Achira News Logo
Achira News
A
Akila News
May 5, 2026, 05:44 PM
ઇન્ડિગો ફ્લાઇટ 6E 108: પાવર બેંકમાં આગ લાગવાથી વિમાનમાં અફડાતફડી મચી

ઇન્ડિગો ફ્લાઇટ 6E 108: પાવર બેંકમાં આગ લાગવાથી વિમાનમાં અફડાતફડી મચી

ચંદીગઢ : હૈદરાબાદથી ઉડેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 108 માટે સાંજ રનવે પર ઉતર્યા બાદ પણ ડરામણી સાબિત થઈ હતી. વિમાન હજુ ચંદીગઢ એરપોર્ટ પર ટર્મિનલ તરફ જઈ રહ્યું હતું ત્યારે જ અચાનક કેબિનની અંદર મુસાફરોએ ચીસાચીસ શરૂ કરી દીધી હતી. એક મુસાફરની ઉપરની કેબિનમાં રાખેલી બેગમાંથી ઘટ્ટ કાળો ધુમાડો નીકળતા વિમાનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મુસાફરો હજુ સીટ બેલ્ટ ખોલીને ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ લાગેલી આ આગને કારણે થોડી ક્ષણો માટે વિમાનની અંદર અંધાધૂંધીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ અકસ્માતનું કારણ બેગમાં રાખેલી પાવર બેંક હતી, જેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઇન્ડિગોના કેબિન ક્રૂએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કર્યો અને ધુમાડાને વધતો અટકાવ્યો હતો. પ્રોટોકોલ મુજબ, પાયલટે વિમાનને તાત્કાલિક સલામત સ્થળે ઉભું રાખ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ક્રૂ સભ્યો પણ સુરક્ષિત છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને વિમાનની સંપૂર્ણ ટેકનિકલ તપાસ બાદ જ તેને ફરી સેવામાં લેવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર વિમાનમાં લિથિયમ-આયન બેટરી અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાના જોખમો પર ચર્ચા જગાવી છે. ડીજીસીએના સૂત્રો મુજબ, પાવર બેંકમાં ઓવરહિટીંગ અથવા ઇન્ટરનલ ડેમેજને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટી અને ઇન્ડિગોની ટેકનિકલ ટીમ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે. મુસાફરોને હાલ ટર્મિનલ પર પ્રાથમિક સારવાર અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે એરલાઇન્સ સુરક્ષા નિયમો વધુ કડક બનાવે તેવી શક્યતા છે.
34 shares
😢
A
Akila News
May 5, 2026, 05:43 PM
પારસી મહિલાઓને તેમના ધર્મની બહાર લગ્ન કરવા બદલ બહિષ્કાર કરવા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ

પારસી મહિલાઓને તેમના ધર્મની બહાર લગ્ન કરવા બદલ બહિષ્કાર કરવા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સબરીમાલા સંદર્ભ કેસની સુનાવણી દરમિયાન આજે પારસી સમુદાયની મહિલાઓના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનું અવલોકન કરવામાં આવ્યું છે. ૯ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે, અન્ય ધર્મમાં લગ્ન કરવા બદલ પારસી મહિલાઓને સમુદાયમાંથી બહાર કાઢવાનો રિવાજ પ્રથમ દૃષ્ટિએ ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય જણાય છે.લગ્ન એ ભેદભાવનો આધાર ન હોઈ શકેસુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ડારિયસ ખંભાતાએ એક પારસી મહિલાનો પક્ષ રજૂ કર્યો હતો, જેમણે હિન્દુ પુરુષ સાથે લગ્ન કર્યા હોવાથી તેમને સમુદાયમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ મામલે જસ્ટિસ બી.વી. નાગરત્નાએ વેધક સવાલ પૂછ્યો હતો કે, "શું લગ્ન એ ભેદભાવનો આધાર માત્ર મહિલાઓ માટે જ છે?" તેમણે વધુમાં ઉમેર્યું કે, "કલમ ૨૫(૧) હેઠળ અંતરાત્માનો અધિકાર જન્મજાત અધિકાર છે અને તે લગ્ન દ્વારા છીનવી શકાતો નથી. જો પારસી પિતાના બાળકોને ધર્મના લાભ મળતા હોય, તો તે જ નિયમ પત્ની (મહિલા) ને પણ લાગુ પડવો જોઈએ."ધાર્મિક સંસ્થા વિરુદ્ધ વ્યક્તિગત સ્વતંત્રતાખંભાતાએ દલીલ કરી હતી કે કોઈ પણ ધાર્મિક સંસ્થાના અધિકારો (કલમ ૨૬), વ્યક્તિની પોતાની ધાર્મિક સ્વતંત્રતા (કલમ ૨૫) કરતા ચડિયાતા હોઈ શકે નહીં. નદી તેના સ્ત્રોત કરતા ક્યારેય ઉંચી હોઈ શકે નહીં. જસ્ટિસ નાગરત્નાએ પણ સહમતિ દર્શાવતા કહ્યું કે કલમ ૨૬ નો અધિકાર કલમ ૨૫ ને કારણે જ અસ્તિત્વમાં છે, અને તે વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર સર્વોપરીતા મેળવી શકે નહીં.સબરીમાલા PIL પર સવાલઆજની સુનાવણી દરમિયાન બેન્ચે ૨૦૦૬માં દાખલ થયેલી સબરીમાલા PIL પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ નાગરત્નાએ અવલોકન કર્યું કે, જો કોઈ સાચો ભક્ત હોય તો તે ભગવાન અને મંદિરના નીતિ-નિયમોનું સન્માન કરશે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે શું માત્ર અખબારી અહેવાલોના આધારે આવી અરજીઓ સ્વીકારવી જોઈએ? કોર્ટે ફરી એકવાર PIL ના વધતા દુરુપયોગ અંગે કડક વલણ દાખવ્યું હતું.આ સુનાવણીની અસર માત્ર પારસી સમુદાય પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે દેશના તમામ ધર્મોમાં પ્રચલિત એવા રિવાજો પર પડશે જે મહિલાઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ કરે છે.
61 shares
😢
A
Akila News
May 5, 2026, 05:40 PM
હોર્મુઝના અખાતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે લશ્કરી અથડામણ

હોર્મુઝના અખાતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે લશ્કરી અથડામણ

નવી દિલ્હી: હોર્મુઝની વ્યૂહાત્મક ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મની હવે ચરમસીમાએ પહોંચી છે. અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય ગતિવિધિ વધારતા ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડરોએ ખુલ્લી ચેતવણી આપી છે કે અમેરિકાએ અત્યાર સુધી જે જોયું છે તે માત્ર શરૂઆત છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો તેમના હિતોને નુકસાન પહોંચશે, તો તેઓ હોર્મુઝની ખાડીને સંપૂર્ણપણે બંધ કરી દેશે, જેનાથી વિશ્વનો ૩૦ ટકા ઓઈલ સપ્લાય ખોરવાઈ શકે છે.ગાલિબાફે અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ' સામે વળતો પ્રહાર કરતાં ગાલિબાફે કહ્યું કે, "અમેરિકા અને તેના સાથી દેશોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને અને નાકાબંધી લાદીને શિપિંગ અને એનર્જી ટ્રાન્ઝિટની સુરક્ષાને જોખમમાં મૂકી છે. અમે સારી રીતે જાણીએ છીએ કે વર્તમાન સ્થિતિ અમેરિકા માટે અસહ્ય છે; યાદ રાખજો, અમે તો હજુ શરૂઆત પણ નથી કરી."અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં સૈન્ય અભિયાન ચાલુ કર્યું છે. ટ્રમ્પના આ અભિયાનનો હેતુ ફસાયેલા માલવાહક જહાજોને લશ્કરી સુરક્ષા હેઠળ બહાર કાઢવાનો છે, જોકે ઈરાન આ પ્રોજેક્ટને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી રહ્યું છે. ઈરાનના સૈન્ય કમાન્ડોએ સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકાનું કોઈ પણ નૌકાદળનું જહાજ સામુદ્રધુનીની નજીક આવશે, તો તેના પર સીધો હુમલો કરવામાં આવશે.
61 shares
😢
A
Akila News
May 5, 2026, 05:34 PM
જુનાગઢ જિલ્લાના મગહરવાલા ગામમાં ચિત્તાનો હુમલો નોંધાયો

જુનાગઢ જિલ્લાના મગહરવાલા ગામમાં ચિત્તાનો હુમલો નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ તાલુકાના મઘરવાળા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. બગીચામાં કામ કરી રહેલા એક આધેડ પર અચાનક દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ હુમલામાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને ગામલોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
50 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:24 PM
વાદળ ફાટવાથી હાજીપુર ટાપુ બન્યું, વહીવટીતંત્રના દાવાનો પર્દાફાશ થયો

વાદળ ફાટવાથી હાજીપુર ટાપુ બન્યું, વહીવટીતંત્રના દાવાનો પર્દાફાશ થયો

હાજીપુર: બિહારના હાજીપુરમાં આજે મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે માત્ર એક કલાકના ટૂંકા ગાળાના વરસાદમાં સમગ્ર શહેર ટાપુમાં ફેરવાઈ ગયું છે. ચોમાસાની વિધિવત શરૂઆત પહેલા પડેલા આ ભારે વરસાદે વહીવટી તંત્રના ડ્રેનેજ ક્લિનિંગના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. હાજીપુરના પોશ વિસ્તારોથી લઈને સરકારી કચેરીઓ સુધી બધે જ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.DM ઓફિસ પણ ન બચી શકીચોંકાવનારી વાત એ છે કે જિલ્લાના વહીવટના મુખ્ય કેન્દ્ર ગણાતી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) ની ઓફિસના પરિસરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. કલેક્ટર કચેરીમાં કામકાજ અર્થે આવેલા લોકો અને કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશવા માટે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં સરકારી કચેરીઓ તળાવ જેવી દેખાઈ રહી છે.સડકો પર 'દરિયો' છલકાયોશહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે રસ્તાઓ પર ૨ થી ૩ ફૂટ પાણી ભરાયા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાથી લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તંત્રની નિષ્ફળતા સામે રોષસ્થાનિક રહીશોમાં નગર નિગમ અને વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો માત્ર એક કલાકના વરસાદમાં આ હાલત થતી હોય, તો જ્યારે પૂરું ચોમાસું જામશે ત્યારે હાજીપુરની હાલત શું થશે? ડ્રેનેજ લાઈનોની સફાઈમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.અત્યારે હાજીપુરની જનતા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર હવે યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરીમાં જોડાયું છે.
58 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:13 PM
અમદાવાદમાં ધોરણ 12નું પરિણામ નિરાશાજનક આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

અમદાવાદમાં ધોરણ 12નું પરિણામ નિરાશાજનક આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

અમદાવાદ: શહેરના નારોલવિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે,જેમાં અભ્યાસ અને પરિણામનાદબાણે વધુ એક તેજસ્વી જીવનનો અંત આણ્યો છે. તાજેતરમાંજાહેર થયેલા ધોરણ12સામાન્ય પ્રવાહના પરિણામ બાદ અપેક્ષા મુજબના ટકા ન આવતા એક વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું છે. વિગતોમુજબ,નારોલ વિસ્તારમાં રહેતી કાજલ પાલ નામનીવિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કાજલઆ વર્ષે ધોરણ12સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બેઠી હતી. પરિણામ જાહેર થતાતેને44ટકા પ્રાપ્ત થયા હતા. કાજલને તેના અભ્યાસમાં વધુ ઉંચી અપેક્ષાઓહતી,પરંતુ ધાર્યા મુજબનું પરિણામ ન આવતા તે છેલ્લા કેટલાક સમયથી માનસિકતણાવમાં હોવાનું મનાઈ રહ્યું છે આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવનીજાણ થતા નારોલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યોહતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની ઉંમરેવિદ્યાર્થિનીએ ભરેલા આ પગલાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.મનોચિકિત્સકો અને શિક્ષણવિદો ફરી એકવાર વાલીઓને અપીલ કરી રહ્યા છે કે બાળકોપર પરિણામનું દબાણ ન લાવે અને તેમને હિંમત આપે.
58 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 05:09 PM
હિમેશ રેશમિયાએ માનુષી છિલ્લરનું નવું ગીત'શરબ'રિલીઝ કર્યું

હિમેશ રેશમિયાએ માનુષી છિલ્લરનું નવું ગીત'શરબ'રિલીઝ કર્યું

મુંબઈ: પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયા ફરી એકવાર તેમના ચાહકોને એક નવા ગીત "શરબ" થી ટ્રીટ કરી રહ્યા છે. આ હાઇ-એનર્જી ટ્રેક, જેનો પહેલો લુક ગાયકે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ગીતની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પહેલી વાર હિમેશ રેશમિયા અને અભિનેત્રી માનુષી છિલ્લરને સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ જોડીને સ્ક્રીન પર એકસાથે જોવી એ દર્શકો માટે ચોક્કસ એક રોમાંચક અનુભવ હશે. આ મ્યુઝિક વિડિયોનું દિગ્દર્શન અને કોરિયોગ્રાફી પ્રખ્યાત જોડી પીયૂષ અને શાઝિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ તેમના અનોખા ડાન્સ મૂવ્સ માટે જાણીતા છે. આ ગીત હિમેશ રેશમિયાએ પોતે ગાયું છે, પરંતુ આ વખતે, સંગીત રજત નાગપાલે આપ્યું છે. આ ગીતના શબ્દો રાણા સોટલ દ્વારા લખવામાં આવ્યા છે, અને યુવાનોને આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે. હિમેશ રેશમિયાએ ઇન્સ્ટાગ્રામ પર ગીતનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, "જય માતા દી. ચાલો રોક થઈએ. એક સાંભળવું પૂરતું નથી. વાઇન માટે જોડાયેલા રહો. ટીઝર મંગળવારે રિલીઝ થશે, ફક્ત યુટ્યુબ ચેનલ પર." ગીતના પોસ્ટરનો પહેલો લુક રિલીઝ થયા પછી ચાહકો ઉત્સાહિત છે. ગીતમાં પોતાના ઉર્જાવાન ગીતો માટે જાણીતા હિમેશ અને ગ્લેમરસ માનુષી છિલ્લર વચ્ચેની કેમિસ્ટ્રી કેવી રીતે પ્રતિબિંબિત થશે તે જોવું રસપ્રદ રહેશે. પોસ્ટર જોઈને લાગે છે કે તે એક સ્ટાઇલિશ અને ભવ્ય રીતે ફિલ્માવવામાં આવેલ મ્યુઝિક વિડિયો હશે. હિમેશ રેશમિયાના નોન-ફિલ્મી આલ્બમ્સે ભારતીય સંગીત જગત પર ઊંડી અસર છોડી છે. તેમના આલ્બમ "આપ કા સુરૂર" ની 55 મિલિયનથી વધુ નકલો વેચાઈ હોવાના અહેવાલ છે, જે તેને "થ્રિલર" પછી બીજા ક્રમે વિશ્વનો સૌથી વધુ વેચાતો નોન-ફિલ્મી આલ્બમ બનાવે છે. હાલમાં, હિમેશ સલમાન ખાનની વખણાયેલી યુદ્ધ નાટક "માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ" ના સંગીત પર કામ કરવામાં વ્યસ્ત છે.
85 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:53 PM
ભારતીય સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીઓના દુરૂપયોગની નિંદા કરી

ભારતીય સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજીઓના દુરૂપયોગની નિંદા કરી

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલતે આજે જાહેર હિતની અરજીઓ (PIL) ના વધી રહેલા દુરુપયોગ અંગે ભારે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. સબરીમાલા રિવ્યુ કેસના સંદર્ભમાં સુનાવણી કરી રહેલી નવ ન્યાયાધીશોની બેન્ચે અવલોકન કર્યું હતું કે, PIL જેનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદોને ન્યાય અપાવવાનો હતો, તે હવે તેના રસ્તા પરથી ભટકી ગઈ છે.PIL ના નવા અર્થ: પબ્લિસિટી, પૈસા અને પોલિટિક્સસુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ અત્યંત આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, "PIL (Public Interest Litigation) હવે પ્રાઈવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન, પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન, પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન અને પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઈ છે. અમે માત્ર સાચી અને જેન્યુઈન PIL જ સ્વીકારીશું." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ આવા લેભાગુ તત્વોથી વાકેફ છે જેઓ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે અરજીઓ કરે છે.મીડિયા રિપોર્ટ્સ પર આધારિત અરજીઓ સામે CJI ની લાલ આંખચીફ જસ્ટિસ સૂર્યકાંતે પણ આ મુદ્દે સહમતિ દર્શાવતા કહ્યું હતું કે, માત્ર ન્યૂઝ આઈટમ કે મીડિયા રિપોર્ટ્સના આધારે કરવામાં આવતી અરજીઓને કચરાપેટીમાં ફેંકી દેવી જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું દરરોજ મળતા સેંકડો પત્રોને PIL માં ફેરવી શકાય? જસ્ટિસ નાગરત્નાએ ઉમેર્યું હતું કે, ઘણીવાર માત્ર PIL દાખલ કરવા માટે જાણી જોઈને આર્ટિકલ લખાવવામાં આવે છે, પરંતુ કોર્ટ આવી બાબતોથી છેતરાશે નહીં.સબરીમાલા બેન્ચની મહત્વની ટિપ્પણીCJI સૂર્યકાંત અને જસ્ટિસ નાગરત્ના ઉપરાંત આ બેન્ચમાં જસ્ટિસ સુંદરેશ, જસ્ટિસ અરવિંદ કુમાર સહિતના અન્ય ન્યાયાધીશો સામેલ છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે PIL ની પ્રક્રિયાનો ઉપયોગ કોઈની વિરુદ્ધ અંગત કિન્નાખોરી રાખવા અથવા રાજકીય બદલો લેવા માટે ન થવો જોઈએ. જ્યારે વકીલોએ દલીલ કરી કે PIL માં સુરક્ષાના નિયમો છે, ત્યારે જસ્ટિસ નાગરત્નાએ તુરંત ટકોર કરી હતી કે "તે નિયમોનું પાલન કરવામાં આવતું નથી."સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં ન્યાયતંત્ર 'પબ્લિસિટી સ્ટંટ' સમાન અરજીઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) દાખવશે અને માત્ર વાસ્તવિક લોકહિતના મુદ્દાઓને જ પ્રાધાન્ય આપશે.
31 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:36 PM
રહસ્યમય અર્ધ-ચંદ્રઃ તેની આંશિક દૃશ્યતાના રહસ્યને ગૂંચ કાઢવું

રહસ્યમય અર્ધ-ચંદ્રઃ તેની આંશિક દૃશ્યતાના રહસ્યને ગૂંચ કાઢવું

બાળપણમાં આપણે ચાંદામામાની ઘણી વાર્તાઓ સાંભળી હશે. ચંદ્ર કોઈ ને કોઈ રૂપમાં આપણા જીવન સાથે જોડાયેલો છે. ચંદ્રનાં ઘણાં રોમાંચક તથ્યો સમયાંતરે સામે આવતાં રહે છે, પરંતુ શું તમે એ ક્યારેય વિચાર્યું છે ખરું કે રાતે ચમકતો ચંદ્ર ઘણી વાર અડધો જ શા માટે દેખાય છે?
69 shares
😐
S
Sambhav Metro
May 5, 2026, 04:36 PM
અમદાવાદની પાણી ભરાવાની દુર્દશાઃ AMCએ અનિયમિતતાઓ વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ અભિયાન શરૂ કર્યું

અમદાવાદની પાણી ભરાવાની દુર્દશાઃ AMCએ અનિયમિતતાઓ વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ અભિયાન શરૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરનાં ભૂગર્ભ જળસ્તર ઊંચાં લાવવા અને ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ' અને પરકોલેટિંગ વેલ બનાવવાનું અભિયાન યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, જોકે આ ઉમદા હેતુની આડમાં શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારો જેવા કે સાયન્સ સિટી, સોલા, ગોતા અને નારણપુરામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદો ઊઠી છે. સોસાયટીના સત્તાધીશો દ્વારા જળસંચય માટે ફાળવવામાં આવેલી જગ્યાઓનો વ્યાવસાયિક કે વહીવટી દુરુપયોગ કરવામાં આવતો હોવાની વિગતો પ્રકાશમાં આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
49 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:34 PM
અમદાવાદની પાર્કિંગની દુર્દશાઃ વાહનોની ભીડ વચ્ચે નિયમ યુદ્ધ ફાટી નીકળ્યું

અમદાવાદની પાર્કિંગની દુર્દશાઃ વાહનોની ભીડ વચ્ચે નિયમ યુદ્ધ ફાટી નીકળ્યું

અમદાવાદ સહિતનાં શહેરોની સોસાયટીઓમાં પાર્કિંગ હવે માત્ર સુવિધાનો મુદ્દો નથી રહ્યો, પરંતુ દૈનિક વિવાદ-વિખવાદનું મુખ્ય કારણ બની ગયો છે. ગાડીઓની વધતી સંખ્યા વચ્ચે સોસાયટી સ્તરે બનાવાયેલા અલગ-અલગ નિયમો અને એએમસીની ગાઈડલાઈન વચ્ચેનો ગેપ રૂલ વોર જેવી સ્થિતિ ઊભી કરી રહ્યો છે, જ્યાં ગાડી કરતાં ઝઘડાઓ વધારે જોવા મળી રહ્યા છે. ઘણી સોસાયટીઓમાં ‘ફર્સ્ટ-કમફર્સ્ટ પાર્ક'નો નિયમ છે તો ક્યાંક ફિક્સ પાર્કિંગ આપવામાં આવ્યું છે, પરંતુ ગેસ્ટ પાર્કિંગ, સેકન્ડ કાર અને રેન્ટ પર રહેતા લોકો માટે કોઈ સ્પષ્ટ પો
35 shares
😐
S
Sambhav Metro
May 5, 2026, 04:34 PM
કાકડીઃ હાઇડ્રેશન અને આરોગ્ય માટે ઉનાળામાં મુખ્ય વસ્તુ

કાકડીઃ હાઇડ્રેશન અને આરોગ્ય માટે ઉનાળામાં મુખ્ય વસ્તુ

ઉનાળાનો પ્રારંભ થતાં જ કાકડીનો ઉપયોગ વધી જાય છે. ઘણા લોકો સલાડ તરીકે કાકડી ખાવાનું પસંદ કરે છે. કાકડીમાં પાણી ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે પોષક તત્ત્વોનું પ્રમાણ પણ વધુ હોવાથી શરીર તંદુરસ્ત રહે છે. શરીરને ડાઈડ્રેટેડ રાખવાની સાથે સ્કિન ગ્લો કરવા પણ કાકડી મહત્ત્વનો ભાગ ભજવે છે, જોકે કાકડી ખાધા બાદ તરત પાણી પીવાથી જરૂરી પોષક તત્ત્વો શરીરને મળતાં નથી? આ ઉપરાંત પાચનતંત્રની પ્રક્રિયામાં પણ ખલેલ પહોંચે છે. ઘણી વાર આ ખલેલ નુકસાનકારક બની જાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજનમાં કાકડીના સલા
86 shares
😊
A
Akila News
May 5, 2026, 04:33 PM
માતાએ મુંબઈની શેરીમાં ત્રણ બાળકોને ત્યજી દીધા, પોલીસે તપાસ શરૂ કરી

માતાએ મુંબઈની શેરીમાં ત્રણ બાળકોને ત્યજી દીધા, પોલીસે તપાસ શરૂ કરી

મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાંથી માતૃત્વને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક તરફ દુનિયાભરમાં માતાના પ્રેમ અને બલિદાનના કિસ્સાઓ સંભળાય છે, ત્યારે અહીં એક માતાએ પોતાના જ કાળજાના ત્રણ ટુકડાઓને રસ્તાની ફૂટપાથ પર નોંધારા છોડી દીધા હતા. ભૂખ્યા અને તરસ્યા આ બાળકો જ્યારે રસ્તા પર રડતા હતા, ત્યારે એક પરોપકારી મહિલાની નજર પડતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ આ ત્રણેય બાળકો પોલીસના સંરક્ષણમાં છે અને તેમની માતાની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના સોમવારે સવારે ડોમ્બિવલી પશ્ચિમમાં આવેલી તુલસીરામ બંગલા સોસાયટી પાસે બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એક મહિલા તેના ત્રણ નાના બાળકો સાથે ત્યાં આવી હતી. બાળકો ભૂખ્યા હોવાથી રડતા હતા, ત્યારે માતાએ "હું હમણાં જ તમારા માટે જમવાનું લઈને આવું છું" તેમ કહીને તેમને રસ્તા કિનારે બેસાડી દીધા હતા. જોકે, કલાકો વીતી જવા છતાં માતા પરત ન ફરતા બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. જ્યારે આ માસૂમ બાળકો રસ્તા પર રઝળતા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા જયશ્રી યાદવ નામના મહિલાની નજર તેમના પર પડી. બાળકોની ઉંમર અંદાજે એક, બે અને ત્રણ વર્ષની હોવાનું જણાય છે. બાળકોની વ્યાકુળતા જોઈ જયશ્રીબેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે તરત જ ત્રણેય બાળકોને પોતાની પાસે લીધા, તેમને શાંત કર્યા અને વિષ્ણુ નગર પોલીસ સ્ટેશને જઈને સમગ્ર હકીકત જણાવી. તેમની આ તત્પરતાને કારણે બાળકો સુરક્ષિત હાથોમાં પહોંચી શક્યા છે. વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક રામ ચોપડેએ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આર્થિક તંગી અથવા કૌટુંબિક ઝઘડાને કારણે માતાએ બાળકોનો ત્યાગ કર્યો હોય શકે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી તે મહિલાની ઓળખ થઈ શકે. આ ઘટનાએ સમગ્ર મુંબઈમાં ચર્ચા જગાવી છે અને લોકો માતાની આ ક્રૂરતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
18 shares
😢
S
Sambhav Metro
May 5, 2026, 04:33 PM
ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 21ના મોત, 61 ઘાયલ

ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 21ના મોત, 61 ઘાયલ

ચીનના મધ્ય હુનાન પ્રાંતના લિયુયાંગ શહેરમાં ગઈ કાલે એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૧ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે અને અન્ય ૬૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
63 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 04:30 PM
પેરાગ્વેએ વિદેશી રોકાણને આકર્ષવા માટે'ઇન્વેસ્ટર પાસ "વિઝા નીતિ શરૂ કરી

પેરાગ્વેએ વિદેશી રોકાણને આકર્ષવા માટે'ઇન્વેસ્ટર પાસ "વિઝા નીતિ શરૂ કરી

અસુન્સિઓન :: દક્ષિણ અમેરિકાના સુંદર દેશ પેરાગ્વેએ વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે એક નવી અને સરળ વિઝા નીતિ 'ઇન્વેસ્ટર પાસ' (Investor Pass) ની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ, હવે દુનિયાભરના રોકાણકારો પેરાગ્વેમાં નિર્ધારિત રકમનું રોકાણ કરીને ખૂબ જ સરળતાથી કાયમી રહેઠાણ (Permanent Residency) મેળવી શકશે. સરકારનો હેતુ આધુનિક સિસ્ટમ દ્વારા રોકાણની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.રોકાણની વિવિધ શ્રેણીઓ અને નિયમોપેરાગ્વે સરકારે રોકાણકારો માટે મુખ્ય ચાર કેટેગરી નક્કી કરી છે:• ઉદ્યોગ અને વેપાર: જો તમે ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં ઓછામાં ઓછું $૭૦,૦૦૦ (અંદાજે ૫૮ લાખ રૂપિયા) નું રોકાણ કરો અને ૫ સ્થાનિક લોકોને નોકરી આપો, તો તમે PR માટે પાત્ર ઠરશો.• નાણાકીય રોકાણ: જેઓ સક્રિય બિઝનેસ કરવા નથી માંગતા, તેઓ નાણાકીય સાધનોમાં $૨૦૦,૦૦૦ નું રોકાણ કરી શકે છે, જે ઓછામાં ઓછા બે વર્ષ માટે રાખવું અનિવાર્ય છે.• રિયલ્ટી સેક્ટર: રિયલ એસ્ટેટમાં $૨૦૦,૦૦૦ નું રોકાણ કરીને પણ આ વિઝા મેળવી શકાય છે, પરંતુ આ મિલકત આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવી જોઈએ.• પર્યટન ક્ષેત્ર: પ્રવાસન પ્રોજેક્ટ્સ માટે $૧૫૦,૦૦૦ ના રોકાણની મર્યાદા નક્કી કરવામાં આવી છે.સુરક્ષા અને તપાસમાં કોઈ બાંધછોડ નહીંપેરાગ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 'ગોલ્ડન વિઝા' આપતા પહેલા રોકાણકારોની કડક તપાસ કરવામાં આવશે. મની લોન્ડરિંગ રોકવા માટે ફંડના સ્ત્રોતની જાહેરાત કરવી પડશે અને ગુનાહિત રેકોર્ડની ચકાસણી પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રોકાણ ખરેખર દેશના વિકાસમાં વપરાય છે કે નહીં તેનું સમયાંતરે મોનિટરિંગ પણ કરવામાં આવશે.શા માટે પેરાગ્વે પસંદ કરવું?પેરાગ્વે તેની સ્થિર અર્થવ્યવસ્થા અને અનુકૂળ ટેક્સ સિસ્ટમ માટે જાણીતું છે. આ નવા કાર્યક્રમથી એવા ભારતીય રોકાણકારોને ફાયદો થઈ શકે છે જેઓ દક્ષિણ અમેરિકામાં બિઝનેસ વિસ્તારવા માંગે છે અથવા ઓછા રોકાણમાં બીજા દેશનું નાગરિકત્વ મેળવવા ઈચ્છે છે.
83 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:24 PM
આબોહવા પરિવર્તનને કારણે નાટકીય પરિવર્તનનો અનુભવ કરવા માટે ભારતની હવામાન પદ્ધતિઓ

આબોહવા પરિવર્તનને કારણે નાટકીય પરિવર્તનનો અનુભવ કરવા માટે ભારતની હવામાન પદ્ધતિઓ

લખનૌ: વર્ષ ૨૦૨૬માં ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાનનો મિજાજ એકદમ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં અનેક જિલ્લાઓમાં ભારે તોફાન અને વરસાદ સાથે મોટા કદના કરા પડવાની ઘટનાઓ બની છે. હવામાન વિજ્ઞાનીઓના મતે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આબોહવા પરિવર્તન (Climate Change)નો એક ગંભીર સંકેત છે.કરા કેવી રીતે બને છે? (વૈજ્ઞાનિક પ્રક્રિયા)હવામાનશાસ્ત્રીઓ જણાવે છે કે, જ્યારે ગરમ હવા ખૂબ જ ઝડપથી આકાશમાં ઉપર જાય છે ત્યારે 'ક્યુમ્યુલોનિમ્બસ' (Cumulonimbus) નામના ઘટ્ટ વાદળો બંધાય છે. આ વાદળો ખૂબ ઊંચા હોય છે. ગરમીને કારણે વરાળ બનેલું પાણી જ્યારે અત્યંત ઊંચાઈએ પહોંચે છે, જ્યાં તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે હોય છે, ત્યારે તે બરફના કણમાં ફેરવાઈ જાય છે. આ કણો પર વારંવાર ઠંડા પાણીના સ્તર જામતા તે ભારે થઈ જાય છે અને પૃથ્વી પર કરા સ્વરૂપે પડે છે. યુપી-બિહારમાં આ વખતે કરાનું કદ ઘણું મોટું જોવા મળ્યું છે.શા માટે આ વર્ષે કરાનો મારો વધ્યો?વિજ્ઞાનીઓએ આ માટે મુખ્ય બે કારણો આપ્યા છે:૧. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ): આ વર્ષે પશ્ચિમથી આવતી હવાઓ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ સક્રિય રહ્યું છે. તેની વારંવારની હાજરીને કારણે મે મહિના સુધી મેદાની વિસ્તારોમાં આંધી અને વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.૨. ક્લાયમેટ ચેન્જ: ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ગરમ હવા વધુ ભેજ શોષી શકે છે. જ્યારે આ ગરમ હવા અને ભેજ અચાનક ઠંડી હવા સાથે અથડાય છે, ત્યારે વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે, જે કરા અને વીજળીના કડાકા સાથેના તોફાનમાં પરિણમે છે.ખેતી અને બાગાયતને મોટું નુકસાનઅકાળે પડેલા આ કરાના વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. મે મહિનામાં જ્યારે કેરી અને લીચીના પાક તૈયાર થવાની અણી પર હોય છે, ત્યારે આ કુદરતી આફતે બગીચાઓમાં ભારે તારાજી સર્જી છે. માત્ર પાક જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને મકાનોને પણ આ મોટા કરાથી નુકસાન પહોંચ્યું છે.ભવિષ્ય માટે ચેતવણીભારતીય હવામાન વિભાગ (IMD) અને અન્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આગામી વર્ષોમાં આવી ઘટનાઓની તીવ્રતા હજુ વધી શકે છે. વાતાવરણમાં વધતી અસ્થિરતા એ વાતનો પુરાવો છે કે પ્રકૃતિ સાથેનું સંતુલન બગડી રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે, હવે આપણે આવા અણધાર્યા હવામાન માટે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે.
26 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:18 PM
સરહદી તણાવ વચ્ચે ભારતીય સંરક્ષણ દળોએ ઇન્ટિગ્રેટેડ ઓપરેશન સેન્ટર શરૂ કર્યું

સરહદી તણાવ વચ્ચે ભારતીય સંરક્ષણ દળોએ ઇન્ટિગ્રેટેડ ઓપરેશન સેન્ટર શરૂ કર્યું

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માંથી બોધપાઠ લઈને ભારતીય સંરક્ષણ દળો હવે વધુ આક્રમક અને એકીકૃત બનવા જઈ રહ્યા છે. આ મહિનાના અંત સુધીમાં દિલ્હી કેન્ટ વિસ્તારમાં 'ટ્રાઈ-સર્વિસ જોઈન્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટર' (JOCC) કાર્યરત થઈ જશે. આ સેન્ટર દ્વારા ભારતીય સેનાની ત્રણેય પાંખ - આર્મી, નેવી અને એરફોર્સ - એકસાથે મળીને સંયુક્ત રીતે ઓપરેશન પર નજર રાખી શકશે.દુશ્મનોના છક્કા છોડાવશે આ હાઈટેક સેન્ટરઆ JOCC માં ત્રણેય સેવાઓના અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે, જેનાથી ટોચના કમાન્ડરોને એક જ સ્થાનેથી ત્રણેય પાંખની ગતિવિધિઓનું એકીકૃત ચિત્ર મળી રહેશે. આ ઉપરાંત, ભવિષ્યમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઊંડા ભૂગર્ભ (Deep Underground) કમાન્ડ સેન્ટર બનાવવાની પણ યોજના છે, જે કોઈપણ કટોકટીમાં સુરક્ષિત રહી શકે.નવા 'થિયેટર કમાન્ડ'નો પ્રસ્તાવચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) એ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને નવા 'થિયેટર કમાન્ડ' સ્થાપવા માટેની ભલામણો સુપરત કરી દીધી છે. જે મુજબ જયપુર, લખનૌ અને તિરુવનંતપુરમમાં ત્રણ મુખ્ય થિયેટર કમાન્ડ સ્થાપવામાં આવી શકે છે. આ કમાન્ડ ઉત્તરીય સીમા, પશ્ચિમી સીમા અને દરિયાઈ સીમાઓ પરના જોખમોનો સામનો કરવા માટે બનાવવામાં આવશે. આગામી ૭-૮ મેના રોજ જયપુરમાં યોજાનારી કમાન્ડર્સ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે.શું હતું 'ઓપરેશન સિંદૂર'?૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરી હતી. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ૭ મે ૨૦૨૫ના રોજ સરહદ પાર જઈને આતંકી ઠેકાણાઓ પર 'ઓપરેશન સિંદૂર' લોન્ચ કર્યું હતું અને આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. આ ઓપરેશન બાદ સેનામાં વધુ સારી તાલમેલ (Jointness) ની જરૂરિયાત અનુભવાઈ હતી, જેનો અમલ હવે JOCC દ્વારા થવા જઈ રહ્યો છે.સેનામાં આવનારા આ મોટા બદલાવથી પાડોશી દેશોની કોઈપણ ઉશ્કેરણીનો જવાબ આપવો ભારત માટે વધુ ઝડપી અને ઘાતક બનશે.
75 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:10 PM
ભારતીય કંપનીઓએ અમેરિકી અર્થતંત્રમાં મજબૂત પગપેસારો કર્યો

ભારતીય કંપનીઓએ અમેરિકી અર્થતંત્રમાં મજબૂત પગપેસારો કર્યો

વોશિંગ્ટન: ભારતીય કંપનીઓ હવે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના સૌથી શક્તિશાળી અર્થતંત્ર ગણાતા અમેરિકામાં પણ પોતાની મજબૂત પકડ જમાવી રહી છે. તાજેતરમાં વોશિંગ્ટન ખાતે યોજાયેલી 'સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટ'માં અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ભારતીય કંપનીઓએ અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ કરીને ત્યાંની સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને મોટો ટેકો આપ્યો છે.રોજગારી અને રિસર્ચમાં મોટું યોગદાનઅમેરિકી વાણિજ્ય વિભાગના ડેપ્યુટી અન્ડરસેક્રેટરી બ્રાન્ડન રેમિંગ્ટને જણાવ્યું હતું કે, ભારતમાંથી અમેરિકામાં કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આશરે $૧૬.૪ અબજ (લગભગ ૧.૩૬ લાખ કરોડ રૂપિયા) પર પહોંચ્યું છે. આ રોકાણને કારણે અમેરિકામાં લગભગ ૭૦,૮૦૦ જેટલી નવી નોકરીઓનું સર્જન થયું છે. આટલું જ નહીં, ભારતીય કંપનીઓએ અમેરિકામાં સંશોધન અને વિકાસ (R&D) માટે $૩૩૦ મિલિયનનો ખર્ચ કર્યો છે, જે ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની વધતી ક્ષમતા દર્શાવે છે.સન ફાર્માનો રેકોર્ડબ્રેક સોદોભારતીય ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની 'સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ' દ્વારા ન્યૂ જર્સી સ્થિત 'ઓર્ગેનન એન્ડ કંપની'ને $૧૨ અબજમાં ખરીદવાની જાહેરાતે અમેરિકી બિઝનેસ જગતમાં હલચલ મચાવી દીધી છે. આ સોદાથી હેલ્થકેર ક્ષેત્રમાં ભારતનું કદ ઘણું વધી ગયું છે. આ ઉપરાંત, ટેક્સાસ ($૯.૮ અબજ), જ્યોર્જિયા ($૭.૫ અબજ) અને ન્યૂ જર્સી ($૪.૨ અબજ) એવા મુખ્ય રાજ્યો છે જ્યાં ભારતીય કંપનીઓએ સૌથી વધુ રોકાણ કર્યું છે.સપ્લાય ચેઈન અને સ્થાનિક વિકાસભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન નામગ્યા ખામ્પાએ જણાવ્યું હતું કે, ભારતીય કંપનીઓ માત્ર મૂડી જ નથી લાવતી, પરંતુ અમેરિકાની સપ્લાય ચેઈનને મજબૂત કરી રહી છે અને સ્થાનિક સમુદાયોના વિકાસમાં પણ સહભાગી બની રહી છે. એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં ભારતીય મૂળની કંપનીઓ લાખો અમેરિકનોના ઘરના ચૂલા સળગાવવામાં મદદરૂપ થઈ રહી છે.આગામી દિવસોમાં વધુ એક ડઝન જેટલી ભારતીય કંપનીઓ અમેરિકામાં નવા રોકાણોની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે, જે ભારત-અમેરિકાના મજબૂત થતા આર્થિક સંબંધોની સાબિતી આપે છે.
60 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 04:03 PM
દિલ્હીએ રસ્તાઓ પર પારદર્શિતા અને શિસ્ત વધારવા માટે નવી ચલણ પ્રણાલી રજૂ કરી

દિલ્હીએ રસ્તાઓ પર પારદર્શિતા અને શિસ્ત વધારવા માટે નવી ચલણ પ્રણાલી રજૂ કરી

નવી દિલ્હી: દિલ્હી સરકારે ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે એક નવી ચલાણ સિસ્ટમ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ટ્રાફિક ચલાણને કોર્ટમાં પડકારતા પહેલા દંડની ૫૦ ટકા રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવી ફરજિયાત રહેશે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ દંડની વસૂલાતમાં થતા વિલંબને ઘટાડવાનો અને રસ્તા પર શિસ્ત જાળવવાનો છે.સમયમર્યાદાનું કડક પાલન: ૪૫ દિવસનો નિયમનવી સિસ્ટમ મુજબ, ચલાણ ઇશ્યૂ થયાના ૪૫ દિવસની અંદર વાહન ચાલકે કાં તો દંડ ભરી દેવો પડશે અથવા ઓનલાઇન સિસ્ટમ દ્વારા તેને પડકારવો પડશે. જો આ સમયગાળામાં કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો ચલાણ આપોઆપ સ્વીકૃત ગણાશે અને ત્યારબાદ દંડ ભરવા માટે માત્ર ૩૦ દિવસનો જ સમય મળશે. જો તમે ઓનલાઇન ફરિયાદ કરી હોય અને તે નકારવામાં આવે, તો કોર્ટમાં જવા માટે અડધો દંડ ભરવો જ પડશે.ડિજિટલ ટ્રેકિંગ અને ચેતવણીઓહવે ટ્રાફિક પોલીસ સિવાય હાઈ-ટેક કેમેરા અને સર્વેલન્સ ટૂલ્સ દ્વારા ઓટોમેટિક ઈ-ચલાણ જનરેટ કરવામાં આવશે. જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે, તો ૩ દિવસમાં ડિજિટલ નોટિસ મળી જશે, જ્યારે ફિઝિકલ નોટિસ ૧૫ દિવસમાં ઘરે પહોંચશે. આ સિસ્ટમ દ્વારા દરરોજ એલર્ટ અને રિમાઇન્ડર પણ મોકલવામાં આવશે જેથી કોઈ 'ભૂલી ગયા'નું બહાનું ન કાઢી શકે.દંડ નહીં ભરો તો સર્વિસ બ્લોક થશેજો તમે સમયસર દંડ નહીં ભરો, તો તમારા વાહનને લગતી સરકારી સેવાઓ પર રોક લગાવી દેવામાં આવશે. જેમાં:• રોડ ટેક્સની ચુકવણી અને લાયસન્સ રિન્યુઅલ અટકાવી દેવાશે.• વાહનનું રજિસ્ટ્રેશન કે માલિકી બદલવાનું કામ બ્લોક થઈ જશે.• ચોક્કસ કિસ્સાઓમાં કોર્ટના આદેશથી વાહન જપ્ત પણ થઈ શકે છે.ગંભીર ગુનેગારો પર ખાસ નજરસરકાર દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારો કરવાની યોજના છે. જે વ્યક્તિ વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરશે, તેને 'સીરિયસ ઓફેન્ડર' (ગંભીર ગુનેગાર) ની શ્રેણીમાં મૂકવામાં આવશે. આવા કિસ્સામાં તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કાયમી ધોરણે રદ પણ થઈ શકે છે.દિલ્હી સરકારની આ નવી ડિજિટલ સિસ્ટમથી ટ્રાફિક નિયમોનું પાલન વધશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
81 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 04:01 PM
ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ડુમસ બીચ પર નકલી પોલીસ દરોડામાં ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ડુમસ બીચ પર નકલી પોલીસ દરોડામાં ધરપકડ કરવામાં આવી છે.

સુરત, તા.૦૫: રવિવારની રજાની મજા માણવા ઉમટી પડેલા સુરતીઓ માટે ડુમસ બીચ ગઈકાલે કોઈ હોલિવૂડ એક્શન ફિલ્મના સેટ જેવો બની ગયો હતો. ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને 'લાલો' ફેમ શ્રૃહદ ગોસ્વામી જ્યારે અચાનક પોલીસના કાફલા સાથે ડુમસ સી-ફેસ પર દેખાયા ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.અચાનક પોલીસ ત્રાટકી અને મલ્હારને હાથકડી પહેરાવી!ડુમસના દરિયાકિનારે હજારોની ભીડ વચ્ચે અચાનક નકલી પોલીસનો કાફલો આવ્યો અને જોતજોતામાં મલ્હાર ઠાકરની ધરપકડ કરી લીધી. મલ્હારને હાથકડીમાં જકડાયેલો જોઈને ફરવા આવેલા પ્રવાસીઓમાં ભારે ગભરાટ અને ગણગણાટ શરૂ થયો હતો. ઘણાને લાગ્યું કે ખરેખર કઈક ગરબડ થઈ છે, પરંતુ થોડી જ ક્ષણોમાં ખબર પડી કે આ તો મલ્હારની આગામી ફિલ્મ 'ધરપકડ' ના પ્રમોશનનો એક અનોખો ભાગ હતો. ફિલ્મના ટાઈટલને સાર્થક કરવા માટે આ લાઈવ ડ્રામા રચવામાં આવ્યો હતો.સુરતીઓનો મહેરામણ અને 'લાલા'નો ક્રેઝફિલ્મ ‘ધરપકડ’ના અનોખા પ્રમોશન માટે સુરત આવેલા મલ્હાર અને શ્રૃહદ ગોસ્વામી (લાલો) ને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રૃહદ ગોસ્વામીની લોકપ્રિયતા પણ સુરતીઓમાં જોરદાર જોવા મળી હતી. આ બંને કલાકારોએ કલાકો સુધી ચાહકો સાથે સમય વિતાવ્યો હતો. સુરતના આકરા તાપમાં પણ લોકો પોતાના માનીતા કલાકારો સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા.તારીખ જાહેર થતા જ ઉત્સાહ બમણોઆ ફિલ્મ માટે મલ્હાર અને તેની ટીમે જે રીતે 'આઉટ ઓફ ધ બોક્સ' જઈને પ્રમોશન કર્યું છે, તેનાથી સુરતીઓ જ નહીં પણ આખું ગુજરાત સોશિયલ મીડિયા પર ચર્ચાઓ કરી રહ્યું છે. મલ્હાર અને શ્રૃહદે સુરતીઓના આ અદભૂત આવકાર બદલ દિલથી આભાર માન્યો હતો. તો તૈયાર થઈ જાવ, કારણ કે હવે થિયેટર્સમાં પણ આ કલાકારોની 'ધરપકડ' થવા જઈ રહી છે! તમે આ અનોખું પ્રમોશન જોયું કે નહીં?
58 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:59 PM
ખેડૂતોને ટેકો આપવા માટે ભારતે શેરડીના ભાવમાં ક્વિન્ટલ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

ખેડૂતોને ટેકો આપવા માટે ભારતે શેરડીના ભાવમાં ક્વિન્ટલ દીઠ 10 રૂપિયાનો વધારો કર્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વનો નિર્ણય લેતા આગામી ૨૦૨૬-૨૭ની સીઝન માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (FRP - Fair and Remunerative Price) માં વધારો કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ૧૦ રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે હવે શેરડીની FRP વધીને ૩૬૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.શું છે આ નિર્ણયની વિશેષતા?સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય દેશભરના લાખો શેરડી ઉત્પાદક ખેડૂતો માટે રાહતના સમાચાર લાવ્યો છે. નવી કિંમતો ઓક્ટોબર ૨૦૨૬થી શરૂ થતી આગામી માર્કેટિંગ સીઝનથી લાગુ કરવામાં આવશે. આ વધારાથી ખેડૂતોને તેમના પાકનું વધુ સારું વળતર મળશે અને ખેતીના વધતા ખર્ચ સામે રક્ષણ પ્રાપ્ત થશે. સરકારનું માનવું છે કે આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેઓ શેરડીના વાવેતર તરફ વધુ પ્રોત્સાહિત થશે.ખેતમજૂરો અને ગ્રામીણ અર્થતંત્રને ફાયદોઆ માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ શેરડીની ખેતી સાથે સંકળાયેલા લાખો ખેતમજૂરો માટે પણ ફાયદાકારક સાબિત થશે. શેરડીના ભાવ વધતા મિલોની આવકમાં સુધારો થશે અને તેની સીધી અસર મજૂરોની રોજીરોટી પર પણ પડશે. વળી, ખાંડ ઉદ્યોગ એ ભારતનો મોટો કૃષિ આધારિત ઉદ્યોગ હોવાથી, આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં નાણાંનો પ્રવાહ વધશે અને સ્થાનિક બજારોમાં તેજી આવશે.સ્વનિર્ભરતા અને ખાંડનું ઉત્પાદનભારત અત્યારે વિશ્વમાં ખાંડના ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ હેઠળ શેરડીનો ઉપયોગ બળતણ તરીકે પણ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળવાથી ખાંડ અને ઇથેનોલ બંનેના ઉત્પાદનમાં સ્થિરતા આવશે. સરકારના આ પગલાને કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવાના અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના વિઝન સાથે જોડવામાં આવી રહ્યો છે.નિષ્ણાતોના મતે, આ ભાવ વધારો ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને શેરડીની નવી જાતોના વાવેતર માટે આર્થિક પીઠબળ પૂરું પાડશે.
57 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:50 PM
રાજકોટ ખાતે વાળંદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સારવાર હેઠળ

રાજકોટ ખાતે વાળંદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સારવાર હેઠળ

રાજકોટ તા. ૫: શહેરના રેલનગરમાં વીર સાવરકર ટાઉનશીપમાં રહેતાં કશ્‍યપભાઇ રમેશભાઇ લખતરીયા (ઉ.વ.૪૦) નામના વાળંદ યુવાને રાતે રેસકોર્ષ ગેલેક્‍સી સિનેમા સામે શોૈચાલય નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. માતાની સારવાર માટે આ યુવાને વ્‍યાજે નાણા લીધા હોઇ વ્‍યાજખોરો હેરાન કરતાં હોવાથી પગલુ ભર્યાનું બહાર આવ્‍યું છે. તેણે બે પાનાની સ્‍યુસાઇડ નોટ પણ લખી છે. કશ્‍યપભાઇ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી ભવાની ચોકમાં ધ બાર્બર શોપ નામે હેર કટીંગનું કામ કરે છે. તે બે ભાઇ અને એક બહેનમાં નાના છે તથા છુટાછેડા થઇ ગયા છે. માતા મધુબેન અગાઉ બિમાર હોઇ તેમની સારવાર માટે વ્‍યાજે નાણા લીધા હોઇ વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનું જણાવાયું છે. કશ્‍યપભાઇએ ચિઠ્ઠી લખી છે તેમાં કોની પાસેથી કેટલા નાણા લીધા તેનો આંકડો, ટુંકા નામ અને વીકલી ડાયરી, ડેઇલી વગેરે શબ્‍દો લખેલા છે. ટુંકા નામોમાં પૃથ્‍વી, દેવેન્‍દ્ર, દિગ્‍વીજય, ધર્મેશ, અક્ષય, મનોજ, પ્રકાશ જેવા નામો છે. ચિઠ્ઠીમાં લખ્‍યું છે કે હું કશ્‍યપ લખતરીયા, ભાઇ હું તને આજ સુધી કહી ન શક્‍યો. મને અમુક વ્‍યક્‍તિ હેરાન પરેશાન કરે છે. રોજ પ્રેશર કરીને ડાયરીના પૈસા ઉઘરાવે છે. જે કામ થયું હોઇ તેના નાણા લઇ જાય છે. ગયા અઠવાડીએ બે જણાએ મારા ચેક રીટર્ન કરાવ્‍યા હતાં. દુકાનને તાળા મારી દેવાની ધમકી આપે છે. હવે બીજો કોઇ રસ્‍તો મારી પાસે નથી, હું થાકી ગયો છું. બધાના પૈસા પુરા કરવામાં મારાથી પહોંચાતું નથી. મારું એક્‍ટીવા અને બાઇક બંને વ્‍યાજમાં લઇ ગયા છે. ફોન પણ લઇ ગયા છે, હવે કંઇ નહિ તો દુકાનનો સામાન ભરી જવાની વાત કરે છે. હવે બીજો કોઇ રસ્‍તો દેખાતો નથી જેથી મારો રસ્‍તો કરી લઉ છું. ભાઇ તું મમ્‍મીનું ધ્‍યાન રાખજે, હું જાજુ કરી શકું તેવી પરિસ્‍થિતિમાં નથી. ચિઠ્ઠીમાં આગળ લખ્‍યું છે કે મારે કોઇના પૈસા અટકાવવા નહોતા પણ કોઇ સમજવા તૈયાર નથી. મારી પાસે દુકાન સિવાય કંઇ નથી. મારી સાથે ડાયરીમાં પણ છેતરપીંડી થઇ છે. મારા ડોક્‍યુમેન્‍ટ પર ત્રણ જગ્‍યાએ ડાયરી કરાવાઇ છે. ડાયરીના દેવાંગના ભાગના પૈસા પણ હું ભરુ છું. હવે પૈસા ભરવાની મારી હાલત નથી. ચિરાગ હસ્‍તક પણ ડાયરીનું પ્રેશર છે. સતત પ્રેશર હોવાને કારણે દુકાને પણ ટાઇમ આપી શકતો નથી. જેને મારે આપવાના છે તેમાં બાકી રકમ કોઇની ૨૦ હજારથી વધુ નથી. ચિઠ્ઠીમાં આગળ કોને કેટલા દેવાના તેની વિગતો કશ્‍યપભાઇએ લખી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
6 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 03:49 PM
અયોગ્ય વ્યવહારોના આક્ષેપો વચ્ચે રેપિડો ડ્રાઇવરોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી

અયોગ્ય વ્યવહારોના આક્ષેપો વચ્ચે રેપિડો ડ્રાઇવરોએ ભાડામાં વધારો કરવાની માંગ કરી

રાજકોટ : શહેરમાં કાર્યરત રેપિડો કંપની દ્વારા ડ્રાઇવરોને અપાતા ભાડાના દરમાં અન્‍યાય થતો હોવાના આક્ષેપ સાથે ડ્રાઇવર યુનિયને મોરચો માંડ્‍યો છે. ડ્રાઇવરોની માંગ છે કે રૂા.૧૮ સામે જે રૂા.૧૨નો અન્‍યાય થઈ રહ્યો છે તે તાત્‍કાલિક બંધ કરી ભાવ વધારો કરવામાં આવે. યુનિયને સ્‍પષ્ટ ચીમકી આપી છે કે જો આજ સુધીમાં યોગ્‍ય નિર્ણય નહીં લેવાય તો સમગ્ર રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને ભવ્‍ય ર્ંૅરેલર્ીૅં કાઢવામાં આવશે. તસ્‍વીરમાં સુત્રોચ્‍ચાર કરતાં રેપીડોના રીક્ષાચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)
35 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 03:47 PM
ભારતે વિશાખાપટ્ટનમ ખાતે સાઉથ કોસ્ટ રેલવે ઝોનની સ્થાપના કરી

ભારતે વિશાખાપટ્ટનમ ખાતે સાઉથ કોસ્ટ રેલવે ઝોનની સ્થાપના કરી

અમરાવતી: આંધ્રપ્રદેશના લોકોની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે 'સાઉથ કોસ્ટ રેલવે ઝોન' (South Coast Railway Zone) ની સ્થાપના માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નિર્ણયને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આવકારતા તેને રાજ્યની જનતા માટે એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે.૧લી જૂનથી કામગીરી શરૂરેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવો રેલવે ઝોન આ જ વર્ષે ૧લી જૂનથી સત્તાવાર રીતે કાર્યરત થઈ જશે. ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, "આંધ્રપ્રદેશના લોકોનું લાંબા સમયથી સેવાયેલું સપનું આખરે હકીકત બની રહ્યું છે. આ નિર્ણયથી ઉત્તર આંધ્રના પરિવહન નેટવર્કમાં અભૂતપૂર્વ સુધારો થશે."રેલવે ડિવિઝનનું નવું માળખુંવોલ્ટેયર ડિવિઝનના પુનર્ગઠનના ભાગરૂપે કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે:• પલાસા અને ઈચ્છાપુરમ જેવા મહત્વના સેક્શન્સને હવે વિશાખાપટ્ટનમ ડિવિઝનમાં ભેળવી દેવામાં આવશે.• વિશાખાપટ્ટનમ અને રાયગઢા ડિવિઝન વચ્ચેના બહેતર સંકલનને કારણે રેલવેની કામગીરી વધુ ઝડપી અને મજબૂત બનશે.વિકાસના નવા દ્વાર ખુલશેઆ નવા ઝોનની સ્થાપના માત્ર મુસાફરોની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આંધ્રપ્રદેશના ઔદ્યોગિક વિકાસ માટે પણ પાયાનો પથ્થર સાબિત થશે. વિશાખાપટ્ટનમ પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને આ નવા રેલવે નેટવર્કનો સીધો લાભ મળશે, જેનાથી માલ-સામાનની હેરફેર સરળ બનશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સાઉથ કોસ્ટ રેલવે ઝોન આવનારા સમયમાં આંધ્રપ્રદેશની આર્થિક પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવશે.
58 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:37 PM
ઝવેરાત બજારમાં સોનાના ભાવ ઘટ્યા, લગ્નની મોસમમાં રાહત મળી

ઝવેરાત બજારમાં સોનાના ભાવ ઘટ્યા, લગ્નની મોસમમાં રાહત મળી

રાજકોટ, તા.૦૫: ઝવેરીબજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટી નરમાશ જોવા મળી છે. જો તમે લગ્નસરાની સિઝન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સોનાનો ભાવ હવે ₹1,48,000 ની સપાટી તોડીને નીચે આવી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું પડ્યું છે.સોનાના ભાવમાં ₹800 નો ઘટાડોઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલ મુજબ, આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ₹1,47,557 રહ્યો છે. સોમવારે સવારે આ ભાવ ₹1,48,357 હતો, એટલે કે માત્ર એક જ દિવસમાં સોનામાં ₹800નો ઘટાડો નોંધાયો છે. અન્ય કેરેટની વાત કરીએ તો:• ૨૩ કેરેટ: ₹1,46,966 પ્રતિ ૧૦ ગ્રામ• ૨૨ કેરેટ: ₹1,35,162 પ્રતિ ૧૦ ગ્રામ• ૧૮ કેરેટ: ₹1,10,668 પ્રતિ ૧૦ ગ્રામચાંદીમાં ₹4,735 નો તોતિંગ ઘટાડોસોનાની સાથે ચાંદીમાં પણ આજે ભારે વેચવાલી જોવા મળી છે. ગઈકાલે ૧ કિલો ચાંદીનો ભાવ ₹2,44,237 હતો, જે આજે ₹4,735 ઘટીને ₹2,39,502 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે ચાંદી તેના રેકોર્ડ હાઈ લેવલ ₹3,79,988 થી અત્યાર સુધીમાં આશરે ₹1.40 લાખ જેટલી સસ્તી થઈ ચૂકી છે.કેમ ઘટી રહ્યા છે ભાવ?બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે:1. મજબૂત ડોલર: ડોલર ઇન્ડેક્સમાં સતત વધારો થવાને કારણે રોકાણકારો સોનાને બદલે ડોલરમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.2. ક્રૂડ ઓઈલ: કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવતા મોંઘવારી વધવાની આશંકાએ સોનાના ભાવ પર દબાણ વધ્યું છે.3. ઓછી માંગ: સોનું રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી જતા સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યું હતું, જેના કારણે બજારમાં માંગમાં ઘટાડો થયો અને કિંમતો નીચે આવી.રેકોર્ડ સપાટીથી ઘણો ફેરફારતમને જણાવી દઈએ કે ૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સોનું ₹1,75,340 ના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ₹27,783 નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતબીજી તરફ, ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પર સ્થિર છે, જ્યારે પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ ₹82.46 માં મળી રહ્યું છે.
78 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 03:33 PM
ઈરાન-અમેરિકા વિવાદ વચ્ચે વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વધારો

ઈરાન-અમેરિકા વિવાદ વચ્ચે વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વધારો

વોશિંગ્ટન, તા.૦૫: વિશ્વ અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના ભયાનક પડઘા સાંભળી રહ્યું છે. એક તરફ રણમેદાનમાં તોપો ગાજી રહી છે, તો બીજી તરફ સામાન્ય માનવીના ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે દાવો કરી રહ્યા હોય કે તેમનું 'અમેરિકા ફર્સ્ટ' અભિયાન સફળ છે, પરંતુ વાસ્તવિકતામાં વૈશ્વિક તેલના ભાવ અને વધતી મોંઘવારીએ ચિંતાના વાદળો ઘેરા કર્યા છે.તેલના ભાવમાં ભડકો અને જનતાની હાલાકીસોમવારે સાંજે ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ $114 પર પહોંચી ગયો છે. ઈરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની), જે વિશ્વના તેલ પરિવહન માટેનો સૌથી મહત્વનો માર્ગ છે, ત્યાં બ્લોકેડની સ્થિતિ સર્જાઈ છે. આ અનિશ્ચિતતાને કારણે અમેરિકામાં ગેસોલિન (પેટ્રોલ) ના ભાવ પ્રતિ ગેલન $4.45 ને પાર કરી ગયા છે, જે ગયા વર્ષ કરતા એક ડોલર વધુ છે. સૌથી વધુ ફટકો ડીઝલને પડ્યો છે, જે $5.64 પર પહોંચતા માલ-સામાનના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે.ટ્રમ્પનો આત્મવિશ્વાસ કે વાસ્તવિકતાથી અંતર?વ્હાઇટ હાઉસના ઈસ્ટ રૂમમાં બિઝનેસ લીડર્સને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અર્થતંત્ર 'ગર્જના' (Roaring) કરી રહ્યું છે અને ટેક્સમાં કાપ મૂકવાથી વેપારમાં વિક્રમી વધારો થયો છે. જોકે, બહારની દુનિયામાં સ્થિતિ અલગ છે. મધ્યસત્ર ચૂંટણીઓ નજીક હોવા છતાં ટ્રમ્પ આર્થિક કટોકટીને ગંભીરતાથી લેવાને બદલે તેને 'ક્ષણિક' ગણાવી રહ્યા છે. તેમણે હસતા હસતા એમ પણ કહ્યું કે, જે સરકારી કર્મચારીઓને તેમણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે, તેઓ હવે ખાનગી ક્ષેત્રમાં વધુ કમાણી કરી રહ્યા છે અને તેમનાથી ખુશ છે!ભાષણમાં મનોરંજન અને રાજકીય કટાક્ષટ્રમ્પના ભાષણો હંમેશની જેમ વિવાદો અને મનોરંજનથી ભરપૂર રહ્યા. ફ્લોરિડાના 'ધ વિલેજિસ'માં દોઢ કલાકના ભાષણ દરમિયાન તેમણે આર્થિક નીતિઓ પર ઓછું અને વિરોધીઓ પર વધુ પ્રહાર કર્યા. તેમણે જો બાઈડનની ટીકા કરી, પોતાની કોગ્નિટિવ ટેસ્ટ (બૌદ્ધિક કસોટી) પાસ કરવાના ગૌરવગાન ગાયા અને ડો. ફિલ તેમજ 'પૉન સ્ટાર્સ' ફેમ રિક હેરિસન જેવા સેલિબ્રિટીઝને સ્ટેજ પર બોલાવીને મોંઘવારીના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો.હાલમાં સ્થિતિ એવી છે કે એક તરફ ઈરાન સાથેની મડાગાંઠ ઉકેલાવાનું નામ નથી લઈ રહી અને બીજી તરફ મોંઘવારીનો માર સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પની આ 'અમેરિકા ફર્સ્ટ' નીતિ વિશ્વને શાંતિ તરફ લઈ જાય છે કે વધુ મોટા આર્થિક ખાડામાં.
30 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 03:32 PM
વૈશ્વિક નબળાઈ અને તેલની વધતી કિંમતો વચ્ચે ભારતીય શેર બજારો લાલ નિશાનમાં બંધ થયા

વૈશ્વિક નબળાઈ અને તેલની વધતી કિંમતો વચ્ચે ભારતીય શેર બજારો લાલ નિશાનમાં બંધ થયા

મુંબઈ, તા.૦૫: ભારતીય શેરબજારમાં આજે ઉતાર-ચઢાવભર્યો દિવસ રહ્યો હતો. સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, નિફ્ટીએ રોકાણકારોનો ઉત્સાહ જાળવી રાખતા ૨૪,૦૦૦ ના મહત્વના લેવલને પાર કરવામાં સફળતા મેળવી છે. બજારમાં આ ઘટાડા પાછળ વૈશ્વિક બજારના નબળા સંકેતો અને વધતા ક્રૂડ ઓઈલના ભાવો જવાબદાર માનવામાં આવી રહ્યા છે.સેન્સેક્સ અને નિફ્ટીનો આંકડોઆજના ટ્રેડિંગ સેશનના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ ૨૫૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૪,૦૦૦ ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર સ્થિર રહેવામાં સફળ રહ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવાની પ્રક્રિયા) ને કારણે ઇન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું હતું.Mahindra & Mahindra નો દબદબોબજારમાં સાર્વત્રિક વેચવાલી વચ્ચે પણ ઓટો સેક્ટરના દિગ્ગજ શેર Mahindra & Mahindra (M&M) એ રોકાણકારોને ખુશ કરી દીધા હતા. કંપનીના શેરમાં આજે ૪% નો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સારા વેચાણના આંકડા અને ભાવિ યોજનાઓને કારણે રોકાણકારોએ આ શેરમાં ભારે ખરીદી કરી હતી, જેણે બજારને વધુ પડતું ગગડતા અટકાવ્યું હતું.રોકાણકારો માટે ચિંતાના વિષયોબજારમાં ઘટાડા પાછળ નબળો પડતો રૂપિયો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતો મુખ્ય કારણો છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ખાસ કરીને આઈટી અને બેંકિંગ સેક્ટરના શેરોમાં આજે થોડું દબાણ જોવા મળ્યું હતું.બજારના વિશ્લેષકોનું કહેવું છે કે જો નિફ્ટી ૨૪,૦૦૦ ની સપાટી જાળવી રાખશે તો આગામી દિવસોમાં ફરીથી રિકવરી જોવા મળી શકે છે. જોકે, નવા રોકાણકારોએ અત્યારે સાવધ રહીને ગુણવત્તાયુક્ત શેરોમાં જ નાણાં રોકવાની સલાહ આપવામાં આવી રહી છે.
19 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 03:31 PM
રાજકોટનો હાઉસિંગ પ્રોજેક્ટ નિષ્ફળતાનું પ્રતીકઃ 1,07 લાખ ખાલી મકાનોમાંથી માત્ર 1,900 ફોર્મ ભરાયા

રાજકોટનો હાઉસિંગ પ્રોજેક્ટ નિષ્ફળતાનું પ્રતીકઃ 1,07 લાખ ખાલી મકાનોમાંથી માત્ર 1,900 ફોર્મ ભરાયા

રાજકોટ, તા. પ : મનપા દ્વારા શહેરના કાલાવડ રોડ અને પોપટપરા વિસ્‍તારમાં આવેલ ર લાખના ૧ બીએચકે ખાલી આવાસ માટે ફોર્મની કાર્યવાહી કરવામાં આવતા આજ દિન સુધીમાં ૧૦પ૭ આવાસ સામે માત્ર ૧૯૦૦ ફોર્મ ભરાયા છે. આમ આ યોજનામાં નબળો પ્રતિસાદ મળ્‍યાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ આવાસ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા અને કાલાવાડ રોડ વિસ્‍તારના પ્રેમ મંદિર નજીક આવેલ મનપાના આવાસ પ્રોજેક્‍ટનો કિસ્‍સો હવે નિષ્‍ફળતાનું પ્રતીક બની ગયો છે.BSUPયોજના અંતર્ગત વર્ષ ૨૦૧૦માં અંદાજે રૂા.૫૯.૮૨ કરોડના ખર્ચે ૧૦૫૭ આવાસો બનાવવામાં આવ્‍યા હતા. બાદમાં રિપેરિંગ સહિત કુલ ખર્ચ રૂા.૭૫.૮૨ કરોડ સુધી પહોંચી ગયો. શરૂઆતમાં રૈયા ધાર અસરગ્રસ્‍તોને ફક્‍ત બે વર્ષ માટે કામચલાઉ ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ ત્‍યારબાદ ૧૪ વર્ષ સુધી આ મકાનો તાળા મારીને બંધ રાખવામાં આવ્‍યા. સમય જતાં આ આવાસો જર્જરિત બની ગયા. પછી મનપાએ આશરે રૂા.૧૬ કરોડના ખર્ચે મરામત કરી, જે મકાનોની મૂળ કિંમત લગભગ રૂા.૯ લાખ હતી, તેને હવે ફક્‍ત રૂા.૨ લાખમાં વેચવા કાઢવામાં આવ્‍યા છે. છતાં પણ પ્રાઈમ લોકેશન હોવા છતાં ખરીદદારો આગળ આવતા નથી. હાલમાં અંદાજે રૂા. ૨ લાખના ૧૯૦૪ ફોર્મ ભરાયા છે, જ્‍યારે કુલ ૧૦૫૭ ફ્‌લેટ ઉપલબ્‍ધ છે અને કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આ સમગ્ર મામલો મનપાના સત્તાધીશોની અણઆવડત અને અધિકારીઓની ઉદાસીનતાને ઉજાગર કરે છે, જેના કારણે ૧૦૫૭ પરિવારો પોતાના ઘરના સપનાથી વંચિત રહ્યા છે.
65 shares
😢
A
Akila News
May 5, 2026, 03:27 PM
રાજકોટ ખાતે સામૂહિક લગ્ન અને સામૂહિક લગ્ન દ્વારા મુક્તાનંદ બાપુનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

રાજકોટ ખાતે સામૂહિક લગ્ન અને સામૂહિક લગ્ન દ્વારા મુક્તાનંદ બાપુનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

રાજકોટઃ આગામી તા.૧૦/૫ને રવિવારના રોજ આશાપૂરા ફોર્મ, ૧૫૦ ફૂટ રીંગ રોડ શીતલપાર્ક નજીક શ્રી હરિઓમ ફોજ દ્વારા ભવ્‍યાતીભવ્‍ય ભવ્‍ય સમૂહ લગ્ન તથા સમૂહ જનોઇનું આયોજન કરેલ છે. જેમાં ૨૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. સમસ્‍ત બ્રહ્મ સમાજના સમુહલગ્ન તથા તેમજ ૬૧ દીકરાની જનોઇ રાખેલ છે. હરિઓમ ફોજ એક સંગઠિત ટીમ છે આ ટિમમાં કોઇ હોદા નથી, બ્રહ્મ સમાજના પરિવારને કોઇ ઇમરજન્‍સી ઊભી થાય આકસ્‍મિત બનાવો અને જયારે કોઇ પણ પ્રકારની કાયદાકીય જરૂરીયાત ઉભી થાય ત્‍યારે આ યુવાનો કાર્યરત હોય તેમ યાદીમાં જણાવ્‍યું છે. પરમ પૂજય મૂકતાનંદ બાપુ ચાપરડા બ્રહ્માનંદ ધામના પૂજનીય બ્રહ્મ ઋૂષિ છે જે મુકતાનંદ બાપુના અવતરણ દિવસ ૧૭ મે હોય જે નિમિતે એટલે કે તા.૧૦ ને રવિવાર સાંજે ચાર વાગે રાજકોટ ખાતે સમસ્‍ત બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન તથા સમૂહ જનોઇ યોજવામાં આવેલ છે. આ ઉપરાંત ૧૧ થી ૧૭ મે ગુજરાતના વિવિધ ગામોમાં બ્‍લડ કેમ્‍પ યોજાશે. સમસ્‍ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્નમાં જરૂરીયાતમંદ ૨૫ દીકરીઓના સમૂહ લગ્ન તથા ૬૧ બ્રહ્મ બટુકોની જનોઇ યોજવામાં આવેલ છે.
12 shares
😐
A
Akila News
May 5, 2026, 03:19 PM
સરકારે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં કોઈ વધારો નહીં કરવાની ખાતરી આપી

સરકારે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં કોઈ વધારો નહીં કરવાની ખાતરી આપી

સામાન્‍ય જનતા માટે મોટા રાહતના સમાચારઃ સરકારની સત્તાવાર ખાતરી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં કોઈ વધારો નહીં થાય આંતરરાષ્ટ્રીય સ્‍તરે ક્રૂડના ભાવમાં ઉતાર ચઢાવ છતાં ભારતમાં ભાવ સ્‍થિર રહેશેઃ ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અફવાઓ પર પૂર્ણવિરામ
13 shares
😊
A
Akila News
May 5, 2026, 03:18 PM
પીએમ મોદીની સોમનાથ મુલાકાતઃ ઐતિહાસિક ઘટના માટે તૈયારીઓ ચાલી રહી છે

પીએમ મોદીની સોમનાથ મુલાકાતઃ ઐતિહાસિક ઘટના માટે તૈયારીઓ ચાલી રહી છે

ગાંધીનગરઃ આગામી ૧૧ તારીખે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ પ્રથમ જ્‍યોતિર્લિગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથની વિશેષ મુલાકાત લેવાના છે. વડાપ્રધાનના આ ઐતિહાસિક પ્રવાસને લઈને ગુજરાત સરકાર અને સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જ સંદર્ભે ગુજરાતના ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉચ્‍ચ અધિકારીઓ સાથે એક મહત્‍વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી અને સમગ્ર વ્‍યવસ્‍થા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના સોમનાથ પ્રવાસ દરમિયાન સુરક્ષા, ટ્રાફિક નિયમન અને દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓને પડનારી સંભવિત અગવડો નિવારવા માટે વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોલીસ વિભાગ અને જિલ્‍લા પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી સંઘવીએ સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્‍તારોની સુરક્ષા વ્‍યવસ્‍થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી જેથી આખો કાર્યક્રમ કોઈપણ વિઘ્‍ન વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ' અને ૧૦૮ અશ્વોની ઐતિહાસિક 'શૌર્ય યાત્રા'
38 shares
😐
A
Akila News
May 5, 2026, 03:15 PM
12 વર્ષની છોકરીના પ્રેગ્નેન્સી અને બેબી શૉવરને લઈને વિવાદ ફાટી નીકળ્યો

12 વર્ષની છોકરીના પ્રેગ્નેન્સી અને બેબી શૉવરને લઈને વિવાદ ફાટી નીકળ્યો

ન્‍યૂયોર્ક તા.૫: અમેરિકામાં બનેલી એક ઘટનાને કારણે સોશ્‍યલ મીડિયા પર જબરી ચર્ચા ફાટી છે. વાત ૧૨ વર્ષની એક છોકરીની છે. હજી તે ટીનેજમાં પણ નથી પ્રવેશી અને પ્રેગ્નન્‍ટ છે. આ ઘટના ભારતીય સમાજમાં બને તો પેરન્‍ટ્‍સ તરત જ બાળક જેવી દીકરીનું અબોર્શન કરાવવા જ દોડે. એટલું જ નહીં, આ વાત સમાજમાં ક્‍યાંય જાહેર ન થાય એની તકેદારી લે. જોકે મિસિસિપીના ગ્રીનવુડમાં રહેતા એક પરિવારે ૨૭ એપ્રિલે પોતાની દીકરીની કેટલીક તસવીરો શેર કરીને જાહેર કર્યું હતું કે તેમણે પોતાની ૧૨ વર્ષની દીકરીનું બેબી શાવર ગોઠવ્‍યું છે. બેબી શાવરની સજાવટની સાથે દીકરી તેના પેરન્‍ટ્‍સ સાથે છે. બેબી શાવર કરવાનું હોય એટલે છોકરી ઓલરેડી છ-સાત મહિનાની પ્રેગ્નન્‍ટ હશે જ. જસ્‍ટ કલ્‍પના કરો. ૧૨ વર્ષની છોકરી ૭ મહિનાની પ્રેગ્નન્‍ટ છે અને પેરન્‍ટ્‍સ તેને સપોર્ટ કરી રહ્યા છે. બીજી એક તસવીરમાં આ બાળકના પિતા સાથે પણ છોકરી દેખાય છે. આ ઘટના પર દુનિયાભરના સોશ્‍યલ મીડિયા યુઝર્સનો ગુસ્‍સો ફાટી નીકળ્‍યો છે. આ કોઈ પારિવારિક મામલો નથી, પરંતુ બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્‍ય સાથે સંકળાયેલો મુદ્દો છે તેનો પાર્ટનર એટલે બાળકનો પિતા છોકરી કરતાં જસ્‍ટ એક વર્ષ મોટો છે. સોશ્‍યલ મીડિયામાં આ તસવીરો વાઇરલ થતાં અમેરિકનોએ પણ આ પ્રકારની ઘટનાઓ પર પ્રશાસને એક્‍શન લેવી જોઈએ એવી ડિમાન્‍ડ કરી હતી. જોકે હજી સ્‍પષ્ટ નથી થયું કે સ્‍થાનિક સરકારે કે પછી ચાઇલ્‍ડ પ્રોટેક્‍શન એજન્‍સીઓએ આ મામલે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં.
23 shares
😢
A
Akila News
May 5, 2026, 03:15 PM
ફ્રાન્સ સરકારે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે'ક્રાંતિકારી "ભોજન યોજના શરૂ કરી

ફ્રાન્સ સરકારે યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે'ક્રાંતિકારી "ભોજન યોજના શરૂ કરી

પેરિસ, તા.૦૫: વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને ખાવા-પીવાનો ખર્ચ હંમેશા એક મોટી ચિંતાનો વિષય હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે ફ્રાન્સ સરકારે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. ફ્રાન્સની યુનિવર્સિટીઓમાં હવે તમામ વિદ્યાર્થીઓને માત્ર ૧ યુરો (આશરે ૯૦-૯૫ રૂપિયા) માં ભરપેટ ભોજન આપવામાં આવશે. અગાઉ આ સુવિધા માત્ર ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે જ હતી, પરંતુ હવે દરેક વિદ્યાર્થી તેનો લાભ લઈ શકશે.કેમ લેવો પડ્યો આ નિર્ણય?તાજેતરમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ફ્રાન્સમાં લગભગ ૪૮ ટકા વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે ભોજન છોડી દે છે અથવા ઓછું જમે છે. ૨૩ ટકા વિદ્યાર્થીઓ તો મહિનામાં ઘણીવાર ભૂખ્યા પેટે સુઈ જાય છે. આ ગંભીર સ્થિતિને જોતા વિદ્યાર્થી સંગઠનોએ લાંબા સમયથી સસ્તા ભોજનની માંગ કરી હતી, જેનો સરકારે સ્વીકાર કર્યો છે.ભોજનમાં શું મળશે?આ ૧ યુરોની યોજના હેઠળ વિદ્યાર્થીઓને 'થ્રી-કોર્સ મીલ' આપવામાં આવશે. જેમાં સ્ટાર્ટર, મેઈન કોર્સ અને ડેઝર્ટ (મીઠાઈ) નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ભોજનની કિંમત ૩.૩૦ યુરો હોય છે, પરંતુ હવે તે અડધાથી પણ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. પેરિસમાં ભણતા ૧૮ વર્ષના વિદ્યાર્થી એલેક્ઝાન્ડ્રે જણાવ્યું કે, "હું મહિનામાં ૨૦ વાર કેન્ટીનમાં જમું છું, અત્યાર સુધી મારે ૬૦ યુરો ખર્ચવા પડતા હતા, હવે મારો ખર્ચ માત્ર ૨૦ યુરો થઈ જશે. આ બચત મને અન્ય ખર્ચમાં મદદરૂપ થશે."સરકારનું ૧૨૦ મિલિયન યુરોનું બજેટફ્રાન્સના ઉચ્ચ શિક્ષણ મંત્રી ફિલિપ બેટિસ્ટે આ યોજનાને 'નાની આંતરિક ક્રાંતિ' ગણાવી છે. તેમણે ખાતરી આપી છે કે ૨૦૨૭ સુધીમાં આ યોજના માટે સરકાર ૧૨૦ મિલિયન યુરો નું રોકાણ કરશે. સરકારે એ વાતનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે કે ભોજનની કિંમત ઘટવાથી તેની ગુણવત્તામાં કોઈ ઘટાડો ન થાય અને કેન્ટીન સ્ટાફ પર કામનું ભારણ પણ મર્યાદિત રહે.વર્ષ ૨૦૨૪માં લગભગ ૬.૬૭ લાખ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો, પરંતુ હવે તે તમામ માટે ખુલ્લી મુકાતા આ સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
56 shares
😐
A
Akila News
May 5, 2026, 03:14 PM
શ્રી જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમે 7 દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કર્યું

શ્રી જીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમે 7 દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કર્યું

રાજકોટ : અમરેલી જીલ્લાના ધારીમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી જીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમમાં અધિક (પુરુષોત્તમ) માસમાં ધારી ગામ સમસ્‍તના સહકારથી તા.૨૧ થી ૨૭ સુધી સામૂહિક ૫૧ પોથીજી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરેલ છે. જેમાં વક્‍તાપદે ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર શાષાી ડો. કળષ્‍ણકુમાર મહેતા (એમ.એસ.સી., એમ.એડ., પી.એચ.ડી.) સંગીતમય શૈલીમાં અધ્‍યાત્‍મ અને વિજ્ઞાનનો સમન્‍વય કરીને ભાગવતજીના રહસ્‍યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશે. જેમાં મુખ્‍ય યજમાનપદે શ્રીમતી કાંતાબેન મનસુખલાલ રૂડાણી, શ્રીમતી ઉર્વશીબેન વિપુલભાઈ રૂડાણી પૂજાવિધિનો લ્‍હાવો લેશે. કથામાં વરાહનારાયણ, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, નળસિંહપ્રાકટય,વામનજન્‍મ, રામજન્‍મ, વેશભૂષા સાથે કળષ્‍ણજન્‍મラભવ્‍ય નંદમહોત્‍સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્‍સવ, ગોપીગીત, રુકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે. તા.૨૭ના કથાની પૂર્ણાહુતિ થશે. કથાશ્રવણનો સમય પ્રતિદિન સવારે ૮ થી ૧૧:૩૦નો રહેશે. કથા દરમ્‍યાન સંતો-મહંતોના આશીર્વચન, નિઃશુલ્‍કનિદાન-સારવાર કેમ્‍પ, વ્‍યસનમુક્‍તિ કેમ્‍પ, વળક્ષારોપણ, જળસંચય અભિયાન, રાત્રીભજન વગેરે કાર્યક્રમ યોજાશે. પૂ. શ્રી ગિરધરબાપા અને પૂ.શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ પાવન સ્‍થળે પવિત્ર પુરુષોત્તમ માસમાં આયોજિત આ કલ્‍યાણકારી સામૂહિક ભાગવત કથામાં પાટલા-પોથીજીના યજમાન, કથાના વિવિધ પ્રસંગોના યજમાન તથા દાતાઓ નોંધાય છે. જેને માટે હિંમતભાઈ સેવક મો. ૯૫૩૭૩૪૬૫૮૨, ૯૮૯૮૩૧૮૨૮૬ નો સંપર્ક કરવો. આ ભાગવત સપ્તાહમાં નબાપરાના તથા ધારીના અગ્રણીઓનો સાથ સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે તેમ જીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમની યાદીમાં જણાવાયું છે.
95 shares
😐
A
Akila News
May 5, 2026, 03:07 PM
અમિતાભ બચ્ચનની અસામાન્ય પ્રતિક્રિયાઃ શા માટે તેમના પગને સ્પર્શ કરવો એ ના-ના છે

અમિતાભ બચ્ચનની અસામાન્ય પ્રતિક્રિયાઃ શા માટે તેમના પગને સ્પર્શ કરવો એ ના-ના છે

મુંબઈ: હિન્દી સિનેમાના માંધાતા અમિતાભ બચ્ચન માત્ર તેમની એક્ટિંગ જ નહીં, પણ તેમના શિસ્ત અને વ્યવહાર માટે પણ જાણીતા છે. સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિમાં આપણે વડીલોના આદર માટે તેમના ચરણસ્પર્શ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે જો સેટ પર કોઈ કલાકાર અમિતાભ બચ્ચનના પગે લાગે તો તેઓ ખરાબ રીતે ચિઢાઈ જાય છે? તાજેતરમાં તેમની આગામી ફિલ્મ 'સેક્શન 84' ના કો-સ્ટાર અભિષેક બેનર્જીએ આ પાછળનું એક ખૂબ જ પ્રેરણાદાયી કારણ જણાવ્યું છે.જ્યારે અભિષેક બેનર્જી પગે લાગીને ફસાયાઅભિષેક બેનર્જીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે તે પ્રથમ વખત સેટ પર બિગ બીને મળ્યો ત્યારે તે ખૂબ જ નર્વસ હતો. આટલા મોટા લેજન્ડ સાથે કામ કરવાનું હોવાથી આદત મુજબ તે અમિતાભ બચ્ચનના ચરણસ્પર્શ કરવા માટે નીચે નમ્યો. પરંતુ જેવું તે નમ્યો કે તરત જ અમિતાભ બચ્ચન નારાજ થઈ ગયા અને બોલ્યા, "આ શું કરી રહ્યો છે? તું આવું કેમ કરે છે?" અભિષેક આ જોઈને ગભરાઈ ગયો અને મુંઝવણમાં મુકાઈ ગયો.નારાજગી પાછળનું ઊંડું કારણજ્યારે ફિલ્મના ડિરેક્ટર રિભુ દાસગુપ્તાએ અભિષેકને સમજાવ્યું ત્યારે તેને અસલી વાત સમજાઈ. અમિતાભ બચ્ચનનું માનવું છે કે:• સમાનતાનો ભાવ: જે ક્ષણે તમે કોઈના પગે લાગો છો, તે જ ક્ષણે તમે તેને તમારાથી શ્રેષ્ઠ (સુપીરિયર) બનાવી દો છો.• પરફોર્મન્સ પર અસર: જો તમે તેમને ભગવાન કે સુપરસ્ટાર માની લેશો, તો તમે તેમની સાથે એક કો-એક્ટર તરીકે મુક્તપણે કામ નહીં કરી શકો. તમે નર્વસ રહેશો અને કદાચ સારું પરફોર્મન્સ નહીં આપી શકો.• વ્યાવસાયિક અભિગમ: બિગ બી ઈચ્છે છે કે સેટ પર દરેક વ્યક્તિ તેમને એક કલીગ અથવા કો-વર્કર તરીકે જુએ, જેથી કામમાં શ્રેષ્ઠ પરિણામ મળે.ઈગો વગરના સુપરસ્ટારડિરેક્ટરે વધુમાં ઉમેર્યું કે અમિતાભ બચ્ચનમાં લેશમાત્ર અહંકાર નથી. તેઓ ઈચ્છે છે કે સામેનો કલાકાર ગભરાયા વગર તેમની આંખમાં આંખ મિલાવીને એક્ટિંગ કરે. આ જ તેમનું અસલી પ્રોફેશનલિઝમ છે. ૮૦ વર્ષથી વધુની ઉંમરે પણ તેઓ પોતાની જાતને માત્ર એક કલાકાર માને છે અને સેટ પર શિસ્ત જાળવી રાખે છે.ટૂંક સમયમાં રિલીઝ થનારી 'સેક્શન 84' માં અમિતાભ બચ્ચન સાથે અભિષેક બેનર્જી ઉપરાંત ડાયના પેન્ટી અને નિમરત કૌર પણ જોવા મળશે.
80 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:56 PM
પુરુષોના જૂથે રાજકોટ નિવાસી પર હુમલો કર્યો

પુરુષોના જૂથે રાજકોટ નિવાસી પર હુમલો કર્યો

રાજકોટ તા.૫: જામનગર રોડ પર બજરંગવાડી પાસે પુનિતનગરમાં રહેતાં મીનાબેન જગદીશભાઇ જાદવ (ઉ.વ.૪૩) પર રાતે સાડા દસેક વાગ્‍યે ઘરમાં ઘુસી નીતીન સહિતના શખ્‍સોએ હુમલો કરી ધોકા-છરીથી હુમલો કરતાં ઇજા થતાં સારવાર માટે દાખલ થયા છે. વ્‍યાજની ઉઘરાણી માટે હુમલો થયાનો આક્ષેપ તેણીને કર્યો હતો. મીનાબેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. તેણીએ કહ્યું હતું કે મારે સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પતિ જગદીશભાઇ ઠાકરશીભાઇ જાદવ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. અમારે પૈસાની જરૂર પડતાં દિકરાના સાઢુના પરિચીત મારફત નિતીનભાઇ પાસેથી રૂા. ૫૦ હજાર ૧૦ ટકા વ્‍યાજે લીધા હતાં. જેની સામે મેં મારુ ટુવ્‍હીલર ગીરવે રાખ્‍યુ હતું. ગયા અઠવાડીએ મેં ૫૦ હજાર ચુકવી લઇ વાહન છોડાવી લીધુ હતું. વ્‍યાજના વીસ હજાર દેવાના બાકી હોઇ આ રકમની ઉઘરાણી કરવા ઘરે આવી હુમલો કરાયો હતો. મારા પતિ પર હુમલો થતાં હું વચ્‍ચે પડતાં મને ઇજા પહોંચાડાઇ હતી. તેમ વધુમાં તેણીએ કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
31 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:49 PM
ઈરફાન ખાન અને વિદ્યા બાલનની 26 વર્ષ જૂની ટૂંકી ફિલ્મ'ધ લાસ્ટ ટેનન્ટ'યુટ્યુબ પર રિલીઝ થઈ

ઈરફાન ખાન અને વિદ્યા બાલનની 26 વર્ષ જૂની ટૂંકી ફિલ્મ'ધ લાસ્ટ ટેનન્ટ'યુટ્યુબ પર રિલીઝ થઈ

મુંબઈ: સિનેમા જગતના બે દિગ્ગજ કલાકારો ઈરફાન ખાન અને વિદ્યા બાલનને એકસાથે સ્ક્રીન પર જોવાનું સપનું હવે પૂરું થયું છે. વર્ષ ૨૦૦૦માં શૂટ થયેલી અને છેલ્લા ૨૬ વર્ષથી અટવાયેલી ફિલ્મ 'ધ લાસ્ટ ટેનન્ટ' (The Last Tenant) આખરે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ એવા સમયે બની હતી જ્યારે ઈરફાન ખાન વૈશ્વિક સ્ટાર બન્યા નહોતા અને વિદ્યા બાલન 'હમ પાંચ' સિરિયલ દ્વારા ઘરે-ઘરે જાણીતી બની રહી હતી.ખોવાયેલું સપનું ફરી જીવંત થયુંઆ ૪૩ મિનિટની ટૂંકી ફિલ્મનું નિર્દેશન સાર્થક દાસગુપ્તાએ કર્યું છે. દાયકાઓ સુધી આ ફિલ્મનું ફૂટેજ ખોવાઈ ગયું હતું, જેના કારણે તે ક્યારેય રિલીઝ થઈ શકી નહોતી. જોકે, તાજેતરમાં જ ડિરેક્ટરને આ ફિલ્મની એક જૂની VHS કોપી મળી આવી હતી. ૨૯ એપ્રિલે ઈરફાન ખાનની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે 'ધ સોલ્ટ ઇન્ક' (The Salt Inc) ના યુટ્યુબ પેજ પર તેને શ્રદ્ધાંજલિ રૂપે અપલોડ કરવામાં આવી છે.વિદ્યા બાલન માટે ભાવુક ક્ષણફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત કરતા વિદ્યા બાલને જણાવ્યું કે, "આ જોવું ખૂબ જ અદભૂત છે. તે સમયે હું મારી ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. ઈરફાન સાથે કામ કરવું ત્યારે પણ ખાસ હતું અને આજે પણ છે, કારણ કે આ એકમાત્ર ફિલ્મ છે જેમાં અમે સાથે કામ કર્યું છે. આ ફિલ્મ મને મારી શરૂઆતના દિવસોની યાદ અપાવે છે."બજેટ વગરની જાદુઈ ફિલ્મડિરેક્ટર સાર્થક દાસગુપ્તાએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૦માં કોઈ બજેટ કે ગેરંટી વગર માત્ર એક વિઝન સાથે આ ફિલ્મ બનાવવામાં આવી હતી. તે સમયે કોઈને ખબર નહોતી કે આ બે કલાકારો ભવિષ્યમાં ભારતીય સિનેમાના પાયાના પથ્થર બનશે. ઈરફાન ખાનનું વર્ષ ૨૦૨૦માં કેન્સર સામેની જંગ બાદ નિધન થયું હતું, ત્યારે આ અપ્રકાશિત ફિલ્મ તેમના ચાહકો માટે કોઈ મોટી ભેટથી ઓછી નથી.આ ફિલ્મ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે સિનેમા પ્રેમીઓને ૨૦૦૦ના દાયકાની સાદગી અને ઈરફાન-વિદ્યાની પ્રારંભિક કલાનો અનુભવ કરાવી રહી છે.
59 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 02:41 PM
ગુજરાત માહિતી પંચની કામગીરીમાં સુધારો કરવા બદલ રાજ્યપાલ દ્વારા પ્રશંસા

ગુજરાત માહિતી પંચની કામગીરીમાં સુધારો કરવા બદલ રાજ્યપાલ દ્વારા પ્રશંસા

ગાંધીનગર, તા. 5 : ગુજરાત માહિતી આયોગની ઉત્કૃષ્ટ કામગીરીને આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બિરદાવી છે. રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીની આગેવાની હેઠળ આયોગના સર્વ કમિશનરશ્રીઓ શ્રી સુબ્રમણ્યમ ઐયર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, વિપુલ રાવલ, ભરત ગણાત્રા અને આયોગના અધિકારીઓએ તા. 04/05/2026ના રોજ લોકભવન ખાતે રાજ્યપાલ મહોદયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન માનનીય રાજ્ય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ જણાવ્યું હતું કે તેમની નિયુક્તિ સમયે પડતર અપીલોની સુનાવણી 14 મહિના પછી કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને હવે માત્ર 30 દિવસમાં જ અપીલ/ફરિયાદની સુનાવણી કરવામાં આવી રહી છે.
61 shares
😊
Akila News logo
Akila News
May 5, 2026, 02:40 PM
ચંદીગઢ એરપોર્ટ પર ફ્યુઅલ બેંકમાં લાગેલી આગ બાદ ઇન્ડિગોની ફ્લાઈટને તાત્કાલિક બહાર કાઢવામાં આવી

ચંદીગઢ એરપોર્ટ પર ફ્યુઅલ બેંકમાં લાગેલી આગ બાદ ઇન્ડિગોની ફ્લાઈટને તાત્કાલિક બહાર કાઢવામાં આવી

ચંડીગઢ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઈટમાં ઇમરજન્સી ઇવેક્યુએશન : પાવર બેંકમાં આગ લાગતા મુસાફરોને સ્લાઇડ્સ દ્વારા બહાર કઢાયા : હૈદરાબાદ - ચંડીગઢ ફ્લાઈટના લેન્ડિંગ બાદ સર્જાયેલી દુર્ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત : આગની ઘટનાને પગલે એરપોર્ટ પર દોડધામ મચી : સદનસીબે મોટી જાનહાનિ ટળી (ન્યૂઝફર્સ્ટ)
54 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:38 PM
સ્વામીનારાયણ સાધુઓમાં પારિવારિક સંબંધોને લઈને વાયરલ વીડિયોએ મચાવી ચર્ચા

સ્વામીનારાયણ સાધુઓમાં પારિવારિક સંબંધોને લઈને વાયરલ વીડિયોએ મચાવી ચર્ચા

અમદાવાદ તા.૫: સ્‍વામિનારાયણ સાધુનો વધુ એક લવારો સામે આવ્‍યો છે. ગણપતિ અને ઘનશ્‍યામ મહારાજ માસિયાઈ ભાઈ થાય તેવા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. સ્‍વામિનારાયણના સાધુનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, દક્ષ પ્રજાપતિની ૧૩ દીકરીઓના લગ્ન ધર્મદેવ સાથે થયા હતા અને એક પુત્રીના લગ્ન ભગવાન ભોળાનાથ સાથે થયા હતા. આ તર્કના આધારે તેમણે દાવો કર્યો કે, ભક્‍તિ દેવી અને માતા ભવાની સગી બહેનો થાય. જો તેઓ સગી બહેનો હોય તો તેમના સંતાનો એટલે કે ગણપતિ અને ઘનશ્‍યામ મહારાજ બંને સગા માસિયાઈ ભાઈ થાય. સાધુ સમાજમાં એવી પણ ચર્ચા છે કે જો સમયાંતરે આવા નિવેદનો અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સનાતન ધર્મના સંતો દ્વારા ઉગ્ર આંદોલન અથવા કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે. જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્‍દ્રભારતી બાપુએ નારાજગી વ્‍યકત કરી કહ્યું કે, આમને બુદ્ધિ જેવું છે કે નહીં ? ઘનશ્‍યામ મહારાજ ૨૦૦ વર્ષથી છે જ્‍યારે ગણપતિ તો અનાદિકાળથી છે. અનાદિ દેવને અર્વાચીન સમયના સંત સાથે માસિયાઈ ભાઈ તરીકે સરખાવવા તે અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે
41 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 02:24 PM
વડોદરામાં પિકનિક દરમિયાન બે યુવાનો મહિસાગર નદીમાં ડૂબી ગયા

વડોદરામાં પિકનિક દરમિયાન બે યુવાનો મહિસાગર નદીમાં ડૂબી ગયા

વડોદરા:રજાના દિવસે મિત્રો સાથે પિકનિક મનાવવા ગયેલા યુવકો માટે મહીસાગર નદીનો કિનારો કાળ સાબિત થયો છે. વડોદરા નજીક આવેલા જાણીતા પ્રવાસન સ્થળ કોટના બીચ પર નહાવા પડેલા નવ મિત્રો પૈકી બે યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રજાનો દિવસ હોવાથી નવ મિત્રોનું એક જૂથ વડોદરા પાસે મહીસાગર નદીના કિનારે આવેલા કોટના બીચ પર ફરવા માટે ગયું હતું. ગરમીથી રાહત મેળવવા અને રજાનો આનંદ માણવા માટે આ યુવકો નદીના પાણીમાં નહાવા માટે પડ્યા હતા. પ્રારંભમાં વાતાવરણ ખુશનુમા હતું, પરંતુ અચાનક નદીના પ્રવાહમાં પાંચ મિત્રો તણાવા લાગ્યા હતા. નદીમાં નહાતી વખતે પાણીના વહેણનો અંદાજ ન આવતા પાંચ યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. પોતાના મિત્રોને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી મૂકતા કિનારે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રવાહ એટલો તેજ હતો કે યુવકો પોતાનો બચાવ કરી શક્યા નહોતા.
50 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 02:15 PM
ગુજરાતની એસ્ટેટ મેનેજમેન્ટ યોજના નાગરિકો માટે મિલકત સંબંધિત કાર્યોને સરળ બનાવે છે

ગુજરાતની એસ્ટેટ મેનેજમેન્ટ યોજના નાગરિકો માટે મિલકત સંબંધિત કાર્યોને સરળ બનાવે છે

ગાંધીનગર, તા.૦૫: ગુજરાતના શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે મિલકત સાથે જોડાયેલા કામો હવે વધુ સરળ અને ઝડપી બનવા જઈ રહ્યા છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 'એસ્ટેટ મેનેજમેન્ટ યોજના' (Estate Management Scheme) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ મિલકત ધારકોને પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત સેવાઓ ડિજિટલ માધ્યમથી પૂરી પાડવાનો છે.શું છે આ યોજના અને તેના ફાયદા?અત્યાર સુધી મિલકતની નોંધણી કે તેના ભાડા સંબંધિત કામો માટે નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકાની કચેરીઓના અનેક ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે આ યોજના હેઠળ તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવી છે:• ઓનલાઇન રજીસ્ટ્રેશન: મિલકત ધારકો કોઈપણ સમયે ઘરે બેઠા પોતાની એસ્ટેટની નોંધણી કરાવી શકશે.• ભાડાની ચુકવણી: સરકારી એસ્ટેટનું ભાડું ચૂકવવા માટે હવે બેંકો કે કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું નહીં પડે, તે માટે ઓનલાઇન પેમેન્ટ ગેટવેની સુવિધા અપાઈ છે.• ઝડપી પ્રક્રિયા: ઓનલાઇન પ્લેટફોર્મને કારણે કામકાજમાં ઝડપ આવશે અને માનવીય ભૂલોની શક્યતા ઘટશે.કોણ લઈ શકે છે લાભ?આ યોજનાનો વ્યાપ ખૂબ જ મોટો છે અને તેના માપદંડ સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા છે:• પાત્રતા: કોઈપણ જાતિ, વ્યવસાય કે શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.• આવક મર્યાદા: આ યોજનાનો લાભ લેવા માટે કોઈ લઘુત્તમ કે મહત્તમ આવક મર્યાદા રાખવામાં આવી નથી.• વિસ્તાર: મુખ્યત્વે ગુજરાતના તમામ શહેરી વિસ્તારો (નગરપાલિકા અને મહાનગરપાલિકા) માં આ યોજના લાગુ પડશે.અરજી કેવી રીતે કરવી અને કયા દસ્તાવેજો જોઈએ?અરજદારે આ યોજનાનો લાભ લેવા માટે ક્યાંય ફોર્મ લેવા જવાની જરૂર નથી.1. પોર્ટલ: સૌથી પહેલા enagar.gujarat.gov.in પર લોગ-ઈન કરો.2. દસ્તાવેજ: અરજી વખતે માત્ર 'આધાર કાર્ડ' સ્કેન કરીને અપલોડ કરવું અનિવાર્ય છે.3. ફી: ઓનલાઇન ફોર્મ ભરવા માટે કોઈ ચાર્જ (0 રૂપિયા) ચૂકવવો પડતો નથી, જોકે જે-તે સેવા માટેનું નિયત સરકારી શુલ્ક ઓનલાઇન ભરવાનું રહેશે.જો તમે પણ શહેરી વિસ્તારમાં મિલકત ધરાવો છો, તો આ ડિજિટલ સુવિધાનો લાભ લઈ સમય અને શક્તિ બચાવી શકો છો. વધુ માહિતી માટે વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા જણાવાયું છે.
100 shares
😐
A
Akila News
May 5, 2026, 02:06 PM
કરણ જોહરે ભારતીય સાંસ્કૃતિક પ્રેરણા સાથે મેટ ગાલા 2026 માં અદભૂત પદાર્પણ કર્યું

કરણ જોહરે ભારતીય સાંસ્કૃતિક પ્રેરણા સાથે મેટ ગાલા 2026 માં અદભૂત પદાર્પણ કર્યું

મુંબઈ, તા.૦૫: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઈવેન્ટ 'મેટ ગાલા 2026'માં આ વખતે બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર કરણ જોહરે પોતાના અનોખા અંદાજથી સૌના દિલ જીતી લીધા છે. મેટ ગાલાના રેડ કાર્પેટ પર પ્રથમવાર પદાર્પણ કરી રહેલા કરણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સંસ્કૃતિ અને કલાનો જે રીતે પરિચય કરાવ્યો, તેની અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.રાજા રવિ વર્માની કલાનું પ્રતિબિંબઆ વર્ષની મેટ ગાલાની થીમ "કોસ્ચ્યુમ આર્ટ" (Costume Art) હતી. કરણ જોહરે આ થીમને સાર્થક કરવા માટે ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માના પેઈન્ટિંગ્સમાંથી પ્રેરણા લીધી હતી. કરણે જણાવ્યું હતું કે, જેમ રાજા રવિ વર્મા પોતાના ચિત્રોમાં લાગણીઓને જીવંત કરતા હતા, તેમ તે પોતે પણ પોતાની ફિલ્મોમાં લાગણીઓને મહત્વ આપે છે. આથી જ તેણે પોતાના આઉટફિટ માટે આ થીમ પસંદ કરી હતી.મનીષ મલ્હોત્રાનો કલાત્મક જાદુકરણનો આ અદભૂત લુક તેના ખાસ મિત્ર અને જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તૈયાર કર્યો હતો. આ માત્ર એક ડ્રેસ નહોતો, પણ એક કલાકૃતિ હતી:• મહેનત અને સમય: આ ડ્રેસને તૈયાર કરવામાં કારીગરોએ ૫,૬૦૦ કલાક જેટલો સમય આપ્યો હતો અને તે ૮૬ દિવસમાં બનીને તૈયાર થયો હતો.• હસ્તકલા: ડ્રેસ પર કોઈ પણ પ્રકારનું ડિજિટલ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું નહોતું. એકેએક વિગત એક્રેલિક અને ઓઈલ કલરથી હાથેથી પેઈન્ટ કરવામાં આવી હતી.• વિશેષ આકર્ષણ: ડ્રેસમાં ઝરદોશી બોર્ડર, કમળ અને હંસના પ્રતીકો તેમજ થ્રી-ડી પિલર્સ બનાવવામાં આવ્યા હતા, જે તેને એક મ્યુઝિયમમાં રાખેલા પેઈન્ટિંગ જેવો લુક આપતા હતા.ભારતીય વારસાનું ગૌરવકરણ જોહરે રેડ કાર્પેટ પર બ્લેક પેન્ટ અને સનગ્લાસ સાથે આ હેન્ડ-પેઈન્ટેડ કેપ પહેરીને જ્યારે એન્ટ્રી કરી ત્યારે લોકો જોતા જ રહી ગયા હતા. કરણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "હું ડિઝાઇનર માટે એક કેનવાસ સમાન હતો." તેણે કોઈ પણ શોર્ટકટ લીધા વગર શુદ્ધ ભારતીય કારીગરીને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.મેટ ગાલાના ઈતિહાસમાં કરણ જોહરનો આ દેખાવ ભારતીય ફેશન જગત માટે એક ગૌરવશાળી ક્ષણ સમાન છે. કરણે સાબિત કરી દીધું કે ભારતીય પરંપરા અને આધુનિક ફેશન જ્યારે મળે છે ત્યારે તે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.
25 shares
😊
A
Akila News
May 5, 2026, 02:00 PM
ભાવનગરમાં ગંજી-ચડ્ડા પહેરવાને લઈને વિચિત્ર ઝઘડો થયો

ભાવનગરમાં ગંજી-ચડ્ડા પહેરવાને લઈને વિચિત્ર ઝઘડો થયો

રાજકોટ તા. ૫: શહેરના ભાવનગર મનહરપરા વિસ્‍તારમાં એક વિચીત્ર વાતે મારામારી થઇ છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં બફારો થતો હોઇ એક યુવાન પોતાના ઘર પાસે ગંજી-ચડ્ડો પહેરેીને બેઠો હોઇ આ વાત પાડોશીને ન ગમતાં તેના પર હુમલો કરી પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડી માથે જતાં મારી નાખવાની ધમકી અપાતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં થોરાળા પોલીસે મનહરપરા શેરી નં. ૭ હનુમાનજીના મંદિર પાસે રહેતાં સુરેશભાઇ હરિભાઇ બાબરીયા (ઉ.વ. ૩૮)ની ફરિયાદ પરથી તેના જ પાડોશી સોહિલ ઉર્ફે બંદૂક મહેબુબભાઇ મુલતાની વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. સુરેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે સવારે આશરે સાડા નવેક વાગ્‍યે તેઓ પોતાના ઘર પાસે શેરીમાં હતાં. અસહ્ય ગરમી અને ગભરામણની તકલીફ હોવાને કારણે તેણે શરીર ગંજી અને ચડ્ડો પહેરેલો હતો. આ દરમિયાન તેની જ શેરીમાં રહેતો સોહિલ ઉર્ફે બંદૂક મુલતાની ત્‍યાં આવ્‍યો હતો અને‘તમે અહીં શેરીમાં કેમ ગંજી અને ચડ્ડો પહેરીને બેસો છો?'તેમ કહેતાં સુરેશભાઈએ મારે ગભરામણની સમસ્‍યા છે તેથી આવા કપડા પહેર્યા છે તેવો જવાબ આપતાં સોહિલ ઉશ્‍કેરાઇ ગયો હતો અને અને ગાળાગાળી કરવા લાગ્‍યો હતો. આથી સુરેશભાઇએ તેને ગાળો બોલવાની ના પાડતા સોહિલ મુલતાની વધુ ઉશ્‍કેરાયો હતો અને તેની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારવા માંડયો હતો. ઉશ્‍કેરાટમાં આવી સોહિલે શેરીમાં પડેલો પથ્‍થર ઉપાડી સુરેશભાઈના કપાળના ભાગે છુટ્ટો માર્યો હતો. પથ્‍થર વાગતા જ સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્‍યા હતા. આ પછી પણ તેણે ઘમકી આપી હતી કે-આ વિસ્‍તાર મુકી દેજો,નહિતર જાનથી હાથ ધોઈ બેસશો. ઝપાઝપીમાં સુરેશભાઇએ ગળામાં પહેરેલી મહાકાલના પેન્‍ડલવાળો સોનાનો ચેઇન તૂટી ગયો હતો. બાદ પાડોશી ભાનુબેનને ચેઈનનો એક ટુકડો પેન્‍ડલ સાથે મળી આવ્‍યો હતો જે તેમણે સુરેશભાઈના પત્‍નિ કાજલબેનને સોંપ્‍યો હતો. પણ ચેઈનનો બીજો ટુકડો રૂા. ૪૦,૦૦૦ની કિંમતનો મળ્‍યો નહોતો.
33 shares
😢
A
Akila News
May 5, 2026, 01:54 PM
સુરતનો શિરસ્તેદાર લાંચ લેતા પકડાયો, ACBએ તપાસ શરૂ કરી

સુરતનો શિરસ્તેદાર લાંચ લેતા પકડાયો, ACBએ તપાસ શરૂ કરી

સુરત:સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સીટી સર્વે કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એસીબી (લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો) દ્વારા શિરેસ્તેદાર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ બાલુભાઇ પાંડવને ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા છે. સરકારી કામકાજ માટે લાંચ માંગતા કર્મચારીઓ સામે એસીબીએ લાલ આંખ કરતા અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું હતી સમગ્ર ઘટના? આ કેસની વિગત મુજબ,ફરીયાદીના અસીલની મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે ત્રણ અલગ-અલગ અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓની નોંધો પ્રમાણિત કરવાના બદલામાં સીટી સર્વે કચેરીના શિરેસ્તેદાર (વર્ગ-૩) નિલેશભાઈ પાંડવે એક અરજી દીઠ ૧૦૦૦ રૂપિયા લેખે કુલ ૩૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક એવા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એસીબીનું સફળ ટ્રેપ ઓપરેશન
13 shares
😢
A
Akila News
May 5, 2026, 01:51 PM
રાજકોટ રેપિડો ડ્રાઇવર્સ યુનિયને શોષણના આક્ષેપો વચ્ચે વાજબી વળતર અને ભાડાના દરની માંગ કરી

રાજકોટ રેપિડો ડ્રાઇવર્સ યુનિયને શોષણના આક્ષેપો વચ્ચે વાજબી વળતર અને ભાડાના દરની માંગ કરી

રાજકોટઃ શહેરના રસ્‍તાઓ પર દોડતી રેપિડો બાઇક ટેક્‍સીના ડ્રાઇવરોએ હવે કંપનીની‘શોષણખોરી' સામે આરપારની લડાઈના મંડાણ કર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને ભાડાના દરમાં થઈ રહેલા અન્‍યાય મુદ્દે આજે રાજકોટ રેપિડો ડ્રાઇવર યુનિયન દ્વારા આક્રમક વલણ અપનાવી કંપનીને સ્‍પષ્ટ શબ્‍દોમાં અલ્‍ટીમેટમ આપી દેવામાં આવ્‍યું છે. જો આજદીન સુધીમાં ડ્રાઇવરોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો સમગ્ર શહેરમાં રેપિડોની સેવાઓ સંપૂર્ણપણે ઠપ કરવાની અને ભવ્‍ય વિરોધ રેલી કાઢવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે. ડ્રાઇવર યુનિયનના જણાવ્‍યા અનુસાર, કંપની દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડાના દરોમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. ડ્રાઇવરોનો આરોપ છે કે જે સેવામાં ડ્રાઇવરને યોગ્‍ય વળતર મળવું જોઈએ, ત્‍યાં માત્ર નજીવી રકમ પધરાવી દેવામાં આવે છે, જ્‍યારે ખરેખર ન્‍યાયી દર રૂા.૧૨આસપાસ હોવો જોઈએ. મોંઘવારીના આ જમાનામાં પેટ્રોલના ભાવ અને મેન્‍ટેનન્‍સ સામે કંપની દ્વારા અપાતું વળતર અપૂરતું હોવાથી ડ્રાઇવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે યોજાયેલી બેઠકમાં ડ્રાઇવરોએ બેનરો સાથે સૂત્રોચ્‍ચાર કર્યા હતા અને પોતાની એકતા પ્રદર્શિત કરી હતી. યુનિયને જાહેર કર્યું છે કે કંપની પાસે માંગણીઓ સ્‍વીકારવા માટે ૫ તારીખ સુધીનો જ સમય છે જો ડેડલાઇન સુધીમાં ભાવ વધારો નહીં થાય, તો તમામ ડ્રાઇવરો એપ લોગ-આઉટ કરી કામગીરી બંધ કરી દેશે. જવાબદારી કંપનીનીઃ આ આંદોલન દરમિયાન જો કોઈ કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સર્જાય કે મુસાફરોને હાલાકી પડે, તો તેની સંપૂર્ણ જવાબદારી રેપિડો કંપનીના મેનેજમેન્‍ટની રહેશે.
24 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 01:26 PM
ભારતીય ઝૂંપડપટ્ટીમાં માતાના મૃત્યુ પછી મૂક યુવકે આત્મહત્યા કરી

ભારતીય ઝૂંપડપટ્ટીમાં માતાના મૃત્યુ પછી મૂક યુવકે આત્મહત્યા કરી

રાજકોટ તા. ૫: રૈયાધારમાં શાંતિનગરના ગેઇટ પાસે સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં મુકબધીર યુવાન વિશાલ મુળજીભાઇ વરણ (ઉ.વ.૨૪)એ એંગલમાં રૂમાલ બાંધી ગાળફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના એએઅસાઇ મુકેશભાઇ ચરમટા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિશાલ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે અને તેના પિતા બંને મુકબધીર છે. બહેનના લગ્ન થઇ ગયા છે. વિશાલનો અન્‍ય એક ભાઇ અલગ રહે છે. પોતે પિતા સાથે રહેતો હતો અને કડીયા કામ કરતો હતો. બે મહિના પહેલા વિશાલના માતાનું અવસાન થયું હોઇ ત્‍યારથી તે સતત ગુમસુમ રહેતો હતો. માતાના વિયોગમાં તેણે પગલુ ભર્યાનું બહાર આવ્‍યું હતું.
99 shares
😢
S
Sandesh
May 5, 2026, 01:25 PM
એપ્રિલ 2026માં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધીને 22,677 યુનિટ થયું

એપ્રિલ 2026માં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધીને 22,677 યુનિટ થયું

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નું માર્કેટ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. એપ્રિલ 2026ના વેચાણના આંકડા દર્શાવે છે કે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને ઓછી રનિંગ કોસ્ટને કારણે ગ્રાહકો હવે ઇલેક્ટ્રિક કાર તરફ વળી રહ્યા છે. આ સેગમેન્ટમાં ટાટા મોટર્સ હજુ પણ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહી છે, જ્યારે અન્ય દેશી-વિદેશી કંપનીઓ પણ ભારતીય બજારમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલ 2026માં ભારતમાં કુલ 22,677 ઇલેક્ટ્રિક કારોનું વેચાણ થયું છે. જોકે માર્ચ 2026માં થયેલા 23,097 યુનિટ્સના વેચાણની સરખામણીએ એપ્રિલમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ એકંદર આંકડા પ્રોત્સાહક છે. વર્ષની શરૂઆતથી જોઈએ તો, જાન્યુઆરીમાં 18,851 અને ફેબ્રુઆરીમાં 14,438 યુનિટ્સ વેચાયા હતા, જે સાબિત કરે છે કે EVની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ટાટા મોટર્સે એપ્રિલ 2026માં પણ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. કંપનીએ આ મહિને કુલ 8,507 ઇલેક્ટ્રિક કાર્સ વેચી છે. ટાટાની આ સફળતા પાછળ તેની લોકપ્રિય કાર 'નેક્સન EV' અને 'પંચ EV'નો મોટો ફાળો રહ્યો છે. આધુનિક ફીચર્સ અને ગ્રાહકોના બજેટમાં ફિટ બેસતી કિંમતોને કારણે ટાટા સતત માર્કેટમાં ટોચ પર બની રહી છે. ટાટા પછી બીજા ક્રમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રહી છે. મહિન્દ્રાએ એપ્રિલમાં 5,394 યુનિટ્સ વેચીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. તો બીજી તરફ, MG મોટર ઇન્ડિયા પણ બહુ પાછળ નથી. MGએ 4,978 ઇલેક્ટ્રિક કાર્સ વેચીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. MGની પ્રીમિયમ ફીચર્સ ધરાવતી કારો ભારતીય ગ્રાહકોને ધીરે ધીરે આકર્ષી રહી છે. વિયેતનામની જાણીતી કંપની VinFast, જેણે હાલમાં જ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે, તેણે એપ્રિલમાં 1,231 કાર વેચીને સારી શરૂઆત કરી છે. મારુતિ સુઝુકી 1,222 યુનિટ્સ સાથે પાંચમા ક્રમે રહી છે. અન્ય કંપનીઓની વાત કરીએ તો, હ્યુન્ડાઈએ 512, BYDએ 467 અને કિઆ (Kia) એ 321 યુનિટ્સનું વેચાણ કર્યું છે. બાકીની નાની કંપનીઓએ મળીને માત્ર 25 યુનિટ્સ વેચ્યા છે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો ભારતીય કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે પોતાની ઇલેક્ટ્રિક SUV લાઇનઅપનો વિસ્તાર કરીને ટાટા કર્વ EVનું નવું SeriesX વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.આ નવી ઇલેક્ટ્રિક કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત રૂ16.99 લાખ છે,જે તેને મિડ-રેન્જ EV ખરીદદારો માટે એક સારો વિકલ્પ છે.કંપનીએ નવી સુવિધાઓ અને સુધારેલી રેન્જ ઉમેરીને તેનું આકર્ષણ વધુ વધાર્યું છે. ટાટા કર્વ EV સિરીઝX બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે Accomplished X 55 અને Empowered X 55.બંને વેરિઅન્ટમાં 55 kWh બેટરી પેક છે,જે ARAI અનુસાર,એક જ ચાર્જ પર 502 કિલોમીટર સુધીની રેન્જ પૂરી પાડે છે.કંપનીનો દાવો છે કે વાસ્તવિક જીવનમાં,કાર લગભગ 400 કિલોમીટર સરળતાથી મુસાફરી કરી શકે છે,જે રોજિંદા અને લાંબા અંતરના ડ્રાઇવિંગ માટે પૂરતી છે. આ ઇલેક્ટ્રિક કૂપ-SUV ટાટાના acti.EV પ્લેટફોર્મ પર બનેલ છે અને 167 bhp અને 215 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.જે સરળ અને શક્તિશાળી ડ્રાઇવિંગ માટે બનાવે છે.નોંધપાત્ર રીતે,કંપની પહેલા માલિકને 15 વર્ષની હાઇ-વોલ્ટેજ બેટરી વોરંટી આપી રહી છે,જે ગ્રાહકનો વિશ્વાસ વધુ વધારશે. સુવિધાઓની દ્રષ્ટિએ Accomplished X 55 વેરિઅન્ટ અનેક પ્રીમિયમ સુવિધાઓ જોવા મળશે.જેમાં પેનોરેમિક સનરૂફ,બે 10.25-ઇંચ ડિજિટલ સ્ક્રીન,વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે,360-ડિગ્રી કેમેરા,વેન્ટિલેટેડ સીટ અને ચામડા જેવા સીટ કવરિંગનો સમાવેશ થાય છે.એમ્પાવર્ડ X 55 વેરિઅન્ટ વધુ અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરે છે,જેમાં 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ,લેવલ 2 ADAS સેફ્ટી ફીચર્સ,18-ઇંચ એલોય વ્હીલ્સ,V2L અને V2V ટેકનોલોજી,ફ્રન્ટ સ્ટોરેજ અને હાવભાવ-નિયંત્રિત ટેલગેટનો સમાવેશ થાય છે.આ વેરિઅન્ટ એડિશનમાં પણ ઉપલબ્ધ છે,જે તેને વધુ સ્ટાઇલિશ બનાવે છે. કંપનીએ આ કારમાં એક નવો નાઇટ્રો ક્રિમસન કલર વિકલ્પ પણ ઉમેર્યો છે,જે તેના દેખાવને વધુ પ્રીમિયમ બનાવે છે.Accomplished X 55ની કિંમત રૂ16.99 લાખ, Empowered X 55 ની કિંમત રૂ19.19 લાખ અને Editionની કિંમત રૂ19.49 લાખ છે.આ કિંમતો અને સુવિધાઓ સાથે,Tata Curvv EV SeriesX ભારતીય બજારમાં એક મજબૂત અને સ્માર્ટ ઇલેક્ટ્રિક SUV તરીકે ઉભરી રહી છે. આ પણ વાંચો -Auto News: રૂ.2 લાખથી ઓછી કિંમતમાં પાવરફુલ એન્જિન ધરાવતી આ બાઇક્સ રસ્તાઓ પર મચાવશે ધૂમ! ઘણીવાર જ્યારે આપણે પીએફ (PF) ના પૈસા ઉપાડીએ છીએ, ત્યારે ટેક્સ કપાવાને કારણે રકમ ઓછી થઈ જાય છે. મોટાભાગના લોકો એમ માને છે કે પીએફ ફંડ સંપૂર્ણપણે કરમુક્ત હોય છે, પરંતુ હકીકતમાં તે કેટલીક શરતોને આધીન છે. જો તમે થોડું સ્માર્ટ પ્લાનિંગ કરો, તો તમે તમારી મહેનતની કમાણીનો એક પણ રૂપિયો ટેક્સમાં કપાતા બચાવી શકો છો. ઈપીએફઓ (EPFO) ના નિયમ મુજબ, જો તમારી નોકરીનો સમયગાળો 5 વર્ષ કે તેથી વધુ હોય, તો પીએફ ઉપાડ સંપૂર્ણપણે કરમુક્ત છે. પરંતુ જો તમે 5 વર્ષ પૂરા થયા પહેલા જ પૈસા ઉપાડો છો અને ઉપાડની રકમ ₹50,000 થી વધુ છે, તો તેના પર ટીડીએસ (TDS) વસૂલવામાં આવે છે. જો તમે વારંવાર નોકરી બદલતા હોવ, તો જૂનું પીએફ બેલેન્સ નવા ખાતામાં 'ટ્રાન્સફર' કરવું હિતાવહ છે, જેથી તમારી સેવાનો સમયગાળો સળંગ ગણાય અને ૫ વર્ષની શરત પૂરી થઈ શકે. જો તમારી નોકરીને ૫ વર્ષ પૂરા નથી થયા અને તમારે ₹50,000 થી વધુ રકમ ઉપાડવી છે, તો તમારે 'ફોર્મ 15G' (સામાન્ય નાગરિકો માટે) અથવા 'ફોર્મ 15H' (સીનિયર સિટીઝન માટે) સબમિટ કરવું જોઈએ. આ એક એવી ઘોષણા છે કે તમારી વાર્ષિક આવક ટેક્સ લિમિટથી ઓછી છે. જો તમે આ ફોર્મ ભરો છો, તો EPFO ટેક્સ તરીકે એક પણ રૂપિયો કાપશે નહીં. સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે તમારા પીએફ ખાતા સાથે PAN કાર્ડ લિંક ન હોય. જો PAN લિંક હોય તો ટીડીએસ 10% કપાય છે, પરંતુ જો લિંક ન હોય તો EPFO સીધો ૨૦% સુધીનો મોટો ટેક્સ કાપી શકે છે. તેથી, પૈસા ઉપાડતા પહેલા તમારા KYC માં PAN કાર્ડ ચોક્કસથી અપડેટ કરો. PF એ તમારી નિવૃત્તિ માટેની મૂડી છે. નાની નાની જરૂરિયાતો માટે વારંવાર પીએફ ઉપાડવાને બદલે તેને નવા ખાતામાં ટ્રાન્સફર કરવાની આદત પાડો. આનાથી માત્ર તમારું ભવિષ્ય સુરક્ષિત નથી રહેતું, પરંતુ તમે ૫ વર્ષની મર્યાદા પાર કરી લેતા હોવાથી ટેક્સની જંજાળમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. હંમેશા યાદ રાખો કે આયોજિત પીએફ ઉપાડ જ તમને પૂરેપૂરો ફાયદો અપાવશે. આ પણ વાંચોઃ GST Collection: ભારતની તિજોરી છલકાઇ!એપ્રિલમાં GST કલેક્શન અધધધધ કરોડની સર્વોચ્ય સપાટીએ..
17 shares
😐
Akila News logo
Akila News
May 5, 2026, 01:23 PM
ભારતે સ્ટીલ્થ ફ્રિગેટ્સ અને નવા યુદ્ધ જહાજો સાથે દરિયાઈ ક્ષમતાઓને મજબૂત કરી

ભારતે સ્ટીલ્થ ફ્રિગેટ્સ અને નવા યુદ્ધ જહાજો સાથે દરિયાઈ ક્ષમતાઓને મજબૂત કરી

મુંબઈ, તા.૦૫: હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી અને પાકિસ્તાનની નૌકાદળની હિલચાલ વચ્ચે ભારતે દરિયાઈ સીમા પર પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ભારતીય નૌસેનાએ તાજેતરમાં તેના કાફલામાં અત્યંત આધુનિક 'સ્ટીલ્થ ફ્રિગેટ્સ' (Stealth Frigates) સામેલ કર્યા છે. આ એવા યુદ્ધ જહાજો છે જે દુશ્મનના રડાર પર પકડાતા નથી, જેના કારણે તેને 'સાયલન્ટ કિલર્સ' અથવા 'અદ્રશ્ય જહાજો' પણ કહેવામાં આવે છે.પ્રોજેક્ટ 17A: ભારતની નૌકાશક્તિનો નવો અધ્યાયભારતીય નૌસેનાના 'પ્રોજેક્ટ 17A' (નિલગિરી ક્લાસ) હેઠળ સાત અત્યાધુનિક જહાજો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં INS મહેન્દ્રગિરી નૌસેનાને સોંપવામાં આવ્યું છે. આ અગાઉ INS દુનાગિરી અને INS તારાગિરી પણ કાફલામાં સામેલ થઈ ચૂક્યા છે. આ જહાજોની ખાસિયત એ છે કે તેનું કદ ૧૪૯ મીટર લાંબુ અને વજન આશરે ૬,૬૭૦ ટન હોવા છતાં તેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરાઈ છે કે દુશ્મનનું રડાર તેને સરળતાથી શોધી શકતું નથી.કેમ આ જહાજો છે ખાસ?આ વોરશિપ્સ માત્ર જહાજ નથી, પણ દરિયામાં તરતો એક અત્યાધુનિક કિલ્લો છે:• બ્રહ્મોસ મિસાઈલ: આ જહાજો સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે, જે દુશ્મનના જહાજ કે જમીન પરના ટાર્ગેટને સેકન્ડોમાં નષ્ટ કરી શકે છે.• સ્ટીલ્થ ટેકનોલોજી: ખાસ પ્રકારનું કોટિંગ અને ડિઝાઇન રડારના તરંગોને શોષી લે છે, જેનાથી જહાજ રડાર પર દેખાતું નથી.• સબમરીન વિરોધી શક્તિ: તે પાતાળમાં છુપાયેલી દુશ્મન સબમરીનને શોધીને તોરપીડો અને રોકેટ દ્વારા તેને તોડી પાડવામાં સક્ષમ છે.• હેલિકોપ્ટર ડેક: જહાજ પરથી 'HAL ધ્રુવ' કે 'સી કિંગ' જેવા બે હેલિકોપ્ટર ઓપરેટ કરી શકાય છે.સંપૂર્ણ સ્વદેશી અને આત્મનિર્ભરઆ જહાજોની સૌથી ગર્વ લેવા જેવી બાબત એ છે કે તેમાં ૭૫% સામગ્રી સ્વદેશી છે. તેનું નિર્માણ મુંબઈના માઝગાવ ડોક (MDSL) અને કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી દેશના ૨૦૦ થી વધુ MSME ઉદ્યોગોને કામ મળ્યું છે અને હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે.ચીન અને પાકિસ્તાન માટે ચિંતાનું કારણભારત જે રીતે પોતાની દરિયાઈ તાકાત વધારી રહ્યું છે, તેનાથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં શક્તિનું સંતુલન ભારત તરફ નમી રહ્યું છે. પરમાણુ સબમરીન 'INS અરિધમન' ના લોન્ચિંગ બાદ આ સ્ટીલ્થ વોરશિપ્સનું આગમન ભારતને સમુદ્રનો અસલી 'સિકંદર' બનાવે છે. હવે ભારતીય નૌસેના પોતાના કિનારાથી હજારો કિલોમીટર દૂર 'બ્લુ વોટર' ઓપરેશન્સ વધુ ચોકસાઈથી કરી શકશે.
25 shares
😢
Akila News logo
Akila News
May 5, 2026, 01:21 PM
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીતઃ મુખ્યમંત્રીની આગાહીઓ સાચી સાબિત થાય છે

આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીતઃ મુખ્યમંત્રીની આગાહીઓ સાચી સાબિત થાય છે

ગુવાહાટી, તા.૦૫: આસામના રાજકારણમાં હિમંતા બિશ્વા શર્મા માત્ર એક મુખ્યમંત્રી જ નહીં, પણ એક કુશળ વ્યૂહરચનાકાર તરીકે પણ ઉભરી આવ્યા છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે જનતાની નાડ પર તેમની પકડ કેટલી મજબૂત છે. હિમંતાએ સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે જે અત્યારે આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે.સફેદ કાગળનું રહસ્યમુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ જણાવ્યું કે, ૯ એપ્રિલના રોજ જ્યારે આસામમાં મતદાન પૂર્ણ થયું, ત્યારે તેમણે પોતાની આદત મુજબ એક સફેદ કાગળ પર ચૂંટણીના સંભવિત પરિણામોના આંકડા લખ્યા હતા. આજે જ્યારે પરિણામો જાહેર થયા, ત્યારે આ આંકડા તેમની અપેક્ષા કરતા પણ ચઢિયાતા નીકળ્યા. તેમણે લખ્યું કે, "જનતાએ અગાઉ કરતા પણ વધુ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે, જેનો આંકડો મારી ધારણા કરતા પણ એક બેઠક વધુ છે."ભાજપનો ભગવો લહેરાયોઆસામની ૧૨૬ બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધન (NDA) એ ૧૦૨ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તાની હેટ્રિક ફટકારી છે. સૌથી મોટી વાત એ છે કે ભાજપે આ વખતે કોઈના ટેકા વગર પોતાના દમ પર ૮૨ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. તેમના સાથી પક્ષો AGP અને BPF ને ૧૦-૧૦ બેઠકો મળી છે. ૨૦૧૬ અને ૨૦૨૧માં ૬૦-૬૦ બેઠકો મેળવનાર ભાજપ માટે આ આંકડો ઐતિહાસિક છે.દિગ્ગજોની હાર અને હિમંતાનો દબદબોખુદ મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ જલુકબારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને ૮૯,૪૩૪ મતોથી હરાવીને સતત છઠ્ઠીવાર જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસ માત્ર ૧૯ બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી અને ભાજપના ઉમેદવાર સામે ૨૩ હજારથી વધુ મતોથી હારી ગયા છે.આસામમાં હવે ફરી એકવાર હિમંતા બિશ્વા શર્માના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વિકાસની ગતિને આગળ વધારશે તે નિશ્ચિત છે.
69 shares
😐