતા.
32 shares
😐
D
Divya Bhaskar
Mar 18, 2026, 10:02 PM
આદિવાસી વિસ્તારને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની મરામત ન થવાને કારણે અવરજવરમાં સમસ્યા ઊભી થાય છે

આદિવાસી વિસ્તારને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની મરામત ન થવાને કારણે અવરજવરમાં સમસ્યા ઊભી થાય છે

શામળાજી તાલુકાના વાદિયોલ આંગણવાડીથી કાદવીયા આદિવાસી વિસ્તાર થઈ નેશનલ હાઈવેને જોડતો ચાર કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી કાચો હોવાના કારણે સ્કૂલમાં અવરજવર કરતા બાળકો અને ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તા અંગે કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાવતા ગ્રામ પંચાયતના સરપંચ રાહુલભાઈ ગામેતીએ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના સચિવ લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, કાચા રસ્તાને પાકો ડામર રોડ બનાવવા માટે જોબ નંબર ફાળવવા બાબતે તારીખ 12 માર્ચ 2026ના રોજ રજૂઆત કરી છે. ગ્રામ પંચાયત સત્તાવાળાઓ અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ચાર કિલોમીટર લંબાઇ ધરાવતો રસ્તો પાકો બનાવવા માટે અગાઉ અનેક વખત વિભાગીય તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં રસ્તાનું ડામર કામ મંજૂર કરવામાં ન આવતા રસ્તો કાચો હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. ગ્રામજનોને હાઇવે સુધી પહોંચવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા અગાઉ આ રસ્તો પાકો બનાવવામાં આવે તેવી ગ્રામ પંચાયત સત્તાવાળાઓ અને ગામજનો દ્વારા રજૂઆત કરી માગણી કરવામાં આવી છે. ખેડબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીના કાર્યાલય ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે.
17 shares
😢
A
Akila News
Mar 18, 2026, 10:25 AM
અમદાવાદની શાળાઓ અને વિધાનસભા સંકુલને ધમકીભર્યા મેઇલ મોકલ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદની શાળાઓ અને વિધાનસભા સંકુલને ધમકીભર્યા મેઇલ મોકલ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી

વિધાનસભા બાદ અમદાવાદની શાળાઓને પણ ઉડાવી દેવાની ધમકી આજે સવારે ગાંધીનગર વિધાનસભા સંકુલને ઉડાવી દેવાની ધમકી મળ્‍યા બાદ અમદાવાદની મહારાજા અગ્રેસર અને કેલોરેક્‍સ સ્‍કૂલને ધમકી ભર્યો મેલ મળતા સ્‍થાનિક પોલીસે તપાસ ચાલુ કરી છે. (વિજય વસાણી અકિલા)
12 shares
😢
Sandesh logo
Sandesh
Mar 18, 2026, 02:04 AM
ગુજરાત ટેકનિકલ કોલેજોની ફીમાં 5 ટકાનો વધારો, કેટલાક અભ્યાસક્રમો ₹1 લાખ સુધી પહોંચ્યા

ગુજરાત ટેકનિકલ કોલેજોની ફીમાં 5 ટકાનો વધારો, કેટલાક અભ્યાસક્રમો ₹1 લાખ સુધી પહોંચ્યા

FRC (ટેકનિકલ) દ્વારા ગુજરાતની ૫૨૨ ટેકનિકલ કોલેજોની વર્ષ ૨૦૨૬-૨૭થી ત્રણ વર્ષ માટેની વાર્ષિક ફી જાહેર કરવામાં આવી છે. આ કોલેજોની ફીમાં ૫ ટકાની મર્યાદામાં વધારો આપવામાં આવ્યો છે. મંજૂર થયેલા ફી માળખામાં ૧૧૧ જેટલી કોલેજોના યુજી-પીજી કોર્સમાં ૧ લાખથી વધુ ફી મંજૂર કરવામાં આવી છે. એ સિવાય રાજ્યની ૧૦૩ કોલેજોએ ૫ ટકાથી વધુનો ફી વધારો કરવા માટે કમિટી સમક્ષ દરખાસ્ત કરી છે, જેનું ફી માળખું આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજ્યની ફી નિયમન સમિતિ (ટેકનિકલ) દ્વારા સ્વનિર્ભર ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૨૮-૨૯ના ત્રિ-વાર્ષિક ગાળા માટે ફી જાહેર કરાઈ છે. જે સંસ્થાઓએ ચાલુ ફી માળખામાં પ% થી ઓછો વધારો માંગ્યો હતો, તેવી ૫૨૨ સંસ્થાઓની ફી ૧૭ માર્ચ, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in જુઓ. •ટ્રેન નંબર 12993 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 20, 27 માર્ચ; 3, 10, 17, 24 એપ્રિલ; 1, 8 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે •ટ્રેન નંબર 12994 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 23, 30 માર્ચ; 6, 13, 20, 27 એપ્રિલ; 4, 11 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. •ટ્રેન નંબર 22973 ગાંધીધામ–પુરી એક્સપ્રેસ 18, 25 માર્ચ; 1, 8, 15, 22, 29 એપ્રિલ; 6, 13 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે •ટ્રેન નંબર 22974 પુરી–ગાંધીધામ એક્સપ્રેસ 21, 28 માર્ચ; 4, 11, 18, 25 એપ્રિલ; 2, 9, 16 મે 2026ના રોજ સાક્ષીગોપાલના બદલે માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં ડોકટર સાથે હનીટ્રેપની ઘટના, યુવતીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતા નોંધાયો ગુનો શહેરના વાસણા રોડના એક તબીબ સોશ્યલ મિડિયાથી પરીચયમાં આવેલી યુવતીને કારમાં બેસાડીને જઈ રહ્યાં હતા ત્યારે પોલીસના સ્વાંગમાં આવેલા ભેજાબાજોએ નકલી આઈ કાર્ડ બતાવીને ડ્રગ્સ કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. તમારી સાથેની યુવતી ડ્રગ્સના ડિલીંગ કરે છે તેમ પણ સંડોવાયેલા છો તેવી ધમકી આપીને રૂ. ૬.૧૦ લાખ બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. કપુરાઈ પોલીસે આ મામલે એફ. આઈ.આર. નોંધીને નકલી પોલીસની ટોળકીની શોધખોળ શરુ કરી છે. આ કિસ્સામાં ભોગ બનનાર વ્યકિત શહેરના એક તબીબ છે. થોડાક દિવસ પૂર્વે સોશ્યલ મિડિયાના માધ્યમથી કૃપાલી પટેલ નામની યુવતી સાથે પરિચયમાં આવ્યા હતા. તા. ૪થી ફેબ્રુઆરીએ ડૉકટર સયાજીપુરા વિસ્તારમાં યુવતીને મળ્યા હતા યુવતી કારમાં બેઠી હતી. કારને કેનાલ તરફ લઈ જવા કહ્યું હતુ. કેનાલ પાસે અજાણ્યા શખસો આવ્યા હતા આ પૈકીના એક વ્યકિતએ પોલીસ તરીકે ઓળખ આપીને આઈ કાર્ડ બતાવ્યુ હતુ. તમારી સાથેની આ કૃપાલી ડ્રગ્સનો ધંધો કરે છે તમને બંને જણાને એરેસ્ટ કરવાના છે જણાવીને મારઝુડ કરી હતી. આખો દિવસ ડૉકટરને બાનમાં રાખીને સાથે ફર્યા હતા ઘરેથી ચેક બુક લઈ આવીને બેંકમાં ગયા હતા. ચેક ઉપર સેલ્ફ લખીને ખાતામાંથી રૂ. ૬ લાખ ઉપાડીને કહેવાતી પોલીસને આપ્યા હતા. તા. ૪થી ફેબ્રુઆરીએ આ ઈશ્યુ પુરો થયો નહતો. તેના થોડાક દિવસ પછી આરોપીઓની ટોળકી પુનઃ ડોકટરને મળી હતી અને કૃપાલીએ આપઘાત કર્યો છે તેવી કહાની ઉપજાવી કાઢીને ફરી વખત ઝાસામાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો. ગભરાયેલા ડૉકટરે ઉચ્ચ પોલીસ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. જે આધારે આરોપી તરીકે કૃપાલી પટેલ, મહાદેવ, પ્રકાશ પટેલ (અમદાવાદ), બે અજાણ્યા શખસો તથા રાજકોટ પાસીંગવાળી કારમાં આવેલા બીજા અજાણ્યા શખ્સો સામે કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે. આ પણ વાંચો : Railway News : ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 300 કિમીથી વધુ વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રીઅશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે, મુંબઈ ઉપનગરીય નેટવર્કને મજબૂત બનાવવા માટે 238 નવી ઉપનગરીય ટ્રેનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમની સુવિધા હશે. તેમણે વધુમાં જણાવ્યું કે મુંબઈ ઉપનગરીય સેવાઓમાં મુસાફરોને રાહત આપવા માટે સરકાર દ્વારા અંદાજે ₹3000 કરોડની વધારાની સબસિડી આપવામાં આવી રહી છે. રેલ મંત્રીએ ગુજરાત સંબંધિત માહિતી આપતા જણાવ્યું કે મુંબઈ–અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 300 કિમીથી વધુ વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને પિયર નિર્માણ, ટ્રેક પાથરવાની તથા સ્ટેશનોના વિકાસનું કામ ચાલુ છે. સાથે જ, ભારતની પ્રથમ અંડરસી રેલ ટનલ પર પણ કામ પ્રગતિ પર છે. તેમણે આગળ જણાવ્યું કે, પ્રોજેક્ટમાં 435 કિમી ફાઉન્ડેશન કામ, 338 કિમી ગર્ડર ઇન્સ્ટોલેશન અને 168 કિમી ટ્રેક પાથરવાનું કામ પૂર્ણ થયું છે તથા ઓએચઈ ઇન્સ્ટોલેશનનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ સાથે જ વાપી, બિલીમોરા, સુરત અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સહિતના અનેક સ્ટેશનોનું કામ ઝડપથી પૂર્ણતા તરફ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ અનેક નદીઓ પરના પુલોના નિર્માણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ભરુચ, વડોદરા, આનંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વિસ્તારોમાં કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલ મંત્રીએ વધુમાં માહિતી આપી કે સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે નવી રેલવે લાઇનોના સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં કચ્છ વિસ્તારમાં દેશલપરથી હાજીપીર અને વાયોરથી લખપત સુધી કનેક્ટિવિટી વિકસાવવાની યોજના સામેલ છે. તેમણે જણાવ્યું કે આ પહેલોથી આધુનિક કનેક્ટિવિટી મજબૂત બનશે અને મુસાફરોને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને ઉત્તમ પ્રવાસનો અનુભવ મળશે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો
7 shares
😐
Sandesh logo
Sandesh
Mar 18, 2026, 12:54 AM
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે GUJCET પરીક્ષા પૂર્ણ; હોલ ટિકિટ જાહેર

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે GUJCET પરીક્ષા પૂર્ણ; હોલ ટિકિટ જાહેર

ધો.12 વિજ્ઞાન પ્રવાહની લેખિત અને પ્રાયોગિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ મંગળવારથી ઓનલાઈન જાહેર કરી દેવાઇ છે. ત્યારે સાબરકાંઠામાં આગામી તા.29 માર્ચના રોજ 16 કેન્દ્રો પર અંદાજે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં ધો.10 અને 12ની પરીક્ષાઓ સંપન્ન થઈ ચુકી છે ત્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટની પરીક્ષા આપવી અનિવાર્ય છે. દરમિયાન સાબરકાંઠામાં તા.29 માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા અંતર્ગત હિંમતનગર ઝોનના 16 પરીક્ષા કેન્દ્રોમાં 157 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગુજકેટની આ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના અંદાજે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે તે પૈકી ગ્રુપ-છના 914, ગ્રુપ-મ્માં 2145 જયારે ગ્રુપ-છમ્માં 12 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટની આ પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેશે. જેમાં કુલ 80 પ્રશ્નો (40 ભૌતિક વિજ્ઞાન અને 40 રસાયણ વિજ્ઞાન) પૂછાશે, જેના માટે 120 મિનિટનો સમય ફાળવાશે. જોકે જીવવિજ્ઞાન અને ગણિતના પ્રશ્નપત્રો અલગ-અલગ રહેશે અને દરેક માટે 60 મિનિટનો સમય અપાશે. પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્ર્રેજી એમ ત્રણેય માધ્યમમાં લેવાશે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અપહરણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં ફિલ્મી ઢબે એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અજાણ્યા લોકોએ યુવકને જબરદસ્તી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ યુવકને આગોલ ગામ નજીક ખેતરમાં ગોંધી રાખ્યો હતો. તેની પાસેથી 3500 રૂપિયા પડાવી લેવાયા હતાં. ત્યાર બાદ તેને છોડી દેવાયો હતો. કડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના કડીમાં 19 વર્ષના યુવકનું કેટલાક અજાણ્યા શખ્સોએ સ્કોર્પિયો કારમાં ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. નંબર પ્લેટ વિનાની બે કાળા કલરની સ્કોર્પિયો કારમાં અપહરણ કરનારા શખ્સો આવ્યા હતાં. લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે આવેલા ત્રણ શખ્સોએ સાહિલ નાગોરી નામના યુવકનું અપહરણ કર્યું હતું. પોલીસના ડરથી અપહરણ કરવામાં આવેલા યુવક પાસેથી 3500 રૂપિયા પડાવીને છોડી દેવામાં આવ્યો હતો. નંદાસણ રોડ પર જે કે પાર્લર પાસે થયેલી બબાલ બાબતે પુછપરછ કરવા માટે યુવકને ઉઠાવી લેવાયો હતો. યુવકના મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢી નાંખી આગોલ ગામ નજીક ખેતરમાં લઈ જઈને ગોંધી રાખ્યો હતો. અપહરણ દરમિયાન યુવકના ખિસ્સામાંથી 3500 રૂપિયા પડાવી લેવાયા હોવાની વિગતો પણ સામે આવી છે. કડી પોલીસે બે સ્કોર્પિયો કાર ચાલક અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો અમદાવાદમાં કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, સિંધુભવનમાં કોમો બાય કાફેની બેદરકારી સામે આવી છે જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતા ચકચાર મચી છે, શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કાફેમાં કર્યો હોબાળો અને ગ્રાહકને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી આપી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદના મોંઘા અને જાણીતા કેફેની સ્વચ્છતા પર ઉઠ્યા સવાલ અને સિંધુભવન રોડના મોંઘાદાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, કોમો બાય કાફામાં પાસ્તા સાથેની ગાર્લિક બ્રેડમાં મરેલી માખી મળી આવી હતી અને માખી જોઈને શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કર્યો હોબાળો અને કેફે સ્ટાફે માફી માંગી અને બિલ ન લઈ મામલો શાંત કર્યો હતો પરંતુ આ મામલે ગ્રાહકે અમદાવાદ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી, રૂ.850ના ઓર્ડરમાં આવી બેદરકારી સામે ઉઠ્યા સવાલ. ‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે, મળતી માહિતી પ્રમાણે ગ્રાહકે પાસ્તાની સાથે ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી અને ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી જેને લઈ ગ્રાહકનો પિત્તો ગયો હતો અને તેણે હોબાળો કર્યો હતો, તો સ્ટાફ દોડી આવ્યો હતો અને ગ્રાહકને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ગ્રાહક માન્યો ન હતો અને તેણે ફરિયાદ કરી હતી કોર્પોરેશનમાં, તો કોર્પોરેશને આ મામલે હજી કેફે સામે કોઈ પગલા લીધી નથી. આ પણ વાંચો : Gandhinagar News : દેશના કુલ દરિયાઈ વેપારનો 40 ટકાથી વધુ હિસ્સો ગુજરાતના ફાળે ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. 18થી 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હોવાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત જોવા મળી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ છે. જેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સાંજ સુધીમાં પવન ફૂંકાશે. આકાશ વાદળછાયુ રહેશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીમાં રાહત મળશે. આવતી કાલે પશ્ચિમી વિક્ષેપ વધુ સક્રિય બનવાથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબીમાં વરસાદનું એલર્ટ અપાયું છે. 19 અને 20 માર્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં આજે ગરમીથી આંશિક રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલા અને ભુજમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી અને અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ પણ વાંચોઃ Gujarat News: વિધાનસભા બાદ અમદાવાદની પાંચ સ્કૂલો સહિત મુંદ્રા પોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગુજરાતમાં સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આજે સત્ર શરૂ થાય તે પહેલા જ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા મેઈલને પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા વિધાનસભામાં તપાસ શરૂ કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પણ પાંચ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. બોર્ડની પરીક્ષાનું પેપર હોવાથી આ પ્રકારની ધમકી મળતાં પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદમાં મહારાજા અગ્રસેન અને આનંદ નિકેતન સહિત સંત કબિરની ત્રણ અલગ અલગ સ્કૂલ અને શાહીબાગની આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યાં છે. 10માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્કૂલમાં અન્ય ધોરણમાં ભણતા બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છમાં મુંદ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલીસ્તાન સમર્થન દ્વારા ધમકી આપવામાં આવી છે. મુંદ્રા પોર્ટ અને એલપીજી ટેન્કર્સ પર પણ હુમલાની ધમકીઓ આપવામાં આવી છે. કચ્છના પોર્ટ વિસ્તારને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ પ્રકારના સતત આવી રહેલા મેઈલને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. એક તરફ બોર્ડની પરીક્ષા પણ ચાલુ હોવાની વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગુજરાતના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન બંદર પ્રભાગનું રૂ. ૩૨૨.૯૯ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં આવેલા અંદાજે કુલ ૧૧,૦૯૮ કિમી લાંબા દરિયા કિનારામાંથી ૨,૩૪૦ કિમી જેટલો દરિયાકાંઠો ગુજરાત રાજ્યમાં આવેલો છે. આજે ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પણ તે ભારતનું 'મેરીટાઇમ ગેટવે' છે. વિકાસની રાજનીતીમાં માનનારા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી આયોજનના પરિણામે આજે રાજ્યના લાખો યુવાનોને રોજગારી, હજારો ઉદ્યોગોની સપ્લાય ચેઈન અને ભારતના વૈશ્વિક વેપારના પાયાને મજબૂત કરવામાં ગુજરાતનું બંદર પ્રભાગ મહત્વનો ફાળો આપી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે, જ્યારે પશ્ચિમના દેશો સભ્યતા શીખી રહ્યા હતા, ત્યારે હડપ્પીય સંસ્કૃતિના સમયમાં આપણા પૂર્વજોએ લોથલ ખાતે વિશ્વનું પ્રથમ ટાઈડલ ડોકયાર્ડ’ બનાવ્યું હતું. તે સમયે મેસોપોટેમિયા અને ઈજિપ્ત સુધી આપણા વહાણો ‘સીલ’ (કરન્સી) સાથે વેપાર કરતા હતા. મધ્યકાળમાં સુરત અને ખંભાત જેવા બંદરો ‘ચોર્યાસી બંદરના દીવા’ કહેવાતા, જ્યાં દુનિયાભરના દેશોના ચલણ અને સંસ્કૃતિનો સંગમ થતો હતો. પરંતુ આઝાદી પછીના દાયકાઓમાં આપણે આપણી આ વિરાસતને ભૂલી ગયા હતા. મંત્રીએ ઉમેર્યું કે, પરિવર્તન ત્યારે આવ્યું, જ્યારે વર્ષ ૨૦૦૧માં રાજ્યની ધૂરા નરેન્દ્ર મોદીએ સંભાળી. તેમણે ગુજરાતના ૧,૬૦૦ કિમી (હાલ ૨૩૪૦ કિમી) લાંબા દરિયાકિનારાને 'આફત' નહીં પણ 'અવસર' તરીકે જોયો. તેમણે ‘પોર્ટ લેડ ડેવલપમેન્ટ -બંદર આધારિત વિકાસની જે દૂરંદેશી દાખવી, તેના પરિણામે આજે દેશના કુલ દરિયાઈ વેપારનો ૪૦ ટકાથી વધુ હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. ગુજરાતના બંદરો પરથી વર્ષ ૨૦૨૪–૨૫માં અંદાજે રૂ. ૨૫ લાખ કરોડની કિંમતના માલસામાનનો દુનિયાના ખૂણે ખૂણેથી આયાત - નિકાસ થયો છે. આ આંકડો એ સાબિત કરે છે કે લોથલના વારસાથી શરૂ થયેલી આપણી વહાણવટાની સફર આજે વિશ્વના બજારો પર રાજ કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જહાજ નિર્માણ ઉદ્યોગને 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર'નો દરજ્જો આપવો એ એક ક્રાંતિકારી પગલું છે. "Chip or Ship, we must make them in India" ના મંત્ર સાથે હવે ગુજરાતના બંદરો માત્ર માલસામાનની હેરફેર જ નહીં, પરંતુ લાખો યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલતી 'તમામ ઉદ્યોગોની જનની' સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૮૮ MMT કાર્ગો હેન્ડલ કરીને ગુજરાતે ઐતિહાસિક વિક્રમ સ્થાપ્યો છે, જે ૧૯૯૫ની સરખામણીએ ૩૧ ગણો વધારો દર્શાવે છે. આજે ભારતનો ૪૦ ટકા કાર્ગો ટ્રાફિક અને ૮૦ ટકાથી વધુ LNG-LPG હેન્ડલિંગ એકલું ગુજરાત સંભાળે છે. અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ વિશ્વમાં ૩૨ ટકા અને દેશમાં ૯૮ ટકા હિસ્સા સાથે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બન્યું છે. મંત્રી પટેલે કહ્યું કે, ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ અને દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ જેવા પ્રોજેક્ટ્સ દરિયાઈ કનેક્ટિવિટી અને આર્થિક ગતિશીલતાના નવા આયામો સર કરી રહ્યા છે, જેનાથી સમય અને ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ રહી છે. ગુજરાત હવે માત્ર બંદર સંચાલનમાં જ નહીં, પરંતુ મેરીટાઈમ શિક્ષણ અને ફાઈનાન્સમાં પણ વિશ્વ સ્તરે ઉભરી રહ્યું છે, તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી-GMU દ્વારા કુશળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગિફ્ટ સિટીમાં સ્થિત 'ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર' -GIMAC અને શિપ લીઝિંગ-ફાઈનાન્સિંગની સુવિધાઓ ગુજરાતને સિંગાપોર અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની હરોળમાં મૂકે છે. તેમણે ઉમેર્યું કે, શિપ-બિલ્ડીંગ એ માત્ર એક ઉદ્યોગ નથી, તે તમામ ઉદ્યોગોની જનની Mother of all industries છે. જ્યારે એક જહાજ બને છે, ત્યારે સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ, આઇટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે હજારો નવી રોજગારીનું નિર્માણ થાય છે. ગુજરાત છેલ્લા પાંચ વર્ષથી ભારતનું 'એક્સપોર્ટ પાવરહાઉસ' બની રહ્યું છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત સતત ૩૦ ટકાથી વધુ હિસ્સો આપીને દેશના વિદેશી હૂંડિયામણમાં સિંહફાળો આપી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે, અલંગ શીપ રિસાયક્લીંગ યાર્ડ માત્ર આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર નથી, પરંતુ મીની ભારત જેવું દેશના અલગ અલગ રાજ્યોના હજારો કામદારોને સીધો અને પરોક્ષ રોજગાર પૂરું પાડતું એક મહત્વપૂર્ણ ઔધોગિક હબ છે. સાથે સાથે, પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષા ધોરણોને અનુરૂપ આધુનિકીકરણ દ્વારા અલંગને વૈશ્વિક સ્તરે ગ્રીન શીપ રીસાયક્લીંગ હબ બનાવવાનો સંકલ્પ રાજ્ય સરકારે કર્યો છે. અલંગનો વિકાસ ભાવનગર જિલ્લાને મેરીટાઇમ અને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે અને ગુજરાતને વૈશ્વિક શીપ રિસાયક્લીંગના નકશા પર અગ્રેસર સ્થાન અપાવશે. પરંતુ તે રાજ્યના ઉદ્યોગો જેમ કે પેટ્રોકેમિકલ્સ,સિરામિક્સ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ્સ માટે વૈશ્વિક બજારોના દ્વાર ખોલે છે, તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મોરબીના સિરામિક ઉદ્યોગની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે નવલખી બંદર પર કન્ટેનર હેન્ડલિંગની સુવિધાઓનું વિશેષ આયોજન કર્યું છે. આ વ્યૂહાત્મક નિર્ણયોને કારણે જ ગુજરાતના ઉત્પાદનો આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકારે બજેટમાં રૂ. ૨૫ હજાર કરોડના 'મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ'-MDFની જે ઐતિહાસિક જોગવાઈ કરી છે, તે ગુજરાતના બંદરો માટે વિકાસનું નવું ઈંધણ સાબિત થશે. આ બજેટ થકી શીપબિલ્ડિંગ ક્લસ્ટર માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ૫૦:૫૦ની ભાગીદારી સાથે આ ફંડના માધ્યમથી કામ કરશે. અત્યાર સુધી આપણે કન્ટેનર માટે વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે 'મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ'ના સહયોગથી આપણે ગુજરાતમાં જ કન્ટેનર ઉત્પાદન વિકસાવીને આત્મનિર્ભર બનીશું. હજીરા પોર્ટના વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, હજીરા ખાતે બલ્ક જનરલ કાર્ગો ટર્મિનલનાં વિકાસ માટે અંદાજીત રૂ. ૩૮ હજાર કરોડના કમ્બાઈન માસ્ટર પ્લાનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આઉટર હાર્બરની કુલ ૧૫૦ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી સુવિધાઓ પૈકી ફેજ-૧ વિકસાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત દહેજ ખાતે મે. પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા રૂ. ૧૬૫૬.૧૫ કરોડના ખર્ચે ત્રીજી જેટીનું કામ ૫૮ ટકા પ્રગતિ હેઠળ અને ગુજરાત કેમિકલ પોર્ટ દ્વારા રૂ. ૩૩૨૨ કરોડના ખર્ચે બીજી જેટીનું ૬૦ ટકા પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું છે. વધુમાં, કચ્છના મોઢવા ખાતે HPCL મિત્તલ એનર્જી લિમિટેડ ને રૂ. ૧૪૦૬.૬ કરોડ અને સુરતમાં આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લીમીટેડને રૂ. ૭,૫૪૫ કરોડના ખર્ચે કેપ્ટીવ જેટી વિકાસ માટે મંજૂરી આપી છે અને ભાટપોર, સુરત ખાતે પ્રાઈવેટ જેટીનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. પેસેન્જર ટર્મિનલ સહિતની સુવિધાઓ વિકસાવવા મંજૂરી પણ આપવામાં આવી છે ગૃહને ગૌરવ સાથે જણાવતા મંત્રી પટેલે કહ્યું કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યના નોન-મેજર બંદરોને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટે વિઝન ૨૦૪૭ અંતર્ગત એક દૃઢ અને દુરંદેશી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના નોન-મેજર બંદરોની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા લગભગ ૬૦૦ મિલિયન મેટ્રિક ટન પર એનમ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ ક્ષમતાને તબક્કાવાર રીતે વધારીને વર્ષ ૨૦૪૭ સુધી અંદાજિત ૩ હજાર મિલિયન મેટ્રિક ટન પર એનમ સુધી પહોંચાડવાનું મહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરિયાઈ સુરક્ષા વધારવા રાજ્ય સરકાર દ્વારા પોરબંદર અને ઓખા ખાતે કોસ્ટગાર્ડ જેટીનું બાંધકામ હાથ ધરાયુ છે. ઈન્ડો-પાક બોર્ડર વિસ્તારમાં ઈકો-ટૂરિઝમનાં વિકાસ માટે કોટેશ્વર અને પડાલા આઈલેન્ડ ખાતે જેટી, પેસેન્જર ટર્મિનલ સહિતની સુવિધાઓ વિકસાવવા મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય સરકારે દુરંદેશી વિઝન દર્શાવીને બંદરોને સારા રોડથી જોડાણ તથા રેલથી સાંકળવા અનેકવિધ યોજનાઓ હાથ ધરેલ છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી બંદરો પરથી થતા માલ પરિવહનમાં સરળતા રહેશે તેમજ લોજિસ્ટીક કોસ્ટમાં પણ ઘટાડો થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી. આ પણ વાંચો : Jamnagar News : જામનગરના ધુતારપરમાં પિતા-પુત્રીએ કૂવામાં કૂદીને આપઘાત કરતા મોત, પોલીસે પત્નીની પૂછપરછ કરી શરૂ
91 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Mar 17, 2026, 10:26 PM
ગુજરાતની સરકારી શાળાઓમાં વર્ગખંડોની ભારે અછત

ગુજરાતની સરકારી શાળાઓમાં વર્ગખંડોની ભારે અછત

રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓને લઇને અવારનવાર પ્રશ્નો ઉભા થાય છે, ત્યારે 32 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 8,586 અને માધ્યમિક શાળાઓમાં 856 મળીને કુલ 9,442 ઓરડાઓની ઘટ છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય દરમિયાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ વિભાગને 31 જાન્યુઆરી સુધીમાં 5,479ની ગ્રાન્ટ ફાળવી હતી, આ પૈકી 569.51 કરોડની ગ્રાન્ટ વપરાયા વગર પડી રહી હતી. ઓરડાઓની ઘટની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળામાં બનાસકાઠા જિલ્લામાં સૌથી વધારે 1,140 ઓરડાની ઘટ, છોટાઉદેપુરમાં 577 ઓરડાની ઘટ, પંચમહાલમાં 569, કચ્છમાં 553 અને ખેડામાં 524 ઓરડાની ઘટ મળીને 32 જિલ્લામાં કુલ 8,586 ઓરડાની ઘટ પડી છે. જયારે સરકારી માધ્યમિક શાળાઓમાં સૌથી વધારે મોરબીમાં 127, ભાવનગરમાં 108, કચ્છમાં 72, બનાસકાંઠામાં 62 અને અમદાવાદમાં 60 ઓરડાની ઘટ છે. શિક્ષણ વિભાગ ઓરડાઓની ઘટ પુરી કરવા ઓરડા બાંધવા માટે દર વર્ષે આયોજન કરાય છે. RTEની ફી પેટે શાળાઓને દર વર્ષે 400 કરોડથી વધારે રકમ ચુકવાઈ, ચાલું વર્ષમાં 185 કરોડ અપાયાસરકાર દ્વારા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવતા દરેક વિદ્યાર્થીઓની ફી શાળાઓને ચુકવાય છે. વર્ષ 2023-24માં આરટીઇ પેટે શાળાઓને 422.52 કરોડ, વર્ષ 2024-25માં શાળાઓને રીમ્બર્સમેન્ટ પેટે રૂ. 465.90 કરોડ તેમજ 2025-26 દરમિયાન નાણાંકીય વર્ષ પુરુ થવાનું બાકી હોવાથી 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ 185 કરોડ ચુકવાયા હતા. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ અભિયાન હાથ ધરતા 38 હજાર ઓરડાની ઘટ 9,442એ પહોંચીરાજયમાં 2025 દરમિયાન 38 સરકારી શાળાઓમાં 38 હજાર ઓરડાઓની ઘટ હતી. જયારે 10 હજાર ઓરડાઓ એવી જર્જરિત હાલતમાં હતા કે તેનો ઉપયોગ થઇ શકે તેમ ન હતો. ઉપરાંત એક જ ઓરડામાં શાળાઓ ચાલતી હોય તેવી શાળાની સંખ્યા 341 હતી. એકંદરે ઓરડાઓ બાંધવા માટે રાજ્ય સરકારે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ અભિયાન હાથ ધર્યુ હોવાથી ઓરડાઓ બાંધવામાં ઝડપી કામગીરી થાય છે.
88 shares
😐