Achira News Logo
Achira News
Western Times logo
Western Times
Mar 20, 2026, 10:07 AM
મધ્ય પૂર્વમાં તણાવ અને ગેસ પુરવઠામાં ઘટાડા વચ્ચે મોર્બી ટાઇલ્સ ઉદ્યોગ સંઘર્ષ કરી રહ્યો છે

મધ્ય પૂર્વમાં તણાવ અને ગેસ પુરવઠામાં ઘટાડા વચ્ચે મોર્બી ટાઇલ્સ ઉદ્યોગ સંઘર્ષ કરી રહ્યો છે

એશિયન ગ્રેનિટો અને NITCO જેવી મોટી કંપનીઓએ વધતા બળતણ ખર્ચને પહોંચી વળવા માટે ૫% સુધીનો બળતણ સરચાર્જ લાદવાનો નિર્ણય લીધો-મધ્‍ય પૂર્વના તણાવ અને ગેસ પુરવઠામાં કાપથી મોરબી ટાઇલ્‍સ ઉદ્યોગ પર ગંભીર અસર પડીઃ લિક્‍વિફાઇડ નેચરલ ગેસ (LNG) અને પ્રોપેનનો પુરવઠો, જે વેચાયેલા માલના ખર્ચ (COGS) ના ૩૫% હિસ્‍સો ધરાવે છે, તેમાં ઘટાડો કરવામાં આવ્‍યો છે, જેના કારણે મોટાભાગના સિરામિક પ્‍લાન્‍ટને ઉત્‍પાદન બંધ કરવાની અથવા નોંધપાત્ર રીતે ઘટાડેલા સ્‍તરે કામ કરવાની ફરજ પડી છે. ઉદ્યોગ કટોકટીનો સામનો કેવી રીતે કરી રહ્યો છે તે અહીં છે. ગેસના ભાવ ઘટાડાના જવાબમાં એશિયન ગ્રેનિટો ૫% ઇંધણ સરચાર્જ લાદશે. એશિયન ગ્રેનિટોના એમડી અને સીઈઓ કમલેશ પટેલે જણાવ્‍યું હતું કે ગેસ સપ્‍લાય કાપથી કંપનીના કામકાજમાં થોડો સમય વિક્ષેપ પડી શકે છે અને કંપનીએ ૩૧ માર્ચ સુધી ૫% ફયુઅલ સરચાર્જ લાદીને વધેલા ઇંધણ ખર્ચનો મોટાભાગનો હિસ્‍સો સહન કરવાનો નિર્ણય લીધો છે. હોર્મુઝ સ્‍ટ્રેટથી આશરે ૨,૦૦૦ કિલોમીટર દૂર હોવા છતાં, ગુજરાતના મોરબીમાં ટાઇલ ઉદ્યોગ પર તેની અસર સ્‍પષ્ટપણે દેખાય છે. ગેસ પુરવઠામાં કાપને કારણે, ઘણી ફેક્‍ટરીઓમાં ઉત્‍પાદન બંધ થઈ ગયું છે અથવા નોંધપાત્ર ઘટાડો થયો છે. એશિયન ગ્રેનિટો અને NITCO જેવી મોટી કંપનીઓએ વધતા બળતણ ખર્ચને પહોંચી વળવા માટે ૫% સુધીનો બળતણ સરચાર્જ લાદવાનો નિર્ણય લીધો છે. એશિયન ગ્રેનિટોના જણાવ્‍યા મુજબ, કંપની ૩૧ માર્ચ સુધી મોટાભાગનો વધેલો ખર્ચ સહન કરશે, પરંતુ ૧૮ માર્ચથી ૫% ઇંધણ સરચાર્જ લાગુ કરવામાં આવ્‍યો છે. ટાઇલ ઉદ્યોગમાં ગેસ સૌથી આવશ્‍યક ઇનપુટ છે, ખાસ કરીને ભઠ્ઠાઓ માટે. ગેસની અછત ઉત્‍પાદન ચક્રને અસર કરી રહી છે અને ખર્ચમાં વધારો કરી રહી છે. NITCO કહે છે કે આનાથી નફાના માર્જિન પર દબાણ આવશે અને કામના સમયપત્રકમાં વિક્ષેપ પડશે.
51 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 10:03 AM
રાષ્ટ્રપતિએ આધ્યાત્મિકતા અને સમાજ કલ્યાણ પર ચર્ચા કરવા માટે વૃંદાવનમાં આધ્યાત્મિક નેતા સાથે મુલાકાત કરી

રાષ્ટ્રપતિએ આધ્યાત્મિકતા અને સમાજ કલ્યાણ પર ચર્ચા કરવા માટે વૃંદાવનમાં આધ્યાત્મિક નેતા સાથે મુલાકાત કરી

વૃંદાવન– રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યારે આશ્રમ પહોંચ્યા ત્યારે સંત શ્રી પ્રેમાનંદ જી મહારાજે ખૂબ જ આત્મીયતાથી ‘રાધે-રાધે’ કહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ, બંને મહાનુભાવો વચ્ચે આધ્યાત્મિકતા, સમાજ કલ્યાણ અને વ્રજની પવિત્ર પરંપરાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન પ્રેમાનંદ મહારાજે‘નામ જપ’(ભગવાનના નામનું સ્મરણ) ના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. President Droupadi Murmu met Premanand Maharaj at Shri Hit Radha Keli Kunj Ashram in Vrindavan, Uttar Pradesh. A post shared by Bhajan Marg Official (@bhajanmarg_official)
48 shares
😐
A
Akila News
Mar 20, 2026, 09:52 AM
માર્ચ મેહેમઃ વૈશ્વિક ઘટનાઓ પર વ્યંગાત્મક ટિપ્પણી સાથે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ

માર્ચ મેહેમઃ વૈશ્વિક ઘટનાઓ પર વ્યંગાત્મક ટિપ્પણી સાથે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ

નવી દિલ્‍હી,તા.૨૦: સોશિયલ મીડિયા પર અત્‍યારે અનેક પોસ્‍ટ વાયરલ થઈ રહી છે, જેમાં વ્‍યંગ કરવામાં આવી રહ્યો છે. અત્‍યારે માર્ચ મહિના દરમિયાન અનેક એવી ઘટનાઓ જોવા મળી જે અસરકારક સાબિત થઈ છે. આ મહિનામાં હોળી, ઈદ, પરીક્ષાઓ, વિશ્વ યુદ્ધ, ગેસની અછત, પેટ્રોલની અછત, ઠંડી, ગરમી, વરસાદ અને વિશ્વ કપ બધુ જ જોઈ લીધું છે. એક રીજે જોવામાં આવે તો આ રમૂજી અને વ્‍યંગાત્‍મક મેસેજ છે, જે અલગ અલગ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મહિનામાં હોળીનો તહેવાર પણ આવ્‍યો અને ઈદ પણ આવી છે. હોળીનો પાવન તહેવાર દર વર્ષે ફાલ્‍ગુન માસની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૪ માર્ચે આ તહેવાર ઉજવવામાં આવ્‍યો છે. એટલે કે, લોકોએ આ મહિનામાં ખુશીઓ પણ ભરપૂર માત્રામાં મનાવી છે. પણ સાથે સાથે મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ ખૂબ જ ચિતાજનક સ્‍થિતિએ પહોંચી ગયું છે. છેલ્‍લા ૧૫ દિવસથી અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. એટલે અનેક લોકોએ દુઃખોનો પણ સામનો કર્યો છે. મધ્‍યપૂર્વના યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ અને ગેસની અછત સર્જાઈ હતી. જેના કારણે ભારતમાં અનેક લોકો ખૂબ જ હેરાન થયાં હતાં. કેટલાય શહેરોમાં તો ગેસના બાટલા માટે લાંબી લાઈનો પણ લાગી હતી. એટલું જ નહીં પરંતુ પેટ્રોલની અછત છે તેવી અફવાઓ ફેલાઈ તેના કારણે પણ અનેક લોકો હેરાન થયાં હતાં. આ તમામ સ્‍થિતિ બાદ વાતાવરણની વાત કરવામાં આવે તો, આ મહિનાના ૧૯ દિવસમાં લોકોને ઠંડીનો પણ અનુભવ થયો અને ગરમીનો પણ અનુભવ થયો છે. એટલું જ નહીં પરંતુ છેલ્‍લા બે દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. આજે તો અનેક જિલ્‍લાઓમાં કરા સાથે વરસાદ પણ થયો છે. એટલે એક રીતે જોવામાં આવે તો આ પોસ્‍ટમાં જે બાબતોનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે તે કેટલીક હદે સાચી પણ સાબિત થઈ છે. તે રીતે જોવામાં આવે તો હજી આ મહિનાના ૧૨ દિવસ હજી પણ બાકી છે, તો આ દિવસોમાં કેવી પરિસ્‍થિતિનો સામનો કરવો પડશે તે અંગે ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. મૂળ વાત એ છે કે, આ પોસ્‍ટ પર લોકો અનેક પ્રકારની ટિપ્‍પણીઓ કરી રહ્યાં છે.
88 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:48 AM
અલકા યાગ્નિકે જન્મદિવસની ઉજવણી કરીઃ બાળ ગાયકથી બોલિવૂડ આઇકોન સુધીની સફર

અલકા યાગ્નિકે જન્મદિવસની ઉજવણી કરીઃ બાળ ગાયકથી બોલિવૂડ આઇકોન સુધીની સફર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા...) વાપીઃ ભારતનુ ગૌરવ અને બોલિવૂડની પ્રખ્‍યાત પ્‍લેબેક સિંગર અલકા યાજ્ઞિકનો આજે જન્‍મદિવસ છે. અલ્‍કા યાજ્ઞિકનો જન્‍મ ૨૦ માર્ચ, ૧૯૬૬ના રોજ કોલકાતામાં એક ગુજરાતી હિન્‍દુ પરીવારમાં, પヘમિ બંગાળમાં થયો હતો. તેમના પિતા શ્રી ધ્રુવ કુમાર યાજ્ઞિક ગુજરાતી હતા અને માતા શ્રીમતી શકુંતલા યાજ્ઞિક પોતે એક સારી ગાયિકા હતા. માતાની પ્રેરણાથી જ અલ્‍કાજીએ નાની ઉંમરથી સંગીત શીખ્‍યું, તેમના નાના ભાઈ સમીર યાજ્ઞિક પણ ગાયક છે. કહેવાય છે કે અલ્‍કાએ માત્ર ચાર વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને શાષીય સંગીતની તાલીમ મળી, અને માત્ર ૬ વર્ષની ઉંમરે, ૧૯૭૨ના વર્ષમાં, તેઓ ઓલ ઇન્‍ડિયા રેડિઓ આકાશવાણી, કોલકાતા માટે ભજન ગાવા લાગ્‍યા હતા, ત્‍યાર બાદ ૧૦વર્ષની વયે તેમની માતા તેમને બાળ ગાયિકા તરીકે ગાવાની તક અપાવવા મુંબઈ લઈ આવ્‍યા,જ્‍યારે રાજ કપૂર સાથે ઓળખાણ થઈ, ત્‍યારે રાજ કપૂરે તેઓને પ્રસિદ્ધ સંગીત નિર્દેશક લક્ષ્મીકાન્‍ત પાસે મોકલ્‍યા, લક્ષ્મીકાન્‍તે તેઓને બે વિકલ્‍પ આપ્‍યા , એક કે હાલ માં ડબિંગ આર્ટિસ્‍ટ તરીકે તરત શરૂ કરો, અથવા ૩ વર્ષ રાહ જોયા પછી ગાયિકા તરીકે કેરિયર શરૂ કરો. અલ્‍કાએ ધીરજ સાથે બીજો વિકલ્‍પ પસંદ કર્યો, ૧૯૮૦ના વર્ષમાં પાયલ કી જનકાર ફિલ્‍મ માટે ગીત ગાઈ બોલિવૂડમાં કારકીર્દીની શરૂઆત કરી ત્‍યારબાદ ૧૯૮૧ ની ફિલ્‍મ લાવારિસ માટે મેરે અંગને મેં ગીત ગાયું, ખાસ્‍સી પ્રસિદ્ધિ મેળવી પરંતુ તેમને સાચી લોકપ્રિયતા અપાવી વર્ષ ૧૯૮૮ ના તેજાબ ફિલ્‍મના એક દો તીન ગીતે, જે ખુબ જ હિટ રહ્યું અને તેઓને પ્રથમ ફિલ્‍મફેર એવોર્ડ અપાવ્‍યો.
99 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:47 AM
ગુજરાતના પ્રભાસ પાટણમાં દુર્લભ ચકલીઓ મળી આવી

ગુજરાતના પ્રભાસ પાટણમાં દુર્લભ ચકલીઓ મળી આવી

(મિનાક્ષી ભાસકર વૈદ દ્વારા) પ્રભાસપાટણ, તા.૨૦: પ્રભાસ પાટણ ગીર સોમનાથ ના વેરાવળ તાલુકાના દેદા ગામે પાન કરિયાણાની દુકાન પરિશ્રમ પાન સેન્‍ટર ધરાવતા અશ્વિનભાઈ બારડ નો અનોખો ચકલી પ્રમ ધરાવે છે પોતાની પાન કોલ્‍ડ્રીંક ગોળી બિસ્‍કીટ અને કરિયાણાની દુકાનમાં ના છાપરા માં ખાસ હુંક લગાવી ૭૦ જેટલા ચકલીના માળાઓ ટીગાડેલા છે આ માળાની પાસે થોડા થોડા અંતરે ચકલીને જાણવા માટે પ્‍લાસ્‍ટિકની ૨૦ તેમજ પાણી પીવા માટે માટીની નાની કુંડી પણ લગાડેલ છે જાણે એમ જ સમજી લ્‍યો કે ચકલીઓની કોલોની કે સોસાયટી છે તેઓ છેલ્લા ૨૨ વર્ષથી આ પક્ષી હેત જાળવી રહ્યા છે ડીશમાં મગ દાળ -ચણા -જુવાર -બાજરો મૂકવામાં આવે છે અને એ ડીસો દર અઠવાડિયે સાફ કરવામાં આવે છે તેના પાનના થડામાં ના પાણીમાં ચકલીઓ મોજમાં આવે ત્‍યારે ડૂબકી લગાવી છબ છબીયા કરે છે તેને ખભે પણ બેસે છે દરરોજ સવારે છ વાગ્‍યે ચકલીઓનો સમૂહ કલબલ કલબલ કરતો આસપાસના ખેતરોમાં ઉડી જાય છે અને સાંજે બધાએ દુકાનમાં ના પોતાના ઘેરે પાછા ફરે છે. પ્રભાસ પાટણ બાયપાસ પાસે આવેલ હનુમાન કાદી ખાતે મારુતિ ઙ્કોવિઝન સ્‍ટોર ધરાવતા પ્રકાશ ગોવિંદભાઈ વાજા પણ એવા જ ચકલીઙ્ઘિય છે તેની દુકાનની છતમાં ૧૫ થી ૧૭ જેટલા ચકલીના માળાઓ આવેલા છે જેને ચણા -સેવ- ચોખા- બાજરો પીવાના પાણી વાટકી રાખે છે પ્રકાશભાઈ ના મતે ચકલીઓને કારણે અમારી દુકાનનું આંગણું કલબલતું રહે છે. અશ્વિનભાઈ ની દુકાન હોય કે પ્રકાશભાઈ વાજાની દુકાન પુઠા ના માળામાં ચકલીઓ ઊડી ઊડી સુતળીના કટકા . તણખલા. ચીથરા એવી રીતે ગોઠવે કે બેઠક ઉઠકની વ્‍યવસ્‍થા સાથે એન્‍જિનિયર જેવી કાબેલિયત નાના બચ્‍ચાઓ હોય ત્‍યારે દૂર દૂરથી તેની માતા ૦ થી ટીપુ ટીપુ પાણી અને દાણા ખવડાવતી હોય ત્‍યારે અદભુત દ્રશ્‍યો સર્જાય છે
86 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:47 AM
ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાને ₹ 412.16 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓ ભેટમાં આપી

ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાને ₹ 412.16 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓ ભેટમાં આપી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ માર્ચ,રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે આજે ચૈત્રી નવરાત્રી,ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્‍લાને રૂ. ૪૧૨.૧૬ કરોડના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્‍યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના‘વિકાસ ભી વિરાસત ભી'ના મંત્રને આજે જામનગરમાં રાજ્‍ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્‍યો છે. છેલ્‍લા પાંચ જ દિવસમાં ભરૂચ,પંચમહાલ અને દાહોદ બાદ આજે જામનગર સહિત કુલ રૂ. ૨,૯૨૩ કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્‍ય સરકારે ગરીબ કલ્‍યાણ અને જનસુખાકારીનો નવો અધ્‍યાય શરૂ કર્યો છે. મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી,પરંતુ વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્‍વમાં‘સૌની યોજના'અને‘જ્‍યોતિગ્રામ યોજના'દ્વારા અંધારા ઉલેચીને ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્‍યા છે. શિક્ષણ રાજ્‍યમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્‍યું હતું કે,મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વમાં રાજ્‍ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે. વિકાસ મેટ્રો સિટી પૂરતો સીમિત ન રહીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્‍યો છે,તેનું આ આપણું શહેર સાક્ષી છે. સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ અને ઓક્‍સિજન પાર્ક એ જામનગરને સ્‍માર્ટ અને સસ્‍ટેનેબલ સીટી બનાવવાની દિશામાં મહત્‍વપૂર્ણ કદમ સાબિત થશે. કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અન્‍વયે કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.જ્‍યારે ઉપસ્‍થિત સૌ મહાનુભાવોને નિવાસી અધિક કલેક્‍ટર શ્રી શારદા કાથડે શાબ્‍દિક સ્‍વાગત વડે આવકાર્યા હતા.
23 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:45 AM
શ્રમ કાયદા હેઠળ મંદિર ઉદ્યોગ નથી, પૂજારી કામદાર નથીઃ ભારતીય ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો

શ્રમ કાયદા હેઠળ મંદિર ઉદ્યોગ નથી, પૂજારી કામદાર નથીઃ ભારતીય ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો

અમદાવાદ,તા.૨૦: એક અત્‍યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં હાઇકોર્ટની ડિવિઝન બેંચે ઇન્‍ડસ્‍ટ્રિયલ ડિસ્‍પ્‍યૂટ એક્‍ટની જોગવાઇઓ સ્‍પષ્ટ કરી આપતાં ઠરાવ્‍યું છે કે,‘મંદિર એ કોઇ ‘ઇન્‍ડસ્‍ટ્રી'ની વ્‍યાખ્‍યામાં આવતું નથી અને મંદિરના ‘પૂજારી'ને કાયદાની જોગવાઇઓ મુજબ ‘વર્કમેન' એટલે કે કામદાર ગણી શકાય નહીં.' આ મામલે પૂજારી તરીકે ટર્મિનેટ કરાયેલા અરજદારની અપીલને હાઇકોર્ટ જાસ્‍ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જાસ્‍ટિસ એલ.એસ. પીરઝાદાની ખંડપીઠે રદબાતલ કરી છે. નવસારીના એક સાંઇબાબાના મંદિરમાં પૂજારી તરીકે સેવા આપ્‍યા બાદ મંદિર ટ્રસ્‍ટ દ્વારા પૂજારીની સેવાઓ ટર્મિનેટ કરી દેતાં ઊભા થયેલા એક કાનૂની વિવાદનો આ મામલો છે. જેમાં અરજદાર ઉમેશ્વર દૂબેએ હાઇકોર્ટના સિગલ જજના ચુકાદાની સામે ડિવિઝન બેંચમાં અપીલ કરી હતી. ડિવિઝન બેંચે એક લંબાણપૂર્વકનો ચુકાદો આપતાં નોંધ્‍યું હતું કે,‘સંબંધિત કાયદાની જોગવાઈઓ અને વિશ્‍લેષણને ધ્‍યાનમાં રાખીને એ સ્‍પષ્ટ છે કે અપીલકર્તા મંદિરની સંભાળ રાખતો પૂજારી હોવાથી કલમ ૨(s)મુજબ‘કામદાર' એટલે કે વર્કમેનના કાર્યક્ષેત્રમાં આવતો નથી કારણ કે, મંદિરમાં પૂજારી કોઈ મેન્‍યુઅલ, અકુશળ, કુશળ, ટેકનિકલ, ઓપરેશનલ, કારકૂની અથવા સુપરવાઇઝરી કાર્ય કરતો નથી. પરંતુ તે ફક્‍ત ધાર્મિક સ્‍તોત્રો, ભજન અને આરતીનું કામ કરી તેના જ્ઞાનનો ઉપયોગ કરે છે અને મંદિરમાં તેનું પઠન કરે છે. આ રીતે એ મંદિરની અન્‍ય પ્રવૃત્તિઓમાં મદદ કરે છે.' વર્ષ ૨૦૧૭માં હાઇકોર્ટની સિગલ બેંચના ચુકાદાને અપીલકર્તાએ પડકાર ફેંક્‍યો હતો. આ મામલે સિગલ જજે નવસારીની લેબર કોર્ટના આદેશને બહાલી આપતાં અરજદારની અરજીને રદબાતલ કરી હતી અને ઠરાવ્‍યું હતું કે અરજદારને ઇન્‍ડસ્‍ટ્રિયલ ડિસ્‍પ્‍યૂટ એક્‍ટની જોગવાઇઓ હેઠળ વર્કમેન એટલે કે કામદાર ન ગણી શકાય એવો લેબર કોર્ટનો ચુકાદો કાયદેસર અને યોગ્‍ય છે.
28 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:44 AM
કવિતાઃ સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ-શબ્દોની શક્તિની ઉજવણી

કવિતાઃ સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ-શબ્દોની શક્તિની ઉજવણી

ભાષાના મર્મ અને હૃદયના ધબકાર વચ્‍ચેનો જે સેતુ છે, તેનું નામ એટલે ‘કવિતા'. જ્‍યારે સામાન્‍ય શબ્‍દો પોતાની મર્યાદા ઓળંગે છે અને ભાવનાઓ લયબદ્ધ થઈને કાગળ પર ઉતરે છે, ત્‍યારે તે કેવળ સાહિત્‍ય નથી રહેતુ પણ માનવ આત્‍માનો પડઘો બની જાય છે. ૨૧ માર્ચ એટલે કે ‘વિશ્વ કવિતા દિવસ'ના આ અવસરે, ચાલો આપણે શબ્‍દોની એ અદભૂત દુનિયામાં ડોકિયું કરીએ, જ્‍યાં રાષ્‍ટ્રીય શાયર મેઘાણીની શૌર્યગાથાથી માંડીને આધુનિક મૌનની વાચા સુધીની સફર કંડારાયેલી છે. પ્રસ્‍તુત લેખ કવિતાના એ ઊંડાણ અને તેની અનિવાર્યતાને ઉજાગર કરે છે. વર્ષ ૨૦૨૬ માટે વિશ્વ કવિતા દિવસની થીમ‘‘કવિતાઃ સંસ્‍કળતિઓ વચ્‍ચેનો સેતુ'' રાખવામાં આવી છે. આ થીમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય કવિતા દ્વારા વિવિધ ભાષાઓ અને સંસ્‍કળતિઓને એકબીજાની નજીક લાવવાનો અને માનવતાના સમાન ભાવોને અભિવ્‍યક્‍ત કરવાનો છે. યુનેસ્‍કો (UNESCO) દર વર્ષે આ દિવસની ઉજવણી દ્વારા કાવ્‍યકલાના માધ્‍યમથી વૈશ્વિક શાંતિ અને સમજદારી વધારવા પર ભાર મૂકે છે. કવિતા એ માત્ર કાગળ પર ઉતરેલા શબ્‍દો નથી, પણ માનવ આત્‍માનો અવાજ છે. માનવ સંવેદનાઓનો અરીસો છે. કવિતા એ ભાષાનું સૌથી શુદ્ધ અને સચોટ સ્‍વરૂપ છે. જ્‍યાં ગદ્ય થાકી જાય છે, ત્‍યાં પદ્યની શરૂઆત થાય છે. વિશ્વ કવિતા દિવસની ઉજવણી પાછળનો મુખ્‍ય હેતુ કવિતા લેખન, વાચન અને પ્રકાશનને પ્રોત્‍સાહન આપવાનો તેમજ વિશ્વભરની વિભિન્ન ભાષાઓમાં કાવ્‍યકલાને જીવંત રાખવાનો છે. વ્‍યસ્‍ત અને ટેકનોલોજીથી ઘેરાયેલા આ યુગમાં કવિતા આપણને આપણી લાગણીઓ સાથે જોડે છે. પ્રેમ, કરુણા, વિરહ કે ક્રાંતિ, દરેક ભાવને કવિતા વાચા આપે છે. કવિતામાં ભૌગોલિક સીમાઓ ઓળંગવાની શક્‍તિ છે. તે વિવિધ સંસ્‍કળતિઓ વચ્‍ચે સેતુ બનીને માનવતાનો સંદેશ ફેલાવે છે. જ્‍યારે માણસ નિરાશામાં હોય, ત્‍યારે કવિતાની એક પંક્‍તિ તેને બેઠો કરવાની અને લડવાની હિંમત આપી શકે છે. કવિતા આપણને દુનિયાને એક નવી દ્રષ્ટિથી જોતા શીખવે છે. તે શીખવે છે કે જીવનના નાનામાં નાના પ્રસંગોમાં પણ સુંદરતા છુપાયેલી છે. એક ફૂલનું ખીલવું હોય કે પાનખરની વિદાય, કવિની નજરે બધું જ અર્થપૂર્ણ છે.
61 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:41 AM
શ્રી ઇન્દ્રભારતી મહારાજે આજે જન્મદિવસ ઉજવ્યો

શ્રી ઇન્દ્રભારતી મહારાજે આજે જન્મદિવસ ઉજવ્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૦: રાષ્‍ટ્રપ્રેમ જેના રોમરોમ છે એવા શ્રી રૂદેશ્વર જાગીરભારતી આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચ દશનામજુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તેમજ ગિરનારમંડળના પ્રમુખ પુ. ઇન્‍દ્રભારતી મહારાજનો આજે જન્‍મદિવસ છે.ચૈત્ર સુદબીજના દિવસે કચ્‍છના અબળાશા તાલુકના વિંઝાણ ગામે ધર્મ પરાયણ પરિવારના શિવગીરીબાપુ અને જમનાબેન ને ત્‍યાં પુ. બાપુનો જન્‍મથયેલ પુ. બાપુનું પૂર્વાશ્રમનુનામ અરીવંદગીરી હતું. પુ. બાપુ એ ઘાટકોપરની ધનજીદેવસી સરકારી શાળા ધો.૭ સુધી અભ્‍યાસકર્યો છે. ત્‍યારબાદ ૧૪ વર્ષની નાનીઉમમરે ગુરૂ મહારાજ પ્રેમભારતીબાપુ પાસે દિક્ષા લીધી હતી. ૧૯૯૭માં હરિદ્વાર કુંભની અંધ દિગમ્‍બર દિક્ષા પુ. પ્રેમભારતીબાપુની હાજરીમાં લઇ મુંબઇમાં વસવાટ કર્યો તેમજ એ સમયમાં ચાલતા ભિન્નભાગોની અંદર ધર્મનો પ્રચાર અર્થે અનુષ્‍ઠાન સાધનાઓ ભકિત કરી હતી અને વર્ષ ૨૦૦૪માં મુંબઇ છોડી બાપુ ગુરૂમહારાજના સાનિધ્‍યમાં સેવા માટે આવી ગયા અને વર્ષ ૨૦૦૭માં ભવનાથ જૂનાગઢખાતે શ્રી રૂદેશ્વરજાગીરભારતી આશ્રમની સ્‍થાપના કરી પછી ગુરૂમહારાજ સ્‍થિત ઘાંટવડ જૂનાગઢ મુંબઇ દ્વારકા જામનગર કચ્‍છ મહારાષ્‍ટ્ર દ્વારકા જામનગર કચ્‍છ મહારાષ્‍ટ્ર મધ્‍યપ્રદેશ ઉતરપ્રદેશ બિહાર- રાજસ્‍થાન આ બધા જ આશ્રમનુ બાપુ સંચાલન કચ્‍છનાન ભજન રાષ્‍ટ્રપ્રેમ લોકસેવા બાપુના જીવનમાં વણાયેલ છે કરૂણામુર્તિ સંત એવા પુ. ઇન્‍દ્રભારતીબાપુ આજે ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્‍યારે બાપુને સેવકો સુખદ સ્‍વાસ્‍થ પુર્ણ દિર્ધાયુ અર્થે પ્રાર્થના કરી શુભકામના વધાઇ આપી રહયા છે
87 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:41 AM
રણવીર સિંહની'ધુરંધર 2 "એ ઓપનિંગ ડે પર 200 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો

રણવીર સિંહની'ધુરંધર 2 "એ ઓપનિંગ ડે પર 200 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો

નવી દિલ્‍હી તા.૨૦: ચાહકો આતુરતાથી આદિત્‍ય ધારની ફિલ્‍મ ધુરંધર ૨ની રાહ જોઈ રહ્યા હતા. રાહ પૂરી થઈ,અને ફિલ્‍મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ધુરંધર ની જેમ,ધુરંધર ૨ ને પણ ચાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો તેમના વ્‍યસ્‍ત સમયપત્રકમાંથી સમય કાઢીને થિયેટરોમાં ફિલ્‍મ જોઈ રહ્યા છે. ફિલ્‍મની સફળતાથી નિર્માતાઓ અને સ્‍ટાર કાસ્‍ટ ખૂબ જ ખુશ છે. રણવીર સિહ ખુશીમાં નાચ્‍યા વિના રહી શક્‍યા નહીં. અહેવાલો અનુસાર,ફિલ્‍મનું વિશ્વભરમાં ઓપનિગ ડે કલેક્‍શન રૂા.૨૦૦ કરોડને વટાવી ગયું છે. ફિલ્‍મની રિલીઝ પછી,મુંબઈમાં એક ખાસ સ્‍ક્રીનિંગ યોજાઈ હતી. ફિલ્‍મની સ્‍ટાર કાસ્‍ટ સ્‍ક્રીનિગમાં ઉજવણી કરતી જોવા મળી હતી. આદિત્‍ય ધરની ફિલ્‍મ ધુરંધર ૨ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્‍મોમાંની એક માનવામાં આવે છે. ફિલ્‍મમાં હમઝા તરીકે રણવીર સિહનો અભિનય ઉત્‍કૃષ્ટ છે. તેણે માત્ર હમઝાની ભૂમિકા જ ભજવી નથી,પરંતુ તેને જીવી પણ છે. તેથી,ફિલ્‍મની સફળતા પછી,રણવીર ફા૯લા ગીત પર ડાન્‍સ કરતો જોવા મળ્‍યો હતો. રણવીરનો બેદરકાર નૃત્‍ય દર્શાવે છે કે તે ધુરંધર ૨ ની સફળતાથી ખૂબ જ ખુશ છે. રણવીર સિંહનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં તે આદિત્‍ય ધર સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. રણવીરે ફિલ્‍મ પ્રત્‍યેના ચાહકોનો પ્રેમ બદલ આભાર પણ માન્‍યો હતો. આદિત્‍ય ધરનો ચહેરો પણ ફિલ્‍મની સફળતાનો આનંદ દર્શાવે છે.
47 shares
😊
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:40 AM
ગેલોરિયા પરિવારનો ત્રીજો'પરિવાર સ્નેહમિલાન "પ્રેમ અને એકતાને પ્રોત્સાહન આપે છે

ગેલોરિયા પરિવારનો ત્રીજો'પરિવાર સ્નેહમિલાન "પ્રેમ અને એકતાને પ્રોત્સાહન આપે છે

રાજકોટઃ ગલોરિયા પરિવાર દ્વારા ત્રીજું પરિવાર સ્નેહમિલન યોજાયું. જેનો મુખ્ય હેતુ પરિવારમાં પરસ્પર પ્રેમ, ઍકતા અને સંવાદ વધારવાનો તેમજ આજના ઝડપી જીવનમાં પરિવારજનોને ઍકબીજાને વધુ સારી રીતે ઓળખવાનો હતો. વડીલોના માર્ગદર્શન સાથે કાર્યક્રમમાં વિવિધ સભ્યો દ્વારા પરિવારની ઍકતા, સહકાર અને સંસ્કારના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા. પરિવારના બાળકો અને યુવાનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી હતી. પરિવારના વડીલોનું સન્માન કરવામાં આવ્યું.
20 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:31 AM
પ્રાણીઓની સંભાળઃ એક સહિયારી જવાબદારી

પ્રાણીઓની સંભાળઃ એક સહિયારી જવાબદારી

આપણા મિત્રો આકાશમાં ઉડે છે, પણ જમીન ઉપર તેમની દેખભાળ રાખવી એ આપણી ફરજ અને જવાબદારી છે ધોમધખતો તાપ, ઠંડી કે પછી ધોધમાર વરસાદ, અબોલ કુદરતી કરીશ્‍મારૂપી પંખીડાઓ માટે દાણા અને પાણી માટે વ્‍યવસ્‍થા કરવી એ પ્રભુ સેવા જ ગણાય...
36 shares
😐
A
Akila News
Mar 20, 2026, 09:29 AM
સુપ્રીમ કોર્ટે ભારતીય અદાલતોમાં સુનાવણીના નવા નિયમો રજૂ કર્યા

સુપ્રીમ કોર્ટે ભારતીય અદાલતોમાં સુનાવણીના નવા નિયમો રજૂ કર્યા

નવી દિલ્‍હી,તા.૨૦: હવે અદાલતોમાં વારંવાર તારીખ લેવા પર લગામ કસાશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળવાના નિયમોને કડક બનાવતા સ્‍પષ્ટ કરી દીધું છે કે હવે ‘તારીખ પે તારીખ'નો દોર લગભગ ખતમ થશે અને માત્ર અત્‍યંત અનિવાર્ય સંજોગોમાં જ સુનાવણી ટાળવામાં આવશે. કોર્ટે જારી કરેલાં સર્ક્‍યુલરમાં જણાવાયું છે કે અગાઉના ૨૯ નવેમ્‍બર ૨૦૨૫ અને ૨ ડિસેમ્‍બર ૨૦૨૫ના નિર્દેશોના સ્‍થાને હવે નવો નિયમ લાગુ થશે. આ અંતર્ગત અલગ-અલગ પ્રકારના કેસો માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્‍યા છે. સૌથી કડક નિર્ણય‘રેગ્‍યુલર કેસો' અંગે લેવાયો છે. આ કેસોમાં હવે કોઈપણ પ્રકારનું એડજર્નમેન્‍ટ આપવામાં આવશે નહીં. એટલે કે જો કેસ લિસ્‍ટેડ છે, તો કોઈ પણ બહાના વગર તેની સુનાવણી થશે.સાથે જ ‘ફ્રેશ' અને ‘આફટર-નોટિસ' કેસોમાં પણ છૂટ મર્યાદિત કરી દેવામાં આવી છે. જો કોઈ પક્ષકારે સુનાવણી ટાળવી હોય, તો તેણે અગાઉથી બીજી પાર્ટીને તેની જાણકારી આપવી પડશે અને તેનો પુરાવો પણ આપવો પડશે. આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ પહેલા સવારે ૧૧ વાગ્‍યા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. એટલું જ નહીં, બીજી પાર્ટીને પણ આના પર વાંધો ઉઠાવવાની તક મળશે. તે બપોરે ૧૨ વાગ્‍યા સુધી ઈમેલ દ્વારા પોતાનો વાંધો નોંધાવી શકે છે, જેને કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. કોર્ટે એ પણ ફરજિયાત બનાવ્‍યું છે કે એડજર્નમેન્‍ટ માંગનારે નક્કર કારણ જણાવવું પડશે અને એ પણ જણાવવું પડશે કે અગાઉ કેટલી વાર તારીખ લેવામાં આવી છે. વ્‍યાજબી કારણ વગર હવે સુનાવણી ટાળવી શક્‍ય બનશે નહીં. સર્ક્‍યુલર મુજબ, માત્ર અસાધારણ સંજોગોમાં જ તારીખ મળશે. જેમ કે પરિવારમાં કોઈનું મૃત્‍યુ, ગંભીર બીમારી અથવા અન્‍ય કોઈ નક્કર અને વાસ્‍તવિક કારણ, જેને કોર્ટ સંતોષકારક માને.
38 shares
😢
A
Akila News
Mar 20, 2026, 09:29 AM
નાઇજીરિયાના સૈનિકોએ બોકો હરામના ડ્રોન હુમલાને ખદેડ્યો, 80 આતંકવાદીઓ માર્યા ગયા

નાઇજીરિયાના સૈનિકોએ બોકો હરામના ડ્રોન હુમલાને ખદેડ્યો, 80 આતંકવાદીઓ માર્યા ગયા

માઈદુગુરી, નાઈજિરિયા,તા.૨૦: નાઇજરની સરહદ નજીક બોર્નો સ્‍ટેટમાં આવેલા મિલિટરી બેઝ માલામ ફાટોરી મિલિટરી બેઝ પર મધરાતે ડ્રોન સાથ હુમલો કરનારા બોકો હરામના આતંકીઓને નાઇજિરિયન સૈનિકોએ મારી હટાવ્‍યા હતા. આ વળતાં હુમલામાં નાઇજિરિયન સૈનિકોએ ૮૦ હુમલાખોરોને મારી નાંખ્‍યા હતા તેમ લશ્‍કરી પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું. સોમવારે ત્રણ આત્‍મઘાતી હુમલાખોરોએ પાટનગર માઇદુગુરીમાં આત્‍મઘાતી હુમલો કરી ૨૩ જણાંને મારી નાંખ્‍યા અને સોથી વધારે લોકોને ઘાયલ કર્યા તે પછી આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્‍યો હતો. યુનાઇટેડ નેશન્‍સના જણાવ્‍યા અનુસાર બોકો હરામના આતંકીઓની બળવાખોરી શરૂ થયા બાદ નાઇજાિરિયામાં ૪૦,૦૦૦ કરતાં વધારે લોકો માર્યા ગયા છે. લશ્‍કરના પ્રવકતાના દાવા અનુસાર સૈનિકોને આ હુમલો થવાની આશંકા હોઈ તેઓ તૈયાર થઈને બેઠાં હતા. તેમણે તોપમારા અને હવાઇહુમલાની સહાયથી વળતો હુમલો કરી ૮૦ હુમલાખોરોને મારી નાંખ્‍યા હતા. જેમાં ત્રણ મોટા કમાન્‍ડર્સનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ નાઇજિરિયન લશ્‍કરના ચાર સૈનિકોને ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. સૈનિકોએ આતંકીઓના શષોનો મોટો જથ્‍થો પણ જપ્ત કર્યો હતો. આ શષોમાં એસોલ્‍ટ રાઈફલ્‍સ, આરપીજી લોન્‍ચર્સ, મશીન ગન્‍સ અને સશસ્‍ત્ર ડ્રોન્‍સના પૂર્જાઓનો સમાવેશ થાય છે. પાટનગરમાં સોમવારે થયેલાં ત્રણ આત્‍મઘાતી હુમલાઓની કોઈ જૂથે જવાબદારી લીધી નથી પણ બોકો હરામ જિહાદી ગ્રુપ દ્વારા આ હુમલાઓ કરાવવામાં આવ્‍યા હોવાની શંકા જણાવાઈ રહી છે. ૨૦૦૯થી નાઈજિરિયામાં ઈસ્‍લામી શાસન લાદવા બળવાખોરી કરનારા બોકો હરામ ના અનેક જૂથો દેશમાં સક્રિય છે. જેમાં એક જૂથ ઈસ્‍લામિક સ્‍ટેટ વેસ્‍ટ આફ્રિકા પ્રોવિન્‍સ છે. જેને ઈસ્‍લામિક સ્‍ટેટ ગ્રુપનો ટેકો મળેલો છે. આ જૂથે તાજેતરમાં લશ્‍કર સામે હુમલા કરાવ્‍યા હોવાનું મનાય છે. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર નાઇજાિરિયાની સરકાર તેના નાગરિકોનું રક્ષણ કરવા પૂરતાં પગલાં લઇ રહી નથી. યુએસ દ્વારા ગયા મહિને નાઇજાિરિયામાં દળો મોકલવામાં આવ્‍યા હતા. આ દળો નાઈજિરિયાની મિલિટરીને આતંકીઓ સામે કેમ લડવું તેની સલાહ આપવા માટે મોકલવામાં આવ્‍યા હતા.
67 shares
😢
A
Akila News
Mar 20, 2026, 09:28 AM
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, બુલિયન માર્કેટમાં ઉછાળો

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, બુલિયન માર્કેટમાં ઉછાળો

રાજકોટ,તા.,ર૦: બુલીયન માર્કેટમાં ગઇકાલે સોના-ચાંદીના ભાવમાં કડાકો થયા બાદ મોડી રાત્રે બંને કિંમતી ધાતુઓમાં રીકવરી જોવા મળી હતી. ચાંદીમાં ૧૦,૦૦૦ અને સોનામાં ૪,૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે ચાંદીના ભાવમાં રીકવરી જોવા મળી હતી અને ૧૦,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૩૦,૦૦૦ રૂા. હતા તે વધીને મોડી રાત્રે ર,૪૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. અત્રે એ નોંધનીય છે કે,ગઇકાલે ચાંદીમાં ર૪,૦૦૦ રૂા.નો કડાકો થયો હતો. ચાંદી (૧ કિલો)ના ભાવ ર,પ૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને ર,૩૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. મોડી રાત્રે ભાવમાં ફરી સુધારો થતા ચાંદી (૧ કિલો)નો ભાવ ર,૪૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. આજે પણ ચાંદીના ભાવ ર,૪૦,૦૦૦ રૂા. ની સપાટીએ સ્‍થિર છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ વધારો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સોનામાં ૪,૦૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,પ૩,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગઇકાલે કડાકાના પગલે સોનાના ભાવમાં ૭,૦૦૦ રૂા.ઘટાડો થયો હતો. જો કે મોડી રાત્રે ફરી ભાવ વધી ૧,પ૩,૦૦૦ રૂા. થઇ ગયા છે અને આજે ભાવો સ્‍થિર છે.
56 shares
😐
A
Akila News
Mar 20, 2026, 09:27 AM
સિંધી સમાજે તહેવારોની ઉજવણી સાથે ચેતીચંદ મહોત્સવની ઉજવણી કરી

સિંધી સમાજે તહેવારોની ઉજવણી સાથે ચેતીચંદ મહોત્સવની ઉજવણી કરી

સિંધી સમાજના ઇષ્‍ટદેવ શ્રી ઝુલેલાલ સાંઇની આજે જન્‍મજયંતિ છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં સિંધી સમાજ દ્વારા ઉજવણી થઇ રહી છે. આ પર્વને ચેટી ચંદ મહોત્‍સવથી પણ ઓળખવામાં આવે છે. મહાઆરતી, બહેરાણા સાહેબ જયોત દર્શન, રાસ ગરબા અને આતશબાજી સહિતના કાર્યક્રમો આયોજીત થયા છે. સિંધી ભાઇ બહેનો ધંધા રોજગાર બંધ રાખી ઝુલેલાલ જન્‍મોતસવમાં સામેલ થયા હતા. રાજકોટમાં ભગવાન ઝુલેલાલના મંદિરોને અનેરા શણગાર સાથે આરતી-પૂજનના કાર્યક્રમો આયોજીત થયા છે. તસ્‍વીરમાં પૂજન-દર્શનનો લાભ લેતા ભાવિકજનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
24 shares
😊
A
Akila News
Mar 20, 2026, 09:27 AM
ભારતના મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં ₹4 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

ભારતના મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં ₹4 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ર૦: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની વર્ચ્‍યુઅલ ગરિમામય ઉપસ્‍થિતિમાં તેમના હસ્‍તે પોરબંદર જિલ્લાના ૪૧૩.૧૮ કરોડના વિકાસ કામોના ખાત મુહુર્ત અને લોકાપર્ણ બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇએ જણાવેલ કે પોરબંદરનો સાંસ્‍કૃતિક વારસોને ધ્‍યાને લઇને જિલ્લાનો સર્વાગી વિકાસ કરવાનું આયોજન કર્યુ છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇએ જણાવેલ કે મજબુત ફાઇનાન્‍સ મેનેજમેન્‍ટને લીધે વિકાસ કામો કરવા માટે સરકાર પાસે નાણાંની કોઇ કમી નથી. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ. ૪૧૩.૮૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા ૪૬ જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી. આ પ્રોજેક્‍ટ્‍સ અંતર્ગત અંદાજે રૂ. ૩૨૦.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ. ૯૩.૨૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડીયો માધ્‍યમથી શુભકામના પાઠવી‘વિરાસત ભી,વિકાસ ભી'ના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્‍પોની ભેટ આપી હતી. આ પ્રસંગે મુખ્‍યમંત્રી શ્રી એ જણાવ્‍યું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરી સુવિધાના સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્‍યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે તે શળંખલામાં આગળ વધતા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. ૨૯૧ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સમગ્ર જિલ્લા માટે કુલ રૂ. ૪૧૪ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.
28 shares
😐
A
Akila News
Mar 20, 2026, 09:23 AM
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રણ અકસ્માત, બેનાં મોત, ચાર ઘાયલ

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રણ અકસ્માત, બેનાં મોત, ચાર ઘાયલ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક ત્રિપલ અકસ્‍માત સર્જાયો છે. ચોટીલાથી સાત કિલોમીટર દૂર જોલી એન્‍જોય વોટરપાર્ક પાસે સ્‍વીફટ કાર, પીકઅપ વાન અને એક ટ્રક વચ્‍ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા છે, જ્‍યારે અન્‍ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર એક પીકઅપ વાન આગળ જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્‍તા પર ઉભેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર બાદ પાછળથી આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્‍વીફટ કાર પણ આ અકસ્‍માતનો ભોગ બની હતી, જેના કારણે ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. વાહનોને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોને ઈજા થઈ હતી. તેમાંથી બે વ્‍યક્‍તિના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા. અન્‍ય બે ઈજાગ્રસ્‍તોમાં એક બાળક અને કારનો ડ્રાઈવરનો સમાવેશ થાય છે. બંનેની હાલત ગંભીર જણાતા તેમને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. હોસ્‍પિટલના સૂત્રો અનુસાર, તેમની તબિયત નાજુક છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પરિવાર અમદાવાદનો હોવાનું અને કાર પણ અમદાવાદ પાસિંગની હોવાનું જાણવા મળ્‍યું છે. અકસ્‍માતની જાણ થતા જ ચોટીલા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે ક્રેન અને સ્‍થાનિકોની મદદથી ક્ષતિગ્રસ્‍ત વાહનોને હટાવ્‍યા હતા. મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ચોટીલાની સરકારી હોસ્‍પિટલ મોકલવામાં આવ્‍યા છે. હાઈવે પર ઉભેલા ટ્રકને કારણે અકસ્‍માત સર્જાયો હોવાથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
13 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:17 AM
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો

ગઇકાલે બપોર બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રચંડ તોફાની પવન-વરસાદ ત્રાટકતા માત્ર ૧ દિવસમાં વીજ તંત્રને લાખોનું નુકશાન થયું છે ! સેંકડો ફીડર બગડયા ર૬પ૦ ગામોમાં અંધારપટ છવાયોઃ ટીમો દ્વારા આખી રાત કામગીરી : ર૪૦૦ ગામોમાં લાઇટો ચાલુ કરાઇઃ રપ૦ ગામોમાં હજુ અંધારાઃ ૭૯૧ થાંભલા પડી ગયાઃ રપ ટ્રાન્‍સફોર્મર ઉડયાઃ રાજકોટમાં બે ડઝન વિસ્‍તારમાં મોડી રાત સુધી અંધારપટ.
31 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:11 AM
મધ્ય પૂર્વમાં સંઘર્ષ ચાલુ હોવાથી વૈશ્વિક ભૂખમરાનું સંકટ તોળાઈ રહ્યું છે

મધ્ય પૂર્વમાં સંઘર્ષ ચાલુ હોવાથી વૈશ્વિક ભૂખમરાનું સંકટ તોળાઈ રહ્યું છે

નવી દિલ્‍હી/ ન્‍યૂ યોર્કઃ વિશ્વ અત્‍યારે વિનાશની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્‍લા ૫ વર્ષથી વિશ્વમાં યુદ્ધનો માહોલ ચાલી રહ્યું છે. અત્‍યારે વિશ્વ જે દિશામાં આગળ વધી રહ્યું તેને જોતા માનવીય નુકસાનના તમામ રેકોર્ડ તૂટી શકે છે. મધ્‍યપૂર્વના યુદ્ધના કારણે પણ છેલ્‍લા ૩ મહિલામાં ૪.૫ કરોડથી વધારે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડશે તેવો યુએન ફૂડ સિક્‍યુરિટી પ્રોગ્રામ્‍સ(WFP)ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે. ભૂખમરીના આ મોટો આંકડો સાબિત થઈ શકે તેમ છે. આમ, પણ મધ્‍યપૂર્વની હાલત જોતા અત્‍યારે અનેક દેશોમાં આર્થિક સંકટ આવ્‍યું છે. તેવામાં હવેWFPદ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્‍યો છે. મહત્‍વની વાત એ છે કે, જો મધ્‍યપૂર્વનો સંઘર્ષ જૂન સુધીમાં પૂર્ણ નહીં થાય તો, ખોરાકથી વંચિત લોકોની સંખ્‍યા ૩૬.૩ કરોડ સુધી પહોંચી જશે. તે અત્‍યાર સુધીનો સૌથી મોટો આંકડો હશે. જે ખરેખર ચિતાની વાત છે.WFPના આંકડા પ્રમાણે ૨૦૨૨માં જ્‍યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્‍યારે ૩૪.૯ કરોડ લોકોને ભૂખમરીનો સામનો કરવો પડ્‍યો હતો. પરંતુ મધ્‍યપૂર્વનું યુદ્ધ આંકડામાં આヘર્યજનક રીતે વધારો કરી શકે છે. આ અંગે વિગતે આપતાWFPના ડેપ્‍યુટી એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર કાર્લ સ્‍કાઉએ કહ્યું કે, આ સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચિતાનો વિષય છે, જે પરિવારો પહેલાથી જ ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે લોકોને સૌથી વધારે માર પડી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, મધ્‍યપૂર્વમાં લાગેલી યુદ્ધની આ આગ ક્‍યારે શાંત થશે? શું યુએન દ્વારા આમાં કોઈ હસ્‍તક્ષેપ કરવામાં આવશે? આવા અનેક સવાલો અત્‍યારે થઈ રહ્યાં છે. બીજી એક ચોંકાવનારી વાત કરવામાં આવે તો, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તે બાદ ૨૮ ફેબ્રુઆરીથી ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે. જેના કારણે વિશ્વમાં ખાતરનું સંકટ જોવા મળી શકે છે. કારણ કે, આ માર્ગેથી વિશ્વનું ૨૫ ટકા ખાતર જાય છે. ઈરાને હોર્મુઝ પર નાકાબંધી કરી તેના કારણે સૌથી વધારે એશિયાઈ અને આફ્રિકન દેશોને અસર થઈ રહી છે.
48 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:09 AM
આધ્યાત્મિક સંગમઃ ભાગવત સપ્તા જ્ઞાન યજ્ઞથી ચૈત્ર માસની ઉજવણી થાય છે

આધ્યાત્મિક સંગમઃ ભાગવત સપ્તા જ્ઞાન યજ્ઞથી ચૈત્ર માસની ઉજવણી થાય છે

સંજય ડાંગર દ્રારા -ધ્રોલ,તા.૨૦: જામજોધપુરઃ હાલારની પવિત્ર ધરા પર જ્‍યારે ભક્‍તિ અને શક્‍તિનો સંગમ થાય છે ત્‍યારે આધ્‍યાત્‍મિકતાનો એક અનોખો માહોલ સર્જાય છે. જામનગર જિલ્‍લાના જામજોધપુર તાલુકામાં આવેલ નારીયેરા નેશ ખાતે આગામી ચૈત્ર માસમાં આવો જ એક દિવ્‍ય અવસર આકાર લેવા જઈ રહ્યો છે. ચારણ જગદંબા આઇશ્રી વાલબાઈ માતાજીના પાવન ધામમાં,સર્વ સેવકગણના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ મંગલકારી ભાગવત કથાના તપોમય વ્‍યાસાસન પર પ્રખર યુવા આચાર્ય શાસ્‍ત્રી શ્રી ધર્મેન્‍દ્ર પ્રસાદ (રસરાજ) બિરાજશે. તેઓ પોતાની આગવી અને સુમધુર સંગીતમય શૈલીમાં શ્રોતાઓને ભાગવતજીના ગૂઢ રહસ્‍યો અને ભગવાનની લીલાઓનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૬ સુધી રાખવામાં આવ્‍યો છે. વિક્રમ સંવત ૨૦૮૨,ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં કથાના વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૨૪ માર્ચના રોજ પોથી યાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. ૨૬ માર્ચે નૃહસિહ પ્રાગટ્‍ય,૨૭ માર્ચે શ્રી રામ પ્રાગટ્‍ય અને સાંજે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ (નંદ મહોત્‍સવ) ઉજવાશે. ૨૯ માર્ચે શ્રી રૂકમણી વિવાહ અને ૩૦ માર્ચના રોજ સુદામા ચરિત્ર સાથે કથાનું વિરામ થશે. આ મહોત્‍સવમાં અનેક દિવ્‍ય વિભૂતિઓ પધારીને આશીર્વચન પાઠવશે. ગાયત્રી આશ્રમ - ગધેથડના પૂજ્‍ય લાલદાસ બાપુએ આ પ્રસંગે વિશેષ આશીર્વાદ આપતા જણાવ્‍યું છે કે,આઇશ્રી વાલબાઈ માતાજીના સાનિધ્‍યમાં થઈ રહેલું આ કાર્ય અનેક જીવાત્‍માઓના મોક્ષનું કારણ બનશે. આ ઉપરાંત સોનલધામ-મઢડાથી કંચન માં,રામપરાથી રૂપલ માં,જામ ખંભાળીયાથી હિરલ માં,ગાંગેચાથી સોનલ માં અને જુનાગઢથી આઇ શ્રી દેવલ માં સહિતના શક્‍તિસ્‍વરૂપો પધારીને ભક્‍તોને દર્શનનો લાભ આપશે. સાથે જ શ્રી જેન્‍તીરામ બાપા (ઘુનડા),દિગંબર જિનોદગીરી બાપુ (સતાપર),રવિ ભારતી બાપુ (નારીયેરા નેશ) અને અન્‍ય અનેક સંતો-મહંતો તેમજ ભુવા આતાશ્રીઓ આ પ્રસંગની શોભા વધારશે.
51 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:08 AM
ચાર ધામ યાત્રામાં 2026માં વિક્રમજનક નોંધણીની સંખ્યા જોવા મળી

ચાર ધામ યાત્રામાં 2026માં વિક્રમજનક નોંધણીની સંખ્યા જોવા મળી

નવી દિલ્‍હી,તા.૨૦: હિદુઓ માટે ચારધામની યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્‍યામાં ભક્‍તો ચારધામની યાત્રાએ જતા હોય છે. ૨૦૨૬ના ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા અંગે દેહરાદૂનથી જાહેર કરાયેલા આંકડાની વાત કરવામાં આવે તો, આ વર્ષે શ્રદ્ધાળુઓનો ઉત્‍સાહમાં વધારે જોવા મળ્‍યો છે. ૧૮ માર્ચ સુધીની આંકડા પ્રમાણે કુલ ૬,૮૬,૩૦૫ લોકોએ નોંધણી કરાવી છે. હજી પણ લોકો નોંધણી કરાવી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્‍યું છે. આ વર્ષે એક નવો રેકોર્ડ બનશે તેવું લાગી રહ્યું છે. આ નોંધણીમાં કેદારનાથ ધામ સૌથી આગળ છે. કેદારનાથ માટે ૨,૨૯,૨૯૫ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. દર વર્ષે કેદારનાથના દર્શન કરવા જતા લોકોની સંખ્‍યામાં વધારો થતો જોવા મળે છે. આ વર્ષે પણ માત્ર ૧૨ જ દિવસમાં કેદારનાથ ધામ માટે ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી લીધી છે. બદ્રીનાથ ધામ માટે ૨,૦૨,૬૨૨ શ્રદ્ધાળુઓ, ગંગોત્રી માટે ૧,૨૮,૨૫૩ અને યમુનોત્રી માટે ૧,૨૫,૩૬૬ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હોવાનું જાણવા મળ્‍યું છે. આ આંકડાને જોતા એ સ્‍પષ્ટ થયું છે કે, આ વર્ષે ચારધામ યાત્રા માટે મોટી સંખ્‍યામાં ભક્‍તો જવાના છે. હેમકુંડ સાહિબ માટે જતા શ્રદ્ધાળુઓની વાત કરવામાં આવે તો, તેના માટે ૭૬૯ શ્રદ્ધાળુએ નોંધણી કરાવી છે. અન્‍ય ધામોની તુલનામાં આ આંકડો ઓછો હોવા છતાં તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૨૬ની આ ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. જો આ ઝડપે નોંધણીઓ થતી તો આ વર્ષે યાત્રા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્‍યા અગાઉના રેકોર્ડ બનાવી શકે છે
28 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:03 AM
પડધરીમાં રિક્ષા પલટી ખાઈ જતાં મહિલાનું મોત, પતિ ઘાયલ

પડધરીમાં રિક્ષા પલટી ખાઈ જતાં મહિલાનું મોત, પતિ ઘાયલ

રાજકોટ તા. ર૦: પડધરીના જીલરીયા ગામ પાસે છકડો રીક્ષા પલ્‍ટી ખાઇ જતા પતિની નજર સામે જ પત્‍નીનું મોત થયું હતું. જયારે રીક્ષા ચાલાક પતિને ઇજા થઇ હતી. પડધરી મોવૈયાના ઢાળે ખોડીયાર મંદિર પાસે રહેતા મુન્‍નાભાઇ ઉર્ફે મુન્‍નાભાઇ ભાનજીભાઇ સોલંકી પોતાની છકડો રીક્ષા જેના નં. જીજે-૦૪-યુ-૮૮પપ વાળી લઇને ગામડામાંથી પ્‍લાસ્‍ટીકનો ભંગાર વીણીને પરત ઘરે આવતા હોય ત્‍યારે તેની પત્‍ની રેખાબેન રીક્ષામાં પાછળ ભંગાર ઉપર બેસેલ હોય ત્‍યાં જીલરીયા ગામે મેઘપર જતા રોડ ઉપર વળાંકમાં રીક્ષા પલ્‍ટી મારી જતાં રીક્ષામાં પાછળ બેઠેલ રેખાબેનને માથાના ભાગે ઇજા થતા મોત થયું હતું. જયારે રીક્ષાચાલક મુન્‍નાભાઇને ઇજા થઇ હતી આ અંગે ટીનાભાઇ સોલંકીએ રીક્ષા ચાલક તેના ભાઇ સામે પડધરી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
75 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:01 AM
મુંબઈના ગગનચુંબી ભાડાની કિંમતો વાયરલ વીડિયોમાં ખુલ્લી પડી

મુંબઈના ગગનચુંબી ભાડાની કિંમતો વાયરલ વીડિયોમાં ખુલ્લી પડી

મુંબઈ,તા.૨૦: મુંબઈમાં વધતી જતી મિલકતની કિમતો અને વધી રહેલા ભાડાના ખર્ચને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, બે સોફટવેર એન્‍જિનિયર યુવતીઓ તેમ ભાડાના અપાર્ટમેન્‍ટનો ટુર કરાવતી જોવા મળી રહી છે, અને જ્‍યારે તે આ ઘરનું ભાડું કહે છે તે સાંભળી બધા ચોંકી જાય છે અને હવે તેની ચર્ચા પણ થઈ રહી છે. વીડિયોમાં જણાવવામાં આવ્‍યું છે કે અપાર્ટમેન્‍ટ પરેલમાં આવેલું છે, જે શહેરના મુખ્‍ય અને સૌથી મોંઘા વિસ્‍તારોમાંનું એક માનવામાં આવે છે. તેમની વાતચીત દરમિયાન, બન્ને રહેવાસીઓએ ખુલાસો કર્યો કે તેઓ આ ૨ગ્‍ણ્‍ધ્‍ અપાર્ટમેન્‍ટ માટે આશરે રૂ. ૧ લાખનું માસિક ભાડું ચૂકવે છે, જેમાં મેન્‍ટેનન્‍સ ખર્ચનો સમાવેશ થાય છે. આ અપાર્ટમેન્‍ટ આશરે ૭૦૦ ચોરસ ફૂટનું છે. તેમાં બે બેડરૂમ, એક લિવિગ રૂમ અને અન્‍ય મૂળભૂત સુવિધાઓનો છે. માસ્‍ટર બેડરૂમમાં થોડી જગ્‍યા છે, જ્‍યારે બીજો બેડરૂમ થોડો નાનો છે. બન્ને રૂમમેટ્‍સે ઉલ્‍લેખ કર્યો છે કે તેઓ તેમનો મોટાભાગનો સમય લિવિગ રૂમમાં વિતાવે છે, જ્‍યાં તેઓ વાતચીત અને કામ સંબંધિત ચર્ચાઓમાં વ્‍યસ્‍ત રહે છે. અપાર્ટમેન્‍ટમાંથી બહાર શું કેવી લ્લશ્‍ય જોવા મળે છે તે પણ આ વીડિયો બતાવવામાં આવ્‍યું છે. બારીમાંથી, દૂરના આકાશમાં વિમાનો ઉડતા અને લેન્‍ડ કરતાં જોઈ શકાય છે. એક યુવતીએ કહ્યું, તમે અહીંથી ફલાઇટ્‍સનું ટેકઑફ લેન્‍ડિંગ જોઈ શકો છો. મને આ જ સૌથી વધુ ગમે છે.ઙ્ઘ તેણે ઉમેર્યું કે આ લ્લશ્‍ય તેને કામ પર લાંબા દિવસ પછી આરામની મળે છે. બન્ને યુવતીઓ ૨૩ વર્ષીય સોફટવેર એન્‍જાિનિયર છે. તેઓએ જણાવ્‍યું કે શહેરમાં ઉપલબ્‍ધ બેસ્‍ટ કરિયર તકોને કારણે તેઓએ મુંબઈમાં રહેવાનું નક્કી કર્યું. જોકે, તેમણે એ પણ નોંધ્‍યું કે શહેરમાં લાંબા અંતરને કારણે વ્‍યક્‍તિગત સંબંધો જાળવવા પડકારજનક બની શકે છે - ખાસ કરીને જ્‍યારે જીવનસાથી બાન્‍દ્રા જેવા અલગ વિસ્‍તારમાં રહે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી છે. ઘણા લોકોએ એ હકીકત પર આヘર્ય વ્‍યક્‍ત કર્યું કે યુવતીઓ આટલા નાની ઉંમરે એક લાખનું માસિક ભાડું ચૂકવી રહી છે. એક યુઝરે ટિપ્‍પણી કરી કે, આ ઉંમરે પણ વ્‍યક્‍તિ ખર્ચાઓ પૂરા કરવા માટે ઘરેથી પૈસા લઈ રહી છે, જ્‍યારે બીજા યુઝરે અનુમાન લગાવ્‍યું કે આટલું ઊંચું ભાડું ચૂકવવા માટે, તેમનો માસિક પગાર ઓછામાં ઓછો રૂ. ત્રણ લાખ હોવો જોઈએ. તેનાથી વિપરીત, કેટલાક યુઝર્સે વિસ્‍તાર અને પૂરી પાડવામાં આવતી સુવિધાઓને ધ્‍યાનમાં રાખીને ભાડું વાજબી માન્‍યું. ઘણા લોકોએ ધ્‍યાન દોર્યું કે મધ્‍ય મુંબઈમાં આવા ભાડા દર સામાન્‍ય છે. આ વીડિયોએ ફરી એકવાર મુંબઈના રિયલ એસ્‍ટેટ અને સતત વધતા ભાડા ખર્ચની ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી છે. ઘણા યુઝર્સ માને છે કે શહેરમાં રહેઠાણનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે સરેરાશ વ્‍યક્‍તિ માટે ઘર ખરીદવું કે ભાડું ચૂકવવું મુશ્‍કેલ બની રહ્યું છે.
75 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:00 AM
ભારતના રાજકોટની હિટ એન્ડ રન ઘટનામાં વૃદ્ધ વ્યક્તિનું મોત

ભારતના રાજકોટની હિટ એન્ડ રન ઘટનામાં વૃદ્ધ વ્યક્તિનું મોત

રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ ચોકડી સર્વિસ રોડ પર આઇસર હિટ એન્‍ડ રનની ઘટનામાં એક વૃધ્‍ધનું મોત થયું છે. ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં એંસી ફુટ રોડ પર રાધાનગરમાં રહેતાં વૃધ્‍ધે ઘટના સ્‍થળે જ દમ તોડી દીધો હતો. કંપનીમાં કામ કરતાં હોઇ કામેથી છુટીને ઘરે જતી વખતે આ ઘટના બની હતી. જાણવા મળ્‍યા મુજબ એંસી ફુટ રોડ લાલ પાર્ક નજીક રાધાનગર-૪માં રહેતાં અશ્વીનકુમાર ગીરધરભાઇ અગ્રાવત (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધા સાંજે પાંચેક વાગ્‍યે પોતાનું મોટરસાઇકલ હંકારીને જતાં હતાં ત્‍યારે ગોંડલ રોડ ક્રિષ્‍ના મારબલ નજીક સર્વિસ રોડ પર આઇસરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં તેઓ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત થયું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. આજીડેમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. કે. કુરીયાએ સ્‍થળ પહર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક વૃધ્‍ધની ઓળખ મેળવી તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી. વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર અશ્વીનભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે કંપનીમાં નોકરી કરતાં હતાં. અકસ્‍માત સર્જી આઇસરનો ચાલક ભાગી ગયો હોઇ પોલીસે હિટ એન્‍ડ રનની આ ઘટનામાં ગુનો નોંધવા તજવીજ કરી હતી.
95 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 09:00 AM
ગુજરાતના ધ્રોલમાં જંગલી ડુક્કરની ટક્કરથી મહિલાનું મોત

ગુજરાતના ધ્રોલમાં જંગલી ડુક્કરની ટક્કરથી મહિલાનું મોત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૦: ધ્રોલ તાલુકાના સગાડીયા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્‍માતની ઘટના સામે આવી છે,જેમાં જંગલી ભૂંડ મોટરસાયકલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્‍માતમાં ૪૩ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્‍યું છે. આ બનાવ અંગેની વિગત એવી છે કે,ધ્રોલ તાલુકાના સગાડીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા ધવલભાઈ ધીરજભાઈ પીપરીયા (ઉ.વ. ૨૦) ગત તા. ૧૫/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૦૮:૩૦ વાગ્‍યાના સુમારે પોતાની માતા સોનલબેન (ઉ.વ. ૪૩) ને મોટરસાયકલ પર બેસાડી સુધાગુના ગામથી સગાડીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સિંગલ પટ્ટી રોડ પર અચાનક બાજુના ખેતરમાંથી એક જંગલી ભૂંડ દોડીને રોડ પર આવી ચડ્‍યું હતું અને મોટરસાયકલ સાથે અથડાયું હતું. ભૂંડ અથડાવાને કારણે મોટરસાયકલ સ્‍લીપ થઈ જતાં માતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્‍માતમાં ચાલક ધવલભાઈને શરીરે સામાન્‍ય ઈજાઓ પહોંચી હતી,પરંતુ પાછળ બેઠેલા તેમના માતા સોનલબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં માથામાં હેમરેજ થઈ જવાથી ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મળત્‍યુ નીપજ્‍યું હતું. આ ઘટના અંગે ધવલભાઈએ ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરતા,હેડ કોન્‍સ્‍ટેબલ જે.કે. દલસાણીયે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક બનેલી આ ઘટનાથી પીપરીયા પરિવાર અને સગાડીયા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
16 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:57 AM
લઘુ ચક્રવાતને કારણે તાંકરા તાલુકામાં હવોકે વિનાશ વેર્યો, ખેડૂતોના પાકને નુકસાન થયું

લઘુ ચક્રવાતને કારણે તાંકરા તાલુકામાં હવોકે વિનાશ વેર્યો, ખેડૂતોના પાકને નુકસાન થયું

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા, તા.૨૦: ટંકારા તાલુકામાં ૧૯ માર્ચના રોજ અચાનક આવેલા મિની વાવાઝોડા (મિની સાયક્‍લોન)એ ભારે તબાહી મચાવી છે. આ તોફાની પવન અને ધૂળ-વરસાદ સાથેની આફતે ખેડૂતોના ખેતરોમાં વ્‍યાપક નુકસાન કર્યું છે, રસ્‍તાઓ પર વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે અને કેટલાક વિસ્‍તારોમાં માલનું નુકસાન થયું છે. મિની વાવાઝોડાએ ખેડૂતોના ખેતરોમાં ધાન્‍યનો સોથ (ઘઉં) વળી ગયો છે. ખરીફ પાકની વેળાએ મગફળીમાં માવઠું તેમજ રવિ પાકની લણણી વખતે જીરું અને ઘઉંને રેલમ-છેલમ કરી દીધા હોય ખેડૂતો કુદરત કોપાયમાન બન્‍યાની વાતો કરતા થયા હતા . ટંકારા થી રાજકોટ તરફના ગામોમાં ખેતરોમાં ભયંકર નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની આર્થિક હાલત પર ભારે અસર પડી છે રાજકોટ-મોરબી રોડ પર ટંકારા થી ધ્રુવનગર પાસે તોફાની પવને ખાલી કન્‍ટેનરને ગળગોટિયું ખવડાવી દીધું હતું. ટંકારાPCR૧૧૨ની ટીમે ક્રેનની મદદથી તેને ઉચકીને રસ્‍તો ક્‍લિયર કર્યો. નગર પાલિકા હદમાં ઉમિયા આશ્રમ પાસે લતીપુર હાઈવે પર અડધા રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયા. કલાકો પછી પણ વહીવટી તંત્ર ન પહોંચતા રાહદારીઓએ કામચલાઉ રસ્‍તો બનાવ્‍યો.
40 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:56 AM
ગુજરાતના મુખ્યમંત્રી અમરેલીમાં ₹26 કરોડનાં માર્કેટ યાર્ડ વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે

ગુજરાતના મુખ્યમંત્રી અમરેલીમાં ₹26 કરોડનાં માર્કેટ યાર્ડ વિસ્તરણનું ઉદ્ઘાટન કરશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૦: સાવરકુંડલા રોડ પર આવેલ નવા અદ્યતન માર્કેટયાર્ડ ખાતે સંસ્‍થા દ્વારા ખેડૂતોનાં વિશાળ હિતને ધ્‍યાનમાં રાખીને નવી ખરીદ કરેલ ૨૪ એકર જમીનમાં રૂા.૫૪ કરોડનાં ખર્ચે આધુનિક સુવિધાયુકત એકસ્‍પાન્‍સનનું ખાતમુહુર્ત તેમજ ૨ લાખ ચો.ફુટ જગ્‍યામાં ગુજરાતનો સૌથી મોટા ‘વિરાટ શેડ' નું નિર્માણ કરેલ જેનું લોકાર્પણ રાજયનાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાહેબનાં હસ્‍તે કરવામાં આવશે. જે કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કળષિમંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ, કાયદો અને ન્‍યાયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોનાં મંત્રી કૌશિકભાઈ વેકરીયા પણ ઉપસ્‍થિત રહેવાનાં છે. આ કાર્યક્રમ રાબેતામુજબ તા.૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારનાં રોજ યોજવામાં આવેલ છે. તો અમરેલી જીલ્લાનાં તમામ ખેડૂતભાઈઓ, વેપારીમિત્રો અને શહેરી પ્રજાજનોને સવારે ૯-૩૦ કલાકે સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટયાર્ડ ખાતે ઉદ્દઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા જણાવ્‍યું છે. તેમ ભાવિનભાઈ છે. સોજીત્રાડ- ચેરમેન, ચંદભાઈ બી. પોલરા- વાઇસ ચેરમેન, તુષારભાઈ એચ. હપાણી -યાર્ડના સેક્રેટરી તથા અતુલભાઈ કાનાણી-પ્રમુખ અમરેલી જીલ્લા ભા.જ.૫ ની યાદીમાં જણાવ્‍યું છે.(
37 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:55 AM
રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન

રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં બગસરા અને ત્રીજી તસ્‍વીરમાં જામજોધપુરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ સમીર વિરાણી (બગસરા),ઝીલ વ્‍યાસ (જામજોધપુર) રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે તૂટી પડેલા કમોસમી વરસાદે કહેર મચાવતા ઘઉં,જીરૂ,કેરી સહિતના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની સ્‍થિતી કફોડી બની ગઇ છે. કાલે સાંજથી રાજકોટ,જામનગર,અમરેલી,બોટાદ,જુનાગઢ,કચ્‍છ,દેવભુમી દ્વારકા સહિતના જીલ્લામાં ચોમાસાની જેમ મેઘરાજા તૂટી પડયા હતા અને મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ. જેના કારણે વૃક્ષો,વિજ થાંભલા,હોર્ડિંગ્‍સ તૂટી પડયા હતા.
53 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:54 AM
ગુજરાતના ખેડૂતોને વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે સાવચેતી રાખવાની સલાહ

ગુજરાતના ખેડૂતોને વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે સાવચેતી રાખવાની સલાહ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. ૨૧ સુધી રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ કમોસમી વરસાદ પડવાની શકયતા છે. મુખ્‍યત્‍વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્‍છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્‍થળોએ વરસાદની શકયતા છે. આ બદલાયેલા હવામાનને ધ્‍યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્‍યના કળષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્‍યના ખેડૂતોને કળષિ પ્રગતિ એપ્‍લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્‍યમથી સાવચેતી રાખવાની માહિતી આપવામાં આવી રહી છે. ખેડૂતો માટે લેવાના સાવચેતીના મહત્‍વના પગલાં: કાપણી કરેલ પાક ખેતરમાં ખુલ્લો હોય તો તેને તાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવો અથવા પ્‍લાસ્‍ટિક કે તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવો, પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે, પાકેલા પાકની સત્‍વરે લણણી કરી તેને સુરક્ષિત ખસેડવાની કામગીરી કરવી, ઉભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખેતરમાં પાણીના નિકાલની વ્‍યવસ્‍થા અગાઉથી કરી લેવી, વરસાદી વાતાવરણ દરમિયાન પાકને પિયત આપવાનું અથવા જંતુનાશક દવા છાંટવાનું કામ મુલતવી રાખવું, જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા ભેજથી જલ્‍દી બગડતા પાકોને પ્રાથમિકતા આપી સલામત સ્‍થળે ખસેડવા,APMCમાં ખેડૂતો અને વેપારીઓએ અનાજ અને ખેતપેદાશોને શેડ નીચે અથવા સુરક્ષિત રીતે ઢાંકીને રાખવા, શકય હોય તો આ દિવસો દરમિયાન વેચાણ અર્થે ખેત પેદાશો ખ્‍ભ્‍પ્‍ઘ્‍ માર્કેટમાં લાવવાનું ટાળવું. ખાતર અને બિયારણનો જથ્‍થો પલળે નહીં તે રીતે સુરક્ષિત સ્‍થળે રાખવો. વધુ જાણકારી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્‍ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર પણ સંપર્ક કરી શકાશે.
94 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:54 AM
વિશ્વ સુખ દિવસઃ સર્વેક્ષણમાં સુખના દેખાવ વચ્ચે એકલતા અને અસંતોષનો ખુલાસો થયો

વિશ્વ સુખ દિવસઃ સર્વેક્ષણમાં સુખના દેખાવ વચ્ચે એકલતા અને અસંતોષનો ખુલાસો થયો

રાજકોટ, તા.૨૦: દર વર્ષે ૨૦ માર્ચે વર્લ્‍ડ હેપીનેસ ડે ઉજવવામાં આવે છે, જે માનવ જીવનમાં સુખ, માનસિક સ્‍વાસ્‍થ્‍ય અને સામાજિક સુખાકારીનું મહત્‍વ સમજાવે છે. વર્ષ ૨૦૧૨માં સ્‍થાપિત અને ૨૦૧૩થી ઉજવણી શરૂ થયેલો આ દિવસ લોકોમાં હકારાત્‍મકતા અને સંતુલિત જીવન તરફ પ્રેરણા આપે છે. આ અવસર પર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ૨૨૫૦ લોકો પર કરવામાં આવેલા સર્વેમાં અનેક મહત્‍વપૂર્ણ તારણો સામે આવ્‍યા છે. આ સર્વે મુજબ આજના સમયમાં લોકો બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી એકલતા અનુભવતા થયા છે. ૫૬.૨% લોકો તેમના વર્તમાન જીવનથી સંતોષ અનુભવે છે, જ્‍યારે ૩૮.૨% લોકો ખૂબ જ અસંતોષ અનુભવે છે. દૈનિક જીવનમાં ઉત્‍સાહ પણ એક મોટો મુદ્દો બન્‍યો છે. માત્ર ૩૯.૪૦% લોકો હંમેશા ઉત્‍સાહ અનુભવે છે, જ્‍યારે ૫૪.૬૦% લોકો કયારેક જ ઉત્‍સાહ અનુભવતા હોય છે. મુશ્‍કેલીઓ પ્રત્‍યેનો અભિગમ પણ માનસિક સ્‍થિતિ બતાવે છે. ૬૫.૫૦% લોકો મુશ્‍કેલીઓને નસીબનો ખેલ માને છે, જ્‍યારે માત્ર ૨૭.૩૦% લોકો તેને નવી તક તરીકે જુએ છે. આ સર્વેનું સૌથી ચોંકાવનારું તારણ એ છે કે ૫૮.૨૦% લોકો પાસે મનની વાત કરવા માટે કોઈ નથી, જે આજના સમયમાં વધતી સામાજિક એકલતા દર્શાવે છે. માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે ઊંઘ અને જીવનશૈલી પણ જવાબદાર છે. ૬૧.૪% લોકો માત્ર ૫-૬ કલાક ઊંઘ લે છે, જ્‍યારે માત્ર ૩૩.૭૦% લોકો ૭-૮ કલાક પૂરતી ઊંઘ લે છે. ગુસ્‍સો અને તણાવ પણ જીવનનો ભાગ બની ગયા છે. ૫૭.૮૦% લોકોને નાની નાની બાબતોમાં ગુસ્‍સો આવી જાય છે, જ્‍યારે ૬૮.૫% લોકોએ છેલ્લા અઠવાડિયામાં તણાવ અનુભવ્‍યો છે.
3 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:53 AM
એચ. જે. દોશી હોસ્પિટલે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારો કર્યો

એચ. જે. દોશી હોસ્પિટલે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારો કર્યો

રાજકોટઃ ૧૯૮૯ માં કાર્યરત થયેલ એચ.જે.દોશી હોસ્‍પિટલની સ્‍થાપના એક ચેરીટેબલ સંસ્‍થા તરીકે કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્‍ય ગુણવત્તાયુક્‍ત આરોગ્‍યસંભાળ પૂરી પાડવાનો હતો. ત્રણ દાયકાથી વધુ સમયથી, હોસ્‍પિટલે સમાજની સેવા કરી છે. હોસ્‍પિટલ સારી અને અદ્યતન આરોગ્‍ય સારવાર પોસાય તેવા ખર્ચમાં આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજકોટની આ પ્રખ્‍યાત હોસ્‍પિટલે, તેની માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરીને સાત સુપર-સ્‍પેશિયાલિટી ઓપરેશન થિયેટર કોમ્‍પ્‍લેક્ષનું નિર્માણ કરેલ હોવાનું હોીસ્‍પટલની એક યાદમાં જણાવાયું છે. આ નવી સુવિધામાં સંપૂર્ણ મોડ્‍યુલર ઓપરેશન થિયેટર છે, જે નાની સર્જરીઓથી લઈને જટિલ સુપર-સ્‍પેશિયાલિટી પ્રક્રિયાઓ અને અંગ પ્રત્‍યારોપણ સહિત બધાજ પ્રકારના ઓપરેશન કરવા માટેના અદ્યતન ટેકનોલોજી, નવીનતમ સર્જિકલ સાધનોથી સજ્જ અને આંતરરાષ્ટ્રીય તબીબી ધોરણો અનુસાર કરવામાં આવ્‍યું છે. આ હોસ્‍પિટલમાં સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ તથા સ્‍પેશીયાલીસ્‍ટ સર્જન્‍સ , તથા સમર્પિત ફીજીશયન, પેરામેડીકલ સ્‍ટાફની ટીમ દ્વારા સેવા આપવામાં આવે છે. તેમ પણ જણાવાયું છે.
21 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:50 AM
આંતરરાષ્ટ્રીય સુખ દિવસની ઉજવણીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

આંતરરાષ્ટ્રીય સુખ દિવસની ઉજવણીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

મુંબઈ,તા.૨૦: આજે ઇન્‍ટરનેશનલ ડે ઓફ હેપ્‍પીનેસ' ની ઉજવણી કરાય છે. ત્‍યારે ગુજરાત સુખાકારીના મામલે દેશમાં ત્રીજા નંબરે આવે છે. નેશનલ સ્‍ટેટીસ્‍ટીકલ ઓફિસના સર્વે મુજબ ગુજરાતમાં લગભગ ૮૫% લોકો પોતાનું જીવન સંતોષકારક ગણાવે છે.ગામ્‍ય વિસ્‍તારમાં આ આંકડો ૮૮% અને શહેરી વિસ્‍તારમાં આ આંકડો ૮૧% છે. નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે અનુસાર ગુજરાતમાં ૭૦% લોકો માનસિક રીતે સ્‍થિર છે. પરંતુ અંદાજે ૧૨% લોકો તણાવના લક્ષણો અનુભવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં કામનું ભારણ, ટ્રાફિક અને ઝડપી જીવનશૈલીના કારણે તણાવમાં વધારો નોંધાયો છે. આરોગ્‍ય નિષ્‍ણાતોના મતે શહેરી વિસ્‍તારમાં લગભગ ૧૮ થી ૨૦% લોકો સ્‍ટેસનો સામનો કરી રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ ગુજરાત મજબુત છે. રાજ્‍યનો વૃદ્ધી દર ૮% આસપાસ રહેતા લોકોના જીવનસ્‍તરમાં સુધારો થયો છે. છતાંય આવકમાં અસમાનતા અને માનસિક દબાણ જેવા મુદ્દાઓ પડકારરૂપ છે. સરકાર દ્વારા માનસિક આરોગ્‍ય અભિયાન, યોગ વેલનેસ કાર્યક્રમો દ્વારા સુખાકારી વધારવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. દેશમાં કેરાલા સુખાકારીના મામલે પ્રથમ છે. મહારાષ્ટ્રમાં આવક વધુ છે છતાંય સ્‍ટ્રેસ લેવલ વધુ છે. ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારો વધુ ખુશ છે. શહેરી વિસ્‍તારમાં તણાવની સમસ્‍યા છે. રાજ્‍ય આરોગ્‍ય વિભાગના આંકડા મુજબ છેલ્‍લા પાંચ વર્ષમાં માનસિક સ્‍વાસ્‍થ્‍ય કેસોમાં ૨૦% નો વધારો નોંધાયો છે. કાઉન્‍સેલિગ સેન્‍ટર અને હેલ્‍પલાઈન નંબરની માંગ વધી રહી છે ખુશ રહેવા શું કરવું જોઇએ?
30 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:46 AM
જ્યોતિષીએ 2026માં વેપાર અને કૃષિ માટે મિશ્ર વર્ષ આવવાની આગાહી કરી

જ્યોતિષીએ 2026માં વેપાર અને કૃષિ માટે મિશ્ર વર્ષ આવવાની આગાહી કરી

(જયેશ ભટાસણા) ટંકારાઃ સનાતન પરંપરામાં આકાશ દર્શન દ્વારા વર્ષની આગાહી કરવાની અનોખી પદ્ધતિ આજે પણ પ્રચલિત છે. ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના ખગોળ અભ્‍યાસુ કિશોરભાઈ ભાડજા ૯૫૮૬૫૯૦૬૦૧ એ વર્ષ ૨૦૨૬ માટે ચૈત્ર સુદ પાંચમની‘ખાદલી' (ગાડલી) પરથી ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે. આકાશી નક્ષત્રોની સ્‍થિતિ મુજબ,આગામી વર્ષ વેપાર અને ખેતી માટે મિશ્ર ફળદાયી રહેવાના સંકેતો મળી રહ્યા છે. ખાદલીના ચિત્રનું વિશ્‍લેષણઃ સરહદ પર ભય અને બજારમાં મંદી ૨૩ માર્ચ ૨૦૨૬,સોમવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પヘમિ દિશામાં સર્જાનારી‘ખાદલી'ની સ્‍થિતિ મુજબઃ ખેતી અને વેપારઃ‘વસિયાત' (વેપારી/ચંદ્ર) એ માલનું ગાડું રેઢું મૂક્‍યું હોવાથી ખેત ઉત્‍પાદનમાં ઘટાડો થઈ શકે છે અને બજારમાં મંદીનો માહોલ જોવા મળી શકે છે. સરહદી સુરક્ષાઃ વસિયાત રખેવાળથી ઘણો દૂર હોવાથી દેશની સરહદો પર તણાવ કે ભયના સંકેતો વર્તાય છે.
60 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:45 AM
અગરિયાઓએ કઠિન પરિસ્થિતિઓ છતાં રણમાં મીઠાનું ઉત્પાદન ચાલુ રાખ્યું

અગરિયાઓએ કઠિન પરિસ્થિતિઓ છતાં રણમાં મીઠાનું ઉત્પાદન ચાલુ રાખ્યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૦: સુરેન્‍દ્રનગર જિલ્લાના ખારાઘોડા નિમકનગર કુડા સહિતના વિસ્‍તારોમાં અગરિયાઓ મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે ત્‍યારે ધાંગધ્રા પાટડી સહિતના વિસ્‍તારોમાં ૨૫૦૦ થી વધુ અગરિયાઓ પોતાના પરિવાર સાથે રણમાં જઈ અને મીઠું ઉત્‍પાદન કરવાની કામગીરી કરી રહ્યા છે અને હાલમાં મીઠું ઉત્‍પાદિત થઈ ગયું હોવાના કારણે રણમાંથી મીઠું બહાર ખેંચવાની સિઝન પણ ચાલી રહી છે તેવા સમયે જ વરસાદ વરસતા મીઠાના ઉત્‍પાદનને વ્‍યાપક નુકસાન થયું છે અને મીઠાનું ઉત્‍પાદન અને ક્‍વોલિટી ખરાબ થવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. અગરિયાઓ જ્‍યારે મીઠું પકવતા હોય ત્‍યારે પાણીની રણમાં જરૂર પડતી હોય ત્‍યારે આ પાણી જમીનમાંથી ખેંચવા માટે સોલર પેનલનો ઉપયોગ અગરિયાઓ કરતા હોય છે અને સરકાર દ્વારા પણ સોલાર પેનલ અગરિયાઓને રણમાં સબસીડી મારફતે નાખી દેવામાં આવી છે પરંતુ ભારે પવન અને વરસાદના કારણે અગરિયાઓની સોલાર પેનલ પણ તૂટી જવા પામી છે અને સોલાર પેનલને ભારે નુકસાન થતાં હાલમાં પાણી ખેંચવાની કામગીરી પણ બંધ રહેવા પામી છે સોલર પેનલ તૂટી જતા પ્રત્‍યેક અગરિયાઓને ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનું નુકસાન થયું છે ત્‍યારે બીજી તરફ વાવાઝોડાના કારણે રણની માટી છે તે પણ મીઠાના ઉત્‍પાદનમાં પડી ગઈ છે એટલે ઉત્‍પાદિત મીઠામાં માટીનું પ્રમાણ વધી ગયું છે જેને લઇને નુકસાન જાવાની ભીતિ ઉભી થઈ છે. વાવાઝોડાની પરિસ્‍થિતિમાં રણના અગરિયાઓના ઝુંપડા પણ તૂટી ગયા છે સૌથી વધુ ખારાઘોડા અને નિમકનગર વિસ્‍તારમાં નુકસાન છે ત્‍યારે તંત્ર દ્વારા અગરિયાઓની વચ્‍ચે જઈ અને તેમનું નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવે અને નુકસાન અંગે સર્વે કરી સરકારને રિપોર્ટ સોંપી અને અગરિયાઓને પણ નુકસાન અંગેનું વળતર મળે અને સહાય પેકેજ જાહેર કરે તેવી અગરિયા અને અગરિયા આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. અગરિયાઓની ૦૪ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્‍યું છે સરકાર અગરિયાઓની વ્‍હારે આવે તેવી માંગ - વિક્રમ રબારી મીઠું ખરીદનાર વેપારી.
58 shares
😐
Akila News logo
Akila News
Mar 20, 2026, 08:43 AM
રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, સાધનસામગ્રીની સુરક્ષા કરી રહેલા કામદારને ઈજા

રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, સાધનસામગ્રીની સુરક્ષા કરી રહેલા કામદારને ઈજા

રાજકોટ તા. ૨૦: ગઇકાલે રાજકોટ પંથકમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડયો હતો. ઠેકઠેકાણે વૃક્ષો, હોર્ડીંગ પડી ગયા હતાં. આ દરમિયાન રાજકોટના બામણબોર નજીક વાંકાનેર પોલીસની હદમાં આવેલા જય સ્‍ટોન ક્રશર નામના ભરડીયામાં દસેક ફુટની ઉંચાઇએ ઉભો રહી અહિ કામ કરતો મુળ કોલકત્તાનો આરીફભાઇ અરશદભાઇ મંડલ (ઉ.વ.૩૪) ઇલેક્‍ટ્રીક મોટરને વરસાદથી પલળતી બચાવવા પ્‍લાસ્‍ટીક ઢાંકતો હતો ત્‍યારે ભારે પવન આવતાં પડી જતાં ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.
48 shares
😢
A
Akila News
Mar 20, 2026, 08:36 AM
રાજકોટ અને કચ્છના ખેડૂતોને ભારે વરસાદથી પાકને નુકસાન

રાજકોટ અને કચ્છના ખેડૂતોને ભારે વરસાદથી પાકને નુકસાન

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં બગસરા અને ત્રીજી તસ્‍વીરમાં જામજોધપુરમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ સમીર વિરાણી (બગસરા),ઝીલ વ્‍યાસ (જામજોધપુર) રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે તૂટી પડેલા કમોસમી વરસાદે કહેર મચાવતા ઘઉં,જીરૂ,કેરી સહિતના પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની સ્‍થિતી કફોડી બની ગઇ છે. કાલે સાંજથી રાજકોટ,જામનગર,અમરેલી,બોટાદ,જુનાગઢ,કચ્‍છ,દેવભુમી દ્વારકા સહિતના જીલ્લામાં ચોમાસાની જેમ મેઘરાજા તૂટી પડયા હતા અને મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ. જેના કારણે વૃક્ષો,વિજ થાંભલા,હોર્ડિંગ્‍સ તૂટી પડયા હતા. ગોંડલ
83 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 06:40 AM
અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદથી કચ્છના ખેડૂતો અને પરિવારોને ભારે ફટકો પડ્યો

અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદથી કચ્છના ખેડૂતો અને પરિવારોને ભારે ફટકો પડ્યો

સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન
80 shares
😢
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 06:32 AM
મમતા કુલકર્ણીની ગ્લેમરસ કમબેકઃ'સાધ્વી'થી'સાયરન'સુધી

મમતા કુલકર્ણીની ગ્લેમરસ કમબેકઃ'સાધ્વી'થી'સાયરન'સુધી

બોલીવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની કોઈ ફિલ્મ નહીં, પણ તેમનો રહસ્યમય અને ઝડપથી બદલાતો અવતાર છે. મહાકુંભ 2025 દરમિયાન મમતાએ પોતાની ચમકધમક ભરેલી જિંદગીને ત્યજીને સંન્યાસનો માર્ગ અપનાવવાનો એલાન કર્યો હતો, જેના કારણે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેને કિન્નર અખાડાની મહામંડલેશ્વર તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ભારે વિરોધને કારણે બાદમાં તેને આ પદથી મુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી તે ભગવા વસ્ત્રોમાં અને સાધ્વી સ્વરૂપમાં જોવા મળ્યા, પરંતુ હવે તેના અંદાજમાં આવેલા અચાનક બદલાવે ફેન્સ વચ્ચે નવી ચર્ચા શરૂ કરી છે. મમતા કુલકર્ણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો સાધ્વી અવતાર ક્યાંય જોવા મળતો નથી. આ વીડિયોમાં તેઓ સંપૂર્ણ રીતે આધુનિક અને ગ્લેમરસ લુકમાં ગોવા જઈ રહી છે. એરપોર્ટ પરથી પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં મમતાએ લાલ રંગનો ખૂબ જ સુંદર ડ્રેસ પહેરી છે, ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ સાથે તેઓ પોતાના જૂના ફિલ્મી દિવસોની યાદ અપાવે છે. ખાસ કરીને વીડિયોમાં તેણે પોતાના નવા મેટા AI સનગ્લાસેસને ફ્લોન્ટ કર્યા છે, જેના ભાવ તેણે અંદાજે 50 હજાર રૂપિયા જણાવ્યું છે. તે પોતાના પરિવાર અને મિત્રો સાથે ગોવામાં એક ખાનગી જન્મદિવસ સેલિબ્રેશન ભાગ લેવા પહોંચ્યા છે.
33 shares
😐
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 06:18 AM
વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં બી-1બી લેન્સર બોમ્બર તૈનાત કર્યું

વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં બી-1બી લેન્સર બોમ્બર તૈનાત કર્યું

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ મધ્ય પૂર્વના આકાશમાં ઉડતા B-1B લેન્સર બોમ્બરના દ્રશ્યો જાહેર કર્યા છે. ઈરાનમાં ચાલી રહેલા હુમલાઓ સાથે જોડાયેલા આ મિશનોને કારણે ફરી એક વખત અમેરિકાના સૌથી શક્તિશાળી વિમાનોમાંથી એક તરફ દુનિયાનું ધ્યાન ખેંચાયું છે. યુદ્ધ ક્ષેત્રમાં તેના પ્રભાવ સાથે સાથે આ વિમાનની કિંમત વિશે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, એક B-1B લેન્સરની કિંમત આશરે ₹2,350 કરોડ છે. જ્યારે આ આંકડો તેના મૂળ ઉત્પાદન ખર્ચને દર્શાવે છે, ત્યારે આધુનિકીકરણ અપગ્રેડ, જાળવણી અને સંચાલન ખર્ચ જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે ખર્ચ વધુ વધી જાય છે. વર્ષોથી સતત તકનીકી સુધારાઓએ તેની કિંમત અને લડાઇ ક્ષમતા બંનેમાં વધારો કર્યો છે. ટોપ-10ની યાદીમાં કેટલાયે અમીર દેશોને સ્થાન મળ્યુ નથી. ભારતનો નંબર 116માં સ્થાને આવે છે. વિશ્વના કયા દેશો સૌથી ખુશ છે તે અંગેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ યાદીમાં એકપમ અમીર દેશ સામેલ નથી. આ યાદીમાં ફિનલેન્ડ સતત 9માં સ્થાને પોતાનો ક્રમ જાળવીને સ્થિત છે. તો આ તરફ, ભારતનો ક્રમ 116માં સ્થાને આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનનો ક્રમ ભારતની ઉપર છે. ગયા વર્ષ કરતા આ વર્ષે જનતાએ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં વધુ રુચિ દાખવી છે. આ જ કારણસર ફિનલેન્ડના લોકોએ 10માંથી 7.764 રેટિંગ આપી છે. જે ગયા વર્ષ કરતા 0.375 અંક વધુ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ ભૂ-રાજનૈતિક તણાવની વચ્ચે 79 દેશએ 2006થી2010 અને 2023થી2025ના આધારે 79 દેશોએ તેમના હેપીનેસમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આઇસલેન્ડ બીજા ક્રમે છે, ત્યારબાદ ડેનમાર્કનો ત્રીજા નંબર આવે છે. કોસ્ટા રિકા ચોથા ક્રમે અને સ્વીડન પાંચમા ક્રમે છે. નોર્વે છઠ્ઠા ક્રમે, નેધરલેન્ડ સાતમા ક્રમે, ઇઝરાયલ આઠમા ક્રમે, લક્ઝમબર્ગ નવમા ક્રમે અને સ્વિટ્ઝર્લૅન્ડ દસમા ક્રમે છે. વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં ભારતનું સ્થાન ખાસ પ્રભાવશાળી નથી. ખુશીના સંદર્ભમાં ભારતનું સ્થાન પાકિસ્તાનથી પણ પાછળ છે. ભારતનું રેન્કિંગ 116 અને પાકિસ્તાનનું 104મું છે. જોકે, પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતનું સ્થાન સુધર્યું છે. 2024માં તે 126 અને 2025માં 118મું હતું. આનો અર્થ એ થયો કે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. વિશ્વના ટોચના 10 ખુશ દેશોની યાદીમાંથી ઘણા શ્રીમંત દેશો ગાયબ છે. યુરોપના નોર્ડિક દેશો સૌથી ખુશ છે. વધુમાં, યુદ્ધ અને ગરીબીથી પીડાતા દેશો સૌથી વધુ નાખુશ છે. આ પણ વાંચોઃઆસામમાં થયેલી શોધથી ભારતમાં તેલના કુવાઓ માટે કેવી રીતે ખુલ્યા રસ્તા?, જાણો કાળા સોના તરીકે ઓળખાતું તેલ કોઈપણ દેશનું નસીબ બદલવાની શક્તિ ધરાવે છે. તેલ કોઈ પણ દેશનું નસીબ કેવી રીતે બદલી નાખે છે તે મધ્ય પૂર્વમાંથી સમજી શકાય છે. સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, કતાર અને ઈરાન એવા દેશો છે. જેમના તેલ ભંડારોએ તેમને ધનવાન બનાવ્યા છે. આ જ કારણ છે કે તેને કાળું સોનું કહેવામાં આવે છે. અહીંના તેલના કુવાઓ ખરેખર સોનું ફેલાવી રહ્યા છે. ભારતમાં, તેલ 1867 માં શરૂ થયું, જ્યારે આસામના દિગ્બોઈમાં તેલ શોધાયું. આ શોધ ભારતના પેટ્રોલિયમ ક્ષેત્ર માટે એક વળાંક હતો. આ પછી, ભારતમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ હતી. ભારતની પ્રથમ આધુનિક રિફાઇનરી ડિગબોઈ, આસામમાં બનાવવામાં આવી હતી અને ડિસેમ્બર 1901 માં તેનું સંચાલન શરૂ થયું. જાન્યુઆરી 1902 માં કેરોસીનનો પહેલો જથ્થો બજારમાં પહોંચ્યો ત્યારે દેશનું પ્રથમ પેટ્રોલિયમ ઉત્પાદન ઉત્પન્ન થયું. ધીમે ધીમે, દેશના અન્ય ભાગોમાં તેલ શોધાયું, અને કુદરતી ગેસના ભંડાર શોધાયા. વિશ્વના અન્ય તેલ સમૃદ્ધ દેશોની તુલનામાં ભારતના તેલ ભંડાર નાના છે, પરંતુ આ સિદ્ધિ દેશ માટે મહત્વપૂર્ણ છે. 1. ગુજરાત: ગુજરાત પશ્ચિમ ભારતના સૌથી મહત્વપૂર્ણ દરિયાકાંઠાના તેલ ઉત્પાદક પ્રદેશોમાંનું એક છે. અંકલેશ્વર, કલોલ, મહેસાણા, નવાગામ, કોસંબા, કઠાણા, બારકોલ અને સાણંદ રાજ્યના સૌથી વધુ ઉત્પાદક તેલ ક્ષેત્રો છે. તેલ ટ્રોમ્બે અને કોયાલીમાં રિફાઇનરીઓમાં પરિવહન થાય છે. અહીંનું પાઇપલાઇન નેટવર્ક ઉત્પાદન અને શુદ્ધિકરણને ટેકો આપે છે. 2. રાજસ્થાન: રાજસ્થાન બાડમેર પ્રદેશ દ્વારા સંચાલિત ભારતના સૌથી મોટા દરિયાકાંઠાના તેલ ઉત્પાદક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. આ બેસિનમાં રેતીના પથ્થરોની રચનાઓમાં નોંધપાત્ર ભંડાર આવેલા છે. આ મુખ્ય તેલ ક્ષેત્ર ભારતમાં શોધાયેલા સૌથી મોટા તેલ ભંડારોમાંનું એક છે. તે ભારતના સ્થાનિક ક્રૂડ તેલ ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો આપે છે. મુંબઈ હાઇ આ ભારતનું સૌથી મોટું અને સૌથી વધુ ઉત્પાદક તેલ ક્ષેત્ર છે. અરબી સમુદ્રમાં સ્થિત, આ તેલ ક્ષેત્ર મુંબઈથી આશરે 160 કિલોમીટર પશ્ચિમમાં આવેલું છે. 3. કૃષ્ણ-ગોદાવરી બેસિન: પૂર્વ કિનારે સ્થિત, કૃષ્ણ-ગોદાવરી બેસિન એક મહત્વપૂર્ણ ઉભરતું તેલ અને ગેસ ઉત્પાદક ક્ષેત્ર છે. તેમાં નોંધપાત્ર હાઇડ્રોકાર્બન ક્ષમતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સ્થિત, આ અનોખા તેલ ક્ષેત્રમાં તેલ અને કુદરતી ગેસ બંનેનો ભંડાર છે. 4. કાવેરી બેસિન: કાવેરી બેસિન તમિલનાડુ અને નજીકના વિસ્તારોમાં એક મહત્વપૂર્ણ તેલ ઉત્પાદક પ્રદેશ છે. તેલ ભંડાર નરીમાનમ અને કોવિલાપલમાં સ્થિત છે. આ પણ વાંચોઃકયા દેશમાં ઇન્ટરનેટ સૌથી મોંઘુ, જાણો સૌથી વધુ કિંમતનું કારણ? સંયુક્ત આરબ અમીરાત અને સોલોમન ટાપુઓ જેવા દેશો ઇન્ટરનેટ ઍક્સેસ માટે વિશ્વના સૌથી મોંઘા દેશો છે. જ્યારે પ્રતિ Mbps કિંમતની વાત આવે છે. ત્યારે UAE યાદીમાં ટોચ પર છે. અહીંના વપરાશકર્તાઓ આશરે $4.31 પ્રતિ Mbps ચૂકવે છે. જે ભારતીય ચલણમાં રૂ. 360 થાય છે. આ તેને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ માટે સૌથી મોંઘા દેશોમાંનો એક બનાવે છે. ઉત્તમ માળખાગત સુવિધાઓ અને આધુનિક શહેરો હોવા છતાં, અહીં ઊંચા ભાવનું મુખ્ય કારણ સ્પર્ધાનો અભાવ છે. હકીકતમાં, ફક્ત થોડી મોટી ટેલિકોમ કંપનીઓ બજારમાં પ્રભુત્વ ધરાવે છે. આને કારણે, અહીં કિંમતો ઘણી ઊંચી છે. જો આપણે કુલ માસિક ખર્ચ પર નજર કરીએ, તો સોલોમન ટાપુઓ પ્રથમ ક્રમે છે. ઇન્ટરનેટ ખર્ચ દર મહિને $457 સુધીનો હોઈ શકે છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે ₹38 હજાર છે. આ સરેરાશ વપરાશકર્તા માટે ખૂબ મોંઘી છે. આ મુખ્યત્વે તેના ભૌગોલિક સ્થાનને કારણે છે. એક દૂરસ્થ ટાપુ દેશ તરીકે, તે ઇન્ટરનેટ માળખાગત સુવિધાઓ બનાવવા અને જાળવવામાં નોંધપાત્ર પડકારોનો સામનો કરે છે. કનેક્ટિવિટી મોટાભાગે દરિયાઈ કેબલ અને સેટેલાઇટ લિંક્સ પર આધારિત છે. ઘાના અને ઝિમ્બાબ્વે જેવા દેશો પણ ઇન્ટરનેટ કિંમતોની દ્રષ્ટિએ ઉચ્ચ ક્રમે છે. ઝિમ્બાબ્વેમાં મોબાઇલ ડેટા પ્રતિ GB $43.75 સુધીનો ખર્ચ કરી શકે છે. જે તેને વિશ્વના સૌથી મોંઘા દેશોમાંનો એક બનાવે છે. સ્વિટ્ઝર્લૅન્ડ પણ આ યાદીમાં સામેલ છે. ઇન્ટરનેટની ઊંચી કિંમતનું સૌથી મોટું કારણ માળખાગત સુવિધાઓનો ખર્ચ છે. પર્વતો, મહાસાગરો અથવા દૂરના વિસ્તારોમાં ફાઇબર-ઓપ્ટિક કેબલ નાખવા અત્યંત ખર્ચાળ છે. કઠોર ભૂપ્રદેશ અથવા વિખરાયેલી વસ્તીવાળા દેશોમાં આ ખર્ચ વધુ છે. વધુમાં, ઘણા દેશોમાં, ટેલિકોમ ક્ષેત્ર ફક્ત એક કે બે કંપનીઓ દ્વારા પ્રભુત્વ ધરાવે છે. સ્પર્ધાના અભાવને કારણે સેવા પ્રદાતાઓ ઊંચા ભાવ જાળવી શકે છે. વધુમાં, જે દેશો દરિયાઈ સરહદ શેર કરતા નથી, અથવા જે દેશો દૂરના ટાપુઓ પર સ્થિત છે, તેઓ સીધા વૈશ્વિક ઇન્ટરનેટ બેકબોન સાથે કનેક્ટ થઈ શકતા નથી. તેમને પડોશી દેશો અથવા મોંઘા આંતરરાષ્ટ્રીય બેન્ડવિડ્થ પર આધાર રાખવો પડે છે. આ પણ વાંચોઃયુદ્ધની સ્થિતિ અને પ્રાથમિકતાઓ મામલે ભારતની સ્પષ્ટતા, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ? કેટલાક વિસ્તારો સુરક્ષા ચિંતાઓને કારણે બંધ છે, જ્યારે અન્ય પર્યાવરણીય અને સ્થાનિક સલામતીને કારણે પ્રતિબંધિત છે. ઉત્તર સેન્ટીનેલ ટાપુ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આંદામાન સમુદ્રમાં સ્થિત છે. તે પોર્ટ બ્લેરથી લગભગ 36 કિલોમીટર દૂર છે અને આશરે 60 થી 72 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. ભારત સરકારે આ ટાપુને આદિવાસી અનામત જાહેર કર્યો છે. અહીં રહેતી સેન્ટિનેલીઝ જાતિ બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ રહે છે. તેઓ તેમના પ્રદેશમાં કોઈપણ બહારના લોકોને સહન કરતા નથી અને જોતાં જ તેમના પર હુમલો કરે છે. ઉત્તર સેન્ટિનેલ ટાપુને પણ વિશ્વના સૌથી ખતરનાક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. બહારના લોકો પર હુમલાના અનેક બનાવો બન્યા છે. 2018 માં, જોન એલન ચાઉ નામના અમેરિકન મિશનરીની સેન્ટિનેલીઝ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતી વખતે હત્યા કરવામાં આવી હતી. અગાઉ, 2006 માં, અહીં પહોંચતા બે ભારતીય માછીમારોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓ બાદ, સરકારે નિયમો કડક કર્યા હતા, અને પરવાનગી વિના વિસ્તારમાં પ્રવેશ કરવો એ ગંભીર ગુનો માનવામાં આવે છે. આ જાતિને વિશ્વના સૌથી અલગ અને પ્રાચીન સમુદાયોમાંની એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમના પૂર્વજો હજારો વર્ષ પહેલાં અહીં સ્થાયી થયા હતા અને હજુ પણ આ પરંપરાગત જીવનશૈલી જીવે છે. તેમની વસ્તી ખૂબ ઓછી છે અને તેઓ શિકાર, માછીમારી અને વન સંસાધનો પર આધાર રાખે છે. ધનુષ્ય, તીર અને ભાલા તેમના મુખ્ય શસ્ત્રો છે, અને તેઓ બહારના લોકોને ખતરો માને છે. આ પણ વાંચોઃHormuz Strait જો 30 દિવસ સુધી બંધ રહે તો કેટલું થઇ શકે છે નુકસાન?, જાણો
18 shares
😐
Western Times logo
Western Times
Mar 20, 2026, 06:03 AM
અમદાવાદના ખાદ્ય વિભાગે તળેલા તેલનો ઉપયોગ અને ગુણવત્તા પર કડક કાર્યવાહી કરી

અમદાવાદના ખાદ્ય વિભાગે તળેલા તેલનો ઉપયોગ અને ગુણવત્તા પર કડક કાર્યવાહી કરી

અમદાવાદ,શહેરમાં બટાકા, દાળવડા, ગાંઠિયા તેમજ ચવાણા સહિતનાં ફરસાણનાં ઉત્પાદકો તેમજ દુકાનદારો પણ તળવાનાં તેલનો વારંવાર ઉપયોગ ના કરે તે માટે મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે તેમ છતાં કેટલાય વેપારીઓ એકનાં એક તેલનો જ ઉપયોગ કરતાં હોવાથી મ્યુનિ. ફૂડ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરતાં તેમાં છ એકમમાં ટીપીસી, પેરોક્સાઇડ અને આયોડિન વેલ્યુ વધારે જણાતાં સીલ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સિંધુભવન રોડ પર કોમો બાય કાફા રેસ્ટોરન્ટમાંથી ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. જેની સામે મ્યુનિ. દ્વારા શ્ ૫૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં ઇન્ચાર્જ એડિશનલ હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, તળવાનાં તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તે વિવિધ પ્રકારનાં ગંભીર રોગનું કારણ બની જાય છે. તેથી આવા વેપારીઓને ત્યાં તળવાનાં તેલનાં ટીપીસી ટેસ્ટ કરવામાં આવે છે. મ્યુનિ. ફૂડ વિભાગની ટીમો જ્યાં ખાદ્યપદાર્થાનાં નમૂના લેવા તેમજ હાઇજેનિક કન્ડિશન સહિતની બાબતોની તપાસ કરવા જાય છે ત્યારે ખાસ કરીને તળવાનાં તેલનાં ટીપીસી ટેસ્ટ કરે છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ફૂડ વિભાગની ટીમોએ તપાસ કરતાં છ એકમમાં તળવાનાં તેલની ગુણવત્તા નિયમાનુસાર જણાઇ નહોતી, તેથી દંડ વસૂલ કરવાની સાથે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાય શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ૮૬૭ એકમોમાં તપાસ કરવામાં આવી હતી, તે સમયે ૧૨૦૦ કિલો-લિટર જેટલો ખાદ્યપદાર્થ બિનઆરોગ્યપ્રદ જણાતાં તેનો નાશ કરાવવામાં આવ્યો હતો અને ૩૩૦ વેપારીઓને નોટિસ ફટકારી સાડા ચાર લાખ રૂપિયાથી વધુ દંડ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમોએ ફ્‰ટ જ્યુસ, લસ્સી, આઇસ્ક્રીમ, શરબત, સિકંજી, શેરડીનો રસ, મેંગો મિલ્ક, પનીર, દૂધની બનાવટો, મીઠાઇ, ડેરી પ્રોડક્ટસ, હોળીનાં હાયડા, નમકીન, બેસન, અન્ય લોટ, ચોખા સહિત અનાજ, ખાદ્યતેલ, મરીમસાલા વગેરે ખાદ્યપદાર્થનાં ૪૪૩ નમૂના લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા.SS1MS
4 shares
😐
Western Times logo
Western Times
Mar 20, 2026, 06:00 AM
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઈદ-ઉલ-ફિત્રના તહેવાર દરમિયાન યુદ્ધવિરામ માટે સંમત થયા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઈદ-ઉલ-ફિત્રના તહેવાર દરમિયાન યુદ્ધવિરામ માટે સંમત થયા

નવી દિલ્હી,સીમા વિવાદ અને આતંકવાદી હુમલાઓને કારણે યુદ્ધની અણીએ પહોંચેલા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે. સાઉદી અરેબિયા, તૂર્કિયે અને કતાર જેવા મિત્ર દેશોની મધ્યસ્થી અને વિનંતી બાદ બંને પક્ષોએ લશ્કરી કાર્યવાહી સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે.પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે લખ્યું કે, ‘ઓપરેશન ગઝ્બ-લિલ-હક’ હેઠળ સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા હુમલાઓને ૧૮ માર્ચની મધ્યરાત્રિથી ૨૩ માર્ચ સુધી રોકી દેવામાં આવશે. જોકે, પાકિસ્તાને ચેતવણી પણ આપી છે કે જો સરહદ પારથી કોઈ ઉશ્કેરણીજનક હુમલો કે આતંકવાદી ઘટના બનશે, તો આ કામગીરી તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવશે.’પાકિસ્તાનની જાહેરાતના કલાકો બાદ અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પણ સુરક્ષા દળો દ્વારા સંરક્ષણ કામગીરી સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી. મુજાહિદે જણાવ્યું હતું કે, ‘અમે ઈદના અવસરે અને મિત્ર દેશોના માન ખાતર વિરામ રાખ્યો છે, પરંતુ કોઈપણ આક્રમણનો બહાદુરીપૂર્વક જવાબ આપવા અમે તૈયાર છીએ.’આ સીઝફાયર એવા સમયે આવ્યો છે જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર કાબુલની ‘ઓમિદ’ હોસ્પિટલ પર હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અફઘાન અધિકારીઓએ દાવો કર્યાે હતો કે, પાકિસ્તાની હવાઈ હુમલામાં ૪૦૮ લોકોના મોત થયા છે અને ૨૬૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનમાં બુલડોઝરની મદદથી મોટી કબરો ખોદીને મૃતકોના સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. પાકિસ્તાને હોસ્પિટલને નિશાન બનાવ્યાના આરોપને પ્રોપગેન્ડા ગણાવી નકારી કાઢ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેમણે માત્ર લશ્કરી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા.આ વિવાદને શાંત પાડવા માટે સાઉદી અરેબિયા, કતાર અને તૂર્કિયે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ દેશોની સતત વિનંતી બાદ જ બંને દેશો ઈદ સુધી શાંતિ જાળવવા સંમત થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિરામથી સરહદ પર ફસાયેલા સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.SS1MS
38 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 06:00 AM
યુનેસ્કોની ટીમે અમદાવાદમાં હેરિટેજ સાઇટ્સનું નિરીક્ષણ કર્યું

યુનેસ્કોની ટીમે અમદાવાદમાં હેરિટેજ સાઇટ્સનું નિરીક્ષણ કર્યું

(એજન્સી)અમદાવાદ, ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યું છે. યુનેસ્કોની એક ઉચ્ચ સ્તરીય ટીમ અમદાવાદની મુલાકાતે આવી પહોંચી છે. આ ટીમ ‘રિએક્ટિવ મોનિટરિંગ’ પ્રક્રિયાના ભાગરૂપે અમદાવાદ શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને હેરિટેજ વારસાની જાળવણીનું નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોની ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન અમદાવાદ શહેરના હેરિટેજ સ્થાપત્યોની સુરક્ષા, જાળવણી અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા પગલાં વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જાળવી રાખવા માટે એએમસી દ્વારા કરવામાં આવતી કામગીરીનું ટીમે નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોની ટીમે શહેરના કેટલાક પ્રમુખ સ્થાપત્યોની જાતતપાસ કરી હતી. જેમાં યુનેસ્કોની ટીમે કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, આ સ્ટેશનની આસપાસ અનેક હેરિટેજ વાસ્તુ શિલ્પો આવેલા છે, જેની જાળવણી અત્યંત મહત્વની છે. અમદાવાદની શાન ગણાતા ભદ્રના કિલ્લાની પણ ટીમે મુલાકાત લીધી હતી. કિલ્લાનું સ્ટ્રક્ચર અને તેની આસપાસ કરવામાં આવેલી કામગીરી અંગે ટીમે માહિતી મેળવી હતી. યુનેસ્કો દ્વારા જે અમદાવાદ શહેરોને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, ત્યાં સમય-સમય પર આવી તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા એ જોવામાં આવે છે કે, શું શહેર તેના ઐતિહાસિક મૂલ્યોને જાળવી રાખવામાં સફળ રહ્યું છે કે કેમ. ટીમના આ અહેવાલના આધારે આગામી દિવસોમાં હેરિટેજ જાળવણી માટેના નવા માર્ગદર્શનો મળી શકે છે.
76 shares
😐
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:57 AM
કાશ્મીર આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન હાઈ એલર્ટ પર

કાશ્મીર આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન હાઈ એલર્ટ પર

વોશિંગ્ટન, વર્ષ ૨૦૨૫માં કાશ્મીરના સ્વર્ગ સમા પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર ધર્મ પૂછીને કરાયેલા આતંકી હુમલા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો હતો. જેને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. તે વખતે ભારતે લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનો ખુડદો બોલી ગયો હતો. પાકિસ્તાને આજીજી કરતા ભારતે સૈન્ય સંઘર્ષ પર પૂર્ણ વિરામ મૂક્્યું હતું પરંતુ ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે આ ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. જ્યારે પણ સરહદ પારથી કોઈ આવી ઘટનાને અંજામ અપાશે તો ભારત ચૂપ બેસશે નહીં અને જડબાતોડ જવાબ આપશે. ભારત હવે આવા હુમલા સાખી લેવાના જરાય મૂડમાં નથી. હવે તો આર યા પારના મૂડમાં છે. આ બધા વચ્ચે અમેરિકી સેનેટમાં બુધવારે રજૂ થયેલા યુએસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીના જોખમની સમીક્ષા પર બનેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સંઘર્ષનું જોખમ વાસ્તવિક છે અને બંને વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના પગલે આવું બન્યું છે. રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન સીધો સંઘર્ષ શરૂ કરવા માંગતા નથી પરંતુ આમ છતાં આતંકી તત્વો માટે સંકટોને વધારનારી પરિસ્થિતિઓ અÂસ્તત્વમાં છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ સંબંધ છે તેના કારણે પરમાણુ સંઘર્ષનું જોખમ બનેલું છે. કારણ કે ભૂતકાળમાં આ બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે ઘર્ષણ થયેલું છે જેનાથી તણાવ વધવાનું જોખમ પેદા થયું છે. ગત વર્ષે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સંઘર્ષને ભડકાવનારા આતંકી હુમલાના જોખમને સ્પષ્ટ કર્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની દખલથી જો કે હાલનું પરમાણું હુમલાનો તણાવ ઘટ્યો છે અને અમારી સમીક્ષા છે કે કોઈ પણ દેશ ખુલ્લા સંઘર્ષમાં જવા માંગતો નથી પરંતુ આતંકવાદી તત્વો માટે સંકટોને વધારનારી પરિસ્થિતિઓ અÂસ્તત્વમાં છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે સંબંધ તણાવપૂર્ણ છે અને સરહદપાર સંઘર્ષ થતો રહે છે કારણ કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પાક વિરોધી આતંકી સમૂહોની હાજરીથી સતત નિરાશ થઈ રહ્યું છે, જેણે વધતી આતંકી હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે.
78 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:53 AM
સુરતઃ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં બેના મોત, 8થી વધુ ઘાયલ

સુરતઃ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં બેના મોત, 8થી વધુ ઘાયલ

મુંબઈ,સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં આજે ભીષણ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જા છે. આગની લપેટમાં આવેલા બે એલપીજી ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે ૮થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.કાપોદ્રાના રચના સર્કલ પાસે આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી. આ દરમિયાન કારખાનામાં અનેક કામદારો કામ કરી રહ્યા હતા, જેમનામાં દોડધામ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ઇમારતમાં રહેલા બે ગેસ સિલિન્ડર એકાએક ફાટ્યા હતા, જેના કારણે જાનહાનિના આંકડામાં વધારો થયો છે.ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો હરકતમાં આવી હતી. આગની ગંભીરતાને જોતા ૭ અલગ-અલગ ફાયર સ્ટેશનની ૧૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ ઇમારતમાં ફસાયેલા ૮થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવતા બે લોકોના મોત થયા છે. જ્યારે ૯ જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં બે સિલિન્ડર ફાટ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જેના કારણે બ્લાસ્ટની તીવ્રતા વધી હતી. જોકે, કારખાનામાં સૌ પ્રથમ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા હાલમાં પંચનામું કરી તપાસ તેજ કરવામાં આવી છે.SS1MS
43 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:53 AM
સલમાન ખાનની'વોર ડ્રામા "ફિલ્મનું નવું શીર્ષક અને મોટા ફેરફારો

સલમાન ખાનની'વોર ડ્રામા "ફિલ્મનું નવું શીર્ષક અને મોટા ફેરફારો

મુંબઈ,સલમાન ખાને તાજેતરમાં તેની આવનારી વાર ડ્રામા ફિલ્મ અંગે મહત્વની અપડેટ જાહેર કરી છે, જેમાં ફિલ્મનું નવું નામ ‘માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ’ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ નામે ઓળખાતી હતી, હવે આ ફિલ્મનાં નવા વર્ઝનમાં નામ સાથે ફિલ્મની ઉગ્રતા અને સંદેશામાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. અપૂર્વ લખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૨૦૨૦માં ગલવાન ખીણ વિસ્તારમાં થયેલી ભારત-ચીન સૈન્ય વચ્ચેની અથડામણ પરથી પ્રેરિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન સ્વ. કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૨૫માં લદ્દાખમાં શરૂ થયું હતું અને ડિસેમ્બર સુધીમાં લગભગ પૂર્ણ થવા આવ્યું હતું. હાલમાં, આ પ્રોજેક્ટમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. તેના અહેવાલો મુજબ, ફેબ્›આરી ૨૦૨૬થી મુંબઈમાં ફિલ્મના કેટલાક ભાગોનું રીશૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં લગભગ ૪૦ દિવસનું વધારાનું કામ કરવામાં આવશે છે. નવા શીડ્યુલમાં ફિલ્મની કહાનીને ફરીથી આકાર આપવા માટે નવા દૃશ્યો શૂટ કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારોમાં એક ખાસ ઉમેરો ચાઇનીઝ ભાષામાં એક ગીતનો છે, જેનું સંગીત હિમેશ રેશમિયાએ બનાવવાનું છે. આ ગીત તૈયાર અને રેકોર્ડ થયા પછી તેમાં સલમાન ખાનને દર્શાવીને ફિલ્માવવામાં આવશે તેવી શક્યતા છે.અહેવાલો અનુસાર, આ ફેરફારો બદલાતી જિયોપોલિટિકલ પરિસ્થિતિઓથી પ્રભાવિત છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મહેનતથી આવી રહેલી નરમાઈને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ફિલ્મની દૃષ્ટિમાં ફેરફાર કર્યાે છે. ગલવાન સંઘર્ષ જેવી સંવેદનશીલ ઘટના હોવાને કારણે, ટીમ હવે ફિલ્મમાં યુદ્ધ કરતાં શાંતિ, સૌહાર્દ અને માનવીય મુલ્યો જેવા વિષયો પર વધુ ભાર મૂકી રહી છે. નવું નામ, વધારાના દૃશ્યો અને બદલાયેલા વિષયવસ્તુ સાથે, માતૃભૂમિઃ મે વોર રેસ્ટ ઇન પીસ હવે તેની મૂળ કલ્પના કરતાં અલગ રીતે તૈયાર થઈ રહી છે.SS1MS
15 shares
😐
Sandesh logo
Sandesh
Mar 20, 2026, 05:52 AM
ઈરાનના મિસાઈલ હુમલાથી કતારની એલ. એન. જી. નિકાસ ક્ષમતાને નુકસાન થતાં વૈશ્વિક ઊર્જા સુરક્ષા કટોકટી ઊભી થઈ

ઈરાનના મિસાઈલ હુમલાથી કતારની એલ. એન. જી. નિકાસ ક્ષમતાને નુકસાન થતાં વૈશ્વિક ઊર્જા સુરક્ષા કટોકટી ઊભી થઈ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ હવે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે કાળ સાબિત થઈ રહ્યો છે. કતારના ઉર્જા મંત્રી અને કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાની મિસાઈલ હુમલાઓએ કતારની LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) નિકાસ ક્ષમતાનો 17 ટકા હિસ્સો નષ્ટ કરી દીધો છે. આ ઘટનાને કારણે ભારત સહિત અનેક એશિયન અને યુરોપિયન દેશો માટે ગેસ પુરવઠાનું ગંભીર સંકટ ઊભું થયું છે. અલ-કાબીના જણાવ્યા અનુસાર, આ હુમલાને કારણે કતારને વાર્ષિક આશરે $20 બિલિયન (અંદાજે ₹1.6 લાખ કરોડ) ની આવકનું નુકસાન થશે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે ક્ષતિગ્રસ્ત પ્લાન્ટના સમારકામમાં 3 થી 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે 12.8 મિલિયન ટન LNGનું ઉત્પાદન અટકી જશે. હુમલામાં કતારની 14 મુખ્ય LNG ટ્રેનોમાંથી બે ટ્રેનો અને મહત્વપૂર્ણ ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ કોરિયાના ડેજેઓન (Daejeon) શહેરમાં શુક્રવારે બપોરે એક ઓટો પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 53 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી 24 લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. શહેરના ફાયર ચીફ નામ ડુક-વુએ ચેતવણી આપી છે કે ફેક્ટરીની અંદર હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે, જેના કારણે જાનહાનિનો આંકડો વધી શકે છે. આગની ઘટના બપોરે આશરે 1:17 વાગ્યે નોંધાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરી પરિસરમાંથી અચાનક વિસ્ફોટના અવાજો સંભળાયા હતા અને થોડી જ વારમાં આખી ઇમારત કાળા અને ગ્રે ધુમાડાના ઘટ્ટ વાદળોમાં ઘેરાઈ ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર કામ કરી રહેલા શ્રમિકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી નીકળતો ભયાનક ધુમાડો માઈલો દૂરથી જોઈ શકાતો હતો. ફાયર ચીફના જણાવ્યા મુજબ, સ્થિતિ એટલી ભયાનક હતી કે કેટલાક લોકોએ જીવ બચાવવા માટે બળતી ઇમારતના ઉપરના માળ પરથી નીચે કૂદકો માર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અન્ય ઘણા લોકો ફેક્ટરીમાં ફેલાયેલા ઝેરી ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવતા બેભાન થઈ ગયા હતા. હાલમાં, અધિકારીઓ તે 14 લોકોની શોધખોળ કરી રહ્યા છે જેઓ આગ લાગી ત્યારે ફેક્ટરીની અંદર હાજર હતા, પરંતુ અત્યારે તેમનો કોઈ પત્તો મળી રહ્યો નથી. આગને કારણે ફેક્ટરીની એક મુખ્ય ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે અને તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ જોખમને કારણે ફાયર ફાઇટરો ઇમારતની અંદર પ્રવેશી શક્યા નથી. અત્યારે 250 થી વધુ ફાયર ફાઇટરો અને 100 થી વધુ કટોકટી વાહનો ઘટનાસ્થળે તૈનાત છે. તેમનું મુખ્ય ધ્યાન આગને પડોશની અન્ય ફેક્ટરીઓમાં ફેલાતી અટકાવવા અને પરિસરમાં રહેલા જોખમી કેમિકલ્સને સુરક્ષિત રીતે દૂર કરવા પર છે. આ પણ વાંચોઃ બાળકોના ભણતરથી લઈને ઓફિસના ભોજન સુધી, જાણો 1 April થી બદલાઇ જશે આ નિયમો 'ઓપરેશન એપિક ફ્યુરી'માં, યુએસ સેનાએ B-2 અને F-35 જેવા અદ્યતન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના 'ઓપરેશન એપિક ફ્યુરી'એ મધ્ય પૂર્વમાં આતંક મચાવ્યો છે. આ વિશાળ ઓપરેશનનો હેતુ ઈરાની શાસનની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે તોડી પાડવાનો હતો. ખાસ કરીને, તાત્કાલિક ખતરો ધરાવતા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાએ આ યુદ્ધમાં વિવિધ પ્રકારના શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. 7800થી વધુ લક્ષ્યો પર હુમલો, 8 હજારથી વધુ લડાઇ ઉડાન પૂર્ણ કરી અને 120થી વધુ ઈરાની જહાજોને નુકસાન પહોંચાડ્યું હતુ. યુએસ વાયુસેનાએ વિશ્વના સૌથી અદ્યતન વિમાનો તૈનાત કર્યા હતા. આ વિમાનો અટક્યા વિના લાંબા અંતર સુધી ઉડી શકે છે અને ચોકસાઈ સાથે પ્રહાર કરી શકે છે. 1. બોમ્બર્સઃ- લાંબા અંતરના, વિશાળ વિનાશ: B-1, B-2 સ્ટીલ્થ અને B-52 બોમ્બર્સ. આ ભારે બોમ્બર્સ છે જે હજારો કિલોગ્રામ બોમ્બ વહન કરવામાં સક્ષમ છે. B-2 સ્ટીલ્થ બોમ્બર દુશ્મન રડાર માટે સંપૂર્ણપણે અદ્રશ્ય છે. 2. B-2 સ્પિરિટઃ- તે રડારથી છુપાયેલા દુશ્મનને શોધી લે છે. પરમાણુ અને ચોકસાઇવાળા બોમ્બ ફેંકી શકે છે. આ વિશ્વનો સૌથી અદ્યતન સ્ટીલ્થ બોમ્બર છે. જે હવાઈ સંરક્ષણથી બચી શકે છે. 3. B-1B લેન્સરઃ- ખૂબ જ ઊંચી ગતિએ નીચા સ્તરે ઉડે છે. તેની તાકાત એક જ સમયે મોટી માત્રામાં બોમ્બ ફેંકવાની ક્ષમતામાં રહેલી છે. તેની વિશેષતા એ છે કે તેને બોમ્બ ટ્રક કહેવામાં આવે છે. 4. B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસઃ- લાંબા અંતરથી ક્રુઝ મિસાઇલો અને બોમ્બ લોન્ચ કરી શકે છે. તેની તાકાત 30+ ટન શસ્ત્રો વહન કરવાની ક્ષમતામાં રહેલી છે. તે 60 વર્ષથી વધુ જૂનું છે. છતાં તે હજુ પણ અત્યંત ખતરનાક છે. અમેરિકાએ આ શક્તિશાળી બોમ્બરનો ઉપયોગ ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરવા માટે કર્યો હતો. ફાઇટર જેટ હુમલો અને હવા શ્રેષ્ઠતામાં F-35 લાઈટનિંગ II દુશ્મનને પહેલા શોધવા અને હુમલો કરવા માટે સેન્સર અને AIનો ઉપયોગ કરે છે. તેની તાકાત તેની સ્ટીલ્થ અને બહુ-ભૂમિકા ક્ષમતાઓમાં રહેલી છે. F-22 રેપ્ટર હવામાં દુશ્મન વિમાનનો નાશ કરે છે. તેની તાકાત સુપરક્રૂઝ અને સ્ટીલ્થમાં રહેલી છે. તે વિશ્વનું સૌથી ખતરનાક એર સુપિરિયર ફાઇટર છે. F-22 અને F-35 સ્ટીલ્થ ફાઇટર અદ્રશ્ય વિમાન છે જે દુશ્મન રડારથી બચ્યા વિના હુમલો કરે છે. તેનો ઉપયોગ દુશ્મન ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને પહેલા નષ્ટ કરવા માટે કરવામાં આવતો હતો, જેનાથી અન્ય વિમાનો સુરક્ષિત રીતે ઉડાન ભરી શકતા હતા. F-15 - હવાઈ પ્રભુત્વ F-16 - બહુભૂમિકા F-18 - નૌકાદળ કામગીરી શક્તિ: વિશ્વસનીય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. F-15, F-16, F-18 અને F-35 ફાઇટર જેટ ઝડપી અને બહુભૂમિકા લડવૈયા છે. F-18 નૌકાદળના વિમાનવાહક જહાજોથી ઉડે છે અને ઈરાની જહાજો પર હુમલો કરે છે. ઉચ્ચ-ઊંચાઈની રિકોનિસન્સ પાવર: સમગ્ર દેશનું સર્વેલન્સ RC-135 ફંક્શન, સિગ્નલ ઇન્ટેલિજન્સ પાવર, દુશ્મનની દરેક હિલચાલને કેપ્ચર કરવી U-2 અને RC-135 રિકોન એરક્રાફ્ટ સર્વેલન્સ અને રિકોનિસન્સ કરે છે, લક્ષ્યના સ્થાનને ચોક્કસ રીતે નિર્ધારિત કરે છે જેથી હુમલાઓને ચોક્કસ રીતે લક્ષ્ય બનાવી શકાય. આ પણ વાંચોઃસૌથી વધુ ખુશ દેશોની યાદીમાં ભારતનો ક્રમ કયા સ્થાને?, જાણો ટોપ-10ની યાદીમાં કેટલાયે અમીર દેશોને સ્થાન મળ્યુ નથી. ભારતનો નંબર 116માં સ્થાને આવે છે. વિશ્વના કયા દેશો સૌથી ખુશ છે તે અંગેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ યાદીમાં એકપમ અમીર દેશ સામેલ નથી. આ યાદીમાં ફિનલેન્ડ સતત 9માં સ્થાને પોતાનો ક્રમ જાળવીને સ્થિત છે. તો આ તરફ, ભારતનો ક્રમ 116માં સ્થાને આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનનો ક્રમ ભારતની ઉપર છે. ગયા વર્ષ કરતા આ વર્ષે જનતાએ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં વધુ રુચિ દાખવી છે. આ જ કારણસર ફિનલેન્ડના લોકોએ 10માંથી 7.764 રેટિંગ આપી છે. જે ગયા વર્ષ કરતા 0.375 અંક વધુ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ ભૂ-રાજનૈતિક તણાવની વચ્ચે 79 દેશએ 2006થી2010 અને 2023થી2025ના આધારે 79 દેશોએ તેમના હેપીનેસમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આઇસલેન્ડ બીજા ક્રમે છે, ત્યારબાદ ડેનમાર્કનો ત્રીજા નંબર આવે છે. કોસ્ટા રિકા ચોથા ક્રમે અને સ્વીડન પાંચમા ક્રમે છે. નોર્વે છઠ્ઠા ક્રમે, નેધરલેન્ડ સાતમા ક્રમે, ઇઝરાયલ આઠમા ક્રમે, લક્ઝમબર્ગ નવમા ક્રમે અને સ્વિટ્ઝર્લૅન્ડ દસમા ક્રમે છે. વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં ભારતનું સ્થાન ખાસ પ્રભાવશાળી નથી. ખુશીના સંદર્ભમાં ભારતનું સ્થાન પાકિસ્તાનથી પણ પાછળ છે. ભારતનું રેન્કિંગ 116 અને પાકિસ્તાનનું 104મું છે. જોકે, પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતનું સ્થાન સુધર્યું છે. 2024માં તે 126 અને 2025માં 118મું હતું. આનો અર્થ એ થયો કે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. વિશ્વના ટોચના 10 ખુશ દેશોની યાદીમાંથી ઘણા શ્રીમંત દેશો ગાયબ છે. યુરોપના નોર્ડિક દેશો સૌથી ખુશ છે. વધુમાં, યુદ્ધ અને ગરીબીથી પીડાતા દેશો સૌથી વધુ નાખુશ છે. આ પણ વાંચોઃઆસામમાં થયેલી શોધથી ભારતમાં તેલના કુવાઓ માટે કેવી રીતે ખુલ્યા રસ્તા?, જાણો મધ્ય પૂર્વમાં જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ યુદ્ધ ખેલાઈ રહ્યું છે, ત્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ રણમેદાનમાં ઉતર્યા વિના જ તેહરાનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈએ કોઈ હથિયાર કે મિસાઈલનો ઉપયોગ કર્યા વિના ઈરાનની કરોડરજ્જુ ગણાતા હિઝબુલ્લાહના ફંડિંગ નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે. શુક્રવારે (20 માર્ચ, 2026) ના રોજ યુએઈની સુરક્ષા એજન્સીઓએ હિઝબુલ્લાહ અને ઈરાન સાથે જોડાયેલા પાંચ મુખ્ય સભ્યોની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. 'ખાલીજ ટાઈમ્સ' ના અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા આ પાંચ સભ્યો લાંબા સમયથી યુએઈમાં રહીને મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હતા. તેઓ દુબઈ અને અબુ ધાબી જેવા આર્થિક હબનો ઉપયોગ કરીને હિઝબુલ્લાહ અને ઈરાન વચ્ચે કરોડો ડોલરના ભંડોળનું સંચાલન કરતા હતા. યુએઈની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો છે કે આ ધરપકડો સાથે તેમણે એક એવા આતંકવાદી નેટવર્કનો નાશ કર્યો છે જે વૈશ્વિક અર્થતંત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું હતું. આ કાર્યવાહી ઈરાન માટે મોટો ફટકો છે કારણ કે વર્તમાન યુદ્ધમાં હિઝબુલ્લાહ ઈરાન વતી ઈઝરાયેલ સામે લડી રહ્યું છે. યુએઈની સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સભ્યોનો ધ્યેય યુદ્ધ દરમિયાન વૈશ્વિક અર્થતંત્રને નબળું પાડવાનો હતો. જો તેઓ સફળ થયા હોત, તો તેનાથી યુએઈની પોતાની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શક્યું હોત. હિઝબુલ્લાહ લાંબા સમયથી યુએઈમાં સક્રિય હોવા છતાં, યુદ્ધ દરમિયાન લેવાયેલું આ કડક પગલું ઈરાન માટે સ્પષ્ટ ચેતવણી છે. ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવવા માટે હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા પ્રોક્સી સંગઠનોનો ઉપયોગ કરે છે. અગાઉ યુએઈ પર આરોપ લાગતા હતા કે તે ઈરાનને ગેરકાયદે તેલ વેચવામાં કે ફંડ ટ્રાન્સફરમાં મદદ કરે છે, પરંતુ ઈરાનના તાજેતરના આક્રમક વલણથી અબુ ધાબી હવે ગુસ્સે ભરાયું છે. ગલ્ફ દેશોએ નક્કી કર્યું છે કે તેઓ સીધા મિસાઈલ હુમલામાં ઉતરીને પ્રાદેશિક યુદ્ધને ભડકાવશે નહીં, પરંતુ ઈરાનના આર્થિક સ્ત્રોતોને નિશાન બનાવીને તેને અંદરથી નબળું પાડશે. આ પણ વાંચોઃ Strait of Hormuz સંકટ વચ્ચે નેતન્યાહૂએ આપ્યા સારા સમાચાર, દુનિયાને મળશે રાહત વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના વધતા ભાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિશ્વને રાહત આપતા સમાચાર આપ્યા છે. 20 માર્ચ, 2026 ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનું યુદ્ધ લોકોની ધારણા કરતા ઘણું વહેલું સમાપ્ત થઈ શકે છે. નેતન્યાહૂએ મક્કમતાથી જણાવ્યું કે ઈરાનની સૈન્ય અને પરમાણુ ક્ષમતા હવે પાયમાલ થઈ ચૂકી છે. નેતન્યાહૂએ ઈરાનના આંતરિક વહીવટ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, હાલમાં તેહરાન પર કોનું શાસન છે તે જ અસ્પષ્ટ છે. આયાતુલ્લા ખામેનેઇના સંભવિત અનુગામી મોજતબા ખામેનેઇ હજુ સુધી જાહેરમાં આવ્યા નથી, જે ઈરાની શાસન વ્યવસ્થામાં સર્જાયેલા ઉચ્ચ સ્તરીય તણાવ અને વિખવાદનો સંકેત આપે છે. નેતન્યાહૂના મતે, ઈરાન હવે યુરેનિયમનું સંવર્ધન કરવા કે નવી બેલિસ્ટિક મિસાઈલો બનાવવા માટે સક્ષમ રહ્યું નથી, જેના કારણે તેના વિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલ અમેરિકાને યુદ્ધમાં ખેંચી રહ્યું હોવાના આરોપોને નકારતા નેતન્યાહૂએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે, "શું કોઈ ડોનાલ્ડ ટ્રમ્પને કહી શકે છે કે તેમણે શું કરવું જોઈએ?" તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ હંમેશા અમેરિકાના હિતને સર્વોપરી રાખીને નિર્ણયો લે છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે યુએસ અને ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓ સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા ઉભા કરવામાં આવેલા અવરોધો અંગે નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો બંધ કરીને સમગ્ર વિશ્વને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેના આ પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં. તેમણે ખુલાસો કર્યો કે ઇઝરાયલે ઈરાનના અસલુયે ગેસ કોમ્પ્લેક્સ પર સ્વતંત્ર રીતે હુમલો કર્યો હતો, પરંતુ ટ્રમ્પની વિનંતીને માન આપીને હાલમાં વધુ હુમલાઓ અટકાવવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ 5 વર્ષ સુધી ગેસ પુરવઠાની India પર પડી શકે છે અસર! કતારના ઉર્જા મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
15 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:51 AM
નોરા ફતેહીએ આગામી ફિલ્મ'સરકે ચુનાર "ના વિવાદાસ્પદ ગીત'ધ ડેવિલ" પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી

નોરા ફતેહીએ આગામી ફિલ્મ'સરકે ચુનાર "ના વિવાદાસ્પદ ગીત'ધ ડેવિલ" પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી

મુંબઈ,એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ આવનારી ફિલ્મ ‘કે.ડી.ઃ ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચૂનર’ને લઈને સર્જાયેલા વિવાદ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે, કારણ કે ગીતની હિન્દી વર્ઝનને તેનાં દ્વી અર્થી શબ્દો માટે ટીકા થઈ છે. ગીતનું હિન્દી વર્ઝન, જેમાં નોરા ફતેહી સાથે સંજય દત્ત પણ જોવા મળે છે, ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો. આક્રોશ પછી આ ગીત યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું, જોકે તે પહેલા જ વાયરલ થઈ ચૂક્યું હતું. પ્રેમ દ્વારા દિગ્દર્શિત અને ધ્›વ સર્જા અભિનિત આ ફિલ્મ ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ચાર મિનિટના વિડિયોમાં, નોરા ફતેહીએ જણાવ્યું કે તેને હિન્દી વર્ઝન અથવા તેના શબ્દો વિશે કોઈ જાણકારી નહોતી. તેણે આ ગીત ત્રણ વર્ષ પહેલા કન્નડમાં શૂટ કર્યું હતું અને મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલું હોવાને કારણે તથા સંજય દત્ત સાથે કામ કરવાની તક હોવાથી તેનો ભાગ બનવા સંમત થઈ હતી, તેનાં કહેવા મુજબ, તે સમયે તેને જે વર્ઝન વિશે માહિતી આપવામાં આવી હતી તેમાં કોઈ સમસ્યા નહોતી, કારણ કે તેણે સેટ પર આપવામાં આવેલાં ભાષાંતર અને સમજણ પર વિશ્વાસ કર્યાે હતો. નોરા ફતેહીએ જણાવ્યું કે હિન્દી વર્ઝન બનાવવામાં આવ્યું તે અંગે તેને જાણ કરવામાં આવી નહોતી અને તેની ઈમેજનો ઉપયોગ કરતાં પહેલાં તેની પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. તેણે લિરિકલ વિડિયોમાં અનઅપ્›વ્ડ વિઝ્યુઅલ્સના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને દાવો કર્યાે કે તેની અને સંજય દત્તની AI-જનરેટેડ ઈમેજનો ઉપયોગ સંમતિ વગર કરવામાં આવ્યો છે.તેણે વધુમાં જણાવ્યું કે હિન્દી વર્ઝન જોયા બાદ, ગીતના શબ્દોને કારણે વિવાદ ઉભો થશે તે સમજતા, તેણે દિગ્દર્શક સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. “મેં આ પ્રોજેક્ટથી મારી જાતને દૂર રાખવાનો નિર્ણય લીધો હતો અને ગીતનું પ્રમોશન ન કરવાનો નિર્ણય લીધો હતો.”SS1MS
37 shares
😢
Western Times logo
Western Times
Mar 20, 2026, 05:50 AM
સ્નાન કરતી વખતે બે મિત્રો મીંડોલા નદીમાં ડૂબી ગયા

સ્નાન કરતી વખતે બે મિત્રો મીંડોલા નદીમાં ડૂબી ગયા

સુરત,સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મીંઢોળા નદીમાં નાહવા ગયેલા પાંચ મિત્રો પૈકી બે યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના અકાળે મોત નીપજ્યા છે. નદીમાં નાહવાની મજા પળભરમાં સજામાં ફેરવાઈ ગઈ હતી. મળતી વિગતો અનુસાર, પાંચ મિત્રોનું એક ટોળું ઉતારા ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં નાહવા માટે ગયું હતું. નદીમાં નાહતી વખતે પાંચ પૈકીના બે યુવકો અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ બારડોલી ફાયર વિભાગને કરાઇ હતી.ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને નદીમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે નદીના ઊંડા પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ લેખીરામ પ્રજાપતિ અને હર્ષ પરમાર તરીકે થઈ છે. આ બંને આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચાર મળતા જ રામેશ્વર નગર અને તેગામ વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારોમાં કાળો કૈરાપ વર્તાયો છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા અવારનવાર લોકોને અજાણ્યા જળાશયો, નદી કે નાળામાં પાણીના પ્રવાહની જાણકારી વગર ન ઉતરવા માટે અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવી જોખમી સાહસવૃત્તિને કારણે નિર્દાેષ જીવ ગુમાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.SS1MS
10 shares
😢
Akila News logo
Akila News
Mar 20, 2026, 05:50 AM
જુનાગઢ જિલ્લામાં બે વૃદ્ધોએ અસહ્ય આરોગ્યની સ્થિતિને કારણે આત્મહત્યા કરી

જુનાગઢ જિલ્લામાં બે વૃદ્ધોએ અસહ્ય આરોગ્યની સ્થિતિને કારણે આત્મહત્યા કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૦: બીમારીથી કંટાળી જુનાગઢ જિલ્‍લાના જુથળ અને મોટા કાજલીયાળા ગામના વૃધ્‍ધએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના કરણાભાઇ જીવાભાઇ કાગડા ઉ.વ. ૫૬ નામના વૃદ્ધને માનસિક બીમારી હતી અનેક દવા અને સારવાર કરાવવા છતાં પણ તબિયત નહીં સુધરતા ૧૮ માર્ચના રોજ રાત્રે રામવાવ પાટીયાના ચબુતરા પાસે ઝેરી ટીકડા ખાઇને આત્‍મહત્‍યા કરી લીધી હતી. વૃધ્‍ધના આપઘાતની જાણ થતા પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. જ્‍યારે અન્‍ય એક આવા બનાવમાં વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામના લાખાભાઈ ગોવીંદભાઈ ડાંગર ઉ.વ. ૬૦ નામના વૃધ્‍ધને છેલ્‍લા બે વર્ષ થી કમરના દુખાવાની બીમારી હતી. જે બીમારીથી કંટાળી જઈને ૧૮ માર્ચના રોજ સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. જેના પગલે વંથલી પોલીસે દોડી જઈને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
20 shares
😢