Achira News Logo
Achira News
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:30 AM
જાગૃતિ વધારવીઃ ભારતમાં મૌખિક અને ગળાના કેન્સરનો રોગચાળો

જાગૃતિ વધારવીઃ ભારતમાં મૌખિક અને ગળાના કેન્સરનો રોગચાળો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે જાણીએ કેન્સરની ગંભીરતા અને જાગૃતિ માટેની અવેરનેસ વિશે. તંબાકુ, શરાબ અને બજારૂ જંક ફૂડ જેવા ખોરાક આરોગવાને કારણે અને HPV વાયરસને કારણે દેશમાં દર કલાકે પાંચ જેટલી વ્યક્તિનું મોઢા તેમજ ગળાના કેન્સર ને કારણે મૃત્યુ થાય છે એમ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ENT સર્જન ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે,જી.કે. માં ENT વિભાગ મારફતે છેલ્લા એક વર્ષમાં લગભગ ૧૦૦ જેટલા ગળા અને મોઢાના કેન્સરની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. આ કેન્સરની એન્ડોસ્કોપી, બાયોપ્સી અને ઇમેજિંગ પરીક્ષણ (સીટી સ્કેન અને એમ.આર.આઈ)દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. જો કે શરૂઆતના સ્ટેજમાં પરીક્ષણ થઈ જાય તો રેડિએશન, સર્જરી અને કીમોથેરાપીથી ઈલાજ શક્ય બને છે. ગળાનું કેન્સર થવાનું મુખ્ય કારણ સિગારેટ, બીડી, ગુટખા સ્વરૂપે તમાકુ અને સોપારીનું સેવન અને વધુ પડતા શરાબની કુટેવ છે.ઉપરાંત હ્યુમન પૈપિલોમાવાયરસ (HPV) અને જંકફુડ તથા બહારના ખોરાક આરોગયા પછી પણ મોઢાની સંભાળ ન રાખવી તેમજ કેમિકલ યુક્ત ખોરાક એ તેમજ અસ્વસ્થ જીવનશૈલી મુખ્ય રીતે જવાબદાર છે. લક્ષણો અંગે ડો. હિરાણીએ જણાવ્યું કે, લગાતાર મોઢામાં ખારાશ, અન્નનો કોળિયો ગળવામાં દુખાવા સાથે તકલીફ, ગળા સાથે કાનમાં પણ દર્દ મહેસુસ થાય તેમજ અવાજમાં બદલાવ ને ભારેપણું જણાય ઉપરાંત ગળામાં ગાંઠ સાથે સૌથી મહત્વનું કારણ વ્યક્તિનું કોઈ કારણ વગર વજન ઘટવા લાગે તેમજ મોઢું ઓછું ખુલે, મોઢામાં જલ્દી ન રૂઝાય તેવું ચાંદુ વિગેરેમાં તાત્કાલિક તબીબ નો સંપર્ક કરવો કેમકે કેન્સર હોઈ શકે છે.
59 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:27 AM
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી, પર્યટનની સફળતાની પ્રતિકૃતિ પર નજર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી, પર્યટનની સફળતાની પ્રતિકૃતિ પર નજર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ કચ્છના પ્રવાસે આવ્યા હતા. તેમણે સફેદ રણ ધોરડો તેમ જ ભુજના સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી કચ્છ આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે હોટ ટૂરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે. ડો. મોહન યાદવે ધોરડો જેવી ટેન્ટ સીટી હવે ઉજ્જૈનના સિંહસ્થ કુંભ મેળામાં અને ભુજના સ્મૃતિ વન જેવું મેમોરિયલ ભોપાલમાં ગેસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓની સ્મૃતિમાં બનાવવાનું જણાવ્યું હતું. તેઓ કચ્છમાં પ્રવાસનના વિકાસ અને ભૂકંપ પછીના નવસર્જનથી ભારે પ્રભાવિત થયા હતા.
4 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:25 AM
ઓડિશા ગેંગરેપ કેસઃ સહપાઠીઓના ઘૃણાસ્પદ ગુનાનો વીડિયો વાયરલ

ઓડિશા ગેંગરેપ કેસઃ સહપાઠીઓના ઘૃણાસ્પદ ગુનાનો વીડિયો વાયરલ

બલનગીર તા.૪: ઓડિશાના બાલનગીર જિલ્‍લામાં એક ઘટનાએ સમગ્ર સમુદાયને ચોંકાવી દીધો છે. જિલ્‍લાના તુરેકેલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી નવમા ધોરણની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્‍કારનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્‍યો છે. પીડિતાના પાંચ સહાધ્‍યાયી અને અન્‍ય એક પુરુષ આ જઘન્‍ય ગુનામાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે. આ ભયાનક ઘટના ત્‍યારે પ્રકાશમાં આવી જ્‍યારે આરોપીઓ દ્વારા શૂટ કરાયેલ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયો સામે આવ્‍યા પછી, પીડિતાના પરિવારને ઘટનાની જાણ થઈ અને તાત્‍કાલિક ન્‍યાય મેળવવા માટે કાર્યવાહી કરી. અહેવાલો અનુસાર, છ આરોપીઓએ વિદ્યાર્થીને એકાંત સ્‍થળે લલચાવીને તેને પોતાની વાસનામાં ફસાવી હતી. ગુનો કર્યા પછી, તેઓએ કથિત રીતે તેણીને ધમકી આપી હતી કે જો તેણીએ કોઈને કહ્યું તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ડરના કારણે, વિદ્યાર્થી ચૂપ રહ્યો, પરંતુ આરોપીએ સમગ્ર ઘટનાનું ફિલ્‍માંકન કર્યું અને તેને વાયરલ કરી દીધું. પીડિતાના પિતા અને અન્‍ય સંબંધીઓએ જિલ્‍લા પોલીસ અધિક્ષક જી. અભિલાષને મળ્‍યા અને લેખિત ફરિયાદ નોંધાવી, ન્‍યાય માટે વિનંતી કરી. અધિક્ષકની કડક સૂચનાઓને અનુસરીને, તુરેકેલા પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી.
40 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:24 AM
ગ્રીક તટરક્ષક જહાજ હાઈ-સ્પીડ બોટ સાથે અથડાયું, અનેક જાનહાનિ નોંધાઈ

ગ્રીક તટરક્ષક જહાજ હાઈ-સ્પીડ બોટ સાથે અથડાયું, અનેક જાનહાનિ નોંધાઈ

ગ્રીસ તા.૪: ગ્રીસના પૂર્વી એજિયન સમુદ્રમાં આવેલા ચિઓસ ટાપુ પાસે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મધ્‍યરાત્રિના સમયે એક હાઈ-સ્‍પીડ બોટ અને ગ્રીક કોસ્‍ટ ગાર્ડના પેટ્રોલિગ જહાજ વચ્‍ચે ભીષણ ટક્કર થઈ હતી. આ અકસ્‍માતે માનવતાવાદી સંકટની સાથે સાથે દરિયાઈ મુસાફરીમાં રહેલા જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. હાલમાં ઘટનાસ્‍થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રીક કોસ્‍ટ ગાર્ડ દ્વારા મંગળવારે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે આ દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. જોકે, રાહતની વાત એ છે કે ૨૪ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. આ અથડામણમાં બે કોસ્‍ટ ગાર્ડ અધિકારીઓ પણ ઈજાગ્રસ્‍ત થયા હોવાના અહેવાલ છે. બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા તેની ચોક્કસ સંખ્‍યા હજુ જાણી શકાઈ નથી, આ ઘટનામાં મોતની સંખ્‍યનો આંકડો વધાવની ભીતિ સેવાઈ રહી છે. સ્‍થાનિક મીડિયાના ફૂટેજમાં જોવા મળ્‍યું છે કે બચાવકર્મીઓ ધાબળામાં લપેટાયેલા લોકોને એમ્‍બ્‍યુલન્‍સ સુધી પહોંચાડી રહ્યા છે, જેમાં માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં ચાર પેટ્રોલિગ જહાજો, એક હેલિકોપ્‍ટર અને ડાઇવર્સની ટીમ સતત શોધખોળ કરી રહી છે. કોસ્‍ટ ગાર્ડ દ્વારા હજુ સુધી અકસ્‍માત પાછળનું સચોટ કારણ કે મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ તેજ કરી દેવામાં આવી છે. ગ્રીસ લાંબા સમયથી એશિયા અને આફ્રિકાના દેશોમાંથી આવતા શરણાર્થીઓ માટે યુરોપિયન યુનિયન (EU) માં પ્રવેશવાનું પ્રવેશદ્વાર રહ્યું છે. ખાસ કરીને યુદ્ધ અને ગરીબીથી પીડાતા લોકો વધુ સારી જિદગીની શોધમાં આ ખતરનાક દરિયાઈ માર્ગ પસંદ કરે છે. દરિયાઈ મોજાઓની તેજ ગતિ અને સુરક્ષા વ્‍યવસ્‍થાના અભાવે આ માર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્‍માતો થતા રહે છે, જે આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચિંતાનો વિષય બન્‍યો છે.
50 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:24 AM
કચ્છમાં માર્ગ અકસ્માતઃ એકનું મોત, ચાર ઘાયલ

કચ્છમાં માર્ગ અકસ્માતઃ એકનું મોત, ચાર ઘાયલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક અકસ્માત ભુજ અને ખાવડા વચ્ચે ભીરંડિયારા ગામ પાસે સર્જાયો હતો. સ્વીફ્ટ કાર અને ઈકો કાર સામસામે ભટકાતા ઈકો કારમાં સવાર ૩૨ વર્ષીય અકબર હાજી કાસમ સમાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક સહિત અન્ય ચાર જણને ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
38 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:23 AM
ડાબેરી ઉગ્રવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોના નોંધપાત્ર પરિણામો મળ્યા

ડાબેરી ઉગ્રવાદને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોના નોંધપાત્ર પરિણામો મળ્યા

નવી દિલ્‍હી તા.૪: કેન્‍દ્ર સરકારના ગૃહ રાજ્‍યમંત્રી નિત્‍યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપીને જણાવ્‍યું કે ૨૦૧૯થી અત્‍યાર સુધીમાં ૭,૪૦૦થી વધુ નક્‍સલીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૫,૮૮૦ નક્‍સલીઓએ આત્‍મસમર્પણ કર્યું છે. વર્ષ ૨૦૧૦માં નક્‍સલવાદ સંબંધિત હિસાની ૧,૯૩૬ ઘટનાઓ બની હતી, જેમાં ભારે ઘટાડો થયો છે અને વર્ષ ૨૦૨૫માં નક્‍સલવાદી હિસાની માત્ર ૨૩૪ ઘટનાઓ બની, એટલે કે આ પ્રકારની હિસાની ઘટનાઓમાં ૮૮ ટકાનો ઘટાડો થયો છે. એક પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્‍યમંત્રી જણાવ્‍યું કે ૨૦૨૫માં સુરક્ષા દળોએ ૩૬૪ નક્‍સલીઓને નિષ્‍ક્રિય કર્યા હતા, તેમજ ૧,૦૨૨ નક્‍સલીઓની ધરપકડ કરી અને ૨,૩૩૭ નક્‍સલીઓને આત્‍મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા. દેશની આંતરિક સુરક્ષાને ગંભીર પડકાર આપતો ડાબેરી ઉગ્રવાદ નોંધપાત્ર રીતે કાબૂમાં આવી ગયો છે અને તે માત્ર થોડાક વિસ્‍તારો પૂરતો મર્યાદિત રહ્યો છે. કેન્‍દ્રીય ગૃહ રાજ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું કે, ૨૦૧૮માં ૧૨૬ જિલ્‍લાઓ નક્‍સલવાદથી પ્રભાવિત હતા, તે સંખ્‍યા ઘટીને ડિસેમ્‍બર ૨૦૨૫માં માત્ર ૮ રહી ગઈ છે, જેમાંથી ફક્‍ત ૩ જિલ્‍લાઓ સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે.
80 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:23 AM
અતૂટ હિંમતઃ 13 વર્ષીય જ્હોન એપલબીએ પરિવારને ડૂબવાથી બચાવ્યો

અતૂટ હિંમતઃ 13 વર્ષીય જ્હોન એપલબીએ પરિવારને ડૂબવાથી બચાવ્યો

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહેલા જોન એપલબીના પરિવારે કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો. જોરદાર પવનને કારણે તેમની કાયક (નાની હોડી) ઊંડા દરિયામાં ખેંચાઈ ગઈ હતી. ૧૩ વર્ષના જોને અપ્રતિમ સાહસ બતાવી સતત ૪ કલાક સુધી તરીને કાંઠે પહોંચ્યો હતો અને મદદ મેળવી તેની માતા તથા બે નાના ભાઈ-બહેનોનો જીવ બચાવ્યો હતો.
25 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:22 AM
યુટ્યુબરે 71 લાખ રૂપિયાનું લગ્ન પહેલાનું દાન અને 21 તોલા સોનાના દાગીનાનો ખુલાસો કર્યો

યુટ્યુબરે 71 લાખ રૂપિયાનું લગ્ન પહેલાનું દાન અને 21 તોલા સોનાના દાગીનાનો ખુલાસો કર્યો

ગુરુગ્રામ તા.૪: હરિયાણાના ગુરુગ્રામમાં રહેવાસી ઓટોમોબાઈલ યુટ્‍યુબર અરુણ પંવાર પોતાની એક રસમનો વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આજે એટલે કે, ૩ ફેબ્રુઆરીના રોજ યુટ્‍યુબર અરુણ પંવાર લગ્નના બંધને બંધાયો છે. તેના લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના લગ્ન સમારંભ દરમિયાન ૭૧ લાખ રૂપિયા રોકડા અને ૨૧ તોલા સોનાના દાગીનાનો ઉલ્‍લેખ કર્યો છે. આ વીડિયો ખુદ અરુણ પંવારે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો છે, જે બાદ તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્‍યક્‍તિ કાગળ વાંચવા આ દહેજ નહીં પણ દાન ગણાવી રહ્યો છે. તેની સાથે કોને શું મળ્‍યું છે, તેની આખી યાદી વાંચી સંભળાવે છે. વીડિયોમાં જણાવે છે કે અરુણ પંવાર, તેના પિતા, તાઉ, ભાઈ, મા, બહેન, ભાભી સહિત પરિવારના અન્‍ય સભ્‍યોને પણ સોનાના દાગીના આપવામાં આવ્‍યા છે. કુલ મળીને ૨૧ તોલા સોનું અને ૭૧ લાખ રૂપિયા રોકડા આપવાની વાત કહેવાઈ છે, જેને દાન ગણાવી રહ્યા છે. અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ ૩૦ જાન્‍યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્‍નીનું નામ ડો. તિથિ છે. જેનો પરિવાર પલવલમાં રહે છે. બંનેના લગ્ન નેશનલ હાઈવે-૧૯ પર આવેલા એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.
27 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:18 AM
ભુજમાં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી

ભુજમાં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : દિલ્હીથી ભુજ આવતી એર ઇન્ડીયાની ફ્લાઇટ AI 1709 એ ગઈકાલે સાંજે વિમાનમાં સવાર પ્રવાસીઓના જીવ અદ્ધર કર્યા હતા. ભુજમાં ઉતરાણ સમયે ટેકનિકલ ખામીને કારણે વિમાને હવામાં પોણો કલાકથી વધુ સમય ચક્કર માર્યા હતા. જોકે ત્રણ વાર ઉતરાણના નિષ્ફળ પ્રયત્નને અંતે પાયલટે ચોથા પ્રયાસે પ્લેનને સફળ ઉતરાણ કરાવ્યું હતું. આ સાથે જ મુસાફરોને હાશ થઈ હતી. આમ ટેકનિકલ ક્ષતિને કારણે વિમાન મોડું થયું હતું. સામાન્ય રીતે દોઢ કલાકનો સમય લેતું વિમાન એક કલાક મોડું પડ્યું હતું. બપોરે ૩.૨૪ વાગ્યે ઉપડી ભુજ સાંજે ૬.૦૬ મિનિટે પહોંચ્યું હતું. જોકે, આ વિમાને પરત ભુજથી દિલ્હી જવા માટે પરત સાંજે ૬.૫૩ વાગ્યે ઉડ્ડયન ભર્યું હતું અને દોઢ કલાકે ૮.૩૨ વાગ્યે દિલ્હીમાં સફળતાથી ઉતરાણ કર્યું હતું. વિમાન પરત બરાબર પહોંચ્યું એટલે એન્જિન બરાબર જ હતું. અન્ય કોઈ ટેક્નિકલ કારણ બહાર આવ્યું નથી. જો કે, ભુજમાં સાંજે ફ્લાઇટ ઉતરાણ સમયે ઘણી વાર પક્ષીઓ પણ નડતા હોય છે. એ કારણ પણ એક અનુમાન છે. જોકે, આ કારણને પણ ટેકનિકલ કારણ જ માનવામાં આવે છે.
46 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:18 AM
અમેરિકાએ વધી રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે નાઇજીરિયામાં વિશેષ દળો મોકલ્યા

અમેરિકાએ વધી રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે નાઇજીરિયામાં વિશેષ દળો મોકલ્યા

નાઈજીરીયામાં વધી રહેલા આતંકવાદી હુમલાઓને ડામવા માટે અમેરિકાએ પોતાની એક ખાસ સૈન્ય અધિકારીઓની ટીમ મોકલી છે. યુએસ આફ્રિકા કમાન્ડના વડા જનરલ ડેગવિન આર.એમ. એન્ડરસને જણાવ્યું હતું કે, રોમમાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુ સાથેની મુલાકાત બાદ આ સહયોગ વધારવામાં આવ્યો છે. આ ટીમ નાઈજીરીયન સેનાને આધુનિક ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરશે.
64 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:16 AM
સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે

સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે

રાજકોટ : અ.સૌ. માનસીબેન તથા નિતિનભાઇ વલ્લભભાઇ બગથરિયાના સુપુત્ર ચિ. ધ્‍યયના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. જીજ્ઞાશાબેન તથા રમેશભાઇ જગજીવનભાઇ પાડલીયાની સુપુત્રી ચિ. ક્રિષ્‍ના સાથે તા. ૧૦ ના મંગળવારના શુભદિને જુનાગઢ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૯ ના સોમવારે સવારે ૯ વાગે સાંજીના ગીત, રાત્રે ૯:૩૦ થી દાંડીયારાસ, ભોજન સમારંભ રાખેલ છે.
13 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:16 AM
દેડકાદ ગામમાં પારિવારિક વિવાદને લઈને ચાર લોકોએ મજૂર પર હુમલો કર્યો

દેડકાદ ગામમાં પારિવારિક વિવાદને લઈને ચાર લોકોએ મજૂર પર હુમલો કર્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪: તાલુકાના દેડકદડ ગામે કૌટુંબિક અદાવતમાં એક યુવાન પર ચાર શખ્‍સોએ હુમલો કરી ઈજા પહોંચાડ્‍યાની ઘટના સામે આવી છે. દાદીને રાખવા જેવી બાબતે થયેલી ફોન પરની બોલાચાલીનું મનદુખ રાખી રાજકોટથી આવેલા શખ્‍સોએ યુવાનના ઘરે જઈ માર માર્યો હતો. આ મામલે ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ, દેડકદડ ગામે રહેતા અને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય મનસુખભાઇ ભુપતભાઈ ઝીઝુવાડીયાને તેમના દાદીને સરખી રીતે રાખવા બાબતે આરોપી જીકુબેન અને રાહુલભાઈ જોગરાજીયા સાથે ફોન પર શાબ્‍દિક બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખી ગત તારીખ ૦૩/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્‍યાની આસપાસ આરોપીઓ રાજકોટથી દેડકદડ ગામે ફરિયાદી મનસુખભાઈના રહેણાક મકાને પહોંચ્‍યા હતા. ત્‍યાં પહોંચી તમામ આરોપીઓએ એકસંપ થઈ મનસુખભાઈને બેફામ ગાળો આપી હતી. આરોપી જીકુબેન અને સંજયભાઈએ તેમને ઝાપટ મારી હતી, જ્‍યારે રાહુલભાઈએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન ઉશ્‍કેરાયેલા લાલા દિલીપભાઈ જોગરાજીયાએ લાકડી વડે મનસુખભાઈના માથાના ભાગે ફટકો મારતા તેમને લોહીલુહાણ હાલતમાં મુંઢ ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તમામ આરોપીઓ નાસી છૂટયા હતા. આ ઘટના અંગે મનસુખભાઈએ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રાજકોટના વોરા સોસાયટીમાં રહેતા જીકુબેન દિલીપભાઈ જોગરાજીયા, રાહુલભાઈ દિલીપભાઈ જોગરાજીયા, લાલો દિલીપભાઈ જોગરાજીયા અને માધાપરના સંજયભાઈ બાબુભાઈ જાખેલીયા વિરુદ્ધ ફરીયાદ નોંધાતા વધુ તપાસ પો. હેડ કોન્‍સ્‍ટેબલ જે.ડી. ગોગરા ચલાવી રહ્યા છે.
59 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:14 AM
વેપાર સમજૂતીઓ પર હસ્તાક્ષર થતાં ભારત-અમેરિકા સંબંધો મજબૂત થયા

વેપાર સમજૂતીઓ પર હસ્તાક્ષર થતાં ભારત-અમેરિકા સંબંધો મજબૂત થયા

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વના વેપાર કરારો બાદ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વોશિંગ્ટનમાં તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયોને મળ્યા હતા. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને પ્રાદેશિક સુરક્ષા બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત ભારત-યુએસ મૈત્રી માટે માઈલસ્ટોન સાબિત થશે.
55 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:09 AM
ભારતે 2047ના વિકાસ માટે ઐતિહાસિક બજેટ રૂપરેખા રજૂ કરી

ભારતે 2047ના વિકાસ માટે ઐતિહાસિક બજેટ રૂપરેખા રજૂ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા સતત નવમી વખત અને દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રવિવારે રજૂ થયેલા અંદાજપત્રમાં ૨૦૪૭ ના ભારત તરફ દોરી જતા વિવિધ પાસાઓને આવરી લઇને દેશ માટે લાંબા ગાળે ફાયદાકારક અને વિકસિત ભારત માટેના એક રોડમેપ સમાન બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા વધાવી લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ નાણાંમંત્રી નિર્મલા સિતારામનને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બજેટ બજેટને લાઇવ નિહાળવાના કાર્યક્રમમાં જોડાયેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આ બજેટને લોકોપયોગી, સરળ અને દરેક ક્ષેત્રને આવરી લેતું ફાયદાકારક હોવાનું જણાવી આગામી દસકાઓ સુધી તેની સુખદ અસરો જોવા મળશે તેવું જણાવ્યું હતું. વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે MACT દ્વારા મળતું વ્યાજ હવેથી સંપૂર્ણ આવકવેરા મુક્ત રહેશે, TDS સરળ બનાવવામાં આવશે, રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારવા સહિતના અનેક સુધારાઓથી લોકોને મોટા પ્રમાણમાં રાહત મળી રહેશે. મેગા ટેક્સટાઇલ પાર્ક, દરેક જીલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, કેન્સર ની 17 દવાઓને ડ્યુટીમાંથી મુક્તિ, 7 હાઈસ્પીડ રેલવે કોરીડોરનું નિર્માણ, મહિલાઓ માટે SHE માર્ટસ દ્વારા સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક ઔર આગેકદમ સહિતના બહુવિધ નિર્ણયોથી દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણનો નવો અધ્યાય પ્રારંભ થશે. નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ટેક્નોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે, સહકારી ક્ષેત્ર માટે પણ બજેટમાં મોટી કર રાહતની જોગવાઈ કરવામાં આવી છે, સહકારી મંડળીઓ મારફતે ખેતી, ડેરી, બીજ, ખાતર વગેરેના યોગ્ય આયોજન દ્વારા ગામડામાં પૈસાનો પ્રવાહ વધશે જેથી એવું કહી શકાય કે બજેટ 2026 ખેડૂતોની આવક વધારનારો અને સહકારી સંસ્થાઓને મજબૂત બનાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને બળ આપનારું બની રહેશે. બજેટને અનુલક્ષીને કચ્છ જીલ્લા ભાજપ દ્વાર દરેક મંડળોમાં સૌ કાર્યકરો સાથે મળીને બજેટનું જીવંત પ્રસારણ નિહાળી શકે તેવું આયોજન ઊભું કરવામાં આવ્યું હતું જેમાં દરેક મંડળોમાં જે તે વિભાગના ધારાસભ્યો, જીલ્લાના આગેવાનો, મંડળના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.
94 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:08 AM
મેલબોર્નમાંથી ગાંધી પ્રતિમાની ચોરીઃ ભારતે તોડફોડની નિંદા કરી અને કાર્યવાહીની અપીલ કરી

મેલબોર્નમાંથી ગાંધી પ્રતિમાની ચોરીઃ ભારતે તોડફોડની નિંદા કરી અને કાર્યવાહીની અપીલ કરી

મેલબોર્ન તા.૪: ઓસ્‍ટ્રેલિયાના મેલબોર્નમાંથી મહાત્‍મા ગાંધીની કાંસ્‍યની પ્રતિમાની ચોરી થઈ હતી. ગાંધીજીની પ્રતિમા ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કમ્‍યુનિટી સેન્‍ટરની બહાર સ્‍થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા નવી દિલ્‍હીમાં ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર કલ્‍ચરલ રિલેશન્‍સ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. તે ઓસ્‍ટ્રેલિયામાં ભારતીય સમુદાય માટે સાંસ્‍કૃતિક, ઐતિહાસિક અને પ્રતિકાત્‍મક મહત્‍વ ધરાવે છે. વિદેશ મંત્રાલયે મેલબોર્નના રોવિલેમાં મહાત્‍મા ગાંધીની પ્રતિમાની તોડફોડની નિદા કરી હતી અને દોષિતો વિરુદ્ધ તાત્‍કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા રણધીર જયસ્‍વાલે મીડિયાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે મેલબોર્નના રોવિલમાં ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કોમ્‍યુનિટી સેન્‍ટરમાં સ્‍થાપિત કરાયેલી મહાત્‍મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્‍યા લોકો દ્ધારા કરવામાં આવેલી તોડફોડ અને તેની ચોરી કરવાની ઘટનાની સખત નિદા કરીએ છીએ.. જયસ્‍વાલે કહ્યું હતું કે ભારતે આ ઘટનાને ઓસ્‍ટ્રેલિયાના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્‍યો છે. ચોરી થયેલી મૂર્તિને શોધવા અને દોષિતો વિરુદ્ધ તાત્‍કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. ઓસ્‍ટ્રેલિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે મેલબોર્નના રોવિલેમાં ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કમ્‍યુનિટી સેન્‍ટરની બહાર સ્‍થાપિત મહાત્‍મા ગાંધીની કાંસ્‍ય પ્રતિમા ૧૨ જાન્‍યુઆરીની વહેલી સવારે ચોરાઈ ગઈ હતી. ૪૨૬ કિલોગ્રામની આ પ્રતિમા ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર કલ્‍ચરલ રિલેશન્‍સ નવી દિલ્‍હી તરફથી ભેટમાં મળી હતી. જેનું ઉદ્ધાટન ૨૦૨૧માં ઓસ્‍ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍કોટ મોરિસન દ્વારા કરવામાં આવ્‍યું હતું. વિક્‍ટોરિયા પોલીસ નોક્‍સ ક્રાઇમ ઇન્‍વેસ્‍ટિગેશન યુનિટે ચોરીની તપાસ શરૂ કરી છે, જેના કારણે મેલબોર્નના ભારતીય-ઓસ્‍ટ્રેલિયન સમુદાયમાં નવી ચિતા ફેલાઈ છે.
93 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:07 AM
રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડ્યો

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડ્યો

નવી દિલ્‍હી તા.૪: બોલિવૂડ એક્‍ટર રાજપાલ યાદવ માટે કાનૂની મુશ્‍કેલીઓ વધતી દેખાઈ રહી છે. કેમ કે દિલ્‍હી હાઈકોર્ટે મંગળવારે એક આદેશ આપ્‍યો છે કે તેમને ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી સંબંધિત જેલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ સામે સરેન્‍ડર કરવું પડશે. કોર્ટે આ આદેશ ૫૪ વર્ષના આ સ્‍ટારના ચેક બાઉન્‍સ કેસમાં કોર્ટની કાર્યવાહીનું ઉલ્‍લંઘન કર્યા બાદ આપ્‍યો છે. આ મામલો દિલ્‍હીની કંપની મેસર્સ મુરલી પ્રોજેક્‍ટ્‍સ પ્રાઈવેટ લિમિટેડ સાથે જોડાયેલો છે. જેણે રાજપાલની કંપનીને ફિલ્‍મ બનાવવા માટે પૈસા આપ્‍યા હતા. કોર્ટે અભિનેતાના વ્‍યવહારને નિદનીય ગણાવતા કહ્યું કે, વારંવાર આપવામાં આવેલા આશ્વાસન છતાં ચુકવણી ન કરવી ન્‍યાયિક પ્રક્રિયા સાથે રમત છે. જસ્‍ટિસ સ્‍વર્ણ કાંતા શર્માએ આ મામલામાં રાજપાલના વ્‍યવહારની ટીકા કરતા કહ્યું કે, તેમણે ફરિયાદકર્તા, મુરલી પ્રોજેક્‍ટ્‍સ પ્રાઈવેટ લિમિટેડને કરવામાં આવેલા પેમેન્‍ટનો વાયદો પૂરો નથી કર્યો, જ્‍યારે તેમને કેટલીય વાર અવસર મળ્‍યા અને ખૂબ જ વધારે સહનશીલતા દેખાડી. કોર્ટે કહ્યું કે, તેમનો વ્‍યવહાર નિદનીય છે. આ આદેશ ત્‍યારે આવ્‍યો, જ્‍યારે કોર્ટ રાજપાલ અને તેમની પત્‍નીની નેગોશિએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ એક્‍ટ, ૧૮૮૧ની ધારા ૧૩૮ અંતર્ગત સજા વિરુદ્ધ અપીલોના એક ગ્રુપની સુનાવણી કરી રહ્યા હતા. તેમને છ મહિનાની સાધારણ કેદની સજા સંભળાવી હતી. એક કોઓર્ડિનેટ બેન્‍ચે ૨૮ જૂન ૨૦૨૪ના પહેલા જ સજા પર રોક લગાવી હતી. એવું કહેતા કે આ કપલ પાક્કા અપરાધી નથી અને શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે તૈયાર છે. ત્‍યાર બાદ મામલો મીડિએશનમાં જતો રહ્યો હતો. મીડિએશન સેશન બાદ કોર્ટે કહ્યું કે, જૂન ૨૦૨૪થી રાજપાલે ઘણી વાર સમય માગ્‍યો અને દરેક વખતે પેમેન્‍ટ કરવાનો વાયદો પણ આપ્‍યો, પણ ક્‍યારેય પેમેન્‍ટ કર્યું નહીં. રાજપાલે પહેલા કોર્ટને વાયદો કર્યો હતો કે તેઓ ૨.૫ કરોડ રૂપિયા ૪૦ લાખ રૂપિયા અને ૨.૧૦ કરોડ રૂપિયા હપતામાં ચુકવશે. જો કે તેઓ નક્કી કરેલી તારીખે પૈસા જમા કરવામાં નિષ્‍ફળ રહ્યા. જાસ્‍ટિસ શર્માએ કહ્યું કે, એક્‍ટરે રજિસ્‍ટ્રાર જનરલ પાસે ડિમાન્‍ડ ડ્રાફટ જમા કરવા અથવા ડ્રાફટમાં બતાવેલી ભૂલો ઠીક કરવા માટે કોઈ પગલા નથી ઉઠાવ્‍યા. અનુમતિ અથવા સ્‍પષ્ટીકરણ માગવા માટે પણ કોઈ અરજી નથી આપી. રાજપાલ યાદવને ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી જેલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ સામે સરેન્‍ડર કરવા કહેવાયું છે, પણ કેમ કે યાદવના વકીલે તેના માટે અનુરોધ કર્યો હતો કે એક્‍ટરને મુંબઈમાં કામ કરવાનું હતું, એટલા માટે કોર્ટે તેમને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા કાપવા માટે ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજના ૪.૦૦ વાગ્‍યે જેલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ સામે સરેન્‍ડર કરવા માટે કહેવાયું. જેલ અધિકારીઓને નિયમોનું પાલન કરવા માટે આ મામલાને ૫ ફેબ્રુઆરી ૨૦૨૬ માટે નક્કી કર્યો છે.
7 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:07 AM
રાજકોટ પત્રકાર અને ઉદ્યોગપતિ દીનૂભાઈ દેવાણીનું નિધન

રાજકોટ પત્રકાર અને ઉદ્યોગપતિ દીનૂભાઈ દેવાણીનું નિધન

રાજકોટ તા. ૪ :.. કેશોદના‘અકિલા'ના વરિષ્‍ઠ અને સંનિષ્‍ઠ પત્રકાર,રઘુવંશી અગ્રણી તથા જાણીતા વ્‍યવસાયિક પ્રતિષ્‍ઠાના કિરણ એન્‍ટરપ્રાઇઝ (ડીલર-હાથી સિમેન્‍ટ)ના ઓનર સ્‍વ. દિનુભાઇ રતનજીભાઇ દેવાણી (ઉ.વ.૭૭) તા. ૧-ર-ર૦ર૬,રવિવારના રોજ રાજકોટ ખાતે શ્રીજીચરણ પામ્‍યા છે. તેઓની પ્રાર્થના સભા આવતીકાલ તા. પ-ર-ર૦ર૬,ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ-૩૦ વાગ્‍યા દરમ્‍યાન બેન્‍કવેટ હોલ,સુવર્ણભૂમિ એપાર્ટમેન્‍ટસ,સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ચોક,અંબિકા ટાઉનશીપ મેઇન રોડ,રાજકોટ ખાતે રાખવામાં આવી છે. સરળ અને ઉમદા વ્‍યકિતત્‍વ સાથે હંમેશા અન્‍યોને મદદ કરવા તત્‍પર રહેતા સ્‍વ. દિનુભાઇ દેવાણીના નિધનથી પત્રકારત્‍વ ક્ષેત્રે અને રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. કેશોદ તાલુકા પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી સોશ્‍યલ ગ્રુપના મેનેજીંગ ટ્રસ્‍ટી સ્‍વ. દિનુભાઇ દેવાણી લોહાણા મહિલા મંડળ, કેશોદના સ્‍થાપક પ્રમુખસ્ત્રી નિકેતનના ચેરમેન, રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન દેવાણીના પતિ હતા. તેઓ અકિલા પરિવાર સાથે સંકળાયેલ અને રાજકોટ લોહાણા મહાજનના માનદ્‌્‌ ટ્રસ્‍ટી ડો. પરાગભાઇ દેવાણી (ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા કિરણ મેડીકલ ગ્રુપ, રાજકોટ)ના પિતાશ્રી હતા. તેઓ સ્‍વ. ભીમજીભાઇ (કેશોદ) અને કેશોદ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખશ્રી ગોવિંદભાઇ દેવાણી (કલ્‍પના ટ્રેડીંગ એજન્‍સી, કેશોદ-સેલ્‍સ પ્રમોટર હાથી સિમેન્‍ટ)ના લઘુબંધુ તેમજ શ્રી જેન્‍તીભાઇ (રાજકોટ) અને શ્રી પ્રવિણભાઇ (રાજકોટ)ના મોટા ભાઇ હતા. તેમજ શ્રીમતી જુલીબેનના સસરા તથા ડો. ફોરમ અને આર્યનના દાદા થતા હતાં. કેશોદના વિકાસમાં જેનો સિંહફાળો ગણાઇ રહ્યો છે. તેવા સ્‍વ. દિનુભાઇ દેવાણીના નિધનથી સોરઠના પત્રકારત્‍વ ક્ષેત્રે અને સામાજીક ક્ષેત્રે જાણે એક યુગ આથમી ગયો હોય તેવી પ્રતિતિ લોકો કરી રહ્યા છે. વધુ વિગત માટે ગોવિંદભાઇ (મો. ૯૮ર૪૮ ર૯૯૦૦) અથવા ડો. પરાગભાઇ (મો. ૯૮ર૪૪ પ૧પ૪૧)નો સંપર્ક કરી શકાય છે.
63 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 05:06 AM
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર-ગાર્બેજ ટેક્સમાં વધારો કરીને બજેટનો મુસદ્દો રજૂ કર્યો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર-ગાર્બેજ ટેક્સમાં વધારો કરીને બજેટનો મુસદ્દો રજૂ કર્યો

રાજકોટનાં ભાવિ વિકાસ માટે પાણી-ગાર્બેજ વેરામાં ૬૦ ટકા વધારો: ૯૫ કરોડનો કરબોજો : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. ૩૫૯૫.૭૦ કરોડનું બજેટઃ લીવેબલ થીમ ઉપર મ્યુ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ રજુ કર્યુ ડ્રાફટ બજેટ : રિવાઇઝડ બજેટ ૨૯૧૬ કરોડનું: શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૩૧૭૦ નવા આવાસો, નવા વેકયુમ સ્વીમીંગ મશીન, ગ્લો ગાર્ડન, આઈ-વો પ્રોજેકટ ૨.૦ સહિતની નવી યોજનાઓ : ડોર ટુ ડોર ગાર્બેજમાં રહેણાંક મિલકતમાં રૂ.૩૬૫ ના રૂ.૮૦૦, બિન રહેણાંકમાં ૱૧૪૬૫માં રૂ.૩૨૦૦ વેરો તથા પાણી વેરો રહેણાંકમાં રૂ.૧૫૦૦ના . રૂ.૨૪૦૦ અને બિન રહેણાંકમાં રૂ.૩૦૦૦નાં રૂ.૪૮૦૦ સુચવામાં આવ્યો છે.
8 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:45 AM
મોર્બીમાં હિંદુ સંમેલન રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક જાળવણીને મજબૂત કરે છે

મોર્બીમાં હિંદુ સંમેલન રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક જાળવણીને મજબૂત કરે છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગરની રાજનગર વસ્તીમાં આવેલા પંચાસર રોડ વિસ્તારમાં તા. 31/01/2026 (શનિવાર) ના રોજ ભવ્ય હિન્દૂ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 1700 જેટલા હિન્દૂ ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો હતો. આ હિન્દૂ સંમેલનનો મુખ્ય હેતુ જનમાનસમાં રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવાનો અને હિન્દુત્વ જાગૃત કરવાનો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નકલંક ધામ, બગથળા ના મહંત પૂજ્ય દામજી ભગત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની આગવી વક્તૃત્વ શૈલીમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો, જેને શ્રોતાઓએ ખૂબ જ ઉષ્માભેર સ્વીકાર્યો હતો. તે ઉપરાંત વિજયભાઈ રાવલ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ચાલી રહેલા “પંચ પરિવર્તન” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના મુદ્દાઓ રજૂ કરાયા હતા.આ કાર્યક્રમ દરમિયાન જીનિયસ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેણે સૌનું મન મોહી લીધું હતું. આ ભવ્ય સંમેલનને સફળ બનાવવા માટે આસપાસના વિસ્તારોમાંથી ઉપસ્થિત સમગ્ર હિન્દૂ સમાજ તથા હિન્દૂ સંમેલન સમિતિ, પંચાસર રોડ – મોરબી ના કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી અને પ્રભાવશાળી ભાષા શૈલીમાં જીનિયસ એકેડમીના સુભાષભાઈ ઘેટીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રીતે પંચાસર રોડ પર યોજાયેલ હિન્દૂ સંમેલન ધાર્મિક જાગૃતિ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય ચેતનાનો સશક્ત સંદેશ આપતું યાદગાર બની રહ્યું હતું.
86 shares
😊
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:37 AM
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે વિશ્વ કેન્સર દિવસ માટે ઓનલાઇન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે વિશ્વ કેન્સર દિવસ માટે ઓનલાઇન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર વિશ્વમાં જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને પ્રાકૃતિક જીવનશૈલીના માધ્યમથી આ રોગને મ્હાત આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન Gujarat State Yog Board ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ (YouTube Live) પર વિશેષ ઓનલાઈન જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આધુનિક જીવનશૈલી અને અસંતુલિત આહારને કારણે કેન્સરના જોખમો વધી રહ્યા છે. યોગ વિજ્ઞાન મુજબ, જો શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને, તો કેન્સરના કોષો નબળા પડે છે. આ હેતુથી જ યોગ, પ્રાણાયામ અને આયુર્વેદિક જીવનશૈલીને પ્રોત્સાહન આપી ‘સ્વસ્થ ગુજરાત – મેડિસિન મુક્ત ગુજરાત’ ના સંકલ્પને સાકાર કરવા ઓનલાઈન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં યોગ અને પ્રાણાયામ દ્વારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી કોષોની કાર્યક્ષમતા સુધારવાની સમજૂતી, પાચનશક્તિમાં સુધારો, રોગપ્રતિકારક શક્તિમાં વધારો તેમજ તણાવ અને ચિંતા મુક્ત જીવન માટેનું માર્ગદર્શન તથા કેન્સરના કોષોને રોકવામાં મદદરૂપ એવા શુદ્ધ અને સાત્વિક આહારનું મહત્વ સાહિતની બાબતોને સાંકળી લેવામાં આવશે. આ ઓનલાઈન સત્રમાં સફળતાપૂર્વક જોડાનાર તમામ સહભાગીઓને પ્રોત્સાહન રૂપે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.મોરબી જિલ્લાના રસ ધરાવતા નાગરિકોએ https://gsyb.in/ અથવા રજીસ્ટ્રેશન લિંક https://cancer-awareness-camp.vercel.app પર જઈને પોતાનું પંજીકરણ કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9033643781 પર સંપર્ક કરી શકાશે. મોરબીના વધુમાં વધુ નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢી આ અભિયાનમાં જોડાઈને કેન્સર મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તેવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.
52 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:29 AM
મોર્બી દર્શી વિડજાની દસ્તાવેજી ફિલ્મ'તુલસી શ્યામ'ને ચંબલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો

મોર્બી દર્શી વિડજાની દસ્તાવેજી ફિલ્મ'તુલસી શ્યામ'ને ચંબલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજસ્થાનના કોટા ખાતે આયોજિત ચંબલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ– સિઝન 9, વર્ષ 2026 માં મોરબીના દર્શી વિડજા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “તુલસી શ્યામ- ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” ને Best Concept (Documentary Short - Student) डेटेगरीमां પ્રતિષ્ઠિત એવોર્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વના 101 દેશોમાંથી કુલ 1205 ફિલ્મ સબમિટ થયેલી હતી. જેમાંથી ટોટલ 250 ફિલ્મ નૉમિનેશનમાં આવી હતી. જેમાંથી પસંદગી પ્રક્રિયા બાદ શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવામાં આવી હતી. આવી મોટી સ્પર્ધામાંથી મોરબીના દર્શી વિડજાની ફિલ્મને એવોર્ડ મળવો એ મોરબી માટે ગૌરવની બાબત છે.ફિલ્મ “તુલસી શ્યામ – ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” તુલસી શ્યામ વિસ્તારની અજાણી અને ઓછી જાણીતી કહાનીને સર્જનાત્મક રીતે રજૂ કરતી ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા તુલસી શ્યામના પ્રાકૃતિક સૌંદર્ય, સાંસ્કૃતિક મહત્વ અને તેની વિશિષ્ટ ઓળખને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.ફિલ્મમાં તુલસી શ્યામના ઇતિહાસને જીવંત રીતે રજૂ ક૨વા માટે વાર્તાકાર તરીકે યોગેશ પંડ્યાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. ચંબલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન રંગકર્મ ઔર કલા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ ફેસ્ટિવલને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે NFDC Cinemas of India દ્વારા સમર્થન પ્રાપ્ત છે. ફેસ્ટિવલના સ્થાપક અને ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે ડૉ. કપિલ સિદ્ધાર્થ જોડાયેલા છે.
99 shares
😐
Sandesh logo
Sandesh
Feb 4, 2026, 02:27 AM
ભટકતા પશુઓના ઉપદ્રવને નાબૂદ કરવા માટે અમદાવાદ દ્વારા'ઝીરો ટોલરન્સ "અભિયાન શરૂ કરવામાં આવ્યું

ભટકતા પશુઓના ઉપદ્રવને નાબૂદ કરવા માટે અમદાવાદ દ્વારા'ઝીરો ટોલરન્સ "અભિયાન શરૂ કરવામાં આવ્યું

સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને કડક પગલાં લેવા આપેલા આદેશને અનુસરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘ઝીરો ટોલરન્સ ટૂ કેટલ ન્યૂસન્સ' અભિયાનનો કડકાઇથી અમલ કરવાની કવાયત હાથ ધરી છે. શહેર પોલીસ તથા SRP અને AMCની CNCDની ટીમો દ્વારા ગોતા, મોટેરા, સાબરમતી, એરપોર્ટ સહિત ૧૩ વિસ્તારોને નો કેટલ ઝોન જાહેર કર્યા છે અને મણીનગર વિસ્તારમાંથી તેનાં અમલીકરણનો પ્રારંભ કર્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે ચોક્કસ શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોર જોવા મળે નહિ તે માટે રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ કમિશનરે મ્યુનિ. સત્તાધીશો સાથે ચર્ચાવિચારણા કરીને 13 વિસ્તારોને ‘નો કેટલ ઝોન' જાહેર કરી દીધા છે. CNCD વિભાગના આ જાહેરનામાનાં અમલીકરણ કરતાં મણીનગર વિસ્તારમાં તપાસ કરીને 19 લાયસન્સ ધારકોનાં 94 ગાય-ભેંસને શહેરની બહાર ખસેડવાની કાર્યવાહી કરી હતી તેમજ ૧૯ વાડા અને પાણીનો એક હવાડો તોડી પાડવામાં આવ્યો હતો.
21 shares
😢
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:18 AM
અંજાર મ્યુનિસિપાલિટીએ રસ્તાના નામ બદલવા, ડોગ કાસ્ટ્રેશન અને વિકાસલક્ષી યોજનાઓના એજન્ડાને મંજૂરી આપી

અંજાર મ્યુનિસિપાલિટીએ રસ્તાના નામ બદલવા, ડોગ કાસ્ટ્રેશન અને વિકાસલક્ષી યોજનાઓના એજન્ડાને મંજૂરી આપી

અંજાર,તા.તા.3 :અંજાર નગરપાલિકાને મંગળવારેમળેલી સામાન્ય સભામાં મુખ્ય રોડને આઇકોનિક ગૌરવપથ માર્ગ બનાવવા તેમજ એનિમલ બર્થ કંટ્રોલરૂલ્સ અંતર્ગત શ્વાનનું ખસીકરણ અને વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસનાં કામો હાથ ધરવા સહિતનાએજન્ડાઓને મંજૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીની અધ્યક્ષતામાંમળેલી સામાન્ય સભામાં શાસક પક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામીએ એજન્ડાઓનું વાંચન કર્યુંહતું
33 shares
😊
Kutch Mitra logo
Kutch Mitra
Feb 4, 2026, 02:16 AM
વપરાશકર્તા ડેટાના વ્યાપારીકરણ મામલે સુપ્રીમ કોર્ટે વોટ્સઅપ અને મેટા પર આકરા પ્રહારો કર્યા

વપરાશકર્તા ડેટાના વ્યાપારીકરણ મામલે સુપ્રીમ કોર્ટે વોટ્સઅપ અને મેટા પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી,તા.તા.3 :સુપ્રીમ કોર્ટેવોટસએપ વપરાશકર્તાના ડેટા શેર કરવા મામલે વોટસએપ અને મેટાને ફટકાર લગાવી હતી. આજે સર્વોચ્ચઅદાલતે જણાવ્યું હતું કે અમે યુઝર્સની જાણકારીનો વ્યાવસાયિક ઉપયોગ થવા દેશું નહીં. આ કોર્ટ સામાન્ય લોકો માટે છે
99 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 02:05 AM
મોર્બીમાં મફત આંખની તપાસ શિબિર શરૂ કરવામાં આવી

મોર્બીમાં મફત આંખની તપાસ શિબિર શરૂ કરવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૨-૨૦૨૬ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે
67 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 01:53 AM
મોર્બી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે નવા હોદ્દેદારોની પસંદગી કરી

મોર્બી પીપલ્સ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે નવા હોદ્દેદારોની પસંદગી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી પીપલ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લિમિટેડ મોરબી. મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો હતો સોસાયટીની હોદ્દેદારોની બિનહરીફ વરણી થઇ હતી. જેમાં ચેરમેન તરીકે પ્રાણજીવનભાઈ છગનભાઈ જાકાસણીયા, વાઇસ ચેરમેન તરીકે કિશોરભાઈ પ્રભાતભાઈ રાઠોડ, મેનેજિંગ ડિરેક્ટર તરીકે બાવરવા શાંતિલાલ હરિભાઈ આ ત્રણે મંડળીના હોદ્દેદાર તરીકે બીનહરિફથી ચૂંટાઈ આવેલ છે જેમાં સહકારી નેતાઓ તથા સહકારી આગેવાના સહકારથી વરણી થતા આનંદની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું
3 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 01:40 AM
પૂર્વ મંત્રીએ કેન્દ્રીય બજેટનું સ્વાગત કર્યું, જેનો ઉદ્દેશ વિકસિત ભારતનું સપનું પૂરું કરવાનો છે

પૂર્વ મંત્રીએ કેન્દ્રીય બજેટનું સ્વાગત કર્યું, જેનો ઉદ્દેશ વિકસિત ભારતનું સપનું પૂરું કરવાનો છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યો તેને કેન્દ્ર સરકારના માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા આવકારવામાં આવ્યું છે અને વિકસિત ભારતના સપનાને સાકાર કરનાર બજેટ રજૂ કરવા બદલ વડાપ્રધાન તેમજ કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા. મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઓફિસ ખાતે આજે આ પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં માજી કેન્દ્રિય મંત્રી મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે પત્રકારોને સંબોધતા મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સતત નવમી વખત કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું અને ખાસ કરીને દરેક વર્ગના લોકોને ધ્યાને રાખીને વિકસિત ભારતના સપનાને સાકાર કરનારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત ભારત સરકારનો આભાર વ્યક્ત કરીને બજેટને આવકારયું હતું અને ખાસ કરીને તેઓને કહ્યું હતું તે તેઓ વર્ષ 2014માં પહેલી વખત સાંસદ બન્યા હતા ત્યારે દેશનું નાણાકીય વર્ષનું બજેટ માત્ર 17 લાખ કરોડ રુપિયાનું હતું જો કે, તાજેતરમાં જે બજેટ રજૂ કરવાં આવ્યું છે તે 53 લાખ કરોડ રુપિયાનું છે આમ વર્ષ 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ બજેટને આવકારીને સરકારને અભિનંદન આપ્યા હતા.
79 shares
😐
Akila News logo
Akila News
Feb 4, 2026, 01:38 AM
ઘરવિહોણા લોકોને મદદ કરવા માટે મોર્બી મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ

ઘરવિહોણા લોકોને મદદ કરવા માટે મોર્બી મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગત રાત્રીના સમયે કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી ઠંડીને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા 36 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા માન.કમિશ્નરશ્રી મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
53 shares
😢
Akila News logo
Akila News
Feb 4, 2026, 01:12 AM
મોર્બી જિલ્લાએ સ્થળાંતર કામદારોની ચકાસણી માટે જાહેરનામું બહાર પાડ્યું

મોર્બી જિલ્લાએ સ્થળાંતર કામદારોની ચકાસણી માટે જાહેરનામું બહાર પાડ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે) ફરજીયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૦૭ દિવસમાં આપવાની રહેશે.કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ખેત શ્રમિક/ભાગીયા/ઘરઘાટી/ચોકીદાર તથા મકાન ભાડે રાખનાર પરપ્રાંતિય વ્યક્તિના ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન માલીકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરી સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.કારખાના/ઔદ્યોગિક શ્રમિકો સિવાયના ભાડુઆત, ખેત શ્રમિક કે ભાગિયા માટે માંગ્યા મુજબની વિગતો રજીસ્ટર/બાયોડેટાની સીડી તૈયાર રાખવા તથા તે મુજબની માહિતી સીટીઝન પોર્ટલમાં (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) રજીસ્ટ્રેશન કરાવવી તથા તેની એક હાર્ડ કોપી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં દિન-૭ માં જમા કરાવવાની રહેશે.આ ઉપરાંત મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id =com.morbi_eye લીંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.જિલ્લાની સરકારી કચેરી / અર્ધ સરકારી કચેરી / બોર્ડ / નિગમ / સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાના અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી અમલ કરવાનો રહેશે
26 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 4, 2026, 12:35 AM
ટ્રમ્પનું ટેરિફ હથિયારઃ ભારતની વધતી અર્થવ્યવસ્થા માટે વરદાન?

ટ્રમ્પનું ટેરિફ હથિયારઃ ભારતની વધતી અર્થવ્યવસ્થા માટે વરદાન?

અમેરિકામાં સવારનો સૂરજ હજુ ઊગ્યો નહોતો, લોકોના હાથમાં ટૂથબ્રશ હતું અને કોફીના મગમાંથી ધુમાડા નીકળતા હતા. પણ સાત સમંદર પાર દિલ્હીમાં રાતના 10 વાગી રહ્યા હતા, આખું ભારત સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીને સૂવાની તૈયારીમાં હતું. બરાબર એ જ વખતે વડાપ્રધાન આવાસમાં ટ્રમ્પે ભારત સામે નમતું જોખીને ટેક્સનો દર 25%થી સીધો 18% કરી નાખ્યો છે! આપણે રશિયાનું તેલ લેવાનું બંધ કરવાની શરત માની છે એટલે 25%નો પનિશમેન્ટ ટેરિફ પણ ટ્રમ્પ દૂર કરી દેશે. બદલામાં મોટાભાગની અમેરિકન બજારની ચાવી આપણા હાથમાં આવી ગઈ છે. શું છે આ આખું નફા-નુકસાનનું ગણિત અને તમારા ધંધા પર તેની કેવી અસર પડશે? ચાલો, આજે વાત કરીએ ભારત અને અમેરિકાની ટ્રેડની નવી નક્કોર ડિલ વિશે, અને જોઈએ કે કેવી રીતે ભારતના વધતા કદને મદદ કરશે... નમસ્કાર... ટ્રમ્પનું ટેરિફની હથિયાર આખરે બુઠ્ઠું સાબિત થયું છે. આજે અમેરિકામાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન ઘુમાવ્યો, જેનો પડઘો દુનિયા સહિત ગુજરાતમાં પણ સંભળાયો. છેલ્લા ઘણા વર્ષોથી સુરતનો હિરા ઉદ્યોગ મંદીમાં હતો તે પાછો ધમધમશે તેવી આશા છે. કેમ? કારણ કે અમેરિકાએ ભારતીય માલ પરનો ટેરિફ 25 ટકા ઘટાડીને 18 ટકા કરી દીધો છે. આ 7 ટકાના ગેપથી ભારતના એક્સપોર્ટર્સને નફામાં નુકસાન ઘટશે. અંતે ટ્રમ્પે થૂંકેલું ચાટવું પડ્યું આ આખી વાતમાં વિલન છે અમેરિકામાં બેઠેલા ટ્રમ્પની ટેરિફ નીતિ અને એક અનસિન વિલન છે અમેરિકાના પીટર નવારો. વાત જાણે એમ છે કે ટ્રમ્પને થૂંકેલું ચાટવું પડ્યું છે. અમેરિકાએ ભારત પર ટેરિફનો વરસાદ કર્યો હતો તેના પર હવે પોતે જ પીછેહઠ કરવી પડી છે. ટ્રમ્પને સમજાયું ભારત વિના ઉદ્ધાર નથી આ મુદ્દાને સાવ સાદી રીતે સમજવો હોય તો કલ્પના કરો કે એક દુકાનદાર તમને જે વસ્તુ વેચતો હતો તેના ભાવ વધારી દે. સ્વાભાવિક છે તમે તે દુકાનની જગ્યાએ બીજી દુકાનેથી વસ્તુ લેશો કારણ કે ત્યાં તમને વસ્તુઓ મોંઘી મળી રહી છે. છેલ્લે કંટાળીને તે જ દુકાનદાર તમને ફોન કરીને કહે કે ભાઈ મારે તમારી જરૂર છે, ભાવ સસ્તો કરી દઉં છું. બસ ઓગસ્ટ 2025 અને ફેબ્રુઆરી 2026માં ભારત અમેરિકા વચ્ચે આવું જ કંઈક થયું છે. અમેરિકાએ ભારત પર આર્થિક ઘેરાબંધી કરી હતી તે હવે ઓછી થઈ ગઈ છે. કારણ કે આપણે અમેરિકાના દબાણમાં ન આવીને રશિયા પાસેથી તેલ ખરીદ્યું, યુરોપ સાથે રાતોરાત ડિલ પાડી દીધી અને આ બધું થયું તો ટ્રમ્પને તેમના જ લોકોએ સમજાવ્યું કે સાહેબ કે ભારત વગર આપણો ઉદ્ધાર નથી. મોદી અને ટ્રમ્પની જાહેરાતોમાં ફરક ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે તેમાં કહ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. પરંતુ નરેન્દ્ર મોદીએ એક્સ પર ટ્વિટ કરી તેમાં રશિયાના રનો પણ ઉલ્લેખ નથી. ટ્રમ્પે લખ્યું કે ભારત અમેરિકન સામાન પર ટેરિફ શુન્ય સુધી લઈ જશે, જો કે નરેન્દ્ર મોદીએ આ વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ભારત 500 અરબ ડોલરની અમેરિકન વસ્તુઓ ખરીદશે. જો કે નરેન્દ્ર મોદીએ 500 અરબ ડોલરનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. બસ આટલામાં બીટવિન ધ લાઈન્સ ઘણી વિગતોની ખબર પડી જાય છે. ટ્રમ્પના ટેરિફને સરળ રીતે સમજો વાત જાણે એમ છે કે ટ્રમ્પે ભારત પર 2025માં બે પ્રકારના ટેક્સ નાખ્યા હતા. એક રેસીપ્રોકલ ટેરિફ (25%) એટલે કે તમે ટેક્સ લગાવો તો અમે પણ લગાવીશું અને બીજો રશિયન ઓઈલ ખરીદી પર પનિશમેન્ટ ટેરિફ (25%) કારણ કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ લેતું હતું તે અમેરિકાને મંજૂર ન હતું. 25% અને 25% એમ કૂલ મળીને આપણા પર અમેરિકાએ 50 ટકાનો ટેરિફ નાખ્યો. જેના કારણે ભારતના માલની અમેરિકામાં કિંમતો વધી અને ભારતથી અમેરિકામાં માલ ઓછો પહોંચ્યો. પણ આજે ભારતે રશિયન ઓઈલ ખરીદવાની અમેરિકાની શરત સ્વિકારી લીધી અને બદલામાં અમેરિકાએ ટેરિફની પેનલ્ટી ઓછી કરી દીધી છે. એક ગુજરાતી તરીકે આપણું વેપારી મગજ સવાલ પૂછે કે, આમાં આપણને શું લેવાદેવા? તો ચાલો ડેટાથી સમજીએ... આનો સીધો મતલબ એ થયો કે અમેરિકાના મોલમાં ભારતનું ટી-શર્ટ વિયેતનામ, બાંગ્લાદેશ કે ચીન કરતા સસ્તું વેચાશે. સીધી વાત છે જેટલો માલ સસ્તો એટલો વધારે વેપાર... US-ભારત ડિલથી રશિયા રૂઠી જશે? આમાં આપણને એવું લાગે કે રશિયા તો આપણું જૂનું અને પાક્કું દોસ્ત છે તો તેની પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દઈએ તો તેને ક્યાંક ખોટું નહીં લાગી જાયને? પણ સામેની બાજુ રશિયા પણ જાણે છે ભારતની વિદેશનીતિ તટસ્થ અને કોઈના દબાણમાં ન આવે એવી છે. રશિયા ભારતના મામલામાં દખલ નથી કરતું કારણ કે તે આપણા સાર્વભૌમત્વનું માન જાળવે છે. રશિયા જાણે છે કે ભારત પોતાના નાગરિકોનું હિત પહેલા જોશે જે કોઈ પણ દેશ સ્વાભાવિક છે એવું જ વિચારે. ભારતે રશિયાના બદલામાં અમેરિકા પાસેથી એનર્જી સેક્ટરમાં ખરીદી કરવાની શરતો મૂકી છે. એટલે આપણે રશિયા પાસેથી તેલ પણ ખરીદીશું અને અમેરિકાના બજારની ચાવી પણ આપણી પાસે જ રહેશે. અમેરિકાએ વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પરના પ્રતિબંધો હળવા કરીને ભારતને ત્યાંથી તેલ ખરીદવાની મંજૂરી આપી છે. પણ જીઓગ્રાફિની દ્રષ્ટિએ રશિયાથી તેલ મગાવવું લોજિસ્ટિક્સની નજરે સસ્તું છે જ્યારે ભારતને પેલેપાર રહેલા વેનેઝુએલાથી તેલ ખરીદવામાં ભારતને ખોટ થઈ શકે છે. વેપાર 100 અરબ પણ નથી તે 500 અરબે પહોંચશે? ટ્રમ્પની વાત માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને 500 બિલિયન ડોલરનું કમિટમેન્ટ આપ્યું છે. ટૂંકમાં આ વાત ખાલી ટેક્સ ઘટાડવા સુધીની જ નથી પણ અમેરિકા પાસેથી એનર્જી, ટેક્નોલોજી અને ખેત પેદાશો ખરીદવાની પણ છે. આના કારણે અમેરિકાના ખેડૂતોને સસ્તી વસ્તુઓ મળશે અને તે ખુશ થશે. પણ બદલામાં અમેરિકા ભારતના IT અને ફાર્મા સેક્ટર માટે દરવાજા ક્યારે ખોલશે તે મોટો સવાલ છે. બીજી મહત્વની એ વાત છે કે વર્ષ 2024માં ભારતે અમેરિકા પાસેથી 41.5 અરબ ડોલરનો સામાન ખરીદ્યો હતો અને અમેરિકાએ ભારત પાસેથી 41.8 અરબ ડોલરનો સામાન ખરીદ્યો હતો. બંનેનો કુલ વેપાર 83 અરબ ડોલર છે, 100 અરબ ડોલર પણ નથી. તેમાં ભારત એકલું 500 અરબ ડોલરની અમેરિકન માલની ખરીદી કેવી રીતે કરશે તે એક મોટો ગેપ છે. ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થયો મંગળવારે સવારે શેરબજારના આંકડામાં જ વધારો નથી જોવા મળ્યો. ડોલર સામે રૂપિયાની તાકાતમાં પણ સુધારો જોવા મળ્યો છે. ડિલ પહેલા રૂપિયો ડોલર સામે 91 પર હતો જે હવે 90 પર આવી ગયો છે. જેના કારણે ભારતના જે વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા ગયા છે તેમને ફાયદો થશે અને આપણને દુનિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવામાં ખૂબ જ મોટો ફાયદો થશે. હવે ગુજરાત આ ડિલમાં ક્યાં છે અને આપણને શું ફાયદો થશે તેની વાત કરીએ. કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અમેરિકા ચીન પાસે 34 ટકા ટેક્સ વસૂલે છે અને હવે ભારત પાસેથી 18 ટકા વસૂલશે જેના કારણે દહેજ સહિત ગુજરાતની કેમિકલ કંપનીઓને ઓર્ડર બૂક કરવામાં ફાયદો થશે. બાંગ્લાદેશમાં અત્યારે રાજકીય સ્થિરતા નથી જેના પર અમેરિકા 20 ટકા ટેરિફ વસૂલે છે અને ભારત પર હવે 18 ટકા જ ટેક્સ વસૂલશે એટલે કાપડ વેપારમાં ફાયદો થઈ શકે અને ભારત ટેક્સટાઈલ માર્કેટમાં અમેરિકાનો નંબર વન સપ્લાયર બની શકે. લેબગ્રોન ડાયમંડ, હિરાની આયાત અને અમેરિકાના ટેરિફના કારણે વર્ષોથી સુરતના રસ્તનકલાકારોના ચૂલા ઠરેલા છે. હવે ટેરિફ 18 ટકા થતા સુરતના હિરા ઉદ્યોગની ડિમાન્ડ ન્યૂયોર્કની જ્વેલરી શોપમાં વધી શકે છે. કારણ કે અમેરિકામાં આજની પરિસ્થિતિએ પણ રશિયન હિરા પર બેન છે. સૌથી મોટો ફાયદો રૂપિયાની આંશિક પણ નાની મજબૂતીમાં છે. આ રિયલટાઈમ ફાયદો છે, બાકી ટેરિફ અને ફ્રી ટ્રેડ ડિલ સમય લઈ લે છે. હવે વાત કરીએ કે ભારત યુરોપની મધર ઓફ ઓલ ડિલ્સ અને અમેરિકાની ડિલમાં શું ફેર છે? આ ડિલ સરખી લાગતી હોય તો એવું નથી. બંને ડિલમાં ફરક છે. ભારત યુરોપ, અમેરિકા, રશિયા વચ્ચે બ્રિજ આ ડિલને જીઓપોલિટિક્સની નજરે જોઈએ તો યુરોપ અને અમેરિકાની કિટ્ટા થઈ ગઈ છે અને બીજી બાજુ અમેરિકાને રશિયા અને ચીન સામે થોડો વાંધો છે. બે ભાગમાં વહેંચાયેલી દુનિયામાં એક બાજુ અમેરિકા છે, બીજી બાજુ યુરોપ, રશિયા ચીન જેવા દેશો છે. આમાં ભારત ચીન છોડીને બધા વચ્ચે બરોબર બ્રિજ બનીને બેઠું છે. જયશંકર મોટી ડીલ પાર પાડી શકે વાણિજ્ય મંત્રીએ આજે સ્પષ્ટ કર્યું કે ભારત તેના ડેરી અને ખેતી સેક્ટરના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરે. ટ્રમ્પ ભલે ઝીરો ટેરિફ કહેતા હોય, પણ ભારત પોતાના ખેડૂતોનું રક્ષણ કરશે. મંત્રી ગોયલે કહ્યું કે આ સોદો તેના પડોશીઓની તુલનામાં ‘ભારતને મળેલો શ્રેષ્ઠ સોદો’ છે. બીજી બાજુ એસ. જયશંકર અત્યારે વોશિંગ્ટનમાં જ છે. સમાચાર છે કે આવતીકાલે તેઓ અમેરિકાના માર્કો રૂબિયો સહિતના ટોચના નેતાઓ સાથે ક્રિટિકલ મિનરલ્સ પર મોટી ડીલ કરી શકે છે. આજે 3 ફેબ્રુઆરીએ સવારે નોંધાયેલા વધારા બાદ દિવસના અંતે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો કારણ કે રોકાણકારો હવે આ ડીલની ફાઈન પ્રિન્ટ એટલે કે ઝીણી વિગતોની રાહ જોઈ રહ્યા છે. વિલન નવારોની સૂડી વચ્ચે સોપારી યાદ કરો સપ્ટેમ્બર 2025માં અમેરિકાના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારત વિશે અપમાનજનક વાતો કહી હતી. તેણે ભારતને મહારાજા ઓફ ટેરિફ કહ્યું હતું, રશિયન તેલને બ્લડ મની કહ્યું હતું, ભારતની આર્થિક પ્રગતિને વેમ્પાયર જેવી કહી હતી, કાસ્ટ સિસ્ટમ પર પણ કમેન્ટ કરી બ્રાહ્મણો નફાખોરી કરી રહ્યાનો આરોપ મૂક્યો હતો. હવે વારેઘડીએ નિવેદનોની ફેરફદુરડી ફરતા ટ્રમ્પના આ નિર્ણય વિશે તેમના ઈકોનોમિક એડવાઈઝર નવારો શું કહેશે તે મોટો સવાલ છે. આજ એ જ અમેરિકા ઘૂંટણ ટેકવીને સમજી ગયું છે કે 140 કરોડનું માર્કેટ અમેરિકન કંપનીઓ માટે ઓક્સિજન છે. જો શ્વાસ નહીં લે તો પતી જશે. અને છેલ્લે... થોડું કડવું છે પણ સત્ય છે. આપણે માનીએ છીએ કે ભારત રાજકીય અને આર્થિક લેવલે વિશ્વમાં મોટું થઈ રહ્યું છે પણ ટેરિફ લગાવવાનો નિર્ણય અને હટાવવાનો નિર્ણય પણ ટ્રમ્પ જ લઈ રહ્યા છે. આટલું જ નહીં જાહેરાત પણ તેઓ જ કરી રહ્યા છે. બજારમાં વાતો થઈ રહી છે કે ભારતનું શેરમાર્કેટ વધે-ઘટે કે રૂપિયાનું જોર ડોલર સામે વધે-ઘટે તે પણ ટ્રમ્પના નિવેદનો જ ડિસાઈડ કરી રહ્યા છે. જે જાહેરાત ભારતને કરવાની હોય તે દુનિયા આગળ ટ્રમ્પ કરી રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
12 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:47 PM
એલેક્સ હોનોલ્ડે સેફ્ટી ગિયર વિના તાઇપેઈ 101 ગગનચુંબી ઈમારત પર ચડાઈ કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો

એલેક્સ હોનોલ્ડે સેફ્ટી ગિયર વિના તાઇપેઈ 101 ગગનચુંબી ઈમારત પર ચડાઈ કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો

વિશ્વપ્રસિદ્ધ અમેરિકન પર્વતારોહક એલેક્સ હોનોલ્ડે ફરી એકવાર અશક્યને શક્ય કરી બતાવ્યું છે. `ફ્રી સોલો' (Free Solo) ક્લાઇમ્બિંગના કિંગ ગણાતા હોનોલ્ડે તાજેતરમાં તાઇવાનની આઇકોનિક ગગનચુંબી ઈમારત `તાઇપેઇ 101' પર કોઈ પણ જાતની સેફ્ટી, દોરડા કે હાર્નેસ વિના ચઢાણ કરીને નવો વિશ્વવિક્રમ રચ્યો છે. હોનોલ્ડે અગાઉ અમેરિકાના `અલ કેપિટન' પહાડને સુરક્ષા વિના સર કર્યો હતો. તેમણે આ વખતે કુદરતી ખડકોને બદલે કોંક્રીટ અને કાચની સીધી દીવાલો પસંદ કરી હતી. ગત 25 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયેલી આ ઐતિહાસિક ઇવેન્ટમાં તેમણે 1667 ફૂટ ઊંચી અને 101 માળ ધરાવતી તોતિંગ ઈમારતને આશ્ચર્યજનક ઝડપે સર કરી હતી. પહાડો પર પથ્થરોની કુદરતી પકડ (grips) મેળવવી અલગ બાબત છે, પરંતુ કાચ જેવી લીસી ઈમારત પર સેંકડો ફૂટ ઊંચે પકડ જમાવવી અત્યંત જોખમી હોય છે. તેમ છતાં હોનોલ્ડે અદ્ભુત માનસિક સંતુલન અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર સાહસનું જીવંત પ્રસારણ એક ઓટીટી એપ પર કરવામાં આવ્યું હતું, જેણે દુનિયાભરના લોકોને શ્વાસ થંભાવી દેવા મજબૂર કર્યા હતા. તેમની આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ માનવ મર્યાદાઓને પડકારતું એક અનોખું ઉદાહરણ છે.
21 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:46 PM
માનવ જીવનની અણધારી પ્રકૃતિઃ વ્યક્તિત્વની ઉજવણી

માનવ જીવનની અણધારી પ્રકૃતિઃ વ્યક્તિત્વની ઉજવણી

માણસની જિંદગી ખૂબ જટિલ હોય છે. દરેકની જિંદગી એકબીજાથી તદ્દન જુદી હોય છે. જિંદગી ક્યારે કેવો ટર્ન લે એનું કંઇ નક્કી હોતું નથી. રાજા હોય એ રંક થઇ જાય છે. બે ટાઇમ ખાવાનાં ફાંફાં હોય એ માણસ અચાનક જ જાહોજલાલીમાં આળોટવા લાગે છે. માણસની માનસિક સ્થિતિ પણ ક્યારે બદલાઈ જાય એનું કંઇ નક્કી હોતું નથી. મજબૂત દેખાતો માણસ ગમે ત્યારે નંખાઇ ગયો હોય એવો લાગવા માંડે છે. ડાહ્યો હોય એ પાગલ જેવું વર્તન કરવા લાગે છે. માણસને પારખી કે માપી શકાતો નથી. દુનિયામાં સૌથી વધુ કંઇ અઘરું હોય તો એ માણસને પ્રિડિક્ટ કરવાનું છે. માણસ વિશે પહેલેથી એવું કહેવાતું આવે છે કે, દરેક માણસ જુદો છે. દરેકની વૃત્તિ, પ્રકૃતિ, આદત અને દાનત જુદી જુદી હોય છે. માણસની સરખામણી કોઇની સાથે ન થઇ શકે. માણસની સરખામણી બીજા કોઇ પશુ, પક્ષી કે પ્રાણી સાથે તો ન જ થઇ શકે. એક માણસની સરખામણી બીજા માણસ સાથે પણ કરી શકાય નહીં. એનું કારણ એ જ છે કે, દરેક માણસ નોખો અને અનોખો હોય છે. એક સાથે જન્મેલાં ટ્વિન્સ બાળકો પણ જો એકસરખાં ન હોય, તો બીજો માણસ તો ક્યાંથી કોઇના જેવો હોવાનો છે. આખી દુનિયા આ વાત જાણતી હોવા છતાં લોકો ઘણી વખત માણસ જાતને કોઇની સાથે રિલેટ કરતા હોય છે. હમણાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક પેગ્વિંનની સ્ટોરી વિશે એવું જ થઇ રહ્યું છે.
80 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:45 PM
સુરજિત અઠવાલઃ એ વુમન ક્વેસ્ટ ફોર ફ્રીડમ ઇન 1990s ઇન્ડિયા

સુરજિત અઠવાલઃ એ વુમન ક્વેસ્ટ ફોર ફ્રીડમ ઇન 1990s ઇન્ડિયા

ડિસેમ્બર, 1998ની એ ઠંડી અને ધુમ્મસભરી સવાર હતી, જ્યારે 27 વર્ષની સુરજિત અઠવાલ લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ પર ઊભી હતી. તેની આસપાસના લોકો માટે તે માત્ર એક સામાન્ય મુસાફર હતી. પરંતુ સુરજિતના મનમાં ભય અને અનિશ્ચિતતાનું તોફાન ચાલતું હતું. લંડનના સાઉથોલ જેવા પંજાબી ગઢ ગણાતા વિસ્તારમાં રહેતી આ યુવતી તેની 70 વર્ષીય સાસુ બચન કૌર અઠવાલ સાથે ભારત જવા રવાના થઈ રહી હતી. સુરજિતનો દેખાવ અત્યંત પ્રભાવશાળી હતો. ગહન અને નમણી આંખો, ચહેરા પર એક કુદરતી તેજ અને બે નિર્દોષ સંતાનોની મમતા. તેને કહેવામાં આવ્યું હતું કે, તેઓ પંજાબમાં તેના કોઈ એક કૌટુંબિક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં છે, પરંતુ જે ક્ષણે વિમાનનાં પૈડાં રનવે પરથી ઊંચકાયાં, તે જ ક્ષણે તેના જીવનનો ઊલટો ક્રમ શરૂ થઈ ગયો હતો. લંડનની આધુનિકતા અને પશ્ચિમી મોકળાશમાંથી નીકળીને પંજાબનાં અંતરિયાળ ગામડાંઓ તરફની આ સફર ખરેખર તો તેની અંતિમ યાત્રા બનવાની હતી. સુરજિતનો ગુનો માત્ર એટલો જ હતો કે તે એક એવી સ્ત્રી હતી, જેણે પરંપરાના નામે થતા દમન સામે માથું ઊંચક્યું હતું. તે બ્રિટિશ મૂલ્યોમાં રંગાયેલી હતી અને પોતાની મરજી મુજબ જીવવા માંગતી હતી, જે તેનાં સાસરિયાંઓના કટ્ટરપંથી માળખામાં ક્યાંય ફિટ બેસતું નહોતું.
66 shares
😢
Sandesh logo
Sandesh
Feb 3, 2026, 11:43 PM
શારીરિક પ્રેમની નિરર્થકતાઃ એક ખૂની વાર્તા

શારીરિક પ્રેમની નિરર્થકતાઃ એક ખૂની વાર્તા

ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'માં પોતે કરેલા પત્નીના ખૂન વિશે પોઝ્નીશેફ નામનો એક માણસ અજાણ્યા સહયાત્રીને એકડે એકથી આખી કથા કહી રહ્યો છે. વાતવાતમાં તે એ હદે દલીલ કરે છે કે શારીરિક પ્રેમ સાવ જ નકામો છે. આવી વિચિત્ર દલીલ તેણે આ રીતે કરી. ***
28 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 11:00 PM
નર્મદા નહેર વિસ્તારમાં પક્ષીઓની વસ્તી ગણતરીમાં 95 પ્રજાતિઓમાં 797 પક્ષીઓ નોંધાયા

નર્મદા નહેર વિસ્તારમાં પક્ષીઓની વસ્તી ગણતરીમાં 95 પ્રજાતિઓમાં 797 પક્ષીઓ નોંધાયા

કેવડિયા ( એકતાનગર)માં નર્મદા કેનાલ વિસ્તારમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી જેમાં 95 પ્રજાતિના 797 પક્ષીઓ નોંધવામાં આવ્યાં છે. રાજપીપળામાં આવેલી દેશની એક માત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના 45 વિદ્યાર્થીઓ અને સરદાર ઝુઓલોજી પાર્કના નિષ્ણાંતો તરફથી પ વિશ્વ આદ્રભૂમિ દિવસની ઉજવણીના ભાગરૂપે, સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે વન્ય જીવ સંરક્ષણ અને જાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. નર્મદા કેનાલના જલપ્લાવિત વિસ્તારમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. સ્કુલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજયસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ ઝુઓલોજી વિભાગના 45 વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકી અને ડૉ. પ્રગતિબા ચુડાસમા આ અભિયાનમાં જોડાયા હતા. આ ગણતરીમાં ઝૂલોજીકલ પાર્કની ટીમ અને ઇન્ટર્નશિપ કરી રહેલા વન્યજીવ ઉત્સાહીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઝૂલોજીકલ પાર્કના એજ્યુકેશન એન્ડ ઓઉટરીચ ઓફિસર ડૉ. શશીકાંત શર્મા અને દર્ષિત શાહની ટીમનેે સમગ્ર કેનાલ વિસ્તારને 6 અલગ-અલગ પોઈન્ટમાં વહેંચવામાં આવ્યા હતા. અનુભવી બર્ડ વોચર્સની કેપ્ટનશીપ હેઠળ વિવિધ ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મુખ્યત્વે કાંસ્યપંખ, જલ માંજર, સર્પગ્રીવ, ઢોર બગલા, મોટા-નાના અને વચેટ બગલા, રાખોડી બગલો, વણ બગલો, રાત બગલો, નાનો-મોટો કાજીયો, લટોરો અને ટિટોડી જેવા પક્ષીઓ નોંધાયા હતા. આ ઉપરાંત, શિકારી પક્ષીઓમાં મોટી લરજી, ચોટીલો સાપ માર, મત્સ્યભોજ, શ્વેતનેણ ટીસો અને મધીયો બાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.પક્ષીઓની 95 પ્રજાતિઓ અને કુલ 797 પક્ષીઓ નોંધવામાં સફળ રહ્યા હતા. પક્ષીઓને ઓળખવા માટેની રીતોને જાણો પક્ષીનો આકાર અને કદ પક્ષી ગણતરી કરવા શું કરશો
91 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:57 PM
જગદ્ગુરુની મુલાકાત તીર્થસ્થળમાં ભક્તિમય ઉત્સાહ લાવે છે

જગદ્ગુરુની મુલાકાત તીર્થસ્થળમાં ભક્તિમય ઉત્સાહ લાવે છે

યાત્રાધામ દ્વારકામાં શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની શારદામઠ ખાતે પધરામણી થઇ હતી.તેઓના આગમનના પગલે યાત્રાધામમાં ધાર્મિક ઉલ્લાસ અને આધ્યાત્મિક આનંદનુ વાતાવરણ સર્જાયુ છે. શારદામઠ ખાતે પરંપરાગત રીતિ રિવાજ અનુસાર સ્વાગત-પૂજન ચારેય શંકરાચાર્યજીની માંગ છે કે, ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે. દ્વારકાધીશની પૂજા કરવા દ્વારકાધીશ મંદિરે જવું પડશે, મહાદેવની પૂજા કરવી હોય તો શિવાલયમાં જવું પડશે પરંતુ ગૌમાતાની પૂજા કરવાથી સમસ્ત દેવતાઓની પૂજાનું ફળ મળે છે એટલે સર્વે હિન્દુઓએ ગૌમાતાની પૂજા કરવી જોઈએ.
41 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:57 PM
પાલનપુરના રહેવાસીઓએ ગેસ ગળતરની ઘટના બાદ કાટમાળ દૂર કરવાની માંગ કરી

પાલનપુરના રહેવાસીઓએ ગેસ ગળતરની ઘટના બાદ કાટમાળ દૂર કરવાની માંગ કરી

પાલનપુરમાં બે વર્ષ અગાઉ માલણ દરવાજા વિસ્તારમાં આવેલા ભંગારવાડામાં ગેસ કટર માટે ઉપયોગમાં લેવાતા એસિટિલિન ગેસની બોટલ લીકેજ થતાં 100થી વધુ લોકોને અસર થઇ હતી. જે પછી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ત્રણ ભંગારવાડા શહેરથી દૂર ખસેડી દેવાયા હતા. તેમજ અન્ય 10 ભ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા આ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેતાં વર્તમાન સમયે માલણ દરવાજા વિસ્તારમાં પોલીટેકનિક કોલેજ સ્ટેન્ડની બાજુમાં, સ્મશાનની સામે, માલણ દરવાજા ચોકડીની સામે, મીરા દરવાજા કબ્રસ્તાનની બાજુમાં, જનતાનગર ચાર રસ્તાની બાજુમાં તેમજ હાઇવે એરોમા ફેકટરી નજીક ગેરકાયદે ભંગારવાડા જોવા મળી રહ્યા છે. જ્યાં પુન: હોનારતથી લોકો મુશ્કેલીમાં મુકાય તે પહેલા ભંગારવાડા દૂર કરવા જોઇએ તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. રહેણાંક મકાનોથી 500 મીટર, શહેરથી 1 કિ.મી. દૂર ભંગારવાડો રાખવાનો નિયમસામાન્ય રીતે ભંગારવાડો રહેણાંક વિસ્તારથી ઓછામાં ઓછું 500 મીટર અને શહેરની મ્યુનિસિપલ હદથી લગભગ 1 કિલોમીટર દૂર હોવો જોઈએ એવી માર્ગદર્શિકા અમલમાં છે. સ્કૂલ, હોસ્પિટલ અને બજાર જેવી સંવેદનશીલ જગ્યાથી પણ યોગ્ય અંતર રાખવું જરૂરી છે. ભંગારવાડામાં ગેસ સિલિન્ડર, ઓઇલ, વાહન કટિંગ કે વેલ્ડિંગ થતું હોય તો દુર્ઘટનાનો ખતરો વધારે રહે છે. આ કારણે મ્યુનિસિપાલિટી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી પણ ફરજિયાત છે. :> બિપીન ઠાકોર (નિવૃત નાયબ મામલતદાર, પાલનપુર) ભંગારવાડા દૂર થશે: પ્રમુખપાલનપુર શહેરમાં જે ગેરકાયદે ભંગારવાડા છે તે જમીન સીટી મામલતદાર કચેરી દ્વારા શ્રી સરકાર થયેલી છે. જેથી પાલિકા સીધી કાર્યવાહી કરી શકતી નથી. મામલતદાર અધિકારીના આદેશથી ભંગારવાડા શહેરથી દૂર ખસેડવામાં આવશે. > ચિમનભાઇ સોલંકી ( પ્રમુખ, પાલિકા,)
25 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:56 PM
માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આદર અને મૂલ્યોને પ્રોત્સાહન આપે છે

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આદર અને મૂલ્યોને પ્રોત્સાહન આપે છે

વઢવાણની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ આર.જે.દોશી સનરાઈઝ સ્કૂલ અને ગોવિંદસિંહજી રાણા હાઈસ્કૂલ ખાતે તા. 3 ફેબ્રુઆરી-2026ને મંગળવારે માતૃ- પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં માતા-પિતા પ્રત્યે આદર અને સંસ્કારોનું સિંચન કરવાનો હતો. યોગ વેદાંત સમિતિના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની પ્રતીતિ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 થી 200 જેટલા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે શાસ્ત્રોક્ત વિધિ અને આદરપૂર્વક માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતુ. અને એલકેજીથી ધો. 9 સુધીના 85થી વધુ વિદ્યાર્થીઓએ માતા- પિતાની પરિક્રમ કરી આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી. શિસ્તબદ્ધ વ્યવસ્થા અને આધ્યાત્મિક વાતાવરણને કારણે કાર્યક્રમ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો હતો. શાળા પરિવારે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો દ્રઢ બને છે. યોગ વેદાંત સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સમગ્ર પંથકમાં બિરદાવવમાં આવ્યો હતો. વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવ્યાહાલ મોબાઇલ-ટીવી અને દોડધામ વાળી લોકોની જીંદગી થઇ ગઇ છે. ધંધો-રોજગાર અને જવાબદારી તેમજ સમયના અભાવે માતા-પિતા અને સંતાનો વચ્ચે અંતર વધી ગયુ છે. ત્યારે ઘરમાં બાળકો માટે સમય ફાળવી તેમજ માતૃ-પિતા વંદનાની દૈનિક પ્રક્રિયાથી આ અંતર દૂર થઇ શકે છે. આથી આ શાળામાં જ્યારે સંતાનોના હસ્તે સન્માન મેળવીને અનેક વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. માત્ર વાલીઓ જ નહીં, પણ હાજર રહેલા શિક્ષકગણ પણ આ ક્ષણો જોઈને ગદગદિત થઈ ગયા હતા.
27 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:54 PM
ગુજરાત સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી, નોંધણીની સમયમર્યાદા નક્કી

ગુજરાત સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી, નોંધણીની સમયમર્યાદા નક્કી

ગુજરાત સરકારે ઘઉંની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. 4 માર્ચથી રૂ.2585 પ્રતિ ક્વિન્ટલના દરે ઘઉંની ખરીદી શરૂ થશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આ તારીખથી ખરીદીનો આરંભ થશે. ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતો માટે 1 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી ફરજીયાત રાખવામા ખરીદી દરમિયાન બાયોમેટ્રિક પ્રક્રિયા અમલમાં રહેશે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે રવિ પાક અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ રૂ.2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરાશે.ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતો 1 માર્ચ,2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. જે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે કરવામાં આવશે. નોંધણી માટે આધાર કાર્ડ, અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8/અ, પાક વાવણીની એન્ટ્રી અથવા તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક જરૂરી રહેશે. નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂતોને ખરીદીની તારીખ અને સમયની માહિતી મેસેજ દ્વારા આપવામાં આવશે. ખરીદી સમયે ઓળખપત્ર અને બાયોમેટ્રિક ચકાસણી બાદ જ ઘઉંની ખરીદી થશે. પ્રથમ વાર બાયોમેટ્રિક પ્રક્રિયા ફરજીયાતઆ વર્ષે રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પ્રથમવાર સંપૂર્ણપણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન આધારિત રહેશે. ઘઉંની પ્રત્યક્ષ ખરીદીનો પ્રારંભ 4 માર્ચથી થઈ 15 મે 2029 સુધી ચાલશે. દસ્તાવેજોમાં કોઈ ખોટી માહિતી જણાશે તો નોંધણી રદ કરવામાં આવશે. નોંધણી અંગે માર્ગદર્શન માટે ખેડૂતોએ હેલ્પલાઇન નંબર 8511171718/19 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
54 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:54 PM
દ્વારકાધીશ જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણીઃ એક રંગબેરંગી વસંત ઉત્સવ

દ્વારકાધીશ જગત મંદિરમાં વસંત પંચમીની ઉજવણીઃ એક રંગબેરંગી વસંત ઉત્સવ

વસંત પંચમીના પાવન પર્વથી વસંત ઋતુના આગમન સાથે યાત્રાધામ દ્વારકામાં સ્થિત વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં વસંતોત્સવની ભવ્ય અને પરંપરાગત શરૂઆત થઈ છે. આ અવસરે ભગવાન દ્વારકાધીશને શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતી દરમિયાન અબીલ ગુલાલથી ખેલાવવામાં આવી રહ્યા મંદિર પરંપરા મુજબ વસંત ઋતુની શરૂઆતથી લઈને ફાગણ માસના હોળાષ્ટક સુધી પૂજારી પરિવાર દ્વારા શ્રીજીના ગાલના ભાગમાં અબીલ-ગુલાલના સૌમ્ય છાંટણા કરવામાં આવે છે. આ અલૌકિક દૃશ્યના દર્શનનો લાભ બંને આરતી સમયે ઉપસ્થિત રહેતા હજારો ભાવિકોને પ્રાપ્ત થાય છે. વસંતના રંગો સાથે ભગવાન દ્વારકાધીશ ભાવિકોને પોતાના રંગમાં રંગતા હોય તેવી ભાવ સભર અનુભૂતિ સર્જાય છે. આગામી પખવાડીયામાં હોળાષ્ટક બેસતાં જ ઉત્સવની રંગીનતા પણ વધુ ઉલ્લાસભરી બનશે. આ સમયગાળા દરમિયાન શ્રીજી શ્વેત વાધામાં અલંકૃત રહેશે તેમજ અબીલ-ગુલાલની પોટલી અને કેસુડા ના કુદરતી રંગોથી ભરેલી પીચકારી સાથે સવાર-સાંજની આરતી દરમિયાન ભાવિકો સાથે રંગોત્સવ માણશે. વસંતોત્સવ દરમિયાન દ્વારકાધીશજીના દર્શનાર્થે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા ભાવિકોની સુવિધા અને વ્યવસ્થા સુચારુ રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશ જગતમંદિરમાં વસંત ઋતુના આ પાવન પ્રસંગે ભક્તિ, પરંપરા અને ઉત્સવનો અનોખી સંગમ છટા ફરી એકવાર ભાવિકોના હૃદયમાં આધ્યાત્મિક આનંદ અને ઉલ્લાસ ભરશે.
77 shares
😊
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:53 PM
ભાવનગર-ઉધમપુર ટ્રેન બંધ કરવાની અને નવા રૂટની દરખાસ્તો

ભાવનગર-ઉધમપુર ટ્રેન બંધ કરવાની અને નવા રૂટની દરખાસ્તો

ભાવનગર-ઉધમપુર (શહિદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ) સાપ્તાહિક ટ્રેન લાંબા સમયથી બંધ છે અને હજુ જુન સુધી તેના શરૂ થવાના કોઇ અણસાર નથી. આ ટ્રેનની રેક લાંબા સમયથી ભાવનગરના સ્ટેશનો પર ફાજલ અવસ્થામાં છે, અને તેના પાર્કિંગ અંગેના તથા રેકની હે ટ્રેન નં.19107 ભાવનગર-ઉધમપુર ટ્રેન ઉત્તર ભારતમાં ચાલી રહેલી મરામત અને અન્ય કારણોથી લાંબા સમયથી બંધ કરવામાં આવી છે અને હજુ જુન મહિના સુધી તેના ચાલુ થવાના અણસાર ધુંધળા છે. અગાઉ પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેનની રેક પાલિતાણામાં ફાજલ પડી રહેતી હતી અને સપ્તાહમાં માત્ર એક જ વખત તેનો ઉપયોગ થતો હતો, તે બાદમાં મુંબઇથી અન્યત્ર ઉપયોગ થવા લાગ્યો અને બાંદ્રા-પાલિતાણાનો સમય થાય ત્યારે જ તેને લાવવામાં આવે છે. ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને સપ્તાહમાં બે વખત સંચાલિત કરવાની રજૂઆત સરકાર સમક્ષ આવેલી છે, આ ટ્રેન શુક્રવારે ભાવનગરથી ઉપાડી અને રવિવારે પરત આવી શકે તેના માટે શેડ્યુલ સહિતની બાબતો ગોઠવાઇ રહી છે. ફાજલ રેક પડી રહે તો અન્યત્ર ટ્રાન્સફર થવાનું જોખમપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન ઉત્તર ભારતમાં ચાલી રહેલા મરમત કાર્યને કારણે બંધ છે, ક્યારે શરૂ થવાની છે તે નક્કી નથી. આવી ફાજલ રેક પર રેલવે તંત્રની નજર જ હોય છે, અને અન્ય ડિવિઝનોમાં તેને ફાળવી દેવામાં આવે છે. ત્યાંથી પુન: તેને લાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. - કે.ટી. મીના, પૂર્વ અધિકારી રેલવે ટ્રાફિક, એક્સપર્ટ શા માટે જરૂરી છે ફાજલ રેકનો ઉપયોગ?રેલવે તંત્રનો ચોક્કસ વિભાગ ફાજલ રેકનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના માટે નિયુક્ત હોય છે. ફાજલ રેકને અન્યત્ર દોડાવવામાં આવે તો મુસાફરોને ટ્રેનોની સવલત મળી રહે અને રેલવે તંત્રને પણ તેના થકી નોંધપાત્ર આવક મળી શકે તેમ છે.
42 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:51 PM
વરરાજાના લગ્નના દિવસે ફટાકડા ફોડવાથી અફડાતફડી મચી

વરરાજાના લગ્નના દિવસે ફટાકડા ફોડવાથી અફડાતફડી મચી

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વરઘોડા દરમિયાન ફટાકડાના અવાજથી ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા હતા. જેમને આંતરડાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી આ ઘટનાને પગલે લગ્ન પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા. ​ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા પરંપરાગત સાફા અને શેરવાની પહેરીને ઘોડે ચડીને જાન લઈને નીકળ્યા હતા. ઢોલ-નગારાના તાલે સંબંધીઓ નાચી રહ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાના જોરદાર અવાજથી ઘોડો અચાનક ભડક્યો હતો. ઘોડાએ છલાંગ લગાવતા વરરાજા સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા. વરરાજાને પેટના ભાગે સખત દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પટકાવાને કારણે આંતરડામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થવાની ભીતિ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાથી જે ઘરમાં ગીતો ગવાતા હતા અને મહેમાનોની ચહેલપહેલ હતી, ત્યાં હવે સન્નાટો વ્યાપી ગયો છે. જાન લઈને નીકળવાની તૈયારીઓ વચ્ચે વરરાજા હોસ્પિટલના બિછાને પહોંચતા પરિવારજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. કન્યા પક્ષે પણ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને પક્ષોની સહમતીથી હાલ લગ્નની તમામ વિધિઓ અટકાવી દેવામાં આવી છે.
29 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:51 PM
ભારતના હિમ્મતનગરમાં મોતીપુરા પાર્કિંગ સુવિધાનું બાંધકામ ચાલી રહ્યું છે

ભારતના હિમ્મતનગરમાં મોતીપુરા પાર્કિંગ સુવિધાનું બાંધકામ ચાલી રહ્યું છે

હિંમતનગરના મોતીપુરામાં ઇમ્પેકટ ફીની થયેલ આવક થકી 1 કરોડના ખર્ચે અદ્યતન પાર્કિગ બનાવાઇ રહ્યું છે. જેમાં મોતીપુરાથી પસાર થતી કેનાલ પર 80 મીટર જેટલો સ્લેબ નાખવા સહિત સિંચાઇ વિભાગની જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરી ગાંધીજીના સ્મારક સુધીનો વિસ્તાર કવર કરી વિશા પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, ઇમ્પેકટ અધિનિયમ અંતર્ગત જમા થયેલ ફી થકી શહેરના મોતીપુરા ખાતે પ્લુટો હોસ્પિટલની સામે 6000 સ્કવેર ફૂટ જગ્યામાં અદ્યતન પાર્કિંગ ડેવલપમેન્ટનું કામ હાથ ધરાયું છે. મેઇન કેનાલની બાજુમાં નીકળતી ગંદા પાણીની કેનાલને અંદાજે 80 મીટર જેટલી લંબાઈમાં આરસીસી સ્લેબ નાખી ઢાંકી દેવાશે. સિંચાઇ વિભાગના જર્જરિત બાંધકામને દૂર કરી ગાંધીજીના સ્મારક સુધીનો વિસ્તાર આવરી લેવાશે.
89 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:51 PM
બોટાદ આરોગ્ય વિભાગે કેન્સર જાગૃતિ અને નિવારણને પ્રોત્સાહન આપ્યું

બોટાદ આરોગ્ય વિભાગે કેન્સર જાગૃતિ અને નિવારણને પ્રોત્સાહન આપ્યું

બોટાદ જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 4 ફેબ્રુ આરીના સમગ્ર જિલ્લામાં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણી કરવામાં આવશે. આજના સમયમાં વધતો તણાવ, બદલાતી જીવનશૈલી, અનિયમિત ખાવા-પીવાની આદતો, વધુ પડતાં તૈલીય ખોરાક, તમાકુ તથા દારૂનું સેવનના કારણે હાલનાં સમયમાં કેન્ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનતામાં આરોગ્ય અંગે જાગૃતિ લાવીને ભવિષ્યમાં કેન્સરથી વધુને વધુ લોકોને સુરક્ષિત રાખવાનો છે. આ અવસર પર આયુષ્માન આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે બ્લડપ્રેશર માપવું, ડાયાબિટીસની તપાસ, તેમજ વજન અને ઊંચાઈના આધારે BMI (મેદસ્વીતા)ની ચકાસણી કરવામાં આવશે. તબીબી સલાહ અને નિયમિત તપાસ દ્વારા કેન્સર જેવી બીમારીઓનું સમયસર નિદાન અને સારવાર શક્ય બની શકે છે, જે સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે અત્યંત જરૂરી છે. અપનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરવામાં આવી છે. કરો જીવનમાં ફેરફાર, મોકલો કેન્સરને પેલે પાર સંદેશ સાથે બોટાદ આરોગ્ય વિભાગની અપીલહાલમાં બોટાદ જિલ્લામાં અંદાજે 500થી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયેલા છે, જેમાંથી 384 દર્દીઓ સરકારની વિવિધ તબીબી સહાય યોજનાઓ હેઠળ આર્થિક સહયોગ મેળવી રહ્યાં છે. આ આંકડો પોતે જ કેન્સર સામે જાગૃતિ અને નિવારણની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેમાં જિલ્લા સ્તરના તમામ આરોગ્ય અધિકારી ઓ તથા કર્મચારીઓ જોડાશે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિ કોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈને આરોગ્ય સેવાઓનો લાભ લેવા અને “કરો જીવનમાં ફેરફાર, મોકલો કેન્સરને પેલે પાર” આ સંદેશ સાથે બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા જનતાને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરવામાં આવી છે.કેન્સરના દર્દીને 1000ની સહાયઆ બાબતે બોટાદ આરોગ્ય વિભાગના ગૌતમભાઈ ભુવા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, બોન મેરોવ કેન્સર, આંતરડાનું કેન્સર, બ્લડ કેન્સર વગેરે 384 જેટલા કેસ કેન્સરના કેસ છે. આ દર્દીઓને સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જિલ્લામાં આરોગ્યની સુવિધાનો અભાવબોટાદમાં સરકારી સોનાવાલા હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં ડોક્ટરો નથી તેમજ અપૂરતો સ્ટાફ છે, આધુનિક મશીનરી સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જિલ્લાના નાગરીકોને આરોગ્યની સુવિધાઓ માટે અન્ય જિલ્લામાં ધક્કા ખાવા પડે છે.
48 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:49 PM
દમણની ડિજિટલ ચૂકવણીમાં અડચણઃ માત્ર રોકડ દંડ વાહન ચાલકોના દુઃખનું કારણ બને છે

દમણની ડિજિટલ ચૂકવણીમાં અડચણઃ માત્ર રોકડ દંડ વાહન ચાલકોના દુઃખનું કારણ બને છે

વર્ષ 2016–17માં સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાનહ પ્રશાસન દ્વારા દમણને “ડિજિટલ પેમેન્ટ અપનાવનાર પ્રદેશ” તરીકે ઘોષિત કરાયું હતું. તે સમયે ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરી વ્યાપક પ્રચાર-પ્રસાર હાથ ધરાયો હતો. સરકારી કચેરીઓમાં ડિજિટલ લેવડ દમણ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા દરરોજ હેલ્મેટ ન પહેરવું, રોંગ સાઈડ વાહન ચલાવવું, દસ્તાવેજોની અછત સહિતના વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોટી સંખ્યામાં ચાલાન કાપી રહ્યા છે. જોકે, આ ચાલાન માટે ડિજિટલ પેમેન્ટ અથવા ઈ-ચાલાનની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, અને દંડની રકમ માત્ર કેશમાં જ લેવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકો પાસે કેશ ન હોવાથી તણાવની સ્થિતિ સર્જાય છે. ઘણી વખત વાહનચાલકો અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વચ્ચે વાદવિવાદની ઘટનાઓ સામે આવે છે. વિકાસના કામોમાં કરોડોનો ખર્ચનાનકડા સંઘપ્રદેશ દમણમાં વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાઇ રહ્યો છે. જેથી પર્યટકોને સારી સુવિધા મળી રહે. દમણને ડિજિટલ પ્રદેશ તરીકે રજૂ કરવા પણ કરોડો ખર્ચ કરાયું ત્યારે ટ્રાફિક વિભાગને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી કેમ વંચિત રખાયું તે સવાલ ઉભો થાય છે.
81 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:49 PM
મહુદામાં વૃદ્ધને માર મારવામાં આવ્યો અને સંમતિ વિના જમીન વેચવામાં આવી

મહુદામાં વૃદ્ધને માર મારવામાં આવ્યો અને સંમતિ વિના જમીન વેચવામાં આવી

મહુધા તાલુકાના મહીસા ખાતે શારીરિક અને માનસિક પથારીવશ અશક્ત વૃધ્ધનો એકલતાનો લાભ લઈ વૃધ્ધાના દીકરાનો સાળો અને સાળાના જમાઈ સહિત અન્ય ત્રણ ઇસમોએ મળી વૃધ્ધને દવાખાને લઇ જવાનું કહી મહુધા સબરજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી બારોબાર જમીન વેચી નાખવા મામલે વૃધ્ધના ભાઈઓ મહુધા સબરજિસ્ટ્રાર કચેરી છેલ્લાં ઘણાં સમયથી વિવાદોના ઘેરામાં આવી છે. એક માસ અગાઉ પણ મૂળ ખેડૂતની જગ્યાએ ભળતાં વ્યક્તિને દસ્તાવેજ દરમ્યાન સબરજિસ્ટ્રાર સમક્ષ ઊભો કરી બોગસ દસ્તાવેજ કરવાની પેરવી કરવામાં આવી રહી હતી.પરંતુ સબરજિસ્ટ્રારને શંકા જતાં તાબડતોબ કચેરીમાં પોલીસ બોલાવી લેવામાં આવી હતી.પરંતુ સમગ્ર મામલે ફરિયાદ કરવાની વાત આવતાં ખૂદ સબરજિસ્ટ્રાર પણ ફરિયાદી બનવાં તૈયાર ન થતાં સમગ્ર મામલો દબાઈ ગયો હતો. ત્યારે વધુ એક વખત મહુધા સબરજિસ્ટ્રારની કચેરીમાં શારીરિક અને માનસિક પથારીવશ અશક્ત વૃધ્ધને ટીંગાટોળી કરી તેઓની જમીન વેચી મારી હોવાની ઘટનાં સામે આવી છે.ત્યારે કનુભાઈ વિઠ્ઠલભાઈ અને અશોકભાઈ મણિભાઈ પરમારે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરી છે.જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓના મોટાભાઈ નટુભાઈ વિઠ્ઠલભાઈ વણકરવાસ મહીસા મુકામે રહે છે અને તેમના પુત્ર અરવિંદભાઈનું પાંચ માસ અગાઉ ગુજરી ગયા બાદથી નટુભાઈની શારીરિક અને માનસિક સ્થિતિ બુલકુલ સારી નથી અને તેઓ ચાલી શકતા પણ નથી. સારા નરસાનું બિલકુલ ભાન નથી આ શારિરીક માનસિક અસમર્થ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને નટુભાઈની વિધવા પુત્રવધૂ જશીબેનના ભાઈ શંભુભાઈ ઓથવાડ બાલાસિનોર તથા શંભુભાઈના જમાઈ પરેશભાઈ ઓઢવ અમદાવાદનાઓએ છેંતરપિંડી કરી નટુભાઈને દવાખાને લઈ જવાના બહાને 30 જાન્યુઆરીના રોજ ગાડીમાં બેસાડી સબરજીસ્ટ્રાર કચેરી મહુધા મુકામે લઈ જઈ નટુભાઈની ખેતીની મહીસા ગામની જમીન સ.નં:4993,ક્ષેત્રફળ: 1-07-26 વાળી જમીન સંદર્ભે છેંતરપીડીથી સરાલી કઠલાલના સાહીલ પ્રહાલજી ઠાકોરજી અને અપૃજી કઠલાલના અનિલસિંહ સોલંકી રજીસ્ટ્રાર વેચાણ દસ્તાવેજ તૈયાર અગાઉ થી કરાવેલ તેમાં મારા ભાઈ નટવરભાઈની સહી અંગૂઠો લઈ લીધેલ. એટલું જ નહીં પરંતુ નટુભાઈને સબરજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી વેચાણ દસ્તાવેજ કરાવી લીધો છે.
42 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:49 PM
ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમઃ પારદર્શક અને જવાબદાર શાસન માટે પંચોનું સશક્તિકરણ

ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમઃ પારદર્શક અને જવાબદાર શાસન માટે પંચોનું સશક્તિકરણ

ઉત્તર ગુજરાતના 260થી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે આયોજિત ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સ્તરે પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવા સરપંચોને આહ્વાન કર્યું હતું. ગ્રામ વિકાસને દેશના વિકાસનો પાયો ગણાવી તે ગાંધીનગર વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી ના 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,ગામડાં દેશના વિકાસનો પાયો છે. અને સરપંચોએ સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રથી જનશક્તિને જોડવી જરૂરી છે.તેમણે જાહેરહિતના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન ચાલે તેમ સ્પષ્ટ કર્યું અને સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. શંકર ચૌધરીએ ગ્રામસભામાં લોકભાગીદારી વધારવા અને ગ્રામ સચિવાલયના મંત્રને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને ગામડાની વિકાસ યાત્રામાં પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જાહેરહિતના કામોમાં બાંધછોડ નહીં ચાલે તે નિશ્ચિત કરવા, યુવાનોને જોડવા અને ટેક્નોલોજી દ્વારા સેવાઓ પહોંચાડવા જણાવ્યું હતું.અને સરપંચોને યોજનાઓનો લાભ ગામજનો સુધી પહોંચાડવાની જવાબદારી યાદ અપાવી.
73 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:47 PM
નર્મદા જિલ્લાએ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે સંપૂર્ણ અભિયાન શરૂ કર્યું

નર્મદા જિલ્લાએ ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટે સંપૂર્ણ અભિયાન શરૂ કર્યું

આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાકક્ષાનો સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ઈન્ચાર્જ કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં આરંભ કરવામાં આવ્યો હતો. સીડીએચઓ જનકકુમાર માઢકએ સંપૂર્ણતા અભિયાન- જેમાં છ સૂચકો પર ધ્યાન કેન્દ્રિત કરતા આરોગ્યમાં માતૃત્વ સંભાળ નોંધણી,બાળકોનું રસીકરણ, ડાયાબિટીસ અને હાયપરટેન્શન સ્ક્રીનિંગમાં નોંધપાત્ર વધારો થયા અંગે કામગીરી થઇ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારીશ્રી ઇશ્વરભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સંપુર્ણતા અભિયાન- 2 નો કાર્યક્રમ તા. 28 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે જે 14મી એપ્રિલ સુધી ચાલશે.ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ 2018 માં શરૂ થયો હતો, જેમાં દેશના 112 પછાત જિલ્લાઓને ઝડપી વિકાસ તરફ આગળ ધપાવવાનો હેતુથી આ સફળતાને આધારે 513 તાલુકાઓ માટે અસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાને અસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પસંદ કરાયો છે. જે આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ,પાણી, નાણાકીય સમાવેશ અને આધુનિક સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં સચોટ સેવા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જેનો મુખ્ય હેતુ છે કે, સૌથી પછાત વિસ્તારોમાં નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય, બ્લોક સ્તરેક્ષમતા વિકસે અને સ્પર્ધાત્મક ભાવનાથી કાર્યક્ષમતા વધે તેવો છે.
47 shares
😐
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:47 PM
અમદાવાદની મહિલાએ પુત્રના હઠીલા સ્વભાવને કારણે આત્મહત્યા કરી

અમદાવાદની મહિલાએ પુત્રના હઠીલા સ્વભાવને કારણે આત્મહત્યા કરી

માંગરોળના આંત્રોલી ગામના એક મહિલાને પતિએ દિકરાને ત્યાં આંટો દેવા જવાની ના પાડતા ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના 45 વર્ષીય મંજુબેન અરજણભાઈ કેશવાલાને તેના અમદાવાદ ખાતે રહેતા દીકરાને ત્યાં આંટો દ મહિલા જીદી અને હઠીલા સ્વભાવ હોવાથી અવારનવાર ગુસ્સે થઈ જતા જેથી પોતાને લાગી આવતા મંજુબેને સોમવાર ની વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મહિલાના આપઘાતની જાણ થતા શીલ પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃતકના પુત્ર રામભાઇના નિવેદન આધારે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
62 shares
😢
Divya Bhaskar logo
Divya Bhaskar
Feb 3, 2026, 10:46 PM
જામનગરમાં આયુષ મેળો મફત નિદાન સારવાર અને આરોગ્ય માર્ગદર્શન પ્રદાન કરે છે

જામનગરમાં આયુષ મેળો મફત નિદાન સારવાર અને આરોગ્ય માર્ગદર્શન પ્રદાન કરે છે

જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ 31મી ના રોજ જામજોધપુરના શ્રી કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય ચિકિત્સા આ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર ઉપરાંત પ્રકૃતિ અને નાડી પરીક્ષણ, બાળકો માટે સુવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર અને સુગરની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસોડામાં વપરાતી ઘરગથ્થુ ઔષધિઓનું પ્રદર્શન, આયુર્વેદિક ચાર્ટ પ્રદર્શન અને પર્યાવરણના જતન માટે નિઃશુલ્ક ઔષધ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કુલ 610 દર્દીઓએ સારવાર મેળવી હતી, જ્યારે ૨૫૦૦થી વધુ લોકોએ મુલાકાત લઈ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ રવિભાઈ શિહોરા, તાલુકા પ્રમુખ ભાગ્યેશભાઈ માણસુરીયા તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયુષ મેળાને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય હિરેન ઠક્કરના નેતૃત્વમાં વૈદ્ય ફોરમ પરમાર, ભાવેશ બેરા, અંકિતા સોલંકી, જિજ્ઞેશ સોનગરા સહિતના તબીબો અને ફાર્માસિસ્ટની ટીમે જહેમત ઉઠાવી હતી.
92 shares
😐