વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે GUJCET પરીક્ષા પૂર્ણ; હોલ ટિકિટ જાહેર
ધો.12 વિજ્ઞાન પ્રવાહની લેખિત અને પ્રાયોગિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ મંગળવારથી ઓનલાઈન જાહેર કરી દેવાઇ છે. ત્યારે સાબરકાંઠામાં આગામી તા.29 માર્ચના રોજ 16 કેન્દ્રો પર અંદાજે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં ધો.10 અને 12ની પરીક્ષાઓ સંપન્ન થઈ ચુકી છે ત્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટની પરીક્ષા આપવી અનિવાર્ય છે. દરમિયાન સાબરકાંઠામાં તા.29 માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા અંતર્ગત હિંમતનગર ઝોનના 16 પરીક્ષા કેન્દ્રોમાં 157 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગુજકેટની આ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના અંદાજે 3071 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે તે પૈકી ગ્રુપ-છના 914, ગ્રુપ-મ્માં 2145 જયારે ગ્રુપ-છમ્માં 12 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટની આ પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેશે. જેમાં કુલ 80 પ્રશ્નો (40 ભૌતિક વિજ્ઞાન અને 40 રસાયણ વિજ્ઞાન) પૂછાશે, જેના માટે 120 મિનિટનો સમય ફાળવાશે. જોકે જીવવિજ્ઞાન અને ગણિતના પ્રશ્નપત્રો અલગ-અલગ રહેશે અને દરેક માટે 60 મિનિટનો સમય અપાશે. પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્ર્રેજી એમ ત્રણેય માધ્યમમાં લેવાશે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અપહરણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં ફિલ્મી ઢબે એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અજાણ્યા લોકોએ યુવકને જબરદસ્તી કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ યુવકને આગોલ ગામ નજીક ખેતરમાં ગોંધી રાખ્યો હતો. તેની પાસેથી 3500 રૂપિયા પડાવી લેવાયા હતાં. ત્યાર બાદ તેને છોડી દેવાયો હતો. કડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના કડીમાં 19 વર્ષના યુવકનું કેટલાક અજાણ્યા શખ્સોએ સ્કોર્પિયો કારમાં ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. નંબર પ્લેટ વિનાની બે કાળા કલરની સ્કોર્પિયો કારમાં અપહરણ કરનારા શખ્સો આવ્યા હતાં. લાકડી અને ધારિયા જેવા હથિયારો સાથે આવેલા ત્રણ શખ્સોએ સાહિલ નાગોરી નામના યુવકનું અપહરણ કર્યું હતું. પોલીસના ડરથી અપહરણ કરવામાં આવેલા યુવક પાસેથી 3500 રૂપિયા પડાવીને છોડી દેવામાં આવ્યો હતો. નંદાસણ રોડ પર જે કે પાર્લર પાસે થયેલી બબાલ બાબતે પુછપરછ કરવા માટે યુવકને ઉઠાવી લેવાયો હતો. યુવકના મોબાઈલમાંથી સિમકાર્ડ કાઢી નાંખી આગોલ ગામ નજીક ખેતરમાં લઈ જઈને ગોંધી રાખ્યો હતો. અપહરણ દરમિયાન યુવકના ખિસ્સામાંથી 3500 રૂપિયા પડાવી લેવાયા હોવાની વિગતો પણ સામે આવી છે. કડી પોલીસે બે સ્કોર્પિયો કાર ચાલક અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો અમદાવાદમાં કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, સિંધુભવનમાં કોમો બાય કાફેની બેદરકારી સામે આવી છે જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળતા ચકચાર મચી છે, શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કાફેમાં કર્યો હોબાળો અને ગ્રાહકને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી આપી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદના મોંઘા અને જાણીતા કેફેની સ્વચ્છતા પર ઉઠ્યા સવાલ અને સિંધુભવન રોડના મોંઘાદાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, કોમો બાય કાફામાં પાસ્તા સાથેની ગાર્લિક બ્રેડમાં મરેલી માખી મળી આવી હતી અને માખી જોઈને શાહીબાગના યુવક ધ્રુવિલ પટેલે કર્યો હોબાળો અને કેફે સ્ટાફે માફી માંગી અને બિલ ન લઈ મામલો શાંત કર્યો હતો પરંતુ આ મામલે ગ્રાહકે અમદાવાદ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી, રૂ.850ના ઓર્ડરમાં આવી બેદરકારી સામે ઉઠ્યા સવાલ. ‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે, મળતી માહિતી પ્રમાણે ગ્રાહકે પાસ્તાની સાથે ગાર્લિક બ્રેડ ઓર્ડર કરી હતી અને ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી જેને લઈ ગ્રાહકનો પિત્તો ગયો હતો અને તેણે હોબાળો કર્યો હતો, તો સ્ટાફ દોડી આવ્યો હતો અને ગ્રાહકને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ગ્રાહક માન્યો ન હતો અને તેણે ફરિયાદ કરી હતી કોર્પોરેશનમાં, તો કોર્પોરેશને આ મામલે હજી કેફે સામે કોઈ પગલા લીધી નથી. આ પણ વાંચો : Gandhinagar News : દેશના કુલ દરિયાઈ વેપારનો 40 ટકાથી વધુ હિસ્સો ગુજરાતના ફાળે ગુજરાતમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. 18થી 20 માર્ચ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હોવાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત જોવા મળી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારતના પર્વતિય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ છે. જેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સાંજ સુધીમાં પવન ફૂંકાશે. આકાશ વાદળછાયુ રહેશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીમાં રાહત મળશે. આવતી કાલે પશ્ચિમી વિક્ષેપ વધુ સક્રિય બનવાથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબીમાં વરસાદનું એલર્ટ અપાયું છે. 19 અને 20 માર્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં આજે ગરમીથી આંશિક રાહત મળી છે. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યના ચાર જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલા અને ભુજમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી અને અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ પણ વાંચોઃ Gujarat News: વિધાનસભા બાદ અમદાવાદની પાંચ સ્કૂલો સહિત મુંદ્રા પોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગુજરાતમાં સ્કૂલો, કોર્ટ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને સતત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આજે સત્ર શરૂ થાય તે પહેલા જ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા મેઈલને પગલે પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા વિધાનસભામાં તપાસ શરૂ કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં પણ પાંચ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. બોર્ડની પરીક્ષાનું પેપર હોવાથી આ પ્રકારની ધમકી મળતાં પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદમાં મહારાજા અગ્રસેન અને આનંદ નિકેતન સહિત સંત કબિરની ત્રણ અલગ અલગ સ્કૂલ અને શાહીબાગની આર્મી સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યાં છે. 10માં ધોરણની બોર્ડની પરીક્ષાનો અંતિમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્કૂલમાં અન્ય ધોરણમાં ભણતા બાળકોને સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ સહિતની ટીમો દ્વારા સ્કૂલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છમાં મુંદ્રા પોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલીસ્તાન સમર્થન દ્વારા ધમકી આપવામાં આવી છે. મુંદ્રા પોર્ટ અને એલપીજી ટેન્કર્સ પર પણ હુમલાની ધમકીઓ આપવામાં આવી છે. કચ્છના પોર્ટ વિસ્તારને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ પ્રકારના સતત આવી રહેલા મેઈલને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. એક તરફ બોર્ડની પરીક્ષા પણ ચાલુ હોવાની વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતની ટેકનિકલ કોલેજોની ફી જાહેર થઈ, 27 કોલેજમાં 1થી 2 ટકા ફીનો વધારો થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ગુજરાતના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન બંદર પ્રભાગનું રૂ. ૩૨૨.૯૯ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં આવેલા અંદાજે કુલ ૧૧,૦૯૮ કિમી લાંબા દરિયા કિનારામાંથી ૨,૩૪૦ કિમી જેટલો દરિયાકાંઠો ગુજરાત રાજ્યમાં આવેલો છે. આજે ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પણ તે ભારતનું 'મેરીટાઇમ ગેટવે' છે. વિકાસની રાજનીતીમાં માનનારા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી આયોજનના પરિણામે આજે રાજ્યના લાખો યુવાનોને રોજગારી, હજારો ઉદ્યોગોની સપ્લાય ચેઈન અને ભારતના વૈશ્વિક વેપારના પાયાને મજબૂત કરવામાં ગુજરાતનું બંદર પ્રભાગ મહત્વનો ફાળો આપી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે, જ્યારે પશ્ચિમના દેશો સભ્યતા શીખી રહ્યા હતા, ત્યારે હડપ્પીય સંસ્કૃતિના સમયમાં આપણા પૂર્વજોએ લોથલ ખાતે વિશ્વનું પ્રથમ ટાઈડલ ડોકયાર્ડ’ બનાવ્યું હતું. તે સમયે મેસોપોટેમિયા અને ઈજિપ્ત સુધી આપણા વહાણો ‘સીલ’ (કરન્સી) સાથે વેપાર કરતા હતા. મધ્યકાળમાં સુરત અને ખંભાત જેવા બંદરો ‘ચોર્યાસી બંદરના દીવા’ કહેવાતા, જ્યાં દુનિયાભરના દેશોના ચલણ અને સંસ્કૃતિનો સંગમ થતો હતો. પરંતુ આઝાદી પછીના દાયકાઓમાં આપણે આપણી આ વિરાસતને ભૂલી ગયા હતા. મંત્રીએ ઉમેર્યું કે, પરિવર્તન ત્યારે આવ્યું, જ્યારે વર્ષ ૨૦૦૧માં રાજ્યની ધૂરા નરેન્દ્ર મોદીએ સંભાળી. તેમણે ગુજરાતના ૧,૬૦૦ કિમી (હાલ ૨૩૪૦ કિમી) લાંબા દરિયાકિનારાને 'આફત' નહીં પણ 'અવસર' તરીકે જોયો. તેમણે ‘પોર્ટ લેડ ડેવલપમેન્ટ -બંદર આધારિત વિકાસની જે દૂરંદેશી દાખવી, તેના પરિણામે આજે દેશના કુલ દરિયાઈ વેપારનો ૪૦ ટકાથી વધુ હિસ્સો એકલું ગુજરાત સંભાળે છે. ગુજરાતના બંદરો પરથી વર્ષ ૨૦૨૪–૨૫માં અંદાજે રૂ. ૨૫ લાખ કરોડની કિંમતના માલસામાનનો દુનિયાના ખૂણે ખૂણેથી આયાત - નિકાસ થયો છે. આ આંકડો એ સાબિત કરે છે કે લોથલના વારસાથી શરૂ થયેલી આપણી વહાણવટાની સફર આજે વિશ્વના બજારો પર રાજ કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જહાજ નિર્માણ ઉદ્યોગને 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર'નો દરજ્જો આપવો એ એક ક્રાંતિકારી પગલું છે. "Chip or Ship, we must make them in India" ના મંત્ર સાથે હવે ગુજરાતના બંદરો માત્ર માલસામાનની હેરફેર જ નહીં, પરંતુ લાખો યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલતી 'તમામ ઉદ્યોગોની જનની' સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૮૮ MMT કાર્ગો હેન્ડલ કરીને ગુજરાતે ઐતિહાસિક વિક્રમ સ્થાપ્યો છે, જે ૧૯૯૫ની સરખામણીએ ૩૧ ગણો વધારો દર્શાવે છે. આજે ભારતનો ૪૦ ટકા કાર્ગો ટ્રાફિક અને ૮૦ ટકાથી વધુ LNG-LPG હેન્ડલિંગ એકલું ગુજરાત સંભાળે છે. અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ વિશ્વમાં ૩૨ ટકા અને દેશમાં ૯૮ ટકા હિસ્સા સાથે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બન્યું છે. મંત્રી પટેલે કહ્યું કે, ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ અને દહેજ-ઘોઘા રો-રો ફેરી સર્વિસ જેવા પ્રોજેક્ટ્સ દરિયાઈ કનેક્ટિવિટી અને આર્થિક ગતિશીલતાના નવા આયામો સર કરી રહ્યા છે, જેનાથી સમય અને ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ રહી છે. ગુજરાત હવે માત્ર બંદર સંચાલનમાં જ નહીં, પરંતુ મેરીટાઈમ શિક્ષણ અને ફાઈનાન્સમાં પણ વિશ્વ સ્તરે ઉભરી રહ્યું છે, તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી-GMU દ્વારા કુશળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યારે ગિફ્ટ સિટીમાં સ્થિત 'ગુજરાત ઇન્ટરનેશનલ મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર' -GIMAC અને શિપ લીઝિંગ-ફાઈનાન્સિંગની સુવિધાઓ ગુજરાતને સિંગાપોર અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની હરોળમાં મૂકે છે. તેમણે ઉમેર્યું કે, શિપ-બિલ્ડીંગ એ માત્ર એક ઉદ્યોગ નથી, તે તમામ ઉદ્યોગોની જનની Mother of all industries છે. જ્યારે એક જહાજ બને છે, ત્યારે સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ, આઇટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે હજારો નવી રોજગારીનું નિર્માણ થાય છે. ગુજરાત છેલ્લા પાંચ વર્ષથી ભારતનું 'એક્સપોર્ટ પાવરહાઉસ' બની રહ્યું છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત સતત ૩૦ ટકાથી વધુ હિસ્સો આપીને દેશના વિદેશી હૂંડિયામણમાં સિંહફાળો આપી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે, અલંગ શીપ રિસાયક્લીંગ યાર્ડ માત્ર આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર નથી, પરંતુ મીની ભારત જેવું દેશના અલગ અલગ રાજ્યોના હજારો કામદારોને સીધો અને પરોક્ષ રોજગાર પૂરું પાડતું એક મહત્વપૂર્ણ ઔધોગિક હબ છે. સાથે સાથે, પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષા ધોરણોને અનુરૂપ આધુનિકીકરણ દ્વારા અલંગને વૈશ્વિક સ્તરે ગ્રીન શીપ રીસાયક્લીંગ હબ બનાવવાનો સંકલ્પ રાજ્ય સરકારે કર્યો છે. અલંગનો વિકાસ ભાવનગર જિલ્લાને મેરીટાઇમ અને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવશે અને ગુજરાતને વૈશ્વિક શીપ રિસાયક્લીંગના નકશા પર અગ્રેસર સ્થાન અપાવશે. પરંતુ તે રાજ્યના ઉદ્યોગો જેમ કે પેટ્રોકેમિકલ્સ,સિરામિક્સ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ્સ માટે વૈશ્વિક બજારોના દ્વાર ખોલે છે, તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મોરબીના સિરામિક ઉદ્યોગની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે નવલખી બંદર પર કન્ટેનર હેન્ડલિંગની સુવિધાઓનું વિશેષ આયોજન કર્યું છે. આ વ્યૂહાત્મક નિર્ણયોને કારણે જ ગુજરાતના ઉત્પાદનો આજે દુનિયાના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકારે બજેટમાં રૂ. ૨૫ હજાર કરોડના 'મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ'-MDFની જે ઐતિહાસિક જોગવાઈ કરી છે, તે ગુજરાતના બંદરો માટે વિકાસનું નવું ઈંધણ સાબિત થશે. આ બજેટ થકી શીપબિલ્ડિંગ ક્લસ્ટર માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ૫૦:૫૦ની ભાગીદારી સાથે આ ફંડના માધ્યમથી કામ કરશે. અત્યાર સુધી આપણે કન્ટેનર માટે વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે 'મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ'ના સહયોગથી આપણે ગુજરાતમાં જ કન્ટેનર ઉત્પાદન વિકસાવીને આત્મનિર્ભર બનીશું. હજીરા પોર્ટના વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, હજીરા ખાતે બલ્ક જનરલ કાર્ગો ટર્મિનલનાં વિકાસ માટે અંદાજીત રૂ. ૩૮ હજાર કરોડના કમ્બાઈન માસ્ટર પ્લાનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે અંતર્ગત આઉટર હાર્બરની કુલ ૧૫૦ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી સુવિધાઓ પૈકી ફેજ-૧ વિકસાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત દહેજ ખાતે મે. પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા રૂ. ૧૬૫૬.૧૫ કરોડના ખર્ચે ત્રીજી જેટીનું કામ ૫૮ ટકા પ્રગતિ હેઠળ અને ગુજરાત કેમિકલ પોર્ટ દ્વારા રૂ. ૩૩૨૨ કરોડના ખર્ચે બીજી જેટીનું ૬૦ ટકા પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું છે. વધુમાં, કચ્છના મોઢવા ખાતે HPCL મિત્તલ એનર્જી લિમિટેડ ને રૂ. ૧૪૦૬.૬ કરોડ અને સુરતમાં આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લીમીટેડને રૂ. ૭,૫૪૫ કરોડના ખર્ચે કેપ્ટીવ જેટી વિકાસ માટે મંજૂરી આપી છે અને ભાટપોર, સુરત ખાતે પ્રાઈવેટ જેટીનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. પેસેન્જર ટર્મિનલ સહિતની સુવિધાઓ વિકસાવવા મંજૂરી પણ આપવામાં આવી છે ગૃહને ગૌરવ સાથે જણાવતા મંત્રી પટેલે કહ્યું કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રાજ્યના નોન-મેજર બંદરોને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા માટે વિઝન ૨૦૪૭ અંતર્ગત એક દૃઢ અને દુરંદેશી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના નોન-મેજર બંદરોની કુલ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા લગભગ ૬૦૦ મિલિયન મેટ્રિક ટન પર એનમ છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આ ક્ષમતાને તબક્કાવાર રીતે વધારીને વર્ષ ૨૦૪૭ સુધી અંદાજિત ૩ હજાર મિલિયન મેટ્રિક ટન પર એનમ સુધી પહોંચાડવાનું મહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરિયાઈ સુરક્ષા વધારવા રાજ્ય સરકાર દ્વારા પોરબંદર અને ઓખા ખાતે કોસ્ટગાર્ડ જેટીનું બાંધકામ હાથ ધરાયુ છે. ઈન્ડો-પાક બોર્ડર વિસ્તારમાં ઈકો-ટૂરિઝમનાં વિકાસ માટે કોટેશ્વર અને પડાલા આઈલેન્ડ ખાતે જેટી, પેસેન્જર ટર્મિનલ સહિતની સુવિધાઓ વિકસાવવા મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય સરકારે દુરંદેશી વિઝન દર્શાવીને બંદરોને સારા રોડથી જોડાણ તથા રેલથી સાંકળવા અનેકવિધ યોજનાઓ હાથ ધરેલ છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી બંદરો પરથી થતા માલ પરિવહનમાં સરળતા રહેશે તેમજ લોજિસ્ટીક કોસ્ટમાં પણ ઘટાડો થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે બંદર પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી. આ પણ વાંચો : Jamnagar News : જામનગરના ધુતારપરમાં પિતા-પુત્રીએ કૂવામાં કૂદીને આપઘાત કરતા મોત, પોલીસે પત્નીની પૂછપરછ કરી શરૂ